SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લો “ષ નથી, પણ તે તે મોટા અરણ્યને દાવાનળની જેમ સર્વ પ્રાણીઓને સંહાર કર્યા કરે છે. કુશાસ્ત્રથી મેહ પામેલા પુરૂષોએ “કઈ પણ ઉપાયથી આ કાયા નિરપાય થાય “એવી શંકા પણ કરવી નહીં. જેઓ મેરુપર્વતને દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ “હોય છે તેઓ પણ પિતાને વા બીજાને મૃત્યુથી બચાવવાને સમર્થ થતા નથી. કીડાથી માંડીને ઈંદ્ર સુધી તે યમરાજનું શાસન સમર્થ રીતે પ્રવર્તે છે. તેમાંથી કઈ રીતે કાળને “વંચના કરવાની વાત ડાહ્યા માણસ તે બેલેજ નહીં'. કદિ કોઈએ પિતાના પૂર્વ જેમાં કેઈને “પણ જે જીવતો રહેલો જોયો હોય તો તે કાળને વંચના કરવાની વાત ન્યાયમાર્ગથી “ઉલટી રીતે પણ સંભવે ખરી, પણ તેવું તો જણાતું “નથી. “બલ અને રૂપને હરણ તે કરનારી વૃદ્ધાવસ્થાથી શિથિલ થવાય છે એ વાતના અનુભવથી વિદ્વાન પરેને યૌવનવય અનિત્ય છે એવી ખાત્રી થવી જ જોઈએ. કામિનીઓ કામદેવની લીલાથી યૌવન “વયમાં જેઓની ઇચ્છા કરતી હતી, તેજ પુરૂષને વૃદ્ધાવસ્થામાં તેઓ થુંકી થુંકીને ત્યજી દે છે. ધનવાન પુરૂષોએ જે ધન ઘણું કલેશથી મેળવી ઉપભોગ કર્યા વગર “રક્ષણ કરીને એકઠું કરી રાખ્યું હોય છે તે પણ ક્ષણવારમાં વિનાશ પામી જાય છે. જોતજોતામાં અવશ્ય નાશ પામી જતાં એવાં ધનવાનનાં ધનને પણ, પરપોટા અને “વિજળીની ઉપમા કેમ ન આપી શકાય? પિતાનો વા બીજાનો ગમે ત્યાં ન્યાસ કરે “તેમજ વિકાર કે અપકાર કરે, પણ આ સંસારમાં મિત્ર કે બંધુજનોને જે સમાગમ “છે તે છેવટે વિનાશ પામનારા છે. જેઓ હમેશાં અનિત્યતાનું ધ્યાન કરે છે તેઓ પિતાને “પુત્ર મૃત્યુ પામી જાય તે પણ તેને શેક કરતા નથી, અને જે મૂઢ નિત્યતાને આગ્રહ “રાખે છે તે પોતાની એક દિવાલ પડી જાય ત્યારે પણ રૂદન કરે છે. શરીર, યૌવન, ધન “અને બંધુ વિગેરેજ “ફકત અનિત્ય છે એમ નથી, પણ આ સઘળું સચરાચર જગજ “અનિત્યપણે રહેલું છે. આવી રીતે આ સર્વને અનિત્ય જાણીને પ્રાણીઓએ પરિગ્રહને ત્યાગ “કરી નિત્ય સુખવાળું શાશ્વત્ પદ (મોક્ષ) મેળવવાને માટે પ્રયત્ન કરો.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને તત્કાળ ઘણા પુરૂષ અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ચાર વિગેરે ગણધરને પ્રભુએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદને ઉદ્દેશ કર્યો. એ ત્રિપદીને અનુસરીને એક ને બે ગણધરેએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ ઉઠી ઇ લાવેલ વાસક્ષેપ તેમના ઉપર નાખીને તેમને દ્રવ્યાદિકવડે અનુગ તથા ગણની અનુજ્ઞા આપી. તે સમયે દેવતા અને મનુષ્યોએ પણ દુંદુભિને અવાજ કરી ગણધરોની ઉપર વાસક્ષેપ કર્યો અને તે ગણધરે પ્રભુની વાણીને ગ્રહણ કરવાને ઉભા રહ્યા. પછી પ્રભુએ પૂર્વાભિમુખે ફરીવાર દિવ્ય સિંહાસન પર બેસીને તે ગણધરોને શિક્ષારૂપ દેશના આપી. પછી જયારે પહેલી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. તે વખતે રાજભવનમાંથી આઢક પ્રમાણુ શાળીને બળિ આયે, તે બળિને આકાશમાં ઉડાડે એટલે તેમાંથી ખરી પડેલે અદ્ધ ભાગ આકાશમાંથી દેવતાઓએ લીધો અને બીજો અર્ધ ભાગ રાજાએ અને બીજા લોકો એ હર્ષથી સમભાગે વહેચી લીધો. પછી તીર્થંકર ભગવાને ઉઠી ઉત્તર દ્વારથી નીકળીને જો કે પોતે શ્રાંત થયા ન હતા તે પણ બીજા ગઢમાં રચેલા દેવછંદ ઉપર વિસામો લીધે; કારણકે એવી મર્યાદા છે. પછી ગણધરોના અગ્રણી ચાર ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને સ્વામીના પ્રભાવથી સંશયને છેદનારી દેશના આપી. બીજી પારસી પૂર્ણ થઈ એટલે ચાર ગણધર કાળવેળાએ જેમ શાસ્ત્રના અધ્યયનથી વિરામ પામે તેમ દેશનાવિધિથી વિરામ પામ્યા. તે પછી સુર, અસુર અને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy