SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળને વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનુયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. . હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બાધ આપી, જૈનધર્મી બનાવી, આખા દેશમાં જેનધર્મને વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધે છે કે અત્યારે કોઈ પણ જૈન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયે એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશા, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશોને પોતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમાર્ણત, વિનયવાન અને ચૌલુકાના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્યનાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દર્ગણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવે પણ મે છોડી દીધું છે અને બધી પૃથ્વી અUતના ચાવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજ જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન્ ! તમે સ્વયમેવ લકે પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબંધ થવા માટે સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલું આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસવાનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બંધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયને નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તે તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતોડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તે સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. રથાનનાં વણને અને લશ્કરની ભૂહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણકોના મહોત્સવ, ચકીનો દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાન, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લકે ચોથા આરાનું સુખ કહે છે તેનો ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છેડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેં'ચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વા સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગને ઊંચામાં ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બધા આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy