Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી SિIષષ્ટિ શલાકા પBE ચંરગ
JEEL પ્રકારn.
ઉG!Jકારા,
TalELCHE
Page #2
--------------------------------------------------------------------------
________________
-
શ્રી
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૩-૪-૫-૬ ઠું
શ્રી આદીશ્વરજી અને ભરતચક્રીનું ચરિત્ર
તથા શ્રી અજિતનાથજી અને સગરચક્રીનું ચરિત્ર.
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત
સંસ્કૃત પદ્યાત્મકનું ગુજરાતી ભાષાંતર.
પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના સૌજન્યથી
અરિહંત પ્રકાશન
અમદાવાદ
નવી આવૃત્તિ
ચૈત્ર સુદ-૧૫
સંવત ૨૦૪૧ કિંમત–રૂા. ૨૦૦=૦૦ (સેટના)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
અરિહંત પ્રકાશન ૭૧૧, જૈન ચાલી, ખમાસા ગેટ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧
મુખ્ય વિક્રેતા :
સરસ્વતી પુસ્તક ભાર હાથીખાના, રતનપાળ,
અમદાવાદ-૩૮૦૦૦૧ ફેશન નં. ૩૩૬૬૨૯
સામચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા
શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર, ફુવારા સામે, તળેટી રોડ
પાલીતાણા
૧ લું ૧
૨ નું ૧
૩
स्वर्गस्तस्य गृहांगणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा । सौभाग्यादिगुणावलिविलसति स्वैरं षपुर्वेश्मनि ॥ સંસાર: सुतरः शिवं करतलकोडे लुठत्यंजसा । यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥ १ ॥
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्रना दश पर्वमां समावेला चरित्रोनु यंत्र.
પ.
તીર્થંકર ચક્રવો. વાસુદેવ બળદેવ
કુલ ચિરા
૧
O
.
ર
૧
૨
८
પમુક
ન
? * *y `ry » % % % ?
૯
૧૦ મુ
८
૧
૨૪
મુદ્રક- પી. જે. શાહ
૭
ગ્
૧
४
૨
1
d
અન્ય પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મદિર દાશીવાડાની` પેાળ, અમદાવાદ–૧
૧૨
.
.
૫
૧
૧
°
.
૯
o
ઈં
પ
ગ્
શ્રી પાર્થ પ્રકાશન નીશાપેાળ, ઝવેરીવાડ, રીલીફરાડ, અમદાવાદ-૩૮૦૦૦૧
ડીલક્ષ પ્રિન્ટ, ઘીકાંટા રાડ,—નગરશેઠના વડા
અમદાવાદ–૧
પ્રતિવાસુદેવ
O
.
૫
.
૨
૧
૧
મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગાડીજીની ચાલ, પાયધુની
મુંબઈ–૨
d
O
સેવતીલાલ વી. જૈન
૨૦, મહાજનગલી, ઝવેરી બજાર મુખઈ-૨
૨૨
૨
૧૪
૪
૨
૬૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(નોંધ : અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો. તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે –)
જેના પુસ્તકમાં જે જ્ઞાનનો ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનયોગ, કથાનયોગ, ગણિતાનયોગ અને ચરણકરણાનુગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટ્દ્રવ્ય સંબ ધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેને તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ યોજ્યા છે. આ અનુગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુરુષોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ–પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિત વિષય આવે છે. તેમાં ગણતરીને વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીક્ત આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતનો પણ તેમાં સમાવેશ કરેલો છે. ચોથા અનુગમાં ચરણસીરી અને કરણસીત્તરીનું વર્ણન અને સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથ લખાય છે તેમાંથી ઘણાનો નાશ થયે છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથો વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે.
અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયેગનો છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યાનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુગ જેવા ગહન વિષયમાં તો તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જોયું હશે કે જ્યારે ધાર્મિક કીડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ કથાનો વિષય પર સર્વને એક સરખો આનંદ આવે છે; એટલું જ નહિ પણ તે જ કથા ઘણા રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીઘ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુચી પામી ગયા અને તેનો લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો. તેને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દોરવાઈન તેઓએ કથાનો સાથે ધર્મનાં મુખ ફરમાનો, વર્તાનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદેશે જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે છે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાત ઓછો થતો ગયો, લોકો જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષય જોડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંતો મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકૃત અને ગુજરાતીમાં ચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્ત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકોનું ધ્યાન એાછું ખેંચાય એ તદન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિમાં વધારે બળવાન હોય છે અને કથાનુયેાગમાં કલ્પનાશક્તિનો બહુ ઉપયોગ કરવો પડે છે; તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે
Page #5
--------------------------------------------------------------------------
________________
કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળને વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનુયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. .
હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બાધ આપી, જૈનધર્મી બનાવી, આખા દેશમાં જેનધર્મને વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધે છે કે અત્યારે કોઈ પણ જૈન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયે એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશા, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશોને પોતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમાર્ણત, વિનયવાન અને ચૌલુકાના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્યનાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દર્ગણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવે પણ મે છોડી દીધું છે અને બધી પૃથ્વી અUતના ચાવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજ જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન્ ! તમે સ્વયમેવ લકે પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબંધ થવા માટે
સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલું આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસવાનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બંધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયને નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી.
આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તે તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતોડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તે સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. રથાનનાં વણને અને લશ્કરની ભૂહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણકોના મહોત્સવ, ચકીનો દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાન, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લકે ચોથા આરાનું સુખ કહે છે તેનો ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છેડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેં'ચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વા સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગને ઊંચામાં ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બધા આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે
Page #6
--------------------------------------------------------------------------
________________
૩
કથાનુયાગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્યાં પૂરેપૂરા કુંતેહમદ ઉતર્યાં છે, અને તેનુ ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે મધ આપે છે.
કવિ તરીકે તેઓની કુત્તેહ પાશ્ચિમાત્ય વિદ્વાનેા પણ સ્વીકારી ચૂકયા છે અને પરિશિષ્ટ પની પ્રસ્તાવનામાં પ્રેા. જેકૈાખી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે, તે પ્રેાફેસર તેમને માટે લખે છે કે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કાષના રચનાર અને છંદાનુશાસન જેવા પિ`ગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથા રચનારની વિદ્વત્તા કાઇ પણ પ્રકારની ભૂલા દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે—Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલુ` છતાં હેમચ'દ્રાચાર્યે' આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે અને પેાતાની કથા વાંચકવ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા કુત્તેભાંદ થયા છે કે આથી વધારે સારા ગ્રન્થે હેાવાના સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકાની જેટલા જ આન ંદ અને હાંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે.)’’
અમે કેટલીક તપાસ કર્યાં પછી એવા નિણૅય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સાંવત ૧૨૨૦ માં લખાયા છે. એ સબધી યાગ્ય પુરાવા અને દલીલા શ્રી હેમચંદ્રાચાર્યાંના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરાજ જનાર અને સતત ગ્ર ંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ મુદ્ધિબળવાળા કલિકાળમાં સનતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથા બનાવ્યા છે તે ખરેખર જૈન કામને માટ વારસા છે અને તે વારસા જાળવી રાખવા માટે જૈન ક્રમે તત્પર તેમજ મગરૂબ થવુ જોઈએ.
આ પ્રમાણે દશે પર્વની ઉપયાગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનુ જરા જરા ચિત્ર ગ્રંથના દશ પૉંમાં ત્રેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની ' પહેલા પમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી એ મહાપુરુષાનાં ૨ ખીજા પ`માં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો મળી એ મહાપુરુષોનાં ચરિત્રો છે.
આપી હવે આ આવશ્યકતા છે. ચરિત્રો છે.
૩
ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યંત આઠે તીકાનાં ચરિત્રો છે.
૪ ચેાથા પમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મ નાથજી સુધી પાંચ તીર્થંકરાનાં અને પાંચ પાંચ વાસુદેવ. ખળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા તે સનતકુમાર એ એ ચક્રીનાં મળી ૨૨ મહાપુરુષાનાં ચરિત્ર છે.
તીર્થંકર તે ચક્રી
૫ પાંચમા પ માં શ્રી શાંતિનાથનુ જ ચરિત્ર છે, પણ તેએ એક લવમાં
એમ એ પદવીવાળા થયેલા હાવાથી એ ચરિત્ર ગણેલાં છે.
છઠ્ઠા પ`માં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પયંત ચાર તીર્થંકરાનાં, ચાર ચક્રીનાં અને એ-ખે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચક્રીમાં એ તેા કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હાવાથી તેમને ગણેલા છે.
७ સાતમા પ'માં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચિરત્ર મળી ૬ મહાપુરુષાનાં ચરિત્રો છે. આ પ°તા મોટો ભાગ રામચદ્રાદિનાં ચારિત્રમાં શકાયેલા હાવાથી તે જૈન રામાયણ
તરીકે ઓળખાય છે.
♦ આઠમા પમાં શ્રી નેમિનાથજી તથા નવમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, ખળભદ્ર તથા જરાસ`ધના મળી ૪ મહાપુરુષાનાં ચરિત્રો છે. પાંડવા નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોને સમાવેશ પણ આ પર્વમાં કરેલા છે.
૯ નવમા પમાં શ્રીપાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીના મળી એ મહાપુરુષાનાં ચરિત્રો છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦ દશમા પ†માં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગેાપાત શ્રેણિક, અભયકુમારાદિક અનેક મહાપુરુષાનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પર્યાં કરતાં મેટ્ટુ છે અને શ્રી વીરભગવતનું ચરિત્ર આટલા વિસ્તારથી ખીજા કોઈ ગ્રંથમાં
ઉપલબ્ધ નથી.
આ પ્રમાણે દશ પમાં મળી ૬૩ શલાકા પુરુષાનાં ચરિત્રોના સમાવેશ કરવામાં આવેલા છે. તેનુ યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારભમાં આપેલુ છે.
આ ત્રેસઠ મહાપુરુષા શલાકા પુરુષ' એટલા માટે કહેવાય છે કે તેમના મેક્ષગમનના ચેાસ નિર્ણય થયેલા છે. ચાવીશ તીર્થંકરા તે તદ્ભવમેાક્ષગામી હોય છે, ચક્રવત્તામાં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વગે અથવા મેાક્ષે જાય છે અને જે સાંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચેાવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત એ ચક્રી મહાપાપારભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મેાસે જનારા છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સ`સારમાં બહુ ખૂંચેલા હાય છે તે સ'સાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તે જરૂર મેાસે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ જીવા હાવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહુબ ધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વગે અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવા આગામી ભવે મેાક્ષે જાય છે.
શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદના પણ સમાવેશ કરી ૮૩ની સખ્યા કરેલી છે. દરેક ચાવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચેાવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે ‘શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે.
આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષામાં જીવ પ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી' 'પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હાવાથી કુલ ચાર બાદ કરતાં પ૯ જીવ થાય છે.
જીવા અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તેા અન'તા થાય છે; પરંતુ જ્યારે તે સકિત પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુદ્ગળપરાવતનની અંદર તેા સમકિત પામ્યા પછી મેાક્ષે જાય જ છે. તી કરના જીવા સમક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનેા જીવ ક્રેાડાક્રાડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સ`સારમાં રહ્યો છે, ખીજા તીર્થંકરના જીવા તે! બહુ થેાડા કાળમાં ઘેાડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રમ થમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારખીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે. જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસા વાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનુ· ચરિત્ર વર્ણવેલ છે. દરેક તો 'કરનામક ત્રીજા ભવે જ ખાંધે છે ( નિકાચીત કરે છે ) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે ચાવત વીશે સ્થાનકાના આરાધનથી બંધાય છે. એ વીશ સ્થાનકનુ વન પહેલા સમાં છેવટના ભાગમાં આપેલુ છે.
આ ગ્રંથ મહાકાવ્ય હાવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. છએ ઋતુનુ વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પર્વ'માં પૃથક્ પૃથક્ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સબંધમાં જેટલુ' લખીએ તેટલુ ઘેાડુ' છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હાવાથી આ ગ્રંથમાં કોઈ વાત બાકી રાખેલી તથો. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદો સ’ગ્રહ કરવામાં આવે તે તેની અંદર જિનપ્રવચનની સવ` બાબતેા સમાઈ જાય તેમ છે
Page #8
--------------------------------------------------------------------------
________________
આ ભાગમાં આવેલા ૪ ૫માં કયા કયા મહાપુરૂષનાં ચરિત્રે આવેલાં છે તે આ નીચે ટૂંકામાં બતાવવામાં આવે છે.
" પર્વ ત્રીજામાં આઠ સગ છે. તેમાં ૧ સર્ગ પહેલામાં–શ્રી સંભવનાથજીનું ચરિત્ર. ૨ સર્ગ બીજામાં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર, ૩ સર્ગ ત્રીજામાં–શ્રી સુમતિનાથજીનું ચરિત્ર, ૪ સર્ગ ચેથામાં–શ્રી પદ્મપ્રભ પ્રભુનું ચરિત્ર, ૫ સર્ગ પાંચમામાં–શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર. ૬ સર્ગ છઠ્ઠામાં–શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર. ૭ સર્ગ સાતમા માં- શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર. ૮ સર્ગ આઠમામાં શ્રી શીતળનાથજીનું ચરિત્ર.
પર્વ ચોથામાં સર્ગ સાત છે. તેમાં ૧ સર્ગ પહેલામાં–શ્રી શ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ ત્રિપુષ્ટ, અચળ ને અગ્રીવનાં ચરિત્ર.
૨ સગે બીજામાં–શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને ને તારકનાં ચરિત્રો.
૩ સર્ગ ત્રીજામાં–શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ સ્વયંભૂ, ભદ્ર ને મેરકનાં ચરિત્ર.
૪ સર્ગ ચેથામાં-શ્રી અનંતનાથજીનું તથા ચેથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્ર.
૫ સર્ગ પાંચમામા-શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુષસિંહ, સુદર્શન ને નિશુંભનાં ચરિત્ર.
૬ સર્ગ છઠ્ઠામાં–ત્રીજા મઘવા ચક્રવત્તનું ચરિત્ર, ૭ સર્ગ સાતમા માં–થા સનત્કુમાર ચક્રવર્તીનું ચરિત્ર.
પર્વ પાંચમામાં સર્ગ ૫ છે. - તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે.
૧ સ પહેલામાં-પ્રથમ પાંચ ભવનું વર્ણન. પહેલે ભવે શ્રીષેણ રાજાને અભિનંદિતા રાણી, બીજે ભવે ઉત્તર કુરૂમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, એથે ભવે અમિતતેજ વિદ્યાધર તે ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશમા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે.
૨ સગે બીજામાં–છટ્ટા ને સાતમા ભવનું વર્ણન-છઠ્ઠ ભાવે અપરાજિત નામે બળદેવ અને અનંતવીર્ય નામે વાસુદેવ મહાવિદેહક્ષેત્રમાં થયા, પ્રાંતે બળદેવ બારમા દેવલોકના ઈદ્ર થયા અને વાસુદેવ પહેલી નરકે ગયા. ત્યાંથી નીકળી વાસુદેવને જીવ મેઘનાદ વિદ્યાધર થયા અને ચારિત્ર આરાધીને તે પણ બારમે દેવલેકે ઈદ્રના સામાનિક દેવ થયા તેનું અસરકારક ચરિત્ર છે.
૩ સણ ત્રીજામાં–આઠમાં ને નવમા ભવનું વર્ણન-આઠમા ભાવમાં અમ્યુચ્યવને મહાવિદેહક્ષેત્રમાં ક્ષેમંકર તીર્થ કરના પુત્ર જયુધ નામે ચક્રવત્તી થયા; અને તેના સામાનિક દેવ હતા તે તેના પુત્ર સહસ્ત્રાયુધ થયા. પ્રાતે દીક્ષા લઈને બંને નવમા ભવે ત્રીજા સૈવેયકમાં અનિંદ્ર દેવતા થયા તેમનું ચમત્કારિક ચરિત્ર છે. - ૪ સર્ગ ચેથામાં-દશમા ને અગ્યારમા ભવનું વર્ણન-દશમા ભવમાં બંને છવ ત્રીજા ગ્રંવેયકથી અવીને મહાવિદેહક્ષેત્રમાં ઘનરથ તીર્થ કરના મેઘરથ અને દસરથ નામે પુત્ર થયા. તે ભવમાં મેઘરથે
Page #9
--------------------------------------------------------------------------
________________
પારેવો ઉગાર્યો અને વીશસ્થાનકની આરાધનાવડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રાંતે દીક્ષા લઈને બંને અગ્યારમા ભવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા, તેનું મને હર ચરિત્ર છે.
૫ સર્ગ પાંચમામાં–મેઘરથ રાજાને જીવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્રી ને સાળમાં તીર્થકર થયા તેમનું તેમજ દઢરથને છવ શ્રી શાંતિનાથજીના પ્રથમ પુત્ર અને પ્રથમ ગણધર ચક્રાયુધ નામે થયા તેમનું અપૂર્વ ચરિત્ર છે.
આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવના સવિસ્તર વર્ણન સાથે એકજ ચરિત્ર સમાંવેલું છે. ઉત્તમ છવો દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવને પુત્રપણે ઉપજે છે, તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાતિનાથજીના જીવ બેવાર તીર્થકરના પુત્ર થયા, બેવાર ચક્રવતીપણું પામ્યા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કેઈ અપૂર્વ - પુરયવાન જીવને જ પ્રાપ્ત થાય છે. શ્રી મહાવીર સ્વામીના છ મરિચિના ભવમાં કુળમદ કર્યો, પરંતુ તેમના કરતાં શ્રી શાંતિનાથજીના જીવની ઉગ્રતા અતિ વિશેષ છે, અને એમનું આખું ચરિત્ર પ્રશંસનીય છે. તેમના ચરિત્રમાં કઈ પણ પ્રકારનો ડાઘ સરખે પણ દૃષ્ટિએ પડતું નથી.
છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે તેમાં- ૧ સર્ગ પહેલામાં-છઠ્ઠા ચક્રી ને ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથજીનું ચરિત્ર. * ૨ સગે બીજામાં–સાતમા ચક્રો ને ૧૮ મા તીર્થંકર શ્રીઅરનાથજીનું ચરિત્ર. તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર. * ૩ સર્ગ ત્રીજામાં–છ વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરુષપુંડરિક, આનંદ ને બળિરાજાનાં ચરિત્ર.
૪ સર્ગ ચેથામાં- સુભૂમ નામે આઠમા ચક્રવતીનું ચરિત્ર, તેની અંતર્ગત પરશુરામનું ચરિત્ર. '' ' ઉપસર્ગ પાંચમા માં-સાતમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ દત્ત, નંદન અને અલ્હાદનાં ચરિત્ર.
૬ સર્ગ છઠ્ઠામાં શ્રી મલ્લિનાથનું ચરિત્ર. તે સાથે તેમના પૂર્વ ભવના છે મિત્રોનાં પણ ચરિત્ર, મલીકુમારી માટે દૂત મેકલવાનાં કારણે વિગેરે.
૭ સર્ગ સાતમા માંશ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર. તેમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવબેધ તીર્થની ઉત્પત્તિ અને કાર્તિકશેઠની કથા વિગેરે.
૮ સર્ગ આઠમામાં–મહાપદ્મ નામે નવમાં ચક્રવતીનું ચરિત્ર. તેની અંતર્ગત તેમના મેટા ભાઈ વિષ્ણકુમારનું ચરિત્ર
એક દર ચાર પર્વ માં ૨૮ સર્ગની અંદર ૪૫ મહાપુરૂષોનાં અને બીજાં અનેક ચરિત્રો સમાવેલાં છે. તેની અંદર વાસુદેવ, પ્રતિવાસુદેવ ને ૧ સુભમ ચક્રી દુર્ગતિએ ગયેલા છે; બાકી બધા જીવો સદગતિના ભાજન થયેલા છે. - દરેક સગ માં ૨ હકીકત છે તેની વિસ્તારવાળી વિષયાનુક્રમણિકા આ સાથે જુદી આપેલી હોવાથી અહીં' તે સંબંધી વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી. ' અનમતિઓ જેને દૈત્ય કહે છે અને જેને મારવા માટે તેઓ પોતાના દેવને અવતાર ધારણ કરવા પડ્યાનું કહે છે તે દૈત્યે પ્રતિવાસુદેવ જ જણાય છે અને તેમના દેવના અવતાર તે વાસુદેવ જણાય છે. આ ભાગમાં આવેલા સાત પ્રતિવાસુદેવ અધીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બળિ ને અલ્લાદ એ બધાને અન્યમતિઓ અસુર અથવા દૈત્ય તરીકે જ ઓળખે છે. તેઓ વાસ્તવિક દૈત્ય નહીં પણ દૈત્ય જેવા હેવાથી દૈત્ય ગણાયેલા જણાય છે.
આ ભાગમાં આવેલાં ચરિત્ર સંબંધી, તેમાં આવેલી હકીકત સંબંધી તેમજ મંથકો સંબંધી વધારે ન લખતાં આ પ્રસ્તાવના આટલેથીજ સમાપ્ત કરીએ છીએ; અને સૃજ્ઞ તેમજ ગુણગ્રાહી વિદ્યાને પ્રત્યે ભાષાંતરમાં થયેલી ભુલચુકને માટે ક્ષમા યાચના કરીએ છીએ.
૧ મધુ ને કૈટભ બે ભાઇઓ થયેલા છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
પર્વ ૩-૪-૫-૬.
પર્વ ૩ જુ. પા માં-શ્રી સંભવનાથજીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-વિપુળવાહન રાજા–તેના ગુણનું વર્ણન-પડેલ દુષ્કાળ–તેનું વર્ણન-તે ઉપરથી રાજાને થયેલે વિચાર-શ્રી સંધની ભક્તિ કરવાની થયેલી ઈચ્છા-દુકાળમાં પણ કરેલી અપ્રતિમ સંઘભક્તિ–તેથી બાંધેલું તીર્થંકરનામક–એકદા મેધ ઉત્પન્ન થઈને એકાએક અસ્તવ્યસ્ત થયેલ જોઈ ઉપજેલી વિચારણ- તે ઉપરથી ચારિત્ર ગ્રહણ કરવાને કરેલ નિર્ણય-પુત્ર સાથે થયેલ ઉત્તર પ્રત્યુત્તર-વિપુળવાહને લીધેલી દીક્ષા-નવમા દેવલોકમાં ઉપજવું–છતારી રાજા ને સેના દેવીનું વર્ણન–માતાને આવેલાં ચૌદ સ્વ-નવમા દેવલોકથી યવી સેના દેવીના ગર્ભમાં ઉપજવું–ઈદ્રનું સ્વપ્નાર્થ કહેવા આવવું–ભગવંતનો જન્મ–દિશાકુમારીઓએ કરેલ સૂતિકર્મ–તેમણે કરેલ જમે છ–ઈકોએ કરેલ જન્મોછવ-સધમે કરેલ સ્તુતિ-જારિ રાજાએ કરેલે જન્મછવગુણનિષ્પન્ન સંભવનાથ નામ પાડવું–બાળક્રીડા-પ્રાપ્ત થયેલ યૌવન-દેહ વર્ણન–ભગવંતને વિવાહરાજ્યસ્થાપન -ભગવંતે વિચારેલ સંસારથિતિ–લેકાંતિક દેવોનું આગમન–પ્રભુએ આપેલું સંવત્સરીદાનદીક્ષા મહોત્સવ-ભગવંતે લીધેલ દીક્ષા-ઇ કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ પ્રથમ પારણુ-પંચ દીવ્યનું પ્રકટ થવું-પ્રભને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન–સમવસરણની રચના બાર પર્ષદાનું અાગમન- કે કે
સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અનિત્ય ભાવનાનું સ્વરૂપ–ગણધરની સ્થાપના-પ્રભુના યક્ષયક્ષિણી–ભગવંતને પરિવાર–પ્રાંતે સમેત શિખર પધારવું–ભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ વિગેરે
| પૃષ્ઠ 1 થી ૧૭ થીના સનાં-શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-મહાબળરાજાએ લીધેલી દીક્ષા-નિરતિચાર પ્રતિપાલન–વીશ સ્થાનક આરાધન-તીર્થકર નામ કમને બંધ-વિજયવિમાનમાં ઉપજવું-અધ્યાનું વર્ણન-સંવર રાજા ને સિદ્ધાર્થ રાણીનું વર્ણન-વિજયવિમાનથી ચવવું-સિદ્ધાર્થ દેવીના ગર્ભમાં ઉત્પન્ન થવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વ- ઈદ્ર કહેલ તેને અર્થ–પ્રભુને જન્મ-દેવકૃત જન્મ૨છવ-ઈ કરેલી સ્તુતિ–અભિનંદન ના સ્થાપન-દેહનું વર્ણન-ભગવંતને વિચાર–રાજ્યસ્થાપનભગવતે લીધેલી દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ઈકે કરેલી સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ-ગણધરસ્થાપના-ચક્ષયક્ષિણ-ભગવંતને પરિવાર-સમેતશિખર પધારવું–ભગવંતનું નિર્વાણ—આયુનું પ્રમાણ વિગેરે–
પૃષ્ઠ ૧૮ થી ૨૫ ત્રીના સમાં – શ્રી સુમતિનાથનું ચરિત્ર –તેમને પૂર્વભવ-વિજયસેન રાજા ને સુદર્શના રાણી–રાણુને થયેલ પુત્રાભિલાષ-તેને માટે રાજાએ કરેલ કુલદેવીનું પૂજન-તેણે કરેલ પુત્રપ્રાપ્તિની વાત રાણીને ગર્ભ રહે–પૂર્ણ સમયે થયેલ પુત્રજન્મ-પુરૂષસિંહ નામસ્થાપન-યૌવનાવસ્થાની પ્રાપ્તિ-મુનિરાજનો મેળાપ-તેને જોતાં થયેલા વિચાર-પુછેલે ધર્મ–મુનિએ કહેલ ધર્મનું સ્વરૂપ-પુરૂષસિંહને દીક્ષા લેવાને થયેલ વિચાર-પિતાપુત્રને થયેલ પ્રશ્નોત્તર –પુરૂષસિંહે લીધેલ દીક્ષા-તીર્થ કરનામકર્મનું ઉપાર્જન વૈત વિમાનમાં ઉપજવું–મેઘરાજા ને મંગળા રાણીનું વર્ણન-વૈજયંતવિમાનથી ચવવું–મંગળા રાણીની કુખે ઉપજવું-બે શેકીને એક પુત્રના સંબંધમાં પડેલ વિવાદ-રાજાથી ન થયેલ ઈન્સાફગર્ભના પ્રભાવે રાણીને પ્રાપ્ત થયેલ સુમતિ-તેણે કરી આપેલે ઈન્સાફ-પ્રભુને જન્મ-દેવત જન્મ૨૭વ-સૌધર્મે કરેલી સ્તુતિ-સુમતિનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા - પાણિગ્રહણ-રાજેસ્થાપન-- દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણું-કેવળજ્ઞાન પ્રાપ્તિ-ઈદ્રોનું આગમન–ઈ કરેલી સ્તુતિ-ભગવંતે આપેલી
Page #11
--------------------------------------------------------------------------
________________
દેશના-તેમાં એકત્વ ભાવનાનું સ્વરૂપ-ગણધરસ્થાપના–યક્ષચક્ષણી–પ્રભુનો પરિવાર–સમેતશિખર પધારવું -પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણુ વિગેરે
પૃષ્ઠ ૨૪ થી ૩૬ રોણા સમાં–શ્રી પદ્મપ્રભ ચરિત્ર –તેમને પૂર્વભવ–અપરાજિત રાજાને થયેલ વિચારણાતેમણે લીધેલી દીક્ષા-વીશસ્થાનક આરાધન–વીર્થકરનામકર્મને બંધનવમાં શ્રેયકમાં ઉપજવું–ધર રાજા ને સીમા રાણીનું વર્ણન-નવમાં ચૈવેયકથી ચવવું-સસીમા રાણીની કુખે ઉપજવું–પ્રભુને જન્મ મેરૂપર્વત પર જન્મેચ્છવ-ઈ કરેલી સ્તુતિ-પદ્મપ્રભ નામ સ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ- રાજ્ય
સ્થાપન—દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણું-કેવળજ્ઞાનપ્રાપ્તિ-વાગમન-ઈ કરેલી સ્તુતિ-ભગવંતે આપેલી દેશના-તેમાં સંસાર ભાવનાનું સ્વરૂપ-ચારે ગતિમાં પ્રાપ્ત થતાં દુ:ખનું સવિસ્તર વર્ણનગણધરસ્થાપના – ક્ષક્ષણ–પ્રભુને પરિવાર–પ્રાંતે સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ વિગેરે
| પૃષ્ઠ ૩૭ થી ૪૫ iા સમાં–શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર – તેમને પૂર્વભવનંદિષેણ રાજાએ લીધેલ દીક્ષા વિશ સ્થાનકનું આરાધન-તીર્થંકરનામકર્મને બંધ-છઠ્ઠા સૈવેયકમાં ઉપજવું–પ્રતિષ્ઠ રાજા ને પૃથ્વી રાણીનું વર્ણન-છઠ્ઠા સૈવેયકથી અવવું-પૃથ્વી રાણીના ઉદરે ઉપજવું–પ્રભુને જન્મ-જન્મછવ-ઈ કરેલી સ્તુતિ સુપાર્ક નામ સ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ–રાજ્ય સ્થાપન–સંવત્સરીદાન-દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણુંકેવળજ્ઞાનપ્રાપ્તિ-ઈદ્રાગમનઈ કરેલ સ્તુતિ-ભગવંતે આપેલ દેશના –તેમાં અન્યત્વ ભાવનાનું સ્વરૂપ-ગણવસ્થાપના – ક્ષક્ષણી -પ્રભુને પરિવાર-સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણ-અયુનું પ્રમાણ વિગેરે–
| પૃષ્ઠ ૪૬ થી ૫૧ છઠ્ઠા નાનાં-શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર–તેમને પૂર્વભવ –પદ્મ રાજાએ લીધેલ ચારિત્ર-વીશસ્થાનક આરાધન–તીર્થકર નામકર્મને બંધ-વૈજયંત વિમાનમાં ઉપજવું–મહાસેન રાજા ને લક્ષમણ રાણીનું વર્ણન-વૈજયંત વિમાનથી રચવવું–લક્ષમણું રાણીની કક્ષામાં ઉપજવું-પ્રભુને જન્મ-ઈ કૃત જન્માભિષેકઈદે કરેલી સ્તુતિ-ચંદ્રપ્રભ નામસ્થાપન – યૌવનાવસ્થા- પાણિગ્રહણ-રાજયપ્રતિપાલન –દીક્ષા ગ્રહણપ્રથમ પારણું-કેવળજ્ઞાન પ્રાપ્તિ-દેવાગમન- ઈન્દ્રકૃત સ્તુતિ-પ્રભુએ આપેલ દેશના–તેમાં અશુચિ ભાવનાનું સ્વરૂપ-ગણધર સ્થાપના-ચક્ષયક્ષ –પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું –પ્રભુનું નિર્વાણઆયુનું પ્રમાણ વિગેરે
પૃષ્ઠ પર થી પ૭ રાતમાં માં-શ્રી સુવિધિનાથ ચરિત્ર – તેમને પૂર્વભવ–મહાપદ્મ રાજાએ લીધેલી દીક્ષાવીશ સ્થાનક આરાધન–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-વૈજયંત વિમાનમાં ઉપજવું– સુગ્રીવ રાજા ને રામરાણીનું વર્ણન-યંત વિમાનથી ચવવું–રામા દેવીની કુક્ષીમાં ઉપજવું–પ્રભુને જન્મ-દેવકૃત જન્મ
છવ-ઈદ્ધકૃત સ્તુતિ-સુવિધિ અને પુષ્પદંત નામ-સ્થાપન-યોવનાવસ્થાપાણિગ્રહણ-રાજ્ય પરિપાલન-ચરિત્રમા પ્રથમ પારણુ-દેવા મન-ઈન કરેલી સ્તુતિ -પ્રભુએ આપેલ દેશના – તેમાં આશ્રવ ભાવનાનું સ્વરૂપ-આઠ કર્મ બાંધવાના હેતુઓ-ગણધર સ્થાપના-ચક્ષયક્ષ-પ્રભુને પરિવારસમેત શિખર પધારવું – પ્રભુનું નિર્વાણ-આયુનું પ્રમાણ– તીર્થોછે –અસંયતિ પૂજા-બીજા છ પ્રભુના અંતરમાં પણ તે જ પ્રમાણે થવાને તીર્થોચ્છેદ-મિથ્યાત્વ વૃદ્ધિ વિગેરે- પૃષ્ઠ ૫૮ થી ૬૫
Tદના સમાં-શ્રી શીતળનાથ ચરિત્ર – તેમને પૂર્વભવ-પદ્ધોત્તર રાજાએ લીધેલ દીક્ષાવિશસ્થાનક આરાધન-તીર્થ કરનામકર્મનું ઉપાર્જન-દશમા દેવલેકમાં ઉપજવું –દઢથ રાજા ને નંદારાણીનું વર્ણન-દશમાં દેવલોકથી એવી નંદ દેવીની કક્ષામાં ઉપજવું–પ્રભુનો જન્મ-દેવકૃત જન્મેચ્છવ-ઈન્દ્રત
સ્તુતિ-શીતળનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ–રાજેસ્થાપન-લકાંતિક દેવાગમન-ચારિત્રગ્રહણ-પ્રથમ પારણું-કેવળજ્ઞાન પ્રાપ્તિ- દેવાગમન-ઈ કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશનાંતેમાં સંવર ભાવનાનું સ્વરૂપ–સંવરના-ભેદ ગણધર સ્થાપના-ચક્ષક્ષણ-પ્રભુને પરિવાર–પ્રાંતે સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ - આયુષ્યનું પ્રમાણ વિગેરે
પૃષ્ઠ ૬૬ થી ૭૧ પર્વ ત્રીજું સમાપ્ત,
Page #12
--------------------------------------------------------------------------
________________
પર્વ ચેાથે.
સર્ગ-૭ ટા સન-શ્રી શ્રેયાંસનાથ, ત્રિપુષ્ટ, અચળ ને અધગ્રીવનું ચરિત્ર શ્રી શ્રેયાંસનાથજીને પૂર્વભવ-નલિનગુમ રાજાએ લીધેલ દીક્ષા–વીશસ્થાનક આરાધન–તીર્થકરનામકર્મને દેવલોકમાં ઉપજવું–સિંહપુર નગર, વિષ્ણરાજ રાજા અને વિષ્ણુદેવી રાણીનું વર્ણન-સાતમા દેવલેકથી અવવું–વિણ રાણીની કક્ષામાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્ન-પ્રભુને જન્મ-છપ્પન દિશાકુમારીનું આવવું. તેણે કરેલ જન્મોચ્છવ ને સૂતિકર્મ–ઈ દ્રોએ કરેલ જન્મેચ્છવ-સૌધર્મે કરેલી સ્તુતિ-શ્રેયાંસ નામસ્થાપન-યૌવનાવસ્થા-રાજમારગ્રહણુલેકાંતિક દેવનું આવવું-સાંવત્સરિકદાન-દીક્ષા મહોચ્છવ–ચારિત્રગ્રહણ પ્રથમ પારણું-અચળ બળદેવને પૂર્વભવ-અનુત્તર વિમાનમાં ઉપજવું-ત્રિપૃષ્ણ વાસુદેવનો પૂર્વભવ–વિશ્વભૂતિ કુમારની ઉદ્યાનક્રીડા–વિશાખનંદીને થયેલ ઈર્ષા-યુક્તિથી વિશ્વભૂતિ પાસે કરાવેલ ઉદ્યાનનું ત્યાજનતેને થયેલ વૈરાગ્ય-તેણે લીધેલ દીક્ષા-મથુરા નગરીમાં એકઠા થવું-વિશાખન દીએ કરેલ હાંસી–વિશ્વભૂતિએ કરેલ નિયાણું-મહાશક દેવલોકમાં ઉપજવું* પિતનપુર નગર, રિપુપ્રતિશત્રુ રાજાને ભદ્વારનું વર્ણન-અચળ બળદેવના જીવનું અનુત્તર વિમાનથી ચ્યવવું–ભદ્રાદેવીની કુક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચાર સ્વપ્ન–પુત્રજન્મ–અચળ નામસ્થાપન-બીજીવાર રહેલ ગર્ભ– મૃગાવતીને જન્મ-તેના રૂપનું વર્ણન-રિઅપ્રતિશત્રુ રાજાને તેના પર થયેલ અનુરાગ–તેનું અંતઃપુરમાં સ્થાપન–તેની સાથે કરેલ ગાંધર્વ લગ્ન-લેકેએ પાડેલું પ્રજાપતિ નામ–ભદ્રાદેવીને થયેલ લજજા–તેનું દક્ષિણ દેશપ્રતિ ગમન–માતાને ત્યાં મુકીને અચળનું પાછું આવવું–
વિશ્વભૂતિના જીવનું સાતમા દેવલકથી પવવું–મૃગાવતીની કક્ષામાં ઉપજવું–તેને આવેલાં સાત સ્વપ્ન-પુત્રજન્મત્રિપૃષ્ટ નામસ્થાપન–અચળ કુમાર સાથે ક્રીડા–બંનેને અપ્રતિમ સ્નેહ– - રત્નપુર નગરમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવનો જન્મ–તેણે સાધેલા ત્રણ ખંડ–તેને થયેલ મૃત્યુ સંબંધી ચિંતા–નિમિત્તિને કરેલ પ્રશ્ન-નિમિત્તિએ બતાવેલી તેને મારનારની નીશાનીઓ–અશ્વગ્રીવે સભામાં કરેલ પ્રશ્ન–ચંડવેગ દૂતને મોકલવો-તેનું પ્રજાપતિ રાજાની સભામાં આવવું–તેથી થયેલે રંગમાં ભંગ...ત્રિપૃષ્ટ કુમારનું તેના પર ગુસ્સે થવું-ચંડવેગનું પાછું નીકળવું-ત્રિપુષ્ટ કરેલું તેનું અત્યંત અપમાન–પ્રજાપતિ રાજાને પડેલા ખબર–તેને થયેલ ખેદ-ચંડ વેગને પાછો બોલાવીને તેણે કરેલ સન્માન-ચંડવેગનું અશ્વગ્રીવ પાસે ગમન-અશ્વગ્રીવને પ્રથમથી પડેલા ખબર–ચંડવેગે પ્રજાપતિ રાજાને કરેલો બચાવ–શાળીના ક્ષેત્રની સિંહથી રક્ષા કરવાને પ્રજાપતિ ઉપર મોકલેલ હુકમ–પિતાપુત્ર વચ્ચે થયેલ સંવાદ-ત્રિપૃષ્ટિને અચળનું શાળાક્ષેત્ર પ્રતિ ગમન—સિંહ સાથે ત્રિપૃટે કરેલું યુદ્ધ-સિંહનું વિદારણ–તેને થયેલ શોક-સારથીએ કરેલ સાંત્વન–અશ્વગ્રીવને કહેવરાવેલ સંદેશ-પિતા પાસે આવવું-અચળ કુમારે કહેલ વૃત્તાંત–તેનું ખુશી થવું–
વૈતાઢસ્ય પર્વત ઉપર અકીર્તિને સ્વયંપ્રભાને જન્મ-સ્વયંપ્રભાના રૂપનું વર્ણન–તેને થયેલ મુનિસમાગમ–સમકિતની પ્રાપ્તિ–તેના વર માટે તેના પિતા જવલનજીને થયેલ ચિંતા-તે બાબત પ્રધાનને કરેલ પ્રશ્ન–તેમણે બતાવેલ જુદા જુદા વિચાર–રાજાએ નિમિત્તિઓને પુછવું–તેણે ત્રિપુષ્ટ કુમારની બતાવેલી યોગ્યતા-ત્યાં મોકલેલ દૂત–કબુલ થયેલ વિવાહ-સ્વયંપ્રભાને લઈને પરણાવવા આવવું-ત્રિપૃષ્ટ સાથે થયેલા લગ્ન-વિવાહનું વર્ણન અશ્વગ્રીવને પડેલા ખબર–તેને થયેલ ક્રોધ-વલનટી પાસે મોકલેલ દૂત–તેણે કરેલ સ્વયંપ્રભાની માગણી-વલન જટીએ આપેલ ઉત્તર-દૂતનું ત્રિપૃષ્ટ પાસે આવવું–તેની પાસે કરેલી સ્વયંપ્રભાની માગણ–ત્રિપૃષ્ટ આપેલે ઉત્તર-દૂતનું અશ્વીવ પાસે આવવું-અશ્વી વિદ્યાધરને કરેલ હુકમ–તેનું જવલનટી સાથે યુદ્ધ કરવા જવું–તેઓને થયેલ પરાજય–અશ્વપ્રીવને યુદ્ધ માટે કરેલું નિમંત્રણ–અશ્વગ્રીવે પ્રધાનની લીધેલી સલાહ–તેમની સલાહનું અણગમતપણું-યુદ્ધની તૈયારી–અશ્વગ્રીવને
Page #13
--------------------------------------------------------------------------
________________
થયેલાં અપશુકને–તે છતાં યુદ્ધમાં કરેલ પ્રયાણ-રથાવત્તગિરિ પાસે કરેલ પડાવ-ત્રિપુષ્ટ ને અચળ કુમારે કરેલ વિદ્યાસાધન–તેમનું પણ યુદ્ધ માટે પ્રયાણ–રથાવત્ત ગિરિ પાસે આવવું-ત્રિપુષ્ટની અગ્રસેનાએ હયગ્રીવની સેનાને કરેલ પરાજય-તેના પક્ષના વિદ્યાધરોએ બતાવેલ માયા-ત્રિપૃષ્ટની સેનાનું નિરાશ થવુંજવલનજટીએ ત્રિપૃષ્ઠને કરેલી પ્રેરણા-ત્રિપૃષ્ટને અચળનું યુદ્ધભૂમિ તરફ પ્રયાણ-દેવી શસ્ત્રાદિકની પ્રાપ્તિ -અશ્વગ્રીવે પોતાના સૈનિકે કરેલ તિરસ્કાર–અશ્વગ્રીવનું યુદ્ધભૂમિમાં આવવું-ત્રિપૃષ્ઠનું ને અશ્વગ્રીવનું સામસામા થવું-પરસ્પર થયેલ વિવાદ–બંનેએ પરસ્પર યુદ્ધ કરવાને કરેલ નિર્ણય– બંનેએ કરેલ યુદ્ધઅનેક શસ્ત્ર પ્રતિશસ્ત્રનું નાખવું–અશ્વગ્રીવના શસ્ત્રોનું નિષ્ફળ જવું -તેણે કરેલું ચક્રનું મરણ-ત્રિપૃષ્ટ ઉપર ચક્રનું ફેંકવું તેના પ્રહારથી ત્રિપૃષ્ટને આવેલ મૂછ-મૂછનું વળવું-ત્રિપૃષ્ટ કરેલ ચક્રનું ગ્રહણઅશ્વગ્રીવ ઉપર ચક્રનું ફેંકવું -તેણે કરેલ અશ્વગ્રીવના મસ્તકને છેદ–તેનું સાતમી નરકમાં ઉપજવુંત્રિપ્રષ્ટિને જય-પ્રથમ વાસુદેવ પ્રગટ થયાની અંતરીક્ષ વાણી-ત્રિપૃષ્ટ કરેલે દિગ્વિજય- કોટી શીલાન ઉપાડવું–પિતનપુરમાં પ્રવેશ–અર્ધચક્રીપણાને અભિષેક
શ્રેયાંસનાથજીને સ્વસ્થ વિહાર-કેવળજ્ઞાનપ્રાપ્તિ-ગણધર સ્થાપના ક્ષક્ષણી–પ્રભુનું પતનપુર પધારવું–દેવે રચેલું સમવસરણનાર પર્વદા-ત્રિપૃષ્ટને ગયેલ વધામણી–તેનું પ્રભુ પાસે આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના–તેમાં નિર્જરા ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવારસમેતશિખર પધારવું–ભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ
ત્રિપૃષ્ણ વાસુદેવને થયેલ પુત્ર–ગયાઓને બંધ રાખવાને સચ્યાપાળને કરેલ હુકમ-તેણે કરેલ અનાદર-ત્રિપૃષ્ટને ચડેલ કોપ-તેના કાનમાં રેડાવેલું તરવું–તેથી સાપાળનું થયેલ મરણ–ત્રિપૂટે બાંધેલ અસાતા વેદની કમ–ત્રિપૃષ્ટિનું મરણુ–સાતમી નરકમાં ઉપજવું –અચળ બળદેવને થયેલ અતિ ખેદ–તેણે બતાવેલ મેહવિલાસ-પ્રાંતે લીધેલ દીક્ષા–નિરતિચાર પ્રતિપાલન-બળદેવનું નિર્વાણ
| પૃષ્ઠ ૭ર થી ૧૦૦ વીના સામાં-શ્રી વાસુપૂજ્ય, દ્વિપુષ્ટ, વિજય ને તારકનું ચરિત્ર-શ્રી વાસુપૂજ્યને પૂર્વ ભવ–પવોત્તર રાજાએ લીધેલ દીક્ષા- વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકર્મને બંધ–દશમા દેવલોકમાં ઉપજવું—ચંપાનગરી, વસુપૂજય રાજા ને જયારાણીનું વર્ણન-પ્રાણુ દેવલાકથી ચ્યવવું-જ્યાદેવીની કક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ-ઈન્દોએ કરેલ જન્માભિષેક-સૌધર્મેન્દ્ર કરેલી સ્તુતિ-વાસુપૂજ્ય નામ સ્થાપનબાળકીડા-યૌવનાવસ્થા-માતપિતાએ વિવાહ માટે કરેલી પ્રાર્થના-ભગવતે આપેલ ઉત્તર–માતપિતાનું ફરીને કહેવું–તેને પણ પ્રભુએ આપેલ ઉત્તર-વિવાહને અસ્વીકાર–લેકાંતિક દેવોનું આગમન-દીક્ષામહોચ્છવ—ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું – ' વિજય બળદેવને પૂર્વભવ–તેણે લીધેલ દીક્ષા–અનુત્તર વિમાનમાં ઉપજવું-દ્વિપૂષ્ટ વાસુદેવને પૂર્વભવ-વિંધ્યશક્તિ રાજાએ પર્વત રાજા પાસે મોકલેલ દૂત-ગુણમંજરી વેશ્યાના રૂપનું વર્ણન-તેની માગણીપર્વત રાજાએ દૂતનું કરેલું અપમાન-વિંધ્યશકિતનું યુદ્ધ માટે પ્રયાણ-પરસ્પર યુદ્ધ-પર્વત રાજાને પરાજય–તેણે કરેલ પલાયન–ગુણમંજરી વેશ્યા વગેરેનું વિંધ્યશક્તિએ કરેલ ગ્રહણુ-પર્વત રાજાને થયેલ દખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા-વિધ્યશક્તિને મારનાર થવાનું કરેલું નિવાણું—દશમા દેવલેકમાં ઉપજવું-વિંધ્યશક્તિના જીવનું કેટલાક ભવ પછી દેવતા થવું-ત્યાંથી ચવવું–વિજયપુરમાં ઉપજવું-તારક પ્રતિવાસુદેવ થવું
દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા ને સુભદ્રાને ઉમારાણી-અનુત્તર વિમાનથી બળદેવના જીવનું ચ્યવન-સુભદ્રાને આવેલાં ચાર સ્વપ્ન–તેની કક્ષામાં ઉપજવું–પુત્રજન્મ-વિજયકુમાર નામસ્થાપન-દશામાં દેવલોકથી વાસુદેવના જીવનું ચ્યવન-ઉમાદેવીએ દીઠેલાં સાત સ્વ-પુત્રને જન્મ-દ્વિપૃષ્ટ નામસ્થાપન–અચળ ને દિપ્રષ્ટને અપ્રતિમ સ્નેહ-બાતમીદારે તારકને કહેલી હકીકત–તેણે સેનાપતિને કરેલ હુકમ-મંત્રીએ દત
Page #14
--------------------------------------------------------------------------
________________
મોકલવાનું કરેલ સૂચવન-બ્રહ્મરાજા પાસે મોકલેલ દૂત–ઉત્તમ વસ્તુઓની કરેલી માગણું–દિપૃષ્ટ કુમારે દૂતનું કરેલ અપમાન-તારક પ્રતિવાસુદેવનું યુદ્ધ માટે પ્રયાણ-દિપૃષ્ટનું પણ પ્રયાણ-બંને સેનાનું પરસ્પર થયેલું યુદ્ધ-તારક ને દ્વિપૃષ્ણનું સામ સામે થવું-તારકે મૂકેલું ચક્ર-દ્રિપુટને થયેલ મૂરછ-તેમાંથી સાવધાન થવું-તારક ઉપર ચક્રનું મૂકવું- તેને શિરચ્છેદ-દિપૃષ્ણનું બીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલા દિગ્વિજય-કોટી શિલાનું ઉપાડવું–દ્વારકામાં પ્રવેશ–અર્ધ ચક્રીપણાનો અભિષેક –
વાસુપૂજ્ય સ્વામીને છઘસ્થ વિહાર-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ગણધર સ્થાપના – યક્ષક્ષણી – દ્વારકા તરફ પ્રભુનું પધારવું–પ્રિણાદિકનું વાંદવા નીકળવુ-સમવસરણમાં પ્રવેશ-ઇન્ટે કરેલ સ્તુતિ-ભગવંતે આપેલ દેશના-ધર્મ દુર્લભ ભાવનાનું સ્વરૂપ- મિથ્યાવીઓમાં ધર્મનું અજ્ઞાનપણું-તેમણે માનેલો અધર્મને ધમ–તેને વિસ્તાર–પ્રભુને પરિવાર–પ્રાંત પાનગરીએ પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણ
દિપૃષ્ણ વાસુદેવનું મરણ-છઠ્ઠા નરકમાં ઉપજવું–બળદેવને થએલ શોક- તેણે લીધેલી દીક્ષા તેમનું મોક્ષગમન
| પૃષ્ઠ ૧૧૦ થી ૧૨૫ ત્રના માં-શ્રી વિમળનાથ, સ્વયંભૂ, ભદ્રને મેરકનું ચરિત્ર-વિમળનાથને પૂર્વભવ– પદ્મસેન રાજાએ લીધેલી દીક્ષા–વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકમનું ઉપાર્જન-આઠમા દેવલોકમાં ઉપજવું-કાંપિયપર નગર, કતવર્મા રાજ તથા સ્યામાં રાણીનું વર્ણન-આઠમા દેવલોકથી થવવું— સ્થામારાણીની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જોવ– શકેંકે કરેલ સ્તુતિ-વિમળનાથ નામસ્થાપન– યૌવનાવસ્થા–પાણિગ્રહણ-રાજયપ્રતિપાલન – દીક્ષા મહોત્સવ-ઉદ્યાનવર્ણન – દીક્ષાગ્રહણ-પ્રથમ પારણું– - ભદ્ર બળદેવને પૂર્વભવ–ચારિત્રગ્રહણ-અનુત્તર વિમાનમાં ઉપજવું–સ્વયંભૂ વાસુદેવને પૂર્વભવ– ધનમિત્ર રાજા ને બળિરાજાની ઘતક્રીડા–ધનમિત્રનું રાજ્ય હારી જવું–તેણે લીધેલી દીક્ષા–બળિરાજને વધ કરનાર થવાનું કરેલું નિયાણું- બારમા દેવલેકે ઉપજવું–બળિરાજનું પણ દેવતા થવું - ત્યાથી ચ્યવી મેરક પ્રતિવાસુદેવ થવું–તેણે કરેલ દિગ્વિય– દ્વારકા નગરીમાં રૂદ્ર રાજાને સુપ્રભા ને પૃથિવી રાણસુપ્રભાની કુક્ષિમાં અનુત્તર વિમાનથી ગૃવીને બળદેવના જીવનું ઉપજવું–તેને આવેલાં ચાર સ્વપ્નપુત્રને જન્મ – ભદ્ર નામસ્થાપન-ધનમિત્રના જીવનું બારમા દેવલેથી ચ્યવવું–પૃથિવી દેવીની કુક્ષિમાં ઉપજવું–તેણે દીઠેલાં સાત સ્વપ્ન–પુત્રને જન્મ-સ્વયંભૂ નામસ્થાપન-બંને ભાઈઓની અપ્રતિમ મૈત્રી–તેમનું ક્રીડા કરવા જવું–પ્રતિવાસુદેવને ભેટ આપવા જનારાં સૌન્યની છાવણી– તેને લૂંટી લેવાને સ્વયંભૂએ કરેલ હુકમ-સુભટોએ છાવણીને લુંટવી–મેરક પાસે ગયેલી ફર્યાદિ, – તેને ચડેલે કપ– એક મંત્રીએ કરેલું નિવારણુ–મંત્રીને રુદ્ર રાજા પાસે મોકલવ-ત્યાં સ્વયંભૂએ સંભળાવેલાં વચનસચીવનું પાછા જવું-મેરકનું યુદ્ધ માટે પ્રયાણ-સ્વયંભૂનું પણ પ્રયાણ–બંને રીન્યનું મળવું-પરસ્પર યુ–મેરકે કરેલું ચક્રનું સ્મરણ–સ્વયંભૂ ઉપર છોડવું– તેને આવેલી મૂછ-મૂછનું વળવું–તેણે ચક્રનું મેરક ઉપર મુકવું– મેરકને શિરચ્છેદ-નકે ગમન – સ્વયંભૂનું ત્રીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિજય-કેટિશિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ–અર્ધચક્રીપણાને અભિષેક
શ્રી વિમળનાથના છદ્મસ્થવિહાર–કેવળજ્ઞાનની પ્રાપ્તિ-ગણધર સ્થાપના- યક્ષચક્ષણી -દ્વારકા પાસે આવવું–પ્રભુનું સમવસરણ–પર્ષદાનું આગમન-વાસુદેવને વધામણું–તેનું પ્રભુને વાંદવા આવવું-ઈબ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના – બધિ દૂર્લભ ભાવનાનું સ્વરૂપ પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું-નિર્વાણ-આયુનું પ્રમાણ-સ્વયંભૂનું છઠ્ઠી નરકે જવું-ભદ્ર બળદેવનું મેક્ષે જવું ઈત્યાદિ.
પૃષ્ઠ ૧૨૬ થી ૧૩૫
Page #15
--------------------------------------------------------------------------
________________
પોણા સમાં–શ્રી અનંતનાથ, પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનું ચરિત્ર-અનંતનાથને પૂર્વ ભવ– પદાથ રાજાએ લીધેલ ચારિત્ર-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકર્મને બંધ- દશમાં દેવલેકમાં ઉપજવું અયોધ્યાનગરી, સિંહસેનરાજા ને સુયશારાણીનું વર્ણન-દશમા દેવલોકથી વવું-સુયશા માતાની કક્ષામાં ઉપજવું–પ્રભુને જન્મ-દેવકૃત જન્મોચ્છવ-ઈદે કરેલી સ્તુતિ-અનંતજિત નામસ્થાપન-વૌવનાવસ્થા–પાણિગ્રહણ-રાજેસ્થાપન-પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–મહાબળરાજાએ લીધેલ દીક્ષા-આઠમા દેવલોકમાં દેવ થવું-વાસુદેવને પૂર્વભવસમદ્રદત્ત રાજ ને નંદા રાણ-મલયપતિ ચંડશાસને રાજાનું તેને ત્યાં આવવું-નંદા રાણીને જોઈ વ્યામેહ થવું–તેનું તેણે કરેલું હરણ-સમુદ્રદત્તને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા–ચંડશાસનને મારનાર થવાનું કરેલું નિયાણું -આઠમા દેવલેકમાં ઉપજવું- .
ચંડશાસનનું સંસારમાં પરિભ્રમણ કરીને પૃથ્વીપુરમાં મધુ નામે પ્રતિવાસુદેવ થવું તેને કૈટભ નામનો એક ભાઈ%ારકાનગરીમાં સેમ નામે રાજા સુદર્શના ને સીતા રાણી–સુદર્શનાના ઉદરથી ચાર અને સૂચિત બળદેવનો જન્મ–સુપ્રભ નામસ્થાપન-સીતા રાણીના ઉદરથી સાત સ્વને સૂચિત વાસુદેવનો જન્મ–પુરૂષોત્તમ નામસ્થાપન -બંનેને અપ્રતિમ સ્નેહ -દેવતાએ કરેલ આયુધાર્પણ-નારદનું મધુ રાજા પાસે ગમન-તેણે કરેલી કલહપ્રેરણા-સેમ રાજા પાસે દૂતનું મેકલવું—સાર સાર વરતુની ભાગણી-પુરૂષોત્તમ વાસુદેવે કરેલ દૂતને તિરસ્કાર– દૂતનું પાછા જવું–મધુ રાજાને ચડેલો ક્રોધયુદ્ધ કરવા નીકળવું-સેમ રાજાનું પણ બંને પુત્રો સહિત સામે નીકળવું-પરસ્પર યુદ્ધ-મધુરાજાના સૌન્યને પરાજય– મધુ રાજાનું યુદ્ધ કરવા ઉઠવું- પુરૂષોત્તમનું સામા થવું- તે બંનેનું યુદ્ધ-મધુએ કરેલું ચક્રનું સ્મરણ-ચક્રનું પ્રગટ થવું–વાસુદેવ ઉપર ફેકવું–તેને આવેલી મૂચ્છ-મૂછનું વળવું–તેણે હાથમાં લીધેલ ચક-મધુ ઉપર ફેંકવું–તેને શિરચ્છેદ-નરકે ગમન-કૈટભનું પણ સેનાપતિથી ભરણ- પુરુષોત્તમ રાજાનું વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય—કેટીશીલાનું ઉપાડવું-અર્ધચક્રીપણુનો અભિષેક
' અનંતનાથને સ્વસ્થ વિહાર-તેમને થયેલ કેવળજ્ઞાન-ગણધરસ્થાપના-યક્ષચક્ષણી-દ્વારકા નગરીએ પધારવું-પ્રભુનું સમવસરણ-વાસુદેવને વધામણી–તેમનું પ્રભુને વાંદવા આવવું–ઈદ્રાદિકે કરેલી પ્રભુની
સ્તુતિ –પ્રભુએ આપેલી દેશના-નવ તત્વોનું સ્વરૂપ-જીવ ને અજીવ તત્વની સવિસ્તર પ્રરૂપણા--પ્રભુને પરિવાર–પ્રાંતે સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ-પુરુષોત્તમ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમન-સુપ્રભ બળદેવનું મેક્ષગમન –
પૃષ્ઠ ૧૩૬ થી ૧૪૯ -શ્રી ધર્મનાથ, પુરુષસિંહ, સુદર્શનનેનિશુંભનું ચરિત્ર-ધર્મનાથને પૂર્વ ભાવ-શરથ રાજાએ લીધેલ દીક્ષા-શસ્થાનકનું આરાધન-તીર્થંકરનામકર્મને બંધ-વૈયંત વિમાનમાં ઉપજવુ-રત્નપુર નગર ભાનુરાજા ને સુવ્રતા રાણીનું વર્ણન–વૈજયંત વિમાનથી ચ્યવન-સુવ્રતા રાણીની કુક્ષીમાં ઉપજવું-ઈદ્રત જન્મે છવ-ઈ કરેલ જિન સ્તુતિ-ધર્મનાથ નામસ્થાપન –યૌવનાવસ્થા– પાણિગ્રહણ–રાજયે સ્થાપન- દીક્ષાવિચાર–ઉદ્યાનવર્ણન-પ્રભુએ લીધેલી દીક્ષા –પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–પુરુષવૃષભ રાજાએ લીધેલી દીક્ષા–આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-વિકટ અને રાજસિંહ રાજા–રાજસિંહ વિકટ કરેલે પરાજય-વિકટ રાજાએ લીધેલી દીક્ષારાજસિંહને મારનાર થવાનું કરેલું નિવાણું-બીજા દેવલેકમાં ઉપજવું–રાજસિંહનું ભવભ્રમણ-હરિપુરમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ થવું
અશ્વપુરમાં શિવ નામે રાજા ને વિજયાને અંમકા નામે રાણી-બળદેવના જીવનું આઠમા દેવલોકથી વવું-વિજયાની કુખે ઉપજવું તેને જન્મ-સુદર્શન નામસ્થાપન-વાસુદેવના જીવનું બીજા દેવકથી
Page #16
--------------------------------------------------------------------------
________________
ચવવું-અંમકાની કુખે ઉપજવું–તેને જન્મ-પુરુષસિંહ નામસ્થાપન–બંનેનો અપ્રતિમ સનેહસીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું–માર્ગમાં રોકાવું-શિવરાજાને દાહજવરતેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળા–અં'માં માતાને અગ્નિપ્રવેશપુરુષસિંહને થયેલ શોક-શિવરાજનું ભરણ-પુરુષસિંહને વિશેષ શેક-બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું-શેકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું–પુરુષસિંહને ચડેલે કો—તેણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરુષસિંહનું પણ સસૈન્ય નીકળવું બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચકનું પ્રગટ થવું- વાસુદેવ પર છોડવું–વાસુદેવને મૂછમૂછનું વળવું તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરછેદ-પુરૂષસિંહનું પાંચમાં વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય-કેટી શીલાનું ઉપાડવું–અર્ધચક્રોપણનો અભિષેક
ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણધરસ્થાપના-ચક્ષયક્ષિણ-અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણ– તેનું વાંદવા નીકળવું-ઈદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયોનું સવિસ્તર વર્ણન–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્ય પ્રમાણ-પુરુષસિંહ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમન-સુદર્શન બળભદ્રનું મોક્ષ ગમન
પૃષ્ઠ ૧૫૦ થી ૧૬૫ છઠ્ઠા વર્ષમાં શ્રી મઘવા ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ–નરપતિ રાજાએ લીધેલ ચારિત્રમધ્યમ ગ્રંવેયકમાં ઉપજવું–શ્રાવસ્તી નગરી, સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીનું વર્ણન-ચૈવેયકથી ચવવું
ભાદેવીની કક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વમ-પુત્રજન્મ-મઘવા નામસ્થાપન-યોવનાવસ્થારાજયે બેસવું-પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન-છખંડને દિગ્વિજય-પાછી શ્રાવસ્તીએ આવવું–ચક્રવતીપણુને અભિષેક-શ્રાવક તથા સાધુ ધર્મની પ્રતિપાલના--પ્રાંતે ત્રીજા દેવલેકમાં ઉપજવું. પૃષ્ઠ ૧૬૬ થી ૧૬૮
સાતમા માં-સનતકુમાર ચક્રીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વિક્રમયશા નામે જા–તેણે કરેલું નાગદત્તની સ્ત્રી વિષણુત્રીનું અપહરણ-નાગદત્તનું ગાંડા થઈ જવું-વિષ્ણુશ્રીનું કામણપ્રયાગથી મરણ–વિક્રમયશાને થયેલ અપાર શેક અને ઉન્મત્તપણું-મંત્રીઓએ વિષ્ણુશ્રીના શરીરને અરણ્યમાં બતાવવું–શબની થયેલી દુવ્યવસ્થા–તે જોઈ વિક્રમયશાને થયેલ વૈરાગ્ય–તેની ભાવના–તેણે લીઘેલ ચારિત્ર-ત્રીજા દેવલેકે દેવ થવું-ત્યાંથી વન-રતનપુરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થવું–નાગદત્તનું ભવ ભ્રમણ સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થવું–તેણે સ્વીકારેલ ત્રિદંડીપણું–તેનું રત્નપુર આગમન-જિનધર્મને જોતાં પ્રગટ થયેલું વૈર–રાજાએ કરેલ નિમંત્રણ–જિનધર્મની પીઠ ઉપર ઉષ્ણ દુધપાકનું પાત્ર મુકીને જમવાને કરેલા સ્વીકાર–રાજાએ જિનધર્મને કરેલ આજ્ઞા–તેણે સહન કરેલ અસહ્ય દુઃખ-તેના શુભવિચાર–તેણે લીધેલ દીક્ષા-કરેલ કાર્યોત્સર્ગ –તેનું સૌધર્મે થવું –વિદડીનું યક્ષ થવું.
હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા ને સહદેવી રાણ-સહદેવીની કક્ષામાં સૌધર્મેનકનું ઉપજવું–ચૌદ સ્વમ સચિત ગર્ભધારણ-પુત્રજન્મ-સનકુમાર નામસ્થાપન–યોવનાવસ્થા–અશ્વ ઉપર સ્વાર થવું–તેના વેગથી ઘરે દર જવું અશ્વસેન રાજાનું પાછળ આવવું–પ્રાપ્ત થયેલ અટવી-કુમારના મિત્ર મહેન્દ્રસિંહનું અટવીમાં ગમન–અશ્વસેનનું પાછા વળવું--સનત કુમારની મહેન્દ્રસિંહે કરેલી એક વર્ષ પર્વત શેધ-વર્ષ પ્રાંતે સનતકમારનો મેળાપ–પરસ્પર વાતચિત-મહેન્દ્રસિંહે કરેલ તેની હકીકત સંબંધી પ્રશ્ન-સનતકુમારે બકુલમતિને કરેલી સંજ્ઞા–તેણે કહી બતાવેલ સનત કુમારનું સર્વ વૃત્તાંત–તેમાં એક પક્ષે તેને માન સરોવર લઈ જવું ત્યાં અસિતાક્ષ યક્ષનું આવવું -કુમારને જોતાં તેને થયેલ વૈરનું સ્મરણ–પરસ્પર યુદ્ધ-યક્ષનું ભાગી જવું–ભાનુવેગની આઠ કન્યા સાથે પાણિગ્રહણુ–સુખે નિદ્રા-ત્યાંથી અસિતાક્ષ યક્ષનું ઉપાડવું–અટવીમાં ફેંકી દેવું-ત્યાં સુનંદા સાથે મેળાપ–વજીવેગનું મૃત્યુ-સુનંદા સાથે પાણિગ્રહણ–વંધ્યાવળીનું આવવું–તેની સાથે પાણિગ્રહણચંદ્રવેગ ને ભાનુવેગ આદિ વિદ્યાધરનું આવી મળવું-વંધાવળીએ આપેલ પ્રજ્ઞપ્તિ વિદ્યા–વભાગના પિતા
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
અનિવેગનું યુદ્ધ કરવા આવવુ તેની સાથે યુદ્દ–મશનિવેગનું મૃત્યુ—વિદ્યાધરાધિપતિપણાને અભિષે — ચંદ્રવેગની સે। પુત્રી સાથે પરણવું–ક્રીડા માટે અહીં આવવું ને તમારા મેળાપ–મહેદ્રસિંહ સહિત સનત્યુમારનું વૈતાઢયે ગમન–મહેદ્રસિંહે માતાપિતાને મળવા જવાની કરેલી પ્રેરણા-હસ્તીનાપુર તરફ પ્રયાણ-માતાપિતાના મેળાપ–અશ્વસેન રાજાએ સનત્કુમારને રાજ્ય આપી લીધેલ દીક્ષા-ભરતક્ષેત્રને સાધવુ -ઽસ્તીનાપુર આવવું– સૌ ધમેન્દ્રે માકલલ દેવતા વગેરેએ કરેલ ચક્રવતી પણા અભિષેક
સૌધર્મેન્દ્રે સનત્કુમારના રૂપની કરેલી પ્રશ'સા—એ દેવતાનુ જોવા આવવું તેણે દીઠેલ અપ્રતિમ રૂપ–સનત્કુમારે સભામાં આવવાનું કહેવુ તેનું સમામાં આવવુ−વ્યાધિગ્રસ્ત શરીર જોઈ તેમને થયેલે ખેદ–સનત્કુમારે પુછવું–તેણે બતાવેલ કારણુ–સનત્કુમારને થયેલ વૈરાગ્ય દીક્ષા લેવાના વિચાર-લીધેલી દીક્ષા-તેમણે કરેલ ઉગ્રતપ-પ્રાપ્ત થયેલ લબ્ધિ-સાંતસે વર્ષ પર્યંત વ્યાધિનું સહેવું-ઈંદ્રે તેમના દેહુંનિરપેક્ષપણાની કરેલી પ્રશંસા-મે દેવાનું પરીક્ષાર્થે આવવું–પરીક્ષામાં પાર ઉતરવું–દેવાએ કહેલ પેાતાની હકીકત–સનત્કુમારનું આયુષ્ય—પ્રાંતે કરેલ અનશન–ત્રીજા દેવલાકમાં દેવ થવું, પૃષ્ઠ ૧૬૯ થી ૧૮૪
પ ચેાથું સમાપ્ત,
પ પાંચ
સ૫.
શ્રી શાંતિનાથજી ચરિત્ર.
સર્ગ પહેામાં– શ્રીશાંતિનાથના પ્રથમ ભવ-રત્નપુર નગરમાં શ્રીષેણરાજા અને તેની અભિનગ્નતા તથા શિખિન દિતા રાણીનું વણુ ન—દુષણને ખિ દુષણુ નામના બે પુત્રો-અચળ ગ્રામમાં ધરણીજટ બ્રાહ્મણુની દાસીના પુત્ર કપિલ–તેના પ્રચ્છન્નપણે વેદાભ્યાસ-તેનું પરદેશ નીકળવું-રત્નપુર આવવું–સત્યકિ બ્રાહ્મણને ત્યાં નિવાસ-પુત્રવત્ રહેવું–સત્યકિની સ્ત્રી જ'બૂકાના આગ્રહુથી તેની પુત્રી સત્યભામા સાથે કપિલનું પાણિગ્રહણુ–તેના માનની વૃદ્ધિ-અન્યદા તેનું નાટક જોવા જવું–રાત્રી ને વર્ષા હોવાથી વસ્ત્ર રહિત થઈને આવવું–તે ઉપરથી સત્યભામાને કુલિનપણાની પડેલી ભ્રાંતિ-સ્નેહની મંદતા-ધરણીજટનુ* નિર્ધન થવું–કપિલ પાસે આવવું—તેણે કરેલુ. પૃથગૂ ભાજન –સત્યભામાની શંકામાં વૃદ્ધિ—તેનુ' ધરણીજટ પ્રત્યે પુછ્યુ –તેણે કરેલ ખુલાસા—સત્યભામાનું શ્રીષેણુ રાજા પાસે જવું-અકુલિન વરને તજી દેવાતા આગ્રહ–રાજાએ કપિલને કહેવુ’—તેને ન તજવા દેવાની આગ્રહ-છેવટ તજી જરૂર-સત્યભામાનું રાજમહેલમાં રહેવુ -ઈદુષેણુને વરવા સ્વયંવર આવેલ શ્રીકાંતા કન્યા-તેની સાથે આવેલી અનંતમતિકા વેશ્યા-તેના પર ઇંદુષણ ને બિંદુષણ બન્નેનું મે।હી પડવુ –પરસ્પર યુદ્ધ—તેનુ નિવારણ ન થઈ શકવાથી શ્રીષેણુ રાજા, બંને રાણીઓ તથા સત્યભામાએ કરેલ વિષપ્રાણ—તેથી ચારેનુ મરણુ–ઉત્તર કુરૂમાં ચારેનું યુગલિક થવું– ઈદુષણ નિદુષણુ પાસે એક વિદ્યાધરનુ' આવવું તેણે કહેલા પૂર્વ ભવ–અનંતમતિકાનું. તેની પૂર્વભવની બહેન તરીકે ઓળખાવવું—તેમને ઉપજેલા વૈરાગ્ય—તેથી લીધેલી દીક્ષા—શ્રીષેણ રાન્ત વિગેરે ૪ યુગલિકનું સૌધર્મ ક૨ે દેવ થવું–
પડેલી
અકકીત્તિ વિદ્યાધરની સ્ત્રી જ્યેાતિમાંળાના ઉદરમાં શ્રીષેણ રાજાના જીવનું ઉપજવુ -પુત્રજન્મઅમિતતેજ નામસ્થાપન—સત્યભામાના જીવનું તેની બહેનપણે ઉત્પન્ન થવું–સુતારા નામસ્થાપન—અમિ– નંદિતાના જીવનું ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર થવું–શ્રીવિજય નામસ્થાપન-શિખિન દિતા જીવનુ` તેની બહેન થવુ –જાતઃપ્રભા નામસ્થાપન-કપિલના જીવ' સંસારમાં ભમી અશિનાષ વિદ્યાધર થવું—સુતારા તે શ્રીવિજનું અને અમિતતેજ તે યેતિ:પ્રભાનું પાણિશ્રદ્ધ-અ કીર્તિએ કરેલ ચારિત્રગ્રહણુ-અમિતતે
Page #18
--------------------------------------------------------------------------
________________
જનું રાજા થવું–ત્રિપૃષ્ટના રાજ્ય શ્રી વિજયનું રાજા થવું-અમિતતેજનું પોતનપુર આવવું-ત્યાં મહોત્સવ જોઈ શ્રીવિજય પ્રત્યે પુછવું–તેણે કહેલ તેનું કારણ–તેમા નિમિત્તઆએ કહેલ શ્રીવિજય ઉપર વિદ્યુતપાતની હકીકત-નિમિત્તિઓનું વૃત્તાંત–ઉપદ્રવ ટાળવા માટે મંત્રીઓના વિચાર-એક મંત્રીએ ભાવી ભાવ મિથ્યા ન થવા ઉપર કહેલ કથા-શ્રી વિજયને સ્થાનકે વૈશ્રમણની પ્રતિમાનું સ્થાપન–તેના પર થયેલ વિદ્યુત્પાતનિમિતિઆને સત્કાર–અમિતતેજનું પાછા રથનુપુર ચક્રવાળ જવું–શ્રી વિજયનું સુતારા સાથે તિવનમાં જવું–ત્યાં અશનિઘોષનું આવવું–તેણે વિપ્રતારણે વિદ્યાવડે કરેલ સુતારાનું હરણ કૃત્રિમ સુતારાનું દેખાડેલું મરણ–તેથી શ્રીવિજયને થયેલ અપાર શક-તેની સાથે બળી મરવાની તૈયારી–બે વિદ્યાધરનું આગમનતેણે છાંટેલા મંત્રિત જળથી કૃત્રિમ સુતારાનું નાસી જવું–વિદ્યાધરએ કહેલે પિતાનો વૃત્તાંત–તેમાં સુતારાનું અશનિષે કરેલ હરણની હકીકત-સૂતારાના કહેવાથી તેનું અહીં આવવું-શ્રીવિજયને અમિતતેજ પાસે લઈ જવું–તેને કહેલી હકીકત–લશ્કર સહિત શ્રીવિજયને અશનિઘોષ સાથે યુદ્ધ કરવા મોકલવું–અમિત– તેજનું મહાજવાળા વિદ્યા સાધવા જવું–શ્રીવિજયે અશનિષ પાસે દૂતને મોકલવું–તેણે કરેલ દૂતને તિરસકાર-ચહની શરૂઆત-અશનિષના સૌ નુ ૫છી હઠવું-અશનિષનું યુદ્ધ કરવા ઉઠવું તેનું ને શ્રીવિજયનું યુદ્ધ-અશનિઘોષની વિદ્યાશક્તિ-અમિતતેજનું મહાજવાળા વિદ્યા સાધીને ત્યાં આવવું–તેના બળથી અશનિષનું ભાગવું–પાછળ મોકલેલી મહાજવાળા વિદ્યા-અશનિષનું કેવળજ્ઞાની બળદેવ મુનિને શરણે જવું–મહાજવાળાનું પાછી વળવું–તેણે અમિતતેજને કહેલી હકીકત–સૂતારાને તેડવા મરિચિ વિદ્યાધરને એકલી અમિતતેજને શ્રીવિજયનું બળદેવ મુનિ પાસે આવવું–મરિચિ વિદ્યાધરનું સુતારા પાસે જવું–તેનું પણ બળદેવ મુનિ પાસે આવવું- અશનિષ અમિતતેજ ને બીવિજયને ખમાવવું-બળદેવ મુનિ પ્રત્યે સતારાપરના નેહસંબંધી અશનિષે કરેલ પ્રશ્ન-મુનિએ કહેલ પૂર્વભવનું વૃત્તાંત-તેમાં કપિલના બીજા ભવોની હકીકત–અમિતતેજે કરેલ પિતાની ભવ્યતા સંબંધી પ્રશ્ન–મુનિએ કહેલ તેના આગામી ભવની હકીકત–તેમાં ભરત ક્ષેત્રમાં પાંચમાં ચક્રવતીને સળમા તીર્થંકર થવાની કહેલ વાત–અમિતતેજ ને શ્રી– વિજયે ગ્રહણ કરેલ શ્રાવકધર્મ–અશનિષે બતાવેલ પિતાને વિચાર–પિતાના બાળપુત્રને અમિતતેજને ખોળે સોંપવું–અશનિઘોષે ગ્રહણ કરેલ ચારિત્ર-અમિતતેજ ને શ્રીવિજયે કરેલ ધર્મારાધન–અમિતતેજે આપેલ મુનિદાન–અન્યદા બંનેનું નંદન વનમાં જવું-ત્યાં મુનિરાજના દર્શન-મુનિએ આપેલ દેશનાઆયુષ્ય સંબંધી બંનેએ કરેલા પ્રશ્ન-મુનિએ કહેલ ૨૬ દિવસનું બનેનું આયુષ્ય-બંનેનું તિપિતાને નગરે આવી પુત્રને રાજ્ય સોંપી ચારિત્રનું ગ્રહણ કરવું–શ્રીવિજયે કરેલ વાસુદેવ થવાનું નિયાણું-બંનેએ કરેલ અનશન-દશમા દેવલોકમાં દેવતા થવું.
પૃષ્ઠ ૧૮૫ થી ૨૦૩ - a ચીનાનાં-જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં શુભા નગરી, સ્વિમિતસાગર રાજા ને વસુંધરા તથા અનુહારા રાણી–વસુંધરા દેવીના ઉદરમાં અમિતતેજના જીવનું આવીને ઉ૫જવું–તેણે દીઠેલા બળદેવનાં જન્મ સૂચક ચાર સ્વપ્ન-પુત્ર જન્મ–અપરાજિત નામ સ્થાપન-અનુહરાના ઉદરમાં વિજયના જીવનું ઉત્પન્ન થવું–તેણે દીઠેલા વાસુદેવનાં જન્મસુચક સાત સ્વપ્ન–પુત્ર જન્મ-અનંતવીર્ય, નામસ્થાપન–બંનેની પ્રીતિયૌવનાવસ્થા-સ્તિમિતસાગર રાજાને મુનિ સમાગમ-તેણે લીધેલી દીક્ષા–તેનું , ચમક થવું-અનંતવીર્ય તથા અપરાજિતને એક વિદ્યાધર સાથે મૈત્રી–તેણે આપેલી મહાવિદ્યા-બર્બરીને કિરાતી નામની તેની નૃત્યકુશળ બે દાસીએ-નારદનું તત્રાગમન-દાસીઓના નૃત્યાદિમાં લીન હોવાથી નારદને નહીં આપેલું માન-નારદને થયેલ કેપતેનું દમિતારિ પ્રતિવાસુદેવ પાસે જવું-દમિતારિએ આપેલ સન્માન-નારદ પ્રત્યે આશ્ચર્યકારી વસ્તુ સંબંધી તેણે કરેલા પ્રશ્ન-નારદે બબરી ને કિરાતીનાં કરેલાં વખાણ-દમિતારિએ અનંતવીય પાસે મોકલેલ દૂત-તેણે કરેલી બે દાસીની માગણી-અનંતવી દાસીઓ મોકલવાને આપેલ ઉત્તર-તેમણે સાધેલી વિદ્યાએ-તત્કાળ વિદ્યાઓનું સાદય થવુંકરીને આવેલે દમિતારિને દૂત-તેનાં કઠેર વય-અનંતવીર્યનું સહનશીળપણ તેની સાથે જ બે
Page #19
--------------------------------------------------------------------------
________________
દાસીને રૂપે બે ભાઈઓનું જવું –દમિતારિ પાસે પહોંચવું-દમિતારીએ નાટક કરવાની કરેલી આજ્ઞાકૃત્રિમદાસીઓએ કરેલું નાટક-તેમાં દરેક રસનું પોષણ-દમિતારિનું પ્રસન્ન થવું-પિતાની પુત્રી કનકશ્રીને નાટયકળા શિખવવા વાસ્તે ઍપવું–તેના રૂપેપર અનંતવીર્યનું મોહિત થવું–તેની પાસે અનંતવીર્યના રૂપના અપરાજિત કરેલા વબા - તકોનું અનંતવી પર અનુરાગી થવું-અનતવી ને જોવાનો બતાવેલી દઢ ઈચ્છા–બંને ભાઈઓનું પિતાના રૂપમાં પ્રગટ થવું-કનકશ્રીએ અનંતવીર્યને પતિ તરીકે કરેલો સ્વીકાર–ત્યાંથી શભા નગરીએ જવાનો કરેલો નિર્ણય-અનંતવીર્યે કરેલ ઉદ્યોષણ-કનકશ્રીને લઈને આકાશ મા ગમન-દમિતારિએ પાછળ મોકલેલા સુભટો-તેનું હારીને પાછા આવવું-દપ્તિરિનું યુદ્ધ કરવા નીકળવું-રીન્યનું યુદ્ધ-દમિતારિને અનંતવીયનું યુદ્ધ-અનંતવીર્યપર ચક્ર મુકવું–તેણે ચક્ર લઈને પાછું દમિતારિ ઉપર મુકવું -દમિતારિને શિરચ્છેદ-વાસુદેવ તથા બળદેવ તરીકે પ્રસિદ્ધ થવુંશુભાનગરી તરફ પ્રયાણ-માર્ગે મેરૂ સમીપે આવતાં જિનચૈત્યના દર્શન કરવા જવું-કેવળી મુનિનો સમાગમ-કનકશ્રીએ પોતાના પિતાના પૂર્વભવ:દિ સંબંધી પુછેલા પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવતેમાં શ્રીદત્તાનું વૃત્તાંત-તેણે કરેલ ધર્મ ચક્રવાળ તપ-જૈન ધર્મનું આરાધન-ધર્મના ફળને સંદેહ-શિવમંદિર નગરમાં કીર્તિધર રાજ ને અનિલગા રાણી–તેને થએલ ત્રણ સ્વપ્ન સૂચિત દમિતારિ પ્રતિવાસુદેવ પુત્રતેની સ્ત્રી મદિરાના ઉદરમાં દત્તાના જીવનું ઉપજવું–તેને જન્મ-કનકશ્રી નામસ્થાપન-ધર્મફળના સંદેહથી બંધુ જનેને વિરહ-કીર્તિધર રાજાએ લીધેલ દીક્ષા-તે હું મુનિ-પૂર્વ ભવ સાંભળવાથી કનકત્રીને થયેલ વૈરાગ્ય-તેણે દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા-શુ એ નગરીએ પહોંચ્યા પછી દીક્ષા લેવાનું કહેવું–કનશ્રીએ કબુલ કરવું–શુભા નગરીએ પહોંચવું–અર્ધચક્રીપણને અનંતવીર્યને અભિષેક–અનંતવીર્યને સ્વયંપ્રભ પ્રભુ પધાર્યાની મળેલી વધામણી-વાસુદેવનું વાંદવા જવું-કનકશ્રીએ લીધેલ દીક્ષા–તેને થયેલ કેવળજ્ઞાન ને મોક્ષપદની પ્રાપ્તિ-બળદેવને સુમતિ નામે પુત્રી–તેણે આપેલ મુનિદાન–તેને સ્વયંવર–મંડપમાં આકાશમાંથી વિમાનનું ઉતરવું–તેમાં આવેલાં સૌધર્મેદ્રની ઈદ્રાણું–તેણે કહેલ પિતાને તથા સુમતિને પૂર્વભવ–તેણે આપેલ બોધ-તેનું પાછી ઉત્પતી જવું-સુમતિને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલો પૂર્વભવ-ઉત્પન્ન થયેલ વૈરાગ્ય–તેણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેણે લીધેલી દીક્ષા–તેને થયેલ કેવળ જ્ઞાન અને મેક્ષપદની પ્રાપ્તિ
અનંતવીર્યનું મરણ-પહેલી નરકમાં ઉપજવું-અપરાજિતે લીધેલી દીક્ષા–તેનું બારમા દેવલોકમાં ઈદ્ર થવું-અનંતવીર્યને જીવનું નરકમાંથી નીકળી મેઘનાદ વિદ્યાધર થવું–તેનું મેરૂ પર્વત પર આવવું–અમ્યુતેને મેળાપ-નેણે આપેલે મેઘનાદને બોધ-તેણે લીધેલી દીક્ષા-પૂર્વ જન્મના વૈરી દેવે કરેલ ઉપસર્ગમુનિનું નિશ્ચળ રહેવું અનશન કરીને બારમા દેવલેકમાં ઉપજવું–
પૃષ્ઠ ૨૦૪ થી ૨૧૮ '. જીરનાં_મંગળાવતી વિજયમાં રત્નસંચયાનગરી, ક્ષેમકર રાજા ને રત્નમાળા રાણીરત્નમાળાની કુક્ષીમાં અપરાજિતના જીવનું આવવું-તેણે દીઠેલાં ચક્રવર્તીના જન્મ સૂચક ચૌદ સ્વપ્ન તથા પંદરમું વજ-પુત્રજન્મ–જાયુદ્ધ નામ સ્થાપન-યૌવનાવસ્થા–લમીવતી સાથે પાણિગ્રહણ–તેને થયેલ સહસ્ત્રાયુધ પુત્ર તે અનંતવી ને જીવતી વાનાવસ્થા–તેનું કનેકશ્રી સાથે પાણિગ્રણ-તેને થયેલ શતબળી પુત્ર- ઈશાન કલ્પના દેવામાં થયેલી વજાયુધના સમ્યક્ત વિષે ચર્ચા–ચિત્રશૂળ દેવનું પરીક્ષા નિમિરો ક્ષેમંકર રાજાની સભામાં આવવું–તેણે કરેલું નાસ્તિકમતનું સ્થાપન–વજયધે આપેલ તેને ઉત્તર-દેવની પ્રસન્નતાતેનું સ્વર્ગ ગમન-ઈશાને દ્ર વર્જયુધ આગામી ભવે તીર્થકર થવાના છે એમ કહેવું–વાયુદ્ધનું વસંતકીડા માટે ઉદ્યાનમાં જવું.-જળક્રીડા-મિતારિ પ્રતિવાસુદેવના જીવનું વિદ્યુદંષ્ટ્ર દેવ થઈને ત્યાં આવવું–તેણે કરેલ ઉપદ્રવ-વાયુ કરેલ તેનું નિવારણુ-શકેંદ્રનું ત્યાં આવવું–તેણે કરેલ પૂજા ને સ્તુતિક્ષેમકર રાજા પાસે લેકાંકિત દેવનું આવવું–તેમણે લીધેલ દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-તેમની દેશનાને વાયુધ વિગેરેનું વાદીને સ્વસ્થાને જવું
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭
વજાયુધની આયુધશાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ–તેણે કરેલ મંગળાવતી વિજયનાં છખંડનું સાધનસહસ્ત્રાયુધનું યુવરાજપદે સ્થાપન
વાયુધની સભામાં એક વિદ્યાધરનું તેને શરણે આવવું–તેની પાછળ આવેલી સુરેખા વિદ્યાધરીત્યાર પછી આવેલ એક વિદ્યાધર-તેણે પેલા વિદ્યાધરના દુર્નય સંબંધી કહેલ વૃત્તાંત- તે સાંભળી અવધિજ્ઞાનવડે જાણીને વાયુધે કહેલે તેમના પૂર્વભવને વૃતાંત-તે સાંભળીને ત્રણેને થયેલ વૈરાગ્ય–તેઓનું પરસ્પર ખમાવવું-વાયુધે કહેલે આગામી વૃત્તાંત–તે સાંભળી તેમનું ક્ષેમંકર પ્રભુ પાસે જઈ ચારિત્રનું ગ્રહણ કરવું–અનુક્રમે અવ્યય પદની પ્રાપ્તિ
સહસ્ત્રાયુધની રાણુ જયના દેવીને થયેલ શુભ સ્વપ્ન સૂચિત પુત્ર–કનકશક્તિ નામ સ્થાપન–તેનું કનકમાળા સાથે પાણિગ્રહણ-ત્યારબાદ વસંત સેના સાથે પાણિગ્રહણ–વસંત સેનાની ફઈના પુત્રને થયેલ કપ-કનકશક્તિને આકાશગામિની વિદ્યાની પ્રાપ્તિ–તેનું હિમવંતગિરિએ જવું–ચારણ મુનિને સમાગમતેણે તથા બંને સ્ત્રીઓએ લીધેલ દીક્ષા -તેને થયેલ ઉપસર્ગ–કેવળજ્ઞાનની પ્રાપ્તિ–વજાયુધે કરેલે તેને મહોત્સવ–
ક્ષેમંકર પ્રભુનું વજાયુધની નગરીએ પધારવું–વાયુધનું વાંદવા જવું–તેને થયેલ વૈરાગ્ય-સહસ્ત્રાયુધને રાજયે સ્થાપન-વાયુ લીધેલી દીક્ષા–તેને થયેલ ઉપસર્ગ-રંભા વિગેરેએ કરેલું તેનું નિવારણ-સહસ્ત્રાયુધે કરેલ રાજ્ય પાલન–તેણે લીધેલી દીક્ષા-વજાયુધ સાથે મળવું–બંનેએ કરેલ તીવ્રતા ને શુભ ધ્યાનસાથે કરેલ અણુસણ-ત્રીજા રૈવેયકમાં ઉત્પન્ન થવું-પૃષ્ઠ ૨૨૦ થી ૨૨૮
રોથામાં પુષ્કળાવતી વિજ્યમાં પુંડરીકિશું નગરીમાં ઘનરથ રાજા–તેની પ્રિયમતિ ને મનેરમા નામે રાણી–તે બંનેના ઉદરમાં ત્રીજા રૈવેયકથી આવીને બંને દેવનું ઉપજવું –બનેને જન્મ–મેઘરથ ને દરથ નામ સ્થાપન-નિહતશત્રુ રાજાના મંત્રીનું આવવું-તેણે તે બંનેને પિતાના રાજાની કન્યા આપવાની કરેલી માગણ-ઘરથ રાજાએ કરેલ સ્વીકાર–મેઘરથ ને દઢરથનું તે તરફ પ્રયાણ-માર્ગમાં સુરેદ્રદત્ત રાજા
યુદ્ધ-તેને પરાજયસુમંદીરપુર પહોંચવું-ત્રણ કન્યા સાથે પાણિગ્રહણુ-પાછા વળતાં સુરેદત્તને તેનું રાજય પાછું મેંપવું-ત્રણ રાણીઓને થયેલ એકેક પુત્ર-દિષેણ, મેવસેન ને રૂપસેન નામ સ્થાપન
ઘનરથ રાજા પાસે સુસેના ગણિકાનું કુકડે લઈને આવવું તેની સાથે મનેરમા રાણીના કુકડાનું યુદ્ધ-પરસ્પરનું અજયપણું—ઘનરથ રાજાએ કહેલ તે બંનેને પૂર્વભવ–મેઘરથ બતાવેલું તેનું વિદ્યાધર અધિષ્ઠિતપણુનું કારણ–બે વિદ્યાધરના પૂર્વભવનું કહેવું–તેનું પ્રગટ થવું–શનરથ રાજાને નમીને તેમનું અસ્થાને જવું-કુકડાઓને થયેલ જાતિ મરણ–તેમણે કરેલ અનશન-તેમનું ભુતનાયક થવું–મેઘરથ પાસે આવવું–તેમના ઉપકારનું કરાવેલ સ્મરણ–વિમાનમાં સાથે લઈ જઈને મનુષ્યલકનું બતાવવું તેમનું સ્વસ્થાને ગમન
ઘનરથ રાજા પાસે લેકાંતિક દેવનું આગમન–તેમણે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન
મેઘરથ રાજાનું ઉદ્યાનમાં જવું– તેમની પાસે ભૂતએ કરેલું તાંડવ-એક વિદ્યાધર યુગલનું ત્યાં આવવું તેને મેઘરથ રાજાએ કહેલ વૃત્તાંત-પ્રિયમિત્રના પુછવાથી કહેલે તેને પૂર્વભવ-તે સિંહરથ વિદ્યાધરનું સ્વસ્થાને જવું–તેણે ઘનર પ્રભુ પાસે લીધેલી દીક્ષા-પ્રાપ્ત કરેલ અવ્યયપદ
મેઘરથ રાજાનું પૌષધ લઈને બેસવું-એક પારેવાનું તેના મેળામાં આવીને પડવું–મેઘરથે આપેલી તેને આશ્વાસના-પાછળ બાજ પક્ષીનું આવવું તેણે કરેલી પારાવતની માગણી-મેઘરથે આપેલ ઉપદેશતેણે આપેલે ઉત્તર-મેઘરથ રાજાએ પારેવા જેટલું પિતાનું માંસ આપવાનું કબુલ કરવું-કાંટાનું મંગાવવું-પારેવાને અત્યંત તેલ–મેઘરથ રાજાનું કાંટાને એક પાસે બેસી જવું-સામંતાદિકે કરેલ હાહાકાર
Page #21
--------------------------------------------------------------------------
________________
દેવતાનું પ્રગટ થવું–તેણે પરીક્ષા માટે આવવાનું કહેલું કારણ–તેનું સ્વસ્થાને જવું–પારેવાને બાજપક્ષીના તથા તે દેશના પૂર્વભવને મેઘરથે કહેલ વૃત્તાંત-અને પક્ષીને થયેલ જાતિ સ્મરણ–તેણે કરેલ અનશન– તેનું ભુવનપતિ દેવતા થવું| મેઘરથ રાજાએ અઠ્ઠમ કરીને કરેલ કાર્યોત્સર્ગ-ઇશાનેન્દ્ર કરેલ પ્રશંસાબે ઈંદ્રાણુઓનું પરીક્ષા માટે આવવું તેમણે કરેલ અનુકૂળ ઉપસર્ગ-મેઘરથનું અચળ રહેવું-ઈદ્રાણીઓનું સ્વસ્થાને જવું–મેઘરથને થયેલ વૈરાગ્ય-ઘનારથ તીર્થકરનું ત્યાં પધારવું–મેઘરથે જણાવેલ દીક્ષા લેવાને વિચાર-દરથનું પણ સાથે જ તૈયાર થવું–મેઘસેનને રાજ્ય સ્થાપન–મેઘરથ તથા દઢરથે લીધેલ દીક્ષા–મેઘરથે કરેલ વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામ કર્મને બંધ- બંનેએ કરેલ અનશનસર્વાર્થસિદ્ધ વિમાનમાં બંનેનું ઉપજવું
| પૃષ્ઠ ૨૨૯ થી ૨૪૨ સ રમીમાં-હસ્તીનાપુર નગર, વિશ્વસેન રાજા ને અચિરા દેવીનું વર્ણન–મેઘરથના જીવનું સર્વાર્થ સિદ્ધથી રચવવું–અચિરાં માતાની કક્ષામાં ઉપજવું- માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન-ભગવંતના ગર્ભમાં ઉપજવાથી મરકી વિગેરેની થયેલી શાંતિ–પ્રભુને જન્મ-દિશા કુમારીકત જન્મેચ્છવ-ઈદ્રકૃત જન્મોછવઈજે કરેલી પ્રભુની સ્તુતિ-વિશ્વસેન રાજાએ કરેલે જન્મે છ–શાંતિનાથ નામ સ્થાપન-વૌવનાવસ્થા–રાજ્ય સ્થાપન–અનેક રાજકન્યાઓ સાથે વિવાહ-શાંતિનાથની રાણી યમતિએ દીઠેલ શુભ સ્વપ્નરથના જીવનું સર્વાર્થસિદ્ધથી વયવવું તેની કક્ષામાં ઉપજવું–પુત્ર જન્મ–ચકાયુદ્ધ નામ સ્થાપન
ચક્રરત્નની ઉત્પત્તિ-શાંતિનાથનું દિગ્વિજય માટે પ્રયાણ–માગધાદિ દેવનું સ્વયમેવ સાધ્ય થવુંતેમણે આપેલ ભેટ–ઉત્તર તરફના ત્રણ ખંડ સાધવા જવું-કીરાત સાથે યુદ્ધ-તેણે કરેલું મેઘ કુમારનું આરાધન–મેઘકુમારેએ કરેલ ઉપદ્રવ–પ્રભુના સેવક દેવનું તેની પાસે જવું અને સમજાવવું-કીરાતનું વશ થવું-ઋષભકૂટ પર નામ લખવું–નવનિધાનનું વશ થવું- હસ્તીનાપુરમાં પ્રવેશ–પાંચમા ચક્રી તરીકે અભિષેક-ઋદ્ધિનું વર્ણન
કાંતિક દેવેનું આવવું-સાંવત્સરિકદાન-દીક્ષા મહેચ્છવ–પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણુંપ્રભુને કેવળજ્ઞાન-દેવકૃત સમવસરણ-ચકાયુધને વધામણ–તેનું વાંદવા આવવું-ઈકાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશના ઈતિને જીતવા સંબંધી ઉપદેશ-ચકાયુધે લીધેલ દીક્ષા-ગણધર સ્થાપનાયક્ષયક્ષ-કુચંકે કરેલ પૂર્વભવ સબંધી પ્રશ્ન-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ–તેમાં વસંતદેવને કામપાળ તથા મંદિરાને કેસરાનું સવિસ્તર વૃત્તાંત-પ્રભુને પરિવાર-સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ -આયુષ્યનું પ્રમાણ–ચશ્વયુધનું કટિશિલાએ મેક્ષ ગમન વિગેરે–પૃષ્ઠ ૨૪૩ થી ૨૬૩
પર્વ પાંચમું સમાપ્ત,
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૯
પ છે હું
સ-૮
સ પહેામાં–શ્રી કુંથુનાથ ચરિત્ર-તેમના પૂર્વભવ–સિંહાવતુ રાજાએ લીધેલ દીક્ષાની શ સ્થાનકનું આરાધન—તીર્થંકર નામ કા બંધ–સર્વાં સિદ્ધ ઉપજવું–હસ્તીનાપુર નગરમાં શૂર રાજા તથા શ્રીદેવીનું વર્ણન—શ્રી દેવીની કુક્ષીમાં સર્વાર્થ સિદ્ધથી આવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન-પુત્ર જન્મ —દેવકૃત જન્માચ્છવ-ઈન્દ્રે કરેલી સ્તુતિ કુંથુનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણુ–રાજ્ય સ્થાપન— ચક્ર રત્નનું ઉત્પન્ન થવુ-છ ખંડના દિગ્વિજય-છઠ્ઠા ચક્રી તરીકે અભિષેક-લેાકાંતિક દેવે નુ આવવુ –પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું કેવળ–જ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણ-ઇંદ્રાગમન-ઈ ંદ્રે કરેલી પ્રભુની સ્તુતિપ્રભુની દેશના–મન શુદ્ધિની આવશ્યકતાને ઉપદેશ-ગણધર સ્થાપના-ચક્ષુ યક્ષણી–પ્રભુને પરિવાર– સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ—આયુષ્યનું પ્રમાણપૃષ્ઠ ૨૬૪ થી ૨૬૯
સન નીનામાં-શ્રીઅરનાથ ચરિત્ર-તેમના પૂર્વ ભવ-ધનપતિ રાજાએ લીધેલ દીક્ષા-વીશ સ્થાનકનું આરાધન—તીર્થં કર નામ કર્માનું ઉપાર્જીન—નવમા ત્રૈવેયકે ઉપજવું–હસ્તીનાપુરમાં સુદર્શન રાજા તે મહાદેવીનું વર્ષોંન—નવમા ગ્રે વેયકથી ચ્યવવું–મહા દેવીની કુક્ષીમાં ઉપજવું–ચૌઢ સ્વપ્ન–પ્રભુના જન્મ-દેવકૃત જન્માચ્છવઈંદ્રે કરેલ સ્તુતિ-અરનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–વિવાહ-રાજય સ્થાપન—સાતમા`ચક્રવતી પણ – લેાકાંતિક દેવનું આવવું–પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું–પ્રભુને કેવળ જ્ઞાન-ઈંદ્રાદિકનું આવવું-ઇંદ્રે કરેલી પ્રભુસ્તુતિ-પ્રભુના દેશના-રાગદ્વેષનેા જય કરવાને ઉપદેશ-ગણધર સ્થાપના-યક્ષયક્ષણી
પ્રભુનું પદ્મિની ખંડ નગરે પધારવું-કુંભ ગણધરની દેશના—એ વામનનું ત્યાં આવવું–સાગરદત્ત શેઠે કહેલ વૃત્તાંત-તેમાં પોતાની પુત્રી પ્રિયાનાને વીરભદ્ર સાથે વિવાહ–વીરભદ્રનું એકાકી પરદેશગમન વામનથી તેના કેટલાક મળેલા ખબર—સ્ફુટ જાણવા માટે પ્રશ્ન-કુ ંભગણધરે કહેલ વીરભદ્રનું વૃત્તાંતવીરભદ્રે કરેલ રૂપનું પરાવર્તન—તેનુ સિંહલદ્વીપ જવું- શ ́ખ શેઠને ત્યાં પુત્ર તરીકે રહેવુ તેની પુત્રી વિનયવતી સાથે રાજપુત્રી અનંગ સુંદરી પાસે જવું–વીરભદ્રની કળા જોઈને તેનુ વશ થવું–વીરભદ્રે પેાતાનું રૂપ પ્રગટ કરવું–અનંગ સુંદરીને થયેલ પ્રીતિ–તેણે પોતાની માતાને જણાવેલા વિચાર-અનુક્રમે તેની સાથે થયેલા વીરભદ્રના વિવાહ–ત્યાંથી સ્વદેશ જવા નીકળવુ–સમુદ્ર ભાગે પ્રયાણુ—વહાણુનું ભાગવું–અનંગ સુંદરીનું કીનારે નીકળવું–તાપસાનેા પ્રસંગ-તાપસેાએ પદ્મિનીખંડ નગરે મુકી જવું–ત્યાં સુત્રતા સાધ્વીના મેળાપ તેના ઉપાશ્રયમાં રહેવું—પ્રિયદર્શીનાના મેળાપ-બંનેને થયેલ સ્નેહ-વીરભદ્રને રતિવલ્લભ વિદ્યાધરે સમુદ્રમાંથી કાઢવા– તેણે કહેલ બંને સ્ત્રીઓની હકીકત-વીરભદ્રે કરેલ ગૌરવ -યુદ્ધદાસ નામ-રાખવુ રતિવલ્લભની પુત્રી રત્નપ્રભા સાથે પાણિગ્રહણુ-તેની સાથે કરેલા આનંદ–અન્યદા પદ્મિની ખંડ નગરે તેનું આવવું–સુત્રતા સાધ્વીના ઉપાશ્રય પાસે રત્નપ્રભાને મુકીને વીરભદ્રનું પ્રચ્છન્ન રહેવું-રત્નપ્રભાનુ ગભરાવું–સાધ્વીએ કરેલ આશ્વાસન— ઉપાશ્રયમાં રહેવું–વીરભદ્રનું. વામનરૂપ કરીને શેહેરમાં ફરવું-રત્નપ્રભાના અનંગસુંદરી તે પ્રિયદર્શીના સાથે મેળાપ–પરસ્પર વાતચિત-પરસ્પર સ્નેહ-કાઈ પણ પુરુષ સાથે ન ખેાલવાની પ્રતિજ્ઞામાં ત્રણેનું સ્થિત થવું રાજ પાસે થયેલી તે વાત–વીરભદ્રે તેમને ખેાલાવવાનું સ્વીકારવું–વામન વેષે ઉપાશ્રયમાં આવવું તેણે કહેવા માડેલા પોતાને વૃત્તાંત–પહેલાં પ્રિયદર્શીનાનું પછી અનંગ સુંદરીનું તે પછી રત્નપ્રભાનુ' ખેાલવુ’-તે જ વીરભદ્ર આ વામન છે એમ કુંભગગુવરે પ્રગટ કરવું–વામનનું ઉપાશ્રયે આવવું—પેાતાના રૂપનું પ્રગટ કરવું-પરસ્પર મેળાપ-અતિશય આનંદ-સુત્રાત્રણિનીએ મનાવેલા સુપાત્રદાનને પ્રભાવ-વિશેષ પુછવા માટે અરનાથ પ્રભુ પાસે આવવું–સુત્રના ગણિનીએ કહેલ પ્રશ્ન–પ્રભુએ કહેલ વીરભદ્રને પૂર્વભવ-તેમાં તેના જીવે અરનાથ પ્રભુના જીવને પૂર્વભવે આપેલ દાન—તેના પ્રભાવથી થયેલ સુખ પ્રાપ્તિ-અનુક્રમે વીરભદ્રનું સ્વં ગમન
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ- પૃષ્ઠ ૨૭૦ થી ૨૮૫
ચીઝાસમાં – છઠ્ઠા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવના ચરિત્ર-બળદેવને પૂર્વભવસુદર્શન રાજાનું દીક્ષા લઈને આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-પ્રિય મિત્ર રાજાની રાણીનું સુકેતુ રાજાએ હરણ કરવું–પ્રિય મિત્રે લીધેલ દીક્ષા-સુક્તને મારનાર થવાનું કરેલું નિવાણું-ત્રીજા દેવલેકમાં ઉપજવું–સુકેતુના જીવનું ભવ ભ્રમણ કરીને વૈતાઢ્ય ઉપર બલિ નામે પ્રતિવાસુદેવ થવું-ચક્રપુર નગરમાં મહાશિર રાજાને વૈજયંતી ને લક્ષ્મીવતી નામે બે રાણીઓ- સુદર્શનના જીવનું જય તીની કુક્ષીમાં ઉપજવું- પુત્ર જન્મ-આનંદ નામ સ્થાપન-પ્રિય મિત્રના જીવનું લકમવતીની કુક્ષીમાં ઉપજવું–પુરુષપુંડરિક નામ સ્થાપન–બંનેને અત્યંત સ્નેહ-વૌવનાવસ્થા-પુરુષપુંડરિકનું પદ્માવતી સાથે પાણિગ્રહણ–તેના રૂપનું વર્ણન સાંભળી બળિ રાજાનું તેને હરણ કરવા આવવું-પરસ્પર યુદ્ધ-ળિરાજાએ ફેકેલ ચક્ર–તેનું નિષ્ફળ જવું તે જ ચક્રથી પુરુષ પુંડરિકે કરેલ બળિરાજાને શિરચ્છેદ-પુરુષ પુંડરિકને આનંદનું છઠ્ઠ વાસુદેવને બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કેટી શીલાનું ઉપાડવું–વાસુદેવનું બ્રી નરકે જવું–બળદેવનું મેક્ષે જવું
| પૃષ્ઠ ૨૮૬ થી ૨૮૭ થા માં-સુભમ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-ભૂપાળ રાજાએ લીધેલી દીક્ષાનિયાણું બાંધીને સાતમા દેવલોકમાં ઉપજેવું–હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજા-જમદગ્નિ તાપસની ઉત્પત્તિબે દેવતાનું ધર્મ પરીક્ષા માટે આવવું–તેમણે કરેલી પદ્યરથ રાજર્ષિની પરીક્ષા–તેનું પાર ઉતરવું–દેવનું યમદગ્નિ તાપસ પાસે આવવું-ચકલા ચકલીરૂપે તેની દાઢીમાં રહેવું–તેના સંવાદથી યમદગ્નિને થયેલ ક્રોધ–તેના વચનથી સ્ત્રી પરણવાને તેણે કરેલે નિર્ણય–તેનું જિતશત્રુ રાજા પાસે કન્યા યાચવા આવવું-દેવનું સ્વર્ગ ગમન–જૈન ધર્મ ઉપર દઢ વિશ્વાસ-જિતશત્રુ રાજાની ૯૯ પુત્રીએ કરેલે યમદ– નિને અસ્વીકાર તેને કબડીઓ બનાવી દેવી-રણકાએ કરેલ સ્વીકાર–તેનો સાથે યમદગ્નિને વિવાહ-૯૮ રાજપુત્રીને સજજ કરવી–રેણુકાનું યવન વયમાં આવવું–તેને માટે ને તેની બેન માટે એકેક ચરૂનું સાધવુંરેણુકાએ ખાધેલ ક્ષત્રિય ચરૂ ને તેનો બેનને આપેલ બ્રહ્મચરૂ–બંનેને થયેલ પુત્ર–રેણુકાને રામ ને તેની બેનને કૃતવીર્ય–રામે એક વિદ્યાધરની કરેલી સેવા-તેણે આપેલ પરશુ વિદ્યા–તેનું સાધવું-પરશુરામ નામથી પ્રગટ થવું–રેણુકાનું અનંતવીર્યને ત્યાં જવું તેની સાથે લુબ્ધ થવું-તેમાંથી થયેલ પુત્પત્તિયમકગ્નિનું પુર સહીત તેને લઈ આવવું-પરશુરામને તેવી ચડેલે ક્રોધ-તેણે પુત્ર સડોત રેણુકાને કરેલા વિનાશ-તે વાત સાંભળી અનંતવીર્થનું ત્યાં આવવું-મદગ્નિના આશ્રમાદિને નાશ પમાડવો-તાપસેના આકંદથી પરશુરામનું ત્યાં આવવું-તેણે કરેલા અનંતવીર્યને વિનાશ-અનંતવીર્યના રાજ્ય કતવીર્યનું બેસવું તેની સ્ત્રી તારાના ઉદરમાં ભૂપાળ રાજાના જીવનું ઉપજવું–કૃતવીર્યે યમદમિને કરેલ વિનાશ પરશુરામે કરેલે કૃતવી ને વિન શ–તેના રાજવે તેનું બેસવું–કૃતવીર્યની સ્ત્રીનું તાપસને શરણુ જવું-ત્યાં ભૂમિગૃહમાં રહેવું–ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ-સુભૂમ નામ સ્થાપન-પરશુરામને ક્ષત્રિય જાતિપર ચડેલે કેપ-તેણે કરેલી સાવાર નક્ષત્રો ભૂમિ–તેની દાઢને ભરેલે થાળ-એક નિમિતિવાને પિતાના મૃત્યુ સંબંધી પરશુરામે કરેલ પ્રશ્ન-તેણે બતાવેલ નિશાની- પરશુરામે મંડાવેલી દાનશાળા- સુભૂમનું ભોંયરામાં વૃદ્ધિ પામવું મેઘનાદ વિદ્યાધરની પુત્રી સાથે તેનું પાણિગ્રહણ-સુભમે માતાને કરેલ પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર-સુભૂમનું બહાર નીકળવું–હસ્તીનાપુર જવું–દાનશાળામાં પ્રવેશ-દાઢાનું ક્ષીર થઈ જવું-સુભૂમે કરેલે તેને આહાર-પરશુરામ સાથે યુદ્ધ-પરશુરામનું મરણતેણે કરેલી ૨૧ વાર નબ્રાહ્મણ પૃથ્વી-સભૂમે કરેલ દિગ્વિજય-તેવું ચક્રવતપણું–તેણે કરેલ અઘોર પાપ-મરણ પામીને સાતમી નરકે જવું'
પૃષ્ઠ ૨૮૮ થી ૨૯૨ • વાંચમા માં-સાતમા વાસુદેવ બળદેવને પ્રતિવાસુદેવનું ચરિત્ર-બળદેવને પૂર્વભવવસુંધર રાજાએ લીધેલી દીક્ષા-પાંચમાં દેવલોકમાં ઉપજવું-વાસુદેવને પૂર્વભવ-લલિતમિત્રનું બળ મંત્રીએ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧
કરેલ અપમાન-લલિમિત્રે લીધેલી દીક્ષા-ખળ મંત્રીને મારનાર થવાનું કરેલુ. નિયાણું--પહેલા દેવલાકમાં દેવ થવું– ખળ મંત્રીનુ ભવ ભ્રમણ કરીને વૈતાઢય પર્યંત ઉપર પ્રહ્લાદ નામે પ્રતિવાસુદેવ થવું–
વારાણસી નગરીમાં અગ્નિસિંહ રાજાને જયંતી ને શેખવતી રાણી-જયંતીની કુક્ષીમાં વસુધરના જીવનું ઉપજવુ –પુત્ર જન્મ-નંદ્ગુન નામ સ્થાપન-શેષવતીના ઉદરમાં લલિતમિત્રના જીવનું ઉપજવુ-પુત્ર જન્મદત્ત નામ સ્થાપન—બંનેની મૈત્રી-તેમની પાસેથી પ્રહ્લાદે કરેલી અરાવણુ હસ્તીની માગણી—તેણે કરેલા તીરસ્કાર-પરસ્પર યુદ્ધ-પ્રલ્હાદે મુક્ષુ ચક્ર-તેનુ નિષ્ફળ જવું-તેજ ચક્ર દત્તે પ્રહ્લાદપર મુકવું—તેથી થયેલ તેના શિરચ્છેદ-નંદન ને દત્તનું સાતમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું-કાટી શિલાનું ઉપાડવું–દત્તનું મરણુ–પાંચમી નરકે જવું-નદન ખળદેવે લીધેલી દીક્ષા-તેમનું મેાક્ષ ગમન- પૃષ્ઠ ૨૯૩ થી ૨૯૪
લળ છઠ્ઠામાં-શ્રી મલ્લીનાથ ચરિત્ર-તેમને પૂર્વ ભવ-વીતશેાકા નગરીમાં બળ રાજા તે ધારણી રાણીના મહાબળ નામે પુત્ર-તેને છ મિત્રો-બળ રાજાએ લીધેલ દીક્ષા-તેમનું મેક્ષ ગમન—મહાબળને થયેલ ખળભદ્ર નામે પુત્ર–મહાબળને દીક્ષા લેવાના થયેલ વિચારછ મિત્રની સંમતિ-સાતે મિત્રોએ લીધેલ દીક્ષાસમાન તપસ્યા કરવાના કરેલ સંકેત–મહાબળ મુનિએ કપટવડે કરેલ વિશેષ તપ-તેથી બાંધેલ સ્ત્રીવેદશીશ સ્થાનકના આરાધનથી બાંધેલ તીથંકર નાખ ક-સાતે મિત્રોનું વૈજ્યંત વિમાનમાં ઉપજવું-મિથિલા નગરીમાં કુંભ રાજા ને પ્રભાવતી રાણીનું વન—મહાળળના જીવનું ચ્યવવુ –પ્રભાવતીની કુક્ષીમાં ઉપજવુ – ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રીને જન્મ-દેવકૃત જન્મે.ચ્છવ-ઈંદ્રે કરેલ સ્તુતિ-મલીકુમારી નામ સ્થાપન—
અચળ મિત્રના જીવનું વવું–સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ રાજા થવું—તેની રાણી સાથે નાગ મ ંદિરમાં તેનુ' આવવું–પુષ્પ સુગર સબ'ધી મંત્રીને કરેલ પ્રશ્ન-તેણે મલ્ટીકુમારીના પુષ્પ મુગરની કરેલી પ્રશંસાતેને ઉપજેલા રાગ--તેણે મેાકલેલા કુ ભરાજા પાસે દૂત-
ધણ મિત્રના જીવનું ચ્યવવુ.-ચપાપુરીમાં ચંદ્રછાય રાજા થવું-- પાનિવાસી અન્નય શ્રાવકના જળ પ્રવાસ--તેની ધર્મ દૃઢતા સંબંધી ઈંદ્રે કરેલી પ્રશ'સા--એક દેવતાનું પરીક્ષા કરવા આવવું-તેમાં પાર ઉતરવુ --દેવતાએ આપેલ કુંડળની એ જોડ–એક જોડ મિથિલામાં કુંભ રાજાને ભેટ ધરવી--ખીજી જોડ ચંપાએ આવીને ચદ્રછાય રાજાને ભેટ ધરવી--રાજાએ પુછેલ તેની હકીકત-પ્રસંગે તેણે કરેલું મલ્ટીકુમારીના રૂપનુ વર્ષોંન--તેથી તેને થયેલા અનુરાગ–તેણે કુંભરાજા પાસે મેાકલેલ દૂત-
પૂરણ મિત્રના જીવનું શ્રાવસ્તીમાં રૂક્મી રાજા થવુ-તેણે પોતાની પુત્રીનેા કરેલ સ્નાનવિધિ--તે સંબધી રાજાએ કરેલ સેવકને પ્રશ્ન—તેણે કરેલી મલ્લીકુમારીના સ્નાનવિધિની તેમજ તેના રૂપની પ્રશંસા--તેથી તેને ઉપજેલા અનુરાગ--તેણે કુંભરાજા પાસે મેકલેલ દૂત
વસુમિત્રના જીવનુ વારાણસીપુરીમાં શંખ રાજા થવુ’--અહીં' મલ્ટીકુમારીના કુંડળનું ભાંગવુ-તે સાંધી દેવાના કુંભ રાજાએ કરેલ સાનીઆને હુકમ--સાનીએએ બતાવેલ પેાતાનુ અશક્તપણું--કુભ રાજાએ કરેલ દેશનીકાલ--તેમનુ વારાણસી આવવુઃ-શ`ખ રાજા પાસે તેઓએ કરેલુ. મલ્લીકુમારીના રૂપનુ વર્ણન--તે ઉપરથી શંખ રાજાને થયેલ અનુરાગ--તેણે મેકલેલ કુંભરાજા પાસે દૂત—
અભિચંદ્ર મિત્રનુ` કાંપિયપુરમાં જિતશત્રુ રાજા થવું--ચાક્ષા પરિવ્રાજિકાનું મલ્લોકુમારી પાસે આવવું—તેના મતને મલ્ટીકુમારીએ કરેલા નિરાસ--દાએએ કરેલ અપમાન -તેને થયેલ કાપ--તેનુ જિતશત્રુ રાજા પાસે આવવું તેણે પોતાની રાણીએના રૂપ સંબધી કરેલ પ્રશ્ન--ચેાક્ષાએ મલ્લીકુમારીના રૂપની કરેલી પ્રશસા--તે સાંભળી જિતશત્રુને થયેલા અનુરાગ-તેણે કુંભરાજા પાસે મેકલેલ દૂત
વૈશ્રવણ મિત્રના જીવનું હસ્તીનાપુરમાં અઠ્ઠીનશત્રુ રાજા થવું-મલ્ટીકુમારીના ભાઈ મલકુમારે ચિત્રાવેલી ચિત્રશાળા–એક ચિત્રકારે ચીત્રેલું મલ્ટીકુમારીનું આબેહુઞ ચિત્ર–મલ્લકુમારનું ત્યાં ક્રીડા માટે આવવું–મલ્ટીકુમારીને દેખીને શરમાવું-ધાત્રીએ કરેલા ખુલાસે-ચિતારાપર ચડેલા ક્રોધ–તેના અંગુઠાનુ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૨
છેલ્વે-ચિતારાનું હસ્તીનાપુર આવવું-અદીનશત્રુ રાજા પાસે તેણે કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન-તે સાંભળી તે રાજાને થયેલ અનુરાગ-તેણે મોકલેલ કુંભ રાજ પાસે દૂત
મલ્લીકુમારીએ છએ રાજાઓને પ્રતિબોધ પમાડવા માટે કરેલી વેઠવણ-સુવર્ણમય પિતાની મૂર્તિ દરરોજ તેમાં એક અન્નકવળને પ્રક્ષેપ
છ રાજાના દૂતનું કુંભ રાજા પાસે આવવું—દરેકે જુદી જુદી રીતે કરેલી મલ્લીકુમારીની માગણીકુંભરાજાએ એ દૂતાને કરેલે તિરસકાર-દૂતોનું પાછી જવું-છએ રાજાએ એકઠા મળીને લડાઈ માટે આવવું તેણે નાખેલે મિથિલા ફરતે ઘેરકુંભ રાજાને થયેલ ચિંતા–મલ્લીકુમારીએ કરેલ તેનું નિવારણ -છએ રાજને પિતાની મૂર્તિવાળા સ્થાનમાં તેડાવવું–તેઓનું આવવું-મલ્લીકુમારીની મૂર્તિ જોઈને અનુરાગી થવું–મલ્લીકુમારીએ માથાપરનું ઉઘાડેલું ઢાંકણું–તેમાંથી ઉછળે દુર્ગધ-છએ રાજાનું પરામુખ થવું–તે વખતે મલીકુમારીએ આપેલ બેધ-છએ રાજાને થયેલ જાતિ સ્મરણ-તેમણે માનેલ. મલીકમારીને ઉપકાર-અવસરે દીક્ષા લેવાનું સ્વીકારી તેમનું સ્વાસ્થાને જવું–
કાંતિક દેવેનું આગમન–મલીકુમારીએ આપેલ સંવત્સરીદાન–તેમણે લીધેલ દીક્ષા–તે જ દિવસે થયેલ કેવળજ્ઞાન–દેવે રચેલ સમવસરણ-કુંભ રાજાના છએ મિત્ર રાજાનું આવવું-ઈદ્ર તથા કુંભ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-સમતાની આવશ્યક્તાનો ઉપદેશ-છ રાજાઓએ લીધેલ દીક્ષા-ગણધર સ્થાપના-પ્રથમ પારણું – ક્ષક્ષણી-પ્રભુને પરિવાર-સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણુ-આયુષ્યનું પ્રમાણ
પૃષ્ઠ ૨૯૫ થી ૩૦૫ સાતમા માં-શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-સુર શ્રેષ્ઠ રાજાએ લીધેલ દીક્ષા-વીશસ્થાનકનું આરાધન-તીર્થકર નામ કર્મને બંધ-દશમા દેવલેકમાં ઉપજવું
હરિવંશની ઉત્પત્તિ-કૌશાંબી નગરીમાં સુમુખ રાજા વીરવિંદની સ્ત્રી વનમાળાને જોઈને તેને ઉપજેલે મહ–તેને મેળવવા માટે સુમતિ મંત્રી મારત કરેલે પ્રયત્ન-તેણે મેક્લેલી પરિવાજિકા–વનમાળાને પણ થયેલ અનુરાગ–પરિવારિકાએ કરી આપેલ બંનેને મેળાપ-તેની સાથે સુમુખ રાજાએ કરેલ ક્રિીડા-વીરવિંદનું ગાંડા થઈ જવું–તેને તેવી સ્થિતિમાં જોઈને સુમુખ રાજાને થયેલે છે તે અવસરે તેની ને વનમાળાની ઉપર થયેલ વિદ્યુત્પાત-બંનેનું મરણતેનું હરિવર્ષ ક્ષેત્રમાં યુગળિક થવું-હરિને હરિણી નામસ્થાપન–વીરકુવિંદે કરેલ બાળ તપ-તેનું સૌધર્મ દેવલોકમાં કિવિષિક દેવ થવું–તેનું અવધિજ્ઞાનવડે યુગળિકને દેખવું તેને ઉપજેલ કેપ-મારી નાખવાને થયેલ વિચાર-વિચારનું ફરવું–ચંપાનગરીમાં તે બંનેને મૂકવું-ત્યાંના રાજા રાણી થવું–અનેક પ્રકારનાં પાપ કરીને તેમનું દુર્ગતિ જવુંતેના નામ ઉપરથી શીતળનાથજીના તીર્થ માં થયેલી હરિવંશની ઉત્પત્તિ–તેના વંશમાં થયેલા અનેક રાજાઓ- રાજગૃહ નગરમાં હરિવંશમાં થયેલ સુમિત્ર નામે રાજા–તેની પદ્માવતી રાણીના ઉદરમાં દશમાં દેવલોકથી રવીને સુર શ્રેષ્ઠ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પુત્રને જન્મ-ઈદ્રનું મેરૂપર લઈ જવું-ત્યાં કરેલે જન્માભિષેક-ઈન્ટે કરેલ સ્તુતિ-મુનિસુવ્રત નામ સ્થાપન-યૌવનાવસ્થાપાણિગ્રહણ--પ્રભાવતી રાણીથી થયેલ સુવ્રત નામે પુત્ર-કાંતિક દેવેનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષાપ્રથમ પારણું-કેવળજ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણ-ઈન્દ્ર કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશનાયતિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મનું વર્ણન-ગૃહસ્થને સામાન્ય ધર્મ-ગણધર સ્થાપના ક્ષક્ષણ
પ્રભુનું ભૃગુકચ્છ નગરે પધારવું-જિતશત્રુ રાજાનું અશ્વ સહીત વાંદવા આવવું-ગણધરે કેણુ ધર્મ પામ્યું ? એવો કરેલ પ્રશ્ન-ભગવંતનું અશ્વ જ ધર્મ પામ્યું છે એમ કહેવું–રાજાએ અશ્વ સંબંધી પુછેલા પ્રશ્ન-ભગવતે કહેલ તેને પૂર્વભવ–તેમાં બતાવેલું સાગરદત્ત કરાવેલા શિવાલયના પુજારીઓનું દુષ્ટ આચરણ-સાગરદત્તના જીવનું અબ્ધ થવું–જિતશત્રુએ અશ્વને કરેલ સ્વતંત્ર-અધાવબોધ તીર્થનું પ્રગટ થવું–અશ્વનું સદ્ગતિએ જવું–
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
કાત્તિક શેઠની કથા–રાજાની આજ્ઞાથી કરાવવું પડેલું પરિવ્રાજકને પારણું તેણે લીધેલી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા–તેનું સૌધર્મેન્દ્ર થવું-પરિવ્રાજકનું એરાવણથવું–અરાવણને વશ કરવું.
પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણ–આયુનું પ્રમાણ પૃષ્ઠ ૩૦૬ થી ૩૧૬
મામા નાં -મહાપદ્મ ચકવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-પ્રજાપાળ રાજાએ લીધેલી દીક્ષાબારમા દેવલેકના ઈદ્ર થવું-ત્યાંથી રવવું–હસ્તીનાપુરમાં પોત્તર રાજાની જવાળા રાણીની કુક્ષીમાં ઉપજવું-પુત્રનો જન્મ–વિશશુકુમારના નાના ભાઈ થવું-મહાપદ્મ-નામસ્થાપન
ઉજજયિનીમાં શ્રીવ રાજાને નમુચિ નામે પ્રધાન–સુવ્રતાચાર્યનું ત્યાં પધારવું–મંત્રી સહીત રાજાનું તેમની પાસે જવું–નમુચિએ કરવા માંડેલો વાદ–એક ક્ષુલ્લક મુનિએ તેને કરેલું નિરૂત્તર–નમુચિને ચડેલે.
ધ_રાત્રે મુનિને મારવા જવું દેવે કરેલી થંભના-લોકમાં થયેલું અતિ અપમાન–તેનું પરદેશગમનહસ્તીનાપુર આવવું-મહાપદ્મના પ્રધાન તરીકે રહેવું-સિંહબળ રાજાને પકડવા માટે તેને મેલ-સિંહબળને બાંધીને લાવવું–મહાપદ્મની થયેલી પ્રસન્નતા–તેણે આપેલે વર-નમુચિએ રાખેલી વરની થાપણુ
જૈનરથને બ્રહ્મરથ ચલાવવાની જવાળા રાણીને તેની શેક વચ્ચે થયેલ સ્પર્ધા–પક્વોત્તર રાજાએ કરેલ બન્નેને અટકાવ-મહાપદ્મને લાગેલું અપમાન–તેનું પરદેશગમન-તાપસના આશ્રમમાં નિવાસ–ચંપાના રાજાની રાણુનું મદમાવળં પુત્રી સાથે ત્યાં આવવું–મદના વળી ને મહાપદ્મને થયેલ પરસ્પર અનુરાગ-મદનાવળની માતાએ કરેલ અટકાવ-મહાપદ્મનું ત્યાંથી નીકળી જવું-સિંધુસદનપુરે પહોચવું–ત્યાંના રાજાના હાથીનું બંધન ત્રોડીને ભાગવું- મહાપ કરેલું તેનું નિવારણુ–ગજને વશ કરવો–મહાસેન રાજાની પુત્રીઓ સાથે થયેલા વિવાહ-વેગવતી વિદ્યાધરીનું ત્યાં આવવું–તેણે કહેલો પિતાને વૃત્તાંત-તેની સાથે મહાપદ્મ કુમારનું સુરદયપુરે જવું–જયચંદ્ર સાથે પાણિગ્રહણ-બે વિદ્યાધરે સાથે યુદ્ધ–તેમને પરાજય-ચક્રાદિ રત્નોની ઉત્પત્તિમહાપદ્મ કરેલું ખંડનું સાધન–વળતાં તાપસના આશ્રમમાં આવવું–ત્યાં મદમાવળી સાથે પરણવું–હસ્તીનાપુર પહેચવું–માતા પિતાને થયેલ આનંદ
સુવ્રતાચાર્યનું હસ્તીનાપુર પધારવું-પક્વોત્તર રાજાનું વાંદવા આવવું–તેને થયેલ વૈરાગ્ય-વિષ્ણુકુમારને રાજય લેવા કહેવું–તેણે પણ દીક્ષા લેવાને બતાવેલ વિચાર–મહાપદ્મકુમારને ચક્રવતીપણુના અભિષેક સાથે પિતાના રાજ્યને પણ અભિષેક–તેણે કરેલે દીક્ષા મહેચ્છવ–પડ્યોત્તર રાજા ને વિષ્ણુકુમારે લીધેલ દીક્ષામહાપ જનરથ ફેરવવાને કરેલ મહેચ્છવ-પક્વોત્તર રાજાનું મોક્ષગમનવિષકુમારને પ્રાપ્ત થયેલ અનેક લબ્ધિઓ
સુવ્રતાચાર્યનું ચતુર્માસ કરવા હસ્તિનાપુર આવવું-નમુચિએ વેર વાળવાને કરેલા વિચાર–મહાપદ્મ પાસે કરેલ વરની માગણી–અમુક દિવસ માટે તેને સોપેલું રાજ્ય-સુવ્રતાચાર્ય પાસે જઈને તેણે કરેલ આક્ષેપ-સાત દિવસની અંદર ભરતક્ષેત્ર મુકીને જતા રહેવાને કરેલ હુકમ-વિષ્ણુકુમારને લાવવાની જણાયેલી જરૂરીઆત-ગુરૂની આજ્ઞાથી એક મુનિનું મેરૂ પર્વત ઉપર તેમની પાસે જવું–વિષ્ણુકુમારનું તેની સાથે આવવું–નમુચિ પાસે જવું–તેને ઘણી રીતે સમજાવવ-પિતાને રહેવા માટે કરેલ ત્રણ પગલાં જમીનની માગણી–નમુચિએ કરેલ તેથી વધારે જમીનને નિષેધ–વિષ્ણુકુમારને ચડેલ ક્રોધ–તેણે વૈક્રિય શરીર કરવું– તેથી થયેલ અત્યંત્ય ક્ષોભ-નમુચિને ભૂમિપર પછાડવો–મહાપદ્મ ચક્રીનું તેમની પાસે આવવું–મહા પ્રવાસે તેમના કેપનું કરેલ નિવારણ- તેમણે કરેલ શરીરને સંકેચ-નમુચિને છોડી મુકવો-વિષ્ણુકુમારનું મોક્ષગમનમાપwય ક્રીએ લીધેલ દીક્ષા-1મના આયુનું પ્રમાણ–તેમનું મેક્ષામન ઈત્યાદિ. પૃષ્ઠ ૩૧૭થી ૩૨૫
પર્વ છઠું સમાપ્ત,
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित
પર્વ ત્રીજુ.
प्रथमसर्गः त्रैलोक्यप्रभवे पुण्यसंभवाय भवच्छिदे ।
श्रीसंभव जिनेन्द्राय मनोभवभिदे नमः ॥१॥ ત્રણ લેકના સ્વામી, પવિત્ર જન્મવાળા, સંસારને છેદનારા અને કામદેવને ભેદનારા એવા શ્રી સંભવનાથ જિનંદ્રને નમસ્કાર કરીને પૃથ્વીને પવિત્ર કરનારું અને કર્મરૂપી લતાને છેદનારું એવું તેમનું (શ્રી સંભવનાથ સ્વામીનું) ચરિત્ર હું કહીશ.
ધાતકીખંડ દ્વીપના અરાવત ક્ષેત્રને વિષે કુશલપણાના સ્થાનરૂપ ક્ષેમપરા નામે એક પ્રખ્યાત નગરી છે, ત્યાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર જાણે ઈદ્ર અવતર્યો હોય એવે વિશાળ બદ્રિવાળે વિપુલવાહન નામે રાજા છે. બાગવાન જેમ બગીચાનું પાલન કરે તેમ એ રાજા અવિશ્રાંતપણે સર્વ પ્રકારના શલ્ય (દુઃખ) ને ઉછેદ કરી વિધિથી પ્રજાનું પાલન કરતે હતો. પથિકની જેમ દેશને પ્રતિકારી એવી એ રાજાની નીતિરૂપી સરિતા નિરંતર ચોતરફ પ્રસરતી હતી. અસહ્ય શાસનને ધારણ કરનાર એ રાજા એ નીતિવંત હતો કે જે પોતાના અપરાધને પણ બીજાના અપરાધની પેઠે જરા પણ સહન કરતો નહી. જેમ સારી ચિકિત્સા કરનાર વૈદ્ય રોગના પ્રમાણમાં રેગીઓને ઔષધ આપે છે, તેમ એ રાજા ગુન્હેગારને તેના ગુન્હા પ્રમાણે જ દંડ આપતે હતા, અને ગુણ પુરૂષોની તેમના ગુણ પ્રમાણે પૂજા કરતું હતું. યોગ્યતા પ્રમાણે વર્તવું તે વિવેકી પુરૂષના વિવેકન કળ છે. એ રાજાને બીજ લે કેાની જેમ મદ થવાનાં સ્થાન પણ મદને અર્થે થયાં નહોતાં, કારણ કે વર્ષાગડતુ જેવી રીતે નદીને ગર્વ કરાવે છે તેવી રીતે સમૃદ્ધ કરાવી શકતી નથી. ચિત્યની જેમ તેના હૃદયમાં હમેશાં સર્વજ્ઞ દેવ રહેતા હતા, જેનશાસ્ત્રની પેઠે તેની વાણીમાં સર્વજ્ઞના ગુણનીજ પ્રશંસા હતી. તીર્થંકર દેવ અને સુસાધુરૂપ ગુરુને જ તે પિતાનું મસ્તક નમાવતો હતો અને બીજા સવે તેને નમતા હતા. આર્ત અને શૈદ્ર શિવાયના શુભ ધ્યાનવડે મનનું, સ્વાધ્યાય કરવાથી વાણીનું અને જિનેશ્વરની પૂજાથી શરીરનું તેણે પરમફળ મેળવ્યું હતું. વસમાં જેમ ગળીને રંગ સ્થિર રહે છે તેમ તેનામાં બાર પ્રકારને શ્રાવકધર્મ હમેશાં સ્થિર રહેલો હતો. મોટા મનવાળે એ શા બાર પ્રકારના રાજચક્રમાં જેવી રીતે જાગ્રત રહે તેવીજ રીતે બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગ્રત રહેતો હતો. પવિત્ર આત્માવાળો તે જ, ધર્મ, વૃક્ષના અંકુરને ઉસન કરનાર બીજ વાવે તેમ પોતાના દ્રવ્યને યોગ્યતા પ્રમાણે સાત ક્ષેત્રમાં નિરંતર વાળ્યા કરતો હતો. દીન અને અનાથના એક શરણરૂપ અને પરમ
Page #29
--------------------------------------------------------------------------
________________
સગ૧ લા
દયાળુ એ રાજા પાસેથી કેાઈ પણ યાચક સમુદ્ર પાસેથી મેઘની જેમ ખાલી જતા નહીં, મેધ જેમ જળને વરસે તેમ તે યાચકાની ઉપર દ્રવ્યની વૃષ્ટિ કરતા હતા, તો પણ તદ્દન અહ`કાર રહિત હોવાથી મેઘની જેમ જરા પણ ગર્જના કરતા નહી', કટકના ઉચ્છેદ કરવામાં ક્શીરૂપ અને દાન આપવામાં કલ્પવૃક્ષ જેવા એ રાજા પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા ત્યારે કાઈ પણ નઠારી હાલતમાં નહેાતુ
૨
એ પ્રમાણે એ રાજા નીતિપૂર્વક રાજ્ય કરતા હતા તાપણુ એક વખતે ઘણા ભયંકર દુકાળ પડયા. ભવિતવ્યતાના યોગ ઉલ્લંધન થવા એ અશકય છે, દિશાઓને અંધકાળવાળી કરનાર મેઘના અભાવથી જાણે બીજો ગ્રીષ્મઋતુ આવ્યા હોય તેવા વર્ષી– ઋતુ ભયંકર જણાવા લાગ્યા. સવ જળને શાષણ કરનારા, વૃક્ષને ઉખેડવામાં ઉન્મત્ત અને કલ્પાંત કાળના પવનની જેવા નૈરૂત્ય દિશાના પવને વાવા લાગ્યા, આકાશમાં વાદળાંના રંગ કાગડાના ઉત્તરભાગ જેવા અત્યંત શ્યામ દેખાવા લાગ્યા, સૂર્ય કાંસાની થાળી જેવા જણાવા લાગ્યા, અને નગર તથા દેશના લોકો ધાન્ય નહી મળવાથી તાપસની જેમ વૃક્ષની છાલ, કદમૂળ તથા ફળને ખાવા લાગ્યા. જાણે ભસ્મકર નામના રોગ થયે હાય તેમ લેાકેાને કદાપિ પુષ્કળ ભેાજન મળે તેા તેથી પણ ધરાતા નહાતા. ભીખ માગવામાં લાજ પામનારા લેાકેા ભિક્ષા મેળવવાને માટે ઘણે ભાગે કપટતાપસના વેષ લઈને ફરવા લાગ્યા. પિતાએ, માતાએ અને પુત્ર ક્ષુધા લાગવાથી જાણે દિગ્મૂઢ થયા હોય તેમ એક બીજાને ત્યજી દઇને આડા અવળા ભમવા લાગ્યા. પિતા પણ કદિ અન્ન મળી જાય તા સામુ જોઈ રહેલા અને ખાવાને માટે રૂદન કરતા પોતાના પુત્રને આપતા નહીં. જેમ ચાંડાળની સ્ત્રી સૂપડા વિગેરે તુચ્છ વસ્તુ વેચે તેમ શેરીઓમાં ભમતી માતાએ એક ચણાની પસલીને માટે પાતાના બાળકને વેચવા લાગી, પ્રાતઃકાળે ધનવાનની હવેલી– આના આંગણામાં ઘેરાયેલા દાણાને ગરીબ રાંકાએ ઘરના પારેવાની જેમ વીણવા લાગ્યા. દુના કદોઇની દુકાના પર વારંવાર શ્વાનની પેઠે લાગ મેળવી ખાવાના પદાર્થો પર ઝટ મારવા લાગ્યા. કેટલાએક લેાકેા આખા દિવસ ભમી ભમી છેવટે સાયકાળે માંડમાંડ ગ્રાસ જેટલું ખાવાનું મળે તે એ દિવસને સારા માનવા લાગ્યા. આમતેમ ખાપરીએની જેમ અથડાતા અતિ બીહામણા રાંકાઓથી નગરના રાજમાર્ગો સ્મશાનથી પણ વધારે ખરાબ જણાવા લાગ્યા, અને ઠેકાણે ઠેકાણે ભમતા રાંકાના મોટા કોલાહલેાથી સદ્ગુરૂષાના કાન જાણે સાયે વીંધાતા હોય તેમ પીડાવા લાગ્યા.
આવા કલ્પાંત કાળની જેવા દુકાળમાં ચતુર્વિધ સંઘના ક્ષય થતા જોઈ મોટા મનવાળા મહારાજા વિચાર કરવા લાગ્યા કે “ આ સઘળી પૃથ્વીનુ મારે આ વખતે રક્ષણ કરવું જોઇએ પણ શું કરૂ ! આ પાપી કાળ મારા અસ્ત્રના વિષયમાં લાવી શકાતા નથી, તથાપિ આ સર્વ સંઘની તા મારે અવશ્ય રક્ષા કરવી જોઇએ; કારણ કે માયા પુરૂષો સત્પાત્રના ઉપકામાં પ્રથમ આરંભ કરે છે.”
એવી રીતે વિચારી રાજાએ પોતાના રસાઈઆને આજ્ઞા કરી કે “હે પાચકા ! આજથી સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ, માટે મારે વાસ્તે રાંધેલું . અન્નમુનિઓને વહેારાવવુ' અને બીજા રાંધેલા અન્નથી શ્રાવકાને જમાડવા.” રાજાની ૧ દુષ્ટાચરણવાળી પ્રજારૂપ કટક, ૨ ત્રણું ખાતા છતાં પણ તૃપ્તિ ન થાય એવા વ્યાધિ-વિશેષ. ૩ ફાળી.
Page #30
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
એવી આજ્ઞાનો સ્વીકાર કરી રસોઈએ તે પ્રમાણે નિત્ય કરવા લાગ્યા, અને રાજા પોતે તે જોવા લાગ્યો. નાસિકાથી સુંગધનું પાન કરી શકાય તેવી કમળના જેવી ઉત્તમ શાળી, અડદના દાણાથી પણ મોટા રસ ભરેલા મગ, મેઘના જળની પેઠે પુષ્કળ, ઘાટા અને જાણે અમૃતના મિત્ર હોય તેવા જાતજાતના શાકે વિગેરે, ખાંડ ભેળવીને બનાવેલા માંડા, પ્રમોદ કરનારા મોદક, સ્વાદિષ્ટ ખાજા, ખાંડની મીઠાઈ, કમળ મમરા, અતિ સુંવાળાં વડાં, મનોહર કઢી, ઘાટા દહીં, મશાલા નાખીને ઉકાળેલાં દૂધ, અને સુધાને ટાળનાર શીખંડ એવા રાજભેજન જેવા પદાર્થો શ્રાવકને મળવા લાગ્યા, અને એ મોટા મનવાળે રાજા મહામુનિઓને એષણીય, કલ્પનીય અને પ્રાસુક આહાર પિતાની જાતે આપવા લાગ્યો.
આવી રીતે રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધિ ભોજન પૂરું પાડયું. સર્વ સંઘની વયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક દિવસ તે મહારાજા મહેલની અગાશી ઉપર બેઠે હતો, તેવામાં પૃથ્વીનું જાણે છત્ર હોય તેવો આકાશમાં ચડેલો મેઘ તેમના જોવામાં આવ્યો. જાણે આકાશને ગળીએ રંગેલા વસ્ત્રનો કંચુક હોય તેવો એ મેઘ વિદ્યત્ રૂપ આભૂષણને ધારણ કરતે સર્વ દિશાઓમાં ચોતરફ વ્યાપી ગયો. એ અરસામાં વૃક્ષોને મૂળમાંથી કંપાવતો અને પાતાળકળશનું જાણે સર્વસ્વ હોય તે પ્રચંડ પવન ઉત્પન્ન થયે. એ મોટા પવને આકડાના ફૂલની પેઠે તે મહાન મેઘને ઉડાડીને દશે દિશામાં વેરણ છેરણ કરી દીધો. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલા અને પાછા ક્ષણવારમાં નાશ પામેલા એવા મેઘને જોઈને એ સદ્દબુદ્ધિવાળો રાજા વિચાર કરવા લાગ્યું કે “અહો ! જોતજોતામાં આ મેઘ જેમ દનષ્ટ “થઈ ગયે તેમ આ સંસારમાં બીજુ સર્વ પણ જોતાજોતામાંજ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી સ્વેચ્છાથી લે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયે ચિંતવે છે, ચાલે છે, ઉભા રહે છે, જુએ છે, વાહનપર ચડે છે, કેપ “કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે, તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજાના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દેશો મૃત્યુ પમાડે છે. તે દેષો આ પ્ર
માણે છે–તત્કાળ કાળે પ્રેરેલે સર્ષ આવી કરડે છે, પ્રચંડ વિજળી રૂપ દંડ પડીને પાડી “નાખે છે, ઉન્મત્ત હાથી આવીને દંતશૂળથી પીસે છે, જુની વંડી કે ભીત તૂટી પડી “દબાવે છે, ભુખથી કૃશ ઉદર વાળવ્યાધ્ર ભક્ષ કરી જાય છે, જેની ચિકિત્સા ન થઈ શ. કે તે વિકાર લાગુ પડે છે, અકસમાત ઉન્મત્ત ઘોડા વિગેરે પાડી નાખે છે, શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે, પ્રદીપ્ત થયેલો અગ્નિ બાળી નાખે છે, મહા વૃષ્ટિથી આ
નદીનું પૂર વેગવડે તાણી જાય છે, સર્વે અંગમાં વાયુને બલવાન દોષ પ્રગટ થાય છે, શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત થાય છે, પિત્તને પ્રબળ દેષ “પ્રાણને લુપ્ત કરી નાખે છે, અથવા તત્કાળ થયેલે સનિપાત પરાભવ કરે છે, કોળીઆને રોગ શરીરને ભક્ષણ કરે છે, રાજ્યમાં પ્રાપ્ત થાય છે, વિસૂચિકા નો ઉપદ્રવ હેરાન કરે છે, જેનું ખરાબ પરિણામ છે એવું અન્દ જાતિનું ત્રણ પેદા થાય છે, પ્રવાહનો રે ગ મૂરછ પમાડે છે, સંગ્રહણીનો વ્યાધિ સપડાવે છે, વિદ્રધિનો રેગ રૂંધે છે, “ખાંસીનું દરદ કલેશ પમાડે છે, શ્વાસને વ્યાધિ ભરપૂર થાય છે, અથવા ફૂલનો રેગ “ઉમૂલન કરી નાખે છે. આવા અનેક દેશોથી પ્રાણી મૃત્યુ પામે છે, - ૧ રેગ. ૨ તેફાની. ૩ ક્ષયરોગ. ૪. કોલેરા,
Page #31
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લો
“તથાપિ પશુની પેઠે મંદ બુદ્ધિવાળો મનુષ્ય પોતાની સ્થિતિને શાશ્વત માની પોતાના જીવિત રૂ૫ વૃક્ષનું ફળ લેવાને પ્રવર્તતે નથી. એ મુગ્ધ બુદ્ધિવાળો “પુરૂષ “આ મારા ભાઈઓ નઠારી સ્થિતિમાં છે, આ મારા પુત્રો અદ્યાપિ નાના “છે, આ કન્યા હજુ કુંવારી છે, આ પુત્રને હજુ ભણાવે છે, આ ભાર્યા હજુ “નવોઢા છે, આ માતાપિતા વૃદ્ધ છે, આ સાસુસસરે ગરીબ સ્થિતિમાં છે અને આ “બહેન વિધવા છે–એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પાળવા એગ્ય છે એવી ચિંતા “કર્યા કરે છે, પણ તે પરિવાર પિતાને સંસારરૂપી સમુદ્રમાં ડુબાડવાને હૃદયપર બાં“ધેલી શિલા જે છે એમ જાણતું નથી, અને જયારે અંતકાળ આવે છે તે વખતે પણ “એ જડ પુરૂષ પશ્ચાતાપ કરે છે કે “અરે! અદ્યાપિ કાંટાના શરીરને આલિંગન કરવા“ના સુખથી હું તૃપ્ત થયે નથી, દૂધ વિગેરે ખાદ્ય પદાર્થોથી પરાણે નથી, પુષ્પ સંઘ“વાની મારી ઈચ્છા પૂરી થઈ નથી, મનહર પદાર્થોને જવાને મને રથ પૂરો થયા નથી, હજી વીણાયુક્ત વેશ્યાના ગીત સાંભળવાને આનંદ જરા પણ પાયે નથી, મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી, આ જીર્ણ ઘરને ઉદ્ધાર કરીને નવીન ક૨વું બાકી રહેલું છે, ઊંચી શિક્ષા આપેલા આ અો ઉપર હજી આરૂઢ થયે નથી, “અને આ પલેટેલા બળદ ઉત્તમ રથ સાથે જોડયા પણ નથી. એવી રીતને પશ્ચાત્તાપ કરે છે, પણ મેં ધર્મ કર્યો નથી” એ જરા પણ પશ્ચાતાપ કરતા નથી. આ સંસારમાં “એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા “કરે છે, એક તરફ અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે, એક તરફ ઘણી આધિ ઉત્પન્ન “થાય છે, એક તરફ રાગદ્વેષાદિ શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે, અને એક તરફ “દુર્જનની પેઠે પ્રબળ કષાયે વિપત્તિ આપ્યા કરે છે, તેથી તેમાં મરૂદેશની પેઠે કાંઈપણ “ સુખકારી નથી, તે છતાં પ્રાણીઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા “ નથી? સુતેલા માણસ ઉપર જેમ અકસમાતું રાત્રિયુદ્ધ આવી પડે તેમ સુખાભાસથી “ મૂઢ થયેલા પ્રાણી ઉપર સદ્ય પ્રાણનો નાશ કરનાર કાળાશ આવી પડે છે, તેથી % રાંધેલા અનનં ફળ જેમ ભોજન કરવું છે તેમ આ નાશવંત શરીરનું કુળ ધર્માચારણ છે.
આ નાશવંત શરીરવડે અવિનાશી પદ મેળવવું સુલભ છે, તે છતાં મૂઢ પ્રાણીઓ તેને મેળવતા નથી, પણ હું તે આ શરીરવડે નિર્વાણસંપત્તિને ખરીદ કરવા અત્યંત ઉત્સાહ રાખીશ, અને આ રાજ્ય પુત્રને સોંપી દઈશ.”
આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તત્કાળ દ્વારપાળને એકલી જેને કીર્તિ પ્રિય છે. એવા પિતાના પુત્ર વિમલકીતિને તેડાવ્યું. રાજકુમારે આવી પરમ ભક્તિથી ઈષ્ટદેવની જેમ પોતાના પિતાના ચરણમાં પ્રણામ કર્યો, અને અંજલિ જોડી આ પ્રમાણે છે
પિતાજી! કઈ ટી આજ્ઞા કરી પ્રસન્ન થઈ મારા ઉપર અનુગ્રહ કરે; તેમાં આ પુત્ર બાળક છે એવી શંકા રાખશે નહીં. આપ આજ્ઞા કરે–તમારા કયા શત્રુરાજાની પૃથ્વી ખુંચવી લઉં ? ક્યા પાહાડી રાજાને પર્વત સહિત સાધી આવું ? જલદુર્ગમાં રહેલા
ક્યા શત્રુને જલ સાથે વિનાશ કરું? અથવા તે સિવાય બીજું પણ કોઈ તમને શલ્યરૂપ હોય તો તેને પણ કહો કે તરત ઉખેડી નાખું. હું બાળક છતાં પણ તમારો પુત્ર હોવાથી દુસાધ્યને સાધવામાં સમર્થ છું, એ આપ પિતાજીને જ પ્રભાવ છે, તેમાં કાંઈ મારી બહાદ્વરી નથી.” પુત્રનાં એવાં વચન સાંભળી રાજાએ કહ્યું- હે મોટી ભુજાવાળા કુમાર ! મારે કોઈ શત્રરાજા નથી, કોઈપણ પહાડી રાજા મારાં વચનને ઉલંઘન કરતો નથી, અને
Page #32
--------------------------------------------------------------------------
________________
પવી ૩ જું ને કઈ બેટન રાજા પણ મારી આજ્ઞાને અનાદર કરતો નથી, કે જેને સાધવાને હું તને મેકલું. પણ હે કુળભૂષણ! હે પૃથ્વીને ભાર ધારણ કરવામાં ધુરંધર ! એક આ ભવવાસ મને હમેશાં શલ્યના જે પીડે છે તેને તું ઉદ્ધાર કર, અને આ પરંપરાથી આવેલા રાજ્યને મારી જેમ તું અંગીકાર કર કે જેથી દીક્ષા લઈને હું આ ભવવાસને કાયમને માટે ત્યાગ કરૂં. હે વત્સ! અલંય એવી ગુરુજનની આજ્ઞાને અને હમણુ કરેલી તારી પોતાની પ્રતિજ્ઞાને ભક્તિપૂર્વક સંભારીને તારે તે અન્યથા કરવી ઘટિત નથી.” એ સાંભળી કુમાર વિચારમાં પડે કે “પિતાશ્રીએ આજ્ઞા આપીને અને મારી પ્રતિજ્ઞાને સંભારી દઈને મને નિરૂત્તર કર્યો. રાજપુત્ર આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં તો રાજાએ તેજ વખતે અભિષેક મહોત્સવ સાથે તેને પિતાને હાથે રાજ્ય ઉપર બેસારી દીધે; અને કુમાર વિમલકીર્તિએ જેમને દીક્ષા અભિષેક કરેલો છે એવા તે મહારાજા શિબિકા પર બેસી તરતજ સ્વયંપ્રભ નામના સૂરિ પાસે આવ્યા ત્યાં આચાર્યની સમીપે સર્વ સાવઘ યોગનું પ્રત્યાખ્યાન કરીને તેમણે દીક્ષા લીધી. સંયમરુપી રથમાં આરૂઢ થયેલા એ રાજમુનિએ અંતરંગ શત્રુનો જય કરી વિધિથી સામ્રાજયની પેઠે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, અને વીશ સ્થાનક માંહેના બીજા સ્થાનકોને પણ આરાધનવડે પિતાના તિર્થંકર નામ કર્મનું તેમણે સારી રીતે પિષણ કર્યું. ઉપસર્ગોથી ઉદ્વેગને નહિ પામતા અને પરીષહાથી ખુશી થતા એ મુનિરાજ પહેરેગીર જેમ પિતાના પિહેરને ખપાવે તેમ આયુષ્યને ખપાવી છેવટે અનશન કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવકને પ્રાપ્ત થયા. મોક્ષના ફળને આપનારી દીક્ષાનું આટલું ફળ ઘણુંજ થોડું છે.
આ જંબુદ્વીપમાં પૂર્વ ભરતાદ્ધના આભૂષણરૂપ, લક્ષ્મીથી ભરપૂર અને વિસ્તાર વાળી શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ઈશ્વાકુ કુળરૂપી ક્ષીરસાગરને ચંદ્ર સમાન અને અરિઓ જીતવાથી યથાર્થ નામવાળો જિતારી નામે રાજા છે. મૃગો માં સિંહની જેમ અને પક્ષીઓમાં ગરૂડની જેમ રાજાઓમાં તેના જેવા કે તેનાથી અધિક કોઈ પણ રાજા તે વખતે નહોતો. મંડળની અંદર પ્રવેશ કરનારા ગ્રહેવડે જેમ ગ્રહપતિ શોભે તેમ દિલરૂપે પ્રવેશ કરતા રાજાઓથી એ રાજા શોભતો હતો. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેમ તે કોઈ પણ અધર્મકારી વચન બોલતે નહીં, તેવું આચરતો નહીં, અને તેવું ચિંતવતો પણ નહી દુરાચારીને શિક્ષા કરનાર અને નિર્ધનને ધન આપનાર એ રાજાના રાજ્યમાં કેઈ અધમી કે નિધન હતું નહી. શસ્ત્રધારી છતાં એ દયાળુ હતા, શક્તિમાન છતાં ક્ષમાવાન હતું, વિદ્વાન છતાં અભિમાન રહિત હતો, અને યુવાન છતાં જીતેંદ્રિય હતે.
એ જિતારિ રાજાને રૂપ અને સંપત્તિથી ગ્ય એવી સેનાદેવી ના મે મહિષી હતી. એ ગુણના સૈન્યની સેનાપતિ તુલ્ય હતી. રોહિણીની સાથે ચંદ્રની જેમ તે રાણી સાથે બીજા પુરૂષાર્થોને બાધા કર્યા સિવાય તે રાજા યોગ્ય અવસરે ક્રોડા કરતો હતો. અહી વિપુલવાહન રાજાને જીવ નવમા દેવલોકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચવીને ફાગુન માસની શુકલ અષ્ટમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાને વેગ આવ્યું હતું તે સમયે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. એ વખતે નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું, અને ત્રણલેકમાં વિદ્યુતના જે ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગમાં સુતેલી સેનાદેવીએ પિતાના મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં-જાણે શરદઋતુનો મેધ હોય તે ગર્જના કરતો અને ઉજજવળ મોટા ગજેંદ્ર, સ્ફટિક મણિના પર્વતના ૧ સંસારમાં રહેવું તે. ૨ સૂર્ય. ૩ પટ્ટરાણી.
Page #33
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લો
પથ્થરનો જાણે મોટે ગોળે હોય તે નિર્મલ વૃષભ, કુંકુમની જેવી અતિ રક્ત કેસરાવાળો કેસરીસિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે તેવી લક્ષ્મીદેવી, સંધ્યાકાળના વાદળાની કાંતિને ચિરનારી પંચવણ પુષ્પની માળા, જાણે રૂપાનું દર્પણ હોય તે પૂર્ણ ચંદ્રમા, અંધકારને નાશ કરનારૂં સૂર્યનું મંડળ, નાદ કરતી ધુધરીઓના જાળ અને પતાકાવાળો મહાધ્વજ, જેના મુખ ઉપર કમળનાં પુષ્પ ઢાંકેલાં છે એ સુવર્ણને જલપૂર્ણ કુંભ, વિકાશી કમળ વડે જાણે હસતું હોય તેવું મોટું પદ્મ સરોવર, ઊંચા તરંગ રૂપી હાથ વડે જાણે નૃત્ય કરતો હોય તે ક્ષીરસમુદ્ર, જેનું પ્રતિમાન કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી તેવું રત્નનિમિત વિમાન, પાતાળના ફણિધરોને જાણે મણિસમૂહ હોય તેવે રત્ન પુંજ અને પ્રાત:કાળના સૂર્યની જે નિધૂમ અગ્નિ-આ પ્રમાણેનાં ચીદ સ્વપ્નને જોઈ દેવી જાગ્યા, અને તરત જ રાજા સમીપે જઈ સ્વપ્નાની હકીકત કહી. રાજાએ કહ્યું- હે દેવી! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલેકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.” - આસનકંપથી ઈદ્રોએ ત્રીજા તીર્થકરનું ચ્યવન જાણ્યું, એટલે ત્યાં આવી સેનાદેવીને નમસ્કાર કરી સ્વપ્નાના અર્થને કહેવા લાગ્યા કે “હે સ્વામિનિ ! આ અવસર્પિણી કાળમાં જગના સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે.” એવા સ્વપ્નના અર્થને સાંભળવાથી મેઘની ગર્જનાથી જેમ મયૂરી હર્ષ પામે તેમ દેવી હર્ષ પામ્યા, અને બાકીની રાત્રિ જાગ્રતપણામાંજ નિગમન કરી. તે દિવસથી હીરાની ખાણ જેમ હીરાને અને અરણિનું વૃક્ષ જેમ અગ્નિને ધારણ કરે તેમ સેનાદેવીએ મોટા સત્યવાન અને પવિત્ર એવા ગર્ભને ધારણ કર્યો. ગંગાના જળમાં સુવર્ણકમળની જેમ દેવીના ઉદરમાં એ ગભ ગૂઢ રીતે વધવા લાગે. જેમ શરદઋતુના સમયમાં સરસીના કમળે વિશેષ વિકાશ પામે છે તેમ તે વખતે દેવીની દષ્ટિમાં વિશેષ વિકાશ જાવા લાગે. ગર્ભના અનુભાવથી પ્રતિદિન દેવીના અંગમાં લાવણ્ય, સ્તનમાં પુષ્ટતા અને ગતિમાં મંદતા અધિક અધિક વધવા લાગી. ફાલ્ગન માસની શુકલ અષ્ટમીએ તે ગર્ભને ધારણ કરનાર દેવી મેઘના ગર્ભને ધારણ કરનાર આકાશની પેઠે જગતના હર્ષને માટે થયા.
પછી નવમાસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે માગશર માસની શુકલ ચતુછીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્ર આવતાં, પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ જરાય અને રૂધિર વિગેરે દેષથી વજિત અને અશ્વના લાંછનવાળા એવા સુવર્ણવણ પુત્રને દેવીએ જન્મ આપ્યું. તે ક્ષણે રોલેક્યમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો, નારકી પ્રાણીઓને પણ ક્ષણવાર સુખ થયું, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાનમાં આવ્યા, સર્વ દિશાઓ પ્રસન્ન થઈ રહી, સુખકારી પવન વાવા લાગ્ય, સર્વ લેક ક્રિીડા કરવા લાગ્યા. સુગંધી જળની વૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભીના નાદ થવા, પવને રજ દૂર કરી, અને પૃથ્વી ઉચ્છવાસ પામી ગઈ.
એ વખતે અલકમાંથી ભેગંકરાદિક આઠ કુમારીકાઓ અવધિજ્ઞાનવડે પ્રભના જન્મને જાણી સ્વામીના મંદિરમાં પ્રાપ્ત થઇ, અને ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા
ડી કે તમે ભય પામશે નહી” એમ કહી પોતાના આત્માને ઓળખાવ્યો. પછી ઈશાન. દિશામાં જઈ વૈક્રિય સમુદઘાત કરી, સંવ વાયુવડે એક જન સુધી કાંટા વિગેરે દર ૩ પ્રાંતબિંબ.
Page #34
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જુ
કરી, ભગવાનને પ્રણામ કરી ગોપીઓની જેમ પ્રભુના ગુણગીત ગાતી તેમની નજીક બેઠી. તેવીજ રીતે આસનના કંપવાવડે પ્રભુનો જન્મ જાણી, મેથંકરા, વિગેરે આઠ ઊર્ધ્વલક વાસી દિકુમારીઓ ત્યાં આવી, અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાને નમસ્કાર કરી તેઓએ તત્કાળ અભ્ર (વાદળ) વિકૃત કર્યું. તેના વડે સુધી જલની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની ફરતી એક યે જન સુધી રજને શમાવી દીધી, અને જાનુ પ્રમાણ પંચવણ પુપેની વૃષ્ટિ કરી; પછી જિનેશ્વરને નમી તેમના ગુણોનું ગાન કરતી તેઓ પોતાના ઉચિત સ્થાને સ્થિર રહી. પૂર્વ રૂચકાદ્રિ ઉપર રહેનારી નંદા, નંદોત્તર વિગેરે આઠ દિકકુમારીએ આવી નમસ્કાર કરી પિતાના હાથમાં દર્પણ રાખી પૂર્વ દિશા તરફ ઉભી રહી. દક્ષિણ રૂચકાદ્રિમાં રહેનારી સમાહારા વિગેરે આઠ દિકકુમારીએ ત્યાં આવી, જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી હાથમાં કલશ લઈને દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકેદ્રિમાંથી ઈલા વિગેરે આઠ દિકુમારીએ આવી, નમસ્કાર કરી હાથમાં પંખા રાખીને પશ્ચિમદિશામાં ગાયન કરતી કરતી ઉભી રહી. ઉત્તર રૂચકાદ્રિ ઉપરથી અલંબુસા વિગેરે આઠ કુમારીકાઓ ત્યાં આવી ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી હાથમાં ચામર રાખી ગાન કરતી કરતી ઉત્તર દિશા માં ઉભી રહી. વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રા વિગેરે ચાર દિકકુમારીઓ આવી, અને જિનેશ્વર તથા માતાને નમન કરી હાથમાં દીપક રાખી ઇશાન વિગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઉભી રહી. રૂચક દ્વીપના મધ્યથી રૂપા વિગેરે ચાર દિફકુમારીઓ પણ તત્કાલ ત્યાં આવી; તેઓએ ભગવાનના નાભિનાળને ચાર અંગુલ રાખી છેદન કર્યું, પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નાળ નિક્ષિપ્ત કરી ખાડાને રન અને વજાથી પૂરી દીધે, અને તેના ઉપર દૂર્વા (દ્રો ) થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પશ્ચિમ શિવાય પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ચતુ:શાળા (ક) સહિત ત્રણ કદલીગૃહ વિક્ર્ચા. પછી જિનેશ્વરને પિતાના બે હાથવડે લઈ, જિનમાતાને હાથને ટેકો આપી, દક્ષિણ દિશાના ચતુઃશાળમાં લઈ જઈને ત્યાં સિંહાસન ઉપર બેસાર્યા, અને લક્ષપાક તૈલથી અત્યંગન કરી સુગંધી દિવ્ય ઉદ્વર્તનથી બંનેને ઉદ્વર્તન કર્યું. પૂર્વ દિશાના ચતુઃશાળમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી, તેઓએ સુગધી ઉદકથી સ્નાન કરાવ્યું, દેવદૂષ્ય વસ્ત્રથી તેમના અંગને લુછી નાખ્યું, અને ગોશીષચંદનના રસથી તેમને ચર્ચિત કરી દેવદૂષ્ય વસ્ત્ર તથા દિવ્ય આભૂપણ પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર દિશાના કેળના ચતુશા-ળમાં લઈ જઈ રનમય સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ગોશીષચંદનના ઘણું કાષ્ટ મંગાવી, તેમના સમિધ કરીને અરણિના બે કાષ્ઠને ઘસવાવડે ઉત્પન્ન કરેલા અગ્નિમાં હોમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓ એ વિધિવડે બે રક્ષાપિટલી કરીને બંનેને હાથે બાંધી. પછી “ તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગળાનું તેઓએ આસફાલન કર્યું; પછી પ્રભુને અને માતાને સૂતિકા ગૃહમાં લઈ જઈ શય્યા ઉપર સવારી તેઓ ઊંચે વરે મંગળ ગીત 'ગાવા લાગી. - તે વખતે પ્રભુના ચરણકમળની પાસે જવાને ઇચ્છતા હોય તેમ સર્વ ઇંદ્રોના આસને કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શકે છે તે દિશા સન્મુખ સાત આઠ પગલા ભરીને તીર્થકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઘોષણથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુને જન્મોત્સવ કર
Page #35
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લે
વામાં ઉત્સુક થઈને ઈદ્રની ફરતા ફરી વળ્યા. પછી ઈદ્ર તે દેવતાઓ તથા પિતાના પરિ. વાર સાથે પાલક વિમાનમાં બેસી, નંદીશ્વરદ્વીપે જઈ વિમાન સંક્ષેપી એકાકીપણે પ્રભુના નિવાસગૃહ પાસે આવ્યા. પ્રથમ નિવાસગૃહને પોતાના નાના વિમાન સહિત પ્રદક્ષિણા કરી ઈશાન દિશામાં વિમાનને મૂકી નીચે ઉતર્યા. પછી ઈ પ્રભુના વાસગૃહમાં પ્રવેશ કર્યો અને પ્રભુનું દર્શન થતાં જ તેમને ભક્તિથી પ્રણામ કર્યો. ત્યાં જિનેશ્વરને અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, પાંચ અંગેથી પૃથ્વીને સ્પર્શ કરી વારંવાર નમસ્કાર કર્યા. પછી સેનાદેવીને અવસ્થાપિનિક નિદ્રા મૂકી અને તેને મની પાસે પ્રભુનું પ્રતિબિંબ રાખી ઇંદ્ર પિતાના પાંચ સ્વરૂપ વિકવ્યાં. તેઓમાં એક સ્વરૂપે પ્રભુને ધારણ કર્યા, એક સ્વરૂપે માથે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે બાજુ ચામર વિંજવા માંડયાં અને એક સ્વરૂપે આગળ વા ઉછાળી ચાલવા માંડયું. એવી રીતે જયજય શબ્દ કરતા દેવતાઓના પરિવાર સાથે ઇંદ્ર પ્રભુને લઈ ક્ષણવારમાં મેરૂપર્વતના શિખર ઉપર આવ્યા.
ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે જગત્પતિને ઉત્સગમાં લઈ શક્ર ઈન્દ્ર બેઠા. તે દરમ્યાન આસનોને કંપ થવાથી અનાહત અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને તત્કાળ અય્યતે, પ્રાણ, સહસ્ત્રારેંદ્ર, મહાશુક્રેન્દ્ર, લાંત કેન્દ્ર, હે બ્રહદ્ર, માહેંદ્ર, સનસ્કુમાર, ઈશાન, ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, હરિ, હરિસહ, વેણુદેવ, વેણુદારી, અગ્નિશિખ, અગ્નિમાણવ, વેલંબ, પ્રભંજન, સુઘોષ, મહાઘોષ, જલકાંત, જલપ્રભ. પૂર્ણ. અવશિષ્ટ, અમિત, અમિતવાહન, કાલ, મહાકાલ, સુરૂપ પ્રતિરૂપ, પ્રણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, જિંપુરૂષ, સંપુરૂષ, અતિકાય, મહાકાચ, ગીતરતિ ગીતયશા, સંનિહિત, સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાળ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સક, વિશાલક, હાસ, હાસતિ વેત, મહાત, પવક, પવકપતિ, સૂર્ય અને ચંદ્રક એ ત્રેસઠ ઈંદ્રો સર્વઋદ્ધિ અને પરિવાર સાથે લઈ પ્રભુના જન્માભિષેકને માટે મેરૂ પર્વતની ઉપર જાણે પાડોશમાં રહેતા હોય તેમ ત્વરાથી આવ્યા. પછી અય્યત ઈંદ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાઓએ સુવર્ણના, રૂપાના, રનના, સોના અને રૂપાના, સોના અને ૨નોના, રૂપ અને રત્નોને તથા સેનાના, રૂપાની અને ૨નોને તેમજ મૃત્તિકાના ૫ એક હજાર ને આઠ કલશે બનાવ્યા તેજ પ્રમાણે ઝારીઓ, દર્પણ, સુપ્રતિષ્ટ (ડાબલા ), રત્નના કરંડી, થાલ, પત્રિકા અને પુષ્પોની ચંગેરીએ પણ તત્કાલ બનાવી. પછી ત્યાંથી નીકળીને ઈદ્રના મનને હર્ષ ઉપજાવવાને ક્ષીર સમુદ્ર વિગેરે સમુદ્રમાંથી અને બીજા તીર્થોમાંથી તેઓએ જલ, મૃત્તિકા અને કમલો લીધાં તથા હિમાદ્રિ પર્વત ઉપરથી ઔષધી અને ભદ્રશાળ વનમાંથી ઉત્તમ પુષ્પાદિક તેમજ બીજા પણ સુગંધી દ્રવ્ય લઈને તેઓ ત્યાં આવ્યા. પછી સર્વ સુગંધી દ્રવ્ય નાખી તેઓએ ભક્તિથી તીર્થ જલને સુગંધમય કરી દીધું. પછી અચુત ઈન્દ્ર, દેવતાઓના લાવેલા કુંભના જળવડે પારિજાતનાં પુષ્પોની કક્સમાંજલિ પ્રથમ કરીને પ્રભુને સ્નાન કરાવવા લાગ્યો. એ અય્યતેન્ટે કરેલા પ્રભુના સ્નાત્ર વખતે દેવતાઓ હર્ષ પામી મનહર વાઘ, ગીત અને નૃત્ય કરવામાં પ્રવર્યા. પછી આરણોમ્યુત ઈન્દ્ર પ્રભુને દિવ્ય અંગરાગ પૂર્વક પૂજા કરી યથાવિધિ વંદના કરી. પછી શક્ર શિવાય બાકીના બાસઠ ઈન્દ્રોએ પણ જગને પવિત્ર કરનારું પ્રભુને ખાત્રી કરાવ્યું. ક ૧ અહિ સુધી વૈમાનિકના શક્ર સુધાં દશ ઈદ્રો. ૨ અહિં સુધી ભુવન પતિના વીશ ઈદ્રો ૩ અહિ સુધી વ્યંતરના ૩૨ ઈદ્રો. ૪ આ જ્યોતિષીના ઇદ્રો. ૫ એ પ્રમાણે આઠ જાતિના.
Page #36
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩
પછી ઇશાન ઇંદ્રે પેાતાનાં પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા, એક સ્વરૂપે છત્ર ધર્યું, એ સ્વરૂપે બે ચામર રાખ્યાં અને એક સ્વરૂપે શક્રની પેઠે વજ્ર લઈ આગળ ઉભા રહ્યા. પછી ભક્તિમાં ચતુર એવા શક્રે પ્રભુની ચારે દિશાઓમાં મેટા શીંગડાંવાળા સ્ફાટિકના ચાર વૃષભેા વિકર્ષ્યા. તે વૃષભાના શગના અગ્ર ભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનેાહર જળની ધારાએ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી.
આ પ્રમાણે સૌધ કલ્પના ઇન્દ્રે અતિભક્તિથી બીજા ઈન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનુ સ્નાત્ર કર્યું. પછી શક્ર ઈન્દ્રે તે વૃષભેા સંહારી લઈને જગદ્દગુરૂની પૂજા કરી હથી પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા.
66
(6
કારણ
હે ભગવન્ ! વિશ્વનું પ્રતિપાલન કરનાર ! માટી સમૃદ્ધિએ સહિત અને ત્રીજા તીનાથ એવા આપ ભગવંતને હું નમસ્કાર કરૂ છું. હે વિભા ! જન્મથીજ પ્રાપ્ત “ થયેલા ત્રણ જ્ઞાન અને ચાર અતિશયાથી તમે જગત્માં વિલક્ષણૢ છે અને તમારામાં “ સ્કુટ રીતે એક હજાર લક્ષણા રહેલાં છે. હમેશાં પ્રમાદી પુરૂષના પ્રમાદના છેદનુ “ એવું આ તમારૂં જન્મકલ્યાણ આજે મારા જેવાના કલ્યાણને માટેજ થયુ છે. હું “ જગત્પતિ ! આ રાત્રિ આખી પ્રશંસા કરવાને ચેાગ્ય થઈ છે, કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ એવા તમે પ્રગટ થયા છે. હે પ્રભુા ! તમને વંદના કરવાને જા આવ કરતા “ અનેક દેવતાઓથી આ મનુષ્યલેાક હમણા સ્વર્ગ લાકના જેવા જાય છે. હે દેવ ! “ તમારાં દન રૂપ અમૃતના સ્વાદથી જેએનાં ચિત્ત સ`તુષ્ટ થએલાં છે એવા અમૃત- “ ભાજી દેવતાઓને હવેથી જીણુ થયેલા સ્વના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરત “ ક્ષેત્રરૂપી સરોવરમાં કમળ રૂપ એવા હે ભગવન્ ! તમારામાં ભમરાની પેઠે મારા “ પરમ લય થઇ જાઓ. હે અધીશ ! જેઓ હંમેશ તમારૂ દર્શન કરે છે તે મનુષ્યાને પણ્ ધન્ય છે, કારણ કે તમારા દર્શનના ઉત્સવ સ્વના રાજ્યથી પણ અધિક છે.’’
66
આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્રે પેાતાનાં પાંચ રૂપ કરી એક સ્વરૂપે ઇશાને દ્ર પાસેથી પ્રભુને લીધા અને ખીજા સ્વરૂપાથી પૂનીજેમ ક્રિયાઓ શરૂ કરી. પછી પ્રભુને વસ્ત્ર અલકારવડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લેાચ ઉપર શ્રીદામગ’ડક બાંધ્યું; અને પ્રભુના ઉશીકા નીચે એ કુંડળ તથા રેશમી વસ્ર યુગ્મ મૂકી અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલુ અહં 'તનું પ્રતિષિંખ હરી લીધું. પછી સ્વર્ગના પતિ ઈન્દ્રે આભિયાગિક દેવતાઓની પાસે કલ્પવાસી દેવતાઓમાં, ભવનપતિઓમાં, વ્યતામાં અને જયાતિષ્ઠ દેવામાં એવી ઉઘાષણા કરાવી કે “ જે કાઈ પ્રભુની માતાનું કે પ્રભુનું અશુભ ચિતવશે તેના મસ્તકના સાત કકડા થશે. ’’ પછી ઇન્દ્રે પ્રભુના અંગુઠામાં પાન કરવાને માટે અમૃત રસના સંક્રમ કર્યા; કારણ કે તીકશું સ્તનપાન કરતા નથી, જયારે તેમને ક્ષુધા લાગે છે ત્યારે તેઓ પેાતાના અંગુઠાનું જ પાન કરે છે. પછી પ્રભુના નિરંતર સ ધાત્રી (ધાન્ય) કર્મી કરવાને માટે ઈન્દ્રે પાંચ અપ્સરાઓને આજ્ઞા કરી.
આ પ્રમાણે કરી અને પ્રભુને નમીને શક્ર ઈન્દ્ર ત્યાંથી નદીશ્વર દ્વીપે અને બીજા ઇન્દ્રો મેથી પરભાર્યા નંદીશ્વર દ્વીપે ગયા. સર્વ સુર તથા અસુરા, નંદીશ્વર
૧ ઈશાન ઈંદ્ર ત્રિશૂળ રાખે છે.
२
Page #37
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
દ્વીપે આવી શાશ્વત અUતેની પ્રતિમાઓને અષ્ટાબ્લિકત્સવ કરી પિતપતાને સ્થાને ગયા.
પ્રાત:કાલે જિતારી રાજાએ પિતાને ઘેર પુત્રપણાને પામેલા જગપૂજય મહંત ભગવાનને માટે જન્મોત્સવ કર્યો. સર્વ નગરીમાં રાજ મંદિરની જેમ ઘેર ઘેર, માગે માર્ગે અને ચૌટે ચૌટે ઊત્સવ થઈ રહ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે અંબા (સીંગ )-નું ધાન્ય ઘણું થયું હતું, તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા સંભવનાથ એવું નામ પાડયું. બાળ સ્વરૂપી જગત્પતિને વારંવાર જોઈ મહારાજા પિતાના આત્માને અમૃતમાં મગ્ન થયા હોય તેમ માનવા લાગ્યા. પ્રભુને સ્પર્શ કરવાની ઈચ્છાથી રોજા ઉત્કૃષ્ટ માણિક્યની જેમ તેમને ઊત્સંગ, હૃદય અને મસ્તક ઉપર ધારણ કરવા લાગ્યો. ઈન્દ્ર નિમેલી પાંચ ધાત્રીઓ ભક્તિને વિસ્તારી, દેહની છાયાની પેઠે પ્રભુના સમીપ ભાગને છોડતી નહોતી. કેઈવાર પ્રભુ, ઉલ્લંગ પરથી ઉતરીને નિર્ભયપણે ભ્રમણ કરી સિંહણને જેમ બાળસિંહ હંફાવે તેમ તેને પકડી લેવા આવતી ધાત્રીને હંફાવતા હતા. પ્રભુ જે કે જ્ઞાનવાનું છે તથાપિ લોકોને બાળચેષ્ટા બતાવવાને રત્નમણિમય ભૂમિપર પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા પિતાને હાથ નાંખતા હતા. મનુષ્યરૂપ ધારણ કરી સમાનવયના થઈને આવેલા દેવતાઓની સાથે પ્રભુ ક્રીડા કરતા હતા. તેની સાથે ક્રીડા કરવાને બીજો કોણ સમર્થ થાય? કીડાથી દેડતા પ્રભુની અગળ જાણે હાથીઓની નકલ કરતા હોય તેમ પોતાની ગ્રીવાને વાળતા વાળતા દેવતાઓ દેડતા હતા. રમત રમતાં લીલા માત્રમાં પાડી નાખેલા અને “રક્ષાકરે, રક્ષાકરે,” એમ બેલતા દેવતાઓ ઉપર પ્રભુ, પરિણામે ગ્ય કૃપા કરતા હતા.
આ પ્રમાણે વિચિત્ર ક્રીડાઓથી અને જાત જાતની રમુજથી પ્રદેષ કાળને જેમ ચંદ્ર ઉલ્લંઘન કરે તેમ પ્રભુએ શિશુવયને ઉલ્લંઘન કર્યું. તે સમયે ચારસો ધનુષ ઊંચા સુવર્ણના જેવી કાંતિવાળા જગદગુરૂ કૌતુકથી પુરૂષનું રૂપ ધારણ કરીને આવેલા મેરુપર્વતની જેવા શોભવા લાગ્યા. તેમના મસ્તકનો મધ્યભાગ છત્રના જેવો ગોળ અને ઉન્નત જણાવા લાગ્યો, કેશ સ્નિગ્ધ અને શ્યામ થયા, લલાટની શોભા અષ્ટમીને ચંદ્ર જેવી થઈ, લેચન કાનની હદ સુધી વિશ્રાંત થયાં, કાન સ્કંધના ભાગ સુધી લટકવા લાગ્યા, સ્કંધ વૃષભના સ્કંધ જેવા દેખાવા લાગ્યા, ભુજાઓ મોટી થઈ, છાતીને ભાગ વિશાળ થયો, ઉદર સિંહનાં જેવું કૃશ થયું, સાથળ ગજેની સુંઢ જેવા જણાવા લાગ્યા, જા જો મૃગલીની જાંઘ જેવી ભવા લાગી, પગના ગુલ્ફને ભાગ અ૯પ દેખાવા લાગ્યો, ચરણ ફર્મના પૃષ્ટ જેવા ઉન્નત અને તળીએ સરખા જણાવા લાગ્યા, આંગળીએ સરલ થઈ, રોમરાય છુટા છુટા ઉગેલા શ્યામ તથા સ્નિગ્ધ થયા અને મુખને શ્વાસ કમળના જે સુગધી થયે. એવી રીતે નિરંતર મલિનતા રહિત અને સ્વભાવથી જ સર્વ અંગમાં સુંદર એવા જગત્પતિ શરદ ઋતુવડે જેમ પૂર્ણિમાને ચંદ્ર શેભે તેમ યૌવન વયથી અધિક શેવા લાગ્યા.
એક વખતે ઉત્સવની અતૃપ્તિને લીધે માતાપિતાએ દેવકન્યા જેવી રાજ કન્યાઓ પરણવાને પ્રભુને વિનંતી કરી. મેટા મનવાળા પ્રભુએ ભેગફળ કર્મ છે એમ જાણી માતાપિતાની આજ્ઞા પાળવાને રાજ કન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબૂલ કર્યું. પ્રભુની સંમતિ થઈ એટલે જિતારિ રાજાએ તથા ઈન્દ્ર પ્રત્યક્ષ આવી સંભવ સ્વામીને વિવાહ મહોત્સવ આરંભે, જેમાં હાહા અને હૂહૂ નામના ગંધર્વો ગંભીર મૃદંગ વગાડી મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા. રંભા, તિલોત્તમા વિગેરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને
Page #38
--------------------------------------------------------------------------
________________
પર
૩
જું
૧૧
કુલિન નારીઓ ઊંચે સ્વરે ધવલ મંગલ ગાવા લાગી. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી હાથણુઓની સાથે હાથીની જેમ ચાતુર્યવડે રમણીય એવી એ હજારો રમણીઓની સાથે પ્રભુ કે ઈવાર નંદનવનના જેવી ઉદ્યાનની શ્રેણીઓમાં, કઈવાર રત્નગિરિના શિખર જેવા ક્રિીડા પર્વતમાં, કોઇવાર અમૃતના કુંડ જેવી ક્રિીડાવાપીઓમાં અને કોઈવાર સ્વર્ગના વિમાન જેવી ચિત્રશાલાઓમાં કીડા કરવા લાગ્યા. એવી રીતે કૌમારવયમાં વિવિધ ભોગને ભેગવતા એવા પ્રભુને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયાં તે સમયે જિતારી રાજાને સંસાર ઉપર બૈરાગ્ય થવાથી પ્રભુને આગ્રહ કરીને મુદ્રિકા ઉપર રત્નની જેમ પિતાના રાજ્ય ઉપર તેમને સ્થાપન કર્યા. અને પોતે સદ્દગુરૂના ચરણ કમળમાં જઈ દીક્ષા લઈને પિતાને અર્થ સાધવા લાગ્યા. મેટા પરાક્રમવાળા સંભવ સ્વામી પણ પિતાના આગ્રહથી રાજ્યને સ્વીકારી સર્વ પૃથ્વીનું પુષ્પની માલાની જેમ રક્ષણ કરવા લાગ્યા. પ્રભુના પ્રભાવથી રાજ્યની અંદર પ્રજાઓ ઈતિ તથા ભય વિનાની અને પૂર્ણ આયુષ્ય ભોગવનારી થઈ. કોઈની ઉપર પ્રભુને ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં તે ધનુષ્ય ચડાવવાની વાતનો તે અવકાશજ ક્યાંથી? એવી રીતે રાજ્ય કરતા અને ભેગા કર્મને ખપાવતા એવા પ્રભુએ ચાર પૂર્વાગર સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ નિર્ગમન કર્યા.
એકદા જેમનો આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા સ્વયંબુદ્ધ પ્રભુ આ પ્રકારની સંસારની સ્થિતિ ચિંતવવા લાગ્યા–“ અહા ! આ સંસારમાં વિષયના સ્વાદનું સુખ ઝેર ભેળવેલા મિષ્ટ ભોજનની જેવું આરંભમાં મધુર પણ પરિણામે “અનર્થને આપનારું છે. ઉખર ભૂમિમાં મીઠા જળની જેમ આ અસાર સંસારમાં “પ્રાણીઓને માંડમાંડ મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યત્વને પામીને પણ “મૂઢ લોકો પગ ધોવામાં અમૃત રસ વાપરવાની જેમ તે મનુષ્ય જન્મને વિષયસેવા માંજ “ વ્યર્થ પણે ગુમાવે છે.’ આ પ્રમાણે પ્રભુ ચિંતવતા હતા તેવામાં કાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તા” એમ કહી તે દેવતાઓ ગયા, એટલે પછી દીક્ષા લેવાના ઉત્સવમાં ઊત્કંઠિત એવા પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા જૂભક દેવતાઓ; નિધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિમાં રહેલું શમશાન વિગેરે સ્થાનમાં રહેલું, ઘરની અંદર ગુપ્ત કરેલું, ઘણું કાળથી ખેવાયેલું, અને નષ્ટ થયેલું એવું સુવર્ણાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને, શ્રાવસ્તી નગરીના ચોકમાં વિકશેરીઓમાં તેમજ બીજા પ્રદેશમાં તેના પર્વતના શિખર જેવડા ઢગલા કરવા લાગ્યા. સ્વામીએ સેવકપુરુ પાસે નગરીમાં ઊંચે પ્રકારે આઘાષણ કરાવી કે “જે જેને આથી હોય તેણે આવીને તે માગી લેવું. તેવી રીતે અથઓને દાન આપતા એવા પ્રભુ હમેશાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણ (સોનૈયા ) નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે અઠયાશી ક્રોડ અને એંશીલાખ સુવર્ણ મુદ્રાનું દાન કર્યું.
વાર્ષિક દાનને અંતે પિતાના આસન ચલિત થવાથી ઇદ્રો અંત:પુરને પરિવાર સાથે લઈ ત્યાં આવ્યા. પ્રથમ પ્રભુના ગૃહને પ્રદક્ષિણ કરી ભૂમિથી ચાર આંગળ ઊંચા રહી વિમાન પરથી ઉતર્યા. વિનયવાળા તે ઈંદ્રોએ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યો. પછી - અચુત ઈ આભિગિક દેવતાઓએ લાવેલા તીર્થ જળના કુંભવડે જન્માભિષેકની પેઠે પ્રભુને વિધિ પૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યો. બીજા ઈન્દ્રોએ પણ અનુક્રમે જગ૧. અનેક પ્રકારના દુષ્કાળાદિ ઉપદ્રવ . પવગ તે ચૌરાશી લાખવર્ષ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૨
સર્ગ ૧ લો
ત્પતિને ભક્તિથી દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાન કરાવ્યું. સુર અને અસુરની પેઠે રાજાઓએ પણ તત્કાળ ભક્તિથી સંભવસ્વામીને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. પછી દેવતાઓએ, સ્નાન જળથી આદ્ર એવા દેવાધિદેવના શરીરને સુવર્ણના દર્પણની જેમ દેવદૂષ્ય વસ્ત્રથી લુંછી નાંખ્યું, અને ગશીર્ષ ચંદનથી પ્રભુને વિલેપન કરી દિવ્ય રેશમી વસ્ત્રો ભક્તિથી ધારણ કરાવ્યાં. જાણે હીરાની ખાણનું સર્વસ્વ હોય તે મુગટ પ્રભુના મસ્તક ઉપર આરેપણ કર્યો, જાણે આકાશમુક્તામણિમય હોય તેવાં બે કુંડલ કાનમાં પહેરા વ્યાં, કંઠમાં હિમાચાળ ઉપરથી પડતા ગંગાના પ્રવાહ જે હાર પહેરાવ્યો, બાહપર જાણે સૂર્ય કિરણના રચેલા હોય તેવા કેયૂર અને કંકણ ધરાવ્યાં, અને ચરણ કમળમાં કુંડલાકાર કરેલાં નાળવા જેવાં કપડા પહેરાવ્યાં. એ પ્રમાણે પ્રભુને ભૂષણો ધારણ કરાવ્યા પછી સ્વામીને માટે સામંત રાજાઓએ ચરણપીઠ સહિત સિંહાસન વાળી સિદ્ધાર્થી નામે એક શિબિકા રચાવી. અય્યત છે પણ આભિગિક દેવતાઓની પાસે એક શિબિકા વિકૃત કરાવી તે વૈમાનિક દેવતાના વિમાનની જાણે અધિષ્ઠાયક દેવી હોય તેવી જણાવા લાગી. અશ્રુત ઇંદ્ર, તે શિબિકાને શ્રીચંદનમાં અગરૂ ચંદનની જેમ રજાની શિબિકામાં અંતહિત કરી દીધી. પછી છે જેમને હાથને ટેકો આપે છે એવા પ્રભુ શિબિકાપર આરુઢ થયા, અને હંસ જેમ કમલ ઉપર બેસે તેમ અંદરના સિંહાસન પર બેઠા. ધેરી ઘોડાઓ જેમ મોટા રથને વહન કરે તેમ પ્રથમ મનુષ્યએ અને પછી ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે તેમ દેવતાઓએ તે શિબિકાને ઉપાડી. તે વખતે ચારે તરફ મેઘના ગરવની જેમ વાજિંત્ર વાગવા લાગ્યાં. ગંધર્વો કાનમાં અમૃત જેવું ગાયન કરવા લાગ્યા, અપ્સરાઓ વિચિત્ર અંગહાર કરી નૃત્ય કરવા લાગી, બંદીજને સ્તુતિપાઠ કરવા લાગ્યા. બ્રાહ્મણે બ્રહ્મ દિ] ને ગાવા લાગ્યા, કુળની વૃદ્ધ સ્ત્રીઓ ઊંચેસ્વરે મંગલ આશિષ આપવા લાગી, કુલીન કાંતાઓ મનહર ધવલ મંગલ ગાવા લાગી, આગળ પછવાડે અને બે પડખે દેવતાઓ અશ્વની પેઠે ચેષ્ટા કરવા લાગ્યા, અને લો કે નેત્રને પ્રફુલ્લિત કરી જેવા લાગ્યા તથા અંગુલીઓથી પ્રભુને બતાવવા લાગ્યા.
આવા મહોત્સવ પૂર્વક સ્થાને નગરના લોકોના મંગલ આચારને ગ્રહણ કરતા, જાણે અમૃતની વૃષ્ટિ કરતી હોય તેવી દુષ્ટિથી જગતને આનંદ આપતા, દેવતાઓએ ચામરેથી વીજેલા અને માથે છત્રને ધારણ કરતા પ્રભુ શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં પસાર થઈને
» વનમાં આવ્યા ત્યાં હારની પેઠે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા જગગુરુ, વૃક્ષ ઉપરથી જેમ મયુર ઉતરે તેમ શિબિકારત્ન પરથી ઉતર્યા. તરતજ માલ્ય અને સર્વ અલંકારાદિકને પ્રભુએ ત્યાગ કર્યો, અને ઈ આપેલું દેવદુષ્ય વસ્ત્ર અંધ ઉપર ધારણ કર્યું માગશર માસની પૂર્ણિમા એ ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા ભાગમાં છ તપને કરનારા પ્રભુએ એક લીલામાત્રમાં જાણે પૂર્વે ઉપજેલા કલેશ* હોય તેમ પિતાના મસ્તકના કેશને પાંચ મુષ્ટિ વડે લગ્ન કર્યો. તત્કાલ ઈદ્દે તે કેશને પિતાના વસ્ત્રના છેડામાં શેષાની પેઠે લઈ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા ક્ષીરસમુદ્રથી પાછા આવીને ઈદ્ર તરત જ દ્વારપાળની જેમ સુર, અસુર અને મનુષ્યના કોલાહળને મુષ્ટિ સંજ્ઞા વડે નિવૃત્ત કર્યો. પછી “સર્વ સાવદ્ય વેગનું હું પ્રત્યાખ્યાન કરું છું. ' એમ બોલતા પભુએ દેવતા વિગેરે પર્ષદાની સમક્ષ ચરિત્રને સ્વીકાર કર્યો. જાણે કેવળજ્ઞાનને એક સત્યકાર હોય તેવું છે. સૂર્ય ચંદ્ર જેવા. ૨. બાજુબંધ ૩. વીરવલય. ૪ કર્મો. ૫ પ્રસાદી. ૬ કેલ.
Page #40
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જી.
૧૩
મનઃપ વ નામે ચાથું જ્ઞાન તેજ વખતે પ્રભુને પ્રાપ્ત થયું. તે વખતે જાણે અગ્નિમાં નાખેલા હોય તેમ એકાંત દુઃખ વડે દગ્ધ થયેલા નારકી જીવાને ક્ષણવાર સુખ થયું. દીક્ષાને ગ્રહણ કરતા ત્રિàાક પતિની સાથે એક હજારરાજાઓએ પણ તૃણની જેમ રાજ્યના ત્યાગ કરી, સ્વેચ્છાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ઈંદ્રે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા.
“ ચાર પ્રકારના જ્ઞાનને ધારણ કરનારા, ચતુર્વિધ ધર્મને બતાવનારા અને ચાર “ પ્રકારની ગતિવાળા પ્રાણીઓના ગણને પ્રીતિ આપનારા હે પ્રભુ ! તમે જય પામેા “ હે ત્રણ જગત્ના પતિ તીર્થંકર ! આ ભારત ક્ષેત્રની ભૂમિને ધન્ય છે કે જેમાં જગમ
66
તીરૂપ તમે વિહાર કરશે!. હે નાથ ! જેમ પંકજ ( કમળ ) કાદવમાંથી ઉત્પન્ન “ થાય છે તથાપિ તે કાદવની સાથે લેપાતું નથી, તેમ તમે સ’સારમાં વસે છે! તે છતાં “ તેમાં લિપ્ત થતા નથી. હે જગત્ પ્રભુ ! ક રૂપી પત્રને છેઢવામાં સમર્થ ખડૂંગ “ ધારા જેવું તમારુ આ મહાવ્રત જય પામે છે. તેમ મમતારહિત છતાં કૃપાળુ છે,
66
નિગ્રંથ છતાં મેાટી ઋદ્ધિ વાળા છે, તેજસ્વી છતાં સૌમ્ય છેા અને ધીર છતાં સૌંસા
“ રથી ભય પામેલા છે. મનુષ્ય છતાં દેવતાઓને અત્યંત પૂજવા યાગ્ય એવા તમે
66
વિહાર કરીને વિશ્વને તારનારૂ' પારણું કરાવશે. હે સ્વામી ! રોગીને ઔષધની જેમ
“ અવિરતી એવા મને મેટા ઉપકારને ઉત્પન્ન કરનારૂ તમારૂ દર્શન થયેલુ છે. હે ત્રણ
'
જગતના નાથ! હું તમારી પાસે એટલું માગુ છું કે મારૂ મન તમારામાં જાણે વ્યાસ “ હાય, કાતરાયેલુ હાય અને હંમેશાં જોડાએલુ હોય તેમ રહ્યા કરજો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શક્ર ઇંદ્ર તથા અચ્યુતાદિ ઇંદ્રો પ્રભુના સાન્નિધ્યને મરણુ કરતા કરતા પાત પેાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે એજ નગરીમાં પ્રભુ, સુરેદ્રદત્ત રાજાને ઘેર પારણુ કરવાની ઇચ્છાથી ગયા. પ્રભુને આવેલા જોઈ રાજા ઉભા થયા અને ભક્તિથી નમસ્કાર કરી ઉત્તમ દુધપાક ( ક્ષીર ) લઇને ‘આ ગ્રહણ કરા’ એમ કહેવા લાગ્યા. જગત્માં અદ્વિતીય પાત્રરૂપ એવા પ્રભુએ તે પાયસાન્તને એષણીય, કલ્પનીય અને પ્રાસુક ધારીને પોતાના હસ્તરૂપી પાત્રમાં ગ્રહણ કર્યું. સ્વાદમાં જેનું મન અલુબ્ધ છે એવા પ્રભુએ તે પાયસાન્તથી દાતારને કલ્યાણ કરનારૂ અને ફક્ત પ્રાણને ધારણ કરનારૂ પારણું. કર્યું.... તે વખતે દિગ્ગજની ગર્જના જેવા દુંદુભિનેા નાદ થયા, તુટી ગયેલી મેાતીની માળામાંથી મેાતી ખરીપડે તેમ આકાશમાંથી દિવ્ય વસ્તુ (ધન) ની ધારા થઇ, નંદન વનનુ જાણે સર્વસ્વ હાય તેવા પુષ્પાની વૃષ્ટિ થઈ, દિગ્ગજોના મઢના જેવા સુગધી જળના વર્ષાદ થયા, જાણે એક રાશે ધરી રાખ્યા હાય તેમ દેવતાઓએ વસ્રના ઉક્ષેપ કર્યા અને અહાદાન, મહાદાન તથા સુદાન’ એવી આકાશ વાણી થઈ. જે ઠેકાણે ભગવંતે પારણું કર્યું તે ઠેકાણે સુરેદ્રદત્તે એક સુ ણુ મણિમય પીઠ રચાવ્યું. રાજા સુરેંદ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાલ પૂજા કરતા અને પૂજા કર્યા શિવાય કદિપણ જમતા નહી..
ભગવાન્ સ ́ભવનાથ પ્રભુએ ત્યાંથી નીકળીને અનેક ગ્રામ, દ્રોણુમુખ, નગર, ખાણ, કટ, પેટ, મંડબ, પત્તન, વન અને બીજા નવાં નવાં સ્થાનામાં એકાગ્ર દૃષ્ટિ રાખી ચૌદ વર્ષ સુધી વિહાર કર્યા. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહા કરતા હતા, ઉદ્વેગ શિવાય ખાવીશ પિરસાને સહન કરતા હતા, મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાય૧ વિપુળમતિ મન: પવજ્ઞાન જેતે થાય તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂર થાય જ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
સર્ગ ૧દુલે ગુપ્તિને ધારણ કરતા હતા, પાંચ સમિતિને સ્વીકાર કરતા હતા અને મૌન રાખી નિર્ભયપણે સ્થિર રહેતા હતા. અનુક્રમે સહસ્ત્રાગ્ર વનમાં સાળવૃક્ષની નીચે શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા પ્રભુએ કાર્યોત્સર્ગ કર્યો. ધ્યાનમાં વર્તાતાં પ્રભુને વૃક્ષના સુકાં પત્ર જેમ ખરી પડે તેમ તેમ ચાર પ્રકારના ઘાતિકર્મો ક્ષય થઈ ગયાં, એટલે કાતિક માસના કૃષ્ણ પક્ષની પંચમીને દિવસે ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવ્યું તે, છટ્ઠ તપ કર્યો છે જેણે એવા પ્રભુને ભૂત, ભવિષ્ય અને વર્તામાન કાળની સર્વ વસ્તુને બતાવવામાં જામીન રૂપ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પરમધાર્મિકાએ કરેલા, ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર નિપજાવેલા દુઃખોને નાશ થવાથી નારકીઓને પણ ક્ષણવાર સુખથયું અને સર્વ સુર અસુરના ઈદ્રો પિતાના આસન ચલિત થવાથી કેવળજ્ઞાનનો મહિમા કરવાને ત્યાં આવ્યા.
પછી સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક જન સુધી પૃથ્વીને સાફ કરી અને મેઘકુમાર દેવોએ તેમાં સુગંધી જળનો છંટકાવ કર્યો. પછી વ્યંતરોએ સુવર્ણ અને રનના પાષાણોથી ભૂમિને બાંધી લીધી અને તે ઉપર પાંચ વર્ણના પુષ્પ વેરી દીધાં. તે પછી તેઓએ ચારે દિશાઓમાં ત છત્ર, ધ્વજા, તંભ અને મઘરમુખાદિ ચિન્હોથી સુશોભિત એવાં ચાર તેરણે વિકુળં. તેમની વચમાં ભવનપતિઓ એ રત્નની પીઠ બનાવી તેની ચોતરફ સુવર્ણના કાંગરાવાળો રૂપાને કિલે રો. તેની મધ્યમાં જ્યોતિષ્ક દેવાએ, પૃથ્વી રૂપી સ્ત્રીનું જાણે કંકણું હોય તેવો રત્નના કાંગરાવાળે સુવર્ણન કિલ્લો કર્યો. તેની ઉપર વિમાનપતિઓ (વૈમાનિકે)એ મણિક્યના કાંગરાવાળ રત્નમય કિલ્લે કર્યો. પ્રત્યેક કિલાને ચાર ચાર દરવાજા મૂક્યા. બીજા મધ્યના કિલ્લાની અંદર ઈશાન કૂણમાં દેવતાએ એ એક દેવછંદ રચ્યું. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યંતરેએ બે કેશ અને આઠ ધનષ ઊંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યું. તેની નીચે મણિમય પીઠ બાંધીને એક પાદપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું. તે દેવઈદ ઉપર ત્રણ સુંદર છત્રો રચ્યાં, બે પડખે ચંદ્રના જેવા ઉજજવળ ચામર ધારણ કરાવી બે યાને રાખ્યા, અને પરમ પ્રભુના ધર્મચક્રિપણાને સૂચવતું પ્રકાશમાન ધર્મચક્ર સમોસરણના આગળના ભાગમાં સ્થાપન કર્યું. પછી દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમલ ઉપર ચરણને આરોપણ કરતા અને કોટી દેવતાઓએ વિટાયેલા પ્રભુએ પૂર્વ દ્વારથી સમોસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ ચિત્યક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ “નમતા ' એમ બોલીને પ્રભુ દેવછંદમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. તરત જ વ્યંતરોએ સ્વામીના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પણ રત્નના સિંહાસન ઉપર પ્રભુનાં પ્રતિબિંબને સ્થાપન કર્યા. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું, આગળના ભાગમાં ઇંદ્રધ્વજ થયો, અને આકાશમાં દુંદુભિને નાદ થયે. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને નમસ્કાર કરીને સાધુઓ અનિકણમાં બેઠા અને વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગમાં ઉભી રહી. ભવનપતિ,
તિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી નૈઋતકણમાં બેઠી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી પ્રભને નમી વાવ્યકૃણમાં અનુક્રમે બેઠા. વૈમાનિક દેવતા, નર અને નારીએ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી સ્વામીને નમી અનુક્રમે ઈશાન દિશામાં બેઠા. એવી રીતે પહેલા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, બીજા કિલામાં તિર્યંચ અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહને ગોઠવાયાં. પછી શકઈકે સ્વામીને નમસ્કાર કરી અંજલિ જોડીને ભક્તિ સહિત વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
Page #42
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
૧૫
“ હે પ્રભુ ! તમે ન બોલાવ્યા છતાં પણ સર્વના સહાયકારી છે, કારણ શિવાય વાત્સલ્યવાન છો, પ્રાર્થના કર્યા વગર પણ ઉપકારી છે અને સંબંધ વગરના બાંધવ “છે. તેથી હે નાથ ! અત્યંગ કર્યા વગર સ્નિગ્ધ હૃદયવાળા, મલાપકર્ષણ વિના ઉજજવળ વચનને બોલનારા, પ્રક્ષાલન કર્યા વગર નિર્મલ શીલવાળા અને શરણ કરવાને લાયક “એવા તમારા શરણનો હું આશ્રય કરું છું. હે સ્વામી ! શાંત છતાં વીર વ્રતવાળા, શમતાવાન અને સર્વમાં સરખી રીતે વર્તનારા એવા તમે એ કર્મ રૂપી કુટિલ કાંટાને અત્યંત ફૂટી નાખ્યા છે. અભવ છતાં મહેશ, અગદર છતાં નરકને છેદનાર ( કૃષ્ણ ) “અને અરાજસ છતાં બ્રહ્મરૂપ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ! સિંચન “કર્યા સિવાય ફલકૂ૫ અને પડવા વગર મોટા વધેલા એવા તમે સંક૯૫ રહિત કલ્પવૃક્ષ “છો. માટે તમારાથી મને મોટું ફળ પ્રાપ્ત થાઓ. હે સ્વામી ! દ્રવ્યાદિ સંગરહિત, “મમતાએ વર્જિત, કૃપાળુ, મધ્યસ્થ અને જગતને પાલન કરનાર એવા આપ જિનેશ્વરના “હું કોઈપણ પ્રકારના ત્રિશૂળાદિ ચિન્હ વિનાનો કિંકર છું. હે નાથ ! નહીં ગોપવેલા “ રનના નિધિરૂપ, વાડ વિનાના કલ્પવૃક્ષરૂપ અને નહીં ચિંતવેલા ચિંતામણિરૂપ એવા “તમારે વિષે આ મારા આત્માને મેં અર્પણ કરે છે. હે પ્રભુ ! હું ફલની ચિંતાથી “રહિત છું અને તમારી મૂર્તિ ફલરૂપજ છે તેથી “શું કરવું એવા વિચારમાં જડ થયેલા “મને, મારે શું કરવું જોઈએ તે બતાવવાનો પ્રસાદ કરે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્રના વિરામ પામ્યા પછી ભગવાન સંભવ પ્રભુએ વિશ્વનો ઉપકાર કરવાની ઈચ્છાથી આવી રીતે દેશના દેવાનો આરંભ કર્યો.
આ સંસારમાં વસ્તુતાએ સર્વ વસ્તુ અનિત્ય છે, તથાપિ પ્રથમ લાગતી સહજ “માત્ર મીઠાશના સુખને માટે પ્રાણીઓને તેમાં મૂછ રહ્યા કરે છે. પિતાથી, બીજાઓથી “અને બધી તરફથી જેઓને આપત્તિ હમેશાં આવ્યા કરે છે એવા પ્રાણીઓ યમરાજના “દાંતરૂપ યંત્રમાં રહીને પણ અહા ! કેવા કષ્ટથી જીવે છે ! અનિત્યતા વજ જેવા દેહોને પણ સપડાવે છે, તે આ કદલીના ગર્ભ જેવા પ્રાણીઓની તો શી વાત કરવી ! જે કદ
આ અસાર શરીરને સ્થિર કરવાને કઈ છે તો તે જુના અને સડેલા ઘાસના બનાવેલા ચાડીઆના પુરુષને જ સ્થિર કરવાને ઈચ્છે છે એમ સમજવું. મરણરૂપી વાઘની “મુખગુફામાં વસનારા પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે મંત્ર, તંત્ર અને ચિકિત્સા સર્વે નકામાં છે. જેમ જેમ પુરૂષ વયમાં વધતું જાય છે તેમ તેમ પ્રથમ તેને જરાવસ્થા “ગ્રસ્ત કરતી જાય છે અને પછી તેને માટે યમરાજ ત્વરા કરે છે. “અહા ! પ્રાણીઓના “જન્મને ધિક્કાર છે! ” આ શરીર યમરાજાને વશ રહેલું છે, એમ જો ખરેખરૂં જાણવામાં “આવે તે પછી કોઈ પણ પ્રાણી અન્નના ગ્રાસને ગ્રહણ કરી શકે નહીં તો પાપ કર્મની “તે વાતજ શી કરવી ! જેમ પાણીમાં પરપેટા ઉત્પન્ન થઈ થઈને વિલય પામી જાય “છે તેમ પ્રાણીઓનાં શરીર ક્ષણ ક્ષણમાં ઉત્પન્ન થઈને વિલય પામે છે. સમદષ્ટિવાળો કાળ, ધનાઢય કે નિર્ધન, રાજા કે રાંક, સમજુ કે મૂખ અને સજજન કે દુર્જન સર્વને “સરખી રીતે સંહાર કરવાને પ્રવ છે. એ કાળને ગુણમ દાક્ષિણ્યતા નથી અને દેશોમાં 1 અરાજસ-
રભાવ જે વિષયાભિલાષ તે જેને નથી એવા. આ વિરોધાભાસ અલંકાર છે. ૨ અભવ-શંકર નહીં અથવા જેને ભવ કરવા રહ્યા નથી એવા. ૩ અગદ ગદા નામના આયુધને નહીં ધારણ કરનારા અથવા ગદ જે રોગ છે જેને નથી એવા.
Page #43
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લો
“ષ નથી, પણ તે તે મોટા અરણ્યને દાવાનળની જેમ સર્વ પ્રાણીઓને સંહાર કર્યા કરે છે. કુશાસ્ત્રથી મેહ પામેલા પુરૂષોએ “કઈ પણ ઉપાયથી આ કાયા નિરપાય થાય “એવી શંકા પણ કરવી નહીં. જેઓ મેરુપર્વતને દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ “હોય છે તેઓ પણ પિતાને વા બીજાને મૃત્યુથી બચાવવાને સમર્થ થતા નથી. કીડાથી
માંડીને ઈંદ્ર સુધી તે યમરાજનું શાસન સમર્થ રીતે પ્રવર્તે છે. તેમાંથી કઈ રીતે કાળને “વંચના કરવાની વાત ડાહ્યા માણસ તે બેલેજ નહીં'. કદિ કોઈએ પિતાના પૂર્વ જેમાં કેઈને “પણ જે જીવતો રહેલો જોયો હોય તો તે કાળને વંચના કરવાની વાત ન્યાયમાર્ગથી “ઉલટી રીતે પણ સંભવે ખરી, પણ તેવું તો જણાતું “નથી. “બલ અને રૂપને હરણ તે કરનારી વૃદ્ધાવસ્થાથી શિથિલ થવાય છે એ વાતના અનુભવથી વિદ્વાન પરેને યૌવનવય અનિત્ય છે એવી ખાત્રી થવી જ જોઈએ. કામિનીઓ કામદેવની લીલાથી યૌવન “વયમાં જેઓની ઇચ્છા કરતી હતી, તેજ પુરૂષને વૃદ્ધાવસ્થામાં તેઓ થુંકી થુંકીને ત્યજી દે છે. ધનવાન પુરૂષોએ જે ધન ઘણું કલેશથી મેળવી ઉપભોગ કર્યા વગર “રક્ષણ કરીને એકઠું કરી રાખ્યું હોય છે તે પણ ક્ષણવારમાં વિનાશ પામી જાય છે.
જોતજોતામાં અવશ્ય નાશ પામી જતાં એવાં ધનવાનનાં ધનને પણ, પરપોટા અને “વિજળીની ઉપમા કેમ ન આપી શકાય? પિતાનો વા બીજાનો ગમે ત્યાં ન્યાસ કરે “તેમજ વિકાર કે અપકાર કરે, પણ આ સંસારમાં મિત્ર કે બંધુજનોને જે સમાગમ “છે તે છેવટે વિનાશ પામનારા છે. જેઓ હમેશાં અનિત્યતાનું ધ્યાન કરે છે તેઓ પિતાને “પુત્ર મૃત્યુ પામી જાય તે પણ તેને શેક કરતા નથી, અને જે મૂઢ નિત્યતાને આગ્રહ “રાખે છે તે પોતાની એક દિવાલ પડી જાય ત્યારે પણ રૂદન કરે છે. શરીર, યૌવન, ધન “અને બંધુ વિગેરેજ “ફકત અનિત્ય છે એમ નથી, પણ આ સઘળું સચરાચર જગજ “અનિત્યપણે રહેલું છે. આવી રીતે આ સર્વને અનિત્ય જાણીને પ્રાણીઓએ પરિગ્રહને ત્યાગ “કરી નિત્ય સુખવાળું શાશ્વત્ પદ (મોક્ષ) મેળવવાને માટે પ્રયત્ન કરો.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને તત્કાળ ઘણા પુરૂષ અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ચાર વિગેરે ગણધરને પ્રભુએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદને ઉદ્દેશ કર્યો. એ ત્રિપદીને અનુસરીને એક ને બે ગણધરેએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ ઉઠી ઇ લાવેલ વાસક્ષેપ તેમના ઉપર નાખીને તેમને દ્રવ્યાદિકવડે અનુગ તથા ગણની અનુજ્ઞા આપી. તે સમયે દેવતા અને મનુષ્યોએ પણ દુંદુભિને અવાજ કરી ગણધરોની ઉપર વાસક્ષેપ કર્યો અને તે ગણધરે પ્રભુની વાણીને ગ્રહણ કરવાને ઉભા રહ્યા. પછી પ્રભુએ પૂર્વાભિમુખે ફરીવાર દિવ્ય સિંહાસન પર બેસીને તે ગણધરોને શિક્ષારૂપ દેશના આપી. પછી જયારે પહેલી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. તે વખતે રાજભવનમાંથી આઢક પ્રમાણુ શાળીને બળિ આયે, તે બળિને આકાશમાં ઉડાડે એટલે તેમાંથી ખરી પડેલે અદ્ધ ભાગ આકાશમાંથી દેવતાઓએ લીધો અને બીજો અર્ધ ભાગ રાજાએ અને બીજા લોકો એ હર્ષથી સમભાગે વહેચી લીધો. પછી તીર્થંકર ભગવાને ઉઠી ઉત્તર દ્વારથી નીકળીને જો કે પોતે શ્રાંત થયા ન હતા તે પણ બીજા ગઢમાં રચેલા દેવછંદ ઉપર વિસામો લીધે; કારણકે એવી મર્યાદા છે. પછી ગણધરોના અગ્રણી ચાર ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને સ્વામીના પ્રભાવથી સંશયને છેદનારી દેશના આપી. બીજી પારસી પૂર્ણ થઈ એટલે ચાર ગણધર કાળવેળાએ જેમ શાસ્ત્રના અધ્યયનથી વિરામ પામે તેમ દેશનાવિધિથી વિરામ પામ્યા. તે પછી સુર, અસુર અને
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૭
પર્વ ૩ જુ રાજાઓ વિગેરે જેમ ઉત્સવ ઉપર આવેલા લે કે ઉત્સવ વીત્યા પછી ચાલ્યા જાય તેમ પ્રભુને નમસ્કાર કરીને હર્ષથી પોતપોતાને સ્થાનકે ગયા.
તે સંભવનાથ સ્વામીને તીર્થમાં ત્રિમુખ નામે એક યક્ષ ઉત્પન્ન થયો. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતાં; તેને શ્યામવર્ણ હતા, મયૂરનું તેને વાહન હતું, જમણું તરફની ત્રણ ભુજાઓ માં તેણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યા હતાં અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીજોરું, માળા અને અક્ષસૂત્ર રાખેલાં હતાં. તેવીજ રીતે તે તીર્થમાં દુરિતારિ નામે એક દેવી (ચક્ષણી) ઉત્પન્ન થઈ. તેને ચાર ભુજાઓ હતી, વર્ણ ગૌર હતો અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની બે ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની બે ભુજાઓમાં સર્પ અને અભયથી તે શોભી રહ્યા હતા. એ ત્રિમુખ યક્ષ અને દુરિતારિ દેવી બંને પ્રભુના શાસનદેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહેવા લાગ્યા. તે પછી ત્રીશ અતિશયવાળા સંભવનાથ પ્રભુએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનથી બીજે વિહાર કર્યો.
વિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર અને દેઢસો ચૌદ પૂર્વધારી, નવ હજાર અને છ અવધિજ્ઞાની, બાર હજાર અને દેઢ મનઃપર્યવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, ઓગણીશ હજાર અને આઠ શૈક્રિય લબ્ધિવાળા, બાર હજાર વાદ લબ્ધિવાળા (વાદી), બે લાખ ને ત્રણ હજાર શ્રાવકે અને છ લાખ ને છત્રીસ હજાર શ્રીવીકાના પરિવાર થયા. પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત ચાર પૂર્વાગ અને ચૌદ વર્ષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. પછી સર્વજ્ઞા પ્રભુ પિતાને મેક્ષકાળ સમીપ જાણીને પરિવાર સહિત સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં તેમણે એક હજાર મુનિઓ સાથે પાદપપગમ અનશન કર્યું. તે વખતે સુર અસુરના ઈદ્રો પરિવાર સાથે ત્યાં આવીને ભક્તિથી પ્રભુની સેવા કરવા લાગ્યા. એક માસને અંતે પર્વતની જેમ નિષ્કપ એવા પ્રભુએ સર્વ ગને નિરોધ કરનારૂં શૈલેશી નામે છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું, અને ચૈત્ર માસની શુકલ પંચમીને દિવસે ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં આવતાં, ચાર અનંતને સિદ્ધ કરતા એવા સંભવનાથ પ્રભુ નિબંધ પદ (મોક્ષ)ને પામ્યા. જાણે પ્રભુના અંશ હોય તેવા નિર્મળ એક હજાર મુનિઓ પણ તેજ વિધિથી તેજ પદને પામ્યા. પ્રભુએ કુમારપણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચાર પૂર્વાગ સહિત ચુંમાલીશ લાખ પૂર્વ અને દીક્ષામાં ચાર પૂર્વાગે વજિત એક લાખ પૂર્વ એવી રીતે એકંદર સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીશ લાખ કટી સાગરોપમ ગયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણપદને પામ્યા. સંભવનાથ પ્રભુનો શરીરસંસ્કાર તેમજ બીજુ પણ જે યોગ્ય કર્મ હતું તે ઈદ્રોએ યથાવિધિ કર્યું. પછી પ્રભુની દાઢ પણ તેઓએ યથાયોગ્ય વહેંચી લીધી અને દેવતાઓએ દાંત તથા અસ્થિઓ ગ્રહણ કર્યાં. પછી ઈદ્ર અને દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા ત્યાં પ્રભુનાં અસ્થિઓ માણવ સ્તંભની ઉપર પૂજન કરવાને માટે તેઓએ ઉત્કર્ષ રીતે સ્થાપન કર્યા. તીર્થંકરનું શું પૂજવા લાયક નથી ? અર્થાત સર્વ દેહ પૂજન કરવા યોગ્ય છે,
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसंभवस्वामिचरितवर्णनो
નામ પ્રથમ ઃ છે ? ||
Page #45
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય સર્ગ.
શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર, ગુણરૂપી વૃક્ષની સમૃદ્ધિને વધારનાર અને જગતને આનંદ કરનાર સંવર રાજાના પુત્ર શ્રી અભિનંદન સ્વામીને હું વંદના કરું છું. ભવ્યજનની મોહનિદ્રાને નાશ કરવામાં પ્રાતઃકાળરૂપ અને તત્વજ્ઞાનરૂપ અમૃતના કુંભરૂપ તે પ્રભુનું ઉજજવળ ચરિત્ર હવે કહું છું.
આ જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં મંગળીક કાર્યોના ઉત્પત્તિસ્થાન તુલ્ય મંગલાવતી નામે એક સુંદર વિજય છે. તેમાં સમુદ્રની પેઠે સર્વ રત્નોની ખાણ અને પૃથ્વીના મસ્તકપર રત્નરૂપ ૨નસંચયા નામે સર્વ નગરીમાં રત્ન સમાન નગરી છે. તેમાં લક્ષ્મીથી કુબેર જે અને બલથી જાણે બીજે મહાબલ હોય તેવો મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. ગંગા, સિંધુ અને હતાશા નામની ત્રણ નદીઓથી જેમ હિમાચલ શોભે તેમ ઉત્સાહ, મંત્ર અને પ્રભુતા એ ત્રણ શક્તિઓથી તે શોભતું હતું. ચાર દાંતથી યુવાન ગજેદ્રની જેમ શત્રુવાને જીતનારા ચાર ઉપાયથી તે પ્રકાશી રહ્યો હતે. બુદ્ધિને નિધિ એ રાજા અહંત દેવને, સાધુ ગુરૂને અને જિનપજ્ઞ ધર્મને જ હમેશાં માનતે. હતો. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં તે હમેશાં રમતો હવે, કારણ કે મહાપુરૂષનું પુણ્ય પુણ્યાનુબંધી જ હોય છે.
આવે તે વિવેકી મહારાજા સર્વ ઠેકાણે અનિત્યતા જાણી અને સંસારથી ઉદ્વેગ પામી ફક્ત દેશ માત્ર આશ્રયના ત્યાગી એવા શ્રાવકધર્મના આરાધનથી સંતુષ્ટ થયે નહીં, તેથી ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવા તેણે વિમલસૂરિના ચરણ પાસે આવી સર્વ વિરતિપણું અંગીકાર કર્યું. સાધુપણે વિચરતા એ રાજા દુર્જનોની નિંદાથી હૃદયમાં ખુશી થતું હતું અને સજજનેએ કરેલી પૂજાથી ઉલટો લજજા પામતે હતો. પાપી લો કે તેને કલેશ પમાડતા તો પણ તે જરા પણ ઉદ્વેગ પામતે નહીં, અને મોટા લેકે પૂજા કરતા તે પણ જરા પણ ગર્વ ધરતે નહી. રમણીય ઉદ્યાન વિગેરેમાં વિહાર કરતે પણ તેમાં તેને રાગ થતું નહીં અને સિંહ વ્યાવ્ર વિગેરેથી ભયંકર અરણ્યમાં વિહાર કરવાથી તેને વિરાગ થતો નહીં. હેમંતઋતુમાં હિમ પડવાથી ગહન રાત્રિઓને, હાથીના આલાનસ્તંભની જેમ નિશ્ચલપણે કાર્યોત્સર્ગ કરીને નિર્ગમન કરતો હતો. સૂર્યની ગરમીથી ભયંકર ગ્રીમ ઋતુમાં તડકે રહીને કાઉસગ્ગ કરતાં છતાં પણ અગ્નિથી પવિત્ર કરેલા વસ્ત્રની જેમ ચળકતે હતો. વર્ષાઋતુમાં હાથીની પેઠે ધ્યાનવડે બે નેત્રને સ્થિર કરી વૃક્ષ નીચે પ્રતિમા ધારણ કરીને જ રહેતા હતા. જેમ ઋણ રહિત પુરૂષ વ્યાપારમાં ધન એકઠું કરે તેમ એકાવળી અને રત્નાવળી વિગેરે અનેક પ્રકારનાં તપ કરીને તપસંપત્તિ મેળવી હતી. તેમણે વીશ સ્થાનકોમાંના કેટલાક સ્થાનકના આરાધનવડે છેવટે તીર્થંકર નામ કમ ઉપાર્જને કર્યું. અને દીર્ધકાળ પર્યત વ્રત પાળી અનશન લઈ મૃત્યુ પામીને વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતા થયા.
૧ શામ, દામ, ભેદ, દંડ. ૨ કાઉસગ્ગ કરીને,
Page #46
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩ જી
૧૯
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર ઇંદ્રની નગરી જેવી અાધ્યા નામે પુરી છે. તે નગરીમાં ઘેરઘેર રહેલા મણિમય સ્તંભામાં પ્રતિબિ’ષિત થયેલા ચંદ્રમા સ્થાવર પદાર્થોને પણ શૃંગારરૂપ દર્પણની શાભા આપે છે. ત્યાં દરેક ગૃહના આંગણામાં વૃક્ષેા ઉપર ક્રીડાની મયૂરીઆએ ખેચી ખેંચીને હારા લટકાવેલા છે, તેથી તે વૃક્ષેા કલ્પવૃક્ષની જેવા જણાય છે, ત્યાં રહેલી ચૈત્યાની શ્રેણીઓ ઝરતા ચંદ્રકાંત મણિએથી ઝરણાવાલા મેાટા પ તાની લીલાને વિસ્તારે છે. ચૈત્યની આગળ રત્નાથી બાંધી લીધેલી પૃથ્વીએ માં તારાઓનાં પ્રતિષિએ પડે છે, તે દેવતાઓએ મૂકેલી પુષ્પાંજલિ જેવા શેાભે છે. જેમાં ખાલલલનાઓ ખેલી રહેલી છે એવી ગૃહવાપિકાએ, જેમાંથી અપ્સરાએ નીકળે છે એવા ક્ષીરસમુદ્રની લક્ષ્મીને હરી લે છે. તેમાં કંડ સુધી મગ્ન થયેલી ગૌર અંગવાળી સ્ત્રીઓના મુખાથી એ વાપિકાએ સુવર્ણના કમળવાળી ક્ષણવાર દેખાય છે. નવીન મેઘથી પર્યંત નીચેની ભૂમિઆની જેમ વિશાળ ઉદ્યાનેાથી તે નગરીની બહારની ભૂમિએ શ્યામ ૨ગે છવાઈ રહી છે. દેવકૃત માટી ખાઈથી અષ્ટાપદ પર્વતની જેમ મનુષ્યકૃત માટી ખાઇથી એ નગરીના કિલ્લા ચેતરફથી વીટાઈ રહેલા છે. તે નગરીમાં સ્વર્ગને વિષે કલ્પવૃક્ષની જેમ ઘેર ઘેર દાતાર પુરૂષો સુલભ છે, પણ યાચકા દુલ ભ થઈ પડયા છે.
એ નગરીમાં ઇક્ષ્વાકુ વ‘શરૂપી ક્ષીર સમુદ્રમાં ચંદ્ર સમાન અને સશત્રુઓની લક્ષ્મીને સ્વયંવરપણે વરનાર સવર નામે રાજા છે. આજ્ઞાથીજ સર્વ ભુવનતળને સાધનારા એ રાજાના સ્થાનમાંથી કૃપણુના ખજાનામાંથી દ્રવ્યની જેમ કોઈવાર તરવાર બહાર પણ નીકળતી નથી. મેાટી ભૂજવાળા અને પેાતાના ઉગ્ર પ્રતાપથી સમર્થ એવા એ રાજાએ એક ચંદ્રવાળા આકાશની જેમ સમગ્ર પૃથ્વી એક ત્રવાળી કરી હતી. તેણે પૃથ્વીને દૃઢરીતેજ ધારણ કરી હતી, નહીતા દિગ્ધાત્રામાં પ્રયાણ કરનાર એ રાજાનાજ સૈન્યના ભારથી પૃથ્વી સહસ્ર રીતે ફાટી જાત. દિશાઓમાંથી દાસીની જેમ ખેંચીને આણેલી ચપલ એવી લક્ષ્મીને પણ તેણે પેાતાના ગુણાથી કેદ કરેલી હતી. અન્ય રાજાઓના ઘણા દંડ તેની પાસે આવતા તાપણ તેને કપિ ગર્વ થતા નહીં. કારણ કે નદીઓના જળથી સમુદ્ર જા પણ ગવ ધા નથી, પ્રસન્ન ચિત્તવાળા, હમેશાં નિર્લોભી અને પ્રમાદ રહિત એવે એ રાજા ધનાથ અને દરિદ્રીમાં મુનિની જેમ સમષ્ટિએ વત્તતા હતા. તે પ્રજાને ધર્મને માટે શિક્ષા કરતે પણ ધનની ઇચ્છાથી કરતા નહીં અને પ્રજાના રક્ષણને માટે શત્રુઓને શિક્ષા કરતા પણ દ્વેષબુદ્ધિથી નહી.. એક તરફ રાજ્યનાં તમામ કાર્યા અને એક તરફ ધર્મનું કાર્ય, એમ તાજવાની માફક સમભાગે તે પોતાના આત્મામાં ધારણ કરતા હતા.
એ સંવર રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણેાથી મનેાહર તે રાણી અંતઃપુરના આભૂષણ રૂપ ગણાતી હતી. વિલાસવડે મંદ એવી ગતિથી અને ઘણી મધુર વાણીથી એ મધુર આકૃતિવાળી રાણી રાજહંસીના જેવી શેભતી હતી. પવિત્ર લાવણ્યની સરિતા રૂપ એ રમણીનાં મુખ, નેત્ર, હાથ અને ચરણ કમલના જેવાં મનેાહર હતાં, નેત્રરૂપી કમલમાં જાણે ઇંદ્રનીલ મણિમય હાય, દાંતમાં જાણે મેાતીએ જડેલી હાય, અધર પલ્લવમાં જાણે પરવાળાથી વ્યાપ્ત હોય, નખામાં જાણે પદ્મરાગ મણિથી પ્રચુર હોય, અંગ ઉપર જાણે સુવર્ણ મય હાય અને સવ અંગે જાણે રત્નમય હાય એવી એ મહારાજ્ઞી અતિ રમણિક જણાતી હતી. નગરીઓમાં જેમ અયેાધ્યા, વિદ્યાઓમાં જેમ રોહિણી અને નદીઓમાં જેમ ગગા તેમ એ દેવી સતીમાં અગ્રેસર હતી. કેાઈવાર પ્રેમથી પણુ એ નારી પોતાના પતિ ઉપર ગુસ્સે થતી નહી. કારણ કે કુલવાન સ્ત્રીઓ,
Page #47
--------------------------------------------------------------------------
________________
२०
સર્ગ ૨ જે વ્રતની જેમ પોતાના પતિવ્રતપણાને અતિચાર લગાડવામાં ભીરુ હોય છે. પિતાને સર્વ રીતે અનુકૂલ એવી એ પ્રિય રાણીમાં રાજાનો ગળીના રંગની જેમ અવ્યભિચારી પ્રેમ હતા. મદ થવાના સ્થાનોથી અબાધિત રહેનારા એ રાજદંપતી સર્વ ધર્મને હાનિ ન લાગે તેમ વર્તતાં સાંસારિક સુખ ભેગવતા હતા.
આ તરફ મહાબલના છ વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં મગ્નપણે નિર્ગમન કર્યું. પછી આયુ પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુર્થીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતાં એ મહાત્માને જીવ ત્યાંથી ચવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો. જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જગમાં ઉદ્યોત થઈ રહ્યા, અને નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું. રાત્રીએ સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પહોરમાં પોતાના મુખમાં પ્રવેશ કરતાં ચૌદ સ્વપ્ન જોયાં. જેમાં ચાર દાંતવાળો વેતવર્ણ હાથી, ડોલરના પુષ્પની જે વેત વૃષભ, પહોળા મુખવાળો કેસરીસિંહ, અભિષેકથી મને હર એવી લક્ષ્મી, પંચવર્ણ પુષ્પની માળા, પરિપૂર્ણ ચંદ્ર, પ્રકાશન માન સૂર્ય, ઘુઘરીઓવાળે દેવજ, સુવર્ણને પૂર્ણ કુંભ, કમળોથી છવાઈ રહેલું સરોવર, ઉછળતા તરંગવાળે સમુદ્ર, મનહર વિમાન, સુંદર રત્નનો ઢગલે અને ધૂમ્ર ૨હિત અગ્નિ, આ પ્રકારનાં ચૌદ સ્વપ્ન દેખીને જાગ્રત થઈ દેવીએ રાજાને નિવેદન કર્યા. હે દેવી ! આ સ્વનેથી તમને ત્રણ જગતને ઈશ્વર એ પુત્ર થશે.” એમ નરપતિએ સ્વપ્નનો અર્થ વિચારીને કહ્યું. તરતજ સર્વ ઈન્દ્રોએ પણ ત્યાં આવી એકઠા થઈને સ્વપ્નને અર્થ કહ્યો કે “હે દેવીતમારા પુત્ર ચેથા તીર્થકર થશે.” આવું સ્વમનું ફળ સાંળળી દેવીને એ હર્ષ થયો કે જેના ધક્કાથી નિદ્રા દૂર ચાલી ગઈ અને બાકીની શેષરાત્રિ તેણીએ જાગ્રતપ
જ નિર્ગમન કરી. ત્યારથી કમલના કેશમાં બીજ કેશની જેમ સિદ્ધાર્થી દેવીના ઉદરમાં તે ગર્ભ દિવસે દિવસે ગૂઢ રીતે વધવા લાગે. સિદ્ધાર્થી દેવીએ પણ તે ગર્ભને સુખેથી ધારણ કર્યો તેવા પુરૂષોનો અવતાર આખા જગતને સુખ માટેજ થાય છે,
ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતાં માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતાં દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપે. એ કુમારને સુવર્ણના જે વર્ણ હતો, અને વાનરનું લાંછન ( ચિન્હ) હતું. પ્રભુનો જન્મ થતાં ત્રશું લેકમાં ઉદ્યોત થઈ રહ્યો, અને ક્ષણવાર નારકીના પ્રાણીઓને પણ સુખ થયું. તે વખતે દિકુમારીઓ પિતપોતાના સ્થાનેથી ત્યાં આવીને દેવી અને કુમારનું યથાયોગ્ય સૂતિકર્મ કર્યું. શક ઇંદ્ર પણ પોતાના આસન કંપથી અહં તને જન્મ જાણું પાલક વિમાનમાં બેસીને દેવતાઓ સહિત ત્યાં આવ્યું. વિમાન ઉપરથી ઉતરી પ્રભુના સૂતિકાગ્રહમાં પ્રવેશ કરી સ્વામીને અને સ્વામીની માતાને તેણે નમસ્કાર કર્યો. પછી દેવીને અપસ્વાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મઇ પિતાના પાંચ રૂ૫ ર્યા, એક ઇંદ્ર પ્રભુને ધરી રાખ્યા, બીજા ઈંદ્ર છત્ર ધારણ કર્યું, બે ઈ દ્રોએ બે બાજુ ચામર રાખ્યા, અને એક ઈદ્ર વજને નચાવી નાચતો આગળ ચાલ્યો. પછી ક્ષણવારમાં મેરૂપવત ઉપર આવીને અતિ પાંડૂકબલા નામની શિલા વિષે સિંહાસન પર પ્રભુને ખોળામાં લઈને બેઠે તે વખતે ત્યાં પરિવાર સહિત બીજા ત્રેસઠ ઈદ્રો પણ આવ્યા, અને જળથી ભરેલા કુભવડે વિધિ પ્રમાણે પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. પછી ઇશાન ઈદ્ર પાંચ રૂપ કરી એક રૂપે પ્રભુને રાખ્યા, એક રૂપે છત્ર ધારણ કર્યું, બેરૂપે બે બાજુ ચામર વિંજવા લાગ્યા, અને એકરૂપે ત્રિશળ લઈ આગળ ઉભે રહ્યો. પછી શાક
Page #48
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
ઈદ્ર તુષ્ટિને માટે ચાર દિશામાં ફાટિકના ચાર વૃષભ વિકુવી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ચંદનનું વિલેપન કરી, વસ્ત્ર અલંકારાદિક ધારણ કરાવી અને આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું.
“ચોથા તીર્થકર, ચોથા આરા રૂપ આકાશમાં સુર્ય સમાન અને ચોથા પુરૂષાર્થ “ (મેક્ષ)ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ ! આપ જય પામે. હે નાથ ! લાબે કાળે
આપનાથી સનાથ થયેલું આ જગતું, હવે વિવેકની ચોરી કરનારા મહાદિકથી ક્યારે “ પણ ઉપદ્રવને પામશે નહીં. હે પ્રભુ ! આપના પાદપીઠમાં જેનું મસ્તક ભેટે છે એવા “ મારે વિષે પુણ્યરૂપ પરમાણુંના કણ જેવી આપની ચરણરજ દીર્ઘકાળ સ્થાપન થાઓ.
હે ઈશ ! મારાં નેત્ર આપના મુખને વિષે આસક્ત હોવાથી નહીં જોવા લાયક વસ્તુને “ જોવાથી ઉત્પન્ન થયેલા એ નેત્રના મળને હર્ષાશ્રુની ઉમીઓ વડે ક્ષણવારમાં જોઈ “ નાંખો. હે પ્રભુ ! લાંબા કાળની મમતાના દર્શનથી ઉત્પન્ન થયેલા મારા રોમાંચે ચિરકાલની અસદ્દર્શને (મિથ્યાદર્શન) ની વાસનાને દૂર કરે. હે નાથ ! મારાં નેત્રો સદા તમારા મુખને જોઈ વિલાસ પામે. મારા હાથ તમારી ઉપાસના કરો, અને મારા કાન તમારા ગુણના શ્રોતા થાઓ. હે દેવાધિદેવ ! કુંઠ એવી મારી બુદ્ધિ જો તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તે તેનું કલ્યાણ થાઓ, કેમકે તેને બીજાથી શું થવાનું છે ! હે નાથ! હું તમારો શિષ્ય, દાસ, સેવક અને કિકર છું એ પ્રમાણે તમે સ્વીકાર કરે; એથી વધારે બીજું કાંઈપણ હું કહેવા ઈચ્છતો નથી.”
આ પ્રમાણે સ્તુતિ કરી શકે ઈદ્ર પાંચરૂપે થઈ, ઇશાન ઈદ્રની પાસેથી પ્રભુને લઈ, પૂર્વની પેઠે છત્ર વિગેરેને ધારણ કરી ક્ષણવારમાં પાછો પ્રભુને ઘરે પહોચ્યું; ત્યાં પ્રભુની માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ હરી લઈ સાક્ષાત્ પ્રભુને તે સ્થિતિમાં માતાની પાસે સ્થાપન કર્યા. પછી શકઈદ્ર ત્યાંથી અને બીજા ઇકો મેરૂ ઉપરથી જ જેમ આવ્યા હતા તેમ પાછા પોતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે સંવર રાજાએ સર્વ લોકોમાં હર્ષના એક છત્રરૂપ પુત્રનો જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય અને નગરી સર્વ અભિનંદ (હર્ષ) પામ્યા હતા. તેથી માતા-પિતાએ તેમનું અભિનંદન એવું નામ પાડયું. પિતાના અંગુષ્ટમાંથી ઈ કે સંચારેલા અમૃતનું પાન કરતા અને દેવાંગના રૂ૫ ધાત્રીઓએ પાલન કરાતા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. વિચિત્ર પ્રકારનાં રમકડાંઓ હાથમાં રાખીને આવતા એવા સુરઅસુરોના કુમારની સાથે વિચિત્ર ક્રીડાથી ક્રિીડા કરતા એવા પ્રભુએ પિતાનું બાલ્યવય ઉ૯લંઘન કર્યું. ઉદ્યાનનું વૃક્ષ જેમ વસંતને પામે તેમ પ્રભુને સર્વ અંગમાં શભા કરનારૂં યૌવનવય પ્રાપ્ત થયું. સાડાત્રણસે ધનુષ્ય ઊંચી કાયા, હીંચકાવાળું જાણે વૃક્ષ હોય અથવા લક્ષ્મીના જાણે બે હીંચકા બાંધ્યા હોય તેવી જાનુ પર્યત લંબાયમાન બે ભુજા, અર્ધચંદ્ર સમાન શેભતું લલાટ અને પૂર્ણ ચંદ્રની શોભાને અનુસરતા મુખથી પ્રભુ વિશેષ શેભાને પ્રાપ્ત થયા. સુવર્ણમય મેરુપર્વતની શિલા જેવી છાતી, પુષ્ટ સ્કંધ, કૃશ ઉદર, મૃગલીના જેવી જંધાઓ અને કૂર્મના જેવાં ઉન્નત ચરણથી પ્રભુ મનોહર જણુતા હતા. જો કે પ્રભુ વિષયમાં નિ:સ્પૃહ હતા તે પણ પોતાનું ભેગ્યકર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજ્યપુત્રીઓની સાથે વિવાહ કર્યો. તારાઓની સાથે ચંદ્રની જેમ તે રાજકુમારીઓની સાથે ક્રીડા કરવાના ઉદ્યાન, સરોવર, વાપી અને પર્વત વિગેરેમાં પ્રભુ સ્વેચ્છાથી વિહાર કરવા લાગ્યા.
Page #49
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે
એવી રીતે પ્રભુએ અહમિંઢની જેમ સુખમાંજ મગ્ન રહીને સાડાબાર લાખ પૂર્વ નિગ. મન કર્યા પછી સંવર રાજાએ પ્રભુને પ્રાર્થના કરીને રાજ્યપર બેસાર્યા, અને પોતે પ્રત્ર જયારૂપી રાજય ગ્રહણ કર્યું. પ્રભુએ એક ગામની જેમ તે પૃથ્વીનું રાજ્ય લીલામાત્રથી ચલાવા માંડયું; જગતને રક્ષણ કરવામાં ચતુર એવા પ્રભુને એટલો પૃથ્વીનું પાલન કરવું એ શું હિશાબમાં છે ? એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને આઠ અંગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ નિર્ગમન થઈ ગયા.
અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે જ વખતે ભાવને જાણનારા મંત્રીઓની જેમ લેકાંતિક દેવતાઓ આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“ હે નાથ ! હવે સંસારવાસથી સયું માટે ધર્મતીર્થને પ્રર્વતા; તમારા પ્રવર્તાવેલા તીર્થથી બીજા પણ અનેક પ્રાણીઓ આ દુસ્તર સંસારરૂપ સાગરને તરી જશે.” આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લે કાંતિક દેવતાઓ ગયા પછી પ્રભુએ નિદાન ( નિયાણા ) રહિત વાર્ષિક દાન આપવાને આરંભ કર્યો. ઈદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતા દ્રવ્ય લાવી લાવીને પ્રભુને દાન દેવા માટે પૂરવા લાગ્યા. સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને વિધિ સહિત દીક્ષાભિષેક કર્યો. પછી અંગરાગ લગાવી, દીવ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી જગત્પતિ સ્વાર્થસિદ્ધિ કરવાને માટે અર્થસિદ્ધ નામની શિબિકા પર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યોએ અને પછી દેવતાઓએ એ શિબિકાને ઉપાડી લીધી. શિબિકાપર બેસીને પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં તેમણે પોતાના આભૂષણો વિગેરે સર્વ ઉતારીને છોડી દીધું, એટલે ઇન્દ્ર તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં પ્રભુએ છ તપ કરીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. શક્ર ઈન્દ્ર પ્રભુના કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં પધરાવી પાછા આવ્યા. પછી ઇન્દ્ર સુર, અસુર અને મનુષ્ય સંબંધી કે લાહળને શાંત કરાવ્યા એટલે પ્રભુએ સામાયિક સૂત્ર ભણીને ચારિત્રને સ્વીકાર કર્યો. તે જ વખતે મન:પર્યાવ નામે એથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું. શરીરના મળની જેમ રાજને છોડી બીજા એક હજાર રાજાઓએ પ્રભુની સાથે જ મોહને નાશ કરનારી પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રવાસી પુરૂષે વર્ષાઋતુમાં જેમ પોતાના સ્થાનમાં ચાલ્યા જાય તેમ શક્ર વિગેરે સર્વે ઈન્દ્રો પરિવાર સહિત પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા.
બીજે દિવસે અધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ઘેર પ્રભુએ પરમાન (ક્ષીર) થી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ દ્રવ્યની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને નાદ અને વસ્ત્રને ઉક્ષેપ કર્યો. હર્ષને પરવશ થયેલા સુર, અસુર અને મનુષ્યએ “અહદાન, અહદાન, અહે સુદાન” એમ ઉલ્લેષણ કરી. ત્યાંથી શ્રી અભિનંદન પ્રભુએ બીજે સ્થાને વિહાર કર્યો. પ્રભુના ચરણસ્થાનમાં ઈદ્રદત્તે પૂજન કરવાની ઈચ્છાથી એક રત્નપીઠ કરાવ્યું. પ્રભુએ છદ્મસ્થપણે પરીસહોને સહન કરી અઢાર વર્ષ સુધી વિવિધ અભિગ્રહ ધારણ કરતાં કરતાં વિહાર કર્યો.
એ પ્રમાણે વિહાર કરતાં પ્રભુ એકદા સહસા » વનમાં આવ્યા. ત્યાં છ તપ કરી રાયણના વૃક્ષની નીચે કાયોત્સર્ગ કરીને રહ્યા. ધ્યાનમાં વર્તતાં શુકલ ધ્યાનના બીજા પાયાને અંતે ઘાતિકને ક્ષય થતાં પિષમાસની શુકલ ચતુર્દશીએ અભીચિ નક્ષત્રનો ચંદ્ર થતાં
Page #50
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
૨૩ પ્રભુને નિર્મલ કેવલજ્ઞાન પ્રગટ થયું જે જ્ઞાન ક્ષણવાર નારકીને જીવોને પણ પીડાનો નાશ કરવામાં ઔષધ રૂપ થઈ પડયું. અવધિજ્ઞાન વડે પ્રભુને કેવળજ્ઞાન થયાની ખબર જાણીને ચોસઠ ઈન્દ્રાએ ત્યાં આવી એક જન પ્રમાણ પ્રદેશમાં સમવસરણ રચ્યું. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણને ધારણ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. સમવસરણની મધ્યમાં રહેલા બે ગાઉ અને બસે ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી. “
તારમ” એમ બોલતા પ્રભુએ દેવજીંદાના મધ્ય ભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું. પછી દેવ, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પોતપોતાના ગ્ય દ્વારથી પ્રવેશ કરી યોગ્ય સ્થાનકે બેઠે. તે વખતે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડી શક્ર ઈન્દ્ર રોમાંચિત શરીરે નીચે પ્રમાણે પ્રભુની
સ્તુતિ કરી. - “હે ભગવન્! આપે સર્વદા કષ્ટકારી એવી મન, વચન અને કાયાની ચેષ્ટાનો
સંહાર કરી શિથિલપણાથી મનરૂપી શલ્યને જુદું કરેલું છે. હે નાથ ! તમારી ઇન્દ્રિ સંમત પણ નથી તેમજ ઉખલ પણ નથી, એમ સમ્યફ પ્રકારે પ્રતિપાદન કરીને “ તમે ઈન્દ્રિયેને જય કરેલો છે. જેના જે આઠ અંગ કહેલા છે તે તે ફક્ત પ્રપંચ “ માત્ર છે, નહીં તો એ યોગ બાળપણથી આરંભીને તમારી સામ્યતાને કેમ પ્રાપ્ત “ થાય ? હે સ્વામીન ! લાંબા કાળાથી સાથે રહેનારા વિષયમાં તમને વિરાગ છે અને અદષ્ટ “ એવા યુગમાં સામ્યપણું છે; એ અમને તે અલૌકિક લાગે છે. જેવો તમે અપકાર , “ કરનાર ઉપર રાગ ધરે છો તે બીજાએ ઉપકાર કરનાર ઉપર પણ રાગ ધરતા “ નથી; અહો ! તમારું સર્વ અલૌકિક છે ! હે પ્રભુ ! તમે હિંસક પુરૂષના ઉપર
ઉપકાર કર્યો અને જે આશ્રિત હતા તેમની ઉપેક્ષા કરી; એવા તમારા વિચિત્ર ચરિત્રને “ કેણુ અનુસરી શકે ? હે ભગવન્ ! પરમ સમાધિમાં તમે તમારા આત્માને એવી રીતે
જોડી દીધો છે કે જેથી ‘હું સુખી છું કે દુઃખી છું અથવા સુખી કે દુઃખી નથી” એમ તમારા મનમાં પણ આવતું નથી. જેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રિપુટી એકાત્માને પામેલી છે એવા તમારા યોગના મહાસ્ય ઉપર બીજાઓને કેમ શ્રદ્ધા આવે ?
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર વિરામ પામ્યા; એટલે પ્રભુએ એક જન સુધી પ્રસરતી ગંભીર ગિરાથી દેશના આપવી શરૂ કરી.
* આ સંસાર એક વિપત્તિની ખાણરૂપ છે. એમાં પડતા મનુષ્યને પિતા, માતા, મિત્ર, બંધુ કે બીજા કોઈ પણ શરણરૂપ થતા નથી. ઈદ્ર અને ઉપેદ્રાદિ જેવા પણ જે મૃત્યુના સપાટામાં આવે છે તે મૃત્યુને પણ પીડા કરનાર એ કે પુરૂષ શર– શેરછુ જનને શરણ કરવા લાયક છે ? અહા ! આ સંસારમાં પિતા, માતા, બહેન, “ ભાઈ અને પુત્ર જોઈ રહે છે, અને રક્ષણ વગરના આ જીવને તેનાં કર્મો યમરાજના
ગૃહમાં દેરીને લઈ જાય છે. મૂઢ બુદ્ધિવાળા પુરૂષ, પિતાના કર્મોથી મૃત્યુને પામતા “ એવા સ્વજનને જોઈ શક કરે છે, પણ તેઓ પોતાના આત્માને પણ કર્મો તેવી જ રીતે લઈ જશેએમ શોક કરતા નથી. મોટા ભયંકર જગલમાં મૃગના બચ્ચાની જેમ
દુ:ખરૂપી દાવાનલની પ્રજવલિત જવાળાઓથી વિકરાળ એવા આ સંસારમાં પ્રાણીને “ કોઈપણ શરણભૂત નથી. અષ્ટાંગ આયુર્વેદથી, સંજીવની ઔષધીઓથી અને મૃત્યુંજયાદિક મંત્રો વડે પણ મૃત્યુથી રક્ષણ થતું નથી. ખડગના પાંજરાના મધ્ય ભાગમાં રહેલા
Page #51
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જો
२४
66
“ અને ચતુરંગસેનાથી વિંટાયેલા માટા રાજાને પણ યમરાજના કિંકરા રાંકની પેઠે હઠથી ખે`ચી જાય છે. જેમ પશુ મૃત્યુથી બચવાના ઉપાય જાણતા નથી તેમ વિદ્વાના પણ જાણતા નથી, એ કેવી મૂઢતા કહેવાય ? જેએ ખડગ માત્રના સાધનથી “ પૃથ્વીને નિષ્કંટક કરે છે, તે યમરાજની ભ્રુકુટીથી ભય પામીને મુખમાં આંગ
66
66
નીએ ઘાલે છે, એ કેવી વિચિત્ર વાર્તા ! પાપરહિત મુનિઓના ખડગની ધારા જેવા ત્રતા પણ મૃત્યુને ઉપાય કરી શકતા નથી. અહા ! શરણુ વિનાનું, રાજા વિનાનું,
(6
નાયક વિનાનું અને ઉપાય વગરનું આ જગત્ યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય “ છે ! ! જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મૃત્યુની સામે ચાલતા નથી; પણ તે ઉપાય શુભ “ ગતિને આપનારો ગણાય છે; તેથી પ્રવ્રજ્યા રૂપ ઉપાયને ગ્રહણ કરીને જેમાં અક્ષય 66 સુખ છે એવા મેાક્ષને માટે પ્રયત્ન કરવા.’
આવી પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાલ દીક્ષા લીધી, અને વજ્રનાભ વિગેરે એકસો ને સાળ ગણધરા થયા. તેમને વિધિ પ્રમાણે અનુયાગ અને ગણની અનુજ્ઞા આપીને પ્રભુએ શિક્ષારૂપ ધ દેશના આપી. પછી પ્રભુએ જન્મ, વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેઓને કહી બતાવી; તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. થાડીવારે પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી રાજાએ અલિ મગાવી. તેને ઉડાડી દેવતા, રાજા અને મનુષ્ય અનુક્રમે લઈ ગયા. પછી જગત્પતિ ત્યાંથી ઉઠીને વચલા કિશ્ચામાં આવી ઇશાન દિશામાં રહેલા દેવછંદા ઉપર વિરાજમાન થયા. પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને વજ્રનાભ ગણધર કે જેઓને લેાકાએ કેવલી જેવા જાણેલા હતા અને જે શ્રુતકેવલી હતા તેમણે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી. તે વખતે દેવતા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરી પોતપોતાને સ્થાનકે ગયા.
તેમના તીમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળા, હાથીના વાહન ઉપર બેસનાર, એ દક્ષિણ ભુજાઓમાં બીજોક્ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામ ભુજાઓમાં નકુલ અને અકુશને રાખનાર યક્ષેશ્વર નામના યક્ષ થયા, કે જે હમેશાં પ્રભુની પાસે સેવામાં તત્પર રહેતા હતા; અને શ્યામ વર્ણવાળી, કમળના આસનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી અને એ વામનુજામાં નાગ અને અંકુશ ધારણ કરનારી કાલિકા નામે એક નિત્ય પ્રભુને પાસે રહેનારી શાસનદેવતા થઈ. ચાત્રીશ અતિ શયા એ યુક્ત એવા પ્રભુ ગ્રામ, આકર અને નગર વિગેરેમાં પ્રાણીઓને બેધ કરતા વિહાર કરવા લાગ્યા.
ત્રણ લાખ સાધુઓ, છ લાખ ને ત્રીશહજાર સાધ્વી, નવહજાર ને આડસે અવિધજ્ઞાનીઓ, એક હજાર ને પાંચશે. ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસેા ને પચાસ મનઃપ ય જ્ઞાની, ચૌદહજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને અઠયાસી હજાર શ્રાવકે અને પાંચ લા ખને સત્યાવીશ હજાર શ્રાવિકાઓ-આટલા પરિવાર પ્રભુને પૃથ્વીમાં વિહાર કરતા કરતા થયા. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂર્વાંગ અને અઢાર વર્ષે ઊણા લાખ પૂર્વ વ્યતીત થયે સતે પોતાનો નિર્વાણકાલ સમીપ જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યા ઇદ્ર સહિત દેવતાઓ અને રાજાઓએ સેવેલા પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન ગ્રહણ કર્યુ. પછી ભવાપગાહી કમને ભેદનારા એવા શૈલેશી ધ્યાનપર આરૂઢ થઈ અનંત
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૫
પર્વ ૩ ચતુષ્કને સિદ્ધ કરી ભગવાન્ અભિનંદન પ્રભુ, શૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં એક સહસ્ત્ર મુનિએ સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા.
કુમાર અવસ્થામાં સાડાબાર લાખ પૂર્વ, રાજ્યમાં આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીશ લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પૂર્વાગે ઊણા એક લાખ પૂર્વ—એકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સંભવસ્વામીના નિર્વાણ પછી દશ લાખ ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા.
શ્રી અભિનંદન સ્વામીએ કાળ કર્યા પછી સુરઅસુરએ તેમનો અને બીજા મુનિઓનો અંગસંસ્કાર કર્યો, અને પ્રભુની દાઢ, દાંત અને અસ્થિ તેઓ પૂજનને માટે લઈ ગયા. પછી તેઓ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહંતના બિંબને અષ્ટાબ્લિક ઉત્સવ કરી પોતપોતાના દેવલોકમાં ગયા, અને નિર્વાણ સ્થાનકે આવેલા રાજાએ પોતપોતાની રાજધાની ઓ માં ગયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीअभिनंदनस्वामिचरित
वर्णनो नाम द्वितीयः सर्गः
Page #53
--------------------------------------------------------------------------
________________
તૃતીય સ
શ્રી સુમતિનાથ ચરિત્ર
આ અપાર સ’સારરૂપી મહાસાગરને ઉતરવામાં સેતુ (મયાર્દા) રૂપ ઉત્કૃષ્ટ જ્ઞાનના હેતુ એવા શ્રી સુમતિનાથ ભગવાનને નમસ્કાર કરી, ભવ્ય પ્રાણીઓના કલ્યાણરૂપ વૃક્ષને ઉછેરવામાં નીકના જળ જેવું એ પ્રભુનું ચરિત્ર તેમના પ્રસાદથી કહેવામાં આવશે.
આ જંબૂદ્વીપમાં પુષ્કળ ઋદ્ધિથી પૂવિદેહમાં તિલકરૂપ પુષ્કલાવતી નામે એક વિજય છે. એમાં શખપુર નામે એક સુંદર નગર છે. તેમાં મેટા રૌત્ય અને હવેલીઓની વિચિત્ર ઘ્વજાએથી બધું આકાશ વ્યાપ્ત થયેલું રહે છે. તે નગરમાં વિજય કરનાર વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ભુજવી થી શાભનારા એ રાજાને સૈન્ય ફકત શાભાને માટેજ હતુ. સર્વાં 'ત:પુરની સ્ત્રીએમાં આભૂષણરૂપ મુદ્રના નામે એક તેને પ્રિયા હતી, જે ચંદ્રની લેખાની જેમ હમેશાં સુદેશ ના॰ હતી. તિ સાથે કામદેવની જેમ વિસ્તૃત વૈભવવાળા વિજયસેનરાજા તેની સાથે ક્રીડા કરતા પેાતાના સમય નિગમન કરતા હતા.
એક વખતે કેઇ ઉત્સવના દિવસ આવતાં નગરના લોકો સર્વ સમૃદ્ધિ અને પરિવાર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. તે વખતે જાણે મૂર્તિમાન રાજ્યલક્ષ્મી હોય તેવી સુદના રાણી પણ છત્રચામરથી અલ'કૃત એવી એક હાથિણી ઉપર બેસીને તે ઉદ્યાનમાં આવી; ત્યાં જાણે દિક્કન્યાઓ હોય તેવી અમુલ્ય આભૂષણેાની શાભાને ધારણ કરનારી આઠ સ્ત્રીએથી પરવરેલી કાઇ એક સ્ત્રી તેના જોવામાં આવી. અપ્સરાએ જેમ ઇંદ્રાણીની ઉપાસના કરે તેમ એ આઠ વધૂઓએ ઉપાસના કરાયેલી એ સુંદર સ્ત્રીને જોઇને સુદર્શના પોતાના ચિત્તમાં પરમ વિસ્મય પામી, આ સ્ત્રી કેણુ છે, અને તેની પાસે રહેલી બીજી આઠ માળાએ કાણુ છે” એ જાણવા માટે દેવી સુદર્શનાએ પાતાના એક નાજરને તપાસ કરવાની આજ્ઞા આપી. ત્યાં જઈ પૂછી આવીને દેવી સુદનાને તે કહેવા લાગ્યા-હે મહારાજ્ઞિ ! એ સ્ત્રી આ નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી ના પેણની સુલક્ષણા નામે સ્ત્રી છે. એ સુલક્ષણાને બે પુત્રા છે, અને તે પ્રત્યેક પુત્રાને ચાર ચાર સ્ત્રીઓ છે. તે આઠ સ્ત્રીએ દાસીની જેમ પેાતાની સાસુની સેવા કરવાને અહી' સાથે આવેલી છે.' આ પ્રમાણે સાંભળીને સુદશના ચિત્તમાં વિચાર કરવા લાગી કે ‘અહા ! આ શેઠાણીને ધન્ય છે કે જે પુત્રનું સુખ જુએ છે, અને જાણે નાગકન્યા હાય તેવી સ્વરૂપવાન અને કુલવાન આઠ પુત્રવધૂએ જેની સદા સેવા કરે છે. મારા જેવી પુણ્ય રહિત સ્ત્રીને ધિક્કાર છે કે જેને પુત્ર કે પુત્રવધૂ કાંઇ નથી. જોકે હું મારા પતિને એક હૃદય રૂપ છું તાપણુ મારૂ જીવિત વૃથા છે. આમ તેમ પોતાના હાથને ઉછાળતા અને ચારે તરફ ધૂળીથી ધૂસર થયેલા પુત્ર વૃક્ષ ઉપર વાનરની જેમ પુણ્યવતી સ્ત્રીઓના ઉત્સગમાંજ ક્રીડા કરે છે. ફળ વિનાની વલ્લીની જેમ અને જળ વિનાના પર્વતની જેમ પુત્ર વિનાની સ્ત્રીઓ શાક કરવા લાયક અને નિંદવા લાયક છે. જે સ્ત્રીઓને પુત્રના જન્મ, નામ, ચૌલ અને વિવાહાદિ સંસ્કારના મહાત્સવેાની પ્રાપ્તિ નથી તે સ્ત્રીઓને બીજા ઉત્સવેા શા કામના છે !’
૧ સારૂં છે દંન જેવું એવી.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૭
પર્વ ૩જું આ પ્રમાણે વિચારતી સુદર્શના દેવી હિમથી પીડાયેલી પદ્મિનીની પેઠે કરમાઈ ગયેલ મુખવાળી થઈ ખેદ સહિત પોતાના ભુવનમાં પાછી આવી. પોતાની પ્રિય સખીઓને વિદાય કરી જાણે વ્યાધિવાળી હોય તેમ નિઃશ્વાસ મૂકતી શય્યા ઉપર પડી. ત્યાં તે કાંઈપણ બેલતી નહોતી, ખાતી નહતી અને કાંઈ શંગાર પણ કરતી નહતી. કેવળ રત્નની પુતળીની જેમ શૂન્ય મનથી પડી રહેલી હતી. પરિવારના મુખથી તેની તેવી સ્થિતિ જાણીને મહારાજા વિજયસેન ત્યાં આવી પ્રેમયુક્ત કોમળ ગિરા વડે કહેવા લાગ્યા–“હે દેવિ ! હું પોતે તારે આધીન છતાં તારે કર્યો મનોરથ અપૂર્ણ છે કે જેથી મરુસ્થળમાં પડેલી હસલીની જેમ તુ તરફડે છે? શું તને કાંઈ અંતરની પીડા છે? અથવા કેઈ નવીન વ્યાધિ થયેલ છે ? વા કેઈએ તારી આજ્ઞા ઉલ્લંઘન કરી છે કે તે કઈ દુઃસ્વપ્ર જોયેલું છે ? વા કોઈ બાહ્ય કે અત્યંતર અપશુકન થયેલ છે ? જે કાંઈ પણ તને ખેદ થવાનું કારણ હોય તે કહી દે. મારી પાસે તારે કાંઈ પણ છાનું રાખવું ન જોઈએ.” સુદર્શન નિઃશ્વાસ મૂકી ગદગદ સ્વરે બોલી - હે પ્રિયનાથ ! તમારા પ્રસાદથી તમારી જેમ મારી આજ્ઞાને કેઈએ પણ ખંડિત કરી નથી, તેમ આધિ, વ્યાધિ, દુ:સ્વમ, અપશુકન કે બીજું કાંઈ પણ મને પીડા કરતું નથી; પણ એક બાબત મને ઘણી પીડા કરે છે, તે એ છે કે જયાં સુધી આપણે પુત્રનું મુખ જોયું નથી ત્યાં સુધી રાજ્યસંપત્તિ. વિષયસુખ અને આપણી બંનેની પ્રીતિ એ સર્વ વ્યર્થ છે. જેમ નિર્ધન પુરૂષ લશ્મીવાનની લક્ષમીને જોઈને તેની ઈચ્છા રાખે છે તેમ પુત્રવાળાના પુત્રોને જોઈને હું પણ તેવી રીતે જ ઈચ્છા રાખું છું, એ કેટલી બધી ખેદની વાત છે ! જે આપણે મનરૂપી તાજવામાં એક તરફ સર્વ સુખ અને એક તરફ પુત્રપ્રાપ્તિનું સુખ અધિક થશે. વનમાં પુત્ર પરિવાર સાથે ફરતા એવા મૃગાદિક પશુ સારા છે, પણ પુત્ર રહિત એવા આપણને ધિક્કાર છે ! કારણકે તેમનાથી પણ આપણું ભાગ્ય અ૯પ છે.” - પછી રાજા બે -“હે દેવિ ! તમે ધીરા થાઓ, દેવતાનું આરાધન કરીને હું તમારે મનોરથ થોડા સમયમાં પૂર્ણ કરીશ. જે પરાક્રમથી અસાધ્ય છે, જે બુદ્ધિથી અગેચર છે, જે મંત્રનો વિષય નથી, જે તંત્રથી દૂર છે, અને બીજા ઉપાથી પણ જે અગમ્ય છે તેવા પુરૂષાર્થને પ્રસન્ન થયેલા દેવી દેવતાઓ સાધી આપે છે. હે માનિની ! આ તમારે મને રથ હવે સિદ્ધ થઈ ચુકયો છે એમજ જાણે, હવે શેક શા માટે કરે છે ? હું પુત્રને માટે ઘણું કરીને આપણી કુલદેવીની પાસે જ જઈને બેસીશ.”
એવી રીતે રાણીને ધીરજ આપી વિજયસેન રાજા સ્નાન કરી, પવિત્ર વષ પહેરી પોતાના મંદિરમાંથી નીકળી કુલદેવીને સ્થાનમાં ગયે. ત્યાં તે કુળદેવતાની પૂજા કરી પુત્રને લાભ થાય ત્યાંસુધી અન્નપાનનો ત્યાગ કરીને દઢ નિશ્ચય ધરાવી બેઠે. જ્યારે છો ઉપવાસ થયો ત્યારે કુલદેવી પ્રત્યક્ષ થઈ, અને “હે મહીપતિ ! વરદાન માગ’ એમ પ્રસન્ન થઈને કહ્યું. રાજા વિજયસેન દેવીને નમસ્કાર કરીને બોલ્યા- હે કુલદેવી! આપ પ્રસન્ન થઈને સર્વ પુરૂષમાં ઉત્કૃષ્ટ એવા પુત્રલાભને આપો.” “દેવલોકમાંથી આવીને કઈ ઉત્તમ દેવતા તમારે પુત્ર થશે” એવું વરદાન આપી કુલદેવી તત્કાલ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ દેવીના આપેલા વરદાનની વાર્તા પિતાની પ્રિયાને કહી. તેથી મેઘની ગર્જનાથી બગલીની જેમ તે વાર્તાથી રાણી ઘણો હર્ષ પામી. બીજે જ દિવસે ઋતુનાત થયેલા સુદર્શન દેવીની કુક્ષિમાં દેવલોકમાંથી ચવીને કઈ મહદ્ધિક દેવતા ઉત્પન્ન થયે. તે વખતે સુતેલા મહાદેવીએ કેશરના જેવી રાતી કેશરાવાળો એક કિશોર કેશરીસિંહ પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. તરતજ ભય પામેલા રાજ્ઞીએ શમ્યા ઉપરથી બેઠા થઈને પિતાના મુખમાં થયેલા સિંહના
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
સર્ગ ૩ જે પ્રવેશની સ્વપ્રવાર્તા રાજાને કહી. એ સાંભળી મહારાજા બોલ્યા- હે દેવિ ! આ સ્વમાએ કુલદેવીના વરદાનરૂપી વૃક્ષનું એવું ફળ પ્રકાશિત કર્યું છે કે સિંહના જે પરાક્રમી તમારે એક પુત્ર થશે.” આ સ્વમને વિચાર સાંભળી રાણી ઘણા ખુશી થયા, અને બાકીની રાત્રિ શુભ કથાઓ કરતાં જાગ્રતપણેજ નિર્ગમન કરી.
ઉત્તમ સરિતાના જળમાં સુવર્ણના કમળની જેમ દેવીની કુક્ષિમાં તે ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યું. એક વખતે દેવી પિતાને ઉત્પન્ન થયેલા દેહદ મહારાજા કહેવા લાગ્યા કે -હું સર્વ પ્રાણીઓને અભય આપવાને ઇચ્છું છું, સર્વ નગર વિગેરેમાં અમારી શેષણ કરવાને ઈચ્છું છું, અને સમગ્ર જિનચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવો કરવાની અભિલાષા રાખું છું.' રાજાએ કહ્યું- “હે દેવિ ! ગર્ભના પ્રભાવથી કુલદેવીને વરદાનને અને સ્વપ્રાર્થને સત્ય કરનાર એવા આ તમારા દેહદ છે. ઉત્તમ ઈરછાવાળા ! ગર્ભના પ્રભાવથીજ તમારી આવી ઈચ્છા થઈ છે, કારણકે પ્રતિમાને પ્રભાવ અધિષ્ઠાયક દેવને ઉચિતજ થાય છે. આ પ્રમાણે કહીને રાજાએ ભય પામેલાઓને અભયદાન આપ્યું, પટહ વગડાવીને સર્વ ઠેકાણે અમારીૉષણા પ્રવર્તાવી, અને અષ્ટપ્રકારી પૂજાથી તથા દિવ્ય સંગીતથી દરેક રૌમાં અષ્ટાબ્લિક ઉત્સવે કરાવ્યા.
એ દેહદ પૂર્ણ થવાથી પૂર્ણ ચંદ્રના જેવા ઉજવળ મુખવાળી દેવી પ્રસન્ન થઈ, અને સમય આવે ત્યારે વેલ જેમ ફળને જન્મ આપે તેમ એક પુત્ર રત્નને તેણે જન્મ આપ્યું. તે વખતે સર્વ રાજાઓમાં શિરોમણિ વિજયસેન રાજાએ ચિંતામણિ રત્નની જેમ ઉષણ કરાવીને યાચકોને ઈચ્છિત દાન આપવા માંડયું, અને હૃદય રૂ૫ સમુદ્રને ચંદ્ર સમાન મોટો મહોત્સવ કર્યો. તે પછી તેવીજ રીતે સ્વજનની જેમ નગરજનોએ પણ મહોત્સવ કર્યો. પછી દેવીના સ્વપ્નને અનુસરીને મહારાજાએ પુત્રનું પુરૂષસિંહ એવું મનહર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી વિશાળ ભુજાવાળે એ કુમાર રૂપથી, કળાથી અને કુળથી પિતાને સદશ એવી રાજાઓની આઠ કન્યાઓ પરણ્યા. અપ્સરાઓની સાથે દેવની જેમ તેઓની સાથે વિજયસેન રાજાને કુમાર ક્ષણે ક્ષણે ક્રીડા કરતે વિષયસુખ ભોગવવા લાગ્યા.
એક વખતે જાણે સાક્ષાત્ વસંત હોય અથવા જાણે સાક્ષાત્ વસંતનો મિત્ર કામદેવ હોય તે એ કુમાર સ્વેચ્છાથી કીડા કરવાને ઉદ્યાનમાં ગયે. ત્યાં રૂપથી અને શમથી આનંદને જય કરનાર વિનયનંદન નામના સૂરિને મસરેલા તેણે જાયા. તેમને જોતાં જ જાણે અમૃતનું પાન કર્યું હોય તેમ કુમારનાં લેાચન, હૃદય અને બીજાં અંગો પણ પૂર્ણ વિકાશ પામ્યાં, ક્ષણવાર તેમને નીરખી રાજકુમાર વિચારવા લાગ્યું કે “જેવું વેશ્યાની પાસે રહીને સતીવ્રતનું પાળવું, ચોરની પાસે રહીને નિધાનનું ગોપવવું, યુવાન મારી પાસે રહીને અમૃતના આસવનું રક્ષણ કરવું અને ડાકણની પાડોશમાં રહીને પિતાની કુશળતા સાચવવી મુશ્કેલ છે, તેવી જ રીતે આ મુનિનું અનુપમ ર૫ અને યૌવનવય જતાં વિષયવૃત્તિરૂપ ઉન્માદને હેતુ ઉદય પામે તેવું જણાય છે તે છતાં આવા કઠિણ વ્રતનું ધારણ કરવું દેખાય છે તે તેવું જ મુશ્કેલ છે. હેમંતઋતુમાં હેમ, ગ્રીષ્મઋતુમાં સૂર્યનો તાપ અને વર્ષાઋતુમાં ઝંઝાવાત સહન થઈ શકે પણ યૌવનમાં કામદેવને ઉપદ્રવ સહન થઈ શકતો નથી. તે છતાં આવા કામદેવને જીતનારા મુનિ, આજે પુણ્યાનુબંધી પુણ્યથી ભાગ્યયેગે મારા જેવામાં આવ્યા છે કે જેઓ માતા, પિતા કે ગુરૂ હોય તેમ મને પ્રીતિ ઉત્પન્ન કરે છે.” આ પ્રમાણે વિચાર કરી રાજકુમાર સત્વર તેમની પાસે આવ્યા, અને હૃદયને આનંદ
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૯
પર્વ ૩ જીં
આપનારા એ વિનયનંદન મુનિને તેણે વંદના કરી. મુનિએ કલ્યાણરૂપી અંકુરને ઉત્ત્પન્ન કરવામાં મેઘષ્ટિ જેવી ધ લાભરૂપ આશિષ આપીને રાજપુત્રને આનંદિત કર્યા. પછી કુમાર નમસ્કાર કરી બાલ્યા‘હે મુનિરાજ ! નવયૌવનવાન્ છતાં તમે આવું વ્રત ધારણ કરેલુ છે તે જોઈને મને આશ્ચય થાય છે. આવી વયમાં તમે યત્ન પૂર્વક વિષયેાથી વિમુખ થયા છે તે વિષયાના કમ્પાકના ફળની જેવા માઠા વિપાક હું જાણું છું. આ સંસારમાં હું પણુ કિંચિત્માત્ર સાર જોતા નથી, પરંતુ તેવા સંસારને પરિહાર કરવાને આપના જેવા વિરલા પુરૂષોજ ઉદ્યુક્ત થાય છે. હે સ્વામી! આપ આ સંસાર તરવાના ઉપાય મને બતાવા અને સા વાહ જેમ વટેમાર્ગુને લઇ જાય. તેમ તમે મને તમારે માગે લઈ જાઓ. હે મહા મુનિ ! કાંકરાને શેાધતાં જેમ પર્યંત ઉપરથી માણિકય મળી જાય, તેમ ક્રીડા કરવાને આવેલા મને અહીં તમે પ્રાપ્ત થયા છે.’
આવી રીતે જ્યારે રાજકુમારે કહ્યું ત્યારે કામદેવના શત્રુ એવા એ મહામુનિ નવીન મેઘના જેવી ગ’ભીર ગીરાથી આ પ્રમાણે બાલ્યા“જેમ માંત્રીક પુરૂષને સર્વ ભૂત પિશાચ શાંતિને માટે થાય છે તેમ બૈરાગ્યવાન્ પુરૂષને યૌવન, ઐશ્વર્ય અને રુપાદિક જે મદનાં સ્થાન છે તે શાંતિને માટે થાય છે; શ્રી ભગવતે સંસાર રૂપ સમુદ્રને તરવામાં ઉત્તમ વહાણની જેવા અતિધર્મ કહેલા છે. એ યતિધર્મ સયમ,૧ સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા, આવ૪ અને મુક્તિપ એ દશ પ્રકારના છે. પ્રાણાતિપાત નિવૃત્તિ એ સયમ; અસત્ય વચનને પરિહાર કરવા તે અમૃષાવાદ; અદત્તાદાન ( ચારી ) વને સયમની શુદ્ધિ રાખવી તે શૌચ; નવ ગુપ્તિ સહિત કામ–ઇ દ્રિયને સંચમ કરવા તે બ્રહ્મચર્યાં; શરીર વિગેરેમાં પણ મમતારહિતપણુ' તે અકિચનતા; અનશન, ઔનેાદરી, વ્રુત્તિસંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ અને સલીનતા એ છ પ્રકારે ખાદ્યુતપ અને પ્રાયશ્ચિત્ત, હૈયાનૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયાત્સગ અને શુભધ્યાન એ છ પ્રકારે આભ્યંતર તપ-તે બંને મળી બાર પ્રકારે તપ; શક્તિ વા અશક્તિ છતાં ક્રોધને નિગ્રહ કરી સહન કરવું તે ક્ષમા; માનને જય કરી મઢના દોષના ત્યાગ કરવા તે મૃદુતા; માયાને જીતીને મન, વચન, કાયાથી વક્તાને છેડી દેવી તે આવ; અને બાહ્ય તથા અભ્યંતર વસ્તુઓમાં તૃષ્ણાના વિચ્છેદ્ર તે મુક્તિ; એ દશ પ્રકારને ધર્મ સસારસમુદ્રથી પાર ઉતારવામાં સમર્થ છે, અને એ નિર્દોષ ધર્મ ચિંતામણિ રત્નની જેમ આ જગમાં પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે મુનિરાજની વાણી સાંભળી રાજકુમાર પુરૂષસિંહ વિનય પૂર્વક આ પ્રમાણે ખેલ્યા-“હે પ્રભુ! નિર્ધનને ધનનો ભંડાર બતાવવાની જેમ આપે આ ધર્મ મને સારી રીતે બતાવ્યા છે. પણ એ ધમ ગૃહવાસમાં રહીને આચરી શકાતા નથી; કારણકે ગૃહવાસ સંસારરૂપી વૃક્ષનો એક ઉત્તમ દાહદ છે. પણ હે ભગવંત! આ સંસાર રૂપી દુર્ગામના નિવાસથી
તેા ઉદ્વેગ પામ્યા છે, માટે મને ધર્મરાજાની રાજધાની રૂપ દીક્ષા આપો.” રાજપુત્રનાં વચન સાંભળી વિનયન'દન સૂરિ મેલ્યા-“હે રાજકુમાર ! આ તમારા મનોરથ ઘણા શ્રેષ્ઠ અને પુણ્યસ`પત્તિને સાધનારો છે. માટી બુદ્ધિવાળા, વિવેકી અને દૃઢ નિશ્ચય રાખનારા હે મહાસત્વ ! તમે વ્રતનો ભાર ધારણ કરવાને યેાગ્ય છે તેથી તમારા મનોરથ અમે પૂર્ણ કરશું. પરંતુ પ્રથમ તમે નગરમાં જઈ તમારા પુત્રવત્સલ માતાપિતાની રજા લઈને આવા; કારણકે જગત્માં પ્રાણીને પહેલા ગુરૂ માતાપિતા છે.'' મુનિનાં એવાં વચન સાંભળી પુષિસંહ નગરમાં ગયા, અને માતાપિતા પાસે જઈ પ્રણામ કરી અંજલિ જોડી દીક્ષા
૧ અહિંસા. ર્ અચૌ`. ૩ નિરભિમાનતા. ૪ સરલતા. ૫ નિલેૉંભતા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૦
સતૢ૩ જો
લેવાની આજ્ઞાને માટે વિજ્ઞપ્તિ કરી, પુત્રનું એવુ વચન સાંભળી તેઓએ કહ્યું “હે વત્સ ! આ વખતે તને દીક્ષા લેવી યુક્ત નથી. કારણકે પાંચ મહાવ્રતના ભાર વહન કરવા ઘણા મુશ્કેલ છે. સ`ચમી પુરૂષને પેાતાના દેહમાં પણ મમતા છેાડી અને રાત્રિભોજનથી વિરામ પામી, ખેડતાલીશ દાષાથી રહિત એવા પિંડનું ભાજન કરવુ પડે છે. નિત્ય ઉદ્યોગી, મમતા રહિત, પરિગ્રહે વર્જિત અને ગુણમાં તત્પર એવા મુનિને પાંચ સમિતી અને ત્રણ ગુપ્તિએ સદા ધારણ કરવી પડે છે. વળી વિધિપૂર્વક માસાદિક પ્રતિમા તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી અનેક પ્રકારના અભિગ્રહ કરવા પડે છે. યાવજજીવિત સ્નાનનો ત્યાગ, પૃથ્વી ઉપર શયન, કેશનો લેાચ, શરીરનો અસત્કાર, ગુરૂકુલમાં સદાનિવાસ, પરીષહ અને ઉપસૌની અનુમાદન સહિત સહનતા અને અઢાર હજાર શીલના અંગનું અવધારણ, ઇત્યાદિક સર્વાં નિયમા દીક્ષા લેવાથી પાળવા પડે છે. હે સુકુમાર કુમાર! એ પ્રમાણેના નિરંતર નિયમા પાળવા તે લેાઢાના ચણા ચાવવા છે, બે હાધથી અપાર સમુદ્રને તરવાનો છે, ખડુની તીક્ષ્ણ ધારા ઉપર ચરણુથી ચાલવાનું છે, અગ્નિની જવાળાનું પાન કરવાનું છે, તાજવા ઉપર મેરૂપ ત તાળવાનો છે, મેાટી નદી સામે પૂરે તરવાની છે, એકલે પડે ખલવાન શત્રુઓનુ સૈન્ય જીતવાનું છે, અને ક્રતા ચક્ર ઉપર રહેલ રાધાવેધ કરવાનો છે. ગ્રહણ કરેલી દીક્ષા જે યાવજ્રવિત પાળવી તેજ માટુ' સત્વ, તેજ અગાધ કૌય, તેજ મેાટી બુદ્ધિ અને તેજ મેાટુ' બળ છે.”
આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળી રાજકુમાર પ્રસન્ન થઇ બોલ્યા- “હે પૂજયપાદ ! આપ કહો છે. તે ખરખર છે. દીક્ષા પાળવી તેવીજ કઠણ છે, પણ હુ· આપને વિજ્ઞપ્તિ કરૂ છું કે સંસારમાં નિવાસ કરવાથી ઉત્પન્ન થતા કષ્ટાની આગળ દીક્ષાનુ કષ્ટ એક સેમે ભાગ પણ નથી. વચનથી ન કહી શકાય અને શ્રવણથી ન સાંભળી શકાય તેવી પ્રત્યક્ષ નરકની વેદના તા દૂર રહી, પણ આ લેાકમાં નિરપરાધી તિય ચ જાતિને ખધન, છેદન અને ત નાર્દિકની દુઃસહ પીડાઓ; મનુષ્યાને કુષ્ટાદિક વ્યાધિની પીડા, કેદખાનુ', અંગનુ કતરાવુ, ત્વચા ઉખડાવવી, શરીર ખાળી દેવું અને મસ્તક છેદન કરવુ' ઇત્યાદિક વેદનાએ; અને સ્વર્ગવાસી દેવતાઓને પ્રિયજનોનો વિયાગ, શત્રુથી પરાભવ અને ચ્યવનના જ્ઞાનથી થતું દુ:સહ દુઃખ જોવામાં આવે છે.’ રાજકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું, ત્યારે પુત્રને સાબાશી આપી ખુશી થઈને તેઓએ વ્રત લેવાની આજ્ઞા આપી. પછી પિતાએ હર્ષથી જેના નિષ્ક્રમહાત્સવ કરેલા છે એવા રાજપુત્ર ફળના અથી જેમ વનસ્પતિ પાસે જાય તેમ દીક્ષાને અર્થે મુનિની પાસે આવ્યે. ત્યાં સામાયિક ઉચ્ચરી પુરૂષસિંહ કુમારે વિનયનંદન મુનિના ચરણકમળની પાસે ભવસાગર તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરી. પ્રમાદરહિત સવ પ્રાણીની રક્ષા કરતા એ રાજકુમારે રાજની જેમ દૃઢપણે દીક્ષાનુ પ્રતિપાલન કર્યું; તે સાથે વીસ્થાનકેામાંથી કેટલાએક સ્થાનકો આરાધીને તેણે ઉજ્જવળ એવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું... ઘણા કાળ પર્યં ત વિહાર કરી છેવટે અનશનથી કાળ કરીને વૈજયંત વિમાનમાં મહાદ્ધિક દેવતાપણે ઉત્પન્ન થયા.
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર માટી સંપત્તિએના સ્થાનરૂપ વિનીતા નામે નગરી છે. જાણે બીજા દ્વીપામાંથી ચ'દ્રોના બિંબ લાવીને રચેલા હોય તેવા રૂપાના કાંગરાથી એ નગરીની આસપાસ એક મોટા કિલ્લા શાભતા હતા. અનેક પ્રકારનાં રત્નાના ભડાર રૂપ એ નગરીમાં રાજાઓએ રક્ષાને માટે એક બીજો રૂપાના કિલ્લા કરેલા હતા તે જાણે શેષનાગ કુંડલાકારે થઈ તેની રક્ષા કરતા હોય તેમ જણાતા હતા. ત્યાં રહેલા ચુનાદાર મહેલા
Page #58
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
૩૧
ના રત્નના છજા ઉપર પડતા ચંદ્રના પ્રતિબિંબને ગૃહના મા દહીંનો પિંડ જાણીને ચાટતા હતા. ત્યાં ક્રિીડાના શુકપક્ષીઓ ઘેરઘેર “અહંતદેવ અને સાધુ ગુરૂ' એમ પઢતા હતા, અને તેને જ સાંભળતા હતા. દરેક વાસગૃહમાં બાળવામાં આવતા અગરૂધૂપમાંથી નીકળતી ધુમાડાની શ્રેણીઓ આકાશમાં તમાલ વૃક્ષના વનને દેખાવ વિસ્તારતી હતી. જળના રેંટમાંથી ઉછળતા બિંદુઓથી છવાઈ રહેલા ત્યાંના ઉદ્યાનોની અંદર જાણે શીતથી ભય પામતા હોય તેમ સૂર્યકિરણો કદાપિ પેસી શકતા નહીં. એ નગરીમાં ઈવાકુ વંશમાં તિલકરૂપ મેઘ નામે રાજા હતો, જે મહામેઘની પેઠે સર્વ જગતને આનંદ આપતો હતો. એ રાજાની રાજલક્ષ્મી ચાચકોને કૃતાર્થ કરવાને માટે સદૈવ આપવામાં આવતી હતી, તે છતાં પણ નિકના જળની પેઠે તે અતિશય વૃદ્ધિ પામતી હતી. બીજા રાજાઓ આવીને પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી મેઘરાજાને નમતા હતા અને વસ્ત્ર, અલંકાર તથા રત્નાદિકના ભટણાથી તેનું અર્ચન કરતા હતા. મધ્યાન્હને સૂર્ય જેમ દેહની છાયાને સંકોચ કરે તેમ તેનો પ્રસરતે પ્રતાપ શત્રુઓની લમીન સંકોચ કરતો હતો. મેટી સમૃદ્ધિથી, મોટી શક્તિથી અને મોટા પ્રભાવથી ચોસઠ ઈન્દ્રા ઉપરાંત જાણે પાંસઠમો ઈન્દ્ર હોય તેવો તે રાજા જણાતો હતો.
એ રાજાને મંગળીકના સ્થાનરૂપ મંગળા નામે એક પત્ની હતી. એ શીલવતી રાણી જાણે દેહધારી કુલલક્ષમી હોય તેવી જતી હતી. એ રાણી નિરંતર પિતાના પતિના હૃદયમાં રહેતી હતી, અને રાજા તેણીના હૃદયમાં રહેતા હતા. વાસગૃહ વિગેરેમાં તે તેમને ફક્ત બહિરંગ માત્રજ નિવાસ હતો. ગૃહમાં કે ઉદ્યાન વિગેરેમાં એ મહારાણી સંચાર કરતી. ત્યાં પણ પોતાના પતિનું દેવતાથી અધિક ધ્યાન કરતી હતી. એ વિશાળ લેનવાળી કાંતાએ પિતાનાં રૂપ, લાવણ્ય અને સૌભાગ્યથી દેવાંગનાને તે દાસીરૂપ કરી હતી, અને પિતાના સુંદર મુખથી ચંદ્રને પણ દાસ કર્યો હતો. તેણીનું અધિક ઉજજવળ રૂપ અને લાવણ્ય, આંગળી અને મુદ્રિકાની જેમ પરસ્પર એક બીજાને શોભાવતા હતા. ઈન્દ્રાણીની સાથે ઈદ્રની જેમ એ દેવી સાથે ભોગ ભેગવતા એ રાજાને અક્ષય પ્રીતિ બંધાણી હતી.
હવે પુરૂષસિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો છે તે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી શ્રાવણ માસની શુકલ દ્વિતીયાને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ત્યાંથી ચવીને મંગલાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે મંગલાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજેન્દ્ર વિગેરે ચૌદ મહા સ્વપ્નો જોયાં, અને પૃથ્વી જેમ નિધાનને ગૂઢ રીતે ધારણ કરે તેમ મંગલાદેવીએ ત્રણ ભુવનના આધારરૂપ ગર્ભને ધારણ કર્યો.
દરમીયાન કોઈ ધનાઢય વ્યાપારી પિતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વ્યાપાર કરવાને માટે એ નગરીથી ફર દેશાંતર ગયો. માર્ગમાં તેની એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને બંને સપત્નીઓ (શકો ) એ સમદષ્ટિએ ઉછેરીને માટે કર્યો. પરંતુ એ વ્યાપારી દેશાંતરમાંથી ધન ઉપાર્જિને પાછા ફરતાં માર્ગમાં જ મૃત્યુ પામ્યો. દવની ગતિ મહા વિષમ છે.” શોકથી અશ્રુને વર્ષાવતી દીન થઈ ગયેલા મુખવાળી બંને સ્ત્રીઓએ પોતાના પતિનો અનિસ સ્કાર કરાવીને ઓળંદેહિક ક્યિા કરી પછી તે માંહેલી એક કપટવાળી સ્ત્રી, “આ પુત્ર અને ધન મારાં છે” એમ કહેતી પુત્રની ખરી માતાની સાથે કજીઓ કરવા લાગી. તેઓમાંથી એક ખરી પુત્રમાતા, પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનને યોગ ઈચ્છતી હતી. તે બંને ત્યાંથી સત્વર અયોધ્યા નગરીમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૨
સર્ગ ૩ જે
આવી. ત્યાં તે બંનેએ પોતાના કુળમાં, બીજા કુળમાં અને ન્યાયના ધર્માસન પાસે પણ ફરીયાદી કરી, પરંતુ તેઓને કઓ તેઓનાથી જરા પણ પત્યો નહીં. ત્યાંથી વિવાદ કરતી તે બંને રાજા પાસે આવી. રાજાએ સભામાં બોલાવીને તેમને વાદનું કારણ પૂછયું. પ્રથમ પુત્રની અપર માતાએ રાજાને કહ્યું- “હે મહારાજા ! આ અમારે કજીએ આ નગરમાં સર્વ ઠેકાણે કહેવામાં આવ્યું છે, પણ કેઈએ તેને ઉચ્છેદ કર્યો નથી કારણકે પરદુઃખથી બીજા કોણ દુઃખી થાય ? પૃથ્વીમાં પરસુખે સુખી અને પરદુઃખે દુઃખી એવા તે આપ ધર્મરાજા છે, તેથી વ્યાજબી ન્યાય મળશે એમ ધારીને હું આપની શરણે આવી છું. આ મારે રસ પુત્ર છે ને મેં આને સરખી રીતે ઉછેર્યો છે, તેથી આ સર્વધન પણ મારું જ છે; કારણકે જેને પુત્ર તેનું જ ધન કહેવાય.” પછી પુત્રની ખરી મીતા બેલી-“હે કૃપાળુ રાજા ! આ પુત્ર અને ધન મારાં છે. આ મારી શેક્ય સંતાન વગરની છે. તે દ્રવ્યના લેભથી મારી સાથે કલેશ કરે છે. પ્રથમ મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી તે વખતે મેં સરલતાથી તેને તેમ કરતી અટકાવી નહી, તેથી અત્યારે સ્નેહથી પગ પાસે સુવારતા ઓશીકાને પકડનારી થઈ પડી છે. માટે હે મહારાજા ! આપ ન્યાય કરવા સજજ થાઓ, આ કજીએ આપને જ પતાવ જોઈશે, રાજા તપાસ કરીને વા તપાસ કર્યા વગર જે કાંઈ ફેસલો આપે છે તે પ્રાચે ફરતો નથી.” આ પ્રમાણે બંને સ્ત્રીઓ કહી રહી ત્યારે રાજા બે –“આ બે સ્ત્રીઓ જાણે એક ડીંટમાંથી ત્ર્યવી હોય તેમ બરાબર સરખી છે. બંને સ્ત્રીઓ જ્યારે વૈસદશ રૂપવાળી હોય ત્યારે જેની સાથે પુત્રની આકૃતિ મળતી આવે તેનો એ પુત્ર છે એમ અનુમાન કરી શકાય, પણ આ પુત્ર તે બંનેના આકાર સાથે મળતે છે, તેથી એ અનુમાન પણ થઈ શકે તેમ નથી. વળી આ બાળક બલી પણ જાણતો નથી તે પછી આ માતા છે ને આ વિમાતા છે એવા જ્ઞાનની તો વાત જ શી કરવી !” આ કજીઆનો નિર્ણય કરવાને ચક્તિ થઈએ પ્રમાણે કહેતા એવા રાજાને એ વિચારમાં ને વિચારમાં નિત્યકૃત્ય કરવાનો મધ્યાન્હ કાળ થઈ ગયા. પછી સભાસદોએ કહ્યું-“હે પ્રભુ ! આ બંનેનો વિવાદ વજાગ્રંથીની જેમ દુર્ભેદ્ય હોવાથી છમાસે પણ અમારાથી તે ભેદી શકાણ નથી, માટે હાલ આપનો નિત્યકૃત્યને વખત થયો છે તો તે નિર્ગમન થે ન જોઈએ, ક્ષણ પછી ફરીવાર વળી આપ આ વિવાદને માટે વિચાર કરજો.” ભલે એમ કરે એમ કહી રાજાએ સભા વિસર્જન કરી, અને તે પછી નિત્યના કૃત્ય કરી તે અંતઃ પુરમાં ગયા. ત્યાં મંગળાદેવીએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! મધ્યાન્હ કૃત્યને માટે આજે અતિ વેળા કેમ થઈ ?” રાજાએ એ બંને સ્ત્રીઓના વિવાદનો વૃત્તાંત રાજ્ઞીને કહી બતાવ્યો, એટલે ગર્ભને પ્રભાવથી જેમની સુમતિ થયેલી છે એવા સુમંગળાદેવી આ પ્રમાણે બોલ્યાહે દેવ ! સ્ત્રીઓના વિવાદનો નિર્ણય તે સ્ત્રીઓનેજ કર યુક્ત છે, માટે તે બંનેના વિવાદનો નિર્ણય હું પડતે કરીશ.” પછી રાજા મહારાણીને સાથે લઈને સભામાં આવ્યા.
ત્યાં તે બંને સ્ત્રીને બોલાવીને ફરીને તેના વિવાદનું કારણ પૂછયું, એટલે તેઓએ પૂર્વની પેઠે કહી બતાવ્યું. રાણી તેમનું બોલવું અને ઉત્તર આપવાની રીતિ તરફ વિચાર કરી બોલ્યા–બાઈઓ ! મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થકર ઉત્પન્ન થયેલા છે. તેમને પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદનો નિર્ણય કરશે, માટે ત્યાં સુધી તમે બંને રાહ જુઓ.” અપરમાતાએ એ વાત કબુલ કરી, પણ પુત્રની ખરી માતા બોલી “હે મહાદેવિ ! હું જરા વાર પણ રહી શકીશ નહીં, અને મારા વહાલા પુત્રને તેટલા કાળ સુધી શક્યને સ્વાધીન પણ કરી શકીશ નહીં, આપ સર્વજ્ઞની માતા છો તે તમે પોતે આજેજ તેને નિર્ણય કરે.’ આવાં પુત્ર માતાનાં વચન સાંભળી મંગળા
Page #60
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
૩૩ દેવી નિર્ણય કરીને બોલ્યા–“આ સ્ત્રી કાલક્ષેપને સહન કરી શકતી નથી, માટે આ પુત્ર ખરેખર એને જ છે, અને આ બીજી સ્ત્રી પારકે પુત્ર અને ધન બંનેને આધીન રહેવા દેવાનો મારે નિર્ણય સાંભળી કાલક્ષેપ કરવાને કબુલ કરે છે, તેથી તે તેની ખરી માતા નથી. કારણ કે ખરી માતા પિતાને પુત્ર બીજાને આધીન રહેવા દેવા રૂપ કાલક્ષેપ કેમ સહન કરે ? માટે હે ભદ્રે ! તું જરા પણ કાલક્ષેપ સહન કરતી નથી તેથી મારા જાણવામાં આવ્યું કે આ પુત્ર તારે છે તેથી તેને લઈને તું ઘેર જા. કદી આ સ્ત્રીએ પુત્રનું લાલનપાલન કયું' હશે, પણ તેથી કાંઈ એ પુત્ર તેને કહેવાય નહીં. કેમકે કોકિલાના પત્રને પોષણ કરનાર તો કાગડી હોય છે, પણ એ પુત્ર તે કોકિલાને જ કહેવાય છે.” ગર્ભના પ્રભાવથી દેવીએ તેઓનો આ પ્રમાણે નિર્ણય કર્યો, તે સાંભળીને સર્વ ચતુર્વિધ સભા નેત્રવિકાસ કરી વિસ્મય પામી. પછી પ્રાતઃકાળ થવાથી કમલિની અને કુમુદિનીની જેમ એ પુત્રથી હષ અને ખેદ પામતી તે બંને શે પિતાને ઘેર ગઈ.
જાણે સંકોચ કરીને રહેતો હોય તેમ દેવીને કોઈપણ વેદના નહી ઉપજાવતે ગર્ભ શકલ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યો. પછી નવમાસ અને સાડાસાત દિવસ વીત્યા, એટલે વૈશાખ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતા પૂર્વ દિશા જેમ ચંદ્રને જન્મ આપે તેમ મંગળાદેવીએ સુખેથી કચપક્ષીના ચિન્હવાળા સુવર્ણ વણ પુત્રરત્નને જન્મ આપ્યું. તે વખતે રૈલોક્યમાં ઉદ્યત થયે, ક્ષણવાર નારકી ને પણ સુખ થયું, અને ઈંદ્રોનાં આસન કંપ્યાં. પ્રથમ દિકુમારીએ એ ત્યાં આવીને યથાયોગ્ય સૂતિકાકર્મ કર્યું. પછી શકંઈદ્ર આવી મંગળાદેવીની શયામાંથી પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અશ્રુતાદિ ત્રેસઠ ઈદ્રોએ આવીને શક્રઈદ્રના ઉસંગમાં રહેલા પ્રભુને તીર્થજલથી અભિષેક કર્યો. પછી ઈશાનઈદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડીને શક્રઈ કે વિકલા સ્ફટિકને ચાર વૃષભેના શીંગમાંથી નીકળેલા જળવડે પ્રભુનું સ્નાત્ર કર્યું. પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
“હે દેવ ! આપના જન્મકલ્યાણકથી આ પૃથ્વી કલ્યાણવાળી થઈ ગઈ છે, તે જ્યારે તમે ચરણકમળથી આ પૃથ્વી પર વિહાર કરશે ત્યારની તો વાત જ શી કરવી ! “હે ભગવાન ! તમારા દર્શનસુખથી અમારી દષ્ટિએ કૃતાર્થ થઈ છે, અને તમારું પૂજન “કરવાથી આ હાથ કૃતાર્થ થયેલા છે. તે જિનનાથ ! તમારા સ્નાત્ર અર્ચન વિગેરેનો જે મહોત્સવ કરવા માં આવેલો છે તે ચિરકાળના મારા મનોરથરૂપી પ્રસાદ ઉપર કલશરૂપ થયેલ છે. હે જગન્નાથ ! સાંપ્રતકાલે હું આ સંસારની પણ પ્રશંસા કરું છું, કારણકે “ જેમાં મુક્તિના એક નિબંધનરૂપ તમારું દર્શન પ્રાપ્ત થયું છે. હે દેવ ! સ્વંયભૂરમણ “ સમુદ્રના ઉમિએ કદી ગણી શકાય, પણ મારા જેવા પુરૂષ અતિશના પાત્ર એવા “ તમારા ગુણને ગણી શકે નહી. ધર્મરૂપી મંડપને સ્તંભરૂપ, જગને ઉદ્યાત કરવામાં
સૂર્યરૂપ અને દયારૂપી વેલાના આશ્રયને માટે મોટા વૃક્ષરૂપ એવા હે જગત્પતિ ! આ વિશ્વની રક્ષા કરે. હે દેવ ! મુક્તિના બંધ થયેલા દ્વારને ઉઘાડવામાં કુંચી રૂપ તમારી દેશના પુણ્યવંત પ્રાણીઓનાજ સાંભળવામાં આવે છે. હે ભુવનેશ્વર ! ઉજજવળ દર્પણ જેવા મારા મનમાં હમેશાં પ્રતિબિંબ રૂપે પડેલી તમારી મૂર્તિ મને મુક્તિસુખના કારણ રૂપ થાઓ.”
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪
સર્ગ ૩ જે
આ પ્રમાણે સ્તુતિ કરી શકઈ ૮ પ્રભુને લઈને ક્ષણવારમાં ત્યાંથી ઉત્પતિ મંગલાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મુકીને પોતાને સ્થાનકે ગયા. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે માતાની સારી મતિ થયેલી હતી તેથી પિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડય. ઈંદ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને લાલનપાલન કરેલા પ્રભુ શૈશવલયનું ઉ૯લંઘન કરીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે પ્રભુની કાયા ત્રણસે ધનુષ ઊંચી થઈ, સ્કંધ પુષ્ટ થયા, અને ભુજ રૂપી શાખા જાનુ સુધી લાંબી થઈ તેથી જાણે જંગમ કલ્પવૃક્ષ હેય તેમ પ્રભુ શોભવા લાગ્યા. તેમની લાવણ્યરૂપી તરંગિણીમાં માછલીઓની જેમ લલનાઓની દષ્ટિએ ચંચળ થવા (રમવા) લાગી. પિતાને ભેગ્યકર્મ છે એમ જાણુને તેમજ માતાપિતાના આગ્રહથી સૌંદર્યવતી રાજકન્યાઓની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. જાણે વૈત્યંત વિમાનમાં રહ્યા હોય તેમ બાર પૂર્વાગસહિત ઓગણત્રિશ લાખપૂર્વ રાજ્યાવસ્થામાં પ્રભુએ નિર્ગમન કર્યા. જો કે પોતે સ્વયં બુદ્ધ છે તથાપિ લેકાંતિક દેવતાઓએ બોધ કરવાથી (યાદ આપવાથી) શ્રી સુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઈચ્છાવડે વાર્ષિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે જેમના આસન ચલિત થયેલા છે એવા ઇદ્રોએ અને રાજાઓએ સ્વામીને દીક્ષાભિષેક કર્યો. પછી પ્રભુ અયકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને સુર, અસુર, અને મનુષ્યની સાથે સહસાભવનમાં પધાર્યા. ત્યાં વૈશાખ માસની શુકલ નવમીને દિવસે મધ્યાહૂન વખતે મઘા નક્ષત્રમાં ચંદ્ર આ બે સતે હજાર રાજાઓની સાથે નિત્યભક્ત એવા પ્રભુએ દીક્ષા લીધી. પછી જાણે દીક્ષાને અનુજબંધુ હોય અથવા જાણે પ્રિય મિત્ર હોય તેવું મન:પર્યવ નામે જ્ઞાન તેજ વખતે પ્રભુને ઉત્પન્ન થયું.
બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાનથી પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર સુવર્ણવૃષ્ટિ વિગેરે અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ નિત્ય પૂજનને માટે તે ઠેકાણે એક રત્નપીઠ બનાવ્યું. ત્યાંથી વિવિધ અભિગ્રહાને ધારણ કરતા અને પરીષહોને સહન કરતા પ્રભુએ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. ગ્રામ, આકર વિગેરેમાં વિહાર કરતા કરતા પ્રભુ એકદા પાછા પિતાના દીક્ષા ગ્રહણવાળા સહસ્સામ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂલ નીચે ધ્યાન કરતા પ્રભુ અપૂર્વકરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા, એટલે તેમના સર્વ ઘાતિકર્મો તુટી ગયા. ચૈત્રમાસની શુકલ એકાદશીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં જેમણે છઠ્ઠ તપ કરેલું છે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી એ વૃત્તાંત જાણીને સર્વ ઈ દ્રો સુર અસુરની સાથે ત્યાં આવ્યા, અને તેઓએ દેશના દેવાને માટે સમવસરણ રચ્યું. તેમાં પ્રભુએ પૂર્વકારથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કેશ ને સેળસે ધનુષ ઊંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી તીર્થોનમ:' એમ કહી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન પર બીરાજ્યા, એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ સ્થાપિત કર્યા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પણ ગ્ય સ્થાને બેઠે, પછી ઈંદ્ર નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે.
“ હે ભગવાન ! આ અશોક વૃક્ષ ભમરાઓના ગુંજારવથી જાણે ગાતે હોય, ચલાય. માન પત્રોથી જાણે નાચતે હોય, અને તમારા ગુણમાં રક્ત થવાથી રક્ત થયે હોય એ ખુશી થતો દેખાય છે. આ દેવતાઓ, જેઓના બંધન ( ડીંટ) નીચા છે એવા પુષ્પોને જન પ્રમાણે તમારી દેશના ભૂમિ ઉપર જાનુ પ્રમાણ વર્ષાવે છે. તમારે “માલ ૧ નાનોભાઈ.
Page #62
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જીં
વકૌશીકી પ્રમુખ ગ્રામ તથા રાગથી પવિત્ર એવા જે દ્વિવ્યધ્વનિ થાય છે, તેને મૃગલાએ પણ હવડે ઊંચી ગ્રીવા કરીને પીએ છે ( સાંભળે છે). તમારી આગળ રહેલી ચંદ્ર જેવી ઉજ્જવળ આ ચામરશ્રેણી જાણે તમારા મુખકમળની સેવા કરવાને આવેલી હ‘સની પક્તિ હાય તેવી શેાલે છે. સિંહાસન ઉપર બીરાજી તમે જ્યારે દેશના આપા છે ત્યારે “ મૃગલાએ સિંહની સેવા કરવા જાણે આવતા હેાય તેમ તે દેશના સાંભળવાને આવે છે. “ જ્યાહ્નાથી વ્યાપ્ત એવા ચદ્રમાં જેમ ચકાર પક્ષીને હષ આપે છે તેમ કાંતિથી
"C
66
વ્યાપ્ત એવા તમે સની ષ્ટિએને પરમ હર્ષ આપેા છે.૧ હે વિશ્વપતિ ! તમારી “ આગળ આકાશમાં ધ્વનિ કરતા દુંદુભિ, સર્વ જગમાં આપ્ત પુરૂષોને વિષે તમારા
66
મોટા સામ્રાજ્યને જાણે બતાવતા હોય તેમ જણાય છે. પુણ્ય સમૃદ્ધિના ક્રમ જેવા “ અને ત્રણ ભુવન ઉપરના તમારા પ્રૌઢ પ્રભુપણાને ખતાવવા આ ત્રણ છત્રા તમારી ઉપર
CC
શેાલી રહ્યા છે. હે નાથ ! આવી તમારી ચમત્કારી પ્રાતિહાય લક્ષ્મીને જોઈને કયા “ મિથ્યાદષ્ટિએ પણ આશ્ચર્ય ન પામે !””
66
66
"6
આ પ્રમાણે સ્તુતિ કરી શક્ર ઈંદ્ર વિરામ પામ્યા પછી સુમતિનાથ પ્રભુએ સર્વ ભાષાઆને અનુસરનારી વાણીથી દેશના આપવાના આર.ભ કર્યો.
66
'
66
*
CL
66
આ જગમાં કાર્યાકાના જ્ઞાનની ચેાગ્યતાને પામેલા પ્રાણીએ પેાતાના કર્ત્તવ્યમાં મૂઢ રહેવુ ન જોઇએ. પુત્ર, મિત્ર તથા સ્ત્રી વિગેરેની અને પોતાના શરીરની પણ જે સદ્ધિચા કરવામાં આવે છે તે સર્વ પરણાય છે, તેમાં કાંઈપણ સ્વકાર્ય નથી. પ્રાણી એકલાજ ઉત્પન્ન થાય છે, એકલાજ મૃત્યુ પામે છે, અને ભવાંતરે સંચિત કરેલ કર્મીને એકલા જ અનુભવે છે. એકે ચારીથી ઉપાર્જન કરેલુ' ધન બધા મળીને ખાઈ જાય છે, અને તે ચારી કરનારને એકલાનેજ નરકમાં પેાતાના કથી દુઃખ ભાગવવા “ પડે છે. દુઃખરૂપ દાવાનલથી ભયકર અને વિસ્તારવાળા આ ભવરૂપ અરણ્યમાં કને વશ થયેલા પ્રાણી એકલેાજ ભટકયા કરે છે. આ જીવને બાંધવ વિગેરે કાઇ પણ સહાયકારી થતા નથી. જો શરીર સહાયકારી છે એમ કહીએ તા તે શરીર તો ઉલટું સુખદુ:ખના અનુભવને આપનારું છે. સુખદુઃખના અનુભવને આપનારું શરીર સહાય“ કારી છે એમ જો કહીએ તા તે પૂર્વ ભવમાંથી સાથે આવતુ નથી, અને આગલા ભવમાં • સાથે આવવાનું પણ નથી. તેથી સલ્ફેટમાં (હડફેટમાં) આવી મળેલી કાયાને સહાચકારી કેમ કહેવાય ? ધને અધર્મ સહાયકારી છે’ એમ જો માનીએ તા તે પણ સત્ય નથી, કારણ કે ધર્મ અધર્મની સહાયતા મેાક્ષમાં ખીલકુલ નથી. તેથી આ સંસારમાં શુભ અશુભ કમ કરતા પ્રાણી એકલા ભટકે છે, અને પેાતાના શુભાશુભ ક ને ચાગ્ય શુભ અશુભ ફળને અનુભવે છે. તેજ પ્રમાણે અનુત્તર એવી મેાક્ષલક્ષ્મીને પણ એકલાજ ગ્રહણ કરે છે; કારણ કે ત્યાં પૂર્વોક્ત સર્વે સ’બધીઓનો વિરહ હાવાથી ખીજા કાઈને સાથે રહેવાને સંભવ નથી. માટે સ`સાર સંબધી દુઃખ અને મેાક્ષ સંબંધી સુખ તેને પ્રાણી એકલાજ ભેગવે છે; તેમાં કોઇ સહાયકારી નથી. જેવી રીતે હાથપગ “ છુટા હાય તેવા માણસ એકલેા તત્કાળ સમુદ્રના પારને પામી શકે છે પણ હૃદય, હાથ,
'
66
66
66
પગ વિગેરેથી બાંધી લીધેલેા માણસ તેને પાર પામી શકતા નથી; તે પ્રમાણે જે ધન “ અને ક્રેડ વિગેરેની ઉપર આસક્તિવાળા હાય છે તે આ ભવસમુદ્રને પાર પામી શક્યો “ નથી, પરતુ તેની ઉપરની આસક્તિ વિનાના એકલા સ્વસ્થ પ્રાણી હોય તે આ
૧ આમાં ભામંડળ પ્રાતિહાય` સૂચવ્યુ` છે.
66
..
(6
66
'
૩૫
66
66
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
સ ૩ જો
“ ભવ સમુદ્રના પારને તત્કાલ પામે છે; માટે સાંસારિક સ સબંધને છેડી દઈ ને પ્રાણીએ એકલાપણે શાશ્વત આનંદ સુખવાળા મેાક્ષને માટે યત્ન કરવા.’
66
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને પ્રબોધ પામેલા ઘણા નર નારીઓએ નિઃસ’ગ થઇને ચારિત્રવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વિગેરે સા ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી. જ્યારે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને ચમર ગણુધરે દેશના આપવા માંડી, જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઇંદ્રાદિક દેવતાએ અહું તને નમસ્કાર કરીને પોતપાતાને સ્થાનકે ગયા.
તે પ્રભુના તીમાં શ્વેત વર્ણવાળા, ગરૂડના વાહનવાળા, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારા, તથા બે વામભુજામાં ગદા અને પાશને રાખનારા તેમજ સદા સનિધિ રહેનારા તુ બુરૂ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ સુવના જેવી કાંતિવાળી, પદ્મ ઉપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધરનારી, એ વામણુજામાં બીજોરૂ અને અંકુશને રાખનારી અને નિર'તર પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે ચક્ષણી શાસનદેવી થઈ. વચનના પાંત્રીશ અતિશયથી શેાભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને બેધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા,
ઘણા કાળ પર્યં ત પૃથ્વીપર વિહાર કરતાં ચેાત્રીશ અતિશયવાળા સુમતિનાથ પ્રભુને ત્રણલાખ ને વીશહજાર સાધુ, પાંચલાખ ને ત્રીશહજાર સાધ્વી, બે હજાર ને ચારસા ચૌદપૂર્વી, અગ્યારહાર અધિજ્ઞાની, દશહજાર ને સાડીચારસે મનઃપ વ જ્ઞાની, તેરહજાર કેવળજ્ઞાની, અઢારહજાર ને ચારસો વૈક્રિય લબ્ધિવાળા, દશ હજાર ને સાડી ચારસા વાદ લબ્ધિવાળા, બે લાખ ને એકાશીહજાર શ્રાવક અને પાંચલાખ ને સાળહજાર શ્રાવિકાને પરિવાર થયા.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને ખાર પૂર્વાંગે ઊણા એકલાખ પૂર્વ પૃથ્વીપર વિહાર કર્યાં. અનુક્રમે પાતાનો મેાક્ષકાલ સમીપ જાણીને સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે ભવાપગ્રાહી ચાર અધાતિકને ખપાવી, અનંત ચતુષ્યને પ્રાપ્ત કરી, શૈલેશી ધ્યાનમાં વતાં ચૈત્ર માસની શુકલ નવમીને દિવસે પુનવસુ નક્ષત્રમાં ચંદ્રનો યાગ થતાં એક હજાર મુનિઓની સાથે સુમતિનાથ સ્વામી અયપદ ( મેાક્ષ) પામ્યા.
દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, એગણત્રીશ લાખ ને ખાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં અને ખાર પૂર્વાંગે ઊણા લાખ પૂર્વ વ્રતધારણમાં એવી રીતે સુમતિનાથ પ્રભુએ ચાળીશલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ ક્રોડ સાગરોપ્રેમ ગયા પછી સુમતિનાથ પ્રભુ માક્ષે ગયા. પછી સ` ઇંદ્રા પ્રભુના શરીરને અને ખીજા સહસ્ર મુનિનાં શરીરોને વિધિથી અગ્નિસ સ્કાર કરી ત્યાંથી ન ંદીશ્વર દ્વીપે, જઈ ને પ્રભુના નિર્વાણુપ નો મહોત્સવ કરી પોતપોતાને સ્થાનકે ગયા.
凤凰羽限保防防烧挑防烧RBWBWVBWB防腐腐腐
इत्याचार्य श्री हेमचन्द्र विरचिते त्रिराष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये तृतीये पर्वणि श्रीसुमतिस्वामिचरित्र
वर्णनो नाम तृतीयः सर्गः ३
防腐劑限购限RWWWBB&WWWWWWBUR烧烧烤粉
Page #64
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થી.
શ્રી પદ્મપ્રભ ચરિત્ર,
પદ્મના જેવા વર્ણવાળા, અને જાણે લક્ષમીની લીલાના નિવાસરૂપ પદ્મનો સમૂહ હોય તેવા શ્રીપદ્મપ્રભ જિનેશ્વરને અમે વંદના કરીએ છીએ. એ પ્રભુના અસાધારણ પ્રભાવથી, જો કે હું ક્ષણ બુદ્ધિવાળે છું તથાપિ દુરિતને નાશ કરનારું તેમનું ચરિત્ર કહું છું.
ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના મંડનરૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં શત્રુઓએ અપરાજિત એ અપરાજિત નામે રાજા છે. ઈદ્રિયોને જીતનારે એ રાજા જાણે દેહધારી ધર્મ હોય તે દેખાતે હતો. તે રાજાને ન્યાય એજ મિત્ર હતો, ધર્મ એજ સુહદ હતો તથા ગુણ એજ ધન હતું. બીજા મિત્ર, સુહદ અને ધન જે હતાં તે તે ફક્ત બહાર દેખવા માત્ર જ હતા વૃક્ષમાં પલવોની જેમ સરલતા, શીલ અને સવાદિક જે ઊજિત ગુણો તેનામાં હતા તે પરસ્પર આભૂષણરૂપે રહેલા હતા. વિવેકી જનોમાં શિરોમણિ એ રાજા અકીધી પણ શત્રુઓને શિક્ષા કરતો, અનાસક્તપણે સંસારિક સુખને અનુભવતા અને અલુબ્ધપણે લક્ષ્મીને ધારણ કરતા હતા.
એક વખતે દેવતાઓ જેમ અમૃતનું પાન કરે તેમ અહંત ભગવાનના પ્રવચન રૂપ અમૃતનું પાન કરતા તત્ત્વનિષ્ટ ચિત્તવડે તે ચિંતવન કરવા લાગ્યો-“અહા ! “ આ સંસારમાં સંપત્તિ, યૌવન, રૂપ, શરીર, કામિનીઓ, પુત્ર, મિત્રો અને હવેલીએ એ સઘળું આ પ્રાણીને છોડી દેવું ઘણું અશકય લાગે છે, પરંતુ તેજ પ્રાણી પિતાના જીવનસમયમાં દુર્દશાને પામે છે ત્યારે અથવા તો કાળધર્મને પામે છે ત્યારે પક્ષીઓ જેમ વિનાશ પામેલા ઈડાને ત્યજી દે છે તેમ તે સંપત્તિ વિગેરે તેને ત્યજી દે છે. પક્ષી જેમ એક પાંખથી ફાળ ભરતાં ભ્રષ્ટ થઈ નીચે પડે છે તેમ પૂર્વોક્ત પદાર્થોમાં એક ચરણથી ફાળ ભરવા તુલ્ય એકપક્ષી નેહ કરતો મંદબુદ્ધિ પ્રાણી પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. માટે જ્યાં સુધી પુણ્યકર્મના ક્ષયથી એ સંપત્તિ વિગેરે મને છોડી દે નહીં ત્યાં સુધીમાં પુરૂષાર્થનું અવલંબન કરીને હું પોતેજ તેનો ત્યાગ કરું.” આ પ્રમાણે વિચાર કરીને જેને ધારાધિરૂઢ વૈરાગ્ય પ્રાપ્ત થયેલ છે એવા અને વિવેકરૂપી મણિના રોહણાચળ પર્વત સરખા અપરાજિત રાજાએ પોતાનું રાજય પુત્રને અર્પણ કરી દીધું, પિહિતાશ્રવર આચાર્ય ભગવંતના ચરણકમલ સમીપે આવી મોક્ષમાર્ગમાં મહારથ જેવી દીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિએ યુક્ત, નિર્મમ અને પરિગ્રહરિત એવા એ રાજર્ષિએ તીક્ષણ ખડ્રગની ધાર જેવું ચારિત્ર ચિરકાલ પાલન કર્યું. નિર્મળ મનવાળા એ મહાત્માએ વીશ સ્થાનકમાંથી કેટલાએક સ્થાનકોના આરાધનવડે તીર્થકરના મકમ ઉપાર્જન કર્યું, અને છેવટે શુભ ધ્યાનપરાયણ થઈ આયુષ્યને ખપાવી એ મોટા મનવાળા મુનિ નવમા સૈવેયક માં મહદ્ધિક દેવતા થયા. ૧ એકતરફી. ૨ આશ્રવના દ્વાર–આશ્રવ જેમણે ઢાંકી દીધા છે એવા આચાર્ય.
Page #65
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થા
આ જંબુદ્રીપમાં ભરતક્ષેત્રની અંદર વસ્રદેશના આભૂષણ તુલ્ય કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં આવેલાં ઊંચાં રૌત્યાના અગ્ર ભાગમાં રહેલી સિ'હની પ્રતિમાની નજદીક ચન્દ્રમા આવે છે તે વખતે એ સિ ંહથી ત્રાસ પામીને કલ`કરૂપ મૃગ નાસી જવાથી ચ`દ્ર પણ નિષ્કલ'ક થઈ જાય છે. ત્યાં ગૃહમાં પ્રસરતા ધૂપના ધૂમાડા, સભાગથી વસ્ત્ર રહિત થયેલા યુવાન સ્ત્રીપુરુષોનાં જોડલાંને વસ્ત્રની શેશભા પ્રત્યે વિસ્તારે છે. ત્યાં પ્રતિગૃહમાં રચેલા મુક્તાફળના સ્વસ્તિકાના મેાતી ઉપર શુક્રપક્ષીએ આવી આવી દાડમના દાણાની શંકાથી ચાંચાવડે ઘાત કરે છે. ત્યાં સર્વ મનુષ્યા શ્રીમાન છે તેથી બીજાના દ્રવ્યને કાઇ લુંટતું નથી, ફક્ત ઉદ્યાનના પુષ્પાની ખુશમેને પવન જ એક લુટે છે. એ નગરીમાં ધર નામે રાજા હતા. પૃથ્વીના તાપને ટાળવાથી અને ધારણ કરવાથી મેઘ અને પર્વતના તેણે તિરસ્કાર કરેલા હતા. પૃથ્વીમ`ડળ ઉપર રહેલા સવ રાજાએ તેની આજ્ઞાને ખંડન કરતા નહી', પણ પુષ્પમાલાની જેમ અખંડ મસ્તકપર ધારણ કરતા હતા. તેના ભુંજદંડ ધનુષધારણવડે પ્રચંડ હતા તથાપિ
દંડ કરવામાં પ્રચ’ડ પણું ખતાવતા નહીં પણ ભદ્રિક હાથીની જેમ સૌમ્યપણે રહેતા હતા. એક સાથે વિસ્તાર પામેલા યશ અને અનુરાગથી અર્ધાઅ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેશરની જેમ તેણે સર્વ દિશાઓને ચિરકાળ વિલેપન કર્યું હતું. લક્ષ્મીદેવીના લીલાગૃહ રૂપ એ રાજામાં વાસ્તુદેવની જેમ ગુણના સમૂહ સાથે જ ૐત્પન્ન થયેલા હતા.
૩૮
એ રાજાને સતીએની સીમારૂપ અને દેવકન્યા જેવી રૂપવત સુસીમા નામે રાણી હતી. તે હાથ, પગ અને હોઠથી પદ્મવવાળી, શબ્દોથી પુષ્પિત અને ભુજાઓથી શાખાવાળી કલ્પવૃક્ષની જાણે લતા હાય તેવી શાભતી હતી. મુખ ઉપર લાવ′ ઢાંકીને માત્ર પૃથ્વીનેજ જોતી, તે ઈર્યાસમિતિમાં લીન થયેલા મુનિની જેમ મંદમંદ ચાલતી હતી. કાંતિએ શરીરને, લજજાએ શીલને, સરલતાએ મનને અને સત્યતાએ તેનાં વચનને પૂર્ણ રીતે શેશભાળ્યાં હતાં. જ્યારે એ કાંઈ પણ ખેલતી ત્યારે ચંદ્રની કાંતિના પ્રવાહથી રાત્રિની જેમ અતિ ઉજજવળ દાંતનાં કિરણાથી તેની મનેાહર મૂર્તિ દીપી નીકળતી હતી.
અહી' નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠિને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં સુસીમા દેવીની કુક્ષિમાં તે ઉત્પન્ન થયા. તે વખતે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમાં દેવીએ પેાતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગભ જ્યારે વૃદ્ધિ પામ્યા ત્યારે દેવીને પદ્મની શખ્યામાં સુવાના દોહદ થયા તે તત્કાલ દેવતાઓએ પૂર્ણ કર્યાં. પછી નવ માસ ને સાડાસાત દિવસ થતાં કાર્તિક માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વક્રચાર અતિચારને મૂકીને સવ ગ્રા ઊંચા સ્થાનકના થતાં પદ્મના જેવા વણુ વાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યા.
તે અવસરે છપ્પન દિક્કુમારીએ આવી સૂતિકાકમ કર્યું. અને શક્ર ઈંદ્ર પ્રભુને મેરૂ પર્યંતના મસ્તક પર લઇ ગયા. શક્રેઇ દ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને સહાદર બંધુએમાં જયેષ્ઠ બંધુઓના ક્રમની જેમ અચ્યુતાદિ ઇદ્રોએ આવી સ્નાન કરાવ્યું. શક ઈંદ્રેઈશાન ઈંદ્રના ખાળામાં પ્રભુને સ્થાપીને યથાવિધિ સ્નાન કરાવી પૂજા કરી. પછી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે દેવ ! આ અપાર સ`સારરૂપ મરૂદેશમાં સંચાર કરતા પ્રાણીઓને ચિરકાળે અમૃતની પરખ તુલ્ય તમારૂ દર્શન થયેલ છે. રૂપથી અનુપમ એવા તમને અશ્રાંતપણે જોનારા
Page #66
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
૩૯ “દેવતાઓનાં નેત્રોની અનિમેષતા કૃતાર્થ થયેલી છે. તમારા જન્મ વખતે નિત્ય અંધકારમાં “ઉદ્યત થયે તેથી નારકીઓને પણ સુખ થયું, માટે તમારૂં તીર્થંકરપણું કોને સુખરૂપ “નથી? હે નાથ ! સંસારીઓના પુણ્યો થીજ તમે ધર્મરૂપી વૃક્ષને દયારૂપ નીકના જળથી સિંચન “કરીને વૃદ્ધિ પમાડે છો. હે પ્રભુ! જળના શીતલપણાની જેમ ત્રણ જગતનું સ્વામીપણું “અને ત્રણ જ્ઞાનનું ધારણ કરવાપણું તમારે જન્મથી જ સિદ્ધ થયેલું છે. પદ્મના જેવા વર્ણ “વાળા, પદ્મના ચિન્હવાળા, પદ્મના સુગંધ જેવા મુખપવનને ધરનારા, પદ્મના જેવા મુખવાળા પદ્મા (લકમી) એ યુક્ત અને પદ્મના ગ્રહરૂપ એવા હે પ્રભુ! તમે જય પામે. હે નાથ ! અપાર અને દુસ્તર એ આ સંસારરૂપી સાગર તમારા પ્રસાદથી હવે જાનુ પ્રમાણ થઈ જશે. હે સ્વામી ! હવે હું કલ્પાંતરનું સામ્રાજય કે અનુત્તર વિમાનનો નિવાસ પણ ઈચ્છતે નથી, ફક્ત તમારા ચરણકમલની સેવાને જ ઈચ્છું છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ ૮ પ્રભુને લઈ તરત સુસીમાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને સ્વર્ગમાં ગયા. પ્રભુ ગર્ભમાં આવતાં માતાને પદ્મની શય્યાનો દેહદ થયો હતો તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, તેથી પિતાએ તેમનું પ્રદંપભ એવું નામ પાડયું. સ્વર્ગની ધાત્રીઓએ લાલન કરાતા અને દેવકુમારની સાથે ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામી બીજી વયને પ્રાપ્ત થયા. એ વયમાં અઢીસો ધનુષ ઊંચા અને વિશાળ છાતીવાળા શ્રીવિભુ જાણે લક્ષ્મીને પદ્મરાગમણિમય ક્રીડાપર્વત હોય તેવા ભવા લાગ્યા. જોકે પ્રભુ સંસારને ત્યાગ કરવાને ઈચ્છતા હતા, તથાપિ લોકોના અનુવર્તનથી અને માતાપિતાના આગ્રહથી તેમણે પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી પિતાના ઘણું આગ્રહથી પ્રભુએ રાજ્યને ભાર ગ્રહણ કર્યો. રાજયનું પરિપાલન કરતાં જગત્પતિએ સાડી એકવીશ લાખ પૂર્વ અને સેળ પૂર્વાગ નિર્ગમન ર્યા. પછી વટેમાર્ગને જેમ સારા શુકનો ચાલવાની પ્રેરણા કરે, તેમ સંસારને પાર પામવાને ઈરછતા એવા પ્રભુને લોકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાને પ્રેરણા કરી. તરતજ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી જાંભક દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઈદ્રો અને રાજાઓએ જેમને અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં છઠ્ઠનો તપ કરી કાર્તિક કૃષ્ણ ત્રાદશીને દિવસે ચિત્રા નક્ષત્રમાં અપરા નકાળે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી.
બીજે દિવસે બ્રાસ્થળ નગરમાં એમદેવ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણ કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા, અને રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠ બનાવી. પછી પ્રભુ છદ્મસ્થપણે છ માસ પર્યત વિહાર કરી પોતાની દીક્ષાના સાક્ષીરૂપ એવા સહસા મ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને કાર્યોત્સર્ગ ધ્યાને વડના વૃક્ષ નીચે રહ્યા. તે અવસરે વાયુથી કંપાવેલા અબ્રના જાળની જેમ પ્રભુના ઘાતિકર્મ ક્ષય પામ્યાં. તત્કાળ રૌત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્રને ચંદ્ર થતાં પલભભ પ્રભુને પ્લાનિ રહિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને ત્યાં સમોસરણ રચ્યું તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ઈદ્ર જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે તેમ પ્રભુએ સમવસરણની મધ્યમાં રહેલા દેઢ કેશ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તીથનમ: એમ ઊંચે સ્વરે ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે વિરાજમાન થયા. પ્રમુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવા જ પ્રતિબિંબ વિકુવી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા.
૧ વાદળાના.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૦
સગ ૪ થા
પછી મયૂરાના સમૂહ જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે તેમ શ્રીમાન ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્ક’ઠા રાખીને યાગ્ય સ્થાને બેઠા. પછી સૌધમ કલ્પના ઇંદ્ર પરમેશ્વરને પ્રણામ કરી ભક્તિવંત ચિત્તથી યથાર્થ સારરૂપ વાણીવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર વિરામ પામ્યા, એટલે પાંત્રીશ અતિશયાએ યુક્ત એવી વાણીથી પ્રભુએ દેશના દેવાનો આર’ભ કર્યો.
હે પ્રભુ ! પરીષહેાની સેનાને હણુતા અને ઉપસર્ગાને વિદારતા પણ તમે શમતાને “પામેલા છે.. અહા ! મહાન પુરૂષોની કેવી વિદ્વત્તા ! હે નાથ ! તમે વિરાગી છતાં મુક્તિને “ભાગવનારા છે, અને અદ્વેષી છતાં શત્રુઓને હણનારા છે. અહા ! મહાત્માઓનો કેવા “દુર્લભ મહિમા છે ! હે દેવ ! તમે હમેશાં જિગિયા રહિત છે અને અપરાધથી ભય પામે “ છે, તથાપિ તમે ત્રણ જગને જીતેલ છે. અહા ! મેાટા પુરૂષોની કેવી ચાતુરી ! હે
66
નાથ ! કોઇને તમે કાંઇ આપ્યુ નથી અને કોઇની પાસેથી કાંઈ લીધું નથી, તથાપિ “ તમારે પ્રભુપણું છે. અહા ! વિદ્વાનેાની કેવી વિચિત્ર કલા હોય છે ! હે પ્રભુ ! જે સુકૃત ખીજાઓએ દેહત્યાગ કરીને પણ મેળવ્યુ નથી તે સુકૃત, સુકૃતસ'પાદનમાં ઉદાસી એવા તમારા ચરણુપીઠ ઉપર આળાટે છે. રાગાદિકમાં ક્રૂર અને સર્વ પ્રાણીએ પર કૃપાળુ
''
6:
66
તેથી ભયકર અને મનેાહર અને ગુણવાળા એવા તમે સવ સામ્રાજ્ય સાધેલુ છે.
મોટામાં મોટા અને મહ!ત્માઓએ પૂજવા યેાગ્ય એવા તમે અહા ! મારી સ્તુતિગેાચર
'
થયેલા છે. હે સ્વામી ! બીજાએમાં જે સ' રીતે દોષો છે તે તમારામાં ગુણરૂપ છે; “ આ તમારી સ્તુતિ જે મિથ્યા હાય તો તે વિષે આ સભાસદો પ્રમાણુરૂપ છે. હે જગત્પતિ ! તમારા ચરણનુ' મને વારંવાર દર્શન થાએ એવી જ હું ઇચ્છા રાખું છું. તે સિવાય મેાક્ષની પણ મારે ઇચ્છા નથી”
*
“ આ ઘાર સંસાર સમુદ્રના જેવા અપાર છે. તેમાં ચેારાશી લાખ જીવાયેાનિને વિષે પ્રાણી રખડયા કરે છે. આ સ`સારરૂપી નાટકમાં સ`સારી પ્રાણીએ શ્રોત્રીય,૧ ચડાળ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કૃમીના વેષો ધરી ધરીને અનેક ચેષ્ટાઓ કરે છે. સ`સારી પ્રાણી કર્મોના સંબંધથી ભાડે રાખેલી ઝુંપડીની જેમ કઈ ચેાનિમાં નથી ગયા અને
tr
કઈ યાનિ તેણે છેડી નથી ? આ સમગ્ર લેાકાકાશમાં પાતપાતાના કર્મ થી દરેક પ્રાણીએ
k
નાનાં રૂપો ધરીને સ્પર્શ કર્યા ન હેાય તેવી વાલા માત્ર પૃથ્વી પણ નથી, અર્થાત્ સ
-
પ્રદેશનો તેણે સ્પર્શ કરેલા છે. આ જગમાં નારકી, ત્રિય ચ, મનુષ્ય અને દેવ એ ચાર
“ પ્રકારના પ્રાણી છે તેએ પ્રાયકના સંબંધથી ખાષિત થઇને ઘણું દુઃખ ભોગવ્યા
*
કરે છે. પહેલા ત્રણ નરકામાં માત્ર ઉષ્ણુ વેદના છે, છેલ્લા ત્રણ નરકામાં શીતળ વેદના
66
"6
'
::
k
.
66
છે, અને મધ્યના ચાથા નરકમાં ઉષ્ણુ અને શીતળ અને પ્રકારની ક્ષેત્ર વેદના છે. તે અનુસારે તે તે ક્ષેત્રમાં દુઃખ થયા કરે છે. એ ઉષ્ણુ અને શીતળ નરકામાં લેાહાનો પત પણ કદી લઇ જવામાં આવે તે તે ત્યાંની ભૂમિનો સ્પર્શ કર્યા અગાઉ જ ઓગળી જાય છે અથવા વેરશીણ થઈ જાય છે. એ પ્રમાણેની ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર નારકી જીવાએ ઉપજાવેલી વેદના તથા પરમાધામી કૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદનાઓએ જેમને મહાદુ:ખ ઉત્પાદન કરેલુ છે એવા નારકીઓ વિવિધ દુ:ખોથી પીડિત થઈને તે
''
46
નક ભૂમિમાં વસે છે. ઘટીયંત્રમાં ઉત્પન્ન થયેલા નારકી જીવાને પરમાધાર્મિક વા
૧ પવિત્ર બ્રાહ્મણુ. ૨ નાના મેાઢાવાળી કુંભ જેવા સ્થાનકમાં (આલામાં) નારકી જીવા ઉત્પન્ન થાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩ જી
૪૧
..
સીસાની સળીએ જેમ જ તરડા માંથી ખેંચે તેમ લઘુ દ્વારથી આકષ ણ કરે છે. કેટલા“ એક નારકી જીવાને, વસ્ત્રોને જેમ રજકા પછાડે તેમ હાથ પગ વિગેરેથી પકડીને “ વાકંટક જેવી સ‘કટકારી શિલાના ધૃષ્ટ ઉપર પરમાધામોએ પછાડે છે. કાઈ ઠેકાણે તેઓએ કાષ્ટની જેમ દારૂણ કરવતથી વિદ્યારે છે, અને કોઈ ઠેકાણે તલની જેમ વિચિત્ર યાથી પીલવામાં આવે છે. વળી નિત્ય તૃષાતુર એવા તે રાંકડાઓને ત્યાંથી લઈ
*
જઇને તૃષા શાંત કરાવવા માટે તરવાર અને સીસાના રસને વહન કરનારી વૈતરણી “ નામની નદીમાં ઉતારવામાં આવે છે. કદી તે પ્રાણીઓને છાયામાં બેસવાની ઈચ્છા
“ થાય તેા તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે. ત્યાં એ વનમાં રહેલા વૃક્ષાના શસ્ત્ર
.
k
જેવા પત્રા પડવાથી તેઓના તિલતિલ જેવડા કટકા થઇ જાય છે. કાઈ ઠેકાણે વા કંટન
"C
જેવા શાલ્મલીના વૃક્ષની સાથે અને કોઇ ઠેકાણે અત્યંત તપાવેલી લેાઢાની પુતળીએની “ સાથે આલિંગન કરાવે છે, અને તે વખતે તેઓએ કરેલા પરસ્ત્રીઓના અલિંગનનુ સ્મ
66
66
રણ કરાવે છે. કાઈ ઠેકાણે પૂર્વે કરેલું માંસભક્ષણનું લેાલુપપણું યાદ આપીને તેમને તેઓના અંગનુ જ માંસ તાડી તેાડીને ખવરાવવામાં આવે છે, અને પૂર્વે કરેલી મદિરા“ પાનની લેાલુપતાને સ્મરણ કરાવીને તપેલુ તરવુ' પાવામાં આવે છે. વળી બ્રાષ્ટુ. ખરજ,
66
મહાશૂલ અને કુ‘ભીપાક વિગેરેની વેદનાને નિરંતર અનુભવ કરાવે છે તથા માંસની
“ પેઠે તેઓને શેકવામાં આવે છે. તે પ્રાણીઓના શરીર છિન્નભિન્ન થઈને પાછા મળી જાય
66
તેવા છે. તેઓનાં નેત્રાદિક અગા, બગલા અને કક વિગેરે પક્ષીઓની પાસે ખેચાવે છે
ઃઃ
આ પ્રમાણે મહાદુ:ખાથી હણાયેલા અને સુખના એક અશથી પણ રહિત પ્રાણીએ “ ત્યાં રહીને યાવત્ તેત્રીશ સાગરેપમ જેવા મોટા કાળને નિમન કરે છે.
“ કેટલાએક પ્રાણીએ તિર્યંચગતિને પ્રાપ્ત થઇ તેમાં પણ એકેન્દ્રિયપણુ પામે છે. “ અને તેમાં પણ પૃથ્વીકાય રૂપને પ્રાપ્ત થઇ હલાદિક શસ્ત્રોથી કૂંડાય છે, હાથી ઘેાડા વિગેરેથી ચાળાય છે, જલપ્રવાહેાથી પ્લાવિત થાય છે, દાવાનલથી મળી જાય છે. ખારા,
66
66
ખાટા અને મૂત્રાદિકના જળથી વ્યથા પામે છે, લવણ ક્ષારને પામ્યા હોય છે તે ઉષ્ણ “ જળમાં તેને ઉકાળવામાં આવે છે. કુંભાર પ્રમુખ તેના દેહના ઘડાઈંટ વિગેરે કરીને
તેને પકાવે છે, ભીંતમાં કાદવરૂપ થઇને ચણાય છે; કાઈ ક્ષાર મૃત્તિકાના પુટપાકવડે
66
પકવીને તેને શરાણુથી ઘસે છે, કાઇવાર ટાંકણાથી તેમનું વિદારણ થાય છે, અને
૮ પર્વતની સિરતાના પ્રવાહેાથી ફાડી નખાય છે. અપકાયપણાને પામેલા જંતુએ સૂનાં
66
કિરણેાથી તપાય છે, હિમરૂપે ઘનીભૂત કરાય છે, રજથી શેાષણ કરાય છે. ઘણા ક્ષાર રસના સ ́પથી પરસ્પર મૃત્યુ પામે છે, સ્થાળીની અ ંદર રાખીને પચાવાય છે, અને તૃષાવાળા માણસેાથી પીડાય છે. તેજકાયપણાને પામેલા જ તુએ જલાદિકથી બુઝાવાય છે, ઘણુ વિગેરેથી કુટાય છે, અને ઇ ધડાકિથી દુગ્ધ કરાય છે. વાયુકાયપણાને પામેલા
"
“ જંતુઓ પ'ખા વિગેરેથી હણાય છે, ક્ષણે ક્ષણે શીતે પ્રમુખ દ્રવ્યના ચાગથી મૃત્યુ
66
પામે છે, પ્રાચીનની અર્વાચીનથી વિરાધના થાય છે, મુખાદિકના પવનાથી ખાધા પામે
“ છે, અને સપ પ્રમુખથી પાન કરાય છે. કદ પ્રમુખ દશ પ્રકારની વનસ્પતિ કાયને પામેલા
''
જતુએ હમેશાં છેદાય છે, ભેદાય છે, અગ્નિનાં ચેાગથી પચાવાય છે, પરસ્પર ઘણાથી
“ પીલાય છે, અન્ય પ્રયાગવડે શાષણ થાય છે, ખાવાના લેાલુપીએ ક્ષાર પ્રમુખના ચાગથી
૧ વસ્ત્ર ધાનારા ધેાખીએ, ૨ તરવુંલેાટું, ૩ નવે પવન આવે છે તે જુના પવનના જીવાને
વિનાશ કરે છે,
૬
66
66
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૨
સર્ગ ૪ થે
તેને બાળે છે, અને એકત્ર પણ કરે છે. સર્વ અવસ્થા માં ભક્ષણ કરાય છે, પવનોથી “ભંગાય છે, દાવાનળથી ભસ્મ કરાય છે, અને નદીના પ્રવાહથી ઉખેડાય છે. એવી રીતે
સર્વ વનસ્પતિઓ સર્વને ભેજ્ય થઈ પડે છે અને સર્વ પ્રકારનાં શસ્ત્રોથી તેઓ સર્વદા “ કલેશની પરંપરાનો અનુભવ કરે છે. બે ઈદ્રિયપણામાં પૂરા વિગેરે થઈને તપાય છે. અને
પીવાય છે, કમિ થાય છે તે ચરણથી ચૂર્ણ થાય છે અને ચકલા વિગેરે પક્ષીઓ તેમનું “ભક્ષણ કરે છે, શંખાદિક જંતુઓ ખેડાય છે, જલૌકાદિકને નિષ્કર્ષ થાય છે, અને “ગંડૂપદર વિગેરે જતુઓને ઔષધાદિવડે જઠરમાંથી પાત થાય છે. ત્રીદ્રિયપણામાં જુ “ અને માંકડ વિગેરે શરીર સાથે ચેળાય છે અને ઉષ્ણ જળથી તપાય છે, કીડીઓ પગથી “ અને સંમાર્જનથી પીડાય છે અને અદશ્ય. એવા કુંથુવા વિગેરેનું આસનાદિકથી મથન
થાય છે. ચતુરિંદ્રિયપણામાં મધમાખી અને ભમરાદિક જતુઓ મધુભક્ષક પુરૂષોએ “ કરેલા લાકડી તથા ઢેખાળાદિકના તાડનથી વિરાધાય છે, ડાંસ, અને મસલા પ્રમુખ “ પ્રાણીઓ પંખા વિગેરેથી તત્કાળ તાડન કરાય છે, ગળી વિગેરે મક્ષિકા તથા કરે ળિઆ વિગેરેને ગળે છે. પંચેન્દ્રિયપણામાં જળચર પ્રાણીઓ ઉત્સુક થઈને પરસ્પર “ એક બીજાનું જ ભક્ષણ કરે છે અને ઢીમર લો કે તેઓને પકડે છે, તથા ચરબીના “ અથી ચરબીને માટે તેમને ગાળે છે. સ્થળચરોમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓમાં માંસને
ખાનાર બલવાન્ સિંહ પ્રમુખ પ્રાણીઓ નિર્બલ એવા મૃગાદિકને મારી નાખે છે, “મૃગયા કરનારા પુરૂષો શિકાર કરવામાં પોતાના ચિત્તને આસક્ત કરીને કીડાથી વા
માંસની ઈચ્છાથી અનેક ઉપાયે રચીને તે નિરપરાધી પ્રાણીઓને હણે છે, કેટલાએક પ્રાણીઓ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિ ભારનું વહન કરવા વિગેરેથી તેમજ
ચાબુક, અંકુશ અને કેરડાના મારાથી અસહ્ય વેદનાને સહન કરે છે. બેચર પ્રાણી“એમાં તેતર, શુક, કત અને ચકલા વિગેરે કેટલાએક પ્રાણીઓને માંસમાં લુબ્ધ થયેલા યેન, સીંચાણું અને ગીધ પક્ષીઓ પકડીને ગ્રાસ કરે છે, કેટલાએક માંસના
ભીપક્ષીના શિકારી પુરૂષ અનેક જાતના ઉપાય વિસ્તારી તેઓને પકડે છે અને “ અનેક જાતની વિડંબનાથી તેમનો વિનાશ કરે છે. તિર્યંચ પક્ષીઓને જળ, અગ્નિ
અને શસ્ત્ર વિગેરેથી સર્વ રીતે ભય રહ્યા કરે છે. અહા ! પિતપોતાના કર્મબંધનું નિબંધન કેટલુંક વર્ણવીએ.
“મનુષ્યપણું પ્રાપ્ત થયાં છતાં પણ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ “ એવું પાપ કરે છે કે જે કહી શકાય તેવું પણ નથી. આર્ય દેશમાં પણ ચંડાલ અને
શ્વપચાદિ જાતિમાં ઉત્પન્ન થાય છે તેઓ પણ તેવા પાપ કરે છે, અને તેને અનુસારે મહા દુઃખનો અનુભવ કરે છે. કેટલાએક પ્રાણીઓ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છતાં અનાય ચેષ્ટાવાળા થાય છે, અને તેને લીધે તેઓ દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી દગ્ધ થઈને નિરંતર દુઃખ ભેગવે છે. કેટલાક મનુષ્ય પરની સંપત્તિના ઉત્કર્ષથી અને પોતાની સંપત્તિના અપકર્ષથી તેમજ બીજાની સેવા કરવા વડે દગ્ધ ચિત્તવાળા થવાથીદુઃખે કરી જીવે છે. કેટલાએક દીન પુરૂ રેગ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થઈને “ તથા નીચ કર્મવડે કદર્શન પામીને દયા ઉત્પન્ન કરે તેવી દુઃખદશાને અનુભવે છે. વળી મનુષ્યપણામાં પણ ઘેર નરકમાં નિવાસ કરવા જેવા ગર્ભાવાસના દુઃખને ગર્ભવાસ જેવા દુ:ખનું કારણ છે તેવા દુ:ખનું કારણ જરા, રાગ, મૃત્યુ અને દાસપણું પણ “નથી. તપાવીને કરેલી અગ્નિ જેવા વર્ણવાળી સોથી રોમે રેમે ભેદાયેલા પુરૂષને જેટલું
૧ જળ વિગરે. ૨. ગંડોળા પેટમાં થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩ જી
“ છે. જન્મ્યા
દુ:ખ થાય છે તેનાથી આઠગણું દુ:ખ પ્રાણીને ગર્ભ વાસમાં ઉત્પન્ન થાય છે. વળી ચેાનિયંત્રમાંથી નીકળતી વખત પ્રાણીને જે દુઃખ થાય છે તે ગર્ભ વાસના દુઃખથી પણ અનતગણું પછી પણ ખાલ્યવયમાં મૂત્રવિષ્ટાથી, યૌવનવયમાં રતિવિલાસેથી અને “ વૃદ્ધાવસ્થામાં શ્વાસ તથા ખાંસીના રાગથી એ પ્રાણી પીલાય છે, તથાપિ તેને કદી “ પણ લજ્જા આવતી નથી. પ્રાણી પ્રથમ બાલ્યાવસ્થામાં વિદ્યાનો ડુક્કર, પછી ચૌવનાવસ્થામાં કામદેવને ગધેડા અને છેવટે વૃદ્ધાવસ્થામાં ઘરડા ખેલ અને
*
""
છે; પણ કદાપિ તે પુરૂષ છતાં પુરૂષ થતા નથી. શિશુ વયમાં માતૃમુખી, યૌવન “ વયમાં શ્રીમુખીર અને વૃદ્ધપણે પુત્રમુખી થાય છે, પણ એ મૂખ પ્રાણી કાઇવાર
66
અંતમુ ખ થતા નથી, ધનની આશામાં વિવલ થયેલા (પ્રણી કેાઈવાર સેવા, કૃતિ, વ્યાપાર
t
અને પશુપાલન વિગેરે ઉદ્યોગથી પાતાના જન્મને નિષ્ફલ ગુમાવે છે. કોઈવાર ચારી, કેઇિ“વાર દ્યુત અને કાઇવાર જારપણું કરવાથી મનુષ્યાને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરવાનાં
tr
કારણુ ઉત્પન્ન થયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીએ સુખી હોય છે ત્યારે કામિવ
*
"C
**
લાસથી દુઃખી થાય છે અને દીનતા અને રૂદન કરવાથી પાતાનો જન્મ ગુમાવે છે પણ “ ધર્મ કાર્ય કરતા નથી, અનંત કર્માંના સમૂહનો ક્ષણમાત્રમાં ક્ષય કરવાને સમર્થ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ પાપી પુરુષો પાપ કર્મ કર્યા કરે છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર એ ત્રણ રત્નોના પાત્ર રૂપ મનુષ્યપણામાં જે પાપ કર્મ કરવું તે સુવર્ણ પાત્રમાં મિદેરા ભરવા જેવું છે. આ સંસાર રૂપી સમુદ્રમાં શિમલાયુગના યાગની જેમ માંડમાંડ પ્રાપ્ત થયેલું આ મનુષ્યપણું અહા ! મૂખ જેમ ચિંતામણિ રત્ન હારી જાય તેમ પ્રાણી હારી જાય છે. સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિના કારણરૂપ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ માણસ નરકપ્રાપ્તિના ઉપાય રૂપ કર્મોની અંદર ઉદ્યમ કર્યા કરે છે એ “ કેવી દિલગીરીની વાત ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ મેાટા પ્રયત્નથી જેની આશા “ રાખે છે એવું મનુષ્યત્વ પ્રાપ્ત થયા છતાં પણ તેને પાપી પુરૂષા પાપ કર્મમાં જોડી “ દે છે. નરકમાં પરાક્ષ દુઃખ છે અને નરજન્મમાં તે પ્રત્યક્ષ દુ:ખ છે; તેથી તેના
**
66
66
વિસ્તાર અતિશયપણે શામાટે અહીં વર્ણવવા જોઈએ ?
66
· શાક, અમર્ષ, ખેદ, ઈર્ષ્યા અને દીનતા વિગેરેથી જેમની બુદ્ધિ હણાયેલી છે એવા “ દેવતાઓમાં પણ દુ:ખનુ સામ્રાજ્ય પ્રવૃતિ રહેલું છે. બીજાની મેાટી લક્ષ્મીને જોઇને “ દેવતાએ પાતાના અલ્પ સુકૃતને સંપાદન કરનારા પૂર્વજન્મના જીવિતના ચિરકાળ “ શાક કરે છે. બીજા કાઈ બલવાન દેવતાની તરફથી પેાતાને અડચણુ ઉત્પન્ન થતાં
66
તેને પ્રતિકાર કરવાને અસમર્થ એવા દેવતા તીક્ષ્ણ એવા અમ રૂપ શલ્યથી
નિર'તર કચવાયા કરે છે. ‘મેં પૂર્વ જન્મમાં કાંઈ પણ સુકૃત કર્યું' જણાતુ નથી જેથી 'દ આ ભવમાં સેવકદેવતાપણાને પામ્યા છે. આવી રીતે વિચારતાં અને પેાતાથી “ અધિક ઉત્તરાત્તર ખીજા દેવાની લક્ષ્મીને દેખતાં નિર'તર કેટલા એક દેવતા એ ખેદ
66
કર્યા કરે છે. કેટલાએક દેવતાએ ખીજાએની વિમાન, સ્ત્રીરત્ન અને ઉપવન સ`ખધી સપત્તિ જોઈ જોઈને ચાવજીવિત ઈર્ષ્યારૂપ જ્વલિત અગ્નિના ઊર્મિઓથી બળ્યા કરે છે. કેટલાએક દેવતાએ બીજા ખળીષ્ટ દેવતા તરફથી પેાતાનું સર્વસ્વ લુંટાઇ જતાં
66
66
૪૩
૧ માતાના મુખ સામું જોવાવાળા. ૨ સ્ત્રીના મુખસામું જોવાવાળે. ૩ પુત્રના મુખ સામું જોવાવાળા. ૪ સ્વયંભૂરમણ સમુદ્રમાં સામસામી દિશાએ નાંખેલું ધાંસ' તે ખીલી અનત કાળે કદાપિ એકઠુ થઈ જાય અને ધાંસરામાં ખીલી પાવાઈ જાય, એ જેટલુ અસંભવીત અને કવચિતજ બને તેવું છે તેના સરખુ મનુષ્યપણું પામવું દુર્લોભ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
સ ૪ થા
દીનવૃત્તિએ હે પ્રાણેશ ! હે પ્રભુ! હે દેવ ! તમે પ્રસન્ન થાઓ ' એમ ગદ્ગદ્ સ્વરે
<
66
પાકારે છે. પુણ્યથી સ્વર્ગલાક પ્રાપ્ત થયા છતાં પણ કામી દેવતાઓ કામ, ક્રોધ અને “ ભયથી આતુર થયા સતા કયારે પણ સ્વસ્થપણાને પામતા નથી. વળી દેવતાઓ દેવભવનમાંથી પેાતાને ચવવાનાં ચિહ્નને અગાઉથી જોઇને · અમે કયાં સંતાઈ જઇએ' એમ બાલ્યા કરે છે અને સ`તાઇ પણ જાય છે. કલ્પવૃક્ષેાનાં પુષ્પોથી ઉત્પન્ન થયેલી માલા ગ્લાનિ પામે નહી. પણ ચ્યવન નજીક આવે છે તે વખતે દેવતાના મુખકમલાની સાથે તે પણુ ગ્લાનિ પામી જાય છે. મોટા બળવાન્ પુરૂષાથી પણ “ અકંપ્ય એવાં કલ્પવૃક્ષેા તેના હૃદયની સાથે સંધિબંધ શિથિલ થઈ જવાથી ક'પાય
("
::
માન થાય છે. ઉત્પન્ન થયા ત્યારથીજ પ્રાપ્ત થયેલી અને ઘણી પ્યારી એવી લક્ષ્મી
**
અને લજ્જા પણ જાણે અપરાધ કર્યા હોય તેમ તેઓને તત્કાલ છેાડી દે છે. નિર'તર નિર્મલ એવી વસ્ત્રની શેાભા પણ અકસ્માત્ પ્રસરેલા મિલન અને ઘાટા પાપના સમૂહથી હાય તેમ તત્કાળ મલિન થઈ જાય છે. મૃત્યુકાળે જેમ કીડીઓને પાંખે આવે છે તેમ તેને તે વખતે અદીનપણું છતાં દૈન્યતા આવે છે અને નિદ્રા રહિત છતાં નિદ્રા આવે છે. મરવાને ઈચ્છતા એવા પુરુષા જેમ યત્ન કરીને પણ કુપથ્ય સેવનની ઇચ્છા કરે છેતેમ અજ્ઞાની દેવતાએ એવે વખતે ન્યાય તથા ધર્મને ખાધ કરીને વિષયા ઉપર રાગ ધરે છે. નીરોગી છતાં પણ ભવિષ્યમાં આવનારા ચ્યવનથી ઉઠેલી વેદનાને જાણે વશ થયેલા હોય તેમ તેઓના સર્વ અંગે પાંગના સાંધા ભાંગવા માંડે છે, અર્થાત્ આળસ પર આળસ મરડવા લાગે છે, જાણે બીજાઓની સ`પત્તિના ઉત્ક ને જોવાને અસમર્થ હોય તેમ તેની પદાર્થ ને ગ્રહણ કરવામાં ષ્ટિએ અપટુ “ થઇ જાય છે. ભવિષ્યમાં આવવાના ગર્ભાવાસના દુઃખને જાણે તેઓને ભય લાગ્યા હોય ૬ તેમ પેાતાને થયેલા પ્રક’પથી ચપળ અગાવડે ખીજાઓને પણ બીવરાવે છે. પૂર્વોક્ત
66
(6
ચિન્હાવડે તેને ચ્યવવાના નિશ્ચય થવાથી જાણે અગ્નિના અંગારાઓએ તેમનુ
૪૪
*
*
""
<<
::
**
'
'
CC
::
(6
6C
ઃઃ
આલિ’ગન કરેલું હોય તેમ વિમાનમાં, નંદનવનમાં, વાપીકામાં કે કોઇપણ સ્થાનકે “ તેને શાંતિ વળતી નથી. તે વખતે તેએ વિલાપ કરે છે કે ‘હા પ્રિયા ! હા “ વિમાને ! હા વાપીકાએ ! અને કલ્પવૃક્ષ ! ડુતભાગ્ય એવા મારાથી વિયેાગ પામેલા
("
તમે હવે ફરી મને કયાં જોવામાં આવશે ? અહે ! અમૃતને વર્ષાવનારી વાણી, અમૃતમય કાંતા, રત્નના ઘડેલા સ્ત ંભ, શેશભા સહિત મણિમય ભૂમિએ અને રત્નમચી વેદિકાએ ! તમે કેને આશ્રયે જશે ? રત્નની પદ્મપ`ક્તિએ યુક્ત અને શ્રેણીબંધ કમલેાવાળી હે પૂર્ણ વાપીકાએ ! તમે કેાના ઉપભેાગને અર્થે થશે ? હે પારિજાત ! હે “ સ'તાન ! હું હિરચંદન ! અને હું કલ્પવૃક્ષ ! શુ તમે આ માલેકને છેડી દેશે ? અરે !
66
66
સ્ત્રીના ગર્ભરૂપ નરકમાં શુ મારે પરવશ થઈને નિવાસ કરવા પડશે ? અને અશુચિ “ રસનું શું મારે વારવાર આસ્વાદન કરવું પડશે ? અહા ! મારે પેાતાના કર્મોથી “ બંધાઈને જઠર રૂપ અગારશકટીનાર પાકથી થતું દુઃખ સહન કરવું પડશે ! અરે ! રતિસુખની જાણે ભંડાર હોય તેવી આ દેવાંગનાએ કયાં ! અને અશુચિનું જ સ્થાનક હાવાથી બીભત્સ એવી માનવ સ્ત્રીઓને ભાગ કયાં !’ આ પ્રમાણે સ્વગીય વસ્તુને “ સ*ભારી સંભારી વિલાપ કરતા એ દેવતાઓ, દીપક જેમ ક્ષણવારમાં બુઝાઈ જાય
"C
66
તેમ ત્યાંથી ચવી જાય છે. તેથી આ સ'સારને અસાર જાણી શુભ બુદ્ધિવાળા પ્રાણીએ દીક્ષારૂપ ઉપાયથી મુક્તિને અર્થે પ્રયત્ન કરવા યાગ્ય છે.”
૧. અસુંદર ૨. શૃગડી.
'
*
66
Page #72
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું આ પ્રમાણેની દેશના સાંભળીને હજારે મનુષ્યો પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાએ કે સમકિતને સ્વીકાર કર્યો. સુવ્રત વિગેરે એક ને સાત ગણધર થયા. તેઓએ પ્રભુથી ત્રીપદીને પામીને દ્વાદશાંગીની રચના કરી. પ્રભુ. જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સુત્રત ગણધરે દેશના દીધી. કારણકે કુવાની ક્રિયા જેમ પાછળથી અવાડો કરે તેમ શિષ્યો ગુરૂની ક્રિયાને અનુસરે છે. સુત્રત ગણધર દેશનાથી વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ અને મનુષ્ય વિગેરે પ્રભુને પ્રણામ કરી પિતપોતાને સ્થાનકે ગયા.
તે વખતે નીલ અંગવાળા, મૃગના વાહનવાળે, પિતાની બે દક્ષિણ ભુજામાં સફળ અને અભયને ધારણ કરનાર અને બે વામ ભુજામાં નકુલ તથા અક્ષસૂત્રને રાખનારે કુસુમ નામે યક્ષ એ તીર્થને અધિષ્ઠાતા થયે. એ યક્ષ હમેશાં પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસનદેવતા કહેવાય. તે જ પ્રમાણે શ્યામ અંગવાળી, પુરૂષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભુજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે ચક્ષણી પ્રભુની શાસનદેવી થઈ. એ યક્ષ અને શાસનદેવીએ જેમની સાંનિધ્ય છોડી નથી એવા જગપ્રભુએ વિશ્વને અનુગ્રહ કરવાની ઇચ્છાથી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં વિહાર કર્યો.
પ્રભુને ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધુઓ થયા, ચારલા ખ અને વીશહજાર સાધ્વીઓ થઈ, બે હજાર અને બસો ચૌદ પૂર્વધારી થયા, દશ હજાર અવધિજ્ઞાની થયા, દશહજાર ને ત્રણસે મનઃપચ્યવ જ્ઞાની થયા, બા૨ હજાર કેવળજ્ઞાની થયા, સોળ હજાર એકસે ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા, નવહજાર ને છ વાદ લબ્ધિધારી થયા, બે લાખને છોતેર હજાર શ્રાવકો થયા, અને પાંચ લાખ ને પાંચહજાર શ્રાવિકાઓ થઈ. આટલે પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સેળ પૂર્વાગે ઊન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થો. પછી પિતાનો મોક્ષકાળ નજીક જાણીને પદ્મપ્રભ પ્રભુ સમેતશિખર પર્વતે આ વ્યા, અને ત્યાં માસિક અનશન ધારણ કર્યું. માગશર માસની કૃષ્ણ એકાદશીને દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, શ્રી પદ્મપ્રભ પ્રભુ અઘાતિ ચતુષ્કર્મને ખપાવીને અને અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણસે ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલ ધ્યાનવડે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
સાડા સાત લાખ ને સોળ પૂર્વાગ કૌમાર વયમાં, સાડી એકવીશલાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને સોળ પૂર્વાગે ન્યૂન એકલાખ પૂર્વ વ્રતમાં-એમ સર્વ મળી ત્રીસ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભનું આયુષ્ય હતું. સુમતિ સ્વામીના નિર્વાણ પછી નેવુહજાર કોટી સાગરિપમ ગયા પછી શ્રી પદ્મપ્રભ પ્રભુ મોક્ષપદને પામ્યા. પ્રભુ મોક્ષ પામ્યા પછી ભક્તિવાળા ચોસઠ ઈન્દ્રોએ આવી પ્રભુનો અને બીજા મુનિઓના શરીરનો ઊંચે પ્રકારે સંસ્કાર કર્યો, અને નિર્વાણુકલ્યાણકને મોટે મહત્સવ પણ કર્યો.
恐础院恐伙说说现恐双双码忍既盈次础稳稳欧欧欧欧
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीयमप्रभस्वामिचरित्र
વળનો નામ રાઈ. સ. ૪ દ8288888888888888888888888888888888888
Page #73
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, વેલાતટને ઉલ્લંઘન કરનાર કેવળજ્ઞાન રૂ૫ સમુદ્રની જાણે લેહેરે હોય એવી શ્રી સુપાનાથ પ્રભુની દેશનાની વાણીએ તમારી રક્ષા કરો. સર્વ પ્રાણીઓના કુબધરૂપ અંધકારને નાશ કરવામાં શુભ દિવસરૂપ એવું સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે હું કહું છું.
ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે એક નગરી છે. તેમાં સૂર્યની જેમ તેજના એક સ્થાનરૂપ અને જગતને આનંદકારક શ્રી નંદીપણ નામે રાજા હતા. રાજ્યના તમામ વ્યાપારમાં જાગ્રત રહેનારા એ રાજાને પોતાના જમણા હાથના જે ધર્મ પ્રધાનપણે રહેલે હતો. પ્રજામાં રહેલા કંટક જેવા દુષ્ટ જનસમૂહને શિક્ષા કરવામાં તેને કેપ થતે તે પણ લોકના સુખને માટે હતા. જેને કેપ પણ ધર્મને અર્થે થતા હતા તેની બીજી ક્રિયાને માટે તે વાત જ શી કરવી ? અહર્નિશ સ્મૃતિગોચર થતા શ્રી વીતરાગ ભગવાન્ તેને હ૭ય ( હૃદયમાં સુનારા, પક્ષે કામદેવ) રૂપ થતા હતા એ મોટી આશ્ચર્યની વાત હતી. એ રાજા પીડિત જનોની પીડા હરવામાં સદા શરણ કરવા ગ્ય હતું, પણ કામપીડિત પરસ્ત્રીઓને કેઈવાર શરણ આપતો નહીં, એ. મોટું આશ્ચર્ય હતું.
કેટલાએક કાળ ગયા પછી મોટા મનવાળા નંદીષેણ રાજાએ સંસારથી ઉદ્વેગ પામીને અરિદમન આચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તીર્ણ મહાવ્રતને પાળતા એ મહામુનિએ વીશસ્થાનમાંથી કેટલાક સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંત સમયે અનશન કરી નંદીષેણ મહામુનિ પંચત્વ પામીને છ ગ્રેવેયકમાં મહર્તિક દેવતા થયા. - આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કાશી દેશના મંડરૂપ વારાણસી નામે નગરી છે. તેમાં રહેલા પ્રકાશિત રત્નની ભીતવાળા ગૃહની અંદર જે દેવની આગળ અષ્ટ પ્રકારની પૂજાના દીપક હોય તો અનુપમ શેભા થઈ રહે છે. એ નગરીમાં ચૈત્યના ઊંચા ધ્વજાદંડ ઉપર આવેલો ચંદ્રમા, એક છત્રવાળા ધર્મરાજાના છત્રની શોભાને ધારણ કરે છે. તે નગરીમાં કિલ્લાની અગાશી ઉપર ક્રીડા કરવાને આવેલી વિદ્યાધરની સ્ત્રીઓ જગતી ઉપરના જાળકટકનું વિમરણ કરી સુખેથી ત્યાં જ રહે છે. રાત્રિએ વાસગૃહોની અંદર આવીને શબ્દ કરતા પારાવત પક્ષીઓ કામદેવને જગાડવાને માટે જાણે મંગળ પાઠ કરતા હોય તેમ જણાય છે. એ નગરીમાં પુરુષોની પ્રતિષ્ઠા કરવામાં કલ્પવૃક્ષ સમાન અને ઇંદ્રની જે પ્રતિષ્ઠાને પામે પ્રતિષ્ઠ નામે ન્યાયવાન રાજા હતા. મેરૂ પર્વતની જેમ આ મહત્ત્વ પણાથી અનપમ એવા તે રાજાના ચરણની છાયા નીચે સર્વ જગત રહેલ હતા. જ્યારે રાજા દિગ્વિજય કરવાને જતે તે વખતે તેને મસ્તકે ધરેલાં વેત છત્રાથી અને મયૂરપિચ્છનાં છત્રોથી આકાશને સર્વ પ્રદેશ જાણે બગલીઓના અથવા મેઘનાં ચિહ્નાથી છવાયેલો હોય તેવું જણાતો હતે. નિ:સીમ પુરુષત્રતરૂપી આભૂષણોને ધારણ કરતે
Page #74
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩ જી
એ રાજા જેમ યાચકાથી પરાડ’મુખ થતા નહી. તેમ રણભૂમિમાં શત્રુઓની સામે પણ કદાપિ પરાડ‘મુખ થતા નહીં. માટી ભુજાવાળા એ રાજાને જન્મથીજ કોઈની સહાય ન હતી તાપણુ સ પૃથ્વીને ક્રીડાકમળની જેમ લીલા માત્રથી ધારણ કરતા હતા.
તે પૃથ્વીપતિને જાણે જગમ પૃથ્વી હોય તેમ સ્થિરતાદિક ગુણાના પાત્રરૂપ પૃથ્વીનામે રાણી હતી. એ રાણીને શીલ અને રૂપ એ બે નિત્ય આભૂષણપણાને પામેલાં હતાં અને બહારનાં આભૂષણા તા ફક્ત ભૂખ્યતાનેજ પામેલાં હતાં. તામ્રપણી નદીમાં મેાતીના દાણાની જેમ એ રાણીમાં સ્વભાવથીજ નિમ ળતાવાળા અનેક ગુણે ઉત્પન્ન થયેલા હતા. એ રાજયુવતિનું રૂપ લાવણ્યરૂપ જળથી અને મુખ, નેત્ર, હાથ તથા પગ રૂપ કમળેાથી લક્ષ્મી દેવીના નિવાસરૂપ પદ્મદ્રહ હેાય તેવુ' શેાભતુ` હતુ`. એ પૃથ્વી દેવી તીર્થંકરની માતા થવાના છે, તેથી ભવિષ્ય કાળમાં તે તેમનું દાસી પણું થવાનુ જ હતું, તથાપિ આ મહાદેવીના રૂપથી પરાજય પામેલી દેવાંગનાએ અત્યારથીજ તેમની દાસીએ થઈને રહેલી હતી.
૪૭
આ તરફ નંદિષેણ રાજાનો જીવ જે છઠ્ઠા ગ્રેવેકયમાં રહ્યો ત્યાં તેણે પોતાનું અઠયાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં, તે પૃથ્વીની કુક્ષીમાં અવતર્યાં. સુખે સુતેલા પૃથ્વી દેવીએ રાત્રિના શેષ ભાગમાં તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. એ ગ વૃદ્ધિ પા સતે તેમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા ઉપર પોતાના આત્માને સુતેલા જોયા. અનુક્રમે જયેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ વિશાખા નક્ષત્ર ઉપર આવતાં સ્વસ્તિકના ચિહ્નવાળા એક સુવર્ણ વણી પુત્રને તેમણે સુખે જન્મ આપ્યા. તરતજ અવધિજ્ઞોનથી અ તના જન્મ જાણીને છપ્પન કિમારીએએ આવી સૂતિકાયમ કર્યું. તેવીજ રીતે શક્ર ઇ‘તું પણ ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિપાંડુકખલા નામની શિલા ઉપર લઇ ગયા. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ઉત્સ`ગમાં રાખી ઇન્દ્ર રત્નના સિંહાસન ઉપર બેઠા. પછી સમુદ્રની વેલાએ તટ ઉપર રહેલા પર્વતને જેમ સ્નાન કરાવે તેમ ત્રેસઠ ઇદ્રોએ તી જળથી અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈદ્રના ઉત્સ`ગમાં પ્રભુને બેસાડી સ્ફાટિકમય વૃષભના શૃંગમાંથી નીકળતી જળધારાથી ધારાયંત્રના જળની પેઠ શઇંદ્ર અભિષેક કર્યાં. વિલેપન તથા વસ્ત્ર અલ'કારાદિક વડે પૂજા કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવાનો તેણે આરંભ કર્યા.
66
“ હે પ્રભુ ! જેનું સ્વરૂપ અવિજ્ઞેય છે એવા તમારે વિષે અવાદ કરવાના આગ્રહ જે હું ધારૂં છું તે આદિત્યમ`ડળને ગ્રહણ કરવાને કપિએ ફાળ માર્યા જેવુ છે તથાપિ “ હે પરમેશ્વર ! તમારા પ્રભાવથીજ હું તમારી સ્તુતિ કરીશ; કારણકે ચંદ્રકાંતમણિ ચંદ્રની
*
કાંતિના પ્રભાવથી ઝરે છે. હે પ્રભુ તમારા સં કલ્યાણકાને અવસરે તમે નારકી ને
“ પણ સુખ આપા છે તેા તિયાઁચ, નર અને દેવતાઓને સુખ આપનાર તમે કેમ ન “ થાએ ? તમારા જન્માત્સવને સમયે ત્રણ જગમાં જે ઉદ્યોત થયે છે તે વિ
66
ષ્યમાં ઉદય પામનારા કેવળ જ્ઞાનરૂપ સૂર્યનો અરુણાદય છે એમ જણાય છે. હે પરમેશ્વર ! જાણે તમારા પ્રસાદના સ`પર્કથી થયેલી હોય તેમ આ સર્વ દિશાએ હમણાં પ્રસન્ન
66
• થયેલી છે. હું પવિત્ર આકૃતિવાળા પ્રભુ! હમણાં આ પવને પણ સુખકારી વાય છે.
،،
કારણકે તમારા જેવા સુખદાયક પ્રભુ પ્રગટ થતાં જગમાં પ્રતિકૂલ વનાર કાણુ થાય
← છે ? હે પ્રભુ અમારા પ્રમાદને ધિક્કાર છે કે જેને આપના જન્મસમયની ખબર ન પડી અને ૧ તમારૂં સ્વરૂપ વવવાને.
Page #75
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે આ અમારા આસનોને ધન્ય છે કે જેઓએ ચલાયમાન થઈને તમારા જન્મકલ્યાણની અમને ખબર જણાવી. હે પ્રભુ! નિયાણું બાંધવું એ નિષિદ્ધ છે, તે પણ “તમારા દર્શન “નનું ફળ મને તમારી ભક્તિ રૂપેજ નિરંતર થાઓ” એવું નિયાણું હું બાંધુ છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ પ્રભુને લઈ સત્વરપણે આવીને પ્રભુને પૃથ્વીદેવીની પડખે અલક્ષિત પણે જેમ હતા તેમ મૂકી દીધા.
કારાગૃહમાંથી બંદીવાનોને મૂકાવવા વિગેરે અદ્દભુત કૃત્યથી પ્રાણીઓને પ્રસન્ન કરતા રાજાએ તે વખતે આનંદ ફળના વૃક્ષરૂપ મેટ મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે તેમની માતા સારા પાર્થ (પડખ) વાળા થયા, તેથી પ્રતિષ્ઠરાજાએ પ્રભુનું સુપાર્વ એવું નામ પાડયું. ઈકે અંગુઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ વધવા લાગ્યા, કારણકે અમૃતનું જ ભોજન કરનારા અહંત પ્રભુ સ્તનપાન કરતા નથી, શિશુવય ને લાયક એવી ચપળતા વડે ખોળા માંથી વારંવાર ઉતરી જતા પ્રભુ પિતાની ધાવ્યમાતાને વારંવાર છેતરતા અનેક પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. પણ કરીને ક્રીડા કરતા મનુષ્યનું રૂપ ધરનાર દેવતાઓને પ્રભુ લીલા માત્રથી જીતી લેતા હતા. કીડામાં પણ પ્રભુની આગળ ઈદ્ર શું માત્ર છે ! વિચિત્ર ક્રીડાઓથી કામી પુરુષ જેમ રાત્રિને નિર્ગમન કરે તેમ પ્રભુએ પિતાનું શિશુવય નિર્ગમન કર્યું. પછી બસે ધનુષ ઊંચી કાયાવાળા અને સર્વ લક્ષણેએ લક્ષિત એવા પ્રભુ રૂપ સંપત્તિના આભૂષણ રૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના માતાપિતાની દાક્ષિણ્યતાથી જગત્પતિએ રાજપુત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. મૈલોકયના સ્વામીએ પણ માતાપિતાનું શાસન માન્ય કરે છે, જે ગ્ય કર્મ ખપાવવાને માટે પ્રભુ રમણી સાથે રમવા લાગ્યા. “ભગવંતે કર્મને ઉછેદ કરવાને તત્પર હોય છે. પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી પિતાએ આરોહણ કરેલા ભૂમિભાર (રાજય) ને પ્રભુએ ઉપાડી લીધે. પૃથ્વીનું પાલન કરતાં તેમણે વીશ પૂર્વાગે અધિક એવા ચૌદલાખ પૂર્વ નિર્ગમન કર્યા. પછી પ્રભુનું મન સંસારમાંથી વિરક્ત છે એમ જાણુને લેકાંતિક દેવતાઓ બ્રહ્મ દેવલેકમાંથી પ્રભુની પાસે આવ્યા. “હે પ્રભુ! તમે જે કે સ્વયં બુદ્ધ હોવાથી કેઈનથી બોધ પામતા નથી પણ ભક્તિ વડે અમે આપને સ્મરણ કરાવીએ છીએ, તેથી હે નાથ ! ધર્મ તીર્થને પ્રવર્તાવો” એમ કહીને તેઓ સ્વર્ગમાં ગયા. પછી દાન દેવામાં ચિંતામણિ તુલ્ય અને દીક્ષા ગ્રહણના મહોત્સવમાં ઉત્કંઠાવાળા એવા સુપાર્શ્વ સ્વામીએ એક સંવત્સર સુધી દાન આપ્યું. વાર્ષિક દાનને અંતે આસનો ચલિત થવાથી ઇંદ્રોએ આવીને પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મોક્ષગામી પ્રભુ વિવિધ રત્નોથી મનહર એવી મનહરા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા નરેશ્વરે એ અનુસરેલા ભગવંત સહજામ્રવન નામે ઉત્તમ ઉપવનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગના ભૂષણ રૂપ પ્રભુએ આભૂષણાદિક સર્વ છોડી દીધું અને સ્કંધ ઉપર ઇંદ્ર આરે પણ કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યુ. જેઠ માસની શુકલ રાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગે એક સહસ્ર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તરત જ ચોથું મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું.
બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેંદ્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. દેવતાઓએ તે ઠેકાણે ધનની વૃષ્ટિ કરવા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. મહેન્દ્ર રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. પર્વતના હસ્તીની જેમ
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૩ જી
૪૯
પરીસહાની સેનાના તાપના જય કરતા, શરીરમાં પણ આકાંક્ષાએ રહિત, સુવર્ણ અને તૃણમાં સમાન ભાવ રાખનારા, એકાકી, મૌનધારી, એકાંત દષ્ટિ દેનારા, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, નહીં બેસનારા, નિર્ભય, સ્થિર, વિવિધ પ્રકારે કાયાત્સર્ગ કરતા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ પ્રભુએ નવ માસ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. વિહાર કરતા કરતા ફરીને સહસ્રમ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠું તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રતિમા ધારીને સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વર્ત્તતા જગદ્ગુરૂએ જાણે સ'સારના મમ સ્થળ હેાય તેવા ઘાતિકર્મના નાશ કર્યાં જેથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીને દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
સુર અને અસુરાના ઇંદ્રાએ તત્કાળ ત્યાં આવી સેવકાની જેમ પ્રભુને દેશના દેવા માટે સમેાવસરણ રચ્યું. જગદ્ગુરૂ ભગવંતે માક્ષદ્વારની જેમ પૂ દ્વારથી તેમાં પ્રવેશ કર્યાં. અને સુરનરાદિકાએ પણ યથાયેાગ્ય દ્વારથી પ્રવેશ કર્યા. ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારસા ધનુષ અધિક એક ક્રોશ ઊ'ચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી અતિશયાથી શેાભતા એવા જગત્પતિ ‘તીર્થાયનમ:” એમ કહીને ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. પૃથ્વીદેવીએ સ્વમામાં જેવા સપ દીઠા હતા તેવા સર્પ જાણે બીજી છત્ર હેાય તેમ પ્રભુના મસ્તક ઉપર વિકુબ્યાં. ત્યાંથી માંડીને તે પ્રભુને બીજા પણ સમાવસરણામાં એક ફણાવાળા, પાંચ ફાવાળા અથવા નવ ફણાવાળા નાગ થયેલા છે. પ્રભુના માટા પ્રભાવથી દેવતાઓએ ખીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુની જેવાજ પ્રતિબિંબે વિકર્ષ્યા. ભગવાન્ ચતુર્વિધ સંઘ પણ યથાયાગ્ય સ્થાને આવી બેઠે, કારણ કે સભાની અંદર સામાન્ય માણસને પણ સ્થાનબ્યત્યયય થતા નથી. પછી સૌધમ કલ્પના ઈંદ્રે પ્રભુને પ્રણામ કરી, મસ્તક ઉપર અંજલિ જોડી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યાં.
“સવ ભુવનકાશરૂપ કમલમાં સૂર્ય સમાન અને પ્રથમ અર્હત એવા શ્રી ભગવ`ત ! “તમને હું નમસ્કાર કરૂં છું. પ્રભુ ! હવે વિશ્વનું દુ:ખ ગયુ છે અને હર્ષી ઉત્પન્ન થયા “છે. કારણકે તીર્થં પરાવર્ત્તનથી આ વિશ્વ જાણે પરાવૃત્ત થયુ હાય તેમ જણાય છે. “હું ધચક્રી ! પ્રકાશવાન એવા તમારા વચનરૂપ રત્નદંડથી આજ નિર્વાણુરૂપ વૈતાઢયગિરિનું દ્વાર ઉઘડશે. હે નાથ ! ઉન્નત એવા મેઘની જેમ તમારૂ દર્શન સ` જીવલેાકના સંતાપને છેદ્યવાથી હર્ષોંને માટે થાય છે. અનંત જ્ઞાનવાળા હે ભગવાન્ ! તમારી દેશનાનાં વચના ૠરિદ્રિ ઘણા કાળે દ્રવ્ય પામે તેમ અમે ચિરકાલે પ્રાપ્ત કરીશું. પ્રથમ તમારા દર્શનથી “કૃતાર્થ થયેલા અમે હવે અત્યુક્તિવાળા અને મુક્તિના દ્વારને પ્રકાશ કરનારા તમારા “દેશનાવચનથી આજે વિશેષ કૃતાર્થ થઇશું. અનંત દન, અનંતજ્ઞાન, અનંતવીય અને અનંત આનંદમય સ્વરૂપવાળા તેમજ સ અતિશયાના પાત્રરૂપ એવા તમને-યાગી “સ્વરૂપને હું નમસ્કાર કરૂ છું. હે જગત્પતિ ! આ ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તા શું માત્ર છે ! “કેમકે તમારી સેવાથી તે તમારા જેવાજ થવાય છે,”
આ પ્રમાણે સ્તુતિ કરીને સુરપતિ વિરામ પામ્યા, એટલે સજ્ઞ ભગવાને ધર્માં દેશના આપવાના આરંભ કર્યાં
૧ પોતપોતાના શાસનની અપેક્ષાએ પ્રથમ અહુ ત-પ્રથમ પૂજનીક સમજવા.
७
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦
સર્ગ ૫ મે આ લેકમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય અને દેહાદિક સર્વ પિતાના આત્માથી જુદું છે તથાપિ તેઓને અર્થે અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને મૂર્ખ માણસ પોતાના આત્માને “ભવસમુદ્રમાં ડુબાડે છે. જ્યાં પ્રાણીને પોતાના આત્માથી વિદશ હોવાને લીધે પિતાના “શરીરની સાથે પણ જુદાપણું છે તે પછી ધન, બંધુ વિગેરે સહાયકોનું જુદાપણું કહેવું “તે કાંઈ વિશેષ નથી. જે પોતાના આત્માને દેહ, ધન અને બંધુથી જુદો જુએ છે, “તે પુરૂષને શેકરૂપ શંકુવડે પીડા કેમ થાય ? અહીં જે જુદાપ
ણાનો ભેદ છે તે પરસ્પરના લક્ષણના વિલક્ષણપણાથી જ જાણવા યોગ્ય છે અને તે પિતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની સાથે સરખાવતાં સાક્ષાપણે જણાય છે.
જે દેહાદિક પદાર્થો છે તે ઈદ્રિયેથી ગ્રાહ્ય છે અને આમાં તે ફક્ત અનુભવથી જ “ગોચર થાય છે, તે તેઓને અનન્યપણું (એકત્વ) કેમ સંભવે? કદી શંકા થાય કે “ આત્મા અને દેહાદિ પદાર્થોને જ જુદાપણું હોય તે દેહને પ્રહારાદિ થાય ત્યારે આત્માને પીડા કેમ થાય ? તેના સમાધાનમાં કહેવાનું કે તારું કહેવાનું સાચું છે, પણ જેમને આત્મા અને શરીરમાં ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેઓનેજ દેહ ઉપર પ્રહારાદિ થતાં * પીડા ઉત્પન્ન થાય છે, જેઓએ દેહ અને આત્માને ભેદ સારી રીતે અનુભવીને પ્રતિપાદન કરે છે તેવા પુરુષનો આત્મા દેહને પ્રહારાદિ થતાં પીડા પામતું નથી. ભેદને જાણ નારે જ્ઞાની પુરુષ પિતા સંબંધી દુઃખ આવી પડે તે પણ પીડા પામતું નથી અને “પરમાં પોતાપણું માની બેસનારભેદ જ્ઞાનને નહીં જાણનાર અજ્ઞપુરુષ એક ચાકર સંબંધી “ દુઃખ આવી પડે તો પણ મૂંઝાય છે. અનામીયપણાથી ગ્રહણ કરેલ પુત્ર પણ જુદો છે અને આત્મીયપણાથી ગ્રહણ કરેલો ચાકર પણ પુત્રથી અધિક થઈ પડે છે. પ્રાણી જેટલા જેટલા સંબંધે પિતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શેકના ખીલાઓ તેના હૃદયમાં ખોડાય છે. તેથી આ જગતમાં સર્વ પદાર્થ આત્માથી જુદાજ છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે જેને એ માણસ કઈ પણ વસ્તુને નાશ થવાથી તાવમાર્ગમાં મોહ પામતે નથી, તુંબિકા ઉપર કરેલે મૃત્તિકાનો લેપ છેવાતે જાય છે તે પ્રમાણે મમતારૂપ મૃત્તિકાના લેપને નિવારી દીક્ષા ગ્રહણ કરતો પુરુષ બિકાની જેમ ડાકાળમાં શુદ્ધાત્મા થઈને આ સંસારને તરી જાય છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણું લોકો પ્રતિબંધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. વિદર્ભ વિગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીને આધારે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશના પૂર્ણ થયા પછી તેમના ચરણપીઠ ઉપર બેસીને વિદર્ભ ગણધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધર પણ જ્યારે દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વ દેવતા તથા મનુષ્ય વિગેરે પ્રભુને નમસ્કાર કરી પિતપતાને સ્થાને ગયા. - તે તીર્થમાં જન્મ પામનારો, શ્યામ શરીરવાળો, હસ્તીને વાહન ઉપર બેસનારે, બે જમણી ભુજામાં નકુલ અને અંકુશને ધરનારે એક માતંગ નામે યક્ષ સુપાર્થ પ્રભુની પાસે રહેનાર શાસનદેવતા થયે. તેમજ સુવર્ણ, કાંતિવાળી, હસ્તીના વાહનપર બેસનારી સરખી બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી, તથા બે વામ ભુજામાં ત્રિશુલ અને અભયને રાખનારી શાંતા નામે ચક્ષણ સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. પછી સૂર્ય જેમ કમલને વિકસ્વર કરે તેમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ (વિકસ્વર ) કરતા પ્રભુએ ત્યાંથી અન્ય ગ્રામ નગરાદિ તરફ વિહાર કર્યો. પૃથ્વીમાં વિહાર કરતાં ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીશ ચૌદપૂર્વધર, નવ હજાર અવધિ
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૧
પર્વ ૩ જુ જ્ઞાનવાળા, નવ હજાર ને દેહ મન:પર્યય જ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ને ચાર વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે સુપાશ્વનાથ પ્રભુનો પરિવાર થયો.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવમાસ અને વિશ પૂર્વાગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી પ્રઢ સંમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં અસુર સુરોએ સેવેલા પ્રપ્રએ પાંચશે મુનિઓ ની સાથે એક માસનું અનશન કર્યું. માસને અંતે ફાળુન માસની કૃષ્ણ સપ્તમીને દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં સુપાર્શ્વનાથ પ્રભુ ૫૦૦ મુનિઓની સાથે મોક્ષપદને પામ્યા. કુમારવયમાં પાંચ લાખ પૂર્વ, પૃથ્વીને પાળવામાં વીશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ–એ પ્રમાણે એકંદર સુપાર્શ્વનાથ પ્રભુએ વિશ લાખ પૂર્વનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર કેડ સાગરેપમ વિત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુને નિર્વાણકાળ થયા. પ્રભુ મોક્ષ પામ્યા પછી અશ્રુત વિગેરે દ્રોએ તેમને તથા બીજા મુનિજનોને અગ્નિસંસ્કારપૂર્વક મોક્ષ પવનો મોટે મહિમા કર્યો.
函忍忍忍忍忍忍图动图邓恩的图图函冬冬
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___महाकाव्ये तृतीये पर्वणि श्रीसुपार्श्वस्वामिचरित्र
___वर्णनो नाम पंचमः सर्गः ५ B8 888888888888888 8888888888888888888888
Page #79
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠ્ઠી.
શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર ચંદ્રની કાંતિની જેમ મેહરૂપી મોટા અંધકારને નાશ કરનારી અને આનંદને આપનારી ચંદ્રપ્રભ પ્રભુની વાણીને વંદના કરીને ભવ્ય પ્રાણીઓના મોહરૂપી મોટા બરફનો વિનાશ કરવામાં સૂર્યના આતપ જેવું શ્રી ચંદ્રપ્રભ પ્રભુના ચરિત્રનું હું કીર્તન કરીશ.
ધાતકીખંડ દ્વીપના પ્રાષ્યિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ મંગળાવતી વિજયમાં રતનસંચયા નામે એક નગરી છે. ભગવતી નગરીમાં શેષનાગની જેમ તે નગરીમાં ઉગ્ર પરાક્રમવાળો અને કમલની જેમ લક્ષ્મીને ગૃહરૂપ પદ્મ નામે રાજા હતો. દિવ્ય સંગીતને કરનારા ગંધને અને અપ્સરાઓને ઉલંઘન કરનારી વારાંગનાઓને પરિવાર તેની સેવા કરતે હતો. મને હર એવા દિવ્ય અંગરાગથી અને પહેરેલા રેશમી વસ્ત્રોથી તેના સર્વ અંગપર વિશેષ પ્રકારે લક્ષ્મી શોભી રહેલી હતી. અહર્નિશ બીજા રાજાઓ તેના શાસનને ઉઠાવતા હતા. તેને અખૂટ ભંડાર હતો અને તેની પ્રજા નિરંતર સ્વસ્થ રહેતી હતી. આવી રીતે એ મહારાજને સર્વ પ્રકારે લેશમાત્ર પણ દુઃખ નહોતું, તથાપિ તત્ત્વવેત્તા ઓમાં શ્રેષ્ઠ એ. તે રાજા સંસારવાસમાં વૈરાગ્યદશાને ભજતું હતું તેથી કેશરીસિંહ જેમ ગિરિરાજને આશ્રય ગ્રહણ કરે તેમ તેણે સંસાર છેદવાને માટે સુગંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહને ધારણ કરનારા, મનને દમનારા, ઇન્દ્રિયનો નિગ્રહ કરનારા અને પિતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત એવા એ રાજમુનિએ ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યું, અને છેવટે મેટા મોટા મૂલ્ય વડે મહા રત્ન ખરીદ કરે તેમ વીશ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકના આરાધન વડે દુર્લભ એવું તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. કાળે કરી આયુષ્યને ખપાવીને વ્રત રૂપી વૃક્ષના પ્રથમ ફલરૂપ વૈજયંત નામના વિમાનમાં એ મહા તપસ્વી ઉત્પન્ન થયા.
આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર પૃથ્વીના મુખ જેવી ચંદાનના નામે એક નગરી છે. તેમાં જળવૈભવ જે રત્નાદિક તે બહાર કાઢીને સમુદ્ર જાણે પાત્ર સદશ નિર્માણ કરી હોય તેવી અનેક રત્નોવાળી હાટની શ્રેણી શેભી રહેલી હતી, પૃથ્વી ઉપર ઉતરેલાં જાણે સંધ્યાકાળનાં વાદળાં હોય તેવા રંગબેરંગી જાતજાતની આકૃતિવાળાં ઘરે હતા, અને તેના ઉદ્યાનની અંદર મસ્તકથી ચરણ પર્યત કપરહિતપણે કાર્યોત્સર્ગ કરીને રહેલા ચારણ મુનિઓ, પુરૂષાકૃતિવાળા જાણે પર્વતે હોય તેવા જણાતા હતા. ત્યાં રાત્રિએ વાસગ્રહમાં પડેલા પિતાના પ્રતિબિંબ વડે “આ બીજી કઈ સ્ત્રી છે ?” એ ભ્રમ કરીને સ્ત્રીઓ પિતાના પતિ ઉપર કોપ કરતી હતી. તે નગરીમાં સમુદ્રની જેમ ધારણ કરી ન શકાય તેવા પુરૂષોમાં શિરોમણિ અને પિતાના રૌન્યથી પૃથ્વીને આચ્છાદન કરનાર મહાસેન નામે રાજા હતા. તેને પ્રતાપ તેના પ્રરાક્રમને પરમ ભક્ત થઈને રહેલો હતો અને ચાકરની જેમ પૃથ્વીને વિજય કરવાનું તે હંમેશાં કામ કરતો હતો. જેના શાસનને કઈ ઉલ્લંઘન કરી શકતું નહીં એ તે મહાસેન રાજા પૃથ્વી ઉપર રાજ્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જુ કરતો તે વખતે સર્વ જન જન્મથીજ પરધન હરવામાં વિરામ પામેલા હતા. એ અધીશ્વર મહારાજાનું અંતઃકરણ સમુદ્રના મધ્યની જેમ લબ્ધ થતું નહીં. તે ચંદ્રની જે અતિ આફ્લાદક હતા અને કલ્પવૃક્ષની જેવો દાનેશ્વરી હતે. ગંગાના તટ ઉપર હંસી ક્રીડા કરે તેમ તેના કપાટ જેવા વિશાળ વક્ષસ્થળ ઉપર હમેશાં લક્ષ્મી અનન્ય મનથી રમતી હતી.
મહારાજા મહાસેનને અતિ મનોહર મુખલક્ષ્મીવડે ચંદ્રનો વિજય કરનારી અને સંપૂર્ણ લક્ષણોવાળી લક્ષ્મણે નામે પત્ની હતી. એ સુંદર સ્ત્રી સર્વ અંગમાં અતુલ્ય લાવચને તથા રૂપને ધારણ કરતી હતી, અને દૃષ્ટિથી તેમજ વાણીથી અમૃતનેજ વર્ષાવતી હતી. અતિ મંદમંદ ચાલતી એ રમણી, પગલે પગલે પ્રફુલિત સ્થળકમલોને આપતી હોય તેમ જણાતી હતી. કુટિલતા માત્ર તેની ભ્રકુટીમાં અને ગતિમાં હતી પણ ચિત્તમાં નહતી અને તુચ્છતા માત્ર તેના મધ્ય ભાગમાં હતી પણ બુદ્ધિ સંપત્તિમાં નહોતી. તેનો મોટો શીલગુણ સેનાપતિની જેમ તેના સર્વાતિશાયી ગુણેની સેનાને અલંકૃત કરતા હતા.
આ તરફ વૈજયંત વિમાનમાં રહેલે પદ્મરાજાને જીવ તેત્રીશ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી ચવીને રૌત્ર માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં લક્ષમણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા લક્ષમણ દેવીએ તીર્થકર જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. રત્નગર્ભા પૃથ્વીની જેમ રત્નોનું સર્વસ્વ એવા એ ઉજજવળ અલક્ષિત ગર્ભને લક્ષ્મણદેવીએ સુખેથી ધારણ કર્યો. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે મહાદેવીએ ચંદ્રના ચિન્હવાળા ચંદ્રવણ પુત્રરત્નને જન્મ આપ્યું. તે વખતે આસનકંપથી આઠમા અહ“તનો જન્મ જાણીને છપ્પન દિકુમારીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. પછી જન્મસ્નાત્ર કરવાને કર. વાને ઈરછ સૌધર્મેદ્ર દેવતાઓના પરિવારયુક્ત ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયા. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને ઈદ્ર રતનસિંહાસન ઉપર બેઠા; એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઈકોએ હર્ષના ઉલ્લાસ સાથે અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈદ્ર પ્રભુને અંક રૂપ પર્યકમાં લઈને બેઠા, એટલે સૌધર્મે કે વૃષભના શૃંગમાંથી ઉછળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું અને અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિવડે અર્ચન કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ! આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનાર ટીટેડા “ પક્ષીની જેમ અનંત ગુણવાળા એવા તમારી સ્તુતિ કરવાને હું જે પ્રવૃત્ત થયે છું તે
પંડિતોને હાસ્યના સ્થાનરૂપ છું, તથાપિ તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલે “ હું તમારી સ્તુતિ કરવાને સમથ થઈશ; કારણકે એક લેશમાત્ર વાદળાંનો ભાગ પણ
પૂર્વ દિશાના પવનના સંગમથી સર્વ દિશાઓ માં વ્યાપી જાય છે. હે પ્રભુ! ભવ્ય પ્રાણી“ એ જેવા માત્રથી અથવા ધ્યાન કરવા માત્રથી તમે તેઓના કર્મરૂપ પાશને છેદવા« ને કઈ અપૂર્વ શસ્રરૂપ થાઓ છો. સૂર્યથી કમળોને અત્યુદય થાય તેમ વિશ્વના
અંધકારને છેદનારા એવા અપૂર્વ સૂર્ય રૂપ તમારા જન્મથી આજે જગમાં શુભ કમનો “ ઉદય થયેલ છે. ચંદ્રનાં કિરણ માત્ર પડવાથી જેમ શેફાળિકાના પુષ્પ ખરી પડે છે તેમ “ તમારા દર્શન માત્રથી મારું અશુભ કર્મ પોતાનું ફલ આપ્યા સિવાય ગળી જશે. વિશ્વને
૧ દેહનો મધ્ય ભાગ-કટીપ્રદેશ તે તુચ્છ–અલ્પ હતો.
Page #81
--------------------------------------------------------------------------
________________
પર
સર્ગ ૬ ઠે
“અભય આપનારું તમારું દિક્ષાધારી સ્વરૂપ તે એક તરફ રહ્યું, પણ હે ભગવન્! તમે “ આ બાલ્યાવસ્થાની મૂર્તિથી પણ પ્રાણીઓના દુઃખને હરી લે છે. વનનાં વૃક્ષેનું ઉન્મુ
લન કરવાને જેમ ઉન્મત્ત ગજેદ્ર આવે તેમ તમે સંસાર છે મૂળ જેનું એવાં સર્વ કર્મોને છેદવાને માટે અહીં અવતર્યા છે. જેમ મુક્તાહારાદિ મારા હૃદયનું બાહા આભૂ“પણ છે તેમ ત્રણ જગતના પતિ એવા તમે મારા હૃદયનું આંતર આભૂષણ છો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર ઇશાનેદ્ર પાસેથી પ્રભુને લીધા, અને લમણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કર્યા. મહારાજા મહાસેને મોટો ઉત્સવ કર્યો; કારણકે અહંત ભગવાનને જન્મ બીજે સ્થાનકે પણ ઉત્સવને માટે થાય છે તે પિતાના ઘેર ઉત્સવ થાય તેમાં તો શું કહેવું ! પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાને દેહદ થયા હતા તેમજ તેમની ચંદ્રના જેવી કાંતિ હતી તેથી કરીને પ્રભુને ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા. ચંદ્રિકા જેવી ગૌરપ્રભાને ભરપૂર મંડળથી મનોહર એવું બાલપ્રભુનું રૂપ જાણે વૈજયંત વિમાનમાં જ રહેતા હોય તેના જેવું શુભતું હતું. વૃક્ષલતાની જેવા ધાત્રીઓના કપિલને આકર્ષણ કરતા પ્રભુ ગજેન્દ્રના શિશુની જેમ પ્રતિદિન વધવા લાગ્યા. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છતાં પ્રભુ દેવપણું માં પણ નહીં પ્રાપ્ત થયેલ એવા બાલપણને જાણે સ્વેચ્છાએ પ્રાપ્ત થયું હોય તેમ મુગ્ધપણુના દેખાવે અનુભવવા લાગ્યા. જેમ વટેમાર્ગ અતિ રસિક વાતે કરવા વડે માર્ગનું ઉલ્લંઘન કરે તેમ ચંદ્રપ્રભ પ્રભુએ વિવિધ ક્રિીડાઓથી શિશુવયનું ઉલ્લંધન કર્યું.
દેહ ધનુષ ઉન્નત શરીરવાળા પ્રભુ બાલ્યવયરૂપ સરિતાને પાર પામીને સ્ત્રીવર્ગને વશ કરવામાં કારણરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના ભેગફળ કર્મને જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને માટે પિતાને યોગ્ય એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા પ્રભુએ જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી માતાપિતાની પ્રાર્થ નાથી, કરનાર જેમ અધ્યાય પાળે તેમ ચોવીશ પૂર્વે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વ સુધી પૃથ્વીનું પાલન કર્યું. પછી જેકે પ્રભુ જાણતા હતા તે પણ નીમી રાખેલા જ્યોતિપીઓની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને દીક્ષાને સમય જણાવ્યો. કઈ ધનાઢય દીક્ષા લેવાને ઇચ્છતા હોય અને દાન આપે તેમ દીક્ષા લેવાને ઇચ્છતા એવા પ્રભુએ ત્યારથી સાંવત્સરિક દાન દેવાને આરંભ કર્યો. વર્ષને અંતે જેમનાં આસન ચલિત થયાં છે એવા ઈકોએ આવીને સેવકોની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી શોભાથી મનહર એવી મનોરમા નામની શિબિકા ઉપર નર, સુર, અસુર તથા તેમના ઈદ્રોને પરિવાર સાથે પ્રભુ આરુઢ થયા. લોકોએ સ્તુતિ કરેલા, ગાયેલા અને હર્ષથી જોયેલા એવા ભગવાન સહસ્રાવણ નામના ઉદ્યાનમાં આવ્યા. શિબિકા ઉપરથી ઉતરીને ત્રણ રત્નને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા છતાં પણ પ્રભુએ રત્નાલંકારાદિ ત્યજી દીધાં, અને પોષ માસની કૃષ્ણ
દશીને દિવસે અનુરાધા નક્ષત્રમાં પાછલે પહેરે છઠ્ઠ તપ કરીને હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. તરતજ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનદ્રવ્યને પ્રકાશ કરનારું મનઃ પર્યાય નામે ચૈથું જ્ઞાન પ્રભુને ઉપન્ન થયું.
પછી બીજે દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુંધરાદિ પાંચદિવ્ય પ્રગટ કર્યા. રાજાએ પ્રભુના ચરણથી અંકિત ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયી.
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૫
પર્વ ૩ જી
પૃથ્વી ઉપર રત્નપીઠ કરાવ્યું. સૂર્યના તેજને પરાભવ કરનારા, મેાટા હિમથી પણ પરાભવને નહીં પામતા, ઝાકળે કરી દર્દનને કરનારા, પવનેાવડે નહી' ક‘પતા, સરોવરના જળને હિમમય કરી દેતા, હેમંત ઋતુ સંબ ંધી અન્દ્રે રાત્રિના પવનથી પણ પ્રતિમાને અખ'ડિત રાખનારા, માને કરી વર્જિત, વ્યાઘ્ર સિ હાર્દિક દુષ્ટ હિંસક પ્રાણીઓથી ભયકર એવા અરણ્યમાં અને ઘણા શ્રાવકાવાળા નગરમાં સરખી ગતિ અને સ્થિતિ રાખનારા, એકાકી, મમતાએ રહિત, મૌનધારી, નિગ્રંથ અને ધ્યાનમાં તત્પર એવા પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યા. વિહાર કરતા પ્રભુ ફરીવાર સહસ્રમ્રવનમાં આવ્યા. ત્યાં પુન્નાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુના શિશિરઋતુ વ્યતિક્રમ્યા પછી જેમ હિમ વિનાશ પામે તેમ ઘાતિક વિનાશ પામી ગયાં. ફાલ્ગુન માસની કૃષ્ણ સપ્તમીએ ચ`દ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તપ જેમણે કર્યા છે એવા પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ સુર અસુરોના ઈંદ્રોએ ચૈાજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રભુને દેશના આપવાને માટે સમવસરણ રચ્યુ'. દેવતાઓએ સ'ચાર કરેલા સુવણૅના નવ કમળાને ચરણન્યાસથી પવિત્ર કરતા એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યા. પર'પરાની અર્હંતની સ્થિતિને પાળતા એવા પ્રભુ, અઢારસે ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીર્થાંયનમઃ એવી વાણીને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. પછી સુર, અસુર અને મનુષ્ય સહિત ચાર પ્રકારના સઘ ચેાગ્ય દ્વારથી પ્રવેશ કરીને યથાચિત સ્થાને બેઠા. પછી ઇંદ્રેપાંચ અંગે પૃથ્વીનેા કરી ભગવંતને પ્રણામ કરી ભકિતના વેગથી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા.
“ હે પ્રભુ! સુર, અસુર અને નરીએ મસ્તક ઉપર ધારણ કરેલું ત્રણ લેાકના ચક્રવત્તી એવા તમારૂં શાસન આ જગમાં વિજય પામે છે. હું ભગવાન્ ! પ્રથમ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, પછી મન:પર્યંય જ્ઞાનને ધરનારા અને અધુરા કેવળજ્ઞાનવાળા એવા તમે અમને નિપરદિન અધિકાધિક જોવામાં આવ્યા છેા. હે નાથ ! માતા વૃક્ષની છાયાની જેમ વિશ્વને ઉપકાર કરનારૂ તમારૂ ઉજજવળ કેવળજ્ઞાન જય પામેા. હે ભગવાન્ ! જ્યાં સુધી સૂર્યાદય થયા નથી ત્યાં સુધીજ અધકાર રહે છે, જ્યાં સુધી કેસરીસિંહ આવતા નથી ત્યાં સુધીજ ગજે ડ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધીજ દારિદ્રય રહે છે, જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ થતા નથી ત્યાં સુધીજ “ જળની તગાશ રહે છે. અને જ્યાં સુધી પૂણ્ ચંદ્ર ઉગતા નથી ત્યાં સુધીજ દિવસના “ તાપ રહે છે, તેમ જ્યાં સુધી તમે જેવામાં આવેલા નથી ત્યાં સુધીજ આ જગમાં કુબેાધ
દર
66
66
રહેલા છે. જે પ્રાણીઓ નિત્ય તમને જુએ છે અને સેવે છે તેઓની હું હર્ષોંથી સ
“ કાલ અનુમેાદના કરૂ છું. પ્રભુ! હાલમાં તમારા પ્રસાદથી તમારા દર્શનનું ફૂલ ઉત્તમ સમ્યક્ત્વ મને યાવજીવિત નિશ્ર્ચલપણે રહેવારૂપ થાઓ. ’
''
66
te
66
66
66
એવી રીતે સ્તુતિ કરીને ઇંદ્ર મૌન રહ્યા પછી જગદ્દગુરૂએ મેઘના જેવી ગંભીર વાણીથી આ પ્રમાણે દેશના દેવાના આરભ કર્યાં.
“ અનંત કલેશરુપી તર`ગેાએ યુકત આ ભવસાગર ક્ષણે ક્ષણે સર્વ પ્રાણીઓને ઊંચે નીચે અને તિńપણે ફેકયા કરે છે. જેમ અશુચિ સ્થાનમાં કીડાએ પ્રીતિ કરે છે તેમ પ્રાણીઓ આ ક્ષણિક શરીર ઉપર પ્રીતિ કરે છે, અને તે શરીર તેમનેજ એક બંધનરૂપ
“ થઇ પડે છે. રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડા અને વિષ્ટા
* *
**
Page #83
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠે વિગેરે અશુચિના સ્થાનરૂપ આ દેહમાં શુચિપણું કેમ સંભવે ? નવ દ્વારમાંથી ઝરતા “ દુર્ગધી રસના નિઝરણાથી ગળાયેલા આ દેહમાં જે પવિત્રતાને સંકલ્પ કરે, તેજ ‘માત્ર મોટા મોહનો વિલાસ છે. વીર્ય અને રૂધિરથી ઉત્પન્ન થયેલે, મલિન રસથી વધે અને ગર્ભમાં જરાયુ (ઓર) થી ઢંકાયેલો આ દેહ પવિત્ર કેમ થાય? માતાએ ખાધેલા અન્નપાનથી ઉત્પન્ન થયેલા અને રસનાડીમાં થઈને આવેલા રસનું પાન કરી વૃદ્ધિ પામેલ કર્યો પુરુષ શરીરમાં પવિત્રતાને માને? દેષ, ધાતુ અને મલથી ભરેલાં, “ કૃમિ અને ગંડુપદના સ્થાનરૂપ તથા ગરૂપ સ૫ના ગણવડે ખવાયેલા આ શરીરને
કેણ શુચિ કહે? સ્વાદિષ્ટ અન્ન, પાન, ક્ષીર, ઈશું અને બીજા વૃતાદિ વિગય પદાર્થો પણ “ભજન કર્યા પછી જેમાં વિષ્ટારૂપ થાય છે, તે શરીર કેમ શુચિ કહેવાય ! જેમાં વિલે“પન કરેલે સુગંધી યક્ષર્દમ પણ તત્કાળ મલરૂપ થઈ જાય છે, તે શરીરમાં કેવી રીતે
શૌચપણું મનાય ? સુગંધી તાંબૂલનું આસ્વાદન કરીને સુઈ ગયેલો માણસ સવારે ઉઠી . પિતાના મુખના દુગધની જુગુપ્સા કરે, એ શરીરની કેમ શુચિતા ગણાય! સુગંધી ધૂપ, “ પુષ્પ અને પુષ્પમાલાદિક જેઓ સ્વતઃ સુગંધી છે, તેઓ પણ જેના સંગથી દુર્ગધતાને
પામી જાય એ કાયા કેમ પવિત્ર ગણાય? માંજેલ, વિલેપન કરેલ અને સેંકડો ઘડા. “ એથી યેલે પણ અશુચિ દેહ કલાલના ઘડાની જેમ પવિત્રપણાને પામતે નથી.
મૃત્તિકા, જળ, અગ્નિ, પવન અને સૂર્યકિરણના નાનવડે જેઓ આ દેહને શૌચ કહે છે તેવા ગતાનગતિક લકે એ ખરેખર તરજ ખાંડેલાં છે. તેથી આવા અશુચિ શરીરવડે માત્ર મક્ષફોત્પાદક તપજ કરવું. કારણકે બુદ્ધિમાન લોકોએ ખારા સમુદ્રમાંથી રનની જેમ અસારમાંથી સારો ઉદ્ધાર કરે એજ ઉત્તમ છે.”
આવી પ્રભુની ધર્મદેશનાથી ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા, અને હજારો એ દીક્ષા લીધી.
ભગવાન ચંદ્રપ્રભને દર વિગેરે ત્રાણુ ગણધરે થયા, તેઓએ ઉત્પાદાદિ ત્રિપદીવડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણપીઠ પર બેસીને દત્ત ગણધરે પ્રાણીઓને બંધ આપનારી દેશના આપવા માંડી. સંગીત પૂર્ણ થયા પછી યુવાન નાગરિકની જેમ મનુષ્ય દેવતાઓ વિગેરે તે દેશનાને અંતે પિતપોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં હંસના વાહનવાળે, દક્ષિણ પ્રજામાં વત્સને વામ પ્રજામાં મુદગરને ધારણ કરનારો વિજય નામે યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી, બે દક્ષિણ પ્રજામાં ખગ અને મુદગર ધારણ કરનારી તથા બે વામ પ્રજામાં ફલક અને ફરસીને રાખનારી ભ્રકુટી નામે દેવી એ બંને ભગવંતના શાસનદેવતા થયા.
હમેશાં તે બંને શાસનદેવતા જેની સાનિધ્યમાં રહેલા છે એવા સર્વ અતિશના પાત્ર એવા ચંદ્રપ્રભ પ્રભુ આકાશમાં ચંદ્રની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીઓ, બેહજાર ચૌદપૂર્તિઓ, આઠહજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યયજ્ઞાની, દશહજાર કેવળજ્ઞાની, ચૌદહજાર વક્રિયલબ્ધિવાળા, સાતહજાર ને છ વાદલબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકો અને ચારલાખ ને એકા હજાર શ્રાવિકા–એ પ્રમાણે પ્રભુને પરિવાર થયે. વીશ પૂર્વ ત્રણ માસે વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સંમેતગિરિએ આવ્યા. ત્યાં એકહજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ સેવેલા પ્રભુ એવી રીતે એક માસ સુધી રહ્યા. પછી સર્વ ગને નિધિ કરી નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભપગ્રાહી ચાર કર્મ ૧ સુગંધી દ્રવ્યોનો એકત્ર કરેલ પદાર્થ. ૨ ભવ પર્યત રહેનાર.
Page #84
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૩ જી
તત્કાળ ક્ષીણ થઈ ગયાં. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિએની સાથે પરમપદને પ્રાપ્ત થયા.
પહ
અઢીલાખ પૂર્વ કુમારવયમાં, ચાવીશ પૂર્વ સહિત સાડાછ લાખ પૂર્વ રાજ્યસ્થિતિમાં અને ચાવીશ પૂર્વ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં એવી રીતે સ` મળી દશ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવશે` કેાટી સાગરાપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ વિભુ નિર્વાણપદને પામ્યા.
શ્રી ચંદ્રપ્રભ પ્રભુ મેાક્ષે ગયા પછી સુરેશ્વરાએ તેમને અને બીજા મુનિઓના વિધિથી અંગસ સ્કાર કર્યા અને પછી તેઓ પાછા દેવલાકમાં ગયા.
Y
羽限限防限网防&&&防防腐防腐
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशला कापुरुषच रिते
महाकाव्ये तृतीये पर्वणि श्रीचंद्रप्रभस्वामिचरित्रવળનો નામ થઇઃ સૌંઃ ૬॥
烧烤奶观树限限R&限防烧所限限&限B&B&防烧的
Page #85
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ મે.
શ્રી પુષ્પદંત ( સુવિધિનાથ ) ચરિત્ર. પુષ્પની માળાની જેમ ત્રણ જગતને મસ્તક ઉપર વહન કરવા ગ્ય, નિર્મળ અને પાપને નાશ કરનાર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્મલ શાસનને હું વંદન કરું . નવમા તીર્થકર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્દોષ ચરિત્રને તેમના પ્રભાવથી સમર્થ બુદ્ધિવાન થયેલા હું કીર્તન કરવાને તત્પર થાઉં છું.
પુષ્કરવર નામે શ્રેષ્ઠ તપાદ્ધના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરીકાણી નામે એક નગરી છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ દ્રહની જે ગંભીર મહાપદ્મ નામે ત્યાં રાજા હતો. તેણે જન્મથીજ સ્વીકારેલે ધર્મ બાલ્યવય તથા ચૌવનવયમાં પણ શરીરની શેભાની સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હતે. વ્યાજથી આજીવિકાવાળા માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી હમેશાં ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહૂર્ત માત્ર જવાથી પણ તે રાજા ખેદ પામતું હતું. જેમ વટેમાર્ગુ માર્ગમાં આવેલી નદી ઉતરતે ઉતરતા પણ જળપાન કરતા જાય છે, તેમ એ રાજા ધર્મનાં કામ કરતા કરતે રાજ્યનાં કામ કરતે હતે. ઉત્તમ બુદ્ધિવાળે એ રાજા પ્રમાદ રહિતપણે પિતાના ઉત્તમ કુળની જેમ નિર્મલ શ્રાવકધર્મનું સારી રીતે ચિરકાલ પાલન કરતો હતો. પ્રાયે સંતેષમાંજ નિષ્ઠાવાળો છતાં એ રાજા ધર્મના કાર્યમાં સંતેષ પામતે નહીં, અને બીજાઓ અ૫ ધર્મ કરનારા હોય તે પણ તેઓને પોતાથી અધિક માનતો હતો.
આ પ્રમાણે વર્તતા એ રાજાએ યુદ્ધનો પાર પામવાને દિવ્ય અસ્ત્રની જેમ સંસારને પાર પામવાની ઈચ્છાથી જગનંદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંલેખના કરનારે પુરૂષ જેમ મરણ પર્યત અનશન પાળે તેમ શ્રાવકધર્મનો નિર્વાહ કર્યા પછી એ રાજા દઢ પણે મહા વ્રત પાળવા લાગ્યું. છેવટે ઘણું દુસ્તપ એવા એકાવળી વિગેરે તપવડે કરીને અને અહંત પ્રભુની ભક્તિ વિગેરે કરીને તેણે ઊંચે પ્રકારે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતનાં આચરણથી પિતાનું આયુષ્ય નિર્ગમન કરી તે રાજર્ષિ વૈજયંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપને વિષે દક્ષિણ ભરતાદ્ધમાં વિશેષ સંપત્તિવડે મોટી કાકંદી નામે એક નગરી છે. ત્યાં આવેલા મહેલોની અંદર મેતીની ઝાલરો, મનસ્વિની સ્ત્રીઓને વશ કરવા માટે જાણે કામદેવની નિર્મળ માલાઓ હોય તેવી શેલતી હતી. ત્યાંનાં દેવમંદિરમાં થતું ચાર પ્રકારનું સંગીત ખેચરની સ્ત્રીઓની ગતિને તંભન કરવા માટે મંત્રરૂપ થઈ પડતું હતું. પ્રફુલ્લિત કમલેથી ભરપૂર અને નિર્મલ જળવાળા ત્યાંના સુંદર જલાશ સ્પષ્ટ નક્ષત્ર સંયુક્ત શરદઋતુના વાદળાવાળા આકાશની શેભાને અનુસરતા હતા. તે નગરીમાં યાચકલેકે ગુરૂની જેમ દૂરથી દાતાઓની સામા જઈ પાદ્યપાત્ર આપતા હતા, અને તેઓ યેગ્ય દ્રવ્ય દેવાવડે પ્રસન્ન કરાતા હતા, તે નગરીમાં પૃથ્વીનું જાણે કંઠાભરણુ
૧ પૂજનસામગ્રી અર્પણ કરવી અથવા પગે પડવું
Page #86
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું
હેય અને લક્ષમી વડે જાણે રૈવેયકવાસી દેવતા હોય તે સુગ્રીવ નામે રાજા હતો. તેની આજ્ઞા નગર, અરણ્ય, સાગર અને પર્વતોને વિષે કઈ ઠેકાણે મંત્રસિદ્ધ આયુધની જેમ અટકતી નહોતી. પર્વતની જેમ તેનાથી ઉત્પન્ન થયેલી નીતિરૂપ સરિતા કીર્તિરૂપ કલેલવાળા જળને વહન કરતી સમુદ્ર સુધી પ્રસરેલી હતી. સર્વ રાજાઓમાં શિરોમણિ એ રાજાને યશરાશિરૂપ સાગર બીજા સર્વ ભૂભતો (રાજાપક્ષે પર્વત) ની પ્રસરેલી કીર્તિરૂપ સરિતાઓને ગ્રાસ કરી જતો હતો.
સર્વ દેશે રહિત, નિર્મલ ગુણોથી અભિરામ અને સર્વ રામા (સ્ત્રી)ઓમાં શિરમણિ રામા નામે તેને એક પત્ની હતી. ગગનમાં ચંદ્રકાંતિની જેમ સ્વાભાવિક સૌદર્યની ભૂમિરૂપ અને દષ્ટિઓને આનંદ આપનારી આ ભૂતલ ઉપર તે એકજ સ્ત્રી હતી. બંને શુદ્ધ પક્ષથી શોભતી અને મધુરસ્વરવાળી એ રાણી રાજહંસીની જેમ હમેશાં પતિના માનસરૂપ માનસરોવરમાં રહેતી હતી. તેના અનુપમ રૂપથી પરાજય પામેલી રતિ રતિને પામતી નહીં અને પ્રીતિ પ્રીતિને પામતી નહીં. પરસ્પરને અનુરૂપ એવા એ રાજા સુગ્રીવ અને રાણી રામાનો વખત રોહિણી અને ચંદ્રની જેમ અનેક પ્રકારની ક્રીડા કરતાં નિર્ગમન થતું હતું. - અહીં વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ રાજાને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ફાલ્ગન માસની કૃષ્ણ નવમીને દિવસે ચંદ્ર મૂલ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ત્ર્યવીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે દેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. હિમાચલમાંથી નીકળતી ગંગા નદી પિતાની અંદર કીડા કરતા ગજેદ્રના બાળકને જેમ ધારણ કરે તેમ રામાદેવીએ જગના આધારભૂત પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા. પછી પૂર્ણ સમય થતાં માગશર માસની કણ પંચમીએ મલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન્હ યક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને દેવીએ જન્મ આપ્યું. તે વખતે ભેગંકરાદિ છપ્પન દિકુમારીઓએ આવી પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકા કર્મ કર્યું. પછી સૌધર્મ કલ્પને અધિપતિ અભિયેગ્ય દેવતાની જેમ આવી પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયો, અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસનને વિષે પ્રભુને ખોળામાં રાખીને બેઠે. ત્યાં અશ્રુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઈદ્રાએ તીર્થના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પહેરેગીર જેમ પિતાનો પહેરે પૂર્ણ થયા પછી પિતાની રક્ષણીય વસ્તુ બીજા પહેરેગીરને સેપે, તેમ સૌધર્મેન્દ્ર ઈશાનપતિને પ્રભ સાંયાં. અને ઇશાનપતિના ઉલ્લંગમાં રહેલા પ્રભુને વૃષભના શગમાંથી નીકળેલા સુગંધી જળવડે તેણે સ્નાન કરાવ્યું; પછી નવીન અંગરાગોથી ચર્ચા કરીને તથા આભૂષણદિકથી અર્શીને અને આરતી ઉતારીને શક્ર ઈદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
ધર્મરૂપી હવેલીને દઢ સ્તંભરૂપ, સમ્યફ જ્ઞાનરૂપી અમૃતના દ્રહ રૂપ અને જગતને “ આનંદ આપવામાં મેઘરૂપ એવા હે ત્રિભુવનપતિ ! તમે જય પામે. હે જગદીશ ! “ તમારા એક જુદા જ પ્રકારના અતિશયને અમે શું કહીએ કે જે તમારા મહાસ્ય ગુણથી
ખરીદ થયેલા આ ત્રણલોક તમારા દાસપણું ને પામેલા છે. જેવી રીતે તમારો દાસ પણાથી હું પ્રકાશું છું–શભુ છું, તેવી રીતે મારા સ્વરાજ્યથી પણ હું ભતો નથી, કારણકે ચરણના કડામાં જડેલું રત્ન જેવું શેભે છે તેવું પર્વત ઉપર પડેલું શોભતું ૧. માતૃપક્ષ અને પિતૃપક્ષ—હંસ પક્ષે બને ઉજજવળ, પાંખે.
Page #87
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ માં નથી, મોક્ષે જવાની ઈચ્છાવાળા તમે વૈજયંત વિમાન મોક્ષસ્થાનની નજીક છતાં મોક્ષને “માટે ભ્રાંતિમાં ભટકતા એવા લોકોને માર્ગ બતાવવાને માટે જ અહીં આવેલા છે.
આ ભરતક્ષેત્રરૂપ ગૃહના તમે ઘણા લાંબા કાળના એક દેવતા છે, તેથી તમારા આવવાથી એ ગૃહમાં રહીને ધર્મ, ગૃહસ્થની જેમ આજે નિઃશંકપણે આનંદ પામે. હે “ વિશ્વનાથ ! આ સર્વ દેવતાઓને સમૂહ, તમારા અતિશાયી રૂપની અંદર અવતાર“પણાને પામી જાય છે, અર્થાત્ તે સર્વનું રૂપ આપના રૂપમાં સમાઈ જાય છે. ચંદ્રની “ જન્ઝા જેવી તમારી કાંતિના પૂરમાં સ્પૃહા સહિત લીન થયેલા અમારાં લોચને “આજે લાંબે કાળે સારા નશીબને લીધે ચકોર પક્ષીનું આચરણ કરે છે. વાસગૃહમાં કે “સભામાં બેસતા અને ચાલતા એવા મારે સર્વ અર્થની સિદ્ધિને આપનારું તમારા “ નામરૂપ મંત્રનું સ્મરણ થયા કરે.” *
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને છેકે પ્રભુને લઈને રામાદેવીની પાસે જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થાપન કર્યા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વ વિધિમાં કુશલ થયા હતા તેથી ‘સુવિધિ” અને પુષ્પના દેહદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી “પુષ્પદંત' એ પ્રમાણે પ્રભુનાં બે નામ માતાપિતાએ મોટા મહોત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યા. જન્મથી માંડીને મેષ સંક્રાંતિના દિવસની જેમ પ્રભુ મોટું અંતર બતાવતા અનુક્રમે વધવા લાગ્યા. જાણે મૂર્તિમાન ક્ષીરસમુદ્ર હોય તેવા સે. ધનુષ ઊંચા, વેત અંગવાળા પ્રભુ રૂપથી પ્રવિત્ર એવા યૌવનને પ્રાપ્ત થયા. જોકે પ્રભુ સંસારથી વિરક્ત હતા તે પણ પિતાના અત્યંત આગ્રહથી શોભાવડે લક્ષમીને વિજય કરનારી રાજકન્યાઓને પરણ્યા. જન્મથી પચાસહજાર પૂર્વ ગયા પછી રાજ્યમાં લુબ્ધતા નહીં છતાં પણ પિતાની દાક્ષિણ્યતાને લીધેજ રાજ્યભાર ગ્રહણ કર્યો. તે પછી અઠયાવીશ પૂર્વાગ સહિત તેટલોજ કાળ ( પચાસહજાર પૂર્વ ) તેઓએ વિધિવડે રાજ્યઋદ્ધિનું પાલન કર્યું. પછી જ્યારે પ્રભુએ વ્રત લેવાની ઈચ્છા કરી ત્યારે જાણે માઠું બેલનારા હોય તેમ લેકાંતિક દેવતાઓએ આવીને વ્રતને માટે પ્રભુને પ્રરણા કરી. પછી કોઈપણ પ્રકારની કામના રહિત એવા પ્રભુએ ચિંતામણિની જેમ એક વર્ષ સુધી યાચકોને ઈચ્છાનુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનને અંતે દેવતાઓએ જમકાલની જેમ પ્રભુને વિધિથી દીક્ષાભિષેક કર્યો. પછી સુરઅસુરોએ વિંટાયેલા પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્ત્રાપ્રવનમાં ગયા. ત્યાં માર્ગશિષ માસના કૃષ્ણ પક્ષની ષષ્ટીએ મૂલ નક્ષત્રમાં ત્રીજે પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છડૂતપ કરીને દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે તપુર નગરમાં પુષ્પ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્રપીઠ રચાયું. એકલા. મમતા રહિત અને પરીષહાને સહન કરતા એવા પ્રભુએ ચાર માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યો. ફરીવાર તેઓ ફરતા ફરતા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં માલુરવૃક્ષ નીચે પ્રતિમા પગે ઉભા રહ્યા. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી કાર્તિક માસની શુકલ તૃતીયાને દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાલ સુરઅસુરે એ આવી સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં મધ્યમાં રચેલા બારસે ધનુષ ઊંચા રૌત્મવૃક્ષને સર્વ અતિશયે શેભતા પ્રભુએ પ્રદક્ષિણા કરી; અને “તીર્થનમ:' એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં બીજાં રૂપ વિક્ર્ષ્યા, ..
Page #88
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જું પછી દેવતાદિક પર્ષદા યોગ્ય સ્થાનકે આવીને બેઠી. એટલે શક્ર ઈ પ્રભુને પ્રણામ કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ ! તમે જે વીતરાગ છે. તે તમારા હાથપગમાં રાગ કેમ છે ? તમે જે કુટિલતાને છેડી દીધી છે તે તમારા કેશ કુટિલ કેમ છે? તમે પ્રજાના ગેપ છો તો * તમારા હાથમાં દંડ કેમ નથી ? જો તમે નિઃસંગ છેતે રોલેકયના નાથ કેમ કહેવા
એ છો ? જે તમે મમતા રહિત છે તે સર્વ ઉપર શા માટે દયાળુ છે? તમે જો અલંકાર માત્રને ત્યાગ કર્યો છે તે તમને ત્રણ રન ( જ્ઞાન, દર્શન, ચારિત્ર) કેમ પ્રિય છે ?
જો તમે સર્વને અનુકૂલ છે તો મિથ્યાદષ્ટિર ઉપર શા માટે શ્રેષ કરે છે ? જે તમે “સ્વભાવેજ સરલ છે તો પૂર્વે છદ્મસ્થપણે કેમ રહ્યા હતા ? જે દયાલુ છો તો કામદેવને કેમ નિગ્રહ કર્યો ? જે તમે નિર્ભય છે તે સંસારથી કેમ ભય પામો છો ? જે તમે ઉપેક્ષા કરવામાં તત્પર છે તે વિશ્વના ઉપકારક કેમ છે? જે અદીપ્ત છે તે ભામંડલથી દીપ્ત કેમ છે ? જે તમે શાંત સ્વભાવી છે તે ચિરકાલ કેમ તપે છે ? જે રોષ રહિત છો તો કર્મ ઉપર કેમ રોષ રાખે છે ? આ પ્રમાણે જેનું સ્વરૂપ જાણી શકાતું નથી, જે મોટાથી પણ મોટા છે અને જેને અનંત ચતુષ્ટય સિદ્ધ થયેલા છે એવા “તમો ભગવંતને હું નમસ્કાર કરું છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈક વિરામ પામ્યા પછી ભગવાન્ સુવિધિ સ્વામીએ નીચે પ્રમાણે દેશના આપી.
આ સંસાર અનંત દુઃખના સમૂહને ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્ષ છે તેમ સંસારનું ઉત્પત્તિસ્થાન આશ્રવ છે. જંતુઓને મન, વચન અને કાયાની જે ક્રિયા “તે યોગ કહેવાય છે. તે યોગ પાણીને શુભાશુભ કર્મને આશ્રવે છે, તેથી તે આશ્રવ
કહેવાય છે. મિત્રી વિગેરે ભાવનાથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે, અને * કષાય તથા વિષથી આક્રાંત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શ્રુતજ્ઞાનને
આશ્રિત એવું સત્ય વચન શુભ કર્મનું ઉપાર્જન કરાવે છે, અને તેથી વિપરીત “હોય તે અશુભ કર્મના ઉપાર્જનનું હેતુભૂત થાય છે. ભલી રીતે ગેપવેલું એટલે
અસત્ કાર્યમાંથી પાછું વાળી સત્યકામાં પ્રવર્તાવેલું શરીર શુભ કર્મ બંધાવે છે,
અને હંમેશાં આરંભી તથા જીવઘાતક શરીરવડે અશુભ કર્મ બંધાય છે. કષાય, વિષય, “ગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્તા તથા રૌદ્ર ધ્યાન એ અશુભ આશ્રવના
હેતુ છે. જે કર્મયુદ્દગલને ગ્રહણ કરવામાં હેતુભૂત છે તે આશ્રવ કહેવાય છે. તે કર્મો “ જ્ઞાનાવરણાદિક ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનદર્શનના સંબંધમાં, જ્ઞાનદર્શનવાળાઓ એક રંગ-રક્તતા + વાંકા. પાલનકર્તા-ગોવાળ. ૧૨ મિથ્યાત્વ. મિદષ્ટિ જીવો નહી.
૧ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય
૨ જ્ઞાન જાણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરુને ઓળખવા, જ્ઞાન આપનાર ગુરુની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને ઘાત કરો અને જ્ઞાનવાન પ્રત્યે મસ ભાવ-ઈર્ષા–અદેખાઈ ધરાવવો તે સર્વે જ્ઞાનાવરણ કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે ચાર પ્રકારના દર્શનની વિપરીત પ્રરુપણા કરવી અથવા દર્શન પ્રાપ્ત કર્યું છે જેમણે તેમના પ્રત્યે તથા દર્શનોત્પત્તિનાં કારણો પ્રત્યે પૂર્વોક્ત વિનાદિ કરવા તે દર્શનાવરણી કર્મ બાંધવાનાં કારણે સમજવાં.
Page #89
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ મે
“પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓ માં જે વિદત, નિદ્ભવ, પિશૂનતા, આ“ શાતના, ઘાત અને મત્સર કરે તે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ બાંધવાના
હેતુભૂત આશ્રવ છે. દેવપૂજા, ગુરૂસેવા, પાત્રદાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશ વિરતિ, “ અકામનિર્જરા, શૌચર અને બાલતપ એ એ સદ્ય ( સાતવેદની ) કર્મ બંધાવનારા
આશ્રવે છે. પોતાને, પરને, અથવા બંનેને દુ:ખ, શેક, વધ, તાપ, આકંદન અને “વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે-કરાવે તે અસાતાદની કર્મ બાંધવાનાં કારણે
છે. વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓના અવર્ણવાદ બલવા, તીવ્ર “મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ અને સિદ્ધ દેવનો * નિદ્ભવ કરે, ધાર્મિક માણસને “દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ કરે, અનર્થ કરવાનો આગ્રહ રાખો, જ અસંયમીની પૂજા કરવી, અવિચારિત કાર્ય કરવું અને ગુરૂ વિગેરેની અવજ્ઞા કરવીબઈત્યાદિક દર્શનેહની કર્મ બાંધવાની આવે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર
પરિણામ થવા તે ચારિત્રમોહની બાંધવાના આશ્રવ છે. મશ્કરી કરવાની ટેવ, સકામ “ઉપહાસ, વિશેષ હસવાને સ્વભાવ, બહેબેલાપણું અને દૈન્યપણું બતાવનારી ઉક્તિ
એ હાસ્યમેહનીના આવે છે. અનેક દેશે વિગેરે જોવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું અને બીજાના ચિત્તને આકર્ષવું–વશ કરવું એ રતિ મેહનીના આશ્રવે છે. અસૂર્યા, પાપ કરવાની પ્રકૃતિ, બીજાના આનંદને નાશ કરવો અને કોઈનું અકુશલ થતું જોઈ ઉપહાસ કરવો-એ અરતિમોહનીને આવે છે.
પિતામાં ભયના પરિણામ, બીજાને ભય પમાડે, ત્રાસ ઉપજાવ અને નિર્દયપણું “ધરાવવું-એ ભયમેહનીના આશ્રવે છે. પિતે શેક ઉત્પન્ન કરી શેચ કર, બીજાને કરાવો અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી–એ શેકમોહનીના આવે છે. “ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવા, તેમના તરફ તિરસ્કાર બતાવ અને સદાચારની “નિંદા કરવી–એ જુગુપ્સાહનીના આવે છે. ઈર્ષ્યા, વિષયમાં લુપતા, મૃષાવાદ, અતિ“વક્રતા અને પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ-એ સ્ત્રીવેદ બાંધવાનાં કારણે છે. પિતાની “સ્ત્રીમાત્રમાં સંતોષ, અનીર્ષ્યાળુ સ્વભાવ, મંદ કષાય અને અવક્રાચાર શીલ–એ પુરૂષદના
આશ્રવે છે. સ્ત્રી તથા પુરૂષ બંનેની સ્પર્શ ચુંબનાદિ અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામેચ્છા, “પાખંડ અને સ્ત્રીના વ્રતને ભંગ કરે-એ નપુંસકદ બાંધવાના આશ્રવે છે. સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ઠ લોકોને વિદન કરવા, મધુ માંસાદિથી અવિરત પુરૂષોની પાસે તે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષને વારંવાર અંતરાય કરે, અવારિતપણે ૧ દશમા ગુણઠાણા પર્યત સરાગસંયમ જાણવુ. ૨ શૌચ-તે ભાવ શૌચ, વ્રતાદિમાં અતિચાર ન લગાડવા અને આત્માને પવિત્ર-કમલેપ રહિત રાખ તે. ૩ અજ્ઞાન દશાએ કરેલ તપ અને બાલાપ.
૪ સર્વજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવો, તેમને ગુણાદિકને એળવવા તે તેમનો નિહનવ કર્યો સમજવો.
૫ કામ ઉત્પન્ન કરે એવી સ્ત્રિયાદિકની હાંસી કરવી તે. ૬ ગુણમાં દોષનું આરોપણ કરવું તે અસૂયા.
કોઇપણ પ્રકારનાં કર્મના આશ્રો-એટલે તે પ્રકારનું કર્મ બાંધવાનાં કારણે એમ સમજવું. ૮ સરલતાયુક્ત મનવાળો શુભ આચાર.
Page #90
--------------------------------------------------------------------------
________________
પવ” ૩
જુ
૬૩
“સ્ત્રિયાદિના ગુણોનું આખ્યાન કરવું, ચરિત્રને દૂષણ આપવું અને બીજાઓના કષાય અને “નેકષાયને ઉદીરણા કરવી-એ ચારિત્રમોહનીય કર્મ બાંધવાના સામાન્ય આશ્રવ છે.
“પંચે શ્રી પ્રાણીઓને વધ, ઘણે આરંભ તથા પરિગ્રહ, અનુગ્રહ કરવાને ત્યાગ, “માંસભજન, સદાસ્થિર વૈરબુદ્ધિ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ નીલ અને કાપત “લેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્યહરણ, વારંવાર મિથુનસેવન અને ઈદ્રિનું અવશપણું “એ નર્કગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. ઉન્માર્ગે ચાલવાની દેશના, માગનો નાશ, “ગુપ્ત રીતે વિત્તનું રક્ષણ, આર્તધ્યાન, શલ્યસહિતપણું, માયા (કપટ), આરંભ, પરિગ્રહ, “શિયાળામાં તથા વ્રતમાં સાતિચારપણું, નીલ તથા કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કષાય –એ તિર્યંચગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. અલ્પ પરિગ્રહ તથા આરંભ, સ્વાભાવિક કેમળતા અને સરલતા, કાપત અને પીત વેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાની. “કષાય, મધ્યમ પરિણામ, દાન દેવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પૂર્વાલાપર,પ્રિયાલાપ, “સુખે સમજાવવાપણું, લોકસમૂહમાં મધ્યસ્થપણું–એ મનુષગતિનું આયુષ્ય બાંધવાનાં આશ્ર
છે. સરાગ સંયમ, દેશ સંયમ, અકામ નિર્જરા, કલ્યાણમિત્રને પરિચય, ધર્મ શ્રવણ “કરવાનું શીલ, પાત્રદાન, તપ, શ્રદ્ધા, ત્રણ રત્નની આરાધના, મૃત્યકાલે પદ્મ અથવા પીત “લેશ્યાનું પરિણામ, બાલ તપ, અગ્નિ જળ વિગેરે સાધન વડે મૃત્યુ પામવું, ગળે ફાંસો “ખાવો અને અવ્યક્ત સામાયિકપણું –એ દેવગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. મન “વચન કાયાની વક્તા, બીજાઓને છેતરવું, માયાપ્રયોગ કરો, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની “ચલતા, સુવર્ણાદિકને પ્રતિછંદ કરો એટલે બનાવટી સુવર્ણાદિ બનાવવું,ખોટી સાક્ષી “પુરવી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું જુદી રીતે સંપાદન કરવું, પકેઈના અંગ ઉપાંગ “કાપવાં કપાવવાં, યંત્ર તથા પંજરની ક્રિયા, ખોટાં માપ, ખોટા તેલ તથા ખોટાં ત્રાજવાં
બનાવવાં-વાપરવાં. અન્ય નિદા, આત્મપ્રશંસા, હિંસા, અસત્ય વચન, ચેરી, અબ્રહ્મચર્ય. “મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠેર વચનો બોલવાં તથા કનિષ્ટ ભાષણ કરવું, ઉજજવળ “વેષાદિકથી મદ કરવા, વાચાળપણું, આક્રોશ કર, સૌભાગ્યનો ઉપઘાત, કામણ કરવું,
ત્યાગીપણાની વિડંબનાથી-દાંભિકપણાથી ઉન્માગી યતિ વગેરે થઈને બીજાઓને કૌતક “ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અંલકાર આપવા, દાવાનળ સળગાવવો, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય, ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમાઓનો વિનાશ કરે અને અંગારાદિક પંદર કર્માદાનની ક્રિયા કરવી એ સર્વે અશુભનામકર્મ “ના આશ્રવ છે. ઉપર કહેલાથી વિપરિત ક્રિયા, સંસારથી ભીરતા, પ્રમોદને નાશ, “સદભાવનું અર્પણ, ક્ષાંતિ વિગેરે ગુણો, ધાર્મિક પુરૂષનું દર્શન, સંભ્રમ અને તેમનો સત્કાર–એ શુભનામ યાવત્ તીર્થંકર નામ કમ બાંધવાના આશ્રવ છે. ૧ અહિત ૨ “સિદ્ધ, ૩ ગુરૂ, ૪ સ્થવિ૨, ૫ બહુશ્રુત, ૬ ગ૭, ૭ શ્રુતજ્ઞાન અને ૮ તપસ્વીઓ (મુનિ) “ની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયામાં, ૧૦ ચારિત્રમાં તથા ૧૧ બ્રહ્મચર્ય સેવનમાં “અપ્રમાદ, ૧૨ વિનય, ૧૩ જ્ઞાનાભ્યાસ, ૧૪ ત૫, ૧૫ ત્યાગ (દાન), ૧૬ “વારંવાર યાન. ૧૭ તીર્થની પ્રભાવને, ૧૮ ચતુર્વિધ સંઘને સમાધિ ઉપજાવવી તથા “સાધુઓની વૈયાવચ્ચ કરવી, ૧૯ અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને ૨૦ સમકિત દર્શનની - ૧. તેજ લેમ્યા. ૨. પહેલાં બોલાવવું-આવો, પધારે વિગેરે કહેવું છે. ૩ અવ્યકત સમજ પૂર્વક નહીં એવો સમ ભાવ આવવો તે. ૪ બનાવટી નોટ સિકકા વિગેરે બનાવવા તે. ૫ વર્ણ ગોધાદિ બદલાવીને વસ્તુ દેખાડવી, વેચવી, સાટવો, ભેળસેળ કરવો, કૃત્રિમ વર્ણાદિવડે ફેઈને ભૂલાવો ખવરાવવો તે.
Page #91
--------------------------------------------------------------------------
________________
સગ ૭ મે “શુદ્ધિ, આ વીશ (સ્થાનિક) આ પહેલા અને છેલ્લા તીર્થકરેએ સ્પર્શેલા છે, અને “બીજા તીર્થકરેએ એક, બે, ત્રણ અથવા સેવે સ્થાનિક સ્પશેલા છે. પરનિંદા, અવજ્ઞા ને “ઉપહાસ, સદગુણનો લેપ, છતા એછતા દેષનું કથન, પોતાની પ્રશંસા, છતા અછત ગુણના વખાણ, પિતાના દેશનું આચ્છાદન અને જાતિ વિગેરેને મદ કરે એ નીચગેત્રના “આશ્રવે છે. નીચ ગોત્રમાં કહેલા કરતાં વિપરિત આઝ, ગર્વ રહિતપણું અને મન વચન કાયાથી વિનય કરવો એ ઉચગોત્રના આવે છે. દાન, લાભ, વીર્ય, ભોગ તથા “ઉપભેગમાં મિષથી વા મિષ વગર એટલે કારણ કે વગર કારણે જે પરને વિદન કરવું એ અંતરાયકર્મના આશ્રવ છે.
આવી રીતના આશ્રવોથી જન્મ પામેલો આ અપાર સંસાર રૂપ સાગર, દીક્ષા રૂપ “વહાણવડે વિદ્વાન્ પુરુષએ તરી જવાને યોગ્ય છે.
ચંદ્રની કાંતિથી કુમુદ બોધ પામે-વિકસ્વર થાય તેમ પ્રભુની આવા પ્રકારની ધર્મદેશનાથી હજારો પુરુષે બેધ પામ્યા, અને પ્રભુની સમીપે કેટલાકે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને વરાહ વિગેરે અઠક્યાશી ગણધરે થયા. જ્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા ત્યારે શ્રી વરાહ ગણધરે ધર્મદેશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરે નંદીશ્વર દ્વિીપે જઈ અષ્ટાક્ષિક ઉત્સવ કરીને પિતપોતાને સ્થાને ગયા.
પ્રભુ શ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહન યુક્ત, બે દક્ષિણ પ્રજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર તથા બે વામ પ્રજાઓમાં નકુલ અને ભાલાને ધારણ
તારે અજિત ના મે યક્ષ પ્રભની નજીક રહેનાર શાસનદેવતા થયો. તેમજ ગૌર વર્ણ. વાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ પ્રજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ પ્રજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામે યક્ષણ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બંને દેવતાઓથી અધિષ્ઠિત અને કૃપારસના સાગર જગત્પતિ પ્રભુ લોકોને બંધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
અઠયાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખ ને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજારને ચાર અવધિજ્ઞાનીઓ, દેઢ હજાર પૂર્વધારી, સાડાસાત હજાર મનઃપર્યજ્ઞાની, સાત હજાર અને પાંચ કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ ને એગણત્રીસ હજાર શ્રાવકે અને ચારલાઓ ને બાંતેર હજાર શ્રાવિકાઓ-આટલો પરિવાર થયો.
પ્રાંતે પ્રભુ સમેતશિખર પર્વતે ગયા, ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યા. કાર્તિક માસની કૃષ્ણ નવમીએ ભૂલ નક્ષત્ર હજાર મુનિએની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. અદ્ધ લાખ પૂર્વ કુમાર વયમાં, અઠવાવીશ પૂર્વાગ સહિત અદ્ધ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને અઠયાવીશ પૂર્વાગે રહિત એક લાખ પૂર્વ વ્રતમાં–એકંદર સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુનું હતું. શ્રી ચંદ્રપ્રભ પ્રભુના નિર્વાણ પછી નેવું કેટી સાગરેપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. પ્રભુનું નિર્વાણ થયા પછી સવ ઇદ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા પ્રભુને વિધિ યુક્ત શરીરસંસ્કાર કરવા પૂર્વક મોક્ષપ્રાપ્તિને અનુપમ મહિમા કર્યો. પછી તેઓ પોતપોતાના પરિવાર સાથે સ્વસ્થાનકે ગયા.
૧ આ વીશ સ્થાનકે અનુક્રમે લખેલાં નથી તેમજ તેમાં પ્રકાર ભેદથી નામાંતર પણ રહેલાં છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જી
૫
શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી કેટલેાએક કાળ જતાં હુંડાવસર્પિણી કાળ૧ ના દોષથી સાધુઓને ઉચ્છેદ થઈ ગયા. પછી જેમ મા ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુએ ખીજા જાણીતા મુસાફરોને મા પૂછે તેમ ધર્માંના અન્ન લેાક સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તે પાતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લાકે તેએની શ્રાવકાચિત અર્થ પૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાક્રિકમાં લુબ્ધ થઇને એ સ્થવિર શ્રાવકોએ તત્કાલ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાના પ્રગટ કર્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાક્રિકમાં લુબ્ધ આચાર્યાં થઈને તેઓએ આલાક તથા પરલેાકમાં નિશ્ચિત માટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેાહદાન, તિલદાન, કપાસદાન, ગેાદાન, સ્વદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદ્યાન, ગજદાન અને શય્યાદાન વિગેરે વિવિધદાનાને મુખ્યપણે ગણાવ્યા, અને મેાટી ઈચ્છાવાળા તેમજ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે ચેાગ્ય પાત્ર પોતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યુ. એવી રીતે લોકોની વ'ચના કરતાં છતાં પણ તેએ લેાકેાના ગુરૂ થઈ પડથા, વ્રુક્ષ વગરના દેશમાં એરડાના વૃક્ષને પણ લેાકા વેદિકા રચાવે છે.
એવી રીતે શ્રી શીતળ સ્વામીનું તી પ્રવર્ત્તતા સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થાંચ્છેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણાએ આ ભરતક્ષેત્ર ઉપર પેાતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. પછી બીજા છ જિનેશ્વરાના અતરમાં પણ એટલે શાંતિનાથના અંતર સુધી એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવતુ અને તીના ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાદષ્ટિએને અસ્ખલિત પ્રચાર થયા.
રે
保健保保保猕院观防防防防限的限BWBR
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये तृतीये पर्वणि श्रीसुविधिस्वामिचरित्र
वर्णनो नाम सप्तमः सर्गः ७ ॥
游防防腐公防腐防腐
BB 防烧烧BWB必保BN
関関法 湖悦悦層
૧ મહા કનિષ્ટ અવસર્પિણી તે હુડાવસર્પિણી.
Page #93
--------------------------------------------------------------------------
________________
સ ૮ મે.
શ્રી શીતળનાથ ચરિત્ર,
ચંદ્રનાં કિરણાની જેમ કુવલયને બેધ કરનારા શ્રી શીતળનાથ પ્રભુના ચરણા તમાને મોક્ષ આપનારા થાઓ. ત્રણ જગત્ની શ્રોત્રઇન્દ્રિયને શીતળ કરનારું આ શીતળ ભગવાનનુ` ચરિત્ર હવે કીત્તન કરવામાં આવશે,
પુષ્કરવર દ્વીપામાં પૂર્વવિદેહક્ષેત્રના આભૂષણરૂપ વજ્ર નામના વિજયમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી છે. અનુત્તર વિમાનવાસીએમાંથી જાણે કોઈ દેવ અહીં આવેલ હાય તેવા સર્વ રાજાઓમાં ઉત્તમ પદ્મોત્તર નામે ત્યાં રાજા હતા. તે રાજાનુ' શાસન કોઈનાથી ઉલ્લઘન થઈ શકતું નહીં, અને તે સર્વ પ્રાણીઓ ઉપર કા રાખતા તેથી તેનામાં વીર અને શાંતરસ બંને જાણે સાદર હોય તેમ સાથે રહેતા હતા. જેમ ધનપતિ પાતાના ભંડારના રક્ષણમાં અને તેની વૃદ્ધિ કરવામાં જાગ્રત ( ઉદ્યમવંત) રહે તેમ એ રાજા અનેક નિર્વિઘ્ન ઉપાયાથી તેને ( ધમને) વધારતા વધારતા નિત્ય ધર્મારાધનમાં જાગ્રત રહેતા હતા. ‘ આજે કે કાલે આ સંસારના ત્યાગ કરૂ'' એવુ. ચિંતન કરતા તે રાજા વિદેશી પ્રાડુણાની જેમ સંસારવાસમાં અનાસ્થાથી (ઊ ંચે મને ) રહેતા હતા. એમ કરતાં કરતાં ચાગ્ય અવસર મળ્યે એકાદ પાષાણુના કટકાની જેમ તેણે પેાતાના વિસ્તારી રાજ્યને છેાડી દઈ ને ત્રિસ્તાઘ નામના સૂરિની સમીપે દીક્ષા ગ્રહણ કરી, અતિચાર રહિત ત્રતાને આચરતા એવા એ સુબુદ્ધિમાન રાજમુનિએ આગમાકત સ્થાનકાના આરાધનવડે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું. વિવિધ અભિગ્રહાથી અને તીવ્ર તપેાથી સ આયુષ્યનુ નિમન કરી પ્રાંતે તેઓ પ્રાણત નામના દશમા દેવલાકના અધિપતિ થયા.
આ જ'દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે લક્ષ્મીથી સુંદર ભલિપુર નામે એક શ્રેષ્ઠ નગર છે. સમુદ્રના વલય વડે જ ખૂદ્રીપની જગતિ શાભે છે તેમ ચાતરફ આવેલી ખાઈના વલયવડે એ નગરના સુવર્ણ મય કિલ્લા શાભી રહેલા હતા. સાય કાલે બજારની પ`ક્તિમાં થતી દીવાઓની શ્રેણી નગરલક્ષ્મીની જાણે સુવણૅની કંઠી હોય તેવી જણાતી હતી. મોટી સમૃ– દ્ધિથી ભુજ...ગર અને વૃંદારક જનાને વિલાસ કરવાના સ્થાન રૂપ એ નગર ભાગવતીક અને અમરાવતીનાપ સારથીજ જાણે વસેલું હોય તેમ જણાતું હતું. તે નગરમાં વસતા ધનાઢચ પુરૂષષ ઉત્સવમાં જેમ સ્વજનને જમાડે તેમ પાતાની દાનશાળાઓમાં ભેાજનાથી લેાકાને વિવિધ જાતના ભેાજના જમાડતા હતા. તે નગરમાં શત્રુઓના મડલને નમાડનાર દૃઢર્થ નામે રાજા હતા. તે સમુદ્રની જેમ આખા ભૂમડલને વ્યાપીને રહેલા હતા. મોટા મહિષઓ પણ તેના ગુણાનું વર્ણન કરતા હતા; તે વખતે જાણે પોતાના અવગુણ્ણાનુ વર્ણન કરતા હોય તેમ તે અધિક અધિક લજજા પામતા હતા. શત્રુઓની પાસેથી ખલા
૧ ચ‘દ્રવિકાશી કમળ, પક્ષે પૃથ્વીનું વલય–સુરાસુર મનુષ્યાદિ. ૨ ભુજંગ એટલે નાગદેવ અને નગરપક્ષે વિલાસી પુરુષા. ૩ વૃંદારક એટલે દેવતા અને નગરપક્ષે મુખ્ય પુરુષા. ૪ નાગ દેવતાની નગરી. ૫ વૈમાનિક દેવતાની નગરી.
Page #94
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જુ
ત્યારે ગ્રહણ કરેલી લક્ષ્મી યાચકોને આપી દઈ અદત્તાદાન દેષનું જાણે તે પ્રાયશ્ચિત્ત લેતે હોય તેમ જણાતો હતો. તેની આગળ વારંવાર ભૂમિ ઉપર આલેટતા રાજાએ સર્વાગે ભૂમિનું આલિંગન કરીને ચિરકાલે ભૂપતિપણાને પ્રાપ્ત થતા હતા. મેટા વિદ્વાન ગુરૂજનો તેને લેશમાત્ર જ્ઞાનોપદેશ કરતા તે પણ તે જ્ઞાનપદેશ, જળમાં પડેલા તેલના બિંદુની જેમ તે રાજાના અંતઃકરણમાં વિસ્તાર પામી જતો હતો. નદીઓમાં ગંગાની જેમ સતીઓમાં અગ્રેસર અને હૃદયને આનંદ આપનારી નંદા નામે એ રાજાને એક પટ્ટરાણી હતી. મંદમંદ ચરણન્યાસથી મનહરપણે ચાલતી તે રાણીની પાસે રાજહંસીઓ પણ ગતિ શીખવામાં જાણે તેની શિષ્યા હોય તેવી જણાતી હતી. એ રાણી જ્યારે સુગંધી મુખશ્વાસથી કાંઈ પણ બોલતી ત્યારે તેનું તે વચન સુગંધના પ્રસારથી ભ્રમરોને આકર્ષણ કરવાના મંત્ર રૂપ થતું હતું. એ રૂપવતી રાણીને તેની પોતાની જ ઉપમા ઘટતી હતી, કારણ કે મહાવપણામાં આકાશને બીજી ઉપમા ઘટી શકે નહીં. મહારાણી નંદા પોતાના ગુણોથી દઢરથ રાજાના હૃદયમાં જાણે દઢપણથી પરોવાયેલી હોય તેમ જણાતી હતી અને મહારાજા દરથ એ રાણીના ચિત્તમાં જાણે કોતરાયેલા હોય તેમ રહેલા હતા,
અહીં પ્રાણત ક૯૫માં પડ્યોત્તર રાજાના જીવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી રવીને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં નંદા દેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થયે. તે વખતે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમ સુખે સુતેલા દેવીએ અવલોકન કર્યા. પછી માઘ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શ્રીવત્સના લાંછનવાળી અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપે.
એ અવસરે આઠ અલકવાસી, આઠ ઊર્થલેકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારે દિશાઓના પર્વત પર રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મધ્યે રહેનારી-મળી છપ્પન દિકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી, અને તેઓએ સૂતિકાકર્મ કર્યું. પછી દેવતાઓથી પરવરેલો શકઇદ્ર તરત ત્યાં આવી પ્રભુને લઈને મેરૂ પર્વતના મસ્તક પર ગયે. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિપાંડુકબલા નામની શીલા ઉપરના રત્નમય સિંહાસન ઉપર તે બેઠે. પછી અશ્રુતાદિક ઇંદ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રોમાંથી મગાવેલા જળવડે પ્રભુને અભિષેક કર્યો. ત્યાર પછી શક્ર ઈદ્ર ઈશાન ઈદ્રના મેળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકલા સ્ફટિકમય ચાર વૃષભેના ગારામાંથી નીકળતા જળવડે પ્રભુને સનાન કરાવ્યું, અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પ્રભુ! ઈશ્વાકુ ક્ષીરસમુદ્રમાં ચંદ્રરૂપ અને આ જગની મહાનિદ્રાને નાશ કરવામાં સૂર્ય સમાન એવા તમે જયવંતા વ. હે નાથ ! તમને જોવાને, તમારી “ સ્તતિ કરવાને અને તમારું પૂજન કરવાને માટે મારા શરીરમાં અનંત નેત્ર, અનંત “જિલ્લાઓ અને અનંત પ્રજાઓ થાય એવી હું ઈચ્છા રાખું છું. દશમા તીર્થંકર પ્રભુ!
તમારા ચરણકમલમાં મેં આ પુષ્પ સ્થાપન કર્યા તેથી હવે મને તેનું ફળ સંપાદન “ થઈ ચુકયું છે. દુઃખના તાપથી પીડાયેલા લોકોને અમંદ આનંદ આપનારા એવા તમે
આ મનુષ્યલોકમાં નવીન મેઘની જેમ અવતરેલા છો. વસંત ઋતુવડે વૃક્ષની જેમ તમારા દશનથી આજે સર્વ પ્રાણીઓ નવીન શેલાવાળા થયેલા છે. જે દિવસે તમારા દર્શન
Page #95
--------------------------------------------------------------------------
________________
સગ ૮ મ
“થી પવિત્ર છે તેજ મારે દિવસે છે; બાકીના જે દિવસે છે તે મારે કૃષ્ણપક્ષની રાત્રિ “ જેવા છે. આત્માની સાથે નિત્યપણે પરોવાયેલા પાણીનાં કુકર્મો અયસ્કાંત મણિથી “લોઢાની જેમ તમારા દર્શનાદિકથી આજે જુદા પડી જાઓ. આ લેકમાં, સ્વર્ગમાં કે
બીજે ગમે ત્યાં રહે તો પણ તમને જ હૃદયમાં વહન કરનારે હું તમારું વાહન થાઉં “ એવી ઈચ્છા રાખું છું.”
આ પ્રમાણે દશમા તીર્થંકરની સ્તુતિ કરીને શકઈકે પ્રભુને લઈ નંદા દેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાત:કાલે પ્રભુના જન્મથી હર્ષ પામેલા દઢરથ રાજાએ કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને માટે મહત્સવ કર્યો, કારણકે તેવા પુરૂષોનો જન્મ બધા જગતના મોક્ષને અર્થે થાય છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું તેથી રાજાએ પ્રભુનું શીતલ એવું નામ પાડયું. વેલાધારી દેથી સમુદ્રની વેલાની જેમ દેવકુમારેએ નિરંતર સેવેલા જગત્પતિ દિવસે દિવસે વધવા લાગ્યા. અનુક્રમે પ્રભુએ શિશુવય ઉલ્લંઘન કરી, અને વટેમાર્ગુ જેમ ગામથી નગરમાં પહોંચે તેમ શિશુવયમાંથી યૌવનવયને પ્રાપ્ત થયા. જેની બંને તરફ મોટી વેલ લટકતી હોય તેવા વૃક્ષની જેમ જાનુ પર્યત લંબાયમાન હાથવાળા પ્રભુનું નવું ધનુષ ઊંચું શરીર શેભતું હતું. જોકે પ્રભુ વિષયસુખ ભોગવવામાં નિ:સ્પૃહ હતા, તો પણ હાથી જેમ પીંડને ગ્રહણ કરે તેમ માતાપિતાની પ્રાર્થનાથી કુલિન કન્યાનું પાણિગ્રહણ કર્યું, અને પચીશ હજાર પૂર્વની વય થયા પછી પિતાની દાક્ષિણ્યતાથી પ્રભુએ રાજ્યને સ્વીકાર કર્યો. અપૂર્વ પરાક્રમવાળા પ્રભુએ પૂર્વક્રમથી આવેલા રાજ્યનું પચાસ હજાર પૂર્વ સુધી વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારવાસમાંથી તદ્દન વિરકત થયું, એટલે તત્કાલ લેકાંતિક દેવતાનાં આસન ચલાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યું કે “જબૂદ્વીપમાં દક્ષિણ ભર તાદ્ધની અંદર દશમાં તીર્થકર ઉત્પન્ન થયેલા છે. તેઓ હાલ વ્રત ગ્રહણ કરવાને માટે ઈચ્છા વ છે, તેથી આપણે ત્યાં જઈને તે કાર્યમાં તેમને પ્રેરણા કરીએ, કારણકે આપણું હમેશાંનું તે કૃત્ય છે.” આ પ્રમાણે વિચારી સારવતાદિક દેવતાઓ બ્રહ્મકમાંથી ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. “હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્તર સંસારમાં તીર્થનો અભાવ થયેલ છે, તેથી જગત્ ઉપર કૃપા કરીને ધર્મતીર્થને પ્રવર્તાવે.' આ પ્રમાણે કહી લોકાંતિક દેવતાઓ બ્રા દેવલોકમાં પાછા ગયા. પછી શીતળનાથ સ્વામીએ સાંવત્સરિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે ઈદ્રનાં આસને ચલિત થયાં એટલે તેઓ એ આવી શીતળ પ્રભુને દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કયો; પછી ત્રણ જગતૂના ભૂષણરૂપ પ્રભુએ અ ગરાગ તથા વસ્ત્રાભૂષણ ધારણ કર્યો. એક
પ્રભુને હાથનો ટેકે આપે અને બીજા ઈન્દ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યા, એટલે પ્રભુ ચંદ્રપ્રભા નામના શિબિકા રત્ન ઉપર આરૂઢ થયા. પછી હજારે સુર, અસુર અને મનુષ્યોના પરિવાર સાથે પ્રભુ પિતાને નગરની બહાર સહસ્રાબ્ર નામના વનમાં આવ્યા.
ત્યાં આવીને જેને મોક્ષગતિ પ્રિય છે એવા પ્રભુએ સંસારસમુદ્રને તરી જવાની ઈચ્છાથી પિતાનાં સર્વ આભૂષણ તત્કાલ ભારની પેઠે છોડી દીધાં. ઈ નાખેલા દેવદૂષ્ય વસ્ત્રને ખભા ઉપર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિ વડે કેશને લગ્ન કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઈદ્ર સર્વ કોલાહલને નિષેધ કર્યો, અને દ્વારપાળની જેમ અંજલિ જોડી પ્રભની આગળ ઉભો રહ્યો. એટલે માધ માસની કૃષ્ણ દ્વાદશીએ પાછલે પહોરે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છzતપ જેમણે કર્યો છે એવા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે
Page #96
--------------------------------------------------------------------------
________________
પવૐ ...
૬૯
સુર, અસુર અને રાજાઓની સમક્ષ સર્વ સાવદ્ય યાગનુ પ્રત્યાખ્યાન કર્યું અર્થાત્ ચારિત્ર અંગીકાર કર્યું.. તેજ વખતે તેમને મનઃપ વ નામે ચાથુ' જ્ઞાન ઉત્પન્ન થયું; અને દેવતા વિગેરે સર્વે પ્રભુને પ્રણામ કરીને પાતપેાતાને સ્થાને ગયા.
પછી ખીજે દિવસે ષ્ટિ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યુ. ત્યાં દેવનાએએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક સુવ`પીઠ રચાવી. પછી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરીસહાને સહન કરતા એવા પ્રભુ છદ્મસ્થપણે ત્રણ માસ પર્યંત વિહાર કરી સહસ્રામ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્ય. પીપળાના વૃક્ષ નીચે પ્રભુ કાર્યાત્સગ ધ્યાને રહ્યા. જગતના ગુરૂ એવા પ્રભુએ સુભટ જેમ કિલ્લા ઉપર ચડી શત્રુઓને મારે તેમ શુકલ ધ્યાનના ખીજાં પાંચા ઉપર ચડી ઘાતિકના નાશ કર્યા. તત્કાલ પાષમાસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરાએ આવીને ચાર ચાર દ્વારવાળો સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળુ' સમાસરણ રચ્યુ'. તેમાં પ્રભુએ પૂ દ્વારથી પ્રવેશ કરી તેની મધ્યમાં રહેલા એક હજાર ને એંશી ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; અને તીશયનમ:' • એમ ઉચ્ચાર કરી રત્નસિંહાસન પર પૂર્વ મુખે વિરાજમાન થયા. દેવતાઓએ તેમના જેવાજ ત્રણ પ્રતિષિ’બે વિષુવી બીજી ત્રણ દિશામાં સ્થાપન કર્યા'. પછી મયૂરી જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે, તેમ મનુષ્ય દેવતા વિગેરે સ” પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્કંઠા રાખીને ચેાગ્ય સ્થાને બેઠા. તે અવસરે સૌધમ કલ્પના ઈંદ્ર મસ્તક વડે પૃથ્વીતળના સ્પર્શ કરી શીતલનાથ સ્વામીને પ્રણામ કરી જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
જિલ
“હું ત્રણ ભુવનેાના પતિ ! જે પુરુષ તમારા ચરણકમલના નખની ક્રાંતિના જાલરૂપી જળના પ્રવાહમાં સ્નાન કરી કરીને પેાતાના આત્માને પવિત્ર કરે છે તેઓને ધન્ય “છે. સૂર્યથી જેમ આકાશ, હંસથી જેમ સરાવર અને રાજાથી જેમ નગર તેમ તમારાથી “આ ભારતક્ષેત્ર શેલે છે. સૂર્યને અસ્ત અને ચંદ્રના ઉયના અંતરમાં અંધકારથી “જેમ પ્રકાશ પરાભવ પામે છે તેમ નવમા દશમા એ પ્રભુના અંતરમાં મિથ્યાત્વથી ધર્મ પરાભવ પામ્યા છે. વિવેકરૂપી લાચન વગરનું આ જગત્ અંધ થઈ જાણે દિગ્મૂઢ થયું “હાય તેમ સર્વ પ્રકારે કુમાર્ગર્ગામાં પ્રવર્તો છે. સર્વ લેકે ભ્રાંતિ પામીને અધમ ને “ધબુદ્ધિથી, અદેવને દેવબુદ્ધિથી અને અને ગુરૂમુદ્ધિથી ગ્રહણ કરે છે. એવી રીતે આ “જગત્ નરકરૂપ ખાડામાં પડવાને જેવામાં તૈયાર થયેલું હતુ. તેવામાં જ તેના પુણ્યાયથી સ્વાભાવિક દયાના સમુદ્ર એવા તમે અવતરેલા છે. હે પ્રભુ ! જ્યાં સુધી તમારું વચન રૂપી અમૃત આ લેાકમાં પ્રસર્યું નથી ત્યાં સુધીજ આ લેાકમાં મિથ્યાત્વ રૂપી સ “ચિરકાલ સમ થઈ પ્રવો છે. પણ ઘાતિકર્મના ક્ષયથી જેમ તમેને કેવળજ્ઞાન ઉત્પન્ન “યું છે તેમ તમારા ઉપદેશથી આ જગતને મિથ્યાત્વના નાશ થઇને સમક્તિની પ્રાપ્તિ થશે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શક્રેન્દ્ર વિરામ પામ્યા, એટલે શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી આ પ્રમાણે દેશના આપવા માંડી
આ સ`સારમાં સર્વ પદાદિ વિવિધ જાતનાં દુઃખનાં કારણ અને ક્ષણિક છે, તેથી “સ” પ્રાણીઓએ માક્ષને માટે પ્રયત્ન કરવા જોઈએ, તે મેાક્ષ સવર્ કરવાથી થઈ શકે
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૦
સર્ગ ૮ મે
“છે. સર્વ આ ને જે નિરોધ કરવો તે સંવર કહેવાય છે. તે સંવર દ્રવ્ય અને ભાવથી
બે પ્રકારે છે. જે કર્મ પુદ્દગળના ગ્રહણને છેદન કરે તે દ્રવ્યસંવર કહેવાય છે, અને જેમાં “સંસારહેતુ કિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયથી જે જે આશ્રવને “નિરોધ થાય તે તે આશ્રવના નિધને માટે વિદ્વાનોએ તે તે ઉપાય જ ઉચિત છે. “તે ઉપાય આ પ્રમાણે-ક્ષમાથી કોઇને, કેમલતથિી માનને, સરલતાથી માયાને અને નિઃસ્પૃહતાથી લેભ નિરોધ કરે. અસંયમવડે ઉન્મત્ત થયેલા વિષ જેવા વિષયોનો “મહામતિ પુરુષે અખંડ સંયમ વડે નિરોધ કર. ત્રણ ગુપ્તિઓથી ત્રણ વેગને વશ કરવા, “અપ્રમાદથી પ્રમાદને સાધ્ય કરે અને સર્વ સાવદ્ય ગન ત્યાગથી અવિરતિને સાધવી “(કબજે કરવી). સંવરને અર્થે ઉદ્યમ કરનારા પુરુષે સદ્દર્શનથી મિથ્યાત્વને અને ચિત્તની “ઉત્તમ સ્થિરતાથી રૌદ્ર સ્થાનનો વિજય કર. જેમ મધ્ય ચોકમાં આવેલા ઘણું દ્રાર“વાળા ઘરના દ્વારે જે ઉઘાડા રહે તે તેમાં જરૂર રજને પ્રવેશ થાય છે અને પ્રવેશ “થયેલ રજ નેહ (ચીકાશ)ના યોગથી તન્મયપણે બંધાઈ જાય છે; પણ જો તે ઘરનાં દ્વાર બંધ કરી દીધાં હોય તો તેમાં રજ પેસતી નથી, તેમ દઢપણે બદ્ધ પણ થતી નથી. વળી “જેમ કેઈ સરોવરમાં ચારે બાજુ ગરનાળાં ખુલ્લાં હોય છે તે તે સર્વ દ્વારોથી જળ પેસી “જાય છે, પણ જે તે દ્વાર રૂંધેલાં હોય તો તેમાં જરા પણ જળ પેસી શકતું નથી. તેમજ કઈ વહાણના મધ્ય ભાગમાં છિદ્રો હોય છે તો તેમાંથી જળ પસી જાય છે, પણ જો તે “છિદ્રો બંધ કરી દીધાં હોય તે તેમાં જરા પણ જળ પેસી શકતું નથી. તેવી રીતે ગાદિ આશ્રદ્ધાનું સર્વ પ્રકારે રૂંધન કરવાથી સંવરથી શોભતા એવા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થઈ શકતો નથી. આશ્રયદ્વારને નિરોધ સંવરવડે થાય છે, અને એ સંવર ક્ષમા “વિગેરે ભેદથી બહુ પ્રકારે કહે છે, ચડતા ચડતા ગુણસ્થાનોમાં જેને જેને સંવર થાય “તે તે નામને સંવર કહેવાય છે. પારંગતેમાં મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે તે મિથ્યાવસંવર કહેવાય છે. દેશવિરતિ વિગેરે ગુણઠાણમાં જે સંવર થાય છે તે અવિરતિસંવર છે, અપ્રમત્તસંયત વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય છે. ઉપશાંત મેહ ને ક્ષીણમેહ ગુણઠાણામાં કષાયને સંવર થવાથી તે “કષાયસંવર કહેવાય છે. અને અાગી કેવળી નામના ચૌદમાં ગુણઠાણામાં યોગસંવર “સંપૂર્ણપણે થાય છે. જેમ વહાણવટી છિદ્ર રહિત વહાણવડે સમુદ્રના અંતને પામે છે, “તેમ સદ્દબુદ્ધિવાળે પુરુષ ઉપર પ્રમાણે સંવયુકત થઈને આ સંસારના અંતને પામે છે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું પ્રતિબંધ પ્રામ્યા. કેઈએ દીક્ષા લીધી, અને કોઈએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રભુનો આનંદ વિગેરે એકાશી ગણધરો થયા. પ્રભુની ધર્મદેશના પૂર્ણ થયા પછી આનંદ ગણધરે ધર્મદેશના આપી, અને આનંદ ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુર, અસુર અને રેશ્વરે પ્રભુને નમસ્કાર કરી પોતપિતાને સ્થાને ગયા.
તે વખતે ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળ, પદ્મના આસન પર બેસનારે, વેતવણું. વાળે, પિતાની ચાર જમણી ભુજામાં બીજેરૂં, મુગર, સપાદ અને અભયને ધારણ કરનાર અને ચાર ડાબી ભુજામાં નકુલ, ગદા, ચાબુક અને અક્ષસૂત્રને ધરનારો બ્રહ્મ નામે યક્ષ અને મગ જેવા નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધરનારી અને બે વામ ભુજામાં ફલ અને અંકુશ રાખનારી અશોકા નામે દેવી–એ બંને દશમા તીર્થંકર શ્રી શીતળનાથ પ્રભુના શાસનદેવતા થયા. - ૧ અવિરતિ સમ્યક દષ્ટિમાં.
Page #98
--------------------------------------------------------------------------
________________
પર્વ ૩ જુ
૭૧
તે બંને શાસનદેવતા જેમની નિરંતર ઉપાસના કરે છે એવા શીતળ પ્રભુએ ત્રણ માસે ઊણું પચીશ હજાર પૂર્વ સુધી વિહાર કર્યો. એક લાખ સુનિઓ, એક લાખ ને છ હજાર સાધ્વીઓ, ચૌદશે ચૌદ પૂર્વ ધારી, સાત હજાર ને બસ અવધિજ્ઞાની સાડાસાત હજાર મન:પર્યવધારી, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર ને આઠ વાદ લબ્ધિવાળા, બે લાખ નેવાશી હજાર શ્રાવકે તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે શીતળનાથ પ્રભુને વિહાર કરતાં પરિવાર થયે. મોક્ષ થવાને કાળ પ્રાપ્ત થતાં પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસનું અનશન કર્યું. આસને અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતાં શીતલનાથ પ્રભુ તે મુનિઓની સાથે મેક્ષે ગયા. કુમારવયમાં પચીશ હજાર પૂર્વ, પૃથ્વીને પાળવામાં પચાસહજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચીશ હજાર પૂર્વએ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ પ્રભુએ એક લાખ પૂર્વનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી નવકટી સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શીતલનાથ પ્રભુનો નિર્વાણુકાળ થયા. હજાર મુનિઓની સાથે શ્રી શીતલ પ્રભુ મોક્ષ પામ્યા પછી અત વિગેરે ઇદ્રાએ યથાગ્ય તેમને તથા બીજા મુનિજનોનો મોટી શોભાવાળે નિર્વાણગમનને મહિમા કર્યો અને પછી તેઓ પિતપતાના દેવલેકમાં ગયા.
(BBARI MBA88888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते __ महाकाव्ये तृतीये पर्वणि श्रीशीतळनाथस्वामिचरित्र
વનો નાનામ: સઃ ૮ 8888888888888888835698 SSSSB
श्रीसंभव प्रभृति तीर्थकृतां तृतीये ऽष्टानां चरित्र महपर्व वरेऽष्ट सगें।
ध्येयं पदस्थमिव वारिरुहेऽष्टपत्रे શું ડગુડ્ઝાયતો મવતિ સિદ્ધિવરાવે છે કે
समाप्तं चेदं तृतीयं पर्व ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ ૪ થું
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર श्रीश्रेयांसप्रभोः पादाः श्रेयो विश्राणयंतु वः ।
निःश्रेयसपथालोकदीपायित नखांशवः ॥१॥ મોક્ષમાર્ગને પ્રકાશ કરવામાં ન દીપકનું આચરણ કરે છે એવા શ્રી શ્રેયાંસ પ્રભુના ચરણ તમોને શ્રેય આપ. હવે ત્રણે જગતને પવિત્ર કરનારું અને કર્મરૂપી વલ્લાઓને કાપનારું શ્રી શ્રેયાંસ પ્રભુ નું ચરિત્ર કહીએ છીએ.
પુષ્કરવર દ્વીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છનામના વિજયની અંદર ક્ષેમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં રાજાઓના મુગટથી જેમના ચરણરૂપી કમળ ઘસાયા કરે છે એ નલિની ગુલમ નામ ગુણોથી નિર્મલ રાજા હતો. જગત્માં એકજ મહાભુજ અને મોટા પરાક્રમવાળા એ રાજાએ પોતાના રાજ્યના અંગે વિકલ ન થાય એમ ધારીને પોતાના મંત્ર વિચાર) બલથી શત્રુઓની લમીને આકર્ષણ કરનારા મંત્રીઓ રાખ્યા હતા, બધા દેશને સ્વર્ગના દેશ જેવા સર્વ અરિષ્ટહિત કર્યો હતે, વૈતાઢય ગિરિ તથા વિદ્યાધરના નગરની સ્પર્ધા કરે તેવા કિલ્લાઓ બાંધ્યા હતા, કુબેરના પણ સર્વ ભંડારેને હંફાવે તેવા ખજાન કર્યા હતા, હાથી, ઘડાઓ, પાયદલ અને રથી પૃથ્વીને ઢાંકી દે તેવું સૈન્ય એકઠું કર્યું હતું, અને શત્રુઓના હૃદયરૂપ ક્ષેત્રને ખેડે તેવા મિત્ર કર્યા હતા. વિવેકથી નિર્મલ મનવાળો એ મહા પ્રાજ્ઞ રાજા સારરૂપ ગણાતાં શરીર, યૌવન અને લક્ષ્મીને અને સાર માનતે હતે. શુદ્ધ બુદ્ધિવાળા એ રાજા નઠારા ભેજનથી દિવસની જેમ અને કુશાથી રાત્રિની જેમ રાજ્યમાં આસક્ત થયા વિના કાળને નિર્ગમન કરતે હતે. છેવટે ધર્મબુદ્ધિવાળા એ નૃપતિએ તત્ત્વ ધરૂપ ઔષધવડે રાજ્યરૂપ રંગને છેડી દઈને વજીદત્ત મુનિએ આપેલી દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ તપતાં અને પરીસહોને સહન કરતાં એ મમતા રહિત રાજમુનિ કર્મની જેમ શરીરને કૃશ કરતા સતા વિહાર કરવા લાગ્યા. પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અદ્દભકત્યાદિક સ્થાનકના આરાધનથી તેમણે તીર્થંકરનામકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. અવસાનકાલે એ તપસ્વી મુનિ શુભ ધ્યાન ધરી અને ચાર શરણ લેવામાં તત્પર થઈ મહાશુક નામના સાતમાં સ્વર્ગલોકમાં ગયા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ અને ભૂમિનું જાણે રત્નમય નુપૂર હોય તેવું સિંહપુર નામે નગર છે. ત્યાં આવેલા મંદિરોની રત્નમય ભી તો માં તારાઓના પ્રતિબિંબ
૧ પગનું ઝાંઝર,
Page #100
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૭૩. પડે છે, તેથી તે રંગબેરંગી પટની શોભાને ધારણ કરે છે. તે નગરના કિલ્લાની મેખલામાં મેઘ આવી આવીને વિશ્રામ લે છે, તે દષ્ટિદેષની રક્ષાને માટે જાણે કાજળને તિલક કર્યા હોય તેવા જણાય છે. ત્યાંના ધનાઢય લોકોના ઘરોમાં ફરતી સ્ત્રીઓના સુંદર નુપૂરશબ્દોવડે લક્ષ્મીદેવી હંમેશાં સંગીતઉત્સવ કરતી હતી. જ્યારે વરસાદ વરસતો ત્યારે તે નગરીના ગૃહોમાંથી પ્રસરતા જળના પ્રવાહ રત્નોને તાણી જતા હતા જેથી તે વખતે રત્નાકરના પ્રવાહની તુલનાને પામતા હતા.
આ સુંદર નગરમાં યશવડે વ્યાસ, ભુજપરાક્રમથી સમર્થ અને વિષ્ણુના જેવા પરાક્રમવાળો વિષ્ણરાજ નામે રાજા હતો. તેનામાં ઇંદ્રિયજય નામે એ એક ઉત્તમ ગુણ હતું કે જે પૃથ્વીમાં નાખેલું બીજ જેમ ધાન્યરાશિને ઉત્પન્ન કરે તેમ ગુણરાશિને ઉત્પન્ન કરતે હતો. પ્રણામ કરનાર ઉપર તુષ્ટ થયેલી અને શત્રુ ઉપર રૂષ્ટ થયેલી તે રાજાની દૃષ્ટિ લક્ષમીથી અને ભીતિ (ભય) ની સ્વયંવર માલારૂપ થતી હતી. જેમ ગ્યતાથી દાનધર્મ અને સત્ય વચનથી વાણી શોભે તેમ ઉજજવળ યશથી તેનું પરાક્રમ શોભતું હતું. શૌર્ય, ગાંભીર્ય અને ધેર્યાદિક ગુણોનું, ક્રોડાનું તથા સંગીતનું તે એક સ્થાન હતો. ઇંદ્રને જેમ ઈંદ્રાણુ તેમ સ્થિરતાના ગુણથી જાણે બીજી પૃથ્વી હોય તેવી સ્વરૂપથી પ્રકાશિત વિષ્ણુ નામે તેને પત્ની હતી. તે શિરીષના પુષ્પ જેવા કોમલ પોતાના શરીર ઉપર ખગની ધારા જેવું તીણુ સતીવ્રતરૂપ આભૂષણ ધારણ કરતી હતી. જેમ મહારાજા વિષણુ પરાક્રમથી અનુપમ હતા તેમ તે રાણી રૂપલાવણ્યની સંપત્તિથી અનુપમ હતી. તે પિતાની ગતિમાંજ મંદ હતી પણ ધર્મકાર્યમાં મંદ નહોતી, અને દેહના મધ્ય ભાગમાં જ તુચ્છ (કૃશ) હતી પણ આશય (વિચારો) માં તુછ નહોતી. પરસ્પર જાણે તેમનું ચિત્ત પરોવાયેલું હોય તેમ નિર્વિદને ક્રીડા કરતા તે રાજા અને રાણીને પરસ્પર અક્ષય પ્રીતિ બંધાયેલી હતી. - આ તરફ મહાશુક્ર દેવલોકમાંથી નલિનગુલમ રાજાને જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જ્યેષ્ઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો; કારણ કે તીર્થકરોના દરેક કલ્યાણકમાં એક ક્ષણ એમ થાય છે. તે વખતે વિષ્ણુદેવીએ તીર્થકરના જન્મને સૂચવને રાં ચોદ મહાસ્વને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પ્રથમ સ્વને જાણે સંક્ષેપેલો શૈતાઢય પર્વત હોય તેવે શ્વેતવર્ણી હસ્તી, બીજે સ્વપ્ન મસ્ય સહિત શરદઋતુનો મેઘ હોય તેવો ઊંચા ગવાળા વેત ઋષભ, જાણે છત્ર ધર્યું હોય તે ઊંચા પુચ્છવાળા કેશરીસિંહ, જાણે બીજી પોતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી લક્ષ્મીદેવી, જાણે પિતાનો મૂત્તિમાન્ યશ હોય તેવી સુગંધી પુષ્પમાલા, જાણે અમૃતનો કુંડ હોય તે સ્ના સહિત પૂર્ણિમાનો ચંદ્ર, જાણે દેવલોકનું સીમંત રતન હોય તેવું દેદિપ્યમાન સૂર્યમંડળ, શાખાઓ યુક્ત વૃક્ષ હોય તેવો ચપળ પતાકાઓવાળે વજ, જાણે કલ્યાણ ભંડાર હોય તેવો પૂર્ણ કુંભ, જાણે બીજો પદ્મહદ હોય તેવું મોટા પદ્મવાળું સવર, જાણે સ્વર્ગ પર ચડવાને ઈચ્છતો હોય તેવો ઉછળતા મોજાવાળે સમુદ્ર, પાલક વિમાનનો અનુજ બંધુ હોય તેવું ઉત્તમ વિમાન, રત્નાકરનું સર્વસ્વ હેય તે રત્નપુંજ અને મોટા મંડલને હરનાર નિર્ધમ અગ્નિ: આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોયાં. ૧. નાનો ભાઈ.
૧૦
Page #101
--------------------------------------------------------------------------
________________
७४
સર્ગ ૧ લે
ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવણું પુત્રને જન્મ આપે. તે વખતે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને અધેલકમાં વસનારી ભેગંકરાદિક આઠ દિકુમારીએ ત્યાં આવી. તેઓ તીર્થકરની માતાને નમસ્કાર કરી “ તમે ભય પામશે નહીં' એમ કહી પોતાના આત્માને જણાવી સૂતિકા ગૃહની તરફ એક યોજન સુધી સંવત્તક વાયુવડે જમીનને સાફ કરીને માતાની નજીક ગાયન કરતી ઉભી રહી. નંદન ઉદ્યાન માંહેના કુટ ઉપર રહેનારી હોવાથી ઊર્વ લોક સંબંધી મેઘકરાદિક આઠ દિર્કન્યાઓએ આવી દેવીને પ્રણામ કરી પિતાને ઓળખાવી સુગંધી જળ યુક્ત વાદળ વિકુવીને સૂતિકાગ્રહની ચારે તરફ એક યોજન પૃથ્વી પર જળસિંચન કર્યું. પછી પુષ્પવૃષ્ટિ કરીને તથા સુંદર ધૂપને સળગાવીને વિષ્ણુદેવીની નજીક અહંત ગુણોને ગાતી ઉભી રહી. પછી પૂર્વ રૂચકથી નદત્તરાદિક આઠ કુમારીએ, દક્ષિણ રૂચકથી સમાહારાદિક આઠ કુમારીઓ, પશ્ચિમ રૂચકથી ઈલાદિક આઠ કુમારીઓ અને ઉત્તર રૂચકથી આલંબ
દક આઠ કુમારીએ આવીને અહંતને તથા માતાને નમસ્કાર કરી, પિતાને ઓળખાવી દર્પણ, ઝારી, પંખા અને શ્વેત ચામરને ધારણ કરી પૂર્વાદિક દિશાઓમાં અનુક્રમે ગાયન કરતી ઉભી રહી. રૂચક પર્વતની વિદિશાઓમાંથી ચિત્રાદિક ચાર કુમારીએ આવી પૂર્વ પ્રમાણે નમસ્કાર કરી હાથમાં દીપક લઈ વિદિશાઓમાં ગાયન કરતી ઉભી રહી. રૂચક દ્વીપમાં રહેનારી રૂપાદિક ચાર દિકુમારીઓએ ત્યાં આવી હતી તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાને ઓળખાવી ચાર અંગુલથી અધિક પ્રભુના નાળનું છેદન કર્યું, અને તે ત્યાંજ ખાડે ખોદી તેમાં લેપન કર્યું. તે વિવરને વજી રત્નથી પૂરી તેની ઉપર અપૂર્વ ધ્રોવડે નિબિડ પીઠિકા બાંધી; પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચતુઃ શાલ સહિત ત્રણ કદલીગૃહો રચ્યાં, અને પ્રભુને હાથમાં તથા માતાને ભજાપર ગ્રહણ કરી દક્ષિણ દિશાના કદલીગૃહમાં ચતુ:શાલની મધ્યમાં સિંહાસન ઉપર સ્થાપન કર્યા. ત્યાં શતપાકાદિક તલથી બંનેને મદન કરી સુગંધી દ્રવ્ય અને સૂક્ષ્મ પીઠીવડે સુખસ્પર્શથી તેમનું ઉદ્વર્તન કર્યું. ત્યાંથી પૂર્વ દિશાના કદલીગૃહના ચતુઃશાલવાળા સિંહાસન પર લઈ જઈ ત્યાં ગંધ પુષ્પવાળા શુદ્ધ જળવડે તેઓને સ્નાન કરાવ્યું. પછી વસ્ત્ર અલંકારાદિક પહેરાવી ઉત્તરના કદલીગૃહના ચતુઃશાલવાળા સિંહાસન પર બેસાડયા. પછી અરણીમાંથી ઉત્પન્ન કરેલા અગ્નિથી ગશીર્ષચંદન બાળી તેની ભસ્મથી બંનેને હાથે રક્ષાગ્રંથિ બાંધી અને પર્વતના જેવું આયુષ્ય થાઓ.” એમ પ્રભુના કાનમાં કહીને રનમય પાષાણના બે ગોળા સામસામા અથડાવ્યા. પછી પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈને તેમની પાસે તેઓ મંગલિક ગીત ગાવા લાગી ત્યાર પછી તે સર્વ સ્વસ્થાનકે ગઈ. એટલે ઇદ્ર અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી, પાલક વિમાનવડે પ્રભુના સૂતિકાગ્રહની પ્રદક્ષિણા કરી અને ઈશાન દિશામાં પાલક વિમાનને રાખી સૂતિકાગ્રહની અંદર પ્રવેશ કરી અહંતને તથા માતાને નમસ્કાર કર્યો. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી છે પિતાના પાંચ રૂપ વિકુવ્ય. એક રૂપે પ્રભુને ધારણ કરી બીજે રૂપે માથે છત્ર ધર્યું; બે બાજુ ચામર ધારણ કર્યા, અને એક રૂપે વજ લઈને પ્રભુની આગળ ચાલે. ક્ષણવારમાં મેરૂ પર્વત પર અતિપાંડુકબલા શિલા ઉપર ઈદ્ર આવ્યો. ત્યાં ઉત્સગમાં પ્રભુને રાખી સિંહાસન ઉપર બેઠો.
પછી અમ્યુત વિગેરે નવ કલાઁદ્રો, ચમર વિગેરે વિશ ભવનપતિના ઈદ્રો, કાલ વિગેરે બત્રીશ વ્યંતરોના ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જ્યોતિષ્કના ઇંદ્રા સર્વે મળીને ત્રેસઠ
Page #102
--------------------------------------------------------------------------
________________
૫ ૪ સ્થુ
ઇંદ્રો પ્રભુના જન્મસ્નાત્રાત્સવ કરવાને ત્યાં આવ્યા. તેમની આજ્ઞાથી તરતજ આભિયાગિક દેવતાઓએ પૂર્ણ કુંભ વિગેરે ઉપકરણેા વિક્રુર્ષ્યા. પછી અચ્યુતાદિક સ ઇંદ્રોએ અનુક્રમે પવિત્ર તીર્થાદકવડે પ્રભુને સ્નાત્ર કર્યું.
૭૫
છેવટે ઇશાનપતિના ઉત્સ`ગમાં પ્રભુને બેસાડી શક્ર ઈંદ્રે ચારે દિશાઓમાં સ્ફાટિકના ચાર વૃષભ વિકુર્યા. તેએના શૃંગમાંથી એકઠી મળીને પડતી ઉજજવળ જળધારાવડે શકે ઈંદ્રે પ્રભુને સ્નાન કરાવ્યુ. પછી તે સ્ફાટિકના વૃષભેાને સહરી લઈ શઇ, ચંદનાદિકવડે પ્રભુનુ` અર્ચન કરી આરતિ ઉતારીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આર ́ભ કર્યા.
"6
63
એવા
હે પ્રભુ ! સર્વ કલ્યાણકામાં શ્રેષ્ઠ તમારૂ' જન્મકલ્યાણક પવિત્ર ભભકતવા “ મને કલ્યાણકારી થાએ. હે ઈશ ! તમે ને હું કેટલુ સ્નાત્ર કરાવું ? તમારૂ' કેટલું પૂજન કરુ ? અને તમારૂં હું કેટલું સ્તવન કરૂ ? મને તમારુ આરાધન કરવામાં તૃપ્તિજ થતી નથી. હે પ્રભુ ! તમારા જેવા રક્ષક થતાં કુતીર્થિકરૂપી વ્યાઘ્રથી ત્રાસ પામેલા આ ધરૂપી વૃષભ હવે આ ભરતક્ષેત્રમાં સ્વેચ્છાથી વિચરા. હે દેવાધિદેવ ! આજે સારે ભાગ્યે મારા
66
66
66
હૃદયરૂપી મંદિરમાં તમે નિવાસ કરી તેને સનાથ કરેલું છે. જેવી રીતે તમારા ચરણુ. “ નખનાં કિરણા મારા શિર આગળ પ્રસરવાથી મને આભૂષણરૂપ થાય છે તેવી રીતે આ
66
મુગટ વિગેરે આભૂષા થતાં નથી. હે ત્રિજગન્નાથ ! તમારા ગુણાની સ્તુતિ કરતાં મને “ જે પ્રસન્નતા થાય છે તેવી પ્રસન્નતા ચારણભાટા૧ મારી સ્તુતિ કરે ત્યારે થતી નથી,
“ તમારી પાસે ભૂમિ ઉપર બેસતાં જેવી મારી ઉન્નતિ થાય તેવી ઉન્નતિ સૌધર્મા
66
સભાની અંદર સિંહાસનપર બેસતાં થતી નથી. હે પ્રભુ ! તમારા જેવા સ્વામીની પરત - “ ત્રતામાં લાંબે કાળ રહેવાને જેમ હું ઇચ્છું છું તેવી રીતે મારા રાજયની સ્વતંત્રતામાં રહેવાને હું ઇચ્છતા નથી. ”
66
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ ઈંદ્ર માતાની પાસે આવ્યેા, અને પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનુ પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા હરી લીધી. પછી શકઇંદ્ર પ્રભુના સૂતિકાગ્રહમાંથી અને ઇંદ્રો મેરૂપ તથી વિદાય કરેલા સેવકાની જેમ ન'દીશ્વરઢીપે થઇને પાતપેાતાને સ્થાનકે ગયા.
પ્રભુને જન્મ થયાના ખબર મળતાં પ્રાત:કાલે વિષ્ણુ રાજાએ મોટો ઉત્સવ કર્યાં, તે વખતે જાણે એક છત્રવાળા હોય તેવા પ્રમાદ પ્રવર્ત્ત વાર્લાગ્યા. માતાપિતાએ શ્રયકારી દિવસે મેટા ઉત્સવ વડે કરીને શ્રેયાંસ એવું પ્રભુનું નામ પાડયું. ઇંદ્રે આદેશ કરી મૂકેલી પાંચ ધાત્રીઓએ લાલન કરેલા પ્રભુ, ઈ, સ‘ચારેલા અમૃતવાળા પોતાના અંગુષ્ટનું પાન કરતા વૃદ્ધિ પામ્યા. પ્રભુ જોકે ત્રણ જ્ઞાનને ધારણ કરતા હતા તાપણુ બાલ્યવયને યાગ્ય એવી તેઓ મુગ્ધત! બતાવતા હતા, કારણકે સૂર્ય પ્રચંડ કરાવાળા છે તે છતાં તે પ્રાતઃકાલમાં પેાતાની પ્રચ’ડતા બતાવતા નથી. સુર, અસુર અને મનુષ્યાના કુમારો સાથે ક્રીડા કરતા પ્રભુ રથમાંથી ઉતરીને હાથી ઉપર બેસે તેમ શિશુવયમાંથી ઉતરી યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એ‘શી ધનુષ ઊંચી થઇ. જોકે પેાતાને સ`સારપર વૈરાગ્ય વર્તાતા હતા તાપણુ પિતાના આગ્રહથી રાજકન્યાઓનું તેમણે પાણિગ્રહણ કર્યું; અને જન્મથી એકવીશ લાખ વર્ષા ગયા પછી પિતાની પ્રાથનાથી પ્રભુએ પૃથ્વીના ભાર ગ્રહણ કર્યાં, જેને મહિમા અક્ષીણુ છે અને જે શ્રેયના ભંડારરૂપ છે એવા શ્રેયાંસ પ્રભુએ બેતાલીશ લાખ વર્ષી ૧ એવો જાતના પણ કેટલાક દેવા હોય છે કે જેઓ ઈંદ્રની પ્રશ'સા જ કર્યાં કરે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬
સ ૧ લા
સુધી ભૂમંડલપર શાસન પ્રવર્તાવ્યું. પછી જયારે પ્રભુ સ‘સારથી વિરકત થઇ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયા ત્યારે શુભ શકુનની જેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણા કરી. તે દિવસથી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જ ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. વર્ષ પૂર્ણ થયા પછી ઇંદ્રાએ આવી જાણે ક રૂપ શત્રુઓના વિજયને માટે હાય તેમ સત્વર પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય અંગરાગનું વિલેપન કરી, રત્ન આભૂષણાથી સુશોભિત કરી, મંગલિક અને દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી, જાણે મૂર્તિમાન્ માંગલ્ય હોય તેવા પ્રભુને સેવકની જેમ નગ્ન થયેલા સૌધર્મ કે હાથના ટેકો આપ્યા, અને ખીજા ઈદ્રા છત્રચામર ધારણ કરી તેમને વીંટાઈ વળ્યા. પછી રત્નવડે નિમલ એવી સુંદર કાંતિવાળી વિમળપ્રભા નામની શિખિકા ઉપર બેસી, સુરનરોથી પરવરેલા પ્રભુ સહસ્રાગ્ર વનમાં પધાર્યા. ત્યાં આવી શિબિકા ઉપરથી ઉતરી આભૂષણાદિકના ત્યાગ કર્યા, અને ઇન્દ્રે આરોપણ કરેલુ દેવદૃષ્ય વસ્ત્ર ધ ઉપર ધારણ કર્યું . ફાલ્ગુન માસની કૃષ્ણ ત્રયાદશીને દિવસે પૂર્વાન્તકાળે શ્રવણુનક્ષત્રમાં ચંદ્રના યોગ થયે સતે છઠ્ઠું તપ કરીને પ્રભુએ પાંચમુષ્ટિ લાચ કર્યા. પ્રભુના કેશ પેાતાન ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઇ શક્ર ઇકે પવનની જેમ ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં ક્ષેપન કર્યા. પછી ઇંદ્રે મુષ્ટિની સંજ્ઞા કરી સર્વ કોલાહલ શાંત કર્યાં, એટલે પ્રભુએ વિશ્વને અભય આપનારું ચારિત્ર ગ્રહણ કર્યું.... પ્રભુની સાથે એક હજાર રાજાઓએ રાજ્યને તૃણુની જેમ છેડી દઈને ત્રત ગ્રહણ કર્યું. પછી સુરઅસુરોના અધિપતિએ, ન દીશ્વર દ્વીપમાં શાશ્વત અંત પ્રતિમાઓના અઠ્ઠાઇઉત્સવ કરી પાતપાતને સ્થાનકે ગયા. બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને નંદરાજાએ પ્રભુના ચરણસ્થાનમાં રત્નની એક પીઠ કરાવી. પછી તે સ્થાનથી પવનની જેમ પ્રતિબધ રહિત એવા પ્રભુ ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરવાને પ્રવર્તો.
આ તરફ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શિરોમણિ પુ...હરિકીણી નામની નગરીમાં સુખલ નામે રાજા ચિરકાલથી રાજ્ય કરતા હતા. તેણે ઉચિત સમય આવતાં મુનિવૃષભ નામના સૂરિની પાસે દીક્ષા લીધી, અને ઉત્કૃષ્ટ તપ તપી મૃત્યુ પામ્યા પછી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
હવે રાજગૃહી નગરીમાં વિશ્વન’દી નામે રાજા છે. તેની પ્રિયંગુ નામે પત્નીની કુક્ષીથી એક વિશાખનંદી નામે પુત્ર થયા. વિશ્વનંદી રાજાને વિશાખભૂતિ નામે એક લઘુ બધુ યુવરાજ છે. તે બુદ્ધિમાન્, વીર્ય માન્, વિનીત અને ન્યાયી છે. તે વિશાખભૂતિની ધારિણી નામની સ્ત્રીની કુક્ષીથી પૂના નજીક ભવમાં ઉપાર્જેલાં સુકૃતાવડે મરીચિના જીવ પુત્ર રૂપે અવતર્યા. માતાપિતાએ તેનુ' વિશ્વભુતિ એવુ નામ પાડયુ. ધાત્રીઓએ લાલનપાલન કરેલા એ પુત્ર અનુક્રમે માટા થયા. સમગ્ર કલાકલાપના અભ્યાસ કરી તેણે સવ ગુણા પ્રાપ્ત કર્યાં. અનુક્રમે શરીરના મૂર્ત્તિમાન આભૂષણરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થયા. પછી અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરીને જાણે પૃથ્વી ઉપર નંદનવન આળ્યુ હોય તેવા ઘણા સુંદર પુષ્પકરડક નામના ઉદ્યાનમાં અંત:પુરની સાથે તે ક્રીડા કરવા લાગ્યા.
એકવાર રાજપુત્ર વિશાખનંદીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છા થઈ. પણ તે ઉદ્યાન કઢિપણ વિશ્વભૂતિ વગરનું ખાલી દેખાયું નહીં. એકદા વિશાખનંદીની માતાની દાસીએ પુષ્પ લેવાને માટે તે ઉદ્યાનમાં ગઈ, તેમણે ત્યાં અંતઃપુર સાથે વિશ્વભૂતિને ક્રીડા કરતા ૧ ભરતયક્રીના પુત્ર મરીચિ, જેનું વૃત્તાંત પવ ૧લાના છઠ્ઠા સ`માં આવેલુ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૭૭
પર્વ ૪ થું જે. તે જોઈને દાસીઓના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેથી તેમણે આવીને પ્રિયંગુદેવીને કહ્યું-“ યુવરાજ વિશાખભૂતિનો પુત્ર વિશ્વભૂતિજ હાલ રાજા હોય એમ જણાય છે, બીજો કોઈ રાજા જણાતું નથી કારણકે પોતાના અંત:પુર સાથે તે પુષ્પકરંડક ઉદ્યાનમાં હમેશાં કીડા કરે છે, અને આપણું રાજકુમાર તો નિવારિત થઈને બહાર રહે છે.” આ વચન સાંભળી પ્રિયંગુ રાણી કેપ કરીને કેપગૃહમાં જઈને બેઠા. રાજાએ આવીને પૂછ્યું-“આમ કેમ કર્યું છે?” ત્યારે તે બોલી-“યુવરાજના કુમાર વિશ્વભૂતિ એકલા જ પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા કરે અને તમે છતાં મારો કુમાર રાંકની પેઠે બહાર ઉભે રહે એ કેવી વાત?” રાજાએ કહ્યું-“માનિનિ ! આપણું કુળમાં એવી વ્યવસ્થા છે કે જયાં એક ક્રીડા કરતો હોય ત્યાં બીજાએ પ્રવેશ કરે નહી.” રાજાએ આ પ્રમાણે કહ્યું તો પણ દેવી પ્રિયંગુએ તે માન્યું નહીં, ત્યારે અન્ય ઉપાયને જાણનારા રાજાએ યુદ્ધપ્રયાણનો ભેરી વગડાવ્યા. તે સાથે ઉદ્દઘોષણું કરાવી કે “પુરૂષસિંહ નામનો એક સામંત અમારી આજ્ઞા માનતો નથી, તેથી તેને જીતવા માટે અમે પ્રયાણ કરીએ છીએ.” આ ખબર સાંભળી કુમાર વિશ્વભૂતિ સંભ્રમથી રાજા પાસે આવી કહેવા લાગ્ય-શું હું છતાં પિતાજી જાતે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે?” આ પ્રમાણે કહી આગ્રહથી રાજાને નિવારો, વિશ્વભૂતિ પોતે મા સૈન્ય લઈ તે સામંતની રાજયભૂમિ તરફ ચાલ્યા કુમારને આ સાંભળીને તે સામંત સંભ્રમથી સામો આવ્યો, અને એક સેવકની જેમ ભક્તિ બતાવી પિતાના મંદીરમાં તેમને લઈ ગયે. પછી અંજલિ જોડી “હે સ્વામી! શી આજ્ઞા છે?” એમ કહી હસ્તી, અશ્વ વિગેરેની ભેટ ધરી અને વિશ્વભૂતિના મનનું તેણે રંજન કર્યું. કાંઈપણ વિરોધ જોવામાં આવ્યું નહીં, એટલે વિશ્વભૂતિ જે માર્ગે આવ્યો હતો તે માર્ગેજ પાછો વળે. કારણકે નિરપરાધી ઉપર કોપ કેણ કરે?
વિશ્વભૂતિના ગયા પછી વિશાખનંદીને રાજાએ પુષ્પકરંડક ઉદ્યાનમાં દાખલ કર્યો. પરદેશમાંથી પાછા આવીને વિશ્વભૂતિ પૂર્વ પ્રમાણે ફરીને તે ઉદ્યાનમાં ક્રીડા ક ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છડીદારે “કુમાર વિશાખનંદી ઉદ્યાનમાં છે એમ કહી તેને અટકાવ્યો. મર્યાદા અને બંને સમુદ્ર વિશ્વભૂતિ તરત ત્યાં ઉભે રહ્યો. તેણે વિચાર કર્યો કે “અહો ! કપટવડે કરીને જ આ વનમાંથી વનના હાથીની જેમ મને બહાર કાઢો જણાય છે, માટે હવે હું શું કરું?” એમ વિચારી કોપ કરીને મત્ત હસ્તી જેમ દાંતવડે તાડન કરે તેમ મુષ્ટિવડે તેણે એક પુષ્કળ ફળવાળ કઠાના વૃક્ષ ઉપર તાડન કર્યું. તેના આઘાતથી પહેલાં ફલોથી સર્વ નીચેની પૃથ્વી આચ્છાદિત થઈ ગઈ; એ પૃથ્વીને બતાવતા વિશ્વભૂતિએ છડીદારને કહ્યું–‘જો મારા વડિલ પિતાની ભક્તિનો અંતરાય ન હોત તો તમારા સર્વનાં મસ્તકે હું આ કોઠાની જેમ ભૂમિપર પાડી નાખત, પણ જે ભોગોને માટે આવી રીતે છેતરવાના ઉપાય કરવા પડે છે એવા સર્પની ફણા જેવા ભંયકર ભેગોથીજ મારે તે હવે સયું.” આ પ્રમાણે કહી વિશ્વભૂતિએ તૃણની જેમ સર્વ સમૃદ્ધિ છેડી દીધી. અને સંભૂતિ મુનિના ચરણ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. આ ખબર જયારે વિશ્વનંદીના સાંભળવામાં આવ્યા, ત્યારે તે અંત:પુર તથા પરિવારને લઈ યુવરાજ સહિત પિતે ત્યાં આવ્યા; અને સૂરિના ચરણને નમસ્કાર કરી વિશ્વભૂતિની પાસે આવી આનંદ રહિતપણે ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ ! હમેશાં તું અમારી આજ્ઞા લઈને જ સર્વ કાર્ય કરતો હતો પણ આજે આ કાર્ય તે સાહસથી કેમ કર્યું ? શું અમારા ભાગ્યને ક્ષય થવા લાગ્યું જાણીને તે એમ કયું? હે વત્સ ! આ રાજ્યને ધારણ કરવામાં અમારી હમેશાં તારા ઉપરજ આશા
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
સર્ગ ૧ લે
હતી. તે આશાને તું આ વખતે અકસ્માત કેમ ભંગ કરે છે? તું અમારે આપત્તિમાં ત્રતા છે માટે હજુ પણ વ્રત મૂકી દે, ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવ, અને પૂર્વની જેમ પુષ્પકરંડરક ઉદ્યાનમાં યથેચ્છ ક્રીડા કર.” વિવનંદીનાં આવાં વચન સાંભળી વિશ્વભૂતિ બોલ્યો-“હવે મારે ભેગસંપત્તિથી સયું; કેમકે આ વિષય સંબંધી સુખ વસ્તુતા એ દુ:ખરૂપજ છે. આ સંસારરૂપ કારાગૃહમાં સ્વજનનેહરૂપ તંતુઓ મજબુત પાશ જેવા થઈ પડે છે અને પોતાની લાળવડે જેમ કળીઓ બંધાય છે તેમ પ્રાણીઓ તેમાં મોહ પામી બંધાઈ જાય છે. તેથી હવે મને તે બાબત કાંઈપણ કહેશે નહીં, હું ઉત્કૃષ્ટ તપનું જ આચરણ કરીશ. કારણકે તે પરલોકમાં સહાયભૂત થવા માટે સાથે આવનાર છે. આ પ્રમાણેને ઉત્તર સાંભળીને રાજા પશ્ચાત્તાપ કરતે ઘેર ગયે; અને વિશ્વભૂતિ મુનિએ ગુરૂની સાથે ત્યાંથી બીજે વિહાર કર્યો.
છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપ કરવામાં તત્પર અને ગુરૂની સેવા કરવામાં ઉદ્યમવંત એવા વિશ્વભૂતિ મુનિએ અનુક્રમે સૂત્રાર્થનું અધ્યયન કરતાં ઘણો કાલ નિગમન કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી પ્રતિમાને ધારણ કરી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં એકલા વિહાર કરવા લાગ્યા. વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને વિહાર કરતા એ મહામુનિ
એકદા મથુરા નગરીમાં આવી ચડયા. તે વખતે એ નગરીના રાજાની કન્યા કે જે પોતાની કુઈની પુત્રી થાય તેને પરણવાને વિશાખનંદી મોટા પરિવાર સાથે ત્યાં આવ્યો હતો. મહામુનિ વિશ્વભૂતિ માસક્ષમણના પારણાને માટે ફરતા ફરતા કુમાર વિશાખનંદીની છાવણીની પાસે આવી ચડયા. “આ વિશ્વભૂતિ કુમાર એમ બોલતા કેટલાક પુરુષોએ તે મુનિ વિશાખનંદીને બતાવ્યા; તેને જોવાથી વિશાખનંદીને તે વખતે રોષ ઉત્પન્ન થયો. તેવામાં અચાનક એક ગાયનું ગળું વાગવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. તેને પડતાં જોઈ વિશાખનંદીએ હસતાં હસતાં કહ્યું-કઠાના વૃક્ષ પરથી કેઠાંને પાડવાનું તારૂં બલ આ વખતે ક્યાં સંતાઈ ગયું ?” એ વચન બોલતા એવા વિશાખનંદીને જેઈ વિશ્વભૂતિ મુનિ તે વચન અમર્ષવડે સહન કરી શક્યા નહીં તેથી તરતજ તે ગાયને બે શીંગડાવતી પકડીને ખડના પૂલાની પેઠે આકાશમાં ભમાડી. પછી નિવૃત્તિ પામી વિશ્વભૂતિ મુનિ હૃદયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “અહો ! હું નિઃસંગ છું તે છતાં પણ રેષવાળો આ વિશાખનંદી અદ્યાપિ મારે વિષે માઠું મન ધરાવે છે, તેથી આ ઉગ્ર પ્રભાવ વાળા તપ વડે હું આવતા ભવમાં ઘણું પરાક્રમવાળો થાઉં.” આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. તે નિયાણાની આલોચના કર્યા વગર કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને તે મુનિ મહાશુક વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા
દક્ષિણ ભરતાદ્ધની ભૂમિને જાણે મુગટ હોય તેવું ઊંચા દરવાજાઓવાળું પિતનપુર નામે નગર છે. તે નગરમાં કિરણોથી જેમ સૂર્ય શોભે તેમ ગુણોથી શોભતે રિપ્રતિશત્ર નામે રાજા છે. છ ખંડથી ભરતક્ષેત્રની જેમ તે રાજા છ ગુણોથી શોભતો હતો, અને ચાર દાંતથી ઐરાવતની જેમ ચાર પ્રકારની સામ, દામ. ભેદ અને દંડરૂપ રાજનીતિથી પ્રકાશનો હતો. તે શૌર્યમાં સિંહ જે, પરાક્રમમાં હસ્તી જેવ, રૂપમાં કામદેવ જે અને બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો હતો. પૃથ્વીને સાધવામાં પ્રગટ પરાક્રમવાળા તે રાજાના બુદ્ધિ અને પરાક્રમ બે ભુજાની જેમ પરસ્પર એક બીજાને શોભા આપતા હતા. એ રાજાને શરીરધારિણી જાણે પૃથ્વી હોય તેવી કલ્યાણના સ્થાનરૂપ ભદ્રા નામે એક પટરાણી હતી. એ રાણી પતિભક્તિરૂપ કવચને ધારણ કરી, પહેરેગીરની જેમ જાગ્રત રહી, રત્નના નિધાનની જેમ
Page #106
--------------------------------------------------------------------------
________________
૭૯
પર્વ ૪ થું હમેશાં પિતાના શીલની રક્ષા કરતી હતી. નેત્રરૂપ દીપકની જાણે અમૃતમય વાટ હોય, શરીરધારી જાણે રાજ્યલક્ષમી હોય અને મૂર્તિવતી જાણે કુલવ્યવસ્થા હોય તેવી તે નિરંતર પ્રકાશતી હતી. એકદા પ્રથમ કહેલ સબલનો જીવ અનુત્તર વિમાનમાંથી ચવીને તે મહાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા મહાદેવીએ રાત્રિના છેલ્લા પહોરે બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નો જોયાં. તે વખતે ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામીને દૂર ગઈ હોય તેમ તેની નિદ્રા જતી રહી, એટલે રાણીએ તે વમની વાત રાજાને આ પ્રમાણે જણાવી –“હે સ્વામિન્ ! આજે રાત્રે પ્રથમ સ્ફટિક મહિના જે ઉજજવળ ચાર દાંતવાળે હસ્તી વાદળાની અંદર ચંદ્ર પ્રવેશ કરે તેમ મેં મારા મુખમાં પ્રવેશ કરતો જો. પછી શરદુ ઋતુના વાદળાથી જાણે બનાવેલો હોય તેવો નિર્મલ કાંતિવાળે, ઊંચા કોઢવાળો અને સરલ પુંછડાવાળે એક ગર્જના કરતો વૃષભ જોયો. પછી દૂર પ્રસરતા કિરણોના અંકુરાઓથી જાણે દિશાઓને કર્ણાભૂષણ રચતો હોય તે ચંદ્રમા જે; અને છેવટે જેમાં ભમરાઓ મધુર ગુંજારવ કરી રહ્યા છે એવા વિકસિત કમળોથી જાણે શત મુખો વડે ગાયન કરતું હોય તેવું એક પૂર્ણ સરોવર જોયું. હે નાથ ! આ સ્વમાઓનું મને શું ફલ થશે તે તમે કહો. કારણ કે સામાન્ય જનને ઉત્તમ સ્વમનું ફલ પૂછવું પણ
ગ્ય નથી.” રાજાએ કહ્યું- “હે દેવિ ! લક્ષ્મીથી દેવના જેવો અને લોકોત્તર બલવાળે તમારે બલભદ્ર પુત્ર થશે.”
પછી સુખે સુખે ગર્ભને નિર્વાહ કરતાં અનુક્રમે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ ભદ્રાદેવીએ પૂર્ણ સમયે શ્વેત વર્ણવાળા, મોટી ભુજાવાળા અને એંશી ધનુષ્ય શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. ચકરત્ન ઉત્પન્ન થતાં જેમ ચક્રવતી મહોત્સવ કરે તેમ પત્રરન ઉત્પન્ન થતાં મહારાજાએ મેટા આડંબરથી મહોત્સવ કર્યો. પછી શુભ દિવસે શુભ રાશિનો ચંદ્ર થતાં રાજાએ મોટા ઉત્સવથી પુત્રનું અચલ એવું નામ પાડયું. નીવડે વૃક્ષની જેમ દિવસે દિવસે શરીરની કાંતિને અધિક અધિક વિસ્તારો એ બાલક ધાત્રીઓથી વૃદ્ધિ પામવા લાગ્યો. એ અચલ કુમાર જમ્યા પછી કેટલે એક કાલ ગમે ત્યારે કેતકી જેમ પુષ્પને ધારણ કરે તેમ ભદ્રાદેવીએ ફરીવાર ગર્ભ ધારણ કર્યો. પૂર્ણ કાળ થતાં ગંગા જેમ કમલિનીને જન્મ આપે તેમ દેવીએ સર્વ લક્ષણ એ સંપૂર્ણ એવી એક પુત્રીને જન્મ આપ્યું. રાજાએ મૃગનાં બચ્ચાં જેવા નેત્રવાળી એ ચંદ્રવદને પુત્રીનું મૃગાવતી એવું નામ પાડયું. તાપસના ઉલ્લંગમાં મૃગલીની જેમ લે-કાના ઉત્સવમાં સંચાર કરતી એ મૃગલેચના બાલા નિવિંદન વધવા લાગી. એ બાલિકાને કરી ઉપર બેસાડી ઘરના આંગણામાં વિચરતી એવી ધાત્રીએ રત્નની પુતળીથી જેમ ઘરના થાંભલાઓ શોભે તેમ શેભતી હતી. અનુક્રમે બાલ અવસ્થાનું ઉલ્લંઘન કરી એ મૃગાવતી કામદેવને જીવન આપનાર અને શરીરની લક્ષમીને વિશેષ કરનાર એવા યૌવન વયને પ્રાપ્ત થઈ.
તેનું મુખ ભ્રકુટીના મિષથી જાણે ચંદ્રનું દંતપત્ર હોય તેવું શોભવા લાગ્યું; ભમરા સહિત કુમુદ પુષ્પ હોય તેવા તેના કૃષ્ણ ધવલ નેત્ર રોભવા લાગ્યાં. તેને કંઠ જાણે મુખરૂપ કમલનું ના હોય તે સુંદર દેખાવા લાગ્યો. સરળ આંગળીવાળા તેના બંને હાથ કામદેવના જાણે બે ભાથા હોય તેવા જણાવા લાગ્યા. શરીરની લાવણ્યરૂપ સરિતાના જાણે ચક્રવાક પક્ષી હોય તેવા સ્તન થયા. જાણે સ્તનના ભારને શ્રમ લાગવાથી હોય તેમ તેનું ઉદર કૃશતાને પામ્યું. કામદેવને ક્રીડા કરવાની જાણે વાપિકા હોય તેવી તેની ગંભીર નાભિ જણવા લાગી. રત્નાચળની જાણે તળેટી હોય તેવી મોટી નિતંબની ભીત દેખાવા
Page #107
--------------------------------------------------------------------------
________________
સ ૧ લા
લાગી. કદીના સ્તંભના જેવા ક્રમે કરી વર્તુલાકાર ઉરૂ શાભવા લાગ્યા, અને જાણે ઊચી નાલવાળા એ કમળ હેાય તેવા સરલ જઘાવાળા ચરણ જણાવા લાગ્યા. આ પ્રમાણે નવીન ચૌવનની લક્ષ્મીથી જેના દરેક અંગ વિભકત થયેલા છે એવી એ મૃગાવતી જાણે વિદ્યાધરીએની અધિષ્ઠાત્રી દેવી હોય તેવી શે।ભવા લાગી. જેમ જેમ મૃગાવતીની યૌવનાવસ્થા વધતી ગઈ, તેમ તેમ ભદ્રાદેવીને તેના વરને માટે ચિંતા પણ વધવા લાગી. એક્દા ભદ્રાદેવીએ ‘ મારી માફ્ક રાજાને પણ આના પતિને માટે ચિંતા થાએ' એમ ધારીને મૃગાવતીને રાજાની પાસે માકલી. તેને જોઇને કામદેવના ખાણથી વિધુર બનેલેા રાજા ‘આ પુત્રી છે' એમ જાણે ન જાણતા હોય તેમ હૃદયમાં ચિંતવવા લાગ્યા—“ અહા ! ત્રણ જગત્ની સ્ત્રીઓને વિજય કરવામાં પ્રવીણ એવુ આ સ્ત્રીનું સૌંદર્ય ખરેખર કામદેવનું વિજયી અસ્ત્ર છે. ભૂમિ અને સ્વર્ગનું સામ્રાજ્ય મળવુ સુલભ છે, પણ આ હૃદયવલ્લભા ખાલા ( સ્ત્રી ) મળવી ઘણી દુર્લભ છે. સુર, અસુર અને નરપતિએના પુણ્યથી પણ અધિક અને સેકડા જન્માંતરમાં ઉપજેલાં મારાં પુણ્યાથીજ મને આ ખાલા પ્રાપ્ત થઈ છે.’’ આ પ્રમાણે વિચારીને રિપુપ્રતિશત્રુ રાજાએ મધુર આલાપે ખેલાવી એ પ્રાણવશ્ર્વભા ખાલાને તરત ઉત્સ’ગમાં બેસાડી, સ્પર્શ, આલિંગન અને ચુ'મનથી અનુરાગ બતાવીને પછી તે સુંદરીને વૃદ્ધ કંચુકીઓની સાથે રાજાએ અંતઃપુરમાં માકલાવી દીધી. પછી લેાકાપવાદથી ખચવાને માટે એકવાર રાજાએ અધિકારી વર્ગ સાથે પુરજાને ખાલાવીને આ પ્રમાણે પૂછ્યું“મારી ભૂમિમાં, ગામમાં, ઘરમાં કે કોઇ બીજા સ્થાનમાં રત્ન ઉત્પન્ન થાય તે કોનું ગણાય તે તમે કહેા,’ લાકોએ કહ્યું–“તમારી ભૂમિમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી થવાને તમે ચાગ્ય છે, બીજા કોઈપણ યાગ્ય નથી.” એવી રીતે ત્રણવાર નિર્ણય કરાવીને પછી પેાતાની મૃગાવતી કન્યા બતાવીને ફરીવાર કહ્યું-આ મારૂં કન્યારત્ન છે, તેને હું તમારી આજ્ઞાથી પરણીશ.” આવાં રાજાનાં વચનથી નગરજના લજજા પામી પેાતાતાને ઘેર ગયા. પછી રાજા ગાંધવ વિવાહથી પાતાની પુત્રીને પરણ્યા. રાજા પેાતાનીજ પુત્રીના પતિ થયે તેથી પૃથ્વી ઉપર તેનું પ્રજાપતિ એવું નામ પ્રખ્યાત થયુ'. સર્વ લેાકમાં ઉપહાસ્ય કરવા ચેગ્ય અને ઘણી લજ્જા પમાડનારૂં આવું પાતાના પતિનું નવીન કુલકલ`ક સાંભળી ભદ્રાદેવી ઘણી લજ્જા પામી.
૮.
પછી પાતાના અચલ કુમારને સાથે લઈ તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. કારણકે જ્યાં દુનાના મ્હેણાનાં વચના ન સાંભળવાં પડે તે દેશ જ ઉત્તમ સમજવા. જાણે નવા વિશ્વકર્મા હોય એવા એ અચલ કુમારે એ દેશમાં પેાતાની માતાને માટે માહેશ્વરી નામે એક નગરી વસાવી, પછી કુબેરે જેમ અયેાધ્યાને ધનથી પૂરી હતી તેમ અચલ અલદેવે એ નગરીને બીજે ઠેકાણેથી લાવી લાવીને ધનવડે પૂરી દ્વીધી. પછી તેણે કુલીન પ્રધાને અને આત્મરક્ષક સેવકોની સંભાળ નીચે જાણે મૂર્તિમાન પૂરદેવી હેાય તેવી પાતાની માતાને તે નગરીમાં રાખ્યાં. સ્ત્રીઓનું શિરારત્ન ભાદેવી પણ શીલરૂપી અલંકારને ધારણ કરી દેવપૂજાદિક ષટ્ કર્મમાં તત્પરણે તે નગરીમાં રહેવા લાગ્યા. પછી ભક્તિમાન એવા અચલ કુમાર પોતનપુર નગરમાં પોતાના પિતા પાસે આવ્યા. જેવા તેવા પિતા પણ સત્પુરૂષોને પૂજ્ય છે, અચલ કુમાર પૂર્વ પ્રમાણેજ પિતાની સેવા કરતા ત્યાં રહ્યો. વિદ્વાના પૂજ્યપુરૂ ષના ચરિત્રની ચર્ચા કરતા નથી.
હવે ચંદ્રને રાહિણીની જેમ રાજાએ તે મૃગલાચના મૃગાવતીને પટરાણીની પઢવીએ સ્થાપન કરી, કેટલાક કાળ ગયા પછી વિશ્વભૂતિ મુનિનેા જીવ મહાશુક્ર દેવલાકથી ચવીને
Page #108
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૪ થ
તે મૃગાવતીની કુક્ષિમાં અવતર્યાં. રાત્રિને પાછલે પહેારે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ર મૃગાવતી દેવીએ સુખે સુતાં સુતાં જોયાં. પહેલે સ્વપ્ને કુકુમની જેવી અરૂણ કેસરાવાળા, ચંદ્રની રેખા જેવા તીક્ષ્ણ નખવાળા અને ચામરની જેવા પુચ્છને ધારણ કરનારા યુવાન કેસરીસિંહ જોયા. બીજે સ્વપ્ન જેમના હાથ (શુઢ )માં ક્ષીરાદકે ભરેલા કુંભ છે એવા એ હસ્તીએથી જેને અભિષેક થાય છે એવા પદ્માસનપર બેઠેલા લક્ષ્મીદેવી જોયા. ત્રીજે સ્વપ્ને મહા અંધકારને વિદારતા, રાત્રિને દિવસ કરતા અને ઉગ્ર તેજને પ્રસરાવતા સૂર્ય જોયા. ચેાથે સ્વપ્ને સ્વચ્છ અને સ્વાષ્ટિ જલથી ભરેલા, મુખપર પુ'ડરીક કમલાથી અર્ચિત થયેલા અને સુવણૅની ઘટા તથા પુષ્પની માળાવાળા કુંભ જોયા. પાંચમે સ્વપ્ને અનેક જાતિના જલચર પ્રાણીઓથી ભરેલા, રત્નાના સમૂહથી પ્રકાશતા અને ગગનમાં કલ્લાલને ઉછાળતા સમુદ્ર જોયા.છઠ્ઠું સ્વપ્ન પાંચવણના મણિએની કાંતિના પ્રસરથી આકાશના આંગણામાં ઇંદ્રધનુષ્યની શાભાને વિસ્તારતા રત્નનેા રાશિ જોવામાં આવ્યા. સાતમે સ્વપ્ને જવાલાથી આકાશને પવિત કરતા અને દૃષ્ટિને આલેાકવડે સુખ આપતા નિમ અગ્નિ જોવામાં આવ્યેા.
૮૧
આ પ્રમાણે સાત સ્વસ જોઇ મૃગાવતી જાગી, અને તેણે રાજાને તે વાર્તા જણાવી. રાજાએ કહ્યું- દેવિ ! આ સ્વસથી તમારે અદ્ધ ચક્રી ( વાસુદેવ ) પુત્ર થશે.’ પ્રાતઃકાલે રાજાએ નિમિત્તિયાને ખેલાવીને પણ પૂછ્યું, ત્યારે તેએએ પણ સ્વનું ફૂલ તેજ પ્રમાણે કહ્યું. બુદ્ધિવાન પુરુષાના ખેલવામાં ફેર પડતાજ નથી. ગર્ભ સમય પૂર્ણ થયા ત્યારે દેવીએ સર્વ લક્ષણાથી લક્ષિત એ’શી ધનુષ ઊંચા શરીરવાળા અને કૃષ્ણ વણુ વાળા એક પુત્ર પ્રસબ્યા, તેવખતે દિશાએ પ્રસન્ન થઈ. પૃથ્વી ઉલ્લાસ પામી, અને રાજાના મનની પેઠે સર્વ જના હર્ષ પામ્યા. ગોપાલ જેમ વાડામાંથી ગાયાને છેડે તેમ હ પામેલા રિપુપ્રતિશત્રુ રાજાએ પૂર્વે કેદ કરેલા પુરુષોને કારાગારમાંથી છેડી મૂકયા. આવનારી વાસુદેવપણાની લક્ષ્મીને જાણે તે અગાઉથી સ્થાન કરી આપતા હેાય તેમ કામધેનુની જેમ યાચકાને ઈચ્છાનુસાર દાન આપવા લાગ્યા. લેાકેામાં પણ પુત્રવિવાહની જેમ તે રાજપુત્રના જન્મના મોટો ઉત્સવ પ્રવર્તી રહ્યો. હાથમાં મંગલિક વસ્તુઓ લઇને સૌભાગ્યવતી સ્ત્રીએ રાજમદિરમાં આવવા લાગી. ત્યાં ન સમાવાથી તેમના પરસ્પર સંઘ વડે ગામમાં પણ મેાટી ભીડ થઈ પડી. રાજગૃહની જેમ શહે ૨માં પણ ઠેકાણે ઠેકાણે તારણ ખાંધવામાં આવ્યાં, અને સ્થાને સ્થાને સંગીત પ્રવર્તી રહ્યાં. પુત્રના પૃષ્ઠ ઉપર ત્રણ વશ જોઇને રાજાએ મેાટા ઉત્સવથી તેનું ત્રિપૃષ્ટ એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલનપાલન કરેલા અને અચલ ખલદેવની સાથે ક્રીડા કરતા ત્રિપૃષ્ટ કુમાર ધીમે ધીમે વધવા લાગ્યા. માવતની પછવાડે બાળહસ્તીની જેમ આગળ ચાલતા અલભદ્રની પછવાડે પગના ઘુઘરા વગાડતો એ ત્રિપૃષ્ટ કુમાર ક્રીડા કરવા લાગ્યા.
યોગ્ય વય થતાં દણ જેમ પ્રતિષિ`ખને ગ્રહણ કરે તેમ એ મહાપ્રાન કુમારે ઉપાધ્યાયને સાક્ષીભૂત કરી લીલામાત્રમાં સ` કળા ગ્રહણ કરી લીધી, અનુક્રમે કવચ ધરનાર અને દૃઢ વક્ષસ્થલવાળા એ મહાભુજ કુમાર, જો કે અનુજ હતા તાપણુ જાણે અલભદ્રના વયસ્ય ( મિત્ર ) હાય તેમ દેખાવા લાગ્યા. અંતર રહિત નિત્ય ક્રીડા કરતા એ બને ભાઈ જાણે મૂર્ત્તિવંત શુકલ અને કૃષ્ણપક્ષ હોય તેમ શાભવા લાગ્યા. નીલ અને પીળાં વસ્ત્રને ધારણ કરનાર અને તાડ તથા ગરૂડના ચિન્હવાળા તે અને ભાઈ જાણે સુવર્ણગિરિ તથા અંજનગિરિ હોય તેવા શેાભતા હતા, તે બલદેવ અને વાસુદેવ ક્રીડાથી ચાલતા તાપણુ
૧૧
Page #109
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લે
તેના ચરણન્યાસથી વાપાતની જેમ પૃથ્વી કકંપાયમાન થતી હતી. પુરુષામાં ગજેન્દ્ર સમાન તે અને ભાઇ જ્યારે હાથી ઉપર ચડતા ત્યારે તે પ્રૌઢ હાથીએ પણ કુંભસ્થળ ઉપર તેમના હસ્તતળનું આસ્ફાલન સહન કરી શકતા નહીં. ક્રીડા કરતા તેઓ પેાતાની પ્રચ’ડ ભુજાએ જ્યારે પર્વતના શિખરપર આઘાત કરતા ત્યારે તે મોટા પર્વતના શિખરો પણ એક રાફડા જેવા થઈ પડતા. એ ખ'ને કુમાર મોટા દૈત્યાદિકથી પણ ભય પામતા નહીં તેા ખીજાની શી વાત કરવી ! નિર્ભિક એવા તેઓ જે કોઇ તેને શરણે આવતુ તેને શરણુ આપતા. પરસ્પર અત્યંત સ્નેહ હોવાથી અચલ કુમાર વિના ત્રિષ્ટ કુમાર અને ત્રિકુમાર વિના અચલ કુમાર એકલા રહેતા નહી.. જાણે એ શરીર અને એક આત્મા હોય તેમ તે સાથેજ ફરતા હતા.
૮૨
આ તરફ રત્નપુર નગરમાં મચુગ્રીવ નામે રાજાની નીલાંજના નામે રાણીની કુક્ષીથી અન્ધશ્રીવ નામે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થયા હતા. એ મહાભુજ એંશી ધનુષના શરીરવાળા, નવીન મેઘના જેવી કાંતિવાળા અને ચારાશી લાખ વર્ષના આયુષ્યવાળા હતા. મોટા હસ્તીએના કુંભસ્થલાને ફાડી નાખતાં છતાં પણ જેમ સિંહની કંડૂ શાંત થાય નહી' તેમ અનેક શત્રુઓને ફૂટવાથી પણ તે અશ્ર્વશ્રીવ પ્રતિવાસુદેવની ભુજાની કડૂત શાંત થતી નહેાતી. એ મહાબાહુ અને પરાક્રમી વીર રસગ્રામમાં એવા કુતુહલી હતા કે યુદ્ધ કરતા શત્રુઓથી જેવા પ્રસન્ન થતા તેવા શત્રુઓના નમ્ર થવાથી પ્રસન્ન થતા નહીં. તેનેા પ્રતાપ વરૂણાસ્ત્રની જેમ શત્રુઓની સ્ત્રીએના નેત્રકમળમાંથી અશ્રુજળનુ આકર્ષણુ કરીને વરસાવતા હતા. તેના હાથમાં દિશાઓના ચક્રને આક્રમણ કરનારૂ એક ચક્ર હતું, કે જે શત્રુએને ઉત્પાત કરનાર બીજો સૂર્ય હાય તેવુ જણાતું હતું. મોટા રાજાએ, હૃદયમાં પેસીને પણ એ પ્રતિવાસુદેવ આપણને વિરધી જાણી હણે નહીં એવા ભયથી મનથી પણ તેની અભક્તિ ચિંતવી શકતા નહોતા. યાગી પુરૂષો જેમ પરમાત્માને ભૂલે નહીં તેમ સર્વ રાજાએ કોઈ દિવસ પણ તેને પોતાના હૃદયમાંથી ભૂલી જતા નહાતા. તે અશ્વત્રીવ પ્રતિવાસુદેવે પોતાના પરાક્રમથી જેમાં વૈતાઢય પર્યંત આઘાટ શીલામય સ્તંભરૂપ છે એવા આ ભરતક્ષેત્રના ત્રણ ખડ સ્વાધીન કરી લીધા. તેમજ વિદ્યાધરામાં પણ ઉત્તમ એવાએ પ્રતિવાસુદેવે જાણે વૈતાઢય પર્યંતની બે ભુજાએ હોય તેવી વિદ્યાધરાની એ શ્રેણીએ વિદ્યા અને પરાક્રમથી પરાજીત કરી લીધી. માગધ, પ્રભાસ અને વરાદામ તીર્થના અધિપતિઓએ પેાતાના રાજા હોય તેમ ભેટો ધરીને તેનું અર્ચન કર્યું. સાળહજાર મુગટબદ્ધરાજાએ તેના ઉગ્ર શાસનને મુગટની જેમ પોતાના મસ્તકપર ધારણ કરવા લાગ્યા.
આવી રીતે એ મોટા ભુજવાળા પ્રતિવાસુદેવ એક છત્ર સામ્રાજ્યને ભાગવતા કાળને નિર્વાહ કરી પૃથ્વીમાં ઇંદ્રની જેમ રહેવા લાગ્યા. એક દિવસે સ્વેચ્છાએ ક્રીડા કરતા અશ્વગ્રીવ રાજાને અકાળે આકાશમાં ઉત્પાતકારી મેઘ ઉત્પન્ન થાય તેમ હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ કે “ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં જે કોઇ રાજાએ છે તે તે સર્વે સમુદ્રમાં પતાની જેમ મારી ભુજાના ખલમાં મગ્ન થઈ ગયેલા છે; તથાપિ પૃથ્વીમાં એક મલ્લ જેવા, મને મારનાર, મૃગામાં કેશરીસિ’હની જેવા, કોઇ રાજાને પુત્ર ઉત્પન્ન થશે ખરા ? આ જાણવું જો કે અશકય છે તાપણુ મારે જાણવુ જોઇએ.” આવા નિશ્ચય કરી તેણે અખિંદુ નામના એક નિમિત્તિયાને દ્વારપાલદ્વારા ખેલાવ્યા. રાજાએ પાતાના વિચાર તેને પૂછ્યા, એટલે તે ઓલ્યા “હે રાજા ! પાપ શાંત થાઓ. આ અમંગલિક વચનજ વિનાશ પામે.
૧ યુદ્ધ કરવાની ઇચ્છારૂપ ખરજ.
Page #110
--------------------------------------------------------------------------
________________
પર્વે ૪ થું
૮૩ આ સર્વ જગને વિજય કરનારા એવા તમારે અંત લાવવાને યમરાજ પણ સમર્થ નથી તે મનુષ્યોમાં એ બીજે ક પામર તમારે વધ કરનાર થઈ શકે ?” ફરીથી અશ્વગ્રીવે કહ્યું-“અરે નિમિત્તિજ્ઞ ! અર્થવાદ છોડી દઈને જે યથાર્થ હોય તે કહે, આત પુરૂષો ચાટુ વચન બોલતા નથી. ” આ પ્રમાણે પ્રતિવાસુદેવે જ્યારે ઘણું આગ્રહથી પૂછયું ત્યારે તે મુખ્ય નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને સ્કુટાક્ષરે કહ્યું—“ હે રાજા ! તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે અને પશ્ચિમ દિશાના અંત ઉપર રહેલા સિંહને જે મારશે તે તમારે પણ વધ કરનાર થશે.” નિમિત્તિયાની આવી વાર્તા સાંભળીને મેઘની ગર્જનાથી પ્રવાસીની જેમ અશ્વગ્રીવ રાજા ગ્લાનિ પામી ગયે, પણ ઉપરથી કૃત્રિમ પૂજા કરી તે નિમિત્તિયાને શત્રુના દૂતની જેમ વિદાય કર્યો. તેવા અવસરે એક યુવાન કેશરીસિંહે પશ્ચિમ દેશને ઉજડ કર્યાના ખબર આવ્યા, એટલે રાજાએ તે સિંહના વધા કરનાર પુરૂષને જાણવાને માટે તે પ્રદેશમાં શાળિના છોડ વવરાવ્યા; અને તે શાળાની રક્ષાને માટે સોળહજાર રાજાઓને રહેવાની આજ્ઞા કરી. તે રાજાઓ અનુક્રમે શસ્ત્રદિવડે સન્નદ્વબદ્ધ થઈ ત્યાં જઈને ગોવાલ જેમ ગાયોથી ક્ષેત્રની રક્ષા કરે તેમ કેશરીસિંહથી તે શાળિક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા.
એક વખત પ્રતિવાસુદેવ સભામાં આવી પિતાના અમાત્ય, સેનાપતિ અને સામંત વિગેરે સભાસદે પ્રત્યે કહેવા લાગ્યું કે મારા સામંત રાજાઓમાં અને સેનાનીઓ વિગેરેમાં હાલ અસાધારણ પરાક્રમવાળે કે મહાભુજ કુમાર છે કે નહીં?” તેઓએ કહ્યું “હે દેવ ! સૂર્યની આગળ કેણ વધારે તેજસ્વી હોય, પવનની પાસે કણ પરાક્રમી હોય, ગરૂડ કરતાં કોનો વેગ વધારે હોય, મેરૂ પર્વત આગળ કોની ગૌરવતા હોય, અને સમુદ્ર કરતાં કેણુ વધારે ગંભીર કહેવાય, તેમ મહાપરાક્રમી એવા આપની પાસે કો પુરૂષ વિશેષ પરાક્રમી ગણાય ?' રાજાએ કહ્યું-“તમારું આ વચન ચાટુ વચન છે, વાસ્તવિક નથી. હમેશાં બલવાન પુરુષો થી પણ બલવાન્ પુરુષે રહેલા હોય છે, અને તેથી જ આ પૃથ્વી બહુરત્ના કહેવાય છે.” તેવામાં સુંદર લચનવાળે એક મંત્રી બૃહસ્પતિની જેમ સ્કુટ અને યથાર્થ વાણીથી બોલી ઉઠ“હે રાજેદ્ર! આ પૃથ્વી ઉપર પ્રજાપતિ રાજાના દેવ જેવા બે કુમારે છે, તેઓ સર્વ મનુષ્યવીને તૃણ જેવા ગણે છે.” મંત્રીનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ સભા વિસર્જન કરી, અને ચંડવેગ નામના પોતાના એક દૂતને કઈ મતલબ સમજાવી પ્રજાપતિ રાજાની પાસે મોકલ્યા. એ દૂત સારા સારા રથીઓ અને શ્રેષ્ઠ ઘોડેશ્વારોને સાથે લઈને પિતાના રાજાના તેજની જેમ પિતનપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પ્રજાપતિ રાજા સર્વ અલકારથી વિભૂષિત થઈને જલજંતુઓ સહિત વરૂણની જેમ અચલ તથા ત્રિપૃષ્ટ કુમાર, સામંત રાજાઓ, સેનાપતિએ, મોટા અમાત્ય અને પુરોહિત, પ્રમુખ માન્ય પુરૂષે તેમજ પ્રધાન પુર
ની સાથે મહર્તિક દેવની જેમ સભા ભરીને બેઠે હતું, અને નિઃશંકપણે સંગીત કરાવતે હતે. એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહાર પૂર્વક સુંદર નૃત્ય થતું હતું, ધ્વનિ કરતા મૃદંગના ઘોષથી આકાશ તથા ગુફાને ભાગ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્ગારથી મધુર વીણાને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગ રાગણીને પ્રગટ કરનારી વીણા શ્રુતિઓને વ્યક્ત કરતી હતી, અને તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે દ્વારપાલે જેની ગતિને અટકાવી શક્યા નહીં એ ચંડવેગ દૂત વીજળીના ઝાત્કાર જેમતત્કાલ સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસમાતું આવેલ જેઈ સામંતરાજાઓ સહિત ૧ ખુશામતનું વચન.
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૪
સગ ૧ લે
પ્રજાપતિ રાજા પણ સંભ્રમ પામ્યા, અને સ્વામીની જેમ એ સ્વામીના દૂતને પણ સભ્રમ સહિત માન આપવાને માટે ઉભેા થયા. માટા સત્કાર સાથે તેને આસનપર બેસાડયેા. પછી રાજાએ તેના સ્વામીના સર્વ ખબર પૂછ્યા. અવસર વગર વીજળીના જોવાથી જેમ આગમના અધ્યયનના ભંગ થાય? તેમ એ કૃતના અવસર વગર આવવાથી સ`ગીતનેા ભગ થયા. સ સંગીત કરનારાએ પેાતપેાતાને સ્થાને ચાલ્યા ગય!. કારણકે જ્યારે સ્વામીનું ચિત્ત વ્યગ્ર થાય છે, ત્યારે કલાવાનને પાતાની કલા બતાવવાના અવકાશ રહેતા નથી.” તે વખતે સંગીતના રંગને ભંગ કરનાર તે દૂતને જોઇને ત્રિપૃષ્ટ કુમારથી તે સહન થયું નહીં, તેથી તેણે પેાતાની પડખે રહેલા કાઈ પુરુષને પૂછ્યુ - અરે ! સમયને નહીં જાણનાર આ પુરૂષ રૂપી પશુ કાણુ છે કે જેણે પેાતાના આગમનની ખબર આપ્યા વગર પિતાજીની સભામાં પ્રવેશ કર્યા ? એને જોઇને પિતાજી સ'ભ્રમથી કેમ સામા ઉમા થયા ? અને તેને પ્રવેશ કરતાં છડીદારે કેમ અટકાવ્યા નહીં ? ” આ પ્રમાણે જ્યારે ત્રિપૃષ્ટ કુમારે પૂછ્યું, ત્યારે તે પુરૂષ ખેલ્યા “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને દૂત છે. આ ત્રિખ`ડ ભરતક્ષેત્રમાં જેટલા રાજાએ છે તે સર્વે મહારાજાના કઇંકર છે, તેથી તમારા પિતા તેના દૂતને માન આપવાને સામા ઉડયા અને તેથીજ ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટ કાવ્યા નહી.. કારણકે એ મહારાજાના શ્વાનનેા પણ પરાભવ કરી શકાય નહીં તેા પુરુષના તેા કેમજ કરી શકાય ? આ કૃત હયગ્રીવ રાજાના માનીતેા છે, અને એને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પણ પ્રસન્ન થાય છે. આ દૂતના પ્રસાદથીજ રાજાઓનાં રાજ્યે આખાદ્વીમાં છે. આ કૃતની અવજ્ઞા કરીને તેને ખીજવ્યેા હાય તેા તે મહારાજા પણ ખીજાય છે, કારણકે રાજાએ દૂતની દૃષ્ટિને અનુસારેજ પ્રવો છે. જ્યારે યમરાજની પેઠે દુઃસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાએ જીવવાને પણ અસમ છે તેા પછી રાજ્યની તેા વાતજ શી કરવી ! ’’ આ પ્રમાણે સાંભળીને તત્કાલ ત્રિપૃષ્ટ કુમાર બાલ્યા—“આ જગમાં અમુક સ્વામી કે અમુક સેવક એવા નિણૅય હેાતા નથી; એ સાત પેાતાની શકિતને આધીન છે. હું વાણી માત્રથી હમણાં કાંઇ કહેતા નથી; કારણકે પેાતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સત્પુરુષોને લજ્જા પમાડનાર છે, તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાના તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમવડે છિન્નગ્રીવ કરી ( ગ્રીવા છેદી ) ભૂમિપર પાડી નાખીશ. હું સેવક ! જ્યારે પિતા એને વિદાય કરે ત્યારે તું મને ખખર આપજે જેથી હું તેને ચાગ્ય હશે તે બતાવી આપીશ.” આવાં ત્રિપૃષ્ટ કુમારનાં રાજ વિરુદ્ધ વચન પણ તે પુરુષે સ્વીકાર્યાં; કારણકે સેવકાએ રાજાના પુત્રને પણ રાજાની પ્રમાણે જ માનવો જોઇએ. પછી ચડવેગ તે, પાતાના જેમ કોઇ અધિકારપર નિમેલા સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાએક રાજપ્રયાજન કહી સભળાવ્યાં. રાજાએ તે સર્વે માન પૂર્વક કબુલ કર્યાં અને ભેટ વિગેરે આગળ ધરીને ચંડવેગને વિદાય કર્યો. પરિવાર સહિત રથમાં બેસી એ દ્ભૂત પ્રસન્ન થઇ પાતનપુરની બહાર નીકળી પેાતાની નગરી તરફ ચાલ્યા. તેને રવાને કર્યાના ખબર જાણીને મહા ખલવાન ત્રિપૃષ્ટ કુમારે આગળ જઇ, પવન સહિત દાવાનલ જેમ વટેમાર્ગુને અટકાવે તેમ તેને અટકાવ્યા; અને કહ્યું કે “રે ધીઠ ! પાપીષ્ટ ! દુષ્ટ ! પશુ ! તું દૂત છતાં રાજાની પેઠે કેમ પ્રવો છે? હે મૂખ ! જેવી રીતે તે સગીતરંગના ભંગ કર્યાં, તેવી રીતે બીજો મરવાને ન ઇચ્છતા કયા સચેતન પશુ પણ કરે ? એક સાધારણ ગૃહસ્થને ઘેર રાજા આવે તે પણ તે પોતે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે, એવી વિદ્વાનાનો નીતિ છે; તે છતાં ૧ અકાળે વિદ્યુત્ થાય તેા અનધ્યાય પાળવા પડે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૮૫ તું જાણે પૃથ્વી ફાડીને નીકળે હોય તેમ અકસ્માત સભામાં કેમ આવ્યું? જોકે સરલ સ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારું અવિનીતપણું છતાં તારે સત્કાર કર્યો પણ તે ફેગટ કર્યો છે. હે દુષ્ટ ! જે શકિતથી તું દુર્વિનીત થયેલો છે તે તારી શકિત હવે પ્રકાશ કરે; નહીં તો આ તારા અન્યાયરૂપ વૃક્ષનું ફલ તો હું તને હમણુંજ બતાવું છું.” આ પ્રમાણે કહીને ત્રિપૃષ્ટ કુમાર મુષ્ટિ ઉગામી તેને મારવા જાય છે, તેવામાં સમીપ રહેલા અચલકુમારે (બલદેવે ) નજીક આવી અટકાવીને આ પ્રમાણે કહ્યું-“હે કુમાર ! બસ કરો, એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહીં. આક્રોશ કરનારા પણ શિયાળીઆની ઉપર કેશરીસિંહ પ્રહાર કરે નહીં. દૂત કદિ અવળું આચરણ કરે તો પણ એ વધ કરવાને ગ્ય નથી. વળી વિરૂપ બેલનારે પણ બ્રાહ્મણ બ્રાહ્મણ્યતાને લીધે વધ કરવા ગ્ય નથી. તેથી આ કઠોર પુરુષની ઉપરથી ક્રોધનું સંહરણ કરો. હસ્તીના દંતઘાતનું સ્થાન એરંડનું વૃક્ષ નથી.” આ પ્રમાણે અચલ કુમારે કહ્યું. એટલે વિપૃછે હાથી જેમ પોતાની સુંઢને સંકેચે, તેમ ઉગામેલી મુષ્ટિને પાછી સંકેચી પોતાના સુભટોને આજ્ઞા કરી કે “સંગીતના રંગને ભંગ કરનાર આ પાપી દ્વતનું જીવિત વિના બીજું બધું હરી લ્યો.” પછી કુમારની આજ્ઞાથી ઘરમાં પેઠેલા શ્વાનની જેમ સુભટએ યષ્ટિ મુષ્ટિ વિગેરેથી તેને ઘણો માર માર્યો, અને પછી વધસ્થાન ઉપર લઈ ગયેલા વધ્ય પુરુષની પાસેથી જેમ આરક્ષકો લઈ લે તેમ તેનું સર્વ અલંકારાદિક લઈ લીધું. પછી તે દૂત હાથીની સાથે સાઠમારી કરનાર પુરુષની જેમ તેઓના પ્રહારને પ્રાણની રક્ષા માટે વંચના કરતે પૃથ્વી ઉપર આળેટવા લાગ્યું. તેની એવી સ્થિતિ જોઈને તેના સર્વ પરિવાર હથી આરાદિક મૂકી, ભક્ષ્ય છોડીને જેમ કાગડાઓ નાસે તેમ જીવ લઈને નાસી ગયો. પછી તે તને ગધેડાની જેમ માર મારી, કલવિંકની જેમ લુંટી લઈ અને વિટ પુરુષની જેમ નચાવીને બંને કુમારે પિતાના ઘર તરફ ચાલ્યા ગયા.
આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખેથી સાંભળે ત્યારે ચિત્તમાં શલ્ય પિઠું હોય તેમ ચિંતવવા લાગ્યો કે “અહે ! મારા કુમારે એ આ યુક્ત કર્યું નથી. પણ પિતાને ઘોડે પાડી નાખ્યું હોય તે વાત બીજા કોની આગળ જઈને કહેવાય ? આ ચંડવેગ દ્રત ઉપર જે પસાર કર્યો છે તે કાંઈ તેના ઉપર કર્યો નથી પણ અધગ્રીવ રાજાની ઉપરજ એ ધસારો કર્યો છે, કારણકે દ્વતો છે તે સ્વામીના પ્રતિનિધિ થઈને જ સંચરે છે, તેથી જ્યાં સુધી ચંડવેગ અશ્વગ્રીવ પાસે ગયે નથી, ત્યાં સુધીમાંજ એને પાછો લાવીને તેનો અનુનય કરવો સારે છે; જ્યાંથી અગ્નિ ઉઠ હોય ત્યાં જ તેને બુઝાવી દે યુક્ત છે.” આ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પોતાના પ્રધાન દ્વારા પ્રેમથી કોમલ એવાં મીઠાં વચનોથી તેની પ્રણિપાત કરાવીને તેને પાછો બોલાવ્યો, અને અંજલિ જોડી પિતાના કુમારેએ કરેલી કલુષતાને ધવામાં જલન પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. કપ પામેલા હસ્તીના કપની શાંતિને માટે જેમ શીત પચાર કરે તેમ તેના કેપની શાંતિને માટે મોટો મૂલ્યવાળી પ્રથમ કરતાં ચાર ગણી ભેટ તેને આપી. પછી રાજાએ નમ્રતાથી કહ્યું- તમે જાણે છે કે એક સામાન્ય ધનવાન ગૃહસ્થના કુમાર પણ નવીન યૌવનમાં ઉન્મત્ત થઈ જાય છે તે મહારાજા અશ્વગ્રીવના પ્રસાદથી વૃદ્ધિ પામેલી મારી સંપત્તિવડે મારા કુમાર નહીં દમેલા વૃષભની જેમ વિશેષ ઉછુંખલ થાય તેમાં શું કહેવું ! હે માનને આપનારા મિત્ર! એ ઉન્મત્ત કુમારેએ તમારે ઘણે અપરાધ કર્યો છે, પણ તે તમારે નઠારા સ્વમની જેમ ભૂલી જ. મારા મનની વૃત્તિને જાણનારા હે મિત્ર ! સગા ભાઈઓની જેમ આપણુ બેની
Page #113
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
જે પ્રીતિ છે તેને આવા કારણથી એકદમ છોડવી નહીં. એ અસંઘ ! આ મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગ્રીવ રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન્ પુરુષોની એ જ ખરી કસોટી છે.”
આ પ્રમાણેના સામ વચનરૂપ અમૃતની વૃષ્ટિથી જેને કોપરૂપ અગ્નિ શાંત થયેલ છે. એ ચંડવેગ નેહવડે કોમળ વાણીથી બેલ્યો-“હે રાજન્ ! તમારી સાથે લાંબા વખતનો નેહ હોવાને લીધે મેં જરાપણ કેપ કર્યો નથી. આમાં શું ક્ષમા કરવી છે ? તમારા જે કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાળક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દેવ એજ દંડ કહે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાતી નથી, આવી લોકમાં પણ મર્યાદા છે. આ તમારા કુમારનું આવું આચરણ રાજા પાસે કહીશ નહીં. કારણકે હાથીના મુખમાં ભર્યને ગ્રાસ આપી શકાય છે પણ તેને પાછો બહાર કાઢો અશકય છે. હે રાજન્ ! તમે મારો વિશ્વાસ રાખજો અને હવે મને રજા આપે. મારા મનમાં કાંઈ પણ કલુષતા નથી.” આ પ્રમાણે કહેતા એ દૂતને બંધુની જેમ આલિંગન કરી અંજલિ જોડીને પ્રજાપતિ રાજાએ વિદાય કર્યો.
ચંડવેગ દૂત કેટલેક દિવસે અશ્વગ્રીવ રાજાની પાસે પહોંચે, પણ તેના પરાભવની વાર્તા તે વધામણી આપનાર પુરુષની જેમ પ્રથમથીજ રાજાની પાસે પહોંચી ગઈ હતી; કારણકે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી ગયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને એ બધી વાત રાજાની પાસે કહી હતી. વિશ્વન ગ્રાસ કરવા ઉદ્યત થયેલે જાણે યમરાજ હોય તેમ ઊંચી ગ્રીવા કરી રહેલા અને રાતા લેનવાળા અશ્વગ્રીવ રાજાને ચંડવેગે જે, એટલે તરત જ તેના મનમાં નિશ્ચય થયે કે જરૂર કેઈએ આવી રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણું બું લાગે છે. રાજાના સેવકે આકૃતિ ઉપરથી જ મને ગત ભાવને જાણી શકે છે. રાજાએ પૂછ્યું, એટલે તેણે સર્વ વૃત્તાંત નિવેદન કરી દીધું. ઉગ્ર સ્વામીની આગળ અન્યથા કહેવાને કણ સમર્થ છે? પછી પોતે પ્રજાપતિ રાજા પાસે જે કબુલાત આપેલી તેનું સ્મરણ કરીને તેણે કહ્યું-“હે દેવ ! મારા જેવો જ પ્રજાપતિ રાજા આપના ભક્ત છે, અને તેન કુમારે જે આ કરેલું છે તે બાળપણામાં સુલભ એવી તેમની અજ્ઞતા છે. પિતાના કુમારોના આવા કૃત્યથી તે રાજા ઘણો ખેદ પામ્યો છે. સર્વ રાજાઓમાં જેવી રીતે શક્તિવડે તમે અતિશયપણને પ્રાપ્ત થયેલા છે, તેવી જ રીતે પ્રજાપતિ રાજા તમારા ઉપર ભક્તિવડે સર્વથી અતિશય ભક્તિમાન થયેલ છે. તે રાજા પિતાને કુમારના આ દેષથી પિતાના આત્માને ઘણો નિંદતો હતો, અને તેથી તમારા શાસનને ગ્રહણ કરીને તેણે આ ભેટ આપેલી છે.”
આ પ્રમાણે કહીને દ્વત વિરામ પામ્યો, એટલે હયગ્રીવ વિચારવા લાગ્યો કે “પેલા નિમિત્તિયાની વાણીના એક વચનની તે ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જે હવે સિંહના વધ રૂપ બીજા વચનની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળીના ક્ષેત્રોની રક્ષા કરો” અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ ત્રિપુષ્ટ અને અચલકુમારને બોલાવી કહ્યું –“હે કુમાર ! સિંહવડે થતા ઉપદ્રવથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની જે આ અકસ્માત્ આજ્ઞા થઈ તે તમારું દુરાચરણ તત્કાળ ફલિત થયું છે. હવે જે આ તેમની આજ્ઞાનું અકાળે ખંડન કરશું તો અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને જે તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમરૂપ થશે; આ પ્રમાણે બંને રીતે આપણી ઉપર અપમૃત્યુ પ્રાપ્ત થયેલ છે; તથાપિ હે વત્સ ! હાલતો હું સિંહથી રક્ષા
Page #114
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું કરવાને જાઉં છું.” પિતાનાં એવાં વચન સાંભળી બંને કુમારોએ કહ્યું-“પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ તે અમારા જાણવામાં આવ્યું ! આ સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ છે. હે પિતાજી ! તમે અહીં રહે, અમે બે ભાઈઓ જઈશું, અને સ્વલ્પ સમયમાં સિંહનો ઘાત કરશું. હે નરસિંહ ! તેવા કામમાં તમારે પોતાને શા માટે પ્રયાણ કરવું જોઈએ ?” રાજાએ ખેદથી કહ્યું-“તમે બન્ને કાર્યાકાર્યને નહીં જાણનારા અને કંઠમાં દુધવાળા હજી બાળક છે. હે કુમારે ! ઉન્મત્ત હાથીની જેમ તમેએ મારી રૂબરૂ જે એક વિપરીત કામ કર્યું તેનું તો આ ફલ પ્રાપ્ત થયેલું છે. તો હવે વળી તમે મારાથી દૂર રહીને જે કૃત્ય કરે તેનું તે શું ફલ થાય તે કહી શકાતું નથી. ” ત્રિપૃષ્ટ કહ્યું- “હે પિતાજી! બાલકોની જેમ તે મૂર્ખ અશ્વગ્રીવ બીજાઓને સિંહની બીક લગાડે છે, માટે આપ પ્રસાદ કરીને અહીં રહો, અને અમે જઈને તે અશ્વગ્રીવ રાજાના મનોરથો સહિત સિંહને ઘાત કરશું.” આ પ્રમાણે કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા લઈને તેઓ અલ્પ પરિવાર સાથે જ્યાં સિંહ હતો તે ભૂમિ તરફ આવ્યા. ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિને ઢગલે જાણે તેને મૂર્તિમાનું અપયશ હોય તે જોવામાં આવ્યો.
પછી સિંહના ભય વડે ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા શાળીના ક્ષેત્રના ખેડુઓને કુમારે એ પૂછયું-“અહીં રક્ષા કરવા આવનાર (સોળ હજાર) રાજાઓ સિંહથી કેવી રીતે આ શાળીક્ષેત્રની રક્ષા કરે છે?” ખેડુતોએ કહ્યું-“હે કુમારો ! હાથી, ઘોડા, રથ અને સુભટને સજજ કરી તેઓ વડે પ્રવાહને રોકવાની જેમ પોતાની તથા સિંહની વચમાં એક વ્યુહ રચે. પછી તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા જાય તેમ સિંહ આવીને તે સૈનિક વિગેરેને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યો જાય; એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતો એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે.” આવાં તેઓનાં વચન સાંભળી બળભદ્ર અને વાસુદેવ ખુશી થયા. પછી પિતાનું સૈન્ય ત્યાંજ રાખીને બંને જણ એકલા જયાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જે તેમના રથનો ઘોષ સાંભળી, બંદીના વૈષથી જેમ રાજા જાગે તેમ તરતજ સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ ધષ્ટિ કરતો, જાણે યમરાજનાજ ચામર હોય તેવી કેશાવળિને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એ તે કેસરી પોતાની ગ્રીવાને કાંઈક સંકોચ કરતો આમ તેમ જોવા લાગ્યા. ‘આ કઈ માત્ર રથનાજ પરિવારવાળા બે પુરૂષો છે” એમ જાણી અવજ્ઞા બતાવીને એ સિંહ ફરીવાર કૃત્રિમ નિદ્રાથી સુઈ ગયો. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું-“શાલના ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વિગેરેનું
પીને આ સિંહને ગવિત કર્યો જણાય છે. પછી તરતજ સિંહ ત્રિપૃષ્ટ કુમારે ત્યાં જઈ મદ્દ જેમ મલને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુનો ઉગ્ર અવાજ સાંભળી સિંહ પોતાના મુખ ઉપર કાનની ટીશીયું ચડાવી “આ કઈ વીર છે એમ ચિંતવવા લાગ્યું. પછી તરતજ જાણે સાક્ષાત્ રૌદ્ર રસ હોય તેવો એ કેસરી મુખ ફાડીને ભયંકર ગર્જના કરતો પિતાના ગુદાદ્વારમાંથી બહાર નીકળે. તે વખતે જાણે સ્થળમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તક પર બે કાન અકકડ રહેલા હતા, બે દીવીઓ પ્રદીપ્ત થઈ હોય તેવા પિંગલ નેત્ર હતાં, યમરાજનું જાણે શસ્ત્રગૃહ હોય તેવું દાઢે અને દાંતોથી ભરપૂર મુખ હતું, પાતાળમાંથી નીકળેલ જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જિડૂવા રહેલી હતી, યમરાજના ઘરનું તોરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી, અંતરમાં બળતા કોપરૂપી અગ્નિની શિખા હોય તેવી કેશાવલિ હતી. પ્રાણીઓના પ્રાણને
Page #115
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લો
આકર્ષણ કરનારા ચીપીઆ હોય તેવા નખ હતા, અને જાણે ક્ષુધાતુર સર્પ હોય તેવા પુચ્છદંડને હલાવ્યા કરતે હતે.
આ પ્રમાણેના કેસરીસિંહે બહાર આવી ઈદ્ર જેમ વજાને પર્વત પર પછાડે તેમ પોતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ પુછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચર નાસી જાય તેમ ચોતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે અચલ કુમારને કહ્યું- હે આર્ય ! હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લે ઘટિત નથી.” આમ કહીને તેણે અચલકુમારને ત્યાંજ ઉભા રાખ્યા. પછી એકલા સિંહની સામા જતાં ક્ષત્રીધર્મને જાણનારા ત્રિપૃષ્ણકુમારે વિચાર કર્યો કે “આ સિંહ પગે ચાલતો છે, અને હું રથ ઉપર બેઠે છું; તે પેદલની સાથે રથપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રીધર્મને એગ્ય નથી.” એમ વિચારી તેણે રથને છોડી દીધું. વળી વીરતરૂપ ધનવાળા એ હરિએ વિચાર્યું કે “આ સિંહ અસ્ત્રરહિત છે અને હું અસ્ત્રવાળે છું, તે અસ્રરહિતની સાથે અસ્ત્રવડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે.” એમ ધારી અસ્ત્ર પણ છોડી દીધાં. પછી બલથી ઈદ્રને પણ ઉલ્લંઘન કરનારા ત્રિપૃષ્ટ હે સિંહ ! અહી આવ, તારી યુદ્ધ કરવાની
* મટાડું.” એમ કહી તેને બોલાવ્યા. વાસુદેવનાં આ વચનનો પર્વતમાં પ્રતિઈદ પડશે તે જાણે કપના આટોપથી ઉગ્ર એવા સિંહે એજ વચન પ્રતિઈદના મિષથી પાછું સામું કહ્યું હોય તેમ જણાયું. તે વખતે યુવાન કેસરી ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે
અહા ! આ બાળકનું કેવું સાહસ છે? તે સૈન્ય વિના આવ્યા છે અને રથ ઉપરથી ઉતરી, શાને ત્યાગ કરી વળી મને ઊંચે સ્વરે બોલાવે છે. પણ જેમ દેડકો ઊંચા ઠેકડા મારીને ઉલટો સપની આગળ આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તો તેની ધીઠતાનું ફલ તેને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે વિચારી પિતાનું પૂછડું ઊંચુ ઉપાડી
છળીને તેણે એવી ફાળ મારી કે ક્ષણવાર તે આકાશમાંથી કોઈ ખેચરને વાહનમાંથી કેસરીસિંહ કુદી પડતું હોય તે ભ્રમ થયે. એવી ફાલ મારીને જે ત્રિપૃષ્ઠ કુમારની ઉપર પડવા જાય છે તેવામાં તે ત્રિપૃષ્ટ કુમારે જેમ સાણસાથી સર્પને પકડે તમે પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડયા. પછી હેઠથી આકથી વસ્ત્રની જેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યો. તે વખતે તત્કાલ સભાસદની તથા ચારણભાટેની જેમ લે કે એ અંતરીક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જયજય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધરે, દેવતાઓ અને અસુરે કૌતુકથી એકઠા થયા, અને મલયાચલના વાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપૃષ્ણે પૃથ્વી ઉપર નાખી દીધા. પણ તેમાંથી ચેતન ગયેલું ન હોવાથી કોલવડે તે ક્ષણવાર તરફડવા લાગ્યા. શરીર પરતંત્ર થવાથી બે ભાગે પડેલે એ સિંહ મહાશકવડે તરફડતે ચિંતવવા લાગે કે “અહે! કવચધારી અને શસ્ત્રધારી તેમજ સેંકડોગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાઓ પણ વજની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં; અને આ મહાકેમળ હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખે, એ વાતને મને માટે ખેદ થાય છે, કાંઈ વધ થવાથી ખેદ થતું નથી.આવી ચિંતાથી સર્પની જેમ તરફડતા એ સિંહને અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ટ વાસુદેવના સારથિએ કહ્યું કે “લીલા માત્રમાં ઉમત્ત હાથીને ભેદનારા અને સેંકડેગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા હે સિંહ! તું અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપૃષ્ણકુમાર સર્વ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તે જ પરાક્રમથી
Page #116
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૮૯ બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે તેમ સર્વ નરેમાં તે સિંહ છે. તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજજા આવે તેમ નથી, પણ ઉલટી શ્લાઘા થાય તેમ છે.” તેનાં આવાં વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરીસિંહ મૃત્યુ પામ્યા, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરને ત્રિપૃષ્ટ તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું-“આ પશુથી પણ ચકિત થયેલા અશ્વગ્રીવને તેને વધ સૂચવનાર આ સિંહનું ચમ આપજે, અને કહેજે કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એ તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલિનું ભોજન ખા.” આવો સંદેશે કહેવાનું કબુલ કરી વિદ્યાધરના કુમારે ગયા, અને ત્રિપૃષ્ઠ તથા અચલકુમાર બંને પિતાના નગરમાં આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યા, અને બલભદ્રે ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યું. રાજા પ્રજાપતિ પિતાના બે કુમાર ફરી જન્મ્યા હોય તેમ માનવા લાગ્યો, અને સત્ય પ્રતિજ્ઞાવાળા ત્રિપૃષ્ટ કુમારની ઉપર ઘણો ખુશી થ. - પેલા વિદ્યાધના કુમારે એ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું, જે વૃત્તાંત તેને વજાપાત જેવું લાગ્યું.
આ તરફ વૈતાઢય ગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણ સદશ રથનૂપુરચકવાળ નામે નગર છે. તેમાં તેજવડે અગ્નિ જેવે અને અસાધારણ સમૃદ્ધિવાળો જ્વલનટી નામે વિદ્યાધન રાજા છે. તેને હંસીની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગા નામે પટ્ટરાણી છે. તે રાણીને સ્વપ્રમાં સૂર્યનું અવલોકન થયેલ હોવાથી જેનું નામ અર્ક કીતિ પાડેલું છે એ એક પુત્ર થયે છે, ને તે પછી સ્વમમાં પિતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજજવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પાડેલું છે એવી એક પુત્રી થઈ છે. કુમાર અને કીર્તિ જ્યારે યૌવનાવસ્થા પામ્યા ત્યારે મોટી ભુજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલરૂપ એ પુત્રને રાજાએ યુવરાજપદે આરે પણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંતસંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થઈ. મુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાશ રૂપ અંધકારથી જાણે શરીરધારી અમાવાસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા થયેલાં નેત્રો જાણે કર્ણનાં અભૂષણકમલે હોય તેવો જણાતાં હતાં, અને તેના કણે પ્રસરતી દષ્ટિરૂપી બે તલાવડીને જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. પલ્લવેની જેવા હાથ, પગ અને અધર રૂપ રક્ત પત્રોથી તે લતાની જેવી શોભતી હતી; લકમીના જાણે બે ક્રીડાપર્વત હોય તેવા ઊંચા સ્તનવડે તે સુંદર લાગતી હતી; તેની નાભિ લાવણ્યરૂપી સરિતાની ઘુમરીના જેવી જણાતી હતી; અને તેજ સરિતાની મધ્યમાં રહેલ કોઈ અંતરદ્વીપ હોય તેવો વિસ્તારવાળે નિતંબભાગ (શ્રોણિતટ) દેખાતો હતો. એકંદર તેના સર્વ અંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે દેવતાઓની સ્ત્રીઓમાં, અસુરની સ્ત્રીઓમાં અને વિદ્યાધરની સ્ત્રીઓમાં પણ તેને નમૂન જોવામાં આવતો નહીં.
એક વખતે અભિનંદન અને જગનંદન નામે બે ચારણમુનિ આકાશમાર્ગે વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે લક્ષ્મીદેવી આવી હોય તેવી જ્વલન જટી વિદ્યાધર રાજાની પુત્રી સ્વયંપ્રભા ઋદ્ધિ સમેત તે બંને મુનિને વાંદવા આવી. વાંદીને બેઠા પછી તે મહાત્માની કર્ણામૃત તુલ્ય દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સમકિત પ્રાપ્ત થયું. તે મુનિરાજની પાસેથી તેણે શ્રાવકધર્મ પણ સારી ૧૨
Page #117
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લો
રીતે સાંભળે. ઉત્તમ પુરુષો જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી, ત્યાર પછી તે બંને મુનિઓએ ત્યાંથી બીજે વિહાર કર્યો. એકદા પવણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ગ્રહણ કર્યું ; બીજે દિવસે પારણું કરવાની ઈચ્છાથી ભગવંત જિનેશ્વરની પૂજા કરી, અને પ્રભુની શેષા લઈ ઘેર આવીને તે શેષા પિતાને અર્પણ કરી. હર્ષથી પુષ્ટ થયેલા વિદ્યાધરરાજે તે શેષા મસ્તક પર ધારણ કરી, અને પુત્રીને ઉત્કંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજા કરજમાં મગ્ન થયેલા પુરુષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતામગ્ન થયે. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી, અને સુશ્રુત વિગેરે પિતાના મંત્રીઓને બોલાવી રાજાએ તેના પતિ વિષે પૂછ્યું. પ્રથમ સુશ્રુત મંત્રીએ કહ્યું“રત્નપુર નગરમાં રાજા મયૂરગ્રીવ અને દેવી નીલાંજનાનો પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરને ઇંદ્ર છે. તે અનેક વિદ્યાને સાધનાર અને ત્રણ ખંડ ભરતક્ષેત્રના અધિપતિ આ પુત્રીને યોગ્ય એ શ્રેષ્ઠ વર છે.”
પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું- “ હે દેવ! એ રાજાનું યૌવનવય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી. પણ ઉત્તર શ્રેણીમાં રૂપ, યૌવન તથા લાવણ્યવાળા અને ભુજપરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરે છે, તે તેમાંથી કઈ એક રાજાને ગ્યતાનો વિચાર કરીને આ રાજપુત્રી આપે.” તે પછી સુમતિ નામનો મંત્રી બોલ્ય-“હે પ્રભુ! તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત પર ઉત્તર શ્રેણીરૂપ હારમાં ચકદારૂપ અને અનેક અદ્દભુતતાના સ્થાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઈદ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાલના મેઘની જે સફલ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમાળાની જેવી શીલરૂપ સુગંધવડે શેભતી મેઘમાલિની નામે પટ્ટરાણી છે. તે દંપતીને સવ રાજાઓને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિધુત્રભ નામે એક પુત્ર છે, અને નિઃસીમ રૂપ લાવણ્યની સંપત્તિવડે કન્યા જેવી જાતિર્માલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વિજળીની જેમ એ વિદ્યપ્રભ રાજકુમારને યોગ્ય છે; અને એ જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અર્ક કીર્તિ કુમારને યોગ્ય છે; તો પરસ્પર કન્યાનો વિનિયોગ કરવાથી બન્નેને મહોત્સવ થાય તેમ છે.” પછી શ્રુતસાગર નામે એક મંત્રી બોલ્યા“હે મહારાજ ! આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કેણ ન ઈ છે ? તેથી એની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિવિશેષપણું બતાવનારો સ્વયંવર કરવો યુક્ત છે. કારણ કે જે તેમ નહીં કરો અને કોઈ એકને જ કન્યા આપશે તો તમારે બીજા વિદ્યાધરોની સાથે ફેગટને વિરોધ થઈ પડશે. માટે તેમ શા માટે કરવું જોઈએ ?”
આ પ્રમાણે સવે મંત્રીઓને મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા પછી સંભિનશ્રેત નામના નિમિત્તિયાને બેલાવીને પૂછ્યું કે “અલ્પગ્રીવ રાજાને અથવા બીજા કઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપું કે તેને સ્વયંવર કરું ?” નૈમિત્તિકે કહ્યું-“પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભરતચક્રીએ ભગવાન ઋષભધ્વજને પૂછયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસર્પિણી કાલમાં મારી જેવા બીજા ત્રેવીસ તીર્થકરે. તારી જેવા અગ્યાર ચક્રવર્તીઓ, નવ બલદે, અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને તેના પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિવાસુદેવે ઉત્પન્ન થશે. તેથી હે રાજા ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપુષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, તે અશ્વ
૧ સ્નાત્રજલાદિ.
Page #118
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું ગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધના નગર સહિત ત્રિખંડ ભરતક્ષેત્રની ભૂમિને ભોગવશે, અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તમને આપશે, તેથી આ કન્યા એ ત્રિપૃષ્ટને આપો, કાર
કે તેના જે બીજો કોઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતો નથી. આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજા બહુ હર્ષ પામ્યા, અને યથાયોગ્ય સત્કાર કરી નિમિત્તિયાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેણે મારિચિ નામે એક દૂતને મોકલ્યો. એ વિદ્યાધરતે પ્રજાપતિ રાજા પાસે જઈ નમસ્કાર કરી પોતાની ઓળખાણ પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું -“ઉત્તર શ્રેણીના વિદ્યાધરોને જવલન જટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાને યોગ્ય એવા વરને અર્થે રાજા જવલન જટી અરોચક કવિની પેઠે ચિરકાલ ચિંતા કર્યા કરતો હતો. એ સંબંધી તેણે પોતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પણ તે કન્યાને યેગ્ય વર તેના જોવામાં આવ્યું નહીં. પછી રાજાએ સંભિન્નશ્રોત નામે નિમિત્તિયાને પૂછયું ત્યારે તેણે જણાવ્યું કે “આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપૃષ્ટને યોગ્ય છે. એ ત્રિપૃષ્ટ કુમાર પ્રથમ વાસુદેવ થઈ અર્ધ ભરતને ભેગવશે, અને પ્રસન્ન થઈને વૈતાઢય ઉપરની બે શ્રેણીનું અધિપતિપણું તમને આપશે.” આવી નિમિત્તિયાની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજાએ મને અહીં મોકલ્યો છે. માટે તે સ્વામી ! ત્રિપૃષ્ણ કુમારને માટે તે કન્યાને સ્વીકાર કર્યાની સંમતિ આપો.” પ્રજાપતિ રાજાએ “ બહુ સારું' એમ કહી તે વાર્તા સ્વીકારી, અને અતિ બુદ્ધિમાનું તે રાજાએ યથાયોગ્ય પોશાક આપીને તે દ્વતને વિસર્જન કર્યો.
પછી જવલનફટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરતજ તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યો. પોતાની સાથે વિદ્યા ધરે, સામંતો અને બીજા સામાન્ય બલવાહનો લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવી પડાવ નાખ્યો. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પ્રધાનોના પરિવાર સાથે તેની સામે આવ્યો. કારણકે અભ્યાગત પુરુષ સર્વને ગુરૂ છે. બન્નેના પ્રીતિને સામસામા સૈન્ય એકઠા થયા તે જાણે ગંગા અને યમુનાના બે પ્રવાહ એકઠા થયા હોય તેવા ભવા લાગ્યા. બંને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ થયેલા હતા તે જાણે બે સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણાતા હતા. તે બંને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના દિવસ જેવો દેખાવા લાગે. પછી ત્યાંથી નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસભૂમિ આપે તેમ પ્રજાપતિ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસભૂમિ અર્પણ કરી. તે ભૂમિ ઉપર જોતજોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પિતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. તે પુરની મધ્યમાં જાણે તેનો મુગટ હોય તેવો એક દીવ્ય તોરણવાળો પ્રાસાદ કર્યો, તેમાં મેરૂ પર્વતપર સૂર્યની જેમ જવલનજી રાજાએ નિવાસ કર્યો; અને બીજા સામંતે, અમાત્ય અને સેનાપતિઓ પ્રમુખે, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પોતપોતાને ગ્ય જુદા જુદા મહેલમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જવલન જટીની રજા લઈ રાજા પ્રજાપતિ ભરતીથી નિવૃત્ત થયેલા સમુદ્રની જેમ પિતાના દરબારમાં પાછો આવ્યો. પછી પ્રજાપતિ રાજાએ ઉત્તમ ભેજન, અંગરાગ તથા સુંદર પોશાક વિગેરે વિદ્યાધરોના રાજાને માટે ભેટ તરીકે મોકલાવ્યું.
પછી ત્યાં બંને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેંદ્ર ને બળીદ્રની સભા હોય તેવા રત્નમય વિવાહમંડપ રચાવ્યા. કુળવૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બંનેને ઘરે મંગલ ધવલ ગવાવા લાગ્યાં. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન,
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૨
સગ ૧ લે
નીલ રત્નની પ્રતિમાની જેમ ગજેદ્ર ઉપર આરૂઢ થયેલા. અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારે એ પરવરેલા ત્રિપૃષ્ણકુમાર પિતાને વાસગૃહથી નીકળીને જવલનજીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તેરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડલની રાહ જોતા ઉભા રહ્યા. અર્વ દીધા બાદ કુલસ્ત્રીઓથી મંગલિક ગીત ગવાતે તે ત્રિપૃષ્ટકુમાર નીચા નમી અગ્નિમય સંપુટ ભાંગી અણુવરની સાથે માતૃગૃહ ( માયરા ) માં ગયા; ત્યાં છેડા સહિત વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન્ ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા (ત્રિપૃષ્ટઅને સ્વયં પ્રભા) ચિત્રા નક્ષત્ર ને ચંદ્રમાની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યા ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપ બંનેની દષ્ટિને તારા મેલક થયા. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપુકુમાર બંને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદિના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિધવડે હુત દ્રવ્યની આહૂતિ આપીને બ્રાહ્મણે એ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણે વેદમંત્રનો પાઠ કરવા લાગ્યા, એટલે દિના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતી પ્રદક્ષિણ કરી.
આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપૃષ્ણકુમાર સ્વયંપ્રભાદેવીને પરણીને તેની સાથે હાથિણી પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. ઉગ્રધ્વનિવાળા વાજિંત્રેના નાદથી સૂર્યના અશ્વને ઊંચા કર્ણવાળા કરતા એ ત્રિપૃષ્ણ વાસુદેવે સ્ત્રી સહિત પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદારરૂપ નેત્રવડે જાણવામાં આવ્યાથી અશ્વગ્રીવ રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી જ ક્રોધ પામેલેહિતી તે વિશેષ કોપાયમાન થયે. તેણે ચિંતવ્યું કે “હુ છતાં જવલનજી સ્ત્રીરત્ન બીજાને કેમ આપે? કેમકે “રત્ન તો રત્નાકરમાંજ હોય.” તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવાને દૂતને મોકલો. કારણ કે નીતિમાં દૂત પ્રથમ છે.” આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરાબર શિખવીને પોતનપુર તરફ મોકલ્યા. એ દૂત વાયુકુમારની જેમ શીધ્ર ગતિએ વલ નજી પિતનપુર હવાથી ત્યાં જઈ પહોંચ્યા, અને જ્વલન જટીને આ પ્રમાણે કહ્યું-“દક્ષિણ લેકાદ્ધની ઉપર સૌધર્મ ઈદ્રની જેમ દક્ષિણ ભરતાદ્ધનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભા નામે કન્યારત્ન છે તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને આપે; કેમકે “ભરતક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હેય નહીં. વળી તે કહુછાયાવાળા મહારાજા અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તે પુત્રી પણ તેને જ આપવી જોઈએ, કારણકે નેત્ર તે મસ્તકે શેભે વળી આજ સુધી આરાધેલા અવઝીવ રાજાને હવે પુત્રી ન આપીને કે ૫ પમાડે છે તે ધમેલા સોનાને કુંક મારીને ગુમાવવા જેવું કરે છે. માટે તેમ કરવું એગ્ય નથી.” આવી રીતે દૂત કહી રહ્યા એટલે વલમજી બે -“તે કન્યા તો મેં ત્રિપૃષ્ણકુમારને આપી દીધી છે; અને કન્યાદાન તે એકજવાર થઈ શકે છે. વળી બીજી પણ વસ્તુ કેઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતો નથી, તો કુલવાન કન્યાના સંબંધમાં તો તેમ શેનું જ સંભવે? તે તમે પિોતે જ વિચારો.” આ પ્રમાણે જ્વલન જટિએ દૂતને કહ્યું, એટલે તે દૂત અંત:કરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળે અને ત્રિપૃષ્ણકુમારની પાસે આવ્યો; કારણકે “ દૂત પિતાના સ્વામીના સંદેશાનેજ લઈ જનાર હોય છે. તેણે ત્રિપૃષ્ણકુમારને કહ્યું-“ જગને જય
Page #120
--------------------------------------------------------------------------
________________
૫ ૪
૯૩
કરનાર અને આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ રાજાએ મારી સાથે કહેવરાવ્યું છે કે જેમ મુગ્ધ વટેમાર્ગુ રાજાના ઉદ્યાન સંબ`ધી વૃક્ષના લને ગ્રહણ કરે તેમ મારેયેાગ્ય એવી સ્વયં પ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. ખંધુએ સહિત તમારા હું નિયંતા સ્વામી છું અને મે' તમારૂ ઘણા કાળથી રક્ષણ કરેલું છે, માટે એ કન્યારત્નને તુ છેાડી દે; સેવકાને સ્વામીનું શાસન પ્રમાણ કરવું ચેાગ્ય છે,” આવાં કૃતનાં વચન સાંભળી વિકટ ભ્રકુટી ચડાવવાવડે ભાલસ્થલને ભયંકર કરતા અને રાતા લેાચનથી કપાલની શાભાને ધારણ કરતા ત્રિપૃષુમાર ખેલ્યા- હે દૂત ! તારા સ્વામી શુ જગમાં આવા ન્યાય પ્રવર્તાવે છે? લેાકેામાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની અહા! કેવી કુલીનતા છે ! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પેાતાના દેશમાં રહેલી અનેક કુલસ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ! કેમકે યુવાન મારની પાસે દુધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેના સ્વામિત્વ હક શા માટેજ હાય, પણ આવા માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેનેા સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં ચાલ્યા જવાના છે. તે શાલિના ભાજનની પેઠે હવે જો જીવવાથી તૃપ્ત થઇ ગયા હોય તે સ્વય‘પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે; હે દૂત ! તુ હવે અહી થી શીઘ્ર ચાલ્યા જા, કેમકે દ્વૈતપણાને લીધે તુ અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવનેજ હણવાને અમે ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હાય તેમ તે દ્ભુત ઉતાવળા ઉતાવળે ત્યાંથી નીકળીને એકદમ અશ્વગ્રીવ રાજા પાસે આવ્યા, અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવનાં નેત્ર રાતાં થઇ ગયાં, દાઢા અને કેશ સ્ફુરવા લાગ્યા, દાંતા વડે તે હોઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યુ'; અને ભયંકર ભ્રકુટીથી તેનુ લલાટ વિકટ જણાવા લાગ્યુ. એવુ. ઉગ્રરૂપ કરી તેણે અવજ્ઞા અને કાપ સહિત વિદ્યાધરાના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું- અહા ! જવલનજિટને ધ્રુવે કેવી દુર્બુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે જેમ કાકીડા થાય તેમ તે મારી સામે થયા ! તેનું કુલીનપણું કેવુ` કે જેણે મારા જેવા યાગ્યને છેડી પાતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી, એક સમૂર્ખ માં શિામણિ ભૂખ તા જવલનજટી, બીજો પ્રજાપતિ, ત્રીજો સાવકી બહેનના પુત્ર ત્રિપુષ્ટ અને ચાથા સગપણની ગણત્રીવડે થયેલા પેાતાના પિતાના સાળા અચલકુમાર, એ સર્વે નિજ થઈ મરવાનેજ ઇચ્છનારા છે, અને તેથીજ સિહની સામે શીયાળની જેમ તે મારી સામે લડવાને ઇચ્છે છે. તેથી હે વિદ્યાધરા ! પવન જેમ મેઘને, સિંહ જેમ હિરાને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઇ ને તેમના પરાજય કર.” જેમના હાથમાં રણ કરવાની કડૂ આવ્યા કરતી હતી એવા તે વિદ્યાધરા તૃષાવાળા પુરૂષા જેમ જળ મળવાથી હુ પામે તેમ પાતાના પ્રભુની આવી આજ્ઞાથી ઘણા હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરા જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફાડત હોય તેમ ભુજાઓના આસ્ફોટ કરવા લાગ્યા. સગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર-શત્રુએ ઉપર ઉત્કંઠા બતાવતા ‘ મારી પહેલાં બીજો જીતે નહીં'' એવુ... પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકાથી ઘેાડાઓને, અંકુશથી હાથીઓને, પરાણાથી વૃષભેાને અને લાકડીઓથી ઉટાને પ્રહાર કરીને ઉતાવળે ચલાવવા લાગ્યા. તીક્ષ્ણ તલવારાને નચાવતા, સ્ફુર જાતના અસ્રોને વિસ્તારતા, ભાથાને સજ્જ કરતા, ધનુષની પણછનો ટ`કાર કરતા, મુગરાને ભમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફાડતા અને પરિઘ ( ભૂગલ )ને ધારણ કરતા તે વીરા કાઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી માગે યુદ્ધના કૌતુકવડે એકદમ પાતનપુર આવી પહેાંચ્યા. તેઓના દૂરથી મેાટા કાલાહાલ સાંભળીને ‘ આ શું ? ’ એમ પ્રજાપતિ રાજા એકાએક સભ્રમ પામ્યા.
Page #121
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
ત્યારે જવલન જટીએ કહ્યું-“આ અશ્વગ્રીવ રાજાની આજ્ઞાથી તેના સુભટે આવે છે તે તે ભલે આવે, તમે મારૂં યુદ્ધકૌતુક જુઓ ! મારી પહેલાં ત્રિપૃષ્ણકુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી.” આ પ્રમાણે ઉત્સુક થઈને જવલનટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયે.
અશ્વગ્રીવના તમામ સુભટે તેની ઉપર એક સાથે કેધથી પ્રહાર કરવા લાગ્યા; કારકે જ્યારે પોતાના પક્ષને માણસ પરપક્ષમાં જોવામાં આવે છે ત્યારે વિશેષ ક્રોધ ઉત્પન્ન થાય છે. અપવાદ રહિત એવા જવલન જટીએ ‘અપવાદથી જ ઉત્સર્ગની જેમ તેઓના શસ્ત્રોનો પિતાના શસ્ત્રોથી નાશ કર્યો અને પછી ઉત્પાતકાલનો મેઘ જેમ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ પમાડે તેમ પિતાના તીક્ષ્ણ બાણેની વૃષ્ટિથી તે સર્વ સુભટોને ઉપદ્રવિત કર્યા. સહજવારમાં વાદી જેમ સર્પોના ગર્વને હરી લે, તેમ તેઓના વિદ્યાબલ અને ભુજબલના ગર્વને જવલન જટીએ હરી લીધું. પછી તેઓને કહ્યું-“અરે વિદ્યાધરે ! ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કોઈ મારશે નહીં. હવે તમારા હયગ્રીવને મધ્યમાં સ્વામી કરીને રથાવર્ત પર્વત ઉપર આવો, અમે પણ ત્યાં થોડા સમયમાં આવી પહોં
ચશું.”
આ પ્રમાણે અવજ્ઞાથી કહ્યું, એટલે તે હયગ્રીવના સુભટો ભય પામી પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી નાસી ગયા, અને જાણે મસીથી લીપાયેલા હોય તેમ ઘણી લજજાથી જેમના મુખ મલિન થયેલાં છે એવા તે સુભટેએ મયૂરગ્રીવના પુત્ર અશ્વગ્રીવ પાસે આવીને તે વૃત્તાંત કહ્યું. તેઓની વાણીથી આહૂતિવડે અગ્નિની જેમ નીલાંજનાનો પુત્ર અને અક્ષય ભુજપરાક્રમવાળે અશ્વગ્રીવ રાજા, કોપથી રાતા વિકરાળ નેત્ર કરી અને રાક્ષસની પિઠે ભયંકર રૂપ ધરી પિતાના સામંત, અમાત્ય અને સેનાપતિ વિગેરેને આ પ્રમાણે આજ્ઞા કરવા લાગે-“અરે વીરે ! સર્વ પ્રકારની તૈયારીથી તમે સત્વર આવે, અને ઉછળતા સમુદ્રની જેમ બધું સૈન્ય એક સાથે પ્રયાણ કરે તેમ કરે. કારણકે ધૂમાડે જેમ મસલાંને સંહાર કરે તેમ ત્રિપૃષ્ટ, અચલ અને જવલન જટી સહિત પ્રજાપતિ રાજાનો હું સંગ્રામમાં સંહાર કરીશ.” આ પ્રમાણે કેપ સહિત અને ઉગ્ર એ અશ્વગ્રીવ રાજા બેલી રહ્યો એટલે બુદ્ધિના ગુણગ્રામનું મંદિર એવા મુખ્ય પ્રધાને તેને આ પ્રમાણે કહ્યું-“આપ મહારાજાએ પૂર્વે લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને જીતી લીધું છે અને તે આપની કીર્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલું છે. તેમજ સવ પરાક્રમીઓમાં આપ અગ્રેસર થયા છે, તે આ એક માત્ર સામંતરાજાનો વિજય કરવા માટે તમે પોતે તૈયાર થયા છે તે હવે તેથી તમે વિશેષ શી કીર્તિ અને શી લક્ષ્મી મેળવશે ? પરાક્રમી પુરૂષોને હીન પુરૂષના વિજયથી કાંઈપણ ઉત્કર્ષ થતું નથી. કારણકે “ હાથીને વિદારણ કરનાર કેસરીસિંહની એક હરિણુ મારવાથી શી પ્રશંસા થાય ! ” પણ કદિ જો હીન પુરૂષને દેવગે વિજય થાય તે પૂર્વે ઉપજેલે સર્વ યશરાશિ એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી સિંહના વધથી અને ચંડસિંહના ઘર્ષણની પ્રતીતિથી નિમિત્તિયાની સત્ય વાણી તરફ જોતાં તે મોટું શંકાનું સ્થાન છે. માટે હે પ્રભુ ! આ વખતે છ ગુણોમાંથી આસનનો ગુણ ધારણ કર ઉચિત છે. મોટો હાથી પણ અજ્ઞાતપણે દોડવાથી કાદવમાં
* જનસિદ્ધાંતમાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એમ બે પ્રકારના માર્ગો કહેલા છે. તેમાં ઉત્સર્ગ એ મુખ્ય વિધિમાર્ગ છે, અને એગ્ય અવસરે તેમાં ફેરફાર કરવાનો રસ્તો બતાવેલ છે તે અપવાદ માર્ગ કહેવાય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૫
પર્વ ૪ થું ખેંચી જાય છે. આ બાળક સાહસ કરનારો છે, તેથી કદિ અષ્ટાપદની જેમ એકદમ ઉછળીને તે પિતાનોજ ભંગ કરશે તો તમારું હિત અહીં બેઠા બેઠા સિદ્ધ થશે. હે પૃથ્વીપતિ! જે કદિ આમ બેસી રહેવાનું સહન કરવાને તમે અસમર્થ હો તો તમારા રસૈન્યને તેની સામે જવાની આજ્ઞા કરે. કેમકે તમારા સૈન્યના પરાક્રમને પણ કેણ સહન કરી શકે એમ છે ?
રાજાએ અભિમાનના આવેશથી મંત્રીની આવી સત્ય અને હિતકારી વાણીને અનાદર કર્યો. ગવરૂપી મદિરાના કેફવાળા પુરૂષોને ચેતના કયાંથી હોય! “અરે મંત્રી! તું કાયર જણાય છે. એ પ્રમાણે કહી મંત્રીને તિરસ્કાર કરી કોપ પામેલા રાજાએ સેવકની પાસે તરતજ પ્રસ્થાનને દુંદુભિ વગડાવ્યો. તે દુંદુભિના શબ્દથી જાણે પાસે જ રહ્યા હોય તેમ સર્વ સૈનિકો સર્વ સામગ્રી સાથે દૂરથી પણ તત્કાળ ત્યાં આવીને એકઠા થયા. પછી અશ્વગ્રીવે સ્નાનગૃહમાં જઈ ગંગાના નિમલ અને ઊંચા તરંગો વડે હંસની જેમ ઝારીઓ
. નિર્મળ જળવડે સ્નાન કર્યું, અને રેશમી વસ્ત્રથી શરીરને લુંછી દીવ્ય ધૂપવડે ધૂપિત થયો. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષ ચંદનવડે તેણે શરીરે વિલેપન કરી, છેડાવાળું શ્વેત વસ્ત્ર ધારણ કરી, તલવાર બાંધી, પુરોહિતે જેને તિલક કરેલું છે એ એ રાજાઓમાં તિલકરૂપ મહારાજા ચારણુભાટોથી સ્તુતિ કરાતો, ઉજજવલ છત્ર અને ચામર સહિત, મદથી પૃથ્વીનું સિંચન કરતા એવા એક મોટા હાથી ઉપર આરૂઢ થયા. અનિવાર્ય શક્તિવાળા હાથીઓ, અ અને રથોથી પરિવારિત થઈ અવઝીવ રાજા પર્વતોને પણ ચલાયમાન કરતો ત્યાંથી ચાલ્યો. માર્ગમાં ચાલતાં પ્રચંડ પવનથી હીંચકા ખાતા એવા તેના છત્રનો દંડ વૃક્ષની જેમ ભાંગી ગયે; અને વૃક્ષ પરથી પુષ્પની જેમતેમજ આકાશમાંથી તારાની જેમ અશ્વગ્રીવના મસ્તક ઉપરથી છત્ર ભૂમિ પર પડી ગયું. જ્યેષ્ઠ માસમાં સરોવરની જેમ અને શરદઋતુમાં કાદવની જેમ તેના હાથીનો મદ તરત સુકાઈ ગયે; જાણે કાળથી ભય પાસે હોય તેમ તેણે મૂત્રાત્સર્ગ કરવા માંડે અને વિરસપણે ગજના કરી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. ચારે તરફ રજની વૃષ્ટિ, રૂધિરની વૃષ્ટિ, દિવસે નક્ષત્રોનું અવલોકન, ઉકાપાત અને વિજળીનું પડવું ઈત્યાદિક ઉત્પાત થવા લાગ્યા. ઊંચું મુખ કરી શ્વાને દીન સ્વરે રેવા લાગ્યા, શશલાઓ પ્રગટ થવા લાગ્યા, ચિલ્લાઓ આકાશમાં ફરવા લાગ્યા, કાકલ પક્ષીઓ પોકારવા લાગ્યા, માથા ઉપર ગીધ પક્ષીઓ વધવા લાગ્યા, અને કપોત પક્ષી વજા ઉપર આવી બેઠે. આ પ્રમાણે અશ્વગ્રીવ શાને અપશુકન થયાં. આવાં નઠારાં શુકનોને પણ અવગણીને યમરાજના પાસેથી જાણે આકર્ષાયા હોય તેમ તે ઉછું ખલ થઈને આગળ ચાલ્યા. તે વખતે આવા અપશુકન થવાથી ઉત્સાહ રહિત થયેલા વિદ્યાધર અને રણની ઉત્કંઠા વગરના રાજાઓ સ્વાધીન છતાં પણ જાણે તેઓને વેઠે પકડયા હોય તેમ આવી આવીને અશ્વગ્રીવને વીટાઈ વળ્યા. સંપૂર્ણ રસૈન્યવાળે થયેલ તે હયગ્રીવ અનુક્રમે પ્રયાણ કરતો કરતો રથાવત્તને પરિસ્કાર કરનારા એવા રથાવત્ત પર્વત સમીપે આવી પહોંચ્યો ત્યાં જાણે વૈતાઢય ગિરિ હોય તેમ એ પર્વતની નીચેની ભૂમિ ઉપર અશ્વગ્રીવના હુકમથી વિદ્યાધરના સૈન્યએ નિવાસ કર્યો.
આ તરફ પિતનપુરમાં વિદ્યાધરના રાજા જવલન જટીએ બલભદ્ર અને વાસુદેવને કઈ તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કોઈપણ ટકી શકે તેમ નથી. તથાપિ પ્રેમવડે ભીરૂ થઈ હું તમને કહું છું; કારણ કે પ્રેમ અસ્થાને પણ ભય બતાવનાર છે, વિદ્યાથી દુર્મદ, બલવાન, તીવ્ર, અનેક રાજાઓની સહાયવાળ, નિરંતર વિજય કર
Page #123
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે નારે અને ઊંચી ગ્રીવાવાળો એ અશ્વગ્રીવ કોને શંકા કરવા યોગ્ય નથી? જો કે એક વિદ્યા સિવાય તમારા બંનેને હયગ્રીવથી કાંઈપણ ન્યૂન નથી. વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે. તે છતાં હું તમને પ્રાર્થના કરું છું કે તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કરે; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ પણ વ્યર્થ જાય.” જવલન જટીનાં આવાં વચન નેનો સ્વીકાર કરી, તેઓ શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલજીએ તેમને વિદ્યા શિખવી, એટલે તે મંત્રબીજના અક્ષરને મનમાં સમરણ કરતા બંને ભાઈઓએ એકાગ્ર ચિત્તો સાત રાત્રિ નિગમન કરી. સાતમે દિવસે શેષનાગને પણ કંપ થયો, અને સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ એવા બલભદ્ર તથા વાસુદેવને પ્રાપ્ત થઈ. ગારૂડી, રોહિણ, ભુવનક્ષોભણકૃપાણતંભની, સ્થાનશુંભની, વ્યોમચારિણી, તમિશ્રકારિણી, સિંહગાસિની, વૈરિહિની, વેગાભિગામિની, દિવ્યકાસિની, રંધવામિની, કૃશાનુવર્ષિણી, નાગવાસિની, વારિશેષણી, ધરિત્રવારિણ, બંધમેચની, વિમુક્તકુતળા, નાનારૂપિણ. લેહશંખલા, કાલરાક્ષસી, છત્રદશદિકા, ક્ષણશૂલિની, ચંદ્રમૌલિ, રૂક્ષમાલિની, સિદ્ધતાડનિકા, પિંગનેત્રા, વનપેશળા, ધ્વનિતા, અફિણા, ઘેષિણી અને ભીરૂભીષણું; આ પ્રમાણેના નામોવાળી વિદ્યાઓએ આવીને કહ્યું-“અમે તમારે વશ છીએ, વિદ્યા સિદ્ધ થવાથી બંને જણ ધ્યાનમુક્ત થયા. મહાત્માઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત નથી થતુ ?
પછી ત્રિપૃષ્ણ વાસુદેવે પોતાના જયેષ્ઠ બંધુ અચલ બલભદ્ર સાથે પ્રજાપતિ અને જવલનજટી વિગેરેથી યુક્ત એવું મેટું સેન્સ લઈ શુભ દિવસે પ્રયાણ કર્યું. જાણે ગરૂડો હોય તેવા વેગવાનું મોટા પંચરંગી અોથી, જાણે જયલક્ષ્મીના મંદિરે હોય તેવા શત્રુએ ને આસ્કંદ કરનારા રથી, એરાવતહસ્તીને ઉલ્લંઘન કરનારા મદદ્વત હાથીઓથી, જાણે કેશરીસિંહ હોય તેવા ફાલ ભરીને ચાલતા ઉત્તમ દિલથી અને આકાશચારી તથા ભૂમિચારી લોકોથી આકાશ અને ભૂમિને આચ્છાદન કરતે, સ્વજનની જેમ અનુકૂલ શુકને એ પ્રેરેલે, વાજિંત્રના નાદથી અને અશ્વ તથા ગજેના શબ્દોથી દિશાઓને ભેદત અને મેટા રીન્યના ભારથી પૃથ્વીને કંપાવતે ત્રિપૃષ્ટ વાસુદેવ, પિતાના દેશના સીમાડા પર રહેલો જાણે શિલાતંભ (પાળીઓ)
હો ય તેવા ઉથાવત્ત પર્વત પાસે આવી પહોંચે. બંને સૈન્યમાં ‘તમે આ યુદ્ધભૂમિમાં સભ્ય થવા માટે આવો” એમ પિતાના સ્વરવડે જાણે દેવતાઓને બે લાવતા હોય તેમ વાજિંત્ર વાગવા લાગ્યા. દેવ અને દૈત્યના ઇદ્રોની જેમ રણની ઉત્કંઠાવાળા ત્રિપૃષ્ટ અને અશ્વગ્રીવના સૈન્ય સામસામે આવીને સ્થિત થયા. કવચ ધરીને સજજ થયેલા એ બંને સૈન્યોને કોલાહલ, અશ્વસૈન્ય ચૂર્ણ કરેલી પૃથ્વીની ૨જની જેમ દિશાઓમાં વ્યાપી ગ. સૌ ને નિશાનની પ્રજાએ ઉપર રહેલા સિંહ, અષ્ટાપદ્ધ, ચિત્તા હાથી અને વાનરેથી સર્વ આકાશ ભયંકર અરણ્યના જેવું દેખાવા લાગ્યું. નારદના જાણે બંધુ હોય તેમ કલહકીડા કરાવવામાં કુતૂહલવાળા અને સુભટને ઉત્સાહ આપવામાં ચતુર એવા ભાટચારણે રણભૂમિમાં ફરવા લાગ્યા.
ત્યારપછી બંને સૈન્યએ યુદ્ધનો આરંભ કર્યો. તેઓના બાણોની શ્રેણીથી જાણે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તે દેખાવ થઈ રહ્યો. તે વખતે અરણ્યમાં વૃક્ષની શાખાએના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી જેમ દાવાનળ ઉત્પન્ન થાય તેમ તે બંને સૈન્યના સૈનિકના યુદ્ધમાં પરસ્પર અથડાતા શસ્ત્રોથી અગ્નિ ઉત્પન્ન થયા. સમુદ્રમાં પરસ્પર અથડાવાથી જેમ અનેક જલજંતુઓનો વિનાશ થાય તેમ શસ્ત્ર શસ્ત્રવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટને તે રણભૂમિમાં વિનાશ થયે. થોડીવારમાં સમુદ્રની વેલા જેમ
Page #124
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
નદીના જળને પરા મુખ કરે તેમ ત્રિપુષ્ટ વાસુદેવની અગ્રસેનાએ અશ્વગ્રીવની સેનાને પરામુખ કરી. તત્કાળ પિતાના અગ્ર સૈન્યનો ભંગ થતે જોઈને જાણે આંગળીના અગ્ર ભાગને ભંગ થયો હોય તેમ અશ્વગ્રીવના પક્ષના વિદ્યાધરો ઘણું કોપાયમાન થયા. પ્રચંડ ભુજાવાળા તેઓ રણભૂમિમાં એટલા બધા ઉત્કટ થઈ ગયા કે જાણે યમરાજના સચીવપણુની મુદ્રાને પ્રાપ્ત કરી આવેલા પિશાચ હોય તેવા તેઓ જણાવા લાગ્યા. તેઓમાં વિકટ અને ઉત્કટ દાંતવાળા, વિશાળ વક્ષસ્થલવાળા તેમજ શ્યામ અને ભયંકર આકૃતિવાળા રાક્ષસે, જાણે અંજનાચલ પર્વતના શિખરે હોય તેવા જણાવા લાગ્યા, કેટલાક વિદ્યાધરે પુંછડારૂપી ડળના પછાડવાથી પૃથ્વીને કાડી નાખતા અને મંડલા ગ્રની ક્રિયાને કરનારા નખોવાળા કેશરીસિંહો થયા; કેટલા એક પિતાની શુઢાથી તૃણના પુળાની જેમ હસ્તીઓને આકાશમાં ઉછાળનારા તેમજ જાણે ઊંચા શિખરવાળા પર્વત હોય તેવા અષ્ટાપદ પશુઓ થયા; કેટલાએક પુંછડાઓને પૃથ્વી પર પછાડતા અને દાંતથી વૃક્ષોને મરડી નાખતા સિંહ તથા હસ્તીની આકૃતિ જેવા પણ વિકરાળ એવા વરાળ જાતના પશુઓ થયા અને બીજા કેટલાએક ચિત્તા, સિંહ, વૃષભ, દંશ અને નાર વિગેરે શિકારી પ્રાણીઓનાં રૂપ કરીને તૈયાર થયા. પછી જાણે યમરાજને બોલાવતા હોય તેમ ભયંકર શબ્દો કરતા તે વિદ્યાધરે વેગથી ત્રિપૃષ્ટના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી જેઓના મુખ લાનિ પામી ગયા છે અને જેમને ઉત્સાહ ભંગ થઈ ગયા છે એવા પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃષ્ટ વાસુદેવના સુભટો તત્કાળ વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ શું થયું ? શું અમે માર્ગની ભ્રાંતિથી આ યમરાજના નગરમાં આવ્યા ? અથવા શું રાક્ષસેના નિવાસસ્થાનમાં આવ્યા કે ભયંકર વિંધ્યસ્થળમાં આવ્યા ? અથવા શું અશ્વગ્રીવની આજ્ઞાથી આ સર્વ ભૂત અને ક્રૂર પ્રાણીઓ અમોને હણી નાખવાને માટે પોતપોતાના સ્થાનકેથી અહીં આવ્યા છે? ખરેખર એક કન્યાને નિમિત્ત આ પ્રલયકાલ પ્રાપ્ત થયેલ છે. આ સમયમાં જે ત્રિપૃષ્ટ રાજા પિતે જય મેળવે તે અમારે પુરૂષાર્થ રહ્યો એમ સમજવાનું છે. ” આ પ્રમાણે ચિંતામાં નિમગ્ન અને બુદ્ધિ રહિત થયેલા તે સુભટે જ્યારે રણમાંથી પાછા વળવાને ઈચ્છવા લાગ્યા ત્યારે જવલન જટીએ આવી ટિપૃષ્ટને કહ્યું “આ સર્વ વિદ્યાધરની કેવળ માયા છે; આમાં કાંઈપણ સત્ય નથી, હું તે બરાબર જાણું છું. કારણકે સર્પને ઘસારે સર્પ જ જાણે. બીજે ન જાણે. એ મંદ બુદ્ધિવાળા વિદ્યાધરોએ આવી માયા બતાવીને પોતાની અશક્તિ બતાવી આપી છે. કારણકે શક્તિવાન્ એવો કો પુરુષ આવી બાળકને બીવડાવવા જેવી ઈરછા કરે છે માટે હે મહાવીર ! બેઠા થાઓ, રથ ઉપર આરૂઢ થાઓ, અને આ શત્રુઓને માનરૂપી ઊંચા પર્વત ઉપરથી હેઠા ઊતારે. કિરણેથી ઉદ્યત થયેલા સૂર્યની જેમ તમે રથારૂઢ થશે ત્યારે પછી કયા પુરૂષનું તેજ વૃદ્ધિ પામશે આ પ્રમાણે જવલન જટીએ કહ્યું, એટલે મહારથીઓમાં અગ્રેસર એવે ત્રિપૃષ્ટ વાસુદેવ સૈન્યને આશ્વાસન આપી મોટા રથ ઉપર આરૂઢ થયો, અને મેટી ભુજાવાળા અચલ બલરામ પણ સંગ્રામના રથ ઉપર બેઠા. કારણકે બીજી કોઈ વખતે પણ પોતાના લઘુ બંધુને એકલા મૂકતા નહીં તે યુદ્ધ વખતે તે તેને એકલા કેમજ મૂકે? પછી સિંહા જેમ ગિરિના શિખર ઉપર ચડે તેમ જવલનનટી વિગેરે વિધાધરે પણ રથ ઉપર આરૂઢ થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને
| નામે દિવ્ય ધનુષ, કૌમાદકી ના મે ગદા, પાંચજન્ય નામે શંખ, કૌસ્તુભ નામનો મણિ, નંદક નામે ખડગ અને વનમાળા નામે એકમાળા અર્પણ કરી. તેમજ બલભદ્રને ૧૩
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૮
સગ ૧ લે સંવર્તક નામે હળ, સૌનંદ નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેનાં દિવ્ય શસ્ત્રો મળેલાં જઈને હર્ષ પામેલા સર્વે સુભટે જાણે યમરાજના પુત્ર હોય તેમ એકઠા થઈને પૂર્ણ પરાક્રમ બતાવતા અધિક યુદ્ધ કરવા લાગ્યા. પછી ત્રિપૃષ્ટ યુદ્ધરૂપી નાટકમાં નાદીરૂપ અને શબ્દથી દિશાઓના મુખને પૂરના પાંચજન્ય નામને શખરત્ન કુંક.
સંવર્ત પુષ્કરાવત્ત નામના પ્રલય મેઘની ગર્જના જેવા તે શંખના નાદથી અશ્વગ્રીવના સર્વ સૈનિકે ક્ષોભ પામી ગયા; તે વખતે કેટલાએકના હાથમાંથી વૃક્ષનાં પત્રોની જેમ શસ્ત્રો પડી ગયાં, કેટલાએક જાણે અપરમાર વ્યાધિવાળા હોય તેમ પોતેજ પૃથ્વી ઉપર પડી ગયા, કઈ શિયાળની જેમ ભીરૂ થઈ નાસી ગયા, કેઈ સસલાની જેમ નેત્ર આડા હાથ દઈને સંતાઈ ગયા, કઈ ઘુવડ પક્ષીની જેમ ગુફામાં પેસી ગયા, અને કઈ જળની બહાર મૂકેલા શંખલાની જેમ ખળભળવા લાગ્યા. -
સમુદ્રના શેષણની જેમ પૂર્વે કદિ નહીં થયેલ પિતાના સૈન્યને ભંગ સાંભળીને અશ્વગ્રીવે પિતાના સુભટને કહ્યું-“ અરે! વિદ્યાધરે ! વૃષભના નાદથી જેમ વનમાં મૃગલા નાસી જાય, તેમ ફક્ત શંખના નાદથી ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છે? તમે એ ત્રિપૃષ્ટ અને અચલનું શું પરાક્રમ જોયું કે જેથી ચાડીયા રૂપે ઉભા કરેલા પુરૂષના દર્શનથી પશુઓ નાસી જાય તેમ તમે ત્રાસ પામી જાઓ છો? આજ સુધી વિવિધ યુદ્ધની અંદર મેળવેલ યશ તમે હારી જાઓ છો; કારણકે ધોયેલા વેત વસ્ત્ર ઉપર પડેલે લેશ માત્ર પણ કાજલને ડાઘ તે વસ્ત્રની શોભાને ઘટાડે છે. દેવગે તમારામાં જે આ ખલિતપણું આવી ગયું છે તેને નિવૃત્ત કરે. આકાશચારી એવા તમારી આગળ એ ભૂચર મનુષ્ય શા હિસાબમાં છે? તમે યુદ્ધ કરે, અથવા જે અશક્ત હો તે કેવળ સભ્ય થઈને ઉભા રહે હું અશ્વગ્રીવરાજા રણભૂમિમાં કોઈની સહાયની દરકાર કરતા નથી.”
આ પ્રમાણે અશ્વગ્રીવે કહ્યું, એટલે લજ્જાથી નીચાં મુખ કરી સર્વ વિદ્યાધરે પર્વતથી ખલના પામેલા સમુદ્રની જેમ પાછા વળ્યા. પછી અશ્વગ્રીવ પણ રથમાં બેસી અવ્યગ્ર થઈ ક્રૂર ગ્રહની જેમ શત્રુઓને ગ્રાસ કરવાને આકાશમાર્ગે ચાલ્યા; અને જાણે નવીન અને મેઘ હોય તેમ બાણથી, શોથી અને બીજા અસ્ત્રોથી તેણે ત્રિપૃષ્ટિના સૈન્ય ઉપર વૃષ્ટિ કરવા માંડી. એ અસ્ત્રોની વૃષ્ટિથી ત્રિપૃષ્ટનું બધું સૈન્ય લાનિ પામવા લાગ્યું; કારણકે ભૂમિચર મનુષ્ય કદ ધીર હોય તો પણ આકાશચારીઓની સામે શું કરી શકે ? પછી બલરામ, ત્રિપૃષ્ટ અને જવલનજી રથમાં બેસી પિતાના વિદ્યાધર સુભટોની સાથે આકાશમાં ઉડયા; અને બંને પક્ષના વિદ્યાધરે આકાશમાં રહીને ગુરૂની પાસે જેમ પરીક્ષા આપે તેમ પરસ્પર પોતાની વિદ્યા શક્તિ બતાવતા અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બંને સૈન્યના ભૂચર વીરે પણ વનમાં જેમ હાથી લડે તેમ પરસ્પર ઘણો ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા. થોડીવારમાં શસ્ત્રોથી પરસ્પર પ્રહાર કરતા એવા વિદ્યાધરોના રૂધિરની પૂર્વે કદિ નહીં થયેલી અને જાણે ઉત્પાતકારી હોય તેવી વૃષ્ટિ થવા માંડી; પરસ્પર આઘાતના શબ્દથી ગગનને ગજાવતું દંડના નાદથી સંગીત જેવું જણાતું દંડાદંડી યુદ્ધ કેટલાએક વિદ્યારે કરવા લાગ્યા. ઉદંડ ભુજાથી પંચડ એવા કેઈ ડંકાઓથી ઢેલની જેમ ખડ્રગદંડવડે શત્રુઓને મારવા લાગ્યા; બીજાને યુદ્ધમાં જય નહી સહન કરનારા કોઈ પરસ્પર મળતી વખતે કાંસીના તાલની જેમ વિશાળ કુરક જાતિના શસ્ત્રોનું આરકેટન કરવા લાગ્યા; મેઘ જેમ વિજળીને છું કે તેમ કેઈ આકાશપર રસ્તાને પાડતા તડતડ શબ્દ કરતી
Page #126
--------------------------------------------------------------------------
________________
પવ ૪ છું.
૯૯
શક્તિને ફૂંકવા લાગ્યા; કોઇ ભયંકર સર્પની જેવા શલ્યાની વૃષ્ટિ કરવા લાગ્યા, અને કોઇ જાણે બીજા ગરૂડા હોય તેવા પત્રાથી સ્કુરાયમાન પત્રી જાતના શસ્ત્રોને વર્ષાવવા લાગ્યા. એવી રીતે અને સૈન્યમાં ઉછળતા અને પડતા એવા આયુધોથી આકાશ અને પૃથ્વી જાણે વિવિધ જાતનાં શસ્ત્રોથી વ્યાપ્ત હોય તેમ દેખાવા લાગ્યું. કોઈ તરત છેદીને હાથમાં ગ્રહણ કરેલા શત્રુઓના મસ્તકાવડે જાણે ઉદ્ભટ ક્ષેત્રપાલા હોય તેમ રણભૂમિમાં દેખાવા લાગ્યા. હાથીના મુખથી જેમ ગણપતિ અને ઘેાડાઓના મુખથી જેમ નરો ઓળખાય તેમ કબ`ધ ઉપર પડેલા હાથી અને અશ્વોના મસ્તકને લીધે અનેક સૈનિકા તેવા દેખાવા લાગ્યા. તરત છેદાઇને ઘણીવાર કટીભાગ ઉપર પડેલા પેાતાના મસ્તકવડે નાભિ ઉપર મુખવાળા ભૂત હાય તેમ કેટલાક જણાવા લાગ્યા. કાઈ વીર પુરૂષાના કબધા દેવીના સ્વય‘વરથી જાણે ઘણા હર્ષ પામ્યા હોય તેમ નૃત્ય કરવા લાગ્યા. કોઈના મસ્તકા છુટા પડી ગયા છતાં પણ જાણે કખ ધ ઉપર ચડવાને આદરથી મા બેાલતા હોય તેમ ધ્રુજાર
શબ્દો કરવા લાગ્યા.
આ પ્રમાણે કલ્પાંત કાળની જેવા ભયંકર સંગ્રામ પ્રવન્ત્યé, તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે પેાતાના રથ અવ્ગ્રીવના રથની સામે હુંકાર્યાં. મહારથીઓમાં અગ્રણી એવા બલરામ પણ સ્નેહના ગુણથી આકર્ષાઇ પાતાના અનુજ ત્રિપૃષ્ટના રથની પાસે પાતાના રથના ઘોડા કેરીને આવ્યા. તે વખતે અશ્ર્વગ્રીવ અત્યંત ક્રોધથી રાતાં થયેલાં નેત્રા પ્રસારી તેમની સામે જોતા જોતા જાણે તે બંનેનું પાન કરી જવાને ઈચ્છતા હાય તેમ ખેલ્યા અરે ! તમારા બંનેમાં મારા ચ`ડિસ'હ દ્વેતપર ધસારો કરનાર કાણુ છે ? અને પશ્ચિમ દિશાના અંતમાં રહેલા સિંહના ઘાત કરીને દુદ થનારો કાણુ છે ? પેાતાનાજ વધને માટે વિષકન્યા જેવી જવલનજટીની સ્વય...પ્રભા કન્યાને કાણુ પરણ્યા છે ? વાનર જેમ સૂર્ય સામી ફાળ મારે, તેમ મારી ઉપર ફાળ મારનાર કાણુ છે ? કયા મૂઢ બુદ્ધિવાળા પુરૂષ મને સ્વામી તરીકે નથી માનતા ? આટલીવાર સૈન્યના ક્ષય થતાં પણ તમે શા માટે ઉપેક્ષા કરી ? તમે એ કાના આશ્રયથી મારી સામે થયા છેા ? અરે બાળકા ! આના પ્રત્યુત્તર આપે, અને પછી અનુક્રમે અથવા એક સાથે, સિ'હની સાથે હાથીના ખાળકોની જેમ તમે મારી સાથે યુદ્ધ કરો.'' આવાં અવગ્રીવનાં વચન સાંભળી ત્રિપૃષ્ટ હસતાં હસતાં ખેલ્યા-“અરે ! દુષ્ટ ! તારા દૂતને ઘણુ કરનાર, પશ્ચિમના સિંહના શિકાર કરનાર, સ્વયંપ્રભાને પરણનાર તને સ્વામી તરીકે નહી. માનનાર અને આટલી વાર તારી ઉપેક્ષા કરનાર હુ પોતે ત્રિપૃષ્ટ છું. અને ખલથી બળવાન સૌન્યને નાશ કરનારા જયેષ્ઠ ભ્રાતા બલરામ છે, ત્રણ લેાકમાં પણ તેની સામે ટકી શકે તેવા કાઈ નથી, તે તું કેણુ માત્ર છે? હે મહાબાહુ ! જો તારે અભિમત હોય તે સૈન્યના ક્ષય કરવાની કાંઇ જરૂર નથી. તું પોતે અસ્ર ગ્રહણ કર, તું મારા રણભૂમિના અતિથિ છે. આપણુ અંનેનુ દ્વયુદ્ધ થાઓ, ભુજાઓનુ કૌતુક પૂ થાઓ, અને બન્ને સૈન્યના સુભટા માત્ર સભ્ય થઇને જોયા કરો,’:
આ પ્રમાણે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ટ બન્નેએ અગીકાર કરીને પોતપોતાના છડીદારો પાસે પાતપાતાના સૌન્યાને યુદ્ધ કરતા અટકાવ્યા. પછી એક હાથ મધ્યમાં રાખી અને બીજો હાથ કામઠાની અણી ઉપર રાખી અશ્વગ્રીવે યમરાજની ભ્રકુટી જેવા ભય કર ધનુષની ઉપર પણછ ચડાવી. પછી રણુલક્ષ્મીની ક્રીડાના સંગીતની જાણે વીણા હોય તેવી ધનુષની પછ મયૂરગ્રીવના પુત્ર હાથવડે વગાડી. તરતજ ત્રિપૃષ્ટ વાસુદેવે નિશામત્સ્યની જેમ શત્રુઓના નાશને સૂચવનારા શાહૂઁગ નામના ધનુષને પણછ ચડાવી; અને લના નિઘોષ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સગ ૧ લે
જેવો ભયંકર, મૃત્યુને આવાહન કરવાના મંત્ર જેવા અને શત્રુઓના ખલને હરણ કરનારા નુષના મોટા ઘોષ કર્યા. તે વખતે ક'ડિયામાંથી સર્પની જેમ ભાથામાંથી ખાણા કાઢી કાન સુધી આકષી અશ્ર્વગ્રીવ વરસાવવા લાગ્યા. પછી કાળનુ` જાણે કટાક્ષ હોય અને કલ્પાંત કાળના અગ્નિની જાણે શિખા હોય તેવું કાંતિથી પ્રકાશમાન એક તીવ્ર ખાણુ ત્રિપૃષ્ટની ઉપર છેડયું. તે ખાણને આવતુ' જોઇ અવિચ્છેદ પરાક્રમવાળા ત્રિપૃષ્ટ વાસુદેવે તત્કાલ છાડેલા ખાણથી ઈક્ષુલતાની જેમ તેને છેદી નાખ્યુ'; અને એવી હાથચાલાકીથી એક બીજું ખાણુ મૂક્યું કે જાણે તે પહેલું જ હોય તેમ તેનાથી અશ્વગ્રીવનું ધનુષ પણ છેદી નાખ્યું. પછી અગ્રીવે જે જે નવાં નવાં ધનુષ્યા ગ્રહણ કર્યાં તે તે ધનુષ્યા તેના મનેાથની સાથે ત્રિપૃષ્ટ વીરે ખાણાથી છેદી નાખ્યાં. એક ખણુથી પ્રતિવાદેવના ધ્વજ છેદ્યો; અને એક બીજા ખાણુથી એરડાના વૃક્ષની પેઠે તેના રથ ભાંગી નાંખ્યા.
આ પ્રમાણે સ્થિતિ થઈ તાપણુ અશ્વગ્રીવ બીજા રથમાં બેસી ધારાઓથી મેઘની જેમ દૂરથી ખાણાની વૃષ્ટિ કરતા ફરીવાર આગળ આવ્યેા. એ વખતે તેણે ખાણેાવડે દુનિનો આડબર કર્યાં કે જેથી રથ, સારથિ, ત્રિપૃષ્ટ કે બીજું કાઈપણ દેખવામાં આવતું ન હતું; પણ સૂર્ય જેમ પેાતાના કિરણાની છટાથી અંધકારનો નાશ કરે, તેમ ત્રિપૃષ્ટ ખાણાની વૃષ્ટિએથી તે દૃનિકારક શરવૃષ્ટિનો તત્કાળ નિરાસ કર્યાં. પછી ત્રિપૃષ્ઠના આવા પરાક્રમથી ક્રાધ પામેલા, પર્વત જેવા સારવાળા અને શક્તિવાળાઓમાં શ્રેષ્ઠ એવા અશ્વીવે વિજળીની જાણે સહેાદરા હાય, વજ્રની જાણે વયસ્યા ( સખી ) હાય, મારી(મરકી) ની જાણે માતા હાય અને શેષનાગની જાણે જિહ્વા હોય તેવી એક પ્રચંડ શક્તિ હાથમાં ગ્રહણ કરી. જાણે યમરાજની નકી હેાય તેમ ઘુઘરીએના શઢ કરતી એ શક્તિને સ્તંભ ઉપર રાધાચક્રની જેમ તેણે પેાતાના મસ્તક ઉપર ફેરવવા માંડી, અને પેાતાના વિમાનની ભ્રંશની શકાથી ભય પામેલા વિમાનવાસીએ જેને માગે આપ્યા છે એવી એ શકિત અશ્ર્વગ્રીવે સ બળથી ત્રિપૃષ્ટ ઉપર નાખી. તત્કાળ ત્રિષ્ટ જાણે એ ભુજાદ...ડમાં ત્રીજો ભુજાદંડ હાય તેવી કૌમાદકી ગદા પોતાના રથમાંથી હાથમાં ગ્રહણ કરી, અને હાથી જેમ ક્રીડા કરનારની ધમણના પાતાના શુડાઇડથી વિનાશ કરે તેમ એ આવતી શક્તિની ઉપર તે ગદાનો પ્રહાર કર્યા; જેથી ઉગ્ર અગ્નિના કણિયાથી સે’કડા ઉલ્કાપાતને એ શક્તિ માટીના ઢેખાળાની જેમ ચૂરેચૂરા થઇને પૃથ્વી ઉપર પડી, પછી અશ્વત્રીવે જાણે અરાવતનો કાઢી લીધેલા દાંત હોય તેવા એક માટે પરિધ ગ્રહણ કરીને ત્રિપૃષ્ટની ઉપર ફૂં કયા. ગરૂડ જેમ ચાંચવડે માટા સર્પને ખડ ખડ કરી નાખે તેમ ત્રિપૃષ્ઠે તે પરિઘને ગદાવડે ખડ ખડ કરી નાખ્યા. પછી અવીવે યમરાજની જાણે દાઢ હોય અને તક્ષકનાગની જાણે બેન હાય તેવી વાશિલાના સારથી બનેલી એક ગદા ત્રિપૃષ્ટની ઉપર ફેંકી. માટી ભુજાવાળા ત્રિપૃષ્ટ પાતાની કૌમેાકી ગદાથી તે ગદાના આકાશમાંજ રેતીના મેાદકની પેઠે કટકે કટકા કરી
નાખ્યા.
આવી રીતે સર્વ શસ્ત્રો જ્યારે ભાંગી ગયા ત્યારે અગ્રીવ પીડિત જનની પાસે અવની જેમ તત્કાલ વિલખા થઇ ગયા, અને તરતજ તેણે નાગાસ્ત્રનુ સ્મરણ કર્યું. તે નાગાસ્ત્ર શીઘ્ર પ્રગટ થયુ' એટલે તે અસ્ત્રને ધનુષ સાથે જોડયું. તે વખતે રાફડામાંથી સર્પાની જેમ તેમાંથી અનેક સપેર્પ ઉત્પન્ન થયા. ભૂમિ અને આકાશમાં ફુંફાડા મારીને દોડતા એવા તે સર્પાએ ક્ષણવારમાં તિય ગ્લાકને પાતાળલાક જેવું કરી દીધુ. લાંખાં, ભય'કર અને કાળા એવા માટા સર્પ સ્ફુરણાયમાન થઇને હજારા કેતુઓની શંકા કરાવવા લાગ્યા
Page #128
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૦૧ મૃત્યુના જાણે અવસર્પ હોય તેવા તે સર્પો આકાશમાં પણ પ્રસરવા લાગ્યા; જેથી ખેચરની સ્ત્રીઓ તેનાથી ભય પામીને દૂર નાસવા માંડી. તે વખતે ત્રિતષ્ટના સૈનિકોને મોટી આશંકા થઈ પડી. કારણકે સ્વામીને પ્રભાવ નહીં જાણનારને તેમજ ભક્તિવાનને તેમ થાય છે; પછી ત્રિપૃષ્ટ ધનુષ્ય ઉપર ગરૂડાસ્ત્રને ચડાવીને છેડ્યું, એટલે તેમાંથી કદળીના પત્રની જેમ પ્રસરતી પાંખથી જાણે આકાશને સેંકડો છત્રોથી વ્યાસ કરતા હોય તેવા અનેક ગરૂડે પ્રગટ થયા. સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તે ગરૂડોની પાંખોના સત્કારથી તે મોટા સર્પો ચારે બાજુ નાસી ગયા. નાગા અને નિરર્થક થયેલું જોઈ અશ્વગ્રીવે દુર એવું અન્ય સ્ત્ર ચિંતવ્યું. જ્વાલાએથી આકાશમાં સેંકડો ઉલ્કાપાતને બતાવતું તે અસ્ત્ર તેણે ધનુષ ઉપર સાંધીને છોડયું; તે વખતે ત્રિપૃષ્ટનું બધું સૈન્ય જાણે અગ્નિમાં મગ્ન થયું હોય તેમ વડવાનળથી ભય પામેલા સમુદ્રના મર્યની જેમ આકુળવ્યાકુલ થઈ ગયું. તે જોઈને અશ્વગ્રીવના સુભટ ખુશી થઈ હસવા લાગ્યા, ભમવા લાગ્યા, ઉછળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, અને ઉતાવળ થઈને તાળીઓ પાડવા લાગ્યા. પછી ક્રોધથી નેત્રો રાતો કરીને ત્રિપૃષ્ટ અવાર્ય એવા વારૂણા અને ધનુષ સાથે જોડીને સત્વર છોડયું, એ અસ્ત્રના પ્રભાવથી ત્રિપૃષ્ણના મનોરાની જેમ તત્કાલ આકાશમાં મેઘ ઉત્પન્ન થયે, અને અશ્વગ્રીવના મુખની જેમ ગગનતી શ્યામ થઈ ગયું. તરતજ દાવાનળને શમાવનારા વર્ષાઋતુના મેઘની જેમ અવિચ્છિન્ન જળ ધારાવડે વર્ષને તે મેઘે શસ્ત્રાગ્નિને શમાવી દીધે.
આ પ્રમાણે તૃણની જેમ ત્રિપૃષ્ટ સર્વ અસ્ત્રોને ભગ્ન કરી નાખેલાં જઈ છેવટે તેને મરવાને ઈરછતા અશ્વગ્રીવે પોતાના અમોઘ ચક્રનું સ્મરણ કર્યું. સેંકડો આરાથી નીકળતી સેંકડો જવાલાવડે પ્રકાશતું, અને જાણે સૂર્યના મંડલમાંથી ખેંચી આણેલું હોય, અથવા બલાત્કારે હરણ કરેલું યમરાજાનું એક કુંડલ હોય, વા કુંડલાકારે રહેલે તક્ષક નાગ હોય તેવું જણાતું, તેમજ ધુઘરીઓના અવાજોથી ખેચરને ત્રાસ પમાડતું એ ચક્ર સ્મરણ કરતાં જ પ્રગટ થયું. તેને ગ્રહણ કરીને અધગ્રીવ બોલ્યા “ અરે ત્રિપૃષ્ણ! કંઠમાં દુધવાલે હજુ તું બાળક છે. તારો વધ કરવાથી મને બાલહત્યા લાગશે, તેથી તું ચાલ્યો જા. હજુ સુધી તારી ઉપર મને દયા આવે છે. આ મારું ચક્ર ઈદ્રના વજાની જેમ કે ઠેકાણેથી પાછું હઠે તેવું નથી તેમજ નિષ્ફળ થાય તેમ પણ નથી; તેથી જ્યારે હું આ ચકને છોડીશ ત્યારે તું તારા પ્રાણને છોડીશ, તેમાં કાંઈ પણ સંદેહ રાખીશ નહી. માટે ક્ષત્રિયપણાના અભિમાનને તજી દે અને મારા શાસનને અંગીકાર કર; તું બાળક છે, તેથી હું તારું પ્રથમનું માઠું આચરણ માફ કરું છું. સારે નબીબે તારું કાર્ય બાલપણાની ચપળતાવડે કરેલું હું ગણું છું. વાતે તું જીવતો જા. મારી તને મારવાની ઈચ્છા નથી.”
આવું અશ્વગ્રીવનું ભાષણ સાંભળીને ત્રિપુષ્ટ હસતો હસતે બેલ્યો-“અરે! અશ્વગ્રીવ ! તું ખરેખર વૃદ્ધ થયો છે, અન્યથા ઉન્મત્તની પેઠે આવાં દુર્વચને કેમ બોલે? પણ વિચાર કર કે બાલ એવો કેસરીસિંહ મેટા હાથીને દેખીને શું પલાયન કરે છે ? ગરૂડને બાળક શું મોટા સાઁથી પાછો હઠે છે ? બાળસૂર્ય પણ શું સંધ્યાકાલરૂપ રાક્ષસથી ક્ષોભ પામે છે? હું બાળક છું, છતાં પણ શું રણભૂમિમાં તારી સામે નથી આવ્યો ? હે મિથ્યાભિમાની! પૂર્વે નાખેલા શસ્ત્રોનું બલ તે તેં જોયેલું છે તો હવે આ અશ્વને છોડીને પણ મારૂં બલ જે, જોયા વિના તું શા માટે ગર્જના કરે છે?”
આ પ્રમાણે ત્રિતછનાં વચન સાંભળી આકાશરૂપી સાગરમાં જાણે દાવાનળ પ્રગટ હોય તેવું એ ભયંકર ચક્ર અશ્વગ્રીવ પોતાના માથા પર ફેરવવા લાગ્યા. ઘણીવાર સુધી
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સર્ગ ૧ લે ફેરવીને જાણે સૂર્યમંડળ રચવતું હોય તેવી ભ્રાંતિને ક્ષણવાર આપતુ એ ચક સવ બળથી તેણે ત્રિપૃષ્ટ ઉપર છોડયું, ત્રિપૃષ્ણ વાસુદેવના પર્વતની શિલા જેવા વિશાળ વક્ષસ્થળની સાથે અથડાઈને એ ચક્ર જાણે સામી લપડાક લાગી હોય તેમ ધારાથી પતિત થઈને પાછું હઠી ગયું. એ ચક્રના અગ્રભાગના મજબુત આઘાતથી વાથી તાડન કર્યાની જેમ ત્રિપૃષ્ટ મૂછ ખાઈને નીચે પડ; અને આકાશમાં પ્રકાશ કરતું તે ચક તે ઠેકાણે જ સ્થિર રહ્યું. વાસુદેવની સર્વ સેનામાં તે વખતે હાહાકાર ઉત્પન્ન થયે શત્રુના પ્રહારથી પોતાના અનુજ બંધુને મૂર્થિત થયેલ જોઈને તેમના ઉપરની પ્રીતિને લધે બલભદ્ર પ્રહાર થયા વિના પણ મૂછિત થયા. બનેને મૂછિત જોઈ અશ્વગ્રીવે સિંહની જેમ સિંહનાદ કર્યો, અને તેના સૈનિકોએ વિજયને પ્રગટ કરતું હોય તે કિલકિલારવ કરી મૂકો.
થોડીવારે બલભદ્રને સંજ્ઞા આવી ત્યારે ઉન્નત હર્ષનાદ સાંભળીને “અત્યારે કવખતે આ હર્ષ કોને થયે છે? એમ પિતાના સૈનિકોને પૂછ્યું. તેઓએ કહ્યું-“હે દેવ ! ત્રિપૃષ્ટ કુમારને પડેલી વિપત્તિવડે હર્ષ પામેલા અશ્વગ્રીવના સૈનિકોને આ ઉર્જિત હર્ષ ધ્વનિ છે.” બલરામે કહ્યું-“અહા ! શું મારા અનુજ બંધુને વિપત્તિ હોય ? તે તો જ્યારે રણમાં શ્રાંત થાય છે ત્યારે ક્ષણવાર રથમાં સુવે છે. તે ઉપરથી પિતાના મનમાં મારા બંધને વિપત્તિ આવેલી ધારીને હર્ષ પામેલા આ અશ્વગ્રીવના સૈનિકોનો હર્ષ હું એક ક્ષણમાં હરી લઉં છું. અરે દુષ્ટ અશ્વગ્રીવ ! ઉભું રહે, આજે રથ અને પરિવાર સહિત તને સહિત તને મસલાની જેમ હું ગદાથી ચૂર્ણ કરી નાખું છું.” એમ કહી રથાવત્ત પર્વતના શિખર જેવી ગદા ઉપાડી. એવામાં અચલ બલભદ્ર દેડે છે, તેવામાં ત્રિપૃષ્ટ કુમાર જાગી ઉઠયા, અને “અરે આર્ય! હું છતાં તમારે આ શો પ્રયાસ ? એમ કહી જાણે ઊંઘમાંથી ઉઠયા હોય તેમ ત્રિપૃષ્ઠ બેઠા થયા. ત્રિપૃષ્ણને ઉઠેલા જોઈ જાણે ગ્રામાંતરથી આવ્યા હોય તેમ બલભદ્દે બેહાથ પહોળા કરીને તેનું આલિંગન કર્યું. તરતજ પિતાના સ્વામીની જાગ્રતિને સૂચવનારો અને શત્રુઓના હૃદયમાં શલ્ય જે ત્રિપૃષ્ટનાં સૈનિકોએ હર્ષનાદ કર્યો. પ્રહારથી કરેલા પોતાના પાપનું જાણે પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતું હોય તેવું અશ્વગ્રીવે નાખેલું ચક્ર ત્રિપૃષ્ટ સમીપ રહેલું જોયું. જાણે સુર્યનું ભાગીદાર હોય તેવું તેજથી ભયંકર તે ચક હાથમાં લઈને વાસુદેવે અશ્વગ્રીવને કહ્યું-“મેટી ઉગ્રગર્જને કરીને તે મારા ઉપર આ ચક્ર નાખ્યું હતું, પણ પર્વત સાથે હસ્તીના પરાક્રમની જેમ તે આ ચક્રનું પરાક્રમ પણ જોઈ લીધું છે; તો હે દુર્મતિ ! હવે અહીંથી ચાલ્યો જા ! માર્જરની જેવા પાપવૃત્તિવાળા તને વૃદ્ધને કેણ હશે?” આવાં વચન સાંભળી દાંતથી અધરને વંશત અને કેપથી અંગને કંપાવતે અલ્પગ્રીવ ભ્રકુટી ચડાવીને બોલ્યા- “અરે શિશુ ! વૃક્ષના ખરી પડેલા ફલ વડે પંગુની જેમ આ એક લેઢાને ખંડ મળવાથી તુ કેમ ઉન્મત્ત થઈ જાય છે? એને મારી ઉપર છોડી દે, મારું બલ જે, એ ચક્રને આવતાં વેત જ હું મુષ્ટિથી ચૂર્ણ કરી નાખીશ.”
અશ્વગ્રીવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને અંકુડ શક્તિવાળા ત્રિપૃષ્ણ વાસુદેવે કોપ કરી ચકને આકાશમાં ભમાંડીને અશ્વગ્રીવ ઉપર છોડયું. તે ચકે તરતજ કદલીના થડની જેમ અધગ્રીવનું મસ્તક છેદી નાખ્યું, કારણકે પ્રતિવાસુદેવ પિતાના ચક્રથી જ હણાય છે. તે વખતે ખેચરોએ હર્ષથી વાસુદેવની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ઊંચે સ્વરે જયનાદ કર્યો. અશ્વગ્રીવના દીનતા ભરેલા સૈન્યમાં પ્રતિનાદથી ભૂમિ અને અંતરીક્ષને રુદન કરાવતે માટે રૂદનવનિ ઉત્પન્ન થયે. અધગ્રીવના સ્વજને તરત જ એકઠા થયા, અને
Page #130
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૦૩
પુત્રોના નેત્રમાંથી ઝરતાં અશ્રુના જળવડે જાણે નિવાપાંજલિ આપતા હોય તેમ અશ્રુધારા વરસાવતા તેમણે અશ્વગ્રીવના અંગને અગ્નિસંસ્કાર કર્યો. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામીને સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમને આયુષે નારકી થયે.
એ સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉલ્લેષણ કરી કે “હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાલથી આદરેલે હયગ્રીવનો પક્ષપાત મૂકી દો, કિંતુ ભક્તિથી ત્રિપૃષ્ઠ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો. કેમકે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, એ . પૃથ્વીને ભક્તા થશે.” આ પ્રમાણેની અંતરીક્ષમાં થયેલી દિવ્યવાણી સાંભળીને અધગ્રીવના તાબાના સર્વે રાજાઓ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને નમ્યા, અને અંજલિ જેડીને આ પ્રમાણે તેઓએ કહ્યું-“હે નાથ ! અમોએ અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી અદ્યાપિ પર્યત જે કાંઈ તમારા અપરાધ કરેલા હોય તે સર્વ ક્ષમા કરો. હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળશું. હે પ્રભુ! અમને આજ્ઞા કરે.” ત્રિપૃષ્ટ કહ્યું-“આમાં તમારો કાંઈ પણ અપરાધ નથી. સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું તે ક્ષત્રિને ધર્મ જ છે, તમે હવે ભય છોડી દે. હવેથી હું તમારો સ્વામી છું; તમે પોતપોતાના રાજમાં નિર્ભયપણે મારા થઈને વર્ત જે.” આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી જાણે બીજે ઈદ્ર હોય તેવો ત્રિપૃષ્ટ વાસુદેવ પોતાના સર્વ પરિવારને લઈને પિતનપુર ગયે, અને ત્યાંથી ચક્ર વિગેરે સાત રત્ન સહિત વિપૃષ્ટ વાસુદેવ પિતાના જયેષ્ઠ બંધુ બલભદ્રને સાથે લઈ દિગ્વિજય કરવા નીકળે. - પૂર્વમાં તે દિશાના મુખનું મંડન રૂપ માગધપતિને, દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનાર પ્રભાસદેવને પિતાની આજ્ઞા મનાવી, અને વૈતાઢય પર્વતની બંને શ્રેણના વિદ્યાધરોનો તેણે વિજય કર્યો. પછી તે બંને શ્રેણીનું રાજ્ય જવલનજીને અપર્ણ કર્યું. મહાત્માઓ સેવા કરવાથી ક૯પવૃક્ષની જેમ ફલે છે. એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ટ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઈ પિતાના નગર જવાને પાછા વળ્યા. અર્ધચક્રવત્તની સમૃદ્ધિથી અને ચક્રવત્તી કરતાં અદ્ધભુજાના બલથી યુક્ત એ એ ટિપૃષ્ટ કેટલેક પ્રયાણે મગધ દેશમાં આ . ત્યાં સર્વ રાજાઓમાં તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કેટી પુરુષોથી ઉપાડી શકાય એવી એક મહાશિલા દિડી. એ શિલાને પિતાની યામભૂજાવડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી. તેમના આવા ભુજાબલને જોઈને વિસ્મય પામેલા રાજાઓએ અને લકે એ ચારણભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી. તે શિલાને પાછી ગ્ય સ્થાને સ્થાપન કરીને ત્યાંથી પ્રયાણ કરતાં કેટલેક દિવસે ત્રિપૃષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાનરૂપ પિતનપુરની નજીક આવ્યા.
પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપૃષ્ણ વાસુદેવ ગજેદ્ર ઉપર આરૂઢ થઈ લક્ષમીનું જાણે નવીનનગર હોય તેવા પિતનપુરમાં પ્રવેશ કર્યો. તે જાણે તારાવાળું આકાશ હોય તેમ મોતીના સાથીઆ ચારે તરફ પૂરેલા હતા, અને ઘેર ઘેર તેરણોની શ્રેણી બાંધેલી હતી, તેથી જાણે સેંકડે ઈદ્રધનુષ સહિત હોય તેવું તે નગર જણાતું હતું. જાણે મેઘ વર્ષો હોય તેમ નગરની ભૂમિઉપર જળનો છંટકાવ કરેલ હતો, સુંદર ૧ ચક્ર, ધનુષ્ય, ગદા, શંખ, કૌસ્તુભમણિ, ખગ ને વનમાળા એ સાત રત્નો.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સગ ૧ લો
પાત્રોવાળા ઊંચા બાંધેલા મંચેવડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું દેખાતું હતું, ઘરે ઘરે મંગલિક ગીતે ગવાતાં હતાં, તેથી જાણે સ્થાને સ્થાને વિવાહ મહોત્સવ ચાલતાં હોય તેમ લાગતું હતું, અને લોકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલોક બધે તે નગરમાં એકત્ર થયા હોય તેમ જણાતું હતું.
નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ, જવલન જટીએ, અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ટને અદ્ધચકીપણાનો અભિષેક કર્યો.
હવે દીક્ષા લીધા પછી બે માસ પર્યત છદ્મસ્થપણે વિહાર કરતા શ્રેયાંસ પ્રભુ અનુક્રમે પ્રથમના સાહસમ્રવનમાં પધાર્યા, ત્યાં અશેક વૃક્ષની નીચે કાત્સગે રહેલા અને બીજા શુકલ યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મણ ગળી જાય તેમ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વિનાશ પામ્યાં, જેથી માઘ માસની અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં છડૂતપમાં વર્તાતા પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓ એ આવીને સમવસરણ રચ્યું, તેમાં બેસીને મહાઅતિશયવાળા અગ્યારમાં પ્રભુએ દેશના આપી, ભગવંતની દેશના સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. જેમાંના કેટલાએકે સર્વવિરતિ પણું અંગીકાર કર્યું, અને કેટલાએક દેશવિરતિ થયા, પ્રભુને ગગુભ વિગેરે છેતેર ગણધર થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને તેઓએ દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળે, વેતકાંતિને ઘરનાર, વૃષભના વાહનવાળો, બે દક્ષિણ ભુજામાં બીરું અને ગદાને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષસૂત્ર ધરનાર ઈકવર નામે યક્ષ પ્રભુને શાસનદેવતા થયા. તથા ગૌર અંગવાળી સિંહના વાહનપર બેસનારી, દક્ષિણ ભુજામાં વરદ ને મુદ્દગરને ધારણ કરનારા અને વામ ભુજામાં કલશ ને અંકુશ રાખનારી માનવીર નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ
તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે જ રહે છે એવા શ્રેયાંસપ્રભુ વિહાર કરતા કરતા એકદા સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવા પિતનપુરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણને માટે વાયુમાર દેવતાઓએ એક યોજન પૃથ્વીને માજન કરી, મેઘકુમારોએ તે ઉપર સંગધી જળને છંટકાવ કર્યો, વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણિઓથી તેનું તળ ચારે તરફ બાંધી લીધું, અને તેની ઉપર જાનુ પ્રમાણ પંચવણું પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તે દિશાઓના જાણે બ્રકટીભંગ હોય તેવા પ્રત્યેક દિશામાં તેણે બાંધીને તેના મધ્ય ભાગમાં અઢી ગાઉ ઊંચી તેમણે એક પવિત્ર મણિમય પીઠ બાંધી. તેની નીચે ભવનપતિઓએ જાણે પૃથ્વીને મુગટ હોય તેવો સુવર્ણના કાંગરાવાળે પહેલે રૂપાનો કિલ્લો બાંધ્યું. તેની અંદર જ્યોતિષી દેવતાઓએ પિતાના તેજ વડે જાણે રચ્યું હોય તે રત્નના કાંગરાવાળે સુવર્ણનો કિલ્લે
તેની અંદર વિમાનપતિઓએ માણિક્યના કાંગરાવાળે દિવ્યરત્નમય ત્રીજો કિલ્લે
. દરેક કિલ્લે તોરણ સહિત ચાર ચાર દ્વારા ર્યા. મધ્ય કિલ્લાની ઈશાન દિશામાં મધ્યભાગે એક દેવ છેદ . છેલલા ગઢની ગર્ભભૂમિમાં વ્યંતર દેવતાઓએ નવસો ને સાઠ ધનુષ ઊંચુ એક ચિત્યવૃક્ષ વિકુવ્યું. તેની નીચે પૂર્વ રચિત મણિપીઠની ઉપર તેઓએ એક પ્રતિછંદ કર્યો, અને તેની મધ્યમાં પૂર્વાદિ ચારે દિશા તરફ ચરણપીઠ સહિત એક એક સિંહાસન સ્થાપિત કર્યું. તે સિવાય બીજું પણ જે જે કરવા ગ્ય કાર્યું હતું તે તે
૧. આ યક્ષનું બીજુ નામ મનુજ છે. ૨. આ યક્ષણીનું બીજુ નામ શ્રીવત્સા છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૫
પર્વ ૪ થું વ્યંતર દેવતાઓએ પૂર્ણ કર્યું. કારણકે ભક્તિમાન પુરુષો અપ્રમાદ વડે સેવકોથી પણ ચડીઆતા થાય છે. ત્યાર પછી આકાશમાં રહેલા ત્રણ છત્રોથી શોભતા, બંને પડખે બે યક્ષોથી ચામર વડે વીંજાતા, આગળ ચાલતા ઇંદ્રધ્વજથી શોભતા, બંદીજનોની જેમ પોતાની મેળે વાગતી દુંદુભિ જેમની આગળ મંગલિક શબ્દ ઉચ્ચારી રહી છે એવા, સૂર્યથી ઉદયાચલની જેમ ભામંડલથી પ્રકાશતા, કોટીગ મે સુર, અસુર તથા નરેથી પરવારેલા, દેવતાઓએ આગળ સંચાર કરેલા નવ સુવર્ણ કમલની ઉપર ચરણકમલને આપણુ કરતા અને પ્રકાશમાન ધર્મચક્ર વડે જેમને અગ્રદેશ અધિછિત છે એવા શ્રેયાંસ ભગવાને પૂર્વાદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. પછી ગુંજારવ કરતા ભ્રમરાઓના ધ્વનિથી જાણે સ્વાગતને પૂછતું હોય તેવા ચૈત્યવૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને નમતીથ એમ કહી કમલની કર્ણિકાના પ્રતિષ્ઠદરૂપ પૂર્વાભિમુખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું, અને બીજી ત્રણ દિશાઓમાં રત્નના સિંહાસન પર પ્રભુનાં પ્રતિબિંબ વ્યંતર દેવતાઓએ વિકુળં. પછી પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરીને સાધુઓ અગ્નિખૂણમાં અનુક્રમે બેઠા, અને વૈમાનિકની સ્ત્રીઓ અને સાધ્વીએ તેમની પાછળ ઉભી રહી. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી અહંત પ્રભુને નમસ્કાર કરી ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની સ્ત્રીઓ નૈઋત્ય દિશામાં બેઠી; પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને પ્રણામ કરી ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરે વાયવ્ય દિશામાં એકા. અને ઉત્તર દ્વારથી પ્રવેશ કરી ભગવંતને નમી અનકમે ઈશાન દિશામાં વૈમાનિક દે, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. એવી રીતે ત્રીજા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, મધ્ય કિલ્લામાં તિર્યંચ અને નીચેના ગઢમાં તેમનાં વાહને ગોઠવાયાં.
તે વખતે રાજપુરુષોએ આવી ત્રિપૃષ્ટ અદ્ધચક્રવર્તીને હર્ષથી કહ્યું- “ભગવાન શ્રેયાંસ પ્રભુ ઉદ્યાનમાં સમેસર્યા છે. આ વાર્તા સાંભળી સા સિંહાસન પરથી ઉઠી, પાદુકાને તજી દઈ ત્રિપૃષ્ઠ વાસુદેવે પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણીને કહેનારા પુરુષોને સાડા બાર કોટી સોનૈયા આપ્યા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ મટી સમૃદ્ધિએ યુક્ત થઈ, બળભદ્ર સહિત સર્વ પ્રાણીઓને શરણ રૂપ એવા પ્રભુના સમવસરણ સમીપે આવ્યા અને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી વિધિ પ્રમાણે પ્રભુને વંદના કરી બલભદ્રની સાથે ઇંદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્ર ફરીથી ઉભા થઈ ભગવંતને પ્રણામ કરી ભક્તિભાવિત ગિરાથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પરમેશ્વર ! અમંદ આનંદના ઝરાને આપનારા અને મોક્ષના કારણભૂત એવા તમને મોક્ષને અર્થે અમારો નમસ્કાર છે તમારા દર્શન માત્રથી જ પ્રાણી બીજાં કર્મોને ભૂલી જઈ આત્મારામ થાય છે, તે તમારી દેશના સાંભળવાથી તે શું ન થાય ! આ “સંસારરૂપી મરૂ દેશમાં તમારે અવતાર થવાથી જાણે ક્ષીર સમુદ્ર પ્રગટ હોય, કલ્પ“વૃક્ષ ઉગ્યું હોય કે મેધ વચ્ચે હોય તેમ જણાય છે. કૂરકર્મરૂપ નઠારા ગ્રહો વડે પીડા
પામતા એવા આ વિશ્વનું રક્ષણ કરવા માટે તમે અગ્યારમા જિતેંદ્ર જ્યોતિષીઓના “પતિ (ચંદ્ર) રૂપે ઉદય પામ્યા છે. સ્વભાવથીજ નિર્મલ ઈક્વાકુ રાજાઓનું કુળ જળ“વડે સફાટિકની જેમ તમે વિશેષ નિર્મલ કરેલું છે. હે પ્રભુ! ત્રણ જગન્નાં સર્વ પ્રકારના
સંતાપને હરવાથી તમારૂ ચરણમૂલ સમગ્ર પ્રકારની છાયાઓથી પણ અધિક થાય છે. “હે જિનેશ્વર ! તમારા ચરણકમલમાં ભ્રમર રૂપે રહેતાં મને એટલો બધે હર્ષ પ્રાપ્ત
૧૪
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સગ ૧ લે
“થાય છે કે જેથી ભોગને માટે કે મોક્ષને માટે મને સ્પૃહા રહેતી નથી. હે જગન્નાથ! “ભવભવ તમારા ચરણનું મને શરણ થ” એવી હું પ્રાર્થના કરું છું. તમારી સેવાથી શું સાધી શકાતું નથી?”
આ પ્રમાણે ઈદ્ર, વાસુદેવ અને બલદેવ સ્તુતિ કરી વિરામ પામ્યા પછી શ્રેયાંસ પ્રભુએ શ્રેયના હેતુરૂપ દેશના આપવાને આરંભ કર્યો.
“આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઊર્મિઓથી * આ સ. અવળો ને ઊચે નીચે અર્થાત ઊર્વ. અધે ને તિર્થો લેકમાં ભમ્યા કરે છે. પવનથી “જેમ દબિંદુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિજ રા વડે આઠે કર્મો કરી
જાય છે. સંસારના બીજેથી ભરેલાં એવાં કર્મોની નિર્જ રણ કરવાથી તેનું નામ નિર્જર કહેવાય છે, તે નિર્જરા સકામ અને અકામ એવા બે પ્રકારની છે. જેઓ યમનિયમના ધરનારા છે તેમને સકામ નિર્જરા થાય છે અને બીજા પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપકવતા ફલની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. “જેમ સુવર્ણ દોષવાળું હોય પણ પ્રદીપ્ત અગ્નિ વડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અગ્નિ વડે
સદોષ જીવ પણ શુદ્ધિને પામે છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. “અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા-એ છ પ્રકારે
બાહ્ય તપ કહેવાય છે, પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન“એ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. આ બાહ્ય અને અત્યંતર તારૂપી અગ્નિને
પ્રજવલિત કરીને નિયમધારી પુરુષ પોતાના દુર્જરે એવાં કમેને પણ જરાવી દે છે. જેમ “કેઈ સરવરનું દ્વાર ઉપાથી સર્વ તરફ બંધ કર્યું હોય તે પછી નવા જલપ્રવાહથી તે
કદિ પણ પુરતું નથી, તેવી રીતે સંવરથી આવૃત થયેલો જીવ આશ્રવરૂપ દ્વારા રે “કરવાથી નવાં નવાં કર્મ દ્રવ્ય વડે પૂરા તે નથી. પછી જેમ પૂર્વે સંચિત થયેલું સરોવરનું
જળ સૂર્યનાં પ્રચંડ કિરણોના અવિચ્છિન્ન તાપથી સુકાઈ જાય છે, તેમ પૂર્વે બાંધેલાં “પ્રાણીઓનાં કર્મ પણ તપસ્યાના તાપથી તત્કાલ ક્ષય પામી જાય છે. નિર્ભર “કરવામાં બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાનનું એક “છત્રરાજ્ય રહેલું છે, એમ મુનિઓ કહે છે. કારણકે ધ્યાન ધરનારા યેગીઓના ચિરકા“લથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબલ કર્મ પણ તત્કાલ નિર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલે શારીરિક દેષ લંઘન કરવાથી શોષાઈ જાય છે તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ ક્ષય પામી જાય છે; અથવા મેઘનો સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ “તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કર્મનો સમૂહ વિનાશ પામે છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થ પણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની તપસ્યાથી થતી નિર્જ વડે કમેને જરાવનારો શુદ્ધ બુદ્ધિવાળે “પુરુષ સર્વ કર્મોથી રહિત એવા મોક્ષને પામે છે. ''
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને તે વખતે ઘણા લેકોએ દીક્ષા ગ્રહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમકિત પ્રાપ્ત કર્યું. પ્રથમ પોષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે ત્રિપૃષ્ટ વાસુદેવના પુરુષે ચારપ્રસ્થ (આઠશેર)ના પ્રમાણવાળા બલિ લાવ્યા. તે બલિ પ્રભુની પાસે ઉડાડ. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લઈ લીધે. બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધે, અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો; પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય પ્રમાં રહેલા દેવછંદ ઉપર જઈ બેઠા. એટલે
Page #134
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૦૭ છેતેર ગણધરમાં મુખ્ય એવા ગશુભ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી. જયારે બીજી પરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી એટલે ઈદ્ર વાસુદેવ, બલરામ વિગેરે સર્વ પિતપોતાને સ્થાને ગયા. અને જાણે બીજે સૂર્ય હોય તેમ જ્ઞાનરૂપ આલેકને વિસ્તરતા પ્રભુએ તે સ્થાનથી બીજે સ્થળે વિહાર કર્યો.
કેવલજ્ઞાન થયા પછી બે માસે ઉ| એકવીશ લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રેયાંસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધ્વીઓ, તેરસે ચૌદ પૂર્વધારી, છ હજાર અવધિજ્ઞાની, છ હજાર મન:પર્યવજ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને એ ગણાશી હજાર શ્રાવક અને ચાર લાખ ને અડતાળીસ હજાર શુભ શ્રાવિકા–એટલે પરિવાર થયે. પછી પોતાને મોક્ષકાળ નજીક જાણીને સમેત શિખર પર્વતે આવી પ્રભુએ એક હજાર મુનિઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે શૈલેશી ધ્યાને રહી, શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાને દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં હજાર મુનિએની સાથે શ્રી શ્રેયાંસપ્રભુ અનંત દર્શન, જ્ઞાન વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા. - કૌમાર વયમાં એકવીશલાખ, રાજ્ય પાળવામાં બેંતાળીશ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ–એમ સર્વ મળીને ચોરાશીલાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાલ પછી છાસઠલાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સે સાગરોપમે ઉણા એક કોટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસ પ્રભુને નિર્વાણકાલને મહોત્સવ થયે હતે. તે નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ દેવતા અને ઇદ્રોએ મળીને કર્યો હતો. “મહપુરુષોને અંતકાલ પણ પર્વ રૂપે થાય છે, શોક રૂપે થતું નથી.”
હવે ત્રિપૃષ્ણ વાસુદેવે બત્રીશહજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે સુખે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય નિગમન કર્યું. અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી જયેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે બે પુત્ર થયા. એકદા રતિસાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપૃષ્ઠની પાસે મધુર સ્વરથી કિનરને ઉલંઘન કરે તેવા કેટલાએક ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગોથી મધુર ગાયન કરી સર્વ કલાનિધિ એવા ત્રિપૃષ્ઠ વાસુદેવનું હૃદય હરી લીધું. તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ તેઓને ત્રિપૃથ્ય પોતાની પાસે રાખ્યા, કારણ કે બીજા સામાન્ય જને પણ ગાયનથી રંજીત થાય છે, તે તેને જાણનારાઓમાં અગ્રણી એવા ત્રિપૃષ્ઠ વાસુદેવ કેમ રંજીત ન થાય? એક વખતે ઈદ્રની પાસે ગંધર્વોની જેમ રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ઠ વાસુદેવની પાસે તેઓ તારસ્વરે ગાવા લાગ્યા. હસ્તીની જેમ તેમના ગાયનથી જેમનું હૃદય આક્ષિપ્ત થયેલું છે એવા ત્રિપૃષ્ઠ વાસુદેવે વારા પ્રમાણે આવેલા એક પિતાની શય્યાના પાલકને આજ્ઞા કરી કે “જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને તે વિદાય કરી દેજે, કારણકે જયારે સ્વામી અવધાન રહિત હોય ત્યારે સર્વ પ્રયાસ વ્યર્થ થાય છે.” સ્વામીની આવી આજ્ઞાને શા પાલકે સ્વીકાર કર્યો, અને થોડીવારમાં તો ત્રિપૃષ્ઠ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી. પણ શય્યાપાલે સંગીત સાંભળવાનો લોભથી તે ગવૈયાઓને વિદાય કર્યા નહીં. કારણકે જેમનું મન વિષયોથી વ્યાક્ષિપ્ત થાય છે તેઓના મનમાંથી સ્વામીની આજ્ઞા ગલિત થઈ જાય છે. આ પ્રમાણે ગાયનમાંજ રાત્રિને ચોથો પ્રહર થઈ ગયે એટલે પાછલી રાત્રિએ ત્રિપૃષ્ઠ વાસુદેવ જાગૃત થયા, તે વખતે ગાયકોને અક્ષીણ સ્વર તેમના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેણે શવ્યાપાલને પૂછ્યું-“આ બિચારા કષ્ટકારી ગવૈયાને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સર્ગ ૧ તે અદ્યાપિ પયત કેમ વિદાય કર્યા નહીં, શય્યાપાલે કહ્યું-“હે પ્રભુ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય કરી ન શકે, અને આપના શાસનનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ પ્રમાણે સાંભળીને તરતજ વાસુદેવને કેપ ઉત્પન્ન થયે, પણ તે વખતે તે તેને ગેપવી રાખે. પછી પ્રાત:કાલે પૂર્વ દિશામાં સૂર્યની જેમ સભામાં સિંહાસન પર આરૂઢ થયા. તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શવ્યાપાલને બોલાવી વાસુદેવે સેવપુરુષોને આજ્ઞા કરી કે “આ ગાયનની પ્રીતિવાળા પુરુષના કાનમાં તપેલું તરવું અને તાંબુ રેડે, કારણકે એ કાનનેજ દે છે. તેઓએ શધ્યાપાલને એકાંતમાં લઈ જઈને તે પ્રમાણે કયું, કારણકે ઉગ્ર શાસનવાળા રાજાઓની આજ્ઞા દુર્લક્ય હોય છે. એની વેદનાથી શવ્યાપાલ તરતજ મરણ પામ્યા, અને વાસુદેવે મહા માઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું.
નિત્ય વિષયમાં આસક્ત, રાજ્યમૂચ્છમાં પરાયણ, ભુજબલના ગર્વથી જગતને તૃણ સમાન ગણનાર, પ્રાણાતિપાત (જીવહિંસા)માં નિ:શંક, મહારંભ પરિગ્રહવાળા અને ક્રૂર અધ્યવસાયથી સમકિતરૂપ આભૂષણને નાશ પમાડનાર એવો ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું આયુષ્ય બાંધી, રાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકભૂમિમાં ગયો. ત્યાં પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં રહી પાંચસે ધનુષ ઉન્નત શરીરવાળા તેણે તેત્રીશ સાગરોપમ સુધી મહાકિલષ્ટ કર્મોનું ફળ અવલોકન કર્યું. ત્રિપૃષ્ટ વાસુદેવને કુમારવયમાં પચીશ સહસ, માંડલિકપણામાં પચીશ સહસ, દિગ્વિજયમાં એક સહસ્ત્ર, અને રાજય પાળવામાં ત્રાશીલાખ ને ઓગણપચાસ હજાર વર્ષ–એમ સર્વ મળી ચોરાશીલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
પિતાના અનુજ બંધુના પંચત્વથી ઉત્પન્ન થયેલા શેકવડે રાહુથી સૂર્યની જેમ અચલ બલદેવ પરાભવ પામ્યા. પિતે વિવેકી હતા તે છતાં પણ બ્રાતૃસ્નેહના વશથી જાણે અવિવેકી હોય તેમ ઊંચે કરૂણ સ્વરે રૂદન કરવા ધાગ્યા. તે વિલાપ કરતાં બોલ્યા કે “ હે બંધુ ! તમે બેઠા થાઓ, આવા શયનકર્મ માં આવે આગ્રહ કેમ રાખે છે ? પુરુષસિંહ એવા તમને હાલ આવું અપૂર્વ આલસ્ય ક્યાંથી પ્રાપ્ત થયું ? હે ભાઈ આપણા દ્વાર આગળ સર્વ રાજાઓ તમારા ચરણના દર્શન કરવાને ઉત્સુક થઈ ઉભા છે, તે દીન રાજાએની ઉપર તમારે પ્રસાદ કરે યુક્ત છે. હે બાંધવ ! કીડા અર્થ તમારે આવું મૌન રાખવું ઘટતુ નથી. કારણકે તમારી વાણીરૂપ અમૃત વિના મારું હૃદય ભંગ થઈ જાય છે, હે પ્રિયભાઈ ! મેટા ઉત્સાહવાળા અને વડિલની ભક્તિવાળા એવા તમને આવી રીતે નિદ્રા અને મારી અવજ્ઞા કરવી સર્વથા સંભવતી નથી. અરે ! હું ઉગ્ર વિધિથી હત થઈ ગયો, મારી પર આ શું દુઃખ આવી પડયું !” આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં બલદેવ મૂછ પામીને પૃથ્વી ઉપર પડયા. ક્ષણવારે સંજ્ઞા મેળવી બેઠા થઈ ટળવળી “હા બ્રાત ! હા ભ્રાત !' એમ ઊંચે સ્વરે આનંદ કરવા લાગ્યા. અને વાસુદેવને પિતાના ઉલ્લંગમાં લીધા. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરીને તેમણે અનુજ બંધુનું અંગસંસ્કારાદિ કૃત્ય કર્યું. ઉત્તરક્રિયા ક્યા પછી પણ પોતાના અનુજ બંધુને વારંવાર સંભારી સંભારીને શ્રાવણ માસના મેઘની પેઠે તેમણે ભેચનમાંથી અશ્રુપ્રવાહ પાડ્યા કર્યો. ત્યારપછી ઉદ્યાનમાં અરણ્યની પેઠે, ઘરમાં સમશાનની પેઠે, ક્રીડાસવ૨માં કે નદીમાં ઘરની ખાળાની પેઠે અને બંધુસમાજમાં શત્રુઓના સમાજની પેઠે બલભદ્રને અલ્પજલમાં મત્સ્યની જેમ જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. પછી અનુક્રમે
Page #136
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૦૯ શ્રેયાંસ પ્રભુની શ્રેયકારી વાણીના સ્મરણથી સંસારની અસારતા ચિંતવીને તેઓ વિષયથી પરા-મુખ થયા, પણ સ્વજનેના આ ગ્રહથી કેટલાએક દિવસ ઘરમાં રહ્યા. એકદા ધર્મઘેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બળદેવ તેમના ચરણ સમીપે પ્રાપ્ત થયા, એને અહં. તની વાણીનો અનુવાદ કરનારી તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ પ્રાપ્ત થયે. તત્કાલ શુદ્ધ બુદ્ધિવાળા તેમણે તે આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. કારણકે મહાશયે જાણ્યા પછી તરત જ આચરણ કરવામાં પ્રવ છે. સદ્દગુણ બલદેવ મુનિએ મૂલ તથા ઉત્તર ગુણોનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહોને સહેતાં, વાયુની પેઠે પ્રતિબંધ રહિત રહેતાં અને સર્પની જેમ એવ દૃષ્ટિથી અવલોકન કરતાં ગ્રામ, આકર તથા પુરાદિકમાં કેટલાક કાલ સુધી વિહાર કર્યો. સ્વભાવથી જ જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ છે એવા અચલ બલભદ્ર પંચાશી લાખ વર્ષો નિર્ગમન કરી, છેવટ સર્વે કર્મનો ઘાત કરી મોક્ષપદમાં નિવાસ પામ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थं पर्वणि श्रीश्रेयांससत्रिपृष्टाचलाश्वग्रीव
વળને નામ પ્રથમ: સઃ ૨I.
Page #137
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે.
શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. ઈદ્ર અને ઉપેદ્રોના મુગટના અગ્રભાગથી જેમના ચરણના નખની પંક્તિ ઘસાયેલી છે એવા વિશ્વને પૂજવા લાયક અને વિશ્વનું રક્ષણ કરનાર શ્રીવાસુપૂજય ભગવાનને નમસ્કાર કરીને રૂપસ્થ ધ્યાનમાં રહેલે હું અહતની જેમ વિશ્વને પવિત્ર કરનાર અને ચંદ્રથી પણ અતિ નિમલ એવું તે પ્રભુનું ચરિત્ર હવે કહીશ.
પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતિ નામના વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તે નગરીમાં સર્વલક્ષ્મીઓથી અધિક અને ચંદ્રની જેમ સર્વ જનને વલલભ પડ્યોત્તર નામે રાજા હતું. બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજજવલ શાસનને હંમેશાં હૃદયમાં ધારણ કરતા હતા. ગુણેને મંદિરરૂપ તે રાજાને લક્ષ્મી અને કીર્તિ બંને જાણે જોડલે જન્મી હોય તેમ સાથેજ વધવા લાગી. રાજાએ માં શિરે મણિરૂપ પોત્તર રાજાએ સમુદ્ર રૂપ ફરતા વસ્ત્રવાળી બધી પૃથ્વી ઉપર ફરતી ખાઈની કટિમેખલાવાળી એક નગરીની જેમ ઉત્તમ રાજય ચલાવવા માંડ્યું.
લક્ષ્મી વિઘતના જેવી ચપલ છે, શરીર વયની પેઠે નાશવંત છે, લાવણ્ય કમલના પત્રઉપર રહેલા જલબિંદુના જેવું અસ્થિર છે, અને બાંધ માર્ગમાં એકઠા મળેલા વટેમાની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે. એવી રીતે હૃદયમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ જેથી એકદા મોટા મનવાળા એ રાજાએ વજનાભ ગુરૂના ચરણકમલ સમીપે જઈ મુકિતરૂપ લક્ષમીને પ્રાપ્ત કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત પ્રભુની ભકિત વિગેરે કેટલાક ઉજજવલ સ્થાનકેનું આરાધન કરીને સદ્દબુદ્ધિવાળા તે રાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ખડની ધારા જેવું તીણુ એ વ્રત ઘણું કાલ પર્યત પાળી પ્રાંતે કોલ કરીને પ્રાણત નામના દશમા દેવલોકમાં તે મહદ્ધિક દેવતા પણે ઉત્પન્ન થયે.
જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પૃથ્વીની ચંપકના પુષ્પમય શિરોભૂષણ જેવી ચંપા નામે એક નગરી છે. એ નગરીમાં રત્ન મણિમય ભી તેવાળા રૌની અંદર પ્રતિબિંબિત થયેલા લેકે જાણે વૈકયરૂપને ધારણ કરતા હોય તેવા જણાય છે. રાત્રિએ જેમાંથી જળ ના નિઝરણું ઝરે છે એવા ચંદ્રકાંત મણિના પગથીઆવાળી અને સ્વયમેવ જોત્પત્તિવાળી કીડાવાપિકાઓ ત્યાં પ્રત્યેક મંદિરે શોભે છે. સુગંધી ધૂપના ધૂમાડાની શ્રેણીઓથી અનેક વાસાગરે સર્પિણીઓથી પાતાળભવનની જેમ સારી રીતે શોભે છે. જેમાં નગરની સ્ત્રીઓ નિરંતર ક્રીડા કરે છે એવા ક્રીડાસરોવર ક્ષીર સમુદ્રમાંથી નીકળતી અપસરાઓના વિલાસને ધારણ કરે છે. લીલાથી ષડૂજ સ્વરવાળી ષડૂજ કેશિકી નામની ગતિને ગાયન કરનારી ત્યાંની સ્ત્રીઓ મયુરની કેકાવાણી સાથે સ્પર્ધા કરે છે. ત્યાંના ધનાઢય લોકોના મંદિરમાં તાંબૂલની બીડીને ધારણ કરતી સ્ત્રીઓ પઢાવાને માટે હાથમાં પોપટ રાખીને ફરતી હોય તેવી જણાય છે. તે નગરીમાં પરાક્રમથી જાણે ઈદ્ર હોય અને કાંતિથી
Page #138
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૧૧ જાણે સૂર્ય હોય તેવા ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા વસુપૂજ્ય નામે રાજા છે. મેઘ જેમ ગર્જના કરીને પછી જળવડે પૃથ્વીને તૃપ્ત કરે છે તેમ એ રાજા યાચકને બોલાવવાને ઢંઢરે પીટાવીને પછી ધન વડે સર્વને તૃપ્ત કરતે હતો. પ્રતાપ માત્રથી શત્રુઓને દબાવનારા એ રાજાના અનેક સૈનિકે દિગ્વિજયને માટે નહીં પણ ફક્ત ક્રિીડા કરવાને માટે જ પૃથ્વીમાં ફરતા હતા. આજ્ઞારૂપી સારવાળે એ રાજા દુષ્ટોને સખ્ત શિક્ષા કરતું હતું, તેથી “ચાર' એ શબ્દ નામ કેશમાંજ ફક્ત જોવામાં આવતો હતો, લોકોમાં નહીં. ધર્મશાળી પુરૂષોમાં પ્રીતિ વાળા એ રાજાએ શ્રીવત્સ ચિન્હની પેઠે સર્વજ્ઞના પવિત્ર શાસનને હૃદયમાં ધારણ કરેલું હતું.
