________________
(૩) અહિંસા – અહિંસા એ જ જીવનની સાર્થકતા છે છતાં માણસને દેહધારણ માટે પણ થોડી ઘણું હિંસા કર્યા વગર છૂટકે નથી. આ હિંસા જેટલી ટાળી શકાય તેટલી ટાળવી રહી. હદયમાં અહિંસાવૃત્તિ જાગે એટલે હિંસા ટાળવાના જેટલા ઉપાય જડે તેટલા માણસ શોધતો રહેવાનો. માણસ આટલું તો કોઈ કાળે ન જ કરે –
કેઈનો વધ ન કરે, કોઈને બાંધે નહિ, ગાત્રછેદ ન કરે, ગજા ઉપરાંત ભાર ન મૂકે કામ ન કરાવે, તેમજ કેઈનું ખાનપાન બંધ ન કરે.
(૪) બ્રહ્મચર્ય— વિકારમાત્રમાંથી મુક્ત રહેવા માણસે મથવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ પણ બ્રહ્મચર્ય તરફ જવાનો પ્રયત્ન રાખવો જ જોઈએ. પ્રાકૃત સમાજના લેકે આટલું સાચવે તો પણ બહુ થયું –
પિતાની સ્ત્રીથી જ સંતોષ માને, કુમારી કે વિધવાને સંસર્ગ ન કરે, વેશ્યાગમન ન કરે, બીજી સ્ત્રીઓ સાથે પણ શંગારચેષ્ટા ન કરે, પોતાની સ્ત્રી સિવાય કોઈનો પણ વિકારી સ્પર્શ ન કરે, કે તેમના તરફ વિકારી આંખે ન જુએ.
મુમુક્ષુ માણસે મનને સાચવવા માટે બીજાના વિવાહ કરવાની જંજાળમાંથી પણ મુક્ત જ રહેવું અને પિતાના વૈવાહિક જીવનમાં પણ કામભોગમાં તીવ્ર અભિલાષ નહિ કરો.
દરરોજ ન બને તો મહિનામાં ચાર દિવસ (૮,૧૪,૧૫,૩૦) આ વખત ઉપવાસ કરે, સ્નાન, વિલેપન, ગંધ, માલ્ય, અને અલંકાર છોડી દેવા, દાભ કે કાની પથારીએ રહીને અથવા વીરાસન વગેરે આસનો પર રહીને ધર્મનું ચિંતન કરવું તથા સર્વ સિંઘ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. - (૫) અપરિગ્રહ – ગૃહસ્થાશ્રમીનાં મુખ્ય આકર્ષણ બેઃ કનક અને કાન્તા. બન્નેનો સંપૂર્ણ ત્યાગ ઈષ્ટ હોય તોયે સામાન્ય માણસની હિંમત ન ચાલે. તેથી માણસે ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org