________________
લેભ કરીને માણસ ખેતી, વેપાર, વાણિજ્ય,વ્યાજવટું ઇત્યાદિ ધંધાઓ પણ હદ બહાર વધારે, એ બેઠું છે. નહિ તો બીજાઓ જે આવી પ્રવૃત્તિના સરખા જ હકદાર છે, પણ અલ્પ સાધનાને લીધે હરીફાઈ કરવા અસમર્થ છે, તેમને અન્યાય થાય, તેમની હિંસા થાય. સેવા લેતા કે સ્વાર્થની દષ્ટિએ સેવા કરતા માણસે દિશાનું પરિમાણ બાંધવું જોઈએ અને આગળ જતાં તે ઓછું પણ કરવું જોઈએ. આમાં સંકુચિતપણે કેળવાશે એવી બીક કેટલાક રાખે પણ તે મિથ્યા છે. સ્વાર્થ, લોભ, દ્રોહ, અધિકાર અને સત્તાના વિસ્તાર કર્યો કોઈને લાભ નથી. એમનો સંકેચ થવો જ જોઈએ. નિરપેક્ષ સેવા, પ્રેમ, અહિંસા, હત્યને વિકાસ અને કલ્યાણચિંતનને કોઈ મર્યાદા સૂચવતું નથી.
કેટલાંક કર્મો એવાં છે કે જે અનિષ્ટ કે સદોષ હોય તોય ક્ય વગર છૂટકો નથી. એવાં કર્મો પોતે પિતા પૂરતાં જ કર્યા હોય તે એના પર સ્વાભાવિક અંકુશ રહે છે; પણ એનો એકવાર ધંધો બનાવી દીધું કે પછી સંયમ રાખવો અશક્ય થઈ જાય છે, હિંસા ઘટવાને બદલે વધતી જ જાય છે. એવાં કર્મો ધંધા તરીકે ન કરવાં એમાં જ સમાજહિત અને આત્મિક કલ્યાણ રહેલાં છે.
જેમાં મોટા પાયા પર અગ્નિપ્રયોગ કરવો પડે, જંગલે બાળવાં પડે, રમવાની કે શેભાની વસ્તુઓ તૈયાર કરવા માટે પ્રાણીઓનો વધ કરવો પડે, કે એવા વધને ઉત્તેજન આપવું પડે, હિંસ પ્રાણુઓ, વિષ, મધ, શસ્ત્ર જેવી ઘાતક વસ્તુઓને વેપાર, માણસાઈને ન છાજે એવો દાસદાસીઓને વેપાર, વગેરે બધું પ્રથમથી જ ત્યાજ્ય ગણવું જોઈએ. આવા નિયમમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે આપણું જ્ઞાન વધે તેમ નિયમોમાં ફેરફાર થવો જોઈએ. નહિ તે કંદ તો ન ખવાય પણ અસંખ્ય જીને ઉકાળી તૈયાર કરેલાં રેશમનાં વસ્ત્રો મંદિરમાં વપરાય એ હાસ્યાસ્પદ પ્રકાર થઈ જવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org