Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009279/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ગુરુ, સદ્નાન, જ્ઞાનીમાં કરાવે એકતા સાચી, સ્વરૂપે સ્થિરતા દેતું, મનાવે થર્મ, એ કૂંચી. ૨૬ = રી અર્થ :- સદ્ગુરુ અધવા તેમનું બોધેલું સમ્યજ્ઞાન તે જ્ઞાનીપુરુષના સ્વરૂપમાં સાચી એકતા કરાવે છે અર્થાત્ જ્ઞાનીપુરુષનાં આત્માનું સ્વરૂપ અને મારા આત્માનું સ્વરૂપ નિશ્ચયનયે એક રૂપે જ છે. તે સમ્યજ્ઞાન કાળાંતરે સ્વસ્વરૂપમાં સ્થિરતા આપે છે, અને આત્મધર્મમાં શ્રદ્ધા કરાવે છે. માટે સદ્ગુરુ કે તેના વચનામૃત એ આત્મથન મેળવવા માટે કૂંચી સમાન છે, “સમ્યક્ત્તાનથી સમ્યક્દર્શન થાય છે.’૧.૬.૮૧૯) ।।૨૬। ઉઘાડે કર્મરૂપ તાળાં, અનાદિથી વસાતાં જે; જવા કે ના અોમાર્ગે, વળાવો ઠેઠનો આ છે. ૨૭ અર્થ :– સમ્યગ્દર્શન અનાદિકાળથી વસાયેલા કર્મરૂપી તાળાને ઉઘાડે છે. વળી અધોગતિના માર્ગે જવા દે નહીં એવો આ ઠેઠ મોક્ષ સુધીનો વળાવો છે. “આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે.’” (વ.પૂ.૭૩) ‘“જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાય તાળ ઉઘડી જાય.” (પૃ.૩૩) ||૨૭|| ગ્રહો જો હાથ તેનો તો, જરૂર મોક્ષે જવું પડશે, ચહ્નો કે ના ચહો તોયે, બધાંયે કર્મ-તુષ છડશે. ૨૮ અર્થ :• સમ્યક્દર્શન જો એકવાર કરી લીધું તો જરૂર મોક્ષે જવું પડશે. પછી તમે ઇચ્છો કે ન ઇચ્છો તો પન્ન બધાએ કર્મરૂપી તુષ એટલે ફોતરા ખરી જશે. “સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે ઃ—'મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હોય તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષ પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ઘારણ કરે તોપણ અર્થપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે’! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૪૩) ।।૨૮।। ન સારું સ્વર્ગ એ વિના, સુદર્શન સહ નરકવાસો ભલો જ્ઞાની જનો માને; સુણી આ એ જ ઉપાસો. ૨૯ અર્થ :– સમ્યક્દર્શન વિના સ્વર્ગમાં જવું સારું નહીં. કારણ ત્યાં જઈ મોહમાં ફસાઈ જઈ જીવ પાછો હલકી ગતિમાં જઈ પડશે. જ્યારે સમ્યક્દર્શન સાથે નરકાવાસને પણ જ્ઞાની જનો ભલો માને છે. કેમકે નરકમાં હમેશાં દુઃખ હોવાથી સમ્યક્દર્શન છૂટી જતું નથી. માટે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે ગુરુ આન્નાએ દેહથી ભિન્ન એવા આત્માની ભાવના ભાવી આત્મભાવને જ દૃઢ કર્યા કરો. ।।૨૯।। કરુણા, મૈત્રી, સમતાર્દિ, સુદર્શન સહિત ફળદાતા, વિના તેના ન છુટકારો, મીંડાં સૌ એકડો જાતાં. ૩૦ અર્થ : • મૈત્રી, પ્રમોદ, કરુણા અને સમતા એટલે માધ્યસ્ય એ ચાર ભાવનાઓ કલ્યાણમય અને Page #2 -------------------------------------------------------------------------- ________________ (૯૧) દર્શન-સ્તુતિ ૪ ૦૩ સમ્યકદર્શનની પાત્રતાને આપનારી છે. એ ભાવનાઓ સમ્યકદર્શન સહિત હોય તો મોક્ષ ફળને આપનારી છે. સમ્યક્દર્શન વિના જીવનો જન્મ મરણથી છૂટકારો થઈ મોક્ષ થતો નથી. સમકિત વગરની બધી ક્રિયા એકડા વગરના મીંડા જેવી છે. એ ઘર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે :૧. મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવૈરબુદ્ધિ. ૨. પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લાસવાં. ૩. કરુણા–જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૨) I/૩૦ના તપો તપ આકરાં તોયે, ભણો સન્શાસ્ત્ર સઘળાંયે, જીંતો યુદ્ધ બધું જગ આ, છતાં ના સત્ય સુખ થાય. ૩૧ અર્થ – ભલે આકરા તપ તપો, ભલે સઘળા સલ્ફાસ્ત્રોનો અભ્યાસ કરો. ભલે ચક્રવર્તી વગેરે થઈ યુદ્ધમાં આખા જગતને જીતી લો છતાં સમ્યગ્દર્શન વગર સાચું આત્માનું સુખ મેળવી શકાતું નથી. ૩૧|| કરોડો ઉપકારોથી, કરોડો જીવ-રક્ષાથી, સુદર્શન માનજો મોટું; બનો તેથી જ મોક્ષાર્થી. ૩૨ અર્થ - કરોડો જીવોનો ઉપકાર કરવાથી કે કરોડો જીવોની રક્ષા કરવાથી પણ સમ્યગ્દર્શનને મોટું માનજો. તેથી જ માત્ર મોક્ષના ઇચ્છુક બનશો. “સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહેં, ત્રસ, થાવરકી કરુણાકીની, જીવ ન એક વિરાધ્યો, તીનકાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, -સમકિત ૩રા. બીજું કંઈ શોઘ મા, શાણા!ખરા સપુરુષને શોથી, ચરણકમળ બઘા ભાવો સમર્પ, પામી લે બોધિ; ૩૩ અર્થ - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે હે શાણા પુરુષ!હવે બીજું કંઈ શોઘ મા. એક ખરા આત્મજ્ઞાની સપુરુષને શોઘી, તેના ચરણકમળમાં સર્વ ભાવોને સમર્પી સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ બોધિરત્નને પ્રાપ્ત કરી લે. “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોથીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (.પૃ.૧૯૪) //૩૩ણી પછી જો મોક્ષ ના પામે, અમારે આપવો એવું, ઉતાર્યો માનજે વીમો; કહ્યું છે જ્ઞાનીએ કેવું! ૩૪ અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞામાં વર્યા પછી જો મોક્ષ ન પામે તો અમારે આપવો, એવો વીમો ઉતારી આપ્યો. અહો! જ્ઞાનીએ કેવું કહ્યું છે; અર્થાત્ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો મોક્ષ મળે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૩૪ મઢી આ મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો, સુદર્શનનાં બધાં અંગો ઉપાસી કર્મને કૂટો. ૩૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ ४०४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આ દેહરૂપી મઢી એટલે ઝુંપડીનો મોહ મૂકી દઈ હવે અનાદિની આ શરીરરૂપી કેદથી છૂટકારો પામો. બીજો દેહ ધારણ કરવાનું કારણ પણ આ દેહમાં આત્મબુદ્ધિ છે. તે મૂકી દઈ હવે આત્મામાં આત્મબુદ્ધિ કરો. તે કરવા માટે સમ્યક્દર્શનનાં નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગોની ઉપાસના કરી કર્મરૂપી શત્રુઓનો વિનાશ કરો. If૩પાા ચઢીને મોક્ષને પંથે મહા આનંદ રસ પામો, વિસારી સર્વ વિકલ્પો, સમાજો જ્યાં નહીં નામો. ૩૬ અર્થ - હવે અહંભાવ મમત્વભાવનો ત્યાગ કરી મોક્ષના માર્ગે ચઢી શાશ્વત એવા આત્માના મહા આનંદરસને પામો. જે પોતાના આત્માનો જ સ્વભાવ છે. તે અર્થે સર્વ પ્રકારના વિકલ્પોને ભૂલી જઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જઈ સર્વ કાળને માટે સ્વઆત્મસ્વરૂપમાં સમાઈ રહો, જે અનંત સુખસ્વરૂપ અવસ્થા છે. તે સિદ્ધ અવસ્થામાં કોઈ પણ આત્માનું નામ નથી પણ બઘા સિદ્ધ ભગવાન છે. તે સંપૂર્ણ સુખમય દશા પ્રાપ્ત કરવાનું મૂળભૂત કારણ સમ્યગ્દર્શન છે. ૩૬ાા. સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિના જીવનો મોક્ષ નથી. અને વિભાવ ગયા વિના સમ્યક્દર્શન અથવા આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યા વિના કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે સર્વ સંસારના મૂળભૂત રાગદ્વેષાદિ વિભાવભાવોનો સર્વથા નાશ કરવો અત્યંત જરૂરી છે. એ વિભાવભાવો આત્મા સાથે કેવી રીતે લાગેલા છે અને તેને દૂર કરવા શું કરવું જોઈએ વગેરેની સમજણ આ પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે : (૯૨) વિભાવ (રાગ શા માટે તું સૂઈ રહ્યો છે, અચેત ચેતન પ્રાણી) વિભાવ તજી શ્રી રાજચંદ્રજી સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે. તે પદ-પ્રાપ્તિ જે જન ઇચ્છે, તે તો તેને ભજશે. થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. ૧ ' અર્થ - આત્માથી ભિન્ન રાગદ્વેષાદિ વિભાવભાવોને તજી શ્રીમદ્ રાજચંદ્રજી પોતાના સહજ આત્મસ્વરૂપમાં મગ્ન થયા છે. તેથી સર્વ આરાઘક જીવોના હૃદયમાં તે ગમી ગયા છે. એવી ઉત્તમ દશાને પ્રાપ્ત પરમકૃપાળુદેવના ચરણકમળમાં હું ભક્તિભાવે પ્રણામ કરું છું. સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિને જે જીવ ઇચ્છશે તે તેને ભજશે. પરમકૃપાળુદેવની પરાભક્તિમાં તન્મય થઈ તે સર્વ વિભાવભાવોનો ત્યાગ કરશે. ૧ાા Page #4 -------------------------------------------------------------------------- ________________ (૯૨) વિભાવ ૪ ૦ ૫ કાટ સમાં રે! કર્મો વળગે, શક્તિ-વ્યક્તિ અટકે, કર્મભાવ-વિભાવે રાચી જીવ ભવોભવ ભટકે. વૈભાવિક શક્તિ જે જીંવમાં કર્મ નિમિત્તે વર્તે, સિદ્ધ-અવસ્થામાં તે શક્તિ, સ્વભાવરૂપ પ્રવર્તે. ૨ અર્થ - વિભાવભાવોમાં પરિણમવાથી આત્માને ચાર પ્રકારે કર્મનો બંઘ થાય; તે આ પ્રમાણે છૂટે: (૧) સ્પષ્ટ કર્મ–જેમ સોયનો ઢગલો હોય તેને ઠેસ મારે કે તરત છૂટી પડી જાય તેમ આત્માની સાક્ષીએ પોતે કરેલ કર્મોની નિંદા કરવાથી જે કર્મો ખપી જાય છે, અયમંતકુમારની જેમ ગુરુ આજ્ઞાથી. (૨) બદ્ધકર્મ–જેમ સોયો દોરાથી પરોવેલી કે બાંધેલી હોય તો તેને છોડતાં વાર લાગે તેમ ગુરુની સમક્ષ ગરહા એટલે નિંદા કરવાથી તે કર્મો નાશ પામે... (૩) નિદ્ધતકર્મ–જેમ સોયો કાટ ખાધેલી હોય તો તેને છોડતાં ઘણીવાર લાગે. તેમ ગુરુ આજ્ઞાએ પ્રાયશ્ચિત્ત કરવાથી જેની શુદ્ધિ થાય. (૪) નિકાચિતકર્મ–જે પાપ કરીને રાજી થાય, તેમાં અનુમોદના કરે તે કર્મ ભોગવવું પડે છે. જેમ સોયોને ગરમ કરી એક રસ કરી દીધી હોય તો કદી છૂટી પડી શકે નહીં, તેમ નિકાચિત કર્મ જીવને ભોગવવું પડે છે. કાટ સમાન કમોંનું વળગણ આત્મામાં થવાથી આત્માની અનંતશક્તિની વ્યક્તિ થવામાં અનાદિકાળથી તે કર્મો બાઘક થાય છે. કર્મભાવરૂપ વિભાવમાં રાચી આ જીવ ભવોભવ આ સંસારમાં ભટકે છે. લોઢીયા મૃગાપુત્રની જેમ. કેમકે “કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ'. -શ્રીમદ્ રાજચંદ્ર જેમ લોખંડમાં ખેંચાવાની શક્તિ અને ચુંબકમાં લોહને ખેંચવાની શક્તિ હોવાથી તે લોખંડ ચુંબકવડે ખેંચાય છે. તેમ જીવમાં વૈભાવિક શક્તિ એટલે વિભાવભાવોમાં પરિણમવાની શક્તિ હોવાથી કર્મનું નિમિત્ત પામી જીવ નવીન કમને ગ્રહણ કરે છે. જેમ શ્રીકુમારપાળ રાજા ચોમાસામાં બહાર જવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી મહેલમાં જ આરાઘના કરતાં રહ્યાં હતા. ત્યારે તેનું રાજ્ય લેવાનો પ્રયત્ન કરનાર એવા યવનરાજાને મંત્રોચ્ચારવડે શ્રી હેમચંદ્રાચાર્યે તેને ખેંચી લાવ્યો હતો તેમ. સિદ્ધ અવસ્થામાં આત્માની તે જ શક્તિ પોતાના સ્વસ્વભાવમાં પ્રવર્તે છે. “વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. -શ્રીમદ્ રાજચંદ્ર /રા પુગલમાં પણ તેવી શક્તિ, અણુના ઝંઘ રચે તે, પરમાણુ છૂટાં પડતાં તે, સ્વભાવરૂપે વર્તે; અગ્નિયોગે જળ ઉષ્ણતા નિમિત્ત-આશીન જાણો, તેમ નિમિત્તાથીન વિભાવો, વિકારરૂપે માનો. ૩. અર્થ - પુદ્ગલ દ્રવ્યમાં પણ જીવની જેમ વિભાવમાં પરિણમવાની શક્તિ હોવાથી તે પણ સ્વભાવને મૂકી, પુદ્ગલ પરમાણુઓના બેના રૂંઘ, ત્રણના અંઘ, યાવત્ અનંત પરમાણુઓના ઝંઘની રચના કરે છે. ફરી પાછા તે પરમાણુઓ છૂટા પડી જઈ પોતાના સ્વભાવરૂપે પ્રવર્તે છે. અગ્નિના યોગથી જળમાં જે ગરમી આવે તે અગ્નિના નિમિત્તને આધીન છે. તેમ આત્માને પણ નિમિત્તને આધીન વિકારરૂપ વિભાવભાવો થાય છે એમ માનો. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે લેષ થાય છે, Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પ્રાવોધ વિવેચન ભાગ-૨ નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જાવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.' (વ.પૃ.૪૮૩) || મદિરા-પાને જ્ઞાન-અવસ્થા વિભાવરૂપ ભજે છે, તેમ જ મોહ-મદિરા યોગે, સ્વભાવ જીવ તજે છે; બંધ-હેતુ સામગ્રી મળતાં જીવ સ્વયં અપરાથી, પરાધીન તદ્રુપ બને છે, તે જ વિભાવ ઉપાધિ. ૪ અર્થ :— :– જેમ દારૂ પીવાથી હું કોન્ન છું તે ભૂલી જઈ ગટરના ખાળ પાસે પડ્યો હોય છતાં પલંગ પર સૂતો છું એમ પોતાને માને છે. તેમ આત્મા મોહરૂપ દારૂ પીવાથી પોતાનો મૂળ જ્ઞાન સ્વભાવ તજી દઈ પરને પોતાના માનવારૂપ વિભાવભાવને ભજે છે. કર્મબંધના હેતુ એવા રાગદ્વેષના કારણો મળતાં જીવ પોતે તેમાં પરિણમીને રાગદ્વેષ કરી સ્વયં અપરાધી બને છે. તે મોહવશ પ૨વસ્તુને આધીન બની તે રૂપ થઈ જાય છે, અને તે જ નવીન કર્મબંધ કરાવનાર વિભાવભાવોની ઉપાધિનું કારણ છે. ।।૪। વિભાવ મોહ, દ્વેષ, રાગાદિ ભાવકર્મરૂપ ભાખ્યા, આઠ કર્મનું કારણ બનતાં, ભવ-કેદે જૈવ રાખ્યા. આઠ કર્મના ઉદય-નિમિત્તે જીવ વિભાવે વર્તે, ફરી કર્મ બાંથીને ભટકે, એમ જ ભવ-આવર્તે. ૫ અર્થ – રાગ, દ્વેષ અને અજ્ઞાન એ વિભાવ ભાવ છે. એને ભગવંતોએ ભાવકર્મરૂપ કહ્યાં છે. એ રાગદ્વેષાદિ ભાવો અજ્ઞાનવશ, જ્ઞાનાવરણીયાદિ આઠેય દ્રવ્યકર્મના કારણ બની જીવને સંસારરૂપ કેદમાં જકડી રાખે છે. વળી આઠેય કર્મના ઉદય નિમિત્તને પામી, જીવ ફરી રાગદ્વેષાદિના ભાવો કરે છે. તેથી ફરી નવા કર્મ બાંધીને જીવ, ભવ-આવર્ત એટલે સંસારચક્રમાં ઘાંચીના બળદની પેઠે ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી ભટક્યા કરે છે. પા અશુદ્ધતાથી થતી બદ્ધતા, અવિનાભાવ બન્ને; જીવ પુદ્ગલ વિભાવે વર્તે, શ્રી સ્વરૂપ અનન્ય. સુવર્ણ-પારો સાથે ઘૂંટ્યું બન્ને શ્યામ બને છે; વ પુદ્ગલ સંયોગે બન્ને સ્વભાવ નિજ તજે છે. ૬ અર્થ :— જીવના ભાવોમાં અશુદ્ધતા હોય તો કર્મ બંધ અવશ્ય ધાય જ. બન્નેનો અવિનાભાવ એટલે એક હોય ત્યાં બીજુ હોય એવો સંબંધ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય પોતાની વૈભાવિક શક્તિવડે પરભાવમાં પ્રવર્તે છે, છતાં તે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં અનન્યભાવે રહે છે; અર્થાત્ પોતાના સ્વરૂપને કદી છોડતા નથી. જેમ સુવર્ણ પીળુ અને પારો ઘોળો હોવા છતાં સાથે ઘૂંટવામાં આવે તો બન્ને શ્યામ રંગના બની જાય છે, તેમ જીવ અને પુદ્ગલ બન્ને દ્રવ્ય ભેગા મળવાથી પોતાનો સ્વભાવ તજી વિભાવરૂપે પ્રવર્તે છે. એ વ્યવહારનયથી કથન છે. કા પરગુણરૂપે પરિણમન તે સ્વરૂપ બંધનું સમજો; એવી પરિણતિ તે જ અશુદ્ઘિ, સ્વભાવ ત્યાં જીવ તજતો. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૯૨) વિભાવ ४०७ અશુદ્ધતામાં પણ ચિંતવતાં શુદ્ધપણું સમજાશે, નીચેના દૃષ્ટાંતે વિચારો, શુદ્ધિ સાબિત થાશે. ૭ અર્થ - સ્વગુણને છોડી પરગુણરૂપે જ્યારે જીવ પરિણમે ત્યારે કર્મબંઘન થાય છે. એવું જે પરિણમન થવું તે આત્માની અશુદ્ધિ છે. કેમકે ત્યાં પદાર્થ પોતાના મૂળ સ્વભાવની શુદ્ધતા તજીને અશુદ્ધરૂપે પરિણમે છે. આત્માની અશુદ્ધતામાં પણ તેના મૂળ સ્વભાવને ચિંતવતા તેનું શુદ્ધપણું સમજવામાં આવશે. નીચેની ગાથામાં તેના દ્રષ્ટાંતો આપ્યા છે તે વિચારો તો તમને પણ આત્મામાં મૂળ સ્વરૂપે રહેલી શુદ્ધતાની ખાત્રી થશે. શા. ચાંદી આદિ સાથે ભળી સોનું ભિન્ન ભિન્ન રૅપ ઘારે, અન્ય ભેળને અવગણ સોની ર્કીમતી કનક વિચારે; સુવર્ણ વર્ણ અનેક ઘરે પણ શુદ્ધ સુવર્ણ દ્રષ્ટિ દેતાં, ભાસે ભેળ શૂન્યવત્, દેખે તેમ સુદ્રષ્ટિ. ૮ અર્થ :- ચાંદી આદિ દ્રવ્યો સાથે ભળી સોનું અનેક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. પણ સોની સોનાને કસોટી પર કસી તેની પરીક્ષા કરતાં સમયે તે અન્ય ચાંદીના ભેળને અવગણી અર્થાત્ મનમાં તેને બાદ કરી કનક એટલે સોનાની કિંમત આંકે છે. સોનું, ચાંદી આદિના ભેળસેળને કારણે અનેક રંગ ઘરે છે પણ સોનીની શુદ્ધ સુવર્ણ ઉપર માત્ર દ્રષ્ટિ હોવાથી તેને ચાંદી આદિના ભેળસેળ શૂન્યવત્ ભાસે છે. તેમ સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓની દ્રષ્ટિ સુવર્ણ જેવા પોતાના શુદ્ધ આત્મા ઉપર હોવાથી તેમને આ કર્મોના ભેળસેળથી ઉત્પન્ન થતી શરીર આદિ વસ્તુઓ તુચ્છ અથવા શૂન્યવત્ ભાસે છે. દા. ક્ષીર-નીરમાંથી ક્ષીર પીતા રાજહંસ ઉર ઘારો, તેમ કર્મસંયોગે તોયે આત્મા શુદ્ધ વિચારો; સાધ્ય અર્થ અવિરોઘ રીતથી બતાવતાં દ્રષ્ટાંતો વિચારવાં હિતકારી સર્વે, બ્લવી વિભાવવાતો. ૯ અર્થ :- ક્ષીર એટલે દૂઘ અને નીર એટલે પાણી. દૂઘ અને પાણી ભેગા હોવા છતાં રાજહંસ તેમાંથી દૂઘ પી જાય છે અને પાણીને રહેવા દે છે. તેમ આત્મા કર્મના સંયોગે ભલે આ દેહમાં રહેલો છે પણ મૂળ સ્વરૂપે જોતાં તો તે શુદ્ધ છે એમ વિચારો. સાધ્ય એટલે સિદ્ધ કરવાયોગ એવા અર્થ એટલે આત્મ પ્રયોજનને અવિરોઘ રીતે બતાવનાર સર્વે દ્રષ્ટાંતોને વિચારવાં તે આત્મપ્રાપ્તિ માટે હિતકારી છે. તે વિચારી વિભાવની વાતોને ભૂલી સ્વભાવ સન્મુખ રહેવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે તે દ્રષ્ટાંતો જણાવે છે - હા પદ્મપત્ર જલમગ્ન છતાંયે જલથી ભિન્ન ગણાય, અસ્પૃશ્ય જલથી રહેવાનો તેમાં ગુણ જણાયે; સંસારી જીંવ તેમ શરીરે મગ્ન છતાં છે ત્યારો, જીંવ-પુગલના સ્વભાવ જાદા, ત્રણે કાળ ઉર ઘારો. ૧૦ અર્થ - પદ્મપત્ર એટલે કમળ જલમાં રહેલું હોવા છતાં તે જલથી જુદું ગણાય છે, કારણ તે જલને કદી સ્પર્શ કરતું નથી, અસ્પૃશ્ય રહેવાનો તેનો આ ગુણ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ४०८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેમ સંસારી જીવો શરીરને પોતાનું સ્વરૂપ માની તેમાં મગ્ન રહેવા છતાં પણ તેમનો આત્મા આ શરીરથી જુદો છે. કેમકે ત્રણે કાળ જીવદ્રવ્ય અને જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે. કોઈ કાળે જીવ જડ થાય અને જડ એવા પુદ્ગલો આત્મા થાય એમ નથી. /૧૦ાા. મેલું પાણી, મેલ ન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં સમજી, સંશય ખોશો; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે, સ્વરૃપ વિચારો જીંવ-પુગલનું; શુદ્ધિ કોણ છુપાવે? ૧૧ અર્થ - મેલું પાણી જોઈ વિચારવું કે પાણીમાં મેલ છે તે પાણી નથી, પણ પાણીથી જુદો કચરો છે. પાણીને તેના મૂળસ્વરૂપે જોતાં, તે મેલી દશામાં પણ નિર્મળ છે. એમ સમજી વિચારી શંકાનું નિવારણ કરવું. તેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ અત્યારે પણ આવી શકે છે. જો જીવ અને પુગલ દ્રવ્યના મૂળ ગુણોનો વિચાર કરો તો. જેમકે જીવ દ્રવ્યમાં જાણવા જોવાનો ગુણ છે અને તે જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યમાં નથી. એમ તેના શુદ્ધ ગુણોને કોણ છુપાવી શકે? તેના ઉપર એક દ્રષ્ટાંત છે. રાજામંત્રીનું દ્રષ્ટાંત - રાજા અને મંત્રી બહાર ફરવા જતાં ગટરનું ગંધાતું પાણી જોઈ રાજા બોલ્યા - પાણી બહુ ગંઘાય છે. ત્યારે મંત્રીએ કહ્યું – મહારાજ ! પાણી તો શુદ્ધ છે; આ તો મેલ ગંધાય છે. રાજાએ કહ્યું; એમ તે વળી હોય? મંત્રી કહે : અવસરે બતાવીશ. ઘેર જઈ મંત્રીએ તે ગટરનું પાણી મંગાવી એકથી બીજા અનેક વાસણોમાં તેને નીતરતું કરી ફીલ્ટર જેવું કરીને તે જળમાં સુગંધી દ્રવ્ય નાખી રાજાને આપ્યું. રાજાએ કહ્યું : આવું મીઠું જળ કયાં કુવાનું છે? ત્યારે મંત્રી કહે : મહારાજ તે ગટરનું. જેમ મેલ અને પાણી જુદા છે તેમ દેહ અને આત્મા પણ જુદા છે. 7/૧૧ાા ઇંઘન કે છાણાનો અગ્નિ વદે જનો વ્યવહારે; કાષ્ઠાદિથી અગ્નિ જાદો, જો ર્જીવ સત્ય વિચારે. કાષ્ઠ અગ્નિ નહિ, અગ્નિ કાષ્ઠ નહિ; અગ્નિ અગ્નિ દેખો; તેમ જ દેહ ન દેહી કદીયે; શુદ્ધ જીવ ર્જીવ લેખો. ૧૨ અર્થ - ઇંઘન એટલે લાકડા અથવા છાણનો અગ્નિ હોય પણ તે બન્ને પ્રકારના અગ્નિને વ્યવહારમાં લોકો અગ્નિ કહે છે. પણ તે અગ્નિ, કાષ્ઠ એટલે લાકડાં અને છાણ આદિથી જુદો છે, એમ સત્ય રીતે વિચારતાં જીવથી સમજી શકાય એમ છે. કેમકે લાકડા તે અગ્નિ નથી અને અગ્નિ તે લાકડા નથી. પણ અગ્નિને જ અગ્નિ જાણો. તેમ દેહ અને દેહી એટલે આ દેહને ઘારણ કરનાર એવો આત્મા, તે કદી દેહ નથી, પણ જ્ઞાન દર્શનમય એવો શુદ્ધ આત્મા તે જ જીવ તત્ત્વ છે એમ જાણો. ૧૨ાા મયૂર દર્પણમાં દેખાયે, સામે આવે ત્યારે; તોપણ દર્પણ દર્પણ માનો, છાયા જ્યારે ઘારે; તેમ વિભાવદશા ઑવ ઘારે, પુગલના સંયોગે, તોપણ તે પરભાવ વિચારી, રહો શુદ્ધ ઉપયોગે. ૧૩ અર્થ :- મયૂર એટલે મોર જ્યારે દર્પણની સામે આવે ત્યારે તેમાં દેખાય. મયૂરની છાયા એટલે પ્રતિબિંબને જ્યારે અરીસો ઘારણ કરે ત્યારે પણ દર્પણ તે દર્પણ જ છે, તે કંઈ મોર બની જાય નહીં. Page #8 -------------------------------------------------------------------------- ________________ (૯૨) વિભાવ ૪ ૦૯ તેમ પુદગલના સંયોગે જ્યારે જીવ પોતાનો સ્વભાવ ભૂલી જઈ વિભાવદશાને ઘારણ કરે ત્યારે પણ આત્મા સિવાય બધા વિભાવભાવોને પરભાવો જાણી હમેશાં આત્માના શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં ઉપયોગમાં જ રહેવાનો પ્રયત્ન કરો. I૧૩ા શ્યામ-રક્ત વસ્તુના યોગે સ્ફટિક દસે તે રંગે. યથાર્થ જોતાં, યથાર્થ નહિ તે; નિજ ગુણ ના ઓળંગે. કર્મયોગથી તેમ જ આત્મા બને અનેક પ્રકારે, ખરી રીતે તો વિભાવ ભાવો ભાસે છે વ્યવહારે. ૧૪ અર્થ :- શ્યામ એટલે કાળો અને રક્ત એટલે લાલ રંગના સંયોગથી સ્ફટિક રત્ન શુદ્ધ હોવા છતાં તે રૂપે દેખાય છે. પણ યથાર્થ રીતે જોતાં સ્ફટિક રત્ન તે રંગનું નથી. બીજા રંગના સંયોગથી સ્ફટિક રત્ન પોતાનો શુદ્ધ ગુણ ઓળંગતો નથી. તેમ કર્મના સંયોગે આત્મા પણ દેહાદિના અનેક પ્રકાર ઘારણ કરે છે, ખરી રીતે જોતાં આત્મામાં વિભાવ ભાવો ભાસે છે તે બધું વ્યવહારનયથી છે પણ નિશ્ચયનયથી નથી, અર્થાત્ મૂળ સ્વરૂપે જોતાં તો આત્મા તે શુદ્ધાત્મા જ છે. I/૧૪ના જે જ્ઞાને જન ઘટને જાણે, તે ઘટ-જ્ઞાન ગણાતું; જ્ઞાન બને ના ઘટ, પટ કદીએ, જ્ઞાન જ જ્ઞાન જણાતું. ઘટ-આકારે જ્ઞાન બને પણ, ઘટ સમ જડ ના જાણો; તેમ જીંવે રાગાદિ દેખી, મૂળ સ્વરૂપ પ્રમાણો. ૧૫ અર્થ :- જે જ્ઞાનવડે જીવ ઘટ એટલે ઘડાને જાણે, તે જ્ઞાન ઘડાને આકારે થયું ગણાય. પણ જ્ઞાન કદી ઘડો કે પટ એટલે કપડું બની જાય નહીં; જ્ઞાન તે સદા જ્ઞાન જ રહે છે. ઘડાના આકારે જ્ઞાન બને તે જ્ઞાનને ઘડા સમાન જડ જાણો નહીં. તેમ જીવ તત્ત્વમાં રાગદ્વેષાદિના ભાવો જોઈ તેને રાગદ્વેષ સ્વભાવવાળો જાણો નહીં, પણ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને યાદ કરી તે શુદ્ધ જ છે એમ પ્રમાણભૂત માનો. /૧૫ વાયુ-પ્રેરિત સાગર ઊછળે, એ સંબંઘ અનાદિ, તોપણ પવન, પોધિ જાદા, નથી એકતા સાથી; તેમ જીવ પુગલના સંગે, વિવિઘ અવસ્થા થારે, તોય અભિન્ન બને નહિ બન્ને, સુજ્ઞ સ્વરૂપ વિચારે. ૧૬ અર્થ :- જેમ વાયુથી પ્રેરાઈને સમુદ્રનું પાણી ઊછળે છે, એમ અનાદિકાળથી થાય છે. તો પણ પવન અને પયોધિ એટલે સમુદ્ર જુદા છે. બન્ને એકતા સાથી કંઈ એક રૂપ થઈ શક્યા નથી. તેમ જીવ, કર્મ પુદ્ગલોના સંગથી ચોરાશી લાખ જીવયોનિમાં અનેક અવસ્થાઓને ઘારણ કરે છે. તો પણ જડ અને ચેતન એ બે દ્રવ્યો કદી એક બની શકે નહીં. માટે સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વના જાણનાર પુરુષો દ્રવ્યના મૂળ સ્વરૂપનો વિચાર કરે છે. ૧૬ાા ખાર કાંકરી મીઠાની તો, માત્ર લવણરસવાળી, વિવિઘ શાકમાં ભળતાં રસ દે ભિન્ન ભિન્ન લે ભાળી; તેમ જ જીંવના પુદ્ગલ-યોગે થાય અનેક વિકારો, તોપણ શુદ્ધ સ્વરૅપ રસ લેવા નિશ્ચયનય વિચારો. ૧૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– મીઠાની ખારી કાંકરી તે માત્ર લવણરસવાળી હોવા છતાં પણ તે અનેક પ્રકારના શાકમાં ભળીને ભિન્ન ભિન્ન પ્રકારના રસ દેવાવાળી થાય છે. તેમ જીવ પણ પૌદ્ગલિક કાર્યણ વર્ગણાઓના યોગે અનેક રાગદ્વેષમય વિકારોને ધારણ કરે છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપના રસનો આસ્વાદ લેવા માટે નિશ્ચયનયથી આત્માનું જે મૂળ સજાત્મસ્વરૂપ છે તેનો વિચાર કરો. ।।૧૭।। ૪૧૦ શુદ્ધિ, અશુદ્ધિ સાપેક્ષિત પદ, તે જ સ્વભાવ, વિભાવો; એકાન્તે નિશ્ચયનય મિથ્યા, એ પણ ઉરમાં લાવો. સદ્ભૂત નિશ્ચયનય હિતકારી, દિવસ સમાન ગણાયે; રાત્રિ વિના સંભવ નહિ દિનનો, તેથી અન્ય નય ન્યાયે. ૧૮ અર્થ :— આત્માને શુદ્ધ કે અશુદ્ધ કહેવો તે અપેક્ષા સહિત છે. આત્માની શુદ્ધ અવસ્થા તે તેનો સ્વભાવ છે અને અશુદ્ધતા તે તેનો વિભાવિક ભાવ છે. એકાન્તે નિશ્ચયનયથી આત્માને શુદ્ધ માનવો તે પણ મિથ્યા છે. કેમકે “કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?’’ એ વાતને હૃદયમાં લાવી વિચારવી જોઈએ. વાસ્તવિક રીતે નિશ્ચયનય આત્માના મૂળ સ્વરૂપને બતાવનાર હોવાથી કલ્યાણકારી છે, તેને દિવસ સમાન જાણો. પણ રાત્રિ વિના જેમ દિવસનો સંભવ નથી. તેમ બીજા વ્યવહારનય આદિને પણ યથાયોગ્ય સ્થાને ન્યાય આપવો યોગ્ય છે. અર્થાત્ “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય.’’ નિશ્ચયનયમય આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખી વ્યવહારરૂપ ધર્મક્રિયામાં પ્રવર્તવું યોગ્ય છે. વ્યવહાર ધર્મ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ નથી. માટે આત્માના શુદ્ધ સ્વભાવને પામવા વિભાવરૂપ રાગદ્વેષાદિભાવોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ; જેથી શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ આત્મા સર્વ કાળ સુખશાંતિને પામી, મોક્ષમાં જઈ વિરાજમાન થાય. ।।૧૮। આત્મામાંથી વિભાવભાવો ગયા વિના સત્ય સુખનો રસાસ્વાદ આવે નહીં. સિદ્ઘ અવસ્થામાં ભગવંતો સદા આત્માના અનંતસુખમાં વિરાજમાન છે. તે સત્યસુખને પામવા માટે પ્રથમ સમ્યક્દર્શન જોઈએ. તે મેળવવા આત્મજ્ઞાની ગુરુને સર્વસ્વ માની તેની આજ્ઞામાં વર્તવું જોઈએ. તો આત્મસુખના રસાસ્વાદની જીવને પ્રાપ્તિ થાય. વળી સદ્ગુરુની આજ્ઞામાં વર્તવા માટે આરંભપરિગ્રહનું અલ્પત્વ કરી સત્સંગ કરવો જોઈએ, વગેરે ઉપાયોની આ પાઠમાં સ્પષ્ટતા કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :— (૯૩) રસાસ્વાદ (ભુજંગમયાન છંદ) * રસાસ્વાદની જે અખંડિત ઘારા, સદા સેવતા શ્રી ગુરુ રાજ મારા; નમું પ્રેમથી તેમના પાદમાં છે, કૃપા એ કૃપાળુ કરો એમ માગું, ૧ અર્થ :– આત્માના અનુભવરસનું આસ્વાદન એટલે વેદન કરવું તે રસાસ્વાદ. એવા રસાસ્વાદનું Page #10 -------------------------------------------------------------------------- ________________ (૯૩) રસાસ્વાદ ૪૧ ૧ અખંડઘારાએ જે સદા સેવન કરે છે એવા મારા શ્રીગુરુ રાજપ્રભુના ચરણકમળમાં હું પરમપ્રેમભાવથી નમસ્કાર કરું છું. હે કૃપાળુ! કૃપા કરીને મને પણ આવા આત્મઅનુભવનો રસાસ્વાદ આપો. પરાભક્તિરૂપે રસાસ્વાદ તો ત્યાં, પરાત્મારૃપે લીન આત્મા થતો જ્યાં; કદી દેહથારી પરાત્મા મળે જો, કૃપા-બી પરાભક્તિનું લે, કળે તો. ૨ અર્થ - પરાભક્તિ એટલે ભગવાનની જ સદા લય રહેવી તે પરાભક્તિ છે. ભક્તને પહેલા હાલોડહં એટલે હું પ્રભુનો દાસ છું, પછી ભગવાન પ્રત્યે પ્રેમ વધતાં ભગવાનનું જેવું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે એમ થાય તે સોડé છે. પછી ભગવાનના શુદ્ધ સ્વરૂપ સાથે એકમેક થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક પ્રભુમાં જ મન રાખે તો ક્રમે કરી એવી પરાભક્તિ પ્રગટે. પરાભક્તિનો ખરો રસાસ્વાદ તો જ્યારે પોતાનો આત્મા પરમાત્મસ્વરૂપમાં લીનતા પામે ત્યારે આવે છે. ખરી પરાભક્તિ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવે છે. “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહઘારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે.” (વ.પૃ.૨૭૬). ગોપાંગનાઓનું ચિત્ત હમેશાં શ્રીકૃષ્ણ વાસુદેવમાં રહેતું હતું, નિરાકાર, નિરંજન પરમાત્મામાં એવી ભક્તિની લય આવવી વિકટ હોવાથી જેને આત્મસાક્ષાત્કાર થયો છે એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિ આવવાનું પ્રબળ કારણ છે. એવા દેહદારી સાકાર પરમાત્મા જો કદી મળી આવે અને તેને કળે એટલે ઓળખી જાય તો તે સત્પરુષની કુપાવડે પોતામાં પરાભક્તિનું બીજ રોપાય. જેમ જનકવિદેહીને અષ્ટાવક્ર ગુરુ મળ્યા તો એમની કૃપાએ કેવળજ્ઞાનના બીજસ્વરૂપ એવા સમકિતની રોપણી થઈ. અથવા પ.પૂ.પ્રભુશ્રીજી, પૂ.શ્રી સોભાગભાઈ કે પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમ ભક્તિ હોવાથી પરાભક્તિનું બીજ એવું સમ્યત્વ તેમનામાં રોપાઈ ગયું. /રા પરાત્મા અને જ્ઞાનમાં ભેદ ના કો, પરાત્મા સ્વરૂપે ગણો જ્ઞાનને તો; ગણે ભેદ તે માર્ગથી દૂર જાણો, પરાત્મા ગયે ભક્તિ ઊગે પ્રમાણો. ૩ અર્થ - પરમાત્મા અને જ્ઞાની પુરુષમાં ભેદ નથી. જ્ઞાનીપુરુષ તો પરમાત્મા જ છે. એના વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પણ સદગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એવા ભાવ રહે ત્યાં સુધી સદગુરુ પ્રત્યે ભક્તિ ઊગે નહીંઅને તે પરાભક્તિરૂપ થાય નહીં. એનું મન સ્થિરતા ન પામતા બીજે જાય. જે કોઈ જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં ભેદ ગણે છે તેને મોક્ષમાર્ગથી દૂર જાણો. તેને મૂળમાર્ગની પ્રાપ્તિ થવી પરમ વિકટ છે. જ્ઞાનીપુરુષને પરમાત્મા ગણવાથી તેમના પ્રત્યે અનન્ય ભક્તિ ઊગે છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મામાં જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહદારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુઘી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે.” (વ.પૃ.૨૭૬) //૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ થતાં જ્ઞાનીના સૌ ચરિત્રે સુલક્ષ, અને ઐકય પામ્ય બને એક લક્ષ્ય; પરાત્મા વિરાજે ઉરે જ્ઞાનીને જે, અજાણ્યા રહે ના, પરાભક્તિ છે તે. ૪ અર્થ :- જ્ઞાની પુરુષની બધી ચેષ્ટાઓ પરમાર્થરૂપ છે એમ તેમના સર્વ ચારિત્રમાં સમ્યલક્ષ થવાથી આપણી વૃત્તિ બીજે ન જાય. તેથી ક્રમે કરી ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિની એકતા થાય. એ થયા પછી પરમાત્મસ્વરૂપ મેળવવાનો લક્ષ બંઘાઈ જઈ એક તૃહિ, તૃહિની રટના લાગે છે. જ્ઞાનીપુરુષના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોવાથી તેમની ભક્તિમાં પરમાત્મા સાથેનો જ ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. પરાભક્તિ આવ્ય ભક્ત ભગવાનથી અજાણ્યો રહે નહીં. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐયભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.” (વ.પૃ.૨૭૬) //૪| નમસ્કાર-મંત્ર અરિહંત આદ્ય, પછી સિદ્ધ આવે; સદેહી સુસાધ્ય; ઊગે ભક્તિ એથી પરાત્મા પમાય; ગણો જ્ઞાનીને મોક્ષ-મૂર્તિ સદાય. ૫ અર્થ :- નમસ્કારમંત્રમાં આદ્ય એટલે પ્રથમ અરિહંત ભગવંતને નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવાનને કર્યા છે. કેમકે દેહઘારી પરમાત્મામાં વૃત્તિ સહેજે સ્થિર રહી શકે છે. પુદગલનો પ્રેમ છોડવા માટે દેહદારી પરમાત્માની ભક્તિ જરૂરની છે. સિદ્ધ ભગવાનની ભક્તિથી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. માટે સિદ્ધ કરતાં અરિહંતને ઉપકારની અપેક્ષાએ પહેલા નમસ્કાર કર્યા છે. ભગવાનની મૂર્તિ જોઈને તેમનું પરમાત્મસ્વરૂપ યાદ આવવું જોઈએ. તેથી તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેમ પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો તેમનું દેહરૂપ દેખાય છે. અને દેહરૂપ જોવાની બાહ્યદ્રષ્ટિ સદા ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનીને સદા મોક્ષની મૂર્તિ જાણો. પરમાત્માએ આ દેહ ઘારણ કર્યો છે એવી બુદ્ધિ થયે જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ ઊગે છે. અને તેજ આગળ વધતાં પરાભક્તિનું કારણ થાય છે. માટે પ્રથમ જ્ઞાનીપુરુષની ભક્તિ કરવી, એ જ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સુગમ ઉપાય છે. પરમાત્મા આ દેહથારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં , ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) //પા. નમસ્કાર આદિથી ભક્તિ જગાવો, પરાભક્તિના અંત સુધી લગાવો; રસાસ્વાદ-વૃદ્ધિ અખંડિત ચાખો, મનોવૃત્તિ એકાગ્ર જો ત્યાં જ રાખો. ૬ અર્થ - ભક્તિના ભેદોમાં પ્રથમ ભગવાનનો ઉપદેશ શ્રવણ કરી, પછી ભગવાનના ગુણોનું ભજન કીર્તન કરી, એમના બોઘેલા તત્ત્વનું ચિંતવન કરવું. તેથી ભગવાન પ્રત્યે ભક્તિ ઊગી સાચો નમસ્કાર થાય છે. એક સાચો નમસ્કાર પણ જીવને તારે છે. એમ નમસ્કાર આદિથી ભક્તિ જગાવી આજ્ઞા ઉપાસવારૂપ સેવા કરી ક્રમશઃ લઘુતા, સમતા આવ્યા પછી અંતે એકતા ભક્તિ આવે છે. તે Page #12 -------------------------------------------------------------------------- ________________ (૯૩) રસાસ્વાદ ૪૧ ૩ પરાભક્તિ છે. એમ પરાભક્તિના અંત સુધી ખૂબ ભક્તિભાવ જગાડવાથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે. ત્યાં મનોવૃત્તિની એકાગ્રતા જો સદા રહી તો આત્મઅનુભવરૂપ રસના આસ્વાદની વૃદ્ધિ થઈ અખંડપણે તેનો સ્વાદ જીવ ચાખ્યા કરશે. એવું પ્રભુભક્તિનું માહાભ્ય છે. કોઈ મળે મોક્ષ જો જ્ઞાનીના આશ્રયે તો, બઘાં સાઘનો થાય સુલભ્ય એ તો સ્વયંસિદ્ધ જાણો, કહ્યું જ્ઞાનીએ એ; કળિકાળ જાણી રહો સત્સમીપે. ૭ અર્થ - જ્ઞાની પુરુષનો આશ્રય કરવાથી, તેમનું શરણ લેવાથી અર્થાત્ તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી મોક્ષ મળી શકે છે, તો મોક્ષ પ્રાપ્તિના બીજા બધા સાઘનો સુલભ થાય એમ સ્વયંસિદ્ધ જાણો. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. છતાં કળિકાળ વર્તે છે માટે સદા સત્પરુષના સમીપે કે સત્સંગમાં નિવાસ કરવો યોગ્ય છે. “જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?” –વચનામૃત પત્રાંક પ૬૦ (પૃ.૪૪૭) શા. ન સત્સંગ-સામીપ્ય, લ્યો આશરો એ; અસત્સંગ અત્યંત ત્યાગવા કરો રે; સ્વહિત પ્રવર્તે, મુમુક્ષુ થયો જે, અખંડિત આ જ્ઞાનના નિશ્ચયો છે. ૮ અર્થ - જો સત્સંગ સમીપે રહેવાનું બનતું ન હોય તો પુરુષના વચનામૃતનો આશ્રય લો. તથા અસત્સંગનો અત્યંતપણે ત્યાગ કર્યા કરો. કુગુરુ, કષાયભાવો કે આરંભપરિગ્રહમાં આસક્તિ એ સર્વ અસત્સંગ છે. જે મુમુક્ષુ થયો તે સ્વઆત્મહિત થાય તેમ પ્રવર્તે છે. ઉપર કહ્યા તે વિચારો જ્ઞાનીપુરુષના અખંડ નિશ્ચયો છે. આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાઘન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૮) IIટા વિકલ્પો રહે ના, ઘણી સત્ય ઘાયૅ, રહે વર્તવું એક આજ્ઞાનુસાર, ભેંલે સર્વ સંસાર ને વાસનાઓ, ટળે દેહ-અધ્યાસ ને કલ્પનાઓ. ૯ અર્થ - સાચા આત્મજ્ઞાની પુરુષને ગુરુરૂપે ઘણી ઘાર્યા હોય તો તે સંબંધી વિકલ્પ રહે નહીં. પછી માત્ર તેની આજ્ઞાનુસારે વર્તવું એ જ રહે છે. સગુરુની આજ્ઞાએ વર્તવાથી સર્વ સંસારની વાસનાઓને તે ભૂલે છે તથા તેનો દેહાધ્યાસ અને મનમાં ઊઠતી અનેક કલ્પનાઓ ટળે છે. જેથી કાળાંતરે આત્મસુખના રસાસ્વાદને તે પામે છે. ઘણી વગરના ઢોર સુના” એમ કહેવાય છે. તેમ પરમકૃપાળુદેવને જેણે ઘણીરૂપે ઘાર્યા નથી તે બધે ભટક ભટક કરે છે. મહાનંદ એ ભક્તિ-યોગે ઝરે જે, રસાસ્વાદ તેનો સુભક્તો કરે છે; કર્યો વાત મિષ્ટાન્નની ના ઘરાઓ; ચહો, ભ્રાત, એ સુખ તો જાગી જાઓ. ૧૦ અર્થ :- પ્રભુભક્તિના યોગે જે મહાનંદ ઝરે, તેનો રસાસ્વાદ સાચા ભક્તો કરે છે. નાભો ભગત Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિર્દોષ છતાં ચોરીનો આરોપ તેના પર મૂકી પોલીસો માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે છે. મિષ્ટાન્નની વાત કરવા માત્રથી પેટ ભરાતું નથી. તેમ હે ભાઈ! જો તમે સાચા આત્મિકસુખને ઇચ્છતા હો તો હવે જાગૃત થઈ જાઓ. પુરુષાર્થ કરો. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ.” -શ્રીમદ્ રાજચંદ્ર ગરીબ ગૃહસ્થનું દ્રષ્ટાંત :- એક ગરીબ ગૃહસ્થને સ્વપ્ન આવ્યું. તેમાં મીઠાઈઓના થાળ ભરેલા જોયા. જેથી આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. બધા જમવા આવ્યા ત્યારે કહે હું હવે સુઈ જાઉં છું. હમણા સ્વપ્નમાં મીઠાઈઓના થાળો દેખાશે ત્યારે તમને બધાને જમાડી દઈશ. એમ મિષ્ટાન્નની વાત માત્રથી ભૂખ ભાગતી નથી. તેમ આત્માની માત્ર વાતો કર્યો તેનો આસ્વાદ આવતો નથી. ૧૦થી “અહો!આમ આવો, અહો! આમ આવો,” કહે સંત સાચા, “બધા સુખી થાઓ! બઘા જન્મ રે! દેહ કાજે ગુમાવ્યા, દયા કેમ ના જીવની અલ્પ લાવ્યાં? ૧૧ અર્થ :- સાચા સંતો નિષ્કારણ દયાદ્રષ્ટિથી પોકારીને કહે છે કે હે ભવ્યો! તમે અમારા તરફ આવો, અમારા તરફ આવો. અમે જે આત્માનુભવરૂપરસનો આસ્વાદ ચખાવીએ તે ચાખી બઘા સુખી થાઓ. બઘા જન્મો આ રસના આદિ ઇન્દ્રિયોને પોષવા અર્થે કષાયભાવો કરવામાં જ વ્યર્થ ગુમાવ્યા; હવે ખાવા માટે જીવવું નથી પણ જીવવા માટે ખાવું છે. તેથી રસના ઇન્દ્રિયના ક્ષણિક રસાસ્વાદનો ત્યાગ કરી નિત્ય અનુપમ પવિત્ર એવા આત્માનંદમય અનુભવ રસનો આ ભવમાં આસ્વાદ કરો, એ જ આત્માર્થીને શ્રેયસ્કર છે. આખા મનુષ્યજન્મને વિષય ભોગાથે વ્યર્થ ખોતાં તમને પોતાના આત્માની અલ્પ પણ દયા કેમ ન આવી? કે આનું ભવિષ્યમાં શું થશે? અથવા મારો આત્મા કઈ ગતિને પામશે? II૧૧ાા અરે! વ્યર્થ કોલાહલોથી હઠીને, ઘરો ઉરમાં કાળજી આ કથી તે; સુસંતો તણા આશયે ઉર ઘારો, રહેલો સ્વદેહે સ્વ-આત્મા વિચારો. ૧૨ અર્થ :- અરે! આ જગતના વ્યર્થ આરંભપરિગ્રહના કોલાહલોથી દૂર હટી ઉપર કહેલ સત્પરુષ, સત્સંગ, ભક્તિ આદિ કરવાની હૃદયમાં હવે કાળજી રાખો. સંતપુરુષોએ કહેલા આત્માર્થના લક્ષને સુદઢપણે વળગી રહી, આ પોતાના દેહમાં જ રહેલા પરમાત્મા સમાન શુદ્ધ આત્માનો વિચાર કરો. //રા પ્રકાશે બૅમિને શશી શ્વેત તેજે, ન ભૂમિઝુંપે કોઈ કાળે બને તે; સદા ભિન્ન છે વિશ્વથી તેમ પોતે; પ્રકાશે બઘાને, ન તેવો થતો તે. ૧૩ અર્થ :- ચંદ્રમા પોતાના સફેદ તેજમય કિરણોની કાંતિથી આખી ભૂમિને પ્રકાશે છે. તેથી ભૂમિ શ્વેત થઈ જાય છે પણ ચંદ્રમા કોઈ કાળે તે ભૂમિરૂપ બનતો નથી. તેમ આખા વિશ્વથી પોતે સદા ભિન્ન છે, એવો આત્મા તે સમસ્ત વિશ્વને પોતાના જ્ઞાનગુણથી જણાવે છે છતાં કદી તે વિશ્વરૂપ થતો નથી. ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૩૩ (વ.પૃ.૬૨૦) /૧૩માં નભે વિશ્વનો વાસ તોયે અસંગી, બઘાં દ્રવ્યથી ભિન્ન આત્મા અનંગી. અનુત્પન્ન આત્મા મરે કેવી રીતે? સદા આત્મ-સુંખે વસે સિદ્ધ નિત્યે. ૧૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૯૩) રસાસ્વાદ ૪૧૫ અર્થ - નભ એટલે આકાશ. આકાશ દ્રવ્યમાં સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનો ગુણ છે. તેથી સમસ્ત વિશ્વનો, આકાશ દ્રવ્યમાં વાસ હોવા છતાં તે આકાશ દ્રવ્ય પોતાના સ્વભાવમાં સદા સ્થિત રહેવાથી તે અસંગી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ કાળે ભળતું નથી. તે અપેક્ષાએ જોતાં વિશ્વનો આકાશ દ્રવ્યમાં પ્રવેશ હોવા છતાં પ્રવેશ નથી. કેમકે આકાશદ્રવ્ય વિશ્વના પદાર્થોમાં ભળતું નથી; અલિપ્ત રહે છે. તેમ પુદ્ગલ આદિ બઘા દ્રવ્યોની વચમાં રહેલ આત્મા હોવા છતાં તે સર્વ દ્રવ્યથી ભિન્ન તથા સર્વ પર્યાયથી રહિત છે. તે અનંગી એટલે શરીર વગરનો અરૂપી પદાર્થ છે. જેની કોઈ કાળે ઉત્પત્તિ નથી એવો તે આત્મા કેવી રીતે મરે? જેથી સિદ્ધદશાને પામેલ આત્મા મોક્ષમાં જઈ સદા આત્મસુખમાં નિવાસ કરે છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યકદ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પદાર્થથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય?” (વ.પૃ.૬૨૧) II૧૪ો. અહો! એવી ઉત્કૃષ્ટ શાંતિ વિષે જે, અખંડિત લક્ષે સદા ઉલ્લસે છે, નમસ્કારને યોગ્ય સંતો સદા તે, રસાસ્વાદ આત્મા તણો ચાખવા તે. ૧૫ અર્થ - અહો! આશ્ચર્યકારક, પરમસુખસ્વરૂપ, ઉત્કૃષ્ટ આત્મશાંતિને જે પામ્યા એવા ભગવંતને નમસ્કાર. તથા પરમ શુદ્ધ સ્વરૂપમાં અખંડપણે રહેવાનો લક્ષરૂપ પ્રવાહ જેનો સદા ઉલ્લાસમાન છે એવા સંત પુરુષો પણ સદા નમસ્કારને યોગ્ય છે. કેમકે તેઓ પણ આત્માના અનુભવસ્વરૂપ રસાસ્વાદને ચાખે છે. “પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર.” (વ.પૃ.૬૨૧) //ઉપા ઘરો શક્તિ એવી તમે સર્વ ભાઈ, રહ્યા ઊંઘમાં ભાન ભૂલી છુપાઈ; ગણો છો સુખી શિર ઉપાધિ ઘારી, ઘરાતા નથી, ભાર લ્યો છો વઘારી. ૧૬ અર્થ - હે ભાઈ! તમે પણ આત્મઅનુભવરૂપ રસના આસ્વાદનની સર્વ શક્તિ ઘરાવો છો. પણ મોહરૂપી નિદ્રાના કારણે પોતાના સ્વરૂપનું ભાન ભૂલવાથી એ સર્વ શક્તિઓ આત્મામાં જ છુપાઈને રહેલ છે. અજ્ઞાનવશ શિર ઉપર જગતની ઉપાધિને વહોરી પોતાને સુખી ગણો છો અને હજુ વિશેષ ઉપાથિનો ભાર વઘારો છો; પણ તેથી ઘરાતા નથી. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.” (વ.પૃ.૪૫૨) I/૧૬ાા વધુ મેળવીને થવા સુખ માગે, ભિખારી જ રાજાધિરાજા ય લાગે; અહો! જ્ઞાનીએ માર્ગ જાદો જ જોયો : “ગ્રહો કાંઈ તો સુખનો માર્ગ ખોયો.” ૧૭ અર્થ - જે વઘુ પરિગ્રહ મેળવીને સુખી થવા માગે, તે રાજા હોય તો પણ ભિખારી છે. એક સંન્યાસીએ શિષ્યને બે આના આપી કહ્યું કોઈ ભિખારીને આપી દેજે. એક દિવસ રાજાને બીજાનું રાજ્ય લેવા જતાં જોઈ શિષ્ય વિચાર્યું કે આ ખરેખર મોટો ભિખારી છે. પોતાની પાસે આટલું બધું હોવા છતાં તે બીજાનું પણ લેવા ઇચ્છે છે! ભિખારી કોણ? ‘તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, સંતોષી નર સદા સુખી.” અહો! જ્ઞાની પુરુષે તો સુખનો માર્ગ કોઈ જુદો જ જોયો. જ્ઞાનીપુરુષના મત પ્રમાણે સુખ મેળવવા કોઈ વસ્તુનું ગ્રહણ કરવું, એ સુખના માર્ગને ખોવા બરાબર છે. “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) //1શો. સ્વ-આત્મા અહો! દેહ આદિથી ભિન્ન, સદા જ્યોતિ રૂપે પ્રકાશે સ્વ-અન્ય; સુ-ગુરુથી જાણી સ્વરૂપે સુમગ્ન, રહો તો રસાસ્વાદ ચાખો, સુવિજ્ઞ.” ૧૮ અર્થ :- પોતાનો આત્મા અહો! દેહ આદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે. તે સદા ચૈતન્યજ્યોતિસ્વરૂપ, સ્વ તથા અન્ય પર પદાર્થોને પણ પ્રકાશવા સમર્થ છે. એવા આત્માને સદ્ગુરુ દ્વારા જાણી તેના સ્વરૂપમાં જો નિમગ્ન રહો તો હે સુવિજ્ઞ એટલે સુવિશેષપણે તત્ત્વને જાણનારા ભવ્યો! તમે પણ આત્માના રસાસ્વાદને ચાખી શકો. એ રસાસ્વાદ અનંત અપાર આનંદને આપનાર છે. “દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” (વ.પૃ. ૬૨૦) I/૧૮ાા ઇન્દ્રિયોના રસાસ્વાદમાં હિંસા છે. જ્યારે અતીન્દ્રિય એવા આત્માના રસાસ્વાદમાં અહિંસા છે. અહિંસા એ જ ઘર્મ છે. કોઈ પણ પ્રાણીને મારવો નહીં, એ દ્રવ્ય અહિંસા છે. અને પ્રમાદવશ કષાયભાવોવડે પોતાના આત્મગુણોની હિંસા કરવી નહીં તે ભાવ અહિંસા છે પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવું તે સ્વચ્છંદપણું છે અને જ્યાં સ્વચ્છંદતા છે ત્યાં પ્રમાદ છે. અને જ્યાં પ્રમાદ છે ત્યાં વિષયકષાય છે. વિષયકષાય છે ત્યાં ભાવહિંસા છે. અને જ્યાં ભાવહિંસા છે ત્યાં સંસાર છે. માટે સંસારનો છેદ કરવા સ્વચ્છેદ મૂકીને ગુરુ આજ્ઞાએ અહિંસાધર્મનું પાલન કરવું એ આત્માને પરમ હિતકારી છે. એ સંબંધી વિશેષ ખુલાસા આ પાઠમાં કરવામાં આવે છે : (૯૪) અહિંસા અને સ્વચ્છંદતા (દોહરા) | સર્વ ઘર્મનું બીજ જે, ઘારે ઉર ગંભીર, રાજચંદ્ર-પદ તે નમું, સત્ય અહિંસક વીર. ૧ અર્થ :- સર્વ ઘર્મોનું બીજ એટલે રહસ્ય જેના હૃદયમાં ગંભીરપણે ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. જે રાગદ્વેષને જીતવાથી સાચા અહિંસક વીર કહેવાય છે. રાગાદિક દંર થાય ત્યાં ખરી અહિંસા ઘાર, રાગાદિ પ્રગટાવતાં, હિંસા-સ્વરૃપ વિચાર. ૨ અર્થ - જે ઘર્મવડે રાગદ્વેષ અજ્ઞાન આદિ ભાવો દૂર થાય તેને ખરો અહિંસાધર્મ જાણો. અને જ્યાં ઘર્મના નામે રાગદ્વેષ કામક્રોથાદિ ભાવોનું પોષણ થાય ત્યાં અહિંસાધર્મ નથી પણ તે હિંસાનું બીજું Page #16 -------------------------------------------------------------------------- ________________ (૯૪) અહિંસા અને સ્વચ્છંદતા ૪૧ ૭. સ્વરૂપ છે એમ વિચારો. દ્રવ્યભાવરૃપ પ્રાણની, કષાયોને ઘાત, હિંસા કહી સલ્ફાસ્ત્રમાં, અઘર્મ એ સાક્ષાત. ૩ અર્થ :- પાંચ ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ એ દશ દ્રવ્ય પ્રાણ કહેવાય છે. તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ભાવપ્રાણ કહેવાય છે. ક્રોધાદિ કષાયભાવોવડે કોઈના દસ દ્રવ્ય પ્રાણની કે પોતાના ભાવપ્રાણની હિંસા કરવી તેને સન્શાસ્ત્રમાં સાક્ષાત અઘર્મ કહ્યો છે. રાગાદિ આવેશ વણ સાવઘાનતા હોય, પ્રાણ-ઘાત પ્રત્યક્ષ હો, થતી ન હિંસા તોય. ૪ અર્થ :- રાગદ્વેષાદિ ભાવોના આવેશ વગર, જીવોની રક્ષા કરવા માટેનો આત્માનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હોય, છતાં કોઈ જીવના પ્રાણની પ્રત્યક્ષ ઘાત થઈ જાય, તો પણ તેને હિંસા લાગતી નથી. જેમકે મુનિ ઈર્ષા સમિતિપૂર્વક ચાલતા છતાં કોઈ જીવ અકસ્માત પગ નીચે આવીને મરી જાય તો પણ તેની હિંસા મુનિને લાગતી નથી, કારણ કે તેને બચાવવાનો તેમનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હતો. રાગાદિક વશ વર્તતાં, પ્રમાદ જ્યાં સેવાય, પ્રાણઘાત હો કે ન હો, જરૂર હિંસા થાય. ૫ અર્થ - પણ જ્યાં રાગદ્વેષાદિ ભાવોને વશ પોતાનો ઉપયોગ છે ત્યાં પ્રમાદનું સેવન છે. પ્રમાદના કારણે ચાલવા આદિમાં જીવ રક્ષા કરવામાં આત્મોપયોગની જાગૃતિ નથી, માટે ત્યાં જીવોના પ્રાણની ઘાત હો કે ન હો, પણ તેને હિંસાનો દોષ જરૂર લાગે છે. આત્મઘાત પોતે કરે, કષાયનો કરનાર; મરવું-ર્જીવવું અન્યનું કર્માથીન બનનાર. ૬ અર્થ - જે જીવ કષાયભાવો કરે તે પોતાના આત્મગુણોની ઘાત કરે છે. તે બીજાને મારવા ઇચ્છે પણ બીજાનું મરવું કે જીવવું છે તેના કર્મને આધીન બનનાર છે. જેમ કૂમક નામનો ભિખારી પોતાના કર્મને આધીન ભોજન પામતો નહોતો. છતાં લોકો ઉપર રુમાન થઈ બઘાને મારી નાખવાના ઇરાદે પહાડ ઉપરથી મોટો પત્થર ગબડાવ્યો. તેની સાથે પોતે પણ ગબડી ગયો. અને બીજાને મારવાના ભાવથી પોતે જ મરીને નરકે ગયો. હિંસાથી ના વિરમવું, પર હિંસા-પરિણામ, પર હિંસાના ભેદ બે; પ્રમત્તતાનું ઘામ. ૭ અર્થ :- પ્રતિજ્ઞાવડે દ્રવ્ય હિંસાનો ત્યાગ ન કરવો અને પરહિંસાના પરિણામ રાખવા એ ભાવહિંસા છે. દ્રવ્ય અને ભાવ એ હિંસાના બે ભેદનો જ્યાં સદ્ભાવ છે ત્યાં પ્રમાદ ઘર કરીને રહે છે. પરને લઈને અલ્પ પણ હિંસા નથી, વિચાર; પણ પરિણામ ભલાં થવા, હિંસા-હેતુ નિવાર. ૮ અર્થ - પર પદાર્થને લઈને અલ્પ પણ હિંસા નથી એમ વિચાર. હિંસા, અહિંસાનો આધાર તારા ભાવ ઉપર છે. માટે તારા પરિણામ એટલે ભાવોની શુદ્ધિ થવા અર્થે હિંસાના કારણોને દૂર કર. જૂઠ, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ચોરી, અબ્રહ્મ, આરંભપરિગ્રહ વગેરેના નિમિત્તે કષાયભાવો ઉત્પન્ન થઈ દ્રવ્ય અને ભાવપ્રાણની હિંસા થાય છે. માટે તેવા હિંસાના નિમિત્તોથી દૂર રહે જેથી કષાયભાવો જન્મ નહીં. નિશ્ચયને સમજે નહીં નિશ્ચય ખેંચે બાળ; સવર્તનને ત્યાગતો, ક્રિયા-પ્રમાદી, ભાળ. ૯ અર્થ - હવે સ્વચ્છંદપણા વિષે વાત કરે છે. જે જીવો નિશ્ચયનયને યથાર્થ સમજતા નથી તે બાળકની જેમ એકાંતે નિશ્ચયનયની વાતને ખેંચ્યા કરે છે. તે આત્માને એકાંતે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન માની ક્રિયા કરવામાં પ્રમાદી બની, સદાચાર, ભક્તિ, સત્સંગ, પૂજા, સ્મરણ આદિ સદ્વર્તનને પણ ત્યાગી દે છે. રાખું નિર્મળ ભાવ હું, વર્તન બાહ્ય ગણાય.” વદે સ્વ-છંદે વર્તતાં, મોહે ઘણા તણાય. ૧૦ અર્થ - વળી નિશ્ચયાભાસી કહે છે કે હું તો અંતરમાં નિર્મળ ભાવ રાખું છું. ઉપરનું વર્તન તો બધું બાહ્ય ગણાય છે. એમ કહી સ્વચ્છેદે વર્તન કરતાં ઘણા જીવો મોહમાં તણાઈ જાય છે; અને દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાના ભોગી થાય છે. બંઘ, મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” -શ્રીમદ્ રાજચંદ્ર હિંસા, હિંસક, હિંસ્ય ને હિંસા-ફળનું તત્ત્વ જાણી સંવર સાથવો, હિંસામાં ન મહત્ત્વ. ૧૧ અર્થ :- હિંસા કોને કહેવી? તો કે “પ્રમત્તયોગાત્રાળ વ્યવરોપા હિસા' શ્રી ઉમાસ્વાતિ ભગવંતે મોક્ષશાસ્ત્રમાં હિંસાની આ વ્યાખ્યા કરી છે કે મનવચનકાયયોગના પ્રમાદથી જીવોના પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે. હિંસા કરવાના જેના ભાવ છે તે હિંસક છે. જે નિર્દોષ પ્રાણીઓની હિંસા થાય તે હિંસ્ય કહેવાય છે. તથા આવી હિંસાનું ફળ શું આવશે તે તત્ત્વને જાણી વિચારીને આવતા કર્મોને રોકવા તે સંવર છે; તેને સાધ્ય કરવો. હિંસા કરવામાં કાંઈ મોટાઈ નથી. જેથી યથાશક્તિ અપ્રમાદી બનીને સર્વ પ્રકારની દ્રવ્ય અને ભાવ હિંસાનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે. મોક્ષમાર્ગ–અજ્ઞાતને સમજ ન સર્વ પ્રકાર; | સર્વ અપેક્ષા સમજતા સદગુરુ-શરણ વિચાર. ૧૨ અર્થ – મોક્ષમાર્ગના અજ્ઞાત એટલે અજાણ જીવને સ્યાદ્વાદપૂર્વક સર્વ પ્રકારના તત્ત્વોની સમજ નથી. માટે સર્વ પ્રકારની અપેક્ષાના જાણનાર એવા સગુરુ ભગવંતનું શરણ ગ્રહણ કરવું એ જ શ્રેયસ્કર છે, એમ વિચારવું. એકાને નિશ્ચય નયે માની આત્મા શુદ્ધ, ઘણાય દુર્ગતિ સાઘતા, મોહે રહી અબુદ્ધ. ૧૩ અર્થ:- એકાંતે નિશ્ચયનયને પ્રદાન કરી આત્માને કેવળ શુદ્ધ માની ઘણાય જીવો મોહવડે અબુદ્ધ એટલે અજ્ઞાની રહી દુર્ગતિને સાથે છે. “સમયસાર નાટક'ના કર્તા શ્રી બનારસીદાસ પણ પહેલા નિશ્ચયાભાસી બની ગયા હતા. પણ શ્રી રૂપચંદજી પાંડે મળતાં સ્યાદવાદપૂર્વક તત્ત્વની સમજ આવવાથી યથાયોગ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ દશાને પામી આત્મજ્ઞાની થયા. (૯૪) અહિંસા અને સ્વચ્છંદતા કહે, “જીવ મરતો નથી, માનો સાચી વાત; વ્યવહા૨ે શાસ્ત્રે દયા, માત્ર બંધ-પંચાત.’’ ૧૪ = અર્થ :– એકાંત નિશ્ચયવાદી કહે છે કે જીવ કદી મરતો નથી, એ વાતને સાચી માનો. શાસ્ત્રમાં જે વ્યવહારથી દયા પાળવા કહ્યું છે તે બધી કર્મબંધની પંચાત છે; અર્થાત્ દયા પાળવાથી શુભકર્મનો બંઘ થાય અને તેના ફળ ભોગવવા જીવને દેવગતિમાં ખોટી થવું પડે; પુણ્ય પણ મોક્ષ પ્રાપ્તિમાં બાધક છે, એમ કહી પોતે અશુભમાં પ્રવર્તે છે. બંઘદશા સમજે નહીં, તે શાથી મુકાય ? ભૂખ્યું પેટ ભલે રહે, શાને ખાવા જાય? ૧૫ ૪૧૯ અર્થ :નિશ્ચયાભાસી જીવો, રાગદ્વેષના ભાવોથી થતી આત્માની બંધદશાને યથાર્થ સમજતા નથી, તો તે કર્મબંઘી કેવી રીતે મુકાય? એવા જીવોને કહ્યું હોય કે તમારું પેટ ભુખ્યું થાય ત્યારે ભલે તે ભુખ્યું રહે; તમે શા માટે ખાવા જાઓ છો? કેમ કે પેટ ભુખ્યું રહેવાથી કંઈ આત્મા મરતો નથી. તે તો અજર અમર છે; તો ખાવાની ફિકર શા માટે કરો છો? એમ મર્મવાળી વાતથી કદાચ ઠેકાણે આવે. મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો ખ્યાલ કરી જાઓ, તો હિંસા સમજાય. ૧૬ અર્થ :– મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો વિચારવડે ખ્યાલ કરી જુઓ તો હિંસાનું સ્વરૂપ સમજાય. ચંદ્રસિંહ રાજા શિકાર કરવા જતાં જ્યારે ગહન ઝાડીમાં સિંહ, સાપ અને પોતાની જ બહાર નીકળેલી તલવાર વચ્ચે સપડાઈને મરણ નજીક જાણી કેવા વિચારે તે ચઢી ગયો હતો કે હવે મને કોઈ મરણથી બચાવે તો તેને મારું સઘળું રાજ્ય, રાણીઓ સર્વ આપી દઉં અને તેનો જીવનપર્યંત દાસ ધઈને રહે. એમ આપણને પણ આજે કોઈ અવશ્ય મારી નાખશે એમ કલ્પના કરીને એકાંતમાં થોડીવાર વિચાર કરી જોઈએ તો મરણનો કેવો ભય જીવને લાગે છે તેનો ખ્યાલ આવશે. તો બિચારા નિરપરાધી જીવોને સમૂળગા પ્રાણથી હણી નાખતા તેમને કેટલું ભયંકર દુઃખ થતું હશે? અહો આશ્ચર્ય છે કે એનો ખ્યાલ પણ પાપી જીવોને આવતો નથી. જે અજ્ઞાની જીવને દેહ ઉપર છે પ્રેમ, તેને કચરી મારતાં હઠે ન સમજું કેમ ? ૧૭ અર્થ :— જે અજ્ઞાની જીવને આપણી જેમ પોતાના દેહ ઉપર હાડોહાડ પ્રેમ છે તેને પોતાના અલ્પ = આનંદ ખાતર હણી નાખતાં સમજુ કહેવાતો માણસ કેમ પાછો હટતો નથી? ની આજ્ઞા ભગવંતની : 'વર્તો ફાવે તેમ'; પણ યત્નાથી વર્તતાં, પામો કુશળક્ષેમ. ૧૮ અર્થ :– ભગવાનની આજ્ઞા તમે ‘ફાવે તેમ વર્તે' એવી નથી. પણ હાલતા, ચાલતા, ખાતા, પીતા, - બોલતા કે કોઈ પણ વસ્તુ લેતા મૂકતા, મલ ત્યાગ કરતા વગેરે બઘુ તો જીવોની હિંસા ન થાય એવા ઉપયોગપૂર્વક, યત્નાસક્તિ વર્તવાની આજ્ઞા છે. એ કરશો તો તમે કુશળ ક્ષેમ એટલે કલ્યાણને પામશે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સર્વ અધૂરા ઘર્મના શોઘો જો સિદ્ધાંત, ન અહિંસા-હિંસા ઘટે, માને સૌ એકાંત - ૧૯ અર્થ - જૈનઘર્મના સ્યાદવાદ સિદ્ધાંત સિવાય બઘા અધૂરા ઘર્મના સિદ્ધાંતની જો શોઘ કરો તો તેમાં અહિંસા, હિંસાના વાસ્તવિક સ્વરૂપનું કોઈ ચોક્કસ વર્ણન નથી. સર્વ એકાંત પક્ષને માને છે. નાસ્તિક-મતિ એવું વદે : “દેહ, જીવ તો એક; જીંવ નથી, તો હિંસા નથી” ત્યાં શાનો વિવેક? ૨૦ અર્થ - નાસ્તિક મતવાળા એવું કહે છે કે દેહ અને જીવ એક છે. જીવ નામનો કોઈ પદાર્થ નથી તો તેની હિંસા થઈ કેમ કહેવાય? એવી જેની વિચારઘારા છે ત્યાં વિવેક એટલે હિતાહિતનું ભાન ક્યાં રહ્યું? બ્રહ્મ એક જો વિશ્વકૅપ, નિત્ય; ન કદી હણાય; સાધુ અહિંસા આદરે, સાર્થક કેમ ગણાય? ૨૧ અર્થ :- વેદાંતના અદ્વૈતવાદની એવી માન્યતા છે કે જગતમાં બ્રહ્મ એટલે ઈશ્વર એક જ છે. તે આ વિશ્વરૂપે થયેલ છે. તે સદા નિત્ય છે. તેને કોઈ હણી શકે નહીં. તેમના મતના સાઘુ પુરુષો પણ અહિંસાને આદરે છે તો તેનું સફળપણું કેવી રીતે ગણવું? કેમકે ઈશ્વર તો જગતમાં એકજ છે, બીજો કોઈ ઈશ્વર થઈ શકે નહીં; તો અહિંસાને આદરવાનું પ્રયોજન શું? તદ્દન તનથી ભિન્ન જીંવ, એવો મત ઘરનાર, માંસાદિક ભક્ષણ કરે, નહિ હિંસા ગણનાર. ૨૨ અર્થ :- એક મતની એવી માન્યતા છે કે જીવ નામનો પદાર્થ આ શરીરથી સાવ ભિન્ન છે. એવું માની શરીરના માંસાદિકનું ભક્ષણ કરે છે. અને એમ કરવામાં જીવની હિંસા થતી નથી એમ માને છે. આત્મા સદા અસંગ જે નભ સમ ગણે ફેંટસ્થ, પરિણામી માને નહીં; નહિ હિંસા-દોષસ્થ. ૨૩ અર્થ - સાંખ્ય મતવાળા એમ માને છે કે આત્મા આકાશ સમાન સદા અસંગ છે અને કૂટસ્થ નિત્ય છે અર્થાતુ સર્વદા નિત્ય છે. તે કોઈ રીતે અનિત્ય હોઈ શકે નહીં. તે આત્મા પરિણમનશીલ સ્વભાવવાળો નથી, અર્થાત્ વિભાવરૂપ પરિણમતો નથી. માટે હિંસા કરવાનો દોષ તેને લાગતો નથી. સ્વયં ક્ષણ ક્ષણ ઑવ મરે, એમ ગણે વળી કોય; મરતો મારે શી રીતે? હિંસા ત્યાં શી હોય? ૨૪ અર્થ :- બૌદ્ધમતવાળા ક્ષણિકવાદી કહેવાય છે. તેમના મત પ્રમાણે આત્મા સ્વયં ક્ષણે ક્ષણે મરણ પામે છે. જે ક્ષણે ક્ષણે મરી જ રહ્યો છે તેને વળી શી રીતે મારે? તો ત્યાં હિંસા થઈ કેમ કહેવાય? ખરી શૈલી સ્યાદ્વાદ જો, આત્મા-નિત્ય-અનિત્ય, કાય-વિયોગે વેદના, હિંસા-હેતું સત્ય. ૨૫ અર્થ - માટે ખરી શૈલી તો જૈનમતના સ્યાદ્વાદની છે કે જ્યાં આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય છે અને કોઈ અપેક્ષાએ અનિત્ય છે. જૈનના મત પ્રમાણે મરણ સમયે કાયાનો વિયોગ થતાં જીવને વેદનાનો અનુભવ થાય છે, તેમ કોઈને મારવાથી તેની કાયાનો વિયોગ થતાં તેને પણ વેદનાનો અનુભવ થાય છે; Page #20 -------------------------------------------------------------------------- ________________ (૯૪) અહિંસા અને સ્વચ્છંદતા ૪ ૨ ૧ માટે તે જરૂર હિંસા છે. જીંવ-વઘ કષાય-હેતુ તે, આત્મઘાતકૂંપ જાણ, મંદ કષાયે ઑવ બચે, નિજ રક્ષા તે માન. ૨૬ અર્થ :- જીવોને મારવાના ભાવ તે કષાયના કારણે છે. માટે કષાયને આત્મગુણોના ઘાતક જાણ. મંદ કષાયના ભાવોથી જીવ પાપ કરતો અટકે છે; તેથી જીવો મરતા બચે છે. માટ મંદ કષાયને આત્માની રક્ષાના સાઘન માન. દેવ, અતિથિ શ્રાદ્ધ કે ઔષધ આદિ કાજ હિંસા કરનારો ગ્રહે નરકે જતું જહાજ; ૨૭ અર્થ - કોઈ ઘર્મમુગ્ધ હૃદયવાળા એમ કહે છે કે ઘર્માર્થે દેવોને બલિ ચઢાવવામાં કોઈ દોષ નથી. એમ માની કોઈ ઋષિ આદિ અતિથિ નિમિત્તે હિંસા કરે છે. કોઈ પિતાના શ્રાદ્ધ અર્થે જીવોની ઘાતમાં પ્રવર્તે છે. કોઈ વળી ઔષઘ અર્થે જીવોની હિંસા કરે છે. એમ સ્વચ્છેદે હિંસા કરનારો દુર્બદ્ધિ જીવ, નરકે જતાં જહાજને પકડી, પોતે પણ તેમાં બેસી નરકે જાય છે. તો જિહા-લોલુપતા, યુદ્ધ-વૃદ્ધતા, વેષ જીંવ-વઘનાં કારણ, અરે!દે કદીયે સુખ-લેશ? ૨૮ અર્થ - જે જીવમાં જીભની લોલુપતા છે, યુદ્ધ કરવામાં આસક્તિ છે કે વેરઝેરરૂપ દ્વેષ રાખવામાં રાજી છે તે જીવ વઘના કારણોને સેવે છે. અરે ! આવા ભાવો તે કદી લેશ પણ સુખ આપશે? નહીં આપે. મૂઢ જનો વળી માનતા : હિંસક સિંહાદિક માર્યાથી બહુ ર્જીવ બચે, હણતાં ઘર્મ અધિક. ૨૯ અર્થ :- વળી મૂઢ જનો એમ માને છે કે સિંહાદિક હિંસક પ્રાણીઓને મારવાથી બીજા ઘણા જીવોના પ્રાણ બચશે. માટે એવા જીવોને મારવાથી ઘર્મની વિશેષ વૃદ્ધિ થાય. એ ન્યાયે હિંસક બઘા, હણવા યોગ્ય ગણાય; માણસ પણ હિંસક ઘણા, સૌને કેમ હણાય? ૩૦ અર્થ :- એ ન્યાયથી જોતાં તો બઘા હિંસા કરનારાઓ હણવા યોગ્ય ગણાય. માણસોમાં પણ ઘણા જીવો હિંસક વૃત્તિના છે તો તેને પણ હણવા જોઈએ; પણ તે સર્વને કેમ હણાય? હણવાનો ભાવ પણ હૃદયમાં લાવવો તે જીવને ભયંકર દુર્ગતિનું કારણ થાય છે. દુઃખે રિબાતા ઍવો, માર્યો છૂટી જાય, દયાળુ ના દેખી ખમે, એવાં દુઃખ જરાય. ૩૧ અર્થ - કોઈ કહે: ગાય, ભેંસ વગેરે રોગથી રિબાતા હોય તો તેને મારવાથી તે જીવો દુઃખથી છૂટી જાય. દયાળુ પુરુષો એવા દુઃખને દેખી જરાય ખમી શકતા નથી; માટે તે દુઃખી પ્રાણીઓ મારવા યોગ્ય છે. અવિચારી એવું ગણી જીંવ-વઘમાં પ્રેરાય, માર્યાથી સુખ જીવને થશે, માત્ર કલ્પાય. ૩૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - અહિંસાધર્મને ભૂલી, અવિચારી જીવો એવું માની રિબાતા જીવોના વઘમાં પ્રેરાય છે. તેને માર્યાથી તે જીવને સુખ થશે એમ માત્ર તેની કલ્પના છે. તેને બદલે એવા જીવોને દુઃખના સમયમાં મંત્ર સંભળાવવામાં આવે તો આ ભવે શાંતિ થાય અને ભવિષ્યમાં પણ ઉત્તમ ગતિને પામે. જેમ ભરૂચમાં સમળીને મરતી વખતે મહાત્માએ મંત્ર સંભળાવવાથી તે લંકામાં રાજકુંવરી થઈ હતી. પછી જાતિસ્મરણજ્ઞાન થવાથી ભરૂચમાં આવી તે સ્થાને મોટું જિન મંદિર બંધાવ્યું; તે આજે પણ સમળી-વિહાર નામે પ્રખ્યાત છે. નરક-કૅપે જીંવ જો પડે, અધિક દુઃખી થાય, અજ્ઞાની જીંવને અરે! ક્યાંથી તે સમજાય? ૩૩ અર્થ - રીબાતાં પશુને મારવાથી જો રૌદ્રધ્યાનથી તેનું મરણ થાય તો તે નરકરૂપી કૂવામાં પડી વઘારે દુઃખી થાય. પણ અજ્ઞાની એવા જીવને અરે ! આ વાત ક્યાંથી સમજાય? તરસી પાડી કૂંપ-તટે જીંભ કાઢી રિબાય, ડોસી જળ ભરવા ગઈ, આણી હૃદય દયા ય- ૩૪ અર્થ - એક તરસથી પીડિત પાડી કુવાનાં કિનારે જીભ કાઢી રિબાતી હતી. ત્યાં એક ડોશી જળ ભરવા ગઈ. કૂવા ઉપર પાડીને જોઈ તેના હૃદયમાં દયા આવી. પાડી પાડી કૂપમાં ઘક્કો દઈ, હરખાય; અજ્ઞાનીની એ દયા, પ્રાણ-હરણ-ઉપાય. ૩૫ અર્થ :- દયા આવવાથી તે ડોસીમાએ પાડીને ઘક્કો દઈ કૂવામાં નાખી. પછી રાજી થવા લાગી કે હવે બિચારી ઘરાઈને પાણી પીશે. પણ તે પાડી પાછી કૂવામાંથી બહાર કેમ નીકળી શકશે તેનું તેને ભાન નથી. એમ અજ્ઞાનીની દયા તે જીવના પ્રાણ હરણ કરવાનો ઉપાય બની ગઈ. માટે હમેશાં સમ્યકજ્ઞાનને સ્યાદ્વાદપૂર્વક સમજી અહિંસા ઘર્મનું સ્વચ્છેદ મૂકીને જ્ઞાની કહે તેમ પાલન કરવું જોઈએ. જેથી જીવને શાશ્વત સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય. પૂર્વાપર વિરુદ્ધ જે મિથ્યા વચન-વિચાર, માન્યાથી મુક્તિ નથી; સદ્ગુરુ-આશ્રય સાર. ૩૬ અર્થ - પૂર્વાપર એટલે આગળ પાછળ જેમાં વિરોઘ આવે એવાં મિથ્યામતવાદીઓના વચન વિચારો છે. તે માન્ય કરવાથી જીવનો મોક્ષ નથી. માટે એક આત્મજ્ઞાની સદ્ગુરુનો આશ્રય ગ્રહણ કરવો એ જ જગતમાં સારરૂપ છે. જેથી આ ભવ-પરભવ બન્ને સુઘરી જીવ શાશ્વત સુખ શાંતિને સર્વકાળને માટે પામી શકે. સ્વચંછદ મૂકી ગુરુ આજ્ઞાએ જીવ અહિંસા ઘર્મને પાળે તો ક્રમે કરી સર્વ દોષો ક્ષય થાય. પણ આજ્ઞા પાલનમાં અલ્પ પણ શિથિલતા એટલે પ્રમાદ સેવે તો મહા દોષના જન્મ થાય છે. શિથિલતા એ પ્રમાદને લઈને છે. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. અલ્પ પ્રમાદથી કેવા કેવા દોષો ઉત્પન્ન થઈ શકે એનો ચિતાર અનેક દ્રષ્ટાંતો સાથે આ પાઠમાં આપવામાં આવે છે : Page #22 -------------------------------------------------------------------------- ________________ (૯૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ ૪૨ ૩ (૯૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ (વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા–એ રાગ) * દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉદ્ધરનારા. વંદન-વિધિ ના જાણું તો યે, ચરણે આવી વળગું; અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અર્થ - દેવમાતાના નંદન પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને બહુ પ્યારા છે. કેમકે આ ભયંકર કળિકાળમાં અમારા જેવા અનેક ભવ સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનાર એ જ છે. એવા પ્રભુને કેવા પ્રકારે વંદન કરવા તેની વિધિ હું જાણતો નથી. તો પણ ભક્તિવશ તેમના ચરણકમળમાં આવીને વળગું છું. માટે હે પ્રભુ! આપના ચરણકમળનો મને અચળ આશ્રય આપો; અર્થાત્ આપના શરણે જ રાખો. જેથી હું સદૈવ આપની આજ્ઞામાં રહી,મનને બીજે ક્યાંય જવા દઉં નહીં. ૧ અહો! શિખામણ આપે આપી, સદા સ્વરૅપ ભજવાની, અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકોત્કીર્ણ થવાની. દેવા અર્થ - અહો! આપે અનંત કૃપાકરી અમને સદા “સહજાત્મ સ્વરૂપ” ભજવાની શિખામણ આપી. જે અમારો મૂળ સ્વભાવ હોવા છતાં અમે તેને ભુલી ગયા હતા. માટે હવે અલ્પ પણ શિથિલપણાને ત્યાગી, ટંકોત્કીર્ણ એટલે પત્થર પર ટાંકેલું જેમ ભુંસાય નહીં તેમ “સહજાત્મ સ્વરૂપ' મંત્રનું રટણ ચિત્તમાંથી ભુસાય નહીં; સદા સ્મરણમાં રહે એવી આજ્ઞા આપીને આપે અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. રા (૧) લઘુશંકા સમ અલ્પ દોષથી ભવભ્રમણ અનુભવીને, દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરી એ. દેવા અર્થ :- લઘુશંકા સમાન અલ્પ દોષથી આપને અનેક ભવમાં ભ્રમણ કરવું પડ્યું. તેનો અનુભવ કરીને અલ્પ દોષ પણ જીવને કેટલું ભવ ભ્રમણ કરાવે એમ જણાવી, તે દુષ્ટ દોષને ઉઘાડો પાડી આપે અમારા ઉપર અનહદ દયા કરી છે. ૩ “પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! અમૂલ્ય અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ અરે ! આ અનેક કંટકવાળો. દેવા. અર્થ - ઉત્તરસંડામાં સેવામાં રહેલ શ્રી મોતીલાલ ભાવસારને પરમકૃપાળુદેવે એકવાર જણાવ્યું કે, તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! જ્ઞાનીનો યોગ હોવાથી અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એમ જાણો. વર્તમાનમાં વીતરાગનો માર્ગ અનેક મતમતાંતરરૂપી કાંટાઓથી ભરેલો છે. “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે.” -જીવનકળા (પૃ.