પિતાના કુળરૂપે સરોવરમાં હંસી જેવી, રૂપથી રતિને જીતનારી અને પ્રીતિનું પાત્ર એવી જયા નામે તેમને પટ્ટરાણી હતી. વક્ર અને મંદ ગમન કરનારી એ રમણી, ગંગા અસ્ત થવાને વખતે (પ્રાંતે) જેમ સમુદ્રમાં પેસે તેમ વસુપૂજ્ય રાજાના મનમાં પેસતી હતી, અને શુદ્ધ સ્ફટિક મણિની જેવા નિર્મળ એ રાણીની ચિત્તમાં સદ્દભક્તિથી પરમાત્માની જેમ વસુપૂજ્ય રાજા પેસતા હતા. રૂપલાવણ્ય અને નિર્મલ ગુણોથી સદશ એવા એ રાજદંપતિને વિલાસ કરતાં કરતાં અદ્વૈત સુખમય સર્વકાળ નિર્ગમન થતું હતું. આ તરફ પ્રાણત દેવલોકમાં પક્વોત્તર રાજાના જીવે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું; પછી જયેષ્ઠ માસની શુકલ નવમીએ શતભિષા નક્ષત્રને ચંદ્ર સાથે મેંગ થતાં ત્યાંથી
વીને તે યાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલા જયાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વને જયાં. અશ્વની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ જયાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે ફાલ્શનમાસની કૃષ્ણ ચતુર્દશીએ વરૂણ નક્ષત્રમાં રાતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. આસન કંપ વડે છપ્પન દિકકુમારીઓએ પ્રભુના જન્મને જાણી પ્રભુ અને તેમની માતાનું યાચિત સૂતિકામ કર્યું. ત્યાર પછી પાલક વિમાન ઉપર આરૂઢ થઈને શક ઈદ્ર પિતાનો પરિવાર લઈ ત્યાં આવ્યા. અને તત્કાલ પ્રભની જેમ પ્રભના સતિકા ગૃહને પ્રદક્ષિણા કરી. પછી તેમાં પ્રવેશ કરી, જયાદેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી તેમની પડખે પ્રભુના પ્રતિબિંબને સ્થાપન કરી, પોતે પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બીજા રૂપે છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા. ત્યાંથી સુમેરૂ પર્વત પર જઈ અતિ પાંડકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને કેન્દ્ર બેઠા. તે અવસરે અય્યદ્ર વિગેરે ત્રેસઠ ઇદ્રોએ તીર્થના જલથી ભરેલા કુંભ વડે પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાનકલ્પના અધિપતિના ઉત્સંગમાં શક ઈદ્ર પિતાના ચિત્તની જેમ પ્રભુને સ્થાપન કર્યા, અને ભક્તિમાં ચતુર એવા તેણે પ્રભુની આસપાસ ચારે દિશાઓમાં સ્ફટિકમણિના ચાર વૃષભ વિકલૈં. સ્નાનવિધિની વિલક્ષણતામાં ચતુર એવા શક્રેન્ડે તે વૃષભના ઇંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે ચાર વૃષભેને અંતહિત કરી પ્રભુના શરીરને લુછી ગોશીર્ષચંદનથી વિલેપન કર્યું. અને દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્પોથી પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારી આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી.
“ હે નાથ ! ચક્રવર્તીઓના ચકાથી, વાસુદેવના ચક્રથી, ઈશાનંદ્રના ત્રિશલથી, મારા વાથી અને બીજા ઇંદ્રોનાં અસ્ત્રોથી પણ જે કર્મો કઈ દિવસ ભેદોતાં નથી તે કર્મો તમારા દર્શન માત્રથી ભેદાઈ જાય છે. ક્ષીર સમુદ્રની વેલાથી, ચંદ્રાદિકની કાંતિથી,
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સર્ગ ૨ જે “મેઘની ધારાઓથી, ગોશીષચંદનના લેપનથી અને કદલીઓના ઘાટા ઉદ્યાનથી જે “દુઃખોનો પરિતાપ શમી જતો નથી તે તમારા દર્શન માત્રથી તત્કાલ શાંતિ પામી જાય છે. અનેક પ્રકારના કવાથ (ઉકાળા)થી, જાતજાતના ચૂણેથી, ઘણા પ્રકારના લેપથી,
અનેક પ્રકારની શસ્ત્રક્રિયાથી તથા બહુ રીતના મંત્રપ્રયોગોથી જે રગે છેરાતા નથી તે “ કહેવું ! ટુંકામાં એટલું કહેવાનું છે કે જે કાંઈ આ જગતમાં અસાધ્ય છે તે તમારા “ દર્શન માત્રથી સાધ્ય થઈ જાય છે. માટે હે જગત્પતિ ! આ તમારા દર્શનનું હું એ ફલ “ ઈચ્છું છું કે વારંવાર મને તમારું દર્શન થાઓ.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, તેમને લઈ યાદેવીને પડખે મૂકી પ્રભુને નમસ્કાર કર્યો. પછી દેવીની અવસ્થાપિની નિદ્રા હરી, તેમના પડખામાંથી પ્રભુનું પ્રતિબિંબ લઈ શક્ર ઈદ્ર સ્વર્ગમાં ગયો, અને બીજા ઈંદ્રો મેરૂપર્વતથી પરંભાર્યા સ્વસ્થાને ગયા.
પછી પ્રાતઃકાલે કમલેને વિકાસ કરનારા સૂર્યોદયની જેમ જગતના ચિત્તોને વિકાસ કરનાર વસુપૂજ્ય રાજાએ જન્મોત્સવ કર્યો, અને વસુપૂજ્ય તથા જયદેવીએ શુભ દિવસે પ્રભુનું વાસુપૂજ્ય એવું યથાર્થ નામ પાડયું. શક્ર ઇદ્ર અંગુઠામાં સંક્રમાવેલા અમૃતને ચુસવાથી પ્રભુ વધવા લાગ્યા. કારણ કે અહંત ભગવાનને ધાત્રી માતાઓ બીજા કાર્ય કરવાથી જ ગણાય છે, સ્તનપાન કરાવ્યાથી ધાત્રી ગણાતી નથી. ઇંદ્રની આજ્ઞાથી પાંચ દેવાંગનાઓ ધાત્રીપણે છાયાની પેઠે પ્રભુની સાથે રહેતી હતી, અને તેમનાથી લાલનપાલન થયેલા પ્રભુ વૃદ્ધિ પામતા હતા. સમાન વયના થઈને આવેલા દેવકુમારની સાથે કોઈવાર સુવર્ણરત્નમય દિવ્ય દડાઓથી, કોઈવાર હીરારનજડિત શંકુલા (ડી)થી કઈવાર ભ્રમરની પેઠે ભમવાની ક્રીડાથી, કોઇવાર માંહોમાંહી દાવ કરી આ મલીના વૃક્ષ ઉપર ચડવાની ક્રીડાથી, કઈવાર ફાલ મારવાની ક્રિીડાથી, કોઈવાર ઠેકવાથી રમતથી, કેઈવાર પાણીમાં તરવાથી, કોઇવાર સિંહનાદની રમતથી, કોઈવાર મુષ્ટિયુદ્ધથી અને કોઈવાર બાહુયુદ્ધથી કીડા કરતા એવા પ્રભુએ બાલ્યપણાને યોગ્ય એવી શિશુવય નિર્ગમન કરી.
અનકમે સીત્તોર ધનુષ ઊંચા ને સર્વ લક્ષણેએ યુક્ત એવા પ્રભુ મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા. એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય પ્રભુને તેમના માતાપિતા પુત્રપણાને વાત્સલ્યભાવથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“ હે કુમાર ! તમારા જેવા પુત્રના જન્મ માત્રથી જગતુ બધાના અને અમારા સર્વ મનોરથો પૂર્ણ થયા છે, તોપણ કાંઈક તમને કહેવાનું છે કારણકે અમૃતથી કોણ તૃપ્તિ પામે ? મધ્ય દેશમાં વત્સ દેશમાં, ગૌડ દેશમાં, મગદેશમાં, કોશલ દેશમાં, પ્રાગૃતિષમાં, નેપાળદેશમાં, વિદેહદેશમાં, કલિંગદેશમાં, પુંડ્ર દેશમાંતામ્રલિપ્તમાં, મૂલ દેશમાં, મલય દેશમાં, મુદ્રગર દેશમાં, મતલવર્ણા દેશમાં, બ્રહ્મોત્તર દેશમાં, અને બીજા પણ પૂર્વદિશાના આભૂષણરૂપ સર્વ દેશોમાં તથા ડાહલ દેશમાં, દશાર્ણદેશમાં, વિદર્ભ દેશમાં, અમક દેશમાં, કુંતલ દેશમાં, મહારાષ્ટ્ર દેશમાં, અંધ્ર દેશમાં, મુરલ દેશમાં, કથકૅશિક દેશમાં, સુપ્પર દેશમાં, કેરલ દેશમાં. દ્રમિલ દેશમાં, પાંડ દેશમાં, દંડક દેશમાં, ચૌડ દેશમાં, નાશિક્ય દેશમાં, કોંકણ દેશમાં. કૌર વાનવાસ દેશમાં, કોલ્લાદ્રિમાં, સિંહલ દેશમાં અને બીજા પણ દક્ષિણ દિશાના દેશોમાં, સૌરાષ્ટ્ર દેશમાં, ત્રિવણ કેશમાં, દશેરક દેશમાં, અબુદાચલમાં, કચ્છ દેશમાં, આવર્તક દેશમાં, બ્રાહ્મણવાહમાં, યવન દેશમાં, સિંધુ દેશમાં અને બીજા પણ પશ્ચિમ દિશાના દેશોમાં, તથા શક દેશમાં, કેક [ કાબુલ) દેશમાં, કેણું દેશમાં, હૂણ દેશમાં,
Page #140
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૧૩ વાનાયુજ દેશમાં, પંચાલ દેશમાં, કુલૂત દેશમાં, કાશમીર દેશમાં, કાંબોજ દેશમાં, વાત્વિક દેશમાં, જાંગલ દેશમાં, કુરૂ દેશમાં અને બીજા પણ ઉત્તર દિશાના દેશમાં, તથા દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રના સીમાડાની પાજ જેવા શૈતાઢય પર્વતની બંને શ્રેણીમાં અને જુદા જુદા અનેક દેશોમાં કુલીન, પંડિત, શૂરવીર, મોટા ખજાનાવાળા, યશસ્વી, ચતુરંગ સૌન્યવાળા, પ્રજાપાલનમાં પ્રખ્યાત, નિષ્કલંક, સત્ય પ્રતિજ્ઞાવાળા અને ધર્મના અનુરાગી જે રાજાઓ અને ખેચશ્વર રહેલા છે તે સર્વે મોટી ભેટ સહિત પિતાની કન્યાઓ તમને આપવાને અબ્રાંતપણે વારંવાર અમારી પ્રાર્થના કરે છે. તેથી તેઓની કન્યાઓ સાથે તમારા વિવાહોત્સવના દર્શન આપીને તેમના તથા અમારા મનોરથને પૂર્ણ કરે, અને કુલકેમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરે. કારણ કે હવે વૃદ્ધાવસ્થામાં અમારે વ્રત ગ્રહણ કરવું એજ ઉચિત છે.” આવા માતાપિતાનાં વચન સાંભળીને વાસુપૂજ્ય ભગવાન્ હાસ્ય કરતા બોલ્યા-“હે માતાપિતા ! પુત્ર પ્રેમને યંગ્ય એવાં આ તમારાં વચન યુક્ત છે. પણ આ સંસારરૂપી અરણ્યમાં સાર્થવાહના વૃષભની પેઠે ભમી ભમીને હું ઘણે ખેદ પામી ગયો છું. ક્યા ક્યા દેશમાં, ક્યા ક્યા નગરમાં, કયા કયા ગામમાં, કઈ કઈ ખાણમાં, કઈ કઈ અટવીમાં, ક્યા ક્યા પર્વતમાં, કઈ કઈ નદીમાં, ક્યા ક્યા દ્રહોમાં, કયા કયા બેટમાં, અને કયા કયા સમુદ્રમાં, જાતજાતના રૂપનું પરાવર્તન કરી હું અનંતકાલ નથી ભમ્યો ? હવે તે નાના પ્રકારની યોનિઓમાં ભ્રમણ કરવાના સ્થાનરૂપ આ સંસારને મારે છેદી નાખે છે. માટે સંસારરૂપી વૃક્ષને દોહદરૂપ કન્યાઓની સાથે વિવાહ કરવાની અને રાજયભાર ગ્રહણ કરવાની મારે કાંઈપણ જરૂર નથી. જે તમારે મારે ઉત્સવજ જે હોય તે દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણુ સમયના મહોત્સવ જન્મસમયની જેમ તમારે અને જગતને જેવા યોગ્ય થશે.”
આવાં પુત્રનાં વચન સાંભળીને વસુપૂજય રાજાએ અશ્રુયુક્ત લોચનવડે કહ્યું-“અરે પુત્ર! તું આ સંસાર તરવામાં ઉત્સુક છે એમ હું જાણું છું. તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્નોથી તમારે આ જન્મ સંસારસમુદ્રના પારને લાવનારે છે, એમ અમારા જાણવામાં આવ્યું છે. હું નિઃસંશય કહું છું કે તમે આ ભવસાગર તરી જ ગયા છે અને દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સંબંધી મહોત્સવ પણ અડ થવાના જ છે. તથાપિ તે ઉત્સવોની અંતર્ગત તમારે વિવાહોત્સવ પણ કરવાની મારી ઈચ્છા છે. કારણકે મોક્ષને પામવાને ઈરછતા એવા આપણા પૂર્વજોએ પણ એ ઉત્સવ આચરેલો છે. જુઓ આપણા ઈવાકુ વંશના. આદિ પુરુષ ભગવાન ઋષભદેવજી પિતાના પિતા નાભિરાજાની આજ્ઞાથી સુમંગલા અને સુનંદા નામની બે કન્યાઓ સાથે પર
પ્યા હતા. અને ત્યાર પછી પિતાની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિવ્યવહાર બતાવી, રાજય પાળી, ભાગ ભોગવી જયારે સમય આવ્યો ત્યારે દીક્ષા લીધી હતી અને તે પ્રમાણે ગ્રહણ કરેલી દીક્ષાથી પણ પ્રાંતે એ પ્રભુ મોક્ષને પામ્યા હતા. કારણકે તમારા જેવા પુરુષને તે ગ્રામની જેમ મેક્ષ નજીક હોવાથી પ્રાપ્ત કરવું સહેલું છે. બીજા પણ અજિતનાથથી માંડીને શ્રેયાંસનાથ સુધીના તીર્થકરેએ પિતાના વચનથી ઉદ્વાહ કરીને અને આ પૃથ્વી ઉપર રાજય કરીને પછી મોક્ષને સાધ્યું છે, તેવી રીતે વિવાહ, રાજયશાસન, દીક્ષા અને નિર્વાણના સાધનાથી તમે પણ તે પ્રમાણે કરીને પૂર્વજોને અનુસરો.”
આવાં પિતાનાં વચન સાભળી વાસુપૂજય કુમારે નમ્રતાથી કહ્યું-“હે પિતાજી! એ સર્વ પૂર્વજોનાં ચરિત્રો હું જાણું છું; પણ આ સંસારના માર્ગમાં પિતાના કુળમાં ૧૫
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સગ ૨ જે
ક
કે બીજાના કુળમાં એક બીજાનું સદશપણું કેઈથી પ્રવર્તનવડે કરી શકાતું નથી. જે તીર્થકરેએ વિવાહાદિક કરેલા છે તેઓને ભેગફલવાળાં સવિશેષ કર્મો રહેલા હતા. તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માઓએ ભોગ ભેળવીને તે કર્મોને ખપાવ્યાં હતાં. પણ મારે તે કાંઈ પણ ભોગફલકર્મ અવશેષ રહેલું નથી કે જે મેક્ષમાં વિનરૂપ થાય, માટે મને તે દીક્ષા લેવાની આજ્ઞા આપવાને ગ્ય છે. વળી મલિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથએ ત્રણ ભાવિ તીર્થકરે પણ વિવાહ તથા રાજયને અંગીકાર કર્યા વગરજ મક્તિને મેળવવા માટે દીક્ષા ગ્રહણ કરશે. ચરમ તીર્થંકર શ્રી વીરભગવાન પિતાને ભોગ્ય કર્મ ડું હોવાથી વિવાહ કરશે, પણ રાજય કર્યા વગરજ દીક્ષા લઈ સિદ્ધિ પામશે. તેથી કર્મની વિચિત્રતાને લીધે તીર્થકરોને પણ એકજ માર્ગ નથી. આ પ્રમાણે વિચાર કરી મને આજ્ઞા આપે, અને પ્રેમવડે કાયર થાઓ નહીં.”
આ પ્રમાણે પિતાના માતાપિતાને સમજાવી, જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાલ આસનના કંપવાથી પ્રભુને દીક્ષાઅવસર જાણી લકાંતિક દેવતાઓ બ્રહ્મલોકમાંથી ત્યાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી “હે સ્વામી ! તીર્થને પ્રવર્તાવે' એમ વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તેઓ પિતાના લેકમાં ગયા પછી અનુગ્રહ કરવામાં તત્પર એવા પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. તે દાન આપી રહ્યા પછી વર્ષાઋતુને અંતે પ્રજા જેમ ઇદ્રાત્સવ કરે તેમ ઇંદ્રોએ આવી પ્રભુના દીક્ષાભિષેકનો મહત્સવ કર્યો. પછી સુરઅસુરે એ રચેલી અને સિંહાસનથી સુશોભિત એવી પૃથ્વી નામે શિબિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. તેમાં રહેલા પાદપીઠ ઉપર પિતાના ચરણ મૂકી મણિમય સિંહાસન ઉપર રહેલા પ્રભુ સુવર્ણન કમલ ઉપર રહેલા રાજહંસની પેઠે શેભવા લાગ્યા. કોઈ આગળ રહેલાં પોતપોતાનાં શસ્ત્રોને ઉછાળતા, કઈ દિવ્ય છત્ર હાથમાં રાખતા, કોઈ ચામર ધારણ કરતા, કોઈ પંખા રાખતા, કઈ સગધી પાત્ર ધરતા, અને કોઈ પુષ્પની માલાઓ રાખતા એવા અનેક ઇદ્રોએ પરવરેલા તથા દેવ, અસુર અને મનુષ્યએ સેવેલા જગત્પતિ વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. એ ઉપવનમાં આંબાના અંકુરના સ્વાદવડે હર્ષ પામેલા મધુર શબ્દવાળા કેકિલ ભકિતના ઉત્કર્ષથી જાણે પ્રભુની સ્તુતિ કરતા હોય, પવનના હલાવવાથી ખરી પડેલા પુષ્પોના ગુરછોના બાનાથી નવીન અશોક વૃક્ષો જાણે પ્રભુને અર્યા આપતા હોય, ચંબેલી અને આસોપાલવના પુષ્પોથી ઝરતા એવા મકરંદરસના મિષથી દેવતાએ જાણે પ્રભુના ચરણને ધવાને પાઘજલ આપતા હોય, ચાળીને પુષ્પોમાંથી નીકળતા મધુર રસના પાનથી ઉન્મત્ત થયેલી ભમરીઓનો સમૂહ જાણે પ્રભુની પાસે માંગલિક ગીતો ગાતે હોય, પ્રફુલ્લિત પુષ્પના અત્યંત ભારથી જેમનાં મસ્તક નમેલા છે એવાં કણું કારનાં વૃક્ષો જાણે પ્રભુને અધિક નમસ્કાર કરતાં હોય અને પુષ્પોના આભૂષણોથી રમણિક તેમજ પલવરૂપી હાથને હલાવતી વાસંતી લતાઓએ પ્રભુની પાસે જાણે નૃત્યનો આરંભ કર્યો હોય તેવી રીતે વૃક્ષોને તથા લતાઓને વિશેષ શોભા ઉત્પન કરતા વાસુપૂજય ભગવાને જાણે બીજા વસંતરાજ હોય તેમ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી પ્રભુએ શિબિકા ઉપરથી નીચે ઉતરી ફાલ્ગન માસમાં વૃક્ષે જેમ પત્રોને તજી દે તેમ પુષ્પમાળા તથા આભૂષણે તજી દીધાં. પછી સ્કધભાગ ઉપર ઈદ્ર મૂકેલાં દેવદૂષ્ય વસ્ત્રને વહન કરતા એવા પ્રભુએ ચતુર્થ તપ કરીને પંચમુષ્ટિ લેચ પૂર્વક ફાળુન માસની અમાવાસ્યાને
૧ અન્ય સ્થાનકે વાસુપૂજ્ય અને પાર્શ્વનાથ પરણ્યાનો અધિકાર છે, અહીં ના કહે છે, તત્વ કેવળી ગમ્ય.
Page #142
--------------------------------------------------------------------------
________________
૫ ૪ શું
૧૧૫
દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપરાલ્ડ્રન કાલે છસેા રાજાની સાથે દીક્ષા લીધી. ત્યાર પછી સુર, અસુર અને મનુષ્યેાના અધિપતિએ જગા ગુરૂ એવા પ્રભુને નમસ્કાર કરીને સાયંકાલે યાચકા તાતાને ઠેકાણે જાય તેમ પાતપાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રકટ કર્યા, અને સુનદૈ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી. ત્યાંથી પ્રભુ અનેક ગ્રામ, આકર અને નગર વિગેરે સ્થાનામાં પવનની જેમ અપ્રતિબદ્ધપણે વિહાર કરવાને પ્રવર્ત્યા.
હવે પૃથ્વીપુર નગરમાં રાજાઓના શિરામણ પવનવેગ નામના રાજા રાજ્ય કરતા હતા. તેણે પૃથ્વી ઉપર ઘણા વર્ષા પ ત નિર્વિઘ્ને રાજ્ય કયુ". પ્રાંતે ચાગ્ય અવસરે તે રાજા શ્રવણસિહ નામના મુનિની પાસે વ્રત લઈ, દુષ્કર તપ તપી, મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવતા થયા.
આ જ બૂઢીપના દક્ષિણ ભરતા માં સર્વસ'પત્તિઓથી અવધ્ય એવુ' વિધ્યપુર નામે નગર છે. તેમાં વિધ્યાદ્રિના જેવા બલવાન, શત્રુરૂપી તુલને ઉડાડવાને મહાવાયુ જેવા અને સર્વ રાજાઓમાં કેસરીસિંહ સમાન વિધ્યશક્તિ નામે રાજા હતા. ક્રૂર ગ્રહેાની પેઠે તે રાજાના બે ભુજાદંડ જ્યારે પરસ્પર અથડાતા ત્યારે સર્વ રાજાએ ક્ષેાભ પામી જતા હતા. ભ્રકુટીના ભંગથી ભયંકર અને અત્યંત રાતી એવી દૃષ્ટિથી જાણે ગળી જતા હોય તેવા તે રાજાને શત્રુએ નાસતાં નાસતાંજ જોઈ શકતા હતા. પેાતાને જીવવાની ઇચ્છાથી શત્રુઓ પણ તેના આશ્રય લેતા, અમે ધન આપીને પણ પ્રાણ બચાવવા' એ નીતિથી તેને મોટા દડ આપતા હતા. એક વખતે શઈ દ્ર જેમ સુધર્મા સભામાં બેસે તેમ સર્વ સામત તથા અમાત્ય વિગેરે પરિવારથી પરવરે તે રાજા સભામાં બેઠા હતા તેવામાં છડીદારે પ્રવેશ કરાવેલા એક ચરપુરૂષ ત્યાં આવ્યેા. રાજાને નમસ્કાર કરી બેસીને તેણે ધીમે ધીમે વિજ્ઞપ્તિ કરવા માંડી−હે દેવ ! આપના જાણવામાંજ હશે કે આ દક્ષિણ ભરતાદ્ધમાં લક્ષ્મીના ભડાર તુલ્ય સાકેતપુર નામે એક માટુ' નગર છે. ત્યાં ઘણી સસૈન્યસમૃદ્ધિથી જાણે ભરત ચક્રવર્તીનેા સેનાપતિ હેાય તેવા પર્યંત નામે મોટી ભુજાવાળા રાજા છે. તેની પાસે પેાતાના સ્વરૂપથી ઉ`શી અને રંભાના પરાભવ કરનારી અને કામદેવના ધનરૂપ ગુણમંજરી નામે એક વેશ્યા રહે છે. એ સુંદરીના મુખને રચતાં અવશિષ્ટ રહેલાં પરમાણુઓથીજ વિધાતાએ પૂર્ણિમાના ચંદ્ર બનાવ્યેા હશે એમ લાગે છે. અમારાથી શું અધિક લાવણ્ય કોઈ ઠેકાણે તમાએ સાંભળ્યુ છે ? એમ પૂછવાને માટેજ જાણે તેનાં નેત્રા કાનસુધી આવ્યાં હોય ! એમ જણાય છે, અર્થાત્ તેનાં નેત્ર કણ પંત લાંબાં છે. તેની છાતી ઉપર એવાં વિશાળ મનેાહર સ્તનેા રહેલાં છે કે જેમની ઉપમા એ પોતેજ છે, બીજું કાંઇ ઉપમા આપવા ચેાન્ય નથી. તેના મધ્યભાગ એવા કૃશ છે કે જાણે તેણે નિત્ય સહવાસથી ઉત્પન્ન થયેલા સ્નેહથી સ્તનરૂપી કુંભને પેાતાની વિશાળતા આપી દીધી હોય તેમ જણાય છે. તેના હાથપગ કમલના જેવા કોમલ છે, અને તેમાં રહેલી રાગની સ`પત્તિથી તે ક કેલિ વૃક્ષના પલ્લવાને અનુસરતા છે. એ સુંદર રમણી ગાયનમાં કેાકિલા જેવી છે, નૃત્યમાં ઉર્વશી તુલ્ય છે, અને મધુર વીણા વગાડવામાં તુ બુરૂ ગંધની જાણે સહેાદરા હાય તેવી છે. હું મહારાજા ! નારીઓમાં રત્નરૂપ એ વારાંગના આપ મહારાજાની પાસેજ ઘટે છે, માટે સુવર્ણ અને મણિની જેવા તમા અનેનેા ઉચિત યાગ થાઓ. જેવુ લવણુ વગરનું ભેજન, જેવું નેત્ર વગરનું મુખ અને જેવી ચદ્ર વગરની રાત્રિ તેવી રીતે એ સુંદર વેશ્યા વગર તમારું
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સર્ગ ૨ જો રાજ્ય છે.” આ પ્રમાણેનાં એ સેવકનાં વચને સાંભળીને વિધ્યશકિત રાજાએ એ ગુણમંજરી વેશ્યાની યાચના કરવાને માટે પર્વત રાજાની પાસે દ્વતરૂપે પિતાના એક મંત્રીને મોકલ્યા.
જાણે વેગથી આકાશને તરી જતા હોય તેવા વેગી વાહનથી તે મંત્રી સ્વલ્પ કાળમાં સાકેતપુર નગરે જઈ પહોંચ્યો, અને પર્વત રાજાની સભામાં જઈ તેને કહેવા લાગ્યરાજા વિધ્યશક્તિ તમારાથી જુદા નથી અને તમે તેનાથી જુદા નથી. સમુદ્ર અને તરંગજાલની પેઠે તમે બંને રાજાઓમાં અભેદપણું છે. તમારા બંનેને આત્મા એકજ છે, ફકત શરીરજ જુદાં છે. જે તેમને તે તમારું છે અને જે તમારું તે તેમનું છે. તમારી પાસે ગુણમંજરી નામે એક સુંદર વેશ્યા છે એમ સંભળાય છે, તેને અમારા રાજા વિધ્યશક્તિ કૌતુકને માટે પિતાની પાસે મંગાવે છે. તેથી તમારા બંધુ અને તમારા જેવા તે રાજાને માગણી કરવાથી એ વેવા આપે; કારણકે વેચાસ્ત્રીઓને આપવામાં અને ગ્રહણ કરવામાં કોઈપણ નિંદા જેવું નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચનોથી યષ્ટિવડે સ્પર્શ કરેલા સર્પની પેઠે કોપથી પિતાના હઠને કંપાવતે પર્વત રાજા બે -“અરે ! સેવક ! એ દુષ્ટ હદયવાળો વિંધ્યશક્તિ રાજા મારે બંધુ છે. એ પ્રમાણે તું કેમ કહે છે? કારણ કે એ પ્રાણથી પણ વહાલી. એવી ગુણમંજરીની મારી પાસે યાચના કરે છે. જેના વિના હું એક મુહૂર્ત માત્ર પણ રહેવા સમર્થ નથી તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા તારા રાજાએ મારા પ્રાણ લેવાની ઈચ્છા કરી છે. એક દાસીને પણ હું આવું નહીં તે ગુણમંજરીને શી રીતે જ આપીશ? માટે ભલે વિંધ્યશક્તિ રાજા પિતાની શકિતથી મારો મિત્ર થાય વા શત્રુ થાય. અરે મંત્રી! તું અહીંથી ઉઠીને જા, તારા રાજાને આ પ્રમાણે યથાર્થ કહેજે. કારણકે ફતે યથાર્થ કહેનારા હોય છે. ”
આવાં પર્વતરાજાનાં વચન સાંભળી વાંકાં નેત્ર કરતે મંત્રી ઉઠ, અને વાહન ઉપર ચડીને સત્વર વિધ્યશકિતની પાસે આવી તેને સર્વ વૃત્તાંત કહ્યું. જે સાંભળી આહુતિના હોમથી જેમ અગ્નિ પ્રદિપ્ત થાય તેમ તે ક્રોધથી પ્રજવલિત થયે. પછી સમુદ્ર જેમ મર્યાદા છોડીને જાય તેમ લાંબા કાળની મિત્રતા છોડીને ગર્વના પર્વત જે વિધ્યશકિત રાજાપર્વતરાજાની ઉપર લશ્કર લઈને ચાલ્યો. એ ખબર સાંભળી પર્વત રાજા પણ તૈન્યવાહન સાથે સન્મુખ આવે. શૂરવીર પુરૂષ મિત્રની અને શત્રુની બંનેની સામે આવે છે. પછી લાંબા કાળથી પ્રચંડભુજાઓ પર આવી રહેલી ખુજલી શમાવાને ઔષધ જેવું તેમના અગ્ર સૈનિકોની વચ્ચે મહાયુદ્ધ પ્રવત્યુ". સામસામા લડાઈ કરતા હાથીઓની જેમ બને સૌન્યના સુભટો પરસ્પર સામા આવતા હતા અને પાછા હઠતા હતા. ભાલાથી વીંધાયા છતાં પણ હુંકાર કરતે કઈ વીર પુરૂષ તંતુમાં પરોવાયેલા મણિની જેમ શોભતે શત્રુની સામે ધસી આવતો હતો. કુશલ ધનુષધારીઓએ ઘાટા બાણના મારવડે સુભટ વિનાની કરી મૂકેલી યુદ્ધભૂમિ લણી લીધેલા શરકટવડે જેમ અરણ્યની ભૂમિ લાગે તેવી લાગતી હતી. સર્પોની જેમ પરના પ્રાણોને હરનારા પરિઘ, શલ્ય, ગદા અને મુહંગ વિગેરેના પડવાથી સવા દિશાઓ વ્યાપી રહી હતી, અને શુકલ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રિકાને તેજની જેમ બંને સૈન્યનો ક્ષણે ક્ષણે સરખી રીતે જય પરાજય થતો હતે.
પછી પર્વતરાજા સર્વ બલથી હાથમાં ધનુષ લઈ, રથ ઉપર ચડીને યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યું. તે વખતે રસૈન્ય ઉખેડેલી પૃથ્વી રજવડે જેમ અંતરીક્ષ ઢંકાઈ જાય તેમ એકી સાથે કરેલી એણવૃષ્ટિથી તેણે શત્રુના રસૈન્યને ઢાંકી દીધું અને થોડીકવારમાં
Page #144
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૧૭ તે જેને વેગ રોકી શકાય નહીં એવા પર્વત રાજાએ બલવાન પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે તેમ વિધ્યશકિતના સૈન્યને ભાંગી નાખ્યું. પોતાના સૈન્યને ભંગ થયેલો જોઈને ક્રોધ પામેલો મહાભુજ વિધ્યશકિત રાજા જાણે કાલરાત્રિનો અનુજ બંધુ હોય તેમ શત્રુઓનો સંહાર કરવાને તૈયાર થયો. તેને આવતો જોઈને મૃગલાઓ જેમ સિંહને અને સર્પો જેમ ગરૂડને સહન કરી ન શકે તેમ પર્વત રાજાના સૈનિકો તેને સહન કરી શક્યા નહી. પછી ધનુષ્ય અને પ્રચંડ ભુજાના બળથી ગવ પામેલા વિધ્યશકિત રાજાએ જેનું સૈન્ય પરાભવ પામેલું છે એવા પર્વત રાજાને પોતાની આગળ રણભૂમિમાં બોલાવ્યા. પછી નારાચ અને અદ્ધચંદ્ર બાણોથી પરસ્પર વધ કરવાની ઈચ્છા કરનાર તે બંને રાજાએ વચ્ચે મોટું યુદ્ધ થયું. રથ ઉપર રહેલા તે બંને રાજાઓએ એક બીજાના રથ, રથના ઘોડા અને સારથિનું મેઘની જેમ મંથન કરી નાખ્યું. પછી બીજા રથ ઉપર બેસીને કપાંત કાળમાં પર્વતની જેમ તેઓએ ફરીવાર યુદ્ધ કરવા માંડયું. થોડીવારમાં વિધ્યશક્તિએ પિતાની શકિતથી પર્વતરાજાને સસ્પેને જેમ વિષ રહિત કરે તેમ અસ્ત્ર અને વીર્ય વગરનો કરી દીધો. તેથી મોટા હાથીથી હાથીના બચ્ચાની જેમ વિધ્યશકિત રાજાએ પરાભવ કરે પર્વત રાજા પાછું જોયા વગરજ ત્યાંથી પલાયન કરી ગયે. વિધ્યશક્તિએ પર્વતના નગરમાં પ્રવેશ કરી ગુણમંજરી વેશ્યા અને બીજું હસ્તી વિગેરે સર્વસ્વ લઈ લીધું. કહ્યું છે કે જેનું પરાક્રમ તેની લક્ષ્મી છે. પછી પૂર્ણ થયેલા મેઘની જેમ રણસાગરમાંથી નિવૃત્ત થઈને કૃતાર્થ થયેલ વિધ્યશકિત રાજા પોતાના વિધ્યપુરમાં આવ્યા. ફાળથી ચુકેલા સિંહની જેમ અને ઠેકડો મારવાથી ચુકેલા વાનરની જેમ રણમાંથી ભગ્ન થયેલે પર્વત રાજા ત્યારથી ઘણા કષ્ટમાં રહેવા લાગ્યા. છેવટે એવા પરાભવથી લજજા પામીને તેણે સંભવાચાર્યની પાસે દીક્ષા લીધી. દુઃખે તપી શકાય એવા મહા તપ કરતાં તેણે એવું નિયાણું કર્યું કે * આગામી ભવમાં હું વિંધ્યશકિતને વધ કરનાર થાઉં” જેમ ફેતરાં લઈને તેના બદલામાં માણિજ્ય વેચે તેમ તેણે મોટા તપને આવું નિયાણું બાંધી વેચી દીધું. અંતે અનશન કરી મૃત્યુ પામીને તે પ્રાણત દેવલોકમાં દેવતા છે. રાજા વિધ્યશકિત પણ ચિરકાલ ભવમાં ભ્રમણ કરી પ્રાંતે એક ભવમાં જિનલિંગને ધારણ કરી મૃત્યુ પામીને દેવલેકમાં દેવતા થયા.
ત્યાંથી યુવીને વિધ્યશકિતને જીવ વિજયપુરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીના ઉદરથી તા૨ક નામે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે સીતેર ધનુષ્યની કાયાવાળ, કાજલના જેવા શ્યામ વર્ણવાળે, બોંતેર લાખ વર્ષના આયુષ્યવાળે અને ઘણું જબલવાળો થયો. છેવટે તેણે ચક્ર મેળવી ભરતાદ્ધને સાધી લીધું. કારણ કે પ્રતિવાસુદેવો ભરતાદ્ધના સ્વામી થાય છે,
આ તરફ સૌરાષ્ટ્ર દેશનું મુખમંડન દ્વારકા નામે નગરી હતી. તેને સુંદર કિલ્લે પશ્ચિમ સમુદ્રના તરંગોથી નિરંતર દેવાતો હતો. તે નગરમાં સર્વ જગતના ઉલટાક્રમનું નિવારણ કરનાર અને મોટા પરાક્રમવાળો જાણે વાસુદેવની હરીફાઈ કરતે હોય તે બ્રહ્મ નામે રાજા હતે. લવણ સમુદ્રને જેમ ગંગા અને સિંધુ તેમ તેના અંતઃપુરમાં પ્રધાન એવી સુભદ્રા અને ઉમા નામે તેને બે રાણીઓ હતી. કામદેવ જેમ રતિ અને પ્રીતિ સાથે વિષયસુખ ભોગવે તેમ તે બંને સ્ત્રીઓની સાથે બ્રહ્મરાજા ચિરકાલ વિષયસુખ ભેગવતે હતે.
તેવામાં પવનવેગને જીવ અનુત્તર વિમાનથી વી મહાદેવી સુભદ્રાના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા સુભદ્રા દેવીએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નો જોયાં.
Page #145
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨
જો
૧૧૮
સમય આવતાં કમલને જેમ ગંગા અને ચંદ્રને જેમ પૂદિશા પ્રસર્વે તેમ ફાટિકમણિના જેવા નિલ કુમારને તેમણે જન્મ આપ્યો. બ દિવાનાને કારાગૃહમાંથી મુકત કરવા વિગેરે સુકૃત્યાથી જગતને પરમહ આપતા એવા બ્રહ્મરાજાએ પુત્રનું વિજય એવું નામ પાડયું. જુદાં જુદાં કાર્ય માટે નિમાયેલી પાંચ ધાત્રીમાતાઓએ લાલનપાલન કરેલા એ કુમાર શરીરની શેાભાની સાથે વાવૃદ્ધિને પામ્યા. કાનમાં સુવર્ણના ચપલ અકાટા, કંઠમાં નાભિસુધી લટકતા રત્નનેા હાર, કટિભાગમાં સુવર્ણની કટારી સાથે કનકની કિટમેખલા, પગમાં વાગતી રત્નની ઘુઘરમાળ અને મસ્તક ઉપર કાનશીઆને ધારણ કરતા એ કુમાર સર્વાંને હ પમાડતા હતા. હવે પ્રાણત દેવલેાકમાંથી ચ્યવીને પર્વત રાજાના જીવ સરસી ( તલાવડી ) માં હુંસની પેઠે ઉમાદેવીની કુક્ષિમાં અવતર્યા. સુખે સુતેલા ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં, અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં વર્ષાઋતુ જેમ પૂર્ણ મેઘને જન્મ આપે તેમ તેણે શ્યામ વર્ણ વાળા કુમારને જન્મ આપ્યા. કુમારના જન્મથી જાણે પરબ્રહ્મમાં નિમગ્ન થયા હોય તેવા બ્રહ્મરાજાએ હર્ષ થી યાચકોને પ્રસન્ન કરવા પૂર્વક પુત્રજન્મના મોટો ઉત્સવ કર્યા. શુભ એવા ગ્રહ, નક્ષત્ર, તિથિ અને વારમાં કુમારનુ દ્વિપૃષ્ઠ એવુ યથાર્થ નામ પાડયું. તાપસેાની સ્ત્રીઓ પોતાના આંગણામાં ઉગેલા ક‘કલિના વૃક્ષનું જેમ લાલનપાલન કરે તેમ પાંચ ધાત્રીઓએ જુદાંજુદાં કાવડે તેનુ' લાલનપાલન કરવા માંડયુ. સ્વેચ્છાથી ઉછળતા અને દોડતા એ ચપલ બાળકને પારાની જેમ તે ધાત્રીએ હાથથી પકડી શકતી નહી. પિતા, માતા અને જ્યેષ્ઠ અ જેમને હુ સાથે પેાતાના અંતરસ્નેહ ખતાવતા હતા એવા બીજા વાસુદેવ પ્રતિદિન વધવા લાગ્યા. જાણે છઠ્ઠી ધાત્રીમાતા હોય તેમ વિજય કુમાર તે કુમારને તેની ઉપરના અત્યંત સ્નેહથી કેડ ઉપર, હૃદય ઉપર, પૃષ્ઠ ભાગ ઉપર અને સ્કંધ ઉપર વારવાર તેડતા હતા. દ્વિપૃષ્ટ કુમાર પણ સ્નેહરૂપી કામણથી અધાઈને વિજયકુમારને અનુસરીનેજ ઉભા રહેતા, ચાલતા, સુતા, બેસતા, જમતા અને પાણી પીતા હતા. જ્યારે સમય આવ્યા ત્યારે પિતાના અલવ્ય શાસનથી તેએએ ફ્કત વિદ્યાગુરૂને નિમિત્તરૂપ કરીને લીલામાત્રમાં સ કલા ગ્રહણ કરી લીધી. જેમનું મધ્ય ( હૃદયના આશય ) જાણવામાં આવતું નથી એવા ઉજજવળ અને શ્યામ વર્ણ વાળા તે બંને સહેાદરા જાણે મૂત્તિમાન ક્ષીરસમુદ્ર અને લવણુસમુદ્ર હોય તેવા જણાતા હતા. નીલાં અને પીળાં વસ્રોને ધારણ કરનારા તથા તાડ અને ગરૂડના ચિહ્નવાળા એ બંને કુમારો બાળક હતા તેા પણ તારક પ્રતિવાસુદેવની આજ્ઞાને જરાપણ માન્ય કરતા નહોતા. તેમના આજ્ઞાના અતિક્રમ, ભુજવીય અને અધૃષ્યપણું વિગેરે જોઈને તેના બાતમીદારોએ જઈ તારકને આ પ્રમાણે કહ્યુ - હે દેવ ! દ્વારકામાં બ્રહ્મરાજાને ઘેર સાથે મળેલા વાયુ અને અગ્નિની જેવા બે અતિદુર્ગંદ કુમારો ઉત્પન્ન થયેલા છે, તેએ તમારી આજ્ઞાને માનતા નથી. સર્વ શાસ્ત્રોની અંદર કુશળતા અને વિદ્યાની સિદ્ધિએ તેના ભુજદ'ડના ખલને અહંકારરૂપ થયેલી છે. તેથી હે દેવ ! તમારા સંબ– ધમાં આ શુભ હોય તેમ જણાતું નથી; માટે તમને જેમ ચાગ્ય લાગે તેમ કરો, અમે તા તમારા સેવકેા છીએ.’' આવાં વચન સાંભળીને તારકરાજાનાં નેત્રા કાપથી ચપલ થઈને ફરકવા લાગ્યાં. તરતજ મોટા પરાક્રમવાળા પોતાના સેનાપતિને મેલાવીને તેણે આજ્ઞા કરી કે અરે સેનાપતિ ! એકદમ સર્વ રીતે તૈયાર થઇ જાઓ અને સામતરાજાઓને એલાવવામાં હૃતિકારૂપ ભ’ભાને વગાડો. કેમકે વક્ર બુદ્ધિવાળા એ બ્રહ્મરાજાને પુત્રા સહિત મારી નાખવા છે. ઉપેક્ષા કરેલા શત્રુ વ્યાધિની પેઠે પરિણામે વિષરૂપ થાય છે.” રાજા
Page #146
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ શું
૧૧૯
ની આજ્ઞા સાંભળી મંત્રીએ કહ્યું–“ મહારાજા ! આ બાબતમાં સારી રીતે ધ્યાન આપે; આજસુધી બ્રહ્મરાજા તમારા એક પત્તિરૂપ સામત તરીકે વર્ચ્યા છે, તેા કાંઇપણ મિષ વગર તેની ઉપર ચડાઇ કરવી એ યોગ્ય નથી. કારણકે તેમ કરવાથી બીજા અમાત્યને શકા ઉત્પન્ન થશે; જ્યારે શંકા થઈ ત્યારે તેવા શંકાવાળાને વિશ્વાસ કરવા યોગ્ય નહીં, વિશ્વાસ વગર તેના વિચાર કે હુકમ શા કામના ? અને જ્યારે વિચાર કે હુકમ બ્ય થાય તેા પછી સ્વામીપણું શા કામનું ? તેથી કાંઇપણ મિષ કરી તેની ઉપર અપરાધના આરોપ કરો; પેાતાના એ કુમારના બલથી ગવ પામેલા તે રાજા ઉપર અપરાધ લાવવે સહેલા છે, તેથી એક સ`દેશે! લઇ જનાર સેવકને માકલી તેની પાસે પ્રાણથી પણ વહાલા એવા ઘેાડા, હાથી અને રત્નાની માગણી કરે. જો તમને તે ન આપે તેા પછી એજ અપરાધ મૂકીને તેને મારી નાખવા, કેમકે અપરાધીનેા નિગ્રહ કરનારની ઉપર લેાકાપવાદ આવતા નથી. જો કિદે આપણી માગણી પ્રમાણે તે આપે તે પછી વળી કાંઈ ખીન્નુ છળ શેાધવું. જ્યારે છળ ગેાતવા માંડે ત્યારે સ જન અપરાધી થાય છે.”
આ પ્રમાણે મંત્રીના વિચાર સાંભળી તારક રાજાએ તેને શાખાશી આપી; અને પછી એક સેવકને એકાંતમાં સમજાવીને બ્રહ્મરાજાની પાસે માકલ્યા; તત્કાળ તે દૂત દ્વારકાનગરીમાં વિજય અને દ્વિધૃષ્ટ કુમારની સાથે સભામાં બેઠેલા બ્રહ્મરાજાની પાસે જઈ પહોંચ્યો. રાજાએ ઘણા માનથી તેને પાસે બેસાડી, ચિરકાલ સુધી પ્રેમસહિત ખેલાવી પછી આવવાનુ કારણ પૂછ્યું. દૂતે કહ્યું-“ હું દ્વારકાપતિ ! શત્રુઓના બાહુગને હરનાર આપણા સ્વામી તારકરાજા તમને આજ્ઞા કરે છે કે તમારા રાજ્યમાં જે કેાઇ ઉત્તમ હાથી, ઘેાડા અને રત્ના હોય તે અમારે માટે તરત મેકલાવા; કારણકે આ દક્ષિણ ભરતા માં જે કાંઈ ઉત્તમ વસ્તુ હોય તે ભરતાદ્ધના અધિપતિ એવા મારેજ ભાગ્ય છે, બીજાને નહીં.” આવાં નૂતનાં વચનથી કેશરીસિંહની જેમ કાપ પામેલા દ્વિધૃષ્ટ કુમાર જાણે નેત્રથી તેને હણવાને ઈચ્છતા હેાય તેમ હાક મારી એલી ઉઠયો- અરે દૂત ? તારા સ્વામી તારકરાજા કાંઇ અમારા 'શને વિડલ નથી, તેમજ અમારા રક્ષક કે દાતા નથી, તેથી પેાતાનું રાજ્ય કરનારા એવા અમારા તે કેવી રીતે સ્વામી થઈ શકે ? જેવી રીતે ભુજાના પરાક્રમથી તે અમારી પાસેથી ઘેાડા વગેરે માગે છે, તેવી રીતે ભુજાના પરાક્રમથી અમે પણ તેની પાસેથી હાથી ઘેાડા વિગેરે માગીએ છીએ; તેથી હું દૂત ! તું ચાલ્યાજા અને તારા સ્વામીના મસ્તકની સાથે હાથી, ઘોડા વિગેરે લેવાને અમે હમણાજ ત્યાં આવીએ છીએ એમ જાણજે.” દ્વિપૃષ્ટ કુમારની આવી ઉત્કટ અને કટુ વાણી સાંભળીને મનમાં અત્યંત રાષ પામેલા તે દૂતે તરત જઈને તારક રાજાને તે સ નિવેદન કર્યું. મઢવાળા હાથીના ગ`ધથી ખીજા મદગધી હાથી ની જેમ દૂતની તે વાણી સાંભળીને ક્રોધ પામેલા તારક રાજાએ રણભેરી વગડાવી, ભેરીના નાદ સાંભળીને તત્કાલ સૈન્ય, સેનાપતિએ, સામંતા, મ`ત્રીએ, મુગટધારી રાજા, મહારથી સુભટો અને જેમના ભુજદંડ ઉપર વીર્યની ખુજલી આવે છે એવા તથા લાંબે કાળ થયાં યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા અને જાણે યમરાજના ખંધુ હોય તેવા વીર પુરૂષષ રાજાની પાસે આવીને એકઠા થયા. તે વખતે પૃથ્વીકંપ, વિદ્યુત્પાત અને કાગડાઓના કલકલાટ વિગેરેથી અશુભ પરિણામ સૂચવાતું હતું તેપણ તારક રાજાએ પ્રયાણ કર્યું'. ક્રાધથી ધમધમી રહેલા પ્રતિવાસુદેવે અવિચ્છિન્ન પ્રયાણાથી તે દી માને પણ
અર્ધો ભાગ ઉલ્લ્લંઘન કરી દીધા.
આ તરફ બ્રહ્મરાજા, વિજયકુમાર અને સૈન્યને સાથે લઈ યુદ્ધ કરવામાં ઉત્ક’ઠાવાળા દ્વિધૃકુમાર કેશરીસિંહની જેમ તેની અગાઉથી જ સામા આવ્યા. અગના ઉચ્છ્વાસથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સ
ર જો
જેઓનાં ખખ્ખરાની જાળીએ વારવાર તુટી જાય છે એવા અને સૈન્યના સુભટો માંડ માંડ અખ્તર પહેરી શકવા લાગ્યા પછી મોટા સ`હારના કારણરૂપ તે ખ'ને સૈન્યનુ એવું પરસ્પર યુદ્ધ ચાલ્યું કે જેથી તે રણભૂમિ મૃત્યુને જમવાના રસોડાના ગૃહ જેવી જણાવા લાગી. અને તરફ લાખા છત્રા અને મુકુટા પડયા કે જેથી પડેલા ચાદ્ધાઓની પણ સંખ્યા થઈ શકતી નહાતી. છત્રાથી શ્વેત કમલવાળી અને રુધિરરૂપ રક્ત જળ વડે પૂરાયેલી રણભૂમિ યમરાજની જાણે ક્રીડાવાપી હોય તેવી જણાવા લાગી. પછી દ્વિધૃષ્ટ કુમારે વિજય રથ ઉપર બેસી, જેના ધ્વનિ યુદ્ધમાં વિજયને ખેલાવવાના મંત્ર તુલ્ય હતા એવા પાંચજન્ય નામના શખ વગાડયા. સિંહનાદથી મૃગલાની જેમ અને મેઘનાદથી રાજહસેાની જેમ તે પાંચજન્યના નાદથી તારકના સૈનિક ત્રાસ પામી ગયા. પેાતાના સૈનિકોને ત્રાસ પામેલા જોઈને તારક રાજા તેમને લજજા પમાડી ભયથી નિવૃત્ત કરી પોતે રથ ઉપર ચડીને દ્વિધૃષ્ટ કુમારની સામે આવ્યે. તેને આવતા જોઈ ને હળના આયુધને ધરનારા વિજયકુમારે પેાતાનું હળ સજ્જ કર્યું અને ઇંદ્ર જેમ પોતાના ઋજુરાહિત નામના ધનુષને ચડાવે તેમ દ્વિપૃષ્ઠે શાંત્ગ ધનુષ ચડાવ્યું. ત્યાર પછી તારકે પણ ધનુષ્ય ઉપર પણછ ચડાવીને જાણે મૃત્યુની ઉભી કરેલી તર્જની આંગળી હોય તેવા એક ખાણને ભાથામાંથી ખેંચી કાઢીને તેની સાથે સંઘાડયુ અને તે વાસુદેવ ઉપર છેડયુ. એટલે વાસુદેવે તેને આવતાં જ પેાતાના બાણ વડે છેઢી નાંખ્યુ'. આ પ્રમાણે તે બંનેની તરફથી વારંવાર ખાણાના મેાક્ષ અને છેદ થયા. ત્યાર પછી ગદા, મુદ્દાર અને દંડ વિગેરે બીજા જે જે આયુધો તારક રાજાએ મૂકયાં તે બધાં વાસુદેવે પ્રતિઅસ્ત્રોથી ભાંગી નાખ્યાં. પછી સંગ્રામરૂપ સમુદ્રના ક્રૂર જુડ જેવું ચક્ર તારકરાજાએ હાથમાં ગ્રહણ કર્યું, અને કાપ તથા હાસ્યથી હાડને ક`પાવતા દ્વિધૃષ્ટ કુમાર પ્રત્યે ખેલ્યા-“અરે ખાળક ! તું વિનીત છે, તથાપિ મારા લાંબા કાળના સેવકના પુત્ર છે અને બાલ્યાવસ્થાવાળા છે તેથી અનુક'પાવડે હું તને મારવા ઇચ્છતા નથી. ’' તે સાંભળી વિજયકુમારના અનુજ બંધુ દ્વિપૃષ્ઠ કુમારે હાસ્યથી અધરને ફકાવીને કહ્યું–“ અરે મૂર્ખ ! જેના હાથમાં શા`ગ ધનુષ છે એવા મારી ઉપર અનુકંપા કરતા તું કેમ લજ્જા પામતા નથી? જો કે તું મારા શત્રુ છે, તથાપિ તારી ઉપર હું ક્ષમા કરૂં છું. કારણકે જરાવસ્થાથી જેનુ મૃત્યુ નજીક આવેલ છે એવા તારી ઉપર મરેલાને માર્યા જેવુ' કોણ કરે? આ ચક્રથી જો તારે વિજયની ઇચ્છા હોય તે તેને છેાડી દે; તે જ્યારે વ્યથ થશે ત્યારે તું ગંથી મુક્ત થઈશ. ” આવાં દ્વિપૃષ્ટનાં વચનથી જળ વડે જેમ તપા વેલા તેલમાંથી અગ્નિ પ્રદીપ્ત થાય તેમ તારકરાજા કેાપ વડે પ્રદીપ્ત થયા. અને ચક્રને મસ્તક ઉપર ભમાડવા માંડયુ'. પછી કલ્પાંતકાલના મેઘ જેમ વિદ્યુત્ત્ને છેડે તેમ જાજવલ્યમાન ચક્રને આકાશમાં ભમાડીને દ્વિધૃષ્ટની ઉપર છેડયું. તે તુંબડાના અગ્રભાગની જેવા પ્રહારથી વાસુદેવના હૃદય સાથે અથડાયું, તે વખતે તે ચક્રે રૂપાંતર પામેલા કૌસ્તુભ મણિની શાભાને ધારણ કરી. તેના પ્રહારથી ક્ષણવાર મૂર્છા પામીને દ્વિધૃકુમાર રથ ઉપર પડયા. તે વખતે વસ્ત્રના છેડાના 'ખા કરીને વિજયકુમાર પવન નાખવા લાગ્યા. ક્ષણવારે સંજ્ઞા પામી વાસુદેવે પાસે રહેલા શત્રુના ચક્રને ખુટવેલા મ`ત્રીની જેમ ગ્રહણ કરી તારકને આ પ્રમાણે કહ્યું “હું તારક! આ ચક્ર તારાં સર્વ અસ્ત્રનુ` સસ્વ હતું, તેની શક્તિ પણ તારા જોવામાં આવી ગઇ છે; તેા હવે તું જીવ લઇને અહીંથી ચાલ્યા જા, કેમકે જીવતા નર ભદ્રા પામે છે. ” તારકે કહ્યું એ ચક્ર મે' છેડી દીધેલુ છે તા હવે માટીના ઢેફાની જેવું તે હાથમાં લઈને તું શુ ભસે છે ? તું એને મારી ઉપર છેાડી દે, માટીના ઢેફાની હું
* જળચર ભય કર પ્રાણીવિશેષ.
Page #148
--------------------------------------------------------------------------
________________
પ ૪ સ્થુ
૧૨૧
એના કાચી માટીના ઢેફાની પેઠે મુષ્ટિથી તાડન કરી ચૂરેચૂરા કરી નાખીશ.’” વાસુદેવે તેનાં આવાં ગ યુક્ત વચને સાંભળીને ભમતા સૂર્યંના ભ્રમને આપનારા અને ખેચરાને ત્રાસ પમાડનારા તે ચક્રને ભમાવીને પ્રતિવાસુદેવની ઉપર મૃકયુ. તેણે કમલના નાળવાની પેઠે લીલામાત્રમાં તારકરાજાનું મસ્તક છેદી નાખ્યું; અને પાછું વાસુદેવના હાથમાં આવીને ઉભું રહ્યું. તે વખતે દ્વિપૃષ્ટની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને તારક રાજાની ઉપર તેના અંતઃપુરની સ્ત્રીએનાં નેત્રામાંથી અશ્રુજળની વૃષ્ટિ થઇ.
તારકના પક્ષના જે રાજાએ હતા તેઆએ વેતસ નામના વૃક્ષની જેવી વૃત્તિ ધારણ કરીને દ્વિધૃષ્ટ રાજા પાસે આવી પોતાના આત્માનું રક્ષણ કર્યું..., કારણકે શક્તિવાનની પાસે એજ ઉપાય કરવા ચાગ્ય છે. એ ચડાઇના આરભથીજ ઉત્તમ સાધના સાથે લઈને તેણે સ દક્ષિણ ભરતાને સાધી લીધું. મગ, વરદામ અને પ્રભાસતીના અધિપતિદેવતાઆને તેણે એક સામ`ત રાજાની માફક લીલામાત્રમાં જીતી લીધા. દિગ્યાત્રા કરીને પાછા વળતા તેઓ મગધ દેશમાં આવ્યા. ત્યાં ક્રોડ પુરૂષોએ ઉપડી શકે એવી એક માટી શીલા તેના જોવામાં આવી. શત્રુઓને વિપરીત એવા વાસુદેવે ગજેન્દ્ર જેમ કમલને ઉપાડે તેમ લીલામાત્રમાં તે શિલાને વામભુજાવડે લલાટ સુધી ઊંચી કરી. સ ભુજાધારી એ માં અગ્રેસર એવા વિષ્ણુ તેને પાછી ચેગ્ય સ્થાને મૂકીને ત્યાંથી ચાલતાં કેટલાએક દિવસે દ્વારકામાં આવ્યા. ત્યાં બ્રહ્મરાજાએ, વિજયકુમારે અને સરાજાએ મળીને દ્વિષ્ટને સિ’હાસન ઉપર બેસાડી અર્ધું ચક્રીપણાને અભિષેક કર્યાં.
તે સમયે એક માસ છદ્મસ્થપણામાં વિહાર કરી ત્રણ જગતના પતિ વાસુપૂજયપ્રભુ વિહારગૃહ નામના ઉદ્યાનમાં જયાં દીક્ષા લીધી હતી તેજ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાખ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુને શુકલ ધ્યાનને બીજે પાયે વતતાં પ્રાતઃકાલે અધકાર નાશ પામે તેમ ઘાતિકમ નાશ પામ્યાં, એટલે માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચ'દ્ર શતભિષા નક્ષત્રમાં આવતાં ચતુર્થ તપવાળા પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં એ સમવસરણ રચ્યું. એ દિગ્ધ સમવસરણમાં બીરાજીને પ્રભુએ દેશના આપી. ભગવ'તને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણધરો થયા. બીજી પારષીએ મુખ્ય ગણધરે પાદપીઠપર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળા શ્વેતવણી બે દક્ષિણ ભુજામાં બીજોર્ અને માણુને ધરનારા અને વામ ભુજામાં નકુલ અને ધનુષને ધરનારા કુમાર નામના યક્ષ વાસુપૂજ્ય પ્રભુના શાસનનેા અધિષ્ઠાયક઼ દેવ થયેા. તેમજ શ્યામવર્ણવાળી, અશ્વના વાહનવાળી, એ દક્ષિણ ભુજામાં વરદ અને શિકતને ધરનારી ને એ વામણુજામાં પુષ્પ અને ગઢાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ.
તે અને શાસનદેવતાએ ચુકત એવા વાસુપૂજય ભગવાન્ વિહાર કરતાં કરતાં એકદા દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવાએ આઠસો ને ચાલીશ ધનુષ ઊંચું જેમાં અશાક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી, અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તાયનમઃ એમ બોલતા પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી બીજી દિશામાં પ્રભુની જેવાજ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિકા. પછી ચતુર્વિધ સંઘ પ્રથમ ગઢમાં ચાગ્ય સ્થાને બેઠા, મધ્ય વપ્રમાં તિય ચો બેઠા, અને નીચેના વપ્રમાં સના વાહના રહ્યાં.
૧૬
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સગ ૨ જો તે સમયે ત્યાં રહેલા રાજપુરૂષોએ પ્રફુલ્લિત નેત્રવાળા થઈને સત્વર વાસુદેવ સમીપે જઈ પ્રભુના સમવસરણના ખબર આપ્યા. દ્વિપૃષ્ણ વધામણું આપનાર પુરુષોને સાડા બાર કેટી સુવર્ણ આપ્યું. પછી વિજય કુમારની સાથે પોતે સમેસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી વિજય બલભદ્રની સાથે ઈદ્રની પછવાડે બેઠા. પછી જિગત્પતિને વારંવાર નમી ઈંદ્ર, દ્વિપૂર્ણ અને વિજયકુમારે સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે પ્રભુ! આ સંસારરૂપી અતિ ભયંકર સમુદ્રમાં એક તરફ મેહરૂપી દુર્દિન પ્રસરે છે, એક તરફ આશારૂપી નવી નવી વેળાએ ક્ષણે ક્ષણે થયા કરે છે, એક તરફ “મોટા મઘરના જે દુર્વાર કામદેવ રહેલું છે, એક તરફ પ્રચંડ અને પ્રતિકૂલ પવનના જેવા પાપરૂપ વિષયે પ્રવર્તે છે, એક તરફ મોટા મોટા આવર્ત (ભમરી)ની પેઠે કોધાદિક ઉગ્ર કષાયો રહેલા છે, એક તરફ મેટા ખડકની જેવા ઉત્કટ રાગદ્વેષ રહેલા છે, એક તરફ મોટા ઊર્મિઓની પેઠે વિવિધ દુઃખની પરંપરા છે, એક તરફ વડવાનલની જેમ આર્ત તથા રૌદ્ર ધ્યાન થયા કરે છે, એક તરફ વેત્રવલ્લીની જેમ ખલના કરનારી “મમતા રહેલી છે, અને એક તરફ ઉદ્ધત નકોના સમૂહની જેમ ઘણા વ્યાધિઓ આવ્યા “કરે છે, તેથી હે પ્રભુ! એવા દારૂણ સંસારરૂપી સાગરની અંદર પડેલા પ્રાણીઓને હવે આપ ઉદ્ધાર કરે. હે જગત્પતિ! તમારું કેવલજ્ઞાન અને કેવલદર્શન વૃક્ષના પુષ્પ “અને ફલની જેમ પરના ઉપકારને માટે જ છે. આજ મારો જન્મૌભવ કૃતાર્થ થયે “છે. કારણકે તેથી તમારી પૂજાને મહોત્સવ કરવાને મને લાભ પ્રાપ્ત થયો છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા પછી વાસુપૂજ્ય ભગવાને નીચે પ્રમાણે દેશના આપવાને આરંભ કર્યો.
આ સંસારરૂપી સમુદ્રમાં શમિલાયુગના સંયેગની પેઠે માંડમાંડ મનુષ્યપણું “પ્રાપ્ત કરી પુરૂષ એ ધર્મપરાયણ થવું જોઈએ. તે ધર્મ સર્વ ઉત્તમ જિનેશ્વરે એ કહે છે. “જે ધર્મને અવલંબન કરનાર પ્રાણી આ સંસારસાગરમાં ડુબત નથી તે ધર્મ સંયમ,૧ “સત્યવાણી, શૌચ (પવિત્રતા), બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા “અને નિર્લોભતા–એ દશ પ્રકારે કહેવાય છે. કલ્પવૃક્ષ વિગેરે પદાર્થો પણ ધર્મના પ્ર“ભાવથી એવી ઇચ્છિત વસ્તુને આપે છે કે જે વસ્તુ અધમીઓની દષ્ટિએ પણ આવ“તી નથી. હમેશાં પાસે રહેના૨ અને અતિ વાત્સલ્યને ધારણ કરનાર એક ધર્મરૂપી બંધુ અપાર દુઃખસાગરમાં પડતા પ્રાણીઓને બચાવે છે. સમુદ્ર પૃથ્વીને બાળી નાખતે “નથી અને વરસાદ પૃથ્વીને આશ્વાસન આપે છે, તે કેવળ ધર્મનો પ્રભાવ છે. અને “ગ્નિ આડી રીતે બાળ નથી અને પવન ઉર્ધ્વ ભાગમાં વાત નથી, તે પણ ધમેનેજ
અચિંત્ય મહિમા છે. આલંબન અને આધાર વગરની પૃથ્વી જે સર્વને આધાર આપી “રહેલી છે તેમાં ધર્મ સિવાય બીજું કાંઈપણ કારણ નથી. ધર્મનાજ શાસનથી વિશ્વના “ઉપકારને માટે સૂર્યચંદ્ર આ જગતમાં ઉદયને પામે છે; એ વિશ્વવત્સલ ધર્મ બંધુ “વગરનાને બંધુ છે, મિત્ર રહિત પુરુષને મિત્ર છે, અને અનાથ પુરૂષોને નાથ છે. “ધર્મ પાતાળમાં રહેલ નર્કમાં પડતા પ્રાણીઓની રક્ષા કરે છે, અને છેવટે અનુપમ “સર્વજ્ઞાણાના વૈભવને પણ ધર્મજ આપે છે.
આ દશ પ્રકારને ધર્મ મિથ્યાદષ્ટિએ એ તાત્વિકપણે બીલકુલ જે–જા નથી અને કદિ કોઈ ઠેકાણે કેઈએ કહ્યો હશે તે ફક્ત તે માત્ર વાણીનું જ નૃત્ય છે. પ્રાયઃ સર્વની
૧ આમાં સર્વ પ્રકારની અહિંસા સમાય છે. ૨ અચૌર્યતારૂપ પવિત્રતા.
Page #150
--------------------------------------------------------------------------
________________
“રત્નને લેશ પણ જાણ
પર્વ ૪ થું
૧૨૩ “વાણીમાં તત્ત્વાર્થ હોય છે અને કેઈકના મનમાં તત્ત્વાર્થ હોય છે, પણ જિનમતને સ્પર્શ “કરનાર પુરૂષની તે વાણીમાં, મનમાં ક્રિયામાં–સર્વમાં તત્વાર્થ હોય છે. વેદ શા“સ્ત્રને પરાધીન બુદ્ધિવાળા અને કંઠમાં સૂત્ર (જનોઈ) પહેરનારા બ્રાહ્મણે તત્વથી ધર્મ.. રત્નને લેશ પણ જાણતા નથી. ગમેધ, નવમેધ અને અશ્વમેધાદિક યજ્ઞ કરનારા પ્રાણઘાતક યાજ્ઞિક બ્રાહ્મણોને શી રીતે ધર્મ પ્રાપ્ત થાય? જેમાં શ્રદ્ધા થાય નહીં તેવી “અછતી પરસ્પર વિરોધી એવી કલ્પિત વસ્તુને કહેનારા પુરાણકર્તાઓમાં પણ કયાંથી “ધર્મ હોય? બેટી બેટી વ્યવસ્થા વડે પર દ્રવ્યને ગ્રહણ કરવાને ઈચ્છતા એવા સ્માર્નાદિક, “પુરૂષમાં માત્ર માટીને પાણી વડે કેવી રીતે શૌચ (શુદ્ધિ)પણું હોય? ઋતુકાળને વ્યતિક્રમ “થતાં સ્ત્રીસેવન ન કરે તો ગર્ભ હત્યાનું પાપ લાગે એવું કહેનારા અને બ્રહ્મચર્યને નાશ “કરનારા પુરૂષોમાં શી રીતે ધર્મ સંભવે ? યજમાન પાસેથી સર્વસ્વ લેવા ઈચ્છતા અને “દ્રવ્યને માટે પ્રાણને પણ ત્યાગ કરતા એવા બ્રાહ્મણોમાં અકિંચન (નિષ્પરિગ્રહ) પણું “ક્યાંથી હોય? અલ્પમાત્ર અપરાધ થતાં ક્ષણવારમાં શાપ આપનાર એવા લૌકિક ઋષિએમાં ક્ષમાનો લેશ પણ જોવામાં આવતો નથી. જાતિ વિગેરેના મદથી અને દુરાચરણથી જેમનાં ચિત્ત નાચ્યાં કરે છે એવા ચોથા આશ્રમમાં રહેનારા (સંન્યાસી), બ્રાહ્મણોમાં “કેમલતા (નિરભિમાનપણું) કયાં જોવામાં આવે છે? અંદર દંભ રાખનારા અને બહાર “બગલાભક્ત બની રહેનારા એવા પાખંડ વ્રતવાળા દ્વિજેમાં સરલતાને એક લેશ પણ નથી. સ્ત્રી, ગૃહ અને પુત્રાદિકના પરિગ્રહવાળા અને લોભન તો એક કુળગ્રહરૂપ “બ્રાહ્મણોની કેવી રીતે મુકિત થાય? અથવા તેમાં નિર્લોભતા ધર્મ કેમ સંભવે ? માટે “રાગ, દ્વેષ અને મોહથી વજિત તથા કેવલજ્ઞાનથી શોભનારા અહંત ભગવતેની તેમના “ઉજજવલ ધર્મ ઉપરથી જ નિર્દોષતા સિદ્ધ થાય છે. રાગ, દ્વેષ અને મેહથીજ માણસમાં “અસત્યવાદીપણું આવે છે, તો તે દેષ અહંત ભગવંતમાં લેશ પણ હોતા નથી તે શી “રીતે તેમનામાં અસત્યવાદીપણું આવી શકે ? જેઓનાં ચિત્ત રાગાદિક દેથી “કલુષિત થયેલાં હોય છે તેઓને મુખમાંથી કદિપણ સત્યવાણી નીકળતી નથી. જેઓ “યાગ હોમ વિગેરે ઈષ્ટ કર્મ કરે છે, વાપી, કૃપ અને તળાવ વિગેરેમાં નહાવાથી પુણ્ય માને છે, પશુને ઘાત કરીને સ્વર્ગલોકનું સુખ શોધે છે, બ્રાહ્મણોને ભેજન આપવાથી “પિતૃઓને તૃપ્ત કરવાને ઈરછે છે, ધૃતનિ વિગેરે કરીને પ્રાયશ્ચિત કરે છે, પાંચ
પ્રકારની આપત્તિઓ આવતાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવે છે, જે સ્ત્રીમાં પત્ર થવાનાં “સંભવ હોય તે તેનામાં ક્ષેત્રજપુત્રની ઉત્પત્તિ કરવી એ પ્રમાણે કહે છે, દેષિત “સ્ત્રીઓ રજ (અંતરાય) આવે ત્યારે શુદ્ધ થાય છે એ પ્રમાણે માને છે, કલ્યાણની બુ“દ્ધિથી યજ્ઞમાં બકરાને મારી તેના શિશ્ન (લિંગ)થી આજીવિકા કરે છે, સૌત્રામણિ અને સપ્તતંતુ યજ્ઞમાં મદિરાનું પાન કરે છે, વિષ્ટા ખાનારી ગાયને સ્પર્શ કરીને પવિત્ર થવાનું માને છે, જલાદિકમાં માત્ર સ્નાન કરવાથી પાપની શુદ્ધિ થાય એમ “બોલે છે, વડ પીપલા અને આંબલી વિગેરે વૃક્ષોની પૂજા કરે છે, અગ્નિમાં હોમેલા હવ્ય. થી દેવને તૃપ્ત કરેલા માને છે, પૃથ્વી ઉપર ગાય દોવાથી રિષ્ટની શાંતિ થાય એમ વદે છે, સ્ત્રીઓને માત્ર વિડંબન કરે તેવા ધર્મવ્રતને ઉપદેશ કરે છે, મોટી જટા,
૧ ધૃતયોનિનું પ્રાયશ્ચિત્ત દદર્શનમાં અપાય છે. જે કોઈ પુરૂષ પરસ્ત્રીસંગ કરે છે તે વૃતની યોનિ કરીને તેનું દાન આપવા રૂપ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે.
૨ પિતાના પુરૂષના અભાવે બીજા પુરૂષના સંગથી જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરે તે ક્ષેત્રજ, કહેવાય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જો
૧૨૪
ભસ્મવર્ડ અંગરાગ અને કાપીનને ધારણ કરે છે, આકડા ધતૂરો અને માલૂરના “પુષ્પાથી દેવને પૂજે છે, ગીત નૃત્ય કરતાં વારંવાર અપશબ્દો ખેાલે છે, મુખ વગાડીને “ગીતનાદ આચરે છે, અસભ્ય ભાષાપૂર્વક દેવ, મુનિ અને લેાકને હણે છે, તને ભંગ “કરીને દાસી દાસપણું કરવાને ઇચ્છે છે, અનંતકાય એવા કદાદિ તથા ફુલ, મૂલ અને પાંદડાંઓનુ ભક્ષણ કરે છે, સ્ત્રી અને પુત્ર સહિત જઈ ને વનમાં વસે છે, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેચ અને ગમ્ય અગમ્યમાં સમાનપણે વર્તે છે, ચેાગી એવા નામે પ્રસિદ્ધ થાય “છે, અને કેટલાક કૌલાચાર્યના શિષ્ય થાય છે. એને અને એ સિવાય બીજા પણ કૈ જેઓનાં ચિત્તમાં જૈનશાસનના સ્પર્શ થયા નથી એવાઓને ધર્મ શું ? તેનુ ફૂલ પણ “શું ? અને તેમના ધર્માંમાં પ્રમાણ પણ શું ?
“શ્રીજિને...દ્ર ભાષિત ધર્માંના આરાધનથી આ લાકમાં અને પરલેાકમાં જે સુખકારી ફૂલ થાય તે તા તેનુ આનુષંગિક (અવાંતર) ફૂલ છે, પણ તેનું મુખ્ય કુલ તા “માક્ષજ છે, જેમ કૃષિ કરવાના મુખ્ય હેતુ ધાન્ય મેળવવાના છે, તેમાં લાલ વિગેરે જે થાય તે આનુષગિક લ છે. તેમ ધર્મ કરવાનું મુખ્ય ફલ મેાક્ષજ છે, તેમાં જે “સાંસારિક ફૂલ થાય છે તે તે આનુષંગિક ફલ છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લેાકેાએ દીક્ષા ગ્રહણ કરી; દ્વિધૃષ્ટ કુમારને સમકિત પ્રાપ્ત થયું અને બલભદ્રે શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રથમ પારષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી; પછી સૂક્ષ્મ નામના ગણધરે બીજી પારષી સુધી દેશના આપી. પછી પ્રભુએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યા; અને ઇંદ્ર, ઉપેન્દ્ર તથા ખલભદ્ર વિગેરે પોતપાતાને સ્થાનકે ગયા.
ખેતેર હજાર મહાત્મા સાધુએ, સમની શેાભાને ધરનારી એક લાખ સાધ્વીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વ ધારી, પાંચહજારને ચારસા અવધિજ્ઞાની, છહજાર ને એકસા મન:પર્ય વજ્ઞાની, છ હજાર કેવલજ્ઞાની, દશહજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસેા વાદ લબ્ધિવાળા, બે લાખ ને પદર હજાર શ્રાવકો અને ચાર લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે એક માસે ઉણા ચાપનલાખ વર્ષાંસુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા વાસુપૂજ્ય પ્રભુના પિરવાર થયા. પછી પેાતાના મેાક્ષકાલ નજીક આવેલા જાણીને પ્રભુ ચંપા નગરીએ પધાર્યા. ત્યાં છસા મુનિઓની સાથે પ્રભુએ અનશન અંગીકાર કર્યું". એક માસને અંતે આષાઢ માસની શુકલ ચતુર્દશીએ ચાંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવતાં પ્રભુ છસા મુનિએની સાથે માક્ષે ગયા.
કુમારવયમાં અઢારલાખ વર્ષ અને વ્રતમાં ચાપનલાખ વર્ષ એ પ્રમાણે ખેતેર લાખ વર્ષનું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું આયુષ્ય સ ́પૂર્ણ થયુ. શ્રેયાંસ પ્રભુના નિર્વાણ પછી ચાપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન્ નિર્વાણને પ્રાપ્ત થયા. તે વખતે દેવતાઓની સાથે ઇંદ્રાએ પ્રભુના અને તેમના શિષ્યાના યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો.
મોટા આરભ અને પરિગ્રહવાળા દ્વિધૃષ્ટ વાસુદેવ, કેસરીસિ ંહની જેમ નિઃશંક અને દેવની પેઠે સુખમાં નિમગ્ન થઇ, યથેષ્ઠ ભાગ ભેગવી, પાતાના આયુષ્યને પૂર્ણ કરી પ્રાંતે મૃત્યુ પામીને તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયો. દ્વિધૃષ્ટ વાસુદેવને કુમારવયમાં પચાતેરહજાર વર્ષોં, તેટલાજ મ`ડલિકપણામાં, દિગ્વિજયમાં એકસા વર્ષ અને રાજ્યે
૧ કાપીન–લગાટી. ૨ પેટાનુ” ફળ.
Page #152
--------------------------------------------------------------------------
________________
પત્ર ૪ થુ
૧૨૫
એતેરલાખ ઓગણપચાસ હજાર અને નવસેા વર્ષ એ પ્રમાણે એકંદર ચુંમાતેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. દ્વિત્કૃષ્ટ કાલધર્મ પામ્યા પછી બધુસ્નેહથી માહિત થઇ પચાતેર લાખ વર્ષના આયુષ્યવાળા વિજય અલભદ્ર માંડમાંડ એકાકીપણે રહ્યા. પછી તેણે વાસુપૂજ્ય ભગવાના વચનનું સ્મરણ કરવાથી તથા પેાતાના બંધુના મરણુથી સ'સાર ઉપરથી ગાઢ વિરક્ત થઈ શ્રીવિજયસૂરિના ચરણકમલમાં વ્રત ગ્રહણ કર્યું. સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને વિજય ખલભદ્ર કાલધર્મ પામી માક્ષે ગયા.
肉肉肉
烧烧烧稳防防Æ限DVDWR防DWR防保
इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये चतुर्थे पर्वणि श्रीवासुपूज्य द्विपृष्टविजयतारकचरित्र
वर्णन नाम द्वितीयः सर्गः २ ॥
腐腐腐腐8RWDWBZZBB院WER防防防防限的限
Page #153
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે.
શ્રી વિમલનાથ ચરિત્ર. નિષ્કર્મપણાથી નિર્મલ સ્વરૂપવાળા અને ઉજવલ ધર્મ વ્યાખ્યારૂપી ગંગા નદીના ઉત્પત્તિસ્થાન હિમાચળ પર્વતરૂપ શ્રી વિમલનાથ ભગવાનને નમસ્કાર હો. નિર્મલ તીર્થ જળની પેઠે જગતને પવિત્ર કરનારું તેરમા તીર્થકર શ્રી વિમલ પ્રભુનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
ધાતકીખંડ દ્વીપમાં પ્રાવિદેહ ક્ષેત્રને વિષે ભરત નામના વિજયમાં મહાપુરી નામે એક રત્ન સમાન નગરી છે. તેમાં સમુદ્રની જેમ ધારી શકાય નહીં તે અને ગુણવડેજ પાસે જવા લાયક લમીના સ્થાનરૂપ પદ્ધસેન નામે રાજા છે. બલવાન અને વિવેકી જનોમાં અગ્રેસર એવા એ રાજાએ પૃથ્વીમાં પિતાના શાસનની જેમ પિતાના ચિત્તમાં જન શાસનને અખંડ પ્રસારવાળું કરી દીધું હતું. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં ખેદયુક્ત નિવાસ કરતા તે રાજા અધિક અધિક વૈરાગ્ય ધારણ કરતો હતો. પરિણામે માર્ગમાં ખેદ પામેલ વટેમાર્ગ જેમ ઉત્તમ વૃક્ષની પાસે જાય તેમ સંસારથી અત્યંત નિર્વેદ પામીને તે રાજા સર્વગુપ્ત નામના આચાર્યની પાસે ગયે, અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિર્ધન પુરૂષ જેમ ધન પામીને અને અપુત્ર જેમ પુત્ર પામીને તેનું સમ્યક પ્રકારે રક્ષણપાલન કરે તેમ તેણે સમ્યક પ્રકારે ચારિત્રનું પ્રતિપાલન કર્યું. અનુક્રમે વિધિપૂર્વક અહંદ ભક્તિ વિગેરે સ્થાનકને સેવવાથી તેમણે આત્મપરાક્રમવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. પછી ચિરકાલ પર્યંત તીવ્ર તપ તપી અંતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી સહજાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયે.
આ જંબૂીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ અને જાણે પડી ગયેલે સ્વર્ગને એક ખંડ હોય તેવું કાંપિલ્યપુર નામે નગર છે. ત્યાં આવેલાં સુંદર ચૈિત્ય રાત્રિએ ચંદ્રકાંત મણિની પુતળીઓમાંથી ઝરતા જળવડે કરીને યંત્રમય ધારાગૃહની શોભા ધારણ કરે છે. ત્યાં હવેલીઓની ઉપલી ભૂમિપર રહેલા સુવર્ણન કુંભે લક્ષ્મીને સદા નિવાસ કરવાને માટે જાણે સુવર્ણનાં કમલે મૂક્યાં હોય તેવા શોભે છે. વિચિત્ર હવેલીઓ અને પ્રાસાદની શ્રેણુઓ જેમાં આવેલી છે એવા એ નગરને વિધાતાએ સ્વર્ગપુરી રચવા પૂર્વે નમુનારૂપ આલેખ્યું હોય તેવું દીસતું હતું. દૈવે પણ પરાભવ કરવાથી શરણ અર્થે આવેલા પુરૂષનું જાણે વામય બખ્તર હોય તે કૃતવર્મા નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો. ગંગાજલ અને તે રાજાને યશ પરસ્પર સ્પર્ધા કરી ચોતરફ પૃથ્વીને પ્રસન્ન કરતાં કરતાં સમુદ્ર પર્યત પહોંચ્યાં હતાં. યાચકની જેમ શત્રુઓમાં તે કદાપિ પર મુખ થતો નહીં, પણ પરનિંદાની જેમ પરસ્ત્રીથી તે નિરંતર પરા મુખ રહેતે હતે. પૃથ્વીમાં સૂર્યરૂપ એવા એ રાજાના શત્રુએ રણભૂમિમાં તેના તેજને અંધકારમાંથી નીકળ્યા હોય તેમ સહન કરી શકતા નહીં. મોટા વટ વૃક્ષની છાયાની જેમ તેના ચરણની છાયા અનેક રાજાઓ નીચા નમીને પ્રણામવડે સેવતા હતા. ચંદ્રને રોહિણીની જેમ સર્વ અંત:પુરના આભૂષણ જેવી શ્યામા નામે તેને પટ્ટરાણી હતી. મૂતિમતી કુળલક્ષ્મી હોય અને સાક્ષાત્ જાણે સતીત્રત હોય તેવી એ રાણુરૂપ, લાવણ્ય અને લક્ષમીની પ્રત્યક્ષ અધિદેવતા જેવી જણાતી હતી.
Page #154
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૨૭ નિરંતર પતિના ધ્યાનમાં વ્યાકુલ ચિત્તવાળી હોય તેમ એ રાણું હંસલીની પેઠે મંદ મંદ સંચાર કરતી હતી. પૃથ્વીમાં શ્રેષ્ઠ એવી સ્ત્રીઓમાં પણ તે એવી અસાધારણ સ્ત્રી હતી કે જેના સખીપણાને લક્ષ્મીદેવી કે ઈંદ્રાણીજ લાયક હતા. એ દેવી પૃથ્વી ઉપર જ્યાં જ્યાં વિચરતી ત્યાં ત્યાં લક્ષ્મી પહેરેગીરની પેઠે રાત્રિદિવસ તેની પછવાડે જ અનુસરતી હતી.
હવે સહસાર દેવલોકમાં પદ્મસેન રાજાના જ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું, અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચ્યવીને તે જીવ શ્યામાદેવીની કુક્ષિમાં આવી અવતર્યો. શ્યામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્ય રાત્રિએ ઉત્તરા ભાદ્રપદને ચંદ્ર થતાં અને બીજા સર્વ ગ્રહો પિતપોતાનાં ઉચ્ચ સ્થાનમાં આવતાં ડુક્કરના ચિન્હવાળા, તપેલા સુવર્ણન જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપ્યું. આ ખબર જ્ઞાન વડે જાણીને છપ્પન દિકુમારીઓ ત્યાં આવી, અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ દાસીની પેઠે કર્યું. પછી શુક્ર ઈદ્ર ત્યાં આવી, પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ જઈ અતિપાંડુકવેલા નામની શિલા પરના સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠે. એટલે અમ્યુત વિગેરે ત્રેસઠ ઈંદ્રોએ તીર્થ જલવડે એ તેરમાં તીર્થકરને અનુક્રમે નાત્ર કર્યું. પછી પ્રભુને ઈશાન ઇંદ્રના ઉલ્લંગમાં બેસાડી શક ઇંદ્ર, પર્વતના શિખરમાંથી નીકળેલા જાણે નિઝરણું હોય તેવા વૃષભના શીંગડામાંથી નીકળતા જલપ્રવાહવડે સ્નાન કરાવ્યું. પછી ઈદ્ર માણિક્યને જેમ માર્જન કરે તેમ સ્નાત્રજળ વડે આ પ્રભુના અંગનું દેવદૂષ્ય વસ્ત્રવડે ભાજન કર્યું. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષ ચંદનવડે શ્યામાદેવીના કુમારના શરીર ઉપર દેવદૂષ્ય વસ્ત્રને ભ્રમ આપે એવું વિલેપન કર્યું. વિચિત્ર માલાઓથી અને દિવ્ય વસ્ત્રઅલંકારોથી પ્રભુનું અર્ચના કરી છેવટે આરતી ઉતારી શક્ર ઈદ્ર આ પ્રમાણે સ્તુતિ કરી
- હે જગત્પતિ ! ચોતરફ પ્રસરતા મેહરૂપી અંધકારથી, અતિ કોપ કરનારા જટાધારી “ તાપસરૂપી નિશાચરોથી, બુદ્ધિરૂપ સર્વસ્વને હરનારા ચાર્વાકરૂપી તસ્કરોથી, માયાક“પટમાં ઘણા નિપુણ એવા બ્રાહ્મણરૂપી શિયાળાથી, મંડલી થઈને ફરતા કે લાચાર્યરૂપી
નાહારથી, અનેક પ્રકારની ચેષ્ટા કરતા પાખંડીરૂપ ઘુવડ પક્ષીઓથી અને વિવેકરૂપ “નેત્રને લુપ્ત કરનારા મિથ્યાત્વ રૂપ અંધકારથી, તથા અભુત પદાર્થના સર્વ પ્રકારના
અજ્ઞાનથી આ સમય ઘણું કાળથી રાત્રિની જેમ આ ભરતક્ષેત્રમાં પ્રવર્તતો હતો, તેમાં આપ જેવા સ્વામીરૂપ સૂર્યનો ઉદય થતાં અત્યારે પ્રભાતકાલ થયેલ છે. નીચા સ્થાનમાં “જનારી આ સંસારરૂપી નદી કે જે અત્યારસુધી નીચ જાએ ઉલ્લંઘન કરી શકાઈ નથી તે હવે તમારા ચરણરૂપ સેતુને પ્રાપ્ત કરી સુખે ઉલ્લંઘન કરવા ગ્ય થઈ છે.
હું ધારું છું કે જે ભવ્યજનો તમારા શાસનરૂપી નિશ્રેણી ઉપર ચડ્યા છે તે થોડા કાલમાં “ઊંચા લોકાગ્ર ઉપર ચડી ચુક્યા જ છે. ગ્રીષ્મઋતુના તાપથી તપેલા વટેમાર્ગ“ઓને જેમ વર્ષાદ પ્રાપ્ત થાય તેમ સ્વામી વગરના એવા અમેને ચીરકાળે તમે એક “ઉત્તમ સ્વામી પ્રાપ્ત થયેલા છે.”
આ પ્રમાણે એ તેરમા તીર્થંકરની સ્તુતિ કરીને ઈદ્ર જેમ આવ્યું હતું તેમ પાછો શ્યામાદેવી પાસે જઈ પ્રભુને ત્યાં સ્થાપન કર્યા. પછી શક્રઈદ્ર પ્રભુના વાસગૃહથી અને બીજા ઈદ્રો મેરૂ પર્વતથી કલ્યાણક યાત્રા કરીને વહાણવટીઓની જેમ પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સગ ૩ જે
પ્રભાતકાળે પુત્ર જન્મના ખબર સાંભળી કૃતવર્મા રાજાએ અતિ હર્ષિત થઈ મોટી સમૃદ્ધિથી વિશ્વને સુખ આપે તે તેને જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા વિમલ (નિર્મલ) થઈ ગયા હતા, તેથી પિતાએ તેમનું વિમલ એવું નામ પાડયું. દેવાંગના ઓએ ધાત્રી થઈને લાલન કરેલા અને દેવોએ સમાનવના મિત્રો થઈ રમાડેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સાઠ ધનુષ ઊંચા અને એક હજાર ને આઠ લક્ષણયુક્ત પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા છે કે પ્રભુને સંસાર ઉપર વૈરાગ્યભાવ હતો તોપણ માતાપિતાના આગ્રહથી ભંગ્ય કર્મરૂપ રોગની ઔષધિરૂપ એવી રાજપુત્રીઓની સાથે તેમણે વિવાહ કર્યો. કૌમારવયમાં પંદર લાખ વર્ષ ઉલ્લંઘન કર્યા પછી પિતાનાં વચનથી પ્રભુએ પૃથ્વી ઉપર રાજ્ય ચલાવવા માંડયું. કારણકે તિર્થંકરોને પણ પિતાની આજ્ઞા માન્ય છે. પૃથ્વીને પાલન કરતાં ત્રીસ લાખ વર્ષો ગયા પછી પ્રભુએ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તે વખતે સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓએ આવીને “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” એમ જગદ્દગુરૂને કહ્યું. પછી ભક દેવતાઓ એ લાવેલા દ્રવ્યવડે પૃથ્વી પર રહેલા કલ્પવૃક્ષની પેઠે પ્રભુએ યાચકોને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. દાનને અંતે સર્વ ઈદ્રોએ પોતાના હૃદયની જેવા નિર્મલ જળવડે વિમલ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય વસ્ત્ર, અલંકાર તથા વિલેપનવડે યુક્ત થઈ પ્રભુ દેવત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર અને મનુષ્યના અધીશે એ પરવરેલા પ્રભુ તે શિબિકાવડે સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. તે ઉદ્યાનમાં શીતથી ભય પામતી એવી ઉદ્યાનપાલેની બાળાઓ તેમાં રહેલી લતાકુંજની શ્રેણીને મંદિરની પ્રીતિથી સેવતી હતી. જેમની ભવિષ્યમાં અદ્દભુત શોભા થવાની છે એવા આંબા અને રસળી વિગેરે વૃક્ષો જાણે તપસ્યા કરતા હોય તેમ અતિ શીતકારક બરફને સહન કરતા હતા. નવીન કૂવાના પાણીથી અને વડની ઘાટી છાયાથી ક્રીડા કરવાને ઈચ્છતા નગરના દંપતીઓની શીત વ્યથા બંધ પડતી હતી; ટાઢથી પીડા પામતા વાનરે ચડીના ઢગલા કરતા, તેથી હાસ્ય કરતી નગરની સ્ત્રીઓની સ્મિત કાંતિના ઉર્મિઓને તે ઉદ્યાન તરંગિત કરતું હતું અને પ્રકુલિત ચાળી અને ડોલરની કળીઓથી જાણે તે હાસ્ય કરતું હોય તેમ જણાતું હતું. તેવા ઉદ્યાનમાં વિમલપ્રભુએ પ્રવેશ કર્યો.
શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ વિગેરેનો ત્યાગ કરી અને ઈ નાખેલા દેવદુષ્ય વસ્ત્રને સ્કધ ઉપર ધારણ કરી, પ્રભુએ માઘ માસની શુકલ ચતુથીને દિવસે, જન્મ નક્ષત્રમાં, પાછલે પહોરે એક સહસ રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને પ્રભુના આહારસ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી. પછી તે સ્થાનમાંથી બીજા ગ્રામ, આકર તથા પુર વિગેરેમાં પ્રભુએ છદ્મસ્થપણે વિહાર કર્યો.
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરીમાં નંદીસુમિત્ર નામે રાજા રાજ્ય કરતે હતે. એ ચક્ષુવાળ છતાં વિવેક રૂ૫ ચક્ષુથી પણ અલંગ કૃત હતો. તેની પાસે અનેક સૈનિક હતા, તથાપિ ખરેખરો તો પિતાના ખડવડે જ સહાયવાન હતું. જન્મથી સંસારના સર્વ પદાર્થોને અનિત્ય, અસ્થિર જાણવાથી તેને સંસાર ઉપર ઉદ્વેગ હતો તથાપિ ક્રમ પાળવાને માટે તેણે પોતાના વડીલેનું રાજ્ય ધારણ કર્યું હતું. એક વખતે મનથી તે પ્રથમથીજ ત્યાગ કરેલું એવું પોતાનું રાજ્ય કાયાથી પણ
Page #156
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૨૯
છોડી દઈને તેણે સુવતાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી વિવિધ અભિગ્રહ ધારણ કરી અને દુશ્વર તપ આચરી, અંતકાલે અનશન કરી તે અનુત્તર વિમાનમા દેવતા થયા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ શ્રાવસ્તી નામની નગરીમાં ધનમિત્ર નામે એક રાજા થયો. એ ધનમિત્ર રાજાના સ્નેહને લીધે બલિ નામે એક બીજે રાજા તેનાજ અતિથિપણે તેજ નગરીમાં આવીને વસ્ય હતો. એક વખતે રાજા ધનમિત્ર બલિ રાજાની સાથે પાસાવડે ઘેતક્રીડા કરવા લાગ્યા. ધનમિત્રને બુદ્ધિવૈભવ ગમ અને ચરમાં અક્ષીણ હતો. સ્ત્રીઓની જેમ સેગટીઓને મારવામાં અને બાંધવામાં પરસ્પર પ્રવર્તતા એવા તે બંને રાજમિત્ર સંગ્રામની જેમ ઘણું ઉત્કટ દૂત વિસ્તારવા લાગ્યા. પરસ્પર સર્વ પ્રકારે વિજય મેળવવાની ઈચ્છા કરનારા તે બંને રાજાઓએ છેવટે પિતાના રાજયને પણમાં મૂકી રમવા માંડયું. કહ્યું છે કે ઘતાંધને બુદ્ધિ કયાંથી હોય? એમ રમતાં રમતાં ધનમિત્ર રાજા પિતાનું રાજ હારી બેઠો અને ક્ષણવારમાં રાંકના પુત્રની જે લક્ષમીરહિત અને એકલે થઈ નિસ્તેજપણે જીણું કપડાં પહેરીને જાણે ભૂત વળગ્યું હોય તેમ ભટકતો સર્વ ઠેકાણે અપમાન પામવા લાગ્યા.
એક વખતે આમતેમ ભટકતા તે ધનમિત્રને સુદર્શન નામના એક મુનિ મળ્યા. તેમને નમસ્કાર કરીને લાંઘણ કરતો રેગી જેમ ઔષધનું પાન કરે તેમ તેણે તે મુનિ પાસેથી દેશનારૂપ અમૃતનું પાન કર્યું. તે દેશનાથી પ્રતિબંધ પામી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી પાળી, પણ પિતાને થયેલા અપમાનને ભૂલી ગયે નહીં. છેવટે તેણે નિયાણું કર્યું કે “મારા તપચારિત્રના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં.” આવું નિયાણું બાંધી અનશનકર્મથી મૃત્યુ પામીને તે બારમા અશ્રુત કલ્પમાં ઉત્કૃષ્ટ આયુષવાળા દેવતા થયે.
બલિરાજા પણ યતિલિંગ ધારણ કરી કેટલેક કાલે મૃત્યુ પામીને દેવલેકમાં મહદ્ધિક દેવતા થયે. ત્યાંથી ચવીને તે ભરતક્ષેત્રમાં આવેલા નંદનપુર નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષી થકી પુત્રરૂપે ઉત્પન્ન થયે. સ્નિગ્ધ અંજન જેવી કાંતિવાળે, સાઠ ધનુષ ઊંચા શરીરવાળે અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળો તે અદ્દભુત પરાક્રમી થયે. એ પ્રતાપી કુમારે વૈતાઢય પર્વત સુધી ભરતાદ્ધને સાધી લીધું, અને અદ્ધચક્રધારી મેરિક નામે પ્રતિવાસુદેવ થયે. વાયુની સામે જેમ બી વિશેષ વેગવાન ન હોય અને સૂર્યની સામે જેમ બીજે વિશેષ તેજસ્વી ન હોય તેમ તેની સામે બીજે કઈ રાજા સ્પર્ધા કરનાર પ્રતિમલ્લ જેવો હતો નહીં. દેવની જેમ તેની આજ્ઞાને પણ કઈ ઉલ્લંઘન કરી શકતું નહીં; માત્ર રક્ષાના શિખાબંધની જેમ તેની આજ્ઞાને સર્વે મસ્તક ઉપર ધારણ કરતા હતા.
આ ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીને વિષે સમુદ્રના જેવો ગંભીર રૂદ્ર નામે એક રાજા થર્યો. તેને જાણે સાક્ષાત્ લક્ષ્મી અને પૃથ્વી હોય તેવી સુપ્રભા અને પૃથિવી નામે રૂપ તથા ગુણની શોભાથી મનહર એવી બે કાંતા હતી. તેમાંની સુપ્રભાદેવીના ઉદરમાં નંદિસુમિત્રને જીવ અનુત્તર વિમાનથી ચવીને અવતર્યો. સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વપ્ન રાત્રિના શેષ ભાગમાં અવલે ક્યાં અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસે ગયા, એટલે સુપ્રભાદેવીએ કાંતિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપે.
૧૭.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સર્ગ ૨ જે
જન્મને
રૂદ્રરાજાએ તેનું ભદ્ર એવું નામ પાડયું અને કુળની ભદ્રલમી સહિત તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
ધનમિત્રને જીવ પણ અમ્રુત કલ્પમાંથી ચવીને સરોવરમાં કમલની જેમ પૃથિવીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સુખે સુતેલા એ દેવીએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના
મને સૂચવનારાં સાત મહા સ્વપ્નોને મખમાં પ્રવેશ કરતાં જોયાં. સંપૂર્ણ સમય થતાં વિટૂર પર્વતની ભૂમિ જેમ વૈડૂર્યમણિને પ્રસવે તેમ શ્યામ અંગવાળા અતિ પ્રકાશમાન પુત્રને તે દેવીએ જન્મ આપ્યું. રૂદ્રરાજાએ હર્ષ પામી મોટા ઉત્સવવડે તે પુત્રનું સ્વયંભૂ એવું નામ પાડયું. પાંચ સમિતિવડે જેમ મુનિનું નિર્દોષ તપ વધે, તેમ પાંચ ધાત્રીઓએ પાલન કરાતે એ કુમાર નિત્ય વધવા લાગ્યું. વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ એ બંને કુમારે ત તથા શ્યામ ગંગા અને યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા. તેમની સાથે ક્રીડા કરતા બીજા રાજકુમારે તેમના ચરણઘાતને પણું સહન કરી શકતા નહીં. કારણકે તેમના ચરણના ઘાતથી તે પવે તે પણ પડી જતા હતા. શ્યામ અને પીત વસ્ત્રને ધરનારા તથા તાળ અને ગરૂડના ચિન્હવાળા એ બંને ભાઈઓ જયારે ક્રીડા કરતા ચાલતા ત્યારે પૃથ્વી પણ ચલાયમાન થતી હતી. વિશેષ ભાં આપનારૂં ભુજવીર્યનું અને બુદ્ધિનું જાણે તારૂણ્ય હોય તેમ સર્વ શસ્ત્રમાં અને શાસ્ત્રમાં તેમને અભ્યાસ પ્રવર્તાવા લાગ્યા.
એક વખતે નગરીની બહાર તેઓ કીડા કરતા હતા તેવામાં ઘણા હાથી ઘોડા અને દ્રવ્ય સમૂહવાળી તથા ઘણું રક્ષક સહિત એક છાવણી પડેલી તેઓના જોવામાં આવી. બલભદ્ર પ્રધાનપુત્રને પૂછયું-“આ સર્વ સૈન્ય કેવું છે? કઈ મિત્રે મોકલેલું છે કે શત્રુનું મોકલેલું છે?” સચિવપુત્રે કહ્યું-“શશિસૌમ્ય નામને રાજા જીવિતની ઈચ્છાથી મેરક નામના પ્રતિવાસુદેવને પોતાના દંડની બદલીમાં આ સર્વ ભેટ તરીકે મેકલાવે છે.” આવાં વચન સાંભળી વાસુદેવે કોપથી કહ્યું-“શું અમારી નજરે તેને દંડ મેકલાવાય? આપણે અહીં વિદ્યમાન છતાં એ વરાક મેરક કાણું માત્ર છે કે જે આ પાર્થિવને પણ દંડે છે તે આપણે તેનું પરાક્રમ અવશ્ય જોવું જોઈએ.” આ પ્રમાણે કહી વાસુદેવે હાથ ઊંચો કરી પોતાના સુભટને કહ્યું-“આ છાવણીમાં જે દ્રવ્યાદિ છે તે સર્વ બલાત્કારે ખેંચી .” આવી આજ્ઞા થવાથી તેના સુભટ ગદા, મુદ્દગર અને દંડાદિકવડે શશિસૌમ્ય રાજાના સૈનિકોને ફળેલાં વૃક્ષની જેમ એકાએક તાડન કરવા લાગ્યા. જેમ અજાણ્યા પકડનારા આવે અથવા રાત્રિએ સુઈ ગયેલા ઉપર જેમ યુદ્ધ કરનારા આવે તેમ તે સુભટના અકસ્માત આવી પડવાથી તેમના મારને નહીં સહન કરતા શશિસામ્ય રાજાના સુભટો કાગડાની જેમ પ્રાણ લઈને નાસી ગયા. પછી હાથી ઘોડા અને દ્રવ્ય વિગેરે સર્વ વાસુદેવે લઈ લીધું. બલાત્કારે પારકી લક્ષ્મીનું હરણ કરવું એ ક્ષત્રિયોને સ્વભાવ છે.
હવે શશિસૌમ્ય રાજાના માણસે પોકાર કરતા કરતા મેરકની પાસે આવ્યા અને એ હસ્તી અશ્વ વિગેરેને હરણ કર્યાની વાર્તા તેને નિવેદન કરી. એ સાંભળી યમરાજની પેઠે અમર્યાદ કૈધ પામતે મેરક ભયંકર ભ્રગુટી ચડાવી સભા વચ્ચે બે -બપિંડ ખાઈને ઉન્મત્ત થયેલો ગધેડે જેમ હાથીને પાટુ મારે, કૌટુંબિકની સ્ત્રીને જેમ ખેડુ માણસ મારવા દેડે અને નાના ડેડકે જેમ સર્પને ચપેટે મારે. તેમ પોતાના સ્વરૂપને નહીં જાણનારા આ રૂદ્રરાજાને કુમારે પોતાનાજ મૃત્યુને માટે આ કામ કરેલું છે. જેમ કીડીઓને પાંખો આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેમ જ્યારે પુરુષોને દેવ પરમુખ થાય ત્યારેજ વિપ
Page #158
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૩૧
રીત બુદ્ધિ થાય છે. ચોરની પેઠે મારી ભેટને હરણ કરનાર એ નવા ભત્રિજાને પિતા બ્રાતા સહિત હું મારી નાખીશ.” મેરક આ પ્રમાણે કહી રહ્યા એટલે એક સચિવે કહ્યું- હે સ્વામી ! તે છોકરાઓ તે બાળક છે. તેથી તેમણે આમ કર્યું છે, પણ રૂદ્ર રાજા આપની ચિરકાલથી સેવા કરે છે, માટે આપે તેની ઉપર કેપ કર યુક્ત નથી. હું ધારું છું કે આ કાર્યમાં રૂદ્રરાજાની સંમતિ હશે નહીં, કેમકે આપની તરફ તેની આરાધના કરવાની જ ઈચ્છા વ છે. સ્વામીને થતા કેપમાં અને નદીના પૂરમાં કેણ વચ્ચે પડે એવી શંકાથીજ રૂદ્રરાજા આ સંબંધમાં વિલંબ કરતા હોય તેમ ખરેખર જણાય છે. માટે હે દેવ ! પ્રસન્ન થાઓ, મને આજ્ઞા આપે, અને તેને અભય આપ. જઈને તેણે લુંટી લીધી છે તે કરતાં વિશેષ ભેટ લઈ આવીશ.”
મેરક પ્રતિવાસુદેવે તે પ્રમાણે કબુલ કર્યું એટલે તે મંત્રી ઉતાવળે દ્વારકામાં આવ્યું અને ત્યાં ભદ્ર અને સ્વયંભૂ કુમાર સાથે રાજસભામાં બેઠેલા રૂદ્રરાજાની પાસે આવી તેણે કહ્યું-“હે નૃપતિ ! તમારા પુત્રએ અજ્ઞાનથી આ શું કર્યું ? સ્વામીના મુખની લજજાએ તેના ધાનને પણ મરાય નહીં. હવે તે સર્વ ભેટ પાછી અર્પણ કરી દે જેથી તમારે માથે દેષ રહેશે નહીં. તમારા પુત્રના દેવને તેમની અજ્ઞાનતા ઢાંકી દેશે.” મંત્રીનાં આવાં વચન સાંભળી સ્વયંભૂકુમારે કહ્યું- હે મંત્રી ! સ્વામીભક્તિથી અને મારા પિતા તરફ પૂજ્યભાવથી તમે પવિત્ર બુદ્ધિવડે જે આ કહ્યું છે તે સત્ય અને ઉચિત છે, પણ બુદ્ધિથી નિરીક્ષણ કરશો તે તમને જણાઈ આવશે કે આ અમે ખુંચવી લીધું છે, તેમાં તે મેરકનું કેટલું લઈ લીધું છે ? પણ હવે અમે તે બધી પૃથ્વી ખુંચવી લઈશું; કારણકે આ આ ભૂમિજ વીર પુરૂષોને ભોગવવા ગ્ય છે. વળી યમરાજા પેઠે કોપ પામેલા આર્ય બલભદ્રની અને મારી ભુજાના બલને સહન કરવાને રણભૂમિમાં કેણ સમર્થ છે? માટે એ તમારા રાજાને જ મારીને હું અર્ધ ભારતને ભેગવશ કીડાની જેવા બીજા ઘણા રાજાઓને કુટવાથી શું લાભ છે ? તે મેરકે આ ભરતાદ્ધને પિતાના ભુજાબળથી તાબે કર્યું છે તે કાંઈ તેમના પિતાનું ન હતું. તેવી રીતના ન્યાયથી હવે બલવાનમાં પણ બલવાન એવા તે મારે તાબે થશે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી વિસ્મય પામેલા તથા ભય પામેલા એ સચિવે તત્કાલ ત્યાંથી નીકળી એકદમ મેરક પાસે આવી યથાર્થ પણે તે વૃત્તાંત કહી સંભબાવ્યું. તેની દુ:શ્રવ વાણી સાંભળીને ઉન્મત્ત હાથીની જેમ ક્રોધ પામેલા મેરકરાજાએ સન્યના ભારથી પૃથ્વીને કંપાવતા સતા પ્રયાણ કર્યું.
આ તરફ સ્વયંભૂ વાસુદેવે પણ રૂદ્રરાજા અને ભદ્ર કુમાર સહિત ગુફામાંથી કેશરીસિંહ નીકળે તેમ દ્વારકામાંથી બહાર નીકળી પ્રયાણ કર્યું. લોકો માં ક્ષોભ ઉત્પન્ન કરતા એવા ભયંકર સ્વયંભૂ અને મેરક રાહુ અને વિષ્ણુની જેમ અનુકમે એક ઠેકાણે આવી મળ્યા. શાસ્ત્રના પ્રહારથી ઉઠેલા અગ્નિવડે દિગંતરને વિકરાળ કરતું તે બંને સૈન્ય વચ્ચે મહાભયંકર યુદ્ધ પ્રવત્યું. પછી સ્વયંભૂએ સર્વ શત્રુઓને ઉચ્ચાટન કરવાના મંત્ર ધ્વનિ જે જેને મહા સ્વર છે એ પાંચજન્ય નામનો શંખ પૂર્યો. એ પાંચજન્ય શંખને ધ્વનિ સાંભળવાથી મેરકન સર્વ સૈનિકે ત્રાસ પામી ગયા. કેમકે કેશરીસિંહનો નાદ સાંભળીને હાથીએ ટકી શકતા નથી. પછી પિતાના સૈનિકોને એક બાજુએ રાખી, મેરકરાજા તેિજ રથમાં બેસીને કુકડાની જેમ સ્વયંભૂ કુમારની સામે યુદ્ધ કરવા આવ્યા.
આપણે સૈનિકોને વૃથા સંહાર શા માટે કરો ?” એમ પરસ્પર બોલતા મહા ધનધરી તે બંને વિરો એક બીજાના ધનુષનું આસ્ફાલન કરવા લાગ્યા. સૂર્યમંડળને આચ્છા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સર્ગ ૨ જો
દન કરે એવા બાણુસમૂહરૂપ વાદળને વિષુવી તેમાંથી બાણુરૂપ જળની વૃષ્ટિ કરતા તેએ જાણે જયલક્ષ્મીના વિવાહમ’ડપ રચતા હોય તેમ જણાવા લાગ્યા. જેમ વિષવડે વિષ અને અગ્નિવર્ડ અગ્નિના પરાભવ કરાય તેમ તેઓ પરસ્પર ખાણવૃષ્ટિવડેજ ખાણવૃષ્ટિનુ નિવારણ કરવા લાગ્યા. તે વખતે પ્રસરતા એવા હજારા ખાણરૂપ કિરણાથી જાણે ભયકર એ સૂ ઉગ્યા હોય તેવા તે દેખાવા લાગ્યા. ભાથુ અને ધનુષની વચમાં અલક્ષ્યપણે ગમનાગમન કરતા તેમના હાથ ફક્ત રત્નજડિત ઉમિકા ( વીટી ) ના તેજથીજ લક્ષમાં આવતા હતા. ક્ષણવાર ભાથામાં અને ક્ષણવાર ધનુષની પણચમાં આવી પડતા તે અતિ ચાલાક વીર પુરૂષોના હાથ જાણે એ રૂપને ધારણ કરતા હેાય તેમ શાભતા હતા. એ પ્રમાણે યુદ્ધ કરતાં ખાણુયુદ્ધવડે તે સ્વયંભૂને અજચ્ચ ધારી મેરકરાજાએ કલ્પાંત કાળના પવન જેમ પ તાના શિખરાની વૃષ્ટિ કરે તેમ ગદાદિક અસ્ત્રોની તેના ઉપર વૃષ્ટિ કરવા માંડી. વિષ સર્પની વિકરાળ દૃષ્ટિવાલાએથી જેમ વસ્તુ માત્ર ભસ્મ થઇ જાય તેમ સ્વયંભૂએ તેની સામે પ્રતિઅસ્રા નાખીને તે અસ્રો ભસ્મપ્રાય નિઃસાર કરી દીધાં. રણુસમુદ્રના પાર પામવાની ઈચ્છાવાળા મેરકે છેવટે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાલ શીકારીના હાથમાં જેમ પક્ષી આવે તેમ ચક્ર તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેને આવેલું દેખીને મેરકે ગથી સ્વયંભૂને કહ્યું- અરે ભદ્ર ! આટલી વાર ક્રીડા માત્ર યુદ્ધ કરીને મે તને સુભટ બનાવ્યેા છે, પણ હવે ચાલ્યા જા, નહી તે આ ચક્ર તારૂં મસ્તક છેદશે. વળી તસ્કરને ને કાગડાને નાસવામાં શી લજ્જા આવે તેમ છે ?'' સ્વયંભૂએ કહ્યુ “અરે મૂઢ ! જો આવું તારૂ’ ક્રીડાયુદ્ધ હોય તે કાયુદ્ધ કેવુ' હશે તે જેવાનેજ હું આવ્યા છું, માટે તે બતાવ. શત્રુઆની લક્ષ્મીને ખુંચવી લેનાર વીર પુરૂષો જે તસ્કર કહેવાતા હાય તેા પ્રથમ તુ ંજ તસ્કર છે, કારણકે તને આ રાજ્યલક્ષ્મી કાણે આપી છે ? કદાપિ તારે આ ચક્ર મૂકી દઇને પણ અદ્યાપિ નાસી જવુ. હાય તા નાસી જા, કેમકે તારી જેવા તસ્કરને અને કાગડાને નાસી જવામાં કાંઈ લજ્જા નથી. અથવા એમ નહી તો આ ચક્રને સત્વર મારી ઉપર છેડી દે; એનું પણ ખળ જોતા જા, અન્યથા મરણ પામ્યા પછી તને પશ્ચાત્તાપ થશે.” સ્વયંભૂનાં આવાં વચન સાંભળીને કાપ પામેલા મેરકે જાણે બીજો મ‘ગલગ્રહ હોય તેવું અને જ્વાલાના સમૂહથી વિકરાળ એવું ચક્ર આકાશમાં ભમાડીને તેના ઉપર મૂકયુ. જેમ કાંસાના તાળ સાથે કાંસાનેા તાળ મળે તેમ તે ચક્ર આવીને વાસુદેવની છાતીમાં દૃઢ રીતે અથડાયુ, તેથી ચક્રના અગ્રભાગના આઘાતવડે ચપલ નેત્રવાળા થયેલા સ્વયંભૂ કુમાર મર્દિરામત્ત પુરૂષની જેમ રથમાં મૂર્છા ખાઇને પડયા. ‘ વત્સ ! સાવધ થાઓ, સાવધ થાઓ’ એમ બોલતા અપ્રિય ખલભદ્રે નેત્રમાં અશ્રુ લાવી તેમને પોતાના ઉત્સ`ગમાં લીધા. પાતાના પ્રિય અંધુના અશ્રુજલવડે સિ'ચન થયેલા સ્વયં ભૂ વાસુદેવ તરતજ સ ́જ્ઞા મેળવી
.
-"
ઉભા રહે, ઉભા રહે’ એમ શત્રુ પ્રત્યે ખેલતા બેઠા થયા. પ્રફુલ્લિત થયેલા નેત્રવડે પોતાના સુભટાથી જોવાતા સ્વયંભૂ કુમારે, જાણે શત્રુઓનુ કાળચક્ર હોય તેવું તે ચક્ર હાથમાં લઈ મેરકને કહ્યું અરે મેરક ! સ અસ્ત્રોના સર્વસ્વ રૂપ આ ચક્ર અને આ તારૂ′ જીવિત સર્પના માથાના મણની જેમ હવે ગયેલું જોતાં છતાં પણ હજી તુ' કાને આધારે ઉભા રહ્યો છે ? માટે અહી'થી સત્વર ચાલ્યા જા, રણભૂમિમાંથી નાસી જતાં શત્રુઓને આ સ્વયંભૂ હણુશે નહીં.” મેરકે કહ્યું–“તું પણ એ ચક્રને છેાડી તેનું ખલ જોઈ લે, કેમકે જે સ્રી પેાતાના સાચા પતિની થઈ નહી તે સ્ત્રી ઉપપતિ (જાર) ની શી રીતે થશે ?”
આ પ્રમાણે મેરકે કહ્યું, એટલે વાસુદેવે તે ચક્ર આકાશમાં ભમાડીને તેની ઉપર મૂકયું; તેણે તત્કાલ મેરકના મસ્તકને લીલામાત્રમાં છેદી નાખ્યું. તે વખતે સ્વયંભૂના ઉપર આકા
Page #160
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૩૩ શમાંથી પુષ્પવૃષ્ટિ પડી, અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું. મેરકને આશ્રય કરી રહેલા રાજાઓએ તત્કાલ સ્વયંભૂ પાસે આવીને તેને આશ્રય લીધે. એ યુદ્ધયાત્રા એક બીજા
રદાનરૂપ થઈ પડી. પછી દિશાઓના ચકને વિજય કરનારૂં એ ચક્ર દક્ષિણ ભુજામાં ધારણ કરીને સ્વયંભૂ વાસુદેવે દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. જયલક્ષ્મીના સ્થાનરૂપ થઈને તેઓ દિગયાત્રામાંથી પાછા ફર્યા. નવોઢા સમાન ભરતાદ્ધની લક્ષ્મી સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા સ્વયંભુકુમારે માર્ગમાં ચાલતાં મગધદેશમાં એક મોટી શિલા જોઈ. એ શિલા કેટી પુરૂ–
એ ઉપાડવા ગ્ય અને પૃથ્વીને જાણે કપાલપુટ હોય તેવી દેખાતી હતી. સર્પરાજ જેમ પૃથ્વીને ઉપાડે તેમ વાસુદેવે વામબાહુથી તેને છાતી સુધી ઊંચી કરી; અને પરાક્રમી પુરૂ
ને આશ્ચર્ય પમાડી પાછી તે શિલા ત્યાંજ મૂકી. ત્યાંથી કેટલાક દિવસે તે દ્વારકામાં આવ્યા. ત્યાં રૂદ્રરાજાએ, ભદ્રબલદેવે અને બીજા રાજાઓએ મળીને સ્વયંભૂ કુમારને ઉત્સવ સહિત અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. - હવે બે વર્ષ પર્યત છદ્મસ્થપણે વિહાર કરી વિમલનાથ પ્રભુ સહસા પ્રવન નામના દીક્ષાઉદ્યાનમાં ફરીવાર આવ્યા. ત્યાં જ બૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા પ્રભુનાં ઘાતકર્મ નાશ પામ્યાં. જેથી પોષ માસની શુકલ ષષ્ટિને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છડું તપયુક્ત પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમોસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વિગેરે સત્તાવન તેમને ગણધર થયા. તેમના તીર્થમાં મયૂરના વાહનવાળે, ઉજજવળ વર્ણવાળે, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક, ઈષ, ખ, પાશ અને અક્ષસૂત્ર અને વામબાજુની છ ભુજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનાર પમુખ નામે યક્ષ શાસનદેવતા થયે. તથા હરિતાળના જેવા વર્ણવાળી, પદ્મ ઉપર બેઠેલી, દક્ષિણ ભુજામાં બાણ અને પાશને ધરનારી અને નામ ભુજામાં કેદંડ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ.
તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે રહેલાં છે એવા જગદગુરૂ વિહાર કરતા કરતા એકદા દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાર્યા. ઈંદ્રાદિક દેવોએ ત્યાં સાત ને વીશ ધનુષ ઊંચા અશોકવૃક્ષયુક્ત સમોસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારવડે તેમાં પ્રવેશ કરી આહતી સ્થિતિને પાળતાં તે રૌત્મવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી; અને તેરમાં ધર્મચક્રી વિમલનાથે “તીર્થક નમઃ” એમ કહી પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. પછી સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ, દેવીઓ, નારીઓ અને નરે યથાયોગ્ય દ્વારે પેસી પિતપિતાને ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે રાજપુરૂષોએ સત્વર દ્વારકામાં જઈ પ્રભુના સમોસરણની વાર્તા વાસુદેવને જણાવી. હર્ષ પામેલા સ્વયંભૂ પ્રભુના આગમનને કહેનારા પુરૂને પારિતોષિકમાં સાડાબાર કેટી સોમૈયા આપ્યા. પછી સ્વયંભૂવાસુદેવે ભદ્ર બલદેવની સાથે ભદ્રના એક કારણરૂપ સમેસરણ પાસે આવી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને ભદ્ર સહિત ઇંદ્રની પાછળ બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલદેવે ફરી પ્રણામ કરી અંજલિ જેડી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે દેવ ! વર્ષાકાળના જળથી પૃથ્વીના કાદવની જેમ તમારા દર્શનથી આ જગતના પ્રાણીઓનું સાંસારિક દુઃખ નાશ પામ્યું છે. હે સ્વામી! તમારા દર્શનને કારણરૂપ “આજનો દિવસ ઘણે પવિત્ર છે કે જેમાં દુષ્કર્મથી મલિન એવા અમે નિર્મલ થઈશું. “અમારી દષ્ટિએ શરીરનાં સર્વ અંગે માં રાજાપણું પ્રાપ્ત કરેલું હતું, તેઓએ આજ “તમારું દર્શન પ્રાપ્ત કરી પિતાની બરાબર શુદ્ધિ કરેલી છે. તમારા ચરણના સંપર્કથી આ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સર્ગ ૨ જે.
ભરતક્ષેત્રની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે, તે તમારા દર્શને તેઓના પાપનો નાશ કરે તેમાં “શું કહેવું ! હે પ્રભુ ! ઘુવડ પક્ષીઓની જેમ મિથ્યાદષ્ટિ પુરૂષોને તમારું દર્શન કેવલજ્ઞા“ન રૂ૫ સૂર્યના પ્રકાશના અભાવનું જ કારણ થશે. તમારા દર્શનરૂપ અમૃતપાનવડે જેમના “શરીર ઉચ્છવાસ પામેલા છે એવા પ્રાણીઓના કર્મબંધ આજે અવશ્ય તુટી જશે. વિવેકરૂપી દર્પણને સાફ કરવામાં તત્પર અને કલ્યાણવૃક્ષના બીજ જેવા તમારા ચરણનાં રજ“કણે અમને પવિત્ર કરો. હે સ્વામી ! અમૃતના ગંડૂષ જેવા તમારાં દેશના વચને સંસા“રરૂપ મરૂદેશમાં મગ્ન થયેલા અને સ્વસ્થ કરવાને માટે થાઓ.” - આ પ્રમાણે સ્તુતિ કરી તેઓ વિરામ પામ્યા, એટલે વિમલનાથ પ્રભુએ નિર્મલ ધર્મદેશના આપવાને આરંભ કર્યો.
- “અકામ નિજારૂપ પુણ્યથી પ્રાણીને સ્થાવરપણાથી ત્રસપણું કે તિર્યંચ પંચેદ્રીપણું “માંડ માંડ પ્રાપ્ત થાય છે. તેમાં પણ જ્યારે કર્મની લાઘવતા થાય ત્યારે પછી માનુષ્ય “જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, સર્વ ઇદ્રિનું પાટવ અને દીર્ઘ આયુષ્ય કથંચિત્ મેળ“વાય છે. તે કરતાં પણ વિશેષ પુણ્ય હોય તે ધર્મકથક ગુરુની જોગવાઈ અને શાસ્ત્રનું “શ્રવણ તથા તેમાં શ્રદ્ધા એટલાં વાનાં પ્રાપ્ત થાય છે, પણ તેમાં તત્ત્વનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. જિનપ્રવચનમાં જેવું બધિરત્ન અત્યંત દુર્લભ છે તેવું રાજા“પણું, ચક્રવત્તીપણું કે ઇદ્રપણું મેળવવું દુર્લભ નથી. સર્વ જીવોએ પૂર્વે અનંતવા૨ સર્વ “ભાવે પ્રાપ્ત કરેલા હશે, પણ જ્યાં સુધી આ સંસારમાં તે જેનું પરિભ્રમણ જોવામાં “આવે છે ત્યાં સુધી તેઓએ કદિ પણ બોધિરત્નની પ્રાપ્તિ કરેલી જણાતી નથી. સર્વ “પ્રાણીઓને આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન થઈ ગયાં છે, પરંતુ “જ્યારે છેલ્લે અદ્ધપુદગલપરાવર્તન સંસાર અવશેષ રહે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ એક “કેટકેટી સાગરોપમથી ઓછી યથાપ્રવૃત્તિકરણ વડે કરીને કે પ્રાણી ગ્રંથિભેદ થવાથી “ઉત્તમ બેધિને પામે છે. કેટલાએક છે યથાપ્રવૃત્તિકરણ કરવાથી તે ગ્રંથિના સીમાડા ઉપર પ્રાપ્ત થયા હોય, તે પણ ત્યાંથી સીદઈને પાછા વળે છે અને પાછા સંસારમાં “ભમે છે. કુશાસ્ત્રનું શ્રવણ, મિથ્યાદષ્ટિને સમાગમ, નઠારી વાસના અને પ્રમાદ કરવાની
વ–એ સમકિતપ્રાપ્તિની સામે થનારા શત્રુઓ છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ પણ દુર્લભ કહેલી છે પણ જો બોધિની પ્રાપ્તિ થઈ હોય તે તે સફલ છે, અન્યથા નિષ્ફલ છે. અભવ્ય “પ્રાણીઓ પણ ચારિત્ર ગ્રહણ કરીને નવમાં ચૈવેયક સુધી ઉત્પન્ન થાય છે પણ બધિ વિના “તેઓ મોક્ષપદને પામી શકતા નથી. ચક્રવતી પણ બોધિરત્નની પ્રાપ્તિ વિના રાંક જે છે. અને બધિરનને પ્રાપ્ત કરનાર રાંક હોય તે પણ તેનાથી અધિક છે. જેને
નની પ્રાપ્તિ થઈ હોય છે તેઓ કદિ પણ આ સંસારમાં રાગ કરતા નથી, પણ મમતારહિત થઈને મુકતપણે મુક્તિમાર્ગને જ ભજે છે.”
પ્રભુની આવી દેશના સાંભળીને ઘણું લકે એ દીક્ષા લીધી, સ્વયંભૂ વાસુદેવ સમકિત પામ્યા, અને બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. જ્યારે પ્રથમ પિરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણધરે તેવી જ રીતે દેશના આપી. બીજી પિરથી જયારે પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના પૂર્ણ કરી. પછી ઈદ્ર, વાસુદેવ તથા બલભદ્ર વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા અને લોકોના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમલપ્રભુએ પુર, ગ્રામ, ખાણ અને દ્રાણમુખ વિગેરેમાં વિહાર કર્યો. અડસઠહજાર મહાત્મા સાધુઓ, એકલાખ ને આઠસે સાધ્વીઓ, અગ્યારસો ચૌદ પૂર્વ ધારી, ચારહજાર ને આઠસે અવધિજ્ઞાની
Page #162
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૩૫
પાંચહજાર ને પાંચસે મનઃ૫ર્યવજ્ઞાની, તેટલાજ કેવલજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો અને ચારલાખ અને ચોત્રીસહજાર શ્રાવિકાઓએટલો પરિ. વા૨ કેવલજ્ઞાન પછી બે વર્ષે ઉણા પંદરલાખ વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતા વિમલનાથ પ્રભુને થયે. પછી પિતાને નિર્વાણકાળ નજીક આવેલે જાણે પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા, અને ત્યાં છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી આષાઢ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં. તે સર્વે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. પછી ઈંદ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુને અને બીજા મુનિઓને નિર્વાણમહિમા કર્યો.પંદરલાખ વર્ષ કૌમાર વયમાં, ત્રીશલાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદરલાખ વર્ષ વ્રતમાં–એમ સર્વ મળીને સાઠલાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વીમળનાથ પ્રભુનો નિર્વાણકાલ થયા.
સ્વયંભૂ વાસુદેવે આશ્ચર્યકારી અધૂર્યના મદથી વિવેક રહિત થઈને અનેક ક્રર કર્મો કર્યા, જેથી પિતાનું સાઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છે તે પ્રકારનાં માઠા કર્મોથી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. બારહજાર વર્ષ કુમારપણામાં તેટલાજ મંડલિકપણુમાં, નેવું વર્ષ દિવિજયમાં અને ઓગણસાઠ લાખ પંચોતેર હજાર નવસે ને દશ વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી સાઠલાખ વર્ષનું તેમનું આયુષ્ય પૂર્ણ થયું હતું.
પિતાના બંધુના મૃત્યુ સંબંધી વિપત્તિના શેકથી વિરક્ત થયેલા ભદ્ર બલદેવ મુનિચંદ્ર મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, પાંસઠલાખ વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, કાળધર્મ પામીને પરમપદને પ્રાપ્ત થયા.
#23238428829 8888888888888888888
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीविमलनाथस्वयंभूभद्रमेरकचरित्र
વળનો નામ તાઃ સ રૂ . ઐ38888888888888888888888888888888@BE
Page #163
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થો.
શ્રી અનંતનાથ ચરિત્ર. આ સંસારમાં પણ મોક્ષની પેઠે પ્રાણીઓને અનંત સુખ આપનારા તેમજ જેમણે અનંત ચતુષ્ટયને સિદ્ધ કરેલા છે એવા શ્રી અનંતનાથ ભગવાન તમારી રક્ષા કરે. અપાર સંસાર રૂપ સમુદ્રને તારવામાં વહાણની જેવું તે શ્રી અનંતનાથ ભગવંતનું ચરિત્ર હવે કહેવામાં આવે છે.
ધાતકીખંડ દ્વીપમાં પ્રાવિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયને વિષે અરિષ્ટા નામે એક મોટી નગરી છે. તેમાં શત્રુઓના રથવાળા સૌન્યના રથમૂહને ખુલના કરવામાં ગિરિ સમાન પધરથ નામે મહારથી રાજા રાજય કરે છે. તેમણે સર્વ શત્રુઓને વિજય કરી બધી ઋદ્ધિ સાધી હતી, તથાપિ મોક્ષલક્ષમીને સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વને તૃણસમાન ગણવા લાગ્યા. તેઓ ઉદ્યાનમાં વિહારલીલા, વાપિઓમાં જલક્રીડા, ગાંધર્વોના સંગીતનું અવલોકન, હાથીઘેડા વિગેરે વાહનની વિચિત્ર ગતિનું દર્શન, વસંતના તથા કૌમુદીના મહોત્સવ જેવા કીડા ઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દશ રૂપકના અભિનયને ઉત્સવ, સ્વગના વિમાન જેવા મહેલમાં નિવાસ અને વિચિત્ર વસ્ત્રના વેષ, અંગરાગ અને આભૂષણનું ધારણએ સર્વ માત્ર લેકરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગપૂર્વક કાંઈપણ અનુભવતા નહોતા.
આ પ્રમાણે કેટલાએક કાળ ઉલ્લંઘન કરી છેવટે એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના ગુરૂના ચરણમાં જઈ દીક્ષા ગ્રહણ કરી. પછી અહંતની ભક્તિ વિગેરે સ્થાનોના આરાધનવડે તીર્થકર નામકર્મ બાંધી, મૃત્યુ પામી પ્રાણુત દેવ લોકમાં પુષ્પોત્તર વિમાને દેવતા થયા.
આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધને વિષે ઈવાકુવંશ રૂપ પર્વતની ભૂમિમાં અયોધ્યા નામે ઉત્તમ નગરી છે. આસપાસ રહેલી નિર્મલ સ્વરછ જળવાળી ખાઈના મંડલથી રતિ વખતે જેની કેશવેણી છુટી ગઈ હોય તેવી રમણીના જેવી તે નગરી શોભતી હતી. તેમાં સારા નિષ્ક્રમ અને પ્રવેશવાળા, ઉત્તમ સંધિવાળા, અર્થવાળા અને સારી ભૂમિકાવાળા શ્રીમતનાં મંદિરે નાટકની પેઠે દીપતાં હતાં. તે ગૃહોની ઉપલી ભૂમિ ઉપર આવેલી સેનાની જાળીએ, જાણે પ્રત્યેક ગૃહલક્ષ્મીના મુગટ હોય તેવી પ્રકાશતી હતી. તેમાં રહેલાં દેહેરાસરમાં અહંત પ્રભુની પૂજાનાં પુષ્પોના ગંધને વહન કરનાર પવન, અમૃતના પાનની જેમ લોકોના તાપને હરી લેતે હતો.
તે અયોધ્યા નગરીમાં અતિશય પરાક્રમવડે સિંહ જે અને નરસિંહમાં અગ્રેસર સિંહસેન નામે રાજા રાજ્ય કરતો હતો. પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જેમ ઈષ્ટદેવની સમીપે ધરે તેમ ઘણા રાજાઓ ભક્તિ વડે તેને ઉત્તમ ભેટણ આપતાં હતાં. કિરણોથી ચંદ્રની જેમ ગુણીજનમાં અગ્રણી એ રાજા પોતાના ઉજજવળ ગુણોથી સર્વ જગતને પ્રસન્ન કરતો હતે. ગ્યતામાં વિચક્ષણ એ એ રાજા, સેવા કરવાને આવતા રાજપુત્રોની જેમ ધર્મ, અર્થ અને કામને સૌ સૌની યેગ્યતા પ્રમાણે ધારણ કરતું હતું. તેને ધર્મની
Page #164
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૪ થું
૧૩૦
નિવાસભૂમિ અને શીલ તથા યશ વડે શેાભતી સુયશા નામે એક રાણી હતી, ત્રણ જગતને પવિત્ર કરનાર ગગાની જેમ માતાના, પિતાના અને શ્વસુરના કુળને એ પવિત્ર કરતી હતી. તેના મુખના પ્રતિનિધિ ચંદ્ર હતા. કમળ તેના નેત્રાના અનુજ ખંધુ હતા, શંખ તેના કંઠનુ ચિત્ર હતા, કમળનાળ તેની બે ભુજાઓના મિત્ર હતા, કલશ તેના સ્તનના કુટુંબી હતા, ત્રિરઢ તેની નાભીના પુત્ર હતા, તેના નિત ંબનું પ્રતિબિંબ નદીના કાંઠાની ભૂમિ હતું, કદળી તેના ઉરૂની નાની બહેન હતી, અને કમળ તેના ચરણના અનુચર હતું. સવ અંગેામાં રમણિક એ સુંદરીનું શુ શુ અતિશય રમ્ય નહેાતુ ?
આ તરફ પ્રાણત દેવલાકમાં પદ્મરથ રાજાના જીવે સુખમગ્ન થઇ પેાતાનુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ આયુષ્ય નિર્ગમન કર્યું ત્યાંથી શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્રે રેવતી નક્ષત્રમાં આવતાં ચવીને તે સુયશા રાણીના ઉત્તરમાં અવતર્યા. તે વખતે સુખે સૂતેલા દેવીએ રાત્રિના અવશેષ કાલે અર્હ...તજન્મને સૂરાવનારાં હસ્તી વિગેરે ચૌદ મહાસ્વપ્ના જોયાં. પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ યાદશીને દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયશાદેવીએ સીંચાણા ( બાજ) પક્ષીના ચિન્હવાળા સુવર્ણવી કુમારને જન્મ આપ્યા. ઉર્ધ્વ - લેાકમાંથી, અધેલાકમાંથી અને રૂચક દ્વીપથી છપ્પન દિકુમારીએએ આવી પ્રભુનું સૂતિકાયમ કર્યું. તરતજ સૌધમ કલ્પના ઇંદ્ર ત્યાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં લઇ, આકાશમાગે મેરૂપર્વતના મસ્તક પર ગયા. ત્યાં અતિપાંડુકખલા નામની શિલા ઉપર ઉત્સ`ગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠો. પછી અચ્યુત વિગેરે ત્રેસઠ ઇદ્રો ત્યાં આવ્યા, અને તીજલ મગાવીને અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી જાણે પ્રભુના ભારને વહન કરવાના મોટો શ્રમ લાગ્યા હોય તેમ શક્ર ઇંદ્રે મોટા સારવાળા એ પ્રભુને ઇશાન ઇંદ્રના ઉત્સંગમાં બેસાડયા, અને પોતે સ્ફાટિકના ચાર વૃષભને વિષુવી, તેમના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી દેવદૃષ્ય વસ્રવડે પ્રભુના અંગને લુછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી, સૌધર્મ પતિએ નીચે પ્રમાણે સ્તુતિ કરી.
66
• હે નાથ ! જેએ તમારી આગળ ભૂમિ પર આલેાટી પૃથ્વીના રજથી વ્યાપ્ત થાય “ છે તેઓને ગાશીષ ચંદનના અંગરાગ દુલ ભ નથી. જેઓ ભક્તિ વડે એક પુષ્પ પણુ તમારા મસ્તક પર ચડાવે છે તેએ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરતર વિચરે છે. તમારા અંગ ઉપર જેએએ એકવાર પણ અંગરાગ કર્યાં હાય તેઓ દેવદૃષ્ય વજ્રને ધારણ કરનારા થાય તેમાં કાંઇપણ શંકા નથી. જે તમારા કંઠ ઉપર એકવાર પણ પુષ્પમાળા ધરે છે તેઓના કાંઠે ઉપર દેવતાની સ્ત્રીઓની ભુજલતા વીટાઈ વળે છે.
*
જે
*
66
તમારા અતિ નિમલ ગુણાનુ એકવાર પણ વણુ ન કરે તે લેાકમાં અતિશયવાન થઈ દેવતાઓની સ્ત્રીએથી ગવાય છે. જેઓ ચારૂ ચતુરાઇથી તમારી આગળ નૃત્યાદિક ચેષ્ટા કરે છે તેઓને ઐરાવત હાથીના સ્કંધ ઉપર આસન મળવુ' દુલ ભ “ નથી. હે દેવ ! જે રાત્રિદિવસ તમારા પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરે છે તેઓ હમેશાં આ લેાકમાં સને ધ્યાન કરવા ચાગ્ય થાય છે. હે પ્રભુ! તમને સ્નાત્ર, અંગરાગ, “નેપથ્ય ને આભૂષણ વિગેરે ધારણ કરાવવામાં તમારા પ્રસાદથી હમેશાં મારા અધિકાર રહે. ’’
66
66
66
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ, જેમ હતા તેમ ઇંદ્ર મૂકયા. પછી નંદીશ્વર
૧૮
સુયશા દેવીની પાસે આવી તેમના પડખામાં દ્વીપે શાશ્ર્વત અહુતની પ્રતિમાના અઠ્ઠાઈ
Page #165
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થા
૧૩૮
ઉત્સવ કરી, શક્ર તથા બીજા ઇંદ્દો પોતપોતાને સ્થાને ગયા. જ્યારે પ્રભુ ગર્ભ માં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનત ખલને જીત્યું હતું, તેથી તે પ્રભુનું અન ંતજિત્ એવુ નામ પાડયું. ચેાગી જેમ ધ્યાનામૃતનું પાન કરે, તેમ સ્તનપાન નહીં કરનારા પ્રભુ પેાતાના અંગુઠામાંથી અમૃતનું પાન કરતા મોટા થવા લાગ્યા. અનુક્રમે ચંદ્રની પેઠે ખાલ્યવય ઉલ્લંઘન કરી, પચાશ ધનુષની ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. માના વિશ્રામસ્થાનને વટેમાર્ગુ જેમ ત્યાગબુદ્ધિએ અંગીકાર કરે તેમ ત્યાજયપણાના નિશ્ચય કરી અનતનાથે પિતાની આજ્ઞાથી સ્ત્રીના પરિગ્રહ (પાણિગ્રહણ ) સ્વીકાર્યા, અને સાડાસાત લાખ વર્ષા વીત્યા પછી પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યાં. પછી પંદર લાખ વર્ષ સુધી પૃથ્વીનુ પાલન કર્યા બાદ સિહસૈનના કુમાર અનંતનાથના મનમાં દીક્ષા લેવાના વિચાર ઉત્પન્ન થયા. તત્કાળ સારસ્વતાકિ લેાકાંતિક દેવતા આ એ બ્રહ્મ દેવલાકમાંથી આવી · હે નાથ ! તીર્થ પ્રવર્તાવા ’ એમ કહ્યું. પછી ઈંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જ઼ભક દેવતાઓએ પૂરેલા ધનવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. તે દાનને અંતે સંસારના અંત કરવાને ઇચ્છતા પ્રભુને સુર, અસુર અને રાજાઓએ આવી દીક્ષાભિષેક કર્યાં. પછી વિચિત્ર વેષ, વસ્ત્ર તથા માળને ધારણ કરી જગત્પતિ સાગરદત્તા નામે ઉત્તમ શિખિકામાં આરૂઢ થયા. શક્રાદિક ઇદ્રોએ જેમની ઉપર છત્ર, ચામર અને પંખા ધારણ કર્યા છે એવા પ્રભુ તે શિખિકાવડે સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન જાણે જતી આવતી ખેચરની સ્ત્રીએ હાય તેવી હિ'ચકા ખાવામાં આસક્ત થયેલી નગરની ચતુર સ્ત્રીએથી આકુલવ્યાકુલ થઈ રહ્યું હતું. તેમાં નવીન પલ્લવાથી રાતા થઈ ગયેલા અને ભ્રમર રૂપ કેશને ઉછાળતા અશેાક વૃક્ષે જાણે મધુપાન વડે મત્ત થઈ મતા હોય તેમ જણાતા હતા. ક્રીડાથી શ્રાંત થયેલી નગરસ્ત્રીએના સર્વ શ્રમને હરણુ કરતા અને ઊંચા પધ્રુવને ફેરવતા આમ્રવૃક્ષેા જાણે પ`ખા લઇને વીજતા હોય તેમ દેખાતા હતા. જાણે વસ‘તલક્ષ્મીની કણિકાઓ હોય તેવા કકારનાં પુષ્પોથી અને જાણે સુવર્ણનાં તિલક હોય તેવાં કાંચનવર્ણી તિલકવૃક્ષવડે એ ઉદ્યાન ઘણું સુંદર લાગતું હતું. કેમિકલેાના અવાજથી જાણે પ્રભુને સ્વાગત આપતુ હાય તેવા એ ઉદ્યાનમાં ઉત્સુક થઈ ને જેમ જગતના મનમાં પ્રવેશ કરે તેમ જગપતિ પ્રભુએ પ્રવેશ કર્યા. પછી ઇંદ્રના હાથના ટેકા વડે સાગરદત્તા નામની શિબિકામાંથી ઉતરી પ્રભુએ અલંકાર વિગેરેના ત્યાગ કર્યાં; અને વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ રેવતી નક્ષત્રમાં અપરાદ્ઘકાલે છતપ કરી એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. પછી સર્વ ઇંદ્રાદિક દેવતાએ પ્રભુને વંદના કરી કૃતકા થઈ પાતપેાતાને સ્થાનકે ગયા.
બીજે દિવસે વ માન નગરનાં વિજયરાજાના મદિરને વિષે ચૌદમાં અહં તે પરમ અન્નવડે પારણું કર્યું. ત્યાં દેવતાએ વસુધારાદિક પાંચ વ્યિ કર્યા, અને પ્રભુના ચરણન્યાસને ઠેકાણે વિજયરાજાએ એક રત્નમય પીઢ કરાવી. પછી કપટ રહિત એવા છદ્મસ્થ પ્રભુ તે સ્થાનથી નીકળી પરીસહ સહન કરતા કરતા વિહાર કરવાને પ્રવર્ત્ય,
આ જ મૂઠ્ઠીપમાં પૂર્વવિદેહને વિષે પરમ આનંદની જન્મભૂમિ રૂપ નંદપુરી નામે એક સુઉંદર પુરી છે. તેમાં શત્રુઓની સ્ત્રીઓને શાક આપનાર અને અશોક વૃક્ષની જેમ પાતાના કુલરૂપી ઉદ્યાનમાં આભૂષણરૂપ મહાબલ નામે રાજા હતા. નગરના ચતુર માણસ જેમ ગામડામાં વસવાને વિરક્ત થાય તેમ મોટા મનવાળા એ રાજા અનુક્રમે સ`સારવાસથી વિરકત થયા. તેથી તે રાજાએ ઋષભ મુનિના ચરણકમળમાં જઈ પાંચ મુષ્ટિ વડે કેશને
Page #166
--------------------------------------------------------------------------
________________
પર્વે ૪ થું
૧૩૯ લેચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ઉદ્યાનની જેમ મોટા ફલને આપનારા ચારિત્રધમને પાળી, મૃત્યુ પામીને તે રાજા સહસાર દેવલોકમાં દેવતા થયે.
તે સમયમાં જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે ઈદ્રપુરીની જેવી નગરી હતી. તે નગરીમાં શત્રુઓના તેજને મુદ્રાંતિ કરનાર અને સમુદ્રની જે ગંભીર સમુદ્રદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રૂપવડે સુરસુંદરીઓના રૂપ સંબંધી અહંકારને હરનારી અને નયનને આનંદ આપવામાં ચંદ્રિકારૂપ નંદા નામે રાણી હતીએકદા વસંતને મલયાચળના પવનની જેમ તે સમુદ્રદત્તને મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન ત્યાં આવી ચડો તેને પિતાને ઘેર આવેલ જોઈ સમુદ્રદત્તે સગા ભાઈની જેમ પરિવાર સહિત ભેજન કરાવ્યું. તે વખતે સમુદ્રને ગંગાની જેમ તે સમુદ્રદત્તની પત્ની નંદા, કે જે નેત્રને આનંદ આપનારી હતી તે મલયપતિની નજરે ચડી. તેને દેખીને તત્કાળ જાણે કામદેવના દુઃસહ અસ્ત્રોએ ખીલી (જડી) લીધો હોય તેમ તે સ્તબ્ધ થઈ ગયો; અને વિપ્રલંભ શૃંગારરૂપ અગ્નિને તીવ્ર ધામ થયે હોય તેમ તેના શરીરને પસીને આવી ગયે. વળી જાણે પ્રેમઅંકુરિત થયેલ હોય તેમ સર્વ અંગમાં પુલકાવળી પ્રગટ થઈ તેના શરીરના ગુણથી જાણે ઝેડ વળગ્યું હોય તેમ તેને સ્વર બદલાઈ ગયે; તેને આલિંગન કરવાને જાણે ઉત્સુક થયું હોય તેમ સર્વ અંગ કંપવા લાગ્યું; તેની પ્રાપ્તિ નહીં થવાથી શોક થયો હોય તેમ શરીરને વર્ણ ફરી ગયે; જાણે કામાંધ થયા હોય તેમ અથુવડે નેત્ર ઝાંખાં થઈ ગયાં; અને તેની પ્રાપ્તિ વગર જાણે મૃત્યુને લાવવાને ઈચ્છતો હોય તેમ તેનામાં લય પામી ગયે. આ પ્રમાણે સર્વ અંગઉપાંગમાં સુંદર એવી તે નંદા રાણીના અવલોકનથી ચંડશાસને કઈ કઈ કામાવસ્થા ન અનુભવી ? જેની બુદ્ધિ અસ્ત પામી ગઈ છે એવો એ કામ પીડિત રાજા સમુદ્રદત્તના મંદિરમાં સુતા પણ રોગાત્તની જેમ તેને નિદ્રા આવી નહીં. હમેશાં નંદાને મેળવવાના ઉપાયો ચિંતવતે ચંડશાસન મિત્રના મિષે શત્રુ થઈને કેટલાક કાળ ત્યાં રહ્યો. એ પ્રમાણે ઘણું રહેવાવડે સમુદ્રદત્તને વિશ્વાસ ઉપજાવીને એક દિવસે પક્ષી જેમ રત્ના વળી હાર લઈ જાય તેમ ચંડશાસન નંદાને હરી ગયે. રાક્ષસની પેઠે બળ અને છળ ધરનારા તે દુષ્ટ હરણ કરેલી રાણીને પાછી લાવવાને અસમર્થ એવા સમુદ્રદત્તના મનમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયા. હૃદયમાં રહેલા શલ્યની જેવા એ મોટા અપમાનથી પીડાતા રાજાએ શ્રેયાંસ નામના મુનિની પાસે દીક્ષા લીધી. મુનિપણામાં મોટી તપસ્યા કરી, તેને ફળે કરીને પોતાની રાણી નંદાનું હરણ કરનાર ચંડશાસનનો વધ કરના થવાનું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે નિયાણું કરવાથી અપ્રમિત ફળવાળા તપને પરિચિત ફળવાળો કરી દઈને કાળગે મૃત્યુ પામી સહસાર લેકમાં દેવતા થયે.
કાળના ક્રમથી ચંડશાસન પણ મૃત્યુ પામી સંસારસાગરની જળચકી જેવી અનેક - નિઓમાં ભટક્યો. પછી ભરતક્ષેત્રમાં આવેલા પૃથ્વીપુર નગરમાં વિલાસરાજાની ગુણવતી રાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામતાં ત્રીશ લાખ વર્ષના આયુષવાછે, તમાલ પુષ્પના જેવી કાંતિવાળા અને પચાશ ધનુષ ઊંચો જાણે જંગમ પર્વત હોય તે દેખાવા લાગ્યું. મેટા બાહુથી જાણે બે સુંઢવાળે દિગ્ગજ હેય, અને વિશાળ વક્ષસ્થળની શોભાથી જાણે જગમ ગિરિરાજ હોય તેવો તે જાતે હતો. લીલાવડે પૃથ્વી ઉપર ફરતા એ બળવાન્ મધુના ભારને નહીં સહન કરતી પૃથ્વી ઘાસથી પૂરાયેલા ખાડાની જેમ નમતી હતી. પૂર્વ રાજાઓની શસ્ત્રાશસ્ત્રી યુદ્ધની કથા સાંભળી, પિતાને સમવડીયો યુદ્ધ કરનાર નહીં મળવાથી પિતાની ભુજાના પરાક્રમને માટે તે શેક કરતો હતો. પછી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સગ ૪ થા
ત્રણ ખંડરૂપ અદ્ધ ભરતક્ષેત્રને એક ગામડા માફક જીતી લઇને અનલ્પ પરાક્રમવાળા તેણે પેાતાનું નામ ચ`દ્રની અંદર લખ્યુ. અર્થાત્ પાતાના નામની કીર્તિ ચંદ્રમંડળ સુધી પહેાંચાડી. ચક્રથી શત્રુઓના ચક્ર (સમૂહ)ને દબાવનાર ઇદ્રના જેવા પરાક્રમી અને મનુષ્યા માં સૂર્ય સમાન એ મધુ ચાથા પ્રતિવાસુદેવ થયા.
તે મધુ રાજાને ઉત્કટ ભુજારૂપી શિખરવડે ઉગ્ર શત્રુઓને ફૂટનાર અને શત્રુઓની લક્ષ્મીની ભૂગળને તાડનાર કૈટભ નામે એક ભાઈ હતા.
હવે તે સમયમાં દ્વારકા નગરીમાં ગુણવડે સૂર્ય ચંદ્ર જેવા સામ નામે એક રાજા હતા. તેને મનેાહરદના મુદ્દેના અને ચ'દ્ર સમાન મુખવાળી સીતા નામે બે પત્નીઆ હતી. હવે મહાબળ રાજાના જીવ જે સહસ્રાર દેવલાકમાં દેવતા થયા હતા તે ત્યાંથી ચ્યવીને સુદ્ઘના દેવીના ઉદરમાં અવતર્યા; તે વખતે દેવી સુદર્શનાએ રાત્રિના શેષ ભાગે ખળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વમ જોયાં, અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે જતાં સુદર્શના દેવીએ ચદ્ર સમાન કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યા. એની વધામણી સાંભળીને મોટા ઉત્સવવડે યાચકેાના વર્ગને કૃતાર્થ કરતા સામરાજાએ તેનુ' સુપ્રભ એવુ નામ પાડયુ'. જે સમુદ્રદત્તના જીવ હતા તે પણ આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મ સહસ્રાર દેવલેકમાંથી ચ્યવી સીતા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલી સીતાદેવીએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ના મુખમાં પેસતાં જોયાં. પૂર્ણ સમય થતાં નીલ મણના જેવી કાંતિવાળા અને સ લક્ષણયુકત પુત્રને તેણીએ જન્મ આપ્યા. તેમના પિતા સોમરાજાએ શુભ દિવસે એ ચાથા વાસુદેવનુ પુરૂષોત્તમ એવું યથાર્થ નામ પાડવું,
નીલા અને પીળા વસ્ત્રને ધરતા અને ભુજામાં તાડ અને ધનુષને રાખતા તે બને ભાઈ જાણે જોડલે થયા હોય તેમ પ્રીતિથી સાથે સાથેજ ફરતા હતા. આચાર્ય ને તા ફકત નિમિત્ત માત્ર કરી તેમણે સર્વ કલાએ સપાદન કરી. તેવા મહાત્માઓને એવા પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવજ હોય છે, મોટા સુભટા પણ તેમને ક્રીડામાં કરેલા આઘાત સહન કરી શકતા નહી', કારણકે હાથી માત્ર સ્પર્શ કરતાં કરતાં અને સર્પ સુંઘતાં સુંઘતાં હણી નાખે છે. ખલવડે પવન જેવા તે બંને ભાઇઓ અનુક્રમે દેહલક્ષ્મીનુ જાણે લીલાન હાય તેવુ અંગને શેાભાવનાર યૌવનવય પામ્યા. દેવતાઓએ એ બંને નરરત્નામાં મોટા ભાઈ (બલભદ્ર)ને હળ વગેરે અને નાનાભાઈ (વાસુદેવ)ને શાફ્ ́ગ ધનુષ્ય વગેરે વિજયાયુધ અર્પણ કર્યાં
કલહ કરાવવામાં કૌતુકવાળા નારદજી મહા બળવાન એવા બલભદ્ર અને વાસુદેવને જોઈને પ્રતિવાસુદેવ મધુને મંદિરે આવ્યા. કાર્યને જાણનાર મધુએ નારદને અર્ધ્ય આપી પ્રણામ કરીને કહ્યું-હું મહામુનિ ! આપને સ્વાગત છે ! સદ્ભાગ્યના યાગથી આજે તમે દૃષ્ટિમાગે આવ્યા છે. આ ભરતાદ્ધને વિષે સગાએ અને માગધ, વરદામ અને પ્રભાસના અધિપ દેવતાએ મારા સેવકેા છે, તેથી હે નારદ ! જે વસ્તુથી કે દેશથી તમારે પ્રયાજન હોય તે નિઃશંકપણે કહા, હું તમને આપીશ.” નારદે વસ્તુનુ' પ્રયાજન નથી, તેમ કોઈ દેશ લેવાની પણ ઈચ્છા નથી. હું તેા કરતા અહી આવી ચડયા છુ. પણ અરે મધુરાજા ! ‘હું અદ્ધ ભરતના ખોટી ખડાઇ તમે મારા છે, કેમકે દિજનના સર્વ અવાદ કાંઇ યથાર્થ હોય નહીં”.
કહ્યું–“મારે કોઈ ફકત ક્રીડા કરતા સ્વામી છુ' એવી
Page #168
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૪૧ વળી બંદિજનો ધનના લોભથી જેની રતુતિ કરે તે જે બુદ્ધિમાન હોય તો તેણે શરમાવું જોઈએ, પણ તેમાં પ્રતીતિ રાખવી ન જોઈએ; કેમકે આ જગતમાં બલવાથી પણ બલવાન અને મોટાથી પણ મોટા જનો જોવામાં આવે છે, કારણકે બહુરના વસુંધરે છે.”
નારદનાં આવાં વચન સાંભળવાથી શમીવૃક્ષની અંદર અગ્નિ ઉત્પન્ન થાય તેમ મધુના હૃદયમાં કો૫ ઉત્પન્ન થયો. એટલે અધરનો દંશ કરતાં તેણે તત્કાળ નારદને કહ્યું-“હે નારદ ! આ ભરતાદ્ધમાં ગંગાથી મોટી નદી કઈ છે ? અને શૈતાઢયથી માટે પર્વત પણ કર્યો છે? તેમજ મારાથી અધિક બલવાળો પણ કોણ છે? હે નારદ ! જેને તમે મારાથી અધિક બલવાનું માનતા હો તેનું નામ મને તકાલ કહો કે જેથી હાથીના બચ્ચાને અષ્ટાપદ પરાક્રમ બતાવે તેમ હું તેને મારું પરાક્રમ બતાવું. અરે દ્વિજ ! શું કઈ મદોન્મત્ત અથવા પ્રમાદીએ તમારી અવજ્ઞા કરી છે, કે જેનો સ્તુતિ કરવાના મિષથી તમે વધ કરાવવાને ઈચ્છો છો ?” નારદે કહ્યું-“હું કોઈ મત્ત કે પ્રમાદી પુરુષની પાસે જતો જ નથી, તે પછી મારી તેનાથી શી રીતે અવજ્ઞા થાય ? પણ તમે તમારી સભામાં હું અદ્ધ ભારતનો સ્વામી છું” એવું આજે બેલ્યા તેમ હવે ફરીવાર બાલશે નહીં, કારણકે તેથી તમારું હાસ્ય થશે. હાલ દ્વારકા નગરીમાં સોમરાજાને ઘેર સુપ્રભ અને પુત્તમ નામે બે પુત્ર થયા છે, તેને શું તમે કાને પણ નથી સાંભળ્યા ? મોટા બલવાળા અને પરસ્પર પ્રીતિવાળા તે બંને મહાબાહુ જાણે મૂર્તિમાન પવન અને અગ્નિ હોય તેવા દુઃસહ છે, કૌતુકથી શક અને ઈશાન ઇદ્ર જાણે સ્વર્ગમાંથી ઉતરીને અવતર્યા હોય તેવા તેઓ માત્ર એક ભુજાવડે સમુદ્ર સહિત પૃથ્વીનો ઉદ્ધાર કરી શકે તેવા છે. મહાવનમાં સિંહની જેમ તેઓ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં રહેલા છે ત્યાં સુધી માદાંધ હસ્તીની જેમ તમે અજ્ઞાનથી ફોકટ શા માટે ગર્જના કરો છો ?” ( આ પ્રમાણેનાં નારદજીનાં વચન સાંભળી કોપથી નેત્ર રાતા કરતો અને દાંત વડે દાંત ઘસતા મધુરાજા જાણે ઠંયુદ્ધ કરવાને ઈરછતો હોય તેમ બોલી ઉઠયે-“ તમે કહો છો તે જે સત્ય છે તો આજે તમને જેમ યુદ્ધ જેવાને તેમ યમરાજને સ્વેચ્છાએ ક્રીડા કરવાને હું આમંત્રણ કરૂં છું; અને સે મ, સુપ્રભ તથા પુરૂષોત્તમ વગરનું દ્વારકાનું રાજ્ય પણ કરું છું. તો તે અમારા યુદ્ધને તમે તટસ્થ રહીને અવલોકન કરજે.” આ પ્રમાણે કહી નારદ મુનિને વિસર્જન કર્યા પછી તેણે પિતાના એક તને એકાંતમાં બોલાવી, સમજાવીને સેમરાજા અને તેના પુત્ર તરફ વિદાય કર્યો. તત્કાળ તે વેગવાળો દૂત દ્વારકાએ પહોંચી પુત્ર સહિત સભામાં બેઠેલા સોમરાજાની પાસે આવ્યા, અને પરાક્રમપૂર્વક કહેવા લાગે. દત કદિ પરાક્રમ રહિત હોય તે પણ પોતાના સ્વામિના પરાક્રમથી પરાક્રમવાળે થાય છે.” દૂતે કહ્યું- ગર્વિષ્ટને ગર્વ હરનાર, વિનીત ઉપર વાત્સલ્ય રાખનાર, પ્રચંડ ભેજાબનથી સર્વને વિજય કરનાર, ક્ષત્રિયવ્રત રૂપ મહાધનવાળે, દક્ષિણ ભરતાદ્ધમાં રહેલા કુલીન રાજાઓ રૂ૫ રાજહંસ જેની ચરણરૂપ કમલની દાસની પેઠે સેવા કરે છે, વૈતાઢય ગિરિની દક્ષિણ શ્રેણી પર રહેનારા વિદ્યાધરોના રાજાઓ જેને દંડ આપે છે, અને જાણે બીજે ઈદ્ર હોય તેમ પ્રચંડ આજ્ઞાને પ્રવર્તાવી રહ્યો છે એ, અદ્ધ ભારત ક્ષેત્રરૂપ ઉદ્યાનમાં મધુ (વસંત) સમાન અદ્ધચક્રી મધુ નામે રાજા છે. તેણે તમને શિક્ષા કરવા માટે મને મેકલે છે, તે સાવધાન થઈને સાંભળે. તેમણે કહ્યું છે કે તમે પૂર્વે અમારી અત્યંત ભક્તિના કરનારા હતા, તે અમારા જાણવામાં છે. પણ અત્યારે પુત્રના પરાક્રમથી બદલાઈ ગયા છો એવું લોકોના મુખથી અમે સાંભળ્યું છે, પણ કદિ જે તમે પૂર્વની જેવાજ હે, તમારા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સગ ૪ થે
ભક્તિભાવમાં કાંઈ પણ ફેરફાર થયો ન હોય તે કુંચીની મર્યાદા કરીને તમારી પાસે જે સાર સાર હોય તે સ્વામીને દંડ તરીકે મોકલાવે. કારણકે સ્વામીના પ્રસાદથી તમને વળી બીજુ ઘણું પ્રાપ્ત થશે. જુઓ સૂર્ય જેટલું જળ લે છે તે કરતાં ઘણું વધારે પાછું આપે છે, અને જે સ્વામીની અકૃપા હશે તો તમારું સર્વસ્વ વિનાશ પામી જશે, કેમકે
જ્યારે સ્વામી રેષ ધરે ત્યારે જાણે ભય પામી હોય તેમ લક્ષ્મી ચાલી જાય છે. વળી જે તમે પિતાના સ્વામીની સાથે વિરોધ કરશે તે સંપત્તિ તો દૂર રહો, પણ સ્ત્રી, પુત્ર, મિત્રાદિ અને તમારું જીવિત પણ રહેશે નહીં. માટે હે રાજા ! આપણા સ્વામીની આજ્ઞા માની દેશને મર્યાદાવડે પાલન કરે, અને ધાન જેવા તમારા પિશુન (ચાડીઆ) લોકોની વાણી નિફળ થાઓ.”
આવાં દૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષ ભરેલાં કઠોર વચને કહ્યું-“હે હૂત ! તું દૂત હોવાથી અવધ્ય છે, તેથી આવાં કડવાં વચનો બોલે છે, પણ આવાં વચન બેલનાર તું અને તે પ્રમાણે બોલાવનાર તારે સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગ્રહેલું છે ? જેમ બાળક ક્રીડામાં વેચ્છાએ રાજા થઈને રમે છે, તેવી રીતે જ તારે મૂઢ સ્વામી સર્વનો સ્વામી થવા પ્રવ છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે કયારે પણ સ્વીકારેલ નથી. તેમ છતાં જે પિતાનું ઈચ્છિત, વચન પ્રમાણે થતું હોય તો તે પિતાની મેળે ઈદ્ર કેમ થતું નથી ? પિતાના મોટા રાજ્યના બલથી તે અજ્ઞ રાજા જે અમારી ઉપર ચડી આવશે તે સમુદ્રની વેળાને વખતે કાંઠા ઉપર રહેલા માની જેમ અવશ્ય મૃત્યુ પામશે. હે દૂત! જા, દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવાને માટે અહીં લાવ, જેથી તેના પ્રાણની સાથે દાસીની જેમ તેની રાજયલક્ષ્મીને હું બળાત્કારે ગ્રહણ કરી લઈશ.”
આ પ્રમાણેનાં પુરૂષોત્તમ વાસુદેવનાં વચનેથી તે દૂત શેષ પામીને ત્યાંથી ચાલી નીક અને પિતાના સ્વામીને દુઃખે કહેવા યોગ્ય તે સર્વ વચને આવીને કહ્યાં. એ વાસુદેવને સંદેશે સાંભળી, મેઘની ગર્જનાથી અષ્ટાપદને ક્રોધ ચડે તેમ મધુરાજાને કેપ ચડે. તત્કાલ જેના નાદથી ભય પામીને ખેચરની સ્ત્રીઓએ કર્ણદ્વાર ઢાંકી દીધાં છે. એવો ભયંકર ધ્વનિવાળા રણયાત્રા ભેરી તેણે વગડાવ્યા, અને તરત જ મુગટ બદ્ધ રાજાઓ, મહાપરાક્રમી સુભટે, સેનાપતિએ, અમાત્ય, બીજા સામંત અને જાણે તેની બીજી મૂર્તિઓ હોય તેવા રણપંડિત સૈનિકોને સાથે લઈ, માયા સ્વરૂપી દેવની જેવા મધુરાજાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તે વખતે દુનિમિત્ત સૂચક અપશુકન થવા લાગ્યાં. તથાપિ એ દર્મ. ૮ રાજા તેને નહીં ગણત, કાલાપાશથી જાણે ખેંચાતું હોય તેમ તત્કાલ દેશના સીમાડાપર આવ્યું. તેને ત્યાં આવેલે જાણીને ઉત્તમ પારાવતપક્ષીની જેમ વેગથી પુરૂષોત્તમ વાસુદેવ સોમ, સુપ્રભ, સેનાપતિ અને રીન્યના પરિવારને લઈ સામે આવ્યો. તત્કાળ બંને તરફના કેટલાક સૈનિકે એ ઉંટ ઉપર બેસીને કવચ અને ધનુષ્ય ગ્રહણ કર્યા. પછી અકાળે પ્રલયકાળ કરનારા અને રૂધિરપાન કરવામાં ઉત્સુક એવાં બાણો રાક્ષસની જેમ ઊંચે ઉડી ઉડીને ખરવા લાગ્યાં. મહાવતએ પ્રેરેલા ચાર દાંતવાળા ગજે સામા આવતા અને પાછા ફરતા સતા પોતાના દાંત વડે યુદ્ધ કરવા લાગ્યા. એક તરફ ભાલું, બીજી તરફ મુગર અને હાથમાં ખડુ ધારણ કરીને ઘોડેસ્વારે પોતાના અશ્વને ત્વરા કરાવવા લાગ્યા. અતિઘોર વનિથી જગને બેરૂં કરી મૂકતા રથ, ભેદ પામતા સિંધુના કાંઠાની જેમ પરસ્પર અથડાવા લાગ્યા, અને ઢાલને ધારણ કરનારા પદચારી વીર સુભટે પરસ્પર ઢાલ
Page #170
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૪૩ અથડાવતા સામસામાં ખડગ ઉગામીને રહેવા લાગ્યા. થોડીવારમાં તે પ્રચંડ ઉત્પાતને પવન જેમ મોટા વનને ઉખેડીને ભાંગી નાખે તેમ મધુરાજાની સેનાએ વાસુદેવની સેનાને ભાંગી નાખી. તે વખતે જેની પછવાડે રથઉપર બેઠેલા બલભદ્ર રહેલા છે એવા વાસુદેવે શત્રુઓના મૃત્યુને સૂચવનારે પાંચજન્ય નામનો શંખ પૂર્યો. તેના નાદથી તત્કાળ મધુના સૌનિકોમાંથી કેટલાએક ત્રાસ પામ્યા, કેટલાક મૂરછ પામ્યા, અને કેટલાક પૃથ્વી ઉપર પડી ગયા.
આવી રીતે પિતાના સૈન્યને વિહવળ બનેલું જેઈને મધુએ હાથમાં ધનુષ્ય લઈ વાસુદેવને હરીફાઈથી બોલાવ્યા. તત્કાળ વાસુદેવે પિતાના શાર્ડગ ધનુષ્યનો નાદ કરી તેના પ્રતિધ્વનિથી આકાશભૂમિને ગજાવી મૂકી. જેમ વાદી લેક પરસ્પર મારવાને માટે કડીયામાંથી લઈ લઈને સર્પને છોડે, તેમ તે બંને વીર ભાથામાંથી ખેંચી ખેંચીને તીક્ષણ બાણોને વર્ષાવવા લાગ્યાં. છેદનકળામાં કુશળ એવા તેઓ જયલક્ષ્મીના જાણે પ્રાણુ હોય તેવા એક બીજાનાં બાણોને છેદવા લાગ્યા. એવી રીતે ઘણીવાર સુધી તેમનાં અસ્ત્રો, એક બીજા નાં અસ્ત્રોથી એક દેરીને કાપી નાંખે તેમ કપાવા લાગ્યાં. સમાન પરાક્રમી વીરેનું યુદ્ધ એવું જ હોય છે. આ પ્રમાણે યુદ્ધમાં પરસ્પર સરખાપણું થવાથી મધુને અત્યંત કપ ચડે, તેથી કાંઈક તફાવત બતાવવાની ઈચ્છાથી તેણે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ તે તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેના વડે તે પુરૂષોત્તમને મારવાને ઈચ્છતો હતો, તથાપિ અધરને ફરકાવીને બે-“અરે બાળક ! અહીંથી ચાલ્યા જા, બાલ્યવયમાંથી વાઘણના દાંતને જોવાની ઈચ્છા શામાટે કરે છે ? તારી જેવા બાળકને મારવાથી મારા બળનો કાંઈ ઉત્કર્ષ થવાનો નથી, કેમકે કદલીને ઉખેડવાથી ઉત્તમ ગજેનું બળ વખણાતું નથી. આ
ભાઈ બળભદ્ર પિતાને મોટા સુભટ ધારીને મારી સામે ઉભો રહ્યા છે, પણ કદી હાથી મેટ હોય તો પણ પર્વતની આગળ તે તે નાનો જ છે.”
આવાં મધુનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે મિત હાસ્ય કરી કહ્યું-“અરે મૂર્ખ સૂર્ય નાનું છે તે પણ મહા મોટા અંધકારને હણે છે, અને અગ્નિને નાને તણખે પણ ઘાસની મોટી ગંજીને બાળી નાંખે છે, તેથી વીર પુરૂષનું પ્રમાણ તેજમાંજ છે, તેજસ્વીની કાંઈ વય જોવાતી નથી. માટે નિઃશક થઈને ચક છોડ, વિલંબ કર નહી, કેમકે સર્પ પણ ઝેર છોડયા સિવાય શમત નથી.” વાસુદેવનાં આવાં વચન સાંભળીને બાળક જેમ ઉંબા ડિયાને ફેરવે, તેમ અંગુલિમાં મુદ્રિકા જેવું કરીને મધુએ લીલાથી ચક્ર ફેરવવા માંડયું. પછી તેણે છોડેલું તે ચક્ર ઉગ્ર તેજને દર્શાવતું આવ્યું, અને પિતાના અગ્રભાગથી વાસુદેવના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો. તે પ્રહારથી વાસુદેવ મૂરછ પામી રથમાં પડ્યા. એટલે બલભદ્ર છલાંગ મારી, તે રથમાં આવીને તેમને પોતાના ઉસંગમાં લઈ લીધા. અમૃતના
સ્નાન જેવા પિતાના ભાઈના અંગના સંગથી વાસુદેવને તરત જ સંજ્ઞા આવી, એટલે પછી મધુના પ્રાણની જેમ તે ચક્ર તેમણે હાથમાં ગ્રહણ કર્યું, અને મધુ પ્રત્યે કહ્યું-“અરે મધુ! હવે તે પણ મારી જેમ અહી રહે નહીં, સત્વર ચાલ્યો જા. કેમકે શ્વાનને સિંહની સાથે સ્પર્ધા કરવી ઘટે નહીં.” મધુએ કહ્યું-“અરે વાસુદેવ ! તું પણ ચક છોડ, શરદઋતુના મેઘની જેમ ફેકટ ગર્જના કરીને શામાટે પોતાની બડાઈ મારે છે?” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાસુદેવે તે ચક છોડી તેનું મસ્તક તાડના ફલની જેમ પૃથ્વી ઉપર પાડી નાખ્યું. તે સમયે દેવતાઓએ પુરૂષોત્તમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને “સાધુ સાધુ” શબ્દો વદી વાસુદેવની સ્તુતિ કરી. તેમજ “હા નાથ ! ક્યાં ગયા ?” એવાં વચનોથી મધુરાજાના
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સગ જ છે
સ્વજને એ મધુને શેક કર્યો. મધુના ભાઈ મહા સુભટ કૈટભને પણ હરિના સેનાપતિએ મારી નાખ્યો. એટલે બીજા અવશેષ રહેલા મધુપક્ષના સર્વ રાજાઓ તરત શ્રીપતિ વાસુદેવના આશ્રય નીચે આવ્યા.
ત્યાંથી ચાલીને વાસુદેવે માગધ, વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા, અને દક્ષિણાઈ ભરતક્ષેત્રની સમૃદ્ધિ સંપાદન કરી. પાછા વળતાં મગધ દેશમાં કોટી પુરૂષથી ઉપાડાય એવી એક મોટી શિલા લીલાથી ઉપાડી આનંદી વાસુદેવે ઢાંકણુની પેઠે પાછી મૂકી. સમુદ્ર તરંગ રૂપી હાથ વડે જેને અઈ આપે છે એવા પુરૂષોત્તમ વાસુદેવ ત્યાંથી પિતાની દ્વારાવતી નગરીમાં આવ્યા. ત્યાં સેમરાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ મળીને પરમ હર્ષથી વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો.
હવે ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એવા ભર્તાના, સંસારના જાણે મર્મ હોય તેવાં ઘાતિકર્મો નાશ પામ્યાં, એટલે વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છડું તપ કરી રહેલા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દિવ્ય સમોસરણમાં બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વિગેરે પચાસ ગણધરો સ્થાપ્યા. તેમના તીર્થમાં ત્રણ મુખવાળ, મગરના વાહનવાળે, રાતોવર્ણન, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પક્વ, ખડગ અને પાશ અને ત્રણ વામ ભુજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારો પાતાળ નામે યક્ષ, તથા ગૌરવર્ણવાળી, પદ્મપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડગ અને પાશ અને બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે દેવી-એ બંને શાસનદેવતા થયા. એ બંને દેવતાઓ જેમની પાસે રહીને નિરંતર ઉપાસના કરે છે એવા અને મિક્ષની અગ્ર ભૂમિમાં જનારા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં દ્વારકાપુરીમાં આવ્યા.
ત્યાં શકેદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષવડે શોભિત સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અનંત પ્રભુએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી સર્વ સંઘ પિતાની યોગ્ય સ્થિતિ પ્રમાણે બેઠે. વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ પ્રતિબિંબ ત્રણે દિશાઓમાં રત્નમય સિંહાસન ઉપર વિકુવ્યું.
ઉદ્યાનના રક્ષક પુરૂષોએ ચોદમાં તીર્થકર શ્રી અનંતનાથ પ્રભુ સેમેસર્યાના ખબર પુરૂષોત્તમ વાસુદેવને નિવેદન કર્યા. તેમને સાડાબાર કોટી સેનૈયા આપી વાસુદેવ બળભદ્રને સાથે લઈ સમવસરણમાં આવ્યા ત્યાં પ્રદક્ષિણા પૂર્વક પ્રભુએ પ્રણામ કરી અગ્રજ બંધુ સહિત ઈદ્રની પછવાડે બેઠા. પછી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્દે ઉભા થઈ ફરીવાર નમસ્કાર કરી ભક્તિવડે ગદ્ગદ્ વાણીથી ભગવંતની સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે પ્રભુ! જ્યાં સુધી તમે અધીશ્વર થયા નથી, ત્યાં સુધી જ પ્રાણીઓના મનરૂપી ધનને વિષય રૂપ તસ્કરો ચોરી શકે છે. લોકોની દૃષ્ટિને અંધ કરનારું અને વિસ્તાર પામતું કપરૂપી અંધારું તમારા દર્શનરૂપ અમૃતાંજનથી દૂર નાસી જાય છે. જ્યાં “સુધી અજ્ઞ પ્રાણીઓ તમારા વચનરૂપ મંત્રને સાંભળતા નથી ત્યાં સુધી જ તેમને માન“રૂપી ભૂત વળગ્યા કરે છે. તમારા પ્રસાદથી માયારૂપ બેડીને તોડી સરલતારૂપ વાહછે નમાં બેસનારા પ્રાણીઓને મક્તિ કાંઇ પણ દૂર નથી. જેમ જેમ પ્રાણીઓ નિઃસ્પૃહતાથી તમારી ઉપાસના કરે છે તેમ તેમ તમે તેમને ઉત્કૃષ્ટ ફળ આપે છે, એ મોટું
Page #172
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૪૫ “ આશ્ચર્ય છે. આ સંસારરૂપી સરિતાના રાગ અને દ્વેષ એ બે પ્રવાહ છે, તેની મધ્યમાં “દ્વીપની જેવા મધ્યસ્થપણામાં તમારા શાસનથી રહેવાય છે. મોક્ષદ્વારમાં પ્રવેશ કરવાને “ઉત્સુક મનવાળા પ્રાણીઓને મોહરૂપી અંધકારમાં તમે જે દીપકપણું ધારણ કરે છે “તેવું બીજે કોઈ ધારણ કરતો નથી, માટે હે પરમેશ્વર ! અમારા ઉપર પ્રસન્ન થાઓ કે “જેથી અમે વિષય, કષાય, રાગદ્વેષ અને મહાદિકથી અજીત થઈએ.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર, વાસુદેવ અને બળભદ્ર જ્યારે વિરામ પામ્યા ત્યારે અનંતનાથ પ્રભુએ દેશના આપવી શરૂ કરી.
અહો ભવ્ય જીવ ! તને નહિ જાણનારા પ્રાણીઓ, માર્ગથી અજાણ્યા વટેમાગુની જેમ આ દુસ્તર સંસારરૂપે અરણ્યમાં ભટક્યા કરે છે. જીવ, અજીવ, આશ્રવ, “સંવર, નિજ, બંધ અને મોક્ષ, એ સાત ત વિદ્વાનો કહે છે.
તેમાં પ્રથમ તવ જે જીવ છે તે મુક્ત અને સંસારી એમ બે પ્રકારે છે. તેઓ સર્વે “અનાદિનિધન અને જ્ઞાન દર્શન લક્ષણવાળા છે. તેમાં જે મુકત જીવ છે તે એક સ્વભાવી, “જન્માદિ કલેશથી વર્જિત અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય તથા અનંત “આનંદથી વ્યાપ્ત છે. સંસારી જીવ સ્થાવર અને ત્રસ એવા બે પ્રકારના છે. તે બંનેના જ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તેમાં પર્યાપ્તપણાના કારણરૂપ પતિઓ છ છે. “તેના આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એવાં નામ છે. તે પર્યાપ્તિ એકેદ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચેદ્રિયને છે એ પ્રમાણે અનુક્રમે
છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજેકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ એકેદ્રિય “સ્થાવર જીવ કહેવાય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકારે છે. “પાંચમા જે વનસ્પતિકાય છે તે પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારે છે. તેમાં પ્રત્યેક “બાદરજ છે અને સાધારણ સૂક્ષ્મ ને બાદર બે પ્રકારે છે.
ત્રસ જીવે બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય એમ ચારે પ્રકારે છે. તેમાં પચેંદ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકારના છે. જે શિક્ષા, ઉપદેશ અને આલાપને “જાણે અને મન પ્રાણને પ્રવર્તાવે તે સંજ્ઞી કહેવાય છે, અને તેથી વિપરીત–મન વિનાના
તે અસંજ્ઞી કહેવાય છે. સ્પર્શના, રસના, નાસિકા, નેત્ર અને શ્રવણ એ પાંચ ઈદ્રિ “કહેવાય છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના અનુક્રમે વિષય છે. કૃમિ“શંખ, ગંડૂપદ, જલે, કોડી અને છીપ, વિગેરે વિવિધ જીવે દ્વીદ્રિય છે. જુ, માકડ,
મકડા અને લીખ વિગેરે ત્રિક્રિય જીવ છે; અને પતંગ, મક્ષિકા, ભ્રમર અને ડાંસ “વિગેરે ચતુરિંદ્રિય જીવે છે. પંચેન્દ્રિય જીવમાં જલ, સ્થલ અને આકાશચારી એમ ત્રણ પ્રકારના તિર્યંચ જી, નારકી, મનુષ્ય અને દેવતાને ગણેલા છે. મનોબલ, ભાષાબલ અને કાયબલ એ ત્રણ બલ, પાંચ ઈદ્રિય અને શ્વાસોશ્વાસ તથા આ યુ એ દશ પ્રાણું કહેવાય છે. કાચબળ, આયુષ્ય, ઉચ્છવાસ અને સ્પશે દ્રિય એ ચાર પ્રાણ સર્વ જીમાં છે, વિકલેઢિયમાં ભાષા અને એ કેક ઈદ્રિય વધવાથી છે, સાત ને આઠ પ્રાણ છે, અસંજ્ઞીને એક ઈદ્રિય વધવાથી નવ પ્રાણ હોય છે, અને પૂર્ણ સંજ્ઞીને મન સહિત “દશ પ્રાણ હોય છે. દેવતા અને નારકી ઉપપાતપણે ઉત્પન્ન થાય છે, મનુષ્ય ગર્ભમાંથી “ઉત્પન્ન થાય છે, અને તિર્યંચે જરાયુ અને ઈંડામાંથી ઉત્પન્ન થાય છે. બાકીના સમુર્ણિમ ૧. જેની આદિ એટલે ઉપત્તિ અને નિધન એટલે મંત–નથી એવા. - ૧૯
Page #173
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થા
૧૪૬
પ‘ચે’દ્રી, વિકલે દ્રી તથા એકેડદ્રી સમુમિ રીતે ઉત્પન્ન થાય છે. સવ સમૃમિ જીવા “ નારકીના પાપી જીવા માત્ર નપુ′સકવેદી જ હોય છે. જીવા અને નારકીના પાપી જીવા “ માત્ર નપુસંક વેદી જ હોય છે, દેવતા-સ્ત્રી અને પુરૂષ એ વેઢવાળા હોય છે અને - બાકીના ગર્ભજ તીય ચ અને મનુષ્ય-સ્ત્રી પુરૂષ અને નપુ ંસકવેદી હાય છે.
"C
“સ” જીવ વ્યવહારી અને અવ્યવહારી એમ બે નિગેાદના જીવા છે તે અવ્યવહારી છે અને બાકીના સર્વ
પ્રકારના છે, જે અનાદિ સૂક્ષ્મ વ્યવહારી છે.
૧ સચિત્ત ર્ અચિત્ત ૩ સચિત્તાચિત્ત ૪ સંવૃત ૫ અસ ંવૃત ૬ સંવ્રતા સંવૃત ૭ શિત ૮ ઉષ્ણુ અને ૯ શિતાણુ એમ જીવને ઉપજવાની નિઓના નવ પ્રકાર છે. પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયની–પ્રત્યેકની સાત સાત લાખ યાનિ, પ્રત્યેક ધ્વનસ્પતિની અને અનંતકાયની અનુક્રમે દશને ચૌદ મળી ચાવીશ લાખ યાનિ, વિકલેદ્રીની છ લાખ ચેાનિ, મનુષ્યની ચૌદલાખ યાનિ અને નારકી, દેવ તથા તિય ચ પચેંદ્રીની ચાર ચાર લાખ ચેાનિ–એમ સ મળીને ચોરાશી લાખ યાનિએ સર્વ જીવની એક’દર છે. તે કેવળજ્ઞાનીએ જ્ઞાન વડે જોયેલી છે.
“એકેડદ્રી સૂક્ષ્મને બાદર, પાંચેંદ્રી સન્ની અને અસન્ની તથા બેઇ દ્રિય, તેઇઇંદ્રિય અને “ચૌરે દ્રિય એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત મળીને જીવાના મૂળ ચૌદ ભેદો “જિનેશ્વરે કહેલા છે, અને તેની માણા પણ ૧ ગતિ, ૨ ઇંદ્રિય, ૩ કાય, ૪ ચાગ, પ વેદ, ૬ જ્ઞાન, ૭ કષાય, ૮ સ`યમ, ૯ આહાર, ૧૦ દૃષ્ટિ, ૧૧ લેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સભ્ય“કૃત્વ અને ૧૪ સ’ની, એમ ચૌદ કહેલી છે. તેમજ સર્વ જીવેના ગુણસ્થાન પણ ૧મિથ્યા“ષ્ટિ ૨ સાસ્વાદન સમ્યગ્ દૃષ્ટિ ૩ સમ્યગ દૃષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્ર ૪ અવિરત સમ્યગ્ દષ્ટિ “પ વિતાવિરત (દેશવિરતિ) ૬ પ્રમત્ત, ૭ અપ્રમત્ત ૮ નિવૃત્તિ બાદર ૯ અનિવૃત્તિ બાદર “૧૦ સૂક્ષ્મ સપરાય ૧૧ ઉપશાંત માહ ૧૨ ક્ષીણ માહ ૧૩ સયાગી અને ૧૪ અચેાગી “એમ ચૌદ કહેલા છે.
૧ મિથ્યા દર્શનના ઉદય છતે પ્રાણી મિથ્યાષ્ટિ હાય છે, પરતુ ભદ્રકપણાદિકની “અપેક્ષાએ તે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. ૨ મિથ્યાત્વના અનુદય ભાવમાં વતતાને “અન”તાનુબંધીના ઉદય થયે સતે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનક હોય છે. તેના ઉત્કૃષ્ટ છ આવળીના કાળ છે. ૩ સમિતને મિથ્યાત્વના સાગથી અંતરમુહૂની ‘,સ્થિતિવાળું મિશ્રદન નામે ગુણસ્થાનક થાય છે. ૪ અપ્રત્યાખ્યાની કષાયાના ઉદયથી “પર`તુ અનંતાનુબંધી કષાયાના ક્ષય, ઉપશમ કે ક્ષાપશમથી અવિરત સમ્યગ્ દૃષ્ટિ નામે “ગુણસ્થાનક થાય છે. ૫ પ્રત્યાખ્યાની કષાયાના ઉદયથી વિરતાવિરત (દેશ વિરતિ) નામે ગુણસ્થાનક થાય છે. ૬-૭ સંયથ (સર્વ વિરતિ)ને પ્રાપ્ત કર્યા છતાં તેમાં જે પ્રમાદ, કરે છે તે પ્રમત્ત સયત નામે ગુણસ્થાનકે છે, અને જે પ્રમાદ કરતા નથી તે અપ્રમત્ત સચમ નામના સાતમા ગુણસ્થાનકે છે, આ બંને ગુણસ્થાનક પરસ્પર પરાવૃત્તિએ કરીને “અંતર મુહૂત્તની સ્થિતિવાળા છે. ૮ જે ગુણસ્થાનની પ્રાપ્તિ થયાથી કર્મના સ્થિતિઘાત “વિંગેરે અપૂર્વ રીતે થાય તે અપૂવ કરણ નામે આઠમુ ગુણસ્થાનક છે, તેમાં પ્રાપ્ત થયેલ “મુનિ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીપર આરૂઢ થાય છે; તેમજ એ ગુણુઠાણામાં પ્રવેશ “થયેલા મુનિઓના પરસ્પર બાદર કષાયાના પરિણામ નિવૃત્તિ પામે છે, તેથી તેનું નિવૃત્તિ “આદર્ એવું પણ નામ છે. ૯ જે ગુણસ્થાને એક સમયમાં સાથે ચડેલા મુનિઓના પરસ્પર
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પર્વ૬૪ થું “બાદર કષાયેના નિવલા પરિણામનો ફેરફાર થતું નથી, સર્વના એક સરખાજ પ્રણામ
જયાં વે છે તે અનિવૃત્તિ બાદર નામે નવમું ગુણસ્થાનક છે. તેની પ્રાપ્તિવાળા મુનિ “ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણપર આરૂઢ હોય છે. ૧૦ પૂર્વે નવમે ગુણઠાણે લોભ નામને “કષાય સૂમ કીટ્ટી રૂપ કરેલ છે તેને વેદતાં સૂક્ષ્મ સંપાય નામે દશમું ગુણસ્થાનક “થાય છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ પણ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી પર આરૂઢ હોય છે. “૧૧ મેહને ઉપશમ થવાથી ઉપશાંત મહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને ૧૨ મહિને “ક્ષય કરવાથી ક્ષીણ મોહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ૧૩ ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળ“જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે સયોગી કેવળી નામે તેરમું ગુણસ્થાનક છે, અને ૧૪ મન, “વચન, કાયાના કેગનો ક્ષય થવાથી અગી કેવળી નામે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય “છે. આ પ્રમાણે જીવતવનું સ્વરૂપ જાણવું.
“હવે અજીવ તત્ત્વનું સ્વરૂપ કહે છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, “કાળ અને પુદગળાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યને જીવ દ્રવ્ય સહિત કરવાથી ષટ દ્રવ્ય “થાય છે. તે જ દ્રવ્યમાં કાળ વિના પાંચ દ્રવ્ય પ્રદેશ સમૂહ રૂપ છે. જીવ વિના બાકીના દ્રવ્ય અચેતન અને અકર્તા છે. કાળ વિના બાકીના દ્રવ્ય અસ્તિકાય છે અને પુગળ વિના “બાકીના દ્રવ્ય અરૂપી છે. છએ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સરૂપી છે. પદ્દગળે સ્પર્શ, “રસ, ગંધ અને વર્ણ રૂપે છે. તેના અણુ અને સ્કંધ એવા બે પ્રકાર છે. અણુ અબદ્ધ છે “અને સ્કંધ બદ્ધ છે. જે બદ્ધ સ્કંધ છે તે વર્ણ, ગંધ, રસ, શબ્દ, સૂક્ષ્મ, સ્થળ, સંસ્થાન
અંધકાર, આતપ, ઉદ્યોત, પ્રભા અને છાયા રૂપે પરિણમે છે, અને તે જ્ઞાનાવરણાદિ કર્મ, “પાંચ પ્રકારના શરીર, મન, ભાષા, ગમનાદિ ચેષ્ટા અને શ્વાસોચ્છવાસના દાયક છે; તેમજ “સુખ, દુઃખ, જીવિત અને મૃત્યુરૂપ ઉપગ્રહના કરનારા છે. આ લેકમાં ધર્માસ્તિકાય, અધ“ર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ તે પ્રત્યેકે એકેકજ દ્રવ્ય છે, અને તે સર્વદા “અમૂર્ત, નિષ્ક્રિય અને સ્થિર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જીવના પ્રદેશ જેટલા “અસંખ્યાત પ્રદેશવાળા અને સકળ લેકવ્યાપી છે. તેમાં પોતાની મેળે હાલવા ચાલવાને પ્રવેલા છેને તથા પુગળને, સર્વ ગમનક્રિયામાં મતસ્યાદિકની ગતિને જળની જેમ “ધર્માસ્તિકાય સહાયકારી હોય છે, અને જીવ તથા પુગળો પોતાની મેળે સ્થિર રહે છે ત્યારે વટેમાર્ગને છાયાની જેમ અધર્માસ્તિકાય સહાયકારી હોય છે. વળી સર્વ વ્યાપી, “નિજસ્વરૂપાધારે રહેલ, પર સર્વ વસ્તુને આધાર આપનાર, કાલેકવ્યાપી, અનંત પ્રદેશી
આકાશાસ્તિકાય છે. કાકાશના પ્રદેશમાં અભિન્નપણે રહેલા જે કાળના અણુઓ (સમય) “છે તે ભાવોનું પરાવર્તન કરે છે તેથી મુખ્ય કાળ તે કહેવાય છે, અને જયતિ શાસ્ત્રમાં સમયાદિકથી જેનું માન કરવામાં આવ્યું છે તેને કાળવેત્તાઓ વ્યવહારિક કાળ કહે છે. “આ જગમાં સર્વ પદાર્થો નવીન અને જીર્ણ રૂપથી જે પરાવર્તન પામ્યા કરે છે તે કાળ“નું જ ચેષ્ટિત છે. કાળક્રીડાની વિડંબનાથી સવા પદાર્થો વર્તમાનના ભૂતકાળની સ્થિતિ પામે “છે અને ભવિષ્યના વર્તમાન સ્થિતિ પામે છે. આ પ્રમાણે અજીવતત્ત્વનું સ્વરૂપ જાણવું.
“મન, વચન અને કાયાની જે વર્તન તે આશ્રવ છે. તેમાં શુભ વર્તન તે પુણ્યબંધને હેતુ છે, અને અશુભ વર્તન તે પાપબંધનો હેતુ છે. એ ત્રીજુ આશ્રવતવ
સમજવું. સર્વે આશ્રાને દેશધ કરવાનું જે કારણે તે સંવર કહેવાય છે, અને સ ૮ રના હેતભૂત જે કમ તેની જે જરણા (વિનાશ) તેને નિર્જરા કહે છે. આ પ્રમાણે “ ચોથું અને પાંચમું સંવર નિર્જરા તત્ત્વ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થી
“ સકષાયીપણાથી જીવ ક ચેાગ્ય પુદ્દગલાને જે ગ્રહણ કરે છે તે અધ કહેવાય છે. તે 'ધ જીવને પરત વ્રતાનુ` કારણ થાય છે. પ્રકૃતિ તે સ્વભાવ કહેવાય છે, તે જ્ઞાવાવરણાદિક ‘ભેદોથી આઠ પ્રકારની છે. જ્ઞાનાવરણી, દશનાવરણી, વેદનીય. માહનીય, આયુષ્ય, “નામ, ગાત્ર અને અંતરાય, એ આઠ મૂળ પ્રકૃતિ કહેવાય છે. જઘન્યને ઉત્કૃષ્ટ ભેદ્દે “કના કાલના જે નિયમ તે સ્થિતિ કહેવાય છે, કમના જે વિપાક (પરિણામ ) “અનુભાવ છે, અને તેના અશની જે કલ્પના તે પ્રદેશ છે. મિથ્યાદષ્ટિ, અવિરતી, પ્રમાદ, “કષાય અને યાગ એ પાંચ ખધના હેતુ છે. એ પ્રમાણે બંધતત્વનું સ્વરૂપ જાણવું.
૧૪૮
‘ઉપર કહેલા ખંધના હેતુના અભાવ થતાં, ઘાતિકને ક્ષય થાય છે, તેથી જીવને “કેવળજ્ઞાન ઉપજે છે, અને પછી ચાર અઘાતિકર્મના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. ચાર “નિકાયના દેવતાઓના તથા રાજાઓના જે સુખ ત્રણ ભુવનમાં છે તે સુખ, મેાક્ષ સુખની સપત્તિના અનંતમા ભાગે પણ નથી. ઇતિ મેક્ષિતત્વ,
“આ પ્રકારે નવ તત્ત્વોને જાણનારા મનુષ્ય સમુદ્રમાં તરીઆની જેમ કિદે પણ આ “સંસારસમુદ્રમાં ડુબી જતા નથી.’
આ પ્રમાણે પ્રભુની દેશનાથી ઘણા જનાએ દીક્ષા લીધી, પુરૂષોત્તમ વાસુદેવ સમિત પામ્યા, અને સુપ્રભ બલરામે શ્રાવકત્વ સ્વીકાર્યું. પ્રથમ પૌરુષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા પછી યશ નામના મુખ્ય ગણધરે તેમના મરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં તેઓ પણ દેશનાથી વિરામ પામ્યા, એટલે ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્રાદ્વિક પ્રભુને નમીને પોતપોતાને સ્થાને ગયા.
ત્યાંથી અન ́તનાથ સ્વામી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મુખ્ય જ તુઓને મેધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. છાસઠ હજાર મહાત્મા સાધુએ, નવસા ચૌદપૂર્વાંધારીર ચાર હજાર અને ત્રણસા અધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસે મન:પર્યં યજ્ઞાની, પાંચ હજાર કેવળજ્ઞાની, આઠ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર ને બસેા વાદ લબ્ધિવાળા, ખાસઠ હજાર તપસ્વી સાધ્વીઓ, બે લાખ ને છ હજાર શ્રાવકો અને ચાર લાખ ને ચૌદ હજાર શ્રાવીકા—એ પ્રમાણે કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા સાડા સાત લાખ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કરતાં પ્રભુનો પરિવાર થયા. પછી પોતાના મેાક્ષકાલ નજીક જાણી પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા; અને ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ ક્યું . એક માસને અ ંતે ચૈત્ર શુકલ પચમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં અનંતપ્રભુ તે મુનિઓની સાથે મોક્ષે ગયા. તરતજ ઈદ્રોએ દેવતાઓની સાથે ત્યાં આવી પ્રભુના અને તેમના શિષ્યાના નિર્વાણુ મહિમાના મહાત્સવ કર્યાં. કૌમારવયમાં સાડાસાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પદર લાખ વર્ષ અને દ્વીક્ષામાં સાડાસાત લાખ વર્ષે મળી ત્રીશ લાખ વર્ષનું અન ંતપ્રભુનુ આયુષ્ય પૂર્ણ થયું. વિમળસ્વામીના નિર્વાણથી નવ સાગપમ અતિક્રમણ થયા પછી અન ંતસ્વામીનું નિર્વાણ થયું.
પુરૂષોત્તમ વાસુદેવ ત્રીશલાખ વર્ષનું આયુષ્ય ભોગવી, ઉગ્ર પાપકર્મ કરવાને લીધે તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કુમારવયમાં સાતસો વ, મંડલીકપણામાં તેરસે ૧ જ્ઞાનાવરણી, દનાવરણી, માહનીય અને અતરાય એ ચાર ઘાતોક કહેવાય છે. ૨-૩ પ્રવચન સારાહારમાં એક હજાર ચઉદ પૂર્વી અને પાંચહજાર મન:પર્યં યજ્ઞાની કહ્યા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૪૯ વર્ષ, દિગ્વિજયમાં એંશી વર્ષ અને રાજ્યમાં ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર નવસે અને વીશ વર્ષ એમ ત્રિીશલાખ વર્ષનું વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થયેલું છે. પંચાવન લાખ વર્ષના આયુષ્યવાળા સુપ્રભ બલરામ, પોતાને અનુજ ભાઈના અવસાન પછી ઘણુ કાળ સુધી દુઃખિતપણે સંસારમાં રહ્યા. પછી પોતાના લઘુ બંધુની વિપત્તિ (મૃત્યુ) જોવાથી વિરક્ત થયેલા સુપ્રભ બલભદ્ર મૃગાંકુશ મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અનંત ચતુષ્ટય મેળવીને અપુનર્ભવસ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि अनंतस्वामिपुरुषोत्तमसुप्रभमधुचरित
વનો નામ તુર્થઃ સર્ષ
8888888
Page #177
--------------------------------------------------------------------------
________________
સગ
૫
મે.
શ્રી ધર્મનાથ ચરિત્ર, ધર્મરૂપ ગંગાની ઉત્પત્તિના હિમાલય અને કુતીર્થ રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન એવા શ્રીમાન ધર્મનાથના ચરણનું શરણ હું ગ્રહણ કરું છું. સંસારસાગરને તરવામાં મેટા સેતુબંધરૂપ-એજ તીર્થનાથનું ચરિત્ર હવે કહું છું.
ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે ભકિલ નામે એક વિશાળ નગર છે. તેમાં દહરથ નામે રાજા હતો. બે દાંતથી હસ્તીની જેમ બે દઢ ભુજાએથી તે શોભતો હતો. તિશ્ચક્રમાં સૂર્યની જેમ સર્વ રાજાઓના તેજ તેણે હરી લીધા હતા, અને સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર તેમ સર્વ રાજાઓના દંડનું તે પાત્ર હતું, ( અર્થાત્ સર્વ રાજાને દંડ તે કરી શકતો હતો). આવું મોટું સામ્રાજ્ય પ્રાપ્ત છતાં એ વિવેકી રાજા ઈંદ્રની સંપત્તિને પણ આકડાના તુલ જેવી ચપળ જાણીને તેનો જરા પણ ગર્વ કરતે નહીં. વિષય સંબંધી સુખ તે પૂર્ણ રીતે પામ્યું હતું, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરા પણ આસ્થા નહોતી. ભેગને વિષે અત્યંત વૈરાગ્યવાન અને પતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ એવા દઢરથ રાજાએ છેવટે શરીરના મલની પેઠે પિતાના રાજ્યને એકદમ છેડી દીધું, અને સાંસારિક મહા દુઃખ અને રોગના વૈદ્યરૂપ વિમલવાહન નામના ગુરૂની પાસે તે ગયે. તેમની પાસેથી એ રત્નશિરોમણિ રાજાએ રૂચિરૂપી મૂલ્ય આપીને દુર્લભ એવું નિર્મળ ચારિત્રરત્ન ગ્રહણ કર્યું. ગની માતા તુલ્ય સમતાને ધારણ કરતા અને પરીસહને સહન કરતા એ રાજમુનિએ ઘણું દુસ્તપ તપ આચર્યું. તીર્થોદક જેવા પવિત્ર શાસ્ત્રરૂપ ગંડૂષ (કેગળા )નું આચમન કરીને તેણે વિષયરૂપ સ્લેરછોથી દૂષિત એવા પિતાના આત્માને પવિત્ર કર્યો. અનુક્રમે અહંત ભક્તિ વિગેરે સ્થાનકેનું આરાધન કરીને સદ્દબુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી કાળસ્થિતિ નજીક આવતાં અનશન કરી, સમાધિથી મૃત્યુ પામી તે મુનિ વૈજયંત વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નાકર જેવું રત્નપુર નામે એક નગર હતું. તેમાં બંને બાજુએ કરેલા રત્નમય સે પાનનાં કિરણોની જાલથી જાણે વચમાં સેતુ (પાજ) બાંધી હોય તેવી ઉપવનની વાપિકાએ શેભતી હતી. ઠેકાણે ઠેકાણે અહંનાં સુવર્ણ મય રત્યે અને દર્પણવાળા ગૃહે “અહી હમેશાં ત્રણે પુરૂષાર્થ ઉદય પામેલા છે એમ સૂચવતા હતા. રાત્રિએ જેમાં નક્ષત્રોનાં પ્રતિબિંબ પડે છે એવી મરકતમણિબદ્ધ માર્ગભૂમિ જાણે મિતીના સ્વસ્તિકવાળી હોય તેવી દેખાતી હતી. ત્યાં આવેલાં મોટાં મંદિરની ખીંતીએના કંઠમાં વપૂજનેએ લટકાવેલા હાર કંઠાભરણનું પૂર્ણ રૂપ પામતા હતા. ઉદ્યાનવાપિકાઓથી હેમંત, હવેલીઓના રસેડાથી ગ્રીષ્મ અને ગજોના મદથી વર્ષા–એમ ત્રણે તુઓને કાળ ત્યાં એક સાથે જ પ્રવર્તતે હતો.
તે નગરમાં તેજવડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુણથી નિરંતર પ્રકાશ ભાનુ નામે રાજા હતે. સમુદ્રના તરંગની જેમ તેના ગુણનું
Page #178
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૫૧ પ્રમાણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. તે એકજ રાજાએ જેને કર ગ્રહણ કરેલ છે એવી ભૂમિ કુલવતી અને શીલવતી લલનાની જેમ બીજા પતિને પ્રાપ્ત થતી નહોતી. એ રાજાએ સ્વભાવથી ચપલ એવી લક્ષમીને પોતાના દઢ ગુણો (પક્ષે દેરી) થી બાંધીને હાથિણીની જેમ પોતાના વ્રજસ્તંભમાં સ્થિર કરી હતી. સૂર્યની જેમ પ્રૌઢ પ્રતાપવાળા એ રાજાએ દીપકની જેવા શત્રુરાજાઓના તેજને હરી લીધા હતા. અન્ય રાજાઓને વિજય કરવા માટે તેને લલાટ ઉપર ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં', તે પછી ધનુષ ઉપર પણુછ ચડાવવાની તે વાત જ શી કરવી !
તે રાજાને ચરણકમળની ઉપાસના કરવામાં ભ્રમરી જેવી અને તે કોત્તર પતિવ્રતવાળી સુવ્રતા નામે એક રાણી હતી. તેની પાસેથીજ કોકીલાઓ મધુર આલાપ, હંસલીઓ ગતિચાતુર્ય અને મૃગલીઓ દષ્ટિવિલાસ શીખેલી હતી. લજજા તેની સહચરી હતી. શીલલક્ષ્મી તેને શોભાવનારી હતી અને કુલીનતા તેની કાંચળી હતી. એ પ્રમાણે તેનો સ્વાભાવિક પરિવાર હતો. પતિભક્તિરૂપ તેને યેગ્ય અલંકાર હતો, તે સિવાય હાર વિગેરે બીજા અલંકારો તે ઉલટા તેનાથી અલંકૃત હતા, અર્થાત્ તેના અંગસગવડેજ શોભતા હતા. - હવે વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈ ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી ચ્યવને વૈશાખ માસની શુકલ સપ્તમીને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવતાં તે જીવ સુત્રતા રાણીના ઉદરમાં અવતર્યો. તે વખતે સુત્રતાએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજ વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વાના લાંછન (ચિન્હ) વાળા સુવર્ણવણ પુત્રને દેવીને જન્મ આપ્યો. તરતજ ભગંકરા વિગેરે છપન દિકુમારીઓએ આવીને પ્રભુ અને પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું, તેજ વખતે સૌધર્મેદ્ર પણ પાલક વિમાનમાં બેસીને ત્યાં આવ્યું, અને પ્રભુને લઈને મેરૂપર્વત ઉપર ગયે. ત્યાં અતિ પાંડુકબલા નામે શિલાની ઉપર રનમય સિંહાસનમાં પ્રભુને પોતાના ઉસંગે લઈને ઇદ્ર બેઠે. અશ્રુત વિગેરે ત્રેસઠ ઈકોએ પવિત્ર તીર્થ જલથી વિધિ પૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઈદ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સૌધર્મેદ્દે સ્નાત્ર કયું" અને વિલેપન વિગેરેથી પૂજા કરીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“પરમ ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપવાળા અને પરમ ધ્યાન કરનારા એવા પંદરમાં તીર્થકરને મારે નમસ્કાર છે. હે પ્રભુ ! દેવ અને દાનવથી હું મનુષ્પોની મોટી મહત્તા માનું “છું, કારણકે ત્રણ લોકોને વંદન કરવા યોગ્ય એવા તમે મનુષ્યપણુમાં પ્રગટ થયેલા છો. હે નાથ ! મોક્ષરૂપ સાધનને સાધી લેવા માટે તમારૂં શિષ્યપણું ગ્રહણ કરવાની ઈચ્છાવાળા એવા મને હમણા જ આ દક્ષિણ ભારતવર્ષમાં મનુષ્યપણું પ્રાપ્ત થાઓ. જે પ્રમા“દીઓને તમારા ચરણનું દર્શન થતું નથી તેવા સ્વગીઓ સુખી છતાં પણ તેમના માં અને “નારકી જીવમાં કાંઈ પણ ભેદ નથી. હે પ્રભુ ! જ્યાં સુધી સૂર્યની જેમ તમારો ઉદય થયો ન હતો ત્યાં સુધીજ ઘુવડ પક્ષીની જેમ કુતીથીઓ બોલી શકતા હતા. હવે વર્ષાદથી સરો“વરની જેમ તમારી ધર્મદેશના રૂપ જળવડે આ ભરતાદ્ધ થોડા કાળમાં પૂર્ણ ભરાઈ જશે. “હે પરમેશ્વર ! રાજા જેમ શત્રના દેશને મુક્ત કરી તેનું રાજ્ય તેને આપે તેમ તમે અનંત પ્રાણીઓને મુક્ત કરીને અચલ સુખ આપશે. હે ભગવન્! દેવલોકમાં પણ ભ્રમરાની પેઠે “તમારા ચરણકમળમાં લીન થયેલા ચિત્તવડે મારા દિવસો નિર્ગમન થાઓ.” ૧ કર એટલે સ્ત્રો પક્ષે હાથ અને પૃથ્વીપક્ષે કર એટલે રાજાનો ગ્રાહ્ય ભાગ.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સર્ગ ૫ મો શકઈ કે આ પ્રમાણે સ્તુતિ કરીને ઈશાનંદ્રની પાસેથી પ્રભુને લઈ સુવ્રતાદેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાનો દેહદ થયે હતો, તેથી ભાનુ રાજાએ તેમનું ધર્મ એવું નામ પાડયું. દેવકુમારોની સાથે કીડા કરતા પ્રભુએ શિશુ અવસ્થા નિગમન કરી, અને પિસ્તાળીશ ધનુષ ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી ચિરકાલથી ઈચછેલા માતાપિતાના કૌતુકને પૂર્ણ કરવા તેમજ ભોગ્ય કર્મને ભોગવવા પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી અઢી લાખ વર્ષ ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. પાંચ લાખ વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કરીને પછી અવસર પ્રાપ્ત થયેલો જાણીને પ્રભુએ દીક્ષા લેવા વિચાર કર્યો તે જ વખતે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તા” એમ લોકાંતિક દેવતાઓ એ આવીને વિજ્ઞપ્તિ કરી. એટલે પ્રભુએ દીક્ષારૂપ નાંદીના મુખરૂપ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. વર્ષોતે દેવતાઓએ અભિષેક કરેલા પ્રભુ નાગદના નામની શિબિકામાં બેસીને વપ્રકાંચન નામે રમણીય ઉદ્યાનમાં પધાર્યા.
એ ઉદ્યાનમાં પ્રિયંગુલતાની મંજરીમાં ભ્રમરાઓ ગુંજારવ કરતા હતા. ઉદ્યાનપાલિ. કાઓ નાગકેશરનાં પુષ્પનાં આભૂષણો ગુંથવામાં વ્યગ્ર થયેલી હતી. રેહડાના પરાગથી નગરસ્ત્રીનાં મુખ વ્યાપી રહેતાં હતાં. જાણે કામદેવનાં આયુધગૃહ હોય તેવાં ડોલરનાં પુષ્પથી તે શોભતું હતું. ઉદ્યાનપાલના બાળકો લવલી (ચાળી) લતાનાં પુષ્પને કાપવામાં વ્યગ્ર થઈ રહ્યા હતા. મચકુંદના મકરંદબિન્દુવડે તેનું ભૂમિતળ આદ્ર થઈ રહ્યું હતું. કુલેલા મરૂચકનાં વૃક્ષોથી જાણે મરકત મણિથી પૃથ્વી બાંધી હોય તેવું દેખાતું હતું. આવી શિશિર ઋતુ સંબંધી લક્ષ્મીમય સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી માઘ માસની શુકલ ત્રયોદશીએ પુષ્ય નક્ષત્રમાં દિવસના પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે છેડૂ તપ કરીને પ્રભુએ દીક્ષા લીધી. બીજે દિવસે સમનસપુરમાં ધર્મસિંહ રાજાના સુંદર ગૃહમાં પ્રભુએ પરમાનથી પારણું કર્યું. ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા, અને ધર્મ સિંહ રાજાએ પ્રભુના પગલાની ભૂમિ પર રત્નમય પીઠ કરાવી. શરીરમાં પણ અપેક્ષા રહિત એવા જગત્પતિ પવનની જેમ અખલિતપણે ત્યાંથી પૃથ્વી પર વિહાર કરવાને પ્રવર્યાં.
જબૂદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહક્ષેત્રને વિષે અશકાનગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતો. તે તત્ત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજાપાલક મુનિની પાસે દીક્ષા લીધી. દુસ્તપ તપને તપતા એ રાજમુનિ આયુષ પૂર્ણ થયે કાલધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવલોકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકેટ નામે એક રાજા થયે. હાથી હાથીને જીતી લે તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમવડે તેને રણભૂમિમાં જીતી લીધું. તે પરાજયથી લજજા પામેલા વિકટરાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી અતિભૂતિ નામના મુનિને ચરણે જઈ વ્રત ગ્રહણ કર્યું. પછી તીર તપસ્યા કરીને પ્રાંતે તેણે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના મહિમાથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં.” આ પ્રમાણે નિયાણું કરી કાળગે મૃત્યુ પામીને તે બીજા દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે.
રાજા રાજસિંહ ચિરકાલ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપુર નામના નગરમાં નિશુંભ નામે રાજા થયે. પીસ્તાળીશ ધનુષ ઊંચી કાયાવાળા, દશલાખ વર્ષના આયુષ્ય
Page #180
--------------------------------------------------------------------------
________________
૫ ૪ થું
૧૫૩ વાળ અને ઉગ્રશાસન પ્રવર્તાવનાર કૃષ્ણવર્ણ તે એક લીલા માત્રમાં દક્ષિણ ભરતાદ્ધને સાધી લઈને પાંચમો અદ્ધચકી (પ્રતિવાસુદેવ) કહેવાય.
તે અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં કલ્યાણના એક સ્થાનરૂપ શિવ નામે રાજા થયો. તેને વિજયા અને અંમના નામે જાણે મૂર્તિમાનું કીર્તિ અને લક્ષમી હોય તેવી બે પ્રિય પત્નીઓ હતી. તેમાંની વિજય રાણીની કુક્ષિમાં પુરૂષવૃષભને જીવ સહસ્ત્રાર દેવલોકમાંથી ત્ર્યવી ચાર સ્વમવડે બલભદ્રના જન્મને સૂચવત આવીને ઉત્પન્ન થયે. ગર્ભકાલ પૂર્ણ થતાં વિજયાદેવીએ જાણે શરીરધારી પોતાના પતિને ઉજજવળ યશસમૂહ હોય તેવા પુત્રને જન્મ આપ્યો. શિવરાજાએ શુભ દિવસે મોટા ઉત્સવવડે સારા દર્શનને લીધે તે પુત્રનું સુદર્શન એવું નામ પાડ્યું.
વિકટને જીવ બીજા દેવલોકમાંથી ચવી સાત સ્વમવડે વાસુદેવના જન્મને સૂચવતે અંમકાના ઉદરમાં ઉત્પન્ન થયે. ગર્ભસમય પૂર્ણ થતાં સરિતા જેમ નીલ કમળને જન્મ આપે તેમ ઈદ્રનીલમણિ જેવા નીલવણી પૂર્ણ લક્ષણવાળા પુત્રને તેણે જન્મ આપ્યું. આ કુમાર અતિશય પરાક્રમથી પુરુષમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહ નામ પાડયું. ધાત્રીજનેએ લાલનપાલન કરેલા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બંને કુમારે પરસ્પર ક્રીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્રને ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાની જાતે દાટેલા નિધાનને જેમ જઈએ ત્યારે પ્રાપ્ત કરાય, તેમ તેઓએ ઉપાધ્યાયને માત્ર સાક્ષી કરીને સર્વ કળાઓ સાવધાનપણે પ્રાપ્ત કરી લીધી. અનુક્રમે સ્વર્ગ અને ભૂમિના જાણે પ્રતિમલ હોય તેવા તે બંને ભાઈઓ કવચ ધારણ કરીને શેભવા લાગ્યા અને પરસ્પર નેહધારી તેઓ અશ્વિનીકુમારની જેમ સહોદરપણે રહી પિતાની ઉપર અતિ ભક્તિથી તેના પદાતિની જેમ વર્તવા લાગ્યા.
એકદા કેઈ ગર્વિષ્ઠ એવા સીમાડાના રાજાને સાધવા માટે શિવરાજાએ દિવ્ય અસ્ત્રની જેમ સુદર્શન બલભદ્રને મોકલ્યા. નેહને લીધે તેમના બંધુ પુરૂષસિંહ વાસુદેવ પણ કેટલાક પ્રયાણ કરતા તેમની પછવાડે ગયા. પ્રેમનો બંધ વજલેપને અનુસરતો છે. પણ બલભદ્ર મોટા પ્રયનથી વાસુદેવને સાથે આવતા રોકયા, એટલે યૂથમાંથી ભ્રષ્ટ થયેલા હસ્તીની જેમ તે રસ્તામાં જ રહ્યા. વિવિધ વિનોદથી ભ્રાતાના વિયોગનું દુઃખ સહન કરી વાસુદેવ ત્યાં રહ્યા હતા, તેવામાં પિતા તરફથી એક પુરુષ ત્યાં આવ્યા. અને તેણે પિતાનો લેખ તેમને આપ્યું, એટલે વાસુદેવે તે લેખ મસ્તક પર ધારણ કર્યો. તેમાં હે વત્સ! સત્વર અહીં આવ” એવા અક્ષરો જોવામાં આવ્યા. તરત સંબ્રમપણે લેખહાર પુરુષને પૂછયું- હે દૂત! અમારી બંને માતા અને પિતાશ્રી કુશલ છે? અને મને સત્વરે બોલાવવાનું કારણ શું છે ? તે કહ્યું–‘આપના પિતાના શરીરમાં મોટા દાહજ્વર ઉત્પન્ન થયો છે, તેથી તમને સત્વરે બોલાવે છે. પિતાના દાહજવરની ખબર સાંભળવાથી જાણે સાત કટકા થાય તે ઘા વાગ્યું હોય તેમ વાસુદેવ વિધુર થઈ ગયા, અને ત્યાંથી ચાલી નીકળ્યા. સપુરૂષોને સ્વજનપીડા કરતાં વધારે બીજું દુઃખ હોતું નથી.
બીજે જ દિવસે પોતાની નગરીમાં આવી પહોંચ્યા. “જાતિવંતને તેવું દુ:ખ માર્ગમાં દાવાનળ જેવું થઈ પડે છે. વાસુદેવે જવરા પિતાએ આશ્રિત એવા ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં યોજાતા, ખેડાતા, ઉકળાતા અને શોધાતા વિવિધ ઔષધોમાં દાસજન
२०
Page #181
--------------------------------------------------------------------------
________________
સ૫ મા
વ્યગ્ર હતા, રસવીના વિપાકને જાણનાર અને ઔષધનું બલાખલ વિચારનારા ચતુર હૌદ્યો પિતાની આસપાસ બેઠેલા હતા, અંગરક્ષકા હાથની સંજ્ઞાથી ઘાંઘાટને અટકાવતા હતા અને દ્વારપાળા ભ્રકુટીની સ'નાથી વૈદ્ય લાકોને દૂર બેસવાનું સૂચવતા હતા. આવા ગૃહમાં પ્રવેશ કરી પિતાનું જાણે દુ:ખ લેતા હોય તેમ વાસુદેવ તેમના દુ:ખથી દુ:ખી થઇ ગયા. પછી એ હાથવડે ચરણસ્પર્શ કરીને પિતાને પ્રણામ કર્યા, અને નેત્રમાં અશ્રુ આવવાથી જાણે પિતાને ભક્તિથી સ્નાન કરાવતા હોય તેમ દેખાવા લાગ્યા. પુત્રના કરસ્પ થી શિવરાજાને જરા આશ્વાસન મળ્યું. ઈષ્ટના દર્શનથી સુખ થાય છે, તે સ્પથી થાય તેમાં શું આશ્ચય ! પછી શિવરાજા વારંવાર કરવડે પુત્રના સ્પર્શ કરવા લાગ્યા, અને તેથી જાણે શીતળતા થઈ હોય તેમ અધિક રોમાંચવાળા થયા. થોડીવારે રાજાએ પૂછ્યું. હે વત્સ ! દાવાનળથી વૃક્ષની જેમ તમારી ઉત્તર દુČળ કેમ થઈ ગયુ છે અને અધરપલ્લવ પ્રીકા કેમ પડયાછે ?” તે વખતે વાસુદેવના અનુચર ખેલ્યા “હે દેવ ! આપની આવી દારૂણ દશા સાંભળી પૂરા વેગથી તમને જોવાને માટે ચાલ્યા અને હસ્તી જેમ વિધ્યાચળનુ સમરણ કરતા ઉતાવળા ચાલે તેમ તમારૂ સ્મરણ કરતા તેએ ભક્તિવડે ભેાજન અને જળ છેડી દઈને માત્ર બે દિવસમાં અહી' આવ્યા છે.'' આ પ્રમાણે સાંભળી દ્વિગુણુ દુ:ખ પામી રાજા ખેલ્યા-વત્સ! ફાલ્લાપર ફાલ્લાની જેમ તમે આવા ખીો અનર્થ કેમ કર્યાં ? માટે સત્ત્વર પરિવાર સહિત ભાજનના અવસર સાચવેા. સવ અને સાધનારી કાયા ભાજનવડેજ ચાલે છે;' પિતાની વારવાર આવી આગ્રહયુકત આજ્ઞા થવાથી મઢવાળા દંતીની જેમ તેણે દુ:ખ સહિત કાંઈક ભાજન કર્યું, પરંતુ શ્રીખંડ પણ લીધા વગર અને ખીજા વસ્ત્ર પહેર્યાં' વગર દુ:ખવડે તપ્તસ્થળમાં રહેલા નકુલ ( નાળ ) ના જેવી સ્થિતિ ભાગવતાાં માત્ર ભાજન કરીનેજ દ્વીન થઈ ગયેલા સર્વ પિરવારને સાથે લઈ પેાતાના વાસગૃહમાંથી પગે ચાલી પિતાના વાસગૃહ પાસે આવ્યા. જયારે તેમાં પ્રવેશ કરતા હતા, તેવામાં માતાના દ્વારપાળાએ આગળ આવી રૂદન કરતાં કરતાં કર્ણ સ્વરથી વિજ્ઞપ્તિ કરી કે હું કુમાર! રક્ષણ કરા, રક્ષણ કરા, હજી મહારાજા જીવતાં છતાં દેવી નઠારો વ્યવસાય કરે છે.’ તે સાંભળી વાસુદેવ સભ્રમ પામી માતૃગૃહમાં આવ્યા; ત્યાં માતાને નીચે પ્રમાણે વચના ખાલતાં જોયા.
૧૫૪
“પતિના પ્રસાદથી મેાટા રત્નરાશિ, અન`ત સુવર્ણ, રૂપાના સ`ચય, મોતી, હીરા, જાતિવાન રત્નાથી જડિત એવા હજારો પેાશાક અને તે શિવાય જે સર્વ ખજાના મેળવેલા છે તે સર્વ સાત ક્ષેત્રમાં અર્પણુ કરે; કારણકે મહા માર્ગે પ્રયાણ કરનારને એ મુખ્ય પાથેય છે. પતિના મરણ પામ્યા પછી હું જરાવાર પણ વૈધવ્યને સહન કરી શકું તેમ નથી તેથી હું તેમની આગળજ જવા ઇચ્છું છું, માટે હે સેવકા ! તમે સત્વર અગ્નિસજ્જ કર.” આ પ્રમાણે મહા દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો માતા ખેલતા હતા; તેની પાસે જઇને વાસુદેવે ગદ્ગદ્ સ્વરે કહ્યું–“અરે ! માતા ! માતા ! શું તમે પણ આ મદ ભાગ્યવાળા પુત્રને છેડી દેશેા ? આહા! મારૂ' ભાગ્ય કેવુ. વિપરીત કે દેવીએ પણ આમ કરવા માંડયું !” અમ્મામાતા બોલ્યા-“અરે પુત્ર! તારા પિતાના રોગની મે' બરાબર પરીક્ષા કરી છે, તે રાગ અવશ્ય તારા પિતાના પ્રાણ લેવાને આવ્યા છે, અને વિધવા' એવા અક્ષરને સાંભળવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી, તેથી તારા પિતાની આગળ કસુખાના વજ્ર ઓઢીને હું તા ચાલી જઈશ. વળી મહારાજા શિવરાજાની પત્ની થઈને તથા તારા જેવા પાંચમા વાસુદેવરૂપ પુત્રને જન્મ આપીને મારા જન્મ કૃતાર્થ થયા છે. તેમજ જયારે પતિનુ મૃત્યુ
Page #182
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૫૫ થશે, ત્યારે મારા પ્રાણ પિતાની મેળે ચાલ્યા જશે, તે હું તેમ ન થવા દેતાં અગાઉથીજ અગ્નિમાં પ્રવેશ કરીને તેને ત્યાગ કરૂં, જેથી મારા સત્વની હીનતા ન કહેવાય. માટે હે વત્સ! ક્ષત્રિય જાતિના કુલાચારને આચરણ કરતી એવી મને આ કાર્યમાં વાત્સલ્યપણુથી પણ તું અંતરાય કરીશ નહીં. હે પુત્ર ! મારી આશિષથી સુદર્શન બંધુની સાથે તું આનંદ પામીશ. હું હવે અગ્નિમાર્ગે પતિની આગળ જઈશ, માટે હું તને એક છેલ્લી પ્રાર્થના કરું છું કે આ વિધિમાં નિષેધ કરે તેવું તારે કાંઈ પણ હવે કહેવું નહીં.” આ પ્રમાણે કહી સ્વામીના મૃત્યુ ખબર સાંભળવાને કાયર એવા અમાદેવી પરલોકરૂપ નગરના દ્વારરૂપ અગ્નિમાં પ્રવેશ કરવાને ત્યાંથી ગયા.
ઉપરાઉપર પડતા દુઃખવડે જેનું અંગ શિથિલ થઈ ગયું છે એવ વાસુદેવ ત્યાંથી સરખી ભૂમિમાં પણ પગલે પગલે ખલન પામતા પિતાની પાસે આવ્યા. પોતાની માતાને સંભારતા અને પિતાને આતુર જેતા વાસુદેવ દુઃખને સહન ન કરી શકવાથી પોતાના આત્માને નપુંસક જે માની પૃથ્વી પર ઢળી પડયા. પુત્રની આવી સ્થિતિ જોઈને શિવરાજા દાહજરવથી પીડીત હતા તો પણ ધર્મ ધરીને બોલ્યા- “હે વત્સ ! આપણા કુળને અનુચિત એવી કાયરતા તમે કેમ ધરે છે ? હે વત્સ! આ પૃથ્વી તમારી ભુજાના આધારવાળી છે, તે દૌય છેડીને તેના પર પડતાં તમને લજજા કેમ આવતી નથી ? હે પુત્ર ! તું જયારે દીર્યને છેડી દઈશ ત્યારે તારૂં ‘પુરૂષસિંહ એવું નામ પાડનારા મારામાં અજ્ઞાનકરીપણું પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આશ્વાસન આપી પવિત્ર હૃદયવાળા શિવરાજા કાળધર્મ પામી ગયા. કાળને જીતવાને કણ સમર્થ છે? પિતાના મરણના ખબર સાંભળવાથી વાયુથી વૃક્ષની જેમ અને વાયુ રોગીની જેમ તેના શેકવડે વાસુદેવ ફરીને પૃથ્વી પર ઢળી પડયા. ડીકવારે જલકુંભવડે જળ છાંટતાં તેમણે સંજ્ઞા પ્રાપ્ત કરી. “હે તાત! હે તાત!” એમ આકંદ કરતા બેઠા થયા, અને બોલવા લાગ્યા-“હે પિતા! આ તમારું શરીર જે ઉષ્ણુ જણાતુ નથી, તે કયા ઔષધનો ગુણ છે? તમને કયા વૈદ્યની પ્રતીતિ થઈ છે? અથવા આજે કેમ સુખનિદ્રા કરી છે? તે પ્રસાદ કરીને મને કહે.” આ પ્રમાણે નેહમાં મોહિતપણાથી કહી કહીને વાસુદેવે વિલાપ કરવા માંડયા. પછી ગેત્રવૃદ્ધ પુરુષોના સમજાવવાથી ધીય ધરી વાસુદેવે અગર ચંદનના કાષ્ઠવડે પિતાના અંગને અગ્નિસંસ્કાર કર્યો. પછી જલાંજલિ આપવા વિગેરે ઉત્તરક્રિયા કરી સભા માં આવીને બલભદ્ર ઉપર પિતાના મૃત્યુને સૂચવનારે પત્ર લખી મોકલાવ્યો. તે લેખ વાંચી ગર્વિષ્ટ એવા સીમાડાના રાજાને સાધી બલભદ્ર દુ:ખી થઈને સત્વર ત્યાંથી ચાલી નીકળ્યા. પિતાને નગરે આવી બંને ભાઈઓ પરસ્પર કઠે વળગી છુટે કંઠે રૂદન કરતા સર્વ સભાને પણ રેવરાવવા લાગ્યા. પછી આપ્ત જનોએ બંધ કરવાથી તેઓ માંડમાંડ દૌર્ય પામ્યા, અને ધીમે ધીમે પિતાના સ્નેહને ભૂલવા લાગ્યા. તે પણ ઉભા રહેતાં, ચાલતાં બોલતાં, અને મૌન ધરતાં તેઓ પોતાની દૃષ્ટિની આ ચેય વસ્તુની પેઠે પિતાને જ જોતા હતા.
આ પ્રમાણે તેઓ પિતાના શેકથી આકુળવ્યાકુલ રહેતા હતા, તેવામાં ત્યાં નિશુંભ પ્રતિવાસુદેવનો દૂત આવ્યા. દ્વારપાળે પ્રથમ ખબર કરી અને આજ્ઞા મેળવીને પ્રવેશ કરાવ્યું. એટલે તે દૂતે નમસ્કાર કરી બલદેવ અને વાસુદેવને કહ્યું-“શિવરાજાને સ્વર્ગવાસ લોકોના મુખેથી સાંભળીને તમારા સ્વામી નિશુંભને ઘણે શક થયેલ છે. તેથી તમારા પિતાની ભક્તિ સંભારીને એ કૃતજ્ઞ શિરોમણિ મહારાજાએ આ પ્રમાણે સંદેશ કહેવાને મને તમારી પાસે મોકલ્યા છે કે-અદ્યાપિ તમે બંને બાલક છો, શત્રુના
Page #183
--------------------------------------------------------------------------
________________
સગ ૫ મા
પરાભવનું સ્થાન છે અને મેં અર્પણ કરેલું તમારા પિતાનું પદ મેટુ છે. માટે તમે મારી પાસે આવીને નિરૂપદ્રવપણે રહેા. કેમકે નદીમાં રહેલાને દાવાનળ શુ કરી શકે તેમ છે ? વળી ઘણા લાંબા કાળ પર્યં ત કરેલી તમારા પિતાની ભક્તિના ઋણમાંથી મુક્ત થવાને ઈચ્છતા એવા મારે તમને લઘુ છતાં મોટા કરવા છે.” આવા દૂતના સંદેશ સાંભળીને તેમને અત્યંત કાપ ઉત્પન્ન થયા અને શાક નિવૃત્ત થઇ ગયા; કારણકે બલવાન રસ પણ બીજા રસથી ખાધ પામી જાય છે. પછી ભ્રુગુટી ચડાવી, લલાટ પર વિકૃતિ બતાવી, સિંહ જેવા પુરૂષષિસંહે ક્રોધ લાવીને કહ્યું- “ઈક્ષ્વાકુવંશમાં ચંદ્ર સમાન અને સર્વ વિશ્વના ઉપકારી એવા અમારા પિતાના મૃત્યુથી કાણ શાકનું સ્થાન થયું નથી ? બીજા રાજાઓએ શાક કર્યા છે અને નિશુભે પણ શેક કર્યાં છે પણ તે નિશુંભ આવા સંદેશા ન માકલાવે તે! તેથી તેની પિશુનતા થાય. સિ ંહના બાળકને કાણુ દેશ આપે છે? કેાણ તેને ઉછેરે છે ? અને તેના પરાભવ કાનાથી થાય છે? અત્યારે અમારી પાસે આ પ્રમાણે ખેલતા તે કેમ લજ્જા પામતા નથી ? આપ્તપણાના મિષથી તે ખરેખર અમારી અપમાન કરનાર શત્રુ છે. કદિ તારા સ્વામી અમારા મિત્ર હા, અમિત્ર હેા કે ભલે ઉદાસી હા, અમે તેમાં નિરપેક્ષ છીએ; કારણકે ભુજપરાક્રમી વીરોને પોતાની ભુજાનીજ અપેક્ષા છે.” આવાં કુમારનાં વચનો સાંભળી ક્રૂત આવ્યે તે પિતા સમાન અમારા સ્વામીને શત્રુરૂપ માનતા એવા તમે પેાતાના કલ્યાણમાં અકલ્યાણની ઈચ્છા કરી તમારૂ` ખલકપણું સ્પષ્ટ રીતે બતાવા છે. અરે કુમાર ! હજી તમે રાજનીતિ જાણતા નથી. શા માટે હાથે કરી ઉત્તર ચાળીને શૂળ ઉત્પન્ન કરે છે ? હુ· તમારાં વચના મારા સ્વામીને કહીશ નહીં. હજી મારૂ વચન માનેા અને તેના પ્રસાદથી બંધુ સહિત તમારૂ ક્ષેમકુશળ લાંબા કાળ સુધી થાઓ; નહીં તા થાડા સમયમાં એ તમારો શત્રુ થશે, અને જ્યારે યમરાજાની પેઠે તે રાષ કરશે, ત્યારે તમારે જીવિતમાં પણ સ`શય થઈ પડશે.” આવાં ડૂતનાં વચનાથી વાસુદેવને વિશેષ ક્રેાધ ઉત્પન્ન થયા અને કહ્યું-“અરે દૂત ! તું પાતાના જીવિતમાં પણ અપેક્ષા રહિત એવા ખરેખરો તુ છે. વાણીના પ્રપ`ચમાં ચતુર એવા તારી જેવા દૂતની વાણી માત્ર ફાટાપ કરનારા નિર્વિષ સની જેમ બીકણ રાજાને ખવરાવે છે. અરે ત! જા, મારાં કહેલાં વચના ગોપવીશ નહીં, બધાં તારા સ્વામીને કહેજે; તે કિ અમારા શત્રુ થશે તો અમેએ તેને વધ્યુંકેાટીમાં પરિપૂર્ણ રીતે ગણી લીધેલેાજ છે.’
૧૫૬
આવાં વાસુદેવનાં વચનથી દૂત ત્યાંથી ઉભા થયા, અને વેગથી નિશુભની પાસે આવી તે સ યથાર્થ કહ્યું. તે સાંભળી શત્રુને વિનાશ કરનાર નિશુંભને ઘણા ક્રોધ ચડયા. તત્કાળ સેનાવડે પૃથ્વીને આચ્છદન કરતા તે અન્ધપુર ઉપર ચડી આવ્યા નિશુંભને આવેલા સાંભળી શત્રુને વિજય કરનાર વાસુદેવ પોતાના જયેષ્ઠ અને સાથે લઇ સઘ સર્વ સૈન્ય સહિત સામા ચાલ્યા. પરસ્પર મથન કરવાને ઉદ્યત થયેલા નિશુંભ અને પુરૂષસંહ હાથીની જેમ અદ્ધ માગે એકઠા થયા. બંનેના સૈનિકા ભૂમિ અને આકાશને ક્ષેાભ કરતા, સિંહનાદ, ધનુષ્યના ટંકાર તથા હાંથાનુ આસ્ફાલન કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પાતાના શરીરની રક્ષા કરવામાં અપેક્ષા રહિત એવી બન્ને અક્ષૌહિણી (સેના)ના ક્ષય પ્રલય કાળની પેઠે ક્ષણવારમાં થઇ ગયા; પછી બલભદ્ર જેની પાછળ છે એવા વાસુદેવે રથમાં બેસીને પવનવડે અગ્નિની જેમ પાંચજન્ય નામના શંખ પૂર્યાં. પડતા વાના ધાર શબ્દની જેવા તે શ‘ખના મોટા નાદથી શત્રુનુ સ સૈન્ય ક્ષેાભ પામી પડી ગયું. તે વખતે ‘અરે પાતાના
Page #184
--------------------------------------------------------------------------
________________
૫૧ ૪ થ
૧૫૭
આત્માને સુભટ માનનારા વાસુદેવ ! ઉભેા રહે, ઉભા રહે,' આ પ્રમાણે કહેતા મહારથી પ્રતિવાસુદેવ વાસુદેવની સાથે યુદ્ધ કરવા આવ્યેા. બંને વીરે કાપથી પેાતાની ભ્રુગુટી ચડાવી ભય પમાડતા પેાતાતાના ધનુષ્યનું આસ્ફાલન કરવા લાગ્યા. પછી મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ બંને વીરો ખાવૃષ્ટિ કરીને સિંહનાદવડે મૃગલીને ત્રાસ ઉપજે તેમ ખેચરની સ્ત્રીઓને ત્રાસ પમાડવા લાગ્યા. આંતરા રહિત પડતા એવા તેમના બાણુસમૂહથી રણભૂમિ ખરૂના વૃક્ષથી છવાયેલા સમુદ્રના વિલાસને ધારણ કરવા લાગી. યુદ્ધરૂપી સાગરમાં તિમિ - ગલ રૂપ એ વીરેા કરમુક્ત, યત્રમુક્ત અને મુક્તામુક્ત એવા આયુદ્ધવડે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે નિશુ ંભે જાજવલ્યમાન વાળારૂપ જિહવાવાળું અને તીક્ષ્ણ ધારાવડે વિકરાળ એવુ' પેાતાનું ચક્ર ઇદ્ર જેમ વજ્રને સંભારે તેમ સંભાર્યું. સ્મરણ કરતાંજ પ્રાપ્ત થયેલા તે ચક્રને અ'ગુલિથી આકાશમાં ભમાડતા નિશુભ ક્ષેાભ પમાડે તેવુ' વચન ગ થી ખેલ્યા –“અરે કુમાર! તું અનુકપા કરવા યાગ્ય છે અને બાળક છે, તેથી અહીંથી નાસી જતાં તને શી લજ્જા છે? માટે ચાલ્યા જા, અથવા મારી સેવા કર. શું તને એક શ્વાન પણ સારા વિચાર આપનાર નથી ? આ ચક્ર મૂકવાથી હું પ તાને પણ ફાડી નાખું' તેા નવીન કુષ્માંડની જેવા કામળ શરીરવાળા તારી તા શી વાત કરવી ?”
આવાં વચન સાંભળી પુરૂષસિંહ કુમારે કહ્યુ-“હવે અતિ ગવાળા એવા તારૂ અને ચક્રનુ` વીય જોવાનુ` બાકીમાં છે, બીજા' અસ્ત્રોથી તેં શું કર્યું' છે ? અત્યારે મેઘ જેમ ઈંદ્રધનુષ્યને ધારણ કરે તેમ તે આ ચક્રને ધારણ કરેલુ છે, પણ હે મૂઢ! તે મને શું કરવાનુ છે ? તેને છેાડ, હું તેનું પણ અમેઘપણું જોઉં.” આવાં વાસુદેવનાં કઠોર વચનો સાંભળી નિશુ ંભે તેને મારવાની ઈચ્છાથી સર્વ ખલવડે ચક્ર મૂકયુ'. તે ચક્ર પેાતાના અગ્ર ભાગવડે વાસુદેવના હૃદયમાં વેગથી અથડાઇ વિધ્યાદ્રિના તટમાં મોટા ગજની જેમ નિષ્ફળ થઈ ગયું. તેના આઘાતથી વાસુદેવ નેત્ર મી’ચી મૂર્છા પામીને પડી ગયા. અલભદ્રે ગાશીષ ચંદનથી સિ`ચન કર્યું, એટલે ઘેાડીવારમાં પાછા ઉઠી, સંજ્ઞા પ્રાપ્ત કરીને હાથવડે તેજ ચક્ર લઈ અરે ઉભા ન રહે, જતા રહે, જતા રહે,' એમ નિશુભને કહેવા લાગ્યા; પણ સામેથી ‘છેાડ, છેડ,' એમ વચને આવતાં વાસુદેવે ચક્ર છેડયુ, અને પ્રતિવાસુદેવ નિશુંભનું મસ્તક તે પાંચમા વાસુદેવે તે ચક્રવડે છેદી નાખ્યુ. તત્કાલ પરાક્રુમીઆમાં મુગટ રૂપ એ વાસુદેવના ઉપર જયલક્ષ્મીના હાસ્ય જેવી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, પછી તેજ પ્રયાણે કરીને વાસુદેવે ભરતા ને સાધી લીધું. મહાત્માઓના વ્યવસાય સહસા રીતેજ ફળે છે. દિગ્યાત્રા કરીને પાછા ફરતાં વાસુદેવ મગદેશમાં આવ્યા. ત્યાં એક લીલામાત્રમાં મૃત્તિકાના પાત્રની જેમ ભાવડે કાટી શિલાને ધારણ કરી ત્યાંથી અશ્વૌન્યવડે પૃથ્વીને આચ્છાદન કરતા અશ્વપુર આવ્યા; અને સ્થાને સ્થાને નગરસ્ત્રીએથી પૂજાતા વાસુદેવે પુરમાં પ્રવેશ કર્યાં. ત્યાં બલભદ્રે અને ખીજા ભક્તિવાળા રાજાએ વાસુદેવને અર્જુ ચક્રીપણાના અભિષેક કર્યાં,
તે સમયમાં ધર્માંનાથ પ્રભુ એ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી ફરતાં ફરતાં જયાંદીક્ષા લીધી હતી તે પ્રકાંચન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં દધિપણું વૃક્ષની નીચે ધ્યાન કરતા પ્રભુને પાષમાસની પૂર્ણિમાને દિવસે પુષ્યનક્ષત્રમાં ચંદ્ર આવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. તરતજ તે સ્થાનકે દેવતાએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી, અને અરિષ્ટ વિગેરે તે તાળીશ ગણધરો કર્યા. તેમના શાસનમાં ત્રણ મુખવાળે, કાચબાના
૧ કુષ્માંડ–કાળાનું ફળ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સર્ગ ૫ મ
વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીજોરું, ગદા અને અભયને તથા વામ ભુજાઓમાં નકુળ, પદ્મ અને અક્ષમાળાને ધરનારે રક્તવણી અને તેજસ્વી કિંમર નામનો યક્ષ શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પળ અને અંકુશ તથા બે વામ ભુજામાં પ અને અભયને ધરનારી કંદર્પ નામે યક્ષણી શાસનદેવી થઈ. એ બંને નિરંતર પ્રભુની પાસે રહેવા લાગ્યા. આ બંને શાસનદેવતાથી સેવાતા ધર્મનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે અશ્વપુરે આવ્યા. તત્કાળ ઈદ્રાદિક દેવતાઓએ જેમાં પાંચસો ને ચાળીશ ધનુષ ઊંચું અશક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. પ્રભુએ તેમાં પ્રવેશ કરીને રમૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બેઠા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુની જેવાંજ ત્રણ પ્રતિબિંબ રતનસિંહાસનપર વિકુવ્ય. પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં એગ્ય સ્થાને બેઠે, બીજા વપ્રમાં તિય રહ્યા, અને ત્રીજા વઝમાં વાહનો ગોઠવાયાં.
તત્કાળ સેવક પુરૂષએ આવીને પ્રકુલિત નેત્રે પ્રભુ સમોસર્યાના સમાચાર પુરુષસિંહ વાસુદેવને કહ્યા. તેમને સાડાબાર કેટી રૂપીયા ઈનામમાં આપી પુરુષસિંહ વાસુદેવ સુદર્શન બળદેવ સહિત સમોસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને ભક્તિ પૂર્વક પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને વાસુદેવ જયેષ્ઠ બંધુ સાથે ઈદ્રની પછવાડે બેઠા. પછી ઈદ્ર, વાસુદેવ અને સુદર્શન ફરીવાર સ્વામીને નમી પ્રભુની ભક્તિથી અસંતુષ્ટ હોય તેમ હર્ષથી સ્તુતિ કરવા લાગ્યા.
જગતના નેત્રરૂપ, ચકોર પક્ષીને આનંદ આપવામાં ચંદ્રરૂપ અને મિથ્યાત્વ રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય રૂપ એવા હે જગત્પતિ ધર્મનાથ! તમે વિજય પામે. હે “નાથ! તમે છદ્મસ્થપણે ચિરકાળ રહ્યા તે છતાં છદ્મ (કપટ) રહિત છે, અને અનંત
દર્શન છતાં અનેક દર્શનને બાધ કરનારા છે. તમારી દેશના રૂપ જળના પૂરથી જેમને “આત્મા પ્લાવિત થયેલ છે તે પ્રાણીઓની કર્મની મલીનતા તત્કાળ ધોવાઈ જાય છે. તેવી
રીતે તમારા ચરણમૂળની છાયાથી પ્રાણીઓના સંતાપ શમી જાય છે, તેથી રીતે મેઘ “અને વૃક્ષની છાયામાં પણ સંતાપ શમતો નથી. હે પ્રભુ! તમારા દર્શન કરવાથી થયેલા
નિ:સ્પદ શરીરવાળાં પ્રાણીઓ જાણે કોતરેલી પુતળીઓ હોય તેવા જણાય છે. હે “જગતુબંધુ! આ ત્રણ જગત્ સ્વભાવાદિની કેટલીક વિરૂદ્ધતાથી જુદું જુદું છે, પણ આજે “તમારા પ્રભાવથી એકત્ર મળી જઈને બંધરૂપે થઈ ગયેલું છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રના “મૂળ સ્થાનના દેવતા રૂપ હે પ્રભુ! જેમને બીજું કઈ શરણ નથી એવા અમારી તમે રક્ષા કરે. હે જગત્પતિ ! અમે તમને વારંવાર પ્રાર્થીએ છીએ કે હમેશાં તમારા ચરણકમળમાં અમારું મન ભ્રમરની ચેષ્ટા કરો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા પછી ભગવાન ધર્મનાથ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગમાં મોક્ષ વર્ગ અગ્રણી છે. તેને યોગ કરાવનાર કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે. તેને અનુસરનારી મતિ “ તે જ્ઞાન, સમ્યક પ્રકારની શ્રદ્ધા તે દર્શન અને સર્વ સાવધ રોગને ત્યાગ તે ચારિત્ર “કહેવાય છે. પ્રાણીને આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે, અથવા તદામકપણેજ
તે શરીરમાં રહેલું છે; મેહનો ત્યાગ થકી જે પિતાના આત્મા વડે આત્માને વિષે આ“માને જાણે છે તે જ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્માને અજ્ઞાનપણથી ઉત્પન્ન
Page #186
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૫૯ થયેલ દુઃખ આત્મજ્ઞાનવડેજ હણાય છે. જે આત્મજ્ઞાનથી રહિત છે તે તપ કરવા“વડે પણ અજ્ઞાનજનિત દુ:ખને છેડી શકતો નથી. આ આત્મા ચૈતન્ય (જ્ઞાન) રૂપ છે પણ “કર્મના યોગથી શરીરધારી થાય છે, અને જ્યારે ધ્યાનરૂપી અગ્નિથી કમ માત્ર દગ્ધ “થઈ જાય છે ત્યારે તે નિરંજન સિદ્ધાત્મા બને છે. કષાય અને ઈદ્રિયોથી જીતાયેલો “ આ આમાં જ સંસાર છે, અને કષાય અને ઈદ્રિયોને જીતનારે આત્મા જ મોક્ષ છે–એ “પ્રમાણે વિદ્વાને કહે છે. તે કષાયે ક્રાધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે;
અને તે પ્રત્યેકના સંજવલન વિગેરે ચાર ચાર ભેદ છે. તેમાં સંજવલન એક પક્ષ સુધી, “પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન વર્ષ સુધી અને અનંતાનુબંધી આખા “જન્મ સુધી સ્થિતિ કરે છે. તે અનુક્રમે વિતરાગપણું, મુનિ પણું, શ્રાવકપણું અને સમ્યગ“દષ્ટિપણું હણે છે, અને દેવપણું, મનુષ્યપણું, તીર્યચપણું અને નારકીપણું આપે છે.
તેમાં ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વૈરનું કારણ, દુર્ગતિને આપનાર અને “શમતાસુખને અટકાવનાર ભેગળરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પિતાના
આશ્રયને તો બાળે જ છે, પછી બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતો. આઠ વર્ષે “ઉન પૂર્વકેટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય તો તેને પણ ક્રોધરૂપી અગ્નિ “ક્ષણવારમાં દહન કરી નાખે છે. પૂર્વના પુણ્યસંભારથી સંચય કરેલું શમતારૂપ પય ક્રોધ“રૂપ વિષના સંપર્કથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી,
ચારિત્રરૂપ ચિત્રની રચના (ચિત્રશાળી) ને ક્રોધરૂપ ધૂમાડો પ્રસરીને અત્યંત મલીન કરી “નાખે છે. વૈરાગ્યરૂપી શમીપત્રના પડીઆમાં જે શમતાને રસ મેળવ્યો હોય તે શાક
પત્રના પડીઆમાંથી આવા કીધ વડે તે રસ કેમ ઢળી ન જાય? વૃદ્ધિ પામેલે કોધ “શું શું કાર્ય નથી કરતે ? આગામી કાળે કૈપાયનના ક્રોધરૂપ અગ્નિમાં મોટી દ્વારકા“નગરી સમિધરૂપ થઈ જશે. ક્રોધ કરનારને ક્રોધ કરવાથી કાર્યસિદ્ધિ થતી જોવામાં આવે
છે, તે ક્રોધ સાથે સંબંધ ધરાવતી નથી. અર્થાત્ તે ક્રોધના ફળરૂપ નથી પણ જન્માંતરે મેળવેલા તેના સારા કર્મનું ફળ છે. જે પ્રાણીઓ આ લોકના અને પરલોકના તથા સ્વાર્થના અને પરાર્થના નાશને કરનારા ક્રોધને પોતાના શરીરમાં ધારણ કરે છે તેમને વારંવાર ધિક્કાર છે! ક્રોધાંધ પર પિતાને, માતાને, ગુરૂને સહદ (મિત્રોને, સહોદરને અને સ્ત્રીને તેમજ પિતાના આત્માને પણ નિર્દય થઈને હણી નાખે છે. આવા ક્રોધરૂપ
અગ્નિને સત્વરે બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમરૂપ આરામને વિષે નીકરૂપ એક “ક્ષમાને જ આશ્રય કરો. અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલ ક્રોધ બીજી રીતે રોકી “ શકાતો નથી, પણ સત્ત્વના મહામ્યવડે રોકી શકાય છે અથવા આવી ભાવના રાખે “તે તેના વડે રેકી શકાય છે કે-જે પોતે પાપને અંગીકાર કરી આપણને બાધા કરવાની ઈચ્છા કરે છે તે પિતાના કર્મથી હણાઈ ગયે છે તે તેની ઉપર કો મૂખે જન પણ કાપ કરે? જે તારે એ આશય હોય કે “જે મારા અપકારી છે તેની ઉપર તે હું કોપ કરીશ” તે તને નિરંતર દુઃખ આપવામાં ખરેખર કારણભૂત તારા કર્મની “ ઉપર શા માટે કોપ કરતા નથી. શ્વાન ઢેકું નાખનારને નહીં કરડવા જતાં ઢેફાને બચકાં “ભરે છે, પણ કેસરીસિંહ બાણને કાંઈ કરતો નથી પણ બાણ નાખનારને જ મારે છે.
માટે કોધ કરનારે વિચાર કરો કે જે મારાં દૂર કર્મોએ પ્રેરેલો શત્રુ મારી ઉપર કપ “ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું બીજા પર ક્રોધ કરું છું; તેથી ખરેખર હું શ્વાનની
૧ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીએ ચાર ભેદ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સર્ગ ૫ મિ
“રીતિનેજ આશ્રય કરું છું. ભવિષ્યકાળમાં ઉત્પન્ન થનારા શ્રી મહાવીર ભગવાન પોતાને
ઉપસર્નાદિ કરનારા પાપીઓની ઉપર ક્ષમા કરશે, કેમકે વગર વગર પ્રયાસે સ્વયમેવ “પ્રાપ્ત થયેલી ક્ષમાને વહન કરવાને કોણ ન ઈરછે? જે ત્રણ લોકને પ્રલયમાંથી પણ રક્ષણ “ કરવાને સમર્થ છે તેવા પુરૂષે પણ ક્ષમા કરે છે, તે કદળીના જેવો અલ્પ સત્ત્વવાળો
તું ક્ષમા કેમ કરતો નથી? વળી તે પૂર્વ જન્મે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તેને “કઈ પીડે જ નહીં; માટે હવે પોતાના પ્રમાદને જ શેક કરીને ક્ષમાને અંગીકાર કર. “કો ધાંધ મુનિ એને પ્રચંડ ચાંડાળ તે બેની વચ્ચે કાંઈપણ અંતર નથી, માટે કાધનો ત્યાગ કરીને ઉજ્જવળ બુદ્ધિને ગ્રહણ કરે. મહર્ષિ કોપી હતા અને કુરગડુ અક્રોધી હતા, તે દેવતાઓએ મહષિ મુનિને છોડીને કુરગડુની સ્તુતિ કરી. કદિ જો કોઈ આપણને મર્મપીડક વચન કહે તો આપણે વિચારવું કે જે એ સત્ય હોય તે તેમાં કેપ “કરવા જેવું શું છે ? અને જે અસત્ય હોય તે તે ઉન્મત્ત થઈને બોલે છે તો “તેને વિચાર છે ! જો કોઈ આપણને મારવાને આવે તો મનમાં વિસ્મય પામી હસવું કે મારે વધ થે એ તે મારા કમને સાધ્ય છે, આ મૂર્ખ પુરૂષ તો ફોગટને નાચે છે, જે કઈ ખરેખર મારી નાખવાને આવે તો વિચારવું કે મારા આયુષ્યને ક્ષય જ પ્રાપ્ત થયે જણાય છે, તો આ દુષ્ટ નિર્ભય થઈને પાપ બાંધે છે એને મરેલાને * મારે છે. જે સર્વ પુરૂષાર્થને ચોરનારા ક્રોધની ઉપર તને ક્રોધ ઉપન્ન નથી થતા તે
પછી અહ૫ અપરાધ કરનારા બીજાની ઉપર કેપ કરનાર એવાં તને ધિક્કાર છે ! તેથી “સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વ ઇદ્રિને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કે પરૂપી સપને ક્ષમા રૂપી જાંગુલી વિદ્યાવડે જીતી લે.
વિનય, ધૃત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને મોક્ષ) નો ઘાત કરનાર માન પ્રાણીના વિવેકરૂપી લેચનનો લેપ કરીને તેને બંધ કરી નાખે છે. જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુતને મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે જ છે. ઉત્તમ. મધ્યમ અને અધમ એવા જાતિના અનેક ભેદને જોઈને કર્યો વિદ્ધાનું જાતિ“મદ કરવા તત્પર થશે? હીન કે ઉત્તમ જાતિ કર્મથી પ્રાપ્ત થાય છે, તે એવી અશાશ્વત “ જાતિને મેળવીને કોને મદ થાય ? અંતરાય કર્મને ક્ષય થવાથી લાભ થાય છે, તે
શિવાય થતું નથીતેથી વસ્તુતત્વને જાણનાર પુરૂષ કદિપણ લાભમદ કરતા નથી. બી“જાની પ્રસન્નતા અને શક્તિ વિગેરે માટે લાભ પ્રાપ્ત થાય તે પણ મહાત્માઓ કદિ
પણ લાભસંદ કરતા નથી. કુલવાન નહીં છતાં પણ બુદ્ધિ, લક્ષ્મી અને શીલવડે શોભતા “ એવા અનેક પુરુષને જોઈને મહા કુલિન પુરૂષોએ પણ કુળમદ કરો નહીં, સારા “કુળમાં ઉત્પન્ન થયા છતાં કુશળ હોય તે તેને કુળથી શું ? અને પોતે સુશીળ છે “તે તેને કુળની શી અપેક્ષા ? એવું વિચારીને વિચક્ષણ પુરૂ કુળમદ કરતા નથી. વજ. “ધારી ઈદ્રને ઘેર ત્રિભુવનના ઐશ્વર્યની સંપત્તિ સાંભળીને નગર, ગામ અને ધન વિગેરેના એશ્વર્યમાં શો મદ કરે ? સંપત્તિ કુલટા સ્ત્રીની પેઠે ગુણી પુરૂષની પાસેથી પણ વખતે ચાલી જાય છે અને દેષવાનને પણ આશ્રય કરે છે, તેથી વિવેકી પુરૂષને એશ્વર્યની - પ્રાપ્તિથી તેનો મદ થતો જ નથી. મોટે બલવાનું હોય તેને પણ રોગાદિક ક્ષણવારમાં “નિર્બળ કરી નાખે છે, તેથી તેવા અનિત્ય બળની પ્રાપ્તિથી પુરૂએ મદ કરવો યુક્ત નથી. જે બળવાન હોય તે પણ જરાની પાસે, મૃત્યુની પાસે અને કર્મફલને ભેગવ
૧ આ દષ્ટાંત હવે પછી બનનાર છે. ૨ રાજાદિકની મહેરબાની કે મોટો અધિકાર
Page #188
--------------------------------------------------------------------------
________________
* પર્વ ૪ થું
૧૬૦ “વામાં નિર્બળજ છે, એમાં કાંઈ તેનું બળ ચાલતું નથી, માટે તેઓએ બળમદ કરે “તે વ્યર્થ છે. આ સાત ધાતુમય દેહમાં હાનિવૃદ્ધિધર્મ રહે છે અને જરા તથા રોગને “પરાભવ પણ રહે છે, તેથી અશાશ્વત એવા રૂપના મદને કોણ વહન કરે ? ભવિષ્યકા“બમાં થનારા સનકુમાર ચકીનું રૂપ અને તેને ક્ષય સાંભળીને કર્યો વિદ્વાન પુરૂષ સ્વ– મમાં પણ રૂપને મદ કરે ? શ્રી ઋષભદેવે કરેલી અને શ્રી વિરપ્રભુએ કરેલી તપસ્યા સાંભળીને પિતાના સ્વલ્પ તપમાં કોને મદ થાય તેમ છે? જે તપ કરવાથી તત્કાળ “કમને સંચય તુટી જાય છે તે તપને મદ કરવાથી ઉલટ કર્મને સંચય વધે છે. પૂર્વે “મહા પુરુષોએ જે શાસ્ત્રો પિોતાની બુદ્ધિથી રચેલાં છે તેઓને માત્ર લીલાવડે સુંધીને “હું સર્વજ્ઞ છું,” એ જે મદ ધરે છે તે પોતાના અંગને જ ખાય છે. શ્રી ગણધરે દ્રોની નિર્માણ અને ધારણ કરવાની શક્તિ સાંભળીને કે કર્ણ અને હૃદયવાળો પુરૂષ શા“અમદને આશ્રય કરે? દેષરૂપ શાખાને વિસ્તારતા અને ગુણરૂપી મૂલને નીચે લઈ જતા
માનરૂપી વૃક્ષને મૃદુતારૂપ નદીના પૂરથી ઉખેડી નાખવું. ઉદ્ધતપણાને નિષેધ એ મૃદુતાનું “ અથવા માર્દવનું સ્વરૂપ છે અને ઉદ્ધતપણું એ માનનું નિરૂપાધિક સ્વરૂપ છે.
જે જે વખતે જાતિ વિગેરેનું ઉદ્ધતપણું અંતરમાં સ્પર્શ કરવા લાગે, તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાનો આશ્રય કરે. સર્વ ઠેકાણે મૃદુતા રાખવી, તેમાં પણ “પૂજ્ય વર્ગમાં વિશેષ રાખવી, કારણકે પૂજ્યની પૂજાવડે પાપથી મુકત થવાય છે. બાહબલી માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા, અને મૃદુતાવડે તત્કાળ તેનાથી મુક્ત થઈને કેવળજ્ઞાન પામ્યા હતા. ચક્રવતી પણ ચારિત્ર લઈને સંગ રહિત થઈ શત્રુઓના “ઘરમાં પણ ભિક્ષા માગવા જાય છે; અહા ! તે માનના ઉછેદને માટે કેવી કઠણ મૃદુતા ! “ચક્રવતી જેવા મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી “નમે છે અને ચિરકાળ તેની સેવા કરે છે. આ પ્રમાણે સર્વ માનનો વિષય જાણી બુદ્ધિમાન પુરૂષે તેને નિરાસ કરવાને હમેશાં મૃદુતાને ધારણ કરવી.
હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને “અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયા
વડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષ જગતુને વંચતા પિતાના આત્માનેજ વંચે “છે. રાજાઓ ખોટા ષગુણના યોગથી છળ અને વિશ્વાસઘાત વડે અર્થ લોભને માટે સર્વ જગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક, મુદ્ર, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઈ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિકલો કો ખોટા તેલા અને માનમાપથો તથા દાણચોરી વિગેરેથી ભેળા લે કોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકે જટા, મજી, શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધ “જનને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષ વડે કામી જનનું મનોરંજન કરતી સર્વ જગને ઠગે છે. ધૂતકારો તથા દુખે પેટ ભરવામાં તત્પર લોકો બેટા સેગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે. સ્ત્રી પુરૂષ, પિતાપુત્ર, સહદર, સહદજન. સ્વામી સેવક અને બીજા સવે એક બીજાને માયા વડે ઠગનારા હોય છે. બંદિલેક અને ચેરલેક અર્થમાં લુબ્ધ અને નિર્દય બની અહર્નિશ જાગરૂક રહી પ્ર
૧ માત્ર ત્રિપદી સાંભળવાથી સર્વ કૃતના પારગામી થાય છે, અને અંતર મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે. જુઓ ગણધર મહારાજની શક્તિ !
૨૧.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સગ ૫ મિ
“માદી જનને છળે છે. કારીગર, અંત્યજ અને કોઈ પણ જાતનું કામ કરીને આજીવિકા
ચલાવનારા પુરૂષો માયાથી ખોટા સેગન ખાઈને સાધુજનને વેચે છે. વ્યંતરાદિકની નઠારી યોનિમાં રહેલા ક્રૂર દેવે ઘણું પ્રકારના છળ કરીને પ્રાયે પ્રમાદી મનુષ્યને તથા “પશુઓને પીડે છે. મર્યાદિક જલચરે છળ કરીને પોતાનાં બચ્ચાંઓનું જ ભક્ષણ કરે છે, અને તેઓને પણ ધીવર લે કે માયાવડે જાળમાં બાંધે છે અને હણે છે. વિવિધ
પ્રકારના ઉપાય કરીને વંચનમાં પ્રવીણ એવા શિકારીઓ પણ કપટથીજ સ્થળચારી “પ્રાણીઓને બાંધે છે અને મારે છે. માંસના ગ્રાસને ઈચ્છનારા પાપી પ્રાણીઓ લાવક “વિગેરે અનેક જાતના બીચારા આકાશચારી પ્રાણીઓને અનેક પ્રકારની માયાવડે બાંધી લે છે.
“આ પ્રમાણે સર્વ લોકમાં પરવચના કરવામાં તત્પર એવા પ્રાણીઓ પિતાને આ“ત્માનેજ વંચી સ્વધર્મ અને સદ્ગતિને નાશ કરે છે. તેથી તિર્યંચ જાતિમાં ઉત્પન “થવાનું ઉત્કૃષ્ટ બીજ મોક્ષપુરીના દ્વારની ભૂંગળ અને વિશ્વાસરૂપ વૃક્ષને દાવાનળ “સરખી માયા વિદ્વાને એ ત્યાગ કરવા ગ્ય છે. મલ્લીનાથ તીર્થંકર પૂર્વ ભવમાં સૂક્ષમ
માયા કરશે અને તે માયાશલ્યને કાઢશે નહીં તેથી તે સ્ત્રીભાવને પ્રાપ્ત કરશે; માટે “જગને દ્રોહ કરનારી માયારૂપી સર્પિણીને જગને આનંદનું કારણ એવી સરલતા
રૂપ ઔષધિ વડે જીતી લેવી. સરલતા એ અવાર્ય વિસ્તારવાળે મુક્તિપુરીને માર્ગ “કહેલું છે, અને તપ દાન વિગેરે લક્ષણવાળે જે માગે છે તે તો અવશેષ માર્ગ છે. “જેઓ સરલતાને સેવનારા છે તેઓ લેકમાં પણ પ્રીતિના પાત્ર થાય છે, અને “સર્પની જેમ કુટીલ પુરૂષથી સર્વે ઉદ્વેગ પામે છે. જેઓની મનોવૃત્તિ સરલ છે તેઓ ભવવાસમાં રહેલા છે, તથાપિ તે મહાત્માઓને પિતાથીજ અનુભવાય તેવું અકૃત્રિમ મુક્તિસુખ મળે છે. જેઓના મનમાં કૌટિલ્યતા રૂપી શંકુ (ખીલ) કલેશ કર્યા કરે છે અને જેઓ બીજાને હાનિ કરવામાં જ તત્પર છે તેવા વંચક પુરૂષોને કયાંથી સુખ હોય! “સર્વ વિદ્યાઓમાં વિદ્વત્તા મેળવ્યા છતાં અને સર્વ પ્રકારની કળાઓ પ્રાપ્ત કર્યા છતાં “ધન્ય પુરૂષોને જ બાળકની જેવી સરલતા પ્રગટે છે. બાળકો અજ્ઞ છતાં પણ તેમની “સરલતા સર્વને પ્રાતિ ઉપજાવે છે; તે જેઓનાં ચિત્ત સર્વ શાસ્ત્રોના અર્થમાં આસક્ત “થયેલા છે તેમની સરલતા પ્રીતિ ઉપજાવે તેમાં શું કહેવું! સરલતા સ્વાભાવિક છે અને “કુટિલતા કૃત્રિમ છે, તે સ્વાભાવિક ધર્મને છોડી કૃત્રિમ ધર્મને કોણ આશ્રય કરે ! “પ્રાયઃ સર્વ જને છળ, પિશુનતા, વક્રોક્તિ અને પરવચનામાં તત્પર છે, તે તેમાં રહ્યા છતાં પણ સુવર્ણ પ્રતિમાની પેઠે નિર્વિકારી રહેનાર કેઈક ધન્ય પુરૂષજ હોય છે. સર્વ ગણધરે કે શ્રુતસમુદ્રના પારને પામ્યા હોય છે, તથાપિ શિક્ષા લેવાને માટે ગ્ય હોય તેમ તીર્થકરની વાણીને સરલતાથી સાંભળે છે. જે સરલપણે આલોચના કરે છે તે “સર્વ દુષ્કર્મને ખપાવે છે, અને જે કુટિલપણે આલોચના કરે છે તે થોડાં દુષ્કર્મ હોય તે તેને ઉલટાં વધારે છે. જેઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમને “મેક્ષ થતું નથી, પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેને મોક્ષ થાય છે.
આ પ્રમાણે કુટિલ પુરૂષની અતિ ઉગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને “સારી બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઈચ્છાથી સરલતાને જ આશ્રય કરે.
સર્વ દેની ખાણ, ગુણને ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસન રૂપી લતાનું મૂળ અને “સર્વ અર્થને બાધ કરનાર લેભ છે. નિર્ધન સોને, સેવાળે સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ
Page #190
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૬૩ “લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણને, રાજા ચક્રવર્તી પણાને. ચક્રવર્તી દેવપણાને “અને દેવ ઈન્દુત્વને ઈચ્છે છે. ઈંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઈચ્છા નિવૃત્તિ પામતી નથી, તેથી “મૂલમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા (રામપાત્ર) ની જેમ વદયા કરે છે. સર્વ પાપમાં જેમ હિંસા, સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રોગમાં “જેમ રાજ્યમાં ( ક્ષયગ ) તેમ સર્વ કષાયમાં લેભ મટે છે. અહા ! આ પૃથ્વી “ઉપર લેભનું એકછત્ર સામ્રાજ્ય છે કે જેથી વૃક્ષે પણ પિતાની નીચે દ્રવ્ય હોય છે તે “તેને પિતાના ચરણથી એટલે શાખા તથા મૂળી વિગેરેથી ઢાંકી દે છે. દ્રવ્યના લાભથી “બેઈદ્રિય, ત્રીઈદ્રિય, ચતુરિંદ્રિય પ્રાણીઓ પણ મૂછવડે પોતાના પૂર્વે દાટેલા અથવા “મૂકેલા નિધાનપર આવીને બેસે છે. સર્પ અને ગૃહગોધા (ઘરોલી) જેવા પંચેન્દ્રિય “પ્રાણીઓ પણ ધનના લેભથી પોતે અથવા પરે દાટેલા કે મૂકેલા નિધાનસ્થાનની ભૂમિ પર “આવીને લીન થઈ જાય છે. પિશાચ, મુદ્દગળ, પ્રેત, ભૂત અને યક્ષ વિગેરે દેવજાતિ લેભથી પિતાના અથવા પારકા નિધિપર અધિષ્ઠાયકપણે સ્થાન કરે છે. આભૂષણ, ઉદ્યાન અને વાપિકા “વિગેરેમાં મૂછવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન “થાય છે. મુનિજને પણ ક્રોધાદિકનો વિજય કરીને ઉપશાંત મોહ નામના અગીઆરમાં “ગુણઠાણને પ્રાપ્ત થયા છતાં એક લેભના અંશ માત્રથી પતિત થઈ જાય છે. લેશ માત્ર “ધનલાભથી સહોદર ભાઈઓ પણ એક માંસના લવની ઈચ્છાએ બે કુતરાઓ લડે તેમ “પરસ્પર યુદ્ધ કરે છે, ગ્રામ્ય જન, અધિકારી અને રાજાઓ ગામ વિગેરેના એક સીમાડાની “બાબતમાં લાભ કરી સૌહદભાવને છેડી દઈને પરસ્પર બૈર બાંધે છે. લેભી જને પિતાને “હાસ્ય, શોક, દ્વેષ અને હર્ષનું કારણ ન હોય તો પણ સ્વામીની પાસે નટની જેમ કૃત્રિમપણે બતાવી આપે છે. લોભ રૂપી ખાડે જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જ જાય છે, એ મેટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય, પણ ટૌલેક્યનું રાજ્ય “મળે તો પણ તે પૂરી શકાતો નથી. ભજન, વસ્ત્ર, વિષય અને દ્રવ્યને સંચય અનંતીવાર “એકઠો કરી કરીને ભગવ્યા છતાં પણ લેભને એક અંશ પણ પૂરતું નથી. જે લોભને “ત્યાગ કર્યો તે પછી નિષ્ફળ તપ કરવાની જરૂર નથી, અને જે તેમને ત્યાગ કર્યો નહીં, તે નિષ્ફળ તપ કરવાની જરૂર નથી. સર્વ શાસ્ત્રના સર્વસ્વને વિચારી “વિચારીને એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે મોટી બુદ્ધિવાળા પુરૂષે એક લેભના ત્યાગને “માટેજ પ્રયત્ન કરવો. સદ્દબુદ્ધિવાળા પુરૂષે લેભના પ્રસરતા એવા ઉદ્દેલ સાગરને સંતોષના “સેતુબંધ વડે રેક. જેમ મનુષ્યમાં ચક્રવર્તી છે અને દેવતામાં ઈદ્ર છે, તેમ સર્વ ગુણોમાં “સંતોષ એ શ્રેષ્ઠ ગુણ છે. સંતેષી મુનિ અને અસંતોષી ચક્રવતી તેમની જ્યારે તુલના કરીએ ત્યારે સુખ દુઃખને ઉત્કર્ષ સમાન થાય છે, એટલે જેટલે દરજજો સંતોષી મુનિ “સુખી છે તેટલે જ અસંતોષી ચક્રવત દુખી છે. તેથી જ ચક્રવતી રાજાએ પોતાને સ્વાધીન “એવું રાજ્ય છોડીને પણ સંતેષ રૂપ અમૃતની તૃણુથી તત્કાળ નિઃસંગપણાને સ્વીકારે “છે. જ્યારે ધનની ઈચ્છા નિવૃત્ત કરીએ છીએ ત્યારે સંપત્તિ પડખેજ આવીને રહે છે; “કારણકે કાનને આગળથી ઢાંકીએ છીએ ત્યારે અંદર શબ્દાતજ વધે છે. જેમ નેત્ર ઢાંકવાથી બધુ ચરાચરવિશ્વ ઢંકાઈ જાય છે, તેમ એક સંતેષ ધારણ કરવાથી પ્રત્યેક વસ્તુમાં વિરક્તિ થાય છે. ઈદ્રિયનું દમન અને કાયાને પીડા કરવાનું શું પ્રયોજન છે! “માત્ર સંતોષ રાખવાથી જ મોક્ષલક્ષમી સામું જુએ છે. જેઓ મુક્તિ જેવું સુખ ભોગવે
૧ વ્યંતર જાતિ વિશેષ. ૨ આ કારણથીજ દેવની પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયમાં ઉત્પત્તિ કહેલી છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે છે તેઓ જીવતા છતાં પણ મુક્ત છે, મુક્તિને માથે કાંઈ શીગડું હોતું નથી. રાગ દ્વેષથી સંયુક્ત અને વિષયથી ઉત્પન્ન થયેલું સુખ શા કામનું છે? કેમકે સંતોષથી ઉત્પન્ન થયેલું “સુખ જ મોક્ષપ્રાપ્તિ યોગ્ય કમથી ન્યૂનતાવાળું નથી. બીજાને તૃપ્ત કરનારા એવા શાસ્ત્રોના સુભાષિત શા કામના છે. પણ જેઓની ઈદ્રિયે મલીન છે તેઓએ સંતેષના સ્વાદનું સુખજ શોધવું જોઈએ. અરે પ્રાણી! જે તું કારણને અનુસરનારાંજ કાર્યો હોય એવું માનતે હોતો સંતોષના આનંદથી જ મોક્ષના અપાર આનંદની પ્રતીતિ કર. જે તીવ્રતપ કર્મને “નિમૂલ કરનારું કહેવાય છે તે પણ જો સંતેષરહિત હોય તો નિષ્ફળ છે. સુખથી “પુરૂષને કૃષિ, સેવા, પશુપાળવૃત્તિ અને વ્યાપાર કરવાની શી જરૂર છે? કારણ કે સંતેષનું પાન કરવાથી શું તેને આત્મા નિવૃત્તિસુખને નથી પામતો ? તૃણની શય્યા ઉપર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સુખ રૂની શવ્યાપર સુનારા પણ સતેષ વગરના “પુરૂષોને થતું નથી. અસંતોષી ધનવાન પુરૂષ સમર્થ પુરૂષેની પાસે તૃણુ સમાન લાગે છે, અને બસ તેષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષે પણ તૃણ સમાન લાગે છે. ચક્રવતીની અને ઈંદ્રાદિકની સંપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને “નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વ દેષના સ્થાન રૂપ લેભને દૂર કરવાને માટે “અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષને આશ્રય કરે. ( આ પ્રમાણે કષાયને જીતનાર પ્રાણી આ ભવમાં પણ શિવસુખને ભજનારે થાય છે અને પરલોકમાં અવશ્ય શાશ્વત શિવસુખને પ્રાપ્ત કરે છે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું પુરૂષોએ દીક્ષા લીધી, વાસુદેવે સમકિત સ્વીકાર્યું, અને બલભદ્ર શ્રાવકપણું અંગીકાર કર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા, એટલે પ્રભુને પાદપીઠ પર બેસીને અરિષ્ઠ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં ગણધરે પણ દેશના સમાપ્ત કરી. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિગેરે શ્રી અહંત પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી પિતપોતાને સ્થાનકે ગયા, અને સર્વ અતિશયથી શોભતા એવા શ્રી ધર્મનાથ ભગવાને પણ ત્યાંથી પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યો.
કેવળજ્ઞાન પામ્યા પછી બે વર્ષે ઊણુ અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને ચેસઠ હજાર મહાત્મા સાધુઓ, બાસઠ હજાર ને ચારસે સાધ્વીઓ, નવસે ચૌદ પૂર્વ ધારી, ત્રણ હજાર ને છ અવધિજ્ઞાની, ચાર હજાર ને પાંચસે મન:પર્યવધારી, તેટલાજ કેવળજ્ઞાની, સાત હજાર વેકિય લબ્ધિવાળા, બે હજાર ને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ ને ચાલીશ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ–આ પ્રમાણે પરિવાર થયે.
પોતાનો મોક્ષસમય નજીક જાણીને પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા. ત્યાં એક ને આઠ મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે જ્યેષ્ઠ માસની શુકલ પંચમીએ ચંદ્ર પુષ્યનક્ષત્રમાં આવતાં તે મુનિઓની સાથે પ્રભુ મોક્ષપદને પ્રાપ્ત થયા. તરતજ ઈદ્રાદિક દેવેએ આવીને શ્રી ધર્મનાથ સ્વામીને અને સાધુઓને નિર્વાણુમહિમાનો ઉત્સવ કર્યો. અનંતનાથ સ્વામીના નિર્વાણ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધર્મનાથ સ્વામીનું નિર્વાણ થયું. કૌમારવયમાં અઢી લાખ વર્ષ, રાજ્યમાં પાંચલાખ વર્ષ અને વ્રતમાં અઢી લાખ વર્ષ–એ પ્રમાણે એકંદર દશલાખ વર્ષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિર્ગમન થયું.
૧ અન્યત્ર બે લાખ ને ચાર હજાર શ્રાવક કહ્યા છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૬૫ પુરૂષસિંહ વાસુદેવ સિંહની જેવા પિતાના હિંસકર્મથી આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કૌમારવયમાં ત્રણ વર્ષ, મંડલીકપણમાં સાડાબાર વર્ષ, દિવિજયમાં સીત્તેર વર્ષ અને રાજયમાં નવલાખ, અઠાણું હજાર, ત્રણસે ને એંશી વર્ષ -એ પ્રમાણે પુરૂષસિંહ વાસુદેવનું દશલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. સત્તર લાખ વર્ષના આયુષ્યવાળા સુદર્શન બલભદ્રે પોતાના અનુજબંધુ વાસુદેવને વિરહે બ્રાતૃનેહને વશ થઈ મહા કષ્ટ જીવિતને ધારણ કર્યું. સુદર્શન ચક્રને ધારણ કરનારા પોતાના બંધુનું મૃત્યુ જોઈને આદ્ર શેકને વશ થઈ રહેલા સુદર્શન બલભદ્ર પ્રાંતે કીતિધર નામના સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષપદને પામ્યા.
232888888888888888888888888888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___ महाकाव्ये चतुर्थे पर्वणि धर्मनाथपुरुषसिंहसुदर्शननिशुंभचरित
વળનો નામ પંડ્યાઃ સ ષો
Page #193
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ડો.
શ્રી મઘવા ચક્રવતી ચરિત્ર.
આ ભરતક્ષેત્રમાં મહીમ`ડળ નામે નગરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના તીને વિષે નતિ નામે રાજા હતા. એ ઉત્તમ રાજા અનાથ જનના નાથ હતા અને ચારિત્રમાં સા ધુની જેમ ન્યાયમાં નિર ંતર સાવધાન હતા. તે દિ એક પુષ્પના ડીટથી પણ કોઈ જનને મારતા નહેતા, કેવળ નવીન પુષ્પની જેમ યત્નવડે સર્વનું પાલન કરતા હતા. એ વિવેકી રાજા પગના આભૂષણુની પેઠે અર્થ તથા કામને અને મુગટની પેઠે ધર્મને અધરાત્તરપણે ( નીચાઊઁચાપણું ) ધારણ કરતા હતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ · ગુરૂ અને દયામયી ધનુ` મ`ત્રાક્ષરની પેઠે તે ધ્યાન ધરતા હતા. એકદા બુદ્ધિમાન અને મહાશયવાળા એ રાજાએ રાજ્યને રોગની જેમ તજી દઇને વિશ્વને અભય આપનારી દ્વીક્ષા ગ્રહણ કરી. પાંચ સમિતિવડે વિજય પ્રાપ્ત કરી તથા ત્રણ ગુપ્તિનું રક્ષણ કરવામાં તત્પર થઇ એ રાજમુનિએ રાજ્યની પેઠે ઘણા કાળ પંત વિધિ યુક્ત દીક્ષાનુ પ્રતિપાલન કર્યું દિવ્ય રત્નાલકારની જેમ નિર્દોષ મૂલ ગુણ અને ઉત્તર ગુણવડે તે અધિકપણે શોભવા લાગ્યા. ચિરકાલ વ્રત પાળી, પ્રાંતે કાળધમ પામીને એ મહાત્મા મધ્યમ ગ્રેવેયકમાં અહ. મિદ્ર દેવતા થયા.
અહી' જમૂદ્રીપમાં ભરતક્ષેત્રને વિષે સવ નગરીએમાં શ્રેષ્ઠ શ્રાવસ્તી નામે નગરી હતી. અસંખ્ય ગુણુરૂપ રત્નાવડે મૂત્તિ માન્ સમુદ્ર હોય તેવા સમુદ્રવિજય નામે ત્યાં વિ– જયી રાજા હતા. હમેશાં આનંદદાયકપણાથી મિત્ર અને અમિત્રના હૃદયથી તે કદિ પણ દૂર થતા નહી., સ’ગ્રામને વિષે ખેચેલા નિ`લ ખડગરૂપ દર્પણમાં પ્રતિબિંખિત થયેલા તે અલવાન રાજાના આત્મા હંમેશાં સન્મુખજ રહેતા હતા. મળાત્કારે સર્વ દિશાઓને વશ કરીને પછી તેમને કાયમ વશ રાખવાને માટે તેણે પોતાના યશરૂપી અલંકાર આપ્યા હતા. ગાયનું ગાવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનુ પાલન કરી યાગ્ય સમયે દૂધની જેમ કાંઇ પણ પીડા કર્યા વગર તે કર લેતા હતા. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના સ્થાન રૂપ ભદ્રા નામે તેને ધર્મચારિણી સ્ત્રી હતી. ધર્મની અખાધાએ તેની સાથે વિષયસુખ ભાગવતાં સમુદ્રવિજય રાજાએ કેટલાક કાળ નિર્ગમન કર્યાં. અનુક્રમે ગ્રેવેચક દેવલોકમાં જે નરપતિ રાજાના જીવ હતા તે ત્યાંનુ ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરૂં કરીને ભદ્રાદેવીની કુક્ષિમાં અવતર્યાં. સુખે સુતેલા ભદ્રા દેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વમ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગર્ભ સમય પૂર્ણ થતાં ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણની જેવા વથી શાભતા અને સાડીખેતાલીશ ધનુષના શરીરવાળા પુત્રને તેણે જન્મ આપ્યા. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇંદ્ર ) જેવા થશે એવું ધારીને સમુદ્રવિજયે તેનુ' મઘવા એવું નામ પાડ્યું.
સૂર્યની પછવાડે ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે, તેમ સમુદ્રવિજયની પછવાડે તેણે પૃથ્વીને અલ'કૃત કરવા માંડી, એક્દા મેઘમાં જ્યાતિની જેમ શસ્ત્રાગારમાં તેજથી
Page #194
--------------------------------------------------------------------------
________________
પ ૪ થું
૧૬૭ દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનુક્રમે પુહિત વિગેરે બીજાં સર્વ રત્નો પણ સૌસૌના ગ્ય સ્થાનમાં ઉત્પન્ન થયાં, અને ક્રમ પ્રમાણે તેમને આવીને મળ્યાં. પછી ચક્રરત્ન ચાલ્યું, એટલે તેની પાછળ દિગ્વિજય કરવાની ઈચ્છાએ મઘવાચક્રી પ્રથમ પૂર્વક સમુદ્રના આભૂષણરૂપ માગધતીથે ગયા. જાણે દૂત આવ્યો હોય તેમ તેમના નામથી અંકિત એવું બાણ જોઈને માગધપતિએ ત્યાં આવી તેમની સેવાનો આશ્રય કર્યો. પછી માગધપતિની જેમ દક્ષિણમાં વરદામદેવને અને પશ્ચિમમાં પ્રભાસપતિને જીતી લીધા. ત્યાંથી સમુદ્રના દક્ષિણ તટે જઈને સિંધુદેવીને સાધી. ત્યાંથી ચૈતાઢય પર્વતે આવી શૈતાઢયકુમારદેવને સ્વાધીન કરી, તેની ભેટ લઈ, તમિશ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફામાં દ્વારપાળની પેઠે રહેલા કૃતમાળ નામના દેવને વિધિ પૂર્વક સાધી લીધે. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ ચમ રતનવડે સિંધુને ઉતરીને તેના પશ્ચિમ નિષ્ફટમાં ગયે, અને તે ભાગ સાધીને પાછો આવ્યું. પછી સેનાપતિએ દંડ રનવડે તે ગફાનાં કમાડ ઉઘાડયાં, એટલે ચકવર્તીએ ગજ રત્નપર બેસીને સૈન્ય સહિત તેમાં પ્રવેશ કર્યો. કાકિણી રત્નવડે અંદર પ્રકાશ આપનારા મંડળો કરી ગજરત્નના કુંભસ્થળ ઉપર મણિરત્ન રાખી, તેની કાંતિના પ્રસારવડે અંદર ચાલ્યા. ગુફાની મધ્યમાં વકિ રત્ન રચેલા સેતુબંધવડે અત્યંત દુતર એવી ઉમેગા અને નિમ્નગા નદી ઉતરી, પોતાની મેળે જેનાં કમાડ ઉઘડી ગયેલાં છે એવા ઉત્તર દ્વારને માર્ગે થઈ ચક્રવત્તી સેના સાથે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાત નામના અતિ દુર્જય કિરાને, અસુરોને ઈદ્ર જીતે તેમ મઘવા ચક્રવત્તએ જીતી લીધા. પછી ત્યાંથી સેનાપતિએ જઈને સિંધુના પૂર્વ નિષ્કટને જીતી લીધું. ચક્રવત્તીએ પિતે જઈને હિમાલયકુમારને સા
વ્યા અને ત્યાંથી ઋષભકટે જઈને ચક્રવત્તી એ કાકિણી રતનવડે ‘મઘવા ચકવરી' એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ પાસે ગંગા નદીને પૂર્વ નિષ્ફટ સધા.
બે અને પોતે ગંગાદેવીને સાધ્યા પછી એ ત્રીજા ચક્રવત્તી મઘવાએ શૈતાઢય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરોને લીલામાત્રમાં સાધી લીધા. વિધિ જાણવામાં ચતુર એવા ચક્રવ નીએ ખંડપ્રપાતા ગુફાના દ્વારમાં રહેલા નાટમાળ દેવને યથાવિધિ વશ કર્યો; અને સેનાપતિ પાસે જેનાં કમાડ ઉઘડાવ્યાં છે એવી ખંડપ્રપાતા ગુફામાં થઈ મઘવા ચક્રવર્તી સમુદ્રજલમાંથી વહાણની જેમ શૈતાઢયમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગંગાના મુખમાં નિવાસ કરી રહેલા નૈસર્પ વિગેરે નવનિધિએ તેને સુખે વશ થઈ ગયા. પછી સેનાપતિની પાસે ગંગાને પશ્ચિમ નિષ્ફટ સધાવ્યા. આ પ્રમાણે માવાચક્રીએ ષખંડ ભરતક્ષેત્રને વશ કર્યું, આગળ ચાલતાં અનુક્રમે ચક્રવત્તપણની સમગ્ર સામગ્રીથી પ્રકાશમાન થયેલા મઘવા ચક્રવ, અમરાવતીમાં ઈદ્ર આવે તેમ પોતાની શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. ત્યાં દેવતાઓ અને રાજાઓએ એકત્ર થઈને પૂર્ણ સંપત્તિવાળા મઘવાચક્રીને વિધિ પ્રમાણે ચકવન્તપણાને અભિષેક કર્યો.
ચક્રવર્તીપણામાં અભિષિક્ત થયા પછી એ મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાઓથી નિરંતર સેવાતા હતા. સોળહજાર દેવતાઓથી આશ્રિત હતા, નવ નિધિઓથી તેમના મનોરથ પૂર્ણ થતા હતા, અને ચોસઠહજાર અંતઃપુરની સ્ત્રીઓની નયનકમળની માળાઓથી નિત્ય પૂજાતા હતા, આ શિવાય બીજા પણ અનેક પ્રમાદનાં સ્થાનો તેમને સુલભ હતાં, તથાપિ તે પોતાના પિતૃપરંપરાથી આવેલા શ્રાવકધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહી. તેમણે સુવર્ણ અને રત્નથી દેવતાઓના વિમાન જેવા વિવિધ પ્રકારનાં ચિત્ય જિનબિંબ સહિત કરાવ્યાં. જેમ તે પૃથ્વીના એકજ પતિ હતા, તેમ તેના મનમાં અહંત દેવ, સાધુ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સગ ૬ ઠે ગુરૂ અને દયામય ધર્મ એકજપણે હતા. ઈદ્રિયને નિયમમાં રાખનાર એ ચક્રવર્તી, જેમ સર્વ રાજાએ તેની પૂજાને છોડતા નહતા તેમ પિતે દરરોજ ચૈત્યપૂજાને છોડતા નહીં. એવી રીતે દેશવિરતી શ્રાવકપણે પિતાના ઘણા આયુષ્યને નિર્ગમન કરી મઘવાચક્રીએ અંતકાળે વિધિ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. પચવીશ હજાર કુમાર વયમાં, પચવીશ હજાર મંડબીકપણામાં, દશહજાર દિગ્વિજયમાં, ત્રણ લાખ ને નેવું હજાર ચક્રવર્તી પણામાં અને પચાશહજાર ત્રતારાધનમાં-એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી, ઈદ્રના જેવા વૈભવવાળા મઘવા ચક્રવર્તી નિર્મળ આત્માવાળા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં પંચત્વ પામીને સનસ્કુમાર દેવલેકમાં મહદ્ધિક દેવતા થયા.
9898288 88888888888888888888888888888888 ____ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये चतुर्थे पर्वणि मघवाचक्रवर्तीचरित
વનો નામ ઈ. સ. ૬ | Ea88888888888888888888888888888888888888
Page #196
--------------------------------------------------------------------------
________________
સ ૭ મે,
શ્રી સનત્કૃમાર્ ચક્રવતી ચિત્ર,
નાગલેાકની નગરી ભાગાવતી, દેવનગરી અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શેશભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અશ્રુજળના પ્રવાહમાં મેઘાતિ સમાન વિક્રમયશા નામે પરાક્રમી રાજા હતા. યુથપતિ ગજેન્દ્રને હાથણીઓની જેમ તેના અંતઃપુરમાં પાંચસે પ્રેમની પાત્ર રમણીએ હતી. તે નગરીમાં સપત્તિના જાણે ભંડાર હોય તેવા નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિવાળેા સા વાહ રહેતા હતા. સૌભાગ્યકારી, લાવણ્યવાળી અને અતિશય રૂપથી શેાભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દપતી સારસ પક્ષીની જેમ નિર'તર સ્મરક્રીડામાં રસિકપણે વિહાર કરતા હતા.
એકદા એ સુંદર સ્ત્રી કાકતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દૃષ્ટિએ પડી, તેને જોતાંજ ચારની જેમ કામદેવે જેનુ વિવેકરૂપી ધન હરી લીધું છે એવા તે રાજા વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ સ્ત્રીનાં મૃગલીનાં જેવાં મનેાહર લેાચન, મયૂરની કલા જેવા સુંદર કેશપાશ, પાકેલા ખિ’બફળના બે ભાગની જેવાં કોમળ અને અરૂણ હેાઠ, જાણે કામદેવને ક્રીડાં કરવાના બે પ તા હાય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કોમળ ભુજા, વજ્રના મધ્યની જેવા કૃશ અને મુષ્ટિગ્રાહ્ય મધ્યભાગ, સેવાળની જેવી સ્નિગ્ધ રામાવળી, આવત્તના જેવી નાભિ, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્તંભ સમાન ઉરુ અને કમળ જેવા કેમળ ચરણ-એમ સર્વ અવયવ સુંદર છે, વધારે શું કહેવુ! એ સ્ત્રીનું સર્વ અંગ સ`પૂર્ણ મનેાહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ ચાગ્યતા જોયા વગર સ્મશાનમાં ઇંદ્રસ્ત ભની જેમ કોઇક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અત:પુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિતપણાના દોષને હું ટાળી નાખું. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિક્રમયશાએ તેનું હરણ કર્યુ અને પોતાના યક્ષને મલીન કર્યા. પછી તેને અંતઃપુરમાં લઇ જઇને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એકતાને ક્રીડા કરવા લાગ્યા. તે સ્ત્રીના વિયાગથી સાવાહ, જાણે ભૂત વળગ્યું હોય, ધતુરા ખાધા હાય, અપસ્મારના વ્યાધિ થયા હોય, મદિરાનું પાન કર્યું... હાય, સપે ડંશ્યા હોય, અથવા સન્નિપાત થયે હોય તેવા થઇ ગયા. એ પ્રમાણે તેનાથો વિયેગ પામેલા સાથ વાહના કેટલાક કાળ દુઃખમાં અને તેના સયેગ પામેલા રાજાને કેટલેાક કાળ સુખમાં નિગ મત થયા. રાજા વિક્રમયશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિર ંતર રમતા જોઈ, તેના અંત:પુરની બીજી સ્ત્રીઓએ ઇર્ષ્યાથી કામણ કર્યું. તે કામણવડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી એ સાવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે વિતથી મુક્ત થઈ ગઈ. તેના મૃત્યુથી રાજા પણ જીવન્મુતની જેવા ૧ જીવતાં છતાં મરણ પામલા જેવા.
.
२२
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સર્ગ ૭ મે
થઈ, નાગદત્તની પેઠે પ્રલા૫ અને વિલાપ કરવા લાગે. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચુપ રહેલી છે' એમ બોલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી. પરંતુ મંત્રીઓએ વિચારી, રાજાને છેતરીને, તે વિષ્ણુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું.
હે પ્રિયા ! તું હમણાંજ હતી, હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની કીડા કરવી રહેવા દે. વિયેગાગ્નિ મર્મને પીડા કરનાર હોવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કૌતુકથી ક્રીડાસરિતામાં તે એકલી નથી ગઈ? અથવા ક્રીડાગિરિ કે કીડેઘાનમાં તો નથી ગઈ? પણ તું મારા વિના શીરીતે ક્રીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું.' આ પ્રમાણે બોલતે બેલતો રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગ્યો. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહીં. તે જોઇ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું. તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા; શશલાની પેઠે વનના કંક પક્ષીઓએ તેના લીચને ખેંચી લીધાં હતાં, માંસના લુપી ગીધ પક્ષીઓ એ તેનાં સ્તનને ચવિત કરી દીધાં હતાં, ફાઉડીઓએ તેના આંતરડાનો સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષિકાઓના સમૂહે આચ્છાદન કરી દીધું હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ નીકળ્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ, રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગે.
અહે! આ અસાર સંસારમાં કોઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રીદેહમાં સારબુદ્ધિ વડે ચિરકાલ મેહ પામેલા એવા મને ધિક્કાર છે ! હળદરના રંગની જેવા આહાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થવિત્તા પુરુષનું મન જ હરણ થતું નહીં હોય, બાકી તો સર્વ પુરુષેનાં મન હરણ થાય છે. વિષ્ટા, મુત્ર, મળ, મૂ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસોથી ગુંથેલી એવી સ્ત્રીએ ચર્મ (ચામડી) વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જો અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય અર્થાત્ અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળનેજ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રીરૂપ શસ્ત્રવડે આ જગને જીતે છે, તે પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળ સમજ. સંક૯૫માંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા ! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે. તેથી તેનું મૂળ જે સંકલ્પ તેને હું ત્યાગ કરી દઉં.”
આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પોતાના દેહ ઉપર નિ:સ્પૃહ થઈ, એક બે અને માસ ઉપવાસ વિગેરે તપસ્યા કરી. સૂર્ય જેમ કિરણોથી જલને શેષે તેમ તેણે પોતાના શરીરને શેષવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ તપ આચરી કાલગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલેકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થયા. એ શ્રેષિકુમાર બાળપણથી જ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવકધમને પાળતો હતો, આઠ પ્રકારની પૂજાવડે તીર્થકરોની આરાધના કરતું હતું, એષણીય વિગેરે દાનથી મુનિરાજને પ્રતિલાભ હતું, અને અસાધારણ વાત્સલ્યભાવથી સાધમિક જનને દાનવડે પ્રસન્ન કરતો હતો. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિગમન કર્યો.
Page #198
--------------------------------------------------------------------------
________________
૫ ૪ થું
૧૦૧
આ તરફ નાગદત્ત પ્રિયાના વિરહથી દુઃખી થઇ, આત્ત ધ્યાનવડે મૃત્યુ પામી તિય་ચાનિમાં પરિભ્રમણ કરવા લાગ્યા. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણના પુત્ર થયા. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાન તપમાં તત્પર થઇ ફરતા ફરતા રત્નપુર નગરે આવ્યા. તે નગરમાં હરવાહન નામે અન્યધી રાજા હતા, તેણે તે ત્રિ...ડી પરિત્રાજકને નંગરમાં આવેલા સાંભળીને પારણાને દિવસે પોતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું. ત્યાં આવેલા અગ્નિશમાં સન્યાસીએ દૈવયેાગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધમ નામના વિષ્ણુકુમારને જોયા. તેને જોતાંજ પૂર્વ જન્મના બૈરથી અગ્નિશમાં ઋષિનાં નેત્ર રાષથી રાતાં થઇ ગયાં. તત્કાલ અંજલિ જોડી પાસે ઉભેલા હરિવાહન રાજા પ્રત્યે તે બોલ્યા-હું રાજા ! આ શ્રેણીના પૃષ્ઠભાગ ઉપર અતિ ઉષ્ણુ દૂધપાકનું પાત્ર મૂકીને જો ભાજન કરાવશે। તા હુ. ભાજન કરીશ, અન્યથા કરીશ નહી.” રાજાએ કહ્યું–“બીજા પુરૂષના પૃષ્ઠ ઉપર સ્થાળ મૂકીને હું તમને ભાજન કરાવીશ.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી ક્રાધ કરીને ફરીવાર ખેલ્યો-“આ પુરૂષનાજ પૃષ્ઠ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભાજન કરીશ, નહી` તા અકૃતાર્થ પણે આવ્યા તેમ ચાલ્યા જઇશ.” રાજા તેને પરમ ભક્ત હતા, તેથી તે તેમ કરવાને કબુલ થયા. જિનશાસનથી બાહ્ય એવા પુરૂષોને વિવેક કયાંથી હાય! પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠભાગ ધર્યાં. તેની ઉપર ઉષ્ણ ભાજન મૂકીને તે ત્રિ'ડી ભાજન કરવા લાગ્યા. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મ કુમારે પાત્રના તાપને સહન કર્યાં; અને ‘મારા પૂર્વ કર્મીનું આ ફળ છે તે કમ આ મિત્રના યાગથી ત્રુટી જાઆ’ એમ ચિરકાળ ચિંતવન કરતા તે કુમાર સ્થિર રહ્યો. જ્યારે તે ત્રિ'ડી જમી રહેવા આવ્યા તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધિર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવ પરથી સરી પડે તેમ કુમારના પૃષ્ઠ ઉપરથી લપસી પડયુ.. ત્યાંથી પેાતાને ઘેર આવીને પોતાના સંબધવાળા સલાકાને ખેલાવી જિનધમ માં વિચક્ષણ એવા જિનધર્મ કુમારે પોતાનું સર્વ દુષ્કૃત્ય ક્ષમાળ્યુ. પછી ચૈત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાંથી નીકળી પતના શિખર ઉપર ચડીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લા રાખીને તેણે કાયાત્સ કર્યાં. તે વખતે રૂધિરમય તેના પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચાથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યાત્સગ ધારણ કર્યાં. એ પ્રમાણે નવકારમંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્યક્ પ્રકારે સહન કરતા જિનધમ કુમાર મૃત્યુ પામીને સૌધ કલ્પને વિષે ઇંદ્ર થયા. પેલા ત્રિઢડી મૃત્યુ પામી આભિયાગિક ક્રમ વડે ઇંદ્રના એરાવત નામે હાથી થયા, પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચવીને તે ત્રિદડીના જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયા.
આ જ ખૂદ્વીપમાં કુરૂજાંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં અશ્વોની સેનાથી પૃથ્વીમડલને આચ્છાદન કરનાર અને મગલવડે શત્રુએના મડલને જીતનાર અશ્વસેન નામે રાજા હતા. ગુણરૂપ રત્નાના રોહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દોષની એક કણી પણ ન હતી. ‘મને આ તૃણુ સમાન ગણે છે” એવું ધારીને સૌભાગ્ય મેળવવાની ઈચ્છાએ લક્ષ્મી અસિધારા વ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઇ રહી હતી. ચાચકાને આવતાં જોઇ તેને અતિશય હર્ષ થતે અને પોતાની આપવાની ઈચ્છાના અનુમાનથી જો તે થાડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતા હતા. તેને સહદેવી નામે મહારાણી હતી, તે રૂપથી જાણે પૃથ્વીપર કાઇ દેવી તેલ હોય તેવી જણાતી હતી. હવે પહેલા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સ છ મા
દેવલાકમાં ઈંદ્ર સંબધી લક્ષ્મી ભાગવીને નિધર્મ કુમારના જીવ તે સહદેવીના ઉત્તરમાં અવતર્યા. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચૌદ મહા સ્વસ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે પ્રસવસમય આવતાં અદ્વિતીય રૂપ વૈભવવાળા, જાતિવ`ત સુવણ ના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપ્યા. અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મોટા ઉત્સવથી તેનું સનકુમાર એવુ નામ પાડયું. સુવર્ણ ના છેદ જેવા ગૌર અંગવાળા એ બાળક ખાલ ચંદ્રની જેમ લેાકેાનાં નેત્રને પ્રસન્ન કરતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. એક રાજાના ઉત્સંગમાંથી બીજા રાજાના ઉત્સ`ગમાં–એમ સ'ચરા તે કુમાર એક કમળથી બીજા કમળ ઉપર ફરતાં હડસની જેવા શેશભતા હતા. તે બાળક છતાં પણુ અપ્રતિમ રૂપવડે જોતાંજ સ્ત્રીએનાં નેત્રને અને મનને હરી લેતા હતા. સર્વાંગયુક્ત શબ્દશાસ્ત્ર અને બીજાં સર્વ જ્ઞાનનું માત્ર ગુરૂના મુખમાંથી નીકળતાંજ એક ગંડૂષની લીલાએ તેણે પાન કરી લીધું. રાજ્યલક્ષ્મીના ભુવનના સ્તંભરૂપ એવાં શસ્ત્રશાસ્ત્ર અને અર્થશાસ્ત્રો જાણે ખીજા ભુજસ્તંભ હોય તેમ તેણે ગ્રહણ કરી લીધાં. નિર્મળ કલાનિધિ ( ચંદ્ર )ની પેઠે અનુક્રમે વધતા એવા તેણે એક લીલામાત્રમાં બીજી સર્વ કળાઓ પણ ગ્રહણુ કરી લીધી.
પછી મર્ત્ય લેાકમાંથી જેમ સ્વને પ્રાપ્ત કરે, તેમ તે સાડીએકતાળીશ ધનુષ્ય ઊંચી કાયાવાળા થઇ શિશુવયમાંથી યૌવનવયને પ્રાપ્ત થયા.
તે સનત્કુમારને કાલિંદીપુરના પુત્ર મહે સિંહ નામે એક પરાક્રમે વિખ્યાત મિત્ર હતા. એક વખતે વસ ંતઋતુ પ્રાપ્ત થતાં સનકુમાર તે મહેન્દ્રસિંહની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં કૌતુકથી ક્રીડા કરવા ગયા. નંદનવનમાં દેવકુમારની જેમ તે ઉદ્યાનમાં સનત્કુમારે મિત્રની સાથે વિચિત્ર પ્રકારની ક્રીડાઓથી ક્રીડા કરી. તે વખતે અશ્વસેન રાજાને ભેટ તરીકે પાંચ ધારામાં ચતુર અને સ` લક્ષણે લક્ષિત એવા અનેક અશ્ર્વો આવેલા હતા. તેમાંથી જલતર`ગની જેવા ચપલ જલધિકલ્લાલ નામે એક અશ્વ તેમણે સનકુમારને અર્પણ કર્યાં. તે અશ્વને જોતાંજ કુમાર બીજી ક્રીડા તજી દઈને તેના પર આરૂઢ થયા. કારણ કે રાજપુત્રાને સં કૌતુક કરતાં હાથી ઘેાડા સંબધી અધિક કૌતુક હોય છે. એક હાથમાં ચાબુક અને બીજાહાથમાં લગામ લઈ ને પલાણુરૂપ આસનના સ્પર્શ કર્યા વગર એ ઉવડે પ્રેરીને તેણે અશ્વને ચલાવ્યેા. તત્કાળ ચરણુવડે પૃથ્વીને સ્પર્શ પણ કર્યા સિવાય આકાશમાં જ ચાલતા તે અશ્વ જાણે સૂર્યના ઘેાડાને જોવા ઇચ્છતા હોય તેમ વેગથી દોડયા. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગ્યા તેમ તેમ વિપરિત શિક્ષાવાળા તે અશ્વ અધિક અધિક દોડવા લાગ્યા. આસપાસ બીજા ઘોડેસ્વાર રાજપુત્રા અશ્વ દોડાવતા સાથે ચાલતા હતા. તેઓના મધ્યમાંથી જાણે અશ્વરૂપે રાક્ષસ હોય તેમ તે અશ્વ આગળ પડયા. સર્વ રાજાઓના જોતાં જોતાંમાં નક્ષત્રોમાંથી ચંદ્રની જેમ સનત્કુમાર સહિત અશ્વ અદૃશ્ય થઇ ગયા. વહાણને ન દીનું પૂર ખેંચી જાય તેમ પાતાના કુમારને અશ્વે આકર્ષણ કરેલા જાણી, અશ્વસેન રાજા માટી અશ્વસેના લઇને તેને પાછા લાવવા માટે પછવાડે ચાલ્યા. “ આ અશ્વ ચાલ્યા જાય, આ તેનાં પગલાં છે, આ તેના ફીણ અને લાળ પડેલી છે.’” એ પ્રમાણે સાથેના લોકો કહેતા હતા, તેવામાં બ્રહ્માંડને પૂરનારી ધમણુરૂપ જાણે અકાળે થયેલી કાળરાત્રિ હોય તેવી દૃષ્ટિને અધ કરનારી મેાટી પ્રચંડ વાવલી [ પવનની શ્રેણી ] ચડી આવી. વાદળાદિ વડે ગૃહની જેમ ઉડતી રજવડે દિશાએ ઢંકાઇ ગઇ. સૈન્ય સર્વ સ્ત`ભિત થઇ ગયું. એક પગલું પણ ભરી શકવાને કોઈ સમર્થ થયું નહીં, રજરૂપ તરંગની શ્રેણીવડે કુમારના અશ્વનાં
૧. કોગળા.
Page #200
--------------------------------------------------------------------------
________________
'
પર્વ ૪ થું
પગલાં અને ફીણ વિગેરે સર્વ ચિહેો ભંગ થઈ ગયાં. નીચે, ઊંચે, સમાન ભૂમિએ અને ફરતું વૃક્ષાદિ કાંઈ દેખાવા ન લાગ્યું. જાણે સર્વ જન પાતાળમાં પેઠા હોય તેમ થઈ ગયું. સર્વ સૈનિકે, સમુદ્રના જળમાં જેઓનાં વહાણ ભમવા માંડડ્યાં હોય તેવા વહાણવટીઓની જેમ એનો ઉપાય કરવામાં મૂઢ થઈ આકુલ વ્યાકુલ થઈ ગયા.
આ દેખાવ જોઈ કુમારના મિત્ર મહેન્દ્રસિંહે નમસ્કાર કરી અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આ દેવની દુર્ઘટ ઘટના જુએ, કયાં કુમાર ! ક્યાં આ દ્વરદેશી અશ્વ! કયાં શીલ જાણ્યા વગરના તે અશ્વ ઉપર તેનું ચડવું ! ક્યાં તે દુષ્ટ અશ્વથી કુમારનું હરણ ! અને ક્યાં રજથી દષ્ટિમાર્ગને આચ્છાદન કરનારી આ વાવલ્ય ! તથાપિ એક સામંતરાજાની પડે તેવા દૈવને જીતી આપ સ્વામીની જેવા તે મારા મિત્રને હું શુધી લાવીશ. હે પ્રભુ! પર્વતની ગુફાઓમાં અને તેના ઊંચા શિખરમાં, ઘાટી વૃક્ષઘટાથી દુર્ગમ એવી અટવીએમાં, પાતાળની જેવા નદીના કાંઠાના કેતરમાં, નિર્જળ પ્રદેશમાં અને બીજા દેશમાં અ૫ પરિવાર સાથે વા કોઈવાર એકાકીપણે કુમારની શોધ કરવી મને સહેલ પડશે. આપ મહારાજા જ્યાં ત્યાં સૈન્ય લઈ શેધવા જશે તે નાની શેરીમાં ગજેદ્રના પ્રવેશની પેઠે ઘણુ મુશ્કેલ પડશે.” આ પ્રમાણે વારંવાર કહી ચરણમાં પડી મહેંદ્રસિંહે અશ્વસેન રાજાને પાછા વાળ્યા; એટલે તે દુ:ખીપણે પોતાને નગરમાં આવ્યા.
પછી સારસાર પરિમિત પરિવાર લઈ ગજેદ્રની પેઠે દુવંર એવો મહેદ્રસિંહ તત્કાળ મોટી અટવીમાં પેઠો. તે અટવીમાં ગેંડાઓએ શીગડાથી ઉખેડેલા પાષાણ વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતો. ઘામથી પીડાતા ડુકકરોએ પ્રવેશ કરીને નાના તળાવને કાદવમય કરી નાખેલા હતા. પ્રૌઢ રી છોના નાદથી ગુફાઓમાં પડછંદા પડતા હતા. ગુફામાં બેઠેલા કેશરીઓના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતે. ઊંચી ફાળ ભરતા ચિત્રાઓને સમૂહથી મગનાં ટોળાં આ ફલ વ્યાકુલ થઇ જતાં હતાં. પશુઓને ગળી જઈને અજગરો વૃથ્યને વીંટાઈ રહ્યા હતા. ચમૂર મૃગોનાં ટોળાં માર્ગમાં વૃક્ષોની છાંયામાં બેઠાં હતાં. સિંહણ સાથે જળપાન કરતા સિંહોએ માર્ગના સરિતાઓને રૂંધી હતી અને ઉન્મત્ત હાથીઓએ માર્ગનાં વૃક્ષોની ભાંગેલી શાખા વડે તે અટવી દુર્ગમ થઈ ગઈ હતી. આવી અટવીમાં સનસ્કુમારને શોધ કરવા તેણે પ્રવેશ કર્યો. કાંટાવાળા વૃક્ષોથી, શીકારી પ્રાણીઓથી અને ખાડાઓથી વિકટ એવી તે મહાટવીમાં અટન કરતાં તેની સાથેનું સર્વ સૈન્ય છુટું ગયું. અનુક્રમે ખેદ પામી ગયેલા સાથે મંત્રી અને મિત્રાદિકે છોડી દીધેલે મહેદ્રસિંહ સંગ રહિત મુનિની જેમ એકલેજ ફરવા લાગ્યા. મેટા મેટા લતાગૃહોમાં અને પર્વતની ગુફામાં તે પલીપતિની જેમ ધનુષ્ય લઈ એકલે ભમતો હતે. વનના હાથીઓના નાદમાં અને સિંહોના ધ્વનિમાં વીર સનકુમારના નાદની શંકાથી તે દોડવા લાગ્યા અને જ્યારે ત્યાં પોતાના મિત્રને જે નહીં, ત્યારે તે વળી પાછો ઉછળતા ઝરણુના ધ્વનિ ઉપર શંકા કરીને ત્યાં ઉતાવળ દેડી ગયે. પ્રેમની ગતિ એવી જ છે. નદી, હાથી અને સિંહને તેણે કહ્યું કે “મારા બંધુની જે ધ્વનિ અહીં થાય છે, તેથી તે તમારી પાસે હોય તેમ લાગે છે, કારણ કે એક અંશના દર્શનથી સર્વ લભ્ય થાય છે.” આ પ્રમાણે સર્વ જગ્યાએ પિતાના મિત્રને જ્યારે જે નહીં ત્યારે પછી વૃક્ષ ઉપર ચડી ભૂલા પડેલા વટેમાર્ગની પિઠ તેણે વારંવાર દિશાઓ જોવા માંડી. તે વખતે વસંત ઋતુ હોવાથી અશેકમાં શેક ધરતો, બકુલમાં આકુળવ્યાકુલ થતો, આમ્ર વૃક્ષને નહીં સહન કરતે, મલ્લિકામાં દુર્બલ
૧ ન ઘટે તેવુ ઘટાવવાની-બનાવવાની શકિત, ૨ અશ્વની ગતિ વિગેરે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સગ ૭ મે
થત, કર્ણિકારને તિરસ્કાર કરતે, ગુલાબમાં લાલચોળ થતો, સિંક્રવારથી દૂર રહે, ચંબેલીથી કંપાયમાન થ, દુર્જનની જેમ મલયાનિલથી વિમુખ રહે, કકિલાના પંચમ સ્વરના ઉરચારમાં કાન ફેડે છે એમ માનતા અને ચંદ્રનાં કિરણોથી પણ તાપને શાંત નહીં કરતે મહેંદ્રસિંહ, દરિદ્રીને પુત્રની જેમ એકાકીપણે મહા દુઃખમાં વસંતસમયને નિર્ગમન કરતો હતો. જાણે અગ્નિના ટારવા પાથરેલા હોય તેમ ચરણકમળને બાળતી એવી સૂર્યકિરણોથી તપેલી રજ વડે પગે શું જાતા, તરતમાંજ બુઝાઈ ગયેલા દાવાનળની ભમવડે દુરસંચર એવા માર્ગમાં જાણે અનિસ્તંભને રચતો હોય તેમ ચરણના તાપને નહીં જાણતા, અગિજની જવાલા હોય તેવા ઉષ્ણ વાયુથી શરીરને લાગતા તાપને ગિરિમાં ફરનારા હાથીની જેમ નહીં ગણકારતા અને રેગી. જેમ કવાથ પીએ તેમ સરિતાના કાદવવાળા અને ઉષ્ણ પાણીનું પાન કરતા તે મહેદ્રસિંહે એકાકીપણે ભમી ભમીને ગ્રીષ્મ હતુને નિર્ગમન કરી, જેના મુખમાં વિત્ છે એવા રાક્ષસની જેમ વિશ્વને વિક્ષેભ કરનારા મેઘથી હૃદયમાં ક્ષોભ નહીં પામતા, તીક્ષ્ય બાણની જેમ અખંડ ધારા વડે વીંધાઈ જતા પણ સન્નબ્દબદ્ધ થયેલા સુભટની જેમ જરા પણ નહીં મુંઝાતા, સ્થાને સ્થાને વેગથી વૃક્ષને ઉમૂલન કરનારી વનની દુસ્તર નદીઓને રાજહંસની પેઠે અનાયાસે ઉતરી જતા અને વરાહની જેમ કાદવવાળા માર્ગને લીલામાત્રમાં ઉલ્લંઘન કરતા એ મહેન્દ્રસિંહે મિત્રની શોધમાં વર્ષાઋતુ પણ ઉલ્લંઘન કરી. ત્યાર પછી મસ્તક પર ચિત્રાનક્ષત્રનો ઘેર તાપ અને પગમાં તપેલી રેતીને સહન કરવાથી અગ્નિના સરાવસંપુટની અંદર જાણે વસેલ હોય તેવો અનુભવ કરતા, સ્વચ્છ જલમાં, કમલેમાં અને હંસાદિક પક્ષીઓમાં અવિશ્રાંત હદયે “રે મિત્ર ! તું કયાં છે?' એવી રીતે પોકારતા, દિગંધી સપ્તવર્ણની વાસથી ક્રોધ પામી દેડતા હાથીઓની વચમાં વનાંતરે આવેલા હાથીની જેમ ચાલતા અને મિત્રની પેઠે કમલના સુધી પવને પ્રેરેલા તે મહેંદ્રસિંહે શરદઋતુના મેઘની જેમ ભમી ભમીને શરદઋતને ઉલ્લંધન કરી. ત્યાર પછી જાણે હિમાલયન બંધુ હોય તેવા ઉત્તર દિશાના પવનવડે સરોવર અને નદીઓના હિમરૂપ થયેલા જળમાં, દાવાનળથી પણ અદાહ્ય છતાં જલમાં દહન થતી એવી પદ્મ, કલ્હાર, કૈરવ અને ઉત્પલની પંક્તિઓમાં અને શીતથી પીડિત હોવાથી દાવાનલની પણ ઈચ્છા કરતા કિરાત લોકોમાં દઢ નિશ્ચયથી ફરતાં એવા તેણે હેમંતઋતુ પણ નિર્ગમન કરી. ત્યાર પછી વૃક્ષેના શીર્ણ થઈ પડી ગયેલા જાનુ સુધી જીર્ણ પત્રોમાં ગુપ્ત રીતે રહેલા સર્પ અને વીંછીઓની ઉપર નિઃશંકતાથી ચરણન્યાસ કરતા અને કર્ણના મર્મને વીંધતા હોય તેવા દુઃશ્રવ મર્મર શબ્દ વડે જાગ્રત થઈ ઊંચા કાન કરી રહેલા કેસરીસિંહના નાદથી પણ નહીં કંપતા એવા તેણે નવીન પલ્લવના
સ્વાદમાત્રથી ઉદરને ભરતા સતા શિશિર ઋતુને મિત્રની પીડા વડે અતિ ઠંડા થઈ જઈને નિર્ગમન કરી. એવી રીતે સનસ્કુમારની શોધને માટે અટવીમાં ફરતાં મહેન્દ્રસિંહને એક વર્ષ ચાલ્યું ગયું.
એક વખતે તે અટવીમાં કેટલેક દૂર જઈને નિમિત્તિઓની જેમ ઊંચું મુખ કરી દિશાઓને જેતે હતું તેવામાં જલકુકડી, ક્રૌંચ, હંસ અને સારસપક્ષીઓને હર્ષકેળાહલ તેના સાંભળવામાં આવે અને કમળની ખુશબેને વહન કરતા પવનથી તેને આશ્વાસન મળ્યું; તેથી તે અનુમાન વડે “અહીં નજીકમાં કઈ સરવર છે ” એ તેને નિશ્ચય થયો. તત્કાલ આનંદનાં અશ્રુ આવવાથી મિત્રને સમાગમ થશે, એ નિશ્ચય કરી રાજહિંસની પેઠે તે સરોવરની સન્મુખ ચાલ્યા. આગળ જતાં ગાંધાર રાગમાં ગવાતું ગાયન,
Page #202
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૭૫
મધુર વેણુને નાદ અને મનહર વીણાનો વનિ તેના સાંભળવામાં આવ્યું. એટલે હર્ષ સહિત આગળ ચાલતાં વિચિત્ર વેષધારી રમણીઓની વચમાં રહેલા અને પ્રિય છે દર્શન જેનું એવા પિતાના મિત્ર સનસ્કુમારને તેણે દીઠે. તત્કાલ તેના મનમાં વિચારે છે કે શું આ મારો પ્રિય મિત્ર સનકુમાર છે વા શું કોઈ માયા છે ! કે શું ઈદ્રજાળ છે અથવા શું મારા હૃદયમાંથી બહાર નીકળીને તે અહીં પ્રગટ થયે છે ! ” આ વિચાર કરતા હતા, તેવામાં કઈ વૈતાળિકના મુખમાંથી આ પ્રમાણે કર્ણમાં અમૃત જેવાં વાક્ય તેના સાંભળવામાં આવ્યાં-“કુરુવંશ રૂપી સરોવરમાં હંસ સમાન, અશ્વસે ન રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને સૌભાગ્યના કામદેવ સમાન હે સનકુમાર ! તમે જય પામે. વળી વિદ્યાધરની કન્યાઓની ભુજલતાને આલિંગન કરવા નું વૃક્ષ અને વૈતાઢય ગિરિની બંને શ્રેણીની જયલક્ષ્મીવડે આઢય એવા હે કુમાર ! તમે જય પામે.” આ પ્રમાણે સાભળતાંજ ગ્રીષ્મથી તપેલે હાથી જેમ જલાશય સમીપે આવે તેમ તે સનકુમારની પાસે ગયે. અશ્રુધારાની સાથે ચરણકમળમાં પડતા મહેદ્રસિંહને ઉભો કરીને સનસ્કુમારે આલિંગન કર્યું. અતર્કિત થયેલ પરસ્પરના સમાગમથી વિસ્મય પામેલા બને મિત્ર વર્ષાકાળના મેઘની જેમ હર્ષાશ્રુને વર્ષાવવા લાગ્યા. વિદ્યાધના કુમારોએ આશ્ચર્યથી જોયેલા બંને મિત્રો રોમે રમે હર્ષિત થઈ મોટાં મૂલ્યવાળાં આસન ઉપર બેઠા. દષ્ટિ અને મન બીજે નહીં રાખતાં તે બંને પરસ્પર ગીની જેમ રૂપસ્થ ધ્યાનની મુદ્રામાં પરાયણ થયા. સનસ્કુમારના ગથી મહેંદ્રસિંહને શ્રમ દિવ્ય ઔષધથી રોગની જેમ ઉતરી ગયો. પછી સનકુમાર પોતાના નેત્રના હર્ષાશ્રુ લુંછી અમૃત જેવી વાણીવડે મહેદ્રસિંહ પ્રત્યે બે-“પ્રિય મિત્ર ! અહીં શી રીતે આવ્યા ? એકાકી કેમ છે ? હું અહીં છું તે તમે શી રીતે જાણું ? આટલો વખત કયાં નિર્ગમન કર્યો ? મારા વિશે થતાં પૂજ્ય પિતાએ શી રીતે પ્રાણ ધારણ કર્યા ? અને માતાપિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કેમ મોકલ્યા ? આ પ્રમાણે કુમારે પૂછયું, એટલે મહેદ્રસિંહે ગદગદ વાણીએ પિતાનું પૂર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી આપ્યું. પછી સનસ્કુમારે ચતુર એવી વિદ્યાધરોની રમણીઓ પાસે તેને સ્નાન અને ભેજનાદિ કરાવ્યું. પછી વિસ્મયથી પ્રકુલિત લેશનવાળો મહેદ્રસિંહ વિનયથી અંજલિ જોડી બેલ્ય-“ પ્રિય મિત્ર ! તે તુરગ પછી તમને કેટલી ભૂમિ સુધી લઈ ગયે ? અને ત્યારથી થયેલા મારા વિયોગમાં તમને શું પ્રાપ્ત થયું ? તેમજ આ સમૃદ્ધિ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ ? તે જ મારાથી ગોપવવા કે ગ્ય ન હોય તે પ્રસન્ન થઈને કહેવાને ચગ્ય છે.” આવાં તેનાં વચન સાંભળી સનકુમારે ચિત્તમાં વિચાર કર્યો કે “આ આત્મ સમાન મિત્રથી ગોપવી રાખવા યોગ્ય કાંઈ પણ નથી. પરંતુ જે કઈ બીજે પણ પિતાનું વૃત્તાંત કહે તો તેથી પણ રાહાત્માઓ લજજા પામે છે, તો હું મારું વૃત્તાંત સ્વમુખે શી રીતે કહે ! માટે બીજા પાસે કહેવરાવું.” આવી રીતે નિશ્ચય કરી તે અશ્વસેનના કુમારે પિતાના વામ પડખે રહેલી પ્રિયાને એવી આજ્ઞા કરી કે “વિદ્યાથી મારે વૃત્તાંત જાણનારી હે પ્રિયા બકુલમતિ ! આ મારા મિત્ર મહેંદ્રસિંહને મારી કથા કહી સંભળાવો, કેમકે અત્યારે મારાં નેત્રકમળમાં નિદ્રા આવે છે. આ પ્રમાણે કહી સનસ્કુમાર સુવાની ઈચ્છા દેખાડીને ઘરમાં ગયો.
હવે બકુલમતિ વિદ્યાધરી મહેંદ્રસિંહને કહે છે-“હે રાજા! તમે સૌના જોતજોતામાં તે અવે તમારા મિત્રનું હરણ કર્યા પછી વેગવડે દોડતા તેણે યમરાજના રહસ્યક્રીડાસ્થાન જેવી એક મોટી અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. બીજે દિવસે પણ પંચમ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સગ ૭ મે
ધારાથી તે અશ્વ ચાલવા લાગ્યું. પરંતુ પછી મધ્યાહ્નકાલ થયો ત્યારે ક્ષુધા અને પિપાસાથી પીડિત થઈને જિલ્લા કાઢતે તે ઉભે રહ્યો; એટલે ધાસથી જેને કંઠ પૂરાઈ ગયે છે અને જેના ચરણ અકડાઈ ગયા છે એવા તે અશ્વ ઉપરથી, પડતી દીવાલ પરથી ઉતરી પડે તેમ તમારા મિત્ર ઉતરી પડયા. પછી અશ્વના ઉદર ઉપરથી બંધન અને લાંબે પટ્ટો છોડીને તેના પલાણ અને લગામ ઉતારી લીધા. તે વખતે તે અશ્વ ગતિ પૂર્ણ થવાથી પૃથ્વી ઉપર પડી ગયા અને જાણે પડવાના ભયથી હોય તેમ તત્કાળ તેને પ્રાણ નીકળી ગયા. પછી આર્યપુત્ર જલપાન કરવાની ઈચ્છાથી આમ તેમ જળ શોધવાને માટે તે ભૂમિમાં ફરવા લાગ્યા.
૫ મેરૂ ભૂમિના જેમ કયાંય પણ જળ તેના જોવામાં આવ્યું નહીં'. અંગની સુકુમારતાથી, અત્યંત ક્રૂર આવવાના શ્રમથી અને અટવીના દાવાનળના દાહથી તમારા મિત્ર ઘણા આકુળવ્યાકુલ થઈ ગયા. તેથી નજીક રહેલા સપ્તપર્ણ વૃક્ષની નીચે જઈને બેઠા, તેવા જ નેત્ર મીંચીને પૃથ્વી પર પડયા. તે વખતે પુણ્યગે તે વનના અધિષ્ઠાયક યક્ષે આવીને અમૃતની જેવા શીતળ જળવડે તેના સર્વ અંગ ઉપર સિંચન કર્યું. તેનાથી સંજ્ઞા પ્રાપ્ત કરીને બેઠા થયા પછી તે દેવતાના આપેલા જળનું તેમણે પાન કર્યું. પછી તમારા મિત્રે ધીમેથી તેને પૂછયું-તમો કોણ છે ? અને આ જળ કયાંથી લાવ્યા છે ?” યક્ષે કહ્યું- હું અહીં વસનારે યક્ષ છું અને આ જળ તમારે માટે માનસ સરોવરમાંથી લાવ્યો છું.' ફરી આર્યપુત્ર બોલ્યા- આ મારા અંગમાં એટલે બધે સંતાપ થાય છે કે જે માનસરોવરમાં નાહ્યા વગર શાંત થશે નહીં. તે વખતે તમારી ઈચ્છા હું પૂરી કરીશ” એમ કહીને તે યક્ષરાજ તમારા મિત્રને કદલી વૃક્ષના સંપુટમાં બેસારી માનસરોવરે લઈ ગયે. ત્યાં મહાવત જેમ હાથીને સ્નાન કરાવે તેમ શીતળ અને નિર્મલ જલવડે તેણે આર્યપુત્રને સ્નાન કરાવ્યું. એટલે નિપુણ પગચંપી કરનાર પુરૂષની જેમ સર્વ અંગે સુખસ્પર્શવાળા એ જલથી તેમનો શ્રમ દૂર થઈ ગયા. તે વખતે તમારા મિત્રના પૂર્વ જન્મને શત્રુ અસિતાક્ષ નામે યક્ષ તમારા મિત્રને હણવાને માટે નવીન યમરાજ આવે તેમ ત્યાં આવ્યો “અરે ! ઉભો રહે, ભુપે સિંહ જેમ હાથીને જુએ તેમ મેં તને ઘણે કાળે જે છે, તો હવે તું કેટલેક દૂર જઈશ ?” આ પ્રમાણે કહી તિરસ્કારપૂર્વક તેણે એક લાકડી કે તેમ એક વૃક્ષ ઉછે. ડિીને તમારા મિત્રની ઉપર કયું. વૃક્ષને આવતું જે તમારા મિત્રે હાથી જેમ ધમણને ઉછાળે તેમ હાથના પ્રહાર વડે તેને દૂર ફેંકી દીધું. પછી કેધ પામેલા તે યક્ષે જાણે અકાલે કલ્પાંત કાલ થતો હોય તેમ જ ઉડાડીને સર્વ જગને અંધકારમય કરી દીધું અને ધૂમાડાના જેવા ધૂમ્રવણ તેમજ ભયંકર આકૃતિને ધારણ કરનારા હોવાથી જાણે અંધકારના સહોદર હોય તેવા કેટલાએક પિશાચ વિકુવ્યું. જાણે જંગમ ચિતાગ્નિ હોય તેમ જવાળાઓથી વિકરાળ મુખવાળા, પડતા વજના ધ્વનિ જે અટ્ટહાસ કરતા, પિંડાકાર કેશવાળા, દાવાનલ સહિત પર્વત હોય તેવાં પીળાં નેત્રવાળા, જેના કટરમાં સર્પ રહ્યા હોય તેવા જાણે વૃક્ષે હોય તેમ લાંબી જિહવાઓને ઘરના રા, અને તીણ વાંકી તથા મેટી દાઢેથી જાણે મુખમાં કાતીને ધારણ કરી હોય તેવા તે પિશાચ, મક્ષિકાઓ જેમ મધ ઉપર દેડે તેમ આર્યપુત્ર ઉપર દેડડ્યા. નટની જેમ શરીરથી અનેક પ્રકારની આકૃતિએ બતાવી તેઓ તેમની આગળ આવી ફરવા લાગ્યા. તથાપિ તમારા મિત્ર તેઓને ઈને જરા પણ ભય પામ્યા નહીં. એ બલવાન આર્યપુત્ર જ્યારે એવા પિશાચોથી ભય પા
મ્યા નહીં, ત્યારે તે યક્ષે અકાલે કાલપાસ જેવા નાગ પાસેથી તેમને બાંધી લીધા. પણ તત્કાળ ઉન્મત્ત હાથી જેમ પોતાના હસ્ત (સુંઢ) થી વલીઓને તોડે તેમ આર્યપુત્રે તે સર્વ નાગપ સ તોડી નાખ્યાં. પછી વિલ ખો થયેલો યક્ષ, સિંહ જેમ પુછવડે પર્વતના
Page #204
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૭૭
શિખર પર પ્રહાર કરે તેમ પોતાના હાથ વડે પ્રહાર કરી કરીને આર્યપુત્રને મારવા લાગે. તે વખતે કૅધ પામેલે મહાવત જેમ હાથીને લેઢાને ગળે મારે તેમ આર્યપુત્રે વજી જેવી મુષ્ટિવડે તેની ઉપર પ્રહાર કર્યો. પછી પર્વત ઉપર વિદ્યુતવડે મેઘની જેમ યક્ષે લેઢાના મોટા મુદ્દેગરથી આર્યપુત્ર પર પ્રહાર કર્યો. એટલે તેમણે ચંદન વૃક્ષને ઉમૂલીને તેને વડે યક્ષપર પ્રહાર કર્યો, જેથી સુકાઈ ગયેલા વૃક્ષની જેમ તે યક્ષ પૃથ્વી પર પડી ગયે. - ડીવારે બેઠા થઈ યક્ષે ક્રોધથી એક શિલાની માફક પર્વતને ઉપાડીને આર્યપુત્રની ઉપર નાખે. તે ગિરિના પ્રહારથી તમારા મિત્ર ક્ષણવાર સાયંકાલે દ્રહનું જળ જેમ નિશ્ચલ રહે તેમ નેત્રકમળને વીંચી નિશ્રેતન થઈ ગયા. થોડીવાર પછી સંજ્ઞા મેળવી મેઘને જેમ મહાવાયુ વિખેરી નાખે તેમ તે પર્વતને દૂર કરી નાખીને આર્યપુત્ર પિતાના બાહથી યુદ્ધ કરવા પ્રવર્યા. પછી દંડ વડે યમરાજની જેમ તમારા મિત્રે ભુજાદંડથી તેની ઉપર પ્રહાર કરીને તેના કણ કણ જેવા કટકા કરી નાખ્યા, તથાપિ અમરપણાને લીધે તે યક્ષ મૃત્યુ પામ્યો નહીં. પરંતુ મરવાને ઈચ્છતા ડુક્કરની જેમ મહા આકરી ચીસ પાડીને તે અસિતાક્ષ યક્ષ ત્યાંથી વાયુવેગે નાસી ગયે. તે વખતે રણકૌતુકને જેનારી દેવી અને વિદ્યાધરની સ્ત્રીઓએ ષટ્ ઋતુઓની લક્ષમીની જેવી તમારા મિત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
પછી વીર હદયવાળા તે આર્યપુત્ર દિવસના અપરાન્ડ કાલે ત્યાંથી ચાલી ઉન્મત્ત હ. સ્તીની જેમ બાહ્ય ભૂમિમાં આવ્યા. ત્યાં કામદેવને જીવાડવાના ઔષધ જેવા તમારા મિત્રને આ ખેચરકન્યાઓ જે નંદન વનમાંથી ત્યાં આવેલી હતી તેમણે દીઠા. તેઓ તમારા મિત્રને જોઈને મને હર હાવભાવ કરતી સ્વયંવર માળાની જેવી મદાલસ દષ્ટિઓ તેમના પર નાખવા લાગી; તેથી વક્તાઓમાં મુખ્ય એવા આર્યપુત્ર તેમને ભાવ પ્રગટ કરવાની ઈચ્છાથી તેમની પાસે જઈને અમૃત જેવી મધુર વાણી વડે બોલ્યા- “તમે ક્યા મહાત્માની કુલભૂષણ પુત્રીઓ છે ? અને શા હેતુવડે તમે આ અરણ્યને અલંકૃત કરેલું છે ?” તેમણે કહ્યું- હે મહાભાગ ! વિદ્યાધરોના રાજા શ્રીમાન્ ભાનવેગની અમે આઠ કન્યાએ છીએ અને અહીંથી નજીક અમારા પિતાની ઉત્તમ નગરી છે, માટે કમલિનીમાં રાજહંસની જેમ તમે વિશ્રાંતિ લેવાને માટે તેને અલંકૃત કરે.” આવાં તેમનાં નમ્ર વચનથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. તે વખતે જાણે સંધ્યાવિધિ કરવા જતા હોય તેમ સૂર્ય પશ્ચિમ સ. મદ્રમાં મગ્ન થઈ ગયે. તે આઠ કન્યાઓને માટે વર શોધવાની ચિંતારૂપ શલ્યથી પીડાતા તેમના પિતાને વિશલ્ય કરવાની ઔષધિરૂપ તમારા મિત્રને તે કન્યાઓએ અંતઃપુરના પુરૂષની સાથે તેમના પિતાની સમીપે મોકલ્યા. તેમને જોઈ ભાનુગ વિદ્યાધરે ઉભા થઈ આદર આપીને કહ્યું-“બહુ સારું થયું અને આજે અમારૂં ગૃહ પવિત્ર થયું, કે જેથી તમારા જેવા પુણ્યરાશિ પુરૂષ અમારા ભાગ્યવડે અહીં સ્વયમેવ પધાર્યા. તમે આકૃતિથી જ કોઈ મોટા વંશમાં ઉત્પન્ન થયેલા વીર પુરૂષ છે તેમ જણાઓ છે. કેમકે ક્ષીર સાગરમાંથી જ ચંદ્રને જન્મ હોવો જોઈએ એવું તેની મૂર્તિથીજ અનુમાન કરાય છે. આ કન્યાએને તમે યોગ્ય વર છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ મારી આઠ કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. કારણકે સુવર્ણમાંજ રાજડાય છે.”
આ પ્રમાણેની ભાનવેગની પ્રાર્થનાથી આર્યપુત્ર આઠ દિશાઓની લમીની જેવી તે આઠ કન્યાઓને વિધિપૂર્વક પરણ્યા. પછી તેઓની સાથે રતિગૃહમાં જઈને કંકણુબંધ સહિત રત્નપતંગપર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા. તેવામાં તેમને નિદ્રાથી પરાજિત થયેલા ૨૩
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સગ ૭ મે જોઈ અસિતાક્ષ યક્ષે આવી ત્યાંથી ક્ષણવારમાં ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા. બળવાનેથી પણ છળ ઘણું બળવાન છે. જાગ્રત થયા પછી કંકણ સહિત પોતાના શરીરને અરણ્યમાં એકાકી ભૂમિપર પડેલું જોયું એટલે “આ શું થયું !” એમ તમારા મિત્ર આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યા. પછી એકાકીપણે અટવીમાં પૂર્વવત્ અટન કરતાં સાત માલને અને આકાશ સુધી ઊંચો એક પ્રાસાદ તેમના જેવામાં આવ્યું. “શું આ કોઈ માયાવીને માયાવિલાસ હશે?” એમ વિચાર કરતાં આર્યપુત્ર તે પ્રસાદની નજીક આવ્યા. ત્યાં ટીટેડીની જેમ કરૂણ સ્વરે વનને પણ રૂદન કરાવતું કેઈ સ્ત્રીનું રૂદન તેમના સાંભળવામાં
• તે સાંભળીને દયા વીર આ પત્ર નક્ષત્રના વિમાનની ભ્રાંતિ આપતી એ પ્રાસાદની સાતમી ભૂમિકા સુધી ચડયા. ત્યાં “હે કુરુવંશી સનકુમાર! જન્માંતરમાં પણ તમે જ મારા ભર્તા થજે.” આ પ્રમાણે વારંવાર કહેતી અને નેત્રમાં અશ્રુ લાવી નીચું મુખ કરી રહેલી એક લાવણ્યવતી કન્યા તમારા મિત્રને જોવામાં આવી. પિતાનું નામ સાંભળી “મારી સાથે સંબંધ ધરાવનાર આ કોણ હશે?” એમ શંકા કરતા તે આર્યપુત્ર પ્રત્યક્ષ ઈષ્ટદેવતા હોય તેમ તે સ્ત્રીની આગળ આવીને બોલ્યા- હે ભ! તું કેણ છે? તે સનકુમાર કોણ છે? તું અહી કેમ આવી છે? અને તારે શું દુ:ખ આવી પડયું છે કે જેથી તું તેનું સ્મરણ કરતી રૂદન કરે છે?” આવાં તેમનાં વચનથી તે બાલિકા તકાળ હર્ષ પામી અને જાણે અમૃત વર્ષાવતી હોય તેવી મધુર વાણીએ બોલી-બસાકેતપુર નગરના અધિપતિ સુરારાજા અને દેવી ચંદ્રયશાની સુનંદા નામે હું પુત્રી છું; અને કુરુવંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન તેમજ રૂપથી કામદેવને તિરસ્કાર કરનાર સનકુમાર નામે અશ્વસેન રાજાના પુત્ર છે. એ મહાભુજ મને રથમાત્રવડેજ મારા ભર્તાર થયા છે અને મારા માતાપિતાએ પણ જલ મૂકીને મને તેમને જ આપી છે. મારો વિવાહ થયા પછી કોઈ એક વિદ્યાધર પરદ્રવ્યનું ચે૨ હરણ કરે તેમ મને મારા સ્થાનમાંથી ઉપાડીને અહીં લઈ આવ્યો છે, અહીં આવી, આ પ્રાસાદ વિફવી, મને અહીં મૂકીને તે વિદ્યાધર કોઈ ઠેકાણે ચાલ્યો ગયો છે. હવે આગળ શું થશે તે હું જાણતી નથી.” આર્યપુત્રે કહ્યું -“અરે ભીરૂલેચના ! હવે તું બીડીશ નહીં; જેનું તું મરણ કરે છે તેજ હું કુરુવંશી સનસ્કુમાર છું.” તે બોલી-“હે દેવ ! તમે ચિરકાળે મારા દષ્ટિમાર્ગે આવ્યા છે. દેવે મને આજે સુસ્વમની જેમ તમારું દર્શન કરાવ્યું છે.”
આ પ્રમાણે તે બંને વાર્તાલાપ કરતા હતા તેવામાં કોધથી રાતા નેત્રવાળે વાવેગ નામે વિદ્યાધર વાની જેવા વેગથી ત્યાં આવી પહોંચ્યા. તત્કાળ તે વિદ્યાધરે આર્યપુત્રને ઉપાડી ઉછળતા બેચરના ભ્રમને આપે તેવી રીતે આકાશમાં ઉછાળ્યા. તે વખતે “હા નાથ ! દેવે મને મારી નાખી” એમ બેલતી તે બાળા સડી ગયેલા પાંદડા પેઠે પૃથ્વી પર પડી ગઈ; તેવામાં તો તત્કાળ આર્યપુત્રે કેધ કરી વાજેવા પરાક્રમથી મસ્તકની ઉપર મુષ્ટિ મારે તેમ મુષ્ટિપ્રહારવડે તે દુરાશય વજેગને મારી નાખે; અને ચંદ્રની જેમ નેત્રરૂપ કુમુદને આનંદ આપતા આર્યપુત્ર કિંચિત્ પણ અંગભંગ વગર તે બાલાની પાસે આવ્યા. પછી તેને આશ્વાસન આપી એ બુદ્ધિમાન વીરે તરતજ તેની સાથે પાણિગ્રહણ કર્યું; તે વખતે નિમિત્તીઆએએ “આ સ્ત્રીરત્ન થશે એવી સૂચના કરી.
તેવામાં વાવેગની લંબાવળી નામે એક સહોદર બેન પિતાના ભાઈના વધથી કેપ કરીને ત્યાં આવી, પણ જે તારા ભાઈને વધ કરશે તે તારો ભર્તા થશે એવું જ્ઞાનીઓનું વચન સ્મરણ કરીને તે ક્ષણવારમાં શાંત થઈ ગઈ. “પિતાને લેભ ક્યા કાર્યથી ન વધે? બધાથી વધી પડે.” પછી જાણે બીજી જયલક્ષ્મી હોય તેમ સ્વયંવરમાં પરાયણ એવી તે
Page #206
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૭૯
કુમારીકા આર્યપુત્રને પતિ કરવાની ઈચ્છાએ ત્યાં ઉભી રહી. તેથી આનંદ પામીને સુનંદાએ આર્યપુત્રને કહ્યું, એટલે તમારા મિત્ર એ રાગી બાળાને ગાંધર્વ વિવાહથી ત્યાં તરતજ પરણ્યા. તે વખતેજ ત્યાં કોઈ બે વિદ્યાધરેએ આવી અશ્વસેનન કુમારને બખ્તર સહિત મહારથ આપીને કહ્યું કે “સપને ગરૂડ મારે તેમ તમે વજાવેગને મારી નાખે, તે ખબર સાંભળીને તેને પિતા અશનિવેગ કે જે દિગજના જેવા પરાક્રમવાળો અને સર્વ વિદ્યાધરોને રાજા છે તે વિદ્યાધરના રૌન્યથી દિશાઓને આચ્છાદન કરતો, કોઇ રૂપી ક્ષાર જલનો સાગર થઈને તમારી સાથે યુદ્ધ કરવાને માટે આવે છે. તેથી અમારા પિતા ચંદ્રગ અને ભાનુવેગે પ્રેરેલા અમે બંને તમારા શ્વસુર પક્ષના સંબંધી હોવાથી તમને સહાય કરવાને અહીં આવ્યા છીએ. અમારા પિતાએ આ ઈદ્રરથ જે રથ અને કવચ મેકલાવ્યાં છે, તે લઈને શત્રુના સૌ ને વિજય કરે. અમારા પિતા ચંદ્રવેગ અને ભાનવેગ પણ પવન સરખા વેગવાળા વાહનોમાં બેસી સેના સહિત હમણાંજ સહાય કરવા આવશે તેમ જાણજો; અને અમને બંનેને તેમની બીજી મૂર્તિઓ જ છીએ એમ સમજજે. આમ વાત કરે છે તેવામાં તે જાણે પૂર્વ અને પશ્ચિમના બે સમુદ્ર હોય તેમ ચંદ્રગ અને ભાનવેગ મોટી સેના લઈને ત્યાં આવી પહોંચ્યા. તે વખતે આકાશ માર્ગે આવતા અશનિવેગના રૌન્યને પુષ્કરાવર્ત મેઘની જે મેટ કે લાહલ થઈ રહ્યા. તે સમયે વધ્યાવળીએ આર્ય પુત્રને પ્રકૃતિ નામે વિદ્યા આપી. કારણકે સ્ત્રીઓ ભર્તારને વશ હોય છે. આર્યપુત્ર પણ તૈયાર થઈ તે રથ ઉપર બેસીને પણ કરવાને ઉત્કંઠિત થઈ ઉભા રહ્યા. કેમકે ક્ષત્રિયોને રણસંગ્રામ પ્રિય હોય છે. શત્રુઓના ચશરૂપ ચંદ્રને રાહુરૂપ એવા ચંદ્રગ અને ભાનુગ વિગેરે વિદ્યાધરો પોતપતાના સૈન્યથી આર્યપુત્રની ફરતા ફરી વળ્યા. એટલામાં તો ‘પકડે, પકડે, મારે, મારે એમ બોલતા બોલતા અશનિવેગના સૈનિકે અતિ વેગથી ત્યાં આવી પહોંચ્યા ત દીનતા રહિત બંનેના સૈનિકે યુદ્ધ કરવા લાગ્યા અને કુકડાની જેમ ક્રોધથી ઉછળી ઉછે. ળીને પ્રહાર કરવા લાગ્યા. તે વખતે તેમના સિંહનાદો શિવાય બીજું કાંઈપણું સાંભળવામાં આવતું નહોતું અને પ્રદીપ્ત આ યુદ્ધ શિવાય બીજું કાંઈ જોવામાં પણ આવતું નહોતું યુદ્ધકળાને જાણનારા તે વીરે હસ્તીની જેમ સામા આવી, પાછા ખસી, વારંવાર પ્રહાર કરતા હતા અને પ્રહારોને ઝીલતા હતા. એ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરીને જ્યારે બંનેના સૈનિકે ભગ્ન થઈ ગયા, ત્યારે અશનિવેગ પવનવેગી રથમાં બેસીને સામે આવ્યો. “અરે ! યમદ્વારને નવીન અતિથી અને મારા પુત્ર વિવેગનો શત્રુ કયાં છે ?” આ પ્રમાણે આક્ષેપ કરીને બેલતાં તેણે ધનુષ્ય ઉપર પણ ચડાવી. તેજ વખતે “યમરાજના દ્વારને નવ અતિથિ અને તારા પુત્ર વાવેગને શત્રુ હું આ રહ્યો. આ પ્રમાણે કહીને આર્યપુત્રે પણ ધનુષ્યને પણુચ સહિત કર્યું પ્રથમ મોટા પરાક્રમવાળા તે બંને વીરેનું સૂર્યના કિરણોને આચ્છાદન કરનારૂં બાણયુદ્ધ ચાલ્યું. પછી તે આર્યપુત્ર અને વિદ્યાધરપતિએ પરસ્પરને મારવામાં તત્પર થઈ ગદા વિગેરે અોથી યુદ્ધ કર્યું, પણ પરસ્પર પરાજય પામ્યા નહીં. પછી તેઓ સર્પ ને ગારડ, આગ્નેય અને વારૂણ વિગેરે એક બીજાને બાધ કરનારાં દિવ્ય અસ્ત્રોવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્યનું આસ્ફાલન કરી બાણને છોડતા વિદ્યાધરપતિના ધનુષ્યની જીવા ( પણછ ) ને જીવની જેમ આર્યપુત્રે એક બાણથી છેદી નાખી, પછી મંડલાને આકષને દેડતા એવા અશનિવેગની અર્ધ (એક) ભુજાને અશ્વસેનના પુત્ર અર્ધ યશની જેમ છેદી નાખી. તે છતાં પણ જેનો એક દાંત ભંગ થયે હોય તેવા હાથીની જેમ અને એક દાઢે ભગ્ન થયેલા સિંહની જેમ એક ભુજદંડ જેનો છેદા છે એ તે ક્રોધથી આર્ય
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સર્ગ ૭ મે પુત્ર ઉપર દે . તેથી દાંતવડે અધરને ડેશીને પ્રહાર કરવાને દેડયા આવતા તે અશનિવેગના મસ્તકને મારા પતિએ તેજ વખતે વિદ્યાએ અપેલા ચક્રવડે છેદી નાખ્યું. તત્કાળ અશનિવેગની રાજ્યલક્ષ્મી મારા પતિને પ્રાપ્ત થઈ. કારણકે પરાક્રમી પુરૂષોજ લક્ષ્મીનું સ્થાન છે. પછી અધસેનના કુમાર, ચંદ્રવેગાદિક વિદ્યાધરોના સ્વામીઓ સાથે નિઃશંકપણે વૈતાઢયા ગિરિએ ગયા. ત્યાં સેવકપણાને પ્રાપ્ત થયેલા વિદ્યાધરપતિઓએ તમારા મિત્રને સર્વ વિદ્યાધરના મહારાજાપણાને અભિષેક કર્યો; અને નંદીશ્વર દ્વીપે ઇન્દ્ર કરે તેમ તેણે શાશ્વત અહં'ત પ્રતિમાઓને અતુલ સમૃદ્ધિથી ત્યાં અષ્ટ નિકેત્સવ કર્યો.
એક વખતે વિદ્યાધરશિરોમણિ મારા પિતા ચંદ્રવેગે આર્યપુત્રને વિનય પૂર્વક કહ્યું કે “પૂર્વે એક સમયે જ્ઞાનના સમુદ્ર અને અપૂર્વ મહિમાવાળા એક ઉત્તમ મુનિ મારા જેવામાં આવતાં મેં તેમને પૂછ્યું હતું કે આ મારી પુત્રીઓનો સ્વામી કોણ થશે ? એટલે તેઓ બોલ્યા કે “આ બકુલમતિ વિગેરે તમારી સે કન્યાઓને સનકુમાર નામના ચોથા ચકવતી પરણશે.” ત્યારથી “આ કન્યાઓ આપવાને તેની પાસે કેમ જવાય અને પ્રાર્થના પણ શી રીતે કરાય એ પ્રકારે હું ચિંતા કર્યા કરતો હતો તેવામાં તો મારા ભાગ્યગે તમે અહીં જ આવ્યા છો; તેથી હે સ્વામી ! હવે પ્રસન્ન થાઓ, અને આ કન્યાઓને પરણો”. મોટા પુરૂષોની યાચના અને મહર્ષિનું વચન સફળ જ થાય છે. આ પ્રમાણે મારા પિતાએ પ્રાર્થના કરવાથી અથીજનને ચિંતામણિરૂપ તમારા મિત્ર હું વિગેરે સે કન્યાઓને પરણ્યા. ત્યારથી કઈ વાર મધુર સંગીતથી, કેઈવાર ઉત્તમ નાટક જોવાથી, કોઈવાર શ્રેષ્ઠ આખ્યાનો સાંભળવાથી, કેળવાર સુંદર ચિત્રે જેવાથી, કોઈવાર દિવ્ય વાપીકાઓમાં જલક્રીડાના મહોત્સવથી, કેઈ વાર ઉદ્યાનમાં પુષ્પ ચુંટવાની ગમ્મતથી અને કોઇવાર તેવી બીજી કોઈ ક્રીડાઓ કરતાં, વિદ્યાધરીઓથી વી'ટાઈને તમારા મિત્ર સુખે કાલ નિર્ગમન કરવા લાગ્યા. આજે ક્રીડા કરવાને માટે તમારા મિત્ર હમણાજ અહીં આવેલ છે તેવામાં તે તમે આવી મળ્યાથી દુર્દેવનો મનોરથ વિનાશ પામે અને તમારા મિત્ર હર્ષ પામ્યા.”
આ પ્રમાણે બકુલમતિ કહેતી હતી, તેવામાં જલના દ્રહમાંથી જેમ હસ્તી નીકળે, તેમ સનકુમાર રતિગૃહમાંથી બહાર નીકળ્યા. વિદ્યાધરોથી વીંટાયેલા તે મહેન્દ્રસિંહની સાથે મેરૂઉપર ઈદ્ર જાય તેમ શૈતાઢય ગિરિપર ગયા. ત્યાં મોટી સમૃદ્ધિવડે કેટલેક કળા નિમન કર્યા પછી એક વખતે મહેદ્રસિંહે આ પ્રમાણે ગ્ય વિજ્ઞાપ્ત કરી–“હે સ્વામી ! તમારી આ સમૃદ્ધિ જોઈને મારું મન ઘણું હર્ષ પામે છે પણ તમારા વિગથી પીડિત માતાપિતા જયારે સાંભરે છે ત્યારે તે વિશેષ ખેદ પામે છે. હું ધારું છું કે તે પુત્રવત્સલ માતાપિતા “ આ સનસ્કુમાર, આ મહેન્દ્ર” એવી રીતે સર્વ વિશ્વને તન્મય રૂપે જ જોતા હશે. માટે હવે પ્રસન્ન થઈને હસ્તીના પુર ચાલે અને સમુદ્રને જેમ ચંદ્ર આનંદ પમાડે તેમ તમે પિતૃજનને આનંદ પમાડે ''
મહેન્દ્રસિંહનાં આવાં વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવાને ઉત્કંઠિત થયા. એટલે સેના સહિત સેંકડો વિદ્યાધરપતિઓથી વીંટાયેલા અને પ્રકાશમાન વિમાનથી આકાશને સેંકડે સૂર્યવાળું કરતા સનકુમાર હસ્તીનાપુર તરફ ચાલ્યા તે વખતે કેટલાએક વિદ્યાધરો તેમની પર છત્ર ધરતા હતા, કેઈ ચામર ઢોળતા હતા, કેઈ પાદુકા ઉપાડતા હતા, કેઇએ ૫ ખા લીધા હતા, કેઈએ છડી ગ્રહી હતી, કેઈએ તાંબૂલકરંડ હાથમાં રાખ્યા હતા, કેઈ માર્ગ બતાવતા હતા, કોઈ વિનેદ બતાવતા હતા. કઈ ગુણસ્તુતિ કરતા હતા, કેઈ તેમની આસપાસ હાથી ઉપર બેસીને ચાલતા હતા, કેઈ અશ્વારૂઢ થઈ ફરતા હતા, કઈ રથ ઉપર ચડ્યા હતા અને કોઈ પગે ચાલતા હત-આ
Page #208
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૮૧ પ્રમાણે સર્વ પરિવાર લઈ શત્રુ રૂપી પર્વતને વા સમાન એવા સનસ્કુમાર સ્ત્રીઓ અને મિત્રો સહિત હસ્તીનાપુર આવ્યા. ગ્રીષ્મના તાપથી પીડિતને મેઘની જેમ સનકુમારે પિતાના દર્શનથી દુઃખારૂં માતાપિતાને અને નગરજનોને આનંદિત કર્યા. તે જ વખતે મનમાં પ્રસન્ન થયેલા અશ્વસેન રાજાએ પોતાના રાજ્ય ઉપર સનસ્કુમારને અને તેના સેનાપતિ તરીકે મહેન્દ્રસિંહને સ્થાપિત ર્યા અને પછી શ્રી ધર્મનાથ તીર્થકરના તીર્થને કઈ સ્થવિર મુનિની પાસે દીક્ષા લઈને અશ્વસેન રાજાએ પિતાને સ્વાર્થ સાધ્ય.
રાજ્યને નીતિથી પાલન કરતા સનસ્કુમારને અનુક્રમે ચક્ર વિગેરે ચૌદ મહારત્ન પ્રાપ્ત થયા. પછી તેણે ચક્રના માર્ગને અનુસરીને પખંડ ભરતક્ષેત્ર અને નૈસર્પ વિગેરે નવ નિધિ સાધ્યા અને એક હજાર વર્ષે ભરતક્ષેત્રને સાધીને હસ્તીનપર આરૂઢ થઈ હસ્તીનાપુરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાં એ મહાત્માને અવધિજ્ઞાનવડે સૌધર્મઇન્દ્ર સૌહદપણુવડે જાણે સાક્ષાત્ પોતેજ હોય તેમ જોયા. ‘પૂર્વ જન્મમાં આ સૌધર્મેદ્ર હતા, તેથી તે મારા બંધુ છે એવું વિચારી નેહવશ થઈને કુબેરને આ પ્રમાણે આજ્ઞા કરી કે “કુરવંશ રૂપી સાગરમાં ચંદ્રરૂપ અને અશ્વસેન રાજાના પુત્ર આ સનહુમાર ચક્રવર્તે છે તે મહાત્મા મારે બંધુવત્ છે. તે ષટ્રખંડ ભારતને સાધી આજે પિતાના નગરમાં પ્રવેશ કરે છે, માટે તમે જાઓ અને તેમને ચક્રીપણાને અભિષેક કરે.” આ પ્રમાણે કહી ઈન્ડે સનસ્કુમારને માટે હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડળ, બે દેવદૂષ્ય અને પ્રકાશમાન સિંહાસન, બે પાદુકા અને પાદપીઠ કબેરને અર્પણ કર્યા તથા તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા, તુંબરૂ અને નારદને તથા તે શિવાય બીજાઓને ઈદ્ર ચક્રવત્તીના અભિષેકમહોત્સવમાં જવા માટે આજ્ઞા કરી. આ પ્રમાણે આજ્ઞા થતાં તરતજ કુબેર તેઓની સાથે હસ્તીનાપુરમાં આવ્યા અને ઈદ્રનો સંદેશે સનસ્કુમારને કહ્યો. પછી સનસ્કુમારની આજ્ઞા લઈને કુબેરે એક ક્ષણમાં રેહણગિરિના તટ જેવી એક એજનના વિસ્તારવાળી માણિકામય પીઠ વિકુવી, તેની ઉપર દિવ્ય મંડપ રચીને તેના મધ્યમાં મણિપીઠ બાંધી અને તેની ઉપર એક સિંહાસન રચ્યું; કુબેરના આદેશથી દેવતાઓ ક્ષીર સમુદ્રનું જલ લાવ્યા અને સર્વ રાજાઓ અમૂત્ય ગંધ માત્યાદિ લાવ્યા. પછી કુબેરે વિજ્ઞપ્તિ કરીને ચક્રવત્તીને તે ઉત્તમ સિંહાસન પર બેસાર્યા અને ઈ આપેલી ભેટ અર્પણ કરી. ઈન્દ્રના સામાનિક દેવે વિગેરે પરિવારની જેમ સનસ્કુમારને સામંતાદિ પરિવાર મણિપીઠની ઉપર યોગ્ય સ્થાને બેઠો. પછી દેવતાઓએ નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનની જેમ સનસ્કુમારને પવિત્ર જલવડે ચક્રવીપણાનો અભિષેક કર્યો. તે વખતે તું બુરૂ પ્રમુખ ગાયકોએ મંગલ ગીત આરં
વ્યાં, દેવતાઓએ પટહાદિક વાજિત્રે વગાડ્યાં, રંભા ઉર્વશી વિગેરે નર્તકીઓએ નૃત્ય કર્યું અને ગંધર્વોએ વિચિત્ર પ્રકારનાં નાટક ભજવી બતાવ્યાં.
આ પ્રમાણે સનસ્કુમારને અભિષેક કરીને દેવતાઓએ દિવ્ય વસ્ત્ર, અંગરાગ, નેપથ્ય અને માલાવડે તેમને અલંકૃત કર્યા. પછી હર્ષ પામેલા કુબેરે તેમને મદાંધી ગજરન ઉપર બેસારી હસ્તીનાપુરમાં પ્રવેશ કરાવ્યું અને પોતાની અલકાનગરીની જેમ હસ્તીનાપુરને સમૃદ્ધિથી પૂર્ણ કરી. ત્યાર પછી ચક્રવતીએ વિદાય કરેલા કુબેર વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા. દેવકૃત અભિષેક થઈ રહ્યા પછી બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ તથા બીજા સામંતાદિકોએ પિતાની સંપત્તિરૂપ વલ્લીમાં નીક રૂપ ચક્રાપણાનો અભિષેક કર્યો. તે અભિષેકના બાર વર્ષ પર્યત ઉત્સવથી આખું હસ્તીનાપુર બાર વર્ષ સુધી દંડ, દાણુ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સર્ગ ૭ મે અને રાજસુભટના પ્રવેશથી રહિત થયું. કર વિગેરેથી જરાપણ નહીં પડતા એવા અને ઋદ્ધિમાં ઈદ્ર સમાન એવા સનસ્કુમારે પોતાની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. આ ત્રણ જગતમાં તેના જે પ્રતાપવાન અને અપ્રતિમ રૂપવંત કઈ બીજે થયે નથી.
એક વખત સુધર્મા સભામાં રત્નમય સિંહાસન પર બેસી શક ઈંદ્ર સદામની નામે નાટક કરાવતા હતા. તે વખતે સર્વના રૂપને પરાભવ કરનારા એવા પિતાના નિર્દોષ રૂપથી પર્ષદામાં બેઠેલા દેવતાઓને વિમય કરતો અને દેહની પ્રભાથી તે સ્વર્ગને વાસી સર્વ દેવેને તેજને ઢાંકી દેતે સંગમ નામે કઈ દેવ ઇશાન કલ્પથી કાંઈ કાર્ય પ્રસંગે ત્યાં આવ્યું. ક્ષણવારે તેના ગયા પછી દેવતાઓએ શક ઈદ્રને પૂછ્યું-“આ દેવને આવું લોકોત્તર તેજ અને આવું અનુપમ રૂપ કેમ પ્રાપ્ત થયું હશે ?” શકેદ્ર બેલ્યા–તેણે પૂર્વ જન્મમાં આચાર્લી વદ્ધમાન તપ કરેલું છે, તેથી તેને આવું રૂપ અને તેજ પ્રાપ્ત થયું છે.” દેવતાઓએ ફરીવાર પૂછયું–‘આના જે કઈ બીજે પુરૂષ આ જગમાં હશે ? સૌધર્મપતિ બાલ્યા-કુરુવંશમાં શિરોમણિ સનકુમાર ચક્રવત્તીંનું જેવું રૂપ છે તેવું રૂપ કેઈ બીજે ઠેકાણે દેવમાં કે મનુષ્યમાં નથી. તે સાંભળી વિજય અને વૈજયંત નામના બે દેવતાને તે રૂપની પ્રશંસાપર શ્રદ્ધા નહીં આવવાથી તેઓ પૃથ્વી પર આવ્યા અને તેમનું રૂપ જોવાને માટે તેઓ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજકારમાં આવી દ્વારપાલોની પાસે ઉભા રહ્યા. તે વખતે સનકુમાર સર્વ વેશ ઉતારી અંગપર અત્યંગ કરાવી સ્નાન કરવાનો આરંભ કરતા હતા. તે સમયે દ્વારપાલે આવી દ્વાર ઉપર રહેલા તે બે બ્રાહ્મણોની ખબર આપી. એટલે ન્યાયવત્તી ચક્રવર્તીએ તે વખતે પણ તેમને પ્રવેશ કરવાની આજ્ઞા આપી, તેઓ ત્યાં આવી રાજાને જોઈ મનમાં વિસ્મય પામી મસ્તકને ધુણાવી ચિંતવવા લાગ્યા–“અહો ! શું સુંદર સ્વરૂપ છે! આનું લલાટ તે અષ્ટમીના ચંદ્રને તિરસ્કાર કરે છે. નીલકમલની કાંતિને જીતનારાં નેત્રો કાન સુધી વિશ્રાંત થયાં છે. અધર પાકેલા બિંબફલની કાંતિને પરાભવ કરે છે. કાન છીપની શોભાને લજાવે છે. કંઠ પાંચજન્ય શંખને જીતે છે. ભુજાઓ હસ્તીની સુંઢનો તિરસ્કાર કરે છે. ઉરસ્થળ સુવર્ણગિરિની શિલાની લક્ષ્મીને લુટે છે. મધ્ય કટીભાગ કેશરીસિંહના કુમારના ઉદર જેવું છે. વિશેષ શું કહેવું ! એના સર્વ અંગની શોભા વાણીથી અગોચર છે. અહા ! લાવણ્ય સરિતાનું પૂર કેવું ઉછળે છે કે જેથી ચંદ્રિકામાં તારાની કાંતિની જેમ શરીરપર કરેલું અભંગ તે કાંઈ જણાતું પણ નથી. એવું ઈ કે વર્ણન કર્યું તેવું જ રૂપ છે તેમાં જરા પણ ફેર નથી. કેમકે મહાત્માઓ કદિપણ મિથ્યા ભાષણ કરતા નથી.”
સનસ્કુમારે પૂછયું-“હે ઉત્તમ દ્વિજો ! તમે અહીં શા માટે આવ્યા છે ? તેઓ બેલ્યા “હે નરકેશરી ! આ સચરાચર જગત્માં લકત્તર ચમત્કારી તમારું રૂપ ગવાય છે, તેથી હે પૃથ્વી દ્ર! દૂરથી તે હકીકત સાંભળી અમને કૌતુક થવાથી તે જોવાને અમે અહીં આવ્યા છીએ. હે રાજા ! લોકોમાં તમારા રૂપનું અદ્ભુત વર્ણન અમાર સાંભળવામાં આવ્યું હતું, તેનાથી પણ અહીં તે વિશેષ જોવામાં આવે છે. તે સાંભળી સિમત હાસ્યથી અધરને વ્યાપ્ત કરતા સનકુમાર બેલ્યા “દ્વિજવરે ! અત્યારે મારું અંગ અત્યંગથી વ્યાપ્ત છે, તેથી અત્યારે તે તમને થેડી કાંતિ જણાય છે. પરંતુ ક્ષણવાર એક તરફ ઉભા રહી રાહ જુએ. મારે સ્નાન કરવાનો સમય છે તે થઈ રહ્યા પછી વિચિત્ર વેશ અને ઘણું આભૂષણથી જયારે હું મારા શરીરને શણગારીશ ત્યાર પછી તે રત્ન સહિત કાંચન જેવું તમારા જેવામાં આવશે.” આ પ્રમાણે કહી રાજા નાન કરી, ઉત્તમ વેશ અને
Page #210
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ થું
૧૮૩ આભૂષણ પહેરી ગગન પર સૂર્યની જેમ મોટા આડંબરથી સભામાં આવીને બેઠા. પછી રાજાની આજ્ઞા થતાં તે બંને બ્રાહ્મણ રાજાની પાસે આવ્યા. તે વખતે તેમનું વિકૃત થયેલું રૂપ જોઈ ખેદ પામીને તેઓ વિચાર કરવા લાગ્યા-“અહા ક્ષણવારમાં તે રૂ૫, તે કાંતિ અને તે લાવણ્ય ક્યાં ચાલ્યું ગયું ! અથવા મનુષ્યને સર્વ ક્ષણિક જ હોય છે. એ પ્રમાણે તેમને ખેદ પામતા જોઈ રાજાએ પૂછયું-“પ્રથમે મને જોઈને ખુશી થયા હતા અને અધુના અકસ્માત ખેદથી મલિન મુખવાળા કેમ થઈ ગયા છે ?” તે વખત તે વિએ અમૃત જેવી મધુર વાણીએ કહ્યું-“હે મહાભાગ ! અમે સૌધર્મ દેવલેકના નિવાસી દેવતા છીએ. ત્યાં દેવતાઓની સભામાં શકે કે તમારા રૂપનું વર્ણન કર્યું, તે વાત પર અમને શ્રદ્ધા ન આવી, તેથી મનુષ્ય રૂપે અમે નજરે જોવાને અહીં આવ્યા ત્યાં પ્રથમ તો ઈન્દ્ર જેવું કહ્યું હતું તેવું જ રૂપ અમારા જેવામાં આવ્યું પણ અત્યારે જાણે તદ્દન જુદું જ હોય તેવું રૂપ જણાય છે. કેમકે અત્યારે તે નિઃશ્વાસેથી દર્પણની જેમ, કાંતિના સર્વસ્વને ચોરનારા વ્યાધિઓથી તમારે દેહ સર્વત્ર ઘેરાયેલું લાગે છે, તેથી તે ઘણો વિરૂપ થયેલો છે. આ પ્રમાણે કહી તે દેવતાઓ તરતજ અંતર્ધાન થઈ ગયા. પણ તેનાં વચનો સાંભળતાંજ રાજાએ બરફથી ગ્રસ્ત થયેલા વૃક્ષની જેમ પોતાનું શરીર કાંતિ રહિત અવેલેકયું. તે વિચાર કરવા લાગ્યો કે “રેગના સ્થાનરૂપ આ શરીરને ધિકકાર છે! તુચ્છબુદ્ધિવાળા મુગ્ધજને તેની ઉપર ફોગટ મૂર્છા રાખે છે. આ શરીર અંદરથી ઉત્પન્ન થતા વિવિધ વ્યાધિઓવડે દારુણ ઉદ્દેહીના કીડાથી કાષ્ઠની જેમ વિદીર્ણ થઈ જાય છે. વડના ફલની જેમ કદિ તે બહારથી રુચીકર હોય, તથાપિ અંદર કીડાઓથી આકુળ હોય છે. મોટા સરોવરના જલને સેવાળની જેમ રોગ શરીરની રૂપસંપત્તિને તત્કાળ બગાડી નાખે છે. શરીર શિથિલ થાય છે, પણ આશા શિથિલ થતી નથી, રૂપ ચાલ્યું જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી; જરા સ્કુરે છે પણ જ્ઞાન કુરતું નથી–તેવા પ્રાણુઓના સ્વરૂપને ધિક્કાર છે ! આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાંતિ, શરીર અને દ્રવ્ય તે સર્વે કુશાગ્ર પર રહેલા જલબિંદુની જેમ ચપલ છે, તેથી આજકાલ વિનાશ પામનારા શરીરથી સકામ નિર્જરાને કરનાર તપ કરવો તે જ તેનું મોટું ફલ અને સાર છે.” આ પ્રમાણે વૈરાગ્યભાવના પ્રાપ્ત થવાથી સનસ્કુમાર ચક્રીએ તરતજ દીક્ષા લેવાની ઈચ્છા કરી અને તત્કાળ પિતાના પુત્રને રાજ્યપર બેસાર્યો. પછી પિતે ઉદ્યાનમાં જઈ વિનયંધર સૂરિની પાસે વિનય પૂર્વક સર્વ સાવદ્ય વિરતિ (ચારિત્ર) તથા પ્રધાન એવું તપ ગ્રહણ કર્યું.
મહાવ્રતધારી, ઉત્તમ ગુણને ધારણ કરનાર, ગામે ગામ વિહાર કરનાર અને સમતામાં એકાગ્ર ચિત્તવાળા એ સનસ્કુમાર મુનિની પછવાડે, મહામૂથપતિ હાથીની પાછળ હાથીના છંદની જેમ ગાઢ અનુરાગને બંધથી સર્વ પરિવાર ચાલ્યો. પરંતુ કષાય રહિત, ઉદાસી, મમતાત્યાગી અને પરિગ્રહ વર્જિત તે રાજમુનિની છ માસ સુધી ઉપાસના કરીને અંતે સર્વ પરિવાર પાછો વળે. એકદા છઠ્ઠને પારણે તે મુનિ ગોચરી લેવા કોઈના ઘરમાં ગયા. ત્યાં બકરીના દૂધની છાશ અને ચીનકકુર મળ્યો. તેને તેઓએ આહાર કરી લીધા. ફરીવાર પણ છઠ્ઠ કરીને તેવી રીતે જ પારણું કર્યું તેથી જાણે વ્યાધિના દેહદ પૂરા થયા હોય તેમ તેમના શરીરમાં વ્યાધિઓ વૃદ્ધિ પામ્યા ખસ, શેષ, સેઝા, ધાસ, અરુચિ, ઉદરપીડા અને નેત્રપીડા એ સાત વ્યાધિઓને તે પુણ્યાત્માએ સમતાભાવે સાત વર્ષ સુધી સહન કર્યા. તે અને બીજા પણ દુઃસહ પરીસહોને સહન કરતાં છતાં ઉપાય કરવામાં તદ્દન અક્ષિા રહિત એ મહાત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં મુખ્ય કફ, વિપૃષ, જલ, મલ, વિષ્ટા, આમ અને બીજું સર્વ ઔષધીય થવા રૂપ સાત લબ્ધિઓ હતી. ૧ ધન્ના વિશેષ-તુચ્છ ધાન્ય.
Page #211
--------------------------------------------------------------------------
________________
ચિકિત્સા કરતા નથી,
વિજય અને વૈજય
આ વૈધનું રૂપ કરી સન
૧૮૪
સગ ૭ માં તે સમયે હૃદયમાં ચમત્કાર પામી ઈ દેવતાઓની પાસે તેમની પ્રશંસા કરવા માંડી -અહા ! બળતા ઘાસના પુળાની જેમ ચકવત્તની લમીને છેડી દઈને આ સનસ્કુમાર મુનિ દુસ્તપ તપ કરે છે. તપના પ્રભાવથી તેમને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ શરીરમાં અપેક્ષા રહિત આ મહાત્મા પોતાના રંગેની પણ ચિકિત્સા કરતા નથી.” ઈદ્ર કરેલી આવી પ્રશંસા સાંભળીને વિજય અને વૈજયંત દેવને તે પર શ્રદ્ધા આવી નહીં, તેથી તેઓ વૈદ્યનું રૂપ કરી સનકુમારની સમીપે આવ્યા. તેઓ બોલ્યા- “ મહાભાગ ! શા માટે રિગથી પરિતાપ પામો છે? અમે બંને શૈદ્ય છીએ અને પિતાનાંજ ઔષધથી સર્વની ઉત્તમ રીતે ચિકિત્સા કરીએ છીએ. તમારું શરીર રોગથી ગ્રસ્ત છે, તેથી જો આપની આજ્ઞા હોય તે તમારા વૃદ્ધિ પામેલા રેગન અમે નિગ્રહ કરીએ.” તેમનું આવું કથન સાંભળી મહા તપસ્વી સનકુમાર બોલ્યા- “અરે વૈદ્યો ! પ્રાણીઓના શરીરમાં દ્રવ્યોગ અને ભાવરેગ એમ બે પ્રકારના રોગ હોય છે. ક્રોધ, માન, માયા અને લેભ-એ પ્રાણીઓના ભાવ રોગ છે. તેઓ જન્માંતરમાં પણ પ્રાણીની પાછળ જનારા અને અનંત દુઃખના આપનારા છે, તેથી તે રોગની ચિકિત્સા કરવાને જો તમે સમર્થ છે તે ચિકિત્સા કરો. તરફ અને જે દ્રવ્યોગની ચિકિત્સા કરતા હો તો આ તરફ જુઓ.”—આ પ્રમાણે કહીને તેમણે ગલત પતથી શીર્ણ થઈ ગયેલી પિતાની આંગળીને પોતાના કફના બિંદુથી લિંપી એટલે તત્કાલ તે સુવર્ણ જેવી થઈ ગઈ! સુવર્ણ શલાકાની પેઠે પ્રકાશમાન તે અંગુલીને જઈ તેઓ તેમના ચરણમાં પડયા. અને બોલ્યા- “ પ્રથમ વિપ્ર રૂપે આવીને જે બે દેવતા તમારું રૂપ જોઈ ગયા હતા તેજ અમે બંને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ. “અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનસ્કુમાર ભગવાન વ્યાધિની બાધાને સહન કરીને તપ કરે છે. આ પ્રમાણે છે કે તમારી પ્રશંસા કરી તે સાંભળી અમોએ અહી આવી પ્રત્યક્ષ રીતે પરીક્ષા કરી.” આ પ્રમાણે કહી, પ્રણામ કરી તે બંને દેવ અંતર્ધાન થયા. અર્ધ લાખ વર્ષ કુમારવયમાં, અર્ધ લાખ વર્ષ મંડલિકપણુમાં, દશ હજાર વર્ષ દિગ્વિજયમાં, નેવું હજાર વર્ષ ચક્રવતીપણામાં અને લાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય-ચોથા ચક્રવતી સનસ્કુમારે ભગવ્યું. પિતાનું અવસાન સમય જાણવામાં આવતાં અનશનવ્રત ગ્રહણ કરી અને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ સનકુમાર ચક્રવતી પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા કાલધર્મ પામી સનસ્કુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. BBA BBA BB%VARGER#38888888 : 689
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये चतुर्थपर्वणि सनत्कुमारचरित
वर्णनो नाम सप्तमः सर्गः समाप्तः ।। #3
છે
__श्रीसंभव प्रभृति तीर्थकृतां तृतीये
ऽष्टानां चरित्रमहपर्ववरेऽष्ट सगे । ध्येयं पदस्थमिव वारिरहेऽष्टपत्रे ऽनुध्यायतो भवति सिद्धिरवश्यमेव ॥१॥
// સમાપ્ત ૨૮ વતુર્થ પર્વ 233EA DE 38 882766
Page #212
--------------------------------------------------------------------------
________________
।। શ્રીમતે નમઃ ।।
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
શ્રી શાંતિનાથ ચરિત્ર.
પ
૫ મુ.
સન્ હો.
१
સર્વ જગા પાપની શાંતિ કરનાર એવા સેાળમા તીર્થંકર અને પાંચમા ચક્રવત્ત શ્રી શાંતિનાથ ભગવંતને નમસ્કાર થા. માહરૂપી અંધકારના નાશ કરવામાં સૂર્યરૂપ એવું તે ભગવંતનું અતિ પવિત્ર ચરિત્ર હું કહીશ.
ચંદ્રની પેઠે મ`ડલાકારધારી આ જમૃદ્વીપના સાતમા અશ ૧ આ ભરતક્ષેત્ર છે. તેના દક્ષિણા માં મધ્યખંડના આભૂષણરૂપ દેવનગર જેવુ. રત્નપુર નામે નગર છે. તે નગરમાં કમળના જેવા લાચનવાળા શ્રીષેણ નામે એક રાજા હતા, જે લક્ષ્મીદેવીને વિકસ્વર કમળની જેમ નિવાસરૂપ હતા. તે રાજા જયેષ્ઠ ખંધુની જેમ હમેશાં ધર્મ ને બહુમાન આપતા અને લઘુ અંધુની જેમ અર્થ અને કામને નિર્માધપણે પાળતા હતા. ધર્મ ક માં તત્પર એવે તે રાજા નિરંતર અથી લાકોની પ્રાના પૂર્ણ કરતા હતા; પણ કામાતુર સ્ત્રીઓની પ્રાર્થના પૂરતા નહાતા. તેવા તે રાજાનુ` રૂપ સર્વ ઉપમાઓથી એવું વિલક્ષણ હતું કે જે ચિત્રકારોના ચિત્રવિષયમાં આવી શકતું નહીં તે પાતાનુ દંડપ્રધાન સામ્રાજ્ય પાળતા હતા; છતાં સ વાંછિત પૂરનાર દેવતાની જેમ દયાને આરાધતા હતા.
વાણીથી હૃદયને આનંદ આપનારી અને નેત્રરૂપ કુમુદને ચંદ્રિકા જેવી અભિનંદિતા નામે તેને શુદ્ધ શીલવાળી એક રાણી હતી. તે કિંદ મન વડે પણ પેાતાના શીળનું ખંડન કરતી નહીં, તેથી પેાતાના આત્માને શેશભાવતી હતી, પરંતુ ખાહ્યમ`ડન તે તેના મનને નિ:સાર લાગતાં હતાં. પાતાના શરીર ઉપર આરાપણ કરેલાં આભૂષણાને તેણે દીપાવ્યાં હતાં, તેથી સ્વાભાવિક સુંદર એ ખાલાને તે આભૂષણા માત્ર ભારરૂપ લાગતાં હતાં. તર`ગની જેવા લાવણ્યમય પવિત્ર અવયવાથી સુંદર તેના સ્વરૂપની નકલ માત્ર દર્પણમાં જણાતી હતી, બીજી કોઈ ઉપમામાં જણાતી નહીં. એ ગુણુભૂષિત રમણી પોતે એક છતાં અનેકરૂપા હોય તેમ માતૃકુલ, પિતૃકુલ અને શ્વસુરકુલ એ ત્રણે કુલને શેાભાવતી હતી. તે શ્રીષેણ રાજાને મેઘમાળાની જેમ હૃદયરૂપ મયૂરને આનંદ આપનારી શિખિન'દ્વિતા નામે
૧. ભૂમિના પ્રમાણમાં સાતમે! અંશ નહીં પણ્ સાત ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર હોવાથી સાતમે
અંશ સમજવા.
२४
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સર્ગ ૭ મે એક બીજી રાણી પણ હતી. પતિની સાથે અખંડ વિષય સુખને અનુભવ કરતી અભિનંદિતાને કેટલેક કાલે ગર્ભ રહ્યો. તે વખતે તેણે સ્વમમાં પિતાના ઉસંગમાં રહેલા સૂર્યચંદ્રને જોયા. તે સાંભળીને “તમારે બે ઉત્કૃષ્ટ પુત્ર થશે” એમ રાજાએ કહ્યું. ગર્ભસ્થિતિ સંપૂર્ણ થતાં તેજ વડે સૂર્ય ચંદ્રની જેવા બે કુમારને અભિનંદિતાએ જન્મ આપ્યું. શ્રી રાજાએ મોટા ઉત્સવથી ઈદુષણ અને બિંદુષેણ એવાં તેમનાં નામ પાડયાં. ધાત્રી માતાએ પુષ્પની જેમ અતિ યત્નથી લાલન પાલન કરેલા તે બંને ભાઈઓ જાણે રાજાની બે ભુજા હોય તેમ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. યંગ્ય વય થતાં રાજાએ ઉપાધ્યાયની પાસે પોતાના નામની જેમ વ્યાકરણદિક શાસ્ત્રો તેમને ભણાવ્યાં. તેઓ શાસ્ત્ર, શસ્ત્ર અને બીજી કલાઓમાં પારંગત થયા; તેમજ ભૃહમાં પ્રવેશ કરવામાં અને તેમાંથી નીકળવામાં પણ કુશળ થયા. અનુક્રમે કામવિકારરૂપ સૂર્યના પ્રકાશમાં પ્રાતઃકાળરૂપ પવિત્ર યૌવનવયને તેઓ પ્રાપ્ત થયા.
આ ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે મોટી સમૃદ્ધિથી સર્વ ગ્રામમાં મુખ્ય અચલગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં સાંગ ચતુર્વેદ જાણનાર અને સર્વ ઢિમાં શિરમણિ ધરણીજ નામે એક પૃથ્વીતળમાં વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. વિહાર કરતી ગૃહલક્ષમી હોય તેવી, કુલીન અને પવિત્ર ભક્તિવાળી યશોભદ્રા નામે એક તેને પત્ની હતી. તેનાથી અનક્રમે નંદિભૂતિ અને શિવભૂતિ નામે બે કુલદીપક પુત્ર થયા, તેમાં નંદિભૂતિ જયેષ્ઠ હતું. તે ધરણીજના ઘરમાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ઘણા કાળથી રતિક્રીડા કરતો હતો. કારણકે જગતમાં વિષયો દુય છે. સ્વચ્છેદે ક્રીડા કરતાં તે દુષ્ટ દ્વિજને કેમ કરીને તે કપિલા દાસીથી કપિલ નામે એક પુત્ર થયે.
ધરણીજટે નમ્રતાથી શોભતા એવા યશોભદ્રાના ઉદરથી થયેલા બંને પુત્રોને રહસ્ય સહિત સગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલ માત્ર મનપણે સાંભળી સાંભળીને વેદસાગરને પારગામી થયે. કેમકે બુધને શું અગોચર છે ? - વિદ્વાન થયેલે કપિલ પિતૃગૃહમાંથી નીકળીને દેશાંતરે ચાલ્યો, અને કંઠમાં બે ય - પવીત ધારણ કરી હું ઉત્તમ બ્રાહ્મણ છું એવું ડિડિમ વગાડતે દેશાંતરમાં ફરવા લાગે. વિદ્વાનને કેઈ પરદેશ જ નથી, એ પ્રમાણે ભમતો અનુક્રમે રતનપુર નગરમાં આવ્યું. ત્યાં વર્ષાઋતુના મેઘની જેમ પોતાનું પાંડિત્ય બતાવીને ગર્જના કરવા લાગ્યું. તે નગરમાં સર્વ નગરજનોને ઉપાધ્યાય, કળાનો ભંડાર અને ઘણું બુદ્ધિમાન વિદ્યાર્થીઓથી શોભિત સત્યકિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યની પાઠશાળામાં પ્રતિદિન જઈને કપિલ પ્રશ્ન કરનારા વિદ્યાથીઓના અને બીજા વિદ્વાનોના સશયને છેદતો હતો. તે જોઈને વિસ્મય પામેલા સત્યકિએ પણ કૌતુકથી મંત્રની જેમ દુ:ખે જાણી શકાય તેવા શાસ્ત્રોના રહસ્ય કપિલને પૂછયા. શ્રદ્ધાળુ શિષ્યએ ઉપાધ્યાયની બુદ્ધિથી જોયેલ કપિલે તે સર્વ રહસ્ય સવિશેષણે કહી આપ્યા. તે સાંભળી પ્રસન્ન થયેલા સત્યકિ ઉપાધ્યાયે યુવરાજને રાજાની જેમ તેને પિતાના કાર્યનો ધુરંધર કર્યો. ઉજ્વલ ગુણેનું મૂલ્ય કયાં ન થાય ? ત્યાર પછીથી હમેશાં કપિલ સર્વ શિષ્યોને વ્યાખ્યાન આપવા લાગે અને સત્યકિ પિતાના પુત્રની જેમ તેનાથી નિશ્ચિતપણે રહેવા લાગ્યા. કપિલે પણ પિતાની જેમ સત્યકિની અતિ ભક્તિ કરવા માંડી; “તેથી આને માટે હું શું કરું ? તેમ સત્યકિ પ્રસન્ન મનથી વિચારવા લાગ્યો.
એક વખતે સત્યકિની જે બૂકા નામની પત્નીએ આ પ્રમાણે કહ્યું-“હે ભટ! જો કે તમે સાવધાન છે, તથાપિ હું તમને મરણ આપું છું કે દેવકન્યાની જેમ નિસીમ રૂપ
Page #214
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મુ
૧૮૭
લાવણ્યથી શોભતી, નમ્ર, લજજા, ક્ષમા, મૃદુતા અને સરળતાથી દીપતી સત્યભામા નામે મારા ઉદરથી થયેલી કન્યા યૌવનવયને પ્રાપ્ત થઈ છે, તથાપિ તેને ગ્ય વર તમે કેમ શોધતા નથી? જેને ઘેર કન્યા, કરજ, વૈર અને વ્યાધિ વૃદ્ધિ પામતાં હોય તેને શી રીતે નિદ્રા આવે ? અને તમે તો નિશ્ચિત થઈને સુવો છો તે કેવી વાત?” સત્યકિ બો– “પ્રિયા ! તમે કહ્યું તે સત્ય છે. આટલા વખત સુધી મને સત્યભામાને લાયક વર મળે નથી, પણ આ કપિલ કે જે રૂપસંપન્ન, ગુણીજનમાં મુખ્ય, યુવાન વિનીત અને ઉત્તમ દ્વિજજાતિ છે તે સત્યભામાને ઉચિત વર છે.” જ બૂકાએ તે વાત સ્વીકારી. પછી સત્યકિએ શુભ લગ્નમાં સત્યભામાં અને કપિલનો વિધિ પૂર્વક વિવાહ કર્યો. કપિલ ભ્રાંતિ રહિત સત્યભામા સાથે પ્રતિદિન ભેગ ભોગવવા લાગ્યો અને સત્યકિની જેમ આખા નગરમાં પુરજ. નોથી પૂજાવા લાગે. આ કપિલ (જમાઈ હોવાથી) સત્યકિને પણ પૂજ્ય છે” એવું ધારીને સર્વ જને પ્રત્યેક પર્વદિવસે ધન ધાન્યાદિ તેને આપવા લાગ્યા. વર્તમાન કાળે દ્વિજાતિમાં ઉત્તમ થઈ પડેલે એ કપિલ એવી રીતે વર્તવાથી ગુણોની જેમ ધનથી પણ વૃદ્ધ થઈ પડે
એક વખતે વર્ષાઋતુમાં રાત્રિને વિષે તે કપિલ કઈ સ્થાનકે નાટક જોવાને ગયે. ત્યાં ઘણે કાળ કાર્યો. પછી ત્યાંથી ઘરે આવતાં અદ્ધ માર્ગમાં સોયથી ભેદાય તેવો ગાઢ અંધકાર કરતે અતિ વર્ષાદ આવવા લાગ્યો. તે સમયે માર્ગમાં કઈ માણસ હતું નહીં, તેથી તેણે વસ્ત્ર ન પલળે તેટલા માટે નગ્ન થઈ પોતાનાં વસ્ત્રો કાખમાં લઈ ગૃહના દ્વાર પાસે આવીને પાછાં પહેર્યા. “વૃષ્ટિથી મારા સ્વામીનાં વસ્ત્ર ભીંજાઈ ગયાં હશે એવું ધારી સત્યભામાં બીજાં વસ્ત્રો લઈને દ્વાર પાસે સામી આવી–મુગ્ધા ! વિદ્યાના પ્રભાવથી મારાં વસ્ત્રો ભીંજાઈ ગયાં નથી, માટે બીજા વસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે કપિલે પિતાની પ્રિયાને કહ્યું. તે સમયે તેનાં વસ્ત્ર અનાદ્ર અને આખું શરીર આદ્રર છે એમ સત્યભામાના જેવામાં આવ્યું. તેથી તેણે મનમાં વિચાર્યું કે “જે આણે વિદ્યાશકિતવડે જળથી પિતાનાં વસ્ત્રની રક્ષા કરી હોય તો તે પોતાના અંગની કેમ રક્ષા ન કરે ! તેથી જરૂર આ કપિલ નગ્ન થઈને આવેલ છે. તે ઉપરથી હું માનું છું કે આ મારો પતિ કુલવાન નથી. તેમ બુદ્ધિબળથી કાને સાંભળીને જ વેદને ભણેલ હોય તેમ જણાય છે. આ પ્રમાણે નિશ્ચય થતાં જ સત્યભામાં તેની પર મંદ રાગવાળી થઈ અને પકડી લાવેલા બાંદની જેમ ખેદ કરવા લાગી. - હવે તે સમયે અચળગ્રામમાં ધરણીજટ બ્રામણ દૈવયોગથી નિધન થઈ ગયો. તેના સાંભળવામાં આવ્યું કે “કપિલ ધનાઢય થયે છે, તેથી પિતાને ઉદ્ધાર કરવાને તે રત્નપુરમાં આવ્યું. કપિલે પાઘ સ્નાનાદિકથી તેને સત્કાર કર્યો. સાધારણ અતિથિ પણ પૂજ્ય છે, તો આ પિતારૂપ અતિથિને માટે તો શું કહેવું ! પિતા સ્નાન કરીને નિત્ય કર્મ કર વા પ્રવર્યા, એટલે ભોજનને અવસર થવાથી કપિલે પોતાની પ્રિયાને કહ્યું-“પ્રિયા ! મારે શરીર સંબંધી કાંઈ કારણ છે, તેથી આ પિતાને માટે મારાથી ઉત્તમ ભજન સ્થાન તૈયાર કરે.” પિતા અને પુત્રનું જુદું જુદું આચરણ જોઈને સત્યભામાને અધિક શંકા થઈ. કારણ કે તે કલીન હતી. અતિ નિમલ આચરણથી પોતાના સાસરાને કુલવાન જાણી તે સત્યભામાં તેમનું પિતા, ગુરૂ અને દેવવત્ આરાધના કરવા લાગી.
૧ ભીંજાયેલ નહીં. ૨ ભીંજાયેલ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સર્ગ ૧ લે
એક વખતે એકાંતમાં સત્યભામાં બ્રહ્મહત્યાના સોગન આપી પિતાના શ્વસુરને મોટા વિનયથી પૂછવા લાગી-“પૂજ્ય પિતા ! આ કપિલ તમારે બંને શુદ્ધ પક્ષથી ઉત્પન્ન થયેલ પુત્ર છે કે વિપરીત પક્ષમાંથી ઉત્પન્ન થયેલ છે? પ્રસન્ન થઈને જ સત્ય હોય તે કહો. ધરણીજટે જે યથાર્થ હતું તે કહી આપ્યું; કારણકે મહાભાએ સોગનનો ભંગ કરવામાં ભીરૂ હોય છે.
પછી કપિલે વિદાય કરેલ તે ધરણીજટ બ્રાહ્મણ ફરીને પિતાના અચલગ્રામમાં પાછા આવ્યું. તેમના ગયા પછી સત્યભામાએ શ્રીષેણ રાજાની પાસે જઈ વિજ્ઞપ્તિ કરી કે “દેવયેગે આ કોઈ અકુલીન મારો ભર્તા થયેલે છે, તો કેશરીસિંહ પાસેથી ગાયની જેમ, રાહુથી ચંદ્રકળાની જેમ અને બાજ પક્ષીથી ચકલીની જેમ મને તેની પાસેથી મૂકાવે. તેનાથી મુક્ત થઈ હું સતીપણે રહીને હવે નિરંતર સુકૃત કરીશ. પૂર્વના દુષ્કર્મવેગે ચિરકાનથી હું ઠગાયેલી છું.” તે સાંભળી શ્રીષેણરાજાએ કપિલને બોલાવીને કહ્યું, “ધર્માચરણ કરવાને માટે આ સત્યભામાને છેડી દે. તે તારાપર વિરક્ત છે, તે હવે બલાત્કારે હરેલી પરસ્ત્રીની જેવી તેનાથી તને શું વિષયસુખ મળવાનું છે?””કપિલે કહ્યું-“ રાજન્ ! હું તેના વિના એક ક્ષણવાર પણ પ્રાણ ધારવાને સમર્થ નથી. તે પ્રિયા મારી જીવનઔષધી છે. પાણિગ્રહણ કરેલી તે મારી સ્ત્રીને હું ત્યાગ કરીશ નહીં. ત્યાગ કરવો અને કરાવે તે વેશ્યાઓમાંજ ઘટે છે.” તે સાંભળી સત્યભામાએ ઉત્કટ થઈને કહ્યું કે “જે તે મને છોડશે નહીં તે હું જલ કે અગ્નિમાં પ્રવેશ કરીશ.” રાજા બોલ્યા-” હે કપિલ ! આ બાલા પ્રાણ ત્યાગ ન કરે, અને કેટલાક દિવસ સુધી તે મારા મંદિરમાં રહો.” કપિલે તે વાત સ્વીકારી એટલે રાજાએ તેને રાણીઓને સોંપી. વિવિધ પ્રકારનાં તપ કરતી સત્યભામાં રાજ મંદિરમાં રહી.
તે સમયમાં કૌશાંબી નગરીમાં બેલ નામે એક બલવાન રાજાને શ્રીમતી દેવીના ઉદરથી શ્રીકાંતા નામે એક કન્યા ઉત્પન્ન થઈ હતી. તે રૂપવતી બાળા યૌવનને પ્રાપ્ત થતાં શ્રીણરાજાના પુત્ર ઈ દુષણને સ્વયંવરથી વરતાં તેને મોટી સમૃદ્ધિ સહિત તેણે રત્નપુર મોકલી. તેની સાથે અનંતમતિકા નામે એક વેશ્યા આવી હતી. તે ઉત્કૃષ્ટ રૂપવાળી ઈદુષણ અને બિંદુષણના જોવામાં આવી. તેને જોતાંજ “આ મારી છે, આ મારી છે એમ બંને જણ વાદથી કહેવા લાગ્યા. પરસ્પર ઈર્ષ્યાથી તે બંને દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક કાંતાની સાથે રતિ કરવાની ઇચ્છાથી બે વૃષભની જેમ તે દુર્દાત અને મહાભુજ સનસ્ક્રબદ્ધ થઈને યુદ્ધ કરવા લાગ્યા. તેમને યુદ્ધ કરતાં અટકાવવાને શ્રીષેણ રાજા સમર્થ થયા નહીં. દુર્માદા પુરૂષો પ્રિય સમજુતીથી સાધ્ય થતા નથી, તેઓ દંડથી જ સાધ્ય થાય છે. બંને પુત્રોની આ પ્રવૃત્તિ જોવાનું અને અટકાવવાને અસમર્થ એવા શ્રીષેણરાજા અભિનંદિતા અને શિખિનંદિતાની સાથે વિચાર કરી “આ કાળ પ્રાપ્ત થયો” એમ બોલતા બોલતા તાળપુટ ઝેરથી વ્યાપ્ત એવા કમળને સુંઘી ક્ષણવારમાં મૃત્યુ પામ્યા. બંને રાણીઓ પણ તેજ પ્રમાણે સુંધીને મૃત્યુ પામી. કુલીન કાંતાએ પતિ વિના જરાવાર પણ જીવિતવ્ય ધારણ કરી શકતી નથી. આ ખબર સાંભળતાં જ “હવે કપિલથી મને અનર્થ થશે એવું ધારીને શરણ રહિત થયેલી સત્યભામાં પણ તેજ પ્રમાણે વિષયુક્ત કમળ સુંઘીને તેમના માર્ગને અનુસરી. તે ચાર જણ અતિ મૃદુભાવથી મૃત્યુ પામીને જબૂદ્વીપના ઉત્તર કુરૂક્ષે. ત્રમાં જુગલીઆપણે ઉત્પન્ન થયા. શ્રીષેણ તથા અભિનંદિતા પુરૂષ સ્ત્રી થયાં, અને શિખિનં.
Page #216
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૧૮૯ દિતા તથા સત્યભામાં પુરૂષ સ્ત્રી થયાં. ત્રણ પપમ આયુષવાળા અને ત્રણ કેશ ઉંચા શરીરવાળા તેઓ અદ્વૈત સુખને અનુભવ કરતા કાળ નિગમન કરવા લાગ્યા. . અહીં દેવરમણ ઉદ્યાનમાં ઇદુષણ અને બિંદુષેણ યુદ્ધ કરતા હતા, ત્યાં વિમાનમાં બેસીને કોઈ વિદ્યાધર આવ્યું. પ્રતિકુલ દેવનું નિવારણ કરનાર જાણે દ્વારપાળ હોય તેમ તે વિદ્યાધર તે બંનેની વચમાં ઉભા રહી ઉંચા હાથ કરીને બે -“અરે! મૂઢ ! આ તમારી બહેન છે, તેને જાણ્યા વગર તમે સ્ત્રી કરવાની ઈચ્છાથી શા માટે યુદ્ધ કરે છે ? વિસ્તારથી મારાં વચન સાંભળે-આ જમ્બુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ ઉપર પુષ્કળવતી નામે એક વિસ્તારવાળો વિજય છે. તેની મધ્યમાં પૃથ્વીનો જાણે રૂપાનો મુગટ હોય તે વિદ્યાધરનું નિવાસસ્થાન બૈતાઢય નામે આકાશ સુધી ઉો એક
. તે પર્વતની ઉપ૨ ઉત્તર શ્રેણીમાં આદિયાભ ના મના નગરમાં લક્ષ્મીથી કુંડલી (શેષનાગ) જે સુકુંડળી નામે રાજા છે. તેને અજિતસેના નામે શીલવતી દયિતા છે. તેને હું મણિકુંડલી નામે પુત્ર છું. એક વખતે ત્યાંથી ગરૂડની જેમ આકાશમાં ઉડતો શ્રી જિનેદ્રને વાંદવાને પુંડરીકીશું નગરીમાં ગયે. ત્યાં અપરિમિત કીર્તિવાળા અમિતયશ નામના શ્રી જિનેશ્વર ભગવંતને વંદના કરી, અંજલિ જોડીને તેમની દેશની સાંભળી. દેશના પૂર્ણ થયા પછી મેં પૂછયું કે “હે ભગવન્! હું ક્યાં કર્મથી વિદ્યાધર થયો છું ?” તે સાંભળી પ્રભુ બોલ્યા–“મહાઋદ્ધિવાન પશ્ચિમ પુષ્કરવર શ્રીપાદ્ધમાં શીતદા નદીના વિશાળ દક્ષિણ તીરે સલિલાવતી વિજય છે, તેમાં શંકરહિત લોકોથી ભરપૂર વીતશેકા નામે નગરી છે. પૃથ્વીને સ્વસ્તિક હોય તેવી તે શાભે છે. તે નગરીમાં પૂર્વ રૂપથી કામદેવ જે અને બલથી ઈદ્ર જે રત્નદવજ નામે ચક્રવર્તી રાજા હતા. તેને મહા પ્રધાન કનકશ્રી અને હેમમાલિની નામે બે શીલવતી ભાર્યા હતી. તેમાંથી કનકશ્રીને સ્વમમાં ઉત્સવમાં રહેલી ક૯૫લતાની સૂચનાથી બુદ્ધિ અને લક્ષ્મીની જેવી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ. માતાપિતાએ જન્મોત્સવ જેવા ઉત્સવથી તેમનાં કનકલતા અને પદ્મલતા એવાં નામ પાડયાં. બીજી સ્ત્રી હેમમાલિનીએ સ્વપ્રમાં પદ્મલતાના દશનવડે સૂચવાએલી પદ્મા નામે કુલનંદની દુહિતાને જન્મ આપ્યો. તે ત્રણ પુત્રીઓ કલાકલાપને પ્રાપ્ત કરી પવિત્ર યૌવનવયમાં આવતાં જાણે વિધાતાએ ત્રણ લોકની લક્ષ્મીને એક ઠેકાણે આણેલી હોય તેવી દેખાવા લાગી. તેઓમાં જે પદ્મા હતી તે અજિતસેના આર્યાની પાસે રહેવાથી વૈરાગ્ય પામી. છેવટે તેની પાસે તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. .
એક સમયે આર્યાની આજ્ઞાથી પવા સાધ્વીએ ચતુર્થ તપ કરવા માંડ્યું. તે તપમાં ત્રણ રાત્રિના ક્રમે બાસઠ ચતુર્થ થાય છે. આવું દુસ્તપ તપ યથાર્થ રીતે કરનાર તે સાધ્વી એક વખતે શરીરચિંતા (વડી નીતિ) ને માટે રાજમાર્ગે જતી હતી. તેવામાં મદ. નમંજરી નામે વેશ્યાને માટે બે કા મલંપટ બલવાન રાજપુત્રે યુદ્ધ કરતાં તેના જેવામાં આવ્યા. તે અવલોકતાં પદ્માના મનમાં વિચાર થયે કે “અહા ! આ સુંદર વેશ્યાનું કેવું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે કે જેને માટે આ બંને રાજપુત્રે યુદ્ધ કરે છે તે મને પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તેણે નિયાણું બાંધ્યું. અંતે અનશન કરી નિયાણાની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે પદ્મા સૌધર્મ કલ્પમાં વિપુલ સમૃદ્ધિવાળી દેવી થઈ. ૧. એક ચતુર્થમાં પહલે દિવસ એકાસણું, બીજે દિવસ ઉપવાસ અને ત્રીજે દિવસે ઉપવાસ એમ ત્રણ રાત્રિનો કમ સમજાય છે. પણ ૬૨ ચતૃથ કેવી રીતે થાય છે તે સમજાતું નથી.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯)
સર્ગ ૧ લે કનકશ્રી સંસારમાં ભમતાં કેઈ ભવમાં દાનાદિક ધર્મ કરવાથી હું વિદ્યાધરનો ઈદ્રિ મણિકુંડલી નામે થયે છું. કનકલતા અને પદ્મલતા ભવભ્રમણ કરી પૂર્વ ભવમાં બહુ પ્રકારે દાનાદિક ધર્મ આચરવાથી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના રત્નપુર નગરને વિષે ઈદુષણ અને બિંદુષણ નામે શ્રીષેણ રાજાના પુત્ર રૂપે થયેલ છે. પદ્માનો જીવ સૌધર્મ દેવલોકમાંથી રર ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને વિષે અનંતમતિકા નામે વેશ્યા થયેલ છે. તે વેશ્યાને માટે હમણ દેવરમણ ઉદ્યાનમાં ઈદુષણ અને બિંદુષણ પરસ્પર યુદ્ધ કરે છે.” આ પ્રમાણે પ્રભુને મુખેથી પૂર્વ ભવ સાંભળી, પૂર્વ જન્મના નેહને લીધે તમને યુદ્ધમાંથી નિવારવાને હું અહીં આવ્યો છું. હું તમારી પૂર્વ ભવની માતા છું અને આ વેશ્યા તમારી બહેન છે. આ સંસારમાં મેહને વિલાસ આવે છે, તે તમે સમજી લ્યો. જન્માંતર રૂપી પડદામાં ઢંકાઈ રહેલા પ્રાણીઓ પૂર્વ ભવના પિતા, માતા, ભગિની, ભ્રાતા અને અન્ય સંબંધીને જાણી શકતા નથી. પિતાની લાળની જાળથી કરોળીયાની જેમ પોતાના દેહમાંથીજ ઉત્પન્ન થતા રાગદ્વેષાદિક વડે આ જીવ પોતાના આત્માને યાવત્ જીવિત વીંટયા કરે છે. માટે રાગ, દ્વેષ અને મોહને તજી દઈને નિર્વાણ નગરના દ્વાર રૂપ દીક્ષાને તમે ગ્રહણ કરે.” આવાં તેનાં વચન સાંભળી તેઓ બેલ્યા કે “અહો ! ધિક્કાર છે અમને ! શીકારી પ્રાણીઓની જેમ મોહથી ભગિનીને ભેગને માટે આ શે આરંભ કર્યો! તમે પૂર્વ ભવમાં અમારી માતા હતા તેમ આ ભવમાં ગુરૂ થયા છે, જેથી અમને બોધ કરીને આ ઉન્માર્ગમાંથી નિવૃત્ત કર્યા.” આ પ્રમાણે કહી તેઓએ કવચ છેડી દઈ ધર્મરૂચિ નામના ગુરૂની પાસે ચાર હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. તપ અને ધ્યાન રૂપ અગ્નિ વડે કમરૂપી માર્ગ કંટકને દગ્ધ કરી તેઓ સરલ માગે દુર્ગમ લેકાગ્ર (મોક્ષ) ને પ્રાપ્ત થયા; અને શ્રીષેણ વિગેરે ચાર યુગલીઆઓ મૃત્યુ પામીને પ્રથમ કલ્પમાં દેવણપણાને પ્રાપ્ત થયા.
આ ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ શૈતાઢય ગિરિની ઉપર રથનુપુર ચકવાળ નામે નગર છે. તે નગરમાં ઈદ્રનો અનુજબંધુ હોય તે જવલનટી નામે એક વિવિધ સમૃદ્ધિમાન વિદ્યાધરને રાજા હતા. તેને તેજથી પ્રૌઢ સૂર્ય જે અને શત્રુઓની રાજલક્ષ્મીને સ્વયંવરે વરેલે અકેકતિ નામે એક યુવરાજ પુત્ર હતું. તે પુત્રની પછવાડે ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી સ્વયંપ્રભા નામે એક પુત્રી થઈ. તેને પ્રજાપતિ રાજાના પુત્ર અને અચળ બળદેવના નાના ભાઈ પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ પરણ્યા. તે સમયે હર્ષ પામેલા ત્રિપૃષ્ણ વાસુદેવે પિતાના સાસરા જવલનજીને વિદ્યાધરની બંને શ્રેણીનું અખંડિત રાજ્ય આપ્યું. વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્માળા નામની દુહિતા અકકીર્તિની પની થઈ શ્રીષેણ રાજાનો જીવ સૌધર્મ કલ્પથી ચવી કમળમાં હંસની પેઠે તે તિમલાના ઉદરમાં અવતર્યો. તે સમયે જ્યોતિર્માળાએ સ્વમમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા સહસ્ત્ર કિરણવાળ સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે સામ્રા જય રૂપ ભવનને દઢ આધાર આપનાર સ્તંભરૂપ અને સર્વ પવિત્ર લક્ષણોથી લક્ષિત એક પુત્રને જન્મ આપ્યો. દષ્ટ સ્વમને અનુસરે મૂર્તિથી અમિત તેજવાળા તે પત્રનું માતાપિતાએ અમિતતેજ નામ પાડયું. કુમાર અર્ક કીત્તિને પોતાનું રાજ્ય સેંપી જવલન જટીએ જગનંદન અને અભિનંદન નામના ચારણષિની પાસે દીક્ષા ગ્રહણ કરી. સત્યભામાનો જીવ સૌધર્મ કલપથી ચવી જોતિર્માલા અને સૂર્યકીર્તિની પુત્રી પણ ઉત્પન્ન થયે. તે જયારે ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વમમાં સારા તારાવાળી રાત્રિ જોઈ હતી તેથી માતાપિતાએ તેનું સુતારા નામ પાડયું. અભિનંદિતાને જીવ સૌધર્મ
Page #218
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
કલ્પથી ચવી ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં માતાએ સ્વમમાં અભિષેક સહિત શ્રીદેવી જોયા, તેથી પિતાએ તેનું શ્રી વિજય એવું નામ પાડ્યું. સ્વયંપ્રભાને વિજય અને ભદ્ર (કલ્યાણ ) ના કારણરૂપ વિજયભદ્ર નામે એક બીજો પુત્ર પણ થયો, અને શિખિનંદિતાને જીવ પ્રથમક૯૫થી ચવી ત્રિપૃષ્ટ અને સ્વયં પ્રભા તિઃપ્રભા નામે પુત્રી થયે.
પૂર્વ સત્યભામાનો પતિ જે કપિલ હતું તે તિર્યંચાદિક નિમાં ચિરકાળે સંસાર ભમી ચમચંચા નગરીમાં અશનિઘોષ નામે વિદ્યાધરને પ્રખ્યાત રાજા થયે. અર્ક કીર્તિએ વિસ્તારવંત લોચનવાળી પોતાની સુતારા નામે પુત્રાને ત્રિપૃષ્ઠના પુત્ર શ્રીવિજયની સાથે પરણાવી. ત્રિપૃષ્મ પિતાની અતિ સુંદર પુત્રી જ્યોતિ પ્રભાને અર્કકીર્તિના પુત્ર અમિતતેજની સાથે વિવાહ કર્યો. શ્રી વિજય સુતારાની સાથે અને મહાભુજ અમિતતેજ જ્યોતિ પ્રભા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા.
એકદા રથનુપુર ચક્રવાળ નગરની લક્ષમી વડે દેવવન જેવા વિશાળ ઉદ્યાનમાં અભિનંદન, જગનંદન અને જ્વલન જટી-એ ત્રણ મહાશય મુનિઓ જાણે મૂર્તિમાન જ્ઞાનાદિક ત્રણ રને હોય તેવા સમેસર્યા. પોતાના પિતા અને તેમના ગુરૂને આવેલા જાણ અર્કકીર્તિએ તત્કાળ ઉદ્યાનમાં આવી વંદના કરી. ઉત્કંઠા વિલંબને સહન કરી શકતી નથી. અભિનંદન મુનિએ મહા મેહરૂપી હિમરાશિને ગાળવામાં સૂર્ય પ્રભા જેવી દેશના આપી. તે દેશના સાંભળવાથી અકકીર્તિને સંસાર પર વૈરાગ્ય થયો તેથી અંજલિ જોડીને તેણે અભિનંદન મુનિને વિજ્ઞપ્તિ કરી કે “હું મારા પુત્ર અમિતતેજને રાજ્યપર બેસાડી વ્રત લેવાને માટે પાછો આવું ત્યાં સુધી તમે અહી બિરાજવા કૃપા કરશે.” “ ધર્મકાર્યમાં પ્રમાદ કરવો નહીં” એમ મહર્ષિએ કહેલ વચન સાંભળી અકકીર્તિ આદ્ર મને પોતાને ઘેર ગયે; અને વારંવાર આગ્રહ પૂર્વક પ્રાર્થના કરીને તેણે પિતાના પુત્ર અમિતતેજને રાજ્ય આપ્યું. પિતા અને પુત્રને આવો જ કમ છે. અમિતતેજે જેને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા અર્ક કીર્તિએ અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અર્કકીર્તિ શમરાજ્યને પાળતા ગુરૂજનની સાથે વિહાર કરવા લાગ્યા; અને વિદ્યાધરના મુગટથી જેના ચરણકમલનું આસન ઘસાય છે એવા તેજસ્વી અમિતતેજે પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી.
આ તરફ ત્રિપૃષ્ણને શેકથી વૈરાગ્યને વહન કરતા અચળ બળભદ્ર ત્રિપૃષ્ટના પુત્ર શ્રીવિજ્યને રાયપર બેસાડી દીક્ષા લીધી. રાજાઓથી પૂજાતે અને વિજયલકમીએ સ્વયંવરે વરેલે શ્રીવિજય પિતાનું રાજ્ય પાળવા લાગ્યા. એક વખતે અમિતતેજ સુતારા અને શ્રીવિજયના દર્શનની ઉત્કંઠાથી પિતનપુરે આવ્યા. તે વખતે પોતનપુર નગર ઊંચી પાતકાઓથી અને માંચડાથી મંડિત અને અનુત્તર વિમાનની પેઠે આનંદના એક સામ્રાજ્ય રૂપ તેના જોવામાં આવ્યું. તેમાં પણ રાજકુલ-દરબારમાંતો વિશેષ ખુશાલી જોઈ. વિસ્મય પામેલ અમિતતેજ આકાશમાંથી સૂર્ય સમુદ્રમાં ઉતરે તેમ ત્યાં ઉતર્યો. તેને દૂરથી આવતે જોઈ શ્રીવિજય રાજા ઉભે થયે. સામાન્ય અતિથિ પણ પૂજા ને યોગ્ય છે, તો આવા ઉત્તમ સંબંધી અતિથિને માટે તો શું ન હોય ! પ્રૌઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્રહ જેવા તેઓ પોતપોતાની બહેનોને અને બનેવીઓને ગાઢ આલિ. ગન દઈને મળ્યા. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે બંને મોટા મૂલ્યવાળા
Page #219
--------------------------------------------------------------------------
________________
સ ૧ લા
૧૯૨
હમણા
સિહાસન પર બેઠા. પછી સ્વચ્છ મનવાળા અમિતતેજે શ્રીવિજયને પૂછ્યું કે “ કૌમુદીઉત્સવ, આગ્રહાયણી, નવી ગ્રીષ્મૠતુ કે વસતાત્સવ નથી તેમજ તમારે ઘેર પુત્રજન્મ પણ થયા નથી, તથાપિ આ નગર કયા ઉત્સવથી આનંમય જણાય છે ? '' શ્રીવિજય ખેલ્યા “ આજથી આઠમે દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તિએ અહીં આવ્યા હતા. તેને મેં પૂછ્યું હતુ' કે ‘તમે કાંઇ યાચવાને આવ્યા છે કે કાંઈ કહેવાને આવ્યા છે ? આ પ્રમાણે આદરથી પૂછતાં તેણે કહ્યું- હે રાજા ! જો કે અમે યાચનાથી જ જીવીએ છીએ, તથાપિ આ વખતે તમારી પાસે યાચવું ઉચિત નથી. જે કહી પણ શકાય નહીં તેવું કહેવાને હું અહીં આવેલ છું, કારણ કે કહેવાથી ધર્મ વિગેરે સત્કૃત્ય વડે તેના પ્રતિકાર થઈ શકે. આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે પાતનપુરના રાજાની ઉપર ધ્વનિ કરતા વિદ્યુત્પાત થશે.” આવી કટુવાણીથી ઝેરની પેઠે અતિ તિ થયેલા મારા મુખ્ય મત્રી ખેલ્યા કે “ ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે ? ” નિમિત્તિઆએ કહ્યું–“ મંત્રી ! મારા ઉપર કાપ શા માટે કરા છેા ? જે શાસ્ત્રથી જોવામાં આવે છે તે હું કહું છું, તેમાં મારા કાંઇ પણ દોષ નથી. તે દિવસે મારી ઉપર વસુધારા જેવી વસ્ત્ર, આભરણ, માણિકય અને સુવર્ણની વૃષ્ટિ પડશે. ” તે વખતે મે મંત્રીને કહ્યુ કે “ હે મહામતિ ! તેની ઉપર તમે કોપ કરો નહીં કારણ કે આ નિમિત્તિ કૃતની જેમ યથાર્થ કહેવાથી ઉપકારી છે ” પછી મે' નિમિત્તિઆને પૂછ્યુ કે “ હું નિમિત્તજ્ઞ ! કહેા, તમે આ જ્ઞાન કયાંથી શિખ્યા છે ! કારણકે આમ્નાય રહિત પુરુષનાં વચન ઉપર પ્રતીતિ ન આવવાથી શ્રદ્ધા થતી નથી. ’” નૈમિત્તિકે કહ્યું- “હે રાજા ! સાંભળેા, જ્યારે ખલદેવે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે તેમની સાથે મારા શાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી અને પિતા વાત્સલ્યથી માહિત થઈને તેની પછવાડે મેં પણ લઘુવય છતાં દીક્ષા લીધી હતી. તે સમયે આ સર્વ નિમિત્તજ્ઞાન હુ· શીખ્યા હતા. ‘શ્રી જિનશાસન સિવાય બીજે અવ્યભિચારી જ્ઞાન હતુ` નથી. ’ લાભ, અલાભ, સુખ, દુ:ખ, વિત, મરણ, જય અને પરાજય—એ આઠ પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જયારે હું યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે એક વખતે વિહાર કરતા કરતા પદ્મિનીખડ નામના ઉત્તમ નગરમાં ગયા. તે નગરમાં હિરણ્યલેામીકા નામે મારી એક કુઇ રહેતી હતી અને તેને ચંદ્રયશા નામે એક યૌવનવતી દુહિતા હતી. તે ખાળા આલ્યવયમાં મને વાદાનથી આપી હતી, પણ મેં દીક્ષા લીધી તેથી અમારા વિવાહ થયે નહાતા. તે સુંદરીનું અવલેાકન કરતાં જ મને અનુરાગ ઉત્પન્ન થયા, તેથી ભારની જેમ તને છેડી દઈ ને મે' તેની સાથે ત્રિવાહ કર્યાં. કામાતુરને ચિરકાલ વિવેક કયાંથી રહે ! હે રાજા ! તમારી ઉપર થવાના આ મહા અનથ જાણીને સ્વાર્થ નિમિત્તે હું અહીં કહેવાને આવ્યા છું, તા હવે તમે જે જાણા તે કરે. ’ આ પ્રમાણે કહીને તે મૌન રહ્યો. તે વખતે સકુળમંત્રીએ બુદ્ધિમાન છતાં પણ રાજાનું રક્ષણ કરવાને આકુલ વ્યાકુલ થઈ ગયા. તેમાંથી એક મંત્રીએ કહ્યુ કે ‘સમુદ્રમાં વિદ્યુત્પાત થતા નથી, માટે સાત દિવસ સુધી રાજાએ વહાણમાં બેસીને સમુદ્રમાં રહેવુ. ' બીજા મંત્રીએ કહ્યું કે ‘ તે વાત મને ગમતી નથી, જો ત્યાં વિજળી પડે તે પછી તેને કાણુ વારી શકે? તેથી આ અવસર્પિણી કાળમાં વૈતાઢય ગિરિ ઉપર વિદ્યુત્પાત થતા નથી, માટે તે ગિરિ ઉપર કોઈક ગુફામાં આપણા સ્વામીએ સાત દિવસ સુધી રહેવુ. ત્રીજા મંત્રીએ કહ્યું કે “ આ વાત મને રૂચતી નથી, કેમકે જે અવશ્ય બનાવ બનવાના છે તે ગમે ત્યાં પણ થશે, તેમાં કારફેર નહીં થાય. તે ઉપર એક કથા કહુ તે સાંભળેા-આ ભરતક્ષેત્રને વિષે વિજય નામના નગરમાં સામ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેને કાંઇ પણ સંતાન નહતું.
,
Page #220
--------------------------------------------------------------------------
________________
પ ૫ મું
૧૯૩
ઘણી માનતાઓ તથા ખાધા
કરવાથી છેવટે જ્વલનશિખા નામની સ્રીથી શિખી નામે એક પુત્ર થયા. એક વખતે નઠારા દૈવયાગથી મનુષ્યના માંસપર પ્રીતિવાળા કાઈ દારૂણ રાક્ષસ તે નગરમાં આવીને વસ્યા, તે પ્રતિ દિવસ ઘણા મનુષ્યોને મારીને તેમનું અલ્પ માંસ ખાઈ બાકીનુ ઠળીયાની જેમ નાખી દેતા હતા. તેની આવી ભયકર હિંસા જોઇ ને રાજાએ તેને મીઠે વચને સમજાવીને કહ્યું--અરે! આવી રીતે થાડા માંસ માટે ઘણા મનુષ્યાને શા માટે હણે છે ? વ્યાઘ્રાદિક અજ્ઞ પ્રાણી છે, તે પણ ક્ષુધાની શાંતિમાં ઔષધ રૂપ માત્ર એક જતુનેજ મારે છે, માટે પ્રતિદિન તારે એક મનુષ્યનું જ ભક્ષણ કરવું; અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સ્વયમેવ આવશે. રાક્ષસે આ વાર્તા કબુલ કરી એટલે રાજાએ પેાતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યેાના વારાને માટે સર્વના નામની ગાળીઓ કરી. તે નામની ગાળીઓમાંથી જેના નામની ગાળી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવું, એમ ઠરાવ્યું. એમ કરતાં કરતાં એકદા દૈવયેાગે તે સામા બ્રાહ્મણના પુત્રના નામની ગોળી નીકળી, અને યમરાજાએ જાણે તેના નામનું ચાપડાનું પાનું ઉઘાડ્યું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. આ ખબર સાંભળી તેની માતા જવલનશિખા, ‘હે પુત્ર! હવે શું તું મારા ઘરમાં નહીં રહે ? એમ કર્ણ સ્વરે રૂદન કરતી પશુએને પણ રાવરાવવા લાગી, આવા કાને સાંભળી ન શકાય તેવા કરૂણામય તેની માતાનો પાકાર તે ઘર નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતા એ સાંભળ્યેા. તત્કાળ કરૂણા આવવાથી તેમણે તે માતાને કહ્યું- હે બ્રાહ્મણી ! તું રૂદન કર નહીં, સ્વસ્થ થા, તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે, અમે તેને રાક્ષસની પાસેથી પાછા લાવીશું. જેથી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લુ ઘન નહી થાય અને તે મરશે પણ નહી..' જવલનશિખા બેલી- હું દેવતાએ ! જો તેમ થાય તેા ઘણું સારૂં.'આ પ્રમાણે તે કહેતી હતી, તેવામાં તા પુરરક્ષકા આવી તે પુત્રને રાક્ષસની પાસે ખેચીને લઈ ગયા. જેવા રાક્ષસ દ્વિજપુત્રને ગ્રહણ કરવા આવ્યા તેવામાં પેલા ભૂતા તેને તેની માતા પાસે હરીને લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પાતાના પુત્રની રક્ષા થવાને માટે પતની ગુફામાં તેને પૂરી દીધા. પરંતુ ત્યાં રહેલા કાઈ જાગતા અજગર તે પુત્રને ગળી ગયા. તેથી જે ભાવી છે તે અન્યથા થતું નથી માટે આ વિષે તપ કરવાનાજ ઉપાય કરો. કારણ કે નિકાચિત કર્મીને પણ તપથી ક્ષય થાય છે.” પછી ચેાથે। મંત્રી એલ્ચા કે “ આ નિમિત્તિઆએ પેાતનપુરના રાજાની ઉપર વિદ્યુત્પાત થશે. એમ કહ્યું છે. કાંઈ શ્રીવિજયની ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તે આજથી સાત દિવસ સુધી કોઇ બીજાને આ નગરના રાજા કરો કે જેથી તેની ઉપર વિદ્યુત્પાત થાય. આમ કરવાથી આપણુ' દુરિત નાશ પામેા.” આ વિચાર સાંભળી હ પામેલા નિમિત્તઆએ તે મંત્રીની પ્રશંસા કરી કે મારા નિમિત્તજ્ઞાનથી પણ તમારૂ મતિજ્ઞાન અધિક છે. માટે આ અનને પિરહાર કરવાને આ કાં શીઘ્રતાથી કરો; અને આજથી સાત દિવસ સુધી રાજા ચૈત્યમાં શ્રી જિનપૂજામાં તત્પર થઇને રહેા.’ તે સમયે હું ખા— જે કોઈ પુરૂષને આ રાજ્ય ઉપર અભિષેક કરશું તે નરપરાધી પુરૂષને પ્રાણુ નાશ થશે, તેા તે પણ ચિંતનીય છે, કારણ કે ઇંદ્રથી માંડીને કીડી સુધી સ પ્રાણીએને પ્રાણ તજવા બહુ મુશ્કેલ છે. તે મારા જોતાં છતાં બીચારા કાઈ રાંક પુરુષ મૃત્યુ પામે તે કેવા ખેદની વાત છે ! અમે બીજાના પ્રાણનું રક્ષગુ કરવાનું જ વ્રત લઇને બેઠા છીએ, તે અમેજ પોતાના જીવિતને માટે બીજાનેા ઘાત કેમ કરી શકીએ ?” રાજાનુ આવુ' કથન સાંભળી મંત્રીએ ખેલ્યા- હે દેવ ! આપણે એ કાર્યાં ફરવાનાં છે કે આપની
૨૫
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સ ૧ લા
ઉપર આવી પડેલે આ અનર્થ દૂર થાય અને કોઇ પ્રાણીના વધ પણ ન થાય તેા તેના ઉપાય એ છે કે વૈશ્રવણની પ્રતિમાના રાજય ઉપર અભિષેક કરી, તમારી પેઠે સ જન સાત દિવસ તેની સેવા કરશે. દિવ્ય શક્તિથી કદિ તેની ઉપર કાંઈ પણ ઉપસગ ન થાય તા વધારે સારૂ છે અને કર્દિ થાય તા તેથી પ્રાણીવધનું પાપ લાગશે નહી.’’ આ વિચાર મને ઘટિત લાગવાથી હુ' જિનમદિરમાં જઈ પૌષધ વ્રત ગ્રહણ કરીને દ"ના સંસ્તારક ઉપર બેઠા. પછી સ` મ`ત્રીએ વૈશ્રવણની પ્રતિમાને રાજ્યાભિષેક કરી રાજાની જેમ તેની પાસે વર્તવા લાગ્યા. સ્વામીના હિતને માટે બુદ્ધિવતજના બીજા સાથે પણ સ્વામીની જેમ વર્તે છે. અનુક્રમે સાતમા દિવસ આવ્યા, ત્યારે મધ્યાન્હ કાળે આકાશમાં ગર્જના કરતા પ્રલયકાલના જેવા દારૂણ મેઘ ચડી આવ્યા. ઘેાડીવારમાં તે ઘાર મેઘમાંથી બ્રહ્માંડને ફાડે તેવા શબ્દ કરતા વિદ્યુત્પાત રાજ્યપર બેસારેલી પેલી યક્ષ પ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે યક્ષ ઉપર વિદ્યુત્પાત થયા, તેજ વખતે નિમિત્તિઆની ઉપર અંતઃપુરના લેાકાએ કરેલી રત્નાદિકની વૃષ્ટિ થઇ. મે' પણ અખંડ સમૃદ્ધિવાળુ પદ્મિનીખંડ નગર આપીને તે નિમિત્તિઆને વિદાય કર્યા, અને તે યક્ષની મૂર્ત્તિ દિવ્ય રત્નમય નવીન બનાવી આપી. કારણ કે તે મારે વિપત્તિમાં બંધુ થઈ હતી. મારા વિઘ્નની શાંતિ થવાથી આજે નગરજન અને અમાત્યા હથી સર્વોત્સવ શિરામણિ આ મહેસવ કરે છે.”
આ વૃત્તાંત સાંભળીને અમિતતેજે હર્ષથી પાતાની બેન સુતારાની વસ્ત્રાલ કારના દાનવડે પૂજા કરી. સુતારા અને શ્રીવિજયની પાસે કેટલાક કાળ રહીને અમિતતેજ પેાતાના નગરમાં ગયા. એક વખતે શ્રીવિજય રાજા ક્રીડા કરવાના કૌતુકથી સુતારાને લઇને યાતિવન નામના વનમાં ગયા. તે વખતે કપિલના જીવ અનિષ વિપ્રતારણી વિદ્યા સાધીને આકાશમાર્ગે આવ્યા. ત્યાં પતિની સાથે ક્રીડા કરતી પોતાની પૂર્વ જન્મની સ્ત્રી સુલે ચના સુતારા તેના જોવામાં આવી. પૂર્વ જન્મના સંસ્કારથી સંબધને નહીં જાણતાં છતાં પણ અનિંદ્યાષે પેાતાની સ્ત્રીની જેમ તે સુતારાની ઉપર જાગેલા અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી. પછી વિદ્યાના ખલથી તે ક્રીડા કરતા સ્રીપુરૂષની આગળ તેણે દિવ્ય કંદુકની જેમ છલંગ મારીને ક્રીડા કરતા એક નેત્રનું હરણ કરે તેવા મનેાહર સુવર્ણ ના મૃગ વિષુબ્ધ, જાણે ઇંદ્રનીલમણિની હાય તેવી ખરીએ અને શીગડાથી અને નીલકમળના જેવા વિલાસ કરતાં એ લેાચનથી તે શાભતા હતા; દેહની પીળી કાંતિથી જાણે સુવર્ણ મય હાય તેવા લાગતા હતા અને ફાળ ભરવાથી આકાશને તથા ચરણપાતથી ભૂમિતળને મ`ડિત કરતા હતા. તે સુંદર મૃગને જોઈ દેવી સુતારાએ પોતાના પતિને હ્યુ-‘સ્વામી ! આ મૃગ લાવા, તે મારે ક્રીડા કરવાને યાગ્ય છે.’ કાંતાના કહેવાથી જાણે વાયુનુ' જુદુ પડેલું વાહન હાય તેમ તે પવનવેગી મૃગની પાછળ રાજા વેગથી દોડયો. સરિતાના એઘની પેઠે કાઈ ઠેકાણે વક્ર અને કોઇ ઠેકાણે સરલ થઈ ને ચાલતા તે મૃગ જરાપણ સ્ખલના પામ્યા વગર રાજાને દૂર લઇ ગયા. ક્ષણવાર દૃશ્ય, ક્ષણવારે અદૃશ્ય, કાઈવાર પૃથ્વીપર અને કોઈવાર આકાશમાં ચાલતા તે મૃગ દેવકૃત માયાની જેમ પકડવાને અશકય થઈ પડયો. શ્રીવિજય દૂર ગયા એટલે અશિનઘાષ હળવે હળવે આવીને વનદેવીની પેઠે એકલી રહેલી સુતારાને હરી ગયા. પછી પ્રતારણી વિદ્યાના પ્રભાવે એ દુરાત્માએ બીજી સુતારાનું રૂપ કરીને ‘ મને કુકુટ સપે ડશી’ એવા કૃત્રિમ પાકાર કર્યાં. તે પાકાર સાંભળતાંજ રાજા હિરણને છેાડી પાછા વળ્યા. વિદ્વાના ક્ષેમ હોય તે છતાં યાગને માટે તત્કાળ તત્પર થાય છે. પૃથ્વીપર આળાટતી અને શરીરે પીડાતી સુતારાને જોઇને રાજાએ મણિમત્ર અને ઔષધોના અનેક ઉપચાર કર્યા. જેની પ્રથમ પ્રતીતિ જોયેલી હતી, તેવા પણ તે સર્વ ઉપચાર
Page #222
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૧૯૫
દુર્જન પુરુષમાં ઉપકારની જેમ નિષ્ફલ થઈ ગયા. જેના નેત્ર કમળ બીડાઈ ગયાં હતાં, વદનછબિ વિવર્ણ થઈ ગઈ હતી, ઉરયુગળ અને સ્તનયુગળ કંપતા હતા, અને જેનાં સર્વ અંગઉપાંગના સંધિ, અને અસ્થિબંધન શિથિલ થયા હતા–એવી સુતારા રાજાના જોતાં જોતાંમાં કાળધર્મ પામી. પિતાની પ્રિયાને ગતપ્રાણ જોઈ રાજા પણ ગતપ્રાણ થયો હોય તેમ નિ:સંજ્ઞ થઈ મૂછ પામીને પૃથ્વી પર પડ્યો. ચંદનનો રસ મસ્તકપર સિંચતાં પુન: તન્યને પ્રાપ્ત થયેલ તે આ પ્રકારે ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો-“અરે ! હે મનોરમા તને લઈ જનારા દૈવે મને લુંટી લીધો. હે પ્રિયા ! તારા પ્રાણથીજ મારૂં જીવિત હતું. હાલી કાંતા ! તારા વિના હવે આ માણસ શેકના ભારથી આધારભૂત સ્તંભ વગરના જીર્ણ ગૃહની જેમ તત્કાળ પડી જશે. અરે ! મારી વલ્લભાને લેભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરૂષને ઠગી લીધે. મારી પ્રિયાને પ્રત્યક્ષ જેવાને તક્ષક નાગ પણ સમર્થ નથી, તો આ કુકકુટ સર્પની શી વિસાત ! પરંતુ અહા ! દેવ બલવાનું છે. તે હવે દયિતાની પછવાડે જવા માટે અગ્નિમાં બળી મરી પ્રાણ છોડીને આ પ્રસરતા દુદેવનું કાંઈ ઊચું હોય તે હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી, અને રતિમંદિરની શયાની પેઠે એ ધીર વીરે સુતારાની સાથે પિતે બેસીને તેને અલંકૃત કરી. પછી જેવો તેમાં અગ્નિ પ્રજવલિત કરીને બળવાનો આરંભ કરે છે તેવામાં બે વિદ્યારે ત્યાં આવ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જલવડે ચિતાનું સિંચન કર્યું, ત્યાં તે તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રસારણી વિદ્યા જે સુતારાનું રૂપ કરીને રહી હતી તે પલાયન કરી ગઈ. તે વખતે “પ્રજવલિત જવાળાવાળે અગ્નિ કયાં ? અને ગતપ્રાણું મારી પ્રિયા કયાં ! વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કોણ ! શું આ દેવનાટક તે નહી હોય !” આ પ્રમાણે ચિંતવન કરતે શ્રીવિજય સ્વસ્થ થયે, એટણે તેણે પોતાની આગળ સૌમ્ય આકૃતિવાળા બે પુરુષોને ઊભેલા જોયા. “આ શું?” એમ રાજાએ તેમને પૂછયું, એટલે તેઓ પ્રણામ કરી વિનયથી બોલ્યા- અમે વિદ્યાધરપતિ અમિતતેજના સેવક છીએ. સંભિન્નશ્રેત તથા દીપશિખ નામના અમે બે પિતા પુત્ર થઈએ છીએ. સ્વેચ્છાથી તીર્થના જિનબિંબને વંદના કરવાને નીકળ્યા છીએ. અહીં નજીક આવતાં અમોએ શ્રવણમાં દુઃશ્રવ અને પશુઓના કર્ણને પણ કોતરી નાખે તેવી કરૂણક્ષરવાળી આ પ્રમાણેની વાણી સાંભળી - હે મારા પ્રાણનાથ શ્રીવિજય ! હે રાજાએથી સેવિત નાથ ! અરે ! તેજથી સૂર્ય જેવા હે બાંધવ અમિતતેજ ! પરાક્રમવડે બલભદ્ર જેવા હે વત્સ વિજયભદ્ર ! સર્વદા સંનિહિત રહેનારા હે ત્રિપૃષ્ટ કુલના દેવતાઓ ! નાહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિદ્યાધર પાસેથી સુતારાનું વગર વિલંબે રક્ષણ કરો, રક્ષણ કરે.” આવી વાણી સાંભળીને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય છે તેવું જાણું શબ્દ પાતી બાણની પેઠે અમે તે વાણીને અનુસરીને ચાલ્યા. તત્કાળ હાથીએ ગ્રહણ કરેલી પદ્મિનીની પેઠે અશનિષે પકડેલી ચપલ નેત્રા સુતારાને અમે જોઈ. સ્વામીની બહેનના હરણની ઉપેક્ષા કરવાને અસમર્થ એવા અમોએ ભ્રગુટી ચડાવી તે શત્રુને કહ્યું-“હે હત્યારા વિદ્યાધર ! દેવપ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું ક્યાં જાય છે? અરે દુષ્ટ ! હવે તું જીવતે રહેવાનો નથી અમે તને મારી નાખીશું, માટે આયુધ ગ્રહણ કર. અમે વિદ્યાધરના પતિ
અમિતતેજના સેવક છીએ.” આ પ્રમાણે આક્ષેપ કરી સાપને રમાડનારાની જેમ બે કૃષ્ણ સર્પની જેવી બે તરવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અમે તે અધમ પુરૂષને મારવાની ઈચ્છાથી તેની સામે થયા. તે વખતે દેવી સુતારાએ કહ્યું- તમે યુદ્ધ કરવું છોડી દે,
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સર્ગ ૧ લે
અને અહીંથી જાતિવનમાં જાઓ, ત્યાં શ્રીવિજય પ્રભુ રહેલા છે. તે પ્રતારણી વિદ્યાથી પ્રાણ ત્યાગ કરતા હશે, તે ત્યાં જઈને તેને બચાવે; તેમના જીવવાથીજ હું જીવું તેમ છું.' આવી સુતારાની આજ્ઞાથી અમે તત્કાળ અહીં આવ્યા અને અમોએ મંત્રિત જલથી તમારો ચિતાગ્નિ બુઝાવી દીધું. વેતાળની પેઠે ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરતી જે આ નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રસારણ વિદ્યા હતી. પિતાની પ્રિયા સુતારાનું હરણ થયું, તે જાણવામાં આવતાં વિરહાગ્નિવડે ચિતાનળથી પણ અધિક પ્રજવલિત થયેલો શ્રીવિજય અતિ ખેદ પામ્યો. આ પ્રમાણે જોઈને તેઓ બોલ્યા
સ્વામી ખેદ કરે નહીં, દૈવની જેમ તમારાથી તે કેટલે દુર જશે ! પછી તેઓ જાનુથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રણામ કરી ઘણી પ્રાર્થના કરી શ્રી વિજય રાજાને વૈતાઢય પર્વત પર લઈ ગયા. તેને જોઈ સસંભ્રાંતપણે તરતજ જાણે મૂર્તિમાન વિજય હેય, તેમ અમિત તેજ શ્રીવિજયની સામે આવ્યો અને તેને મોટા માનથી ઉચિત આસન પર બેસાડી આગમનનું કારણ પૂછયું. શ્રી વિજયની પ્રેરણાથી તે બંને વિદ્યાધરોએ સુતારાના હરણને વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી એક કીર્તિના કુમારે બ્રગુટીથી લલાટને વક્ર કરી અને રોષથી કપાળ તથા નેત્ર રાતાં કરી રાજાને કહ્યું-જેમ ફણાધારી તલકના મસ્તકને ખજવાળે અને સુઈ ગયેલા કેશરી સીંહના કેશવાળને ઉખેડે તેમ તમારી સ્ત્રી અને મારી બેન સુતારાનું હરણ કરીને હવે એ નરાધમ અશનિષ કેટલું જીવશે !” આ પ્રમાણે કહીને અર્કકીર્તિના પુત્રે શસ્ત્રાવરણી, બંધની અને મોક્ષણી વિદ્યા શ્રીવિજયને આપી. પછી શત્રુના કાળરૂપ અમિતતેજે રશ્મિવેગ, રવિવેગ, અકકીતિ, ભાનવેગ, સૂર્યયશા, ભાનુ, ચિત્રરથ, અર્ક પ્રભ, અકરથ, રવિતેજ, પ્રભાકર, કિર્ણવેગ અને સહસ્ત્રકીર્ણ વિગેરે પિતાના પાંચશે પુત્રને ત્રિપૃષ્ઠના પુત્ર શ્રીવિજયની સાથે મહા શુરવીર સેના સહિત ચમરચા નગરીમાં અશનિઘોષની પાસેથી સુતારાને લેવા મોકલ્યા. વિદ્યાધરના રસૈન્યથી સવ ગગનમંડલને આચ્છાદન કરતા, સુભટના શસ્ત્રોથી આકાશને સેંકડો દેવાવાળું કરતા, અસંખ્ય અના શબ્દથી સૂર્યના અને બેલાવતે, હાથીઓની પંક્તિથી ગગનમાં બીજી મેઘમાળાને વિસ્તારો અને પ્રકાશિત વિમાનોથી ઉત્પાતના સૂર્યોને બતાવત, ત્રિપૃષ્ઠને પુત્ર શ્રી વિજય અમરચંચા નગરીમાં આવ્યા. અહિં અકીત્તિને પુત્ર અમિતતેજ અશનિઘુષને વિદ્યાવાળે જાણી પિતાના પૂર્ણ પરાક્રમી સહસરશ્મિ પુત્રની સાથે પારકી વિદ્યાને છેદ કરનારી મહાજ્વાળા નામની વિદ્યાને સાધવા હિમવંત ગિરિપર ગયે. ત્યાં ત્યંત નામના મહર્ષિ કાઉસ ધ્યાને રહ્યા હતા, તેમના અને ધરહેંદ્રના પવિત્ર ચરણમૂલમાં માસિક ભક્તવડે સાત રાત્રિની પ્રતિમા ધારણ કરીને તે વિદ્યા સાધવાના કામમાં પ્રવર્યો. તેવી રીતે સાધવા બેઠેલા પિતાની રક્ષા કરવાને માટે સહસરમી તત્પર રહ્યો. તેમ રહેતાં તે પિતા પુત્રને કાંઈક ઉણે એક માસ વીતી ગયે.
આ તરફ અમરચંચા નગરીની બહાર પડાવ નાખીને રહેલા શ્રીવિજયે અશનિષની પાસે એક દૂત મોકલ્યા. તે દૂતે આવીને નિઃશંકપણે અશનિઘોષને કહ્યું કે કાગડાની જેમ આવું લજજાકારી કર્મ કરનારા તને ધિક્કાર છે ! શૈર્ય અને વીર્ય રહિત પુરૂષેનું પરાક્રમ છળ કરવામાં જ હોય છે. આ દેવીનું હરણ કરીને તું તેવા છળધારી પુરમાં મુખ્ય થયા છે; વળી શ્રીવિજયની ઉપર પ્રસારણી વિદ્યા ચલાવીને દાઢી અને મૂછ ધરી રહેલા તે કેવું પ્રેક્ષા પૂર્વક કામ કર્યું છે, તે પણ વિચારી જે. પ્રતાપ વડે સૂર્ય જેવા શ્રીવિજયને શું તું નથી જાણતો ? જે પ્રતાપ રહિત હોય તેવા પુરૂષમાંજ
Page #224
--------------------------------------------------------------------------
________________
પવ ૫ મું તારૂં છલ ચાલે છે; તે વીર તારી વિદ્યાને નિષ્ફળ કરીને અહીં આવેલ છે અને હવે બલથી સુતારાને લઈ જશે, તે હે બુદ્ધિમાનું ! તું પિતાની મેળેજ જઈને પ્રથમથી સુતા રાને અર્પણ કર. જે પ્રણિપાત પૂર્વક સુતારાને સ્વયમેવ અર્પણ કરીશ તે તારા જીવિતનું કુશલ થશે, અન્યથા તો મૃત્યુ તૈયારજ છે.” દ્વતનાં આવાં વચન સાંભળી અશનિઘોષ મેઘના ગજરવ જેવી ઘોર ગિરાથી બે.-“અરે ! દૂત ! તું ઉદ્ધત અને નિર્લજ છે, આ દૂત કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યો નથી. જે શ્રીવિજય અહીં આવ્યું છે, તે તે બિચારા તપસ્વીથી શું થવાનું છે ? કદિ પક્ષીઓ મેરૂ પર્વત ઉપર જાય, તેથી શું તેમનામાં પરાક્રમ છે એમ સમજવું ? મારા એક લેશ માત્ર પરાક્રમથી તે નષ્ટ શક્તિવાળો થઈને પાછો ચાલ્યા જશે. કેમકે રેતીનું દેવાલય નદીના વેગને સહન કરી શકતું નથી. તેથી જે માર્ગે આવ્યા તે માગે તે પિતાને ઘેર ભલે ચાલે જાય; પણ જે સુતારાને માગશે તો તે યમરાજાને ઘેર જશે. આ બે વાતને વિચારી તે જાય કે રહે, ગમે તે કરે. તું પણ અહીંથી તત્કાળ જા અને આ પ્રમાણે મારી વાણી તેને કહે.”
