________________
१५
માતાનામાં સાળા ગામીત શાખનાને સ્વીકારી
પાડવાનો પ્રયત્ન ન કરે તો એ દેવ શાના? આપણું આ ઉપાસકેને ચળાવવા માટે પણ દેવ આવ્યા. માણસ નિર્વાણની ઈચ્છા રાખે, મેક્ષનો પિપાસુ હોય, તો દેવોને મન એ અધમાધમ લક્ષણવાળા છે. પિતાની માયા વડે દેવો એની આગળ એના પુત્રના કકડા કરી બતાવે અને એ કકડા રાંધીને એના શરીર પર લોહી માંસના છાંટા ઉડાડે !
ઉપાસકો ગમે તેટલા નિર્ભય હોય તોય આખરે માણસ ખરા. દીકરાના કકડા જોઈને પણ જે ચલાયમાન ન થયો તે પિતાની માતાના વધની બીક બતાવતાંવેંત સામે થવા તૈયાર થયો. બીજો એક શરીરમાં સોળ રોગ ઉત્પન્ન કરવાની બીક બતાવતાં અસ્વસ્થ થયો. ત્રીજો ધનને કારણે, ચોથો સ્ત્રીને કારણે. વળી એક જણે અંતિમ ઘડીએ ક્રોધ કરીને પોતાની સ્ત્રીને શાપ આપ્યો અને ડુંક તપ ખાયું. પણ જ્યારે ભગવાને કહ્યું કે અંતિમ સંલેખનાને સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે કોઈને સાચું હોય તો પણ અનિષ્ટ અને અપ્રિય વચનેથી કાંઈ કહેવું ન ઘટે, ત્યારે એણે તરત પ્રાયશ્ચિત્ત કર્યું.
સાધારણ રીતે શિષ્યો ગુરુની કહી વાત કેવળ શ્રદ્ધાથી જ ગ્રહણ કરે છે. ગુરુનું કહ્યું સાચું હોવું જ જોઈએ એ જાતની આસ્તિક બુદ્ધિ હોવાથી એ વાત સ્વીકારતાં એમને મુશ્કેલી નથી નડતી. પરિણામે એમને આવી વસ્તુ દાખલા દલીલથી સિદ્ધ કરતાં નથી આવડતી. પછી સામા પક્ષની દલીલ તેડવાની તો વાત જ શી. તેથી
જ્યારે ગૃહપતિ કુંડકાલિક ગોશાલ પક્ષના એક દેવને નિરુત્તર કરી શક્યો, ત્યારે ભગવાને એનાં ખાસ વખાણ કર્યા.
ભગવાન બુદ્ધ તથા મહાવીરના કાળમાં બાસઠ કે ત્રેસઠ સ્વતંત્ર ધર્મોપદેશકે ફરતા હોવાનો ઉલ્લેખ છે. જેમ વેપારીઓ ધન મેળવવાને પ્રયત્ન કરે, રાજાઓ રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરે અથવા ગયેલું રાજ્ય પાછું મેળવવા મથે, તેમ તે વખતે ધર્મોપદેશકે અને ધર્મસંસ્થાપકે શિષ્યો મેળવવા, સાચવવા અને ગયેલાઓને પાછા જીતવા ઇંતેજાર રહેતા. સદ્દાલપુત્રની વાર્તામાં સદ્દાલપુત્રને પ્રથમ મંખલિપુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org