આ પ્રમાણે અશનિઘોષનાં કહેલાં વચન સાંભળીને તે દૂતે નગરમાંથી નીકળી શ્રીવિજય પાસે આવી તે ઠગારાનો સંદેશે તેમને કહ્યો. કોપાનલમાં પવન જેવો તે સંદેશે સાંભળી રાજા શ્રીવિજયે પિતાની સજજ રાખેલી સેનાને પણ ફરીને સજજ કરી. શ્રીવિજયની સેનાને યુદ્ધમાં ઉત્કંઠિત જોઈને અશનિઘોષે યુદ્ધનું આતિથ્ય કરવાને પિતાના પુત્રોને આજ્ઞા આપી. તત્કાલ અશ્વઘોષ, શતઘોષ, સહસઘોષ, મહાઘોષ, ભીમઘોષ, ધનઘોષ અને મેઘઘોષ વિગેરે સર્વ પુત્રો સર્વ સામગ્રી લઈ યુદ્ધ કરવા માટે અમરચંચો નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા. તે વખતે બંને સૌખ્યમાં મોટા ધ્વનિથી શરદઋતુના મેઘ જેવાં રણવાજિંત્રો વાગવા માંડયાં. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતાં છત્રોથી આકાશ સે ચંદ્રવાળું દેખાતું હતું, કપાઇ પડતા મસ્તકથી જાણે ઘણું રાહુવાળું હોય તેમ જણાતું હતું, પડતા અને ચળકતા શલ્યોથી જાણે ઉલ્કાપાત થતા હોય તેવું દેખાતું હતું, મેટા મદગધી ગજે કોના પરસ્પર અફળાવાથી જાણે પર્વતો અફળાતા હોય અને રૂધિરના કાદવથી જાણે ભૂમિપર સંધ્યાનાં વાદળાં વિશ્રાંત થયાં હોય તેવું જણાતું હતું. તેમાં મદ્યની જેમ રૂધિરના પાનથી ભૂત વેતાલ ઉન્મત્ત થઈને નાચતા હતા. મોટા સુભટો હુંકાર કરીને જાણે મંત્રાસ ભણતા હોય તેમ લાગતા હતા, બાણોથી હણાતા હસ્તીઓના કુંભસ્થલમાંથી નીકળતા મુક્તાફલવડે અકિાશ બધું તારાવાળું દેખાતું હતું, અને સૌન્યના ઉડેલા રણુથી જાણે સર્વત્ર પ્રદોષકાલ ઉત્પન્ન થયા હોય તેમ દેખાતું હતુંએવું બંને સૈન્યમાં મેટું યુદ્ધ પ્રવર્યું. ઘોર ગદાના પ્રહારથી અતિ મૂછ પામેલા દ્ધાઓને કોઈ તેમના બંધુઓ પિતાના વસ્ત્રના છેડાથી પંખો કરી પવન નાખતા હતા. કેઈ તૃષાતુર થયેલા વીરોને જલના ઘડા લઈને ફરતી પ્રિયાએ વારંવાર જળપાન કરાવતી હતી. પિતાની પ્રિયાએ જોતાં છતાં દેવાંગનાએ આવીને “આ મારો પતિ, આ મારો પતિ એમ કહેતી કહેતી ઉત્કંઠાએ કઈ વીરોને વરતી હતી. કોઈ શત્રુનો મુગટ લઈને નાચતો હતો અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈ નાચતું હતું. જેમ વાનર એક વૃક્ષ પરથી બીજે વૃક્ષે જાય, તેમ કોઈ પોતાના ભમી ગયેલા રથમાંથી ઠેકડો મારીને બીજા રથમાં જ હતું. કોઈ વીર ચિરકાલ યુદ્ધ કરતાં અસ્ત્ર ખુટી જવાથી પિતાના મસ્તક પરથી શીરસ્ત્રાણ લઈ તે વડે પ્રહાર કરી શત્રુને મારી નાખતો હતે. કેટલાક દ્ધાઓ બધાં અસ્ત્રો ક્ષીણ થઈ જવાથી દાંત વડે જેમ હાથીઓ યુદ્ધ કરે તેમ ભુજાદંડથી યુદ્ધ કરતા હતા.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સર્ગ ૧ લે આ પ્રમાણે અસ્ત્રોથી, શસ્ત્રોથી અને માયાથી યુદ્ધ કરતાં બંને સૈન્યને કાંઈક ઉણો એક માસ વીતી ગયે. તે અરસામાં પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે, તેમ શ્રીવિજયના સૈન્ય અશનિઘોષના કુમારેને મારથી પીડિત કરીને ભગ્ન કરી દીધા. એ પ્રમાણે જોઈને વજના જેવી ગદા ઉપાડી પોતાના ભગ્ન થયેલા કુમારોને તિરસ્કાર કરતો અને શત્રુએને ત્રાસ પમાડતે અશનિઘોષ, વરાહ જેમ નાના સરોવરમાં અને મંદરાચલ જેમ સમુદ્રમાં પેસે તેમ વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈ શત્રુઓના રૌન્યમાં પેઠે. તત્કાલ તેણે અમિતતેજના પુત્રને ભગ્ન કરી દીધા. મનસ્વી જનો સામસામે બદલો તત્કાલ આપે છે. સુતારાના ભ્રાતૃજો (ભત્રીજાઓ) ને ભગ્ન થયેલા જોઈને શ્રીવિજય “ઉભું રહે, ઉભા રહે” એમ બોલતે પોતે અશનિષની સાથે યુદ્ધ કરવા આવ્યા. બંને વીરે પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા, પોતાની શસ્ત્રશકિત અને વિદ્યાશકિત બતાવતા, અતિ ચાલાકીથી એક બીજાના પ્રહારને વંચતા અને સુરઅસુરે એ જેવાતા મેટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાકમી શ્રીવિજયે ક્રોધ કરીને ખેડૂગવતી કેળની જેમ અશનિઘોષના બે કટકા કરી નાંખ્યા. એટલે તે બંને કટકામાંથી વડમાંથી વડવાઈની જેમ સૈન્યને ભયંકર એવા બે અશનિઘોષ થયા. તે બંને અશનિષના બે બે ભાગ કર્યા, તો તેમાંથી ચાર ઉદ્ધત અશનિષ થયા. તે ચારના બે બે ભાગ કર્યા, તો તેમાંથી આઠ અશનિઘોષ થયા. એ પ્રમાણે જેમ જેમ તેના ખંડ ક્યું તેમ તેમ શાળિના છેડની જેમ હજારે અશનિષ થઈ ગયા, ઘણા અશનિઘેષથી વિંટાઈ રહેલે પિતનપુરને રાજા વાદબાંવડે વિંટાઈ રહેલા વિધ્યાદ્રિ પર્વતના જે દેખાવા લાગે. એવામાં અશનિઘોષને છેદી છેદીને શ્રીવિજય શાંત થઈ ગયે, તેવામાં મહાજવાળા વિદ્યાને સાધીને અમિતતેજ ત્યાં આવ્યું. પ્રતાપથી ઉગ્ર તેજવાળા અમિતતેજને આવતા જોઈ સિંહથી મૃગલાની જેમ અશનિઘોષના સૈનિકે જીવ લઈને નાઠા. “દુષ્ટ શત્રુઓને નાસવા પણ દેવા નહીં” એવું ધારી તેણે સાધેલી મહાજવાળા વિદ્યા તેમની ઉપર છે. તે મહાવિદ્યાથી સદ્ય મેહ પામીને સર્વ શત્રુઓ અમિતતેજને શરણે આવ્યા. ગંધ હસ્તીના મદની ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિતતેજને જોતાંજ અશનિઘોષ ઉછુંખલ થઈ નાઠો. અમિતતેજે મહાજવાળા વિદ્યાને કહ્યું કે “આ દુરાત્માને તારે દૂરથી પણ અહીં પકડી લાવ.” તત્કાલ સર્વ વિદ્યાને અંત કરનારી એ મહા વિદ્યા કપ પામેલા કાળની જેમ અશનિઘોષની પછવાડે દેડી, તેનાથી પલાયન થતાં અશનિષને કોઈ ઠેકાણે પણ શરણ મળ્યું નહીં. છેવટ શરણની ઈચ્છાએ તે દક્ષિણ ભરતાદ્ધમાં પેઠે. તેના સિમાંતગિરિપર શ્રી ઋષભદેવ પ્રભુને રૌત્યમાં સમોસરણને ઠેકાણે એક ગજધ્વજ સ્થાપન કરેલ હતું. પૂર્વ સાગરને કાંઠે આવેલા તે ગિરિની ઉપર શુકલ ધ્યાનને ધરનારા બલદેવ મુનિ એક રાત્રિની પ્રતિમા સ્વીકારીને રહ્યા હતા. તેજ રાત્રિએ ઘાતિકર્મનો છેદ થવાથી મહામુનિને વિશ્વસંક્રમમાં દર્પણરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમના કેવળજ્ઞાનને મહિમા કરવાની ઈરછાએ જાણે નિમાયેલા અધિકારી હોય, તેમ સુરઅસુરે સત્વર ત્યાં આવ્યા હતા અને અભિનંદન, જગનંદન, જ્વલનજટી, વિજટી, અર્ક કીર્તિ, પુષ્પકેતુ અને વિમલમતિ વિગેરે ચારણ મુનિએ પણ ત્યાં આવી બલદેવ મુનિને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાસે બેઠા હતા. તે સમયે મહાવાળા વિદ્યા પાછળ આવવાથી ભય પામેલે અશનિષ તત્કાલ સમતારૂપ અમૃતના પ્રહરૂપ તે અચળ મુનીશ્વરને શરણે ગયે. મહાજ્વાળા અશનિઘુષને ત્યાં બેઠેલે જઈ પાછી વગઈ કેમકે કેવળીની સભામાં ઈદ્રના વજની પણ ફતિ થતી નથી. પોતાના નિષ્ફળપણથી લજા પામેલી તે વિદ્યાએ આવી, અમિતતેજને સર્વ વૃત્તાંત કહી આપ્યું.
Page #226
--------------------------------------------------------------------------
________________
વ ૫ મુ
૧૯૯
તે વૃત્તાંત સાંભળી મેઘધ્વનિથી મયૂરની જેમ અમિતતેજ અને શ્રીવિજય રાજા ઘણા ખુશી થયા. પછી એ નગરીમાંથી સુતારાને શીઘ્ર લઇ આવવાની મિરરને આજ્ઞા કરી અને ઉત્કંઠાથી પૂરાયેલા હૃદયવાળા અમિતતેજ અને શ્રીવિજય સૈન્ય સહિત પવનવેગી વિમાનવડે સીમાદ્રિપર સત્વર આવી પહાચ્યા. ત્યાં પ્રથમ ઋષભનાથ પ્રભુના ખિઅને વાંઢીને પછી બલદેવ મુનિને વંદના કરી તેમની આગળ તેએ બેઠા,
અહી' મિરિચ ચમરચચા નગરીમાં પ્રવેશ કરી અશનિદ્યાને ઘેર તેની માતાની પાસે આવ્યા; ત્યાં હિમપીડિત નલિનીના જેવી, પ'કમગ્ન કમલિનીના જેવી, દાવાનલે દગ્ધ થયેલી લતા જેવી, પાશમાં બંધાયેલી મૃગલી જેવી, ઝાંખી પડેલી ચંદ્રલેખા જેવી, કિનારાપર પડેલી માછલી જેવી, ખંધને પડેલી હાથિણી જેવી અને મરૂ દેશમાં રહેલી હ`સલી જેવી અત્યંત દુઃખી, ઉપવાસ કરતી અને મ`ત્રની પેઠે પતિના નામનું સ્મરણ કરતી સુતારા તેના જોવામાં આવી. મિરિચએ અભિનઘાષની માતાને કહ્યું કે · અમિતતેજે સુતારાને લાવવાને માટે મને આજ્ઞા કરી છે.’ એટલે અશિનઘોષની માતા સુતારાને લઈને જ્યાં તેના પતિ હતા ત્યાં અચળ ખળભદ્રે કેવળીની સભામાં આવી અને જાણે થાપણ રાખેલી હાય તેમ તે નિર્દોષ સુતારા, શ્રીવિજ્ય અને અમિતતેજને અર્પણ કરી. પછી તે પ્રસન્ન થઇ ભગવાન બળદેવ કેવળજ્ઞાનીને વાંદી ચાગ્ય સ્થાને બેઠી. તે વખતે અનેિધેાષે નર અને વિદ્યાધરના ઇંદ્ર એવા શ્રીવિજય અને અમિતતેજને મીઠાં વચનથી ખમાવ્યા.
તે સભામાં એ પ્રમાણે સર્વે શાંત કૌરવાળા થઈ ગયા, પછી અચલ સ્વામીએ તેમની શુદ્ધિ કરનારી દેશના આપી. દેશનાને અંતે અનિદ્યાષે લલાટે અંજલિ જોડીને બલભદ્નમુનિને વિજ્ઞપ્તિ કરી–“ હે મુનિવય ! પેાતાના સ્થાનમાં રહેલી આ સુતારાને હાથી જેમ કમલિનીને હરે, તેમ મેં કાંઇ દુષ્ટ મનથી હરી નહેાતી. પર`તુ પૂર્વે એકવાર હુ· ચમરચાંચા નગરીથી ભગવાન જયત મુનિના સ્થાનમાં ગયેા હતા અને ત્યાં નિવાસ કરીને મે' ભ્રમરની પેઠે કાંઇક ગણગણતાં સાત ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી. ત્યાંથી પાછા ક્રૂરતા જ્યાતિનમાં શ્રીવિજયની પાસે રહેલી આ સુતારા જોવામાં આવી. તેને જોવા માત્રથીજ તેની ઉપર કોઇ હેતુડે મને અકથ્ય સ્નેહ ઉત્પન્ન થયા. પછી મે ચિ ંતવ્યુ· કે આ રમણી વિના હું અહી થી જઇ શકીશ નહીં, કેમકે મારૂ મન જાણે બધાઈ ગયું હાય તેમ તેને લઈ જવાને ઉત્કંઠિત થાય છે. પણ શેષનાગના મસ્તકપર રહેલા મણિની જેમ આ ખલવાન્ શ્રીવિજયની પાસેથી આ સ્ત્રી હરી શકાય તેમ નથી. પછી પ્રતારણી વિદ્યાથી શ્રીવિજયને માહિત કરી સમળી જેમ હારલતાને હરે તેમ મેં તેનું હરણ કર્યું.
અનિહિત સુતારાને મે મારી માતાની પાસે રાખી. ચંદ્રને પણ કલંક છે, પરંતુ આ સુતારામાં જરા પણ નથી. મેં કિ પણ તેની પાસે કાંઈ કુવચન કહ્યું નથી. તેા હે ભગવન્ ! તેની ઉપર મને આટલા બધા સ્નેહ થવાનુ શુ કારણ છે ? તે આપ કહો.” પછી ભગવંતે સત્યભામા અને કપિલની તથા શ્રીષેણ અને શિખિન દિતા તથા અભિન'દિતાની કથા કહી બતાવી. પછી એ મુનિવરે કહ્યું કે “ શ્રીષેણુ, અભિન દિતા, શિખિન‘ક્રિતા અને સત્યભામા મૃત્યુ પામીને યુગલીઓ થયા હતા. ત્યાંથી મૃત્યુ પામી તે ચારે સૌધ દેવલેકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચવીને શ્રીષણના જીવ આ અમિતતેજ થયા. શિખિન દિતાના જીવ તેની પત્ની જ્યેાતિઃપ્રભા થયા. અભિનંદિતાના જીવ આ શ્રીવિજય થયેલ છે અને સત્યભામાના જીવ આ સુતારા થયા છે. કપિલ આર્ત્તધ્યાને મૃત્યુ પામી અનેક ચેનિઆમાં ભમ્યા; અને આર્ત્ત ધ્યાનથી બાંધેલું કર્મ અકામ નિજ રાવડે તિયાઁચ ચાનિ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સગ ૧ લો
અને નારકીમાં ઉત્પન્ન થઈને ખપાવ્યું. પછી ભૂતરત્ન નામની અટવીમાં ઐરાવતી નદીના કાંઠા ઉપર તાપસના અગ્રેસર જટિલ કૌશિક નામના તપસ્વીની પવનવેગા નામની પત્નીથી એ કપિલનો જવ શમિલાયુગના ન્યાયે ધમિલ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. આંગણાનાં વૃક્ષની જેમ તપસ્વીઓએ લાલનપાલન કરેલે ધર્મિલ અનુક્રમે મોટો થયો એટલે માથે જટા રાખી પોતાના પિતાની પાસે તાપસી દીક્ષા લઈ તેણે બાલ તપ કરવાનો આરંભ કર્યો. કેમકે તે કાર્ય તેના પિતૃ પરંપરાએ ચાલ્યું આવેલું હતું. હેમંતઋતુમાં પર્વતના પથ્થરો જેમ ઝરણાને સહન કરે, તેમ હિમવડે ભયંકર એવી રાત્રિઓમાં ગળતા શીતળ જળના સંપાતને તે સહન કરવા લાગ્યા. ગ્રીષ્મઋતુમાં મધ્યાહુને માથે સૂર્ય અને આસપાસ પ્રજવલિત ધુણીઓ કરીને તે પંચાગ્નિના તાપ સહન કરવા લાગે. ચોમાસામાં મેઘની વૃષ્ટિ વડે પૂરાયેલી ખીણ અને સરોવરમાં કંઠ સુધી જલમાં રહી અઘોર મંત્રને જપવા લાગે. અપૂકાય અને પૃથ્વીકાય છેને પીડા કરવામાં ઉછુંખલ થયેલા ધર્મિલે વાપી, કૃપ અને સરોવરો ખેદ્યા અને ખોદાવ્યા. બાલકની પેઠે અ૮૫ બુદ્ધિવાળા તેણે દાતરડાં અને કુહાડા લઈ કૃષિકારની જેમ પોતાની મેળે ઘણા સમિધ અને દર્ભ છેદી નાખ્યા. વળી ધુણ જાતના જીના દાહથી અને પતંગના પડવાથી થતા પાપમાં નિર્ભય થઈ તેણે ધર્મની સઘડીઓ કરી અને માર્ગમાં દીપદાન કરવા માંડ્યાં. ભજનની પહેલાં અતિથિની જેમ કાગડા વિગેરે દુષ્ટ તિર્યંચોને તેણે પિંડદાન આપ્યાં. વડ, પિપળા અને અરિઠા વિ. ગેરે વૃક્ષને તેણે દેવની પેઠે પૂજ્યા અને વાંદ્યા. ગાયોની પૂજા કરી. પૂરા સહિત જલવડે વૃક્ષોનું સિંચન કર્યું, અને સ્થાને સ્થાને જલની પરબે બાંધી. આ પ્રમાણે એ મુગ્ધબુદ્ધિ ધર્મિલે પૂર્વોક્ત સર્વ કાર્ય ધર્મ બુદ્ધિથી કરતાં કરતાં ઘણું કાલ નિર્ગમન કર્યો અને તેથી પ્રયાસ માત્ર ફળ મેળવ્યું. એક વખતે મહદ્ધિકની જેમ વિમાનપર બેસીને આકાશમાર્ગે જતો એક વિદ્યાધર તેના જેવા માં આવે; તેને જોઈ “આ તપના ફલથી હું ભવાંતરે આવે થાઉં” એવું તેણે નિયાણું કર્યું અને અનુક્રમે મૃત્યુ પામ્યા. ત્યાંથી ચરમચંચા નગરીમાં વિદ્યાધરના રાજા ઈદ્રીશનિની આસુરી નામની પત્નીથી તું પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વ જન્મના સંબંધથી સુતારાની ઉપર તને ગાઢ સ્નેહ ઉપન્ન થયે કેમકે પૂર્વ સંસ્કાર સેંકડે જન્મ સુધી ચાલ્યાં આવે છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળી સુતારા, અમિતતેજ, શ્રી વિજય અને અશનિવેગ પરમસંવેગ અને વિસ્મય પામ્યા. પછી અમિતતેજે પૂછયું- “હે મુનિવર્ય ! હું ભવ્ય છું કે અભવ્ય છું ? બલભદ્ર મુનિ બોલ્યા- આ ભવથી નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રની અંદર બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ સેવન કરા, ચૌદ મહારત્નને નાથ, નવનિધિને ઈશ્વર. લવણ સમુદ્ર તથા શુદ્ર હિમાલય જેની મર્યાદા છે એટલી પૃથ્વીનો સ્વામી અને માગધાદિક દેવકુમારે એ સેવેલે એ તું પાંચમે. ચક્રવર્તી થઈશ, અને તેજ ભવમાં ચેસઠ ઈ ઢોએ જેના ચરણને સેવેલ છે એવા શાંતિનાથ નામે સળમાં તીર્થકર પણ તમેજ થશે. તે વખતે આ શ્રી વિજય રાજા તે તમારા પહેલા પુત્ર અને પહેલા ગણધર થશે.” આ પ્રમાણે સાંભળી શ્રી વિજય અને અમિત જે અચળ મુનિને પ્રણામ કરીને શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યો. અશનિઘોષે બલભદ્ર મુનિને પ્રણામ કરી ભક્તિવડે નગ્ન થઈ વિજ્ઞપ્તિ કરી.-“હે સર્વજ્ઞ પ્રભુ ! આપના મુખથી મેં પૂર્વ ભવમાં ભગવેલ દુઃખ સાંભળવાથી મારું મન તે આવેશથી અત્યારે પણ કંપે છે. હે ભગવન ! તમારા કહેવા પ્રમાણે કપિલના જન્મમાં પ્રિયાના વિયોગથી મેં જે આર્તધ્યાન કર્યું હતું, તેથી વિવિધ પ્રકારના વધ, છેદ અને ભેદ વડે ભયંકર નિમાં ઉત્પન થઈ થઈ મને બહુ વાર તેનું ફળ મળ્યું. ત્યાર પછી અકામ નિર્જરાએ માંડ માંડ તે દુષ્કર્મને જીણુ કરી હું પૂર્વ
Page #228
--------------------------------------------------------------------------
________________
પર્વ પ મું
૨૦૧ ભવમાં મનુષ્યપણાને પામ્યો. પરંતુ તેમાં પણ અભાગ્ય યોગે જિનધર્મ નહીં પામવાથી તાપસ થઈ અ૫ ફળવાળું અને બહુ કષ્ટવાળું મેં બાળ તપ કર્યું; તેવા તપને પરિણામે પણ પાછું નિયાણું કરી આ ચમરચંચા નગરીમાં હું વિદ્યાધરનો પતિ થયો. પણ હે પ્રભુ! તેવા નિદાનવાળા તપનું, પરસ્ત્રીહરણનું અને મહાવાળા વિદ્યાના ભયનું મને તે મહાશુભ ફળવાળું પરિણામ આવ્યું કે જેથી સર્વ દુઃખમાંથી છોડાવનારા આપ જેવા મહામાનું શરણ મળ્યું. પાસે રહેલી વસ્તુને પણ જેમ અંધ ન જાણી શકે તેમ જિનધર્મને નહીં જાણતો હું આટલા ભવ પર્યત ભયે પરંતુ હવે આપ મારી રક્ષા કરો. હે વિભુ ! અત્યાર પછી યતિધર્મ વિના મારી એક ક્ષણ પણ જશે નહીં માટે મને હમણા જ દીક્ષા આપ.” “તે ગ્ય છે” એમ કહી મુનિએ અનુગ્રહ કરેલ અશનિઘોષ ઉત્તમ આશ્રયને પામીને વિનયથી અમિતતેજ પ્રત્યે બોલ્યો-“કમરૂપ ઘાસમાં અગ્નિ સમાન આ જવલનજટી પ્રત્યક્ષ વિજયી ધર્મ હોય તેવા તમારા પૂજ્ય પિતામહ છે; આ ભગવાન અર્ક કીર્તિ કે જે તૃણની જેમ વૈભવનો ત્યાગ કરનાર અને તપના તેજવડે અર્ક (સૂર્ય) જેવા તમારા પિતા છે અને ભાવી ચક્રવત તેમજ ભાવી તિર્થંકર એવા તમે છો તો તમને પ્રણિપાત કરતાં જે કે હું માની છું તે છતાં પણ મને કાંઈ લજા નથી. માટે હવે આ ચમચંચા નગરીનું મારું રાજ્ય અને અધષાદિક આ મારા પુત્ર અને મારું બીજું જે કાંઈ છે તે બધું તમારું જ છે એમ જાણજે, જુદું જાણશે નહીં.” આ પ્રમાણે કહી પિતાના મોટા પુત્ર અશ્વઘોષને ક્ષીરકંઠ બાલકની પેઠે અમિતતેજના ઉત્સંગમાં અર્પણ કર્યો. પછી ઈદ્રા શનિના કુમાર અશનિષે ઘણુ રાજાઓની સાથે અચળ સ્વામીની પાસે દીક્ષા લીધી. શ્રીવિજયની માતા સ્વયંપ્રભાએ પણ ત્યાં આવી અચળ સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી બલભદ્ર મુનિને નમીને અમિતતેજ, શ્રીવિજય અને અશ્વઘોષાદિક પિતપિતાને સ્થાનકે ગયા.
અપાર લમીવાળો શ્રીવિજય અને અમિતતેજ શક અને ઈશાન ઇંદ્રની જેમ પુષ્કળ લક્ષ્મીવડે નિરંતર અહેવના મંદિરોમાં ઉત્કૃષ્ટ રીતે અઈ ઉત્સવદિ આચરતા, એષણય, ક૯૫નીય અને પ્રાસુક પદાર્થોનું સાધુઓને દાન આપી પોતાની સમૃદ્ધિને કૃતાર્થ કરતા, અનેક ચિંતારૂપ શ્રીમતુથી આર્જા પ્રાણીઓની પૂર્વ દિશાના પવન અને મેઘની જેમ સર્વ પીડાને હરતા, વળી સારી બુદ્ધિવાળા તેઓ રાતદિવસ આત્મગોષ્ઠીમાં રહેતા, ગુરૂની પાસેથી શાસ્ત્રના રહસ્યને ભાવથી સાંભળતા, ખડીતે માણસ છાયાને પણ તજે તેમ કુતીથની ગોષ્ઠીને છોડી દેતા, કુપથ્યની જેમ અખિલ વ્યસનો ત્યાગ કરતા, કેઇવાર ક્ષણમાત્ર વિષયસુખ અનુભવતા, ચાગ્ય અવસરે રાજ્યની પોપ ૨હિત એવી ચિંતાને ચિંતવના અને પિતાના નગરમાં પણ એક મનવાળા થઈને રહેતા તેઓ કાળ નિગમન કરવા લાગ્યા.
એકદા મૈત્ય પાસે આવેલા પૌષધાગારમાં પોસહ ગ્રહણ કરીને વિદ્યાધરોને અહંત ધર્મ કહેતા હતા, તે સમયે શ્રી જિનબિંબને વાંદવાની ઈચ્છાએ જાણે ધર્મની બે ભુજા હોય તેવા બે ચારણ મુનિ તે ચૈત્યમાં ઉતર્યા. તેમને આકાશમાંથી ઉતરતાં જોઈને અમિતતેજ ઉભે થયે અને ઈષ્ટના દર્શનથી હર્ષ પામીને તેમને વંદના કરી. બંને મુનિઓએ જિનંદ્રને ત્રણ પ્રદક્ષિણ કરી વંદના કરી, પછી અમિતતેજને કહ્યું—“મરૂસ્થળમાં જળની જેમ આ સંસારમાં માનખ્યત્વ અતિ દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તે કદિપણ તેને વ્યર્થ રીતે ગુમાવવું નહીં અને ૨૬
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સર્ગ ૧ લે શ્રી જૈન ધર્મના આરાધનમાં જરાપણ પ્રમાદ કરે નહીં. કેમકે તે ધર્મ વિના ઉત્તરોત્તર મનોરથને પૂરનાર બીજું કઈ નથી.” આ પ્રમાણે કહી વિશ્વને ઈષ્ટ દર્શનવાળા તે બંને ચારણ મુનિ વર્ષાકાળના મેઘની જેમ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રી વિજય અને અમિતતેજ પ્રતિવર્ષે શ્રી અર્વતના રૌમાં ત્રણ મહોત્સવ કરવા લાગ્યા. તેમાં રૌત્ર અને આશ્વિન માસની બે અઠ્ઠાઈઓના ઉત્સવ દેવતાઓ નંદીશ્વર દ્વીપે જઈને કરે છે અને બીજાઓ પોતપોતાના રમૈત્યમાં કરે છે તે પ્રમાણે રૌત્ર અને આશ્વિન માસમાં પોતપોતાના
ત્યમાં કરતા હતા, અને ત્રીજે આશાશ્વત (અનિયમીત વખતનો) ઉત્સવ સીમાદ્રિ ઉપર જઈને શ્રી ઋષભનાથના વીત્યમાં બળદેવની જ્ઞાનભૂમિને સ્થાનકે કરતા હતા.
એક વખતે રાજા અમિતતેજ મેરૂપર સૂર્યની જેમ પોતાના મહેલપર પ્રધાનમંડળના પરિવાર સાથે બેઠા હતા તેવામાં કાદવ અને જલ સુકાઈ ગયાં હોય એવા ગ્રીષ્મ ઋતુના સરોવરની જેમ તપથી જેનાં માંસ તથા રૂધિર સુકાઈ ગયાં હતાં, ઉદ્વેગ સાગરની જેમ જેના શરીરપર નસોનું જાળ દેખાતું હતું. જીર્ણ વાંસની જેમ જેના શરીરના સાંધાઓ કડકડ બેલતા હતા, પ્રગટ કરેલી પર્શની જેવું જેમનું ઉદર દુબળ અને ભીષણ દેખાતું હતું, તેમજ નિર્દોષ તપ સંપદાના તેજથી જે પ્રકાશી રહ્યા હતા–એવા ધર્માદર્શ તુલ્ય માસક્ષપણુક કઈ મુનિ ભિક્ષા માટે નગરમાં આવેલા તેમને જોવામાં આવ્યા. એક જિનદર્શનજ જેને પ્રિય છે એ અમિતતેજ તેમને જોતાંજ મહેલથી ઉતરી તેમની પાસે આવ્યો, અને ત્રણ પ્રદક્ષિણા કરી વાંધી નિર્દોષ અન્નાદિક વડે તેમને પ્રતિલાભિત કર્યા. તે વખતે સત્પાત્રને આપેલા અનાદિક દાનના પ્રભાવથી વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. એવી રીતે ધમચેષ્ટા કરતાં અને સુખમગ્ન રહેતાં શ્રી વિજય અને અમિતતેજને હજારો વર્ષ વીતી ગયાં.
એક સમયે અમિતતેજ અને શ્રીવિજય સાથે મળીને નંદન વનમાં રહેલા શાશ્વત અહે". તને વંદના કરવા ગયા. વંદના કરીને કુતુહલથી ભમતાં ભમતાં નંદન વનની રમણિક ભૂમિ જેવા લાગ્યા. તેવામાં વિપુલમતિ અને મહામતિ નામના બે ઉત્તમ ચારણ મુનિ સુવર્ણશિલાપર બેઠેલા તેમના જોવામાં આવ્યા, એટલે તેમની પાસે જઈ પ્રદક્ષિણા કરી વાંદીને બંને શ્રાવક રાજા તેમની પાસે બેસી, આ પ્રમાણે ઘમદેશના સાંભળવા લાગ્યા.
“આ જગતમાં મૃત્યુ સર્વ પ્રાણીઓની સમીપે હંમેશાં રહેલું છે તેથી કસાઈને ઘર“માં રહેલા પશુઓની જેમ આ પ્રાણીઓનું જીવિત ચપલ છે. જે મનુષ્ય આયુક્ષણિક છે “એવું જાણે છે તથાપિ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તે મોહને જ વિલાસ છે. જન્મથી માંડીને
ને મૃત્યુ સુધી મેહ એ માટે શત્રુ છે કે તે મનુષ્યના હિતકારી ધમને મૂલમાંથી “છેદી નાંખે છે. તેથી માનવજન્મના ફળની ઈચ્છા એ મેહને છેદીને નિરંતર ધર્મ કર “કે જેથી ફરીને પણ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય.”
આ પ્રમાણે દેશના સાંભળી પિતાનું અવશેષ આયુષ્ય કેટલું છે? એ તેમણે પ્રશન કર્યો. એટલે હવે માત્ર છવીસ દિવસનું આયુષ્ય બાકી છે એ મુનીશ્વએ પ્રત્યુત્તર આપ્યું. આવું મુનિ વાક્ય અમેઘ જાણી તે નર અને વિદ્યાધરના રાજા નિર્વેદયુક્ત મહા પશ્ચાત્તાપ કરતા આ પ્રમાણે બોલ્યા-“અરે ! નિદા નિદ્રાઉની જેમ, સદા મદ પીનારની જેમ, સદા બાળકની જેમ, સદા મૂઈિતની જેમ અને સદા અપસ્મારીની જેમ અમોએ અરણ્યમાં ઉગેલા પુષ્પની માફક આ મનુષ્યજન્મ પ્રમાદમાંજ નિષ્ફળ ગુમાવી નાંખે છે.” ચારણમુનિ તેમને પ્રતિબોધ કરવાને બોલ્યા-“હે મહાનુભાવ! ખેદ કરે નહીં. અદ્યાપિ
Page #230
--------------------------------------------------------------------------
________________
પવ ૫ મું
: ૨૦૧૩
તમારે પ્રવજ્યા લેવી યુક્ત છે. જેમ નિશાને અંતે થયેલી ચંદ્રતિ કુમુદવિકાશનું કારણ થાય છે તેમ જન્માંતે પણ ગ્રહણ કરેલી દીક્ષા કલ્યાણની હેતુ થાય છે. ચારણ મુનિના આવા પ્રતિબોધથી શ્રીવિજય અને અમિતતેજ ધર્મક્રિયામાં ઉત્સુક થઈ પોતપોતાની રાજધાનીમાં આવ્યા. ત્યાં મુખ્ય જિન ચીત્યમાં મોટો અડ્રાઈઉત્સવ કર્યો અને દીન તથા અનાથ પ્રાણીઓને યથારૂચિ દાન આપ્યું. પછી પોતપોતાના પુત્રને રાજ્ય સૅપી બંને રાજાઓએ અભિનંદન અને જગનંદન મુનિની પાસે જઈ વ્રત કર્યું, અને તરતજ પાદપપગમ નામે અનશન પણ અંગીકાર કર્યું. તે સમયે શ્રીવિશ્વે પિતાના પિતાનું સમરણ કર્યું અને તેમની અધિક સમૃદ્ધિ અને પિતાની હીન સમૃદ્ધિ વિચારીને “હું તેમના જે થાઉં” એવું નિયાણું બાંધ્યું. નિયાણું કરનાર શ્રી વિજય અને નિયાણું નહીં કરનાર અમિતતેજ આયુક્ષયે મૃત્યુ પામી પ્રાણત નામના દશમા ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવર્ત અને નંદિતાવ વિમાનના સ્વામી મણિલ અને દિવ્યચુલ નામે દેવતા થઈ તેઓ સુખે રહેવા લાગ્યા. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત અર્થને સિદ્ધ કરનારા તે દેવતાઓએ રતીસાગરમાં ગાઢ મગ્ન થઈ વીશ સાગરોપમનું આયુષ્ય સુખે નિર્ગમન કર્યું.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ____ महाकाव्ये पंचमे पर्वणि श्रीशांतिनाथदेवस्य
श्रीषेणादिभवपंचकवर्णनो नाम प्रथमः सर्गः १ ॥ 忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍鸡鸡鸡鸡
Page #231
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે.
આ જ બુદ્વીપમાં પ્રાષ્યિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં સીતા નદીના દક્ષિણ તટને વિષે પૃથ્વીના શુભ વ્યુહને કરનારી પરમ સમૃદ્ધિ વડે શુભ અને શુભ લક્ષમીનું સ્થાન શુભા નામે એક નગરી છે. તેમાં સ્થિરતા માં મેરૂ જેવા અને ગાંભીર્યમાં સાગર જે સ્તિમિતસાગર નામે રાજા હતા. તેને અપ્સરાની સૌભાગ્ય સંપત્તિને પરાભવ કરનાર અને શીળની ધુરાને ધરનાર વસુંધરા અને અનુરા ને મે બે પત્ની હતી. નંદિતાવર્તા વિમાનમાંથી ચવી અમિતતેજનો જીવ વસુંધરા દેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલી વસુંધરા દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વમ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. તે સમયે તેને ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામી હોય તેમ નિદ્રા દૂર ગઈ. એટલે રાણીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “પ્રાણનાથ ! મેં આજે સ્વમમાં વાદલમાં ચંદ્ર પ્રવેશ કરે તેમ સ્ફટિકના ગિરી જે ચાર દાંતવાળો હાથી મુખમાં પ્રવેશ કરતો જે શરદઋતુના વાદળાનો બનાવેલો હોય તે નિર્મલ કાંતિવાળો, ઉંચી કાંઢવાળે અને સરલ પંછવાળે ગર્જના કરતા વૃષભ મારા જેવામાં આવ્યું; દૂર પ્રસરતાં કિરણોના અંકુરોથી જાણે દિશાએને કર્ણાભરણ રચતે હોય તે ચંદ્ર અવલે, અને ત્યાર પછી ગુંજારવ કરતા ભ્રમરાઓથી જાણે શતમુખે ગાતું હોય તેવું અને વીકાશ પામેલા કમળાવડે પરીપૂર્ણ સરેવર જોયું. હે સ્વામી! આ સ્વમનું શું ફલ પ્રાપ્ત થશે તે મને કહો. ઉત્તમ સ્વપને માટે સામાન્ય માણસને પૂછવું અનુચિત છે.” રાજાએ કહ્યું- હે દેવી ! લક્ષ્મીવડે દેવ જે અને લોકોત્તર બળવાળો તમારે બલભદ્ર પુત્ર થશે' ત્યારથી જેમ રત્નગર્ભા પૃથ્વી નિધાનને અને વંશલતા મુક્તાફળને ધારણ કરે તેમ વસુંધરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે મહાદેવીએ ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રીવત્સના ચિન્હવાળા, વેતવર્ણ વાળા, પૂર્ણ અવયવવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક સુંદર પુત્રને જન્મ આપે. પુત્રના જન્મથી સ્તિમિતસાગર રાજા પાર્વણ ઇંદુના ઉદયથી સાગરની જેમ હર્ષ પામ્યા. પિતાએ બારમે દીવસે બાર સૂર્ય જેવી કાંતિવાળા તે પુત્રનું અપરાજિત નામ પાડયું. પુત્રને જોતાં, ચુંબન કરતાં, આલિંગન કરતાં અને ઉસંગમાં બેસારતાં મહારાજા, ધનને પ્રાપ્ત કરનારા નિર્ધનની જેમ કદિપણ વિરામ પામતા નહોતા. ત્યાર પછી કેટલેક કાળે સુસ્થિતાવર્ત વિમાનમાંથી ચવીને શ્રીવિજયનો જીવ અનુદ્ધરા દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી અનુદ્ધરાદેવીએ રાત્રિના શેષ ભાગે પોતાના મુખમાં પ્રવેશ કરતાં સાત સ્વમ જોયાં.
પ્રથમ કુંકુમ જેવી અરૂણ કેસર, ચંદ્રલેખા જેવા નખ અને ચમરના જેવા પં છવાળ કિશોર કેશરીસિંહ જે. પછી સુંઢમાં પૂર્ણ કુંભને ધરનારા બે હાથીએ ક્ષીર જલથી અભિષેક કરાતાં પદ્માસના લક્ષ્મીદેવી જોયાં. પછી મેટા અંધકારને ટાળનાર, રાત્રિને પણ દિવસ કરનાર અને પ્રચંડ તેજને પ્રસારનાર સૂર્ય અવલે. પછી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જલથી પૂર્ણ, મુખ ઉપર પુંડરીક કમળથી અર્ચિત, સુવર્ણ થી ઘડેલે અને પુષ્પમાળાથી શોભતે પૂર્ણ કુંભ જોયે. પછી વિવિધ જલચર પ્રાણીઓથી ભરપૂર, રત્નસમૂહથી પ્રકાશિત અને ગગન પર્યત ઉછળતા તરંગવાળે સમુદ્ર અવલે. પછી પંચવણ મણિની - ૧ પૂર્ણિમાનો ચંદ્ર
Page #232
--------------------------------------------------------------------------
________________
વ ૫ મુ
૨૦૧
તિના પ્રસરવાથી ગંગનાંગણમાં ઇંદ્રધનુષ્યની શેશભાને ધરતા રત્નના સંચય જોયા; અને છેલ્લે ધૂમ્ર રહિત, જવાળાઓથી આકાશને પલ્લવિત કરતા અને જોવા ચાગ્ય સુખદાયક પ્રકાશવાળા અગ્નિ અવલોકયા. આ પ્રમાણે સાત સ્વસ જોઇ જાગ્રત થયેલી અનુન્દ્વરા દેવીએ તે પતિની પાસે નિવેદન કર્યા.. તે સાંભળી રાજાએ કહ્યું-‘તમારે વાસુદેવ પુત્ર થશે. ’ સ્વમફળ સાંભળી દેવી ખુશી થયા. સમય આવતાં આકાશ જેમ મેઘને જન્મ આપે, તેમ દેવીએ નેત્રને ઉત્સવ આપનાર અને નીલ કમળના જેવા શ્યામ વર્ણ વાળા કુમારને જન્મ આપ્યા. અનુદ્ધુરાના ઉત્તરથી ઉત્પન્ન થયેલા એ મહાવીર્ય કુમારનુ' રાજાએ માટા ઉત્સવથી અનંતવી એવું નામ પાડયુ. હુંસ જેમ એક કમલથી બીજા કમલ પર જાય તેમ રાત્રિદિવસ ધાત્રીઓના ઉત્સંગમાં ફર્યા કરતા તે રાજકુમાર હળવે હળવે વૃદ્ધિ પામ્યા. અનુક્રમે વધેલા અને રમણીએએ જોયેલા એ રમણીય આકૃતિવાળા વાસુદેવ પાતાના મોટાભાઇની સાથે મિત્રની જેમ રમવા લાગ્યા. જાણે વર્ષાઋતુ અને શરદઋતુના મેઘ એક ઠેકાણે મળ્યા હાય તેમ શ્વેત અને શ્યામ શરીરવાળા એ બંને ભાઇએ શેાભતા હતા. યાગ્યવયે તેમણે લીલામાત્રમાં સર્વ શાસ્ત્રો શીખી લીધાં. ‘તેવા પુરૂષોને પૂર્વ ભવે અભ્યાસ કરેલી વિદ્યા સ્વયમેવ પ્રાપ્ત થાય છે. ' તેમણે ગુરૂની પાસે એવા અભ્યાસ કર્યા કે જેથી તેઓ ગુરૂના જ્ઞાનને જીવાડનાર થઇ પડયા. અનુક્રમે તે લક્ષ્મીનુ વાસગૃહ અને મંત્રતંત્ર વગરનુ કામિનીજનને કામણુરૂપ યૌવનવય પામ્યા.
એકદા વિવિધ અતિશયવાળા સ્વયં પ્રભ નામે મુનિ ત્યાં પધાર્યા. તેમણે નગરની બહાર ઉપવનના કાઈ ભાગમાં નિવાસ કર્યાં. તે સમયે અશ્વક્રીડામાં ચતુર રાજા સ્તિમિતસાગર અશ્વને ખેલાવવા માટે નગરની ખહાર નીકળ્યા. ઉન્મત્ત અને શાંત અવેાને ખેલાવી અશ્વક્રીડામાં રેવંતકુમાર જેવા તે રાજા શ્રાંત થઈને તેજ વનમાં આવ્યા. ઘણા તરૂણ વૃક્ષાથી જાણે તેમાં મેઘ વિશ્રામ લેવા આવ્યા હોય તેવું, નીકવડે ઝરણાવાળા ગિરિ હાય તેવું, કદલીના પત્રથી જાણે પાંથજનને ૫ખા કરતુ. હાય તેવું અને સર્વત્ર ઉગેલી લીલેાતરીથી જાણે મરકત મણિથી તળ ખાંધ્યું હોય તેવું તે વન દેખાતું હતું. એલાઇચી, લવી'ગ, ક કાળ અને ચારેાળીની ખુશબેને વહન કરતા સુખકારી પવને તેમાં માન કરનારી દાસીનુ કામ કરતા હતા. પૃથ્વીપર રહેલુ જાણે નંદનવન હોય તેવા તે ઉદ્યાનમાં રાજા હર્ષોંથી નેત્રને સ્થિર કરતા પેઠા. ક્ષણવાર વિશ્રામ લઈ આગળ જોયું તેા અશેકવૃક્ષની નીચે ધ્યાન ધરતા પ્રતિમાધારી મુનિને જોયા. તત્કાલ શીત લાગવાની જેમ ભક્તિથી તે શમાંચિત થઈ ગયા. મુનિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી. મુનિએ પેાતાનું ધ્યાન પારી ધર્મલાભ રૂપ આશિષ આપી. સત્પુરૂષો પેાતાનું આરંભેલુ` કા` બીજાના હિતને માટે છેડી દે છે, પછી સ્વયંપ્રભ મુનિએ જેવા જોઈ એ તેવા ઉદાહરણાથી શ્રોતાને જાણે પ્રત્યક્ષ અનુભવ કરાવતી હેાય એવી ધર્મદેશના આપી. તે દેશના સાંભળી રાજા ક્ષણવારમાં પ્રતિબેાધ પામ્યા. ઘેર જઇ પાતાના પુત્ર અનંતવીને રાજ્યાસને બેસાયે; અનંતવીય તથા અપરાજિતે જેના નિગમોત્સવ કરેલા છે એવા રાજાએ સ્વય’પ્રભ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. એ મહાત્માએ દુઃસહ પરીસહાને સહન કરી મૂલ ગુણ અને ઉત્તર ગુણ ચિરકાલ પાલન કર્યા. છેવટે દૈવયેાગે તેનાથી મન વડે ચારિત્રની વિરાધના થઈ ગઈ, તેથી મૃત્યુ પામી તે ભુવનપતિ નિકાયમાં ચમરેદ્ર થયા. નિઃસીમ પરાક્રમ રૂપ ધનવાળા અને દેવતાથી પણ અપરાજિત એવા અન તવીય પેાતાના ભાઈ અપરાજિતની સાથે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. એક વખતે કોઈ વિદ્યાધરની સાથે તે બંને ભાઇઓને પવિત્ર ચૈત્રી થઈ ગઇ, સત્પુરૂષોના સંસગ સત્પુરૂષાની સાથે જ થાય છે, તે વિદ્યાધરે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સગ ૨ જો
તેમને મહાવિદ્યા આપી અને ‘આ વિદ્યાનુ તમે સાધન કરો' એવા ઉપદેશ આપી તે વૈતાઢય ગિરિપર પેાતાને સ્થાનકે ગયા. અનંતવીય અને અપરાજિતને ખરી અને કિરાતી નામે એ દાસીએ હતી. તે ગીત, નાટય વિગેરે કલામાં ઘણી કુશલતા ધરાવતી હતી, રંભાદિક અપ્સરાઓથી પણ સુદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીએ ખલભદ્ર અને અનંતવીના ચિત્તનું રંજન કરતી હતી.
એક વખતે ખલભદ્ર અને વાસુદેવ તે રમણીઓની પાસે સભામાં ઉત્તમ નાટક કરાવતા હતા; તેવામાં ચ'ચળ શિખાને ધારણ કરનાર, સર્વ સ્થાનકે છુટથી ફરનાર, સર્વત્ર કલ જોવામાં કૌતુકવાળા અને સ્થિરતામાં પારા જેવા અસ્થિર નારદ ફરતાં ફરતાં તે સભામાં આવી ચડયા. ત્રિદંડધારી નારદના હાથમાં વીણા હતી, અક્ષસૂત્ર, બ્રહ્મસૂત્ર અને કેપીન ધર્યા હતાં, વર્ષે શ્વેત હતા, હંસની જેમ આકાશમાં ચાલતા હતા, સુવણૅ ની પાદુકા ઉપર પગ રાખેલ હતા અને હાથમાં કમંડલ હતું. તે વખતે ખરી અને કિરાતીનુ' મનેહર નાટક જોવામાં બંને ભાઈઓનાં મન વ્યાક્ષિપ્ત હેાવાથી તેમણે નારદ ઋષિને માન આપ્યું નહીં', તેથી નારદે કાપ કરીને વિચાર્યું કે ‘આ મદ ભરેલા પુરૂષોની પાસે હું અભ્યાગત થઇને આવ્યા, તથાપિ તે મને માન આપવાને ઉભા થયા નહી. અરે! આ નીચ ચેટીઆના નાટકને બહુ માન આપે છે, ને હુ આવ્યા છું છતાં તેઓ હીન જનની પેઠે મારી સામું પણ જોતા નથી ! તેથી દાસી પર પ્રીતિ રાખનારા આ બંને અધમ પુરૂષોને તેની અવજ્ઞાનું ફળ હમણાજ હુ બતાવું. આ પ્રમાણે ચિંતવી નારદ પવનની પેઠે વૈતાઢગિરિ ઉપર રહેલા દમિતારિ રાજાની પાસે ગયા. લક્ષ્મી વડે ઇંદ્ર જેવા વિદ્યાધરોના રાજા મિ તારિ સેંકડો વિદ્યાધરોના પરિવાર સાથે બેઠા હતા. તે દૂરથી નારદને આવતા જોઇ સિંહાસન અને પાદુકાનેા ત્યાગ કરી સસ'ભ્રમપણે તેને માન આપવાને ઉભા થયા. તેમને બેસવાને સિંહાસન અપાવ્યુ’. ‘તેવા ઋષિઓને જેટલું માન આપે તેટલું થાડુ છે. ’ નારદ તે સિંહાસન પર નહીં બેસતાં પેાતાની સાથે લાવેલા દર્ભોનો આસનપરજ બેઠા. તેવા મહાત્માઆ ભકિતને જ ઈચ્છે છે, વસ્તુને ઈચ્છતા નથી, ત્રણ ખંડના વિજય કરનાર તે રાજાને નારદે કહ્યું- ‘વિદ્યાધરાના રાજા અને મોટા પરાક્રમવાળા હે ત્રિખડેશ્વર ! તમારું કલ્યાણુ થાએ. હે રાજા ! રાજ્ય, દેશ, નગર, ગેાત્ર, સંબંધી, પરિગ્રહ અને તે સિવાય જે જે તમારા સબંધમાં હોય તે સર્વને કુશળ છે ?' ન્રુમિતારિ ખેલ્યા–“ મુનિવર્ય ! મારે સત્ર કુશળ છે, તેમાં પણ તમારા અનુગ્રહથી વિશેષ કુશલ છે. મહાશય ! આપને એક વાત પૂછું છું કે તમે નિર ંતર સ્વચ્છ દપણે આકાશમાં ક્રૂરા છે, તો કાઈ ઠેકાણે પૂર્વ ન જોયેલું હાય તેવું કાંઈ આશ્ચય તમારા જોવામાં આવ્યું છે ? ” આ પ્રશ્ન સાંભળી ‘હવે આપણા મનારથ સિદ્ધ થઇ ચુકયા ’ એવું મનમાં ચિંતવી હ વડે કપાલ પ્રફુલ્લિત કરતા નારદ દમિતારિ રાજા પ્રત્યે ખેલ્યા- હે રાજા ! આ પૃથ્વીમાં ભ્રમણ કરવાના ફળ રૂપ, દેવલાકમાં પણ ન સભવે તેવું એક આશ્ચર્ય આજે જ મારા જોવામાં આવ્યું છે. શુભા નામની મોટી નગરીમાં આજેજ ક્રીડાને માટે હું ગયા હતા, ત્યાં અન ંતવીય રાજા સભામાં ખેઠેલા હતા અને તેની પાસે ખરિકા અને કિરાતી નામની એ રમણીએ આશ્ચય પમાડે તેવું નાટક ભજવી ખતાવતી હતી. હું કૌતુકથી સ્વર્ગમાં અને પૃથ્વીપર ફર્યા કરૂ છું, પણ એવું અદ્દભુત નાટક કોઇ ઠેકાણે મારા જોવામાં આવ્યું નથી. હે રાજા ! સૌધર્મ દેવલે કમાં જેમ શક્રેન્દ્ર તેમ આ વિજયા માં આશ્ચર્ય રૂપ વસ્તુ માત્રના તમે જ પાત્ર છે. તેથી જ્યાં સુધી તમે એ નાટક કરનારીને અહીં લાવશે। નહીં, ત્યાં સુધી તમારે વિદ્યા, પરાક્રમ, તેજ, હુકમ અને રાજ્ય ગમે તેવાં હાય તે પણ તે શા
Page #234
--------------------------------------------------------------------------
________________
પર્વ પ મું
૨૦૭ કામનાં છે? કાંઈ કામનાં નથી.” આ પ્રમાણે કહી નારદ મુનિ પૃથ્વીમાં જેમ બીજ વાવે તેમ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ત્યાં કલેશ બીજ વાવીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. એમનાં વચને સાંભળતાંજ ત્રણ ખંડને ઐશ્વર્યથી ગવ પામેલા દમિતારિ રાજાએ અપરાજિતના બંધુ અનંતવીર્યની પાસે દૂત મોકલ્યો. તે દૂત શુભા નગરીમાં આવી અગ્રજ બંધુ સહિત સભામાં બેઠેલા અનંતવીર્યને નમસ્કાર કરી વચનની વિશિષ્ટ રચનાથી આ પ્રમાણે છે -“હે રાજન ! એ અર્ધ વિજયમાં જે કાંઈ અદ્દભુત વસ્તુ ઉત્પન્ન થાય તે સર્વ રાજાધિરાજ દમિતારિ રાજાની જ છે, એમ સમજવું, તેમાં કાંઈ સંશય રાખવો નહીં. તેથી તમારી પાસે જે બર્બરી અને કિરાતી નામે બે પ્રખ્યાત નાટક્કારિકા છે તેને મહારાજા દમિતારિ તરફ મોકલી દો. જે સર્વ રાજ્યના સ્વામી થાય તેને રાજ્યમાં ચેટી વિગેરે જે કાંઈ ઉત્તમ પદાર્થ હોય તે સર્વ સ્વાધીન કરવાજ જોઈએ. કેમકે ઘર આપ્યું તો પછી શું તેમાંની સર્વ વસ્તુ જુદી રહી શકે !” આવાં દતનાં વચનો સાંભળી અનંતવીયે કહ્યું- હે દૂત! તું હમણું ચાલ્યો જા, હું જરા વિચારીને પછી તત્કાળ તે દાસીઓને મોકલી આપીશ.” આ પ્રમાણે વાસુદેવના કહેવાથી દત હર્ષ પામ્ય, અને સત્વર પાછા ફરીને દમિતારિ રાજાને સિદ્ધપ્રાય થયેલું પ્રયજન કહી આપ્યું. પ્રચ્છન્ન અગ્નિવાળા બે કુંડ હોય તેવા ગુઢ ક્રોધવાળા અપરાજિત અને અનંતવીચ બંને દૂતના ગયા પછી વિચાર કરવા લાગ્યા–“રાજા દમિતારિ આકાશગમન અને વિદ્યાસિદ્ધિના બલથી આપણી ઉપર આવું શાસન પ્રવર્તાવે છે. તે શિવાય બીજું તેની પાસે કોઈ અધિક નથી. આપણને પણ મિત્ર વિદ્યારે જે વિદ્યા પૂર્વે આપેલી છે તેનું હમણાજ સાધન કરીએ, તે પછી એ વરાકને શે ભાર છે?” આ પ્રમાણે બંને ભ્રાતા ચિંતવતા હતા, તેવામાં જ જાણે સંકેત કરી રાખેલી હોય તેમ ત્યાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ પ્રગટ થઈ અને વિદ્યુતના તેજની જેવા ઉદ્યોતને ધરનારી, વિવિધ અલંકારે ભૂષિત અને વિચિત્ર દિવ્ય વસ્ત્રોથી અલંકૃત તે વિદ્યાઓ અંજલિ જોડી કહેવા લાગી—“જેને સાધવાની તમે ઈરછા કરો છો તેજ અમે વિદ્યાઓ છીએ. પૂર્વ જન્મમાં તમે અમને સિદ્ધ કરેલી હોવાથી અત્યારે તમારી આગળ વગર પ્રયાસે પ્રાપ્ત થયેલી છીએ. હે મહાભાગ! મંત્રાસ્ત્રમાં દેવતાની જેમ અમે તમારા શરીરમાં સંક્રમણ કરશું માટે હવે જે આજ્ઞા હોય તે બતાવો.” આવાં તે વિદ્યાઓનાં વચન સાંભળી તેમણે કહ્યું કે “' એટલે તત્કાલ તે વિદ્યાઓ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં જેમ સરિતાઓ પ્રવેશ કરે તેમ તેમના અંગમાં પ્રવેશિત થઈ. તેઓ સ્વભાવથી બલવાન તે હતા જ, તેમાં આ વિદ્યાના પ્રભાવથી કવચધારી સિંહની જેમ અધિક બલવાન થયા. પછી ગંધ અને મને હર પુપોથી તેમણે વિદ્યાઓની પૂજા કરી. વિવેકી જનો કયારે પણ પૂજયની પૂજાનો કમ ઉલંઘતા નથી. આ અરસામાં દમિતારિ રાજાએ મેકલેલો ફ્રત પુનઃ વેગથી ત્યાં આવ્યો અને તિરસ્કારથી બોલ્યો“અરે મૂર્ખની પેઠે અજ્ઞાનપણાને લીધે તમે બંને યુવાનોએ સ્વામી તરફ આવો અનાદર કેમ આરંભ્યો છે? “અમે ચેટીઓને તરત મોકલી આપશું” આ પ્રમાણે કહીને અદ્યાપિ કેમ મકલી નહીં ? શું તમારે મરણ પામવાની ઈચ્છા છે? મને તે તમે ખરેખર મૂખ લાગે છે. તે મહારાજાને કેપ હજુ તમે જાણ્યું નથી. હું ધારું છું કે આ બે ચેટને બહાને તમારા ઉપર બે કૃત્યા (રિષ્ટ) આવેલી છે. તે તમારૂં મૂલમાંથી ઉમૂલન કર્યા વગર જશે નહીં. તમે બીજું વિશેષ આપશે નહીં પણ બે ચેટિકા તે.
૧ એમજ થાઓ.
Page #235
--------------------------------------------------------------------------
________________
સ ૨ જો
આપા નહીં તે મહારાજા ઇમિતારિ તમને અને તમારી રાજ્યલક્ષ્મીને જપ્ત કરી લઈ લેશે.” જોકે વાસુદેવ અન‘તવી. સમ છે, તથાપિ કાપને ગૂઢ રાખી હાસ્યવડે અધરધ્રુવને હસાવતા હસાવતા શાંતતાથી એલ્યા-મહારાજા દમિતારિ મોટા મૂલ્યવાળા રત્નેાની, ઘણા દ્રવ્યની, ઘોડા અને ગજે દ્રોની ભેટો આપીને સંતુષ્ટ કરવા ચેાગ્ય છે; તે મહારાજા જો માત્ર આ એ ચેટીએથીજ સ`તુષ્ટ થતા હાય તો તેઓને લઈ હું દૂત ! તું આજે અપરાન્તુકાળેજ જા.'' આ પ્રમાણે કહ્યું એટલે પાતાની કૂતકલાને કૃતાર્થ માનતા તે ક્રૂત પાતાને આપેલા ઉતારામાં ગયા.
૨૦૮
દૂતના ગયા પછી ખ'ને વીરાએ સ્તભ ઉપર ગૃહના ભારની જેમ અને ધરી ઉપર ગાડાની જેમ પેાતાના રાજ્યના ભાર મત્રીએ ઉપર આરાપણ કર્યા. પછી દમિતારિ રાજા કેવા છે એમ તેને નજરે જોવાના કૌતુકથી પાતેજ વિદ્યાના પ્રભાવે ખરિકા અને કિરાતીનું રૂપ ધારણ કયુ`. એ પુરૂષ રૂપ ચેટીએ દૂતની પાસે આવી ‘અનંતવીય અને અપરાજિતે મિતાહર રાજાને માટે અમને મોકલી છે' એમ કહ્યું. એટલે બંને ચેટીએની સાથે તે ક્રૂત હર્ષ પામતા ત્યાંથી ચાલ્યા. તત્કાળ બૈતાઢય ગિરિપર આવી તેણે દમિતાર રાજાને વિજ્ઞપ્તિ કરી-“મહારાજા ! જેમ અસુરા ચમરેદ્રની આજ્ઞાને, દેવતાએ ઇંદ્રની આજ્ઞાને, નાગકુમારી ધરણેદ્રની આજ્ઞાને અને પક્ષીઓ ગરૂડની આજ્ઞાને ઉલ્લઘન કરતા નથી તેમ આ રમણીય વિજયામાં સર્વ રાજાએ દુષ્ટને શિક્ષા કરનાર એવા તમારી આજ્ઞાને ઉલ્લઘન કરતા નથી. તેમાં પણ અપરાજિત અને અન તવીય તા વિશેષપણે નગ્ન થઈ મસ્તકપ૨ મુગટની જેમ તમારી આજ્ઞાને સદા ધારણ કરે છે. આ ખરિકા અને કિરાતી નામે નટીરત્ન તેમણે તમારે માટે ભેટ કરવા મને અપેલ છે.'' દમિતાએ સૌમ્ય દૃષ્ટિથી અને ચેટીનું અવલોકન કર્યુ. જે ગુણુ જનશ્રુતિએ સાંભળવામાં આવે છે, તે તેના જ્ઞાતાઓને અનુરાગ કરનારો થાય છે.' પછી તરતજ દમિતારિએ નાટકનેા અભિનય કરવા તેમને આજ્ઞા કરી. અપૂર્વ વસ્તુ જોવાની ઈચ્છા જરાપણ કાલક્ષેપ સહન કરી શકતી નથી. મહારાજાની આજ્ઞા થતાં તે પાત્રરૂપ નટીએ રંગભૂમિમાં આવી, અને પ્રત્યાહારાદિક અંગેાથી પૂર્વ રગ કરવા લાગી, રંગાચાર્યે પુષ્પાંજલિથી રગપૂજા કરી. ગાયકાઢિ પરિવાર ચાગ્ય દિશાએ બેઠો. નટે આવી નાંદીવાદ પૂર્ણાંક નાંદીપાઠ કર્યા. નાંદી થઇ રહ્યા પછી અંગ સહિત પ્રસ્તાવનાના અભિનય શરૂ કર્યાં. પછી ગાયિકાજન વિચિત્ર નેપથ્ય ધારણ કરી જાતિરાગ સહિત પાત્રના પ્રવેશને સૂચવનારી ઘ્રુવાગીતિ ગાવા લાગ્યા. પછી પ્રકૃતિ, અવસ્થા, સ ંધિના અંગ અને સધિવડે ઉન્નત એવા રસ સાગર નાટકના અભિનય શરૂ થયા. એકાંત સુખામૃતના સિધુ’રૂપ સંપ્ર ચાગ શંગારથી, તે તે દુઃખી અવસ્થાના કારણરૂપ ત્રિપ્રયાગ શંગારથી, તે તે પરસ્પર સંઘટ્ટનના ઉપાયાથી અને સર્વ વિઘ્નના પરિહારથી કાઇ કાઈ પ્રસંગે કામદેવના સામ્રાજયની સધિ અને વિગ્રહની કલ્પના થવા લાગી. નેપથ્યમાં આવેલા મોટા પેટવાળા, દાંતાળા, લ'ગડા, કુબડા, ચીખલા, છુટા કેશવાળા, માથે તાલવાળા, કાણા, બેડોળા, અપાને ઘટ આંધનારા, અંગે ભસ્મ લગાવનારા, કાખ અને ન:સિકા વગાડનારા, કાન અને ભ્રુગુટી નચાવનારા, બીજાની ભાષાને અનુવાદ કરનારા અને કપટવડે મુગ્ધ કરનારા કેટલાક વિષક અને વિટપુરૂષો ગામડીઆ પુરૂષોની પેઠે આવી આવીને નગરના ચતુર પુરૂષોને હસાવતા હતા. આકાશવાણી, દૈવને ઉપાલંભ, અશ્રુપાત, અસ્થાને યાચના, ભામપર
૧ બોર.
Page #236
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૦૯
આલેટન, રૂદન, ભૃગુપાત (ભૈરવજવ), ગલેફાંસ, જલ તથા અગ્નિમાં પ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રઘાત, હૃદયતાડન, સમૃદ્ધિનો નાશ અને ઈષ્ટને વધ-ઇત્યાદિક અનેક દેખાવથી ક્રૂર લોકોને પણ આ કરી અથુપાત કરાવતા હતા. કોઈવાર દાંત તથા હોઠના પીડવાથી નેત્રની રતાશથી, ભૃગુટીના ચડાવવાથી, ગાલ વગાડવાથી, કરતલ પછાડવાથી, પૃથ્વી ફાડવાથી, આયુધ ખેંચવાથી, રૂધિર આકર્ષવાથી, વેગવડે દેડવાથી, પ્રહાર સહિત લડાઈએથી, ગાત્રના કપાવવાથી, અશ્રુપાત કરવાથી, સ્ત્રીના અપહરણથી અને સેવકના તિરસ્કારથી ધીર પુરૂષને પણ કંપાવતા હતા. કે ઇવાર ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય તથા ત્યાગાદિક ઉજજવળ ગુણ, હૃદયના જુસ્સા, પરાક્રમ, ન્યાય અને દઢ પ્રતિજ્ઞા વિગેરે દેખાવથી, જે સ્વભાવથી, ભીરૂ હતા તેઓ માં પણ પરાક્રમ પ્રગટ કરતા હતા. તાળવું, કંઠ અને હોઠના શેષવાથી ચપળ નેત્રવડે અલેકવાથી કરકપથી, સ્વરભેદથી, વિવણું બતાવવાથી, સરલ ચિન્હોથી, પ્રેતાદિક વિકૃતરૂપ બતાવવાથી અને તેમના સ્વરને સંભળાવવા વિગેરેથી કઈવાર સર્વ સભાજનોને ત્રાસ પમાડી દેતા હતા. કોઈવાર અંગને સંકોચ, હૃદયને ઉદ્વેગ, નાસિકા ને મુખનો વિષમ દેખાવ, થુંકવું, વારંવાર હોઠને મરડવા–તેથી અને દુર્ગધ, વમન, વ્રણ, કીડાએાનું દર્શન અને શ્રવણ વિગેરે બીભત્સ દેખાથી સર્વ સામાજિક લે કે મનમાં અત્યંત દુઃખી થતા હતા. કેઈવાર લોચનની વિસ્તારથી, નિનિમેષ જોવાથી, દ, અથુ અને પુલકાવળીના દર્શનથી સાધુવાદથી દિવ્ય આલેકથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી અને ઇંદ્રજાળના દેખાવથી સહસા સભાસદોને વિસ્મય પમાડતા હતા. કોઈવાર મૂલત્તર ગુણોથી ધ્યાનથી અધ્યાત્મગ્રંથના ચિતનથી સદગુરૂની ઉપાસનાથી, દેવપૂજાદિકથી અને વૈરાગ્ય સંસારભય અને તત્વજ્ઞાનાદિકના દેખાવોથી વિષયસ્વાદમાં લુબ્ધ પુરૂષોને પણ શાતિ પમાડી દેતા હતા. એવી રીતે સર્વ નટ જે જે રસનો અભિનય કરતા, તે તે રસમાં સર્વ સભાજને તન્મય થઈ જતા હતા. પ્રથમ કહી બતાવેલા સર્વ અભિનયે યથાર્થપણે કરી બતાવવાથી જાણે તે સર્વ પિતાની સમક્ષ ખડું બને જ છે છેમ સભાજને સમજતા હતા.
ચતુર જનોમાં અગ્રણે મહારાજા દમિતારિ આ નાટકનો વિધિ જોઈ આ બે ચેટી સંસારમાં રત્નરૂપ છે એમ માનવા લાગ્યા. પછી કપટથી નટી થયેલા તે બંને વીરોને રાજાએ પોતાની કનક શ્રી નામે પુત્રી નાટકશિક્ષાને માટે અર્પણ કરી. એ રમણીય રાજકન્યાનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ હતું, ત્રાસ પામેલી હરિણીના જેવાં લોચન હતાં. પકવ બિંબ ફલ જેવા અધર હતા. શંખના જેવી ગ્રીવાર હતી, કમળના જેવી ભુજાઓ હતી, સુવર્ણ કુંભની ઉપમાને પામેલાં સ્તનો હતાં, વજના મધ્યભાગ જેવું કૃશ ઉદર હતું, વાપીકા જેવી ગંભીર નાભિ હતી, નદીતટ જેવા કટિપ્રદેશ હતો, કરભના જેવા ઉરૂ હતા, મૃગી જેવી જ ઘાઓ હતી, કમલ જેવા હાથપગ હતા, સર્વ અંગ લાવણ્યજલમાં મગ્ન થયા હતા; કંઠમાં મધુર આલાપ શેભતો હતો અને તે શિરીષ પુષ્પના જેવી કોમલ હતી. આવી યૌવનવયને પ્રાપ્ત થયેલી મનોહર બાળાને જોઈ, તે કપટચેટી થયેલા વીરેએ તેને વારંવાર મધુર આલાપે બે લાવીને સર્વ પ્રકારના અભિનય સહિત સર્વ નાટકનો વિધિ નિબહેણ સંધિ સુધી શીખડાવી દીધો. તે કપટચેટીએ નાટકના મધ્યમાં મહાભુજ અનંતવીર્યના ઉત્કૃષ્ટ રૂપ, શૌર્યાદિ ગુણોનું ગાન કરતી હતી. એક સમયે કનકશ્રીએ પૂછ્યું-“ અરે યુવતીઓ ! ક્ષણે ક્ષણે જેના ગુણ તમે ગાયા કરે છે તે પુરૂષોત્તમ અનંતવીર્ય કેણ છે ? માયાચેટી થયેલે
૧ હેઠ. ૨ ડેક, ૨૭.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સગ ૨ જો
અપરાજિત હાસ્ય કરી બે -“હે શુભાનના ! આ વિજયમાં શુભા નામે એક મોટી નગરી છે. તેમાં ગુણને સાગર અને પ્રતાપે સૂર્યરૂપ સ્તિમિતસાગર નામે રાજા છે. તે મહાત્માને વિનયની ભૂમિરૂપ અને શત્રુઓથી અપરાજિત અપરાજિત નામે જ્યેષ્ઠ પુત્ર છે અને નિર્મલ ગુણાથી એકનિષ્ટ એ અનંતવીર્ય નામે કનિષ્ટ પુત્ર છે. એ અનંતવીર્ય રૂપથી કામદેવને જીતનાર, શત્રુઓની ગર્વગ્રંથીને તેડનોર, દાતાર, દઢ પ્રતિજ્ઞાવાન અને શરણાગતવત્સલ છે. તેની ભુજા શેષનાગ જેવી લંબાયમાન છે; ભુજાતર ( હૃદય ) શિલા જેવું વિશાળ છે, તે લક્ષમીને વાસાગાર અને પૃથ્વીને આધારભૂત છે. આશ્રિતરૂપ કમલોને સૂર્ય અને દાક્ષિણ્યતાને ક્ષીરસાગર છે. અમે અલ્પબુદ્ધિવાળા તે મહાત્માના કેટલા વખાણ કરીએ ? સુર, અસુર અને મનુષ્યમાં તેના જેવા બીજો કોઈ પુરૂષ નથી.” તે સાંભળી કનકશ્રી જાણે તે પિતાની આગળજ રહેલો હોય તેમ તેને જેવાને પવનથી હણાયેલી સરસીની જેમ ઉત્કંઠાવાળી થઈ ગઈ. રોમાંચના મિષથી જાણે સાક્ષાત કામદેવના બાણથી ભેદાએલી હોય અને નિઃસ્પદ પુતળી હોય તેમ સ્તબ્ધ થઈ, ચિત્તમાં વિચાર કરવા લાગી કે “જેના સદ્દગુણી અનંતવીર્ય ઘણું છે તે દેશને, તે નગરીને, તે પ્રજાને અને તે સ્ત્રી જનને ધન્ય છે. દૂર રહેલે ચંદ્ર પણ પોયણીને આનંદ આપે છે અને આકાશમાં રહેલો મેઘ મયૂરીને નચાવે છે. તેમને તે દૈવની અનુકૂલતાથી તે ઘટિત રીતે થાય છે, પણ મારે ને અનંતવીર્યને તે કેવું દૈવ હશે ? તેને મારી સાથે પ્રતિભાવ તે દૂર રહ્યો પણ તેને હું દેખી પણ કેમ શકું ? વળી આવા મનોરથની સિદ્ધિ કરી આપનાર મિત્ર પણ આ જગતમાં દુર્લભ છે.” આ પ્રમાણે ચિંતા કરતી કનકશ્રીને જેઈ ઇગિતાકારથી તેને મનોગતભાવ જાણનારે અપરાજિત બોલ્ય-“અરે મુગ્ધા ! અપરાજિતના અનુજબંધુ અનંતવીર્યના ગુણ મારા મુખથી સાંભળી તમે શલ્ય પીડિત તેમ શા માટે ખેદ પામે છે ? તમારી શું તેને જેવાની ઈચ્છા છે ?” હિમપીડિત પદ્મિનીની પેઠે ગ્લાન થયેલી કનકશ્રી દીન કરતાં પણ દીન થઇ સ્વરભેદથી ભાંગેત અક્ષરે બોલી-હેન ચેટી! અને તવીર્યને જોવાની જે મારી ઈચ્છા તે કરવડે ચંદ્રને ગ્રહણ કરવાની ઈચ્છા જેવી છે, પગવડે આકાશમાં ચાલવાની ઈચ્છા જેવી છે અને બે ભુજાવડે સમુદ્ર તરવાની ઈચ્છા જેવી છે. એ સુંદર શુભાનગરીના અધિપતિ હું મંદભાગ્યાને દષ્ટિગોચર શી રીતે થાય ? મારે તે મનોરથ કરે તે પણ કષ્ટ રૂપ છે.”
યેષ્ઠા માયા નદીએ કહ્યું- ભદ્ર! જો તેને જેવાને તમારી ઈચ્છા હોય તે ખેદ કરે નહીં. હું હમણાં જ તેમને બતાવીશ. મુગ્ધા ! મારી વિદ્યાશક્તિથી વનમાં જેમ વસંત અને મલયાનિલ આવે તેમ તે અનંતવીર્ય અને અપરાજિતને હું અહીં લાવીશ.” કનકશ્રી હર્ષથી બેલી –“પ્રિય હેન! તમારામાં સર્વ વાત સંભવે છે. કારણકે તે ગુણસમુદ્ર બંને વીરરત્નના તમે પાર્વવત્ત છે. તમારા આવા ભાષણથી મારું દેવ અનુકૂળ છે એમ હું માનું છું. જરૂર કઈ મારી કુલદેવતા તમારા મુખમાં ઉતર્યા છે. તે કલાવતી ! તમે હમણા જ તમારી વાણી સફળ કરે. તેવા નરરતનને પરિવાર પણ મિથ્યા ભાષણ કરતો નથી.” જાણે દેવ સંતુષ્ટ થયા હોય તેમ રૂપથી કામદેવ જેવા અનંતવીર્ય અને અપરાજિતે આ પ્રમાણે વાર્તાલાપ થતો હતો તેવામાં પિતપતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી અપરાજિત બોલ્યાભદ્રે ! જેના ગુણો હું કહેતો હતો તે મારો ભ્રાતા આ અનંતવીર્ય છે. જાઓ, તે બરોબર છે કે નહીં ? મેં તેને રૂપવૈભવ થોડો વર્ણવ્યો હતો. કારણકે તે વાણીથી અગેચર હતા. હવે તેને નેત્રગેચર કરો. તેને જોતાંજ દમિતારિ રાજાની કન્યામાં એકીસાથે જુસ્સો, વિસ્મય, લજજા, પ્રમોદ, મદ અને ચપળતા પ્રગટ થયાં અને અપરાજિતને ધસુર તુલ્ય માની તે બાળા ઉત્તરીય વસ્ત્રથી ઘુંઘટે વાળી મર્યાદા કરી ઉભી રહી. તત્કાળ કામદેવરૂપ
Page #238
--------------------------------------------------------------------------
________________
પર્વE૫ મું
૨૧૧ મેઘના મહદયથી અનંતવીય પણ પુષિત કદંબની જેમ રોમાંચિત થઈ ગયે. મૃગેક્ષણા કનકશ્રી સહજવારમાંજ માન અને લજજા છોડી પોતેજ દૂતીપણું સ્વીકારી આ પ્રમાણે બોલી-“આ શૈતાઢય પર્વત કયાં ! શુભા નગરી કયાં ! નારદ પાસેથી પિતાએ સાંભળેલું ચેટીનાટક ક્યાં ! તમારી પાસેથી ચેટી માટે પિતાશ્રીનું માગવું કયાં ! ચેટરૂપે તમારા બંનેનું અહીં આવવું ક્યાં ! નાટકશિક્ષા માટે તમને મારું સપનું ક્યાં ! આર્યપુત્રે કરેલું તમારૂં ગુણકીર્તન ક્યાં ! અને છેવટે તો એ પ્રત્યક્ષ કરેલું આત્મ સ્વરૂપ ક્યાં ! આ સર્વ અસંભવિત છતાં પણ મારા ભાગ્યથી જ થયેલું છે. જેવી રીતે તમે મારા નાહ્યાચાર્ય થયા હતા, તેવી રીતે જ હવે મારા પતિ થયા છે. તેથી જે સંપ્રતિ કામદેવથી મને બચાવશે નહીં, તે તમને મારી હત્યા લાગશે. પ્રથમ શ્રવણ માત્રથી તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું, હવે મારા પાણિનું ગ્રહણ કરે, પ્રસન્ન થાઓ અને મારી પર અનુગ્રહ કરે. આ શૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાધરોમાં તમારા જેવા વરને અભાવ છે. મારા સારા ભાગ્યે જીવલોકના ચંદ્રભૂત અને જીવનૌષધરૂપ તમે પ્રાપ્ત થયા છો.” અનંતવીયે હર્ષથી કહ્યું- હે સુક્ષુ હે સુભગે ! જે તમારી એવી ઈચ્છા હોય તો ચાલે, ઉઠો, આપણે શુભા નગરીએ જઈએ.” કનકશ્રી બલી- હવે આ મારા પ્રાણ ઉપર તમારૂં જ રાજ્ય છે. પણ વિદ્યાના સામર્થ્યથી દુર્મદ થયેલ મારે પિતા ઘણે દુષ્ટ છે, તેથી તે મોટે અનર્થ કરે અને તે અનર્થનું સ્થાન હું થાઉં તેને મને ભય છે; જે કે તમે બલવાન છે પણ એકાકી અને અસ્ત્ર રહિત છે.” અનંતવીયે હાસ્ય કરીને કહ્યુંકાતરે ! ભય પામશે નહીં. સર્વ રીતે બલવાન એ પણ તમારે પિતા મારી સાથે યુદ્ધ કરવામાં શા હિસાબમાં છે ? હે પ્રિયા ! કદિ કઈ બીજો પછવાડે યુદ્ધ કરવાની ઈચ્છાએ આવશે, તો અમે તેને મૃત્યુ પમાડી દઈશું, તેથી નિશંક થઈને ચાલ્યા અવિ.”
આ પ્રમાણે અનંતવીયે કહ્યું, એટલે તે બાળા તે ભજવીર્યશાળી વીરની સાથે સાક્ષાત સ્વયંવરા લક્ષમી હોય તેવી રીતે ચાલી નીકળી. તે વખતે જાણે ધ્વજા સહિત પ્રાસાદ હોય તેમ અનંતવીર્ય ઉંચા હાથ કરી મેઘના જેવી ગંભીર વાણીથી બેલ્યો-“હે સર્વે પુરાધ્યક્ષે! સેનાપતિઓ ! મંત્રીઓ ! કુમારે ! સામંત ! સુભટો! અને જે કંઈ બીજા દમિતારિના પક્ષ કરનારા હોય તેઓ ! સર્વે તમે સાવધાન થઈને મારું વચન સાંભળો. આ હું અપરાજિત વડે શેભતો અનંતવીર્ય દમિતારે રાજાની પુત્રીને મારે ઘેર લઈ જાઉં છું તે “ચોરી કરીને લઈ ગયે એવો પાછળ અપવાદ આપશે નહીં; માટે ઉપેક્ષા ન કરો અને જે ઈચ્છા હોય તો શસ્ત્રધારી થઈ મારી સામે આવી મારી શક્તિ જુએ.” આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી અનંતવીર્ય કનકશ્રી અને અપરાજિતને સાથે લઈ શૈક્રિય વિમાનવડે આકાશમાં ચાલે. અનંતવીર્યનાં આ પ્રમાણેનાં વચન સાંભળી દમિતારિએ “ આ પૃથ્વી પર મરવાની ઈચ્છાવાળો આ તપસ્વી કોણ છે?” એમ કહી સુભટને આજ્ઞા કરી કે “ભ્રાતા સહિત તે દુષ્ટને મારીને અથવા પકડીને કનકશ્રી પુત્રીને લઈ આવે અને તે દુષ્ટને તેના દુર્નયનું ફળ આપે.” દમિતારિની આજ્ઞા થતાંજ સર્વ સુભટ મનોવૃત્તિમાં જુસ્સો લાવી, ઉંચા દાંત કરીને ધસી આવતા હાથીઓની પેઠે ઉંચા હથિયાર કરી અનંતવીર્યની પછવાડે દેયા. તે સમયે વીર્યભૂષિત અપરાજિત અને અનંતવીર્યને હલ અને શાડુંગ ધનુષ્ય વિગેરે દિવ્ય રત્નો સ્વતઃ પ્રાપ્ત થયાં. તેવામાં તે અનેક શત્રુઓને દમન કરનારા દમિતારિના સુભટે એક સાથે મેઘની જેમ શસ્ત્રધારા વર્ષાવવા લાગ્યા. ક્ષણવારમાં તે બંને
૧ હે બીકણ સ્ત્રી !
Page #239
--------------------------------------------------------------------------
________________
સર જો
પુરૂષવ્યાઘ્રોએ ધવડે આયાસ વગર યુદ્ધ કરવા માંડયું, જેથી હરણની પેઠે તે સર્વ સુભટા તત્કાળ ત્રાસ પામીને પલાયન કરી ગયા. તેમને પલાયન થતાં જોઇ ક્રોધ કરતા મિતારિ શસ્રોવડે અધિક વૃક્ષવાળા વનની જેવું આકાશ કરતા યુદ્ધ કરવા ચાલ્યા. તે સમયે • અરે યુદ્ધ કર, યુદ્ધ કર, ઉભા રહે, ઉભા રહે, આયુધ છેડી દે, છેડી દે, મરી જઈશ, મરી જઇશ, અમારા સ્વામીની કન્યાને છેાડી દે, અમે તારા પ્રાણ બચાવશું” આવા વિકટ આટાપવડે ભયંકર અને કાનમાં કટુ લાગે તેવા સુભટેના આલાપ સાંભળી કનકશ્રી મેહવિવલ થઇને ‘હું આ પુત્ર ! હે આ પુત્ર!’ એમ કહેવા લાગી. તેને અનંતવીયે` કહ્યું–‘ હે મુગ્ધા ! દેડકાના અવાજની જેમ આકાશમાં થતા તે માનવધ્વનિથી તું બ્ય શા માટે ખીએ છે ? ઇ'દ્રથી મૈનાકની જેમ મારાથી ત્રાસ પામતા અને હણાતા આ સૌન્ય સહિત દમિતારિને હમણાજ જોઈ લે.’ આ પ્રમાણે કનકશ્રીને આશ્વાસન આપી અનંતવીય વાસુદેવ અપરાજિત બળદેવની સાથે તિરસ્કાર કરેલા સિંહની જેમ યુદ્ધ કરવા પાછા ફર્યાં. તે બૈરીઓને કુટનારા દમિતારિના કોટીગમે સુભટોએ દીવાને પત'ગીઆએ ઘેરી લે તેમ વાસુદેવને ઘેરી લીધા. એટલે સ્થિરતામાં મેરૂ સમાન અનંતવીયે ક્રોધ કરીને વિદ્યાશક્તિથી પેાતાની સેના તેની સેનાથી દ્વિગુણી ઉત્પન્ન કરી. દમિતારના સુભટા ધાતુસહિત પતાની જેમ રૂધિરપંક્તિથી આ શરીરવાળા થયા છતાં પણુ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે “ જેનું આ ડ રણભૂમિમાં નાચે છે તે મારા પતિ થાઓ, જે આ ભાલામાં પરોવાઇને ચાલે છે તે વીરને પતિ કરવા હું ઉત્સુક છું, જે આ હણનારનું વર્ણન કરે છે તેની સાથે હું કયારે રમીશ? જે આ મુખમાં પ્રવેશ કરતા ભાલાને દાંત વડે ધરી રાખે છે તે મારા પતિ થાએ, જે આ હાથીના કુ‘ભસ્થલ ઉપર ચડી જાય છે તે મારા સ્વામી છે, જે આ અસ્ર ભગ્ન થતાં ફક્ત મસ્તકપર રહેલા ટોપવડે યુદ્ધ કરે છે તેની હું દાસી છું. જે આ હાથીના દાંત ઉખેડીને શસ્ત્રધારી થયેલ છે તે મારા પ્રિય છે.” આ પ્રમાણે આકાશમાં રહેલી દેવાંગનાઓના મુખમાંથી અનુરાગવચને નીકળતાં હતાં. દમિતાર રાજાની વિદ્યાશક્તિવડે અતિ દુર્મીદ થયેલા સૈનિકો રણભૂમિમાં ભદ્રહસ્તીની જેમ જરા પણ ભગ્ન થયા નહીં એટલે યુદ્ધરૂપ નાટકના અભિનય કરવામાં નટરૂપ વાસુદેવે નાદથી ભૂમિ અને આકાશના અંતરાલને પૂરે તેવા પ ચજન્ય શંખના શંખનાદ કર્યાં. જગદ્વિજયી વિષ્ણુએ કરેલા શ`ખનાદના વ્યાપવાથી સર્વ શત્રુએ જાણે અપસ્માર રાગી હોય તેમ મુખે પ્રીણુ કાઢતા ભૂમિપર પડી ગયા. તેથી મિતારિ રાજા પાતે રથપર બેસી અન`તવીર્યની સાથે દિવ્ય શસ્ત્રઅસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે કનકશ્રીના પિતાએ વાસુદેવને દુય જાણી વિરપણામાં પ્રિય મિત્રની જેવા ચક્રનુ સ્મરણ કર્યું. તત્કાળ સેકડો જ્વાળાથી આકુલ એ ચક્ર સમુદ્રમાં વડવાગ્નિની જેમ દમિતારિ રાજાના કરમાં આવીને સ્થિત થયું. તેને આવેલું જોઈ દિમતાર ખેલ્યા- અરે દુમતિ! હવે અહીં ઉભા રહેવાથી મૃત્યુ પામીશ, માટે હજી પણ મારી પુત્રીને છેાડી દઇને જીવતા ચાલ્યા જા.’ અનંતવીચે` કહ્યું- તારી કન્યાની સાથે તારા ચક્રને અને તારા પ્રાણને લઇને હું જઇશ; તે શિવાય જવાના નથી.’ આ પ્રમાણે કહેવાથી અગ્નિ જેવાં રાતાં લાચનવડે પ્રજવલિત થતા દમિતારિએ ચક્ર ભમાડીને અપરાજિતના બંધુ અનંતવીય ઉપર છેડયું. વાસુદેવના હૃદયપર તુ ખાત્રની પેઠે તે ચક્રના પ્રહાર લાગવાથી તે ક્ષણવાર મૂર્જિત થયા. પરંતુ અપરાજિત પવન નાખે છે તેવામાં તેા તે પાછા ઉભા થયા અને તે પાર્શ્વસ્થ ચક્રને પકડી લીધું. સા આરાવાળું તે ચક્ર તેમના હાથમાં આવવાથી હજાર આરાવાળું થઈ ગયુ. પછી અર્ધ - ચક્રીએ હાસ્ય કરી પ્રતિવાસુદેવને કહ્યું-તું કનશ્રીના પિતાછે એમ ધારીને હું છેાડી મુકુ છું માટે ચાલ્યા જા.' દમિતા િખલ્યા-અરે ક્રુતિ! લેણદારના પૈસાથી જેમ કરજદાર
૨૧૨
Page #240
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૧૩
ધનવાન થાય, તેમ તું મારા અસ્ત્રથી અસ્ત્રવાળે થયે છે માટે તે ચક્રને છોડી દે, તેમજ તારો પુરૂષાર્થ પણ છોડી દે, અથવા મારા વીર્ય રૂપ વારિધિમાં તું ઢેફા રૂપ થઈ જા.” આ પ્રમાણેના તેનાં વચનોથી ક્રોધ પામેલા અનંતવીયે યમરાજ જેવા થઈ તે ચકને છેડયું, તેથી તે ચકે તત્કાળ કમળની જેમ દમિતારિનું મસ્તક છેદી નાંખ્યું. તેનું વીર્ય જોઈ હર્ષ પામેલા દેવતાઓએ આકાશમાંથી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તેઓ કહેવા લાગ્યા કે “હે વિદ્યાધરોના રાજાઓ ! સર્વે તત્પર થઈ સાંભળો. આ અનંતવીય વિષ્ણુ છે અને
આ અપરાજિત બલભદ્ર છે, માટે તેમના ચરણની ઉપાસના કરે અને રણાંગણમાંથી નિવૃત્ત થાઓ. સૂર્ય અને ચંદ્રની જેમ જેને ઉદય હોય તે વંદનીય છે.” આવાં દેવતાનાં વચન સાંભળી સર્વ વિદ્યાધરોના રાજાએ મુગટ નમાવીને તે શરણ ગ્ય બલદેવ અને વાસુદેવને શરણે ગયા. પછી વિદ્યાધરના રાજાઓ, પિતાનો જયેષ્ઠ બંધુ અપરાજિત અને પ્રિયા કનકશ્રીને સાથે લઈ અનંતવીર્ય વાસુદેવ વિમાનમાં બેસી શુભાપુરી તરફ ચાલ્યા. કનકગિરિ (મેરૂ) ની પાસે નીકળતાં વાસુદેવને વિદ્યાધરેએ કહ્યું કે “અહીં રહેલા શ્રી અતિ ભાગવંતની આશાતના કરો નહીં. આ કનકગિરિ ઉપર અનેક જિન ચીત્યા છે, તેમને યથાયોગ્ય વંદના કરીને પછી આ૫ પૂજ્યપાદ અહીંથી આગળ ચાલે.” તે સાંભળી વાસુદેવે પરિવાર સાથે વિમાન પરથી ઉતરી, નેત્રને શીતળતા આપનારા સૌની યથાવિધિ વંદના કરી. પછી કૌતુકથી તે ગિરિવરની શોભા જોતા હતા. ત્યાં એક બાજુના પ્રદેશમાં વર્ષોપવાસની પ્રતિમાએ રહેલા કીર્તિધર નામના મુનિને દીડા. તેજ વખતે તેમના ઘાતિકર્મનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ તેને મહિમા આરંભે. તે જોઈ અનંતવીય વાસુદેવ ઘણા ખુશી થયા. પછી તે કેવળીભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પરિવાર સહિત અંજલિ જોડી આગળ બેઠા અને તેમની દેશના સાંભળવા માંડી. દેશના પૂર્ણ થયા પછી કનકશ્રીએ નમસ્કાર કરી પૂછ્યું-“ભગવન્! મારે પિતાને વધ અને આ બંધુવર્ગને વિરહ કેમ થયો હશે?” મુનિવર બોલ્યા-“ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે એક સમૃદ્ધિવાન ગામ છે, તેમાં પારકા કામ કરવા વડે આજીવિકા ચલાવવાથી જીવિતને ધરનારી દારિદ્રદુઃખથી પીડિત શ્રીદત્તા નામે એક ગરીબ સ્ત્રી હતી. તે આ દિવસ ખાંડવું, દળવું, પાછું ભરવું, ઘર વાળવું અને ઘર લીંપવું વિગેરે પારકા કામ કરતી હતી. એ પ્રમાણે બધે દિવસ વીતે ત્યારે ઘુવડની સ્ત્રીને આલેકનની જેમ તેને માંડમાંડ ભજન મળતું હતું. અહા ! કેવી તેની મદભાગ્યતા !
એક વખતે ફરતી ફરતી શોભાથી દેવગિરિ-મેરૂ જેવા શ્રીપર્વત નામના ગિરિ ઉપર આવી ચડી. ત્યાં નિર્મલ શિલા પર બેઠેલા, ત્રિવિધ ગુપ્તિથી પવિત્ર, ભૂતની જેવા દુ:સહ પરીસહેથી અપરાજિત, અખંડ પંચવિધ સમિતિવાળા, તપની અમિત શોભાને ધરનાર, નિ:સંગ, નિર્મળ, શાંત, કાંચન અને પથ્થર પર સમદષ્ટિવાળા, શુકલ ધ્યાનમાં વર્તનાર અને ગિરિશિખરની પેઠે સ્થિર, સત્યયશા નામે એક મહામુનિ તેના જોવામાં આવ્યા. કલ્પવૃક્ષ જેવા તેમના દર્શન કરી શ્રીદત્તાએ પ્રીતિથી પ્રણામ કર્યા. એટલે તેમણે કલ્યાણ રૂપ વૃક્ષના દેહદરૂપ “ધમ લાભ” આશિષ આપી. શ્રીદત્તા બેલી-આવી દુઃસ્થિતિના અનુમાનથી હું ધારું છું કે મેં પૂર્વ જન્મમાં જરાપણ ધર્મ કર્યો નથી. નિત્યે દુષ્કર્મથી દગ્ધ થયેલી એવી મને, ગ્રીષ્મમાં તપેલી ગિરિભૂમિને મેઘવૃષ્ટિની જેમ તમારી ધર્મલાભ રૂપ આશિષ શીતળ કરે છે. જે કે હું મંદભાગ્યા તમારા ઉપદેશને યંગ્ય નથી તથાપિ તમારું વચન અમેઘ છે એમ હું જાણું છું, તેથી મને કાંઈ પણ કલ્યાણને માટે આજ્ઞા કરે. હે ભગ
Page #241
--------------------------------------------------------------------------
________________
સગ ૨ જો
૨૧૪
વન્ ! હું ભવાંતરે આવી સ્થિતિવાળી ન થાઉં તેમ કરો. હે ત્રાતા ! તમારા જેવા રક્ષક હોય તે શુ' શું વાંચ્છિત ન મળે ’ આવાં તેનાં વચન સાંભળી તેની યાગ્યતાના વિચાર કરીને મુનિએ તે દુ:ખી અખલાને ધર્મ ચક્રવાલ નામના તપ બતાવ્યા. “ હે દુઃખી સ્ત્રી ! દેવગુરૂના આરાધનમાં લીન થઇને તારે બે અને ત્રણ રાત્રિના ક્રમથી સાડત્રીશ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીને બચ્ચાંની જેમ ફ્રીવાર તને આવા ભવ પ્રાપ્ત થશે નહી',’ મુનિ મહારાજનાં વચનને માન્ય કરીને શ્રીદત્તા પેાતાને ગામ ગઈ; અને ત્યાં જઈને ધ ચક્રવાળ તપના આરંભ કર્યાં. તે તપના પ્રભાવથી તેણે પારણામાં પૂર્વે સ્વમમાં પણ કદી નહી' જોયેલું અને સારી દશારૂપ નાટકની પ્રસ્તાવના રૂપ સ્વાદિષ્ટ ભાજન પ્રાપ્ત કર્યું. ત્યારથી ધનાઢય લેાકાના ઘરમાં સારૂ કામ કરવાનું મળતાં તેને દ્વિગુણુ અને ત્રિગુણ મૂલ્ય અને ઉત્તમ વચ્ચે પ્રાપ્ત થવા માંડયાં. તેથી ઘેાડા સમયમાં શ્રીદ્વત્તા કાંઇક કિચના ૧ થઇ, એટલે દેવગુરૂની પૂજા યથાશક્તિ વિશેષ કરવા લાગી. એક દિવસે તેના ઘરની ભીંતનેા એક જીણુ પ્રદેશ પવન વિગેરેના વેગથી પડી ગયા. તેમાંથી સુવર્ણાદિક ધન નીકળી આવ્યું. તે ધનથી તેણે તપની સમાપ્તિમાં ચૈત્યપૂજા અને સાધુસાધ્વીને પ્રતિલાભિત કરવા પૂર્વ ક માટુ' ઉદ્યાપન ( ઉજમણું) કર્યુ. તપસ્યાને છેલ્લે દિવસે તેણીએ કાઇ સાધુના યાગને માટે દિશાઓમાં જોવા માંડયું, ત્યાં માસક્ષમણુના પારણાને માટે ફરતા સુવ્રતમુનિ તેના જોવામાં આવ્યા. પેાતાના આત્માને ધન્ય માનતી શ્રીદત્તાએ પ્રાસુક અનાદિક વડે તેમને પ્રતિલા ભિત કર્યા; અને પછી નમસ્કાર કરીને આ ત ધ વિષે પૃચ્છા કરી. મુનિએ કહ્યું-“ હે શુભા ! ભિક્ષાને માટે ગયેલા મુનિએ કોઇ ઠેકાણે ધમ દેશના કરે એવા અમારા આચાર નથી. તેથી હે ભદ્રે ! જો તારે ધર્મ સાંભળવાની ઇચ્છા હોય તેા મારા ઉપાશ્રયમાં ગયા પછી ચેાગ્ય સમયે ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને મુનિ પેાતાને સ્થાનકે ગયા. લાવેલા આહાર વડે માસક્ષમણુનું પારણું કરી તે મુનિવ સ્વાધ્યાય કરતા હતા, ત્યાં નગરના લેાકા અને શ્રીદત્તા વંદના કરવાને આવ્યા. વાંદીને સર્વે યાગ્ય સ્થાને બેઠા, એટલે મુનિએ પ્રસન્ન વાણીથી આ પ્રમાણે ધ દેશના આપી.
(6
“ આ સંસારમાં ચેારાશી લાખ ચેાતિમાં ભટકતા ભવી પ્રાણી, દૈવયેાગે અંધ જેમ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે, તેમ માનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તેમાં સર્વ જયાતિષમાં “ ચંદ્રની જેમ સં ધર્મમાં પ્રધાન શ્રીસર્વજ્ઞકથિત ધ પ્રાપ્ત થવા ઘણા દુર્લભ છે. તેથી તે ધર્મોમાં સમિત પૂર્વક યત્ન કરવા કે જેથી સ`સારી જીવ લીલામાત્રમાં આ “ સસારવારિધિને તરી જાય.’” આ પ્રમાણેની દેશના સાંભળી શ્રીદત્તાએ સુવ્રતમુનિને નમસ્કાર કરી સમકિત પૂર્ણાંક સાક્ત ધર્મને સ્વીકાર્યાં. પછી સુવ્રતમુનિને વંદના કરી સ પુરલાક અને શ્રીદત્તા હ` પામતા પોતપોતાને સ્થાનકે ગયા.
કેટલાક કાળ સુધી આત ધને સારી રીતે પાળતી શ્રીદત્તાને કાઈ ક`ના રિણામથી મનમાં આવે! સંકલ્પ ઉત્પન્ન થયા કે · અગર જો આ શ્રીજિનધનું ફળ માટું કહેવાય છે પણ મને તેવું ફળ મળશે કે નહીં, તે મારા જાણવામાં આવતું નથી.' સુત્રતમને જેવા સદ્ગુરૂને ઉપદેશ છતાં શ્રીદત્તાએ આવા સ‘કલ્પવિકલ્પ કર્યા તેથી ખરેખર ભવિતવ્યતા અતિ દુર્વાર છે. એક વખતે તે સત્યયશા મુનિરાજને વાંઢવા જતી હતી. ત્યાં તેણે આકાશમાર્ગે વિમાનમાં બેસીને જતા બે વિદ્યાધરાને જોય; શ્રીદત્તા તેના રૂપથી માહ પામીને ઘેર આવી. પછી પૂર્વે કરેલી વિચિકિત્સાનીર આલાંચના કર્યા વિના મૃત્યુ પામી. ૧ દ્રવ્યવાળી. ૨ ધર્મના ફળના સદેહ.
Page #242
--------------------------------------------------------------------------
________________
૫ મું
૨૧૫
6
આ જ ખૂદ્વીપમાં પ્રાગ્વિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે. તેમાં ઇંદ્રનગરીનું સહેાદર હોય તેવું સવ કલ્યાણના મંદિર રૂપ શિવમંદિર નામે નગર છે. તેમાં માટી સમૃદ્ધિવાળા વિદ્યાધરાના રાજાઓને પૂજવા ચેાગ્ય કનકપૂજ્ય નામે રાજા છે. તેની વાયુવેગા નામે પત્નીથી હું કીતિધર્ નામે પુત્ર થયા. મારે અનિલવેગા નામે એક અંત:પુરપ્રધાન પત્ની હતી. એક વખતે સુખય્યામાં સુતેલી તે સ્ત્રીએ રાત્રિએ કૈલાશ જેવા શ્વેત હાથી, મેઘની જેમ ગર્જના કરતા વૃષભ અને નિધિકુંભ જેવા કુંભ આ પ્રમાણે અનુક્રમે ત્રણ સ્વ× જોયાં. તત્કાલ પ્રાત:કાલે પદ્મિનીની જેમ જાગ્રત થયેલી અનિલવેગાએ પ્રફુલ્લિત વને તે સ્વપ્ના મારી આગળ નિવેદન કર્યાં. તે સાંભળી મેં કહ્યું કે ત્રિખ'ડવિજયના સ્વામી અર્ધ ચક્રવતી તારે પુત્ર થશે. ’ સમય આવતાં ખાણની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ અનિલવેગા એ સર્વ લક્ષણુસંપૂર્ણ દેવ જેવા કુમારને જન્મ આપ્યા. જ્યારે કુમાર ગર્ભમાં હતા, ત્યારે મે શત્રુઓને દમન કર્યા હતા, તેથી મેં તેનું દુષિતાર્િએવું નામ પાડ્યું. અનુક્રમે કુમાર મોટા થયા, સર્વ કલા ગ્રહણ કરી, અને રૂપપાવન યૌવનવયને પ્રાપ્ત થયા. એક સમયે એ વિજયમાં વિજયીપણું વિહાર કરતા, શાંતિના કરનાર મહાત્મા શ્રી શાંતિનાથ ભગવાન અમારા નગરની બહાર સમાસર્યા. તેમની પાસે જઈ વાંદીને મે ધ દેશના સાંભળી. તેથી તત્કાળ વૈરાગ્ય પામી કુમાર દમિતારિને રાજ્ય ઉપર બેસાડયા અને મે શાંતિનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. તે વખતે ચારિત્રને ઉચિત એવી ગ્રહણા અને આસેવના રૂપ અને પ્રકારની શિક્ષા મે` અંગીકાર કરી. અનુક્રમે આ પર્વત ઉપર મેંવાર્ષિકી પ્રતિમા અંગીકાર કરી, તેથી મારા ઘાતિકના ક્ષય થતાં મને હમણાજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ચક્ર ઉત્પન્ન થતાં તે વડે ત્રણ ખડના વિજય કરી દમિતારિ રાજા મહા બળવાન પ્રતિવાસુદેવ થયા. દમિતારની મદિરા નામની પ્રિયાની કુક્ષિથી શ્રીદત્તાને જીવ તું કનકશ્રી નામે પુત્રી થઇ. પૂર્વ ભવે શ્રી જિતધર્માંના ફળ સંબધી તે વિપરીત સ’કલ્પ કર્યા અને તેની આલેાચના પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામી, તેથી આ ભત્રમાં તને બંધુના વિરહ અને પિતાના વધ પાસ થયા. માટે ધ સંબધી કિંચિત્ પણ કલ`ક અત્યંત દુઃખ આપે છે. જેમ થાડુ કે ઘણું ઉગ્ર વિષ ભક્ષણ કરવામાં આવ્યુ હોય તે પ્રાણના નાશ કરે છે. હવે ફરીવાર એ પ્રમાણે કરવું નહી' કે જેથી ફરીવાર તેવું જ ફળ મળે ભવ્યજીવે પાંચ દોષે કરી જિત એવું સમકિત ગ્રહણ કરવું.
دو
આ પ્રમાણે સાંભળતાંજ કનકશ્રીને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે વાસુદેવ અને અલભદ્રને વિજ્ઞપ્તિ કરી કે “ આવા અલ્પ દુષ્કૃત વડે પણ જો આવું દુ:ખ પ્રાપ્ત થાય છે તે। હવે મારે દુષ્કૃતની ખાણ રૂપ કામભાગ વડે સર્યું. જેમ નાનાં છિદ્ર વડે પણ જળમાં માટુ' વહાણુ ડુબી જાય છે, તેમ આ પ્રાણી ઘેાડા દુષ્કૃત વડે પણુ દુ:ખમાં ડુબી જાય છે. પૂર્વ ભવમાં દારિદ્રપીડિત એવી મને મહા ઉત્તમ તપ કરતાં કરતાં પણ ફળની શકા કયાંથી થઇ ! અહા ! કેવી મારી મ`દભાગ્યતા ! હવે ઐશ્વર્યમાં નિમગ્ન રહેતાં અને ઇચ્છિત ભાગ ભાગવતાં મને કેટલી બધી વિપરીત કલ્પના અને બીજા દોષો થવાના સંભવ છે ? માટે પ્રસન્ન થઇને મને સદ્ય દીક્ષા લેવાની આજ્ઞા આપેા. આવા અનેક પ્રકારના છળ કરનાર ભવ રૂપ રાક્ષસથી હું ભય પામી છું. ” તે સાંભળી વિસ્મયથી વિકસિત નયને તે ખેલ્યા કે ‘ ગુરૂચરણના પ્રસાદથી તમારૂં એ કાર્ય નિર્વિઘ્ને થાએ; પણ હે બુદ્ધિમતી ! ૧. શ’કા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ—આ પાંચ દ્વેષ તજવા,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સગ ૨ જે આપણે અહીંથી સૌભાગ્યશાળી શુભ નગરીમાં જઈએ. ત્યાં જઈને અમે તમારો મોટી સમૃદ્ધિએ નિષ્ક્રમણોત્સવ કરશું; અને ત્યાં સ્વયંપ્રભ પ્રભુની પાસે સંસાર સમુદ્રને તરવામાં વહાણ રૂપ વ્રતનું તમે ગ્રહણ કરજો. ‘તથાસ્તુ” એમ કહી કનકશ્રીએ તે વાત અંગીકાર કરી. પછી બંને જણ તેને સાથે લઈ મહર્ષિને વાંદી શુભા નગરીમાં આવ્યા. ત્યાં દમિતારિએ પ્રથમ યુદ્ધ કરવાને મેકલેલા વીરાની સાથે મોટું યુદ્ધ કરતો અનંતસેન પુત્ર જોવામાં આવ્યો. પિતાને બંધુ અનંતવીર્યના પુત્રને શ્વાનની પેઠે અનેક સુભટથી વીંટાયેલો જોઈ હળને ભમાડતા બલભદ્ર કોપથી દોડયા. બલભદ્રરૂપ પવનને વેગને નહીં સહન કરતા દમિતારિના સુભટ રૂ ની પૂણીની જેમ કાંદિશિક થઈને દશે દિશાએ નાસી ગયા. પછી વાસુદેવે સર્વ પરિવાર સાથે તે નગરીમાં પ્રવેશ કર્યો. શુભ દિવસે સર્વ રાજાઓએ મળીને તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. તે અરસામાં પૃથ્વી પર વિહાર કરતા સ્વયંપ્રભ ભગવાન સ્વેચ્છાએ ત્યાં આવીને સમોસર્યા. નગરના દ્વારપાળે એ આવીને “હે સ્વામી ! સ્વયંપ્રભપ્રભુના અત્રે પધારવાથી તમે આ જ સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે.' એવું કહીને અનંતવીર્યને વધામણી આપી. તેને સાડાબાર કેટી રૂપી આ વધામણીમાં આપી અનંતવીર્ય અગ્રગ બંધુ અને કનકશ્રીને સાથે લઈ પ્રભુને વાંદવા ગયા. ભગવાન સ્વયંપ્રભે ભવ્યજનના અનુગ્રહની ઈચ્છાથી સર્વ ભાષાનુગામિની વાણીથી દેશને આપી. પછી કનકશ્રીએ કહ્યું- હે જગતગુરૂ! હું ઘેર જઈ વાસુદેવની આજ્ઞા લઈ દીક્ષા લેવાને આવું છું, માટે મારી ઉપર કૃપા કરશે.” તીર્થંકરે કહ્યું-“પ્રમાદ કરે નહીં.” આ વાક્ય સાંભળી કનકશ્રી, વાસુદેવ અને બલભદ્ર પિતાને સ્થાને આવ્યા, પછી પોતાના સ્વામી વાસુદેવની આજ્ઞા લઈ મોટી સમૃદ્ધિએ જેનો નિષ્ક્રમણોત્સવ કરે છે એવી કનકશ્રીએ સ્વયંપ્રભ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે એકાવળી, મુક્તાવળી, કનકાવળી, ભદ્ર અને સર્વતોભદ્ર ઇત્યાદિ તપ કર્યા. અનુક્રમે શુકલ ધ્યાનરૂપ અગ્નિ વડે ઘાતિકર્મરૂપ ઇંધણ દગ્ધ થતાં કનકશ્રીને અપ્લાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી બાકી રહેલા ભવો પગાહી કર્મને ખપાવી કનકશ્રી મોક્ષપદને પ્રાપ્ત થઈ.
વિવિધ ભેગ ભેગવતા વાસુદેવ અને બલભદ્ર દેવતાની પેઠે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. બલદેવ અપરાજિતને વિરતા નામે એક સ્ત્રી હતી, તેનાથી સુમતિ નામે એક પુત્રી થઈ. એ બાળા બાલ્યવયથી જ સર્વજ્ઞકથિત ધર્મની અનુરાગી, જીવાજીવાદિ તત્વને જાણનારી, વિવિધ પ્રકારનાં તપઅનુષ્ઠાનને આચરનારી, અખંડ દ્વાદશવિધ શ્રાવકવ્રતને ધરનારી અને શ્રી જિનપૂજા તથા ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ. એક વખતે સુમતિ ઉપવાસના પારણાને માટે બેસતી હતી, તેવામાં દ્વાર તરફ દષ્ટિ કરતાં એક મુનિને આવતાં જોયા. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિવાળા તેમજ જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા તે મનિને પોતાના સ્થાનમાં રહેલા અન્નથીજ પ્રતિલાભિત કર્યા. તે સમયે તત્કાળ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. મહાત્માને આપેલું દાન કેટાનકોટીગણું થાય છે. મુનિએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો. નિ:સંગ સાધુઓ પવનની જેમ એક ઠેકાણે રહેતા નથી. રનવૃષ્ટિને ખબર સાંભળી બલભદ્ર અને વાસુદેવ ત્યાં આવ્યા, અને તે જોઈને બંને વિસ્મય પામ્યા. “આ સુમતિનું ચરિત્ર આશ્ચર્ય રૂપ છે એમ તેઓ કહેવા લાગ્યા અને આ પ્રભાવિક બાલિકાને ગ્ય વર કોણ થશે ?” એમ ચિંતા કરવા લાગ્યા. પછી પિતાને બહાનંદ મંત્રીની સાથે વિચાર કરી તે બાલિકાને સ્વંયવર કરવાનો દઢ ૧ ક્યાં જવું, કયાં જવું એવા વિચારમાં ભ્રમિત થઈ ગયેલા.
Page #244
--------------------------------------------------------------------------
________________
પર્વ પ મું
૨૧૭ નિશ્ચય કર્યો. વાસુદેવની આજ્ઞાથી વિજયાદ્ધમાં રહેનારા સર્વ વિદ્યાધર અને મનુષ્યના
જ એ સ્વયંવરમાં આવવા લાગ્યા. વાસુદેવના સેવકોએ તેમની આજ્ઞાથી ઈદ્રનું સભા ગ્રહ હેય તે એક સહસ્ત્ર રતનસ્તંભવાળ ક્ષિતિના મંડનભૂત મંડપ રચ્યું. તેમાં ફણપતિની ફણાના માણિક્યની શ્રેણું હોય તેવી ભ્રાંતિ આપનારાં રત્નમય સિંહાસને રચાવ્યાં. વાસુદેવની આજ્ઞાથી તે ઉપર રાજાઓ અને શરીરની શોભાથી કામદેવ જેવા વિદ્યાધરના કુમારે આવીને બેઠા. પછી દિવ્ય વસ્ત્ર અને રત્નનાં અલંકારને ધારણ કરનારી, વિચિત્ર રચનાથી રચેલા ખુશબેદાર વિલેપનથી અલંકૃત થયેલી, મસ્તક પર ચંદ્રના બિંબ જેવું શ્વેત છત્ર ધરનારી, સમાન વયની સખીઓથી પરવારેલી અને સુવર્ણ દંડવાળી પ્રતિહારીએ બતાવેલ માર્ગે ચાલતી બલભદ્રની કન્યા વરમાળા હાથમાં લઈને ત્યાં આવી. આસપાસ દેવતાઓની પેઠે બેઠેલા વિદ્યાધર રાજાઓની વચ્ચે આવીને સુમતિએ સમુદ્રને લક્ષ્મીની જેમ સ્વયંવરમંડપને અલંકૃત કર્યો. જાણે નીલકમળની માળાને રચતી હોય તેમ એ મૃગાક્ષીએ મુગ્ધ દષ્ટિવડે સ્વયંવરમંડપનું અવલોકન કર્યું. તે સમયે રત્નમય માણિકયતંભથી શેજિત, ગગનમાં સૂર્ય મંડલની જેમ લટકતું અને રત્નમય સિંહાસન પર વિરાજિત દેવીએ અધિષ્ઠિત એક સુંદર વિમાન અકસમાત્ મંડપના મધ્યમાં પ્રગટ થયું. રાજકન્યા સુમતિ, આવેલા રાજાઓ અને વિદ્યાધરના પતિઓ અતિ વિસ્મયથી વિકસિત નેત્રે તેને જોવા લાગ્યા. તેઓના જોતજોતામાં તે તે વિમાનમાંથી ઉતરી મંડપના મધ્યમાં એક સિંહાસન પર તે દેવી અધિષ્ઠિત થયા. તેમણે દક્ષિણ ભુજા ઉંચી કરી સુમતિ કન્યાને કહ્યું-“મુગ્ધ ધનશ્રી ! પ્રતિબંધ પામ, પ્રતિબોધ પામ, પૂર્વભવનું સમરણ કર. સાંભળ! પુષ્કરવાર દ્વીપાદ્ધમાં પૂર્વ ભારતક્ષેત્રના મધ્ય ખંડને વિષે વિશાળ સમૃદ્ધિવાળું શ્રીનંદન નામે નગર છે. તે નગરમાં શરણાથી જનેને રક્ષણ કરવામાં અહર્નિશ આલસ્ય રહિત મહેદ્રના જે મહેન્દ્ર નામે રાજા હતો. તે રાજાને પ્રાણથી પણ અતિવલ્લભ અનંતમતિ નામે એક અનંત ગુણપાત્ર રાણી હતી. એક વખતે અનંતમતિ રાણીએ સુખે સુતા સુતાં રાત્રિને શેષભાગે પિતાના ઉસંગમાં બે સુગંધી અને નિર્મળ માળા અવલોકી. તે સ્વમનું વૃત્તાન્ત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે હે દેવિ ! આ સ્વપના સૂચવનથી તમારે નિર્દોષ બે દુહિતા થશે” અનુક્રમે સમય આવતાં તેણે બે પુત્રીઓને જન્મ આપ્યું. તેમાં પહેલી હું કનકશ્રી અને બીજી તું ધનશ્રી એવા નામની આપણે બે બહેનો હતી. આપણે બંને પરસ્પર પ્રીતિથી સાથે મોટા થયા, સાથે કલાકલાએ ભણ્યા અને સાથે યૌવનવચને પ્રાપ્ત થયા. એક વખતે આમતેમ ક્રીડા કરતાં સ્વેચ્છાએ આપણે દેવતાની વિશ્રામ ભૂમિરૂ૫ ગિરિ પર્વત નામના પર્વત પર આવી ચડયા. ત્યાં સ્વાદિષ્ટ ફલ અને સુંગધી પુષ્પોને ચુંટતી આપણે બંને વનગિરિની દેવીઓ હોય તેમ ફરવા લાગી. એમ ફરતાં ફરતાં એક મનહર એકાંત પ્રદેશમાં અતિ શમતાથી શોભિત નંદનગિરિ નામના મુનિ આપણું જોવામાં આવ્યા. મુનિના દર્શનથી હર્ષ પામીને મુનિને ત્રણ પ્રદક્ષિણ કરી ભક્તિ પૂર્વક આપણે વંદના કરી. મુનિએ “ધર્મ લાભ આશિષ આપીને આપણને બંનેને હદયને આનંદકારક દેશના આપી. તે ધર્મદેશના સાંભળીને આપણે બંનેએ અંજલિ જેડી વિજ્ઞપ્તિ કરી કે “જો અમારામાં ગ્યતા હોય તો અમને યોગ્યતા પ્રમાણે ધર્મા ન દનમુનિએ આપણી ગ્યતા વિચારી આપણુ બંને રમણીઓને બાર પ્રકારને શ્રાવકને ધર્મ સંભળાવ્ય; એટલે આપણે તે સ્વીકારી લીધું. મુનીને વંદના કરીને આપણે બંને પિતાને ઘેર આવી તે ધર્મને સાવધાનપણે પાળવા લાગી,
Page #245
--------------------------------------------------------------------------
________________
સર જો
એક દિવસે આપણે અને કૌતુકથી ક્રીડાપ ત, સરિતા, વાપીકા અને વિવિધ વૃક્ષાથી વ્યાપ્ત એવા અશાક વનમાં ગઇ. ત્યાં સિરતાને તીરે આપણે વિવિધ ક્રીડા કરતી હતી. તેવામાં ત્રિપુર નગરના સ્વામી વીરાંગ નામના એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયા. પરંતુ તેની વજ્રશ્યામલિકા નામની શુભાશયવાળી સ્ત્રીએ કેશરીસિ’હુથી મૃગલીની જેમ આપણને બંનેને છેાડાવી મૂકી. ત્યાંથી ભીમાટવીમાં નદીને કાંઠે વંશની જાળમાં આપણે શાપભ્રષ્ટ દેવીની પેઠે આકાશમાંથી પૃથ્વીપર પડી, પેાતાની આવી મરણાંત આપત્તિ જાણીને શુભ ભાવનાવાળી આપણે નવકારમંત્ર પરાયણ થઈ અનશન વ્રત ગ્રહણ કર્યું . ત્યાંથી હું કનકશ્રી મૃત્યુ પામીને સૌધર્મ દેવલાકના પતિની નમિકા નામે અગ્ર મહિષી થઇ. તું ધનશ્રી મૃત્યુ પામીને કુબેર લેાકપાળની મુખ્ય દેવી થઇ, અને ત્યાંથી ચવીને અહીં ખળભદ્રની સુમતિ નામે પુત્રી થઇ છે. જયારે આપણે દેવલાકમાં હતા, ત્યારે આપણે સંકેત કરેલા હતા કે જે અહીંથી પ્રથમ ચવે તેણે આવીને બીજીને અર્હત ધર્મના બેાધ કરવા. તેથી હું તારી બેન તને બાધ કરવાને અહીં આવી છું, માટે સંસારને તારનાર શ્રીજૈનધર્મનો પ્રતિબોધ પામ, ન'ઢીશ્વર મહાદ્વીપમાં જઈને કરેલા શાશ્વત અર્હંત ભગવંતના અષ્ટાન્તિક મોત્સવ, જ'ગમ પ્રભુના જન્મનાત્રાદિ ઉત્સવ અને પૂર્વ ભવમાં અનુભવ કરેલી દેશનાની વાણીને યાદ કર. જન્માંતર રૂપ નિદ્રાથી તે બધું શા માટે ભૂલી જાય છે ? હવે તે તું દેવતાને પણ દુર્લભ, માનવ જન્મરૂપ વૃક્ષનું ફળ અને જાણે સિદ્ધિની પ્રિય સખી હેાય તેવી દીક્ષા ગ્રહણ કર.' આ પ્રમાણે કહીને તે ઇંદ્રાણી વિદ્યુત્ની જેમ પોતાની કાંતિથી આકાશમાં ઉદ્યોત કરતી વિમાનમાં બેસીને પોતાના સ્વર્ગમાં ગઈ. તરતજ તેની વાણીથી જેને જાતિસ્મરણુ થયુ` છે. એવી સુમતિ જાણે સંસારનો ભય લાગ્યા હોય તેમ મૂર્છિત થઈને પૃથ્વીપર પડી ગઇ. જયારે ચંદનના જળથી તેને સિંચન કર્યું` અને પ'ખાના પવનથી પવન નાંખ્યા ત્યારે તે બાળાને પાછી સંજ્ઞા આવી અને રાત્રિ જવાથી થયેલા પ્રાતઃકાલની જેમ બેઠી થઈ. પછી તે અંજિલ જોડીને ખેલી કે-“અરે ! સર્વ કુલિન રાજાએ ! અત્યારે મને જાતિસ્મરણ થયુ` છે. તમને મારે માટે અહી' ખેલાવેલા છે, તેથી હું તમારી પ્રાર્થના કરૂ છું કે તમે સ` મને આજ્ઞા આપો કે જેથી હું સંસારભ્રમણુરૂપ રોગની ઔષધીરૂપ દીક્ષા ગ્રહણ કરૂં.” તે સાંભળી સવ રાજા બાલ્યા-હે અનધે ! ‘તથાસ્તુ' અમે તને આજ્ઞા આપીએ છીએ કે તારૂ' ઇચ્છિત નિર્વિઘ્ને થાઓ.” પછી વાસુદેવ અને ખળભદ્રે હર્ષિત થઈ ને મોટી સમૃદ્ધિથી તેનો સ ઉત્સવામાં શિરામણ એવા નિષ્ક્રમણાત્સવ કર્યા. દેવરાજ (ઇંદ્ર) અને યક્ષરાજ (કુબેર)ની મુખ્ય દેવીઓએ આવીને તેની પૂજા કરી. ‘તેવી સાધ્વી સ્ત્રીઓ ઇદ્રને પણ પૂજય છે.’ પછી સુવ્રત મુનિની પાસે સાતસે કન્યાઓની સાથે તેણે મેાક્ષવૃક્ષની નીક રૂપ દીક્ષા ગ્રહણ કરી. સ`વેગથી ભાવિત અને આત્મા રૂપે કમલના ધ્યાનમાં ભમરી રૂપ તે સુમતિએ એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારનો તપ આચર્ય. આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી ક્ષપક શ્રેણીપર આરૂઢ થઇ માક્ષ લક્ષ્મીના દૂત જેવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી અનેક ભવ્ય જીવાને બેધ પમાડી ભવાપગ્રાહી કર્મના ક્ષય કરી તે સુમતિ સાધ્વી અયપદને પ્રાપ્ત થઇ.
૨૧૮
સમ્યક્ત્વવર્ડ શાભતા અપરાજિત અને અન ંતવીય અશ્વિનીકુમારની જેમ સાથે મળીને રાજય પાળવા લાગ્યા. પ્રાંતે ચારાશી લાખ પૂર્વનું આયુષ્ય ભાગવી અનતવીય વાસુદેવ નિકાચિત ક`થી પ્રથમ નરકમાં ગયા. ત્યાં બેતાલીશ હજાર વર્ષ નરકની વિવિધ વેદના
૧ પાપ વિનાની.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પર્વ પ મું તેમણે સહન કરી. ઉપાર્જિત કર્મને કદિપણ નાશ થતો નથી. ત્યાં વાસુદેવના જન્મના પિતા ચમઢે આવીને વેદનાની શાંતિ કરી. અપત્યસ્નેહ ઘણે બલવાન છે. સંવેગવંત અનંતવીર્યને જીવે અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વ કર્મને સંભારીને નરકની દુસહ વેદનાને સમ્યફ ભાવે સહન કરી.
બંધુના શેકથી ઉદ્વેગ પામી બલભદ્રે ત્રણ ખંડ પૃથ્વીનું રાજય પોતાના પુત્રને સેંપી જયેધર ગણધરી પાસે વ્રત ગ્રહણ કર્યું. તેની સાથે સેળ હજાર રાજાઓએ દીક્ષા લીધી. મહત્ પુરૂષને અનુસરનાર પુરૂષ મહત્ ફલને મેળવી છે. અનેક પરીસહોને સહન કરતાં બલભદ્ર ચિરકાલ પર્યત તપ કર્યું. છેવટે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ઇંદ્ર થયા. - અનંતવીર્યને જીવ નરકમાં દુષ્કર્મનું ફલ ભેગવી અગ્નિમાંથી સુવર્ણની જેમ શુદ્ધ થઈ નરકમાંથી નીકળ્યો; અને જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં બૈતાઢય પવર્તની ઉત્તર છેણીમાં ગગનવલ્લભપુરને વિષે વિદ્યાધરપતિ મહાત્મા મેઘવાહનની મેઘમાલિની પત્નીથી મેઘનાદ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં તેને રાજ્ય પર બેસારી મેઘવાહને પરલોકનું કાર્ય સાધ્ય કર્યું. મેઘનાદ અનુક્રમે ભૂમિ પર અંતરિક્ષમાં જેમ સૂર્ય પ્રકાશ કરે તેમ વૈતાઢયની બંને શ્રેણીને એક તેજસ્વી અધિપતિ થયે.
એક દિવસે મેઘનાદ પિતાના પુત્રોને બંને શ્રેણી પર રહેલા એક દશ નગર વહેચી આપી પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે મંદર ગિરિ પર ગયે. ત્યાં નંદન વનમાં રહેલા સિદ્ધાયતનમાં શાશ્વતી પ્રતિમાનું પૂજન કર્યું. તે સમયે ક૯પવાસી દેવતાઓ ત્યાં આવ્યા. અય્યતે તેને જોઈ પૂર્વ ભવના ભ્રાતૃસ્નેહથી ગુરૂની જેમ બધ કર્યો કે “આ સંસારનો ત્યાગ કર.” તેવા સમયમાં વિદ્યા ધરપતિની જાણે શરીરધારી સ્વાર્થસિદ્ધિ હોય તેવા અમરગ્રસ નામે કોઈ મુનીંદ્ર ત્યાં પધાર્યા. મેઘનાદે તેમના ચરણમૂળમાં રહી ચારિત્ર અંગીકાર કર્યું, અને અપ્રમાદીપણે નિયમપૂર્વક તેનું પરિપાલન કર્યું. એકદા મેઘનાદ મુનિ નંદનગિરિ નામના પર્વત પર આરૂઢ થઈ, એક રાત્રિની પ્રતિમા અવલંબીને ધ્યાનસ્થ થયા હતા, તે વખતે પૂર્વ જન્મને બૈરી, અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનો પુત્ર જે ચિરકાલ ભવભ્રમણ કરી દૈત્યપણાને પામ્યો હતો, તેણે તેવી રીતે રહેલા મેઘનાદ મુનિને જોયા. પૂર્વના બૈરથી મોટા વૃક્ષને પાડાની જેમ તે સ્વભાવધીર મહામુનિને ક્રોધથી તેણે ઉપસર્ગ કરવા માંડયા. તથાપિ તેને ચલિત કરવાને તે જરાપણ શક્તિમાન થયે નહીં. “દંતીના દંતઘાતથી શું પર્વત જરા પણ કંપાયમાન થાય ? પ્રાંતે થાકીને તે અસુર લજ્જાથી મલિન મુખવાળો થયે સત નિષ્ફળ થઈને ચાલ્યો ગયો. પછી મહામુનિ મેઘનાદ ધ્યાનથી વિરામ પામ્યા. ઉપસર્ગ અને પરીસોથી નહીં કંપતા મેઘનાદ મુનિ ચિરકાલ તીવ્ર તપ આચરી, અંતે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવપણાને પામ્યા. 困医医图&烟烟烟烟烟困困困困困交图图
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवस्यषष्टसप्तमभव
वणेनो नाम द्वितीयः सर्गः ॥ B D 1289%B2083332098850REOB3888888888SPBERR888 ૧. દીક્ષા. ૨. મેરૂ પર્વત. ૨ હાથીના.
Page #247
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે.
આ જમ્બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સીતા નદીને દક્ષિણતીરે મંગલાવતી નામે વિજય છે. તેમાં વિસ્તારવાળી રત્નસંચયા નામે નગરી છે. તે નગરીમાં અનેક રત્નોને સંચય હોવાથી તે રત્નાકરની સ્ત્રી હોય તેવી લાગે છે. તેને વિષે લક્ષ્મીને ગક્ષેમ કરનારજ અને પવનની જે બલવાન હેમંકર નામે રાજા હતા. પુષ્પમાળા જેવી કોમળ અને રત્નમાળા જેવી નિર્મલ રત્નમાળા નામે તેને એક રાણી હતી. અપરાજિતને જીવ જે અચ્યોં થયું હતું, તે અશ્રુતલેકમાંથી ચ્યવી છીપમાં મોતીની જેમ રત્નમાળાની કુક્ષિમાં ઉત્પન્ન થયું. તે વખતે સુખે સુતેલી મહાદેવીએ રાત્રિના શેષભાગમાં ચૌદ મહા સ્વમ અને પંદરમું વજ અવલેકયુ. તત્કાળ જાગ્રત થઈ તે વૃત્તાંત તેમણે પતિ આગળ કહ્યો. એટલે રાજા ક્ષેમંકરે કહ્યું કે “તમારે ઇંદ્ર જે વીર ચક્રવત્તી પુત્ર થશે.” ગર્ભસમય પૂર્ણ થતાં છઠ્ઠા કપાળની જેવા લોકોત્તર પરાક્રમી અને પવિત્ર તથા મધુર આકૃતિવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. જ્યારે તે પુત્ર ગર્ભમાં હતો ત્યારે દેવીએ સ્વમમાં વજ જોયું હતું તેથી પિતાએ તેનું વજાયુધ નામ પાડયું. લોકોત્તર શરીરવાળે વજાયુધ લેકેની દષ્ટિને દેષને દૂર રાખવાને માટે લલાટ પર વિનાશક આભૂષણ પહેરી દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અનુક્રમે તે સુર અસુર અને માનવની સ્ત્રીઓના હૃદયને મોહક એવું યૌવનવય પામ્યો અને સર્વ કળાસાગરને પાર પણ પામી ગયા. પછી હાથમાં કંકણ ધારણ કરનારી જાણે શરીરધારી લમી હોય તેવી લક્ષ્મીવતી નામે એક રાજપુત્રી સાથે તે પરણ્યો. અનંતવીર્યને જીવ અમ્રુત કલ્પમાંથી ચ્યવી જેમ મેઘજલ આકાશમાંથી પૃથ્વીપર આવે તેમ લક્ષ્મીવતીની કુક્ષિમાં અવતર્યો. સમય થતાં તેણીએ શુભ સ્વમસૂચિત અને તેજવડે સૂર્ય જેવા સર્વ લક્ષણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. શુભ દિવસે માતાપિતાએ જમોત્સવથી પણ અધિક ઉત્સવ કરી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડયું. ચંદ્રની જેમ અનુક્રમે મોટો થઈને તે કલાકલાપવડે સંપૂર્ણ યૌવનવયને પ્રાપ્ત થયું. રૂપમાં કામદેવ જેવો સહસ્ત્રાયુધ શરીરશેભાથી લક્ષમીને ઉલ્લંઘન કરનારી કનકશ્રી નમે રાજકન્યા સાથે પરણ્ય, તે સ્ત્રીથી તેને પરાક્રમમાં મહાબળ જે સંપૂર્ણ નરલક્ષણસંયુક્ત શતબાલ નામે પુત્ર થયો.
એક વખતે રાજા ક્ષેમંકર પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, મંત્રી, મિત્ર અને સામે તેની સાથે સભામાં બેઠો હતો. તે સમયે ઈશાનક૯૫માં દેવતાઓની વચ્ચે ચર્ચા થઈ કે પૃથ્વીમાં વાયુદ્ધના જે કઈ દઢ સમ્યફવધારી નથી. આ વચન પર ચિત્રશૂળ નામના એક દેવને શ્રદ્ધા આવી નહીં. તેથી તત્કાળ વિચિત્ર રત્નમુકુટ અને કુંડલને ચલિત કરતો તે મિથ્યાત્વથી મોહિત અને દુર્મતિ નાસ્તિક દેવતા વિવાદ કરવાની ઈચ્છાથી ક્ષેમકર રાજાની પર્ષદામાં આવ્યું તે વખતે પર્ષદામાં વિચિત્ર આલાપ સંલાપ ચાલતા હતા. તે સાંભળી આસ્તિકતાના ઉદ્યોત પર આક્ષેપ કરતા તે દેવ ગર્વથી આ પ્રમાણે બે -આ જગમાં પુણ્ય, પાપ, જીવ અને પરલોક કાંઈ પણ નથી; પ્રાણીઓ આસ્તિકતાની બુદ્ધિથી
જ યોગ નવું પ્રાપ્ત કરવું. ક્ષેમ=પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવું. લક્ષ્મીનો યોગક્ષેમ કરનાર=નવી લક્ષમીનો ઉપાર્જક અને ઉપાર્જિત લક્ષ્મીનો રક્ષક. ૧ પાંચમો લોકપાળ રાજા ને છઠ્ઠો આ પુત્ર.
Page #248
--------------------------------------------------------------------------
________________
પર્વ પ મું
૨૨૧
ફોગટ કલેશ પામે છે.” તે સાંભળી નિષ્કપટ સમ્યકત્વને ધરનારા વજાયુધે કહ્યું- અરે આવું પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ વચન કેમ બોલે છે ? તમેજ અવધિજ્ઞાનવડે તમારા પૂર્વ જન્મના સુકૃતના ફળરૂપ તમારે વૈભવ જુવે. તમને જ પૂર્વ ભવમાં માનુષત્વ અને આ ભવમાં દેવત્વ પ્રાપ્ત થયેલું છે તે જે જીવવસ્તુ ન હોય તો તે કેવી રીતે ઘટે? હે ધીમાન્ ! આ લોકમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી પરલોકમાં તમે દેવપણું પ્રાપ્ત કર્યું, તેથી આલોકની જેમ પરલોક પણ પ્રત્યક્ષ જ છે.” ક્ષેમંકરના પુત્ર વજાયુધે આ પ્રમાણે પ્રતિબંધ કરવાથી ચિત્રશૂળ બોલ્યા–“તમે બહુ સારું કહ્યું, બહુ સારું કહ્યું. આ સંસારમાં પડતા એવા મારે તમે કૃપા કરીને ઉદ્ધાર કર્યો છે. અથવા જેના પિતા સાક્ષાત્ તીર્થકર હોય તેની શી વાત! હું ચિરકાલ થયા મિથ્યાત્વી છું, પરંતુ સારે ભાગ્યે ઈર્ષાથી પણ તમારા દર્શન થયા છે, તે હવે મને સમ્યક્ત્વ રત્ન આપો. કેમકે પુરૂષનું દર્શન નિષ્ફળ થતું નથી.” બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા વાયુધે તેને ભાવ જાણીને તેને સમ્યક્ત્વ આપ્યું. “સર્વજ્ઞના પુત્ર તેવા જ હોય છે.” ફરી ચિત્રશૂળે કહ્યું- “હે કુમાર! આજથી નિરંતર હું તમારો આજ્ઞાકારી છું. તો પણ આજે કાંઈક માગી લ્ય.' વાયુધે કહ્યુંહું તમારી પાસે એટલું માગું છું કે તમારે આજથી દઢ સમ્યફવધારી થવું. દેવે કહ્યું“આ તમારી કેવી પ્રાર્થના ! તેમાં તો મારે સ્વાર્થ છે. પણ એવું કાંઈ માગે કે જેથી હું તમારા ઋણથી મુક્ત થાઉં.” તેના ઉત્તરમાં મારું એટલું જ કાર્ય છે” એમ વજાયુધે કહ્યું એટલે તે દેવે દેવની જેવા નિસ્પૃહ વાયુધને દિવ્ય અલંકારે આપ્યાં. પછી ચિત્રશૂળે ઈશાનેદ્રની સભામાં આવીને કહ્યું કે “તમે દઢ સમ્યક્ત્વધારી વજા યુધની જે પ્રશંસા કરી હતી તે ઘટિતજ છે.” તે વખતે “એ વાયુધ મહાત્મા ભગવાન તીર્થંકર થશે” એવું કહેતા ઇશાનપતિ વજાયુધની સ્તુતિ કરવા લાગે.
આવી રીતે વિચિત્ર ગોષ્ઠી અને સુંદર ક્રીડા કરતા વાયુધ મહદ્ધિમાન દેવની પેઠે સુખમગ્ન રહેવા લાગ્યા. એક વખતે વસંતસમયમાં પુષ્પના પડાને ધરનારી સુદર્શન નામની એક વેશ્યાએ આવી વાયુને કહ્યું-“સ્વામી ! યુવાન પુરૂષોનો ક્રીડામિત્ર અને કામદેવને વિજયમિત્ર વસંતઋતુ આજ એક છત્રવાળો થઈ વૃદ્ધિ પામે છે. આ ઋતુરાજમાં હીંચકા ઉપર બેઠેલી નવીન યોવનવતી સ્ત્રીઓને તેમની સખીઓ હાથમાં ચષ્ટિઓ લઈ પતિઓનાં નામ પૂછે છે. યુવાન રમણીઓ પોતાની મેળે પુષ્પ ચુટે છે, માળા ગુંથે છે, કામદેવને પૂજે છે અને પિતાનું માન છોડી દે છે. તેમજ કેટલીક મનસ્વી કાન્તાઓ પણ સ્વયંતી થાય છે, આ ઋતુરાજને એવો કોઈ અપૂર્વ પ્રભાવ વિજય પામે છે. આ રમણીય ઋતુમાં કોકિલાના કૃજિત અને ભમરીઓના ગુંજારવ સુતેલા કામદેવ રાજાને જાગ્રત કરવા માટે બંદિજનના કોલાહલ જેવા થઈ પડે છે. પુષ્પના મુકુટ, પુષ્પના હાર અને પુષ્પના બાહુભૂષણ તથા કંકણુને ધરનારા યુવાન પુરૂષ જાણે પુષ્પધન્વાને પાખંડ માગ ચલાવતા હોય તેવા દેખાય છે. આવા વસંતના મિત્ર કામદેવ જે વસંતઋતુ ઉપસ્થિત થવાથી દેવા લક્ષમીવતી મારા મુખે આપને વિજ્ઞપ્તિ કરે છે કે “હે પ્રભુ ! આવા મનોહર વસંતમાં નંદનવન જેવા સુરનિપાત નામના ઉદ્યાનમાં જઈને નવીન વસંતની શોભા જોવાનું અને કૌતક થયું છે.” “જેવી તમારી ઈચ્છા” એમ કહી કુમાર પરિવાર સાથે તે કામદેવના ધામ રૂપ ઉદ્યાનમાં આવ્યા. ચંદ્રની પછવાડે તારાઓની જેમ લક્ષમીવતી વિગેરે સાતસો. દેવીઓ ૧ તેની પછવાડે ત્યાં આવી. એ સુંદર ઉદ્યાન અતિ વિસ્તારવાળા છાયાદાર વૃક્ષોથી
૧ રાણીઓ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સર્ગ ૨ જે
જાણે એક છત્રવાળું હોય અને પુષ્પિત વૃક્ષોથી અદ્વૈત સુગંધનું તેને સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય તેવું દેખાતું હતું. વૃક્ષોની આસપાસના કયારાએ પુષ્પમાંથી ઝરતા પરાગની કણિકાથી કાદવવાળા થઈ ગયા હતા અને ફલના ભારથી નમેલા વૃક્ષોની શાખાઓ ભૂતળને સ્પર્શ કરતી હતી. તે ઉદ્યાનમાં કુમાર વજાયુધ અંતઃપુર સાથે કોઈ ઠેકાણે ઉત્કંઠિત મને અને કઈ ઠેકાણે યોગીની જેમ ગુહામાં પેસીને ક્રીડા કરવા લાગે. પછી ઉદ્યાનના વિહારથી શાંત થઈ ગયેલી રમણીઓને લઈને તે પ્રિયદર્શન કુમાર જલક્રીડા કરવાને માટે એક વાપિકામાં ગયે. નંદીશ્વર દ્વીપની વાપિકા જેવી મનહર વાપિકામાં શ્રમ નાશ કરવાને કુમારે પ્રિયા સહિત પ્રવેશ કર્યો. પછી ગિરિનદીમાં હસ્તીની જેમ પોતાની પ્રિયાઓની સાથે તે જલક્રીડા કરવા પ્રવર્યો. જલક્રીડામાં થતા કરના આઘાતવડે ઉડેલા હારના મોતી અને જલબિંદુઓમાં કાંઈ પણ અંતર જણાતું નહોતું. જલમાં રમતી અંત:પુરની રમણીએના મુખનો અને સુવર્ણ કમળનો મિત્રોની જેમ ઘણે કાળે પરસ્પર ડ્ય સંગમ થઈ ગયે. મૃગાક્ષીઓની ઉપર અંજલિ, શીંગડી અને ગંડૂષ વડે થતા જલપ્રહારથી કામદેવ જલના આયુધને ધરનારે થઈ પડ હોય તેમ જણાવા લાગ્યું. આસપાસ પથરાઈ ગયેલી કામિનીઓની કેશવેણી જાણે કામદેવે વજાને માટે તૈયાર કરેલા મીન હોય તેવી દેખાવા લાગી. જયક્રીડાથી ઢાંત થઈ જલતીરે વિશ્રામ લેવા જતી કેટલીક ગૌરાંગી રામાઓ જાણે જલદેવીઓ હોય તેવી દેખાતી હતી. સુંદર બ્રકુટીવાળી બાલાઓનાં નેત્રો પિતાના સાપનો કમળના સંઘર્ષણથી જાણે રેષિત થયાં હોય તેમ જળને છાંટાથી આતામ્રજ થઈ ગયાં. મદગંધી વહસ્તીના મદથી નદીના જલની જેમ વાપિકાનું જલ મૃગાક્ષિઓના અંગરાગથી સુગધી થઈ ગયું.
આ પ્રમાણે શત્રુઓના ભયના અસ્થાનરૂપ વાયુધ કુમાર ભરપૂર જલક્રીડામાં વ્યગ્ર થઈ ગયા હતા. તે સમયે પૂર્વ જન્મના રિપુ દમિતારિ પ્રતિવાસુદેવને જીવ ચિરકાલ ભવભ્રમણ કરી દેવપણાને પ્રાપ્ત થઈને વિદ્યુદંષ્ટ્ર નામે વિખ્યાત થયા હતા, તે ત્યાં આવ્યો. વાયુધને જોઈ પરસ્પર દાઢને ઘસતો તે દેવ “અરે ! આ જીવતો ક્યાં જાય !” એમ કાલથી ચિંતવવા લાગ્યો. પછી તેણે ચણાની મુષ્ટિની જેમ પરિવાર સહિત વાયુધને ચૂર્ણ કરવાને તે વાપિકા ઉપર એક પર્વતને ઉપાડીને નાખે; અને તે અધમ અસુરે મહાવત જેમ પગમાં સાંકળ નાંખીને હાથીને બાંધે તેમ વરૂણના પાશ જેવા નાગપાશથી વજાયુધને બાંધી લીધો. પરંતુ વાયુધે ઈદ્ર જેમ વજથી પર્વતને દળી નાંખે, તેમ મુષ્ટિથી ગિરિને ભાંગી નાંખે અને કમલના તંતુની જેમ પાશને તેડી નાંખ્યો; પછી એ મહાભુજ જેમ પાતાળમાંથી શેષનાગ નીકળે તેમ તે વાપિકામાંથી અંતઃપુર સહિત અક્ષતાંગે બહાર નીકળ્યો. એ સમયે શકઈદ્ર મહાવિદેહક્ષેત્રના જિનેશ્વરને નમીને નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને જતા હતા. તેણે વાપિકામાંથી નીકળતા વાયુધને જોયા. એટલે “આ વાયુધ આ ભવમાં ચક્રવતી અને આગલા ભવમાં અહત થશે એમ ધારી ઈ કે તેની પૂજા કરી. ભવિષ્ય કાલનો પણ ભૂતકાલની પેઠે ઉપચાર થાય છે. પછી “તમે ધન્ય છો. કારણકે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં શાંતિ નામે સેળમાં તીર્થકર તમે થશે.” આ પ્રમાણે કહી ઈદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને વાયુધે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરીને અંતપુરના પરિવાર સહિત પિતાના પુરમાં પ્રવેશ કર્યો.
૧ પીચકારી. ૨ કોગળાઓ. ૩ સરખા. ૪ કાંઈક રાતા,
Page #250
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૨૩ રાજા ક્ષેમંકર લોકાંતિક દેવતાએ સમરણ આપવાથી પ્રતિબોધ પામી દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા. તેથી તેણે વાયુધ કુમારને પિતાનો રાજ્યાધિકાર સખે, અને વાર્ષિકદાન આપી તેમણે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહમ તત્પર થઈ દુસ્તપ તપસ્યા આચરતાં ઘાતિકર્મનો ઘાત થવાથી તે ભુવનભર્જા ક્ષેમકર જિનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ દેવતાઓએ આવીને કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ઈંદ્ર અને વાયુધ ગ્ય સ્થાને બેઠા પછી સમવસરણમાં રહેલા સર્વજ્ઞ પ્રભુએ દેશના આપી તે દેશના સાંભળી ઘણું લોકોએ દીક્ષા લીધી, અને ઈદ્ર તથા વાયુધ વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા.
તે સમયે અસ્ત્રાગારના અધિપતિએ હર્ષ ભર્યા આવી વાયુધને માટે સ્વરે કહ્યું કે અસ્ત્રાગારમાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું છે. વાયુધે ચક્રરત્નની મોટી પૂજા કરી. તે સિવાય બીજા તેર રને પણ અનુક્રમે તેમને પ્રાપ્ત થયાં. પછી તેણે ચક્રરત્નની પછવાડે ચાલી વૈતાઢય પર્વત સહિત મંગળાવતી વિજયના છ ખંડ જીતી લીધા અને પોતાની જાણે બીજી મૂર્તિ હોય તેવા પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ સહસા યુધ નામના કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો.
એક વખતે સામાનિકદેવથી વીટાયેલા ઈદ્રની જેમ રાજા, સામંતે, મંત્રીઓ અને સેનાપતિઓથી વીટાયેલે વજાયુધ સભામંડપમાં બેઠો હતો. તે સમયે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતો અને હસ્તીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતો એક યુવાન વિદ્યાધર મનાક પર્વત જેમ સમુદ્રને શરણે આવે તેમ વજાયુધને શરણે આવ્યા. તેની પછવાડે જાણે મૂર્તિમાન વિદ્યાદેવી હોય તેવી સુરેખા નામે એક સુંદર વિદ્યાધરી હાથમાં ઢાલ અને ખડગ લઈને આવી; તેણે વાયુને કહ્યું- હે દેવ ! તમે આ દુરાત્માને છોડી દો, જેથી હું તેને તેના દુર્નયનું ફળ તત્કાળ બતાવું.' ડીવારે તેની પછવાડે યમદૂતના જે ભયંકર કોઈ વિદ્યાધર હાથમાં સુંદર ગદા રાખીને ક્રોધ કરતો આવ્યો. તેણે પણ વાયુધને કહ્યું કે “આ દુષ્ટને દુર્નય સાંભળો કે જેથી હું અને આ સ્ત્રી તેને વધ કરવાને અહીં આવ્યા છીએ. આ જ બુદ્વીપમાં વિદેહક્ષેત્રના આભૂષણ જેવા સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે. તેની ઉપર દેવલેકની શોભાનું જાણે મૂલ્ય હેય તેવું સર્વપુરશ્રેણીમાં શિરોમણિ રૂપ શુકલ નામે એક સુંદર નગર છે. તેમાં શુકલદત્ત નામે વિદ્યાધરોને રાજા છે, અને તેને બને કુલના યશને ધરનારી યશોધરા નામે પત્ની છે. તેને પવનવેગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે કલાકલાપમાં કુશળતા સાથે યૌવનવયને પ્રાપ્ત થયું. તે વૈતાઢય ગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તેને આભૂષણ રૂપ કિન્નરગીત નામના નગરમાં દીપચૂલ નામે રાજા છે. તેને ચંદ્રકીતિ નામે પત્ની છે. તેનાથી સુકાંતા નામે સર્વ લક્ષણસંપૂર્ણ પુત્રી થઈ, અને તેની સાથે મારો વિવાહ થયે. અમે બંને દંપતીને રૂપશીલે વિરાજિત શાંતિમતી નામે પુત્રી થઈ જે આ તમારી પાસે ઉભી છે. આ બાળા મણિસાગર નામના પર્વત ઉપર ભગવતી પ્રજ્ઞપ્તિકા નામની મહાવિદ્યાને સાધતી હતી. તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે આવીને તે વિદ્યા સાધવામાં તત્પર બાળાને આકાશમાં ઉચકી લીધી. પરંતુ તત્કાળ તેને વિદ્યા સિદ્ધ થઈ. એટલે તેને તજી દઈ સદ્ય આ અધમ વિદ્યાધર ત્યાંથી પલાયન કરી ગયો. તેને કોઈ ઠેકાણે શરણ નહીં મળવાથી છેવટે તે દુરાત્મા તમારા ચરણમૂળમાં પ્રાપ્ત થયું છે. પ્રાપ્તિ વિદ્યાની પ્રજાને માટે બળિ લઈને મણિસાગર પર્વત પર જયારે આવ્યો ત્યારે તે ગિરિ ઉપર મારી પુત્રીને દેખી નહીં, તેથી તેને પગલે પગલે તેની પછવાડે હું અહીં આવ્યો છું. માટે દુષ્ટોને શિક્ષા કરનારા હે સ્વામી! દોષાની ખાણરૂપ આ અધમને છેડી
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સગર જે ઘ, કે જેથી આ ગદાવડે નાળીયેરના ફલની પેઠે તેને ચૂર્ણ કરી નાંખીને યમરાજના સ્થાનમાં પહોંચાડી દઉં.” તે આ પ્રમાણે વૃત્તાંત સાંભળી અવધિજ્ઞાનવડે તેમને પૂર્વ સંબંધ જાણી વજાયુધ ચક્રવર્તે છેલ્યા–“અરે વિદ્યાધર ! આ સર્વનો પૂર્વ સંબંધ સાંભળ. આ જંબૂદ્વીપના એરાવત ક્ષેત્રમાં વિંધ્યપુર નગરમાં વિંધ્યદત્ત નામે એક રાજા હતો. તેની સુલક્ષણ નામે પત્નીથી નરલક્ષણેથી પૂર્ણ નલિનકેતુ નામે એક પુત્ર થયે. તે નગરમાં મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન ધર્મમિત્ર નામે એક સાથે વાત શિરોમણિ રહેતો હતો. તેને શ્રી દત્ત નામની સ્ત્રીથી દત્ત નામે પુત્ર થયે; અને તે દત્તને દિવ્ય રૂપવાળી પ્રભંકરા નામે પત્ની થઈ એક દિવસે વસંત ઋતુમાં રતિ સાથે કામદેવની જેમ તે દત્ત પિતાની દયિતા સાથે ઉદ્યા નમાં ક્રીડા કરવા ગયે. તે સમયે નલિનકેતુ પણ ત્યાં આવી ચડે. તે પ્રભંકરાને જોતાંજ કામબાણથી વીંધાઈ ગયે. “અહા ! શું લાઘનાય રૂ૫ છે! જે આ સ્ત્રીની સાથે ક્રીડા કરે તે પણ લાધ્ય છે. આ પ્રમાણે ચિંતવી તે કામાતુરે તત્કાલ તેનું હરણ કર્યું; અને ક્રીડા કરવાના ઉદ્યાનમાં, સરિતા અને વાપીકા વિગેરેમાં તે નલિનકે, તેની સાથે કામ દેવની જેમ સ્વરછંદે ક્રીડા કરવા લાગે. કુમાર દત્ત પિતાની પ્રિયાના વિયોગાગ્નિથી પીડિત થઇ નિરંતર પ્રભકરાને જ ધ્યાન ધરતે ઉદ્યાનમાં ભટકવા લાગ્યો. ત્યાં ફરતાં ફરતાં દષ્ટિમાં અમૃતાંજન સમાન જેનું દર્શન છે એવા સુમન નામે એક મુનિ તેના જોવામાં આવ્યા. તે સમયે ઘાતિકર્મના ક્ષયથી સુમન મુનિને અજ્ઞાન રૂપ અંધકારમાં દિવસ સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. તે વખતે દત્ત કુમારે પણ આવીને મુનિના ચરણકમળમાં વંદના કરી. મુનિના મુખથી ધર્મદેશના રૂપ સુધાનું પાન કરી દત્ત કુમારે પૂર્વ તાપની ગ્લાનિ ક્ષણવારમાં છેડી દીધી. પછી નિરંતર દાનધર્મમાં તપુર અને શુભ ધ્યાન ધરનારે દત્ત શાંતપણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં સુકચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિપર આવેલા સ્વર્ણતિલક નામના નગરમાં વિદ્યાધરના રાજા મહેદ્રવિક્રમની અનિલગ પત્નીથી પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાએ તેનું અજિતસેન એવું નામ પાડયું અને વિધિથી વિદ્યાઓ આપી. વિદ્યાધરનું મૂળ ધન વિદ્યા જ હોય છે.” યૌવન પ્રાપ્ત થતાં તે વિદ્યાધરની અનેક કન્યાઓને પરણ્યા. તેમની સાથે આકાશમાર્ગે ફરતો ગિરિવનાદિકમાં અનેક પ્રકારે રમવા લાગ્યા.
વિધ્યદત્ત મૃત્યુ પામ્યા પછી વિધ્યપુરમાં વાસુદેવના જે ઉદ્ભટ નલિન કેતુ રાજાથ. તે હરણ કરેલી દત્તની પત્ની પ્રભંકરા સાથે કાંદર્ષિક દેવની પેઠે વિષયસુખ ભોગવવા લાગે. એક વખતે જેમ વૈમાનિક દેવ દેવીની સાથે પ્રકાશમાન વિમાન૫ર ચડે, તેમ નલિનકેતુ પ્રભંકરાની સાથે પિતાના મહેલ ઉપર ચડે. તે વખતે પર્વતના શિખર જેવા, અંજનાચળ જેવા ભાસ્વર કાંતિવાળા, ગજેનાથી દિશાઓનો તિરસ્કાર કરનારા, ઉદ્દબ્રાંત થયેલા દિગ્ગજની જેવા, વિદ્યુતથી આકાશને પ્રકાશિત કરતા અને ઈન્દ્રધનુષને ધરનારા મેઘ અક
સ્માતું આકાશમાં ચડી આવ્યા. તેમને જેઈનલિન કેતુ ખુશી થયે પાછા ક્ષણવારમાં પ્રચંડ પવનથી જાણે છેટી રીતે ઉત્પન્ન થયા હોય તેમ તેઓ દશે દિશામાં વિખરાઈ ગયેલા જેવામાં આવ્યા. એ પ્રમાણે એક ક્ષણાર્ધમાં મેઘની ઉત્પત્તિ અને વિનાશ જોઈ નલિનકેતુ વરાગ્યથી વિચાર કરવા લાગ્યો કે “જેમ આ મેઘ આકાશમાં ક્ષણમાં ઉદય અને ક્ષણમાં અસ્ત પામ્યા તેમ આ સંસારમાં સર્વ પદાર્થો તેવી સ્થિતિમાંજ રહેલા છે. એક જન્મમાં
Page #252
--------------------------------------------------------------------------
________________
૫ ૫ મું
૨૨૫
આ પ્રાણી યુવાન, વૃદ્ધ, ધનાઢય, નિર્ધન પતિ, પેઢલ, નીરાગી અને રાગી થાય છે. તેથી સસારમાં સર્વ ક્ષણિક છે. માટે તેવા સ`સારને ધિક્કાર છે !' આ પ્રમાણે વિચારી તત્કાળ પુત્રને રાજ્યપર બેસારી તેણે ક્ષેમકર તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલેક કાલે ઉગ્ર તપસ્યા કરવાથી અને શુભ ધ્યાન ધ્યાવાથી ઘાતિકના ક્ષય થઈને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરી ભવેાપગ્રાહી ચાર કર્માંને પણ હુણી નલિનકેતુ મહર્ષિ અન્યયપદને પામ્યા. સરલ અને ભદ્રિક સ્વભાવવાળી પ્રભ’કરા રાણીએ સુત્રતા ગણિનીની પાસે ચાંદ્રાયણુ તપ આચર્યું: સમકિત વગરના તે તપના ફળથી તે પ્રભંકરા મૃત્યુ પામી આ શાંતિમતી નામે તારી પુત્રી થઈ છે. દત્તના જીવ આ અજિતસેન વિદ્યાધર થયા છે. તેણે પૂના સ્નેહથી આ શાંતિમતીને ઉપાડી હતી માટે તેનાપર કાપ કરીશ નહીં. તેની ઉપરના કાપ છેાડી અધુની પેઠે તેને ક્ષમા કર. કારણ કે જે અનંતાનુબંધી કષાય છે તે નરકને માટેજ થાય છે.” આવી રીતે વાયુધની વાણી સાંભળવાથી ત્રણે જણા બૈરમુક્ત થઇ, સવેગ પામીને પરસ્પર ખમાવવા લાગ્યા. ફરીવાર વળી ચક્રવર્તી વાયુષે કહ્યું કે “તમે ત્રણ જણ ઘેાડા કાળમાં ક્ષેમ કર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરશેા. ત્યાં આ શાંતિમતી રત્નાવળી તપ કરશે અને અનશનવડે મૃત્યુ પામીને ઈશાને...દ્ર થશે. તેજ વખતે હે પવનવેગ અને અજિતસેન ! તમને ઘાતિકના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. તેથી તરતજ તમારા કેવળજ્ઞાનના મહિમા મોટા ઉત્સવથી તે ઇશાને દ્ર આવીને કરશે અને પોતાના પુ જન્મના દેહની પૂજા કરશે. પછી કાળે કરી ઇશાન ઈંદ્ર ચવી મનુષ્ય પણું પ્રાપ્ત કરી કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે ચક્રવર્તી વાયુધનું ત્રિકાલ વિષયી જ્ઞાન સાંભળી સર્વે સભાસદ વિકસિત નેત્રે વિસ્મય પામી ગયા. પછી રાજા પવનવેગ, તેની પુત્રી શાંતિમતી અને અજીતસેન વિદ્યાધર વાયુધને પ્રણામ કરીને આ પ્રમાણે ખેલ્યા-હે જગત્પતિ ! તમે અમારા પિતા, સ્વામી, ગુરૂ અને દેત્ર છે. કેમકે પરસ્પર પાપ કરવાને પ્રવરો લા અમાને તમારા શિવાય બીજો કાણુ રક્ષણકર્તા થાત ? જો તમારાં વચનરૂપ નરકદ્વારની અગલા વચ્ચે આવી પડી ન હાતા અમે પરસ્પર મૃત્યુ પામી આજેજ નરકમાં જાત; માટે હે સ્વામી! અમને આજેજ આજ્ઞા આપા, કે જેથી સંસારથી ભય પામેલા અમે હમણાજ શ્રીક્ષેમ કર પ્રભુને શરણે જઇએ.’’ આ પ્રમાણેની તેમની વિજ્ઞપ્તિ સાંભળી ચક્રવ
એ આજ્ઞા આપી એટલે તરતજ તેઓએ ક્ષેમકર પ્રભુની પાસે જઇને દીક્ષા લીધી. પછી તેમણે શાંત મન રાખીને વિનાશના ભયથી કૃશ થયા હોય તેવા શરીાથી ઉગ્ર તપસ્યા કરી. તેમાંથી શાંતિમતી મૃત્યુ પામી ઈશાન કલ્પમાં ઇંદ્ન થઈ અને બીજો બન્નેને તે સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈશાનેન્દ્રે આવી તેમના કેવળજ્ઞાનના મહીમા અને પેાતાના દેહનુ પૂજન કર્યું. ઈશાને...દ્ર ત્યાંથી ચવી બીજા જન્મમાં સિદ્ધી પામ્યા અને તેએ બન્ને આયુષ્ય પૂર્ણ થતાં તેજ ભવમાં મોક્ષે ગયા.
વાયુધ ચક્રી જયંત સહિત ઇંદ્રની જેમ સહસ્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. એવામાં એકદા સહસ્રાયુધની પત્ની જયનાએ એક સમયે સ્વમમાં કિરણેાથી પ્રકાશમાન સુવર્ણ શક્તિ જોઈ, પ્રાતઃકાલે તેણે સ્વમની વાર્તા પેાતાના પતિને કહી, ત્યારે તેણે કહ્યું કે હે દેવી ! મેટી શક્તિવાળા તારે પુત્ર થશે.’ ત્યારથી તે દેવીએ દુહુ ગ ધારણ કર્યાં. પછી સમય આવતાં પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ તેણે એક પુત્રર્૧ સાધ્વીસમુદાયની અધિકારિણી.
૨૯
Page #253
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જે
ત્નને જન્મ આપ્યું. જયનાદેવીએ જોયેલા સ્વમને અનુસારે પિતાએ તે બાલકનું કનકશક્તિ એવું નામ પાડયું. અનુક્રમે જ્યારે તે બાલ્યવય ઉલ્લંઘન કરી યૌવનને પ્રાપ્ત થયે, ત્યારે સુમંદિરપુરના રાજા મેરૂમાલીની મલ્લદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામે રૂપલાવણ્યવતી કન્યાની સાથે યથાવિધિ પરણે.
શ્રીસાર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતો. તેની પ્રિય સેના નામે રાણીને ઉદરથી વસંતસેના નામે એક પુત્રી થઈ હતી. તે કનકમાળાની પ્રિય સખી હતી. તેના પિતા અજિતસેન તેને માટે કોઈ ગ્ય વર શોધતું હતું, તેથી તેણે તે સ્વયંવર કન્યા કનકશક્તિની પાસે મોકલી. એટલે કનકશક્તિ તેને પણ યથાવિધિ પર. આ વિવાહથી વસં. તસેનાની કુઈના પુત્રને મનમાં ઘણો કેધ ઉત્પન્ન થયે. એક વખતે કનકશક્તિ ઉદ્યાનમાં ફરતું હતું, તેવામાં કૂકડાની પેઠે ઉંચે ઉછળ અને પડતે એક પુરૂષ તેના જોવામાં આવ્યા. કનકશક્તિએ તેને પૂછયું-“અરે ભાઈ ! તમે પતંગની પેઠે આમ કેમ પડે છે અને ઉછળે છે ? તે જે રહસ્ય ન હોય તે કહે.” તેણે કહ્યું-“તમારા જેવા મહાત્મા એની પાસે રહસ્ય કહેવામાં કાંઈપણ હરકત નથી. કેમકે તે કહેવાથી ગુણ થાય છે; હું વિદ્યાધર છું. કેઈ કાર્યને માટે વૈતાઢય પર્વત ઉપરથી અન્યત્ર જતાં વચમાં આ ઉદ્યાનમાં હું આવી ચડે. ઉદ્યાનની રમ્યતા જોવાને ક્ષણવાર રોકાયે. પછી અહીંથી ઉડવાને આકાશગામીની વિદ્યાનું મેં સ્મરણ કર્યું. પણ તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગયે છું. તેથી જેની પાંખે બાંધેલી હોય તેવા પક્ષીની જેમ ઉછળું છું અને પાછો પડી જાઉં છું.” કુમારે કહ્યું–મહાપુરૂષ ! જે બીજાની પાસે તે વિદ્યા ભણાવી હોય તે ભણે.” તેણે કહ્યું
સામાન્ય પુરૂષોની આગળ તે વિદ્યા ભણાય નહીં; પણ તમારા જેવા મહાત્માને તે તે વિદ્યા આપી શકાય તે ભણવામાં શી હરકત હોય?” પછી વિદ્યાધર તે એક પદ રહિત વિદ્યા ભણું ગ; એટલે જેને પદાનુસારી બુદ્ધિ છે એવા કુમારે તે ન્યૂન પદ કહી આપ્યું. તેથી તત્કાળ જેને પૂર્ણ વિદ્યાશક્તિ પ્રગટ થઈ છે એવા વિદ્યારે તે વિદ્યા કુમારને આપી. વિવેકી જ કૃતજ્ઞજ હોય છે. પછી વિદ્યાધર ત્યાંથી સ્વસ્થાનકે ગયે; અને કુમાર કનકશક્તિ તે વિદ્યાનું યથાવિધિ સાધન કરી મોટો વિદ્યાધર થ.
વસંતસેનાની કુઈ નો પુત્ર જે પ્રથમ રોષ ધરી રહ્યું હતું તે કનકશક્તિને કાંઈ પણ અપકાર કરવા સમર્થ થયે નહીં. તેથી લજજાવડે અનપાન છોડી મૃત્યુ પામી હિમચૂલ નામે દેવતા થયા. કુમાર કનકશક્તિ, વસંતસેન અને કનકમાળા સાથે વિદ્યાશક્તિથી પવન નની જેમ પૃથ્વી પર સ્વેચ્છાએ ફરવા લાગ્યા. એકદા તે કનકશક્તિ હિમવંતગિરિપર જઈ ચડે. ત્યાં વિપુલમતિ નામે એક ચારણમુનિ તેને જોવામાં આવ્યા. તપેલા સુવર્ણ જેવા અંગવાળા, કૃશ થઈ ગયેલા અને કામદેવને જીતનારા તેમજ જાણે મૂર્તિમાન તપતેજ હોય તેવા તે મુનિને કુમારે ભકિતથી વંદના કરી. પછી મુનિ પાસેથી ધર્મલાભ આશિષ મેળવીને બે દેવીઓ સાથે ત્યાં બેસી સંસારરૂપ દાવાનલમાં વર્ષાઋતુ જેવી ધર્મદેશના તેણે સાંભળી. મહામતિ કનકશકિતએ પ્રતિબોધ પામી રાજ્યશ્રીની પેઠે બંને દેવીઓને છોડી દઈને દીક્ષા લીધી. વિવેક અને શુભ હદયવાળી બંને દેવીઓએ પણ સંવેગ પામી વિમલમતિ નામે આર્યાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મુનિ કનકશકિત વિહાર કરતાં કરતાં સિદ્ધિના સ્થાનરૂપ તેજ ગિરિ ઉપર એક શિલાને વિષે એક રાત્રિની પ્રતિમા અંગીકાર કરીને કાઉસગ ધ્યાને રહ્યા.
Page #254
--------------------------------------------------------------------------
________________
૫ ૫ મુ
૨૨૭
અહી” સ્તંભની પેઠે સ્થિર રહેલા કનકશકિતને જોઈ પેલા દુરાશય હિમશૂલ દેવતાએ તેમને ઉપસ કરવા માંડયા. તે અધમદેવને ઉપસર્ગ કરતા જોઈ વિદ્યાધરાએ આવી ક્રાધથી તેને ત્રાસ પમાડયા. સ જના સત્પુરૂષના પક્ષમાંજ રહે છે. તપસમૂહના ગિરિરૂપ તે મુનિ પ્રતિમા ત્યાંથી વિહાર કરી રત્નસ ચયા નગરીએ આવ્યા; અને તે નગરીની ખહાર સૂનિપાત નામના ઉપવનમાં આવી તેમણે પતની જેમ સ્થિર થઈને એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. તેજ રાત્રિએ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા તેમને ક્ષણવારમાં ઘાતિકમાઁ ના ક્ષયથી ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તે મહાશયના કેવળજ્ઞાનના મહિમા કર્યો. હિમણૂલ તે જોઇ ભય પામીને તેમને શરણે આવ્યેા. વાયુધે પણ તે મહિર્ષના કેવળજ્ઞાનના ઉત્સવ કર્યાં, અને તેમની દેશના સાંભળી પાછે! નગરીમાં ગયા.
6
એકદા કાડાગમે દેવતાઓએ અને રાજાઓએ સેવેલા ક્ષેમકર પ્રભુ ત્યાં આવીને સમેાસર્યા. સેવકાએ આવી વાયુધને કહ્યું- હે સ્વામી ! ફ્રેમ'કર પ્રભુ ઉદ્યાનમાં સમા સર્યા છે.’ તેઓને સાડાબાર કાટી સેાનૈયા આપી વાયુધ પિરવાર સાથે ક્ષેમ કર પ્રભુની પાસે ગયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંઢી ભકિતથી પાસે બેસી ધ દેશના સાંભળી દેશનાને અંતે વાયુધ ચક્રી એલ્યા- સ્વામી ! આ દુરૂત્તર સ`સારસાગરથી હું ભય પામ્યા છું, માટે કુમાર સહસ્રાયુધને રાજ્ય પર બેસારી જ્યાં સુધીમાં આવું ત્યાં સુધી મને દીક્ષા આપવાને આપ અહીં રહેવા કૃપા કરો.’ પ્રભુએ કહ્યું–‘ ધર્મ કામાં પ્રમાદ કરવા નહી'. ' તે સાંભળી વાયુધે તત્કાળ પેાતાની નગરીમાં આવી સહસાયુધને રાજ્ય પર બેસાર્યા. પછી સહસ્રાયુધે જેમના નિષ્ક્રમણેાત્સવ કરેલા છે એવા વજ્રાયુધ ચક્રી શિખિકાપર એસી ફ્રેમ કર પ્રભુની પાસે આવ્યા. ત્યાં ચારહજાર રાણીઓ, ચારહજાર મુગટધારી રાજાએ અને સાતસા પોતાના પુત્રાની સાથે વાયુષે વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરતા અને પરીસહાને સહન કરતા વાયુધ મુનિ વિહાર કરતાં કરતાં સિદ્ધિ પર્વતે આવ્યા. હું ઉપસગેર્ઝાને સહન કરીશ ' એવી શુદ્ધ બુદ્ધિથી તેણે ત્યાં વિરોચન નામના સ્તંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. હવે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના પુત્ર મણિકુભ અને મણિકેતુ ચિરકાલ ભવાટવીમાં ભમી, અંતે ખાલ તપ કરી અસુરકુમાર થયા હતા; તેએ સ્વેચ્છાએ ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા; એટલે તેમણે મહર્ષિ વાયુધને જોયા. પૂર્વના અમિતતેજના ભવના ઔરથી તે બંને જણ વૃક્ષને એ મહિષા ઉપદ્રવ કરે તેમ તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રથમ સિંહ થઈને વાંકુર જેવા તીક્ષ્ણ નખથી બે પડખે રહી તેમના દેહને ઉઝરડવા લાગ્યા. પછી થેાડીવારે એ હાથી થઇ અતવેદીની જેમ સૂંઢના આઘાતથી, દાંતના પ્રહારથી અને પગના દુઃસહ પાતથી તેમને મારવા લાગ્યા. પછી સ` થઇને તે મહિષના પડખામાં શકટના પાશની પેઠે દૃઢ બધે ભરડો લઈ લટકવા લાગ્યા. પછી રાક્ષસ થઇને પે.તાની દાઢ જેવી તીક્ષ્ણ કાતીથી તે મુનિને મોટો ઉપદ્રવ કરવા લાગ્યા. એવી રીતે તેઓ મુનિને વિવિધ ઉપસર્ગો કરતા હતા; તેવામાં ઇદ્રની રંભા, તિલેાત્તમા વિગેરે અપ્સરાએ અને બીજી દેવાંગનાએ અહુ તને વાંઢવા જતી હતી. તેમણે મુનિને ઉપસર્યાં કરતા તે બંને દેવતાઓને ક્રીડા, એટલે · અરે પાપીએ ! તમે આવા ઉત્તમ મુનિ ઉપર આ શુ' આરંભ્યુ છે ? ' એમ કહેતી તેઓ વેગ વડે આકાશમાંથી નીચે ઉતરી. તેમને ઉતરતી જોતાંજ તે બંને દેવતાએ ક્ષેાભ પામીને ત્યાંથી નાસી ગયા. સૂર્યને પ્રકાશ થતાં ઘૂવડ પક્ષી કેટલીવાર ટકી શકે ? ’ પછી રંભાદિક દેવાંગનાઓએ ઇંદ્રની જેમ તે મુનિની આગળ ભક્તિથી નૃત્ય કરવા માંડયુ, પછી
Page #255
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જો
દર્શનથી પેાતાના આત્માને પવિત્ર થયેલા માની તે દેવીએ પરિવાર સાથે મુનિને વાંદી પાતાતાને સ્થાનકે ગઈ.
२२८
વાયુધ મુનિએ વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી, અનુપમ યમનિયમ ધારણ કરી, ત્યાંથી પૃથ્વી પર વિહાર કર્યા. રાજા સહસ્રાયુધ રાજશ્રેણીવડે શેાભિત થઈ વિવાહિત રાજપુત્રીની જેમ પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષ્મીને ભાગવવા લાગ્યા. એક વખતે તે નગરીમાં મુનિગણુથી વીટાયેલા પિહિતાશ્રવ નામે ગણધર મહારાજ સમાસર્યા; એટલે સહસ્રાયુધે તેમની પાસે આવી ભક્તિ વડે તેમને વંદના કરી અને ક માં અમૃતવૃષ્ટિ જેવી તેમની દેશના સાંભળી, તે દેશનાથી આ સ`સારને ઈંદ્રજાળની જેવા અસાર જાણી તેમણે પેાતાના પુત્ર શતલિને રાજ્ય પર બેસારી પિહિતાશ્રવ ગણધરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરૂ પાસેથી દ્વિવિધ શિક્ષા ગ્રહણ કરીને તેમણે પૃથ્વી પર વિહાર કરવા માંડયા. એક વખતે સહસ્રાયુધ મુનિ વિહાર કરતાં કરતાં ચંદ્રને બુધ મળે તેમ વાયુધ રાજિષને અકસ્માત્ મળી ગયા; પછી બંને પિતાપુત્ર સંયુક્તપણે સદા તપધ્યાનમાં તત્પર થઈ પરીસહને સહન કરી, પોતાના શરીરની પણ અપેક્ષા છેાડી દઇ ક્ષમારૂપ ધનને ધારણ કરી, પુર, ગ્રામ અને અરણ્ય વિગેરેમાં વિહાર કરતાં ઘણા કાળ એક દિવસની જેમ સુખે નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે બંને મુનિઓએ ઇષાભાર નામના ગિરિ ઉપર ચડી ‘પાદાપગમ ' નામે અનશન ગ્રહણ કર્યું. આયુષ્યના ક્ષય થતાં તે મહા મુનિવરેાએ પરમ સમૃદ્ધિવાળા ત્રીજા ત્રૈવેયકમાં અહમિદ્રપણાનુ અદ્ભુત પદ્મ પ્રાપ્ત કર્યું, અને પચવીશ સાગરોપમની સ્થિતિ ત્યાં નિગમન કરી,
☆的
烧烧烧烧烧B防火防爆防烧限公爐烤肉烧烤好呀
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ देवस्य
षष्टसप्तमभववर्णनो नाम तृतीयः सर्गः ॥
SET T
腐88多加防KBB的防务限加WWR防腐防爆烧烧限
૧ જેમણે આશ્રવ ઢાંકી દીધા છે એવા.
Page #256
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થો.
આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વિસ્તારવાળા પુષ્કળાવતી વિજયને વિષે સીતા નદીને કાંઠે મધ્ય ખંડની વચ્ચે સરોવરમાં પુંડરીક કમળની જેમ લક્ષમીનું નિધાન પુંડરકિણી નામે નગરી છે. તે નગરીમાં પૃથ્વીમાં રહેલો ઈદ્ર હોય તેવ, શત્રુઓના મનોરથને ખંડન કરનાર ઘનરથ નામે મહારથી રાજા હતો. સમુદ્રને ગંગા અને સિંધુની જેમ તેને પ્રિયમતી અને મનોરમા નામે બે પત્નીઓ હતી. વજાયુધને જીવ ચૈવેયકમાંથી ચવી મહાદેવી પ્રિયમતીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ સ્વમમાં વર્ષ, ગાજતો અને વિદ્યતને પ્રકાશતો મેઘ મુખમાં પ્રવેશ કરતે તેના જેવામાં આવ્યો. તેણે પ્રાત:કાલે તે સ્વમનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે મેઘની પેઠે પૃથ્વીના સંતાપને હરનારે પુત્ર થશે.” સહેસાયુધને જીવ રૈવેયકમાંથી ચવીને મહાદેવી મનોરમાની કુક્ષિમાં અવતર્યો. તે સમયે તેણે સ્વમમાં સુવર્ણની ઘુઘરીઓવાળો, ધ્વજાપતાકાથી શુભ અને લોઢાની ચક્રધારાવાળે એક રથ મુખમાં પ્રવેશ કરતે જોયો. પ્રાતઃકાળે પતિને વૃત્તાંત જણાવતાં તેમને કહ્યું કે “હે દેવી! તમારે મહારથીઓમાં અગ્રેસર પુત્ર થશે. અને દેવીઓ એ સમય આવતાં જાણે બીજી મૂર્તિને પ્રાપ્ત થયેલા સૂર્યચંદ્ર હોય તેવા બે કુમારને જન્મ આપ્યો. પિતાએ શુભ દિવસે પ્રિયમતીના પુત્રનું સ્વપ્રને અનુસારે મેઘરથ એવું નામ પાડયું અને મનોરમાના પુત્રનું સ્વમને અનુસારે દરથ એવું નામ પાડયું. મેઘરથ અને દઢરથ કુમાર દઢ બ્રાતૃભાવ ધારણ કરતાં અનુક્રમે બલભદ્ર અને વાસુદેવની જેમ મોટા થવા લાગ્યા. થોડા કાળમાં તેઓ કામદેવનું રાજ્ય સ્થાન, કામિનીજનને કામણરૂપ અને રૂપના ઉત્કર્ષને પ્રગટ કરનાર યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે સુમંદિરપુરના રાજા નિહતશત્રુના પ્રધાને આવી, પ્રણામ કરી ઘનરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભુ ! ડેલરના પુષ્પ જેવી ઉજજવળ અને તે તે ઉત્તમ ગુણેથી પ્રકાશિત તમારી કીર્તિ ચંદ્રપ્રભાની જેમ કોને હર્ષ આપતી નથી? અમારા રાજા નિહતશત્રુ અહીંથી દૂર રહેલા છે તે છતાં પણ, તે તમારી સાથે નિર્મળ સૌહદપણાને ધરાવે છે; અને હમણું તે નો સંબંધ બાંધવાવડે સાનિધ્યમાં આવી તમારી સાથે વિશેષ નેહ કરવાને ઈચ્છે છે. તે નિહતશત્રુ રાજાને ત્રણ જગતની સ્ત્રીઓથી જુદી તેમના સ્વામીપણામાં રહી હોય તેવી ત્રણ કન્યાઓ છે. તેમાંથી બે કન્યા મેઘરથને અને એક કન્યા દઢરથને આપવાને ઈચ્છે છે, તેથી તેમ કરવાથી તમારા જેવાની સાથે તેનું પૂર્ણ સૌહૂદ થાઓ.” ત્યારે રાજા ઘનારથે મેઘની જેવા વનિથી કહ્યું- “હે મંત્રી ! આ સંબંધવડે અમારા બનેને ગાઢ સ્નેહ થાઓ. પ્રવાહોથી પર્વતની નદીઓની જેમ પુરૂષોને નેહ વારંવાર બંધાતા સંબંધથી હમેશાં વૃદ્ધિ પામે છે.” એટલે મંત્રી બોલ્યા- હે દેવ ! કેઈ ઉત્તમ જોષીને બોલાવી માંગલિક કાર્યમાં ઉચિત એવું લગ્ન બતાવે અને શરીરશાભાથી કામદેવ જેવા તમારા બન્ને કુમારોને તે કન્યાના વિવાહના મિષથી ત્યાં મોકલો. અમારા સ્વામી ઉપર એટલે અનુગ્રહ કરે.” તેજ વખતે જોષીને બોલાવી, લગ્નને નિશ્ચય કરી, અને કુમારોને ત્યાં જવાની આજ્ઞા આપીને રાજાએ મંત્રીને વિદાય કર્યો. મંત્રી ખુશી થતે શીધ્ર સુમંદિરપુરમાં આવ્યો અને હિતશત્રુ રાજાને એ વૃત્તાંત કહીને હર્ષિત કર્યો.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સર્ગ ૪ પછી રાજા ઘરથે મૂર્તિમાન કામદેવ હોય તેવા દરથ સહિત મેઘરથને સુમંદિરપુર તરફ રવાને કર્યા. સામંત, મંત્રી, સેનાપતિ અને તેનાથી વિંટાએલા બને ભાઈ સરિતાના પુરની જેમ નિર્વિને ચાલ્યા. કેટલાક પ્રયાણ કરી મર્યાદા પાળવામાં સાગરરૂપ તેઓ સુરેદ્રિદત્ત રાજાના દેશના સીમાડામાં આવ્યા. તે વખતે રાજા સુરેંદ્રદત્ત શિક્ષા આપીને મોકલેલા એક દૂતે આવી મેઘરથને ગર્વિષ્ટ વચન વડે આ પ્રમાણે કહ્યું-“ અમારા સ્વામી સુરેંદ્રદત્ત સુરેંદ્રના જેવા પરાક્રમી છે. તેઓએ કહ્યું છે કે તમારે અમારા દેશની મધ્યમાં થઈને જવું નહીં. તેથી આ દેશનો સીમાડો છોડી બીજે માગે જાઓ. કેમકે મૃગપતિના માર્ગમાં મૃગની ગતિ ક્ષેમકુશલ થતી નથી.” આવાં દૂતનાં વચન સાંભળી વાચાળ પુરૂષ માં શ્રેષ્ઠ એવા મેઘરથે કહ્યું-“અમારે આ માર્ગ સરળ પડે છે, તો તેને કેમ ત્યાગ થાય? નદી ખાડા પૂરે, વૃક્ષ ઉમે, ઉંચી ભૂમિ ખોદી નાખે તથાપિ પિતાને માર્ગ છોડતી નથી. માટે અમે આ સરલ માર્ગથીજ જઈશું, તેથી જો તારે સ્વામી સરલ નથી તે ભલે પિતાની શક્તિ બતાવે.” મેઘરથનાં આ સર્વ વચને દૂતે જઈને સુરેંદ્રદત્ત રાજાને કહ્યાં. તે સાંભળી જેણે હા કટા સાંભળ્યા હોય તેવા હાથીની જેમ ધમેલા તાંબાની જેવાં રાતાં ને સુરેંદ્રદત્તે યુદ્ધને માટે ભંભાનાદ કરાવ્યા. હાથીસ્વારે, ઘેડેસ્વારે, પેદલે અને રથનું મોટું સૈન્ય યુદ્ધ કરવાને એકઠું થયું. સુભટની ભુજાના આસિફેટથી, ધનુષ્યના ટંકારોથી, ઘેડાના હેવારવથી, રથના ચિત્કારથી, હાથીઓની ગર્જનાથી, ઉંટના ઘંઘાટથી, ખચ્ચરેના અવાજેથી અને રણવાદ્યના નાદથી ક્ષણમાં સર્વ જગતને બધિર કરતે સુરેંદ્રદત્ત રાજા સર્વ બલથી મેઘરથનું રણતિથ્ય કરવાની ઈચ્છાએ સામે આવ્યા. અંધકારને નાશ કરવા સૂર્યની જેમ મેઘરથ અને દઢરથે કુમાર યુદ્ધને માટે જૈત્રરથમાં આરૂઢ થયા. શંકુ, શલ્ય, ચકે, પ્રાસ, દંડ, ગદા, તીર, મુદ્દગલ, નારા અને વિશિખ તેમજ પાષાણું અને લાહના ગેળા, કરથી અને યંત્રથી સર્વ સૈનિકો અને જાણે મેઘ હોય તેમ બંને સૈન્યમાં વર્ષાવવા લાગ્યા તે વખતે બને સૈન્યમાં એવો ગાઢ શસ્ત્રપાત થયે કે ખેચરની સ્ત્રીઓને યુદ્ધદર્શન કરવામાં વિદનકારી થઈ પડયો. સમુદ્રમાં જલજંતુઓથી જલજંતુની જેમ યુદ્ધમાં અસ્ત્રોથી અસ્ત્ર અને રથોથી રથો ભાંગવા લાગ્યા. જેમના વેગ અખલિત છે એવા શત્રુ
એ પવનથી વનની જેમ બન્ને કુમારનું સૌન્ય ભગ્ન કરી દીધું. પછી અદ્વૈત ભુજ પરાક્રમવાળા બને વરે ક્રોધ કરી મોટા સરેવરમાં હાથી પેસે તેમ શત્રુના સૈન્યમાં પેઠા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ અસ્રરૂપ ઊર્મિવડે શેભતા તે બંને વીરેને ખલના કરવાને શત્રના કોઈપણ સૈનિકે ઉભા રહી શક્યા નહીં. બે હાથીવડે શેરડીના વાડાની જેમ તેઓએ સૈન્યરૂપ વનનું મથન કરવા માંડયું. તે જોઈને સુરેંદ્રદત્ત યુવરાજ સહિત તેમની સામે યુદ્ધ કરવાને દેડો. સુરેંદ્રદત્ત મેઘરથ સાથે અને યુવાન યુવરાજ દઢરથની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓ પરસ્પર એક બીજાનાં શસ્ત્રો છેદવા લાગ્યા અને અન્ને બાધિત કરવા લાગ્યા. તે વખતે તે ચારે જણ રણગણમાં લેકપાળની જેવા શેવા લાગ્યા. પછી કરાસફેટ કરતા અને પરસ્પર તિરસ્કાર કરતા તેઓ બંધને જાણનારા સર્ષની જેમ ભુજાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. તે મહાપરાક્રમી ચારે વીર ભુજારૂપ શિખરને તિરછી રીતે ઊંચા કરવાથી જાણે ગજદંતવાળા પર્વત હોય તેવા ક્ષણવાર યુદ્ધભૂમિમાં દેખાવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં છેવટે મેઘરથ અને દઢરથે કુમારે એ ક્ષણવારમાં તેમને ખેદ પમાડીને વનના હાથીની જેમ બાંધી લીધા. પછી તે દેશમાં સ્વદેશની પેઠે પોતાની આજ્ઞા ફેલાવીને બન્ને કુમાર પ્રસન્નપણે ત્યાંથી ચાલી સુમંદિરપુર સમીપે આવ્યા. તેમના આવવાની ખબર સાંભળી રાજા નિહતશત્રુ તત્કાળ સામે આવ્યું. બીજા સાધારણ અતિથિને પણ જે માન આપે તેને આવા
Page #258
--------------------------------------------------------------------------
________________
પર્વ
૫ મું
૨૩૧
અતિથિને માટે તે શું કહેવું !” રાજાએ તેમને આલિંગન કરી શિર ઉપર ચુંબન કર્યું અને અહમિદ્રની જેમ સુખાદ્વૈતને અનુભવવા લાગ્યો. પછી શુભ લગ્નમાં પ્રિય મિત્રો અને મરમાં નામે પિતાની બે મોટી કન્યાઓને મેઘરથની સાથે વિધિપૂર્વક પરણાવી, અને રાજાએ જેનાં ચરણકમલ ધેયાં છે એવા દરથની સાથે ત્રીજી નાની કન્યા સુમતિને પરણાવી. મિટી સમૃદ્ધિથી યથાર્થ વિવાહ કર્યા પછી રાજાએ મેટા માન પૂર્વક વિદાય કરેલા તેઓ પિતાની નગરી તરફ ચાલ્યા, માર્ગમાં સુરેંદ્રદત્ત રાજાને તેના યુવરાજ સહિત પૂર્વવત્ તેના રાજ્યપર બેસારીને પોતાની નગરીમાં આવ્યા. તે મહાભુજ વીર જાણે ઈદ્ર અને ઉપેદ્ર પ્રીતિગથી એક ઠેકાણે મળ્યા હોય તેમ પોતાની પ્રિયા સાથે અનેક પ્રકારના ભેગ ભેગવવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી મેઘરથની પત્ની પ્રિયમિત્રાએ નંદિણ નામે અને બીજી પત્ની મનોરમા એ મેઘસેન નામે પુત્રને જન્મ આપ્યો. દઢરથની પત્ની સુમતિએ પણ ઉત્તમ ગુણરત્નના રોહણાચળ રૂપ રથસેન નામને એક પુત્રને જન્મ આપે.
એક વખતે રાજા ઘનરથ અંત:પુરમાં યૂથપતિ હાથીની જેમ સ્ત્રીઓ, પુત્રે અને પિત્રોથી વિટાઈ વિવિધ વિનોદ કરતે હતો, તેવામાં સુરસેના નામે એક ગણિકા હાથમાં કૂકડે લઈ ત્યાં આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે “હે દેવ ! આ મારે કૂકડે પિતાની જાતિમાં મુગટરત્ન સમાન છે. તે કોઇ બીજાના કુકડાથી કદીપણ છતાતો નથી. જો કોઈ બીજાને કૂકડે આ કૂકડાને જીતે તો હું તેને તેના પણમાં એક લાખ દીનાર આપું. હે પ્રભુ! જે કોઈ બીજાની પાસે આવો કૂકડો હોય તે તે મારી પ્રતિજ્ઞા પણ ભલે તેડી પડે.” તે વખતે દેવી મનોરમાએ કહ્યું-“આ પ્રમાણેના પણુથી મારા કૂકડાની સાથે આ કૂકડાનું યુદ્ધ થાઓ.” રાજાએ તે વાત સ્વીકારી, એટલે દેવી મનોરમાએ વાતુંડ નામના પોતાના કુકડાને દાસીની સાથે મંગાવ્યું. પછી બને કૂકડાને પેદલની જેમ મેદાનમાં ખડા કર્યા, એટલે વિચિત્ર ગતિ કરતા અને નાચતા તે બન્ને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા. ઉછળતા, પડતા, ખસી જતા અને હઠતા તેમજ પ્રહાર દેતા અને ઝીલતા તેઓ પરસ્પર લડવા લાગ્યા. તે ઉત્તમ કૂકડાની કલગી જેકે સ્વભાવથી રાતી હતી તથાપિ પ્રચંડ ચંચુ અને ચરણના પ્રહારવડે નીકળતા રૂધિરથી વિશેષ રાતી થઈ ગઈ. જાણે પક્ષીરૂપે બે આયુધધારી મનુષ્ય હોય તેવા તે બન્ને કુકડા વારંવાર પિતાના તીર્ણ નખ પરસ્પરના અંગમાં મારવા લાગ્યા. “આ મહાદેવી મનરમાનો કૂકડે જીતે છે; અરે ! આ સુરસેનાનો કૂકડો જીતે છે એવી રીતે ક્ષણેક્ષણે જયની ભ્રાંતિ થવા લાગી; પણ કોઈને જય થયો નહીં. આ પ્રમાણે ઘણીવાર સુધી બન્નેનું ચાલેલું યુદ્ધ જોયા પછી રાજા ધનરથ બોલ્યા કે “આ બન્ને કૂકડામાંથી કોઈ કેઈથી જીતાશે નહી.' ત્યારે મેઘરથે પૂછયું કે “આ પ્રમાણે યુદ્ધ થતાં આ માંથી એકનો જય અને એકને પરાજય કેમ નહીં થાય ?' એટલે ત્રિકાળજ્ઞાની રાજા ઘનરથ બોલ્યા–“આ બંને કૂકડાના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળે
આ જબૂદ્વીપના એરવત ક્ષેત્રને વિષે વિવિધ રનના રાશિથી ભરપૂર રત્નપુર નામે નગર છે. તે નગરમાં ધનવસુ અને દત્ત નામે બે પરસ્પર ગાઢ મૈત્રીથી શોભતા વણિક હતા. તેઓને ધનની આશા નિવૃત્ત થઈ નહોતી, ચાતક પક્ષીની જેમ અત્યંત તૃષ્ણાવાળા હતી; તેથી તે બંને સાથે નાના પ્રકારના કરિયાણાનાં ગાડાં અને ગાડીઓ ભરી ગામ, ખાણ, નગર અને દ્રોણમુખ વિગેરેમાં દારિદ્રના જાણે માતાપિતા હોય તેમ વ્યાપારને માટે ફરતા હતા. તેઓ તર્યા, ભુખ્યા, થાકેલા, મંદ, શિથિલ, કૃશ અને ટાઢતડકા તથા વરસાદથી પીડિત એવા બલદેની ઉપર અતિ ભારે ભરી ચાબુક, લાકડીના ઘા કરી અને પુછડા
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સર્ગ ૪ થે મરડી પરમાધાર્મિકની પેઠે તેમને હાંકતા હતા. તીણ આરેથી તેમના સૂઝી ગયેલા પૃષ્ઠ ભાગને વ્યથા કરતા હતા. નાસિકાને પ્રથમ વેધ જે તુટી જાય તો ફરીવાર નાસિકાને વીંધતા હતા. ઘણો કાળ થાય તો પણ શીઘ્રતાથી ધારેલે ઠેકાણે જવાની ઈચ્છા એ બલદને છોડતા નહોતા. વિલંબ થાય તેને નહીં સહન કરતા તેઓ ચાલતાં ચાલતાં ખાઈ લેતા હતા. હંમેશાં કૂટ તેલ, કૂટ, માન, કૂટ નાણાં અને કૂટ અર્થવાળાં વચનોથી માણસને મોહિત કરતા હતા. શિયાળની જેવા તે કપટી વણિક બધા જગતને ઠગતા, અને એક દ્રવ્યની અભિલાષાથી ઘણાઓની સાથે લડાઈ કરતા હતા. મિથ્યાત્વવડે જેમની બુદ્ધિ મોહિત થઈ છે અને જેઓ હમેશાં લેભથી ભરેલા છે એવા તે નિર્દય અને કઠોર પુરૂષે ધર્મની તે વાર્તા પણ કરતા નહોતા. આવી રીતે આર્તધ્યાનમાં પડેલા તેઓએ હાથીનું આયુષ્ય બાંધ્યું. આર્તધ્યાનનું ફળ તિર્યંચ યોનિમાં જન્મ થવો તેજ છે,
- એક વખતે શ્રીનદી તીર્થમાં રાગદ્વેષને વશ થયેલા તેઓ પરસ્પર કલહ કરતાં કરતાં યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામી તેજ એરવત ક્ષેત્રમાં સુવર્ણ કૂલા નદીને કાંઠે તામ્રકલશ અને કાંચનકલશ નામે બે હાથી થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલા અને સાતે પ્રકારે મદને ઝરતા તે બંને ગજેન્દ્ર કાંઠાનાં વૃક્ષોને ભાંગી નાખતા નદી તીરે વિહાર કરવા લાગ્યા. એક વખતે તે જુદા જુદા યૂથના ચૂથપતિ હાથી ફરતાં ફરતાં બિબપ્રતિબિબની જેમ પરસ્પરને જોતાં જોતાં એકઠા થઈ ગયા. તે સમયે પૂર્વ જન્મના રોષથી દાવાનળવાળા બે પર્વતો હોય તેમ તેઓ વેગથી પરસ્પરને વધ કરવાને દોડયા. ઘણીવાર સુધી દાંતે દાંતે અને શું શુંઢે યુદ્ધ કરી જન્માંતરમાં યુદ્ધ કરવા માટે હોય તેમ તે બંને એકી સાથે મૃત્યુ પામ્યા.
ત્યાંથી મરણ પામીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીને વિષે ઘણી મહિષીરૂપ ધનવાળો નંદિમિત્ર નામે એક પુરૂષ હતો, તેના અતિપ્રિય એવા મહિષીના યૂથમાં તેઓ હાથીના બચ્ચાંની જેવા પુષ્ટ અંગવાળા બે ઉત્તમ મહિષ થયા. તે મહિષ તે નગ રીના શત્રુંજય રાજાની દેવાનંદ રાણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા ધનસેન અને નંદિણ નામના બે કુમારોના જોવામાં આવ્યા. એટલે તે અયોધ્યાના રાજકુમાર એ કૌતુકથી તે ગર્વિષ્ટ અને ચમરાજના વાહન જેવા મહિને પરસ્પર બઝાડડ્યા. ત્યાં ચિરકાળ યુદ્ધ કરી તેઓ મૃત્યુ પામીને તે નગરીમાં કાળ અને મહાકાળ નામે દઢ અંગવાળા મેંઢા થયા. દૈવયોગે એક ઠેકાણે મળવાથી તે પૂર્વના વૈરી ચિરકાળ યુદ્ધ કરી મૃત્યુ પામીને આ સમાન બળવાળા બે કૂકડા થયેલા છે. પૂર્વે પણ તેમાંથી કોઈ એકએકથી છતા નથી, કારણકે તેઓ સમાન પરાક્રમી છે. તેવી રીતે હમણું પણ કેઈનાથી કોઈ જીતાશે નહીં.” તે વખતે મઘરથે કહ્યું-“આ કૂકડા કેવળ પૂર્વ બૈરવાળા છે, એટલું જ નહીં પણ તેઓ વિદ્યાધરેથી અધિષ્ઠિત છે, તેથી પરસ્પર આમ યુદ્ધ કરે છે.” પછી રાજા ઘનારથે ભ્રગુટી નમાવીને તે કહેવાની પ્રેરણ કરી, એટલે મેઘરથે અંજલિ જેડી આ પ્રમાણે તે વૃત્તાંત કહી બતાવ્યું.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં સ્વર્ણનાભ નામના નગરને વિષે ગરૂડની જેવા પરાક્રમવાળે ગરૂડેવેગ નામે રાજા છે. તેને પાપ વિનાની કૃતિ|િ નામે રાણી છે. તેણે પિતાના ઉત્સંગમાં રહેલા સૂર્યચંદ્રના સ્વપ્ના એ સૂચિત ચંદ્રતિલક અને સુરતિલક નામના બે કુમારને જન્મ આપ્યો. યૌવનવયને પ્રાપ્ત થતાં તે કુમારે એક વખત મેરૂ પર્વતના શિખર ઉપર શ્રીમાન શાશ્વત અહંતની પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં જિનવંદન કરીને કૌતુકથી ફરતા હતા, તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા
Page #260
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૩૩ સાગરચંદ્ર નામે એક ચારણમુનિ તેમના જેવામાં આવ્યા. પ્રદક્ષિણા પૂર્વક તે મુનિને વંદના કરીને અંજલિ જેડી તેમની આગળ બેસીને તેઓ ધર્મદેશના સાંભળવા લાગ્યા. દેશનાને અંતે નમસ્કાર કરીને તેઓ બોલ્યા-“ભગવાન ! સારે ભાગ્યે અજ્ઞાન રૂ૫ અંધકારવડે પીડિત એવા અમોને આપ દીપકની પેઠે પ્રાપ્ત થયા છો, માટે હે પ્રભુ! અમારા પૂર્વ ભાનું સ્વરૂપ કહો. તમારા જેવા મહાત્માનું જ્ઞાન સૂર્યના ઉદયની જેમ પરોપકારને માટેજ છે.” મુનિવર્ય બોલ્યા- “ ધાતકીખંડ દ્વીપમાં પૂવે એરવત ક્ષેત્રને વિષે વજપુર નામે નગર છે. તેમાં સર્વ જીવને અભય આપવાને ઘેષ કરનાર અભયાષ નામે રાજા હતો. તેને સુવર્ણતિલકા નામે પ્રિયા હતી. તેનાથી વિજય અને જયંત નામે બે પુત્રો થયા, તેઓ અનુક્રમે કલાકલાપ ભણીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે અરસામાં તે જ ઐરવત ક્ષેત્રમાં સ્વર્ણમ નામના નગરને વિષે શંખના જેવા ઉજજવળ ગુણવાળો શખ નામે રાજા હતા. તેની પૃથ્વી નામે રાણીને ઉસંગમાં રહેલી પુષ્પમાલાના સ્વપ્નાએ સૂચવેલી પૃથ્વીસેના નામે એક પુત્રી થઈ. રૂપના ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને પોષણ કરનાર યૌવન અને કલાકલાપ તેણે સંપાદન કર્યા. “આ પુત્રીને યેચુંવર આ જ છે એવું ચિંતવી શંખરાજાએ તે કન્યા અભયાષને આપી. રાજા અભયઘેષ તે નવોઢા પૃથ્વીસેનાની સાથે રમા સાથે વિષ્ણુની જેમ ક્રીડા કરવા લાગ્યો.
એક દિવસે વસંતઋતુમાં વસંતનાં પુપોને ધારણ કરનારી કોઈ એક દાસી અભયઘષની પાસે આવી. તેને જોઈ દેવી સુવર્ણતિલકાએ રાજાને કહ્યું “સ્વામી ! વસંતઋતુએ આપણું ષડૂઋતુક નામના ઉદ્યાનને પંડિત કર્યું છે; માટે હે પ્રાણવઠ્ઠભ ! એ નવીન વસં. તલકમીનો અનુભવ કરવાને આપણે ઉચિત પરિવાર લઈ તે ઉદ્યાનમાં જઈએ.” તે સમયે હાથમાં કેટી મૂલ્યવાળા યુક્તિનાં પુષ્પ લઇ પૃથ્વીને રાજા પાસે આવી. તે જોઈ રાજાએ પ્રફુલ્લિત નેત્રે તેની માગણી કરી. પછી ઉચિત પરિવાર લઈ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં અનેક પ્રકારની ક્રિીડા કરી. પછી દેવી પૃથ્વીસેના રાજાની આજ્ઞા લઈ આમતેમ ફરતી હતી, તેવામાં એક તરફ દંતમંથન નામે એક વિશિષ્ટ જ્ઞાની મુનિ તેના જવામાં આવ્યા. ભકિતએ ભરપૂર અને હર્ષિત થઈને તેણે મુનિને વંદના કરી. ત્યાં સંસાર પર નિર્વેદ ઉત્પન્ન કરે તેવી મુનિ પાસે દેશના સાંભળી. તે સાંભળતાં જ તેણે તત્કાળ ભવથી ભય પામી રાજાની આજ્ઞા લઈ તે દંતમંથન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દેવી પૃથ્વીસેનાનું અદ્દભુત ચરિત્ર વખાણતો રાજા અભયઘોષ પોતાને ઘેર ગયો.
એક વખતે તે રાજા અભયઘોષ પિતાના મંદિરની અગાશી ઉપર વિશ્રામ લેતો સૂર્યની જેમ રત્નસિંહાસન પર બેઠે હતો, તેવામાં તીર્થકરના લિંગને ધરનારા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી અનંત નામે અહંત પોતાના દ્વારા દેશમાં પ્રવેશ કરતાં તેને જોવામાં આવ્યા. તત્કાળ રાજા સંભ્રમથી ઉભો થયો અને ઉચિત આહાર લઈ ભગવંતની પાસે આવી નમસ્કાર કર્યો. ભગવંતે તેની આપેલી ભિક્ષાથી ત્યાં જ પારણું કર્યું. દેવતાઓએ અભયઘોષના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. છદ્મસ્થ પ્રભુ બીજા મુનિની જેમ કોઈ ઠેકાણે સ્થિર રહેતા નથી. ત્યાર પછી જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે અનંતપ્રભુ વિહાર કરતાં કરતાં તે વજપુર નગરે આવીને સમોસર્યા. તે ખબર જાણી રાજા અભયઘોષે ત્યાં આવી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી, અને સંસારને છેદનારી ધર્મદેશના સાંભળી,
૩૦
Page #261
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થા
દેશનાને અંતે રાજાએ પ્રણામ કરીને કહ્યું કે “ ભવી પ્રાણીઓના પુણ્યથીજ કલ્પવૃક્ષની જેમ તમે અહીં પધાર્યા છે. હે સ્વામી! આ તમારી પ્રવૃત્તિ પરના ઉપકારને માટે જ છે, માટે હું તમને વિજ્ઞપ્તિ કરૂ છું કે હે વિશ્વપૂજ્ય કરૂણાનિધિ! જ્યાં સુધીમાં મારા પુત્ર ઉપર સ પૃથ્વીના ભાર મૂકી તમારા ચરણકમલમાં દીક્ષા લેવાને હું પાછે આવું ત્યાં સુધી અહી` ખીરાજશે. ’’‘ધર્મકાર્ય માં પ્રમાદી થવુ નહી' એમ પ્રભુએ કહ્યું એટલે રાજા અભયઘાષે ઘેર આવી પોતાના અને પુત્રાને જુદુ જુદુ' કહ્યું–“ હે વત્સ વિજય ! આ ક્રમાગત રાજ્યને તું ગ્રહણ કર; અને હે વત્સ વૈજયત! તુ વિજયનુ યૌવરાજ્ય સ્વીકાર. હું... શ્રી અન તેનાથ પ્રભુની પાસે દીક્ષા લઇશ કે જેથી મારે ફરીવાર આ અતિગહન સ`સારમાં આવવું પડે નહીં. ” પુત્રા ખેલ્યા- પૂજ્ય પિતા ! જેમ તમે આ સ`સારથી ભય પામ્યા છે, તેમ અમે પણ તમારા પુત્રો આ સંસારથી ભય પામ્યા છીએ; માટે અમે પણ દીક્ષા ગ્રહણ કરશું, કારણકે દીક્ષા લેવાથી આ લાકમાં તમારી સેવા અને પરલેાકમાં મેાક્ષપ્રાપ્તિ એ બે ફળ અમાને પ્રાપ્ત થશે. ” ‘ પુત્ર ! તમને શાખાશ છે ’ એમ ખેલતા રાજાએ માટી ઉદારતાથી પેાતાનું વિસ્તારવાળું રાજ્ય કોઇ બીજાને આપી દીધું, અને પેાતાના અને પુત્રાને સાથે લઈ પોતે શ્રી અન ંતનાથ પ્રભુની પાસે ગયા. ત્યાં સર્વ સંઘની સમક્ષ તેમણે દીક્ષા ગ્રહણ કરી. તે ત્રણે. રાજમુનિઓમાં અભયઘાષે અતિઉગ્ર તપ કરી વીશ સ્થાનકને આરાધી તીર્થંકરનામગાત્ર ઉપાર્જન કર્યું.... આયુ પૂર્ણ થતાં તે ત્રણે કાળ કરી અચ્યુતદેવલા કે ખાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
,,
૨૩૪
આ જ ખૂદ્બીપના પૂર્વ મહાવિદેહના આભૂષણ જેવા પુષ્કલાવતી નામના વિજયમાં પુડરીકણી નામે નગરી છે. તે નગરીમાં હેમાંગઢ નામે રાજા છે. ઇંદ્રની જેમ તેને વજ્રમાલિની નામે પ્રિયા છે. અચ્યુત દેવલાકમાંથી ચવી અભયઘાષને જીવ તે વમાલિનીના ઉત્તરમાં અવતર્યા. સમય આવતાં વજ્રમાલિનીએ ચૌદ મહાસ્વપ્નાએ જેના તીથ કરમહિમા સૂચવ્યેા છે એવા એક પુત્રને જન્મ આપ્યા. ઇંદ્રાદિકે આવી તેમના જન્માભિષેક કર્યો. પિતાએ ઘનર્થ નામ પાડયું. તે ઘનરથ તીર્થંકર થઈ અદ્યાપિ ગૃહવાસમાં રહી પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય અને વૈજયંતના જીવ દેવલાકથી ચવીને ચંદ્રતિલક અને સૂર્ય - તિલક નામે વિદ્યાધર થયા છે. આ પ્રમાણે પેાતાના પૂર્વ ભવને સાંભળી તે ઘણા પ્રસન્ન થયા. પછી તે મુનિને નમસ્કાર કરી પેાતાના પૂર્વ જન્મના પિતા જે તમા તેને જોવાને તે ભક્તિથી અહીં આવેલા છે. હે સ્વામી ! તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે, તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. અહીંથી તેઓ ભાગવદ્ધન નામે ગુરૂની પાસે જઇ દીક્ષા લઈ ક ના ક્ષય કરીને મેાક્ષપદને પામશે. ’’ આ પ્રમાણેના વૃત્તાંત સાંભળી પૂર્વની જેમ પેાતાને પુત્રપણે માનનારા તેઓ પ્રગટ થઈ ઘનરથ રાજાને નમી પાતાના ઘર તરફ ગયા.
(6
આ સર્વ વૃત્તાંત સાંભળી તે કુકડાઓ જાતિસ્મરણ પામવાથી વિચાર કરવા લાગ્યા કે અહો ! આ સંસાર આવા કલેશાનું કારણ છે. પૂર્વ જન્મમાં વણિક થઈને આપણે કાંઈ પણ ઉપાર્જન કર્યું નહીં. બીજું તેા દૂર રહ્યું, પણ જે મનુષ્યજન્મ પુન: મળવા અતિ દુલ ભ છે તે આપણે નિષ્ફળ ખાઈ નાંખ્યા. અહા ! તે જન્મમાં લુબ્ધકની જેવા લબ્ધ થઇ અનેક ઉપાનાથી આપણે ઘણા પ્રાણીઓને છેતર્યા. ચિરકાળ અસંતોષી થઇ ખાટા માન અને ખાટા તાલ વિગેરેથી લાકાને ઠગી છેવટે માંહેામાંહી કલહ કરનારા આપણને ધિક્કાર ૧ જાળ નાખનાર—પાસ પાથરી પશુ પક્ષીઓને પકડનાર
Page #262
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૩૫
છે! તેને પરિણામે આ ધ્યાનમાં પડેલા આપણે એક બીજાને પરસ્પર હણી મૃત્યુ પામ્યા અને અનેકવાર તિય એનિમાં ઉત્પન્ન થઈને પાપનું ફળ પ્રાપ્ત કર્યું.” આ પ્રમાણે વિચારી રાજાને પ્રણામ કરી તેઓ પોતાની ભાષામાં બોલ્યા- હે દેવ ! આજ્ઞા કરે. અમે હવે અમારા આત્માનું હિત શી રીતે કરીએ? ઘનરથ રાજાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું - તમોને અહંતદેવ, સાધુ ગુરૂ અને જીવ દયારૂપ ધર્મનું શરણ થાઓ. ઘનરથનું એ વચન સ્વીકારી છે અને કુકડા તરતજ અણશણ અંગીકાર કરી મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભૂતરત્ના નામે મોટી અટવીમાં તામ્રશૂલ અને સ્વર્ણચૂલ નામે બે મહદ્ધિક ભૂતનાયક દેવ થયા. પછી અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણી વિમાન વિકુવને તેઓ પોતાને પૂર્વજન્મના ઉપકારી મેઘરથની પાસે આવ્યા, અને ભક્તિથી મેઘરથને પ્રણામ કરી તેઓ બોલ્યા-“હે સ્વામી! તમારા પ્રસાદથી અમે હાલ વ્યંતરેશ્વર થયા છીએ. અમે અમારા કરેલાં પાપકર્મથી મનુષ્યમાંથી હાથી, મહિષ, મેંઢા અને પછી કુકડા એવી રીતે ઉત્પન્ન થઈ હાલ પાછા ઉત્કૃષ્ટ જન્મવાળા થયા છીએ. હે નાથ! જો તમે કુકડાના જન્મમાં શરણરૂપ ન થયા હોય તે પ્રતિદિન અસંખ્ય કીડાનું ભજન કરનારા અમે કેવીએ ગતિમાં જાત! માટે હવે પ્રસન્ન થાઓ, અમારી ઉપર અનુગ્રહ કરે, અને જેને તમે જ્ઞાનથી પૂર્વે જાણ્યું છે તથાપિ આ વિમાનપર આરૂઢ થઈ બધી પૃથ્વીનું અવલોકન કરે.” આવી તેમણે પ્રાર્થના કરી, એટલે દાક્ષિણ્યતાના ક્ષીરસાગર જેવા મેઘરથ પરિવાર સહિત તેના વિમાનમાં આરૂઢ થયા. વિમાન આકાશમાર્ગે મનની જેવા વેગથી ચાલવા લાગ્યું. તે વખતે તેઓ પૃથ્વી પર જે જે દર્શનીય વસ્તુ આવે તે તે આંગળીથી બતાવી કહેવા લાગ્યા-જુઓ, આ પિતાની શૈર્ય મણિમય પ્રભાથી દિશાઓના મુખને દૂર્વાકુરિત કરતી જણાય છે તે ચાલીશ
જન ઉંચી મેગરિની ચૂલિકા છે. તેની ચારે દિશાઓમાં જે આ અર્ધચંદ્રકાર શિલાઓ છે તે અહંતના જન્માભિષેકજલથી પવિત્ર અને સિંહાસનથી અંકિત થયેલી છે. આ શાશ્વત અહંતનાં ઉંચાં ચૈત્યો છે અને તેમાં રહેલા અહંતબિંબના પૂજનમાં જેનાં પુષ્પ કૃતાર્થ
છે તે આ પાંડક નામે વન છે. આ છ વર્ષધર પર્વત છે. તેની ઉપર આ છ પવિત્ર જળવાળા દ્રહો છે; જેમાંથી નીકળેલી પૃથ્વીતળના સેંથા જેવી આ ચૌદ મહા નદીઓ છે. વિદ્યાધરની સમૃદ્ધિવડે ભરપૂર અને પોતપોતાના ક્ષેત્રાર્ધની મર્યાદાની શિલાભીંત જેવા આ વૈતાઢય પર્વતે છે. તેઓના કુટ ઉપર શાશ્વત પ્રભુની પ્રતિમા સહિત આ સિદ્ધીત્યા છે. ઉંચા જાલકટક વડે શોભતી અને વિદ્યાધરોની વિલાસભૂમિ આ જ બુદ્વીપની વલયાકારે રહેલી જગતી છે. મઘર અને જુડ વિગેરે જળચર જીવેનું મોટું નિવાસસ્થાન આ લવણદધિ છે. કાલા સમુદ્રથી વીંટાયેલો આ ધાતકીખંડ નામે દ્વીપ છે. તેમાં અહંતના નાત્રની શિલાઓથી અંકિત આ બે ક્ષુદ્ર મેરૂગિરિર છે. શાશ્વત અહંત વડે પવિત્ર આ ઈશ્વાકાર નામે બે પર્વતે છે. ધાતકીખંડના જે આ અર્ધ પુષ્કર દ્વીપ છે. ત્યાર પછી માનુષેત્તર પર્વત છે. તેનાથી આગળ મનુષ્યભૂમિ નથી.” આ પ્રમાણે આખ્યાન પૂર્વક પૃથ્વીને બતાવીને તેઓ મેઘરથને પાછા પુંડરીકિણી નગરીમાં લાવ્યા. પછી તેમને રાજમંદિરમાં મૂકી, પ્રણામપૂર્વક નિવૃષ્ટિ કરીને તેઓ પિતાને સ્થાનકે ગયા. અન્યદા લેકાંતિક દેવતાઓએ આવી ઘનરથ રાજાને કહ્યું કે “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” તે સાંભળતાં જ સ્વયં બુદ્ધ છતાં તેઓ
૧ કેટ. ૨ જબૂદ્વીપમાં રહેલા લાખ જન ઉચા મોટા મેની અપેક્ષાએ આ ૮૪૦૦૦ એજન ઉચા હોવાથી નાના મેરુ કહેવાય છે. ૩ અર્ધ અર્ધ ધાતકોખંડ રૂ૫ ધનુષ્યની મધ્યમાં તેટલા જ લાંબા બાણને આકારે હોવાથી ઈક્વાકર કહેવાય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સર્ગ ૪ થે બધ પામ્યા, એટલે રાજ્ય ઉપર મેઘરથને અને યૌવરાજ્ય ઉપર દઢરથને બેસાડી વાર્ષિક દાન આપી તરતજ તેમણે દીક્ષા ગ્રહણ કરી. થોડા કાળમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભવિ પ્રાણીઓને બંધ કરતા ઘનરથ તીર્થકર અનુક્રમે પૃથ્વી પર વિહાર કરી આઠ કર્મો ક્ષય કરીને મોક્ષે જશે.
નિરંતર અનેક રાજાઓના મુગટ વડે જેના ચરણકમલની પીઠ ઘસાયા કરે છે એ મેઘરથ રાજા દઢરથ સાથે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. એક વખતે પરજનના આગ્રહથી રાજા મેઘરથ ક્રીડા કરવાની ઈચ્છાએ દેવરમણ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક અશોકવૃક્ષની નીચે પિતાની પ્રિયામિત્રા પ્રિયા સહિત બેસીને તેમણે મધુર સંગીત કરાવવાનો આરંભ કર્યો. તે સમયે તેમની આગળ હજારો ભૂત અપૂર્વ સંગીત કરવાની ઈચ્છાથી પ્રગટ થયા. કેઈ વિશાળ ઉદરવડે લંબોદર (ગણેશ) જેવા લાગતા હતા, કઈ કૃશ ઉદરથી જાણે પાતાળને ધારણ કરતા હોય તેવા દેખાતા હતા, કેઈ લાંબા અને કઠોર ચરણથી તાડ પર ચડ્યા હોય તેવા લાગતા હતા, અને કઈ લાંબી ભુજાઓથી અજગર સહિત વૃક્ષ જેવા જણાતા હતા; કેઈએ સર્પનાં આભૂષણ પહેર્યા હતાં, કોઈએ નળનાં ઘરેણાં ધર્યા હતાં, કોઈએ ચિત્તાનાં ચર્મ ઓઢયાં હતાં, કોઈએ વ્યાઘ્રચર્મનાં વસ્ત્ર ધર્યા હતાં, કેઈએ અંગરાગ લગાવ્યા હતા, કોઈએ રુધિરના વિલેપન કર્યા હતાં, કેઈએ ઘુવડનાં કર્ણાભરણ પહેર્યા હતાં, અને કેઈએ ગીધના મુગટ ધર્યા હતા, કોઈએ ઉંદરની માળા, કેઈએ કાકીડાની માળા અને કોઈએ મુંડમાળા પહેરી હતી, કેઈએ હાથમાં છે પરીઓ રાખી હતી, કેઈ અટ્ટહાસ્ય કરતા હતા, કોઈ કોલાહલ કરતા હતા, કોઈ ઘેડાના જેવા અવાજ કરતા હતા, કેઈ હાથીના જેવી ગર્જના કરતા હતા, કેઈ ભુજાના આસ્ફાટ કરતા હતા, કોઈ તાલ આપતા હતા, કેઈ મુખવાદ્ય વગાડતા હતા, અને કોઈ કલા વગાડતા હતા. આ પ્રમાણે સર્વ ભૂત એકઠાં મળી જાણે પૃથ્વીને ફાડતી હોય અને આકાશને તેડતા હોય તેમ મોટા આડંબરથી પ્રચંડ તાંડવ કરવા લાગ્યા. એવી રીતે રાજાને સંતોષ આપવા તેઓ તાંડવ કરતા હતા, તેવામાં આકાશમાં એક ઉત્તમ વિમાન પ્રગટ થયું. તેમાં રતિ સાથે કામદેવ હોય તે સુંદર આકૃતિવાળો પુરૂષ એક યુવતીની સાથે રહેલો જોવામાં આવ્યો. તેને જોઈ પ્રિયમિત્રા દેવીએ રાજાને પૂછયું-“પ્રભે ! આ પુરૂષ અને આ સ્ત્રી કોણ છે અને અહીં તે શા માટે આવેલ છે ?” મેઘરથે કહ્યું- આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં અલકા નામે ઉત્તમ નગરી છે, ત્યાં વિદ્યદ્રથ નામે વિદ્યાધરોનો રાજા છે. તેને માનસવેગા નામે પ્રિયંવદા દેવી છે. સિંહના રથના સ્વમથી સૂચિત સિંહરથ નામે તેને એક પરાક્રમવડે પ્રફુલ્લિત ભુજવૃક્ષવાળે પુત્ર થયે; અને તે રોહિણીને ચંદ્રની જેમ ઉત્કૃષ્ટ કુલમાં જન્મેલી સ્વાનુરૂપ વેગવતી નામે એક કન્યાને પરણ્ય. રાજા વિદ્યદ્રથે તેને યુવરાજપદ આપ્યું. જ્યારે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાઓને તેમ કરવું ઉચિત છે. રાજા સિંહરથ લીલાદ્યાન અને કીડાવાપી વિગેરે સ્થાનમાં લલનાને સાથે રાખી વનમાં સિંહની જેમ વેચ્છાએ સુખે રમવા લાગ્યા.
એકદા વિઘુદ્રથ રાજા સંસારમાં સર્વ પદાર્થ વિદ્યુતની જેવા ચલિત ધારી પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયે. તેથી તરતજ સિંહરથને રાજ્ય બેસાડી તેમણે ગુરૂની પાસે જઈ “સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. અનુક્રમે અતિ સંવેગને પામી સંયમ, નિયમ અને ધ્યાનવડે
૧ આની પછીની હકીકત તેમના મોક્ષે પધાર્યા અગાઉની છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
પવ ૫ મુ
૨૩૦
અષ્ટ કર્મના ક્ષય કરી તે મેાક્ષે ગયા. સૂર્યની જેવા પ્રતાપી રાજા સિદ્ધરથે અતિ મુશ્કે લીથી મળે તેવું વિદ્યાધરાનું ચક્રવત્તી પણું પ્રાપ્ત કર્યું. એક વખતે રાત્રિમાં યાગીની જેમ નિદ્રા રહિત થઈ સિંહરથ વિચાર કરવા લાગ્યા-“ અહા ! અરણ્યમાં માલતીના પુષ્પની જેમ મેં મારા જન્મ ફાગટ ગુમાવ્યો. કેવળજ્ઞાનધારી અને સરંસારસાગરથી તારવામાં વહાણુ જેવા સમાસરેલા અંત પ્રભુના મેં દર્શન કર્યાં નહી' અને તેમની પૂજા પણ કરી નહીં. હવે સાક્ષાત શ્રી જિનેશ્વરને જોઈ મારા આત્માને પવિત્ર કરૂં, એકવાર પણ થયેલુ તેમનું દર્શન સારા સ્વની જેમ ઇચ્છિત મનાથને આપે છે.” આ પ્રમાણે વિચારી સિંહરથ રાજા પત્ની સહિત ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ વિદેહમાં સીતા નદીના ઉત્તર તીરે આવેલા સૂત્ર નામના વિજયમાં ખડ્ગપુર નામના નગરે ગયા. ત્યાં શ્રી અમિતવાહન તીર્થંકરના દર્શન કર્યાં. ભગવ...તને પ્રણામ કરી રાજાએ સ'સારસાગરમાં નાવિકા જેવી ધર્મ દેશના સાંભળી. દુઃખરૂપ અગ્નિમાં જલના છંટકાવ જેવી તે દેશના સાંભળી અહુ ત પ્રભુને નમી તે પાછે પેાતાની નગરી તરફ વળ્યા. તે સમયે ઘાટા ખરૂના વૃક્ષવડે જેના ભાગ વ્યાપ્ત છે એવા સમુદ્રમાં વહાણની જેમ અહી ઉર્ધ્વ ભાગે જતાં તેની ગતિ સ્ખલિત થઇ ગઇ. ‘આ મારી ગિત કાણે સ્ખલિત કરી' એ જાણવાને તેણે નીચી દૃષ્ટ કરી, તેવામાં અહી રહેલા તેના જોવામાં આવ્યા. એટલે તે ક્ષેપથી મને ઉપાડીને ઉડાડનાર મારી પાસે આવ્યે. એટલે મેં મારા ડાબા હાથથી તેના ડાબા હાથપર આક્રમણ કર્યું. તેથી સિહે આક્રાંત કરેલા હાથીની જેમ તે અતિ વિરસ પેાકાર કરવા લાગ્યા. પેાતાના પતિને કષ્ટમાં દેખીને તેની ભાર્યા પરિવાર સહિત મારે શરણે આવી, એટલે મે' તેને છેાડી મૂકયા. મે છેાડયા પછી તે આવા વિવિધરૂપ વિષુવી મારી પાસે સંગીત કરવા લાગ્યા.” બાદ પ્રિયમિત્રાએ ફરીવાર પૂછ્યું–‘પ્રિય ! પૂર્વ ભવમાં એણે શુ શુભ કર્મ કર્યું છે, જેથી તેને આવી મેટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે ?’ મેઘરથ ખાલ્યા “હે પુષ્કરા દ્વીપમાં પૂર્વ ભરતક્ષેત્ર વિષે સંઘપુર નામે એક માટુ નગર છે. તે નગરમાં રાજ્યગુષ્ઠ નામે એક રિબ કુલપુત્ર રહેતા હતા, તે પારકાં કામ કરીને પેાતાના ભાજનનિર્વાહ ચલાવતા હતા. તેને શખિકા નામે એક અનુરાગી અને પતિભક્તા સ્ત્રી હતી, અને દંપતી હમેશાં પારકા ઘરનાં કામ કરતાં હતાં. એક દિવસે તે સ્રીપુરૂષ એકઠાં મળીને ફળ લેવાને માટે વિવિધ વૃક્ષાથી આકુલ સંવિગિર નામના મોટા પર્વતપર ગયાં. ત્યાં પક્ષ લને માટે તેઓ ફરતાં હતાં, તેવામા સગુપ્ત નામે એક મહામુનિને દેશના આપતાં તેમણે જોયાં. વિદ્યાધરાની સભા વચ્ચે બેઠેલા તે મહાત્માની પાસે આવી તે ભક્તિથી નમસ્કાર કરીને બેઠા. મુનીશ્વરે તેમને વિશેષ ધર્મ દેશના આપી. દુ:ખીની ઉપર મહાન પુરુષોનું અધિક વાત્સલ્ય હોય છે. દેશનાને અંતે તેઓ બેલ્યા- હે પ્રભુ ! અમે પાપી છીએ તે છતાં અમારૂં કાઇક પૂર્વ પુણ્ય હશે, કે જેથી અમને તમારૂ દર્શન થયું. હું જગપૂજ્ય ! તમે સર્વ વિશ્વના હિતકારી છેા, તથાપિ પીડાને લીધે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઉદ્ધારને માટે કાંઇપણુ તપ બતાવા.’ તેમની ચૈાગ્યતા જોઇ મહામુનિ સ`ગુપ્તે ‘ અત્રીશ કલ્યાણક ’નામે એક તપ તેમને બતાવ્યા. તેના અંગીકાર કરી તે પેાતાને ઘરે આવ્યા અને ખત્રીશ દિવસે ખત્રીશ ઉપવાસ કરવા વડે તે તપ કર્યાં. પારણાને સમયે દ્વાર ઉપર ષ્ટિ કરીને કોઇ અતિથિમુનિની શેાધ કરવા માંડી. તેવામાં ધૃતિધર નામે એક સાધુને પોતાના ઘરમાં પ્રવેશ કરતાં જોયા. તેમને બંને જણે ભક્તિથી ભાતપાણીવડે પ્રતિલાભિત કર્યાં. અન્યદા પેલા સગુપ્ત મુનિ વિહાર કરતાં કરતાં પુન: ત્યાં આવી ચડયા. એટલે તેઓ તેમની પાસે આવી ધમ સાંભળવા લાગ્યા. દેશનાને પ્રાંતે એ વિવેકપરાયણ સ્રીભર્રારે માનુષ જન્મરૂપ વૃક્ષના લપ દીક્ષા ગ્રહણ કરી. પછી રાજ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સર્ગ ૪ થે
ગુપ્તમુનિએ ગુરુની આજ્ઞાથી આચાસ્લવદ્ધમાન નામે દુસ્તપ કરવા માંડયો. છેવટે અનશન કરી ચાર શરણનો આશ્રય લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમને આયુષે દેવતા થયા. ત્યાંથી આવીને વિદ્યદ્રથ રાજાનો પુત્ર વિદ્યાધરપતિ આ સિંહરથ થયેલ છે. જે તેની સ્ત્રી શંખિકા હતી, તે પણ વિવિધ તપસ્યા કરીને બ્રહ્મલોકમાં દેવતા થઈ હતી, ત્યાંથી ચવી અહીં તેની પત્ની થયેલી છે. હવે અહીંથી પિતાને નગરે જઈ પુત્રને રાજ્ય સેંપી તે સદ્દબુદ્ધિમાન પુરુષ મારા પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરશે; અને તપ ધ્યાનાદિકથી આઠ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.” આવાં તેમનાં વચન સાંભળી મેઘરથને ભકિતથી નમસ્કાર કરી રાજા સિંહરથ પિતાને નગરે ગયે અને પુત્રને રાજ્ય સોંપી મનને દમનાર તે સિંહરથ રાજા શ્રી ઘનરથ સ્વામીની પાસે જઈ વ્રત લઈ, તપસ્યા કરીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા. રાજા મેઘરથે પરિવાર સહિત દેવરમણ ઉદ્યાનમાંથી પાછા આવી પુંડરીકિણી નગરીમાં પ્રવેશ કર્યો.
એક વખતે વિદ્વાનોમાં મુખ્ય એવા મેઘરથે પૌષધાગારમાં પૌષધ અંગીકાર કરી શ્રીભગવંતભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય તેમ દીન દષ્ટિ ફેરવતું એક પારાવતા પક્ષી તેના ઉત્સંગમાં આવીને પડયું, તેણે માનુષી ભાષામાં અભયની યાચના કરી, એટલે રાજાએ કહ્યું કે “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં.” એવા આશ્વાસનથી તે પક્ષી પિતાના ઉલ્લંગમાં બાળકની જેમ એ કારુણ્યસાગર રાજાના ઉલ્લંગમાં સ્વસ્થ થઈને બેઠું. થોડી વારે “હે રાજા ! એ મારું ભય છે, માટે સત્વર તેને છોડી દ્યો;” આ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી સર્પની પાછળ ગરૂડની જેમ તેની પાછળ આવ્યું. રાજાએ બાજ પક્ષીને કહ્યું-“તને આ પક્ષી હું આપીશ નહીં, કારણ કે શરણાર્થી ને સેંપી દે તે ક્ષત્રિયે ધર્મ નથી. વળી અરે પક્ષી ! તારા જેવા બુદ્ધિમાનને બીજાના પ્રાણથી પોતાના પ્રાણનું પોષણ કરવું તે પણ ઉચિત નથ શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તો તેથી તને જેવી પીડા થાય તેવી પીડા બીજાને પણ થાય છે તે મારી નાંખવાથી તે કેટલી પીડા થાય તેને તે વિચાર કર. વળી આ પક્ષીના ભક્ષણથી તને તે માત્ર ક્ષણવાર તૃપ્તિ થશે અને આ બીચારા પક્ષીના તો આખા જન્મને વિનાશ થઈ જશે. પંચંદ્રિય પ્રાણીઓને વધ કરવાથી અને તેના માસનું ભક્ષણ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે, અને ત્યાં દુઃસહ પીડા ભોગવે છે. જે પરલોકમાં અનંત દુઃખને માટે અને આલોકમાં માત્ર ક્ષણવાર સુખને માટે થાય તેવી પ્રાણીની હિંસા કર્યો વિવેકી પુરુષ ક્ષુધાતુર હોય તો પણ કરે? બીજા ભેજનથી પણ સુધા તો શાંત થાય છે. જે પિત્તાગ્નિ સાકરથી શમે છે તે દુધથી કેમ શાંત ન થાય! વળી જીવહિંસાથી પ્રાપ્ત થયેલી નરકની વ્યથા સહન કર્યા વગર કોઈ પણ પ્રકારે શાંત થતી નથી. માટે હે પક્ષી ! તું પ્રાણવધ છોડી દે અને ધર્મનું આચરણ કર; જેથી ભવભવ સુખ પામીશ, આ વિષે તું સ્વયમેવ વિચાર કર.” એટલે બાજપક્ષી મનુષ્યભાષાથી રાજા પ્રત્યે બેલ્યો-“હે રાજા! આ કપત મારા ભયથી તમારે શરણે આવ્યું છે, તેમ હું પણ ક્ષુધાથી પીડિત છું, તો કોને શરણે જાઉં તે કહો. કરૂણાધનવાળા મહાપુરૂષ સર્વને અનુકૂળ હોય છે. હે નૃપતિ! જેવી રીતે આ પારાવતનું રક્ષણ કરે છે તેવી રીતે મારું પણ રક્ષણ કરે; ક્ષુધાથી પીડિત એવા મારા આ પ્રાણ ચાલ્યા જાય છે. જ્યારે પ્રાણી સ્વસ્થ હોય ત્યારે જ ધર્માધર્મને વિચાર કરે છે. ધર્મપ્રિય પુરુષ પણ ક્ષુધાતુર થાય ત્યારે
૧ એક આંબેલ ને એક ઉપવાસથી અનુક્રમે ૧૦૦ અબેલ ને એક ઉપવાસ કરવો તેનું નામ આયંબીલ વદ્ધમાન તપ કહેવાય છે. ૨ પારેવુ.
Page #266
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૩૯ શું પાપ નથી કરતો ? માટે હવે ધર્મની વાર્તાથી સર્યું. મારા ભક્ષ્યરૂપ આ પક્ષી જ મને આપે. એકને મારો અને એકને બચાવ, એ કે ધર્મ કહેવાય ! હે મહીપાળ ! પોતાની જાતે મારેલા પ્રાણીના તાજા માંસથીજ મારી તૃપ્તિ થાય છે, બીજા ભજનથી થતી નથી. હું માંસને જ ખાનાર છું.” ત્યારે મેઘરથ રાજા બોલ્યા-અરે પક્ષી ! સાવધાન થા, મૃત્યુ પામીશ નહીં. આ કપોતની સાથે તોળીને હું મારા દેહનું તાજું માંસ તને આપું છું.” બાજ પક્ષીએ તેમ કરવા કબુલ કર્યું. એટલે રાજાએ તાજવું મંગાવી એક તરફ કપાતને અને બીજી તરફ પોતાનું માંસ છેદી છેદીને મૂકવા માંડયું. જેમાં માંસને ઉતરડી ઉતરડીને રાજા મૂકવા લાગ્યા તેમ તેમ કપત ભારમાં વધવા લાગ્યો. કપોતને ભારમાં વધતો જોઈ અતુલ સાહસવાળે રાજા પોતાનું બધું શરીર લઈને ત્રાજવામાં બેઠો. જ્યારે રાજા તુલા પર અધિરૂઢ થયા ત્યારે તે જોઈને સવ પરિવાર હાહાકાર શબ્દથી આકુળવ્યાકુલ થઈ સંશયરૂપ તુલા પર આરૂઢ થઈ ગયે. સામંત, અમાત્ય અને મિત્રા રાજા પાસે આવીને કહેવા લાગ્યા -“અરે પ્રભુ! અમારા અભાગ્યે તમે આ શું આરંભ્ય છે? આ શરીરવડે તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ તે માત્ર આ એક પક્ષીના રક્ષણ માટે શરીરને કેમ ત્યાગ કરે છે? અથવા આ પક્ષી કઈ માયાવી દેવ કે દાનવ હવે જોઈએ; કારણકે સામાન્ય પક્ષીમાં આટલો બધો ભાર સંભવે નહીં.” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં પ્રગટ કુંડલ અને માળાને ધારણ કરનાર કોઈ દેવતા જાણે તેજનો રાશિ હોય તે પ્રગટ થયે અને બોલ્યો-“ હે નૂદેવ ! પુરુષોમાં તમે એકજ પુરૂષ છે કે જે સ્વસ્થાનથી મેરુપર્વતની જેમ પિતાના પુરૂષાર્થથી ચલિત થયા નહીં. ઈશાનંદ્ર પોતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા તે મારાથી સહન થઈ નહીં, તેથી તમારી પરીક્ષા કરવાને હું અહીં આવતે હતો, તેવામાં પૂર્વ જન્મના વૈરથી આ બે પક્ષીને યુદ્ધ કરતાં મેં જોયાં, એટલે તેમાં હું અધિષ્ઠિત થયું હતું. માટે આ સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી રાજાને પૂર્વવતુ સજજ કરી તે દેવ સ્વર્ગમાં ગયા. તે વખતે સામંત વિગેરે વિસ્મય પામી રાજાને પૂછવા લાગ્યા–“એ બાજ પક્ષી અને પારાવત પક્ષી પૂર્વ જન્મમાં કોણ હતા ? તેમને વૈર થવામાં શે હેતુ હતે? અને આ દેવ પૂર્વ ભવમાં કેણ હતો ? તે કહો. રાજાએ અવધિજ્ઞાનવડે જાણીને તેમનું વૃત્તાંત કહેવા માંડયું.
આ જંબૂદ્વીપમાં અરવત ક્ષેત્રના મંડનરૂપ પદ્મખંડ જેવું પદ્મિનીખંડ નામે એક નગર છે. તે નગરમાં સંપત્તિથી સાગર જેવો સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને વિજયસેના નામે એક નિર્દોષ સ્ત્રી હતી. તેમને ધન અને નંદનન મે બે પુત્રો થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તેઓ યૌવનવયને પામ્યા. પિતાની સમૃદ્ધિથી ઉદ્ધત એવા તેઓ વિવિધ ક્રીડાવડે વિહાર કરતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે તેઓએ પોતાના પિતા સાગરદત્તને કહ્યું “હે તાત ! વ્યાપાર કરવાને માટે અમને દેશાંતર જવાની આજ્ઞા આપો.” હર્ષ પામેલા પિતાએ
જ્ઞા આપી. ‘પુત્રના પ્રથમ ઉદ્યોગ પિતાના હર્ષને માટે થાય છે. વિવિધ કરિયાણ લઈને તે મેટા સાથેની ચાલ્યા. અનુક્રમે નાગપુર નામે એક મોટા નગરમાં આવ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને બે ધાન વચ્ચે એક ભક્ષ્યની જેમ એક મોટા મૂલ્યનું રત્ન પ્રાપ્ત થયું. તે રત્નને માટે તેઓ ક્રોધ કરી દુદ્દત વૃષભની પેઠે શંખ નદીને કાંઠે આવીને માંહોમાંહે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ કરતાં કરતાં તેઓ એક અગાધ ધરામાં પડયાં અને મૃત્યુ પામી ગયા. લોભ કોને મૃત્યુને માટે ન થાય ! ત્યાંથી મૃત્યુ પામી તે બંને બંધુ આ પક્ષીરૂપે ઉત્પન્ન થઈ પૂર્વ જન્મના વૈરથી આ ભવમાં પણ પરસ્પર વૈર ધારણ કરે છે. હવે દેવતાને પૂર્વભવ સાંભળ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સર્ગ ૪ થે
આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહના આભૂષણ તુલ્ય સીતા નદીને દક્ષિણ તીરે રમણીય નામે વિજય છે. તેને વિષે શુભા (સુભગ ) નામે નગરી છે. તેમાં સ્મિતસાગર નામે રાજા હતે. આજથી પાંચમે ભવે તેને અપરાજિત નામે હું પુત્ર થયે હતું. તે વખતે હું બલદેવ હતું અને જે દરથ છે તે મારો અનુજ બંધુ અનંતવીય નામે વાસુદેવ હતું. તે સમયમાં મહાભુજ દમિતારિ નામે પ્રતિવાસુદેવ હતું, તેને કનક શ્રી કન્યાને માટે અમે એ યુદ્ધમાં મારી નાખ્યો હતો. તે સંસારરૂપ અરણ્યમાં ભમી જબૂદીપના ભરતક્ષેત્રમાં આવેલા અષ્ટાપદગિરિના મૂલે નિકૃતિ નામની સરિતાને કાંઠે સોમપ્રભ નામના તાપસને પુત્ર થયો. વયે વધતાં બાલ તપ આચરીને તે સુરૂપ નામે દેવતા થયા. તે દેવ જ્યારે ઈશારેંદ્ર મારી પ્રશંસા કરી ત્યારે નહીં' સહન થવાથી અંહીં આવ્યા, અને આ પક્ષીઓમાં અધિષ્ઠિત થઈને તેણે મારી પરીક્ષા કરી.
રાજાનાં આવાં વચન સાંભળી તે બાજ અને કપોતને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે બંને પક્ષી પ્રવી ઉપર મર્થો ખાઈને પડયા. રાજાના સેવકે એ પંખાથી પવન નાખ્યું અને જલ છાંટયું, એટલે તેઓ સુઈને ઉઠયા હોય તેમ સંજ્ઞા પામ્યા. પછી તેઓ પિતાની ભાષામાં બે લ્યા–“હે સ્વામી ! તમે અમને સારો બોધ આપે. અમોને પૂર્વ જન્મનું દુષ્કૃત આવી અધમ યોનિનું કારણભૂત થઈ પડેલું છે. હે નાથ ! તે વખતે અતિ લેભથી પરાભવ પામેલા અમોએ યુદ્ધ કરીને કેવળ રત્ન જ ગુમાવ્યું નથી પણ અમૂલ્ય મનુબજન્મ પણ ગુમાવ્યું છે. અત્યારે પણ અમારે તો નારકીપણાનો જન્મ નજીક પ્રાપ્ત થયેલ હતો, પણ તમે કૂવામાં પડતા અંધની જેમ અમને નર્કમાં પડતાં બચાવ્યા છે. હે સ્વામી ! હવે ઉન્માર્ગથી અમારી રક્ષા કરો અને સન્માર્ગને બતાવે કે જેથી અમને શુભ સ્થાન પ્રાપ્ત થાય.” અવધિજ્ઞાનરૂપ તરંગના સમુદ્ર મેઘરથ રાજાએ તેમની ગ્યતા વિચારીને યથાકાળે પ્રાપ્ત થયેલ અનશન અંગીકાર કરવાની આજ્ઞા કરી. તેજ પ્રમાણે અનશન અંગીકાર કરી શુભ ચિત્તવાળા તેઓ મૃત્યુ પામીને ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયા.
પછી રાજા મેઘરથ પિસહ પારી જાણે મૂર્તિમાન ન્યાય હોય તેમ પૃથ્વીનું યથાગ્ય રીતે પાલન કરવા લાગ્યા. અન્યદા કપત અને બાજ પક્ષીનું વૃત્તાંત સ્મરણ કરતાં રાજા સમતારૂપ વૃક્ષના બીજભૂત પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયા, એટલે અષ્ટમ તપ કરી ઉપસર્ગ અને પરીસહોને સહન કરવાને લની પેઠે સર્વાગે નિશ્ચળ થઈ કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. તે સમયે ઈશાને અંતઃપુરમાં બેઠા બેઠા “નનો મઘતે તુ” એમ બેલીને તેમને નમસ્કાર કર્યો. તે સમયે તેની ઈદ્રાણીએ એ પૂછયું કે “હે સ્વામી ! તમે સર્વ જગતને નમવા યોગ્ય છે. તે છતાં અત્યારે અતિ ભક્તિથી કોને નમસ્કાર કર્યો?” ઈશાનંદ્ર બોલ્યો “અહો દેવીઓ ! માનવ લેકમાં સરેવરમાં કમળની જેમ પુંડરીકિણી નગરી વિષે ઘનરથ તીર્થ કરના પુત્ર મેઘરથ નામે રાજા અષ્ટમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં લીન થઈ મહા પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેઓ આ ભરતક્ષેત્રના આભૂષણરૂપ તીર્થકર થવાના છે, તેથી તેમને દેખીને મેં અહીં બેઠા બેઠા તેમને નમસ્કાર કરેલો છે. એ ધીર મહાત્માને આ ધ્યાનમાંથી ચલિત કરવાને ઈદ્ર સહિત સુરાસુરના સમૂહ પણ સમર્થ નથી તો મનુષ્ય તે કેણુ માત્ર છો” તે સાંભળી ઈશાનંદ્રની સુરૂપ અને અતિરૂપા નામે બે મુખ્ય ઈદ્રા
એ તે પ્રશંસા સહન ન થવાથી મેઘરથ રાજાને ક્ષોભ કરવાને માટે તેમની પાસે આવી. તેમણે પ્રથમ લાવણ્યજળની સરિતા જેવી અને જગતને જીતનાર કામદેવના જંગમ કિલ્લા જેવી તેમજ વિજય કરનાર અસ્ત્ર જેવી કેટલીક યુવતીઓને વિકુવ. પછી કામદેવને ઉત્પન્ન
Page #268
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૪
કરનાર જીવનૈષધરૂપ વિવિધ વિકારથી અનુકૂલ ઉપસર્ગો કરવા માંડ્યા. કઈ રમણી મિથ્યા છોડી નાખેલા કેશપાશને બાંધવાના મિષથી કામદેવના સ્થાનરૂપ ભુજામૂલ બતાવવા લાગી. કેઈ અધે વસ્ત્ર શિથિલ કરી ગલેફમાંથી કાઢેલું દર્પણ હોય તેવું જઘન દેખાડવા લાગી. કોઈ સખી જનને બોલાવવાને બાનાથી વારંવાર કામદેવના અસ્ત્રને ઉગામ્યા જેવી ભૂલતાનો ઉલ્લેપ કરવા લાગી. કેઈ બાલા અનુરાગિણી થઈ ગાંધારગ્રામ સાથે મુખદષ્ટિના વિકાર કરી કામદેવના વૃત્તાંતને મધુરાલાપે ગાવા લાગી. કોઈ લીલાવતી સુંદરી વારંવાર અનુભવ કરેલી સંગક્રીડાને વખાણતી કામશાસ્ત્રની કથાને આલાપ કરવા લાગી. કેઈ કામિની પિત્તાદિક પ્રકૃતિઓને યોગ્ય એવા રતિ સંબંધી સાધન ધાતુરસથી આલેખવા લાગી. કેઈ વારંવાર આલાપ, કઈ કરસ્પર્શ, કોઈ દષ્ટિપ્રસાદ અને કોઈ આલિંગન યાચવા લાગી. તે સિવાય બીજા વિવિધ કલાકલાપ તેઓ પ્રકાશ કરવા લાગી. એવી રીતે તે દેવીઓએ રાજાની તરફ રાત્રિથી માંડીને પ્રાતઃકાલ સુધી વિકૃતિઓ કરી. પણ તે વજ ઉપર ટાંકણાના પ્રહારની જેમ રાજા ઉપર નિષ્ફલ થઈ પડી. પછી દેવીઓએ સવ સંહરી લીધી, અને મેઘરથને ખમાવી નમસ્કાર કરી પશ્ચાત્તાપ કરતી તે ઈશાનંદ્રની બે ઇંદ્રાણીઓ પોતાને સ્થાનકે ગઈ.
પ્રાત:કાળે રાજા મેઘરથે પ્રસન્ન થઈ પ્રતિમા પારી પિસહ પણ પાર્યો, અને રાત્રિનું વૃત્તાંત સંભારી સંભારી પરમ સંવેગને પ્રાપ્ત થયે. પ્રિયમિત્રા દેવી પણ પોતાના પ્રિયને તેવા સંવેગી જઈ સંવેગને પામી. સતી સ્ત્રીઓ પતિના માર્ગને જ અનુસરે છે. એકદા અહંત શ્રી ઘનરથ પ્રભુ વિહાર કરતાં કરતાં ત્યાં આવીને પૂર્વોત્તર (ઈશાની દિશામાં સમેસર્યા. સેવકે એ આવી રાજાને પ્રભુનું આગમન જણાવ્યું. તેમને પારિતોષિક આપી મેઘરથ રાજા દઢરથ સહિત પ્રભુ પાસે આવ્યા. એક જન સુધી પ્રસરતી સંગ્રામરાગીર સર્વભાષાનુસારી વાણી વડે પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે રાજા પ્રભુને નમસ્કાર કરી બોલ્ય-“હે ભવ્ય ! તમે વિશ્વનું રક્ષણ કરવાને ઉઘુક્ત થયા છો, તો મારું પણ રક્ષણ કરે. હે જગત્પતિ ! તમે સર્વ જાણે છે અને સર્વના હિતકારી છો. તથાપિ હું એક પ્રાર્થના કરું છું.” કેમકે સ્વાર્થમાં કેણ ઉત્સુક ન થાય ?” હે નાથ! જ્યાં સુધી હું ઘેર જઈ રાજ્ય ઉપર કુમારને બેસારી અહીં આવું, ત્યાં સુધી મને દીક્ષા આપવાને માટે તમે અહીં બીરાજશે.” પ્રભુ બેલ્યા પ્રમાદ કરે નહીં” આવી અહ“તની શિક્ષા લઈ મેઘરથ પિતાને ઘેર આવ્યા અને દઢરથને કહ્યું- “હે વત્સ ! તું આ પૃથ્વીનો ભાર ગ્રહણ કર, કે જેથી હું દીક્ષા લઉં. આ સંસારમાં પરિભ્રમણ કરી વટેમાર્ગુની જેમ હું નિર્વેદ પામી ગયો છું.” તે સાંભળી દઢરથે અંજલિ જોડી કહ્યું-“પૂજ્યબંધુ! આ સંસાર દુઃખ રૂપ જ છે, અને વિવેકી જનો એ તજવા યોગ્ય જ છે; તો આવા સાગર જેવા દુસ્તર અને અપાર સંસાર સમુદ્રમાં મારે માથે પૃથ્વીનો ભાર તમે કેમ મૂકી જાઓ છો? હે ઈશ! આજ સુધી આમાથી અભેદ દષ્ટિએ મને જોઈ હમણું પૃથક કેમ કરે છે? મારી ઉપર તે પ્રસન્ન થાઓ અને આત્મવત્ મારે પણ ઉદ્ધાર કરો. હે સ્વામી ! આજે તમારી સાથે હું પણ પિતાજી પાસે દીક્ષા લઇશ; આ પૃથ્વી બીજા કોઈને આપે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી મેઘરથે પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય અને દઢરથના પુત્ર રથસેનને યુવરાજપદ સંપ્યું. પછી મેઘસેને જેમને નિષ્કમણોત્સવ કરે છે એવા રાજા મેઘરથે દઢરથ, ૧ સંતોષ પામે તેટલું દાન. ૨ ગ્રામ-રાગ સહિત, ૩ ખેદ,
૩૧
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સર્ગ ૪ થે
વિગેરે સાત પુત્રી અને ચાર હજાર રાજાઓની સાથે ભગવંતની પાસે આવી સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. દુસહ પરીસહ અને ઉપસર્ગોને સહન કરતા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિને ધારણ કરતા, પિતાના શરીરમાં પણ આકાંક્ષા નહીં રાખતા, વિવિધ અભિગ્રહ તથા તપને આચરતા અને એકાદશ અંગને ધારણ કરતા મેઘરથ મનિ દઢરથની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે અહંતભક્તિ વિગેરે શુભ વીશ સ્થાનકોના આરાધનથી તેમણે અતિ દુષ્કર એવું અહંના મગોત્ર ઉપાર્જન કર્યું. તે મહાત્મા મેઘરથ મુનિએ સિંહવિક્રીડિત નાને દુસ્તપ તપ કરી એક લાખ પૂર્વ સુધી અખંડિત સાધુપણું પાળી, અંબર તિલક નામના પર્વત પર ચડી પર્વતની જેમ સ્થિર રહી, અનશન ધારણ કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મેઘરથ મુનિ સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેમના લઘુ ભ્રાતા દઢરથે પણ ત્યાંજ ઉત્પન્ન થયા. ત્યાં તે બંનેએ તેત્રીશ સાગરોપમ પર્યત કાળ અવ્યયપદ પામવાના વિસામા રૂપ મહાસુખમાં વ્યતીત કર્યો.
SEB POUSADIPUR00803992388888888888852
___ इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवस्यदशमैकादशभव
વર્ણનો નામ સાથે સઃ O BB3888888888888888888 ROBE ESSERE
BEGARBA
D
Page #270
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઋદ્ધિવાન કરદેશને વિષે હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં આવેલા મહેલોને માથે રહેલા કનકકુંભ નવા ઉત્પન્ન થયેલા સ્થળકમળના વનની શેભાને ધારણ કરે છે. ત્યાં આસપાસ વલયાકારે રહેલી વાપીકાએ તેના સ્વચ્છ અને નિર્મળ જળમાં કિલ્લાનું પ્રતિબિંબ પડવાને લીધે જાણે નગરના કિલ્લાનું દર્પણ હોય તેવી શેભે છે. ઉદ્યાનોમાં વહેતી નીકેને કાંઠે કાઠે રહેલા સિનગ્ધ કુમે જલ લેવાને ઉતરેલા મેઘ હોય તેવા જણાય છે. ધનાઢનાં મંદિરની રત્નમય ભી તેમાં રાત્રિએ પ્રતિબિંબ રૂપે પડેલા ચંદ્રને મારે દધિપિંડ ધારીને ચાલ્યા કરે છે. જિનચૈત્યમાં બળતી અગરૂધૂપની લતાઓ (ધૂમ્રશિખાઓ ) ખેચરીઓને યત્ન વગર પટવાસની શોભાને આપે છે. ચૌટામાં દુકાનની શ્રેણીમાં લટકતી રત્નની માળાઓથી જાણે રત્નાકરથી રત્ન સર્વસ્વ અહીં આણેલું હોય તેમ દેખાય છે. પવનથી હાલતી ચાની ધ્વજાઓની પૃથ્વી પર પડતી ચપળ છાયા જાણે ધર્મનિધાનની રક્ષા કરનારા સર્પો હોય તેવી જણાય છે, અને જેમની ભૂમિ ઈદ્રનીલ મણિઓથી જડેલી છે એવા નિવાસગૃહો જલપૂર્ણ ક્રીડાવા પીકાની જેવા દેખાય છે.
તે નગરીમાં ઈંવાકુ વંશરૂપ સાગરમાં ચંદ્રરૂપ હોવાથી નેત્રને ઉત્સવ આપનાર અને કૌત્તિરૂપ ચંદ્રિકાથી જગતનું પ્રક્ષાલન કરનાર વિશ્વસેન નામે રાજા હતો. તે રાજ શરણ્ય જનને વજી મંદિર જે, યાચકને કલ્પવૃક્ષ જે, અને લક્ષ્મી તથા સરસ્વતીને મિત્રતાની સંકેતભૂમિ હતો. જાણે બીજે સમુદ્ર હોય તેવો તેનો યશેરાશિ નદીઓની જેમ શત્રુઓની કીર્તિને ગળી જતો હતો. પ્રભાવથી શત્રુઓને સાધનારા તે રાજાનાં અસ્ત્રો નિધાનરૂપે કરેલા વિત્તની જેમ વગર વપરાયે પડયા રહેતાં હતાં. જાણે બંનેમાં સરખી રીતે વર્તતો હોય તેમ તે યુદ્ધ કરનારના ગળા ઉપર ચરણ અને શરણાથીના પૃષ્ઠ ભાગ ઉપર હાથ મૂકતો હતું. તેણે રણુગણમાં સ્થાનમાંથી ખેંચેલી તરવાર વેચ્છાએ આવેલી વિજયલક્ષમી સહિત પાછી કશમાં દાખલ થતી હતી. તેને ન્યાય બંધુ હતો, કીર્તિ પ્રિયા હતી, નિર્મલ ગુણો સહદ (મિત્રો) હતા અને પ્રતાપ પેદલરૂપ હતો. ઈત્યાદિક સર્વ પરિવાર તેના અંગમાંથી જ ઉત્પન્ન થયેલ હતા. ઉન્નતિને પામેલા અને જગતને આનંદ આપનારા તે રાજાને મેઘને વિધુતની જેમ અચિરા નામે એક પત્નિ હતી. જેવી રીતે તે દેવી સર્વ સ્ત્રીજનમાં શિરમણિ હતી, તેવી રીતે તેના વિનયાદિક ગુણોમાં શીલ પણ શિરોમણિ હતુંતે શ્રેષ્ઠ સતી હદય બહાર જેમ મુક્તાહાર હોય તેમ અહર્નિશ તેના પતિના હૃદયના અંતરંગ ભૂષણરૂપ હતી. તેનું રૂપ જતાં દેવતાની સ્ત્રીઓ તેના નિર્માણના બહિર્ભત પરમાણુઓથી રચેલી હોય તેવી દેખાતી હતી. એ જગદ્ગદ્યા સાધ્વી પ્રવાહ વડે ગંગાની જેમ ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતી ફરતી હતી. તે કુલીન રમણી લજજાથી ગ્રીવાને નમાવીને ‘આ પૃથ્વી મારા પતિને પાલનીય છે” એવી પ્રીતિથી જ હોય તેમ પૃથ્વી પર જ દષ્ટિ રાખતી હતી. જેમ સૌમનસ વનની પુષ્પવાટિકામાં પુષ્પની જાતિ ખીલી રહે, તેમ તેનામાં સ્ત્રી જાતિ પેશ્ય સર્વે ગુણો ઉજજવળતાથી ખીલી રહ્યા હતા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સગ ૫ મે એવી રીતે સદા સામ્રાજ્યસુખમાં લીન એવા રાજા વિશ્વસેન અને અચિરા દેવીને કેટલેક કાળ ઇંદ્ર અને ઈંદ્રાણીની જેમ વ્યતીત થયું. તે સમયે અનુત્તર વિમાનમાં મુખ્ય સવાર્થસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથના જીવે સુખમમ્રપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરા દેવીની કુક્ષીમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા દેવીએ રાત્રિના શેષભાગે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતાં ચૌદ મહાસ્વમ જોયાં. પ્રથમ સ્વને ઝરતા મજલના સુંગધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દો વડે જાણે મુખપ્રવેશની આજ્ઞા માગતા હોય તે ગજેન્દ્ર અવલે. બીજે સ્વપ્ન કૈલાશ પર્વતને છુટા પડેલે એક મોટો શિલા ભાગ હોય તેવો નિર્મળ અને શરીરની કાંતિથી પુંડરીક ગિરિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને લૂંટનારે વૃષભ જોયો. ત્રીજે સ્વને ઊંચા નાળવા વાળી કળિયુક્ત રાતા કમળ જેવા ઊંચા પુછવડે શોભતે કેશરીસિંહ દીઠે. એથે સ્વપ્ન બંને બાજુ બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે એવા દીવ્ય રૂપવાળા મહાલક્ષ્મી જાણે પિતાનું બીજું રૂપ હોય તેવા જોયા. પાંચમે સ્વપ્ન આકાશલક્ષ્મીના આભૂષણ જેવી, ઋજુ હિત ધનુષ્ય સમાન પંચવર્ણી દિવ્ય પુષ્પોથી ગુંથેલી વિસ્તારવાળી માળા અવલોકી. છઠે સ્વને અખંડ આકાશમંડલમાં ઉદ્યોત કરતે પૂર્ણિમાને ચંદ્ર જાણે દિશાઓનું નિર્મલ રૂપાનું દર્પણ હોય તેવો દીઠે. સાતમે સ્વને રાત્રિ છતાં દિવસની શોભા બતાવતે કિરણરૂ૫ અંકુરના ઉદ્દભવમાં કંદરૂપ સૂર્ય જોયે, આઠમે સ્વને નૃતકીઓ રૂપ પતાકાઓના નૃત્યમંદિર જેવો અને દૃષ્ટિને વિશ્રામગૃહ જે મહાધ્વજ જોવામાં આવ્યો. નવમે સ્વને જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવો અને સુગંધી વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણ કુંભ દીઠ દશમે સ્વપ્ન જાણે બીજો પબ્રાહુદ હોય તેવું વિકસિત સુગંધી કમલથી મનહર જળપૂર્ણ સરોવર જોયું. અગ્યારમે સ્વપ્ન આકાશની અદ્મમાલાને આલિંગન કરવા ઈચ્છતો હોય તેમ તરગરૂપ કરને ઉછાળતે અપાર સાગર અવલોક્યો. બારમે સ્વને આકાશમાં રહેલે મહેલ હોય તેવું, વિચિત્ર રત્નમય કલશવાળું અને પતીકાના ભારથી ભિત અપ્રતિમ વિમાન જોયું. તેરમે સ્વપ્ન પ્રકાશમય કિરણોથી આકાશને લિંપતો હોય તે અને સૂર્યાદિ જ્યોતિષીને બનાવવાના પુદગલેને જાણે સમૂહ હોય તે રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વપ્ન જાણે ઘણી જિહા હોય તેવી આકાશને ચાટતી જવાળાઓથી અંધકારના પૂરતો ગ્રાસ કરતે નિધૂમ અગ્નિ જોયે.
આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઈને અચિરા દેવીએ જાગ્રત થઈ શય્યામાંથી ઉઠી વિશ્વસેન રાજાને કહ્યાં. તે સાંભળી રાજાને કહ્યું-“હે મહાદેવી ! આ સ્વપ્નથી લોકોત્તર ગુણવાળો અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં તત્પર એવે તમારે પુત્ર થશે.” પ્રાતઃકાલે નિમિત્તિયા એને બેલાવીને પૂછતાં તેઓએ પણ કહ્યું કે “આ સ્વપ્નોથી તમારે ચક્રી અથવા ધર્મચકી (તીર્થકર) પુત્ર થશે.” રાજાએ તે સ્વપ્નાર્થ જાણનારા નિમિત્તિઓને સત્કાર કરીને વિદાય કર્યા. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ તે ગર્ભ રત્નને ધારણ કર્યો. તે સમયમાં પ્રથમથી કરદેશમાં ઉદ્વેગ અને મહામારી વિગેરે અનેક અશિવ ઉત્પાતો પ્રવર્તતા હતા. તેઓની શાંતિને માટે ઉપાય જાણનારા લેકે એ અનેક ઉપાયે ક્ય, તથાપિ જલવડે વડવાનળની જેમ તે જરા પણ શાંત થયા હતા, પણ જ્યારે ભગવંત શ્રી અચિરા દેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથીજ તે સર્વ અશિવકારી ઉષાત શમી ગયા. અહંત પ્રભુને પ્રભાવ નિરવધિ છે,
પછી નવ માસ અને સાડા સાત દિવસ જતાં યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યા હતા અને સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહ્યા હતા તે સમયે
Page #272
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૫ મૃગાંકને પૂર્વ દિશા પ્રસવે તેમ અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણું એક કુમારને જન્મ આપ્યો. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, ક્ષણવાર નારકી જીવોને પણ અપૂર્વ સુખ થયું, અને દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં; એટલે તેઓ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયો જાણીને હર્ષ પામી પ્રથમ અધલકથી આઠ દિફકુમારીઓ વિશ્વસેન રાજાના મંદિરમાં આવી અને વિધિથી પ્રભુને અને તેમની માતાને પ્રણામ કર્યો.
અચિરા દેવીને તેમણે પિતાને આત્મા એાળખાવી “તમે બીશે નહીં” એમ કહ્યું, અને સંવર્તક પવન વિકુવીને એક યોજન પચત પૃથ્વીની રજ દૂર કરી. પછી પ્રભુની અને માતાથી અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં તેવી રીતે રહીને ગાયન કરનારીઓની જેમ પ્રભુના ગુણ ગાવા લાગી. ઉર્વ લોકમાંથી આઠ દિકકુમારીએ આવી. તેઓ વિધિ પૂર્વક પૂર્વવત્ સર્વ ર્યા પછી મેઘ વિમુવીને જન પર્યત પૃથ્વી પર જળ સિંચન કરી પ્રભુના ગુણ ગાતી ઉભી રહી. પૂર્વ રૂચથી હાથમાં દર્પણ લઈ આઠ દિકુમારીઓ આવી; તેઓ પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુના ગુણગાન કરતી પૂર્વ દિશામાં ઉભી રહી. દક્ષિણ રૂચથી હાથમાં ઝારીઓ લઈ આઠ દિકુમારીઓ આવી, અને પ્રભુને તથા માતાને નમી પ્રભુના ગુણ ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકમાંથી હાથમાં પંખા લઈને આઠ દિકકુમારીએ આવી; તેઓ પ્રભુને અને અચિરા દેવીને નમી પ્રભુના ગુણ ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તર રૂચકથી હાથમાં ચામર લઈને આઠ દિકુમારીઓ આવી; તેઓ પૂર્વવત્ પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી ઉત્તર દિશામાં ઉભી રહી. ચાર વિદિશાઓના રૂચક ગિરિથી ચાર દિકુમારીએ હાથમાં દીપક લઈને આવી, અને પૂર્વની પેઠે પ્રણામ કરી પ્રભુને ગુણ ગાતી વિદિશાઓમાં ઉભી રહી. રૂચકદ્વીપમાંથી બીજી ચાર દિકુમારીઓએ આવીને પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુનું ચાર અંગુળ ઉપરાંત નાળ છેદન કર્યું, પછી એક ખાડે છેદી તેમાં દ્રવ્યનિધિની જેમ નાળ પધરાવી રત્ન અને હીરાવડે ખાડો પૂરી દઈ દૂર્વાથી તેની ઉપર પીઠ બાંધી લીધી. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં તેમણે ચતુઃશાળ સહિત ત્રણ કદલીગૃહ વિદુર્થી. પ્રથમ દક્ષિણ દિશાના કદલીગૃહમાં પ્રભુને અને માતાને લાવી ચતુ:શાળના મધ્ય ભાગમાં રચેલા રત્નસિંહાસનપર બેસાર્યા. ત્યાં બંનેને દિવ્ય સુધી તૈલથી અત્યંગન કરીને સુગંધી દ્રવ્યથી અંગનું ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસારી સુંગધી શુદ્ધોદકવડે તેમને સ્નાન કરાવ્યું. પછી દિવ્ય વસ્ત્રાલંકાર ધરાવી બંનેને ઉત્તર દિશાના રંભા ગૃહમાં લઈ જઈને રત્નસિંહાસન પર બેસાર્યા. પછી અભિયોગિક દેવતાની પાસે ક્ષદ્ર હિમાલય પર્વતથી ગશીર્ષ ચંદન મંગાવી તેને બાળીને બનેને રક્ષાગ્રંથી બાંધી. પછી તમારૂ પર્વતના જેટલું આયુષ્ય થાઓ” એવું પ્રભુના કાનમાં કહી બે રત્નમય પાષાણના ગેળાનું આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને પાછા તેઓ સૂતિકાગ્રહમાં લઈ જઈ પલંગ પર બેસારી ભગવંતના ગુણ ગાતી ગાતી ઉભી રહી.
તે સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપવાથી પ્રભુને જન્મ જાણી પાલક વિમાનમાં બેસી પરિવાર સાથે તે પ્રભુ પાસે આવ્યા. “કુક્ષિમાં રત્નને ધારણ કરનારા હે દેવી! તમને નમસ્કાર છે એમ કહી અચિરા દેવીપર અવસ્થાપિની નિદ્રા મૂકી, તથા તેમની પાસે પ્રભનું પ્રતિબિંબ મૂકી પોતે ચાર દર્પણની જેમ પાંચ રૂપે થયા. તેમાંથી એક રૂપે પ્રભુને ( ૧ ચંદ્ર. ૨ ચિન્હ (લંછન.) ૩. ચાર દર્પણ ચારે બાજુ મૂક્યા હોય તો તેમાં ચાર પ્રતિબિંબ પડે અને એક પોતે હોય તે મળીને જેમ પાંચ રૂપ થાય તેમ.
Page #273
--------------------------------------------------------------------------
________________
२४६
સગ ૫ મો બે હાથમાં ધારણ કર્યા, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, એક રૂપે માથે ઉજજવળ છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળ આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂ પર્વત પર જઈ અતિપાંડુકબલા નામે શિલા પર આવ્યા. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ સિંહાસન ઉપર બેઠા. તે વખતે આસનપ્રકંપથી પ્રભુના જન્મને જાણીને અશ્રુત વિગેરે ત્રેસઠ ઇદ્રો પણ જાણે પ્રથમથી સંકેત કર્યો હોય તેમ ત્યાં આવ્યા. પછી સમુદ્રો, નદીઓ અને દ્રહો વિગેરેમાંથી લાવેલા જલવડે ભરેલા કુંભથી પ્રથમ અચ્યું પ્રભુને સ્નાન કરાવ્યું. બીજા બાસઠ ઈદ્રોએ પણ હાથમાં તીર્થજલના કુંભે લઈ તે સોળમા તીર્થકરને સ્નાન કરાવ્યું. પછી ઇશાનંદ્ર પાંચરૂપે થયા. એક રૂપે પ્રભુને ખેાળામાં લીધા, એક રૂપે છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યા, અને એક રૂપે ત્રિશળ લઈ આગળ ઉભા રહ્યા. પછી શક ઈદ્ર પ્રભુની ચારે બાજુ જાણે ચાર દિશાઓના નિર્મળ હાસ્ય હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભ વિદુર્ગા, અને ધારા યંત્રની જેમ તેના શીંગડાના અગ્ર ભાગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈ દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુંછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિ પૂર્વક સ્વામીની આરતી ઉતારી. ઈદ્ર હર્ષથી ગદ્ગદ્ ગિરાવડે પ્રભુની સ્તુતિ કરવા લાગે.
હે ભગવન્! વિશ્વજનના હિતકારી, અદ્ભુત સમૃદ્ધિવાળા અને આ સંસારરૂપ મરૂ“દેશના માર્ગમાં છાયાવાળા વૃક્ષ જેવા તમને નમસ્કાર છે. હે પરમેશ્વર ! આજે સારે ભાગ્યે તમારું દર્શન થવાથી મારે પૂર્વ સંચિત પાપ રૂપ રાત્રિના પ્રભાતસમય થયો છે. હે જગત્પતિ ! જેના વડે તમારા દર્શન થયા તે નેત્રને ધન્ય છે, અને જેનાવડે તમારો સ્પર્શ થયે તે હાથને “તે કરતાં વિશેષ ધન્ય છે. હે પ્રભુ! કોઈ વાર તમે વિદ્યાધરોના મટી ઋદ્ધિવાળા ચક્ર “વત્ત થયા છે, કેઈવાર ઉત્કૃષ્ટ બળવાળા બળદેવ થયા છે, કેઈવાર અમ્યુરેંદ્ર થયા છે, “કેવા૨ મહાજ્ઞાની ચક્રવર્તી થયા છે, કેઈવાર રૈવેયકના આભૂષણભૂત અહમિંદ્ર થયા છો, “કઈવાર મહાસત્વવાન અને અવધિજ્ઞાની થયા છે, અને કોઈવાર સર્વાર્થસિદ્ધ વિમાનને અલંકારરૂપ અહમિંદ્ર થયા છે. હે પરમેશ્વર ! ક્યા ક્યા જન્મમાં તમે ઉત્કૃષ્ટ નથી થયા! છેવટે આજે તિર્થંકરના જન્મથી તમારા વર્ણનની વાણી પરિપૂર્ણ થઈ ગઈ છે. તમારા
નું વર્ણન કરવાને હું સમર્થ નથી, તેથી માત્ર હું મારો સ્વાર્થ જ કહી બતાવું છું કે હે નાથ ! પ્રત્યેક ભવને વિષે તમારા ચરણકમળમાં મારી પૂર્ણ ભક્તિ હ.” . .
આ પ્રમાણે સ્તુતિ કરીને શક ઈ ઈશાનપતિ પાસેથી જ પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે ગ્ય રીતે પાછા મૂક્યા. પ્રભુને દષ્ટિવિનદ આપવા ચંદુઓ ઉપર શ્રીદામ ગંડક અને પ્રભુને ઓશીકે દેવદૂષ્ય વસ્ત્ર અને બે કુંડળ મૂક્યાં. પછી ઇદ્ર અમોઘ વાણીથી દેવતાની પાસે આઘેષણ કરાવી કે દેવતાઓમાંથી, દેત્યોમાંથી કે મનુષ્યમાંથી જે કોઈ અહત પ્રભનું કે તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અજંક વૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે, અર્થાત્ સાત કકડા થઈ જશે. પછી ઈદ્રની આજ્ઞાથી કુબેરે હસ્તીનાપુર નગરમાં રત્ન તથા સુવર્ણની મહાવૃષ્ટિ કરી. પછી પદ્મિનીની નિદ્રા જેમ સય હરે તેમ ઈ અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુને માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપે રહેવાની આજ્ઞા કરીને શક્ર ઈદ્ર ત્યાંથી અને બીજા ઈદ્રો મેરૂ પર્વતથી નંદીશ્વર દ્વીપે ગયા ત્યાં શાશ્વત અહં તને વિધિ પૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી પ્રસન્ન થઈને સવે પિતપોતાને સ્થાનકે ગયા. ૧ ચંદરવાની મધ્યમાં લટકતો પુષ્પમાળના સમૂહનો ગુચ્છો.
“ગુણનું વર્ણન કરવાને
Page #274
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૪૭ : અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા દિવ્ય અંગરાગવડે યુક્ત અને તેજનો પ્રસાર કરતે પુત્ર પોતાની પાસે જવામાં આવ્યા. દેવીના પરિજને આનંદથી સંભ્રમ પામી રાજા પાસે આવીને પુત્ર જન્મ અને દિકુમારીનું સર્વ કૃત્ય નિવેદન કર્યું. રાજાએ હર્ષથી તેમને પારિતોષિક આપ્યું, અને મોટી સમૃદ્ધિથી પુત્રને જન્મમહોત્સવ કર્યો. જ્યારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યો, ત્યારે દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારી રાજાએ પુત્રનું શાંતિનાથે એવું નામ પાડયું. ઈદ્ર જેમાં અમૃત સંક્રમાવેલ છે એવા પિતાના અંગુઠાને ધાવી સુધા સમાવતા અને ધાત્રી. ઓથી લાલિત થતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જો કે પ્રભુ જન્મથી જ જ્ઞાનવૃદ્ધ છે, તથાપિ તે વિવિધ પ્રકારની બાલક્રીડા કરવા લાગ્યા. કારણકે સર્વત્ર સમુચિતજ શેભે છે. પ્રભુની સાથે રજક્રીડા કરી પોતાના આત્માને મહા મૂલ્ય કરવાને ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. ક્રીડામાં પણ પ્રભુ તેમને નિઃશંક પાદપ્રહાર કરતા નહીં. કારણકે મહાત્માઓ ગમે તે અવસરે પણ દયાવીર હોય છે. એવી રીતે વિવિધ ક્રીડાઓથી ક્રીડા કરતા શાંતિનાથ પ્રભુ ચાલીશ ધનુષ્ય પ્રમાણુ શરીરથી લમીના ક્રીડાગ્રહરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા પછી વિશ્વસેન રાજાએ શાંતિકુમારને અનેક રાજકન્યાઓની સાથે વિવાહ કર્યો. મોટી સમૃદ્ધિવાળા પિતાએ પુત્રના વિવાહત્સવ વિના તૃપ્તિ પામતા નથી.” પચીશ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યપર બેસારી વિશ્વસેન રાજાએ પોતાનું કાર્ય સાધવા માંડયું. પછી શાંતિકુમાર યથા વિધેિ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. મહાત્માઓનો અવતાર વિશ્વના પાલનને માટે જ હોય છે,
અચિરાદેવીના કુમાર શાંતિનાથ પોતાની વિવાહિત સ્ત્રીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. અહંત પ્રભુને પણ નિકાચિત ભેગનીય કર્મ અવશ્ય ભોગવવું પડે છે. સર્વ અંતઃપુરમાં મુખ્ય યશોમતી નામે તેમને પટ્ટરાણી હતી. એક વખતે તેમણે સ્વમમાં અબ્રમાં સૂર્યની જેમ મુખમાં પ્રવેશ કરતું ચક્ર જોયું, તે સમયે દઢરથ મુનિનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી ચવીને યશેમતીના ઉદરમાં ઉત્પન્ન થયે. નિદ્રામાંથી જાગ્રત થઈ યશેમતીએ તે સ્વમની વાત પોતાના સ્વામી શાંતિનાથને કહી. ત્રણ જ્ઞાનને ધરનાર શાંતિનાથ પ્રભુએ કહ્યું કે હે દેવી! પૂર્વ જન્મમાં દઢરથે નામે એક મારે અનુજ બંધુ હતું. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને તારા ઉદરમાં અવતરે છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશે.” પ્રાતઃકાલમાં મેઘની ગર્જના જેવું પતિનું અમેઘ વચન સાંભળી દેવી યમતી હર્ષ પામ્યા, અને ત્યારથી તેમણે ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં જાણે પતિનું પ્રતિબિંબ હોય તેવા સર્વ. લક્ષણ સંપન્ન પુત્રને તેણે જન્મ આપે તે ગર્ભમાં હતું તે વખતે દેવી યમતીએ ચક્ર જોયેલું હતું, તેથી તેનું ચકાયુધ એવું પિતાએ નામ પાડયું. ત્રણલેકમાં તિલકરૂપ એ ચકાયુધ ધાત્રીઓથી લાલિત થઈ હાથીના શિશુની જેમ વધવા લાગ્યા. અનુક્રમે યુવતિવર્ગના લોચનને મેહકારી અને કામદેવના કીડેઘાનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયો. પિતા શાંતિનાથે સ્વયંવરા થઈને આવેલી લક્ષ્મી જેવી રૂપલાવણ્ય વડે મનોહર અનેક રાજપુત્રીએની સાથે તેને વિવાહ કર્યો.
નીતિથી રાજ્યનું પાલન કરતાં શ્રીમાન શાંતિનાથને પચીશ હજાર વર્ષો વીતી ગયા. એકદા ઉપપાદ શયામાં જેમ દેવ ઉત્પન્ન થાય, તેમ શ્રી શાંતિનાથની અસ્ત્રશાળામાં વિશાળ
તિએ વ્યાપ્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ તેને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પૂજય મહાશય પણ જે આચારથી પૂજ્ય હોય તેની પૂજા કરે છે. પછી સાગરમાંથી સૂર્યની
Page #275
--------------------------------------------------------------------------
________________
સગ ૫ માં
જેમ દિગ્વિજયની લક્ષમીના મુખરૂપ તે ચક અસ્ત્રશાળામાંથી નીકળી પૂર્વદિશાની સન્મુખ ચાલ્યું. હજાર આરાઓની જેમ સહસ્ત્ર યક્ષેથી અધિષ્ઠિત એવા, તે ચક્રની પછવાડે રૌન્ય વડે ભૂતળને આચ્છાદન કરતા શાંતિનાથ રાજા વેગથી ચાલ્યા. પ્રતિદિન એક એક યેજન ચાલી તે ચક સ્થિર રહેતું, એટલે પ્રભુ ત્યાં બાર જન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા. એવી રીતે દિવસે દિવસે ખેદ રહિત પ્રયાણ કરતા વિશ્વસેનના કુમાર પૂર્વ દિશાના મુખના મંડરૂપ માગધ તીર્થ સમીપે આવ્યા, જેને મધ્ય ભાગ લબ્ધ થતું નથી એવા સમુદ્રની જે પિતાને કંધાવાર તેના કાંઠા ઉપર સ્થાપન કર્યો. પછી માગધ તીર્થની સન્મુખ વિજયેછુ એવા પ્રભુ નિર્વિકારપણે ઉત્તમ સિંહાસન પર બેઠા. તે સમયે કાંઠાથી દ્વાદશ જન ઉપર દૂર રહેલા મગધપતિનું સિંહાસન લૂલા પગની જેમ કંપાય. માન થયું. માગધપતિ વિચારમાં પડે કે “એવું અપૂર્વ શું થયું કે જેથી મારું દઢ આસન ચલિત થયું? અથવા શું મારે ચવવાને સમય આવ્યો કે કઈ મારી સમૃદ્ધિને નહીં સહન કરનારાએ મારા આસનને કંપાવ્યું ?' આ પ્રમાણે સંદેહ ઉત્પન્ન થતાં અવવિજ્ઞાન પ્રયુક્યું, એટલે ધર્મચક્રી અને ચક્રવર્તી શાંતિનાથ પ્રભુ ત્યાં આવેલા તેના જાણ વામાં આવ્યા. તેથી માગધપતિએ વિચાર્યું કે “અહો ! બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચાર કર્યા તેથી મને ધિક્કાર છે! આ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે. ત્રણ જગતની રક્ષા અને સંહાર કરવામાં જેમની ભુજા સમર્થ છે એવા તે પ્રભુની પાસે હું સૂર્ય પાસે ખદ્યોત જે છું. અમ્યુરેંદ્ર વિગેરે ઈદ્રો જેની પદાતિની માફક સેવા કરે છે તે પ્રભુની હું કેવી રીતે ભક્તિ કરી શકીશ? તથાપિ અહીં આવેલા આ જગન્નાથની વસ્ત્રને બદલે તાંતણાથી ચંદ્રની જેમ હું મારી સંપત્તિ વડે પૂજા કરૂં.' આ મનમાં નિશ્ચય કરી મ ટી ભેટ લઈ માગધપતિ શાંતિનાથની પાસે આવ્યો. પછી આકાશમાં રહી પ્રણામ કરીને તે બોલ્યો - હે નાથ ! એક પત્તિ માત્ર એવા મારા ઉપર સારે ભાગ્યે તમે અનુગ્રહ કર્યો છે. તે સ્વામી ! હું તમારે પૂર્વ દિશાને દિગપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું, માટે દુગપાળની જેમ અહર્નિશ મને આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરી તેણે શવ્યાપાળની જેમ પ્રભુને ભક્તિથી દિવ્ય વસ્ત્રાલંકાર અર્પણ કર્યા. શ્રી શાંતિનાથે પણ સત્કાર કરીને તે દેવને વિદાય કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું. અગાધ ભુજપરાક્રમવાળા પ્રભુ ચક્રના માર્ગે અનુસરતા અપ્રતિરૂદ્ધ વેગે દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં આક્ષેપરહિત પણે વરદામ દેવને ઉદ્દેશીને સમુદ્રતીરે રત્નસિહાસન ઉપર બેઠા. વરદામપતિ અવધિજ્ઞાને પ્રભુને આવેલા જાણી પિતાની રક્ષાના ઉપાયરૂપ ભેટ લઈ સામે આવ્યો. તેણે પ્રભુને નમી તેમની સેવા સ્વીકારી દિવ્ય અલંકરાદિ ભેટ આગળ ધરી. પ્રભુએ પ્રસન્નતાથી તેને બોલાવી વિદાય કર્યો. પછી ચક્રરત્ન ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ચાલવું. શાંતિનાથજી તેની પછવાડે ચાલ્યા. અનુક્રમે નાગરવેલના વન સાથે સેપારીનાં વૃક્ષે જેમાં મળેલાં છે એવા પશ્ચિમ સમુદ્રને કાંઠે પ્રભુએ છાવણી નાખી. આસન ચલિત થતાં પ્રભાસપતિએ ત્યાં આવી શાંતિનાથ પ્રભુની સેવા કરી તેમના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુ દેવીને ઉદ્દેશી ચકરત્ન પશ્ચિમેત્તર (વાયવ્ય) દિશાને માર્ગે ચાલ્યું. શાંતિનાથજી તેના માર્ગને અનુસરી પછવાડે ચાલ્યા. સિંધુ દેવીના સ્થાનની નજીક સમદ્રને તીરે પ્રભુએ ચલિત નગરના જેવી છાવણી નાંખી. પછી સિંધુદેવીને મનમાં ધારી ગીની જેમ તેનું આકર્ષણ કરવામાં તત્પર એવા પ્રભુ તેની સન્મુખ સિંહાસન પર બેઠા. અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણી સિંધુદેવી ભેટ લઈ ભક્તિથી તત્કાળ તેમની પાસે આવી. પછી શાંતિનાથને નમી અંજલિ જોડીને
Page #276
--------------------------------------------------------------------------
________________
આભૂષણ
પર્વ ૫ મું
૨૪૯ બેલી-“હે સ્વામી ! આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું” આ પ્રમાણે કહીને તે ભક્તિવડે નમ્રદેવીએ રત્નસુવર્ણમય જ્ઞાનપીઠ અને કલશે તથા
હાદિક પ્રભુને ભેટ કર્યા. ત્યાંથી સેના સહિત ચક્રરત્નની પછવાડે ચક્રવત્તી ચાલ્યા. તે ઉત્તર પૂર્વ (ઈશાની દિશામાં ચાલતાં વૈતાઢય પર્વતની સમીપની ભૂમિએ આવ્યા. ત્યાં વૈતાઢયાદ્રિકુમાર નામના દેવે પ્રભુ પાસે આવી ભેટ આપી અને પિતે વશ થઈને રહ્યો. ત્યાંથી ચકના માર્ગને અનુસરી પ્રભુ તમિત્રા ગુહાની નજીક આવ્યા. ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધું. ત્યાંથી શાંતિનાથની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેના દક્ષિણ નિકૂટને ક્ષણમાં સાધી લીધું. ત્યાંથી આવી સેનાપતિએ અમેઘ શક્તિવાળા દંડરત્નથી કપાટને તાડન કરી તમિસ્રા ગુફા ઉઘાડી. પછી પ્રૌઢ પરાક્રમવાળા પ્રભુએ ગજરત્નપર ચડી સિંહની જેમ તે ગુહામાં સૈન્ય સહિત પ્રવેશ કર્યો. વિશ્વસેનના કુમાર શાંતિનાથે ગુહામાં અંધકારને છેદવા માટે ઉદયગિરિપર સૂર્યની જેમ ગજેદ્રના દક્ષિણ કુંભ ઉપર મણિરત્ન સ્થાપિત કર્યું અને હાથમાં કાંકણી રત્ન લઈ ગુહાની બંને બાજુ અનુક્રમે ઓગણપચાસ માંડલા આલેખતાં ચાલ્યા. આગળ ચાલતાં ગુહાના મધ્યમાં આવેલી ઉમેગ્ના અને નિમગ્ના નામની નદી ઉપર પ્રભુએ વર્ધકિરત્ન પાસે એક પદ્યા (સેતુ) બંધાવી, તે સેતુથી શાંતિનાથ સૈન્ય સહિત તે દુસ્તર નદીઓ ઉતર્યા. ભુજ પરાક્રમી પુરૂષને સર્વ કાર્ય સરલ છે, પછી પ્રાત:કાલે સૂર્યના દર્શનથી કમળકોશની જેમ પ્રભુના દર્શનથી ગુહાનું ઉત્તર દ્વાર પોતાની મેળે જ ઉઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સૈન્ય સહિત બહાર નીકળ્યા. પ્રવાહની જેમ મહાત્માઓને સર્વે ઠેકાણે અખલિત મા હોય છે. ગુહામાંથી ચકવરીને સૈન્ય સહિત નીકળેલા જોઈ ત્યાં રહેલા પ્લેચ્છો ઉપહાસ્યથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે! જુઓ, સિંહોના યૂથથી ભરેલા અરણ્યમાં જેમ હાથી આવે, તેમ આપણા દેશમાં અપ્રાતિ (મૃત્યુ) ને પ્રાર્થના આ કોણ આવ્યું છે? ધૂલી વડે ધુંસરા અંગવાળો અને પિતાના આત્માને સુભટ માનનારા આ પદાતિજને ગધેડાની જેમ ઈચ્છા પ્રમાણે કુદી રહ્યા છે તે કોણ છે? કેટલાક વૃક્ષ પર વાનરે ચડે તેમ હાથી પર ચડી બેઠેલા, કેટલાક તરંગ પર વહાણની જેમ ઘેડા પર ચડેલા અને કેટલાક લુલા હોય તેમ રથ પર આરૂઢ થયેલા આ સર્વે કોણ છે? આ અંગારાની શગડી જે લોઢાનો* ખંડ શું હશે! અહા ! આ બુદ્ધિ વગરના લોકોનું કેવું અવિચારિત કામ છે કે જેઓએ શિયાળની જેમ એકઠા થઈને આ ઉજાગરાનો આરંભ કર્યો છે? હવે આપણે તેઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. ઉપેક્ષા કરેલો શત્રુ વિષ રૂપ છે. માટે કાકોલ પક્ષીઓ જેમ ટીને હણે તેમ આપણે તેમને હણી નાખીએ.” આ પ્રમાણે પરસ્પર કહી હાથમાં વિવિધ હથીઆર લઈ તેઓ શાંતિનાથ ચક્રીના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવાને પ્રવર્તી. કોઈ મુદગરોથી રાફડાની જેમ હાથીઓને મારવા લાગ્યા. કોઈ ગદાથી ઘડાની ઠીબની જેમ રથને ભાંગવા લાગ્યા, કોઈ બાણ અને ત્રિશૂલથી કુતરાની જેમ અશ્વોને વીંધવા લાગ્યા, કઈ મંત્ર વડે શબની જેમ શલ્યથી પેદલને ખીલી લેવા લાગ્યા.
આ પ્રમાણે વિચિત્ર રીતે મારતા અને મોટું યુદ્ધ વધારતા તે સર્વ વીર સિંહનાદ કરીને વારંવાર ભુજાફેટ કરવા લાગ્યા. તે દુલલિત કિરાત લોકો એ વાનરની જેમ ઉછળતા થકા ચક્રવર્તીના અસૈન્યને વનની જેમ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસૌન્યનો ભંગ
2 આગળ ચાલતું ચક્ર. ૩૨
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સગ ૫ મે
થયેલ જોઈ શાંતિનાથને સેનાપતિ આહૂતિ વડે અગ્નિની જેમ ભયંકર પ્રજવલિત થયો. તત્કાળ યમરાજની જેમ તૈયાર થઈ હાથમાં ખડગ રત્ન ધારણ કરી અને અધરત્ન પર બેસી તે કિરાત લોકોની સામે દેડ. તે વખતે સંયુક્ત થયેલા સેનાપતિ રત્ન, અશ્વરત્ન અને ખડગરત્ન-એ ત્રણે રને જાણે ત્રણ પ્રકારના અગ્નિઓ એકત્ર મળ્યા હોય તેવા દેખાવા લાગ્યા. પાદચારી ગરૂડની જેમ પૃથ્વીને ફાડતો અશ્વરત્ન સેનાપતિના મનની સાથે કિરાત સૌખ્યમાં પેઠો. તે વખતે નદીના ઘની પાસે વૃક્ષોની જેમ સ્વાર કે પેદલ કોઈ પણ કિરાત તેની આગળ ઉભો રહેવાને પણ સમર્થ થઈ શક્યો નહીં. કઈ ખાડામાં નૃપાપાતે કરવા લાગ્યા, કઈ વનની કુંજમાં સંતાઈ ગયા, કેઈ ગીરિએની ગુફામાં પેસી ગયા, કોઈ પાણીમાં ડુબી ગયા, કોઈએ હથી છોડી દીધા, કોઈએ વસ્ત્ર ઉતારી નાંખ્યાં અને કોઈ મુડદાના જેવા નિષ્ટ થઈને પૃથ્વી પર લેટવા લાગ્યા. વૃક્ષની શાખાની જેમ કેઈના હાથ, ફળની જેમ મસ્તક અને પત્રની જેમ હાથનાં કાંડાં પૃથ્વી પર ત્રુટી પડયાં. કેઈના દાંત, કોઈના પગ અને કેઈની તુંબપાત્રની જેમ માથાની ખોપરી તુટી પડી. સેનાપતિ અધરત્નવડે રણસાગરમાં પ્રવેશ કરતાં જલજંતુઓની જેમ શત્રુઓને શી શી વિપત્તિ ન પ્રાપ્ત થઈ? આ પ્રમાણે તેના પતિએ ક્ષેભ પમાડેલા કિરાત લોક ક્ષણવારમાં
અને ઉડાડેલા રૂની જેમ દશે દિશાઓમાં નાસી ગયા. તે ઘણું જન સુધી દૂર ગયા પછી એક ઠેકાણે એકઠા મળી ક્રાધ અને લજજાથી પીડિત થઈને વિચાર કરવા લાગ્યા -“અહો ! આપણને અકસમાત શું થયું, કે જેથી આ કઈક શૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરીને અહીં આવ્યું ! તેમાં પણ એ અસમાન પુરૂષે ઉઠેલ સમુદ્ર જેમ પૃથ્વીને આચ્છાદન કરે તેમ અત્યંત સૌન્યથી આપણી પૃથ્વીને આચ્છાદન કરી લીધી ! વળી તે સેનાના અંગરૂપ માત્ર કોઈ એક દિલ જેવા ઉભટ પુરૂષે આપણે જેવા સુભટમાની અનેક પુરૂષને ક્ષણવારમાં કૂટી નાખ્યા ! આપણે કે જેઓની ભુજાઓ પરાક્રમથી ઉપસેલી છે તેઓ એક બીજાથી લજજા પામીને હવે પરસ્પર પણ મુખ બતાવવાને સમર્થ થઈ શકતા નથી; હવે આપણે શું બળતા અગ્નિમાં પેસવું ! ઉંચા પર્વતના શિખર પરથી મરવાને માટે ઝુંપાપાત કરો ! અથવા શું પોતાની મેળેજ ઉગ્ર કાળક્ટ ઝેર ખાવું! વા વૃક્ષોની ઉપર ગળાફાંસો બાંધી હીંચકાની જેમ શરીરને લટકાવવું ! વા જીર્ણ વસ્ત્રની જેમ છરીઓથી પિતાનું પેટ ફાડવું ! વા કાકડીના ખંડની જેમ દાંતવડે જિહાને કરડવી! ઇત્યાદિ કોઈપણ પ્રકારથી અત્યારે અરણેજ આપણું શરણ છે. આ પરાભવ થાય ત્યારે કો માની પુરૂષ જીવવાને સમર્થ થાય ! પરંતુ હજુ શત્રુઓને સાધવા માટે એક ઉપાય છે. આપણે આપણું કુળદેવતા મેઘકુમારને બોલાવીએ. કેમકે જેઓને ઉપાય માત્ર ક્ષીણ થયા હોય, પુરૂષાર્થની સંપત્તિ ક્ષય પામી હોય અને જેઓ શત્રુઓથી દબાઈ ગયા હોય તેઓને કુળદેવતાનું જ શરણ છે.” આ નિશ્ચય કરી તે સર્વે કિરાતલોકો ચક્રવતીના પ્રતાપથી તપ્ત થઈ જલમાં મગ્ન થવાને ઇચ્છતા હોય તેમ સિંધુના તીર ઉપર આવ્યા. ત્યાં સર્વસ્વ હારી ગયેલા ધૂતકારની પેઠે તે સર્વે દીન અને દિશા માત્ર વસ્ત્રવાળા (નગ્ન) થઈ ચત્તા સુઈ ગયા, એ પ્રમાણે એકઠા થઈને મેઘકુમારને પ્રસન્ન કરવા માટે તેમણે અષ્ઠમ તપ આચયું. દેવતાઓ તપ અને ભકિતથી ગ્રાહ્ય છે. અષ્ટમ તપને અંતે મેઘકુમાર પ્રગટ થયા અને કહ્યું કે “વત્સ ! હશે નહીં, તમારે શી પીડા છે તે કહો.” શ્લેષ્ઠ બોલ્યા-કેઈ ચક્રવર્તી અમોને મારી નાખે છે. તેના ભયથી કાગડાની જેમ નાસીને અમે અહીં આવ્યા છીએ. હે ભગવંત મેઘકુમાર ! અમારી રક્ષા કરે; અમારા ત્રાતા તમેજ છે, કેમકે પાછી ગયેલી છીંકવાળાને પ્રાય: એક સૂર્યજ શરણરૂપ છે. મેઘકુમારે એ
-
Page #278
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૫૧
કિરાતાને કહ્યું–આજેજ અમે તમારા શત્રુઓને જળમાં ડુબાવી દઈ શીતળ મૃત્યુથીજ મારી નાખીશું.' પછી તે મેઘકુમારા જાણે પૃથ્વીને એકાણુ વ કરવાને ધારતા હોય તેમ લેાઢાના મુશલ જેવી જળધારાઓથી શાંતિનાથના સૈન્યમાં વર્ષવા લાગ્યા. જયારે પેાતાની સવ છાવણી જલવડે વ્યાપ્ત જોવામાં આવી, ત્યારે એ પાંચમાં ચક્રવત્તી એ કરવડે ચર્મ રત્નના સ્પર્શ કર્યા. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફ્રીના પિંડ વધે તેમ ચરત્ન ખાર ચેાજન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથની આજ્ઞાથી જાણે લાંગર નાંખેલું સ્થિર વહાણ હાય તેવા તે ચર્મ રત્નની ઉપર બધુ સૈન્ય ચડી ગયું. પછી ચ રત્નની જેમ છત્રરત્નને કરથી સ્પશ કરી તેને સૈન્યની ઉપર ખાર યાજન સુધી વિસ્તાર્યુ. પુરૂષોમાં શિરામણ પ્રભુએ છત્રરત્નના દંડના મૂળમાં, ગોખમાં દીપકની જેમ અંધકારના નાશ કરવાને માટે મણિરત્ન સ્થાપિત કર્યું. પછી તેમાં રહી સર્વ સૈન્ય પ્રાતઃકાલે વાવેલા અને મધ્યાન્હે પાકીને તૈયાર થયેલા શાળિ વિગેરે ખાવા લાગ્યું. એ ગૃહી રત્નના મહિમા છે. જેમ સમુદ્રમાં વહાણવટી રહે તેમ શાંતિનાથ ચકી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ રહ્યા. પછી પ્રભુના સેવકદેવતાએ કાપ કરી શસ્ત્ર ધારણ કરીને મેઘકુમારને કહેવા લાગ્યા-અરે મેઘકુમારો ! તમે વિચાર્યા વગર આ શુ આરલ્યુ છે? રે અભાગીઆએ ! તમે આત્મશક્તિ કે પરશક્તિને જાણતા નથી. જેના શિખરો આકાશ સુધી ઉંચા છે એવા સુવર્ણના મેગિરિ કયાં અને મૃત્તિકાના કે વેળુના બનેલા જાનુ સુધી ઉંચા રાફડા કયાં ! બધા જંગતને પ્રકાશ કરનાર સૂર્ય કયાં અને ખજુઆના નાનાં બચ્ચાં કયાં ! અલનું ધામ ગરૂડ કાં અને સાર વગરના ટીડ કયાં! પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ કયાં અને બીચારા નાના સાપનાં પડકાં કાં ! સ્વયંભૂરમણ સમુદ્ર કયાં અને ઘરની ખાળા કયાં ! તેમજ ગેલેકયે વઢના કરેલા આ તીર્થંકર અને ચક્રવત્તી કયાં અને અમારાથી જીતી શકાય તેવા ખીચારા રાંકડા તમે કયાં ! માટે શીઘ્ર હવે અહીંથી ચાલ્યા જાઓ. નહીંતા તમારા અપરાધ અમે સહન કરશું નહી.” આ પ્રમાણે તેઓએ આડંબરથી કહ્યું, એટલે તે મેઘકુમારાએ કિરાતાને સમજાવ્યા કે ‘આ શાંતિનાથ પ્રભુજ તમારૂ' શરણુ છે.' મેઘકુમારની શિક્ષાથી તે સ્વેછે નિશ્વાસ મૂકી મદ રહિત થયેલા હાથીની જેમ ક્રાધ છેડીને શાંત થઈ ગયા. પછી વિચિત્ર વાહના, અદ્ભુત આભૂષણા અને ઘણા મૂલ્યવાળાં વસ્ત્રો તથા સુવર્ણ અને રૂપાના રાશિ ભેટ આપવા માટે લઇને તે શરણાથી કરાતા સર્વ અંગે આળોટી પૃથ્વીનું માન કરતાં ત્યાં આવ્યા. શાંતિનાથને ભેટ અર્પણ કરી નમીને તેઓ ખેલ્યા- “હે પ્રભુ ! અરણ્યના વૃક્ષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી તમે અમારા સ્વામી અહીં આવ્યા છે તેમ નહી' જાણતા એવા અમેએ સાહસથી જે અપરાધ કર્યા છે તે ક્ષમા કરે, અને અમારાપર પ્રસન્ન થાએ. આજથી આ પૃથ્વીને સાધનાર એવા તમેજ અમારા સ્વામી છે; અમાને આજ્ઞા કરો; વધારે શું કહીએ ! હવેથી તમારા સેવક થઈ ને અમે અહી રહીશું.”
આ પ્રમાણે ખેલતા તે મલેચ્છેાના સત્કાર કરી, ભેટ સ્વીકારીને પ્રભુએ તેમના અનુગ્રહ કર્યા. પછી શાંતિનાથે સેનાપતિ પાસે સિંધુના ઉત્તર નિષ્ફટ સધાવ્યા. ત્યાંથી માટી સેવાવાળા પ્રભુ પાતાના બહાળા સૈન્યથી ગંગા અને સિધુ નદીના અંતરને આચ્છાદન કરતા ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત પાસે આવ્યા. ત્યાં પર્વતના અધિષ્ઠાયક હિમવત્યુમા રે ગાશીષ - ચંદનથી, પદ્મદ્ભુદના જળથી અને બીજા રત્નોથી શ્રી શાંતિનાથનુ પૂજન કર્યુ.. ત્યાંથી ઋષભકૂટાદ્રએ જઈ કાંકણી રત્ન હાથમાં લઈ ચક્રવત્તીના કલ્પ પ્રમાણે પાંચમા ચક્રવતી શાંતિનાથ” એવા અક્ષરો લખ્યા. શત્રુઓના પરાક્રમને શાંત કરનાર શાંતિનાથ ત્યાંથી પાછા ફ્રી અનુક્રમે બૈતાઢય પર્વતની પાસેની ભૂમિમાં આવ્યા. ત્યાં બંને શ્રેણીમાં રહેનારા વિદ્યા
Page #279
--------------------------------------------------------------------------
________________
સ ૫ મા
ધરાના રાજાઓએ આલેક અને પરલાકના સુખને માટે ચક્રવત્તીના સત્કાર કર્યો. ત્યાંથી ગંગાને તીરે જઈ પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાના ઉત્તર નિટ સધાવ્યેા. ત્યાંથી ચૈતાઢચ નીચેની ખ'ડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા, અને ત્યાં રહેલા નાટયમાલ દેવને વશ કર્યાં. સેનાનીએ દડરત્નથી તે ગુહાને ઉઘાડી, અટલે શાંતિનાથ ચ ક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યા; અને પૂર્વની પેઠે મણિરત્ન હાથીના કુંભસ્થળપર રાખીને દીપકની જેમ કાંકણીરત્નવડે મંડલ આળેખી ગુહાગૃહના અંધકાર શાંત કરી દીધા. પછી સૌન્ય સહિત પ્રભુ વાકી રત્ને ખાંધેલી પાજથી ઉન્મન્ના અને નિમા નદીના જલને ઉતરી ગયા. પરાક્રમી પુરૂષોને કાંઈપણ દુષ્કર નથી, પ્રાંતે પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુહાના દક્ષિણ દ્વારથી પ્રભુ સિંહની જેમ સેના સહિત બહાર નીકળ્યા. પછી ગંગા નદીના વિપુલ તટની ઉપર ગંગાના તરંગ જેવા ચપલ અશ્વોથી અલ કૃત એવી પાતાની છાવણી નાખી. ત્યાં ગંગાના મુખપર નિવાસ કરીને રહેલા નૈસર્પ વિગેરે નવનિધિ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા. પછી પ્રભુએ સ્વચ્છંદી મ્લેચ્છ લાકાથી ભરપૂર એવું ગંગાનું દક્ષિણ નિષ્ટ એકપાળ સાથે તેની પેઠે સેનાપતિ પાસે સધાવી લીધું.
૨૫૨
આ પ્રમાણે શાંતિનાથ ચક્રવત્તી ષટ્ અરિવની જેમ ખડ ભરતને સાધી આઠસા વર્ષે પાછા આવ્યા, પ્રતિદિન અવિચ્છિન્ન પ્રયાણવડે માર્ગે ચાલતાં એ લક્ષ્મીના ધામ નરહસ્તી પ્રભુ અનુક્રમે હસ્તીનાપુર આવી પહેાંચ્યા. નગરમાં પ્રવેશ કરીને ચિરકાળના ઉત્કંઠિત મંત્રીજન અને પૌરજનાએ દેવીની જેમ અનિમેષ દૃષ્ટિએ જોયેલા પ્રભુ પેાતાના મહેલમાં આવ્યા. ત્યાં દેવતાઓએ અને બીજા મુગટબદ્ધ રાજાએ શાંતિનાથને ચક્રવત્તીપણાના અભિષેક કર્યાં. તે અભિષેકના ઉત્સવ કોઇપણ પ્રકારના દંડ, કર અને સુભટપ્રવેશ વિના ખાર વર્ષ સુધી હસ્તીનાપુરમાં પ્રવર્ત્યર્ડ,
ચક્રવત્તી શાંતિનાથ, જેની દરેકની હજાર હજાર યક્ષ્ા રક્ષા કરે છે એવાં ચૌદ રત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા. ચાસઠ હજાર અંત:પુરની સ્રીએથી પરવરેલા હતા. ચારાશીલાખ હાથી, ચેારાશીલાખ ઘેાડા અને તેટલાજ રથાથી વિભૂષિત હતા. છન્તુકટી ગ્રામ, છન્નુકાટી પાયદળ, ખત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના તે સ્વામી હતા. ત્રણસો ને ત્રેસઠ સેાઈઆ તેમની સેવા કરતા હતા. અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમની ભૂમિ શેાલતી હતી. ખેાંતેરહજાર મોટા નગરીના રક્ષક હતા. એકહજારે ઉણા એક લાખ દ્રાણુ મુખ ઉપર તેમનું શાસન ચાલતુ હતુ. અડતાળીશ હજાર પત્તન અને ચાવીશહજાર કટ તથા મડમના તે અધીશ્વર હતા. વીશહજાર રત્નાદિકની ખાણાના અને સોળહજાર પેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદહજાર સ`ખાધના તથા છપ્પન અતર દ્વીપના ઓગણપચાશ કુરાજ્યાના નાયક હતા. વિશેષ બીજું શું કહેવું ! તે ષટ્ખડ ભરતને ભાગવતા હતા. હમેશાં ગીત, નૃત્ય, તાંડવ, નાટકના અભિનય, પુષ્પચય અને જલક્રીડા વિગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા. ચક્રવત્તી પણાના અભિષેકથી આરંભીને આઠસો વર્ષ ઊણા પચીસહજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિમન કર્યાં.
પ્રભુ હતા, અને
તે સમયે બ્રહ્મ દેવલાકમાં રહેનારા લેાકાંતિક દેવતાઓનાં આસના કોઈએ ચલાવ્યાં હોય તેમ કપાયમાન થયાં. તે વખતે ‘આ શુ થયુ” એમ સારસ્વતાદિ નવે પ્રકારના તે દેવતા સ`ભ્રાંત થઈ ગયા, પછી ક્ષણવારે અવિધજ્ઞાનવડે તેનુ કારણ જાણી તે માંહોમાંહે કહેવા લાગ્યા−“અરે ! આ જમૂદ્દીપના ભરતામાં શાંતિનાથ અર્હુતના દીક્ષાસમય નજીક આવ્યા છે. તેના પ્રભાવથી જાણે સચેતન થયા હોય તેમ આ આસના આપણને
Page #280
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૫૩ તે પ્રભુની દીક્ષાકાળની ઉચિત ક્રિયા કરવાનું સૂચવે છે. જોકે ભગવંત ત્રિવિધ જ્ઞાનવડે પિતાની મેળે જાણે છે તથાપિ આપણે આ ક૯૫ છે, માટે ચાલે આપણે તે પ્રભુને વ્રતને સમય જણાવીએ.” આ પ્રમાણે પરસ્પર આલાપ સંલાપ કર્યા પછી તત્કાળ વિમાનમાં બેસી તે સારસ્વતાદિ દેવતાઓ ભગવાન શાંતિનાથની પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને લોકાંતિકદેવે પાછા સ્વર્ગમાં ગયા. પછી ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. વર્ષો તે પિતાની જેવા ચકાયુધ નામના પુત્રને રાજ્ય સેંપી પોતે સંયમસામ્રાજ્ય લેવા તત્પર થયા. તે વખતે ઇદ્ર પ્રમુખ દેવતાઓએ અને ચક્રાચુધાદિ રાજાઓએ મળીને ચક્રવત પણ જે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સર્વાર્થ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર જગત્પતિ આરૂઢ થયા. તે શિબિકાને પ્રથમ મનુષ્યએ ઉપાડી અને પછી પૂર્વ તરફ મૈમાનીક દેવોએ, દક્ષિણ તરફ અસુરકુમારે એ, પશ્ચિમ તરફ સુપર્ણકુમારદેવોએ અને ઉત્તર તરફ નાગકુમારે એ વહન કરવા માંડી. તે શિબિકામાં બેસી અચિરાના કુમાર શાંતિનાથ સહસ્ત્રાભ્રવણ ના મન ઉદ્યાનમાં ગયા. એ મનોહ૨ ઉદ્યાન દિશાઓના મુખને સંધ્યાકાળના વાદળાના જેવા ગુલાબનાં પુષ્પથી રક્તવણું કરતું હતું. શીરીષનાં પુષ્પોથી જાણે ગ્રીષ્મ ઋતુની શોભાવડે પુલકિત થયું હોય તેવું દેખાતું હતું. જાણે ધર્મજલના બિંદુઓ હોય તેવા મલિકાનાં પુષ્પ તેમાં શુભતાં હતાં. કામદેવનાં બાણ જેવા સુવર્ણ કેતકીના કેશથી તે અંકિત હતું. જેની નવીન કવિઓમાં ભમી ભમરાની શ્રેણી ગુંજારવ કરતી હતી એવા ઘાતકીનાં વૃક્ષે જાણે ગ્રીષ્મ ઋતુની લક્ષ્મીના ગાયક હોય તેમ ત્યાં શેભી રહ્યાં હતાં. વનલક્ષ્મીના સ્તન જેવા પુષ્પગુચ્છોની સંપત્તિવડે ખજૂરનાં વૃક્ષોથી જર્જ૨ થયેલી વસંતલક્ષ્મીને તે હસી કાઢતું હતું. પાકેલા ફલ ઉપર ઉડી રહેલા પોપટોના ઘાટા પિંછાઓથી દ્વિગુણ થયેલી તામ્રપલવની સમૃદ્ધિવડે તે ઘણું સુંદર લાગતું હતું. તેમાં રહેલી વાપિકાઓને વિષે જલક્રીડા કરવાના રસમાં નગરજનો અતિ આકુળવ્યાકુલ થઈ ગયા હતા.
એ ઉદ્યાનમાં આવી પ્રભુ શિબિકા ઉપરથી ઉતર્યા. પછી રાજ્યની પેઠે પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિક તજી દીધાં; અને જ્યેષ્ટ કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે સિદ્ધને નમસ્કાર કરી છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી, તે સમયે જ તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજે દિવસે મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી.
આસન અને શયનને બીલકુલ તજી દઈ મૂલોત્તર ગુણના આધારરૂપ પ્રભુ નિઃસંગ અને નિર્મમ થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે એક વર્ષને અંતે વિહાર કરતાં કરતાં પાછા હસ્તીનાપુરના સહસ્સામ્રવણુ વનમાં આવ્યા. ત્યાં છરૂ કરીને નંદી વૃક્ષની નીચે શુકલ ધ્યાન ધરતા પ્રભુના ઘાતિકર્મ તુટી ગયાં. પોષ માસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ પ્રભુને ઉજજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી પ્રભુના કેવળજ્ઞાનની વાર્તા જાણીને ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુએ પવિત્ર કરેલા તે પ્રદેશમાં આવ્યા. સાવણીના ધરનાર હોય તેમ દેવતાઓએ સંવર્તાક પવન વિકુવી ને એક જન સુધી કાષ્ઠતૃણાદિક તથા રજને દૂર કરી નાખી. પછી રજને શમાવવાને પ્રથમ ગધદકની અને
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સર્ગ ૫ મો. પછી પંચવણું દિવ્ય પુષ્પની જાનુ સુધી વૃષ્ટિ કરી. પછી સુવર્ણ શિલાઓથી તે ભૂમિને સાંધે સાંધ મેળવીને બાંધી લીધી, અને પૂર્વાદિ ચારે દિશાઓમાં રમણીક તેરણા બાંધ્યાં. મધ્યમાં મણિમય પીઠ કરી ચાર ગેપુર વડે સુંદર એવા રૂપ્ય, સુવર્ણ અને રત્નના ત્રણ પ્રાકાર વિકુવ્યું. તેની ઉપર રત્નવપ્રની મધ્યમાં ચાર ને એંશી ધનુષ ઉચું એક ચૈત્ય વૃક્ષ કર્યું. તેની નીચે દેવતાઓએ અનુપમ દેવછંદ રચ્યો. તેની ઊપર પૂર્વાદિ ચારે દિશાની સમખ ચાર રનમય સિંહાસન રચ્યાં. ત્રીશ અતિશથી પ્રકાશિત ભગવંત શાંતિનાથે પૂર્વ દ્વારાથી સમસરણમાં પ્રવેશ કર્યો અને ત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થોનમઃ' એમ કહ્યું. પરંપરાથી અહંતોની એ સ્થિતિ છે, પછી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા; એટલે બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓએ તેમના ત્રણ પ્રતિબિંબ વિક્ર્યા. પછી શ્રી ચતુર્વિધ સંઘ યથાયોગ્ય દ્વારે પ્રવેશ કરી પ્રભુના મુખ સામું જોતો એગ્ય સ્થાનકે બેઠો. પરસ્પર વિરોધી એવા તિર્યો પણ મધ્ય પ્રમાં આવીને બેઠા, અને નીચલા પ્રકારમાં બધાં વાહનો રાખવામાં આવ્યાં.
તે સમયે સહસ્સામ્રવનના ઉદ્યાનપાલકોએ હર્ષથી પ્રફુલ્લિત લચને નગરમાં આવી ચકાયુધ રાજાને ખબર આપ્યા કે “મહારાજા ! આપ હમણું સારે ભાગ્યે વૃદ્ધિ પામે છે. કેમકે આપણું સહસામ્રવનમાં સ્થિતિ કરી રહેલા શ્રી શાંતિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન થયું છે. આ પ્રમાણે સાંભળી શકાયુધ ઘણે હર્ષ પામ્યા. તત્કાળ તેમને પારિતોષિક આપી પ્રભુની પાસે આવ્યા, અને પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી વિનયથી ઈદ્રની પછવાડે બેઠો. પછી ફરીવાર પ્રભુને નમી ચકાયુધ અને ઈદ્ર બંને હર્ષથી ગદ્ગદ્ એવી ગિરાવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
જગત્પતિ ! દિનના ઉત્સવને કરનાર જ્ઞાનસૂર્યરૂપ તમારા ઉદયથી આજે જગતનો કલ્યાણદશામાં પ્રવેશ થયો છે. હે જગદગુરૂ ! અમારી જેવાને પૂર્વ પુણ્યના વેગથીજ “કલ્યાણપ્રાપ્તિના ચિંતામણિ રૂપ તમારા કલ્યાણકના ઉત્સવો પ્રાપ્ત થાય છે. હે જગન્નાથ! તમારા દર્શનરૂપ જલના તરંગે સર્વે પ્રાણીઓ ના કષાયાદિ મલથી ભરેલા મનને ધોઈ “નાખે છે. કર્મને છેદવાને મોટો યત્ન કરી તમે જે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું તેજ તમારૂ નિ:સ્વાર્થ પરોપકારીપણું છે. આ જગતમાં ઘોર સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમારું આ સમોસરણ મોટા કિલ્લાની પેઠે શરણ રૂપ છે. હે પ્રભુ ! તમે સર્વ જીના સર્વ ભાવ જાણે છે અને સદા હિતકારી છે, થી તમારી પાસે કાંઈપણ “પ્રાર્થના કરવાની જરૂર નથી. તથાપિ એટલી પ્રાર્થના કરું છું કે જેમ તમે પૃથ્વીમાં વિહાર કરી ગામ, અકર અને નગર વિગેરેને ક્ષણે ક્ષણે છોડી દ્યા છે, તેમ કઈ વખત પણ મારા હૃદયને છોડશે નહીં; અને હે ભગવન ! તમારા પ્રસાદથી નિરંતર તમારા “ચરણકમલમાં મારૂં ચિત્ત ભ્રમરરૂપ થયેલું રહે એવી રીતે મારો સર્વ કાલ નિગમન થશે.”
આ પ્રમાણે ઈદ્ર અને ચકાયુધ ભગવંતની સ્તુતિ કરીને મૌન રહ્યા; એટલે ભગવંત શાંતિનાથે દેશના આપવા માંડી.
અહો ! આ ચાર ગતિવાળો સંસાર દાવાનળની જેમ અનેક દુઃખોની પરંપરાનું “મૂળ કારણ છે. મેટા મંદિરને આધારભૂત જેમ સ્તંભ હોય તેમ તે સંસારને ક્રોધ, ૧. દરવાજા ૨. ગઢ. ૩ શ્રી સંઘમાં સમ્યક દષ્ટિ દેવીદેવતાઓને સમાવેશ શ્રાવકશ્રાવિકામાં થાય છે, ૪ દિવસ બીજે પક્ષે સંસારદુ:ખમાં દબાયેલા દીન એવા સંસારી જનો.
Page #282
--------------------------------------------------------------------------
________________
૫ સુ
44
માન, માયા અને લાભ એ ચાર કષાય ચાર સ્તંભરૂપ છે. તે કષાય ક્ષીણ થતાં સંસાર પોતાની મેળે ક્ષીણ થઈ જાય છે. જેમ ‘ મૂળીઆં સુકાઈ જતાં વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય છે.’ પણ ઇંદ્રિયાના જય કર્યા વગર તે કષાયને જીતવાને કોઈપણ સમથ થતુ નથી. કેમકે પ્રજવલિત અગ્નિ વિના સુવર્ણનું જાડચ હણાતું નથી; ચપળ અને ઉન્માર્ગે ચાલનારા એ ઇન્દ્રિયરૂપ અદાંત અશ્વો પ્રાણીને ખેંચીને તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જાય છે. ઇ‘દ્રિયાથી જીતાએલા પ્રાણી કષાયાથી પણ પરાભવ પામે છે. ‘ વીર પુરૂ ષાએ જેની વચમાંની ઈટો ખેચી લીધી હેાય તેવા કિલ્લા પછી કેાનાથી ખંડિત ન “ થાય ?” પ્રાણીઓની નહીં જીતાએલી ઈંદ્રિયેા તેને ઘાત, પાત, અધ અને વધને માટેજ
''
(6
66
થાય છે. સ્વાર્થે પરવશ એવી ઇન્દ્રિયાથી કયા પુરૂષ નથી હેરાન થતા ? કદિ તે શાસ્ત્રા“ ને જાણનારા હાય તથાપિ ઇંદ્રિયોને વશ થવાથી બાળકની પેઠે ચેષ્ટા કરે છે. આ “ કરતાં વધા૨ે તે ઇન્દ્રિયાનું લજાવાળું સ્થાનક કર્યું બતાવીએ કે જેનાવડે ભરત રાજાએ “ પણ બાહુબળ જેવા અધુ ઉપર ચક્ર મૂકયું ? બાહુબળને જય અને ભરતના પરાજય
66
66
પૂર્વવેત્તા ૩ હોય છે તે
66
એ જયપરાજયને વિષે પણ સવ ઈન્દ્રિયાનું ચેષ્ટિતજ છે. ચરમ ભવમાં રહેલા પુરૂષો “ પણ જેનાવડે શસ્ત્રાગસ્ત્રિ યુદ્ધ કરે છે તેવા ઇંદ્રિયાના દુરંત મહિમાથી લજ્જાવા જેવું છે. કદી પ્રચંડ ચરિત્રવાળી ઇન્દ્રિયાથી પશુએ અને સામાન્ય મનુષ્ય “ દંડાય પણ જે માહને શાંત કરનારા અને પણ દંડાય છે, તે અતિ અદ્ભુત વાર્તા છે. ઇન્દ્રિયાએ જીતી લીધેલા દેવ, દાનવ, મનુષ્ય અને “ તપસ્વીએ પણ નિતિ કર્મ કરે છે, તે કેવી ખેદની વાત છે ! ઇન્દ્રિયાને વશ થયેલા પ્રાણીએ અખાદ્ય વસ્તુ ખાય છે, અપેયપ વસ્તુ પીવે છે અને અગમ્ય સાથે ગમન “ કરે છે. નિર્દય ઇ‘ક્રિયાથી હણાઈ ગયેલા પ્રાણીએ કુલશીલથી રહિત થઇ વેશ્યાનાં નીચ કામ અને દાસત્વ કરે છે. મેહાંધ મનવાળા પુરૂષોની પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં “ જે પ્રવૃત્તિ થાય છે તે જાગ્રત ઈદ્રિયાનેાજ વિલાસ છે. જે ઇંદ્રિયાના વશપણાને લીધે “ હાથ, પગ અને ઇન્દ્રિયાના છેદ તેમજ મરણ પણ થાય છે તે ઇંદ્રિયોની વાતજ શી
66
પણ
66
કરવી ! જેએ પોતે ઈન્દ્રિયાથી જીતાઇ ગયેલા છે અને બીજાને વિનયનુ ગ્રહણ કરાવે છે તેવા પુરૂષાને જોઇ વિવેકી પુરૂષો હાથડે મુખ ઢાંકીને હસે છે. શ્રી વિતરાગ પ્રભુ વિના ઇદ્રથી માંડીને એક કીડા સુધી સર્વાં જંતુએ ઇંદ્રિયોથી જીતાઈ ગયેલાજ છે. હા થિણીના સ્પથી ઉપજતા સુખને આસ્વાદન કરવાની ઇચ્છાથી સુંઢને પ્રસારતા હસ્તી તત્કાલ આલાન ( ખીલેા ) ખંધના કલેશમાં આવી પડે છે. અગાધ જળમાં વિચરનાર મીન ગળગતમાંસને ગળતાં ઢીમરના હાથમાં દીનપણે આવી જાય છે. મત્ત માતંગના ગંડસ્થલ “ ઉપર ગંધને લેાભે ભમતા મમરા કતાલના આઘાતવડે તત્કાળ મૃત્યુ પામી જાય છે.
(C
66
સુવર્ણના છેદ જેવી દીપશિખાના દર્શનથી મેાહિત થયેલો પતંગ સહસા દીપમાં પડીને
66
મરણ પામે છે. મનેાહર ગીતોને સાંભળવામાં ઉત્સુક એવા હિરણ કાન સુધી ધનુષ્યને ખેચીને રહેલા શીકારીનેા વેધ્ય થઇ પડે છે. એવી રીતે એક એક વિષય સેવવાથી પ્ “ ચત્વ પમાય છે તેા એક સાથે પાંચે વિષયો સેવવાથી કેમ પંચત્વ ન પમાય ? તે માટે “ મહામતિ પુરૂષે મન:શુદ્ધિવડે ઇંદ્રિયોના જય કરવા. કેમકે તેના વિના યમનિયમથી કા
66
66
66
"6
66
66
૨૫૫
૧ દમન કર્યા વિનાનો. ૨ ઉપશાંત મેાહુ નામના અગિયારમે ગુણસ્થાનકે પહાંચેલા. ૩ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા. ૪ બાવીસ અભક્ષ ખત્રીશ અન તકાયાદિ. ૫ મદિરાદિક ૬ માતા, બેન, પુત્રી, ગુરૂની સ્ત્રી, શેઠાણી, વ્રતની વિગેરે છ માછીએએ જાળમાં લેટાના કાંટાપર લગાડેલ માંસ. ૮ મરણું.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સગ ૫ મે યાને કલેશ પમાડે તે વૃથા છે. જે ઈદ્રિયોના ગ્રામને જીત નથી તે દુઃખે પ્રતિબંધ પામી શકે છે, માટે સર્વ દુઃખમાંથી મુકત થવાને ઈદ્રિયાન જય કરે. ઈંદ્રિયની સર્વથા પ્રવૃત્તિ કરવી નહી તેથી કાંઈ તેને વિજય થતો નથી, પણ તેના વડે ઉપજતા “રાગદ્વેષથી મુક્ત થવું, જેથી તેનો પ્રવૃત્તિ પણ તેના જય રૂપ થાય છે. પછી તે ઈતિ
યોના વિષય તેની પાસે રહ્યા હોય તે પણ ઈદ્રિયોથી સ્પર્શ કરવાને અશક્ય થાય છે, “માટે બુદ્ધિમાન પુરૂષે તેમાં જે રાગદ્વેષ ઉપજે છે તેને તજી દેવા. સદા સંયમી યોગીઓની
ઈદ્રિયો હણાયેલી જ હોય છે, તેથી તેઓના નિહિત અર્થ હણાયેલા હોતા નથી અને “અહિતકારી વસ્તુઓ હણાયેલ હોય છે. જીતેલી ઈદ્રિયો મોક્ષને માટે થાય છે અને નહીં “જીતેલી સંસારને માટે થાય છે, માટે તેમાં જે તફાવત છે તેને સમજીને જે યોગ્ય લાગે
તે કરવું. રૂ વિગેરેના કોમળ સ્પર્શમાં અને પાષાણ વિગેરેના કઠોર સ્પર્શમાં જે પ્રીતિ “અને અપ્રીતિ થાય છે તે મિથ્યા છે, એવું ધારી તેને ત્યાગ કરવાવડે સ્પર્શ ઈદ્રિયને
જય કરે. ભઠ્ય પદાર્થોના સ્વાદિષ્ટ રસમાં અને કટુ રસમાં પ્રીતિ ને અપ્રીતિ બંનેને “તજીને જિહા ઈદ્રિયને જીતી લેવી. સુગંધ અને દુર્ગધ ધ્રાણેદ્રિયમાં પ્રાપ્ત થતાં તેને વતુ પરિણામરૂપ વિચારીને પ્રાણ ઈદ્રિયનો જય કરવો. મનહર કે નઠારું રૂપ જોઈને “તેના વડે ઉપજતા હર્ષ અને જુગુપ્સાને ત્યાગ કરી ચક્ષુ ઈદ્રિયને જીતી લેવી. વીણાદિ
કના શ્રાવ્ય-મધુર સ્વરમાં અને ગધેડા વિગેરેના દુઃશ્રાવ્ય સ્વરમાં પતિ અને જુગુપ્સાને “જીતવાથી શ્રોત્રંદ્રિયનો જય થાય. કોઈપણ સારા કે નઠારો એવો વિષય નથી કે જે “ઈદ્રિયોએ અનેક વખત ભગવ્યો ન હોય, તે શા માટે હવે સ્વસ્થપણાને ન સેવવું ? કઈવાર શુભ વિષયો અશુભ થઈ જાય છે અને અશુભ વિષયો શુભ થઈ જાય છે, તે ઈદ્રિયેથી કોનામાં રાગ ધરે કે કોનામાં વિરાગ ધરે? કદિ કઈ કારણથી તે વિષય રૂચિકર કે અરૂચિકર થાય પણ તત્ત્વથી જોતાં કદિપણ પદાર્થોમાં શુભ કે અશુભપણું “હોતું નથી, તેથી જે પ્રાણી મનની શુદ્ધિથી ઈદ્રિયોને જીતી કષાયને ક્ષીણ કરે છે તે થોડા કાળમાં અક્ષીણ સુખવાળા મોક્ષમાં જાય છે.”
આ પ્રમાણે કર્ણમાં અમૃતવૃષ્ટિ જેવી પ્રભુની દેશના સાંભળીને ચકાયુધ્ધ સંવેગ યુક્ત થઈ ભગવંતને કહ્યું- “હે સ્વામી ! માત્ર કલેશનાજ સ્થાનરૂપ એવા આ સંસારથી હું ભય પામ્યો છું. બલવાન અને વિવેકી પુરૂષનું પણ પુરૂવાભિમાન તેમાં રહેતું નથી. ઘરમાં જ્યારે અગ્નિ લાગે અને વહાણ જ્યારે ફુટી જાય તે વખતે તેનો નાયક તેમાં જે કાંઈ સારવસ્તુ હોય તે લઈને બીજે જાય છે તેમ જન્મ, જરા અને મરણાદિકથી વિકરાળ એવા આ સંસારમાંથી સારભૂત એવા એક આત્માને લઈને હું તમારે શરણે આવ્યું છું. હે પ્રભુ! આ ભવસાગરમાં પડતા એવા મારી ઉપેક્ષા કરશો નહીં. મને તે તે સંસારસમુદ્રથી ઉતરવાને નાવરૂપ દીક્ષા હમણા જ આપ.” પ્રભુએ કહ્યું કે “તમારા જેવા વિવેકીને તેમજ ઘટે છે.” આ પ્રમાણે કહેવાથી તરતજ ચકાયુધ પિતાના કવચધારી પુત્ર કુરૂચંદ્રને રાજ્ય સંખ્યું અને પિતે બીજા પાંત્રીસ રાજાઓની સાથે પ્રભુ પાસે સંઘની સાક્ષીએ દીક્ષા ગ્રહણ કરી.
ચકાયુધ વિગેરે છત્રીશ ગણધરોને પ્રભુએ ઉત્પાદ, વિરમ અને ધ્રૌવ્ય એ ત્રિપદીનો ઉપદેશ કર્યો તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ તેમને અનુગઅનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી. તે સમયે ઘણા નર અને નારીઓ એ પ્રભુની પાસે દીક્ષા લીધી, અને કેટલાકે સમકિત પૂર્વક શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી
૧ હિતકારક અર્થ.
Page #284
--------------------------------------------------------------------------
________________
પર્વ ૫ મું
૨૫૭
પ્રભુ ઊઠીને મધ્ય પ્રકારના મંડનરૂપ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠા. પછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસી મુખ્ય ગણધર ચકાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી દેવતા વિગેરે સર્વ પ્રભુને નમી પિતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં સુવરના વાહનવાળ, શ્યામવર્ણ ધરનારે, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ કરમાં બીરૂં અને કમલ, ને બે વામ કરમાં નકુલ અને અક્ષસૂત્રને ધરનાર ગરૂડ નામે શાંતિનાથ પ્રભુનો શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ અને વામ ભુજામાં કમંડલ અને કમળને ધરનારી નિર્વાણી નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેતા હતા એવા શાંતિનાથ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
એકદા વિહાર કરતા પ્રભુ પાછા હસ્તીનાપુર નગરે આવ્યા. કરૂણાનિધિ ભગવાન ત્યાં સમેસર્યાના ખબર સાંભળી કુરચંદ્ર પુરજન અને દેશજનને સાથે લઈ અમાવાસ્યાને દિવસે સૂર્યની પાસે જેમ ચંદ્ર આવે તેમ પ્રભુની પાસે આવ્યો. ચતુર્વિધ સંઘ ગ્ય સ્થાને બેઠો. એટલે પ્રભુએ સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના આપી. દેશનાને અંતે પ્રભુને નમી કુરચંદ્ર બોલ્યો-“હે સ્વામી ! પૂર્વ જન્મના કયા શુભ કર્મથી હું અહીં રાજ્ય પામ્યો છું ? પ્રતિદિન અદભુત એવાં પાંચ વસ અને ફલાદિક મને પૂર્વના ક્યા કર્મથી ભેટ મળે છે ? અને તે ભેટની વસ્તુઓ હું ઈષ્ટ જનને આપીશ એવું ધારીને હું કયા કમથી તેનો ઉપગ પણ કરતો નથી, તેમ બીજાને આપતો પણ નથી ?” પ્રભુ બોલ્યા-“ જે તને આ રાજ્યલકમી મળી છે અને પ્રતિદિન પાંચ વરતુની ભેટ મળે છે તે પૂર્વે દીધેલા મુનિદાનના પ્રભાવથી મળે છે, અને જે તેનું દાન કે ઉપભોગ થઈ શકતાં નથી તે સાધારણ પુણ્યને લીધે છે. કેમકે “જે વસ્તુ બને આધીન હોય છે તે એકથી ભેગવી શકાતી નથી.” તેથીજ “આ વસ્તુ હું ઈષ્ટ જનને આપીશ” એ તને વિચાર થયા કરે છે. પ્રાણીઓને પૂર્વકમને અનુસારેજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. હવે તારું વિશેષ ચરિત્ર સાંભળ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કશળ નામે દેશમાં શ્રીપુર કરીને એક નગર છે. તેમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનેશ્વર નામે ચાર સરખી વયના વણિકપુત્રો સહોદર હોય તેમ મિત્રપણે રહેતા હતા. એક વખતે તે ચારે મિત્ર એકઠા થઈ ધન ઉપાર્જન કરવાને માટે દ્રોણ નામના પુરૂષની પાસે ઘણું ભાતું ઉપડાવી ૨નીપ પ્રત્યે ચાલ્યા. માર્ગમાં એક મહાટવી આવી. તે અટવી ઘણું ખરી ઉતરી ગયા પણ તે વખતે જેડે ભાતું ઘણું હતું તે છતાં પણ ખુટી જવા આવ્યું. આગળ ચાલતાં કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિ તેમના જેવામાં આવ્યા; તે ક્ષણે તેમણે વિચાર્યું કે “આ મુનિને કાંઈક વહેરાવીએ તે સારૂં.' પછી તેઓએ ભાતું વહન કરનારા દ્રોણને કહ્યું કે “હે ભદ્ર ! આ મહર્ષિને કાંઈક ભાતું આપ.” એટલે તેણે અધિક શ્રદ્ધાથી મુનિને પ્રતિલાભિત કર્યા. તેથી તેણે મહા ભેગફળકમ ઉપાર્જન કર્યું. ત્યાંથી સવે રત્નદ્વીપે આવ્યા. ત્યાં સારો વ્યાપાર કરી પુષ્કળ ધન ઉપાર્જન કરી પુનઃ પોતાને નગરે આવ્યા. અને તે પુણ્યના બીજથી સર્વે આનંદ પામવા લાગ્યા. સ્વાતી નક્ષત્રનું જલ એકવાર મળે તો પણ ધાન્ય ઉત્પન્ન થાય છે. ચાર શ્રેષ્ઠિપુત્રમાં ધનેશ્વર અને ધનપતિ જરા માયાવી હતા, અને પ્રાણની વૃત્તિ તે ચારેથી શુદ્ધ હતી. તે દ્રોણ આયુષ્યને ક્ષય થતાં પ્રથમ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી હસ્તીનાપુરના
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સગ ૫ મે
રાજાને તું પુત્ર થયો છે. તારા ગર્ભસમયે તારી માતાએ સ્વમમાં મુખ વિષે ચંદ્રને પ્રવેશ કરતાં જે હતો, તેથી પિતાએ તારૂં કુરચંદ્ર એવું નામ પાડયું છે. જે સુધન અને ધનદ હતા તેઓ મૃત્યુ પામીને વણિકપુત્રા થયેલા છે, તેમાં સુધન કાંપિલ્યપુરમાં વસંતદેવ નામે વણિકપુત્ર થયા છે અને ધનદ કૃત્તિકાપુરમાં કામપાળ નામે થયે છે. પેલા માયાવી ધન– પતિ અને ધનેશ્વર કાળગે મૃત્યુ પામી મદિરા અને કેસરા નામે કોઈ વણિકની પુત્રીઓ થયેલ છે. ધનપતિ શંખપુરમાં મદિરા નામે અને ધનેકવર જયંતી નગરીમાં કેસરા નામે ઉત્પન્ન થયેલ છે.
તે ચારે જણ અનુકમે મોટા થઈ શિશુવયને ઉલ્લંઘન કરી નવીન યૌવનવયને પ્રાત્પ થયા; તેમાં સુધનનો જીવ જે વસંતદેવ થયેલ છે તે અન્યદા કાંપિલ્યપુરથી વ્યાપારને માટે જયંતી નગરીમાં આવ્યું, ત્યાં તેણે ધન ઉપાર્જન કર્યું. એક વખતે અષ્ટમીને ચંદ્રાન્સવ હતો, તેથી વસંતદેવ રતિનંદન નામે ઉદ્યાનમાં ગયો. ત્યાં દેવગે ધનેશ્વરને જીવ જે કેસરા થયેલ હતું તે કેસરા વસંતદેવના જોવામાં આવી. તેણીએ પણ નિષ્પ દષ્ટિથી વસંતદેવની સામું જોયું. એટલે તે બંનેને પરસ્પર પૂર્વ જન્મનો નેહ પ્રગટ થયું. ત્યાં જયંતીનગરીને નિવાસી પ્રિયંકર નામે વણિકપુત્ર હતો, તેને વસંતદેવે પૂછયું કે “આ સ્ત્રી કોણ છે? અને કોની પુત્રી છે?” પ્રિયંકરે કહ્યું કે “આ પંચનંદી નામે શેઠની પુત્રી, જયંતિદેવની બેન છે અને એનું નામ કેસરા છે, ત્યારથી વસંતદેવે કેસરાના ભાઈ જયંતીદેવની સાથે સ્નેહ કરવા માંડે, અને એક બીજાને ઘેર જવા આવવા માંડયું. એક વખતે જયંતિદેવે વસંતદેવને જમવાનું નિમંત્રણ કર્યું. એ પ્રકાર મૈત્રીરૂપ વૃક્ષને દોહદ છે. ત્યાં નેત્રરૂપ કુમુદને કૌમુદી સમાન કેસરા પુષ્પ વડે કામદેવની પૂજા કરતી તેના જોવામાં આવી, અને તે જ વખતે જયંતિદેવના હાથમાંથી પુષ્પની માળા લેતાં વસંતદેવને પણ તેણે સાનુરાગ દષ્ટિએ અવલ. તે સમયે આ અનુકૂલ શુકન થયું, એમ બંનેને હર્ષ થયે. કેમકે પરસ્પર જે શુભ ચેષ્ટા થાય તે બંનેને સારું પરિણામ આમે છે. તે વખતે કેસરા અને વસંતદેવને ભાવ ત્યાં રહેલી પ્રિયંકરા નામે ધાત્રી પુત્રીને જાણવામાં આવ્યા. ચેષ્ટા ઉપરથી બીજાના હૃદૂગત ભાવને જાણનારા માણસોને પરહૃદય જાણવું સહેલું છે. પછી કેસરાનો ભાઈએ વસંત જેમ કામદેવની પૂજા કરે, તેમ પોતાના મિત્ર વસંતદેવની પૂજા કરી. તે સમયે ધાત્રીસુતા પ્રિયંકરાએ કેસરાને કહ્યું-કેસરા ! તારા ભાઈ મિત્રની પૂજા કરે છે, તે તું પણ કાંઈ યેગ્ય લાગે તે કર.' તેનાં આવાં વચનથી એક સાથે લજ્જા, ભય અને હર્ષને ધારણ કરતી કેસરા બેલી-તું ઉચિત જાણે છે, તે જે ગ્ય લાગે તે તું જ કર.” પછી પ્રિયંકરા તેના આંગણામાં રહેલી પ્રિયંગુ વૃક્ષની મંજરી અને કક્કોલ વિગેરે લઈ વસંતદેવ પ્રત્યે બોલી-હે સુંદર ! લ્યો, આ મારા સ્વામિની પિતાને હાથે ચૂંટીને ઈષ્ટને આપવા લાયક પુષ્પ અને ફળે તમને આપે છે. ‘હુ તે બાલાને અભિષ્ટ છું” એમ વિચારી હર્ષ પામતા વસંતદેવે પોતાના હાથે તે પુષ્પ અને ફળ ગ્રહણ કર્યા. પછી પિતાના નામની મુદ્રિકા તેને આપીને વસંતદેવે કહ્યું કે તમે તેને કહેજો કે “આ કાર્ય તમે બહુ સારું કર્યું, હવેથી સદા ઈષ્ટને અનુકૂળ વજે.” પ્રિયંકરાએ આવું દઢ અનુરાગરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘજળ જેવું વચન કેસરાને કહ્યું. તે રાત્રિએ કેસરાએ પાછલે પહોરે સ્વપ્રમાં પોતાનું પાણિગ્રહણ કરતા એવા વસંતદેવને જે, અને વસંતદેવ પણ સ્વમમાં તેને પરણ્ય. તેઓનું સ્વમ દર્શન પણ તેમને વિવાહથી અધિક હર્ષદાયક થઈ પડ્યું. તત્કાળ શરીર માંચિત કરી કેસરાએ એ સ્વમની વાત પ્રિયંકરાને જણાવી.
Page #286
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૫ મુ
૨૫૯
k
,
તેજ વખતે નજીક રહેતા પુરાહિતે અકસ્માત કહ્યું કે · એ પ્રમાણે અવશ્ય થશે. ’ તે સાંભળી પ્રિયકરાએ કેસરાને કહ્યું- આ સ્વમ અને શકુન વડે જોતાં વસ ંતદેવ અવશ્ય તમારા ભર્તાર થશે; ' માટે આ શુકનગ્ર'થી બાંધો. પછી પ્રિયંકરાએ જઈ ને વસતદેવને સ્વસની વાત કહી. એટલે તે પેતિાના સ્વમ પ્રમાણે જ તેને સ્વમ આવેલું જાણી પાતાના અર્થ સિદ્ધ થયેલા માનવા લાગ્યા. પછી પ્રિયંકરા ખેલી- મારી સ્વામિનીએ પાતાના આત્મા તમને જ અપ્ચર્યા છે, તે હવે તમે સ'કલ્પવિકલ્પ છેડી દઈ વિવાહની સર્વ તૈયારી કરો. ’ વસંતદેવે કહ્યું– વિધિએ (વે) જ તૈયારી કરી મૂકેલી છે, કારણકે મનુષ્યઘટિત કાર્ય કદિ વિઘટિત થઇ જાય છે, પણ તેનું કરેલુ ફરતું નથી. ’ આ પ્રમાણે કાચતુર વસંતદેવે આલાપ અને સત્યકાર કરી જાણે મૂત્તિમાન નિયતિ ( ભવિતવ્યતા ) હોય તેવી પ્રિય’કરાને વિદાય કરી. આ પ્રમાણે પ્રતિદિન એક બીજાના સ ંદેશારૂપ અમૃતનું પાન કરતા તે વસંતદેવ અને કેસરાના કેટલાક કાળ ગયે, પણ તે શત વર્ષના નિગમન જેવા થઇ પડયા. એક વખતે પેાતાને ઘેર રહેલા વસંતદેવે પ`ચનદી શેઠના ઘરમાં માંગલિક વાજીંત્ર વાગતાં સાંભળ્યાં. તત્કાળ વસંતદેવે પેાતાના પુરૂષોને તેની તપાસ કરવા માકલ્યા. તેએ એ આવીને કહ્યું કે ‘કાન્યકુબ્જ (કનાજ ) દેશના નિવાસી સુદત્તશેઠના વરદત્ત નામના પુત્રને પંચન'દી શેઠે પેાતાની પુત્રી કેસરાને આપી, તે વધામણી માટે આ માંગળિક વાજા વાગે છે.’ આ ખબર સાંભળતાંજ જાણે મુદ્દગરથી તાડિત થયા હોય તેમ વસંતદેવ મૂર્છા પામી ગયા. તે વખતે તત્કાળ પ્રિયંકરાએ આવી આશ્વાસન આપ્યું કે “ હે ભદ્ર! અમારી સ્વામિની કેસરાએ તમને સદેશે! હાવ્યા છે કે તમારે કાંઈપણ ખેદ કરવા નહી. મારા વડીલ જનના ઉપક્રમ સાંભળ્યાં છતાં પણ મારે જે પ્રિય હશે તેની સાથે જ હુ વિવાહિત થઇશ, માતાપિતા મારા અભિપ્રાયને જાણ્યા વગર આ કાર્ય કરવાને ઇચ્છે છે તેા તે ભલે ઇચ્છે; હું તા મારૂ' ઇચ્છિત છે તે જ કરીશ. હે નાથ ! કયાં તે તમે મારા ભર્તા થશે અથવા તો મારૂં મરણ થશે; બીજું કાંઈપણ તમારે સમજવુ નહી.. કુલીનની વાણી દિપણ મિથ્યા થતી નથી. તે સાંભળી સતાષ પામી વસંતદેવે કહ્યું-· પૂર્વોક્ત પ્રકારના અમને ખ'નેને સ્વમ આવેલાં છે તેથી અને કુલીનાની પ્રતિજ્ઞા કદિ પણ બ્ય થતી નથી તેથી મારી પણ એવી પ્રતિજ્ઞા છે કે ગમે તે ઉપાયથી કેસરાને પરણવું અથવા તો ચમદ્વારમાં જવુ'. આ પ્રમાણે કહી પ્રિયંકરાને વિદાય કરી. એટલે તેણે કેસરાની પાસે આવી સ વાર્તા કહી; તે સાંભળી કેસરા ખુશી થઇ, આ પ્રમાણે પરસ્પર સંબંધ જોડવાના ઉપાયની ચિંતા કરતાં તે બંનેના ચક્રવાક પક્ષીઓને રાત્રિની જેમ કેટલાક કાળ દુઃખમાં વ્યતીત થયા. પરંતુ અનેક ઉપાય કરતાં પણ તેમના ઇરાદો પાર પડયેા નહી. તેવામાં કેસરાના વિવાહને માટે એક દિવસ પ્રાત:કાલે જાન આવી. તે સાંભળી વસ`તદેવ પવનની જેમ ઉતાવળા નગરની બહારના ઉદ્યાનમાં ગયા. ત્યાં જઇને તેણે વિચાયુ' કે ' અંગુલિવડે બતાવવાથી કાળાની જેમ તે કેસરા બીજાની સાથે વિવાહ થવાથી જરૂર મૃત્યુ પામશે; અથવા તા યથાયાગ્ય કૃત્યને નહી સમજનારા તેના માતાપિતાથી ઘણા કાળથી ખેદ પામેલી અને મારી સાથેના વિવાહમાં નિરાશ થયેલી એ બાળા પરણ્યા વગરજ પંચä પામશે. તેથી હું તેની અગાઉજ મૃત્યુ પામી મારા દુઃખને શાંત કરૂ'. કેમકે દાઝત્યા ઉપર ફાલ્લા થયા જેવુ પ્રિયાનુ` મરણુ કાણુ સાંભળવા ઇચ્છે ?' આ પ્રમાણે ચિંતવી વસ‘તદેવ એક અશેકવૃક્ષની ઉપર ચડી પેાતાના ભાથાની જેમ ગળે ફાંસી ખાવાની તૈયારી કરવા લાગ્યા. પાસને જરા ખાંધ્યા તેવામાં લતાગ્રહમાંથી કોઈ પુરૂષ · અરે! સાહસ કર નહી? એમ ખેલતા ખેલતા નીકળ્યે, અને અશેાક વૃક્ષની ઉપર ચડી તેણે ફાંસીની ગાંઠ તોડી
""
ܐ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સર્ગ ૫ મે
નાંખી. પછી કહ્યું કે તે આ કાર્ય તારી આકૃતિથી વિરૂદ્ધ કર્યું છે. વસંતદેવે કહ્યું કે
હે સુંદર ! ઈન્દ્રવરૂણના નિસાર ફળની જેમ દેવથી દગ્ધ થયેલા એવા મારી આકૃતિ વડે તમે શા માટે બ્રાંત થાઓ છો ? હે ભદ્ર ! પ્રિયાના વિરહદુઃખને અંત કરવાના કારણરૂપ મૃત્યુને ઈચ્છતા એવા મને પાશગ્રંથી તોડીને તમે શા માટે વિદ્ય કયું?” પછી તેના પૂછવાથી વસંતે પિતાનું કેસરા સાથેના વિવાહ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રાય: બીજાને કહેવાથી દુ:ખ કાંઈક શાંત થાય છે. તે પુરૂષે કહ્યું-“જો કે આ મહા દુઃખ પ્રાપ્ત થયું છે, તે પણ તેથી વિવેકી પુરૂષને પ્રાણત્યાગ કરવો યુક્ત નથી; પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય એવા ઉપાય કરવા યુક્ત છે. કેમકે આ ઉપેય તો તને મળે તેમ છે. માટે તું પશુની પેઠે વૃથા શા માટે મરે છે? કદિ કોઈ ઉપાદેય વસ્તુમાં ઉપાય ચાલે તેવું ન હોય તે પણ તેથી મરવું ઉચિત નથી, કારણકે કાંઈ મરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી નથી. મર્યા પછી તે માત્ર પિતાના કર્મને ઉચિત એવી ગતિમાંજ જવું પડે છે. હું પોતે જ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ય છતાં પણ તેને ઉપાયને અભાવ હોવાથી આ જગતમાં પર્યટન કરતે જીવું છું, કેમકે જીવતો નર કઈ વખત પણ ભદ્ર જુવે છે.”
“ કૃત્તિકપુરને નિવાસી છું. મારું નામ કામપાલ છે. મારી યૌવનવયમાં ઉન્મત્ત થઈને હું દેશાંતર જોવાને માટે નીકળ્યા હતા. ફરતો ફરતો શંખપુર નગરે પહોંચ્યું; ત્યાં શંખપાળ નામે યક્ષ મહોત્સવ થતો હતો તે જોવા હું ગયો. ત્યાં કામદેવના અંતઃપુર જેવા આમ્રકુંજમાં એકાંત શુભ દર્શનવાળી એક સુંદર કન્યા મારા જેવામાં આવી. તેને જોઈ હું તેના પર અનુરાગી થયે. તેણીએ પણ મને અનુરાગથી છે. તેના પ્રેમપાશથી બદ્ધ થયેલે હું ઘણીવાર સુધી ત્યાં ઉભે રહ્યો. એ અનિંદિતા બાળાએ સખી દ્વારા મને તાંબૂલ આપ્યું. જે હોઠના રાગની જેમ તેના પર મને રાગનું પણ કારણ થયું. તાંબૂલને લેતાં તેને બદલે કાંઈ આપ જોઈએ એવી ઈચ્છાથી હું વિચાર કરતું હતું, તેવામાં આલાનસ્તંભને ઉખેડી સાંકળને તોડીને કોઈ બળવાન હાથી છુટીને અમારી તરફ આવત દેખાય. પ્રતિકાર નહીં ચાલવાથી છોડી દીધેલું, અતિ અકુલ વ્યાકુલ થયેલા મહાવતે જેની પાછળ દોડી રહ્યા છે એ અને ઉપર ચડેલા ભયભીત મહાવતોને ક્ષોભ કરતો તે હાથી એક ક્ષણમાં તે નિકુંજ પાસે આવ્યા. તે વખતે કન્યાને સર્વ પરિવાર નાસી ગયે. પ્રાય: ભય પ્રાપ્ત થતાં પોતાનો આત્મા જ સર્વોપરિ રહે છે. એટલા હાથી નજીક આવી ગયું, એટલે તે કન્યા ત્યાંથી નાસી શકી નહીં. તેથી સિંહ પાસે હરિણીની જેમ તે કંપતી ઉભી રહી. જેવી હાથીએ સુંઢથી તેને પકડવા માંડી તે જ મેં લાકડી વડે હાથીના પેચકમાં ઘા કર્યો. તેથી પુર છે અડકેલા સર્ષની જેમ હાથી કન્યાને મુકી મારી ઉપર ધર્યો. પણ તત્કાળ હાથીને છેતરી તે કન્યાને લઈને બીજી તરફ નાસી ગયે, અને ઉપદ્રવ ન થાય તેવા પ્રદેશમાં મેં તેને મૂકી દીધી; પણ તે સતી સ્ત્રીએ પિતાના હૃદયમાંથી મને મૂકી નહીં. ડીવારે તેને પરિવાર ત્યાં આવ્યું તે મદિરાને મેં બચાવેલી છે એમ જાણીને ચારણુભાટની જેમ મારી સ્તુતિ કરવા લાગ્યું. સખીઓ પાછી તેને આબાના વનમાં લઈ ગઈ. પણ દેવગે પવનથી ખેંચાઈને હાથીની સુંઢના જળકણે ત્યાં આવી પડ્યા. તેથી તે મદિરા અને તેની સખીઓ ભય પામી દશે દિશામાં નાસી ગઈ. મદિર ક્યાં ગઈ, તે નહીં જણાવાથી હું તેને જોવાની ઈચ્છાથી ફરવા લાગ્યો. ' ઘણે સ્થાનકે ફરતાં છતાં ચિરકાળ સુધી તેને જોઈ નહીં. એટલે હું શુન્યહૃદયે અહીં આવ્યું છું. તેને મેળવવાને નિરૂપાય છું; તથાપિ હું મરતે નથી, જુ, આ જીવું છું. કેસરની
Page #288
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૫ મુ
૨૬૧
"
પ્રાપ્તિમાં તેા ઉપાય પણ છે, માટે તને તુલ્ય દુઃખવાળા મિત્ર જાણીને કહું છું કે તું અજ્ઞાનથી મરીશ નહી'. પ્રાતઃકાલે વિવાહ થવાના છે તેથી આજે કેસરા એકલી આવીને રતિ સહિત કામદેવની પૂજા કરશે, કારણ કે એવા આચાર છે. તેથી તેની અગાઉ આપણે બંને કામદેવના મંદિરમાં જઇ સાધકની જેમ પ્રવેશ કરીને ગુપ્તપણે રહીએ. જ્યારે કેસરા મદિરમાં આવશે, તે વખતે હું તેને વેષ પહેરીને તેના પિરવારને ભૂલાવે ખવરાવી તેને ઘેર જઈશ. હું જ્યારે દૂર જાઉં, ત્યારે તેને લઇને તું અહીંથી સ્વચ્છ દે ખીજે ચાલ્યા જો; આવી રીતે કરવાથી તારી ઇચ્છા અખડિત સિદ્ધ થશે.” વસતદેવ તેનાં વચનથી હર્ષ પામી એલ્યા- મિત્ર! આ પ્રમાણે કરવામાં મને તે યાગ અને ક્ષેમ અને જોવામાં આવે છે, પણ તને કષ્ટ જોવામાં આવે છે. તે સમયે ઇષ્ટ દેવની જેમ કેાઈ બ્રાહ્મણીએ છીંક ખાધી, તે સાંભળી કામપાળે કહ્યું કે એમાં મારે કાંઈ પણ કષ્ટ પડવાનું નથી, પણ તારા કાર્યમાં જોડાવાથી ઉલટા મારો અભ્યુદય થવાના સ’ભવ છે.’ સાત્વિક પુરૂષોને દૈવ પણ અનુકૂલ થાય છે, તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે મનમાં હ લાવીને અકસ્માત્ તેને સ્વાને અનુકૂલ વચન કહ્યું કે તમે કહેા છે તે એમજ છે.' પછી તે શુકનગ્રંથી બાંધી તેનું વચન સ્વીકારી વસંતદેવ તેની સાથે નગરીમાં પેઠા. પછી મને જણ સાય‘કાલે ઘેરથી નીકળ્યા, અને કામદેવના મદિરમાં આવી કામદેવની મૂર્ત્તિની પછવાડે સંતાયા. ત્યાં રહ્યા રહ્યા તેમણે મગળિક વાજિંત્રના ધ્વનિ સાંભળ્યા, એટલે જરૂર કેસરા આવે છે એવુ... જાણી તેએ હર્ષ પામ્યા. કેસરા પણ સ્મરણમાત્રથી સાધ્ય પ્રિયસમાગમ નામના સાધ્યમંત્રનું વારંવાર સ્મરણ કરતી ત્યાં આવી. વિમાન ઉપરથી દેવી ઉતરે તેમ શિખિકામાંથી ઉતરીને કેસરાએ પ્રિયકરાના હાથમાંથી સુવર્ણ મય પૂજા ગ્રહણ કદી. પછી તે એકલી કામદેવના મદિરમાં પેઠી. એવે આચાર હેાવાથી પેાતાને હાથે મંદિરનું દ્વાર બંધ કર્યું. પછી ભૂમિતળ ઉપર કામદેવને ઉદ્દેશીને પુષ્પ, પત્ર અને અ નાખી હૃદયમાં કામાસક્ત થઇ અંજિલ જોડીને આ પ્રમાણે ખેલી− હું ભગવાન મકરધ્વજ ! તમે સના ચિત્તમાં ઉત્પન્ન થાઓ છે. અને તેમાં રહેા છે, તેથી તેના સર્વ ભાવ જાણેા છે. માટે હે પ્રભુ ! તમે મારા સર્વ ભાવ જાણેા છે, તે છતાં મને આ અનભીષ્ટ૧ પતિ સાથે ખલાત્કારે કેમ જોડા છેા ? શું એ તમને ઘટિત છે ? વસંતદેવ વિના મારૂ મન બીજા પુરૂષમાં રમતું નથી, તેથી વિષકન્યાના પતિની જેમ બીજો પતિ મારે મરણને માટેજ છે. માટે હવે તા ફરીવાર જન્માંતરમાં એ વસંતદેવજ મારા પતિ હો. હું તમને ચિરકાળથી નમસ્કાર કરૂ છું, તેમાં આ છેલ્લા નમસ્કાર છે.'' આ પ્રમાણે કહીને જેવામાં પેાતાના મસ્તકને તેારણની ફ્રાંસી કરી ખાંધવા માંડયું, તેવામાં વસંતદેવે દોડી પાગ્રંથીને તોડી નાખી. ‘આ અહીં કયાંથી ?? એમ જાણી કેસરા અકસ્માત આશ્ચર્ય, લજજા અને ભય પામી ગઈ. પછી વસ ંતદેવે એ કુમુદેક્ષણા કેસરાને કહ્યું- હે પ્રિયા ! હું તારા પ્રાણપ્રિય વસંતદેવ છું, કે જેની તમે કામદેવની પાસે પરલાકમાં પણ સ્વામી તરીકે યાચના કરી છે. હું કૃશેદિર! આ મારા નિષ્કારણુ મિત્ર મહાત્માની બુદ્ધિથી તમને હરી જવાની ઇચ્છાએ હું અહીં અગાઉથી આવીને બેઠા હતા. તમારા જે વેષ છે તે આ મારા મિત્રને આપે. તે વેષ પહેરીને તમારા પરિજનને માહિત કરતા આ મિત્ર તમારે ઘેર જશે; અને હે શ્યામ કેશવાળી કાંતા ! આ મિત્ર કામપાળ તમારા પિરવાર સાથે જરા આગળ જશે, એટલે પછી આપણે ધારેલા દેશાંતરમાં ચાલ્યા જઈશું'. વસ'તદેવનાં આવાં વચનથી તે સ્ત્રીએ પાતાનેા વેષ ઉતારીને કામાળને આપ્યા. વંસતદેવ કામદેવની પછવાડે સંતાઇ રહ્યો. કામપાળે પુષ્પાદિકથી કામદેવની પૂજા કરીને પછી કેસરાને વેષ ધારણ કર્યાં, અને લજ્જાવડે મુખને ઢાંકી દીધું. તે સ્રવેશી કામ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સર્ગ ૫ માં પાળ કામનારાનો તે મંદિરનું દ્વારઉઘાડી, પ્રિયંકરાને ટેકે દઈ શિબિકા ઉપર ચડે. તેના ઉપાડનારા એએ શિબિકા વડન કરી, એટલે કામપાળ પરિજનથી અલક્ષિત પંચનંદી શેઠને ઘેર આવ્યો. સારી રીતે યોજેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી. પ્રિય કરાએ વાહન પરથી ઉતારી, વધૂગૃહમાં લાવી, એક સુવર્ણમય વેગાસન ઉપર તેને બેસાર્યો; અને “હે કેસરા ! પ્રિય સમાગમને મંત્રનું સ્મરણ કરતી રહેજે.” આ પ્રમાણે કહી તેનું પ્રિય કરનારી પ્રિયંકર ત્યાંથી અન્યત્ર ગઈ. પ્રિયંકરાનાં વાક્યને ભાવાર્થ લઈ મહામતિ કામપાળ વારંવાર કામરતિ સમાગમના મંત્રનું સ્મરણ કરવા લાગ્યા.
તે વખતે શંખપુરનિવાસી કેસરાના મામાની દીકરી મદિરા જાન સાથે નિમંત્રણ કરેલું હોવાથી ત્યાં આવી, તે કામપાળની પાસે બેસી કાંઈક નિસાસો મૂકીને બેલી-“બહેન કેસરા ! વાંછિતની સિદ્ધિ દેવને આધીન છે તે તેમાં તું શા માટે ખેદ કરે છે ? હે સુંદરી તારી ઈચ્છા વસંતદેવની સાથે સંગમ કરવાની હતી, એવું મે શંખપુરમાં સાંભળ્યું હતું. હે સખી! હું મારા અનુભવથી પ્રિય પતિના વિરહની વેદના જાણું છું, તેથી તને આવાસન આપવાને કહું છું કે જેમ પ્રતિકૂલ વિધિ અનભીષ્ટ કરે છે, તેમ ભાગ્યદશાના વશથી તે અનુકૂળ થાય તે અભીષ્ટ પણ તેજ કરે છે. પ્રિય સખિ ! તું ધન્ય છે, જે તારા પ્યારાની સાથે દર્શન, આલાપ વિગેરે તે વારંવાર થાય છે; પણ મારો ભયંકર વૃત્તાંત તે સાંભળવા જેવું છે, તે સાંભળ-એક વખતે હું શંખપાળ યક્ષને ઉત્સવ જેવાને પરિવાર સાથે ગઈ હતી. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તે હદયનું સર્વસ્વ ચોરનાર એક યુવાન પુરૂષ મારા જોવામાં આવ્યું. મેં સખીની સાથે તેને તાંબૂળ મેકલાવ્યું. થોડી વારમાં એક તોફાની હાથી ત્યાં આવ્યો. યમરાજની જેમ તે હાથી પાસેથી તે પુરૂષે મને બચાવી. પછી ફરીવાર તે હાથીની શંકા થતાં હું સખીજન સાથે ત્રાસ પામી આઘી પાછી જતી રહી, એટલામાં તે યુવાન નર ક્યાં ચાલ્યા ગયા તે શોધ કરતાં પણ પાછા જોવામાં આવ્યા નહીં. ત્યારથી ભ્રમરે ડશેલી મર્કટીની જેમ સર્વ ઠેકાણે જેને અપ્રીતિ ઉપજે છે એવી હું કેઈક રીતે દીનપણે જીવું છું. ગઈ રાત્રે એ મનહર યુવાનને મેં સ્વમમાં જોયા હતા, તેથી જે દૈવ અનુકૂળ હશે તે તે પ્રત્યક્ષ થશે. પ્રિયબહેન! તારું દુઃખ હલકું કરવાને મેં આ મારી રહસ્ય વાર્તા કરી છે, કેમકે બીજાને દુઃખી જોઈને દુ:ખી માણસ આશ્વાસન પામે છે. હે સખી! હવે ખેદ કરીશ નહીં, જ્યારે વિધિ અનકૂળ થશે ત્યારે સ્વયમેવ આરામ થઈ જશે, માટે કાયર ન થતાં ધીરજવાન થા.”
મદિરાનું આ વૃત્તાંત સાંભળી કામપાળે મુખ ઉપરથી નીરંગી દુર કરીને કહ્યું કે શંખપાળ ચક્ષના ઉત્સવમાં તમે જે પુરૂષ જે હતો તે તમારા પ્રિય હુંજ છું, રે કાંતા! દૈવની અનુકૂળતાથી આપણો અત્યારે સમાગમ થયેલ છે. તેવી જ રીતે વંસતદેવ અને કેસરાનો પણ સમાગમ થયો છે. હે સુદર્શના ! હવે આલાપરૂપ વિઘ કરશે નહીં. વિદ્ભકા અને ભયને છોડી દે અને જરા નીકળવાનું દ્વાર બતાવે.” આ પ્રમાણે કહેવાથી મદિરાએ ગૃહદ્યાનને પશ્ચિમ બાજુને માર્ગ બતાવ્યો, એટલે કામપાળ મદિરાની સાથે ત્યાંથી નીકળી ગયે; અને એ નગરમાં જ્યાં વસંતદેવ અને કેસરા પ્રથમથી રહેલાં હતાં ત્યાં તેમને મદિરા સાથે કામ પાળ પણ આવી મળે.
હે રાજા ! તેઓ પૂર્વના નેહથી નિત્ય આવીને તમને અદ્દભુત પાંચ વસ્તુઓ ભેટ કરે છે તે તત્વથી જાણી લેજે. તે સર્વ વસ્તુ એ ઈષ્ટ જનની સાથે તમે ભોગવી શકવાને
૧ બુરખા જેવું વસ્ત્ર અથવા લાલ કાઢેલો વસને છેડે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૫ ૫ સુ
૨૬૩
સમર્થ થશે. આટલા વખત સુધી એ અભીષ્ટ જનને નહી જાણવાથી તમે તે ભાગવી શકયા નથી. પ્રભુનાં આવાં વચન સાંભળી રાજાને અને તેમને પૂર્વ સ્નેહનો ઉદ્યોત કરવામાં દીપક સમાન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુચંદ્ર રાજા ભગવંતને નમીને તેઓને સહેાદરની જેમ સ્નેહથી પેાતાને ઘેર લઈ ગયા. દેવતાએ પણ પ્રભુને નમી પાતપેાતાને સ્થાનકે ગયા, અને ભગવતે વિશ્વનો અનુગ્રહ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યા.
ખાસઠ હજાર આત્મનૈષ્ટિક૧ મુનિઓ, એકસઠહજાર ને છસે સાધ્વીઓ, આઢસા ચૌદ પૂર્વ ધારી મહાત્મા, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચારહજાર મન:પર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણસો કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર ને ચારસા વાદલબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ, આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરભી ચાવીશ હજાર નવસેા ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુના પરિવાર થયા. પોતાના નિર્વાણુસમય નજીક જાણી શાંતિનાથ પ્રભુ સમેતશિખર પધાર્યા, અને ત્યાં નવસા મુનિએની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અ ંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયેાદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ ભગવાન તે મુનિએની સાથે માક્ષે ગયા. કૌમારપણામાં, મંડલિકપણામાં, ચક્રવત્તી પણામાં અને વ્રતમાં પ્રત્યેકે પચીશ હજાર વર્ષી વ્યતીત થયેલાં હેાવાથી શ્રી શાંતિનાથ પ્રભુનું એક લક્ષ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી શાંતિનાથ પ્રભુના નિર્વાણકાલ પુણા પલ્યાપમે ઉણા ત્રણ સાગરોપમ ગયા પછી થયેલા છે. પછી ઇંદ્રાદિક દેવાએ આવી શાંતિનાથ પ્રભુના નિર્વાણુમહિમા કર્યા. કેટલેક કાલે ચક્રાયુધ ગણધર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવિ પ્રાણીએને ધ કરવા ચિરકાલ વિહાર કરી આયુષ્યનેા ક્ષય થતાં કેટિશિલા નામે તી ઉપર ઘણા સાધુઓની સાથે મોક્ષે ગયા.
ષટ્ખ`ડ પૃથ્વીતલને જય કરવામાં પણ જેને પ્રયાસ થયા નથી, તૃણની પેઠે રાજ્યલક્ષ્મીને છેડી જેમણે વ્રત ગ્રહણ કરેલુ છે અને ચક્રવતી તથા તીર્થ કરપણાથી જેમને યશ જગતમાં વિખ્યાત છે એવા શ્રી શાંતિનાથ ભગવ ંતનું આ ધીરાદાત્ત અને ધીરશાંત ચરિત્ર સદા જય પામે છે.
火烧烧烧烧器防腐防防限限防腐防限
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशला कापुरुषचरिते
महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ चरमभव
વળનો નામ તંત્તમ સૌંઃ ॥
腐腐腐腐腐腐NEWRWDL限的限浓限的防限防限体
૧‘આત્મામાંજ સ્થિતિ કરનાર—પુદ્દગળીક સુખથી વિમુખ,
選出8
Page #291
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ ૬ ઠું.
સ ? રો.
શ્રી કુંથુનાથ ચરિત્ર. જગતમાં જયવંત એવા કુંથુસ્વામીની દેશનાવાણી જય પામે છે, જે વાણી મહા મેહરૂપ પાષાણને ભેદવામાં સરિતાના મોટા પૂર જેવી છે. સંસારસાગરને મંથન કરવામાં મંદરાચલ જેવું રૌલેક્ટ્રપતિ શ્રી કુંથું સ્વામીનું પવિત્ર હવે કહું છું.
જંબુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં શેભાથી સ્વર્ગને પણ વિજય કરનાર આવર્ત નામે વિજય છે. તેમાં ખ િનામે એક મોટી નગરી છે. ત્યાં સર્વ ગુણનું પાત્ર અને ધર્મધુરંધર જનની સીમા જે સિંહાવહ નામે રાજા હતો; તે ધર્મનો આધાર, પાપનો કુઠાર, ન્યાયનું કુલગૃહ અને સુબુદ્ધિઓની જન્મભૂમિ જેવો હતો તેને વિચાર મનની જેમ વિદ્વાનોને પણ દુર્લક્ષ હતો; તેનું પ્રભુપણું ઈદ્ર જેવું હતું અને ઉત્સાહ વિષ્ણુના જે હતે. સમુદ્રની પેઠે તેની મર્યાદા ઉલઘન થતી નહોતી, પરંતુ એ શક્તિમાન રાજા સ્વયમેવ આ જગતને મર્યાદામાં રાખતા હતા. તેના ધનુષ્યને ધ્વનિ લક્ષ્મીઓને આકર્ષણ મંત્ર, શત્રુએને ભેદમંત્ર અને પૃથ્વીને રક્ષામંત્ર હોય તેવો ભતો હતો. તે ધર્મને માટે જ પૃથ્વીનું રાજ્ય કરતે, દ્રવ્યને માટે નહી. સર્વદા ધર્મનિષ્ઠ પુરૂષોને દ્રવ્યપ્રાપ્તિ તે આનુષંગિક ( અવાંતર ) ફળરૂપ હોય છે, તત્ત્વવેત્તાઓમાં અગ્રેસર એ સિંહાવહ રાજાએ ભજનને યેગીની જેમ અનાસક્તપણે ભેગને ભેગવતાં કેટલાક કાળ નિગમન કર્યો.
એકદા સમુદ્રની વેલા (ભરતી) ની જેમ અધિક વૈરાગ્ય ધારણ કરી તેણે સંવરાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર વ્રતને પાળતા અહંત આરાધનાદિ કેટલાક સ્થાનકની આરાધના વડે તેણે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું. કાળગે મૃત્યુ પામી એ સમદ્રષ્ટિ અને સમાધિસ્થ મહાશય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તીનાપુર નામે મોટું નગર છે. તેમાં આવેલા સૈની ઉજજવળ પતાકાના મિષથી જાણે ધર્મ નિત્ય નૃત્ય કરતો હોય તેમ જણાય છે. સર્વ ગૃહની અંદર ચારે બાજુ રત્નોથી બાંધેલી આંગણાની ભૂમિમાં કર્દમનું નામ ફક્ત યક્ષકર્દીમમાંજ હતું. રનોથી જડેલા તે નગરીના કિલ્લામાં પડેલા પોતાનાં પ્રતિબિંબોની ઉપર મદાંધી હાથીએ બીજા હાથીની બુદ્ધિથી દંતઘાત કરતા હતા. રાજમંદિરમાં, પ્રજાના ગૃહોમાં,
૧ યક્ષ કર્દમ તે ચંદન, કેસર, બરાસ, કસ્તુરી, અંબર, અગર, રકતચંદન, સેનાને વ રખ વિગેરે પદાર્થોનો એક રસ,
Page #292
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૨૬૫
દરવાજાએમાં અને બીજા સર્વ સ્થાનામાં આકાશમાં ગ્રહાની જેમ અર્હતનાં પ્રતિષ્મિએ વ્યાપી રહ્યાં હતાં તે નગરમાં, અલકાપુરીમાં કુબેરની જેમ તેજવડે નવીન સૂર્ય જેવા શૂર નામે રાજા હતેા; તેના હૃદયમાં બીજો અંતરાત્મા હોય તેવી રીતે ધર્માં વસી રહ્યો હતા; અને અર્થ અને કામ તો અહિરાત્માની જેમ મહારજ રહ્યા હતા. પ્રતાપથી દિશાઓને દુખાવતા એવા તે રાજાને સર્વ શસ્ત્રો ખાજુબંધ અને કડાં વિગેરેની જેમ ભુજાઓમાં આભૂષણને માટેજ હતાં, તે કોઈવાર કાપ કરતા નહી, તથાપિ પૃથ્વીને સારી રીતે પાલતા હતા. ચંદ્ર તીવ્રતા વિના પણ વિશ્વને પ્રકાશિત કરે છે. રૂપલાવણ્યથી સુદર અંગવાળી અને નિળ શીળવડે શાભતી હિરને લક્ષ્મીની જેમ શ્રી નામે તેને પત્ની હતી. જાણે અમૃતની નીક હોય અથવા ચંદ્રની અધિદેવતા હોય તેમ વચનવડે અમૃતને ઝરતી એ સુંદરમુખી રમણી અતિશય શૈાભતી હતી. નિર્દોષ અંગવાળી તે શ્રીદેવી મંદ મ ંદ ચાલતી હતી અને મંદ સ્વરે ખેલતી હતી. રાજહંસને હુ'સલીની જેમ શૂર રાજાને તે પ્રાણવલ્લભા હતી. વૈમાનિક દેવની જેમ શૂરરાજ નિર્વિઘ્ર સુખમાં મગ્ન થઇ તેની સાથે ઉત્તમ ભાગ ભાગવતા હતા.
અહી' સર્વાસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરી સિંહાવહ રાજાના જીવ શ્રાવણ માસની કૃષ્ણ નવમીએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવી શ્રીદેવીના ઉત્તરમાં અવતર્યાં. તે સમયે ચાર દાંતવાળા શ્વેત હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળા વૃષભ, ઉંચી કેશવાળવાળા કેસરી, અભિષેકવડે મનેાહરા લક્ષ્મી, પંચવી પુષ્પની માળા, પૂર્ણિમાના ચંદ્ર, ઉઘાત કરતા સૂર્ય, પતાકા સહિત મહાધ્વજ, સુવર્ણના પૂર્ણ કુંભ, કમળાથી ભરપૂર સરોવર, તર'ગવડે ઉછળતા સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઉંચા રત્નપુંજ અને નિર્દૂ મ અગ્નિ આ પ્રમાણે ચૌદ સ્વપ્ના શ્રીદેવીએ જોયાં. તેમણે રાજાને સ્વસની વાર્તા કહી. રાજાએ પ્રાતઃકાળે કહ્યું કે દેવિ ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્રવતી અને તીર્થં 'કર પુત્ર થશે.’ અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસ જતાં બૈશાખ માસની કૃષ્ણ ચતુશીએ ચંદ્ર કૃત્તિકામાં આવતાં અને બીજા સર્વ ગ્રહેા ચના થતાં છાગના ચિન્હથી અક્તિ સુવણૅના જેવી કાંતિવાળા અને સ લક્ષણાથી સ`પૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યા. તે સમયે ક્ષણવાર નારકીને સુખ થયું. ત્રણ જગમાં ઉદ્યોત થઇ રહ્યો, અને ઇંદ્રાદિકનાં આસનેા ક...પાયમાન થયાં, પ્રથમ આસનક પથી આવીને દાસીઓની જેમ છપ્પન દિકુમારીએ સૂતિકર્મ કર્યું. પછી શક્રંદ્ર પાંચરૂપે થઇ પ્રભુને મેિિરપર લઇ ગયા. ત્યાં ત્રેસઠ ઇદ્રોએ તી જળથી પ્રભુને અભિષેક કર્યા. પછી ઈશાન ઇંદ્રના ઉત્સ`ગમાં પ્રભુને એસારી શક્રેન્દ્રે સ્નાત્ર કરાવ્યું, અને પૂજાદિ વિધિ કરીને આ પ્રમાણે સ્તુતિ કરી,
“હે જગત્પતિ ! આજે ક્ષીરસાગર પ્રમુખ જલાશયાનાં જળ, પદ્મ વિગેરે હેાનાં જળ અને કમળા, ક્ષુદ્ર હિમાલય વિગેરે પતાની ઔષધીઓ, ભદ્રશાળ પ્રમુખ વનનાં પુષ્પા “અને મલયાચલની આસપાસની ભૂમિના ચંદન એ સર્વે તમારા સ્નાત્રમાં ઉપયાગી થવાથી કૃતાર્થ થયા છે; અને હે દેવ ! તમારા જન્મકલ્યાણકના મહોત્સવ કરવાથી આ બધા “દેવતાઓનુ અશ્વય પણ કૃતાર્થ થયુ છે. તમારા ખિ`ખથી અલ'કૃત થયેલા આ મેરૂ ગિરિ “આજે તમારા પ્રાસાદની જેમ સ પર્વતામાં ઉત્કૃષ્ટ અને તી રૂપ થયેલા છે. હું ભુવનેશ્વર ! તમારા દ નથી અને સ્પથી આજે . નેત્ર અને હાથ ખરેખરા નેત્ર અને “હાથ થયા છે. હે નાથ ! આજે અમારૂ સ્વાભાવિક અવધિજ્ઞાન પણ સફળ થયેલુ છે કે
૩૪
Page #293
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લે
“જેના વડે હે પ્રભુ! તમારે જન્મ જાણુને અમે જન્મોત્સવ કર્યો છે. હે પ્રભુ! જેમ હમણાં “સ્નાત્રકાળે તમે મારા હૃદય પર રહ્યા હતા તેમ હૃદયની અંદર પણ ચિરકાળ રહો.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી તેમને લઈને ઇંદ્ર હસ્તીનાપુર ગયા. અને ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને સ્થાપિત કર્યા.
પ્રાત:કાળે શૂર રાજાએ પ્રભુને જન્મત્સવ કર્યો. જયારે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે સર્વ જગત ઉત્સવમય થાય છે. પ્રભુ ગર્ભમાં હતી, ત્યારે તેમની માતાએ કુંથુ નામને રત્નસંચય જોયું હતું, તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પડયું. ઈ અંગુઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતા પાંત્રીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા થયા. પિતાની આજ્ઞાથી યે સમયે તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. “ભગફલકર્મ બીજી રીતે છેદી શકાતું નથી.” જન્મથી ત્રેવીસ હજાર અને સાડા સાત વર્ષ ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાજ વર્ષ મંડલિકપણામાં ગયા પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જગતને પૂજનીય એવા શુર રાજાના પુત્રે ચકરનની પૂજા કરી. મહાત્માઓ સેવક જનને પણ સાકાર કરે છે. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, શૈતાઢયાદ્રિકુમાર અને કતમાળદેવને પિતાની જાતે સાધી લીધા, અને સિંધુ નિકૃષ્ટને સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ જેનાં દ્વાર ઉઘાડેલાં છે એવી તમિસ્યા ગુફામાં પેસી સામી બાજુ નીકળી આપાત જાતિના મ્લેચ્છોને સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિષ્ફટને સધાવ્યું. ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત સમીપે જઈ ભુદ્રહિમવંતકુમારને સા. પછી ઋષભકૂટ ઉપર પિતાને આચાર છે” એવું ધારી પોતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રરત્નને અનુસરી શકવતી પાછા વળ્યા. અનુક્રમે વૈતાઢય પર્વત પાસે આવ્યા, ત્યાં બંને શ્રેણીમાં રહેલા વિદ્યાધરોએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી. ગંગાદેવી અને નાટયમાલ દેવને પોતે સાધી ગંગાનું મ્લેચ્છ લોકેએ ભરપૂર એવું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાડેલા ખંડપ્રપાતા ગુહાના દ્વારવડે બૈતાઢય ગિરિમાં પિસી પરિવાર સાથે સામી બાજુ નીકળ્યા. ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વિગેરે નવ નિધિઓ પ્રભુને પિતાની મેળે સિદ્ધ થયા, અને ગંગાનું બીજું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ પ્રભુએ છસો વર્ષે સાધી લીધું. ચક્રવતીની સંપત્તિથી સંપૂર્ણ મનુષ્ય તથા દેવતા એ સેવેલા કુંથુનાથ ભગવાન દિગ્વિજય કરીને પાછા હસ્તીનાપુરમાં આવ્યા. પછી દેવ અને મનુષ્યએ મળીને પ્રભુને ચક્રવતી પણાનો અભિષેક કર્યો. તેને મહોત્સવ તે નગરમાં બાર વર્ષ સુધી પ્રવર્યો. કુંથુસ્વામીને ચક્રવતી પણાના વૈભવમાં ત્રેવીસહજાર ને સાડાસાતસો વર્ષ નિર્ગમન થયાં. પછી કાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી ! તીર્થ પ્રવર્તાવે.” તે વિજ્ઞપ્તિ સાંભળતાં જ પ્રભુએ પુત્રને રાજય આપી વાર્ષિક દાન આપવા માંડયું. પછી દેવ અને રાજાઓએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસાગ્ર વનમાં પધાર્યા.
જે મનોહર વનમાં યુવાન પુરૂષની જેમ ચંપક લતાને ચુંબન કરતો આશ્રયષ્ટિને કંપાવત, વાસંતી લતાને નચાવતે, નિગુડીને મર્દન કરતો, ચારોળીને આલિંગન કરતા, નવમલ્લિકાને સ્પર્શ કરતે, ગુલાબને ચતુર કરતો, કમલિનીની પાસે જતો, અશકલતાને દબાવતે અને કદલીપર અનુગ્રહ કરતો, એ યુવાન પુરૂષની જે દક્ષિણ પવન વાતે હતો;
Page #294
--------------------------------------------------------------------------
________________
પવ ૬ ઠું
૨૬૭
જેમાં લલિત લલનાઓ હિંચકા ખાવામાં આસક્ત હતી, જેમાં નગરના ધનાઢય શ્રેણીકુમારે પુષ્પ ચુંટવાની ક્રીડામાં વ્યગ્ર થયા હતા અને ઉન્મત્ત કોકિલાના મધુર આલાપથી તેમજ ભ્રમરાઓના ગુંજારવથી જાણે આવકાર આપતું હોય તેમ જે જણાતું હતું એવા સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી શિબિકામાંથી ઉતરી, અલંકારાદિકને ત્યાગ કરી, વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃત્તિકા નક્ષત્રમાં દિવસના પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુક્ત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તત્કાળ મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. બીજે દિવસે ચક્રપુરમાં વ્યાઘસિંહ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. વ્યાઘસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી. પવનની જેમ નિઃસંગ અને પ્રતિબંધ રહિત એવા પ્રભુએ છદ્મસ્થપણે સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો.
અન્યદા કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પાછા સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. ત્યાં તિલકના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. રૌત્ર માસની શુકલ તૃતીયાને દિવસે ચંદ્ર કત્તિકા નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થતાં પ્રભને કેવળજ્ઞાન ઉતપન્ન થયું. તત્કાળ ઈંદ્ર સહિત ચતુર્વિધ દેવનિકાયે આવી ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણુ રચ્યું; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના કમલ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ધર્મચકી અને જગદ્દગુરૂ એવા કુંથુનાથ સ્વામીએ ચારસો ને વશ ધનુષ્ય ઉંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તેની નીચે દેવઈદક ઉપર રહેલા પૂર્વ સિહાસન ઉપર “તીથાનમઃ” એમ કહીને પૂર્વાભિમુખે બેઠા. એટલે વ્યંતર દેવતાએ પ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવાજ પ્રભુનાં પ્રતિબિંબ વિકુર્બા; પછી ગ્ય સ્થાને ચતુર્વિધ સંઘ બેઠે, મધ્ય પ્રમાં તિર્યંચો બેઠા, અને નીચેના વપ્રમાં સર્વ વાહને રહ્યાં. પ્રભુને સાસરેલા જાણે કુરુ વંશી રાજા ત્યાં આવ્યો, અને પ્રભુને નમસ્કાર કરી ઈદ્રની પછવાડે અંજલિ જોડીને બેઠે. સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમી હૃદયમાં હર્ષ ધરતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
ચતુર્વિધ ધર્મનો ઉપદેશ કરનાર, ચાર શરીરવાળા, ચાર મુખવાળા અને ચોથો પુરૂષાર્થ (મેક્ષ ) ના સ્વામી એવા તમારી અમે સ્તુતિ કરીએ છીએ. હે જગદીશ્વર ! “તમે નિઃસંગપણાથી ચૌદ મહારત્નોનો ત્યાગ કરી ત્રણ નિર્દોષ રત્નોને ધારણ કરે છે.
હે નાથ ! તમે આખા વિશ્વના મનને હેરો છો, તે છતાં તમે મન રહિત છે; અને “ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા છતાં ચંદ્રની જેવું શીતળ તમારા સ્વરૂપનું ધ્યાન થાય
છે. હે પ્રભુ ! તમે નિઃસંગ થતાં મોટી ઋદ્ધિવાળા છે, ધ્યાનકરવા ચોગ્ય છતાં ધ્યાતા “છો, કટિ દેવોથી વીંટાયેલા છતાં કૈવલ્યને ભજે છો. પોતે વીતરાગ છતાં વિશ્વનો “તમારા પર રાગ વધારે છે, અને અકિંચન છતાં જગને પરમ સમૃદ્ધિને માટે થાઓ “છો. હે અહંન્ ! જેનો પ્રભાવ જાણી શકાતું નથી અને જેનું રૂપ કળવામાં આવતું
નથી એવા આપ દયાળું સત્તરમાં ભગવંતને અમારે નમસ્કાર છે. તે વિભુ ! તમને “પ્રણામ કરે તે પણ મનુષ્યને અચિંત્ય ચિંતામણિરૂપ થાય છે, તે તમારું મનથી,
ધ્યાનથી અને વચનથી સ્તવન કરતાં શું ન થાય ? હે પ્રભુ ! તમારા સ્તવનમાં, પ્રણમમાં, અને તમારાજ વિષયમાં અમારી પ્રવૃત્તિ સદા રહો, બીજા મનોહર પદાર્થોની “અમારે કાંઈ જરૂર નથી.”
૧ કેવલ્ય એટલે કેવલજ્ઞાન અને વિરોધપક્ષે કેવલ્ય એટલે એકલા છો.
Page #295
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લા
આ પ્રમાણે ઇંદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી શ્રી કુંથુનાથ ભગવંતે ધર્મ દેશના આપવા માંડી.
૨૦૮
“ મોટા દુઃખનું કારણ એવા આ સ`સારરૂપ સાગર ચારાશી લાખ ચાહ્નિરૂપ જલભ્રમરીઓમા પડવા વડે અતિ ભયંકર છે. તે ભવસાગરને તરવામાં સમર્થ એવી નાવિકા વિવેકી જનાને ઇઇંદ્રિય રૂપ ઉર્મિઓના જય સાથે મનઃશુદ્ધિ કરવી તે છે. વિદ્વાને એ મન:શુદ્ધિ નિર્વાણુમાને બતાવનારી અને કઢિપણ નહિ બુઝે તેવી એક દીપિકા “ કહેલી છે. મન:શુદ્ધિ હાય તે જે અછતા ગુણા છે તે છતા થાય છે અને છતાં ગુણુ
**
(6
કદિપણું અઠતા થતા નથી, માટે પ્રાણ પુરૂષોએ સદા મનઃશુદ્ધિ કરવી. જે મનઃશુદ્ધિ કર્યા વિના મુક્તિને માટે તપસ્યા કરે છે, તે નાવ છેાડી મહાસાગરને બે ભુજાએ તરવાને ઇચ્છે “ છે. તપસ્વીની મન:શુદ્ધિ વગરની સર્વ ક્રિયા અંધને દ ણુની જેમ નિષ્ફળ થાય છે.
64
66
66
66
66
મુક્તિમાં જવાની ઈચ્છાથી તપ કરતા પ્રાણીઓને ચકવાત (વટાલીયા )ની જેમ ચપળ ચિત્ત કાઈ ખીજી તરફજ નાંખી દે છે. અર્થાત્ મુક્તિમાં નહીં જવા દેતા અન્ય ગતિમાં “ લઇ જાય છે. નિર'કુશ થઈ નિ:શ`કપણે ફરતા મનરૂપી નિશાચર આ ત્રણ લેાકને સ`સા“ રના ઉંડા ખાડામાં પાડી નાંખે છે. મનના રાધ કર્યા વગર જે માણસ ચાગપર શ્રદ્ધા
'
રાખે છે, તે પગવડે ગામમાં જવાને ઇચ્છનાર પશુ માણસની જેમ ઉપહાસ્યને પામે છે, મનના નિરોધ કરવાથી સ કર્મીને નિરોધ થાય છે, અને મનને નહીં રૂધનારાનાં સર્વ કમેર્મા પ્રસરી જાય છે. આ મનરૂપી કપિ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લ’પટ છે, તેથી
66
r
તેને મુક્તિની ઈચ્છાવાળા પ્રાણીઓએ યત્નથી ક્બજે રાખવા. સિદ્ધિને ઇચ્છનારા પ્રાણી
66
એ અવશ્ય મનની શુદ્ધિ કરવી; તે સિવાય તપ, શ્રુત અને યમ નિયમવડે કાયાના દંડ આપવા તે કશા કામનેા નથી. મનની શુદ્ધિવડે રાગ દ્વેષને જય કરવા, જેથી આત્મા “ ભાવલિનતા છેાડીને સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે.”
66
66
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઘણા લાકોએ દીક્ષા લીધી અને સ્વયંભુ વિગેરે પ્રભુના પાંત્રીશ ગણધરા થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધર પ્રભુના ચરણ પીઠપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ એટલે ગણધરે પણ દેશના સમાપ્ત કરી. એટલે સર્વ મનુષ્ય, દેવતાઓ વિગેરે કુથુસ્વામીને નમીને પાતપાતાને સ્થાનકે ગયા. કુથુસ્વામીના તીમાં રથના વાહનવાળા, શ્યામવર્ણ ધરનારા, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં ખીજોરૂ અને અંકુશ રાખનારા, ગધવ નામે યક્ષ શાસનદેવતા થયા; અને ગૌરવણુ વાળી, મયૂરના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં બીજોરૂ અને ત્રિશૂલ તથા એ વામ ભુજામાં મુષ`ઢી અને કમળને ધરનારી મલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઇ. તે બંને શાસનદેવતા નિર'તર જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુએ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં.
સાઠહજાર સાધુઓ, સાઠહજાર અને છસેા સાધ્વીઓ, ઇસા ને સીત્તેર ચૌદપૂર્વ ધારી, અઢીહજાર અવધિજ્ઞાની, ત્રણહજાર ત્રણસે ને ચાલીશ મન:પર્યવ જ્ઞાની, ત્રણ હજાર અને ખસેા કેવળજ્ઞાની, પાંચ હજાર ને એકસે વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર વાલબ્ધિવાળા, એક લાખને એગણાએંશી હજાર શ્રાવકે અને ત્રણ લાખને એકાશી હજાર શ્રાવકા—આટલા પરિવાર કેવલજ્ઞાન થયા પછી વિહાર કરતાં પ્રભુને થયા હતા. કેવલ
Page #296
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન થયા ગછી ત્રેવીસહજાર સાતસો ને ચેત્રીશ વર્ષ ગયા ત્યારે પિતાને નિર્વાણ સમય નજીક આવેલ જાણી પ્રભુ સંમેતશિખરે પધાર્યા અને ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કર્યું. માસને અંતે બૈશાખ માસની કૃષ્ણ પ્રતિપદાને દિવસે કૃત્તિકા નક્ષત્રમાં તે સર્વ મુનિઓની સાથે કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા. કૌમારપણામાં, રાજ્ય કરવામાં, ચક્રવર્તી પણામાં અને વ્રતમાં સરખાં ભાગે આયુષ્ય ગાળી, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ પ્રભુને નિર્વાણ પછી અદ્ધ પલ્યોપમ કાળ ગમે ત્યારે શ્રી કુંથુનાથ ભગવાનનું નિર્વાણ થયું. તે અવસરે ઇદ્રોએ દેવ સહિત આવી ત્યાં પ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો અને પ્રભુની દાઢ તથા દાંત વિગેરે પવિત્ર વસ્તુ પૂજન કરવાને માટે ક્રમ પ્રમાણે પિતાના સ્થાનમાં લઈ ગયા.
48
[882887 8888888888888888888327948 इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि श्रीकुंथुनाथचरित
वर्णनो नाम प्रथमः सर्गः ॥ 88888888888888888888888888888888
Page #297
--------------------------------------------------------------------------
________________
સ૨ જો.
શ્રી અનાથ ચરિત્ર,
ઈશ્વાકુ વંશમાં તિલક રૂપ, ગોરોચના ચંદન જેવી સુંદર કાંતિવાળા અને ચાથા આરારૂપ સાવરમાં હંસ સમાન એવા શ્રી અરનાથ પ્રભુ તમારૂં રક્ષણ કરો. ત્રણ જગતૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્ર સમાન એવા પરમેષ્ઠી શ્રી અરનાથ અહુ 'તનું ઉજજવલ ચિરત્ર હવે કહેવામાં આવશે.
આ
જ ખૂદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતા નદીના વિસ્તારવાળા તટ ઉપર વત્સ નામે વિજય છે. તેમાં સુસીમા નામે માટી નગરીમાં શૌય સપત્તિની સીમારૂપ ધર્મ અને કીતિરૂપ ધનવાળા ધનપતિ નામે રાજા હતા. તે રાજા સારભૂત આજ્ઞાથી પૃથ્વીપર રાજ્ય કરતે છતે કાઈને બંધન, તાડન, અંગખંડન કે દંડ કાંઈપણુ થતું નહાતું. પરસ્પર રાજ્યકલહ વગરના અને વાત્સલ્યભાવથી વર્ત્તતા લેાકેાથી બધી પૃથ્વી મુનિના આશ્રમ જેવી લાગતી હતી. તેના યા રૂપ જળતરગવાળા મનરૂપ સરોવરમાં હંસની જેમ શ્રીજિનેાકત ધર્મ સદા ક્રીડા કરતા હતા, અનુક્રમે આ અસાર સંસારથી વિરકત થઇને સાર ગ્રહણ બુદ્ધિવાળા તેણે સંવરને ગ્રહણ કરી સંવર મુનિની પાસે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને ધારણ કરીને તે રાજમુનિ વ્રતને પાળતાં, તીવ્ર તપસ્યા કરતાં પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. એકવાર તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યાં. પારણાને દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠીપુત્રે શ્રદ્ધાથી તેમને પ્રતિલાભિત કર્યા. અનુક્રમે અતિ આરાધનાદિ કેટલાએક સ્થાનકોના આરાધનવડે તે ધનપતિ મુનિએ કમ નો દ્વેષ કરતાં તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યુ”. કાળયેાગે મનઃસમાધિએ પંચત્વ પામી તે ધનપતિ મુનિ નવમા ત્રૈવેયકમાં પરમ મહર્ષિક દેવતા થયા.
જખૂદ્વીપના ભરતક્ષેત્રમાં પરમ સમૃદ્ધિવાળુ હસ્તીનાપુર નામે નગર છે. ત્યાં સેવાને માટે આવેલા રાજાએ પ્રજા જેવા લાગે છે અને દિવ્ય વાહન અને વેષ પહેરનારી પ્રજાએ રાજા જેવી લાગે છે. નગરની આસપાસ આવેલી વલયાકાર ખાઈ, જાણે તેમાં લક્ષ્મીને સ્થિર રાખવાને માટે વિધાતાએ તેને આજ્ઞાલેખ ( આણ્ય ) દીધેલ હાય તેવી જણાય છે. તે નગરીમાં સુવર્ણ, સ્ફાટિક અને નીલમણિનાં અનેક ચૈત્યેા છે, તે મેરૂ, કૈલાશ અને અજનગિરિનાં શિખરો હોય તેવાં દેખાય છે. તે નગરમાં દેવતાઓમાં ઇદ્રની જેવા શ્રેષ્ઠ અને ચંદ્રની પેઠે સુદર્શન સુદૃન નામે રાજા હતા. તેના આસનમાં, શયનમાં, ગ્રહમાં અને બહાર નિરંતર સાનિધ્યે રહેતા ધર્મ જાણે તેને પ્રિય મિત્ર હાય તેવા લાગતા હતા. સિદ્ધ મંત્રની જેમ તેના પ્રતાપ એવા પ્રસરતા હતા કે તેની ચતુરંગ સેના માત્ર આચાર તરીકે રહેલી હતી. રાજાએ ભેટ કરેલા ગજે દ્રોના ગાઢ મનજલની ધારાઓથી તેના ઘરના આંગણાની રજ હંમેશાં શમી જતી હતી. તેના અ'તઃપુરમાં શિરોમણિ જાણે કેાઈ દેવી આવેલી હોય તેવી મહાદેવી નામે તેને એક પ્રિયા હતી, તે
૧ સારા દર્શનવાળા.
Page #298
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૨૭૧ કદિ પણ પતિની સાથે પ્રણયક૫ કરતી નહીં અને પ્રકૃતિથી આય એવી એ રમણ સં૫ત્નીઓમાં પણ ઈર્ષ્યા ધરતી નહી. તેનામાં રહેલો પતિનો પ્રસાદ અને ઉત્તમ સૌભાગ્ય તેને જરા પણ મદ ઉત્પન કરતાં નહીં. તથાપિ તે પ્રમદાઓમાં શિરેમતણ કહેવાતી હતી. નિર્દોષ અંગવાળી અને લાવણ્યની સરિતારૂપ તે દેવીના જેવી બીજી પ્રતિમા માત્ર દર્પણમાંજ દેખાતી હતી, બીજે ઠેકાણે દેખાતી નહોતી. તેની સાથે ભાગ ભગવતે બલવાન સુદર્શન રાજા સ્વર્ગમાં રહેનારા દેવતાની જેમ કાલ નિર્ગમન કરતો હતે.
પ્રવેયક દેવલોકમાં રહેલા અને એકાંત સુખમાં મગ્ન એવ ધનપતિના જીવે ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું, અને ફાલ્ગણ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ત્યાંથી આવીને મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા મહાદેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વમ જોયાં. માતાને નહીં પડતો, શેભાને વધારતે અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં નંદાવર્નના લાંછનવાળા અને સર્વ લક્ષણે એ પૂર્ણ એવા એક કનકવણ પુત્રને માતાએ જન્મ આપ્યું. તે સમયે છપ્પન દિકકુમારીઓએ આવીને સૂતિકર્મ કર્યું અને ચોસઠ ઈદ્રોએ મેરૂ ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધમે આ પ્રમાણે સ્તુતિ કરી.
અઢાર દેષ રહિત, અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરૂષોને ધ્યાન કરવા ગ્ય એવા અઢારમા તીર્થકરને મારે નમસ્કાર થાઓ. હે તીર્થનાથ! જેવી રીતે તમે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન ધારણ કરે છે, તેવી રીતે જ આ ત્રણ જગને પણ ધારણ “કરે છે. હે સ્વામી ! રાગ દ્વેષાદિ તસ્કરો મેહરૂપ અવસ્થાપિની નિદ્રા મૂકી આ ત્રણ “જગને લાંબા વખતથી લૂંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરે. હે નાથ ! જેમ
શાંત થઈ ગયેલાએ રથને, તૃષાતુરો નદને, તાપથી તપેલા વૃક્ષની છાયાને, ડુબી “જતાઓ વહાણને, રેગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, હિમથી પીડિત થયેલાઓ સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાએ ભેમીયાને અને વ્યાવ્રથી ભય પામેલાઓ અગ્નિને પ્રાપ્ત કરે તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ “અત્યારે તમારા જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા વામીને પ્રાપ્ત “કરી આ સુર, અસુર અને મનુષ્ય હર્ષથી ન સમાતા હોય તેમ પોતપોતાના સ્થાનથી “અહીં આવે છે. હે નાથ તમારી પાસે બીજું કાંઈ પણ માગતું નથી, માત્ર એટલું
માગું છું કે તમે ભવભવ મારા નાથ થજો.” ( આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈને ઈંદ્ર અચલપુરમાં આવ્યું અને ત્યાં દેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રભાતે રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો અને સ્વમમાં દેવીએ અર : ચક્રના આરા ) દીઠેલા તેથી પ્રભુનું અર એવું નામ પાડયું. દેવાંગના રૂપ ધાત્રીઓથી, સમાન વયના થઈને આવેલા દેવતાઓથી અને કીડાના સાધનો (રમકડાંઓ) થી ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે મોટા થયા. ત્રીશ ધનુષની કાયાવાળા અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે યોગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા, અને જન્મથી એકવીશ હજાર વર્ષો ગયાં પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્યધુરા ધારણ કરી. મંડલિકપણમાં તેટલાજ વર્ષ ગયા પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરન ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજા તેર રત્નોને પણ લઈ અરનાથ પ્રભુ ચકરતનની પછવાડે દિગ્વિજય
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સગ ૨ જો
કરવા નીકળ્યા. ચારસા વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાન્યું, ચક્રવત્તી પણામાં પણ તેટલેાજ કાળ (૨૧૦૦૦ વર્ષ ) ગયા ત્યારે લેાકાંતિક દેવતાએએ આવીને કહ્યું કે હે સ્વામી ! તીર્થં પ્રવર્તાવા. એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, પેાતાના પુત્ર અરિવંદને રાજ્ય સોંપી, વૈજયંતી શિબિકામાં બેસીને સહસ્રામ્રવનમાં ગયા. તે વનનાં વૃક્ષે મુનિએની જેમ મૌન રહેલા કેકિલ પક્ષીઆએ આશ્રિત કર્યા હતા, તેમાં આવેલી કૃષ્ણવણી શેલડીના વાઢની રક્ષણ કરનારી સ્ત્રીઓના મધુર ગીત સાંભળી વટેમાંગુ ઉભા રહેતા. ત્યાં ક્રીડા કરતી નગર સ્ત્રીએના કેશપાસને જોતાં મયૂરના છુટા પડેલાં પીછાઓએ તેનુ શરણુ કર્યુ. હાય એમ જણાતું હતું. પુનાગના પુષ્પાની ખુશમેથી મધુકરા પ્રમાદ ધરતા હતા, ખેરડી અને નારગીના લથી આકાશ પીળુ થઈ ગયું હતું, જાણે હેમંતના હાસ્ય હાય તેવા ચારાળી, ફ્લી, ડોલર અને મુચકુદની કલીએથી તે શેાભી રહ્યું હતું અને રાહડાનાં પુષ્પાની રજથી તેણે દિશાઓને નિલ કરી હતી. આવા સુંદર ઉદ્યાનમાં નદ્યાવર્ત્તથી લાંતિ એવા અરનાથ પ્રભુએ પ્રવેશ કર્યા.
પછી તે વનમાં વૈજય'તી શિખિકામાંથી ઉતરી, માશી` માસની શુકલ એકાદશીએ ચદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલે પહેારે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ તપ કરીને દીક્ષા લીધી. તત્કાળ તેમને મન:પર્યાંવજ્ઞાન પ્રાપ્ત થયું. ખીજે દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. અને પ્રભુના ચરણને સ્થાને રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનને બીલકુલ તજી દઇ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યા. એકદા પાછા તેજ સહસ્રામ્રવનમાં આવી આમ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ત્યાં કાર્ત્તિક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તત્કાળ સમેાસરણુ રચ્યુ', તેમાં પ્રભુએ પૂદ્વારથી પ્રવેશ કર્યા, અને ત્રણસેા ને સાઠ ધનુષ ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી તાય નમઃ એમ બેલી પૂર્વાભિમુખે પૂર્વ સિ’હાસન પર આરૂઢ થયા. ન્યતાએ તરતજ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબે વિકર્ષ્યા, ચતુર્વિધ સંઘ પણ આવીને ચેાગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમાસર્યા જાણી રાજા કુદ્રુહ પણ તરત ત્યાં આવ્યા અને ભગવંતને નમીને તે ઈદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર અને કુદ્રુહ રાજા ઉભા થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા
લાગ્યા.
**
ત્રણ ભુવનના અધીશ, સર્વ વિશ્વ પર વાત્સલ્ય ભાવના ધરનાર, કરૂણાના સાગર,
અને અતિશયાથી શોભિત એવા હે પ્રભુ! જય પામે. હે નાથ ! જેમ નિષ્કારણ જગ
*
66
ના ઉપકારને માટે સૂર્ય પોતાના સફલ કિરણાથી વિશ્વને પ્રકાશ કરે છે, જેમ ચંદ્ર
“ પેાતાની જ્યાત્સનાથી વિશ્વના સંતાપ હરે છે, જેમ વર્ષાઋતુ મેઘના જલથી જગને
66
જીવન આપે છે, જેમ વાયુ પેાતાની નિરંતરની ગતિથી જગતને આશ્વાસન કરે છે, તેવી
(6
રીતે નિષ્કારણ ત્રણ લેાકના ઉપકારને માટે જ તમારી પ્રવૃત્તિ જય પામે છે. હે સ્વામી ! “ જે આ જગત્ અત્યાર સુધી અ ંધકારમય અને અધ થઈ રહ્યુ હતુ, તે તમારાથી હવે “ પ્રકાશમય અને નેત્રવાળું થયેલું છે. હે નાથ ! હવેથી નરકના માગ ખીલાઇ જશે તિય "ચ
66
ચેાનિમાં પણ થાડી ગતિ પ્રવર્ત્તશે, વગ લેાક એક સીમાડાના ખીજા ગામડા જેવુ થશે,
66
અને મુક્તિ જે ઘણી દૂર છે તે પણ નજીક થશે. હે પ્રભુ ! વિશ્વના ઉપકારને માટે તમે
વિહાર કરતાં પ્રાણીઓને અસભવિત કલ્યાણ પણ શું શું પ્રાપ્ત નહીં થાય ? અર્થાત્ “ સવ કલ્યાણ પ્રાપ્ત થશે. ”
t
Page #300
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૨૭૬ આ પ્રમાણે ઈદ્ર અને કુરરાજ સ્તુતિ કરી રહ્યા પછી અરનાથ ભગવાને ધર્મદેશના દેવાનો આરંભ કર્યો.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થમાં એકાંત સુખનો સાગર એ મોક્ષ પુરૂષાર્થ મુખ્ય છે; તેને સાધનારૂં ધ્યાન છે; તે સદા મનને આધીન છે. તે મનને
ગીઓ આત્માધીન કરે છે, પણ રાગાદિ શત્રુઓ પાછા દબાવીને તે મનને પરાધીન કરી દે છે. એ મનને સારી રીતે રક્ષણ કરીને રાખ્યું હોય તો પણ સહજ માત્ર મિષ પામીને પિશાચની જેમ રાગાદિ તેને વારંવાર છળે છે. રાગાદિરૂપ તિમિરથી જ્ઞાનનો નાશ કરનારું અજ્ઞાન અંધની જેમ ખેંચીને પ્રાણુને નરકના ખાડામાં પાડી દે છે. દ્રવ્યા“દિકમાં જે રતિ અને પ્રીતિ તે રાગ અને તેમાં જે અરતિ અને અપ્રીતિ તે દ્વેષ એમ
વિદ્વાને કહે છે. એ રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓના દઢ બંધનરૂપ છે અને સર્વ દુઃખ“રૂપ વૃક્ષના મૂલ અંકુર છે. જે એ રાગદ્વેષ જગતમાં ન હોત તે સુખમાં કણ વિસ્મય પામત? દુઃખમાં કણ કૃપણ થાત? અને મોક્ષને કણ ન પામત? રાગ વિના દ્વેષ અને ષ વિના રાગ રહેતો જ નથી, તેઓ બંનેમાંથી એકને ત્યાગ કરતાં બંનેને ત્યાગ
છે. કામાદિ સવ દોષે રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન પ્રમુખ દ્વેષને પરિ. વાર છે. તે રાગ દ્વેષને પિતા, બીજ, નાયક કે પરમેશ્વર, મોહ છે અને તે તેમનાથી અભિન છે; તેથી સર્વ દેના પિતામહ એવા તે મેહથી ઘણી સંભાળ રાખીને રહેવું યોગ્ય છે. સંસારમાં આ ત્રણ ( રાગ, દ્વેષ ને મેહ) દોષ જ છે. તે સિવાય બીજો કોઈ દોષ નથી. તે ત્રણ દોષથી જ આ સંસારવારિધિમાં સર્વ પ્રાણીઓ ભમ્યા કરે છે. જીવ “સ્વભાવે સ્ફટિક મણિ જે નિર્મળ છે પણ તે ત્રણ દેષની ઉપાધિથી તદ્રુપપણે જણાય
છે. અહા ! આ આખું વિશ્વ રાજા વગરનું છે કે જેથી તેમાં રહેલાં પ્રાણીઓનું જ્ઞાન“સર્વસ્વ અને સ્વરૂપ તે લૂંટારાઓ જોત જોતામાં લૂંટી લે છે. જે પ્રાણીઓ નિગોદમાં છે અને જેઓ નજદીકમાં મુક્તિ જવાવાળા છે તે સર્વની ઉપર તેમની નિર્દય સેના આવીને પડે છે. શું તેમને મુક્તિ સાથે શૈર છે કે મુમુક્ષુ સાથે વૈર છે કે જેથી તે “બંનેને થતો પેગ તેઓ અટકાવે છે ?'
ઉત્તમ મુનિ બંને લેકમાં અપકાર કરનારા એ ત્રણ દોષથી જેવા ભય પામે છે તેવા “ વ્યાવ્ર, સર્પ, જલ અને અગ્નિથી ભય પામતા નથી. આ આ મહા સંકટવાળો માર્ગ “મહા યોગીઓએ આશ્રિત કરે છે, કે જેની બંને બાજુએ રાગદ્વેષરૂપ વ્યાવ્ર અને “સિંહ ઊભા છે. નિર્વાણપદની ઈચ્છા કરનારા પ્રમાદ રહિત પુરૂષોએ સમભાવને અંગીકાર “ કરીને એ રાગદ્વેષ રૂપ શત્રુનો જય કર.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણું લોકેએ દીક્ષા લીધી. પ્રભુને કુંભ વિગેરે તેત્રીશ ગણધર થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી તેમના પાદ પીઠ પર બેસીને કુભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. એ પ્રભુના તીર્થ માં ત્રણ નેત્રવાળો, શ્યામવર્ણ, શંખના વાહન પર બેસનારો, છ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, બાણ, ખગ, મુદ્દગ૨, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂલ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનાર પમુખ નામે યક્ષ શાસન દેવતા થયે અને નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં
૩૫
Page #301
--------------------------------------------------------------------------
________________
સગર જો
બીજોરૂ અને કમળ તથા એ વામ ભુજામાં પદ્મ અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામે શાસનદેવી થઈ. એ બંને શાસનદેવતા નિર'તર અરનાથ ભગઞ'તની સમીપે જ રહેતા હતા.
૨૭૪
એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં અન્યદા પદ્મિનીખડ નામે નગરની ખહાર સમાસર્યા. ત્યાં પ્રભુ દેશના આપીને વિરામ પામ્યા. પછી કુંભ ગણધરે સશયનો છેદ કરે તેવી દેશના આપી તે સમયે એક વામન પુરુષ ત્યાં આવી ધમ સાંભળવા બેઠા હતા. દેશનાને અંતે સાગરદત્ત નામના એક શેઠે કુભ ગણધરને નમસ્કાર કરીને કહ્યું કે-“હે ભગવન્ ! આ સ`સારની પ્રકૃતિથીજ સર્વ પ્રાણીઓ દુ:ખી તા હોય છે, પણ તેમાં હું સવથી વિશેષ દુ:ખી છું; મારે લેશ માત્ર સુખ નથી. મારે જિનમતી નામે સ્રી છે, તેના ઉદરથી રૂપવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરનારી પ્રિયદ્રુના નામે એક પુત્રી થઇ છે. તે પુત્રીએ સવ કલામાં અસમાન કુશલતા મેળવી છે અને વય, સ્વરૂપ તથા ચાતુ સંખ`ધી વિશેષ પ્રકારની શેાભા પ્રાપ્ત કરી છે. તેને માટે ચેાગ્ય વર નહી મળવાથી એકદા હુ દુ:ખી થઇને ચિ'તા કરતા હતા તે વખતે મારી પત્ની જિનમતીએ કહ્યું કે, ‘હે નાથ ! શી ચિંતા કરા છે ? ’ મેં કહ્યું-‘હે સુંદરી ! પુત્રી પ્રિયદનાને ચેાગ્ય વર શેાધતાં કાઇ મળતા નથી તેથી મને ચિલા થાય છે.' મારી સ્ત્રીએ કહ્યું-હે પ્રિય ! તેને માટે તમારે કોઇ શ્રેષ્ઠ વર શેાધવા કે જેથી આપણને પછી પશ્ચાત્તાપ થાય નહીં’ મે કહ્યું–‘હે પ્રિયા ! તે વિષે તે દૈવજ પ્રમાણુ છે. કેમકે સવ લોકો પોતાના હિતમાં તત્પર રહે છે, કોઇ પોતાને માટે થાડુ ઈચ્છતા નથી પરંતુ સૌને પોતપાતાના ભાગ્ય અનુસારેજ મળે છે, વધારે મળતું નથી.’
આ પ્રમાણે કહી હું ખજારમાં ગયા. ત્યાં માર્ગમાં તામ્રલિપ્તી નગરીથી આવેલા ઋષ ભદત્ત નામના એક મદ્ધિક સાવાને મેં દીઠા. સાધમીપણાને લીધે તે મારો પૂર્વે મિત્ર થયા હતા તેથી તેની સાથે સ્નેહ ભરેલા અને વ્યાપારના વૃત્તાંતે ગર્ભિત એવા કેટલાક વાર્તાલાપ થયા. પછી એક દિવસે કાઇ કારણને લઇને તે મારે ઘેર આવ્યા. ત્યાં મારી પુત્રી પ્રિયદર્શીનાની સામુ. ઘણીવાર સુધી તે જોઇ રહ્યો. પછી તેણે કહ્યું ‘આ કાની કન્યા છે ?' મેં કહ્યું-તે મારી કન્યા છે, પણ તમે ઘણીવાર સુધી તેની સામુ` કેમ જોયુ ?’ તે એલ્યા—“વીરભદ્ર નામે એક યુવાન અને નીતિમાન મારે પુત્ર છે. તે રૂપથી કામદેવને, કાવ્ય શક્તિથી કવિ (શુક્ર)ને, વકતૃત્વ શક્તિથી ગુરૂને, વિજ્ઞાન શક્તિથી વકીને, ગીતથી હૂહૂ ગંધ ને, વીણાથી તુ ખરૂને, નાટયકલાથી ભરતને અને વિનાદ ક્રિયાથી નારદને ઉલ્લંઘન કરે તેવા છે. ગ્રૂટિકાદિ પ્રયાગથી દેવની જેમ કામરૂપ છે. જગતમાં એવી કાઈ કળા નથી કે જે મારા પુત્ર વિધાતાની પેઠે જાણતા નથી. આજ સુધી તેને ચેાગ્ય એવી કાઇપણુ કન્યા મારા જોવામાં આવી નથી, પણ આ તમારી કન્યા તેને ચાગ્ય છે તે ચિરકાળે મારા જોવામાં આવી છે.” તે સાંભળી હું બાલ્યા—“આ મારી કન્યા કલાકૌશલ્યવડે શેભિત છે અને તેને ચેાગ્ય વર મેળવવા માટે લાંખા કાળ થયાં હું પણ ચિ'તાગ્રસ્ત છુ.. અનુકૂળ દેવના યાગથી આપણા બંનેને સુહૃદ સંબધ છે. તે આ બંને આપણા અપત્યને વરવધૂપણે સંબંધ ચિરકાળ પય ત જોડાઓ.” પછી આવી ચાગ્ય પુત્રવધૂના લાભથી હર્ષ પામી ઋષભદત્ત પેાતાની નગરીએ ગયા અને ત્યાંથી તેણે મોટી જાન સાથે પેાતાના પુત્ર વીરભદ્રને પરણવા માકલ્યા. વર તરીકે આવેલા વીરભદ્રમાં તેના પિતાએ કહેલા સવે રૂપ અને ગુણ જોઈ
૧ ઈચ્છીતરૂપ કરનારા,
Page #302
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૨૭૫
હું ઘણે આનંદ પામ્યું. પછી શુભ દિવસે કુલસ્ત્રીઓએ કરેલા માંગલિક આચાર પૂર્વક વરભદ્ર મારી પુત્રી પ્રિયદર્શનાને પરણ્ય. કેટલાએક દિવસ મારે ત્યાં રહી પછી વધુ સહિત તે પિતાની નગરીએ ગયે. માની પુરૂષો લાંબો કાળ કદીપણ સાસરાને ઘેર રહેતા નથી.
કેટલે એક કાળ ગયા પછી મારા સાંભળવામાં આવ્યું કે રાત્રિના છેલ્લા પહોરે પ્રિયદર્શનાને સૂતી મૂકીને તે વીરભદ્ર એકાકી ક્યાંય પણ ચાલ્યા ગયે છે. હમણું તેને ખબર આ વામન પુરુષ લાવે છે, પણ તે ફૂટ રીતે કહેતા નથી. માટે હે પ્રભુ! તમે ફૂટ રીતે કહે.” આ પ્રમાણે સાગરદત્ત શેઠે ભગવાન કુંભ ગણધરને વિજ્ઞપ્તિ કરી, એટલે કૃપાળુ મુનિ બેલ્યા- હે શ્રેષ્ઠિનું ! તારા જામાતા વીરભદ્રને તે રાત્રે એ વિચાર થયે કે “હું કળાઓનો પારદશી છું, મારે ઘણુ મંત્ર સિદ્ધ થયેલા છે, મેં દિવ્ય મૂટિકાના વિસ્મયકારી પ્રાગે જાણેલા છે, સર્વ પ્રકારના વિજ્ઞાનમાં મેં સંપૂર્ણ ચાતુર્ય મેળવ્યું છે. પરંતુ આ સર્વ મારું ચાતુર્ય અપ્રકાશિત હોવાથી નિરર્થક છે, કારણ કે અહીં વડિલેના સાનિધ્યપણુથી લજજાને લીધે હું નિયંત્રિત થયેલ છું. કૂવાના દેડકાની પેઠે અહીંજ પડયે રહેવાથી હું કાપુરૂષ જે થઈ ગયે છું; માટે અહીંથી બીજા દેશમાં જઈ મારા ગુણોને પ્રકાશિત કરૂં? આ પ્રમાણે વિચારી તે ઊભે થયે. ફરી તેને વિચાર થયો કે આ પ્રિયદર્શીના જે કૃત્રિમ નિદ્રા લેતી હશે તે મારા ગમનમાં વિન કરશે. એવું ધારી તેણે પિતાની પ્રિયાને કીડા કરવા માટે ઉઠાડવા માંડી. તે સમયે પ્રિયદર્શનાએ કહ્યું-“હે પ્રિય! મને માથામાં પીડા થાય છે. શા માટે મને કદર્થના કરે છે ?” વીરભદ્રે કહ્યું-કેના દેષથી મસ્તકપીડા થાય છે?” પ્રિયદર્શનાએ કહ્યું-“તમારા દોષથી.” વીરભદ્રે કહ્યું–મારો શે દેષ છે?” પ્રિયદર્શના બલી-“આ સમયે પણ તમે આવી ચાતુર્ય ભરેલી વાણી બોલે છે તે.” વીરભદ્રે કહ્યું- હે કાંતા ! કેપ કરશે નહીં, હવે ફરીવાર હું આવું નહીં કરું.’ આ પ્રમાણે સાભિપ્રાય વચને કહીને તેણે પ્રિયદર્શન સાથે અધિક વિષયક્રીડા કરી. પછી રતિશત થયેલી અને પોતાના પતિની વકૅક્તિ નહીં જાણતી પ્રિયદર્શના ગાઢ નિંદ્રાથી સુઈ ગઈ. જયારે તે સાચી રીતે ઉંઘી ગઈ ત્યારે દઢ રીતે દબાયેલું અંતરીય વસ્ત્ર છોડાવ્યા વગર તેને ઉંઘતી મુકીને વીરભદ્ર વીરની જેમ પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યો. પછી ગુટિકાના પ્રવેગથી તે શ્યામવર્ણ થઈ ગયે. વર્ણના ફારફરથી કાવ્યની જેમ રૂપ પણ બદલાઈ જાય છે.
વીરભદ્ર કુમાર વિદ્યાધરની જેમ ગ્રામ શહેર વિગેરેમાં પોતાના કળાકલાપને અને અતિ શય વિજ્ઞાનને બતાવતે ફરવા લાગે. પતિના જતા રહેવાથી પ્રિયદર્શના સાસુ સસરાની રજા લઈને પિતાને ઘેર આવી. “પતિ વિના કુલિન સ્ત્રીઓએ બીજે નિવાસ કરે ઉચિત નથી. અનુક્રમે ફરતો ફરતો વીરભદ્ર સિંહલદ્વીપમાં રત્નાકર નામના રાજાથી અધિષ્ઠિત એવા રતનાપુર નગરમાં આવ્યું. ત્યાં શંખની જેવા ઉજજવલ ગુણવાળા શંખ નામના શેઠની દુકાને જઈને બેઠે. તેને જોઈને હર્ષ પામેલા શેઠે પૂછયું કે “ભદ્ર ! તમે ક્યાંથી આવે છે ? વીરભદ્રે કહ્યું- તાત ! તામ્રલિપી નગરીથી મારે ઘેરથી રીસાઈને નીક છું અને ફરતે ફરતે અહીં આવ્યું છું.” શંખ શેઠ બોલ્યા-કુમાર ! તમે સુકુમાર છતાં આવી રીતે વિદેશગમન કર્યું તે સારું કર્યું નહીં. કે વત્સ! તું કાંઈ પણ અડચણ પામ્યા સિવાય અહીં મારી પાસે આવે, તેથી એમ જણાય છે કે તારૂં વાંકું કર્મ પણ દેવે સરળ ક્યું છે. આ પ્રમાણે કહી શંખશેઠ તેને પોતાને ઘેર લઈ ગયે; અને પુત્રની
૧ કાવ્યપક્ષે વર્ણ એટલે અક્ષર લેવા.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સર્ગ ૨ જે
પેઠે સ્નાનભેજન કરાવીને પછી નેહથી કહ્યુંહે પુત્ર ! મારે પુત્ર નથી, તે તું જ મારે પુત્ર છે. માટે આ મારા વૈભવને સ્વામી થઈ તેને ઈચ્છા પ્રમાણે ભોગવ અને દાનવિલાસથી દેવ સમાન સમૃદ્ધિને ભોગવતાં મારાં નેત્રને પ્રસન્ન કર. હે વત્સ ! આ જગત્માં ધન સુલભ છે પણ તેને ભોક્તા પુત્ર દુર્લભ છે.” તે સાંભળી વીરભદ્રે નમ્રતાથી કહ્યું- પિતાને ઘરમાંથી નીકળીને પાછો હું પિતાના ઘરમાંજ આવ્યો છું, હું તમારી આજ્ઞા માં વર્તનાર અને સર્વદા તમારો શિષ્ય છું. ઔરસપુત્ર પાપપુત્ર કહેવાય છે અને હું તો તમારે ધર્મપુત્ર છું.’
પછી વીરભદ્ર શેખ શેઠને ઘેર સુખે રહીને પિતાની કળાવિજ્ઞાનની કુશળતાથી નગરજનોને વિસ્મય પમાડવા લાગ્યો. ત્યાંના રાજા રત્નાકરને સર્વ વિશ્વમાં સુંદર અનંગસુંદરી નામે એક પુરૂષષિણી પુત્રી છે. તેના પાસે શંખશેઠની વિનયના સ્થાન જેવી વિનયવતી
ની પુત્રી પ્રતિદિન જતી હતી. એકદા વિનયવતીને વીરભદ્રે પૂછયું કે “બેન ! તમે નિત્ય ક્યાં જાઓ છો ?” એટલે વિનયવતીએ બ્રાતૃનેહથી જે યથાર્થ હતું તે કહી આપ્યું. વીરભદ્રે પૂછયું–બેન ! તારી સખી કેવા વિનોદથી પિતાનો કાળ નિર્ગમન કરે છે ? વિનયવતી બેલી-વીણ વિગેરે વાજિંત્રોના વિનોદથી.” વીરભદ્ર બોલ્યો ત્યારે હું ત્યાં આવીશ.” વિનયવતીએ કહ્યું- એક નાના બાળક પુરૂષનો પ્રવેશ પણ ત્યાં થતો નથી તે તમારે પ્રવેશ ત્યાં શી રીતે થાય ? વીરભદ્રે કહ્યું- હું વધૂનું સ્વરૂપ ધારણ કરીશ.” પછી વિનયવતીની તેમાં સંમતિ થઈ, એટલે વીરભદ્ર સિદ્ય સ્ત્રીવેષ ગ્રહણ કર્યો. તેવી રીતે અંતઃપુરમાં જતાં અનંગસુંદરીએ પૂછ્યું- સખિ ! આ તારી સાથે બીજી સ્ત્રી કોણ છે? વિનયવતી બેલી-એ મારી બેન છે.” પછી અનંગસુંદરીએ નવીન સુંદર વર્ણની એક ફલક ઉપર વિરહ પીડિત હંસલી ચિતરવા માંડી. તે વખતે સ્ત્રી રૂપ વીરભદ્રે કહ્યું- તમે આ વિરહ પીડિત હંસલીને ચિતરવાનો આરંભ કર્યો છે, પણ તેની દષ્ટિ વિગેરે બરાબર જોઈએ તેવી થતી નથી.’ ‘ત્યારે ત્યે આ ચિત્ર તમે આલેખે.” એમ કહી અનંગસુંદરીએ વિવિધ વર્ણ સાથે તે ફલક ( પાટીયું ) વીરભદ્રને આપ્યું. એટલે વીરભદ્ર તત્કાળ બરાબર તાદશ હંસલી આલેખીને અનંગસુંદરીને આપી. તેને બરાબર નીરખી–જોઈને અનંગસુંદરી બલીઅહો ! અંદરના ભાવને પ્રકાશ કરે તેવી આ ચિત્રમાં કુશળતા ઘણી સારી વાપરી છે. જુ, આ તેની દષ્ટિ અશ્રુજળના બિંદુને વર્ષાવી રહી છે, વદન ગ્લાનિ પામેલું છે, ચંચુ કમળનાળને શિથિલપણે રાખી રહેલ છે, ગ્રીવા શિથિલ થઈ ગઈ છે અને પાંખે ઉડવાને અસમર્થ લાગે છે. આ શન્ય સ્થિતિ કહ્યા વગરજ તેની વિરહ અવસ્થાને સપષ્ટ રીતે સૂચવે છે.
પછી અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું-સખિ ! આવી કળા જાણનારી આ તારી બેનને તુ આટલા વખત સુધી અહીં કેમ લાવી નહોતી ? ઘરમાં ગુપ્ત રીતે શામાટે રાખી હતી ?” વીરભદ્રે કહ્યું– ગુરૂજનની શંકાને લીધે મારી બેન મને અહી લાવતાં નહીં. તે વિના બીજું કાંઈ કારણ નથી.” અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું–‘હવે પ્રતિદિન તમારી બેનને તમારે સાથે લઈને આવવું. હે સુંદરી ! આનું નામ શું છે ?” વીરભદ્ર સત્વર બે કે “ મારું નામ વીરમતી છે.” રાજપુત્રીએ ફરીથી પૂછ્યું–‘તમે બીજી કઈ કળા જાણો છો ?” વિનયવતી બલી-થોડા કાળમાં જે હશે તે તમારા જાણવામાં આવશે. બીજાના માત્ર કહેલા અદ્દભુત ગુણમાં તત્કાળ પ્રતીતિ થતી નથી.” “ઘમતુ' એમ કહી અનંગસુંદરીએ ખુશી થઈ સત્કાર કરીને વિનયવતી અને વીરમતીને વિદાય કરી.
Page #304
--------------------------------------------------------------------------
________________
પવું ૬ હુ
૨૭૭
ઘેર આવી વેષ બદલી પિતૃભક્તિમાં બંધાયેલે વીરભદ્ર શેઠની દુકાને ગયે. શેઠે પૂછયું વત્સ ! આટલીવાર ક્યાં રહ્યો હતો ? અહીં તારે માટે પૂછનારા પુરૂષને ઉત્તર આપીને હું કંટાળી ગયો છું.' વીરભદ્ર બ -પિતાજી ! હું ઉદ્યાનમાં ગયે હતે.” શેઠે કહ્યું ત્યારે તે બહુ સારું કર્યું?
બીજે દિવસે પાછો કલાનિધિ વીરભદ્ર સ્ત્રીવેષ લઈ અંતઃપુરમાં ગયે. ત્યાં અનંગસુંદરીને વીણા વગાડતી જોઈ વીરભદ્રે કહ્યું- હે સુંદરી ! આ વીણા બરાબર સ્વર આપતી નથી. તેમાં કઈ મનુષ્યને વાળ ભરાઈ ગયા છે.” અનંગસુંદરીએ પૂછ્યું- તમે કેવી રીતે જાણ્યું ?' વીરભદ્રે કહ્યું-‘તમે તેને બજાવે છેત્યારે તેમાં જે રાગને નિર્વાહ જોવામાં આવે છે. તે ઉપરથી મારા જાણવામાં આવ્યું છે.' પછી રાજપુત્રીએ તે વીણું વીરભદ્રને આપી. એટલે તત્કાળ તેને જાણનારા વીરભદ્રે તે ઉખેળી નાખી અને મનુષ્યના હૃદયમાંથી શલ્યની જેમ તેમાંથી મનુષ્યનો વાળ કાઢીને બતાવ્યું. એટલે તે આશ્ચર્ય પામી. પછી તેને સારી રીતે ગોઠવી, દંડ સાથે બાંધી તૈયાર કરીને, પ્રવીણતાથી તુંબરું ગંધર્વને જીતનારા વીરભદ્રે તે વીણા વગાડવા માંડી. સારણીવડે શ્રુતિઓને સ્કુટ કરનારા સ્વરો અને ધાતુ તથા વ્યંજનને સ્પષ્ટ કરનારા તાન ઉત્પન્ન કર્યા. વાદ્યના સર્વ પ્રકારને આશ્રયીને શ્રવણમાં અમૃતરૂ૫ સર્વ સકલ અને નિષ્કલ રાગો વીણામાં જણાવી દીધા. તે સાંભળી અનંગસુંદરી અને સર્વ સભા હર્ષોત્કર્ષને ધારણ કરીને મૃગેની જેમ ચિત્ર લિખિત હોય તેમ સ્થિર થઈ ગઈ. તે વીણગીત સાંભળી રાજપુત્રી વિચારમાં પડી કે આવું ગુણવાનું પાત્ર દેવતાને પણ દુર્લભ છે. આ સ્ત્રી વિના મારે જન્મ નિરર્થક છે. “સકળા પણ પ્રતિમા પુષ્પમાળાથી જ શોભે છે.” આ પ્રમાણે અવસરે અવસરે બીજી કળાઓમાં વીરભદ્ર પિતાની પ્રવીણતા બતાવી તેના મનરૂપ વિત્તને ચેરી લીધું.
એક વખતે અનંગસુંદરીને પિતા માં અનુરક્ત થયેલ જાણી વીરભદ્રે એકાંતમાં શંખ શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું-“પૂજ્ય પિતાજી! બેન વિનયવતીની સાથે હું સ્ત્રીને વેષ લઈ પ્રતિદિન અનંગસુંદરીની પાસે જાઉ છું, પણ તેથી તમે ભય રાખશો નહીં. હું જે કરીશ તે એવી રીતે કરીશ કે જેથી કોઈ જાતને અનર્થ નહીં થાય પણ તમારી મહૉટાઈ વધશે. જે રાજા પિતાની કન્યા મને આપવાને આપની પાસે પ્રાર્થના કરે તો પ્રથમ તમે તે માન્ય કરશે નહીં. જ્યારે અતિ આગ્રહ કરે ત્યારે માન્ય કરજે.” શેઠે કહ્યું-વત્સ! તું બુદ્ધિથી અધિક છે, તેથી સર્વ સમજે છે; અમે તે એટલું કહીએ છીએ કે તારે પિતાનું કુશળ થાય તેમ કરવું. પછી વીરભદ્રે કહ્યું-“પિતા ! તમે ઉગ કરશે નહીં. હવે થોડા કાળમાં તમારા પુત્રનું શુભ પરિણામવાળું શુભ કાર્ય જશે.” શેઠે કહ્યું- તે બાબત તું જાણે.' એમ કહી શંખશેઠ મૌન ધરીને રહ્યા.
તે સમયે રત્નાકર રાજાની સભામાં વાર્તા થઈ કે “તામ્રલિપ્તી નગરીથી કોઈ યુવાન પુરૂષ શંખશેઠને ઘેર આવેલ છે, તે પ્રતિદિન નગરમાં વિચિત્ર કળાઓ બતાવી સર્વને વિમિત કરે છે. તે વિદેશી છે, તેથી તેની જ્ઞાતિ જણાતી નથી પણ તેની આકૃતિ તે
હોટા કુળમાં ઉત્પન્ન થયે છે એમ કહી આપે છે.” રાજા વિચારવા લાગ્યો કે “રૂપમાં કામદેવ, જે સદાચારવાળો, સારી આકૃતિવાળો, કળાને રત્નાકર અને સદ્દબુદ્ધિવાળે એ યુવાન પુરૂષ જે મારી પુત્રીને રૂચે તે તેને સંબંધ જોડનાર વિધાતાનું તે કાર્ય દેષવાળું ન ગણાય.”
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સર્ગ ૨ જે અહીં એક વખતે વીરભદ્રે અનંગસુંદરીને એકાંતમાં કહ્યું- હે સખિ ! તમારી પાસે આવી સામગ્રી છતાં તમે ભેગથી વિમુખ કેમ છો?” અનંગસુંદરી બેલી- બેના ભેગ કોને વહાલા ન હોય? પણ પિતાને ગ્ય કુલીન પતિ મળવો દુર્લભ છે. મણિ એકલો સારે, પણ કાચની મુદ્રિકા સાથે જડાએલે સારે નહીં; નદી જળ રહિત સારી, પણ ઘણું જળ જતુઓથી આકુળ સારી નહીં; શાળા શૂન્ય સારી, પણ તસ્કર લે કોથી ભરપૂર સારી નહીં; વાડી વૃક્ષવગરની સારી, પણ વિષવૃક્ષવાળી સારી નહીં; તેમ રૂપ-યૌવનવાળી સ્ત્રી પરણ્યા વગરની સારી, પણ અકુલીન અને કળા રહિત પતિથી વિડબિત થયેલી સારી નહીં. હે સખિ ! આટલા વખત સુધી હજુ કઈ ગ્ય વર મારા જેવામાં આવ્યું નથી, તે અ૫ ગુણવાળા પતિને વરીને હું ઉપહાસ્યનું પાત્ર કેમ થાઉં ?” વીરભદ્ર બોલ્યો“સખિ ! યોગ્ય વર મળે તે જ સારું, પણ યોગ્ય કઈ વર નથી” એવું બોલશે નહીં; કેમકે આ પૃથ્વી બહુ રનવાળી છે. તમારે માટે યોગ્ય વર હું હમણાં જ શેધી લાવું, પણ તમે અરોચક થઈ ગયા છે, તેથી તમને ભેગ રૂચશે નહીં.” અનંગસુંદરી એ કહ્યુંસખી! આવી આશા આપી મારી જીહાને શા માટે ખેંચે છે ? અને આવું મિથ્યા કેમ બેલે છે ? જે તારું કહેવું સાચું હોય તે મને યોગ્ય એ વર બતાવ કે જેથી મારાં કળા, યવન, રૂપ વિગેરે સર્વ કૃતાર્થ થાય.” આ પ્રમાણે વીરભદ્રને કહ્યું, એટલે તેણે પિતાનું રૂપ બતાવ્યું. તત્કાળ અનંગસુંદરી બોલી કે “હવે હું તમારે આધીન છું. તમે મારા પતિ છો.” વીરભદ્રે કહ્યું-“તથાકતુ” પણ તમને અપવાદ ન લાગે માટે હવેથી હું અહીં આવીશ નહીં, તમારે તમારા પિતાને આ વાર્તા જણાવવી. જેથી રાજા શંખઠીને અપરાધ ન ગણે અને ઉલટા તેને બોલાવી “અનંગસુંદરી વીરભદ્ર માટે ગ્રહણ કરે એમ આગ્રહ સાથે કહે. અનંગસુંદરીએ તેમ કરવા કબૂલ કર્યું, એટલે વીરભદ્ર પિતાને ઘેર ગયે.
પછી અનંગસુંદરીએ તત્કાળ પિતાની માતાને બે લાવીને આ પ્રમાણે કહ્યું કે-“ હે માતા ! આટલો વખત યોગ્ય વરના અભાવથી કેવલ માતપિતાને હૃદયમાં શલ્યની જેમ ખેદને માટેજ હું થઈ પડી હતી, પણ હવે કળા, રૂપ પ્રમુખ ગુણોથી મારે યોગ્ય એ શંખશેઠનો પુત્ર વીરભદ્ર નામે એક ઉત્તમ વર મેં શોધે છે માટે આજને આજ એ ગુણી વર મને આપ. તમે પોતે મારા પિતાને વિજ્ઞપ્તિ કરે છે તે મારે માટે તેના પિતા શંખશેઠની પ્રાર્થના કરે.” આવાં વચન સાંભળતાં જ રાણી ખુશ થઈ, તત્કાળ રાજા પાસે આવી કહ્યું કે “સ્વામી ! વધામણી છે, સારે ભાગ્યે આપણી પુત્રીને યોગ્ય વરને લાભ થયો છે. અનંગસુંદરીએ પિતાની મેળે પરીક્ષા કરીને શંખશેઠના યુવાન પુત્ર વીરભદ્રને યોગ્ય વર તરીકે પસંદ કર્યો છે. રાજાએ કહ્યું- આ વિષેજ હું ચિંતવન કરતા હતા,
ત્યાં ચિંતામણિ કે કામધેનું હોય તેમ તમે આવી પડ્યાં, અહા ! પુત્રીનું વરની પરીક્ષા કરવામાં કેવું ઔય અને ડહાપણ છે કે જેણે આટલો કાળ ખમીને છેવટે આવા યોગ્ય વરને પસંદ કર્યો !” તત્કાલ રાજાના આમંત્રણથી ઘણું ધનાઢય વણિકેથી પરવરેલો શંખશે ત્યાં આવ્યો. તેણે રાજાને પ્રણામ કર્યો. રાજા રત્નાકરે શંખશેઠને કહ્યું- તામ્રલિપ્તી નગરીથી કઈ યુવાન પુરૂષ તમારે ઘેર આવ્યો છે તે સર્વ કળાસાગરના પારને પામેલે, અદ્વૈત સૌદર્ય વાળ અને ગુણગણથી ઉત્તમ છે એમ સાંભળવામાં આવ્યું છે.” શંખશેઠે કહ્યું- હે દેવ ! તેને ગુણે લોકો જાણે છે.” રાજાએ કહ્યું- તે તમારી આજ્ઞા માં છે કે નહીં? શંખશેઠે કહ્યું- સ્વામી ! તે વિષે વધારે શું કહું ? સર્વ જન તેના ગુણથી ખરીદ થઈ તેને જ વશ રહે છે.” રાજાએ કહ્યું-“શેઠજી ! મારી પુત્રી અનંગસુંદરી છે, તેને વીરભદ્રને માટે તમે
Page #306
--------------------------------------------------------------------------
________________
પવ ૬ ઠું
આજેજ ગ્રહણ કરી; તે બંને યોગ્ય વરવધૂનો ચિરકાળે યાગ થાઓ.' શેઠ મેલ્યા- હું પ્રભુ ! તમે અમારા સ્વામી છે, અને અમે તમારી પાળવા યોગ્ય પ્રજા છીએ; તેથી આપ કહેા છે તે સ'ભ'ધ અઘટિત છે. સંબંધ અને મિત્રતા સરખે સરખામાંજ શેાલે છે.' રાજાએ કહ્યું- શેઠજી ! શુ' યુકિતવડે મને ના કહે છે ? જાઓ, મારી આજ્ઞા નિર્વિચારે કરો. અહીંથી જઈને સત્વર સજ્જ થાએ.’ રાજાની આજ્ઞા માન્ય કરી શ`ખશેઠ ઘેર આવ્યા, અને રાજાના શાસનનો સર્વ વૃત્તાંત વીરભદ્રને કહ્યો. પછી શુભ દિવસે શુભ લગ્નમાં અનંગસુંદરી અને વીરભદ્રનો મોટી સમૃદ્ધિથી વીવાહાત્સવ થયા. એ સ્વયંવર વધ્રૂવર સરખે સરખા હોવાથી તેમની પરસ્પર પ્રીતિ દિવસે દિવસે અધિક વધવા લાગી. વીરભદ્રે નિત્ય જૈન ધર્મના ઉપદેશ આપી અન’ગસુંદરીને શ્રાવિકા કરી દીધી. સત્પુરૂષોના સંગ આલોકમાં તે શું પણ પરલોકમાં પણ સુખને માટે થાય છે, એક વસ્ત્ર ઉપર શ્રી અર્હતની પ્રતિમા અને ચતુર્વિધ સંઘના ચિત્ર આળેખી વીરભદ્રે રાજકુમારીને અણુ કર્યા અને પછી સારી રીતે તેની સમજુતી આપી.
૨૭૯
એક વખતે વીરભદ્રને વિચાર થયા કે “ આ સ્ત્રી મારી પર સ્નેહ ધરે છે એમ દેખાય છે, પણ પ્રકૃતિએ ચપળ એવી સ્ત્રીઓની સ્થિરતાને માટે નિશ્ચય સમજવા નહી. ભવતુ, હું આ સ્ત્રીનો આશય કોઈ યુક્તિએ જાણીશ. ” આવા વિચાર કરી એ તુર સુંદર વિણકુમારે અનંગસુંદરીને કહ્યુ-“ હે પ્રિયતમા ! મને તમારા શિવાય બીજુ કાંઈ પણ પ્રિય લાગતું નથી, તથાપિ હવે સ્વદેશમાં જવાને માટે તમારી રજા લઉં છું. કારણકે મારા માતાપિતા મારા વિયાગથી પીડિત થઇ અતિ દુઃખી થતાં હશે માટે હું જઈને તેમને આશ્વાસન આપું. હે સુંદર બ્રશુટીવાળી સ્ત્રી! તમે અહીં જ રહેજો, હું જઇને તત્કાળ પાછા આવીશ. કેમકે તમારા વિના ખીજે ઠેકાણે રહેવાને હું સમ નથી. ” ત્યારે અન ́ગસુ દરી ગ્લાન વદને એલી–“ સ્વામી ! તમે બહુ સારૂં કહ્યું, જે સાંભળતાં જ મારા પ્રાણ જાણે જવાને ઈચ્છતા હોય તેમ લાગે છે. તમે આવું કહેવાને શક્તિમાન થયા, તે ઉપરથી એમ જણાય છે કે તમે કઠિન હૃદયવાળા છે. જો હું તમારા જેવી હોત તે તમારાં આવાં વચન સાંભળવાને શક્તિવાન થાત. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી વીરભદ્રે કહ્યુ‘ પ્રિયા ! કાપ કરશેા નહીં, તમને સાથે લઈ જવાને માટે જ મેં આ ઉપાય કર્યા છે.
,,
પછી વીરભદ્ર અનંગ સુંદરી સાથે સ્વદેશ પ્રત્યે જવાને માટે રત્નાકર રાજાની આગ્રહ પૂર્ણાંક રજા માગી. રાજાએ પ્રિયા સહિત વીરભદ્રને માંડ માંડ વિદાયગિરી આપી. પુત્રી અને જામાતાનો વિરહ કેને દુઃસહ નથી ?’ પછી તે દુ‘પતી વહાણમાં બેસીને જળમાગે ચાલ્યા. સાહસિક પુરૂષાની ગતિ જળના માં અને સ્થલમાર્ગમાં સખીજ હોય છે, જેમ ધનુષ્યથી છૂટેલું ખાણુ હાય અને માળામાંથી ઉડેલું પક્ષી હોય તેમ અનુકૂળ પવને પ્રેરિત વહાણુ સમુદ્રમાં ચાલ્યું. વહાણ કેટલેક દૂર ગયું તેવામાં એકદા કલ્પાંત કાળની જેવો મહાપવન વાવા લાગ્યા. કલ્પાંતકાળની જેમ અતિ ભયકર થઇને ઉછળતા સમુદ્રે હાથી જેમ તૃણના પૂળાને ઉછાળે તેમ વહાણને ઉછાળવા માડયું. વારવાર ઉછળતુ· તે વહાણ ત્રણ દિવસ પંત ભમી ભમીને છેવટે પથ્થરપર પડી ગયેલા પક્ષીના ઈડાની જેમ ભાંગી ગયું. તત્કાળ અનંગસુંદરીને તેનુ એક પાટીયુ' મળ્યુ’. ‘ આયુષ્ય તૂટ્યા વગર મૃત્યુ થતું નથી,' તેથી હંસલીની જેમ કલ્લાલથી ઉછાળા ખાતી ખાતી અન ગસુંદરી પાંચ રાત્રે
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સ ૨ જો
i
એક વનવાળા સમુદ્રના કાંઠા ઉપર નીકળી. પેાતાના સબંધીઓના વિયાગથી, વિદેશ ગમનથી, પ્રિયના વિયોગથી, વહાણના ભાંગવામી, ધનના ક્ષયથી, તરંગ સાથે અથડાવાથી અને ક્ષુધા તથા તૃષાથી વિધુર થઈ ગયેલી અનગસુંદરી જાણે જળ બહાર નીકળેલી જળમાનુષી હોય તેમ સંજ્ઞા રહિત થઈ મૂર્છા પામી કિનારા પર પડી ગઈ. તેને કાઈ સ્વભાવિક દયાળું તાપસકુમારે આદ્ર ષ્ટિએ જોઇ, પછી તેને ઉડાડી મ્હેનની જેમ તે પેાતાને આશ્રમે લઈ ગયો. ત્યાં તેને કુળપતિએ કહ્યું કે ‘ પુત્રી ! અહીં વિશ્વાસ ધરીને રહેા.' તાપસીએએ પાલન કરેલી તે કેટલાક દિવસ સુધી પિતાના ઘરની પેઠે ત્યાં રહીને સ્વસ્થ થઈ. તેના અતિશય રૂપથી તાપસે વિચાર કર્યા કે ‘જો આ સુંદર સ્ત્રી નિત્ય અહીં રહેશે તે તાપસાની સમાધિના ભંગ થશે.’ આવું ધારી વૃદ્ધ તાપસે અનંગસુંદરીને કહ્યું–“ હે વત્સે! અહીંથી નજીક એક પદ્મિનીખડ નામે શહેર છે, ત્યાં પ્રાય: ધનાઢય લોકો વસે છે, તેથી ત્યાં રહેવાની તમને વિશેષ સ્વસ્થતા થશે, અને તમને ત્યાં તમારા ભર્તારને સમાગમ પણ અવશ્ય થશે; માટે વૃદ્ધ તાપસેાની સાથે ત્યાં જાઓ.' આવી કુળપતિની આજ્ઞાથી અનંગસુંદરી વૃદ્ધ તાપસેાની સાથે પદ્મિનીના ખડમાં જેમ હંસલી આવે તેમ પદ્મિનીખંડ નગર પાસે આવી. ‘ આપણે નગરમાં પ્રવેશ કરવા ચાગ્ય નથી' એવું ધારી તાપસો તેને નગરની પાસે મૂકીને પાછા ગયા. તે વખતે દૃષ્ટિપાતથી આકાશને કુમુદવાળી કરતી હોય તેમ દિશાએને જોતી અનગસુંદરી યૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી હોય તેવી દેખાવા લાગી. તે સમયે દૈચિતાર્થે આવતા, સાધ્વીઓથી પરવરેલા સુત્રતા નામે ગણિની જાણે પેાતાની માતાને દેખે તેમ તેના જોવામાં આવ્યા. તેને જોતાંજ તેને સ્મરણ થયું કે ‘ આવા નિર્દોષ અને જગવંદ્ય સાધ્વીએ મારા પતિ વીરભદ્રે પટમાં ચીતરીને ખતાવ્યા હતા.' પછી પૂર્વ વિધિના અભ્યાસથી તેમની પાસે આવીને સુત્રતા ગણિનીને અને બીજી સાધ્વીઓને તેણે વંદના કરી. પછી અંજળિ જોડીને કહ્યુ` કે માતા ! માંરા વચનથી સિ'હલદ્વીપના રૌત્યને વંદના કરો. તે ચૈત્યો બહુ સુ ંદર અને વિસ્તારવાળાં છે.’ સુત્રતા ગણની ખેલ્યાં – શુ તમે સિ'હલદ્વીપથી આવ્યા છે! ? અહીં એકલા કેમ છે ? તમારી આકૃતિ પરિવાર રહિત મનુષ્ય જેવી નથી.' ‘ હું સ્વસ્થ થયા પછી સર્વ વૃત્તાંત કહીશ ’ એમ તેણે કહ્યું, એટલે સુવ્રતા ગણિની તેને સાથે લઈ તરતજ પેાતાને ઉપાશ્રયે ગયા. ત્યાં અસાધારણ ભક્તિથી સાધ્વીઓને વંદના કરતી અનંગસુદરીને તમારી પુત્રી પ્રિયદર્શનાએ દીઠી. પછી સુત્રતા અને પ્રિયદર્શીનાના પૂછવાથી તેને સુત્રતાનું દર્શન થયું ત્યાં સુધીનો પેાતાના સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી પ્રિયદર્શીનાએ કહ્યું– હે સુંદરી ! તારા પતિ વીરભદ્રના સર્વ કળા વિગેરે ગુણા તા મારા પતિ વીરભદ્ર સાથે મળતા છે, પણ તેને વર્ણ કેવા છે ?' અનગ સુંદરીએ કહ્યું-‘તેને શ્યામવર્ણ છે,’પ્રિયદર્શીના ખેલી— હે વર્ણની ! મારા પતિને ફક્ત વર્ણ જુદો પડે છે, બાકી સ મળતું છે.’ ગણિની બાલ્યા- વત્સે ! આ પ્રિયદર્શીના તારી ધ ભગની થાય છે, તેથી ધર્મક્રિયામાં તત્પર થઇ તેની સાથે રહે.' આ પ્રમાણે સુત્રતા અને પ્રિયદર્શનાના કહેવાથી, દર્શન કરતાંજ અતિ વાત્સલ્ય બતાવેલ હોવાને લીધે અનંગસુંદરી ત્યાંજ રહી.
.
અહી' વીરભદ્ર વહાણ ભાંગી ગયા પછી સમુદ્રના તર'ગાએ અનેક પ્રકારે તાહિત કર્યાં છતાં પણ એક પાટીયા ઉપર લગ્ન થઇ રહ્યો. સાતમે દિવસે તે રતિવલ્લભ નામે એક વિદ્યા ધરના જોવામાં આવ્યેા. તેથી તે વિદ્યાધરે તેને તરતજ સમુદ્રમાંથી કાઢયા, અને બૈતાઢય
૧ સાધ્વી ગણ ( સમુદાય ) માં મુખ્ય,
Page #308
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૧૮૧
ગિરિ ઉપર લઇ ગયા. તે અપુત્ર હાવાથી હર્ષ પામીને તેણે મદનમષા નામની પોતાની પ્રિયાને પુત્ર તરીકે અર્પણ કર્યાં. તેઓના પૂછવાથી વીરભદ્રે પેાતાની સ્ત્રીના અને પેાતાના સમુદ્રમાં વહાણ ભાંગવા સુધીના સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યા. પછી તેણે કહ્યું-‘હું પિતાજી ! યમરાજના મુખમાંથી ખેચી લાવે તેમ તમે મને સમુદ્રમાંથી ખેંચી લાવ્યા, પણ મારી સાથે ડૂબેલી અન ગસુંદરીનું શું થયુ' તે તમે કા.' તે સાંભળી રતિવલ્લભ વિદ્યાધરે આભાગિની વિદ્યાથી જાણી લઇને કહ્યું--‘વત્સ ! તારી પ્રિયા અન’ગસુ ંદરી અને પ્રિયદર્શીના પદ્મિનીખંડ નગરને વિષે સુત્રતા સાધ્વીના ઉપાશ્રયમાં એ મ્હેનેા હોય તેમ સાથે રહીને ધર્મ આચરે છે.’ અને પત્નીઓની આવી કલ્યાણ વાર્તા સાંભળી જાણે સ` અંગમાં અમૃત સિંચન થયું. હોય તેમ વીરભદ્ર ખુશી થયા. સમુદ્રમાંથી બહાર નીકળતાંજ તેણે શ્યામવણું કરનારી ગુટિકા દૂર કરી હતી એટલે તેના સહજ ગૌરવર્ણ થઇ ગયેલેા હતા. પછી તિવæલે વજ્રવેગવતી નામની પોતાની પત્નીના ઉદરમાંથી જન્મેલી રત્નપ્રભા નામની પેાતાની પુત્રી વીરભદ્ર સાથે પરણાવી. વીરભદ્ર પેાતાનુ બુન્દ્રાસ એવું નામ જણાવી રત્નપ્રભાની સાથે વિષયસુખ અનુભવવા લાગ્યા.
એક વખતે વિદ્યાધરાને એકઠા થઇને કાંઈક જતાં જોઇ, વીરભદ્રે રત્નપ્રભાને પૂછ્યું કે · આ સર્વે વેગથી કયાં જાય છે ?” રત્નપ્રભાએ કહ્યું- હે પ્રિય ! આ વિદ્યાધરા આ ગિરિ ઉપર રહેલા શાશ્વત અંતની યાત્રા કરવા માટે વેગથી જાય છે.’ આ પ્રમાણે સાંભળતાંજ શ્રાવક બુદ્ધુદાસ રત્નપ્રભા પ્રિયાની સાથે બૈતાઢય ગિરિના શિખર ઉપર ગયા અને ત્યાં ભક્તિથી શાશ્વત અતના ચૈત્યાને વંદના કરી, રત્નપ્રભાએ પણ દેવની આગળ ગીત નૃત્યાદિ કર્યું. બુદ્ધદાસે કહ્યું–‘ હે પ્રિયા ! આ દેવ મને તેા અપૂ` લાગે છે, કારણ કે હું સિ'હલદ્વીપને નિવાસી છું, તેથી મારા કુલદેવતા તા યુદ્ધ છે.' રત્નપ્રભા ખાલી—‘હે નાથ ! તેવા હેતુથીજ હું આ પ્રમાણે કહું છું કે આ દેવાધિદેવ પ્રભુ અમારા અપૂર્વ દેવ છે, અને તે અરિહંત પ્રભુ સજ્ઞ, રાગાદિ દોષને જીતનાર, બૈલેાકયપૂજિત અને યથાસ્થિત અના કહેવાવાળા છે. બીજા જે બુદ્ધ અને બ્રહ્માદિક છે તે દેવ નથી, કારણ કે તે સ'સારના આવત્ત માં પાડનારા છે અને પોતાને માદિ દોષ રહેલા છે એમ સૂચવનારા અક્ષસૂત્ર વિગેરેને ધારણ કરનારા છે.' આ પ્રમાણે પ્રતિદિન વિચિત્ર ક્રીડાવડે ક્રીડા કરતા અને રતિસાગરમાં મગ્ન મચેલા યુદ્ધદાસ અને રત્નપ્રભાના કેટલાક કાળ વ્યતીત થયા.
એક વખતે રાત્રિના શેષ ભાગે વીરભદ્રે રત્નપ્રભાને કહ્યું– હે પ્રિયે ! ચાલેા આજે દક્ષિણ ભરતા માં ક્રીડા કરવા જઇએ.' રત્નપ્રભાએ તેમ કરવા હા પાડી એટલે તે દંપતી વિદ્યાવડે આકાશમાર્ગે થઇ દ્મિનીખડ નગરમાં સુત્રતા સાધ્વીને ઉપાશ્રયે આવ્યા. ઉપાશ્રયના દ્વારે ઉભા રહી વીરભદ્રે રત્નપ્રભાને કહ્યું-‘હું જરા દિશા જઇને આવું ત્યાં સુધી તુ' અહીજ રહેજે.' એમ કહી કેટલીક ભૂમિ ચાલી તેનુ રક્ષણ કરવાને માટે રાજાના બાતમીદારની જેમ સ`તાઇને ઉભા રહ્યો. ક્ષણવાર પતિ વગર એકલી રહેતાંજ તેણે ચક્ર વાકીની જેમ તારસ્વરે રૂદન કરવા માંડયું. ‘સ્ત્રીઓના એવા સ્વભાવ જ છે.' તેના કરૂણસ્વરને સાંભળીને કરૂણાની સરિતારૂપ ગણની સુત્રતાએ પેાતેજ ઉપાશ્રયનાં દ્વાર ઉઘાડયાં. એટલે તેને રાતી જોઈ સાધ્વીએ પૂછ્યું- વસે ! તું કાણુ છે ? કયાંથી આવી છે ? એકાકી કેમ છે ? અને શા માટે રૂદન કરે છે ?’ રત્નપ્રભાએ નમસ્કાર કરીને કહ્યું–“ બૈતાઢય પર્વત ઉપરથી મારા પતિની સાથે હું અહી' આવી છું. મારા પતિ દિશા જવાને માટે
૩૬
Page #309
--------------------------------------------------------------------------
________________
ર૮ર
સર્ગ ૨ જે.
અહીંથી ગયા છે તેને ઘણીવાર થઈ. તે મારા વિના એક મુહૂર્ત વાર પણ રહી શકતા નથી. તેથી હે માતા ! આ વિશે હું આતુર થઈને તેમાં હોટું કારણ હોય એવી આશંકા કરું છું. આ વખતે મારું મન તપેલા સ્થાનમાં રહેલા નકુલ (નળીઆ )ની જેવું તલખે છે, તેથી હવે પ્રાણ ધારણ કરવાને પણ હું સમર્થ નથી.” તે સાંભળી સુત્રતા ગણિનીએ અનુકંપા લાવીને કહ્યું-“હે પતિવ્રતા ! તું બીહીશ નહીં, સ્વસ્થ થા, અને જ્યાં સુધી તારે પતિ આવે ત્યાં સુધી આ ઉપાશ્રયમાં રહે.’ ગણિનીના કહેવાથી રત્નપ્રભા ઉપાશ્રયમાં પેઠી. પિતાની પ્રિયાને ભાગ્ય સ્થાનમાં ગયેલી જોઈને ગુપ્તપણે તો વીરભદ્ર ત્યાંથી ખસી ગયે! પછી સ્વેચ્છાએ વામન રૂ૫ લઈ, નગરમાં ક્રીડા કરતાં અને વિચિત્ર કળાઓ બતાવતાં તેણે સર્વ નગરજનોનાં મન હરી લીધાં; તેમજ રાજા ઈશાનચંદ્રને પણ અતિશય રજિત કર્યો. એક કળા પણ ચિત્ત હરી લે તે સર્વ કળાને માટે શું કહેવું !'
અહીં ઉપાશ્રયમાં રહેલી રત્નપ્રભાને અનંગસુંદરી અને પ્રિયદર્શનાએ પૂછ્યું કે “તારો પતિ કે છે અને કોણ છે?” રત્નપ્રભા બેલી-સિંહલદ્વીપનો નિવાસી, ગૌરવર્ણ, સર્વ કળાનો ભંડાર અને રૂપે કામદેવ જેવો બુદ્ધદાસ નામે મારે પતિ છે.” પ્રિયદર્શના બોલી
બધી રીતે તે મારા પતિને મળતે છે પણ સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી.” અનંગસુંદરી બોલી-“મારા પતિ સાથે પણ તે મળતો છે પણ તેનો આ વર્ણ, સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી.” પછી તે ત્રણે બહેનો હોય તેમ સંપથી સાથે રહી, સુત્રતા ગણિનીના ઉપાશ્રયમાં તપ સ્વાધ્યાયમાં જ તત્પરપણે પુરૂષની વાર્તા પણ નહીં કરતી રહેવા લાગી. માયાથી વામન થયેલ વીરભદ્ર પ્રતિદિન પિતાની ત્રણ પ્રિયાને જોવા આવે છે અને તેમના મનહર શીલથી ખુશી થાય છે.
એક વખતે ઈશાનચંદ્ર રાજાની સભામાં કઈ પ્રસંગે વાર્તા થઈ કે આપણ નગરમાં સુત્રતા સાધ્વીને ઉપાશ્રયે ત્રણ રૂપવતી મહાત્મા યુવતિઓ રહે છે. તે ત્રણે સ્ત્રીરત્નો આ પૃથ્વીને પવિત્રપણાનું કારણ છે. ઉત્તમ કુચિત માર્ગે ચાલનારી તે મહા સતીઓને કઈ પુરૂષ બેલાવવાને પણ સમર્થ થઈ શકે તેમ નથી. તે વખતે તે કપટી વામન વીરભદ્ર બોલ્યતેઓને અનુક્રમે બોલાવવાને હું સમર્થ છું. આવા દુષ્કર કાર્યમાં પણ મારું સામર્થ્ય
પછી પ્રધાન રાજપુરૂષ અને મુખ્ય નગર જનોથી વીંટાઈ તે સુત્રતા ગણિનીને ઉપાશ્રયે ગયે. પ્રથમ ઉપાશ્રયના દ્વારે રહી સાથે આવેલા લોકોને તેણે શિખવ્યું કે તમારે મને પ્રથમ એમ કહેવું કે “કઈ કથા કહે.” પછી થોડા પરિવાર સાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરી વામન વીરભદ્ર નિર્મળ વ્રતવાળા સુત્રતા ગણિનીને અને બીજી સાધ્વીઓને વંદના કરી. ત્યાંથી પાછા ફરી વીરભદ્ર ઉપાશ્રયના દ્વારમંડપમાં બેઠે. તેને જોવાના કૌતુકથી પેલી ત્રણે સ્ત્રીઓ સા ધ્વીઓની સાથે ત્યાં આવી, એટલે વામને કહ્યું–‘જ્યાં સુધી અમારે રાજાની પાસે જવાને અવસર થશે નહીં, ત્યાં સુધી જેનું હૃદય વિનેદ કરવા તરફ જ ખેંચાયેલું છે એવા અમે અહીં જ રહીશું. તે વખતે લોકોએ કહ્યું- હે રાજપુત્ર! કઈ કૌતુકવાળી ક્યા કહો.” વામન બોલ્યા-કથા કહું કે વૃત્તક કહું ?” ત્યારે તેઓએ પૂછ્યું કે “કથા અને વૃત્તકમાં શે ભેદ છે?” વામને કહ્યું કે-જે અનુભવેલું વૃત્તાંત તે વૃત્તક કહેવાય અને જે પ્રાચીન પુરૂષનું ચરિત્ર તે કથા કહેવાય છે. ત્યારે તેઓ બોલ્યા–“વૃત્તક કહો.” વામને નીચે પ્રમાણે વૃત્તક કહેવાનું શરૂ કર્યું છે.
“ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તી નામે મેટી નગરી છે. તેમાં ગુણવડે શ્રેષ્ઠ ઋષભદત્ત નામે એક શેઠ રહે છે. એક વખતે વ્યાપાર નિમિત્તે તે પદ્ધિનીખંડ નામના નગરે ગયા.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૩ ત્યાં સાગરદત્ત શેઠની પ્રિયદર્શના નામે કન્યા જોઈ તે કન્યાને ગ્ય જાણું તેની સાથે પોતાના વીરભદ્ર નામના પુત્રને પરણાવ્યો. તેની સાથે વીરભદ્ર વિષયસુખ અનુભવવા લાગ્યો. એક વખતે રાત્રિએ પ્રિયદર્શના કપટનિદ્રાએ સુતી હતી, તેને વીરભદ્દે જગાડવા માંડી. તે વખતે તેણે કહ્યું-“અત્યારે મને હેરાન કરે નહીં, મારા મસ્તકમાં પીડા થાય છે.” વીરભદ્રે કહ્યું-કેના દેષથી?” તેણીએ કહ્યું–‘તમારા દોષથી વીરભદ્રે પૂછયું-“મારે શે દોષ છે?” પ્રિયદર્શના બેલી-પ્રિય! આવે સમયે પણ તમે આવા ચાતુર્ય વચન બોલે છો તે.” વીરભદ્ર બે -હવે ફરીવાર એવું કહીશ નહીં.” એમ કહી તેની સાથે વિષયક્રીડા કરી. પછી જ્યારે તે ખરેખરી સૂઈ ગઈ ત્યારે તેને છોડી તેને પતિ વિદેશમાં ચાલ્યા ગયે. અહીં સુધી કહીને પછી વામને કહ્યું–હવે મારે રાજદ્વારમાં રાજસેવાને સમય થઈ ગયે.” એવું કહી તે ઉભે થે. વામનને ઉભો થતે જોઈ પ્રિયદર્શના આદરથી બેલી-ભદ્ર! પછી તે વીરભદ્ર ક્યાં ગયો ? તે કહે. વામન બેલ્ય-હું સદા કુળકલંકથી ભય પામું છું, તેથી પરસ્ત્રીની સાથે બોલીશ નહીં.' પ્રિયદર્શના બેલી-તમારા કુળને ગ્ય એવું શીલ શું છે? કુલીનોનો તે પ્રથમ ગુણ દાક્ષિણ્યતા છે, તે દાક્ષિણ્યતાથી કહો.” “તે હું આવતી કાલે કહીશ.” આ પ્રમાણે દૂકહી વામન ચાલ્યા ગયા. રાજપુરૂષોએ તે વૃત્તાંત રાજાને કહ્યું, તે સાંભળી રાજા પણ વિસ્મય પામે. બીજે દિવસે તેવી રીતે જ વીરભદ્ર ગણિનીના ઉપાશ્રયમાં આવ્યું અને તેની તેમજ બાકી રહેલી પ્રિયાઓની કથા આ પ્રમાણે કહેવા લાગ્યા.
પછી વીરભદ્ર મંત્ર ગુટિકાવડે કૃષ્ણવર્ણ થઈ તે નગરીમાંથી નીકળ્યો અને વિવિધ દેશમાં ફરી સિંહલદ્વીપે આવ્યું. ત્યાં રત્નપુર નગરમાં શંખ શેઠની દુકાને બેઠો. શંખશેઠ તેના વૃત્તાંતથી માહિતગાર થઈ તેને પિતાને ઘેર લઈ ગયા. શેઠે તેને પુત્ર કરીને રા . કળાવડે સર્વને વિસ્મય પમાડતે વીરભદ્ર તે નગરમાં સુખે રહ્યો. એક વખત શેઠની પુત્રી વિનયવતીની સાથે સ્ત્રીને વેશ લઈને તે રાજપુત્રી અનંગસુંદરીની પાસે ગયે. પિતાની કળાથી તેના ચિત્તનું હરણ કરી, આત્મસ્વરૂપ જણાવી છેવટે તેના સાથે ચિરકાળ ભેગ ભગવ્યા. કેટલાક દિવસ ત્યાં રહી પછી તેને સાથે લઈને તામ્રલિપ્તી નગરી તરફ જળમાર્ગે ચાલતાં દૈવયેગે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. આટલી વાર્તા કહી વામન વીરભદ્રે કહ્યુંહવે રાજસેવાને અવસર થયે છે, માટે હું જઈશ. સેવકોની સેવા કર્યા વગર રહેવાથી આજીવિકા ભાંગી જાય છે.” તે વખતે અનંગસુંદરીએ આગ્રહથી કહ્યું-ભદ્ર! તે વીરભદ્ર કયાં છે તે હાલ ને હાલ કહે.” “આવતી કાલે તે વૃત્તાંત કહીશ એમ કહી તે રાજ મંદિરમાં ગયો. રાજાના પુરૂષોએ સર્વ વૃત્તાંત પણ રાજાની પાસે નિવેદન કર્યો.
પછી ત્રીજે દિવસે પણ ઉપાશ્રયે આવી વામને તે વાર્તા આગળ ચલાવી. સમુદ્રમાં વહાણ ડૂબી ગયું. તે વખતે દેવગે એક પાટીયું વીરભદ્રના હાથમાં આવ્યું. સાતમે દિવસે રતિવલ્લભ નામના એક વિદ્યારે સમુદ્રમાં તણાતા વીરભદ્ર જે. તેથી તેને બહાર કાઢી વૈતાઢયગિરિપર પિતાના મકાનમાં તે લઈ ગયો. જ્યારે વીરભદ્ર સમુદ્રમાંથી બહાર આવ્યું, ત્યારે સ્પામતા કરનારી મૂટિકા તેણે મુખમાંથી કહાડી નાંખી, એટલે તામ્રલિપ્તી નગરીની જેમ તે ગૌરવર્ણ થઈ રહ્યો. વિદ્યાધર તિવલ્લભને પૂછવાથી તેણે પોતાને સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ એવું નામ જણાવ્યું. તે વિદ્યાધરને અતિ પ્રિય થઈ પડયો. પછી તે વિદ્યાધરની રત્નપ્રભા નામની પુત્રી સાથે પરણ્ય, અને વિલાસ ઉપનાદિકમાં તેની સાથે સુખે રમવા લાગ્યું. એક વખતે તેની સાથે ક્રીડા કરવાની ઈચછાએ તે અહીં આવ્યું
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સર્ગ ર જે
અને આચમન કરવા જવાનું બાનું બતાવી તેને અહીં એકલી મૂકી તે બીજે સ્થાનકે ચાલ્યા ગયે. આટલી વાર્તા કહીને હવે હું પણ અહીંથી જઈશ” એમ કહી તે ઉભે થયે, એટલે રત્નપ્રભાએ પૂછયું કે- “તે બુદ્ધદાસ અત્યારે ક્યાં છે?’ બાકીની કથા સવારે કહીશ.” એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી તે ત્રણે સ્ત્રીઓ પોતાને ત્રણેને એક પતિ છે, એવું ધારી ઉંચે પ્રકારે ઉછવાસ પામવા લાગી.”
કુંભ ગણધરે આટલું વૃત્તાંત કહીને શેઠને કહ્યું કે હે સાગર શેઠ ! તે આ વામન પુરૂષ તારો જામાતા છે. તેણે ત્રણ સ્ત્રીઓના પતિ થઈને છેવટે તેઓને માત્ર કુતૂહળથી વિરહ આપે છે. તે વખતે વામને ગણધરને વંદના કરીને કહ્યું કે “તમે જ્ઞાનદષ્ટિએ જોઈને જે કહ્યું તે બરાબર છે, તેમાં જરાપણ ફેર નથી.” બીજી પરથી પૂર્ણ થઈ એટલે કુંભ ગણધરે દેશના સમાપ્ત કરી. તેમની દેશના ત્યાં સુધી જ હોય છે. પછી સાગરશ્રેષ્ઠી ગણધરને નમી તે વામનની સાથે હર્ષ સહિત સુત્રતા ગણિનીને ઉપાશ્રયે આવ્યા.
વામનને આવેલા જોઈ તે ત્રણે સ્ત્રીઓ તત્કાળ તેની પાસે આવી. “પ્રિયની વાર્તા કહેનાર કોને વહાલ ન લાગે ? ” “સાગરદત્તે કહ્યું- હે વત્સ ! તમારા ત્રણેને આ પતિ છે. તેઓ બેલી-“શી રીતે ?” ત્યારે શેઠે બધી વાર્તા કહી સંભળાવી. તે સાંભળી ગણિની સહિત સર્વે પરમ વિસ્મય પામ્યા. અંદર જઈને વામને પિતાનું વામન સ્વરૂપ છોડી દીધું, જે પ્રથમ અનંગસુંદરીએ જે હતો તે થઈને તેમની આગળ ઉભે રહો શ્યામપણું છોડીને ગૌરવર્ણ થઈ રહ્યો. સર્વ સ્ત્રીઓએ ઉત્કંઠાપૂર્વક તેને ઓળખે. ગણિનીએ વીરભદ્રને પૂછયું કે ‘તમારે આવું શા માટે કરવું પડયું ? વીરભદ્રે કહ્યું-“ભગવતિ! હું કીડા કરવાને માટેજ ઘેરથી નીકળ્યા હતા અને ક્રીડાને લીધેજ સ્ત્રીઓના વિરહ તરફ મારી ઉપેક્ષા હતી સુત્રતા ગણિની તાવિક વચન બોલ્યા કે “ફરે, દેશાંતરે, અરણ્યમાં, પર્વતમાં, વાટે કે બીજે ગમે ત્યાં દુઃખના સ્થાનમાં પણ જે ધાર્મિક પુરૂષ જાય તો ત્યાં પણ પિતાના ઘરની જેમ તે અતુલ સુખ પ્રાપ્ત કરે છે. સત્પાત્ર દાન ના પ્રભાવથી જ ભેગે પ્રાપ્ત થાય છે એવું આહંતુ વચન છે, તે આ વીરભદ્ર કોને એવું દાન આપ્યું હતું, તે આપણે શ્રીઅરનાથ પ્રભુની પાસે જઈને પૂછીએ.”
પછી સુવ્રતા ગણિની, સાગરદત્ત શેઠ અને ત્રણેય પ્રિયાઓ સહિત વીરભદ્ર અરસ્વામી પાસે આવ્યા અને યથાવિધિ પ્રભુને નમસ્કાર કર્યા. સુત્રતા ગણિનીએ પ્રભુને પૂછ્યું–‘આ વીરભદ્દે પૂર્વે ભેગફળવાળું શું કર્મ કરેલું છે તે કહે. પ્રભુ બોલ્યા- “આ ભવથી ત્રીજા ભવે પૂર્વ વિદેહક્ષેત્રમાં મોટું રાજ્ય છોડી વ્રત લઈને હું પૃથ્વી પર વિહાર કરતા હતા. એકદા ચાર માસના ઉપવાસને પારણે રત્નપુર નગરમાં આવતાં જિનદાસ નામના શ્રેષ્ઠીકુમારે મને ભક્તિપૂર્વક ભિક્ષા આપી. તે પુણ્યથી તે જિનદાસ બ્રહ્મલોકમાં દેવતા થ. ત્યાંથી ચવીને જંબુદ્વીપના એરવત ક્ષેત્રમાં કાંપિલ્ય નગરને વિષે તે હેટો ધનાઢય શ્રેષ્ઠી થયું. ત્યાં પણ પરમ સમૃદ્ધિવડે શ્રાવકપણું પાળી મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવ છે. ત્યાંથી આવીને વીરભદ્ર થયા છે. પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યથી આ ભવમાં પણ તે ભોગ ભોગવે છે.” પ્રાણીઓને જ્યાં ત્યાં પણ પુણ્ય અનુચર છે. આ પ્રમાણે કહી બહુજનને બોધ પમાડી જગતના મેહને હરનાર ભગવાન અરનાથે અન્યત્ર વિહાર કર્યો. વીરભદ્ર ચિરકાળ ભોગ ભોગવી દીક્ષા લઈ અનુક્રમે પુણ્યના દઢ રથ ઉપર બેસી દેવલોકમાં ગયે.
Page #312
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૨૮૫ પચાસ હજાર મહાત્મા સાધુઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છ ને દશ ચૌદ પૂર્વ ધારીઓ, બે હજાર ને છ અવધિજ્ઞાની, પચીસોને એકાવન મનઃ૫ર્યવજ્ઞાની, બેહજાર ને આઠસો કેવલજ્ઞાની, સાત હજારને ત્રણસે બૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને છ વાદ લબ્ધિવાળા, એકલાખ ને ચોરાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખને બહોતેર હજાર શ્રાવિકાઓ આટલે પરિવાર કેવવજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતાં અરનાથ પ્રભુને થયે. પોતાને નિર્વાણ સમય નજીક જાણું પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે માર્ગશીર્ષ માસની શુદ દશમીએ, ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં, તે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને મોક્ષની પ્રાપ્ત થયા. અરનાથ પ્રભુને કૌમારપણામાં, માંડલીકપણામાં, ચક્રવર્તીત્વમાં, અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. શ્રી કુંથુનાથ પ્રભુ મેક્ષે ગયા પછી કેટી હજાર વર્ષે ઉણે પલ્યોપમને ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રી અરનાથ પ્રભુને મોક્ષ પામેલા જાણીને ઇંદ્રાએ ત્યાં આવી ભક્તિ વડે શરીરસંસ્કારપૂર્વક તેમનો નિર્વાણમહોત્સવ કર્યો.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि श्रीअरनाथचरित
વો નામ દ્વિતીયઃ સ . 8289583384385383890883138283848880888DLX8388823878
ISAGAR
Page #313
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જ.
છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ
પ્રતિવાસુદેવનું ચરિત્ર, હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા છઠ્ઠી વાસુદેવ, બલદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહીએ છીએ.
વિજયપુર નામના નગરમાં ચંદ્રની જેમ સુદર્શન અને જગતને આનંદ આપનાર સુદશન નામે રાજા હતો. દમધર નામના મુનિ પાસેથી જૈનધર્મ સાંભળીને વિરક્ત બુદ્ધિવાળા તે રાજાએ દીક્ષા લીધી અને મોટી તપસ્યા કરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા.
આ ભરતક્ષેત્રને વિષે પિતનપુર નામના નગરમાં મિત્રરૂપ કમળમાં મિત્ર (સૂર્ય) ના ઉદય જેવો પ્રિયમિત્ર નામે રાજા હતા. તેની પ્રિયાને સુકેતુ નામના કેઈએક રાજાએ હરણ કરી. તે પરાભવથી વિરક્ત થઈ પ્રિય મિત્રે વસુભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પ્રિયાના હરણથી થયેલા દુખવડે પીડિત એવા તેણે મહા આકરી તપસ્યા કરી. પ્રાંતે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવથી હું મારી પત્નીનું હરણ કરનારને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના કર્યા વગર અનશન કરી મૃત્યુ પામીને તે માહેદ્રક૯૫માં મહદ્ધિક દેવતા થયે,
વૈતાઢયગિરિ ઉપર અરિંજ્ય નામના નગરમાં સુભૂમ ચક્રીએ જેને બંને એણને વૈભવ આપે છે એવો મેઘનાદ નામે વિદ્યાધરને રાજા હતા. તે સુભમ ચક્રવતીની સ્ત્રી પશ્રીને પિતા થતું હતું. પેલે સુકેતુ ભવભ્રમણ કરી અરિંજય નગરમાં તે મેઘનાદના વંશમાં બલિ નામે પ્રતિવાસુદેવ થયે. તે પચાસહજાર વર્ષના આયુષ્યવાળે, કૃષ્ણવર્ણ અને છવીશ ધનુષની કાયાવાળો ત્રિખંડ પૃથ્વીને ભોક્તા થયે.
આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધમાં પૃથ્વીમંડલના મંડન રૂપ ચકપુર નામે નગર હતું. તેમાં મોટા રાજાઓના મસ્તકોને નમ્ર કરાવનાર અને જાણે બીજે લેકપાલ હોય તે મહાશિર નામે રાજા હતે. અદ્દભુત ચરિત્રવાળા અને સર્વ રાજાઓમાં શિરમણિ તે રાજાને અનુક્રમે બુદ્ધિ અને લક્ષમી વિવેકથી વિભૂષિત હતી. સ્વયંભૂરમણ સમુદ્રમાં જળજંતુની જાતિની જેમ કઈ એવી કળા નથી કે જે તે રાજામાં ન હતી. તે પૃથ્વી પર રાજય કરતાં કોઈ ચોરની વાર્તા પણ જાણતું નહીં; માત્ર તે રાજા સત્યરૂષના મનને ચોરી લેતે હતે. એકને પ્રીતિ અને બીજાને ભય ઉત્પન્ન કરતો એ રાજા સારા અને નઠારા પુરૂષોના હૃદયમાંથી કદિ પણ દૂર રહેતો નહીં. તે રાજાને રૂપથી સ્વર્ગની સ્ત્રીઓને જીતનારી એક વૈજયંતી અને જાણે અપરા લક્ષમી હોય તેવી બીજી લક્ષ્મીવતી નામે બે પત્નીએ હતી. સુદર્શનને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો હતો, તે ત્યાથી ચવીને વિજયંતી દેવીના ઉદરમાં અવતર્યો. બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વમ જોઈ હર્ષ પામેલા
જયતી દેવીએ તે ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં ચંદ્રની જેવા નિર્મળ આનંદ નામના પુત્રને તેણે જન્મ આપ્યું. તે યૌવનમાં આવતાં ઓગણત્રીશ ધનુષની કાયાવાળે થયા,
Page #314
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૨૮૭
પ્રિયમિત્રના જીવ ચાથા દેવલાકમાંથી ચવી મહાદેવી લક્ષ્મીવતીના ઉત્તરમાં અવતર્યા. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વપ્ના જોઇ હર્ષ પામેલા લક્ષ્મીવતીએ ગર્ભ ધારણ કર્યાં. પ્રસવસમય થતાં પુરુષપુંડરીક નામે એક શ્યામવણી પુત્રને તેણે જન્મ આપ્યા. તે પુત્ર પણ એગણત્રીશ ધનુષની ઉંચી કાયાવાળા થયા. ગરૂડ અને તાડ વૃક્ષના ચિહ્નવાળા અને નીલ તથા પીત વસ્ત્ર ધરનારા તે અને ભાઇ માતાપિતાના મનારથની સાથે મોટા થયા. લીલામાત્ર ચાલતાં તેઓ પૃથ્વીને કપાવતા હતા; અને તે બંને બાળક છતાં તેમને ખાળધારક પુરૂષો તેડી શકતા નહાતા. અનુક્રમે તેએ પવિત્ર ચૌવનવયને પ્રાપ્ત થઈ સ કળા રૂપ સાગરના પારગામી થયા. રાજેદ્રપુરના ઉપેસેન નામના રાજાએ પદ્માવતી નામની કન્યા પુંડરીક વાસુદેવને આપી. રૂપલક્ષ્મીથી નાગકન્યાને પણ દાસી કરનાર તે પદ્માવતીના રૂપ સંબધી વાત સાંભળી બલિ પ્રતિવાસુદેવ તેનું હરણ કરવા આવ્યા. સ જગતના બલવાન પુરૂષોની અવજ્ઞા કરનાર અને ભુજાના બળથી ધમધમી રહેલા અલિની સામે આનન્દ્વ અને પુન્ડરીક તત્કાળ ચડી આવ્યા. તે વખતે દેવતાઆએ શસ્ત્રાગારમાં નીમેલા પુરૂષોની જેમ શાડ્ગ ધનુષ્ય અને હળ વગેરે શસ્રો તેમને અર્પણ કર્યાં. પ્રથમ અલિ પ્રતિવાસુદેવની ખલવાન સેનાએ આનંદ અને પુંડરીકની સેનાને ભાંગી નાંખી, અને પોતાના સ્વામીના જયને સૂચવે તેવા તેના સુભટાએ સિંહનાદ કર્યા. તે વખતે આનદ અને પુંડરીક રથમાં બેસી હષ ધરતા રણ કરવાને માટે આગળ આવ્યા. વીર્ પુરૂષો ચુદ્ધથી હુ પામે છે, પુ`ડરીકે તારસ્વરે પાંચજન્ય શ`ખનો નાદ કર્યા; તેથી સમુદ્રમાં જલજ તુમૂહની જેમ શત્રુઓનુ ઘણું લશ્કર નાસી ગયું. પછી જાણે શ`ખના અનુવાદ કરતા હાય તેમ તરતજ તેમણે શાડ્ગ ધનુષ્યના ટંકાર કર્યાં, તેના મોટા નાદથી ખાકી રહેલા શત્રુઓ નાસી ગયા. તે વખતે મેઘ જેમ જલધારા વર્ષાવે તેમ ખાણાને વર્ષાવતા તીવ્ર પરાક્રમી અલિ પોતે યુદ્ધ કરવાને આવ્યા. વિષ્ણુએ તેનાં ખાણ છેદ્યાં, અને તેણે વિષ્ણુનાં ખાણ છેદ્યાં; એવી રીતે ઘણીવાર ખણુ છેદવથી ક્રાધ પામેલા બલિએ ચક્ર ધારણ કર્યું. ‘હવે તુ' રહેવાના નથી' એમ કહેતાં ખળવાન ખલિએ તે ચક્ર ભમાડીને પુંડરીક વાસુદેવ ઉપર છેડયું. લપડાની જેવા લાગેલા તેના પ્રહારથી મૂર્છા પામી ક્ષણવારમાં પાછી સંજ્ઞા મેળવીને વાસુદેવે તે ચક્ર પોતે ગ્રહણ કર્યું. ‘અરે હવે તું રહેવાના નથી’ એમ ખાલતા વાસુદેવે તે ચક્ર ભમાડીને છેાડયુ, જેથી તત્કાળ ખલિનું મસ્તક છેદાઈ ગયું.
પછી પુડરીક વાસુદેવ, આનંદ બલભદ્રને સાથે લઈ, શત્રુ રાજાઓને હણી દિગ્યાત્રા કરી અદ્ધ ચક્રવતી થયા. વાસુદેવે મગધ દેશમાં રહેલી કોટી શિલા નામની મહા શિલાને એક તાજવાની કોટિની જેમ લીલાવડે ઉપાડી, પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પુંડરીક વાસુદેવ પાતાના ઉગ્ર અશુભ કર્મથી છઠ્ઠી નરકમાં ગયા. પુંડરીક વાસુદેવે અઢીસા વ કોમારવચમાં, તેટલાજ માંડલિકામાં, સાઠવ દિગ્વિજ્રયમાં અને ચેસઠ હજાર ચારસો ને ચાલીશ વર્ષે રાજ્યમાં એવી રીતે સ આયુષ્ય પૂર્ણ કર્યું. પચાશી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બલભદ્રે પેાતાના અનુજ મ વિના નિરાનંદપણાથી કેટલાક કાળ નિગ મન કર્યાં. અન્યદા પાતાતા ભાઇના વિયાગથી વૈરાગ્ય થતાં સુમિત્ર મુનિની પાસે દીક્ષા લઈ આનંદ બલભદ્ર આત્મારામ થઈ કેવલજ્ઞાન પામી સુખના ધામ રૂપ શાશ્વત સ્થાન (મેાક્ષ)ને પ્રાપ્ત થયા.
防防烧凤限WW防AVIVA防防WWWW8涡B
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि आनंद पुरुषपुंडरीकबालचरित कीर्तनो नाम तृतीयः सर्गः ॥
XV
腐网保健网WWWB限D&源源&FFWR防防防防腐
REGRET
Page #315
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૪ થો.
શ્રી સુભૂમ ચક્રવતી ચરિત્ર હવે અરનાથ પ્રભુના તીર્થ માંજ થયેલા આઠમા ચકવરી સુભૂમનું અનુક્રમે આવેલું ચરિત્ર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં આવેલા વિશાળ નગરને વિષે ક્ષત્રિયવ્રતને પાળનાર ભૂપાલ નામે રાજા હતા. એક વખતે સંગ્રામમાં ઘણા શત્રુઓએ એક થઈને તેને જીતી લીધે. “હમેશાં સમૂહ અતિ બલવાન હોય છે.” વૈરીઓના પરાભવથી મલિન મુખવાળે થઈને તે રાજાએ સંભૂતમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાળ તપસ્યા કરી અંતકાળે ઘણા ગવિષયની પ્રાપ્તિ થવા નિયાણું બાંધી મૃત્યુ પામીને મહ શુક દેવલોકમાં તે દેવતા થયે.
શ્રી ઋષભદેવને કુરૂ નામે એક પુત્ર હતો, જેના નામથી કરદેશ પ્રખ્યાત થયેલ છે. તેનો પુત્ર હસ્તી નામે થયે હતું, જેના નામથી અનેક તીર્થકર અને ચક્રવર્તીની જન્મભૂમિ હસ્તીનાપુર પ્રસિદ્ધ થયેલું છે. તેના વંશમાં અનંતવીર્ય નામે મહા પરાક્રમી રાજા થયે હતે. ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં વંશને ઉછેદ કરનાર અગ્નિક નામે એક છોકરો હતો. તે એક વખતે પિતાના સ્થાનથી દેશાંતરે ચાલ્યા. આગળ જતાં સાર્થ વગરને તે જ્યાં ત્યાં ભમતે ભમતે તાપસને આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ ( વૃદ્ધ તાપસે ) તે અગ્નિકને પુત્ર કરીને રાખે. તે લોકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયે. તીણુ તપસ્યા કરતે તે પ્રત્યક્ષ અગ્નિની જેમ પોતાના દુસહ તેજથી પૃથ્વીમાં વિશેષ વિખ્યાત થયો.
તે સમયે પૂર્વ જન્મમાં શ્રાવક હો એ શ્વાનર નામે એક દેવ અને તાપસનો ભક્ત ધવંતરિ દેવ તે બંનેને આ પ્રમાણે પરસ્પર વાદ થયો. એક કહે કે અહંત ધર્મ પ્રમાણે છે અને બીજે કહે કે તાપસ ધર્મ પ્રમાણ છે. આ વિવાદમાં તેઓએ એવો નિર્ણય કર્યો કે “અહત ધર્મમાં જે જઘન્ય હોય તેની અને તાપસમાં જે ઉત્કૃષ્ટ હોય તેની આપણે પરીક્ષા કરવી કે બેમાં ગુણોથી અધિક કેણ થાય છે ?” તે વખતે અભિનવ ધર્મ પામેલ પદ્મરથ નામે રાજા મિથિલા નગરીથી નીકળીને ભાવયતિ થયેલ, તે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પાસે દીક્ષા લેવાને ચંપા પુરી જતો હતો. તે વૈશ્વાનર અને ધવંતરિ દેવના જોવામાં આવ્યો. તેની પરીક્ષા કરવાને તે દેવતાઓએ તેની પાસે અન્નપાન લાવી મૂક્યાં. તેને તૃષા અને ક્ષુધા ઘણી લાગી હતી, તથાપિ તે અગ્રાહ્ય જણાવાથી તેણે અંગીકાર કર્યા નહીં. વીર પુરૂષ કદિપણું સત્વથી ચલિત થતા નથી. પછી તે દેવતાઓ માર્ગમાં કરવત જેવા કઠોર કાંકરા, કાંટા વિકુવી તે રાજાના કમળ ચરણકમળમાં પીડા કરવા લાગ્યા. તે માર્ગે ચાલતાં તેના ચરણમાંથી રૂધિરની ધારાઓ ચાલતી હતી, તથાપિ રૂની તળાઈની જેમ તે સુંદર પગલાં ભરીને ચાલતો હતો. પછી તેને ભ કરવા માટે તે દેવતાઓએ નૃત્યગીત થતાં બતાવ્યાં, પરંતુ ગોત્રજમાં દિવ્ય અસ્ત્રની જેમ તે સર્વ નિષ્ફળ થયાં. પછી સિદ્ધપુત્રનું રૂપ ધરી તેની આગળ આવીને તેઓ બોલ્યા-“હે મહાભાગ ! હજુ તમારું મોટું આયુષ્ય છે અને તમે યુવાન છે, માટે સ્વછંદપણે ભેગ ભોગ. યૌવનવયમાં
Page #316
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૨૮૯
તપ કરવું તે કેવી બુદ્ધિ કહેવાય? કયે ઉદ્યોગી પુરુષ પણ અદ્ધ રાતનું કામ સવારમાંથી કરે ? હે તાત! યૌવન ગયા પછી દેહને દુર્બલ કરવાનું કારણ અને જાણે બીજી વૃદ્ધ વય હોય તેવું તપચારિત્ર ગ્રહણ કરજો,
તપચારિત્ર ગ્રહણ કરજે.” રાજા પધરથે કહ્યું- જે મારું બહ આયુષ્ય હશે તે મને પુણ્ય પણ ઘણું થઈ શકશે. કેમકે જલ પ્રમાણે કમળનું નાળ વધે છે, જેમાં ઈદ્રિ ચપળ થાય છે એવા યૌવનમાં જે તપ કરવું તેનું નામ જ તપ કહેવાય છે. દારૂણ અસ્ત્રનું યુદ્ધ ચાલતું હોય તેવા રણમાં શૂરવીર જણાય તે જ ખરો શૂરવીર કહેવાય છે.” જ્યારે રાજા પધરથ તેઓની પરીક્ષામાં ચલિત થયે નહીં, ત્યારે તેમને સાબાશી આપતા તે બંને દેવતાઓ ત્યાંથી તાપમાં ઉત્કૃષ્ટ એવા જમદગ્નિની પરીક્ષા કરવાને ગયા. | વડના વૃક્ષની જેવી વિસ્તારવાળી જટાથી પૃથ્વીને સ્પર્શ કરતા અને જેના ચરણ રાફડાથી વ્યાપ્ત થયેલા છે એવા તે દાંત તાપસને તેમણે જોયા. પછી બંને દેવતા માયાથી ચટક પક્ષી (ચકલા ચકલી) નું જોડલું બની જગદગ્નિની દાઢીમાં માળો રચી તેમાં નિવાસ કરીને રહ્યા. તે સમયે ચકલે પિતાની સ્ત્રી ચકલીને કહ્યું-હું હિમાલય ઉપર જઈશ.” એટલે ચકલી બલી- ત્યાં ગયા પછી બીજી ચકલીમાં આસક્ત થઈ તું પાછો આવે નહીં, માટે તેને જવા દઈશ નહીં.” ચકલે કહ્યું-“હે પ્રિયા ! જે હું પાછો ન આવું તો મને ગોહત્યાનું પાપ છે.” આવા સેગન લેતા ચકલાને ચકલીએ ફરીવાર કહ્યું-“હે પ્રિય ! તું એવા સેગન લે કે
જે હું પાછો ન આવું તે આ તાપસ મુનિનું પાપ મને લાગે છે તે સોગન ઉપર હું તને જવા દઉં.” ચકલાએ એ પ્રમાણે સેગન લીધા એટલે ચકલીએ કહ્યું-તારો માર્ગ સુખદાયક થાઓ.” આવાં તે પક્ષીનાં વચનો સાંભળી જમદગ્નિ કેપ પામ્યા અને બે હાથે તે બંને પક્ષીઓને પકડી લીધા અને કહ્યું-“અરે પક્ષીઓ ! સૂર્યમાં અંધકારની જેમ આવું દુષ્કર તપ કરતા એવા મારામાં ક્યાંથી પાપ હોય ?” ચકલી બેલી-“હે તાપસ ! કોપ કરે નહીં, તમારૂં તપ વ્યર્થ છે. “અપુત્રની ગતિ થતી નથી” એ શ્રુતિ શું તમે નથી સાંભળી ?” તે શ્રુતિને માનનારા જમદગ્નિ મુનિ વિચારમાં પડયા કે પુત્ર અને સ્ત્રી વગર મારૂં આ સઘળું તપ પ્રવાહમાં વહી ગયું.' આ પ્રમાણે જમદગ્નિને ધ્યાનથી ક્ષોભ પામેલા જોઈ “મને ધિકકાર છે કે જે હું તાપસેથી ભરમાઈ ગયો’ એ વિચાર કરતે ધનવંતરિ શ્રાવક થઈ ગયો. “ખરી પ્રતીતિ થતાં કેને વિશ્વાસ ન આવે !” પછી બંને દેવતા અદશ્ય થઈ ગયા. મિથ્યા વિચારમાં ભમાએ જમદગ્નિ તાપસ નેમિકકોષ્ટક નામના નગરમાં આવ્યું. તે નગરના જિતશત્રુને ઘણી કન્યાઓ હતી. ગૌરીને મેળવવા ઇચ્છતા શંકરની, જેમ, તેમાંથી એક કન્યા મેળવવાની ઈચ્છાએ તે રાજા પાસે આવ્યો. તાપસને આવેલા જાણી રાજા જિતશત્રુ ઉભે થઈ અંજળિ જોડીને બોલ્યા- તમે શા માટે આવ્યા છે અને મારે શું કાર્ય કરવાનું છે તે કહે.” જમદગ્નિ બે -“હું કન્યાને માટે આવેલું છું.” રાજાએ કહ્યું-“મારે સે કન્યાઓ છે, તેમાં જે તમને ઈચ્છે તેને તમે ખુશીથી ગ્રહણ કરે.” જમદગ્નિએ અંત:પુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું કે “ તમારામાંથી કોઈ એક મારી ધર્મપત્ની થાઓ.” તે સાંભળીને “અરે ! જટાધારી, માથે પળિઆવાળ, દુર્બળ અને ભીખ માગીને જીવનારે તું આવું બેલતાં લજજા કેમ પામતું નથી ? આ પ્રમાણે કહીને તે સઘળીએ થુથુકાર કર્યો. તત્કાળ જમદગ્નિએ ક્રોધ કરીને ચડાવેલા ધનુષની યષ્ટિ જેવી તે બધી કન્યાઓને કુબડી કરી દીધી. તે સમયે એક કન્યા રેણુના પંજની સાથે રાજાના ૩૭.
૧ આ વાસુપૂજ્ય ૧૨ મા તીર્થંકર ને સમજવા.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સર્ગ ૪ થે
આંગણામાં રમતી હતી, તેને જોઈ જમદગ્નિએ રેણુકા એવા નામથી બોલાવી, અને “આ લેવાની ઈચ્છા છે ?” એવું કહી તેને એક બીજોરાનું ફળ બતાવ્યું. તે સમયે તે બાળાએ પાણિગ્રહણને સૂચવે તે પિતાને પાણિ ( હાથ ) પ્રસા. નિર્ધન જેમ ધનને ગ્રહણ કરે, તેમ મુનિ જમદગ્નિએ હૃદયથી તેનું ગ્રહણ કર્યું, એટલે રાજાએ ગાય વિગેરેની સાથે તેને વિધિથી ધારણ કરાવી. પછી જમદગ્નિએ તપની શક્તિ વડે બીજી નવાણું કન્યાઓને પિતાની શાળાના સ્નેહસંબંધથી પાછી સજ્જ કરી. તપસ્વીના આવા વ્યર્થ તપન વ્યયને ધિકાર છે ! એ મધુરાકૃતિ મુગ્ધાને પિતાના આશ્રમમાં લાવી તેની ઉપર જમદગ્નિ મોહિત થયા. હરિણીની જેવી એ લાક્ષી બાલાને તેણે પ્રેમથી ઉછેરવા માંડી. તાપસ જમદગ્નિ આંગળીઓથી દિવસ ગણતા હતા. એમ કરતાં કરતાં રેણુકા કામદેવના લીલાવન જેવા સુંદર યૌવનવયને પ્રાપ્ત થઈ. પછી સાક્ષાત્ અગ્નિને વળાયમાન કરીને તેની સાક્ષીએ જમદગ્નિ મુનિ પાર્વતીને શિવ પરણે તેમ રેણુકાને વિધિથી પરણે.
ઋતુકાલ પ્રાપ્ત થતાં મુનિએ રેણુકાને કહ્યું કે તારે માટે એ ચરૂ સાધુ કે જેથી સર્વ બ્રાહ્મણોમાં અગ્રેસર એ એક પુત્ર તને થાય.” રેણુકા બેલી હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની જે પત્ની છે તે મારી બેન થાય છે, તેથી તેને માટે પણ એક ક્ષત્રિય ચરૂસાધે.” પછી પિતાની સ્ત્રીને માટે બ્રાહ્મણ ચરૂ અને શાળીને માટે ક્ષત્રિય ચરૂ પ્રાપ્તિ માટે તેણે સાધ્યા. અને તે બંને ચરૂ રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો કે હું તો અરણ્ય મૃગલી જેવી છું, તે પુત્ર પણ તે ન થાઓ.” આવું વિચારી તેણે ક્ષત્રિય ચરુનું ભક્ષણ કર્યું, અને પિતાને બ્રાહમણુચરૂ તે બેનને આપ્યું. તેથી તે બંનેને એક એક પુત્ર થયે. રેણુકાને રામ નામે અને તેની બેનને કૃતવીર્ય નામે પુત્ર થયે.
એક વખતે અતિસાર (ઝાડા) ના રોગવાળે કોઈ વિદ્યાધર ત્યાં આવ્યું. અતિસાર રેગની પીડાથી તે આકાશગામી વિદ્યા ભૂલી ગયો હતો. રેણુકાના પુત્ર રામે ઔષધોપચારથી પોતાના બંધુની જેમ તેની બરદાસ કરી; તેથી પ્રસન્ન થઈ તેણે રામને પરશુ વિદ્યા આપી. શરકટના વનમાં જઈને રામે તે વિદ્યા સાધી, ત્યારથી રામ પરશુરામ એવા નામથી પ્રખ્યાત થયે.
એક વખતે પિતાની બેનને મળવાને ઉત્કંડિત રેણુકા પતિની રજા લઈ હસ્તીનાપુર ગઈ. પ્રેમને કાંઈપણ દૂર નથી, પિતાની શાળી તરીકે લાડ કરાવતાં અનંતવીયે ચપળ લોચનવાળી રેણુકા સાથે એકદા રતિક્રીડા કરી. કામદેવ અત્યંત નિરંકુશ છે, પછી તો અહલ્યા સાથે ઈદ્રની જેમ તે ઋષિપત્નીની સાથે રાજા નિરંતર ઈચ્છાનુસાર રતિસુખ અનુભવવા લાગ્યો. કેટલેક કાળે ઉતથ્ય મુનિની સ્ત્રી મમતાને બૃહસ્પતિથી થયું હતું તેમ અને. તવીર્ય થકી રેણુકાને એક પુત્ર ઉત્પન્ન થયો. જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાને ઘેર તેડી લાવ્યા. “પ્રાય: સ્ત્રીલુબ્ધ જને તેના દોષને જોતા નથી.” પોતાની માતાને પુત્ર સહિત જોતાં પરશુરામને કોપ ચડે. તેથી અકાળે ફલિત થયેલી વલલીની જેમ તેણે પુત્ર સહિત ફરશીથી છેદી નાખી. તેની બેને આ વૃત્તાંત અનંતવીર્યને કહ્યો. એટલે પવનથી અગ્નિની જેમ તેને કેપ ઉદ્દીપન થયે. તેથી અવાર્ય ભજવીર્યવાળી અનંતવીયે જઈને ઉન્મત્ત હાથીની જેમ જમદગ્નિના આશ્રમને ભાંગી નાંખ્યો, અને તાપસને ત્રાસ પમાડી તેના ગાય વિગેરે પદાર્થો લઈ કેશરીસિંહની જેમ મંદમંદ ગતિએ તે ત્યાંથી પાછો વળ્યો. ત્રાસ પામેલા તપસ્વીઓને કેલાહલ અને તે વૃત્તાંત સાંભળી જાણે સાક્ષાત્ યમરાજ હોય તેમ
Page #318
--------------------------------------------------------------------------
________________
પદ હું
૨૯ પરશુરામ કેધ કરીને ત્યાં દોડી આવ્યા. સુભટના સમૂહ વચ્ચે સંગ્રામ કરવાને કૌતુકી એવા અનંતવીર્યના, જમદગ્નિના પુત્ર પરશુરામે પોતાની દારૂણ ફરશીથી દારૂ [ કાઈ ની જેમ ખંડ ખંડ કરી નાખ્યા. પછી પ્રધાન પુરૂષોએ મળીને લઘુ વય છતાં પણ મહા વીર્યવાન કૃતવીર્યને રાજ્યપર બેસાર્યો. તેને તારા નામે વિશાળ લેશનવાળી એક રાણી હતી. તે દંપતી દેવતાની જેમ નિનિને ભેગ ભેગવવા લાગ્યા.
ભૂપાલ રાજાને જીવ મહાશુક દેવલોકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને તારા રાણીની કુક્ષિમાં અવતર્યો. એક વખતે કૃતવીયે માતાના મુખથી પિતાના મૃત્યુની વાર્તા સાંભળીને આદેશ કરેલા સર્ષની જેમ તાપસના આશ્રમમાં જઈ જમદગ્નિને મારી નાખ્યો. પિતાના વધથી કેધ પામેલા પરશુરામે શીધ્ર હસ્તીનાપુરમાં જઈ કૃતવીર્યને માર્યો. “યમરાજને શું દૂર છે?” તેના રાજ્યપર પરશુરામ સ્વયમેવ પોતે બેઠે. રાજ્ય પરાક્રમને આધીન છે, તેમાં ક્રમાક્રમ જોવાતું નથી. જ્યારે પરશુરામે રાજ્ય દબાવ્યું, ત્યારે તે નગરમાંથી કૃતવીર્યની સ્ત્રી તારા જે ગર્ભિણી હતી તે વ્યાઘવાળા વનમાંથી મૃગલીની જેમ કઈ તાપસના આશ્રમમાં નાસી આવી. કૃપાળુ તાપસોએ તેને નિધાનની પેઠે ભૂમિગ્રહ [ભયરા ] માં ગુપ્ત રાખીને ક્રૂર પરશુરામથી બચાવી લીધી. ત્યાં ચૌદ મહા સ્વપ્નોએ સૂચિત એવે તે રાણીએ પુત્ર પ્રસચૅ તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું સુભૂમ એવું નામ પાડયું.
હવે જ્યાં જ્યાં ક્ષત્રિય હતા ત્યાં ત્યાં પરશુરામની પરશુ મૂર્તિમાન કે પાગ્નિ હોય તેમ પ્રદીપ્ત થતી હતી. એક વખતે પરશુરામ ફરતા ફરતે આશ્રમમાં આવી ચડે, ત્યાં પ્રદીપ્ત થયેલી પરશુએ, ધૂમ અગ્નિને જણાવે તેમ “ અહીં કઈ ક્ષત્રિય છે” એમ સૂચવી દીધું. પરશુરામે તાપસને પૂછયું કે “શું અહીં કોઈ ક્ષત્રિય છે?” તાપસ બોલ્યા- “અમે તાપસ રૂપે થયેલા ક્ષત્રિય છીએ.” પછી પરશુરામે ક્રોધથી દાવાનળ જેમ પર્વતના તટને તૃણ રહિત કરે તેમ પૃથ્વીને સાતવાર નક્ષત્રિયા કરી, અને હણેલા ક્ષત્રિયોની દાઢથી વાંવિછત પૂર્ણ યમરાજના પૂર્ણ પાત્રની શેભા આપતે એક થાલ ભરી દીધો.
એક વખતે પરશુરામે કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “મારે વધ કેનાથી થશે ? * સદા વર કરનારા પર બીજાથી પિતાની શંકા કર્યા કરે જ છે. તે સાંભળી નિમિત્તિ બોલ્યો કે “જે પુરૂષ સિંહાસન ઉપર બેસીને ક્ષીરરૂપ થઈ ગયેલી આ દાઢનું ભક્ષણ કરશે તેનાથી તમારો વધ થશે.” તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી અને તેની આગળ એક સિંહાસન મૂકાવી તેની ઉપર દાઢને થાળ રખાવે. હવે તાપસના આશ્રમમાં કૃતવીર્યની સ્ત્રીથી જે અભૂમ નામે પુત્ર ઉત્પન્ન થયો હતો, તે આંગણામાં ઉગેલા વૃક્ષની જેમ વૃદ્ધિ પામી સુવર્ણવણું અને અડ્યાવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળો થયે.
વૈતાઢયપર રહેનારા મેઘનાદ વિદ્યારે એક વખતે નિમિત્તિયાઓને પૂછયું કે “મારી પદ્મશ્રી નામે કન્યા હું કોને આપું ?’ તેઓએ તેનો યોગ્ય વર સુલૂમ છે એમ કહ્યું એટલે તેણે ત્યાં આવી ચુક્યૂમને કન્યા પરણવીને પિતે તેને સેવક થઈને રહ્યો. એક વખતે કવાના દેડકાની જેમ ભૂમિગ્રહમાં રહેલા જેની સમાન કઈ રાજા નથી એવા સુભૂમે પિતાની માતાને પૂછયું-“શું આ લોક આટલો છે કે આથી અધિક છે ?? માતાએ કહ્યું- વત્સ ! આ લેક તે અનંત છે. તેના મધ્યમાં આ આશ્રમ એક મક્ષિકાના પગ જેટલું છે. આ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સર્ગ ૪ થે
લેકમાં હસ્તીનાપુર નામે એક નગર છે, તેમાં કૃતવીર્ય નામે તારા પ્રખ્યાત અને પરાક્રમી પિતા રાજા હતા. તારા પિતાને મારી પરશુરામે તે રાજ્ય ખુંચવી લીધું, અને બધી પૃથ્વીને તેણે નિ:ક્ષત્રિયા કરી દીધી છે. તેના ભયથી આપણે અહીં છાના રહીએ છીએ.” તે સાંભળતાં જ ભૂમ મંગલગ્રહની પેઠે ક્રોધથી પ્રજ્વલિત થઈ શત્રુ સાથે લડવા હસ્તીનાપુર તરફ ચાલ્યા. ક્ષાત્રતેજ જ દૂધૂર છે. ભૂમિગ્રહમાંથી નીકળી પરભાર્યો દાનશાળામાં જઈ સિંહની જેમ સિંહાસન પર બેઠે; અને તે વખતે ક્ષીરરૂપે થઈ ગયેલી પેલી ક્ષત્રિયોની દાઢને તે ખાઈ ગયો. તરતજ દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણો યુદ્ધ કરવાને ઉઠયા, પરંતુ હરિણોને વાઘની જેમ મેઘનાદે તે સર્વને મારી નાંખ્યા. તે ખબર સાંભળી પરશુરામ ક્રોધથી દાંતવડે હોઠને પીસતો કાળપાશથી જાણે ખેંચા હોય તેમ સત્વર ત્યાં આવ્યું. પરશુરામે રેષથી સુભૂમ ઉપર પોતાની ફરશી નાખી, પરંતુ જળમાં અગ્નિના તણખાની જેમ તે તત્કાળ બુઝાઈ ગઈ. સુભેમની પાસે કોઈ શસ્ત્ર હતું નહીં એટલે તેણે દાઢને થાળ ફેંકયો, તે સદ્ય ચકરૂપ થઈ ગયા. “પુણ્ય સંપત્તિવાળાને શું ન થાય ?” પછી આઠમા ચકવર સુભૂમે તે પ્રકાશમાન ચક્રવડે પરશુરામના મસ્તકને કમળની જેમ છેદી નાંખ્યું. જેવી રીતે પરશુરામે પૃથ્વીને સાત વાર નિઃક્ષત્રિયા કરી હતી, તેવી રીતે સુભૂમ ચક્રીએ પૃથ્વીને એકવીશ વાર નિર્વાહ્મણી કરી.
ક્ષય પામેલા રાજાઓના હસ્તી, અશ્વ અને દિલના રૂધિરની નવી સરિતાને વહન કરતા સુભૂમે પ્રથમ પૂર્વ દિશા સાધી. પછી અનેક સુભટોના કપાએલા મસ્તકથી છીપ અને શંખની જેમ પૃથ્વીને મંડિત કરતા એવા તેણે દક્ષિણ દિશાના પતિ (યમ)ની જેમ દક્ષિણ દિશાને સાધી. સુભટના અસ્થિવડે સમુદ્રના તીરને દાંતવાળું કરતા તેણે પશ્ચિમ દિશા સાધી. પછી બળના ગિરિરૂપ સુભૂમ વૈતાઢય પર્વતની ગુહાના દ્વારને હેલા માત્રમાં ઉઘાડી તેઓને જીતવાને ભરતક્ષેત્રના ઉત્તર ખંડમાં પેઠા. મટે ગજેદ્ર જેમ ઈક્ષુદંડને ભાંગે તેમ ઉછળતા શાણિત રસથી પૃથ્વીને છાંટતા એવા તેણે મ્લેચ્છ લોકોને ભાંગી નાંખ્યા. પછી સુભમ ચક્રવત્તીએ પોતાના સસરા મેઘનાદને વૈતાઢથ ગિરિની બંને શ્રેણીઓના અધિપતિની પદવી આપી.
સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમ ચક્રવત્તીએ એવી રીતે ચારે દિશામાં ફરી અનેક સુભટને મારી ષટૂખંડ પૃથ્વીને સાધી. અનેક પ્રાણીઓની હિંસા કરતા અને નિત્ય રૌદ્ર ધ્યાનરૂપી અગ્નિવડે જેનો અંતરમાં બળ્યા કરે છે એવા સુભૂમ ચક્રવર્તી કાલપરિણામના વશથી મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં ગયા. પાંચ હજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ મંડલિકપણામાં, પાંચસો દિગ્વિજયમાં અને પાંચસે ઉણા અર્ધલક્ષ ચક્રવર્તીપણમાં એવી રીતે સાઠ હજાર વર્ષનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું.
2388888888888888888888888888888DG5888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकारूषचरिने महाकाव्ये षष्ठे पर्वणि सुभूमचरितवर्णनो
નામ તથઃ સ || 0978 933*8B*** *88888888888888888
Page #320
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે.
નંદન બલભદ્ર, દત્તવાસુદેવ અને પ્રહાદ પ્રતિવાસુદેવનું ચરિત્ર,
હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા દત્ત, નંદન અને પ્રલ્હાદ નામે વાસુદેવ, બલભદ્ર અને પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. આ જમ્બુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં તેના આભૂષણ જેવી સુસીમા નામે નગરી છે. તેમાં વસુંધર નામે રાજા હતા. તે ચિરકાલ પૃથ્વીનું પાલન કરી સુધર્મ મુનિની પાસે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયે.
આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં શીલપુર નગરને વિષે મંદરથીર નામે એક રાજા હતો. તેને ગુણરત્નનો સાગર, પરાક્રમી અને મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન લલિતમિત્ર નામે પુત્ર હતો. ખેલ નામના મંત્રીએ, કુમાર લલિતમિત્ર ગવિષ્ટ છે એવું જણાવી તેના ભાઈને યુવરાજપદ ઉપર બેસારી દીધે. આ પરાભવથી વિરક્ત થયેલા લલિતમિત્રે ઘોષસેન મુનિની પાસે દીક્ષા લીધી. તે દુર્મદ કુમારે તપસ્યા કરતાં એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવવડે તે ખેલ મંત્રીને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના ક્ય વગર તે કાલધર્મને પામી સૌધર્મ દેવલોકમાં પરમ મહદ્ધિક દેવતા થયા.
પિલે ખલમંત્રી ચિરકાલ ભવાટવીમાં ભમી આ જ બૂદ્વીપમાં શૈતાઢયગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તિલકપુર નામના નગરમાં વિદ્યાધરને ઇદ્ર પ્રમ્હાદ નામે પ્રતિવાસુદેવ થયા. - આ જમ્બુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં વારાણસી નામે નગરી છે. તે જાણે પોતાની સખી હોય તેમ ગંગા નદીથી આશ્રિત થયેલી છે. તે નગરીમાં તેજવડે અગ્નિ સમાન અને પરાક્રમથી સિંહ સમાન અગ્નિસિંહ નામે ઇક્વાકુવંશી રાજા હતા. તેને યશ રૂપી હંસ શૌર્ય અને વ્યવસાય રૂ૫ બે પાંખવડે જગતમાં નિરંતર પરિભ્રમણ કરવાથી વિરામ પામતે નહીં. રણભૂમિમાં લીલામાત્રમાં તેણે નમાવેલું ધનુષ્ય જોઈને જાણે તેની મર્યાદા ધરતા હોય તેમ સર્વ શત્રુરાજાઓ નમી જતા હતા. તેના બલવાન ભુજ રૂપ સ્તંભ સાથે દઢ ગુણવડે બંધાયેલી લક્ષ્મી હાથિણીની જેમ સ્થિરતાને પામી હતી. રૂપસંપત્તિથી અશેષ ભુવનની સ્ત્રીઓને જીતનારી જયંત અને શેષવતી નામે તેને બે પત્નીઓ હતી. વસુંધર રાજાને જીવ જે દેવતા થયા હતા તે પાંચમાં દેવકથી ચવીને મહાદેવી જયંતીના ઉદરમાં અવતર્યો. અનુક્રમે ચાર સ્વપ્નાએ સૂચવે છે રામાવતાર જેને એ નંદન નામે તેણે પુત્ર પ્રસ. લલિતમિત્રને જીવ સૌધર્મદેવલોકમાંથી ચવી શેષવતીના ઉદરમાં અવતર્યો. સાત સ્વપ્ન સૂચવે છે વાસુદેવ અવતાર જેને એ દત્ત નામે તેણે પુત્ર પ્રસ. અનુક્રમે વેત અને શ્યામ વર્ણવાળા તે બંને ભાઈ ક્ષીરદધિ અને કાલેદધિ સમુદ્રની જેવા દેખાવા લાગ્યા. છવીશ ધનુષ ઉંચી કાયાવાળા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. નીલ અને પીત વસ્ત્રને ધારણ કરતા અને ગરૂડ તથા તાડના ચિન્હને રાખતા તે બંને ભાઈઓ જયેષ્ઠકનિષ્ટ છતાં જાણે સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા હતા.
એકદા ભરતાદ્ધના સ્વામી અને સમર્થ એવા અલ્લાદ પ્રતિવાસુદેવે, નંદન અને દત્તની પાસે ઐરાવણ જે હાથી છે એવું સાંભળીને તેની માગણી કરી. જ્યારે તેમણે એ ગજેને
Page #321
--------------------------------------------------------------------------
________________
સર્ગ પ માં
આપ્યો નહીં ત્યારે પ્રતિવાસુદેવ પ્રહાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય કે પાયમાન થયો. પછી જેમ વનના બે ગજેદ્રા હોય તેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવ ક્રોધ કરી સર્વ યુદ્ધસામગ્રી લઈને પરસ્પર યુદ્ધ કરવા માટે સામસામા ચડી આવ્યા. પ્રવ્હાદના સન્ય સામા સૈન્યને ક્ષણવારમાં દીન દશાને પમાડી દીધું, એટલે નંદન અને દત્ત બંને રથમાં બેસી યુદ્ધ કરવાને ચાલ્યા. દત્તે શત્રુઓના બલિને હણનારા પાંચજન્ય શંખને ફુક્યો અને જયકુંજરના વાછત્ર રૂપ શાગ ધનુષ્યને ટંકાર કર્યો. તે સાંભળી પ્રહાદ પણ ધનુષ્યના ટંકારથી દિશાઓને ગજાવતા અને યમરાજની જેમ ભુજદંડને દઢ કરતે રણભૂમિમાં આવ્યા. હરિ અને પ્રતિહરિ બંને રેષથી બાણને છોડવા લાગ્યા, અને પરસ્પર વિજયની ઈચ્છાએ એક બીજાના બાણને છેદવા લાગ્યા. છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરનાં ગદા, મુદગર અને દંડ વિગેરે બીજા આયુધોને પણ છેદવા લાગ્યા. પછી ક્રોધ પામેલા પ્રહાદે પ્રલયકાલના સૂર્યની જેવું તેજપુંજથી ભરપૂર અને સેંકડો જવાળાઓની માળાવડે વ્યાપ્ત એવું ચક્ર આકાશમાં ભમાંડીને વાસુદેવ ઉપર મૂકયું. પરંતુ તેની સમીપ આવતાં તે ચક્ર નિષ્ફળ થયું, એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈ પ્ર©ાદ ઉપર મૂકયું, જેથી તેનું મસ્તક તત્કાળ છેદાઈ ગયું. પછી દત્તવાસુદેવે દિગ્વિજય કરી ભરતાદ્ધને સાધી લીધું, અને કેટી શિલા ઉપાડીને તે આ ભારતમાં સાતમા અદ્ધચકી થયા. કૌમારવયમાં નવ વર્ષ, મંડલિકપણમાં અને દિગ્વિજયમાં પ્રત્યેક પચાસ પચાસ વર્ષ અને વાસુદેવપણુમાં પ૫૦૦૦ વર્ષએમ બધા મળી છપ્પન હજાર વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી દત્તવાસુદેવ પાપકર્મને વશપણુથી પાંચમી નરઠભૂમિમાં ગયા
પિતાના લઘુભાઈ દત્તવાસુદેવને અવસાનકાળ થયા પછી પાંસઠ હજાર વર્ષના આયુગવાળા નંદન બળભદ્દે બાકીને કાળ માંડમાંડ પૂરો કર્યો. પ્રાંતે ભાઈના મૃત્યુથી અને ઘણી ભવભાવનાથી વૈરાગ્યવાન થયેલા નંદન બલભદ્ર દીક્ષા લઈ નિરતિચાર તીવ્ર ત્રત પાળીને સિદ્ધિપદમાં પ્રતિષ્ઠા પામ્યા, અર્થાત્ ક્ષે ગયા.
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ चरमभव
વનો નાગ પંચમ: સઃ | BEB%98E9E388%E3%8888888888888888ષ્ઠ
Page #322
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ
શ્રી મઠ્ઠીનાથ ચરિત્ર,
મલ્લિકાના પુષ્પની જેવી નિર્માળ અને ભવ્યપ્રાણીરૂપ ભમરાઓએ ઉત્કંઠાથી પાન કરેલી શ્રીમલ્લીનાથ ભગવાનની વાણી જય પામે છે. હવે શ્રોતાઓના અમૃતના શ્રવણમાં સ્રોત જેવુ' તે શ્રી મલીસ્વામીનું અદ્ભુત ચરિત્ર કહેવામાં આવશે.
જબૂઢીપના અપવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેાકા નામે નગરી છે, તેમાં શત્રુએના ખલરૂપ વનને વિનાશ કરવામાં કુંજર ( હાથી ) જેવા અને ખલથી ખલભદ્ર જેવા અલ નામે એક દેવાકૃતિ રાજા હતા. તે રાજાને ધારણી નામે પત્નીથી કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહાખલ નામે એક પૂર્ણ પરાક્રમી પુત્ર થયા. અનુક્રમે તે મહાખલ કુમાર ઉત્કટ યૌવનવયવાળી કમલશ્રી વિગેરે પાંચસેા રાજકન્યા સાથે એક દિવસે પરણ્યા. તે મહાબળને અચળ, ધરણ, પૂર્ણ, વસુ, વૈશ્રવણ, અને અભિચંદ્ર નામે છ રાજાએ ખાલમિત્રો હતા. એકાદા તે નગરની બહાર ઇશાન દિશામાં આવેલા ઇંદ્રકુબ્જ નામના ઉદ્યાનમાં કેટલાક મુનિએ આવ્યા. અળરાજા તેમની પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતાં મહાબળને રાજ્ય ઉપર બેસારી દીક્ષા લઈ ને તે રાજા માક્ષે ગયા.
મહાખલને કમલશ્રી નામે મુખ્ય રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત અલભદ્ર નામે એક પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં જાણે પાતાની બીજી મૂર્તિ હોય તેવા અલભદ્રને તેણે યુવરાજપદવી આપી. અને પોતે પોતાના છ બાલમિત્રો સાથે સૌહાદના એક ભાવથી નિત્યે આત ધર્મને સાંભળવા લાગ્યા. એકદા મહાબલે પેાતાના મિગાને કહ્યું- હે મિત્રો ! હું આ સ'સારથી ભય પામ્યા છું માટે હવે દીક્ષા ગ્રહણ કરીશ. પછી તમારે શે માર્ગ લેવા છે?” તેઓ મેલ્યા- જેવી રીતે આપણે એકઠા રહીને આજ સુધી સાંસારિક સુખ ભાગળ્યું તેવીજ રીતે એકઠા રહીને હવે મેાક્ષસુખ ભોગવશુ'.' મહાબલે પેાતાના રાજ્ય ઉપર બલભદ્રને બેસાર્ય અને ખીજા મિત્રોએ પેાતપાતાના પુત્રોને બેસાર્યા. પછી મહાબલે પોતાના છ મિત્રો સાથે મહાત્મા વધ મુનિની પાસે દીક્ષા લીધી. તે મહાત્માએ સાતેની એવી પ્રતિજ્ઞા હતો કે ‘આપણામાંથી જે એક તપસ્યા કરે તેા તેએ પ્રમાણે સવે એ કરવી,’ આવેા સ'કેત કરી મેાક્ષને માટે સરખી ઉત્કંઠા ધારણ કરી તેઓ ચતુર્થાદિ તપસ્યા કરવા લાગ્યા. તેમાં મહાબલ સથી પેાતાને અધિક ફળ મળે તેવી ઇચ્છાથી
"
આજ મારૂં મસ્તક દુઃખે છે, આજે પેટમાં પીડા થાય છે, આજે ક્ષુધા લાગી નથી’ આવા ખાટા ખાના બતાવી પારણાને દિવસે પણ આહાર કરતા નહીં અને તેવી રીતે માયા ( કપટ ) થી તે છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા, તેવા માયામિશ્ર તપ કરવાવડે સ્ત્રીવેદ અને અર્હત ભક્તિ પ્રમુખ સ્થાનકોને આરાધવા વડે તી‘કરનામકમ મહાબળે ઉપાર્જન કર્યું. ચારશશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતે મિત્રમુનિઓ ચેારાશી હજાર વર્ષ સુધી વ્રત પાળી આયુષ્યના ક્ષય થતાં બે પ્રકારની સ`લેખના કરી, અનશન વ્રત લઈ કાળધમ પામીને વૈજય'ત નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
Page #323
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠે
આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ધર્મમાં તત્પર એવા લોકોથી ભરપૂર મિથિલા નામે નગરી છે. ત્યાં આવેલા પ્રાસાદે તેની ઉપર રપેલા સુવર્ણન કુંભેથી ઉપર ઉદય પામેલા સૂર્યવાળા ઉદયગિરિનો વિશ્વમ ધારણ કરે છે. આ નગરીને સર્વ રત્નમય દેખીને અમરાવતી અને અલકાદિક નગરી રતનમયી છે, એવી કથાઓમાં લોકોને શ્રદ્ધા થતી હતી. તેની રમણીયતાથી અતૃપ્ત રહેતા દેવતાઓ ક્ષણવાર સ્વર્ગમાં અને ક્ષણવાર તે નગરીમાં એમ વારંવાર રહ્યા કરતા હતા. ઈફવાકુવંશરૂપ ક્ષીરસાગરમાં અમૃત કુંભ જે અને નિધિ કુંભની પેઠે લક્ષમીને નિવાસરૂપ કુંભ નામે ત્યાં રાજા હતો. તે સરિતાઓનો જેમ જેમ સમુદ્ર તેમ સંપત્તિઓને એક આશ્રય હતા, અને મણિઓને જેમ રોહણગિરિ તેમ નીતિઓની ઉત્પત્તિભૂમિ હતો, એ મહામતિ રાજા શાસ્ત્ર અને શસ્ત્રોને જાણ હતું અને પૃથ્વીના કર લઈ દીન જનોને આપી દેતો હતો. તે ધીમાન મહારાજાને ચશમાં લાભ હતે, લક્ષ્મીમાં નહીં; દ્રવ્યમાં ત્યાગ (દાન) બુદ્ધિ હતી, પણ સીમાડામાં નહિ; અને ધર્મમાં વ્યસન હતું, પણ પાસક્રીડામાં ન હતું.
ઈદ્રને ઈંદ્રાણીની જેમ મુખની પ્રભાથી ચંદ્રનો પરાભવ કરનારી પ્રભાવતી નામે તેને એક મહારાણી હતી. તે પૃથ્વીની આભૂષણરૂપ હતી અને તેનું આભૂષણ શીલ હતું, બાજુ અને કડાં વિગેરે આભૂષણો માત્ર પ્રક્રિયારૂપ હતા. પોતાના નિર્મળ સતીપણાથી સર્વ જગતને પવિત્ર કરતી તે પ્રભાવતી જગમતીર્થ હોય તેમ કલ્યાણના હેતુ પણે શોભતી હતી. દલસુતા રહિણની સાથે ચંદ્રની જેમ એ હૃદયહારિણી રમણીની સાથે કુંભ રાજા ઉત્તમ ભેગ ભોગવતા હતા.
સ્વર્ગવાસી મહાબલને જીવ આયુષ્ય પૂર્ણ કરી વૈજયંત વિમાનમાંથી ચવી ફાલ્ગન શુકલ ચતુથી એ ચંદ્ર અશ્વની નક્ષત્રમાં આવતાં ચૌદ મહા સ્વપ્નોએ જેને આહંત વૈભવ સૂચવે છે એ તે મહાદેવી પ્રભાવતીની કુક્ષીમાં અવતર્યો. તેમના ગર્ભમાં આવ્યા પછી ત્રીજે માસે દેવીને માલ્ય (પુષ્પ) ની શય્યામાં યુવાનો દેહદ ઉત્પન્ન થયે. દેવતાએ તે દેહદ પૂર્ણ કર્યો. પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે સ્ત્રીવેદકર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થકરરૂપ એક કન્યાને પ્રભાવતીએ જન્મ આપ્યું. દિકકુમારીઓએ આવી તેનું સૂતિકાકર્મ કર્યું, અને ઈકોએ મેરગિરિપર લઈ જઈને તેમને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવ્યા પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શક્રઈ આ પ્રમાણે ભક્તિનિર્ભર હૃદયથી સ્તુતિ કરવા માંડી.
“ત્રણ જ્ઞાનના નિધિ અને ત્રણ જગતમાં પ્રધાન એવા ઓગણીશમાં તીર્થકરને હું નમસ્કાર કરું છું. હે નાથ ! સારે ભાગ્યે તમારા દર્શનથી હું ચિરકાળે પણ અનુગ્રહી “થ છું. કેમકે સાધારણ પુણ્યથી અહંત પ્રભુનું સાક્ષાત દર્શન થતું નથી. હે દેવ ! “આજે તમારા જન્મોત્સવના દર્શનથી દેવતાઓનું દેવત્વ સફળ થયું છે. એક તરફ “અશ્રુત ઈદ્રની ઉપર અને બીજી તરફ અન્ય પ્રાણીઓની ઉપર સમાન અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા હે પ્રભુ ! સંસારમાં પડતા એવા અમારું રક્ષણ કરે. પૃથ્વીના સુવર્ણ મુગટ “જેવા તમે ઈદ્રનીલમણિની જેમ અતિશય શોભે છે. ઈચ્છા કર્યા વગર માત્ર સ્મરણ કરવાથી પણ તમે મોક્ષને માટે થાઓ છો, તે દર્શન અને સ્તુતિ કરીને તમારી પાસે “તેથી અધિક ફળ શું માગીએ ? એક તરફ બધાં ધર્મકાર્યો અને એક તરફ તમારું
Page #324
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૨૯૭ દર્શન તે બંનેની ફળપ્રાપ્તિ તરફ જતાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિના સાધનરૂપ જણાય
છે. તમારા ચરણકમળમાં આલોટતાં જેવું સુખ મને થાય છે તેવું સુખ ઈદ્રપણામાં, “અહમિંદ્રપણામાં કે મોક્ષમાં પણ મને થતું નથી એમ હું માનું છું.”
આ પ્રમાણે સ્તુતિ કરી ઈ ઓગણીશમ અહેમંતને પાછા મિથિલાપુરીમાં લઈ જઈ માતાની પાસે મૂક્યા. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પમાલ્યપર શયન કરવાનો દેહદ થયે હતું, તેથી પિતાએ તેમનું મલ્લી એવું નામ પાડયું. ઈન્દ્ર મોકલેલી પાંચ ધાત્રીએાએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરાતા મલ્લીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
અચલરાયને જીવ વૈજયંત વિમાનથી ચવી આ ભરતક્ષેત્રના સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થયે. રૂપથી સાક્ષાત્ પડ્યા હોય તેવી પદ્માવતી નામે તેને સર્વ અંત:પુરમાં શિરોમણિ રાણી હતી. તે નગરને વિષે ઈશાન દિશામાં એક નાગદેવના મંદિરમાં અંદર નાગદેવની પ્રતિમા હતી. તેની અનેક લેકે માનતા કરતા હતા. એક વખતે પદ્માવતી રાણીએ નાગદેવની યાત્રાને માટે જવા સારુ પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા માગી. રાજાએ તેમ કરવા સંમતિ આપી અને તેની સાથે રાજા પણ પુષ્પાદિ સામગ્રી લઈ યાત્રાને દિવસે તે નાગપ્રતિમાના મંદિરમાં આવ્યો. પુષ્પનો મંડપ, પુષ્પને મુગર અને પિતાની પ્રિયાને જોઈ રાજાએ સ્વબુદ્ધિ નામના ઉત્તમ મંત્રીને પૂછયું- હે મંત્રીવર્ય! મારી પ્રેરણાથી તમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છે, તે તેમાં કેઈ ઠેકાણે આવું સ્ત્રીરત્ન કે આવો પુષ્પનો મુદગર તમારા જોવામાં આવ્યું છે ?” સ્વબુદ્ધિ મંત્રી બોલ્યા- “તમારી આજ્ઞાથી એકદા હું કુંભ રાજાની પાસે ગયો હતો, ત્યાં તેની મલ્લી નામે એક કન્યા મારા જેવામાં આવી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આયુષ્યગ્રંથીમાં એ પુષ્પમુદગર કરવામાં આવ્યો હતો કે તે સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની આગળ ચક્રવર્તીનું સ્ત્રીરત્ન, કામદેવની પત્ની રતિ અને ઈ દ્રાણી પ્રમુખ દેવસ્ત્રીઓ તે સર્વ તૃણતુલ્ય છે. એ કુંભરાજની કુમારી એકવાર પણ જેને જોવામાં આવી હોય તે અમૃત રસના સ્વાદની જેમ તેના રૂપને ભૂલી જતો નથી. મનુષ્યમાં અને દેવતાઓમાં તે મલ્લીકુમારીના જેવી કોઈ નારી નથી. તેનું અદ્વૈતરૂપ વાણીથી પણ અગોચર છે.” તે સાંભળી પૂર્વ જન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભ રાજાની પાસે એક દૂત મોકલ્ય.
તે અરસામાં ધરણને જીવ પણ વૈજયત વિમાનથી ચડી ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થયો. તે ચંપાપુરીને નિવાસી અહંના નામે એક શ્રાવક વેપાર કરવાને માટે વહાણમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યું હતું. તે વખતે ઈન્દ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અહંનયના જેવો કોઈ દઢ શ્રાવક નથી.' તે સાંભળી ઈર્ષાવાનું થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જે પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વેપારીએ પોતપોતાના ઈષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંને સમાધિસ્થ થઈ પચ્ચખાણ કર્યું કે “જે આ વિદનમાં મારું મૃત્યુ થાય તે હવે મારે અનશન વ્રત (ચારે આહારને ત્યાગ) છે. તે વખતે પેલા દેવે રાક્ષસને રૂપે આકાશમાં રહીને કહ્યું કે “હે અહંનય! તું તારો ધર્મ છોડી દે અને મારું વચન માન. જે તું માનીશ નહી તો આ વહાણ ઘડાની ઠીબની જેમ ફેડી નાખી તને પરિવાર સાથે
૧ પદ્મદ્રહમાં નિવાસ કરનારી લક્ષ્મી. ૩૮
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સગ ૬ ઠા
આ જળજતુઓનુ ભક્ષ્ય કરીશ...' આટલુ કહેતાં પણ જયારે અન્નય ધર્મથી ચલિત થયા નહી. ત્યારે તે દેવે તેને ખમાગ્યે અને ઇન્દ્રે કરેલી પ્રશ'સા સબધી વાર્તા કહી સસ્તંભળાવી. પછી તે શ્રાવકને એ મનેાહર દિવ્ય કુડલની જોડી આપી, ઘાર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ અંતર્હિત થઈ ગયા. અનુક્રમે અન્નય સમુદ્રના તીરની ભૂમિપર ઉતયેર્યા અને બધુ કરીયાણું લઇ મિથિલાપુરીમાં ગયા. ચાગ્યતા જાણનાર અને ઉદાર મનવાળા અન્નયે ત્યાં કુંભરાજાને એક કુંડલની જોડી ભેટ કરી. રાજાએ તે કુડલની જોડી પેાતાની પ્રિય દુહિતા મલ્લીને આપી અને નીતિ જાણનારા રાજાએ અર્જુનયના સત્કાર કરી તેને વિદાચ કર્યા. ત્યાં જીનાં કરીયાણાં વેચી અને નવાં લઇ અકંપ બુદ્ધિવાળા અર્હનય ફરતા ફરતા ચપાપુરીમાં આવ્યા. ત્યાંના રાજા ચન્દ્રછાયને બીજી કુંડલની જોડી ભેટ કરી. રાજાએ પૂછ્યું- હું શ્રેષ્ઠી ! આ કુંડલની જોડી કયાંથી લાવ્યા છે ?’ તે સાંભળી તેણે કુડલ સબંધી સવાર્તા કહી બતાવી, તે પ્રસ ંગે પ્રથમ એક કુડલની જોડી મલ્ટીકુમારીને આપેલી, તે વાત નીકળતાં તેણે મહ્રીકુમારીનું ઉત્કૃષ્ટ સ્વરૂપ વર્ણન કરવા માંડયુ’– એ મલ્ટીકુમારીનું મુખ જો ઉદિત હોય તા ભલે ચ ંદ્ર અસ્ત થઈ જાય. જો તેના અંગની કાંતિ હોય તો પછી મરકતમણિની કાંઈ જરૂર નથી. તેના લાવણ્યનું પૂર હાય તેા ગંગાના જળની શી જરૂર છે? અને તેની રૂપલક્ષ્મી હોય તે પછી દેવાંગના ભલે દૂર રહે. હું રાજા! જેઓએ તે રમણીને નીરખી નથી તે પુરૂષાનાં નેત્ર વૃથા છે, કેમકે જેઓ કદી પણ વિકાશિત પદ્મિનીને જોતા નથી, તે હંસ શા કામના છે ?” તે સાંભળી ચદ્રછાય રાજાએ પૂર્વજન્મના સ્નેહયાગથી મલ્રીકુમારીને વરવાને માટે કુંભરાજાની પાસે પેાતાના એક દૂતને માકલ્યા.
હવે પૂરણના જીવ વૈજય ́ત વિમાનમાંથી ચવી શ્રાવસ્તીપુરીમાં રૂકમી નામે રાજા થયા. તેને ધારિણી નામે પત્નીથી સુબાહુ નામે એક નાગકન્યા જેવી અતિ સ્વરૂપવાન કન્યા થઈ. રાજાને તે ઘણી વ્હાલી હતી, તેથી ચાતુર્માસમાં સર્વ પરિવાર સહિત આદર પૂર્ણાંક વિશેષ પ્રેમવડે તેને સ્નાનવિધિ કરાવતા હતા; એક વખતે અત:પુરીઓએ વિશેષ પ્રકારે સ્નાન કરાવેલી તે ખાળા દિબ્યાલ કાર ધારણ કરીને પેાતાના પિતાને પ્રણામ કરવા ગઈ, તેને ઉત્સ’ગમાં એસારી પિતાએ અંતઃપુરના સેવક (નાજર ) ને કહ્યું-‘આ કન્યાના જેવા સ્નાનવિધિ તે કોઇ ઠેકાણે જોયા છે ?” તે સેવક ખેલ્યા “તમારી આજ્ઞાથી એકવાર હું મિથિલાપુરીમાં ગયા હતા. ત્યાં કુંભરાજાની પુત્રી મલ્ટીકુમારીની આયુષ્યગ્રંથીમાં આથી પણુ વિશેષ સ્નાનવિધિ મારા જોવામાં આવ્યેા હતા. હે પ્રભુ! તે રાજકુમારીનું સ્વરૂપ પણ નિરૂપમ છે. હું જો કહીશ તેા તમને અસ ́વિત લાગશે, પણ તમારે મારાં વચનપર વિશ્વાસ રાખવા. તેવુ' સ્ત્રીરત્ન પૂર્વે મારા જોવામાં કાંઈપણ આવ્યું નથી. જ્યારથી તે જોવામાં આવેલ છે, ત્યારથી બીજી સ્ત્રીઓનું વર્ણન કરવામાં મારી જિન્હાએ મૌનવ્રત ગ્રહણ કર્યું છે; તેની આગળ બીજી સ્ત્રીએ નિર્માલ્ય જેવી જણાય છે. કલ્પલતાની આગળ આમ્રલતા શા હિસાબમાં હોય ?’’ તે સાંભળી રૂકમી રાજાને તેનાપર અનુરાગ ઉત્પન્ન થયા, તથા મઠ્ઠી કુમારીની માગણી કરવાને તેણે પણ કુંભરાજા પાસે એક દૂતને માકલ્યા.
વસુને જીવ પણ વૈજય’ત વિમાનથી ચવી વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયા. એક વખતે અન્નયે આપેલુ મટ્ટી કુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું, તેથી તેને સુધારવાને રાજાએ સ્વર્ણકાર (સોની) ને હુકમ કર્યા. સ્વર્ણકારોએ જોઈ ને કહ્યું કે—“હે દેવ ! અમે આવું દિવ્ય કુંડલ સુધારવાને સમર્થ નથી.' તે સાંભળતાંજ કાધ પામીને રાજાએ
Page #326
--------------------------------------------------------------------------
________________
પવ ૬ '
૨૯૯
તેઓને નગરમાંથી બહાર કાઢી મૂકવા તે ત્યાંથી વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં શ'ખરાજાની પાસે પેાતાને કાઢી મૂકવાના કારણમાં વૃત્તાંત બન્યુ હતુ. તે સ તેમણે કહી બતાવ્યું. તેમાં કુંડળને પ્રસંગે મલ્રીકુમારીના અદ્ભુત રૂપનું વર્ણન કરવા માંડયુ જે પદાર્થા ખીજે ઉપમાન ગણાય છે એ આ બાળાની પાસે ઉપમેયર તરીકે ગણાય છે; જેમ ચંદ્ર તેના મુખના ઉપમેય છે, બિંબ ફળ તેના હાઠનુ ઉપમેય છે, શ’ખ તેના કંઠપ્રદેશના ઉપમેય છે, ખિસલતા એ ભુજાની ઉપમેય છે, વજ્રના મધ્યભાગ તેના મધ્ય ભાગ (કઢિ )નેા ઉપમેય છે; હાથીની સૂંઢ તેના ઉની ઉપમેય છે, નદીની ભ્રમરી તેની નાભિની ઉપમેય છે, દર્પણુ તેના જઘનનું ઉપમેય છે, મૃગલીની જઘા તેની જાંઘાનું ઉપમેય છે અને કમળ તેના હાથ પગનું ઉપમેય છે.'' તેવુ રૂપ સાંભળી પૂના સ્નેહાનુખ ધવડે શ‘ખરાજાએ મલ્ટીકુમારીની યાચના કરવા માટે એક દૂત કુંભરાજા પાસે માકલ્યા.
વૈશ્રવણુના જીવ પણ વૈજયંત વિમાનથી ચવી અદ્દીનશત્રુ નામે હસ્તીનાપુરમાં રાજા થયા હતા. અહી મલ્ટીકુમારીને મલ્લકુમાર નામે એક ભાઈ હતા, તેણે કુતૂહલથી ચિત્રકારા પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી હતી. તેમાં ચીતરનારા ચિત્રકારામાં એક ચિત્રકાર ઘણા ચતુર હતેા. ફક્ત એક અંગ જોવામાં આવે તાપણ તેને અનુસારે સ અંગનુ' યથાસ્થિત ચિત્ર કરવાની તેને લબ્ધિ પ્રાપ્ત થયેલી હતી. એક વખતે પડદામાંથી મલ્ટીકુમારીના પગના અંગુઠા તેના જોવામાં આવ્યા, તેને અનુસારે સર્વ અંગોપાંગ સહિત મલ્ટીકુમારીનું યથાર્થ રૂપ આળેખી લીધુ. અન્યદા મલ્લકુમાર તે ચિત્રશાળામાં ક્રીડા કરવાને ગયા, અને તેમાં કરેલાં ચિત્ર જોવા લાગ્યા. તેવામાં ચિત્રમાં રહેલી મલ્ટીકુમારીને જોઇ તે સાક્ષાત મલ્ટીકુમારી છે, એવું ધારી લજજાથી તરત પાછેા ફર્યાં. તે વખતે ધાત્રીએ કહ્યું-કેમ પાછા ફર્યા ?' ત્યારે કુમાર ખેલ્યા- ‘અહી' મારી બેન મલ્લીકુમારી છે, તે ત્યાં શી રીતે ક્રીડા કરાય ?’ ધાત્રીએ ખરાખર જોઈને કહ્યું-કુમાર ! આ સાક્ષાત્ મલ્લીકુમારી નથી પણ એ તો ચિત્રમાં આળેખેલ છે, માટે પાછા આવે.” તેમ જાણી મલ્લીકુમારને ક્રોધ ચડયો. તેથી પેલા ચિત્રકારને દક્ષિણ હસ્ત છેદી નાખ્યા અને તેને પોતાના નગરમાંથી કાઢી મૂકયા. તેણે હસ્તીનાપુરમાં જઈ અદીનશત્રુ રાજાને તે વૃત્તાંત કહ્યો અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડ્યું “હે રાજા ! આ સર્વ જગતરૂપ આકાશમાં ચંદ્રલેખા સદેશ તે મલ્લીકુમારી જેવી કોઇ બીજી સુંદરી સ્રી કાઈ ઠેકાણે છે નહીં, થઇ નથી અને થશે પણ નહીં. જે કાઈ તે સુંદર કન્યાને જોઇ પછી અન્ય કન્યાને જુએ છે, તે મહાનીલમણિને જોઇ કાચના કટકાને જુએ છે. આ જગતમાં રૂપ, લાવણ્ય, ગતિ અને બીજી ચેષ્ટાઓથી તે ખાળા નદીઓમાં ગંગાની જેમ સ્ત્રીઓમાં મુખ્ય છે.” આ પ્રમાણે તેનું વર્ણન કરીને પછી ચિત્રકારે ચિત્રનું ફલક આકષી રાજાને ખતાવ્યું. તેને જોઇ વિસ્મય પામેલા અને પૂર્વ સ્નેહથી ઉત્કંઠિત થયેલા રાજાએ તેની યાચના કરવાને કુંભરાજાની પાસે પાતાના દૂત માકલ્યા.
અભિચંદ્રના જીવ પણ બૈજય ́ત વિમાનથી ચવી કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયા હતા. તેના પુણ્યથી આકર્ષાઇને દેવલાકમાંથી અપ્સરાનું વૃંદ આવ્યું હોય તેમ ધારણી વિગેરે તેને એક હજાર રાણીઓ હતી. અહીં મિથિલા નગરીમાં ચેાક્ષા નામે એક વિચક્ષણુ પરિવ્રાજિકા હતી. તે રાજાના અને ધનાઢચ પુરૂષાના ઘરમાં ફરતી ફરતી આપ્રમાણે કહેતી હતી કે “દાન કરવાથી અને તીના અભિષેકથી
૧ ઉપમા આપવા યેાગ્ય. ૨ ઉપમા પામવા યેાગ્ય.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સગ ૬ ઠે થયેલે ધર્મ, સ્વર્ગ અને મોક્ષને હેતુ છે. એ અમારૂં તત્ત્વવચન છે.” આ પ્રમાણે કહેતી તે પરિત્રાજિકા નગરના અને દેશના લોકોને ધર્મમાં પ્રવર્તાવતી હતી. એક વખતે ફરતી ફરતી તે કુંભરાજાના દરબારમાં જ્યાં મલકુમારી રહેતી હતી તે મહેલમાં આવી ચડી. ત્યાં પ્રથમ હાથમાં ત્રિદડ રાખી, કષાયેલાં વસ્ત્ર ધરીને તે ઉભી રહી, પછી દર્ભવડે કમંડલમાંનું જળ પૃથ્વીપર છાંટી તેના પર પિતાનું આસન પાથરીને બેઠી, બીજા માણસની જેમ મલીકમારીને પણ તે ધર્મોપદેશ કરવા લાગી. તે સાંભળી ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારી બોલ્યા “જેટલાં દાન છે તે સર્વ ધર્મને માટે નથી; જે સર્વ દાન ધર્મ માટેજ થતાં હોય તો બિલાડા અને કૂતરાનું પિષણ પણ ધર્મને માટે થાય. જીવહિંસા જેમાં રહેલ છે એવા તીર્થાભિષેકથી શી રીતે પવિત્રતા થાય? રૂધિરવડે લીપાએલું વસ્ત્ર શું રૂધિરવડે ધેવાથી શુદ્ધ થાય ? માટે વિવેક મૂળ ધર્મ છે, તે અવિવેકીને થતું નથી. તેવા પુરૂષને તપસ્યા પણ કેવલ કલેશને માટે થાય છે, તેમાં કાંઈ પણું સંશય નથી.” આ પ્રમાણે મલ્લીકુમારીએ કહ્યું, એટલે ચક્ષા પરિત્રાજિકા વિલખી થઈ નીચું મુખ કરી રહી; કારણકે પ્રભુનાં યુક્તિવાળાં વચનને બાધિત કરવાને કણ સમર્થ થાય? પછી “ અરે પાખંડી ! આવા દર્ભના આસન પર બેસી તું આ વિશ્વને કેટલે વખત થયાં છેતરે છે? એમ કહી દાસીઓએ તેને તિરસ્કાર કર્યો. તે વખતે ચેક્ષાએ મનમાં ચિંતવ્યું કે રાજ્ય સંપત્તિ વડે ઉન્મત્ત થઈ ગયેલી આ રાજકુમારીકાઓ અને તેના ઈદે વર્તનારા તેના પરિવારે મારે જે તિરસ્કાર કર્યો છે તેનું બૈર વાળવાને માટે મારી બુદ્ધિ પહોંચાડીને આ રાજકુમારીને જ્યાં ઘણી શક્યો હોય તેની વચમાં ફેંકી દઉં, અર્થાત્ ઘણી રાણીઓવાળે રાજા પરણે એમ કરૂં જેથી એ દુઃખી થાય.” આ પ્રમાણે ચિંતવી ક્રોધથી મનમાં ધમધમી રહેલી તે પરિત્રાજિકા ત્યાંથી નીકળીને કાંપિલ્યપુરમાં જિતશત્રુ રાજાની પાસે ગઈ. રાજાએ મેટા સત્કારથી તેનાં દર્શન કર્યા. એટલે આશીર્વાદ આપીને તે પિતાના આસન પર બેઠી. રાજાએ અંતઃપુર સાથે ભક્તિ પૂર્વક તેની વંદના કરી. તેણે ત્યાં પણ દાન અને તીર્થાભિષેકના ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ કહ્યું-ભગવતિ ! તમે આ પૃથ્વી પર પરતંત્ર થયા વગર વેચ્છાએ સર્વત્ર ફર્યા કરે છે, માટે હું તમને પૂછું છું કે “આ મારા અંતઃપુરની સ્ત્રીઓ જેવી અપૂર્વ સ્ત્રીઓ તમે કોઈ ઠેકાણે જોયેલી છે ? તે સાંભળી ચેક્ષા હસતી હસતી બેલી-હે રાજા! કૂવાના દેડકાની જેમ તમે તમારા અંતઃપુરને કેમ બહુ માને છે ? મિથિલાનગરીમાં કુંભરાજાને ઘેર મલ્લી નામે એક સુંદર કન્યારત્ન છે. તે સર્વ મૃગાક્ષીએ માં ચૂડામણિ છે. તેના માત્ર એક અંગુઠાની જે શેભા છે તે દેવાંગના કે નાગકન્યાઓમાં પણ જોવામાં આવતી નથી. વધારે શું કહું ? તે મને હર બાળાના શરીરના બાંધાની શેભા, તેનું સૌંદર્ય અને તેના લાવણ્યની સંપત્તિ કઈ જુદી જ છે. તે સાભળતાંજ પૂર્વના સ્નેહને લીધે જિતશત્રુ રાજાએ તેની પ્રાર્થનાને માટે કુંભારાજાની પાસે એક દૂત મોકલ્યા.
અહીં મલ્લીકુમારીએ પિતાના પૂર્વ જન્મના મિત્ર છએ રાજાઓને અશેકવાડીમાં બંધ થવાનો છે એવું અવધિજ્ઞાનવડે જાણીને તે વાડીની અંદર મહેલના ઓરડાની મધ્યમાં મનોહર રતનપીઠ ઉપર એક પિતાની સુવર્ણ પ્રતિમા કરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના પધરાગ મણિ વડે અદ્ધર કર્યા, નીલમણિથી કેશ રયા, ઈદ્રનીલ અને સ્ફટિકમણિનાં લોચન બનાવ્યાં, પ્રવાળાના હાથપગ રચા, છિદ્રવાળું (પિલું) ઉદર કર્યું, તાળવાના ભાગમાં છિદ્ર કર્યું, અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું, બીજા સર્વ અવય
Page #328
--------------------------------------------------------------------------
________________
પવ ૬ હું
૩૦૧
અતિ રમણીય બનાવ્યાં; અને તે પ્રતિમાવાળા ઓરડાની ફરતી ભી'ત ચણાવી, તેમાં તાળાં દીધેલાં કમાડવાળાં છ દ્રાો કરાવ્યાં, તે દ્રારની આગળ નાના નાના છ એરડા કરાવ્યા, અને પ્રતિમાની પછવાડાની ભી`તમાં એક બીજી' દ્વાર પડાવ્યુ'. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારના એક એક પિંડ મૂકી તે પર સુવર્ણ કમળ ઢાંકી દઇને મલ્લીકુમારી પ્રતિદિન ભાજન કરવા લાગ્યાં.
હવે જે છ રાજાઆએ મલ્ટીકુમારીને માટે પોતપાતાના દૂતે માકલ્યા હતા તે એક સાથે મિથિલાપતિની પાસે આવ્યા. સર્વાંમાં પ્રથમ દૂતે કહ્યું “અનેક સામત રાજાએ મસ્તકવડે જેના ચરણકમળને માર્જિત કરે છે એવા મહાપરાક્રમી, મહા ઉત્સાહી, રૂપમાં કામદેવ જેવા, અધિપતિ સૌમ્યતામાં ચંદ્ર જેવા, પ્રતાપમાં સૂર્ય જેવા અને બુદ્ધિમાં ગુરૂ જેવા સાકેતપુરના પ્રતિબુદ્ધિ રાજા તમારી નિર્દોષ કન્યા મન્નીકુમારીને પરણવાને ઈચ્છે છે. તમારે કાંઈ ખીજાને કન્યા તા અવશ્ય આપવી જોઇશે, તેા અમારા રાજાને આપીને તેને સ્વજન કરવાને તમે યાગ્ય છે.” બીજે ક્રૂત આલ્યા- ધૂંસરા પ્રમાણ દીર્ઘ ભુજાવાળા, પુષ્ટ કધવાળા, વિશાળ લાચનથી શેાભતા, કુલીન, ચતુર, સત્ય પ્રતિજ્ઞાવાળા, રણભૂમિમાં તીવ્ર, સર્વ શાસ્ત્રના અભ્યાસી અને સર્વ શસ્ત્રોમાં શ્રમ કરનાર, એવા ચંદ્રની છાયા જેવા શીતળ ચંપાનગરીના પતિ ચંદ્રાય નામે યુવાન રાજા તમારી પુત્રી મલ્લોકુમારીને માગે છે, તો તેને આપવાને તમે ચાગ્ય છે.” ત્રીજા દૂતે કહ્યું-ળ્યાચકોના ચિંતામણી, ક્ષત્રિયાના શિરામણિ, શરણેચ્છુને શરણ કરવા યાગ્ય, વીર્ય વંતમાં શ્રેષ્ઠ, જયશ્રીનુ ક્રીડાગૃહ અને ગુણીજનાના બગીચા રૂકમિ નામે શ્રાવસ્તી નગરીના રાજા તમારી કન્યાને ઇચ્છે છે. માટે હે રાજા ! વિધિએ મેળવેલા ઉચિત એવા વરવધુના યાગ કરો, તમે ચેાગ્યતાને જાણનારા છે.” ચાથા દૂત ખલ્યા-અદ્ભુત ઐશ્વર્યથી યક્ષપતિ કુબેરને જીતનાર, વાચાલ, સૌંદર્ય માં કામદેવ સમાન, શત્રુઓના ગવ ને છેદનાર, સદાચાર રૂપ માના વટેમાર્ગુ, શાસનમાં ઇંદ્ર સમાન અને શંખના જેવા ઉજજવળ યશને ધારણ કરનાર શખ નામે કાશી નગરીના રાજા છે, તે તમારી પાસે તમારી કન્યાની પ્રાર્થના કરે છે તે સ્વીકારો.' પાંચમા તે કહ્યુ વ્હે મિથિલાપતિ ! મેાટા ખળવડે હરતી જેવા, હાથચાલાકીવાળા, મહાપરાક્રમી, અનેક રણમાં પસાર થયેલા, દૃઢ હૃદયવાળા, સારી બુદ્ધિવાળા, યુવાન, કીર્ત્તિરૂપી વેલના પ્રરોહણ, ગુણરત્નાના એક રેહણાચળ અને દીન અનાથ જનના ઉદ્ધાર કરનાર હસ્તીનાપુરના સ્વામી અદીનશત્રુ રાજા, તમારી કન્યા મલ્લિકુમારીને માગે છે તેથી તેને આપો.” ો દૂત એલ્યા “હાથીઓથી પતની જેમ શત્રુઓથી અકંપનીય, નદીઓથી સમુદ્રની જેમ ઘણી સેનાથી ચારે તરફ પરવરેલા, અપ્રતિહત શક્તિવાળા સેનાનીથી ઇંદ્રની જેવા અને સર્વ શત્રુને જીતનાર કાંપિલ્યપુરનો અધિપતિ જિતશત્રુ રાજા મારા મુખે તમારી કન્યાને પ્રાથે છે; માટે વિલંબ વગર તેને આપે.”
આ પ્રમાણે છએ તાનાં વચન સાંભળી કુ ભરાજા બાલ્યા- “અપ્રાર્થિત વસ્તુની પ્રાના કરનારા, મૂઢ અને બહુમાની એવા તે અધમ રાજાએ કાણુ છે ? આ મારૂં કન્યારત્ન ત્રણ જગતમાં શિરારત્ન છે. તેને પરણવાને ઇંદ્રાદિક દેવતાઓની પણ ચેગ્યતા નથી. હું ગરીબ દ્વતા ! તમારા દુરાશયવાળા સ્વામીએ આ મનારથા વૃથા કરેલા છે, તેથી શીઘ્ર અહી થી તમે ચાલ્યા જાઓ. મારા નગરમાંથી સત્વર નીકળે.” આ પ્રમાણે તિરસ્કાર કરેલા તે તાએ ત્યાંથી નીકળી ઉતાવળા પાતપાતાના સ્વામી પાસે આવી ક્રોધરૂપ અગ્નિમાં પવન જેવા આ સ'દેશેા કહ્યો. પછી છએ રાજાઓએ પાતાના સરખા પરાભવ થવાથી પરસ્પર
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સગર્
દ્વતા મોકલીને કુંભરાજા સાથે માટી લડાઈ કરવાના નિશ્ચય કર્યાં. પછી છ વધર પતની જેવા તે છ રાજાઓ સૌન્યથી પૃથ્વીને આચ્છાદન કરતા મિથિલાપુરી પાસે આવ્યા. પ્રવેશના અને નીકળવાના દ્વારને રોકવામાં ચતુર એવા તેઓએ ચંદનના વૃક્ષને સર્પની જેમ મિથિલાનગરીને વીટી લઇને ફરતા ઘેરા નાખ્યા. કેટલાક દિવસ સુધી રહેલા આવા ઘેરાથી ખેદ પામેલા કુંભરાજા એક દિવસ તે સંબંધી ચિ ંતા કરતા હતા, તેવામાં મલ્ટીકુમારી ત્યાં આવ્યા. તેણે કહ્યું- “ હે તાત ! તમે ઉદ્વેગી થયા હૈ। તેમ કેમ જણાએ છે?” એટલે કુ ભરાજાએ પાતાને ઉદ્વેગ થવાનું કારણ કહ્યું. તે સાંભળી મલ્લીકુમારી એલ્યાં
પિતાજી ! ગૂઢ પુરૂષો માકલી પ્રત્યેક રાજાને કહેા કે ‘ તમને મલ્ટીકુમારી આપીશ,’ એમ કહી તે છએ રાજાને સમજાવા, અને પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે, તેની આગળના છએ ઓરડામાં તેઓને સાય કાલે શ્વેત વસ્ત્ર ધરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવા.” કુ ભરાજાએ તે પ્રમાણે ગાઠવણ કરી એટલે તેઓ આવીને ત્યાં હાજર થયા પછી પેલા કમાડની જાળીમાંથી સર્વે એ મલ્ટીકુમારીની પ્રતિમાને જોઇ. ‘ અહા ! પુણ્યયેાગે આ સુંદર લેાચનવાળી સુરૂપા મલ્લીકુમારી આપણે પ્રાપ્ત કરી' એમ પ્રત્યક્ષ મલ્ટીકુમારીની બુદ્ધિથી પ્રત્યેક તેનું અનુરાગપૂર્વક ચિંતવન કરવા લાગ્યા. એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલ્ટીકુમારીએ પ્રચ્છન્નપણે તેમાં પ્રવેશ કર્યા, અને પ્રતિમાવડે સંતાઇ રહીને તેમણે તાળવાને ઢાંકવાનુ જે કમળ હતુ. તે પાડી નાખ્યું. તત્કાળ પ્રથમ નાંખેલાને કહી ગયેલા આહારના ગંધ તેમાંથી સ્ફુરી નીકળ્યા. તે વિષ્ટાની દુર્ગંધ જેવા અસહ્ય હાવાથી નાસિકાને અત્યંત ખાધા કરવા લાગ્યા. છએ કમાડની જાળીમાંથી નીકળીને તે દુર્ગંધ છએ આરડામાં ફેલાયા. તેથી એ રાજાની નાસિકાને ફાડી નાખતા હોય તેમ અપ્રિય થઈ પડયો. એટલે વસ્ત્રવડે નાસિકાને ઢાંકીને શત્રુઓથી કાયરની જેમ તેઓ ત્યાંથી પરા મુખ થઈ ગયા. તે વખતે મલ્ટીકુમારીએ અંદરથી કહ્યું કે ‘તમે પરા'મુખ કેમ થાઓ છે ? ’ તેઓ મેલ્યા-અમે આ દુગંધને સહન કરી શકતા નથી.’ પછી મલ્લીકુમારી પ્રગટ થઇને મેલ્યાં-આ પ્રતિમા તે સુવણૅ ની છે પણ એમાં પ્રતિદિન આહારના કવળ નખાય છે તેથી તેની આવી ગંધ આવે છે; તેા માતાપિતાના વીર્ય અને લેાહીથી ઉત્પન્ન થયેલા ગર્ભ માં પ્રથમ કલલ (પરપાટા) જેવુ... થઈ, પછી માંસની પેશીરૂપે થતાં માતાના કરેલા આહારના સત્વથી અનેલા રસથી પેષિત થયેલા, આરના પડદામાં તથા નરકમાં મગ્ન થયેલા અને વિશ્વામૂત્રથી વાસિત એવા આ શરીરને માટે તે શું કહેવું ! આવી રીતે જેની ઉત્પત્તિ છે એવા, વિદ્યાના કાઠારૂપ, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને વી થી ભરેલા, મૂત્રના એક સ્ત્રાત, શ્લેષ્મ (બડખા)ની મસક અને શહેરની ગટર જેવા દુર્ગંધી શરીરમાં શું કાંઈ પણ સાર છે? જેમ ઉષર જમીનમાં અમૃતની વૃષ્ટિ પણ ખારરૂપ થઇ જાય, તેમ એ શરીરને સુગધી કરવા માટે લગાવેલા કપૂર વિગેરે સુગંધી પદાર્થો પણ મલરૂપ થઇ જાય છે. એવી રીતે બહાર અને અ'દર બીભત્સ એવા આ શરીરની ઉપર શુ વિવેકી પુરૂષો જરા પણ રાગ ધારણ કરે ! અર્થાત્ ન કરે. અરે મુગ્ધ રાજા ! આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યા હતા તે કેમ સ'ભા રતા નથી ?”
..
આવાં મલ્ટીકુમારીનાં વચન સાંભળીને તેના વિચાર કરતાં તે છએ રાજાઓને જાતિસમરણુજ્ઞાન ઉત્પન્ન થયુ.... ‘અર્હંતના અનુગ્રહથી શું ન થાય ?’ પછી મલ્લીપ્રભુએ જાળીવાળા છએ કમાડ ઉઘાડી નાખ્યાં. એટલે તે છએ રાજાએ પ્રતિષેધ પામી આ પ્રમાણે કહેવા લાગ્યા હે ભદ્દે! અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતે મિત્રા સંકેત
Page #330
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૩૦૬
કરી એકઠા રહીને તીવ્ર તપ કરતા હતા. હે પ્રભુ ! તમે અમને સારી રીતે બોધ આપીને નરકમાં પડતાં બચાવ્યા છે, તો હવે અમારે શું કરવા ચોગ્ય છે તે બતાવે; કેમકે તમે અમારા ગુરૂ છો.” “સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરજે” એમ કહી મલ્લીકુમારીએ તેમને વિદાય કર્યા એટલે તે રાજાએ પોતપોતાના નગરમાં ગયા.
તે અવસરે લેકાંતિક દેવતાઓએ આવી મલલીનાથને કહ્યું કે “તીર્થ પ્રર્વત્તાવે.” તે સાંભળી પ્રભુએ જાભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડયું. જન્મથી સો વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીશ ધનુષ ઉંચી જેની કાયા છે એવા મલ્લીકુમારીને કુંભરાજા અને ઈંદ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમણત્સવ કર્યો. પછી જંયતી નામે શિબિકા રત્નપર આરૂઢ થઈ મલ્લી પ્રભુ સહસાગ્ર વન નામે ઉત્તમ ઉદ્યાનમાં આવ્યાં.
તે ઉદ્યાન કેઈ ઠેકાણે કૃષ્ણ ઈશ્ન (શેલડી)ને વાઢથી જાણે કૃષ્ણપક્ષવાળું હોય અને કોઈ ઠેકાણે શ્વેત ઈશુના વાઢથી શુકલપક્ષવાળું હોય તેવું દેખાતું હતું. નારંગીના પકવ ફળવડે જાણે શેણ મણિઓથી જડેલું હોય, અને મચકના ફળથી જાણે નીલમણિએ બાંધેલું હોય તેવું જણાતું હતું. તેમાં શીતથી પીડિત એવા વટેમાર્ગુઓ નારીને સ્તનની જેમ ઉષ્ણ એવું કવાનું જલ પીતા હતા અને વડના વૃક્ષની છાયાને સેવતા હતા. જાણે હેમંત લકમીનાં હાસ્ય હોય તેવા વિકસ્વર ડેલરના પુપોથી તે શેભી રહ્યું હતું. તેવા ઉદ્યાનમાં જગદ્દગુરૂએ પ્રવેશ કર્યો. પછી બાહ્ય પરિવારને એગ્ય એવા એકહજાર પુરૂષ અને અત્યંતર પરિવારને મેગ્ય એવી ત્રણ સ્ત્રીઓની સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતાં પ્રાત:કાલે મલ્લીનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે મલ્લી પ્રભુને મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું; અને તેજ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું. ઈ દ્રાદિક દેવોએ આવી ત્રણ ધનુષ્ય ઉંચા રૌત્મવૃક્ષવડે શેભિત એવું સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી રત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી તથા નમઃ” એમ કહી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તત્કાલ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમનાં રૂપ વિકવ્યું. શ્રીમાન ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો. કુંભ રાજા અને પેલા છ રાજાઓ પણ ત્યાં આવીને ઈદ્રની પછવાડે બેઠા. પછી શ્રદ્ધા વડે નિર્મળ અંતરાત્માવાળા દેવરાજ (ઈદ્ર) અને કુંભરાજ પ્રભુને નમસ્કાર કરી હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા
હે અહંન! જેઓ સારે ભાગ્યે તમારા ચરણમાં નમે છે, તેઓના લલાટ ઉપર “તમારા ચરણનખનાં જે કિરણો પડે છે, તે આ ભયંકર ભવથી ભય પામેલા પ્રાણીઓને “રક્ષાના તિલક જેવાં થાય છે. હે પ્રભુ ! તમે જન્મથીજ બ્રહ્મચારી હોવાથી તમારે દીક્ષા “પણ જન્મથીજ છે અને તેથી તમારો બધે જન્મ વતપર્યાયમાંજ છે એમ હું માનું છું. “હે નાથ ! જ્યાં તમારું દર્શન નથી, તે ઘર શા કામનું છે? અને તમારા દર્શનથી પવિત્ર “એવું આ બધું ભૂમિતળ કલ્યાણ રૂપ છે. હે પ્રભુ! આ સંસારરૂપ શત્રુથી ભય પામેલા “મનુષ્ય, દેવ અને તિર્યંચ પ્રાણીઓને તમારૂં સમોસરણ એક શરણ આપનાર કિલાભૂત
છે. તમારા ચરણમાં પ્રણામ કર્યા સિવાયના બીજાં જે કાંઈ કર્મો છે તે સર્વ કુકર્મો છે. “તેઓ આ સંસારની સ્થિતિના કારણ એવાં કર્મોને પ્રસવ્યા જ કરે છે. તમારા ધ્યાન “વિના જે બીજાં ધ્યાન છે તે સર્વ દુર્ગાન છે, જેનાથી પોતાના તંતુથી કરોળીઆની “જેમ પિતાને આત્મા જ બંધાય છે. તમારા ગુણની કથા વિના જે કથા છે તે સર્વ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સર્ગ ૬ ઠે “દુષ્ટ કથા છે, જેનાથી વાણીવડે તિત્તિર પક્ષીની જેમ પ્રાણી વિપત્તિને પામે છે. હે જગદ
ગુરૂ ! તમારા ચરણકમળની સેવાના પ્રભાવથી આ સંસારને ઉછેર થાઓ અથવા ભવે “ભવે તમારી ભક્તિ થયા કરો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર અને કુંભ રાજા વિરામ પામતાં અને ચતુર્વિધ સંઘ સાંભળવાને ઉત્સુક થતાં, મલ્લીનાથ પ્રભુએ દેશના દેવાનો આરંભ કર્યો.
આ સંસાર સ્વતઃ અપાર છતાં પૂર્ણિમાના દિવસવડે સમુદ્રની જેમ રાગાદિકથી “વિશેષ વૃદ્ધિ પામે છે. જે પ્રાણીઓ અમંદ આનંદને ઉત્પન્ન કરનારા સમતારૂપ જ“ળમાં સ્નાન કરે છે, તેઓને રાગદ્વેષરૂપ મલ તત્કાળ ધોવાઈ જાય છે. કેટી જન્મ સુધી “તીવ્રતપને આચરવાવડે પ્રાણી જે કર્મને હણી શકતા નથી, તે કમને સમતાના આલં. “બનથી અર્ધ ક્ષણમાં હણી નાંખે છે. કર્મ અને જીવ જે સાથે મળી ગયેલાં છે, તેને જ્ઞાનવડે આત્મનિશ્ચય કરનાર સાધુ પુરૂષ સામાયિકરૂપ શલાકાથી જુદા કરી દે છે. યોગી પુરૂ “સામાયિકનાં કિરણવડે રાગાદિક અંધકારને નાશ કરી પોતામાં પરમાત્મ સ્વરૂપને જુએ “છે. સ્વાર્થ માટે નિત્ય વૈર ધરનાર પ્રાણીઓ પણ સમતાવાળા સાધુ જનના પ્રભાવથી “પરસ્પર સનેહ ધરે છે. ઈષ્ટ અનિષ્ટપણે રહેલા ચેતન અને અચેતન પદાર્થો વડે જેનું મન મેહ “પામતું નથી તે પુરૂષમાંજ સમતા કહેવાય છે. બાહુ ઉપર ગોશીર્ષચંદનને લેપ કરે
અથવા ખગથી તેને છેદ કરે તે પણ જેની મનવૃત્તિ ભેદાય નહીં–સમાન વ તેનામાં “અનુપમ સમતા છે એમ સમજવું. સ્તુતિ કરનાર તથા પ્રીતિ રાખનાર અને કાધાંઘ તથા “ગાળો આપનાર ઉપર જેનું ચિત્ત સમાન વ છે તે પુરૂષજ સમતાનું અવગાહન કરે “છે. જેમાં કાંઈ હમ, જપ કે દાન કરવું પડે નહીં તેમ છતાં માત્ર સમતાથીજ પરમ “નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત થાય; અહા ! તે કેવી અમૂલ્ય ખરીદી ! પ્રયત્નથી ખેંચેલા અને કલેશદાયક રાગાદિકની ઉપાસના શા માટે કરવી ? પ્રયત્ન વગર મેળવી શકાય તેવું અને “મનહર સુખકારી સમતાપણું જ ધારણ કરવું. પક્ષ હોવાને લીધે સ્વર્ગ અને મક્ષ તે “ગુપ્ત છે પણ સમતાનું સુખ તે સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ છે, તેને કઈ ઢાંકી શકતું “નથી. કવિઓના કહેવાથી રૂઢ એવા અમૃતપર શા માટે મોહિત થવું ? જેને રસ પિતાના
અનુભવમાં આવે છે એવા સમતારૂપ અમૃતનું જ નિરંતર પાન કરવું. ખાદ્ય, લેહ્ય, ચુખ્ય “અને પેય-એ ચારે પ્રકારના રસથી વિમુખ એવા મુનિઓ પણ હમેશાં સ્વચ્છાએ સમ“તારૂપ અમૃત રસને વારંવાર પીધા કરે છે. જેના કંઠમાં સર્પ નાખે કે મંદા૨ પુષ્પની “માલા પહેરાવે, તથાપિ જેને પ્રીતિ કે અપ્રીતિ થતી નથી તે ખરેખરો સમતાનો પતિ
છે. જે ગુઢ નથી, અવાર્ય નથી અને બીજી કઈ રીતે જેની પ્રાપ્તિ મુશ્કેલ નથી એવી “એક સમતાજ અજ્ઞને કે બુદ્ધિવાનને આ સંસાર રૂપ પીડાનું ઔષધ છે. અતિ શાંત “એવા ગીઓમાં પણ એક ક્રૂર કર્મ રહેલું છે કે જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિકના કુળને હણી નાખે છે. સમતાનો પરમ પ્રભાવ પ્રથમ તો એજ છે કે જેથી એક અદ્ધ ક્ષણમાં “પાપી જને પણ શાશ્વતપદને પામી જાય છે. જેના હોવાથી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ “ત્રણ રન સફલ થાય છે અને જે ન હોવાથી તે ત્રણ રત્ન નિષ્ફલ થાય છે, એવા મહા“પરાક્રમી સમતગુણથી સદા કલ્યાણ છે. જ્યારે ઉપસર્ગો આવી પડયા હોય અથવા મૃત્યુ પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તત્કાળ કરવા ગ્ય અને શ્રેષ્ઠ ઉપાય સમતાના જે બીજે “કેઈ નથી. રાગદ્વેષને જય કરવાને ઈછતા એવા પુરૂષે મોક્ષરૂપ વૃક્ષનું એક બીજ અને “અતિ અદ્દભુત સુખને આપનારૂં સમતાપણું સદા ધારણ કરવું.”
Page #332
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૩૦૫ મલ્લીનાથ પ્રભુની આવી દેશનાથી તે છ રાજાઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી અને કુંભ રાજા વિગેરે શ્રાવક થયા. મલ્લી પ્રભુને ભિષક વિગેરે અઠવ્યાવીશ ગણધરે થયા. પ્રભુની દેશના થઈ રહ્યા પછી પ્રથમ ગણધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશ્વસેન રાજની તરફથી પ્રભુને પરમ અન્નવડે પારણું થયું. પછી મલીનાથના ચરણને નમી ઈદ્રાદિક દેવતાઓ અને કુંભ વિગેરે રાજાઓ પોતપોતાને સ્થાનકે ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઈદ્રાયુધ સરખા વર્ણવાળ, ચાર મુખવાળ, હાથીના વાહનપર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં વરદ, પરશુ, ત્રિશુલ અને અભયને રાખનાર અને ચાર વાયભુજાઓમાં બીજોરું, શક્તિ મુદગર, અને અક્ષસૂત્રને ધરનારે કુબેર નામે યક્ષ શાસનદેવતા થયા. તથા કૃષ્ણ વર્ણવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામણુજામાં બીજોરું અને શક્તિ ધરનારી રેયા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલલીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાયા. પછી ત્યાંથી ભવ્યલોકને બોધ કરવાને માટે ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મલ્લીનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા.
ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાધ્વીઓ, છ ને અડસઠ ચૌદ પૂર્વ ધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસ ને પચાસ મન:પર્યવજ્ઞાની, બે હજાર ને બસે કેવલજ્ઞાની, બે હજાર નવસો શૈક્રિય લબ્ધિવાળા, એક હજારને ચારસો વાદ લબ્ધિવાળા, એક લાખને ત્યાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ આટલે પરિવાર એક વર્ષ ઉણ પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં મલ્લીનાથ પ્રભુને થે.
શ્રી મલલીનાથ પ્રભુએ નિર્વાણ સમય નજીક જાણી સમેતશિખરે જઈ પાંચસે સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ફાલ્યુન માસની શુદ્ધ દ્વાદશીએ યામ્ય નક્ષત્રમાં મલલીનાથ પ્રભુ તે સર્વે સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા. કૌમારવસ્થામાં અને વ્રતપર્યાયમાં મળીને મલ્લી પ્રભુનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલી પ્રભુનો નિર્વાણકાળ થયે હતો. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઈદ્રો અને કોટીગમે દેવતાઓએ આવીને શ્રી મલ્લીનાથ પ્રભુને યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો.
B88SGSSSSSSSSS388 8929228888888888888833
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मल्लिनाथचरितवर्णनो
નામ પB સર્જઃ | B8%EBBB8 88888882388888888888888888
૧ અભિક્ષક એવું નામ પણ અન્યત્ર કહેલ છે, ૩૯
Page #333
--------------------------------------------------------------------------
________________
સગ ૭ મા.
શ્રી મુનિસુવ્રત સ્વામી ચિત્ર,
જ્ઞાનરૂપી ક્ષીરસાગરની વેળા (મર્યાદા) રૂપ અને પૃથ્વીને પવિત્ર કરનારી શ્રી મુનિસુવ્રતનાથની દાંતની કાંતિએ દેશનાસમયે જય પામે છે. વિદ્વાનાની પ્રતિભા (બુદ્ધિ) ને ઉલ્લાસ કરવામાં સરસ્વતીના તેજ જેવું નિમ ળ શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ જ મૂદ્દીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયને વિષે ચપા નામે એક વિશાળ નગરી છે. તે નગરીમાં લાકોત્તર પરાક્રમવાળા અને દીર્ઘ ભુજાવાળા સુશ્રેષ્ઠ નામે સુરશ્રેષ્ડ (ઇંદ્ર) જેવા રાજા હતા. તે ચારે પ્રકારે વીર હતા. દાનવડે સવની રક્ષા કરનાર હેાવાથી દાનવીર, રણમાં ઉત્કટ હોવાથી રણવીર, આચારમાં શ્રેષ્ઠ હેાવાથી આચારવીર અને શ્રી જૈનધર્મ માં ધુરંધર હોવાથી ધર્માંવીર હતા. આજ્ઞા માત્રથીજ સ` રાજાઓને સાધી લેતા હતા, તેથી એ રાજા અસ્ત્રવિદ્યા અવક્રીડામાંજ બતાવતા હતા, રણમાં ખતાવતા નહીં. વાણીને નિયમમાં રાખનારા મુનિએ પણ રાત્રિદિવસ તેના ગુણાનું વર્ણન કરી પાતાનુ વાચ’યમત્વ (વાણીના નિયમ) છાડી દેતા હતા. એકદા હૃદયને આનંદ આપનારા નન્દ્વન નામે મુનિ તે નગરીના ઉદ્યાનમાં સમેાસર્યા. તેમની પાસે રાજા વંદન કરવા ગયા. ભક્તિથી વાંદીને આગળ બેઠા. મુનિએ દેશના દેવા માંડી, મેહરૂપી કાદવને ધોઈ નાખવામાં જળના પ્રવાહ જેવી તે મુનિની દેશના સાંભળીને સુરશ્રેષ્ઠ રાજાને ભવ ઉપર બૈરાગ્યભાવના ઉત્પન્ન થઇ, તેથી તે નંદન મુનિની પાસેજ તેણે તત્કાળ દીક્ષા લીધી, અને સાત્વિક શિરામણ તે રાજાએ યથાયેાગ્ય રીતે તેનુ પ્રતિપાલન કર્યુ. અંતની ભક્તિ વગેરે સ્થાનાના આરાધનથી તીર્થંકરનામક ઉપાર્જન કરી, મૃત્યુ પામીને તેઓ પ્રાણત દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તે હરિવંશમાં અવતર્યા. તેથી હરિવ‘શની ઉત્પત્તિ પ્રથમ કહીએ છીએ.
આ જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના મ`ડનરૂપ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં શ્રીખ’ડચ’દનના રસની જેવા સુગધી યશવડે દિશાના મુખને મડિત કરનાર સુમુખ નામે રાજા હતા. સર્પને જા'ગુલી મંત્રની જેમ રાજાઓને તેની આજ્ઞા અલક્ષ્ય હતી, અને ઈ દ્રના જેવું તેનું અદ્વિતીય ઐશ્વય હતુ. સામ-સાંત્વનને ચાગ્ય એવા પુરૂષામાં તે સામસાંત્વન કરનાર હતા. પિતાની જેમ તેનું હૃદય મૃદુ હતું, અને મૃતકમાં માંત્રિકની જેમ દાનસાધ્ય પુરૂષામાં તે દાન કરતા હતા લાઢામાં અયસ્કાંત મણિની જેમ તે માયાવી પુરૂષોમાં ભેદ કરતા હતા, અને બીજો યમરાજ હોય તેમ દંડનીયર પુરૂષોને તે દંડ આપતા હતા.
૧ અર્થાત્ રાજાગ્માને આજ્ઞામાત્રથીજ વશ કરતા હોવાથી તેને સંગ્રામમાં અસ્રવિદ્યા બતાવવાના પ્રસ'ગજ આવતા નહીં. ર્દંડ કરવા યેાગ્ય.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૭,
પર્વ ૬ ઠું એક વખતે કામદેવને સખા વસંતઋતુ આવતાં સુમુખ રાજા ક્રીડા કરવાને માટે ઉદ્યાનમાં જવા ચાલ્યા. ગારૂઢ થઈને જતું હતું, તેવામાં માર્ગમાં વીરવિંદની વનમાળા નામની એક કમળલોચના સ્ત્રી તેના જોવામાં આવી. એ મનોહર બાલાનાં સ્તન પષ્ટ અને ઉન્નત હતાં. ભુજલતા કમળને જેવી કોમળ હતી. મધ્ય ભાગ વજની જે અલ્પ હતા. નિતંબમંડલ નદીતટની જેવું વિશાળ હતું. તેની નાભિ નદીની જલભમરી જેવી ગંભીર હતી. ઉરૂભાગ હાથીના સુંઢના જેવો હતો. હાથપગ નવીન સુવર્ણ કમલના જેવા આરક્ત હતાં, અને બ્રગુટી નમેલી હતી. તેણે ડાબે હાથે નિતંબ ઉપર સુંદર વસ્ત્ર રાખ્યું હતું, અને દક્ષિણ હાથે સ્તન ઉપરથી લઈને ઉત્તરીય વસ્ત્ર ધર્યું હતું. આવી સુંદર બાળાને જોઈને સુમુખ રાજા કામાર્ણ થઈ ગયે. તત્કાલ ગજેદ્રની ચાલને મંદ કરાવી મનમાં વિચારવા લાગ્યા કે “અહા ! આ સુંદરી કોઈના શાપવડે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી અગ્ર હશે. વા મૂર્તિમાન વનલક્ષમી કે વસંતશોભા હશે ! વા કામદેવથી વિગ પામેલી રતિ હશે ! વા પૃથ્વી પર આવેલી નાગકુમારી હશે ! અથવા વિધાતાએ કૌતુકથી આ સ્ત્રીરત્ન બનાવ્યું હશે !” આવી રીતે ચિંતવતા રાજાએ પિતાને હાથી ત્યાંને ત્યાં આમ તેમ ફેરવવા માંડ્યો, પણ જાણે કેઈની રાહ જોતા હોય તેમ તે આગળ ચાલ્યા નહીં. એટલે હે રાજા! સર્વ રૌન્ય આવી ગયું છે છતાં તમે તમે અદ્યાપિ કેમ વિલંબ કરો છો ?” એવી રીતે ભાવને જાણવાની ઈચ્છાવાળા મંત્રીએ રાજાને પૂછયું. આવાં મંત્રીનાં વચનથી પિતાના ચિત્તને માંડમાંડ સ્થિર કરી રાજા યમુના નદીને કિનારે રહેલા મોટા ઉદ્યાનમાં આવ્યો. પરંતુ એ બાળાએ તેનું ચિત્ત હરી લીધું હતું, તેથી મનહર મંજરીવાળા આમ્રવનમાં, નાચી રહેલા નવપલ્લવવાળા અશોક વનમાં, ભ્રમરાઓના સમૂહથી આકુલ એવા બેરસલીના ખંડમાં, જેના પત્રો પંખા જેવાં છે એવા કદલી વનમાં, વસંતલક્ષમીની કણિકા જેવા કરેણના વનમાં અને બીજા કોઈપણ રમણીય સ્થલમાં તેને જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં.
આવી રીતે રાજાનું મન ઉદ્વેગ પામેલું જેઈ સુમતિ નામને મંત્રી કે જે રાજાના મને ભાવને જાણતું હતું, છતાં અજાણ્યા થઈ તેણે રાજાને પૂછયું-બહે નાથ ! મનનો વિકાર કે શત્રુઓને ભય એ બે શિવાય રાજાને મોહ થવામાં ત્રીજું કાંઈ પણ કારણ સંભવતું નથી. તેમાં પરાક્રમથી જગતને દબાવનાર એવા તમને શત્રુથી ભય હોવાને તે સંભવ જ નથી; તેથી જે કાંઈ મનને વિકાર થવાનું કારણ હોય અને તે જે ગુપ્ત રાખવા ગ્ય ન હોય તો મને કહેવાને યોગ્ય છો.” રાજા બોલ્ય-“હે મંત્રી ! નિષ્કપટ શક્તિવાળા એવા તમારાથી જ મેં શત્રુઓને વશ કર્યા છે, તેમાં આ મારી ભુજાઓ તો માત્ર સાક્ષીરૂપ છે, તે હવે નિશ્ચયે ખાત્રી છે કે મારા મનોવિકારને પણ ઉપાય કરવાને તમે શક્તિમાન છો, તેથી શા માટે હું તમને તે ન જણાવું? સાંભળો, હમણું હું અહીં આવતે હતો તે વખતે માર્ગમાં સર્વ સ્ત્રીઓનાં સર્વસ્વરૂપને લૂંટનારી કઈ અંગને મારા જેવામાં આવી છે, તેણીએ મારા ચિત્તને હરી લીધું છે, તેથી હું કામાતુર થઈને પીડાઉ છે. છું; માટે તેને એગ્ય ઉપાય કરે.” મંત્રી બેલ્યો-“હે પ્રભુ! તે ઉપાય મારા જાણવા માં , આવ્યું છે. તે વીરવિંદની વનમાળા નામે સ્ત્રી હતી. તેને હું સત્વરે તમને મેળવી આપીશ. માટે તમે હાલ તે પરિવાર સાથે સ્વસ્થાનકે જાઓ. આવાં મંત્રીનાં વચન સાંભળી રાજા રેગવાળાની જેમ મનથી રહિત હોય તેવી રીતે શિબિકામાં બેસી તે વનમાળાનું જ ચિંતવન કરતે કરતે સ્વસ્થાનકે ગયે.
Page #335
--------------------------------------------------------------------------
________________
સને ૭ માં પછી સુમતિ મંત્રીએ, વિચિત્ર ઉપાય જાણવામાં પંડિતા આત્રેયી નામે એક પરિ. ત્રાજિકા હતી તેને વનમાળાને માટે મોકલી. આત્રેયી તત્કાળ વનમાળાને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી એટલે એ પરિત્રાજિકા આશીષ આપીને બેલી- “હે વત્સ ! હિમ
તુમાં પદ્મિનીના જેમ તું નિસ્તેજ કેમ લાગે છે! દિવસે ચંદ્રકળાની જેમ તારા ગાલ ફીકા કેમ પડી ગયા છે? શૂન્ય દષ્ટિને લીધે જાણે કેઈ ચિતામાં છે તેમ તેમ જણાય છે ? તે મને પ્રથમ ઘણીવાર તારૂં દુઃખ કહ્યું છે છતાં આજે કેમ કહેતી નથી ? તે સાંભળી વનમાળા નિશ્વાસ મૂકી અંજળિ જોડીને બોલી-“ભદ્ર! જેમાં સ્વાર્થ સરે દુર્લભ છે. એવી મારી કથા શું કહ! એક ગધેડી કયાં અને ઉરરીશ્રવા અરાજ કયાં ! શગાલની યુવતી કયાં અને કેશરીસિંહને કિશોર કયાં! બિચારી ચકલી કયાં અને પક્ષીઓને રાજા ગરૂડ ક્યાં ! તેમ હું કુવિંદ જાતિની સ્ત્રી ક્યાં અને તે દુર્લભ પ્રાણવલલભ કયાં! કદિ ઉપર કહેલનો યોગ કેઈ દૈવયેગે પણ થાય. પરંતુ હીનજાતિવાળી એવી મારી સાથે તેમને સંગ સ્વપ્નમાં પણ અસંભવિત છે.” આત્રેયી બેલી-હું તારા અર્થને સંપાદન કરી દઉં. મંત્રતંત્ર જાણનારાને અને પુણ્યવંતને અસાધ્ય શું છે ! વનમાળ બોલી-“હે માતા ! આજે માર્ગમાં હાથી ઉપર બેસીને જતા અને જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તેવા દેખાતા રાજાને મેં જોયા છે, ચંદનના પ્રવાહ જેવા તેમના દર્શનથી પણ મારા દેહમાં તો તીવ્ર કામ જવર પ્રગટ થયો છે. હે ભગવતિ ! તક્ષક નાગના માથાના મણિની જેમ મારા કામવરને હરનારે તેને સમાગમ મુંજ રાંક સ્ત્રીને દુર્લભ છે, તો તેમાં તમે શું કરી શકશો ?” આત્રેયી બેલી-“વત્સ ! હું મંત્રબળથી દેવ, દૈત્ય, ચંદ્ર, સૂર્ય અને વિદ્યાધરને પણ આકર્ષ તે તે રાજા શા હીસાબમાં છે? હે અનઘે! હું પ્રાતઃકાલે રાજાની સાથે તારે ગ કરાવીશ. જે તે ન થાય તે મારે જવલતા અગ્નિમાં પ્રવેશ કરે; માટે તું ધીરજ રાખજે.” આ પ્રમાણે વનમાળાને આશ્વાસન આપી પરિત્રાજિકા ત્યાંથી ચાલી નીકળી, અને રાજાને માટે પ્રાય: સિદ્ધ કરેલો અર્થ તેણે સુમતિ મંત્રીને કહ્યો. મંત્રીએ રાજાને તે વાત કહીને આધાસન આપ્યું. “ઘણું કરીને પ્યારી સ્ત્રીને મેળવવાની પ્રત્યાશા પણ સુખને માટે જ થાય છે.' પ્રાતઃકાલે આત્રેયીએ જઈને વનમાળાને કહ્યું કે મેં સુમુખ રાજાને તારા પ્રેમમાં જોડી દીધે છે; માટે હે વત્સ! ઉઠ, હમણુંજ રાજાના મંદિરમાં જઈએ. ત્યાં જઈને રાણીની જેમ રાજાની સાથે તું સુખે ક્રીડા કર.” વનમાળા તરતજ આત્રેયીની સાથે રાજગૃહમાં ગઈ. રાજાએ અનુરાગથી તેને અંત:પુરમાં રાખી; અને પછી ક્રીડાવન, નદી, ક્રીડાવાપી અને ક્રીડાશૈલ વગેરેમાં વિહાર કરતે સુમુખ રાજા તેની સાથે વિવયસુખ અનુભવવા લાગે.
હવે પેલો વીરવિંદ વનમાળાના વિયોગથી ભૂત વળગ્યું હય, ગાંડો થયો હોય કે ઉન્મત્ત થયો હોય તેમ ચારે તરફ ભમવા લાગ્યો. તેનાં સર્વઅંગ ધૂલિથી ધૂસરાં થઈ ગયાં હતાં, જીર્ણ વસ્ત્રના કટકા પહેર્યા હતા, માથાના કેશ વિસંસ્થલ હતા, રૂંવાડા અને નખ લાંબા વધ્યા હતા, અને કોલાહલ કરતા બાલકથી વિટાએલો તે ફરતો હતે. “હે વનમાલા ! હે વનમાલા ! તું કયાં છે ? મને દર્શન આપ. અરે. પ્રિયા ! તેં આ નિરપરાધીને એકદમ કેમ ત્યાગ કર્યો? અથવા જે મશ્કરીમાં ત્યાગ કર્યો હોય તે હવે લાંબો કાળ આમ કરવું ઉચિત નથી, અથવા તારા રૂપથી લુબ્ધ થયેલા કેઈ રાક્ષસ, યક્ષ કે વિદ્યાધરે તારૂં હરણ કરેલું હશે ! અરે ! આ નિર્ભાગી એવા મને ધિક્કાર છે!” આ પ્રમાણે વારંવાર નગરમાં એકે કે, ત્રીકે ત્રીક અને શેરીએ શેરીએ ફરીને એ વીરકુવિંદ રાંકની જેમ કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખતે વાનરની જેમ બાલકથી વીંટાએલે
Page #336
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
૩૦૯ તે તેવી રીતે બોલતા બોલતા રાજાના ગૃહાંગણમાં આવી ચડે, ત્યાં નિર્માલ્ય માલ્યને ધરતે અને પિશાચે વળગ્યો હોય તે દેખાતે તે વીરકુવિંદ કૌતુક જોવામાં ઉત્કંઠિત રાજલકથી વીંટાઈ વળ્યો. એવા મોટા તાળીઓના નાદ સાથે મળેલ તેની પછવાડે લાગેલા લોકોને માટે કોલાહલ સુમુખ રાજાના સાંભળવામાં આવ્યો. તેથી આ શું હશે ! એવી જિજ્ઞાસાથી રાજા વનમાળાની સાથે તેને જોવા પિતાના આંગણામાં આવ્યું.વિકૃતિ ભરેલી જેની આકૃતિ થઈ ગઈ છે તે, મલીન, શૂન્ય મનવાળે થઈ ગયેલે, લેકે એ તિરસ્કાર કરાતો, રજથી ભરેલ અને તે વનમાળ ! હે વનમાળા ! તું ક્યાં ગઈ ? એમ વારંવાર બોલતો એ તેને જોઈ વનમાળા અને રાજા સુમુખ વિચાર કરવા લાગ્યા–“અહા ! નિર્દય ચંડાળાની જેમ આપણે દુ:શીલીયાઓએ આ ઘણું નિર્દય કામ કર્યું. આ વિશ્વાસુ ગરીબ માણસને આપણે ઠગી લીધું છે. આના જેવું બીજું કઈ પાપ ઉત્કૃષ્ટ નથી, અને આપણે જ સર્વ પાપીઓમાં ઉત્કૃષ્ટ છીએ. વિશ્વાસઘાતી પુરૂષેથી પણ આપણે ચડીઆતા છીએ કે આ જીવતાં છતાં મરણ પામેલાની જેવા ગરીબ માણસને હેરાન કરીએ છીએ. આ વિષયલંપટપણાને વારંવાર ધિકકાર છે ! આ તીવ્ર પાપકર્મથી અવિવેકીમાં શિરોમણિ એવા આપણને જરૂર નરકમાં પણ સ્થાન મળવાનું નથી. તે મહાત્માઓને ધન્ય છે કે જેઓએ સર્વદા જિતેંદ્રિય થઈ પરિણામે દુ:ખનું જ કારણ એવું વિષયસુખ છોડી દીધું છે. જેઓ અહોરાત્ર જિન ધર્મને સાંભળે છે, આચરે છે અને વિપકાર કરે છે તેઓ વિવેકથી વંદવા ગ્ય છે.” આ પ્રમાણે પિતાની નિંદા કરતા અને ધર્મિષ્ટ જીવોની પ્રશંસા કરતા તે સુમુખ અને વનમાળાની ઉપર આકાશમાંથી અકસ્માત વિજળી પડી અને તેણે તેમના પ્રાણુ હરી લીધા.
પરસ્પર સ્નેહના પરિણામથી અને પ્રાંતે થયેલા શુભ ધ્યાનથી મૃત્યુ પામીને તે બને હરિવર્ષ ક્ષેત્રમાં જુગલીઆપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડયાં. પૂર્વ જન્મની પેઠે તેઓ અહીં પણ પાછા રાત્રિદિવસ સાથે રહેનારાં દંપતી થયા. દશ પ્રકારના કલ્પવૃક્ષોથી ઈચ્છિત અર્થ સંપાદન કરતા કરતા તેઓ દેવતાની જેમ સુખ વિલસતા રહેવા લાગ્યા.
રાજા રાણી વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા તે જોઈને વીરકુવિંદે મહા દુસ્તપ એવું બાળ તપ આચર્યું. પ્રાંતે મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં તે કિવિષિક (મલીન) દેવતા થયો. ત્યાં અવધિજ્ઞાનવડે તેણે પોતાના પૂર્વ જન્મ અને પેલા હરિહરિણી નામે જ
મે જુગલીઓને જોયા. તેમને જોતાંજ તેના નેત્ર રેષથી રાતાં થઈ ગયાં, અને આકૃતિ બ્રગુટના ભંગથી ભયંકર થઈ ગઈ પછી યમરાજની જેમ તેને સંહાર કરવાને ઈચ્છતા હોય તેમ તે હરિવર્ષ ક્ષેત્રમાં આવ્યું. તેણે વિચાર કર્યો કે “આ બંને સ્ત્રીપુરૂષ મારે વધ્યા છે, પણ જે અહીં મારીશ તે ક્ષેત્રના પ્રભાવથી તે અવશ્ય સ્વર્ગે જશે; આ સ્થાન અકાળે મૃત્યુ થવાથી પણ દુર્ગતિ આપતું નથી, માટે મારા પૂર્વજન્મના વેષી આ બંનેને અહીંથી બીજે સ્થાનકે લઈ જાઉં.” આ નિશ્ચય કરી તે દેવ ક૯૫વૃક્ષની સાથે તેને ત્યાંથી ઉપાડીને આ ભરતક્ષેત્રની અંદર ચંપાપુરીમાં લાવ્યું. તે વખતે તે નગરીમાં ઈવાકુ વંશનો ચંદ્રકીતિ નામે રાજા અપુત્ર મરણ પામ્યો હતો. તેથી ભેગીઓ જેમ આત્માને શું છે, તેમ તે રાજાના પ્રધાન રાજ્યને લાયક કઈ પુરૂષને ચારે તરફ શોધતા હતા. તે વખતે દેવસમૃદ્ધિથી સર્વ લકોને વિસ્મય પમાડતે જાણે તેજને પુંજ હોય તે તે દેવ આકાશમાં રહીને બોલ્યારાજ્યને માટે ચિંતા કરનારા હે પ્રધાન અને સામંત ! તમારો રાજા અપુત્ર મરણ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સગ ૭ મા
પામેલ છે, તેથી તમે કેાઇ રાજાને ઇચ્છા છે, તે તમારા પુણ્યથી પ્રેરાયેલા હું હમણાજ આ હિર નામે એક જીગલીઆને હિરવષ ક્ષેત્રમાંથી અહી લાવેલા છું; આ હણી નામે તેની સહજા પત્ની છે અને તેઓને આહાર કરવાને માટે આ કલ્પવૃક્ષ પણ હું અહી લાવેલા છું. શ્રીવત્સ, મત્સ્ય, કલશ, વા અને અંકુશાદિક લાંછનવાળા અને જેનાં કમળ જેવાં લેાચન છે એવા આ હિર આજથી તમારો રાજા થાઓ. આ જીગલી ખાને તમારે કલ્પદ્રુમના ફળ સાથે પશુપક્ષીનુ' માંસ અને મદ્યને અહાર આપવા.” તેનાં આ વચને કબૂલ કરીને તે મત્રીએ તે દેવને પ્રણામ કરી બંને જીગલીને રથમાં બેસારી રાજમદિરમાં લઇ આવ્યા. પછી સર્વ સામંતા અને મત્રીઓએ એકઠા થઈને બ્રાહ્મણા, ભાટા અને ગંધર્વાંનાં ગીત સાથે હરિને રાજ્યાભિષેક કર્યાં. તે દેવતાએ પાતાની શક્તિથી તેમનુ આયુષ્ય ટૂંકું કર્યું. અને દેહની પણ સે ધનુષ માત્ર ઉંચાઈ રાખી. પછી કૃતાર્થ થઈને તે અંતર્ધ્યાન થઇ ગયા. શ્રીશીતલનાથ પ્રભુના તીમાં એ હરિરાજા થયા, તેનાથી ચાલેલા વા પૃથ્વીમાં રિવશ નામથી પ્રખ્યાત થયા. હિર રાજાએ સમુદ્ર જેની કિટમેખલા છે એવી પૃથ્વીને સાધી લીધી, અને લક્ષ્મીના જેવી અનેક રાજાએની કન્યાઓને પરણ્યા.
કેટલાક કાલ ગયા પછી એ હિને રિણી થકી વિશાળ છાતીવાળા પૃથ્વીપતિ નામે એક પુત્ર થયા. અનેક પ્રકારનાં પાપકર્મને ઉપાર્જન કરીને હિર ને હિરણી સાથે મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેના પુત્ર પૃથ્વીપતિ રાજા થયા. ચિરકાલ રાજ્ય કરી મહાગિર નામના પુત્રને રાજ્ય પર બેસાડી તપસ્યા કરીને પૃથ્વીપતિ ગે ગયા. મહાગિરિ રાજા રાજ્ય કરી અનુક્રમે હિમગિરિ નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસારી તપસ્યા કરીને માક્ષપદને પામ્યા. પછી હિમગિરિએ રાજ્ય કરી પોતાના જ્યેષ્ઠ પુત્ર વસુગિરિને રાજ્યના અભિષેક કરી દીક્ષા લઈ ને મેાક્ષસ્થાન પ્રાપ્ત કર્યું, વસુગિરિ પણ પોતાના સ્થાન ઉપર ગિરિ નામના પુત્રને એસારી દીક્ષા લઈને સ્વગે ગયા. એવી રીતે અનુક્રમે હરિવંશમાં અનેક રાજાએ થયા, તેમાં કેટલાક તપસ્યા કરીને મેક્ષે ગયા અને કેટલાક સ્વગે ગયા.
આ ભરતક્ષેત્રને વિષે મગધદેશનુ મ`ડન અને પૃથ્વીને સ્વસ્તિક ( સામી ) રૂપ રાજગૃહ નામે નગર છે. તેમાં પ્રત્યેક ઘરમાં યુવાન સ્ત્રીપુરૂષોના રતિક્રીડા કરતાં તૂટી ગયેલા મુક્તાહારના મેાતીઓને પ્રાત:કાલે દાસીએ વાળી નાખતી હતી. ત્યાં ઘેર ઘેર ઘેાડાઓ, ઘેર ઘેર દયાદાન, ઘરોઘર ચિત્રશાળા અને ઘરોઘર ર'ગશાળા વિરાજતી હતી. હસેાને સરોવરની જેમ અને ભમરાએને પુષ્પમાલાની જેમ એ નગર મહા મુનિઓને પણ સદા સેવા કરવા યેાગ્ય હતુ. નગરમાં હિરવંશમાં મુકતામણિ જેવા નિર્મળ અને ઉગ્ર તેજવડે સૂ સમાન સુમિત્ર નામે રાજા થયા. એ રાજા ર્વિનીતને શિક્ષા કરનાર, જયલક્ષ્મીને વરનાર, પેાતાના વંશને ઉન્નત કરનાર અને સરાજાઓને તાબે કરનાર હતા. જાણે નવમે દિગ્ગજ હોય, આઠમા કુલિઝિર હોય અથવા બીજો શેષનાગ હોય તેમ તે પૃથ્વીને ધારણ કરતા હતા. જિનાગમમાં જેમ સ જ્ઞેય વસ્તુ દેખાય તેમ તેનામાં ઔઢાય, ધૈય અને ગાંભીય પ્રમુખ સવ ગુણા દેખાતા હતા. હિરને પદ્દમાદેવીની જેમ તેને પદ્માવતી નામે પૃથ્વીને પવિત્ર કરનારી રાણી હતી. ચદ્રરેખાથી આકાશલક્ષ્મીની જેમ સર્વ જગતને નેત્રાનંદ આપનારી એ રાણીથી રાજલક્ષ્મી શે।ભતી હતી. સુગધી ચૂણૅ થી વસ્ત્રની જેમ પેાતાના શીલાદિક ગુણુની સુગંધથી તેણે રાજાનું ચિત્ત સુવાસિત કર્યું... હતુ. આકાશમાં તારાગણની જેમ તેના ગુણગણુની સંખ્યા કરવાને અહસ્પતિ પણ સમર્થ નહોતા. અનુરાગથી જ ગમ
Page #338
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૩૧૧ પણાને પ્રાપ્ત થયેલી જાણે પૃથ્વી હોય તેવી એ રાણી સાથે સુમિત્ર રાજા ઉત્તમ ભેગ ભગવતે હતે.
અહીં પ્રાણુતક૯પમાં સુર શ્રેષ્ઠ રાજાને જીવ જે દેવતા થયું હતું, તેણે સુખસાગરમાં મગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવીને તે પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી પદ્માવતી દેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મને લાંછનવાળા અને તમાલના જેવા શ્યામ કાંતિવાળા પુત્રને તેમણે જન્મ આપ્યો. દિકકુમારીઓ એ આવી ભકિતથી સૂતિક કર્યું. પછી ઈદ્ર આવીને એ વીશમાં તીર્થંકરને મરૂ ગિરિપર લઈ ગયા. પ્રથમ શકે ઈદ્રના ઉસંગમાં બેઠેલા પ્રભુને ત્રેસઠ ઈદ્રોએ પવિત્ર તીર્થજલવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનેંદ્રના ઉલ્લંગમાં બેસારી સ્નાત્ર પૂજાદિ કરીને શકેંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો
હે પ્રભુ ! ભ્રમરરૂપી અમે એ આજે આ અવસર્પિણ કાલરૂપા સરોવરમાં કમળ જેવા તમને સારા ભાગ્યે ઘણે કાળે પ્રાપ્ત કર્યા છે. હે દેવ ! અત્યારે તમારા સ્તોત્રથી, ધ્યાનથી “અને પૂજાદિકથી અમારાં વાણી, મન અને શરીરે કલ્યાણકારી ફળ મેળવ્યું છે. હે નાથ ! જેમ જેમ તમારે વિષે મારી ભકિત વિશેષ વિશેષ થાય છે, તેમ તેમ મારાં પૂર્વ કર્મો લઘુ લઘ થતાં જાય છે. હે સ્વામી ! મહા પુણ્યનું કારણ એવું તમારું દશન જે અમને ન થાં “હે તે અમે કે જે અવિરતિ છીએ તેમને જન્મ બધે નિરર્થક થઈ જાત. હે પ્રભુ “તમારા અંગને સ્પર્શથી, તમારી સ્તુતિ કરવાથી, તમારા નિર્માલ્ય સુંઘવાથી, તમારા દર્શનથી “અને તમારા ગુણગાન સાંભળવાથી અમારી પાંચે ઈદ્રિયે કૃતાર્થ થઈ ગઈ છે. વર્ષાઋતુના “મેઘની જેમ નેત્રને આનંદ આપનાર અને નીલરત્ન જેવી કાંતિવાળા તમારા વડે આ “મેરૂગિરિનું શિખર શોભે છે. જોકે તમે માત્ર ભારતવર્ષમાં રહ્યા છો તે છતાં સર્વ ઠેકાણે “વ્યાપ્ત થયેલા જણઓ છો, કેમકે સર્વ સ્થાનકે રહેલા પ્રાણીઓના ભવની પીડાનો તમે “નાશ કરે છે. અહીંથી ચ્યવનકાળે પણ મને તમારા ચરણનું સ્મરણ થજો, કારણ કે પૂર્વ “જન્મના સંસ્કારથી ભવાતમાં પણ તે ( મરણું ) જ મને થયા કરે.”
આ પ્રમાણે વશમાં અહતની સ્તુતિ કરી તેમને લઈને ઈ પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાત:કાલે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. જેમાં કારાગ્રહમાંથી અપરાધીઓનો મેક્ષ કરી અને દ્રવ્યના દાન આપી લોકોને પ્રસન્ન કર્યા.
જ્યારે એ પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે તેમની માતા મુનિની જેમ સુત્રતા (સારા વ્રતવાળા). થયા હતા, તેથી પિતાએ તેમનું મુનિસુવ્રત એવું નામ પાડયું. ત્રિવિધ જ્ઞાનવડે જેમને આત્મા પવિત્ર છે એવા પ્રભુ લોકમાં બાલક્રીડાથી અજ્ઞાન નાટય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રભુની વીશ ધનુષની કાયા થઈ. પિતાએ તેમને પ્રભાવતી વિગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવીથી પૂર્વ દિશામાં ચંદ્રની જે સુવ્રત નામે એક કુમાર થયા. સાડાસાત હજાર વર્ષે ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યભરને ગ્રહણ કર્યો. પૃથ્વીનું પાલન કરતાં પંદર હજાર વર્ષો નિર્ગમન થયાં, ત્યારે પ્રભુના જાણવામાં આવ્યું કે હવે ભોગ્ય કર્મનો ક્ષય થયે છે. તે વામાં લોકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “સ્વામી ! તીર્થ પ્રવર્તાવે. એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. ક્ષત્રિય વ્રતરૂપ ધનને ધારણ કરનાર અને ન્યાયરૂપ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સર્ગ ૭ માં
કમલમાં ભ્રમર સમાન પિતાના પુત્ર સુવ્રતને પ્રભુએ રાજ્યપર બેસાર્યો. પછી દેવતાઓએ અને સુવ્રતરાજાએ જેમને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા મુનિસુવ્રત પ્રભુ એક સહસ્ત્ર પુરૂ
એ વહન કરવા યોગ્ય એવી અપરાજિતા નામની શિબિકા૫ર આરૂઢ થઈ. નીલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન નવીન કવિઓના ઉઘડવાથી જાણે દાંતાળાં હોય અને નવપલના દેખાવથી જિહા કાઢતાં હોય તેવાં આમ્ર વૃક્ષોથી શોભતું હતું, આમ તેમ પવને ઉડાડેલા જીર્ણ પત્રના મર્મર શબ્દથી આકાશમાં જતી એવી વસંતસંપત્તિને બેલાવતું હતું, સિંહવાર પુષ્પોની અનિવાર્ય શેભાને જોઈ શકતા ન હોય તેમ મદ રહિત થયેલા ડોલરનાં પુષ્પ તેમાં રહેલાં હતાં, અને ઉદય પામતા દમનક પુપના સુગંધથી તે વિશેષ સમૃદ્ધિવાન લાગતું હતું. એવા ઉદ્યાનમાં જઈ ફાલ્ગન માસની શુકલ દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ ક્ષીરાનવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહ્મદર રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવી. પછી નિઃસંગ, મમતા રહિત અને સર્વ પરીસોને સહન કરતા પ્રભુએ અગ્યા૨ માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં કરતાં નીલગુહા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે પ્રતિમાં ધારણ કરીને રહ્યા. ફાલ્ગન માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્રાદિક દેવતાઓએ આવી બસે ને ચાલીશ ધનુષ ઉંચા અશોક વૃક્ષવાળું સમોસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ “તેથય નમઃ” એમ બેલી પ્રભુ સિંહાસન ઉપર બીરાજ્યા. વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકુવ્વ. શ્રીમાન ચતુર્વિધ સંઘોગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમોસર્યા જાણી સુવ્રતરાજા ત્યાં આવ્યો, અને સ્વામીના ચરણમાં નમી ઈદ્રની પછવાડે બેઠો. પછી ઈ અને સુવતે પ્રભુને નમી લલાટ ઉપર અંજલિ જેડી ભક્તિગર્ભિત સ્તુતિ આ પ્રમાણે કરી
“હે જગત્પતિ ! જે તમારા ગુણોનું વર્ણન કરવાને અમારા જેવા પણ તૈયાર થાય છે, તે તમારા ચરણદર્શનનો જ પ્રભાવ છે. હે પરમેશ્વર ! દેશના સમયમાં શાસ્ત્રરૂપ વત્સને “પ્રસવ આપનારી તમારી વાણીરૂપ ગાયને અમે વંદન કરીએ છીએ. જેમ ચીકણું પદાર્થના યોગથી પાત્ર પણ ચીકણું થાય છે, તેમ તમારા ગુણને ગ્રહણ કરવાથી માણસ પણ તત્કાલ ગુણી થઈ જાય છે. જેમાં અન્ય કર્મને ત્યાગ કરી તમારી દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં પૂર્વ કર્મોને પણ ત્યાગ કરે છે. હે દેવ ! તમારા નામરૂપ રક્ષામં. ત્રથી સંવર્મિત થએલા આ જગતને હવે પછી પાપરૂપ પિશાચ વળગી શકશે નહીં.
હે નાથ! વિશ્વને અભય આપનાર એવા તમે વિદ્યમાન છતાં હવે કોઈને કાંઈપણ ભય “નથી; પણ જ્યારે અમે અમારા સ્થાનમાં જઈશું ત્યારે તમારો વિગ થશે, તે અમને
ભય છે. હે સ્વામી ! તમારી પાસે શાશ્વત વૈરથી જ અંધ થયેલા બહિરંગ શત્રુઓજ “માત્ર શમી જાય છે એમ નહીં, પણ અંતરંગ શત્રુઓ જે કામ ક્રોધાદિ છે તે પણ શમી જાય છે. હે પ્રભુ! તમારા નામની સ્મૃતિ કે જે આ લોક અને પરેલોકના વાંછિત મને રથને આપવામાં કામધેનુ તુલ્ય છે, તે હું ગમે ત્યાં રહું તો પણ મને પ્રાપ્ત થયા * કરજે.”
૧ બખ્તરવાળા. ૨ જાતિવેર.
Page #340
--------------------------------------------------------------------------
________________
પત્ર ૬ હું
૩૧૩
આ પ્રમાણે ઈંદ્ર અને સુવ્રત રાજા સ્તુતિ કરીને વિરામ પામ્યા, એટલે પ્રભુએ સર્વાં જીવને બેધ આપવા માટે ધમ દેશના આપવા માંડી.
“ ક્ષાર સમુદ્રમાંથી રલની જેમ આ અસાર સ'સારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મ ને ગ્રહણુ કરવા. તે ધમ સયમ,૧ સત્ય વચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કંચન પણું, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા અને મુક્તિ એ દશ પ્રકારે છે. પાતાના દેહમાં પણ ઇચ્છા રહિત, પાતાનાઆમાં પણ મમતાએ વર્જિત, નમસ્કાર કરનાર અને અપકાર કરનાર પ્રાણી · ઉપર નિરંતર સમષ્ટિ રાખનાર, નિત્યે ઉપસર્ગ તથા પરીસહાને સહન કરવાને સમર્થ,
¢
(6
નિત્ય મૈગ્યાદિક ભાવનાયુક્ત હૃદયવાળા, ક્ષમાવાન, વિનયી, ઇદ્રિયાને દમનાર, ગુરૂશાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ વિગેરે ગુણાથી સ`પન્ન એવા પ્રાણી યતિધમ ને માટે ચાગ્યતાવાળા છે. સમિત મૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ ખાર પ્રકારે ગૃહસ્થના ધર્મ છે.
* *
::
* *
ઃઃ
66
૯ ૧ ન્યાયથી દ્રબ્યાપાર્જન કરનાર, ૨ શિષ્ટાચારની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલ“ શીલવાન અને બીજા ગાત્રવાળાની સાથે 'વિવાહસબ`ધ જોડનાર, ૪ પાપથી ખ્વીનાર, ૫ પ્રસિદ્ધ દેશાચાર આચરનાર, ૬ કદ્વિપણુ અવળુ વાદ નહી ખેાલનાર, તેમાં પણ રાજાદિકના વિશેષ અવળુ વાદ નહી ખેલનાર, ૭ અતિ પ્રકાશ કે અતિગુપ્ત નહી તેવા, “સારા પાડોશવાળા અને અનેક નીકળવાના માર્ગ વગરના ઘરમાં નિવાસ કરી રહેનાર,
66
૮ સદાચારી પુરૂષાની સાથે સંગ રાખનાર, ૯ માતાપિતાની પૂજા કરનાર, ૧૦ ઉપદ્રવ“ વાળા સ્થાનના ત્યાગ કરનાર, ૧૧ નિદ્વિત કાર્યમાં નહીં પ્રવર્ત્તનાર, ૧૨ આવકના
""
પ્રમાણુમાં ખર્ચ કરનાર, ૧૩ દ્રવ્યની સ્થિતિ પ્રમાણે વેષ રાખનાર, ૧૪ આઠ પ્રકારના
"6
બુદ્ધિના ગુણે ચુક્ત, ૧૫ હંમેશાં ધર્મ સાંભળનાર, ૧૬ અજીર્ણમાં ભાજનના ત્યાગ “ કરનાર, ૧૭ પાચનશકિત પ્રમાણે વખતસર ભાજન ક૨ના૨, ૧૮ એક બીજાને આધ ન “ કરે તેવી રીતે ત્રણે વર્ગ (ધર્મ, અર્થ, કામ)ને સાધનાર, ૧૯ અતિથિના, સાધુના અને “ દીન પુરૂષને યથાયેાગ્ય સત્કાર કરનાર, ૨૦ કદિ પણ દુરાગ્રહ નહીં કરના૨, ૨૧ ગુણુ ઉપર પક્ષપાત રાખનાર, ૨૨ દેશકાલને અનુચિત આચરણ તજી દેનાર, ૨૩ સ્વપરના “ બળાબળને જાણનાર, ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધની પૂજા કરનાર, ૨૫ પાખ્ય૪ વર્ગનુ પોષણ કરનાર, ૨૬ દીર્ઘદશી, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ કૃતજ્ઞ, ૨૯ લાકપ્રિય, ૩૦ લજ્જાવાન, ૩૧ દયાળુ, ૩૨ સૌમ્ય, ૩૩ પરાપકાર કરવામાં ત૫૨, ૩૪ અંતરંગ છ શત્રુઓનાપ વના પરિહાર કરનાર અને ૩૫ ઈંદ્રિયાને વશ રાખનાર–એવા પુરૂષ “ ગૃહસ્થધને યોગ્ય છે. (અર્થાત્ આ માર્ગાનુસારીના ૩૫ ગુણને ધારણ કરનાર પ્રાણી “ ગૃહીધર્મી-સમકિત મૂળ ખાર વ્રત ગ્રહણ કરવાને ચાગ્ય છે.) આ સંસારમાં મનુષ્યજન્મની સાલ્યતાને ઇચ્છનારા પુરૂષ જો તિધર્મ લેવાને અશકત હોય ધમ આચરવા.”
r
તે તેણે સદા શ્રાવક
66
""
6
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાઓએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. અર્હુતની દેશના સફળ જ હોય છે, મુનિસુવ્રત પ્રભુને ઇંદ્રાદિક અઢાર ગણધરો
૧ સર્વાંથા હિંસાત્યાગ. ૨ ભાવ પવિત્રતા-અદત્ત ત્યાગ. ૩ નિભિતા. ૪ પાષણ કરવા ચેાગ્ય સ્ત્રી પુત્ર કુટુબ પરિવારાદિ. ૫ કામ, ક્રોધ, લાભ, મેહ, મદ, મત્સર અથવા ખીજા છ,
૪૦
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સગ ૭ મા
થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઈંદ્ર ગણુધરે દેશના આપી. તેમની દેશના પણ વિરામ પામ્યા પછી પ્રભુને વંદના કરી ઇદ્ર અને સુન્નત વિગેરે સ જનો પોતપેાતાને સ્થાનકે ગયા. તે પ્રભુના તીમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળા, શ્વેતવણી, જટાધારી, વૃષભપર બેસનારા, ચાર દક્ષિણ ભુજામાં ત્રીજોરૂ, ગદા, ખાણ તથા શકિત અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષસૂત્ર, ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસનદેવતા થયા. તેમજ ગૌરવણી, ભસનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા અક્ષસૂત્ર અને એ વામનુજામાં ખીજોરૂ' અને ત્રિશૂલ ધરનારી નદત્તા નામે શાસનદેવી થઈ. એ બને મુનિસુવ્રતસ્વામીના તીમાં શાસનદેવતા કહેવાયા.
એકદા એ બંને શાસનદેવતા જેમની સાંનિધ્યમાં રહેલા છે એવા પ્રભુ પૃથ્વીપર વિહાર કરતાં કરતાં ભગુકચ્છ (ભરૂચ) નગરે સમાસર્યા. તે નગરના રાજા જિતરાત્રુ જાતિવ ́ત અશ્વ ઉપર ચડી પ્રભુને વદના કરવા આવ્યે અને દેશના સાંભળવા બેઠા. તે સમયે જિતશત્રુ રાજાના જે અશ્વ હતા તેણે પણ રામાંચિત થઈ ઊંચા કણ કરી પ્રભુની દેશના સાંભળી. દેશનાને અંતે ગણુધરે પ્રભુને પૂછ્યું કે–સ્વામિ ! આ સમાસરણમાં અત્યારે ધર્મને કેણુ પામ્યું ?' પ્રભુ મેલ્યા-આ સમાસરણમાં જિતશત્રુ રાજાના જાતિવ ́ત અશ્વ વગર ખીજું કોઇ ધને પામ્યુ નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછ્યું–હે વિશ્વનાથ ! એ અશ્વ કાણુ છે કે જે ધર્મને પ્રાપ્ત થયા ?” પ્રભુએ તેની નીચે પ્રમાણે કથા કહી–
“પદ્મિનીખ’ડ નગરમાં પૂર્વે જિનધમ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતા. સનરમાં અગ્રેસર સાગરદત્ત નામે તેને એક મિત્ર હતા. તે ભદ્રકપણાથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતા. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે જે અંત પ્રભુનાં ખંખ કરાવે તે જન્માંતરમાં સંસારને મથન કરે તેવા ધર્મને પામે,’ તે સાંભળી સાગરદત્ત એક સુવર્ણ તું આત `િબ કરાવી માટી સમૃદ્ધિથી સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પ્રથમ મિથ્યાત્વી હતા તેથી તેણે તે નગરની બહાર પૂર્વે એક માટુ' શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનુ પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયા. ત્યાં શિવપૂજકા ધૃતપૂજાને માટે પ્રથમ સચય કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિ'ડાકાર થઈને ઘણી ઉધઇઓ ચાટેલી હતી, તે ઘડા લેવાથી મામાં પડી હતી. આમ તેમ ચાલતા પૂજકાથી તે ઉધઇને ચગદાતી જોઇ સાગરદત્ત ક્રયા લાવી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યા. તે વખતે ‘અરે ! શુ તને ધોળીઆ યતિઆએ આ નવી શિક્ષા આપી છે ?' એમ એલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સ ઉધઇને વિશેષે ચગદી નાંખી. સાગરદત્ત શેઠે વિલખા થઇ તેને શિક્ષા થાય એવું ધારી પૂજારીના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્ય પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું કે ‘આ નિર્દય પાપીઓને ધિક્કાર છે! જે આ દારૂણ હૃદયવાળા પુરૂષો પાતાના આત્માને અને યજમાનને દુતિમાં પાડે છે તેને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા ? ’ આવા વિચાર કર્યા છતાં પણ તેના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમકિતને પ્રાપ્ત ન કરવાથી, દાનશીલનો સ્વભાવ ન હેાવાથી અને માટા આરભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટેજ એક નિષ્ઠા ધરી રહેવાથી, મૃત્યુ પામીને આ જાતિવ ́ત અશ્ર્વ થયેલ છે, અને તેને ખેાય કરવાને માટે જ હું અહી આવ્યો છું. પૂર્વ જન્મમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી, તેના પ્રભાવથી અમારે ધર્મોપદેશ સાંભળીને
C
Page #342
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
* ૩૧૫
તે ક્ષણવારમાં પ્રતિબધ-ધર્મ પામે છે.” ભગવંતનાં આવાં વચનથી લોકેએ વારંવાર સ્તુતિ કરેલા એ અશ્વને રાજાએ ખમાવીને સ્વેચ્છાચારી કર્યો (છોડી મૂકયો ). ત્યારથી ભરૂચ શહેર અધાવબોધ નામે પવિત્ર તીર્થ તરીકે લોકમાં પ્રખ્યાત થયેલું છે.
જગતના ઉપકારી મુનિસુવ્રત પ્રભુ દેશના સમાપ્ત કરી, ત્યાંથી વિહાર કરીને અન્યદા હસ્તીનાપર નગરે સમસર્યા. તે નગરમાં જિતશત્ર નામે રાજા હતો, અને એક સહસ્ત્ર વણિકને સ્વામી કારિક શ્રેષ્ઠી નામે એક શ્રાવક હતો. એકદા કષાયલા વસ્ત્ર પહેરનારે અને ભાગવત વ્રત ધરનારે એક સન્યાસી તે નગરમાં આવ્યા. માસ માસ ઉપવાસ કરીને તે પારાણું કરતો હતો તેથી લે કે તેને અતિશય પૂજતા હતા. સર્વ નગરજનોએ અતિ ભક્તિથી પારણે પારણે તેનું નિમંત્રણ કર્યું હતું, પણ ફક્ત સમકિતરૂપ એક ધનને ધારણ કરનારા કાર્તિક શ્રાવકે તેને નિમંત્રણ કર્યું ન હતું. તેથી તે સન્યાસી ભૂતની જેમ નિરંતર કાર્તિક શેઠનાં છિદ્ર જોવામાં તત્પર રહેતો હતો.
- એક વખતે જિતશત્રુ રાજાએ તેને પારણાને માટે નિમંત્રણ કર્યું. ત્યારે સન્યાસીએ રાજાને કહ્યું- હે રાજા ! જે કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તો હું તમારે ઘેર પારણું કરીશ. રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગયે; શેઠની પાસે માગણી કરી કે “હે નિર્દોષ શેઠ ! તમારે મારે ઘેર આવી ભગવાન પરિવ્રાજકને પીરસવું.” શેઠે કહ્યું- હે સ્વામી ! એવા પાખંડી પરિવ્રાજકને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિ એ કાર્ય તમારી આજ્ઞાથી હું કરીશ.” એમ કહી તેમ કરવાને સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા કે
જે પ્રથમથી દીક્ષા લીધી હોત તે આ કાર્ય ન કરવું પડત.” એ ખેદ કરતો કાર્તિક શેઠ યેચ વખતે રાજગ્રહમાં આવ્યું. જ્યારે કાતિક શેઠે પીરસવા માંડયું, ત્યારે પરિવ્રાજક વા૨વા૨ તજની આંગળી બતાવીને તેનો તિરસ્કાર કરવા લા. કાર્તિકશેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્યભાવથી ભગવંતને ત્યાં સમેસર્યા જાણુને એક હજાર વણિકોની સાથે ભગવંત પાસે આવીને દીક્ષા લીધી. દ્વાદશાંગીને ધારણ કરી બાર વર્ષ સુધી વ્રત પાળી મૃત્યુ પામીને કાર્તિક શેઠ સૌધર્મ કલ્પમાં ઈદ્ર થયા. પેલે પરિવાજક મૃત્યુ પામીને આભિયેગીક કર્મવડે તે ઈદ્રનું વાહન ઐરાવણ નામે હાથી થયો. પૂર્વ વૈરથી તે ઈદ્રને જોઈને ના સવા લાગ્યો. ઈદ્ર બળાત્કારે તેને પકડીને તેની ઉપર આરૂઢ થયા, કેમકે તે તેના સ્વામી છે. તે ઐરાવણે પછી બે મસ્તક કર્યા, એટલે ઈન્ડે પિતાનાં બે સ્વરૂપ કર્યા. જેમ જેમ તે હાથીએ જેટલાં જેટલાં મસ્તક કર્યા, તેટલાં તેટલાં ઈદ્ર પિતાનાં પણ રૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતે જોઈને ઈ કે વજથી પ્રહાર કરી તે પૂર્વ જન્મના બૈરીને તત્કાળ વશ કરી લીધું.
કેવલજ્ઞાન થયા પછી વિહાર કરતાં મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઉણા સાડા સાત હજાર વર્ષો વીતી ગયાં. તે વિહારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુઓ, પચાસ હજાર તપસ્વી સાધ્વીએ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મનઃપર્યચજ્ઞાની, અઢારસે કેવળજ્ઞાની, બે હજાર વૈકિયલબ્ધિવાળા, એક હજાર ને બસો વાદલબ્ધિવાળા, એક લાખ ને બેતેર હજાર શ્રાવક, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર મુનિસુવ્રત સ્વામીને થે. અનુક્રમે નિર્વાણકાળ પ્રાપ્ત થ એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે જેઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સગ૬ ઠો
મુનિઓની સાથે પ્રભુ શાશ્વતપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડાસાત હજાર વર્ષ કુમારપણામાં, તેટલાંક વર્ષ વ્રતમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય મુનિસુવ્રત પ્રભુનું પૂર્ણ થયું; અને શ્રીમલ્લિનાથ સ્વામી મક્ષ ગયા પછી ચેપન લાખ વર્ષ ગયાં ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે મુનિસુવ્રત પ્રભુ જ્યારે મોક્ષે ગયા, ત્યારે ઈકોએ દેવતાઓ સહિત સંભ્રમથી આવી તેમને વિધિપૂર્વક મોટો મોક્ષમહિમા કર્યો.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मुनिसुव्रतस्वामिचारत
વો નામ સતામ: સઃ |
Page #344
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૮ મો.
મહાપદ્મ ચક્રવતી ચરિત્ર, શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતા હતા, તે સમયમાં મહાપદ્મ નામે ચક્રવતી થયા છે તેમનું ચરિત્ર હવે કહીએ છીએ. આ જબૂદ્વીપના પૂર્વ વિદેહની ભૂમિના આભૂષણભૂત સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક શહેર છે. તે નગરમાં શત્રુરાજાઓના યશરૂપ હંસને નાશ કરવામાં મેઘ સમાન અને પ્રજાપાલન કરવામાં તત્પર પ્રજાપાલ નામે રાજા હતો. એક વખતે અકસ્માત્ વિદ્યુત્પાતને જોઈ વૈરાગ્ય પામેલા તે રાજાએ સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા લીધી. ચિરકાળ ખધારા જેવું વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે અમ્યુરેંદ્ર થયે. લેશ માત્ર તપ પણ નિષ્ફળ થતું નથી.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરનગરના જેવું હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસભૂત મધ્ય કમળની જે-ઈવાકુવંશમાં પડ્યોત્તર નામે એક રાજા થયો. તેને ઉજવેલ ગુણવાળી, રૂપથી દેવાંગનાને પણ પરાભવ કરાનારી અને સર્વ અંતઃપુરનું આભૂષણ વાળા નામે મુખ્ય રાણી હતી. તેને કેશરીસિંહના સ્વમાએ સૂચિત અને શેભાથી દેવકુમાર જે વિષ્ણુકામાર નામે એક પુત્ર થયો. ત્યાર પછી પ્રજા પાળ રાજાનો જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અમ્રુત દેવલેકમાંથી ચવી જવાળાદેવીના ઉદરમાં અવતર્યો. યોગ્ય સમયે જવાળાદેવીએ ચૌદ મહાસ્વમોએ સૂચિત અને સર્વ શેભાનું ધામ એવા મહાપદ્મ નામના પુત્રને જન્મ આપ્યું. વિષ્ણુકુમાર અને મહાપદ્મ બંને સહેદર ભાઈ અનુક્રમે મોટા થયા. પછી આચાર્યને નિમિત્ત માત્ર કરીને તેઓએ સર્વ કળા સંપાદન કરી. મહાપદ્મ કુમારને વિજયવાન જાણી સદ્દબુદ્ધિવાળા પદ્ધોત્તર રાજાએ તેને યુવરાજપદે સ્થાપિત કર્યો.
તે સમયે ઉજજયિની નગરીમાં શ્રીવ નામે રાજા હતો. તેને નમુચિ નામે એક પ્રખ્યાત મંત્રી હતા. એક વખતે મુનિસુવ્રત પ્રભુથી દીક્ષિત થયેલા સુવ્રત નામે આચાર્ય વિહાર કરતાં કરતાં તે નગરીએ સમોસર્યા. તેમને વાંદવાને નગરજનો સર્વ શૈભવ સાથે જતા હતા, તે મહેલના શિખર ઉપર ચડેલા શ્રીવર્મ રાજાના જોવામાં આવ્યા. તે જોઈ સ્વચ્છ બુદ્ધિવાળા રાજાએ નમુચિને પૂછ્યું કે “આવા અકાળ સમયે આ નગરજને સર્વ ઋદ્ધિ સમેત ક્યાં જાય છે?” નમુચિ બોલ્યો-નગરની બહાર ઉદ્યાનમાં કોઈ મુનિ આવેલા છે, તેમને ભક્તિથી વાંદવાને માટે તેઓ સત્વર જાય છે.” રાજાએ કહ્યું- ત્યારે ચાલો આપણે પણ જઈએ.” નમચિ બોલ્યો- જો તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ધર્મ કહીશ.” રાજાએ કહ્યું કે ત્યાં હું અવશ્ય જઈશ.” એટલે મંત્રી બોલ્યા કે “ભલે આપને જવું હોય તે ચાલે પણ ત્યાં તમારે તટસ્થપણે રહેવું, હું બધાને વાદમાં જીતીને નિરુત્તર કરી દઈશ. પાખંડીઓનું પાંડિત્ય પ્રાકૃત (સાધારણ) લોકોમાં જ ચાલી શકે છે. આ પ્રમાણે વાત થયા પછી રાજા, મંત્રી અને રાજાને સર્વ પરિવાર વિવિધ આશય ધરી સુત્રતાચાર્યની પાસે આવ્યા. તેઓ એ વેચ્છાવાદથી મુનિઓને ધર્મ સબંધી પ્રશ્ન કરવા માંડયા, પરંતુ તેમના ઉચા નીચા ધડા વિનાનાં વચન સાંભળીને મુનિઓએ કાંઈ પણ જવાબ આપે નહીં, મૌન
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સ ૮ મા
ધરી રહ્યા; એટલે નમુચિ ક્રોધ કરી આત શાસનની નિંદા કરતા સૂરિ પ્રત્યે ખેલ્યા‘અરે ! તમે ગૌરવતાવાળુ' શું જાણેા છે ?' ત્યારે સુત્રતાચાર્ય એ અના મંત્રીને કહ્યું કે • જો તારી જિજ્હાપર ખુજલી આવતી હોય તા અમે કાંઇ એલીએ. ' તે વખતે એક ક્ષુલ્લક ખેલ્યા-હે ગુરૂ મહારાજ ! વિદ્વતાના અભિમાની એવા આ માણસની સાથે તમારે કાંઇ પણ ખેલવુ યુક્ત નથી. તમે જુવા, હું સભ્ય થઈ તેને વાદમાં જીતી લઈશ. ભલે તે ગમે તે પક્ષ કહે, તથાપિ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ.” તે સાભળી નમુચિભટ્ટ ક્રોધથી કઠોર વાણીએ ખેલ્યા તમે સદા અપવિત્ર, પાખડી અને વેદથી બાહ્ય છે, તેથી તમે મારા દેશમાં વસવાને ચાગ્ય નથી. એટલેા જ મારા પક્ષ છે, બીજી' તમને શુ કહેવું ?’ ક્ષુલ્લક ખેલ્યા – “જે સભાગ છે તે જ અપવિત્ર છે, અને તેના જે સેવક હાય તે જ પાખડી અને વેદબાહ્ય છે. વેદમાં પાણીનુ સ્થાન, ખાંડણીયા, ઘંટી, ચુલા અને માની (સાવરણી) એ પાંચ સ્થાન ગૃહસ્થાને પાપને માટે કહ્યાં છે; તે પાંચ સ્થાનાની જે નિત્ય સેવા કરે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તે પાંચ સ્થાન રહિત છીએ, માટે શી રીતે વેઢબાહ્ય કહેવાઈએ ? મ્લેચ્છ લેાકેામાં ઉત્તમ જાતિની પેઠે નિર્દોષ એવા અમારે આ દોષવાળા લેકામાં નિવાસ કરવા તે ઉચિત નથી.” આવી રીતે ક્ષુલ્લકે યુક્તિથી વાદમાં પરાભવ કરવાથી તે મ`ત્રી, રાજા અને રાજાનેા પરિવાર પાતપેાતાના સ્થાનકે ગયા.’
તે રાત્રે ઉડી નમુચિ મંત્રી નિશાચરની જેમ ઉત્કટ અને ક્રોધથી પ્રજવલિત થઈ સુત્રતાચાય ના શિષ્યને મારવાને આવ્યેા. વાદી સર્પને સ્થભિત કરે તેમ તત્કાળ શાસનદેવીએ તેને સ્થિર કરી રાખ્યા. પ્રાતઃકાલે લેાકેા તેને તે સ્થિતિમાં જોઇ વિસ્મય પામ્યા. રાજા અને લાકે તે આશ્ચર્ય જોઈ ગુરૂ પાસે ધમ સાંભળી હાથી જેમ મદ રહિત થઈ જાય તેમ શાંત થઈ ગયા. તેવી રીતનું અપમાન થવાથી નમુચિ ત્યાં ન રહેતાં હસ્તીનાપુરમાં આવ્યેા. કેમ કે ‘અપમાનીત થયેલા માનીતું સ્થાન વિદેશ જ છે.' યુવરાજ મહાપદ્મ તેને પેાતાના પ્રધાનપદ્મપર રાખ્યા. “હુંમેશાં જો બીજા રાજાનેા પ્રધાન પેાતાની પાસે રહેવા આવે, તે રાજાએ તેના વિશેષ અભિલાષી થાય છે.’” મહાપદ્મના દેશના પ્રાંતભાગમાં સિ હુમલ નામે એક રાજા રહેતા હતા; તે આકાશમાં રહેલા રાક્ષસની જેમ દુર્ગામાં રહેવાથી અતિ અલવાન હતા. વારંવાર મહાપદ્મના દેશને લુંટી લુટીને તે પેાતાના કિલ્લામાં પેસી જતા, તેથી કેઈ તેને પકડી શકતું નહીં. એક વખતે કાપ પા મેલા મહાપને નમુચિ મત્રીને કહ્યું કે ‘ તમે સિંહબલને પકડવાના કાંઈ ઉપાય જાણા છે ?” નમુચિએ કહ્યું- હે રાજા ! તેને ઉપાય હું જાણું છું, એવું વચન હું કેમ કહુ? કારણ કે ઘેર બેસી ગર્જના કરનારા પુરૂષોને ‘ગેહેની” એવા અપવાદ લાગવા સુલભ છે; માટે તેના ઉપાય કરીને તેના ફળથીજ સ્વામીને બતાવી આપીશ, નહીં તે વચન માત્રથી ઉપાય કહેવામાં તો કાયર પુરૂષો પણ પડિત થાય છે.' મ`ત્રીનાં વચનથી હ` પામી મહાપદ્મ તત્કાળ તેને આજ્ઞા આપી, એટલે તેણે વાયુની જેમ ત્યાં જઈને સિ'હુખળના દુર્ગીને સ્ખલિત કર્યા. તીક્ષ્ણ ઉપાયને જાણનારા નચિએ તે દુર્ગાને ભાંગી નાખ્યા, અને મૂળને જેમ સિ‘હ પકડે તેમ સિહબળને પકડીને મહાપદ્મ પાસે આવ્યા. મહાપદ્મ કહ્યુંમત્રિરાજ ! વર માગેા.’ એટલે તેણે કહ્યું કે ‘સમય આવશે ત્યારે માગીશ.’ તે વચન
૧ લઘુવયને શિષ્ય.
૧ જે ઘરમાં બેઠા બેઠા ખાટી ફીશીયારી મારે તે ગેહેની ' કહેવાય છે.
'
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧૯ સ્વીકારી નમુચિ જેનો કારભાર કરે છે એ મહાપદ્ધ યૌવરાજ્યપદ સારી રીતે પાળવા લાગ્યા.
એક વખતે મહાપદ્મની માતા જ્વાળાએ સંસારસાગરને તરવામાં કણ રથ (નાવિક) જેવો એક અહંતની પ્રતિમાનો રથ કરાવ્યું. અને તેની સાપન માતા લક્ષમીએ મિથ્યા દષ્ટિથી પિતાની સપત્નીની સરસાઈ કરવાને એક બ્રહ્મરથ કરાવ્યું. એક વખતે રથયાત્રાનો પ્રસંગ આવતાં લક્ષમીએ રાજાની પાસે એવી માંગણી કરી કે નગરમાં મા બ્રહ્મરથ પહેલા ચાલે અને પછી અહંતરથ ચાલે.” વાળા રાણીએ પણ કહ્યું કે “જે નગરમાં મારે જનરથ પ્રથમ ચાલશે નહીં તો મારે હવે અનશન છે.” બંને રાણીઓના એ વિચાર સાંભળી સંશય પામેલા રાજાએ બંને રથની યાત્રા અટકાવી. “ મધ્યસ્થ માણસને બીજે છે ઉપાય ઉચિત છે?' પછી પિતાની માતા વાળાને થએલા દુઃખથી પીડિત એ મહાપદ્મ રાત્રે લોક સુઈ ગયા એટલે હસ્તીનાપુરમાંથી નીકળી ગયે. સ્વેચ્છાએ આગળ ચાલતાં તે એક મહાટવીમાં આવ્યું. ત્યાં ફરતાં ફરતાં એક તાપસનો આશ્રમ જોવામાં આવ્યા. પ્રિય અતિથિના સમાગમથી તાપસોએ જેને સત્કાર કરે છે એ મહાપદ્મ પિતાના ઘરની જેમ ત્યાં રહેવા લાગ્યા.
અહીં ચંપા નગરીમાં રાજા જન્મેજયેને કાળ રાજાએ રૂ. જન્મેજય રાજા મૃત્યુ પામે. પછી નગરનો ભંગ થતાં દાવાનળ લાગવાથી દિમૂઢ થયેલી હરણીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓ નાસી ગઈ. તેમાં ચંપા નગરીના પતિ જનમેજયની નાગવતી નામે એક પ્રિયા પોતાની મદના વળી નામે પુત્રીની સાથે નાસીને આ તાપસના આશ્રમમાં આવી. ત્યાં મહાપદ્મ અને મદના વળી મળતાં કામદેવના અસ્ત્ર રૂપ તેઓને પરસ્પરનું દર્શન થતાં તત્કાળ પરસ્પર અનુરાગ થઈ ગયા. મદના વળીને અનુરાગી થયેલી જાણી નાગવતીએ કહ્યું-“પુત્રી ! ચપળતા કર નહીં; નિમિત્તિઓનું વચન સંભાર. એક નિમિત્તિઓએ તને જ કહ્યું છે કે “ષખંડ ભરતક્ષેત્રના સ્વામીની તું પ્રધાનપત્ની થઈશ.” તેથી જે તે પુરૂષ પર અનુરાગ કર નહીં, મનને નિયમમાં રાખ; તને ચક્રવર્તી રાજા જરૂર પરણશે.” એ વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમપતિએ મહાપદ્યને કહ્યું કે “હે વત્સ ! જ્યાં જવું હોય ત્યાં જાઓ, અને તારું કલ્યાણ થાઓ.” તે વખતે મહાપદ્મ વિચાર કર્યો કે “એક સાથે બે ચક્રવર્તી થતા નથી, હું એક જ ચક્રવર્તી થવાનો છે. તેથી આ મારી જ પત્ની છે.” આવો નિશ્ચય કરી મહાપદ્મ તાપસના આશ્રમમાંથી ચાલી નીકળ્યો. પછી ફરતો ફરતો એક સિંધુસદન નામના નગરમાં આવી ચડયા. તે સમયે ત્યાં નગરની બહા૨ ઉદ્યાનમાં વસંતઉત્સવ ચાલતા હતા. તેથી નગરની સ્ત્રીએ કામદેવના શાસનમાં રહી ત્યાં વિવિધ ક્રીડા કરતી હતી. તે ક્રીડા કોલાહલ સાંભળી ત્યાંના રાજા મહાસેનના એક હાથીએ કદલીના સ્તંભની જેમ તેના આલાનસ્તંભને ઉખેડી નાંખ્યો અને શય્યા પર પડેલી રજની જેમ મહાવતને ફેંકી દઈ અંગપર વાયુના સ્પર્શને પણ નહીં સહન કરતો રોમાંચિત થઈ ગયો. તેને વશ કરવાના ઉપાયમાં અસમર્થ પુરૂષોએ દરથી છોડી દીધેલ એ હાથી તત્કાળ ઉદ્યાનમાં ક્રીડા કરતી પુરસ્ત્રીઓની નજીક આવ્યો. અકસ્માત ભય પ્રાપ્ત થવાથી તે નાસી શકી નહીં, તેથી ત્યાંજ ઉભી રહી અને મગરે દબાવેલી હંસીઓની જેમ તાર સ્વરથી પિકાર કરવા લાગી. તેઓને પોકાર કરતી જોઈ, મહાપદ્દમે ગજેન્દ્રની પાસે દેડી જઈ પાછળ રહીને કહ્યું-રે દુર્મદ હાથી ! પછવાડે જો. તે
૧ ચારે આહારનો ત્યાગ કરવો તે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૦
સગ ૭ મો
સાંભળતાં જ હાથી કાધથી મહાપદ્રની સન્મુખ વળ્યો. અને ચરણ–ન્યાસથી જાણે પિલાણવાળી હોય તેમ પૃથ્વીને કંપાવવા લાગ્યો. તે વખતે “આપણી રક્ષાને માટે કોઈ મહાત્માએ યમરાજની જેવા આ હાથીની આગળ પિતાનો દેહ અર્પણ કર્યો’ એવી રીતે તે સ્ત્રીઓ કહેવા લાગી. ક્ષણવારમાં નજીક આવેલા તે હાથીની સન્મુખ મહાપદ્મ ઉંચુ વસ્ત્ર ના. કઈ વખત છળ પણ શોભે છે.” હાથીએ કુમારની બુદ્ધિએ તે વસ્ત્રને તોડી નાંખ્યું. ‘ક્રોધ એકલો સંભ્રમ કરે તેવે છે, તે મદમૂછિત હોય તેની તે વાત જ શી કહેવી !” ત્યાં માટે કોલાહલ થતાં સર્વ નગરજને એકઠા મળ્યા, અને સામંત તથા સેનાપતિઓ સહિત મહાસેન રાજા પણ આવ્યા. રાજા મહાસેને પદ્મકુમારને કહ્યું- હે પરાક્રમી વીર ! દૂર ખસી જા, અકાળ મૃત્યુ જેવા એ ક્રોધી હાથીની સાથે યુદ્ધ કરવું શા કામનું છે?' પદ્મકુમારે કહ્યું –“રાજન ! આપ કહો છો તે ઘટિત છે, પણ આરંભેલું કાર્ય છોડી દેવું તે મને લજાકારી છે. વળી આ ઉત્તમ હાથીને વશ કરીને જાણે જન્મથી જ શાંત હોય એવો હું હમણાં જ કરી દઇશ તે જુ; તમે સૌજન્યપણુથી ભીરૂ થશે નહીં. આ પ્રમાણે કહી મહાપદ્રકુમારે તેની ઉપર વજા મુષ્ટિને ઘા કર્યો. જેથી આચ્છાદન વસ્ત્રના વેધની જેમ હસ્તીનું મુખ નીચું થઈ ગયું. પછી એ ઉન્મત્ત હાથી જે કુમારને પકડવાને ઉદ્યમવંત થયે તે જ વિદ્યપાતની જેમ ઉછળીને તેની ઉપર કુમાર આરૂઢ થઈ ગયે. પછી મંડૂકાસન વિગેરે નવનવાં આસનોથી આગળ પાછળ અને પડખે ફર્યા કરતા મહાપદ્મ તે હાથીને ઘણે ખેદિત કરી દીધો. કભસ્થળ ઉપર લપડાક મારવાથી, કંઠભાગે અંગુઠાના પીડનથી અને પૃષ્ઠભાગે પાદન્યાસથી મહાપદ્મ હાથીને આકુળ વ્યાકુળ કરી દીધું. શાબાશીના પોકારો કરતાં નગરજને વિસ્મય પામી જેને જોતાં હતાં અને રાજા મહાસેન બંધુબુદ્ધિથી જેના પરાક્રમનું વર્ણન કરતા હતા એ મહાપદ્મ તે નાગને ભમાવીને સ્વેચ્છા એ હસ્તીના બાળકની જેમ તેને રમાડતો તેની સાથે ક્રીડા કરવા લાગ્યું. પછી કોઈ બીજા મહાવતને હાથી સેંપી બીજી કલા ઉપર પગ મૂકી પોતે નીચે ઉતરી ગયે. રાજા મહાસેન પરાક્રમથી અને રૂપથી “આ કુમાર કઈ પ્રધાનકુળમાં જન્મે છે' એવું ધારી તેને પિતાને ઘેર લઈ ગયો. ત્યાં પિતાની સે કન્યાઓને તેની સાથે પરણાવી. “ઘેર આવે તેવો વર પુણ્યથી જ મેળવાય છે.” અહર્નિશ તે રાજકન્યાઓની સાથે ભેગ ભેગવતા કુમારને મદનાવલીનું સ્મરણ નિત્ય શલ્યની જેમ ખુંચવા લાગ્યું.
એકદા રાત્રિએ કમળમાં હંસની જેમ મહાપદ્મ કુમાર શય્યામાં સૂતો હતો, તેવામાં પવન જેવા વેગવાળી વેગવતી નામની એક વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. ત્યાં નિદ્રાનો ભંગ થયે એટલે કુમારે કહ્યું-“ હે ક્ષુદ્રા ! મને શા માટે હરે છે? એમ કહીને વજન ગેળા જેવી મુષ્ટિ ઉગામી. વિદ્યાધરી બોલી- “હે પરાક્રમી વીર ! કોપ કરે નહીં, સાવધાન થઇને સાંભળો-ડતાઢયગિરિ ઉપર સરદય નામે એક નગર છે. તેમાં ઈદ્રધનુ નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે અને તે દંપતીને જ્યચંદ્રા નામે એક પુત્રી થઈ છે. યોગ્ય વર નહીં મળવાથી જયચંદ્રા સર્વ પુરુષો પર દ્વેષ કરનારી થઈ છે; કેમકે “હીન વરવાળી સ્ત્રીઓ જીવતાં મર્યા જેવી છે.” ભરતક્ષેત્રના તમામ રાજાઓને ચિત્રપટમાં આળેખીને ઓળખી મેં તેને બતાવ્યા, પણ તેને તેમાંથી કોઈ પણ રૂ નહીં. પછી એક વખતે ચિત્રપટ ઉપર તમારું રૂપ આળેખીને બતાવ્યું, એટલે તત્કાલ તેના હદયમાં કામદેવે સ્થાન કર્યું. તમારા જેવા પ્રાણવલલભ મળવા દુર્લભ ધારીને એ પુરૂષહેષિણી સ્ત્રી પોતાના જીવિતની પણ દ્રષિણી થઈ ગઈ. અને “આ આ પદ્ધોત્તર રાજાનો પુત્ર
Page #348
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ હું
રા મહાપદ્મ મારે પતિ થાઓ, અન્યથા મરણ મારું શરણ થાઓ.” આવી તેણે પ્રતિજ્ઞા કરી. તે જયચંદ્રાનો તમારી ઉપરનો અનુરાગ મેં તેના માતાપિતાને કહ્યો.ગ્ય વરની ઈચ્છા સાંભળીને તત્કાળ તેઓ પણ ખુશી થયા. તે હું વેગવતી નામની વિદ્યાધરી છું; અને હે પ્રભુ! જયચંદ્રાના માતાપિતાની આજ્ઞાથી તમને લઈ જવાને માટે આવી છું. તમારી પર અનુરાગી થયેલી જયચંદ્રાને ધીરજ આપવાને મેં પ્રતિજ્ઞાથી કહ્યું છે કે “હે સુન્ન! સ્વસ્થ થા, હું ખરેખર ત્યાં જઈશ અને તારા હૃદયપદ્ધને વિકસ્વર કરવામાં સૂયરૂપ એ મહાપદ્મને જરૂર લાવીશ, નહીં તે અગ્નિમાં પ્રવેશ કરીશ; માટે તું તારા મનની પીડાને શાંત કર.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક તેને આશ્વાસન આપી તેના શ્વાસમાં ચંદ્ર સમાન એવા તમારી પાસે હું આવી છું, અને તમને ત્યાં લઈ જાઉં છું; માટે કોપ કરે નહીં; તમે ઉપકારી છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી મહાપ આજ્ઞા આપી, એટલે તે વેગવતી વિદ્યાધરી આભિગિક દેવતાનાં રચેલાં વિમાન જેવા વેગવડે ચાલીને મહાપદ્મ કુમારને સુદયપુરમાં લાવી. પ્રાતઃકાળે સુરોદયપુરના પતિ ઈદ્રધનુ રાજાએ જેની પૂજા કરી છે એ પકુમાર રહિણીને ચંદ્રની જેમ જયચંદ્રાને પરણ્ય.
જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે વિદ્યામદ તથા ભુજબલથી દુર્મદ એવા બે વિદ્યાધરો હતા. તેઓ આ જયચંદ્રાના વિવાહના ખબર સાંભળી તત્કાળ ગુસ્સે થયા. “એક દ્રવ્યનો બે જણને અભિલાષ તેજ મોટા બૈરનું કારણ છે.” તેઓ બંને સર્વ બલથી જયચંદ્રાના પતિ પદ્મકુમારની સાથે યુદ્ધ કરવા સુદયપુરમાં આવ્યા. નિષ્કપટ યુદ્ધ કરવામાં કૌતુકી એવા મહાપદ્મ કુમાર અને દુર્વાર ભુજપરાક્રમવાળો વિદ્યાધરને પરિવાર નગરની બહાર નીકળે. કેઈને ત્રાસ પમાડતે, કોઈને ઘાયલ કરતે અને કેઈને મારી નાંખતે મહાપદ્ધ ગજે દ્રોની સાથે સિંહની જેમ શત્રુઓના સુભટોની સાથે લીલાથી યુદ્ધ કરવા લાગે. વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર પોતાના સૈન્યને ભંગ થયેલે જઈ જીવ લઈને નાસી ગયા.
પછી ચક્રરત્નાદિ રત્ન ઉત્પન્ન થતાં એ બલવાન મહાપદ્દમે વખંડ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો. શુકલ પક્ષની ચતુર્દશીએ એક કળાએ અધુરી ચંદ્રની પૂર્ણતાની જેમ એક સ્ત્રીરત્ન વિના મહાપદ્મને ચક્રવતી પણાની સર્વ સમૃદ્ધિ પૂર્ણ થઈ. પછી પૂર્વે જેયેલ સ્ત્રીરને મદના વળીનું સ્મરણ કરતે મહાપદ્મ ક્રિીડા કરવાને મિષે તે તાપના આશ્રમમાં ગયે. તાપસે એ તેનું આતિથ્ય કર્યું. ત્યાં ફરતા સતા જન્મેજય રાજાની રાણીએ તેમને દીઠા એટલે પિતાની પુત્રી મદનાપળી તેમને પરણાવી. એ પ્રમાણે ચક્રવત્તી ની સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પદ્મરાજા હસ્તીનાપુર આવ્યા અને પ્રથમ વૃત્તાંત સાંભળવાથી ખુશી થયેલા માતાપિતાને અધિક હર્ષ ધરી પ્રથમની જેમજ પ્રણામ કર્યો. કર્ણમાં રસાયણ જેવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળી સિંચન કરેલા વૃક્ષની જેમ માતાપિતા વિકસ્વર થઈ ગયા.
અન્યદા મુનિસુવ્રત સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. રાજા પદ્ધોત્તરે પરિવાર સાથે આવીને તેમને નમસ્કાર કર્યો, અને સંસારૌરાગ્યની માતારૂપ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે “સ્વામી ! જ્યાં સુધી પુત્રને રાજ્યપર બેસારીને હું દીક્ષા લેવાને આવું, ત્યાં સુધી આપ ભગવંતે અહીં જ બિરાજવું.” એવી રીતે રાજાએ આચાર્યને વિનંતિ કરી. પ્રમાદ કરશે નહીં” એવું સૂરિએ કહ્યું, એટલે રાજા પધ્ધોત્તર તેમને વંદન કરી પોતાના નગરમાં આવ્યું. પછી અમાત્ય,
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સર્ગ ૮ મ
સામંત વિગેરે સર્વ પ્રકૃતિવર્ગને અને વિષ્ણુકુમાર પુત્રને બોલાવી રાજા પોત્તરે કહ્યું–
આ સંસાર દુઃખને સાગર છે, રોગીને અપથ્યની ઈચ્છા જેમ રોગની વૃદ્ધિને માટે થાય છે તેમ પ્રાણીની જે તેના પિષણને માટે પ્રવૃત્તિ છે તે તેની વૃદ્ધિને માટે જ થાય છે. કૂવાની પાસે ગયેલા અંધ પુરૂષને જેમ બાહુ આપનાર પુરૂષ મળી જાય તેમ આ સંસાર સમુદ્રમાં પડતો એ હું તેને ઉદ્ધાર કરવા માટેજ સુવ્રત પ્રભુ અત્રે પધારેલા છે; તેથી આજે મારા રાજ્ય ઉપર વિષણુકુમારને બેસારો. હું સુત્રત પ્રભુની પાસે અવશ્ય દીક્ષા ગ્રહણ કરીશ.” વિસ્કુમારે કહ્યું–પિતાજી ! મારે રાજ્યથી સયુંકે, હું તે ગ્રહણ કરવાને નથી; તમારી સાથે દીક્ષા લઈ તમારેજ માર્ગે ચાલીશ.” એટલે રાજાએ પદ્મકુમારને બોલાવી આગ્રહથી કહ્યું-વત્સ ! આ રાજ્ય સ્વીકારે, જેથી અમે સુખે વ્રત લઈએ.” પદ્મકુમારે અંજલિ જોડી કહ્યું- પૂજ્ય પિતા ! જ્યાં સુધી પિતા તુલ્ય આર્ય વિષ્ણુકુમાર હોય ત્યાં સુધી મને તે કાર્ય કરવું ઉચિત નથી. માટે જગતમાં એક જ સમર્થ એવા વિકુમારને રાજ્ય ઉપર અભિષેક કરે, એક પેદલની જેમ તેમને યુવરાજ થઈને રહીશ.” રાજાએ કહ્યું કે મેં તેની પ્રાર્થના કરી પણ તે તો રાજ્ય ગ્રહણ કરવાને ઇચ્છતો નથી, મારી સાથે દીક્ષા લેવાને ઈચ્છે છે.” આ પ્રમાણે સાંભળી પદ્મકુમાર મૌન રહ્યો એટલે પક્વોત્તર રાજાએ ચકવર્તી પણાના અભિષેક સાથે તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો, પછી પદ્રકુમારે જેમને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા પદ્ધોત્તર રાજાએ વિષ્ણુકુમારની સાથે સુવ્રત મુનિ પાસે જઈને દીક્ષા લીધી. પદ્મકુમારે પૃથ્વી પર પિતાના શાસનની જેમ સર્વ જનેએ પૂજેલા પિતાની માતાના જૈનરથને આખા નગરમાં ફેરવ્યું. રથ ફેરવવાના સમય સુધી સુત્રતાચાર્ય પદ્ધોત્તર પ્રમુખ શિષ્ય સહિત તે નગરમાં રહ્યા. પછી અન્યત્ર વિહાર કર્યો.
અદભુત ચરિત્રવડે શોભનાર પદ્મચક્રીએ પોતાના વંશની જેમ સર્વત્રજિનશાસનની પણ ઉન્નતિ કરી. ગ્રામ, આકર, નગર અને દ્રોણમુખ વિગેરેમાં જાણે નવીન પર્વતો નિષ્પન્ન થયા ન હોય તેવાં કેટીગમે રૌ કરાવ્યાં. પદત્તર મુનિ ગુરૂની સાથે વિહાર કરી ઉત્તમ વ્રત પાળી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા. વિષ્ણકુમાર મુનિએ અદ્ભુત તપસ્યા કરી અને તેના મહિમાથી અનેક લબ્ધિઓવાળા થયા. મેરૂની જેવા ઉન્નત, ગરૂડની જેવા આકાશગામી, દેવની જેવા કામરૂપી અને કામદેવની જેવા સ્વરૂપવાન, એવી વિવિધ અવસ્થા પામવાને વિકુમાર સમર્થ થયા. પણ સાધુઓને અસ્થાને લબ્ધિનો ઉપયોગ કરવો ઉચિત ન હોવાથી તેઓ લબ્ધિ ફેરવતા નહોતા.
- એક વખતે ચાતુર્માસ કરવા માટે સુવતાચાર્ય સાધુઓના પરિવાર સાથે વિહાર કરતાં કરતાં હસ્તીનાપુરમાં આવીને રહ્યા. આચાર્યને આવેલા જાણ પૂર્વ બૈરનો બદલો લેવાની ઈચ્છાએ નમુચિ મંત્રીએ મહાપમને વિજ્ઞપ્તિ કરી કે- હે નરેદ્ર! પ્રથમ તમે જે મને વરદાન આપેલ છે તે અત્યારે આપે. મહાત્મા લોકોની પાસે થાપણની પેઠે રાખેલું વરદાન નાશ પામતુ નથી.” રાજાએ કહ્યું-“તે વરદાન માગો.” એટલે નમુચિએ કહ્યું- મારે એક યજ્ઞ કરે છે, તેથી યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તમારું રાજ્ય મને આપે. તમે કહેલું વચન સંભારો. સત્ય પ્રતિજ્ઞાવાળા મહાપદ્મ રાજાએ નમુચિ મંત્રીને રાજ્ય ઉપર બેસાર્યો, અને પોતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી નમુચિ કપટથી નગરની બહાર નીકળી બગલાની પેઠે દુષ્ટ ધ્યાન કરતે એક પાપી યજ્ઞમાં દીક્ષિત થયે. તેને અભિષેકકલ્યાણ કરવા માટે મંત્રીઓ અને સર્વ ધર્મના આચાર્યો આવ્યા, માત્ર જૈનના વેત ભિક્ષુઓ આવ્યા નહીં. “સર્વ ધર્મના લિંગીઓ મારી પાસે આવ્યા અને ઈર્ષાથી શ્વેતાંબરી
Page #350
--------------------------------------------------------------------------
________________
પવ ૬ ઠું
૩૩
ભિક્ષુકો આવ્યા નહી.’ આ પ્રમાણે ધારી એ દુમતિ તેનાં છિદ્ર શેાધવા લાગ્યા. પછી સુત્રતાચાર્યની પાસે જઈ આક્ષેપ કરીને તે ખેલ્યા- “ જે રાજા હેાય તેના સર્વ ધર્મના લિંગીએ આશ્રય કરે છે. સવ તાવના રાજાએથી રક્ષણીય છે, એવુ ધારી તપસ્વીઓ પેાતાના તપના છઠ્ઠા ભાગ રાજાને આપે છે. તમે અધમ પાખડીએ મારી નિંદા કરનારા, અભિમાનવડે સ્તબ્ધ, મર્યાદાને લાપનારા અને લોકવરૂદ્ધ તથા રાવિન્દ્વ વનારા છે, તેથી તમારે મારા રાજ્યમાં રહેવુ' નહી; અહી થી ખીજે ચાલ્યા જાએ. તમારામાંથી જે કોઇ અહીં રહેશે, તે દુરાશય મારે વધ્ય છે.” સુરી ખેલ્યા– તમને અભિષેક કરે ત્યારે અમારે આવવાને આચાર નથી તેથી અમે આવ્યા નથી, અને અમે કોઇની પણ નિંદા કરતા નથી,' તે સાંભળી નમુચિ ક્રોધ કરીને ખેલ્યા- આચાય ! હવે વિશેષ વિસ્તાર કરવાની કાંઇ જરૂર નથી. જો તમે સાત દિવસ પછી અહિં રહેશે, તે મારે ચારની જેમ નિગ્રહ કરવા ચૈન્ય થશે.' આ પ્રમાણે કહી નમુચિ પેાતાને સ્થાનકે ગયા. પછી સૂરિએ મુનિઓને પૂછ્યું –‘હવે આપણે શુ કરવુ તે યથાશકિત અને યથામતિ કહેા.’ તેમાંથી એક સાધુ ખેલ્યા-વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી તપ કરેલું છે અને હાલ મંદરાચળ ઉપર છે. તે મહાશય પદ્મરાજના જ્યેષ્ઠ બધુ થાય છે, તે તેનાં વચનથી આ નમુચિ શાંત થઈ જશે. કારણ કે તે પણ પદ્મની જેમ તેના સ્વામી છે. માટે જે વિદ્યાલબ્ધિવાળા સાધુ હોય તે તેમને તેડવાને જાએ. સંઘના કાર્ય માં લબ્ધિના ઉપયાગ કરવા દુષિત નથી.’” એટલે એક બીજા સાધુ ખેલ્યા કે ‘હું આકાશમાર્ગે ત્યાં સુધી જવાને શકિતમાન છું પણ પાછા આવવાને શક્તિમાન નથી. માટે આ કાર્યોમાં મારૂં જે કર્ત્તવ્ય હોય તે કહેા, હું કર્'.' ગુરૂ ખેલ્યા- ‘તમને વિષ્ણુકુમાર પાછા લાવશે, માટે તમે તેડવા જાઓ.' એવુ ગુરૂએ કહ્યું એટલે તે મુનિ આકાશમાર્ગે ગરૂડની જેમ ઉડીને ક્ષણવારમાં વિષ્ણુકુમાર પાસે આવ્યા. તે મુનિને આવતાં જોઇ વિષ્ણુકુમારે મનમાં વિચાર્યું કે ‘ આ મુનિ વેગથી આવે છે, તેથી કાંઇ સંઘનું કાર્ય હશે, અન્યથા વર્ષાઋતુમાં સાધુએનેા વિહાર સંભવે નહીં; તેમજ તેઓ જેવા તેવા કાર્યમાં લબ્ધિના ઉપયોગ પણ કરે નહીં.' આ પ્રમાણે વિષ્ણુકુમાર ચિંતવતા હતા ત્યાં તા તે મુનિએ આવીને તેમને વંદના કરી અને પોતાના આગમનનું કારણ કહ્યું. તે સાંભળી વિષ્ણુકુમાર ક્ષણવારમાં તે મુનિને લઇ આકાશમાર્ગે હસ્તીનાપુર આવ્યા અને પાતાના ગુરૂ સુત્રતાચાર્ય ને વંદના કરી. પછી સાધુએના પિરવાર સાથે વિષ્ણુકુમાર નમુચિની પાસે આવ્યા. એક નમુચિ શિવાય બીજા સર્વ રાજા પ્રમુખ લોકોએ વંદના કરી. પછી ધર્મ કથાપૂર્વક વિષ્ણુકુમારે શાંતતાથી નમુચિને કહ્યું કે “ જ્યાં સુધી ચાતુર્માસ છે ત્યાં સુધી આ સર્વે મુનિએ આ નગરમાં રહે. એ મુનિએ સ્વયમેવ એક ઠેકાણે ચિરકાળ રહેતા નથી, પણ વર્ષા ઋતુમાં ઘણા જંતુઓની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને વિહાર કરવા કલ્પતા નથી. હે બુદ્ધિમાન રાજા ! આવા મેડા નગરમાં અમારી જેવા ભિક્ષુકા ભિક્ષાવૃત્તિથી રહે તેમાં તમને શી હાનિ છે ? ભરત, આદિત્યયશા અને સોમયશા પ્રમુખ રાજાઓએ મુનિઓને ભિકતથી વાંદ્યા છે; જો દિ તમે તેવી રીતે ન કરો તે ભલે, પણ નગરમાં તા રહેવા દ્યો.”
આ પ્રમાણે વિષ્ણુકુમારે કહ્યું એટલે નમુચિ મંત્રીએ કાપથી દારૂણ થઈને કહ્યું કે આચાર્યાં ! વધારે વચના બાલશે નહીં, તમને અહિં રહેવા દઇશ નહીં.’ સમર્થ છતાં ક્ષમાવાળા વિષ્ણુકુમારે ફરીવાર કહ્યું-‘જો તમારી ઈચ્છા હોય તેા આચાર્ય નગરની બહાર
૧ મેરૂ.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સર્ગ ૮ મે
ઉદ્યાનમાં નિવાસ કરીને રહે.” અધમ મંત્રીએ ક્રોધ કરી ફરીને તે મહર્ષિને કહ્યું-“તમારે ગંધ પણ સહન કરી શકતો નથી, માટે તમારે નિવાસ કરવાની હવે પ્રાર્થના જ કરવી નહીં. નગરમાં કે નગર બહાર ચોર લોકની જેમ તાંબરીનો નિવાસ કદિપણ મર્યાદાને યોગ્ય થશે નહીં. જે તમારે જીવવું પ્રિય હોય તો તમે અહિથી ચાલ્યા જાઓ. નહીં તો સર્પોને ગરૂડ હશે તેમ તમને હણી નાખીશ.” આવાં નમુચિનાં વચન સાંભળી આહતિવડે અગ્નિની જેમ વિષ્ણુકુમાર કાલથી પ્રદીપ્ત થયા, તે પણ તેઓ બોલ્યા-“અરે! અહિં અમને રહેવા માટે ત્રણ પગલાં માત્ર ભૂમિ તે આપ.” એટલે નમુચિએ કહ્યું-“હું તમને ત્રણ પગલાં માત્ર ભૂમિ આપું છું, પણ જે તેટલી ભૂમિની બહાર રહેશે તેને હું તત્કાળ હણી નાખીશ.” તારતું એમ કહી વિકુમારે શરીર વધારવા માંડયું. મુગટ, કુંડલ, માળા, ધનુષ્ય, વજ અને ખડ્રગ ધરતા, મોટા કુકારાથી જીર્ણ પત્રની જેમ ખેચરોને પાડી નાખતા, કમળના પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનની જેમ સમુદ્રોને ઉછાળતા, સેતુબંધની પેઠે સરિતાઓને પ્રતીપગમન કરનારી (પાછી વળનારી ) કરતા, કાંકરાના સમૂહની જેમ તારાચકને ખેરવતા, રાફડાના રાશિની જેમ પર્વતને ફાડી નાખતા, મહા પરાક્રમી, મહા તેજસ્વી અને સુર અસુરને ભયંકર એવા વિકુમાર અનુક્રમે વિવિધરૂપે વધી મેરૂગિરિ જેવા થયા. તે સમયે ત્રણ જગતને ક્ષેભ થતો જોઈ તેમને પ્રસન્ન કરવાને ઈંદ્ર ગાયન કરનારી દેવાંગનાઓને આજ્ઞા કરી. તે ગાયિકા દેવીએ ત્યાં આવીને સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલા ભાવને જણાવનારૂં ગાયન ગાંધાર સ્વરે તેમના કર્ણની સમીપે આ પ્રમાણે ગાવાલાગી
પ્રાણુઓ કેપથી આ ભવમાં પણ દગ્ધ થાય છે, વારંવાર સ્વાર્થમાં મેહિત થાય છે અને મૃત્યુ પામ્યા પછી અનંત દુઃખવાળા નરકમાં પડે છે. આ પ્રમાણે તેમનો કેપ શમાવવાને કિંમરની સ્ત્રીઓ તેમની આગળ ગાવા લાગી અને નૃત્ય પણ કરવા લાગી. પછી પદ્મકુમારના અગ્રજ બંધુ કે જેના ચરણ જગતને વંદન કરવા ગ્યા છે, તેઓ નમુચિને પૃથ્વીપર નાંખી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે (જબૂદ્વીપની જગતી ઉ૫૨) બે પગલાં મૂકીને સ્થિત થયા. આ વૃત્તાંત જાણી પદ્મકુમાર સંભ્રમથી ત્યાં આવ્યા, અને પોતાના પ્રમાદથી તથા નમુચિના દોષથી ચકિત થઈ ગયા. પછી પોતાના અગ્રજ મહર્ષિને અતિ ભક્તિથી નમસ્કાર કરી અંજલિ જોડીને અશ્રુવ મુનિના ચરણને પ્રક્ષાલિત કરતાં આ પ્રમાણે બોલ્યા
હે પ્રભુ! લોકોત્તર ગુણવાળા તમે વિજયવંત સ્વામી છતાં પૂજ્ય પિતાશ્રી પદ્માસ્તર રાજા અદ્યાપિ મારા ચિત્તથી વિદ્યમાન છે. આ અધમ નમુચિ મંત્રી હમેશાં શ્રી સંઘની આશાતના કરતો તે મારા જાણવામાં આવ્યું નહીં, તેમ કોઈએ મને જણાવ્યું પણ નહીં; તથાપિ હું પોતેજ અપરાધી છું. કારણ કે એ પાપી મારે સેવક છે. સ્વામી સેવકના દોષથી દૈષિત થાય છે એવી નીતિ છે. તે નીતિ પ્રમાણે હું પણ તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે, તો તમે પણ મારા દેષથી ગ્રહણ થશે, માટે કપ તજી દ્યો. હે મહાત્મા ! આ પાપી મંત્રીના અપરાધથી આ ત્રણે લોક પ્રાણસંશયમાં આવી પડયું છે, માટે હે કરૂણાનિધિ ! તેની રક્ષા કરે.” એવી રીતે બીજા પણ અનેક સુર અસુર અને નરેના ઈશ્વરે એ (ઇદ્રો અને રાજાઓએ) અને ચતુર્વિધ સંઘે વિવિધ પ્રકારે સ્તુતિ કરીને મહામુનિ વિષ્ણુકુમારનું સાંત્વન કરવા માંડ્યું. જ્યારે આકાશમાં અત્યંત વૃદ્ધિને પામેલા વિષ્ણુકુમારને સાંભળ્યા ત્યારે સર્વે એ ત્યાં આવી આવીને ભક્તિથી તેના ચરણનો સ્પર્શ કર્યો. ચરણને અત્યંત સ્પર્શ થતાં વિષ્ણકુમારે નીચે જોયું એટલે ત્યાં પોતાના ભાઈ
૧ લક્ષણોજન પ્રમાણ શરીર કર્યું. બૌયિ લબ્ધિનું એટલું બળ છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
પર્વ ૬ ઠું
૩૨૫ પદ્મ, ચતુર્વિધ સંઘ અને સુર અસુર તથા રાજાએ જોવામાં આવ્યા. મુનિએ વિચાર્યું કે “આ કૃપાળુ સંઘ, આ દીન એ મારો ભાઈ પાકુમાર અને આ સુર અસુર તથા રાજાઓ ભય પામીને મારા કપની શાંતિને માટે એકસાથે પ્રયત્ન કરે છે, તે મારે આ સંઘ માન્ય છે અને બ્રાતા પદ્મ વિગેરે સર્વ અનુકંપા કરવા લાગ્યા છે.” આ વિચાર કરી એ મહામુનિ વિષકુમાર શરીરની વૃદ્ધિને ઉપસંહાર કરી મર્યાદામાં આવેલા સમુદ્રની જેમ પિતાની મૂલ પ્રકૃતિની અવસ્થામાં સ્થિર થયા. સંઘના આગ્રહથી તે મહામુનિએ નમુચિને છોડી દીધું એટલે પદ્મરાજાએ તરતજ તે અધમ મંત્રીને નગરમાંથી કાઢી મૂકો.
આ ત્રિપદી (ત્રણ પગલાં) ના ચરિત્રથી વિષણુકુમાર ત્રણ જગતમાં ત્રિવિકમ એવી પવિત્ર વિખ્યાતિને પામ્યા. આવી રીતે શ્રીસંઘનું કાર્ય કરી, શાંત થઈ ઉત્કૃષ્ટ તપસ્યા કરીને વિષ્ણુકુમાર મુનિ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. 1 મહાપદ્ધરાજાએ પણ સંસારથી ઉદ્વેગ પામી તૃણની જેમ રાજ્યને છોડી દઈને સદ્દગુરૂની પાસે દીક્ષા લીધી. કુમારવયમાં પાંચ વર્ષ, મંડલિકપણુમાં પણ તેટલાં વર્ષ, દિગવિજયમાં ત્રણ વર્ષ, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાતસો વર્ષ અને વ્રતમાં દશ હજાર વર્ષ, સર્વ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પદ્ધચક્રવતીનું પૂર્ણ થયું હતું. પદ્મ ચક્રવરી મુનિપણાના વિવિધ અભિગ્રહવડે સુંદર એવાં તીવ્ર તપ કરી અને ઘાતિ કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાનની સમૃદ્ધિ મેળવી શાશ્વત સુખના ધામ (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
આ છઠ્ઠા પર્વમાં બે જિન અને ચક્રવત્તી, બે તીર્થકર, બે ચક્રવર્તી, બેરામ (બળદેવ), બે વાસુદેવ અને બે પ્રતિવાસુદેવ એમ ચૌદ મહાત્મા શલાકા પુરૂષનું કીર્તન કરેલું છે. કીર્તિથી દિશાઓને વ્યાપ્ત કરનારા તે મહાશય પુરૂષનું આ ઉદાર ચરિત્ર હમેશાં લે કેના કર્ણને અતિથિરૂપ થાઓ.”
___ इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___महाकाव्ये षष्ठ पर्वणि पद्मचक्रवर्तीचरित
वर्णनो नाम अष्टमः सर्गः । 2 BESEDA DE LOS PA33831138833888888888888888888
पर्व छठु समाप्त.
Page #353
--------------------------------------------------------------------------
Page #354
--------------------------------------------------------------------------
_