૨૨૭) I/૪ ખસેડતાં કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે, અંતર-આત્મા કે પ્રભુ જાણે; અનુસરતાં ન નડે એ. દેવા અર્થ - તે કાંટાઓ ખસેડતાં અમને પરિશ્રમથી જે થાક ચઢ્યો છે તે અમારો અંતર આત્મા જાણે કે પ્રભુ જાણે છે. પણ હવે તે માર્ગને અનુસરવામાં કોઈ વિદન નથી. પાા વર્તમાનમાં જ્ઞાન હોત તો, કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વરપ્રભુનો, સ્મૃતિ સુખદ છે એની. દેવા અર્થ - વર્તમાનકાળમાં કોઈ જ્ઞાની હોત તો અમે તેની કેડ છોડત નહીં. હું મહાવીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો. જાતિસ્મરણજ્ઞાન થવાથી મને તેની આજે પણ સુખદ એટલે સુખને દેવાવાળી એવી સ્મૃતિ થાય છે. “જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” -જીવનકળા (પૃ.૨૨૭-૨૨૮) /કા અલ્પ શિથિલતાથી ભવ ભટક્યો, કોઈ શિથિલ ના થાશો, નાનું છિદ્ર જહાજે પડતાં, ભર દરિયે ડૂબી જાશો. દેવા અર્થ - હું અલ્પ શિથિલતાથી અનેક ભવોમાં ભટક્યો. માટે કોઈ શિથિલ એટલે પ્રમાદી થશો નહીં. જેમ નાનું છિદ્ર જહાજમાં પડે તો આખું જહાજ દરિયામાં ડૂબી જાય; તેમ તમે પણ અલ્પ પ્રમાદ કરશો તો ભવસમુદ્રમાં ડૂબી જશો. શાં સમય માત્ર પ્રમાદ ન કરવો’ કહ્યું, ન કાઢી નાખો, રે! અત્યંત પ્રમાદ છતાંયે, કેમ ન કાળજી રાખો? દેવા અર્થ :- “સમયમાત્ર પણ પ્રમાદ કરવો નહીં’ એમ ભગવંતે કહ્યું છે તે વાતને કાઢી નાખો નહીં; પણ લક્ષમાં લો. અરે! આશ્ચર્ય છે કે અત્યંત પ્રમાદ છતાં પણ આત્માની કાળજી કેમ રાખતા નથી. ટા માત્ર જાગ્રત કરવા કહ્યું હું, માટે જાગો, જાગો! આખો લોક બળે છે દુઃખે, ચેતી ભાગો, ભાગો! દેવા અર્થ - માત્ર તમને જાગૃત કરવા કહું છું. માટે જાગો, જાગો! આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, માટે હવે ચેતી જઈ ભાગો, ભાગો. નહીં તો તમે પણ તેમાં બળી મરશો. કા અલ્પ અરે! અગ્નિ સંઘરતાં કોઈ ને શાંતિ પામે, સકલ વિશ્વને બાળી દે તે શિથિલપણાને નામે.” દેવા અર્થ - અલ્પ માત્ર અગ્નિનો સંગ્રહ કરવાથી કોઈ શાંતિ પામે નહીં, પણ તે જ અગ્નિ સકલ વિશ્વને બાળી શકે. જેમ એક ખેડૂત બીડી પીને તેનું ઠુંઠું પ્રમાદથી ઘરમાં ફેંકી ખેતરે ગયો. ઘરમાં બાળક સુતું હતું. તે આવીને જુએ તો આખું ઘર અગ્નિમાં સળગતું હતું. બાળક મરી ગયો હતો. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : એક અગ્નિનો તણખો લાખ મણ રૂને બાળી નાખે. તેમ જ્ઞાનીપુરુષની એક આજ્ઞા સાચા હૃદયે ઉપાસે Page #24 -------------------------------------------------------------------------- ________________ (૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ ૪૨ ૫ તો જીવનો મોક્ષ થઈ જાય. પણ આજ્ઞા ઉપાસતાં કોઈ અલ્પ પણ શિથિલપણું સેવે તો તેમાંથી મહા દોષો જન્મ પામી તેને દુર્ગતિએ લઈ જાય. ૧૦ના (૨) ઘર્મઘોષ નામે મંત્રીશ્વર, નાશવંત સૌ જાણી, દીક્ષા લઈને ઉત્તમ પાળે, લોકે અતિ વખાણી. દેવા અર્થ - હવે શિથિલપણાથી કે પ્રમાદથી અલ્પ દોષ સેવવાના કેવા કેવા ફળ આવે છે તેના અનેક દ્રષ્ટાંતો અત્રે આપવામાં આવે છે. ઘર્મઘોષ નામના મંત્રીશ્વર, જગતના સુખોને નાશવંત જાણી દીક્ષા લઈ ઉત્તમ રીતે તેને પાળતા હતા. તેમની મુનિચર્યાના લોકોએ અતિ વખાણ કર્યા. ||૧૧ વિહાર કરતા વાર્તાકપુરમાં ઘર્મઘોષ મુનિ આવ્યા, વાસ્તક-મંત્રીની પત્નીએ દાનાર્થે બોલાવ્યા. દેવા અર્થ – વિહાર કરતા તે ઘર્મઘોષ મુનિ વાસ્તકપુરમાં આવ્યા. વાસ્તકમંત્રીની પત્નીએ દાનાર્થે તેમને પોતાના ઘરે બોલાવ્યા. /૧૨ા મથુમિશ્રિત ખર દેવા જાતાં, મુનિ અયોગ્ય ગણી તે, પાછા વળિયા, ભિક્ષા તર્જીને; ગોખે દીઠું ઘણીએ. દેવા અર્થ - મધુ એટલે સાકર મિશ્રિત ખીર વહોરાવતાં, મુનિ તેને અયોગ્ય ગણી, ભિક્ષા તજીને પાછા વળ્યા. તે ગોખમાં બેઠેલ ઘરના ઘણી વાસ્તકમંત્રીએ બધું જોયું. ૧૩ના વાસ્તકમંત્રી નવાઈ પામ્યા, વિચાર કરવા લાગ્યા, કેમ મુનિ આહાર લઘા વણ, પાછા તુર્ત જ ભાગ્યા? દેવા અર્થ - વાસ્તકમંત્રી નવાઈ પામી વિચારવા લાગ્યા કે મુનિ આહાર લીઘા વિના જ કેમ તુર્ત પાછા ફરી ગયા? ૧૪ ટપકેલું મઘુ-બિંદુ દીઠું, જમીન પર જ્યાં જુએ; માખી બણબણતી બહુ ભાળી, ઘરોળીનું બચ્યું કે- દેવા અર્થ - તે વિચારતાં, સાકરમિશ્રિત ખીરનું એક ટીપું જમીન પર ટપકેલું મંત્રીએ જોયું. તેના ઉપર બહુ માખીઓ બણબણતી હતી. તે માખીઓને જોઈ ઘરોળીનું બચ્યું ત્યાં આવ્યું. /૧૫ા. આવી અચાનક માખી ખાતું, આવે ત્યાં કાચંડો; સિંહ સમો પકડી બચ્ચાને મારી ખાવા મંડ્યો. દેવા અર્થ :- ઘરોળીનું બચ્ચું અચાનક આવી માખી ખાવા લાગ્યું કે ત્યાં એક કાચીડો આવ્યો. તે ઘરોળીના બચ્ચાને સિંહ સમાન પકડી મારીને ખાવા લાગ્યો. ૧૬ાાં આવી બિલાડી તેને પકડે, ત્યાં દોડ્યો જાઉરિયો, આવેલા મે'માન તણો એ હતો કૂતરો બળિયો. દેવા અર્થ - તેટલામાં બિલાડીએ આવી તે કાચીંડાને પકડ્યો. તે જોઈ જાહુરિયો એટલે લાંબાવાળવાળો બળવાન કૂતરો જે મંત્રીના ઘેર આવેલ મહેમાનનો હતો તે દોડ્યો. I/૧ળા. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ શ્વાન મંત્રીનો તેની સાથે, બાઝ્યો લડવા દોડી, પોતાના હૂઁતરાના પક્ષે, લડ્યા દાસ શિર ફોડી. દેવા અર્થ ઃ— જાફરિયાને જોઈ મંત્રીનો કૂતરો તેની સાથે લડવા દોડીને બાઝ્યો. બન્ને કૂતરાનો પક્ષ લઈ - તેના દાસો પરસ્પર લડવા મંડ્યા અને એક બીજાના માથા ફોડી નાખ્યા. ।।૧૮।। ૪૨૬ વાસ્તક-મંત્રી ચિંતવતો ત્યાં : દીર્ઘદૃષ્ટિ દીર્ઘદૃષ્ટિ મુનિ કેવા! કરુણા કાજે ભિક્ષા ત્યાગે, ધન્ય ધન્ય મુનિ એવા. દેવા અર્થ :– આ બધું જોઈ વાસ્તક-મંત્રી ચિંતવવા લાગ્યો કે અહો! આ મુનિ કેવા દીર્ઘદૃષ્ટિવાળા છે. કે જેના જ્ઞાનમાં પ્રમાદથી ગળપણનું એક ટીપું પડવાથી કેટલા મહાદોષ ઉત્પન્ન થઈ શકે તે જણાય છે. તેથી કરુણાના કારણે જેણે ભિક્ષાનો પણ ત્યાગ કર્યો, એવા મહામુનિને ધન્ય છે, ધન્ય છે. ।।૧૯।। મંત્રી લીન થયા વિચારે, ગતભવ-સ્મરણે જાગ્યા, સ્વયંબુદ્ધ થયા કેવી ત્યાં, દેવો પૂંજવા લાગ્યા. દેવા = અર્થ :— મંત્રી આવા વિચારમાં લીન થઈ જવાથી પૂર્વભવનું સ્મરણ થતાં જાગૃત થઈ ગયા. ત્યાં જ ક્ષપક શ્રેણી માંડી કોઈના ઉપદેશ વગર સ્વયંબુદ્ધ થઈ કેવળજ્ઞાનને પામ્યા. તેથી દેવો આવી તેમને પૂજવા લાગ્યા. ॥૨॥ મધુ-બિંદુસમ અલ્પ શિથિલતા, યુદ્ધ ભયંકર ભાળી, વિચારવાન જીવો મંત્રી સમ, દે સૌ દોષો ટાળી. દેવા અર્થ :– સાકર મિશ્રિત ખીરના એક બિન્દુ માત્રની અલ્પ શિથિલતાથી થયેલ ભયંકર યુદ્ધને ભાળી વિચારવાન જીવો, મંત્રીની જેમ સર્વ દોષોને ટાળી પોતાના આત્માનું ક્લ્યાણ સાધશે. ।।૨૧।। (૩) માયા-મંડપ મયદાનવ-કૃત, સ્થળ-જળ એક જણાવે, દુર્યોઘન જળને સ્થળ જાણી, પટકુળ નિજ ભીંજાવે. દેવા અર્થ :– મયદાનવકૃત એટલે દાનવોના શિલ્પી દ્વારા બનાવેલ એક માયા મંડપ હતો. જેમાં સ્થળના ઠેકાણે જળ દેખાય અને જળના ઠેકાણે સ્થળ જણાય. ત્યાં દુર્યોધન જળને સ્થળ જાણી ચાલ્યો. તેથી પટકુળ એટલે તેના કપડાં ભીંજાઈ ગયા અને જ્યાં પાણી નહોતું ત્યાં પાણી દેખાવાથી કપડાં ઊંચા લીધા. ।।૨૨।। દ્રૌપદી યૌવન-મઠમાં ભૂલી, સહજ હાસ્ય-સહ બોલી : “અંધ પિતાના પુત્રો અંઘા,” વગર વિચાર્યે, ભોળી. દેવા અર્થ :— દુર્યોધનના કપડાં ભીંજાયેલા જોઈ યૌવન-મદમાં ભૂલેલી એવી દ્રૌપદી સહજ હાસ્ય સાથે બોલી ઊઠી કે ‘અંઘ પિતાના પુત્રો અંધા' એમ વગર વિચાર્યે તે ભોળીએ કહી દીધું. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્ર આંધળા હતા. તેથી તેં પણ આંધળા જેવું વર્તન કર્યું; એવા ભાવમાં દ્રૌપદીએ કહ્યું. ।।૨૩।। દુર્યોધન-ઉર વૈર વસ્યું તો, દ્રૌપદી દ્યુતે જીતી; ભરી સભામાં માસિક-કાળે, ચીર તાણ્યાં; શી વીતી! દેવા Page #26 -------------------------------------------------------------------------- ________________ ' અશિથિલતીથી થોહા દોષનો જીન્જી IIIIIIII મુનિને વહોરાવતા ખીરનું ટીપુ જામીન ઉપર પડ્યું મુનિ આહીર લીધા ઉણ પાછી ક્ય થીષમાં લીકેલા થકી જ ભર્યું જીથી, તેના વિચારમી કેવળજ્ઞાની પાખ્યા, ખીરના એક ટીપા વડે અનેક જીવોની હિંસા Page #27 -------------------------------------------------------------------------- ________________ (૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ ૪૨૭ અર્થ – તે સહજ પ્રમાદવશ હાસ્ય વચનોથી દુર્યોધનના મનમાં વેર વસ્યું. તેથી દ્રૌપદીને જુગારમાં જીતીને ભરી રાજસભા મધ્યે માસિક-કાળે તેના ચીર તાણ્યા. જુઓ અલ્પ શિથિલતાનું ફળ! ૨૪ ભીમે દુર્યોધન હણવાની ભીખ પ્રતિજ્ઞા લીથી, મહાભારતીય યુદ્ધ હિંસા અકથ્ય હાસ્ય કીથી. દેવા અર્થ :- આવું દુર્યોધનનું કૃત્ય જોઈને ભીમે દુર્યોધન હણવાની ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તેના ફળસ્વરૂપ મહાભારતનું યુદ્ધ મંડાયું અને અકથ્ય એટલે નહીં કહી શકાય એવી જીવોની ભયંકર હિંસા થઈ. તેનું કારણ અલ્પ પ્રમાદવશ કરેલ દ્રૌપદીનું હાસ્ય હતું. માટે જે કાંઈ બોલવું તે બહુ વિચારીને બોલવું, નહીં તો ભયંકર અનર્થનું કારણ પણ થઈ જાય. રપા નેપોલિયન-પૅવન વળી જોજો, મહાપ્રતાપી શ્રો, યુદ્ધ સર્વે ઘાર્યા જીત્યો, બુદ્ધિમાં પણ પૂરો. દેવા અર્થ – નેપોલિયન બોનાપોર્ટના જીવનને પણ જોજો. તે મહાપ્રતાપી શૂરવીર હતો. તેણે સર્વે ઘારેલા યુદ્ધો જીત્યા. તે બુદ્ધિમાં પણ પૂરો હતો. રા કૂચ કરે નિજ સૈન્ય મોખરે જરા વાર તે સૂતો, છેલ્લા સૈનિકને દઈ હુકમ જગાડવા, તે ચૂક્યો. દેવા અર્થ – પોતાની સેના મોખરે એટલે આગળકૂચ કરવા લાગી. નેપોલિયન છેલ્લા સૈનિકને જગાડવાનો હુકમ આપી જરાવાર સુતો. પણ તે સૈનિક જગાડવાનું ભૂલી ગયો. રશા વખતસર પહોંચી ના શકતાં અંતિમ યુદ્ધ ખોયું મહારાજ્ય લગભગ યુરપનું; અલ્પ ઊંઘ-ફળ જોયું? દેવા અર્થ :- હવે વખતસર ત્યાં પહોંચી ન શકતાં અંતિમ યુદ્ધમાં લગભગ યુરોપનું મહારાજ્ય જે પોતે જીતી ગયો હતો તે બધું ખોયું. અલ્પ ઊંઘ કરવાનું શું ફળ આવ્યું તે તેણે જોયું. માટે અલ્પ પ્રમાદથી મહાદોષ ઉત્પન્ન થાય છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ૨૮ મહાવીર-જીવનમાં જાઓ, ચક્રવર્તી-સુત-સુખો ત્યાગે ઋષભપ્રભુના સંગે, ખમવા ભારે દુઃખો. દેવા અર્થ - મહાવીર ભગવાનનો જીવ પૂર્વભવમાં ભરત ચક્રવર્તીનો પુત્રી મરીચી નામે હતો. ત્યારે ચક્રવર્તીનો પુત્ર હોવા છતાં બઘા સુખો છોડી, ચારિત્ર ઘર્મના ભારે દુઃખોથી ખમવા માટે તૈયાર થઈ, શ્રી ઋષભદેવપ્રભુના સંગનો સ્વીકાર કર્યો હતો. રા. અલ્પ વચન ઉસૂત્ર કહ્યાથી, બહુ ભવ ઊભા કીઘા, અલ્પ શિથિલતાનાં ભારે ફળ, દીર્ઘકાળ લગી લીઘાં. દેવા અર્થ - પછી ચારિત્રઘર્મ નહીં પાળી શકવાથી મરીચીએ દીક્ષા છોડી ત્રિદંડી સંન્યાસ ધારણ કર્યું. એકવાર તે વ્યાધિ ગ્રસ્ત થવાથી શિષ્ય બનાવવાની ઇચ્છા થઈ. કપિલે આવી એકદા ઘર્મ વિષે પૂછ્યું; Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ત્યારે મરીચીએ તેને આર્યત ઘર્મ કહી સંભળાવ્યો. તે સાંભળી કપિલે પુછ્યું : શું તમારી પાસે ઘર્મ નથી? ત્યારે મરીચીએ કહ્યું : ઘર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. એમ અલ્પ વચન ઉસૂત્રપ્રરૂપણાનું બોલવાથી લગભગ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કરી બહુ ભવોમાં ભટક્યો. એમ અલ્પ શિથિલપણાથી ઉત્સુત્રપ્રરૂપણા કરવામાં ભારે ફળ દીર્ઘકાળ સુધી ભોગવીને અંતે ભગવાન મહાવીર થયા. ત્યારે તેમણે પણ પોતાનો આ દુષ્ટ દોષ ઉઘાડો પાડી બીજાને પણ જાગૃતિ આપી. [૩૦ના (૬) રાજા એક થયો બહુ માંદો, મત્યું રસાયણ ખાશે, કેરી કદ ખાશો નહિ, નહિ તો તુર્ત મરણ તે સાથે.” દેવા અર્થ :- એકવાર રાજા બહુ માંદો થયો. રસાયણ ખાવાથી તેનો રોગ મટી ગયો. પણ વૈધે રાજાને ફરી એ રોગ થાય નહીં તેના માટે એવી ચરી બતાવી કે તમે કેરી કદી ખાશો નહીં. નહિં તો તમારું તુરંત મરણ થશે. ૩૧ાા. એવી આકરી કરી બતાવી; રાજા રાજ્ય બઘામાં આંબાનાં સૌ ઝાડ કપાવે, જાણી સર્વ નકામાં. દેવા. અર્થ - વૈદ્ય એવી આકરી કરી એટલે ચરી બતાવી તેથી રાજાએ રાજ્યમાં રહેલા સર્વ આંબાના ઝાડને પોતાના માટે નકામાં જાણી કપાવી દીધા. ૩રા ગયો શિકારે જંગલમાં ત્યાં, આંબો સુંદર ભાળી, “છાયાથી ના ઝેર ચઢે' કહીં ત્યાં જ બપોરી ગાળી. દેવા. અર્થ - રાજા એકવાર શિકારે ગયો. ત્યાં જંગલમાં સુંદર આંબો ભાળી, “એની છાયાથી કંઈ ઝેર ચઢે નહીં.’ એમ કહી તે ઝાડ નીચે જ બપોરનો સમય પસાર કર્યો. ૩૩ વૃક્ષ ઉપરથી સાખ પડી તે, સુંઘી કરમાં ઝાલી, ખાઈશ નહિ હું કહી, કરીને ચીરીઓ સહુને આલી. દેવા અર્થ - ત્યાં વૃક્ષ ઉપરથી એક સાખ પડેલી કેરી નીચે પડી. તેને સુંઘીને રાજાએ હાથમાં ઝાલી રાખી. પછી “એને હું ખાઈશ નહી” એમ કહી તેની ચીરીઓ કરીને બધાને આપી. /૩૪. રહ્યો ગોટલો, આ નથ કેરી” ગણ મોંમા જ્યાં મૂક્યો, મૂછ પામી દેહ તજે તે; શિથિલ મને નૃપ ચૂક્યો. દેવા અર્થ - પછી રાજાને વિચાર આવ્યો કે હવે આ કેરી નથી, આ તો ગોટલો છે. એમ ગણી જ્યાં ગોટલાને મોઢામાં મૂક્યો કે તુર્ત મૂછ પામી રાજાએ દેહ તજી દીધો. એમ મનની શિથિલતાથી રાજા ચૂક્યો. તેમ આપણું મન પણ નિમિત્તાઘીન શિથિલ થઈ જશે. માટે સંપૂર્ણ જાગૃતિ રાખી એવા નિમિત્તોથી દૂર રહેવામાં જ આપણું કલ્યાણ છે. [૩૫ (૭) એરંડા-ડાળે કરી મંડપ, તરણે તરણે ઢાંકે, ક્ષણે ક્ષણે તરણું ઉમેરે, છેલ્લે તરણે ભાંગે. દેવા Page #29 -------------------------------------------------------------------------- ________________ (૯૬) પારમાર્થિક સત્ય ૪૨૯ અર્થ :– એરંડાની ડાળીઓથી બનાવેલ મંડપને ઘાસના તરણાથી ઢાંકવા માટે એક એક તરણું ક્ષણે ક્ષણે તેના ઉપર નાખે. છેલ્લે તરણે જ્યારે એ વજન ન ખમી શકે ત્યારે તે મંડપ ભાંગી જાય. ।।૩૬।। તેમ અતિ અતિચારો સેવે નજીવા, જીવ પ્રમાદે, મહાવ્રતો પણ ભાંગે કી તો દુર્ગતિ-પથ તે સાથે, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે તો અમને ઉત્તરનારા. અર્થ :— તેમ જીવ પ્રમાદવશ નજીવા અતિચારો એટલે દોષો ઘણા સેવે તો તે કદી મહાવ્રતોને પણ ભાંગી દુર્ગતિના માર્ગે ચાલ્યો જાય.. માટે દેવામાતાના નંદન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને ઘણા પ્યારા છે, કે જેમણે આ હડહડતા હુંડા અવસર્પિણી કાળમાં પણ અમને સાચો મોક્ષમાર્ગ બતાવી અમારો ઉદ્ઘાર કર્યો. ।।૩૭। અલ્પ શિથિલપણું પણ ત્યાગી, અત્યંત પુરુષાર્થ આદરી, જીવ જ્યારે સમ્યક્દર્શનને પામશે ત્યારે પારમાર્થિક સત્ય ભાષા બોલવાને તે યોગ્ય થશે. પ્રથમ વ્યવહાર સત્ય જીવનમાં આવ્યા પછી પરમાર્થ સત્ય આવશે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં ખુલાસા આપવામાં આવે છે, જે આત્માર્થીને હિતકારી છે. (૬) પારમાર્થિક સત્ય (રાગ ધનાશ્રી-ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે) * સદ્ગુરુના ગુણ તો ઘણા, સ્મરું પારમાર્થિક સત્ય હૈ, વંદન કરી ફરી ફરી કહું, મારે તો એની અગત્ય રે. સદ્દગુરુના ગુણ તો ઘણા. અર્થ :— ભાવશ્રમણ એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના ગુણો ઘણા છે. પણ તેમાંથી એમના પારમાર્થિક સત્ય ગુણની અત્રે સ્મૃતિ કરું છું. કેમકે મૂર્તિમાન સત્યસ્વરૂપ સદ્ગુરુના યોગે જીવની પરમાર્થ દૃષ્ટિ ખૂલીને સત્ય આત્મધર્મનું ભાન થાય છે, તેમને વારંવાર વંદન કરી કહું છું કે મારે આ પારમાર્થિક સત્યગુણની ઘણી અગત્ય એટલે જરૂર છે, તે આપના ઘણા ગુણોમાંથી મને આપવા કૃપા કરશો. IIII વસ્તુસ્વરૂપ યથાર્થ જે જાણી, અનુભવી બોલે રે, સત્ય ગણ્યું તે બોલવું; સત્ય બ્રહ્મ-રત્ન ખોલે રે. સદ્ગુરુના અર્થ :— વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ કહેવું તેને વ્યવહાર સત્ય કહ્યું છે. તે સત્ય બોલનાર, બ્રહ્મા એટલે આત્મારૂપી રત્નને પામી શકે છે. કેમકે “સાચામાં સમકિત વર્સજી, માયામાં મિથ્યાત્વ, રે પ્રાણી મ કરીશ માયા લગાર.” “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //રા બે ભેદે તે જાણવું: એક તો સત્ય વ્યવહારે રે, બીજું સત્ય પરમાર્થથી; આત્માર્થી તે અવઘારે રે. સદ્ગુરુના અર્થ – સત્યના મુખ્ય બે ભેદ છે. એક વ્યવહાર સત્ય અને બીજું પરમાર્થ સત્ય. આત્માર્થી એ સત્યને અવઘારવા પ્રયત્ન કરે છે. “વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય.” ” (વ.પૃ.૬૭૫) //alી. પારમાર્થિક હવે કહ્યું, જ્ઞાનીનાં વચન વિચારી રે, આત્માની આત્મા વિના કોઈ વસ્તુ ન થનારી રે. સગુરુના અર્થ :- હવે જ્ઞાનીપુરુષના વચન વિચારીને પારમાર્થિક સત્ય વિષે કહું છું. આપણા આત્માની એક આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ થનાર નથી. ““પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજાં કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ.” (વ.પૃ.૬૭૫) //૪ નિશ્ચય એવું જાણી જ, ભાષા બોલે વ્યવહાર રે, સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે અન્યત્વ નિરંતર ઘારે રે. સદગુરુના અર્થ - આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એવો અંતરમાં દ્રઢ નિશ્ચય રાખી, વ્યવહારમાં સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે બોલતા છતાં મનમાં તે મારા નથી એવો અન્યત્વભાવ નિરંતર રહે તે પરમાર્થ સત્ય ભાષા છે. પા. બીજાં કશું આત્મા વિના મારું નથી વિશ્વમાંહી રે એ ઉપયોગ રહે સદા બોલ્યા પહેલાં કાંઈ રે. સદ્ગુરુના અર્થ - એક આત્મા સિવાય આ વિશ્વમાં મારું કશું નથી. એ ઉપયોગ પારમાર્થિક ભાષા બોલનારને સદા રહે છે. કા અન્ય સંબંથી બોલતાં, અન્યનો જીવ ન કાયા રે, જાતિ, વેષ, આભૂષણો દેખે, લેખે માયા રે. સગુરુના અર્થ - અન્ય આત્મા સંબંધી બોલતાં પણ વિચાર આવે કે બીજાનો જીવ છે તે શરીર નથી. બ્રાહ્મણ, વૈશ્ય, જાતિ તે આત્માની નથી. સ્ત્રીવેષ, પુરુષવેષ કે આભૂષણો એ બઘી પુગલની માયા છે. કર્મ સંયોગે આ દેહાદિ આત્માને ગ્રહણ કરવા પડ્યા છે. “અન્ય આત્માના સંબંથી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેટવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.” (વ.પૃ.૬૭૫) //ળી વ્યવહારનયથી તે વિષે ઉપચારે વર્ણન થાયે રે, એવા ઉપયોગ વધે, પરમાર્થે સત્ય ગણાયે રે. સદ્દગુરુના Page #31 -------------------------------------------------------------------------- ________________ (૯૬) પારમાર્થિક સત્ય ૪૩૧ અર્થ - પરવસ્તને પોતાની કહેવી તે વ્યવહારનયની અપેક્ષાએ ઉપચાર એટલે કહેવામાત્ર છે. એવા ઉપયોગની જાગૃતિપૂર્વક બોલવું તે પરમાર્થથી સત્ય ભાષા ગણાય છે. દા. સૌ આરોપિત વસ્તુ જે દેહ, સ્ત્રી, પુત્રાદિ વિષે રે, વાત કરે પણ જાણતો ભિન્ન સ્વરૂપ ઉર દીસે રે. સગુરુના અર્થ :- દેહમાં સ્વપણાનું આરોપણ કરીને, કે સગાંસંબંધી એવા સ્ત્રી પુત્રાદિમાં મારાપણનો આરોપણ કરીને વાત કરતો હોય, તે વખતે પણ પોતાના અંતરમાં એ સર્વ પદાર્થ મારાથી સ્પષ્ટપણે ભિન્ન છે, એમ પારમાર્થિક ભાષા બોલનાર માને છે. ૧. દૃષ્ટાંત એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખતે સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય.” (વ.પૃ.૬૭૫) લાં મારાં નથી એ માનતો ભાન સહિત કહે કોઈ રે, તો પરમાર્થે સત્ય તે; ભાષાસમિતિ લે જોઈ રે. સગુરુના અર્થ:- દેહ કુટુંબાદિને આરોપિત ઘર્મવડે પોતાના કહેતો હોય, પણ અંતરમાં ભાન સહિત હોય કે એ મારા નથી; તો તે પરમાર્થે સત્ય ભાષા કહેવાય છે. તે ભાષાસમિતિ થઈ એમ માન. ભગવાને જેમ આજ્ઞા આપી છે તે આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું તે ભાષાસમિતિ છે. ૧૦ ગ્રંથ વિષે વળી વર્ણવે શ્રેણિક, ચેલણારાણી રે, બન્ને આત્મા તે હતા, ભવ-કર્મ અન્ય પ્રમાણી રે. સગુરુના અર્થ :- કોઈ ગ્રંથકાર ગ્રંથમાં શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરે ત્યારે એ બન્ને આત્મા હતા. પણ તે ભવ આશ્રયી તેમનો આ કર્મ સંબંધ હતો. અન્ય ઘન, રાજ્ય વગેરે પણ કર્મના પ્રમાણે હતા. ૨. દ્રષ્ટાંત જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંઘ, અગર સ્ત્રી, પુત્ર, ઘન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.” (વ.પૃ.૬૭૬) I/૧૧ાા સંયોગો સૌ જાદા ગણી વર્ણવે, લખે વ્યવહારે રે, તો પરમાર્થે સત્ય તે; સુષ્ટિ એ આશય શારે રે. સગુરુના અર્થ :- મળેલા સર્વ કુટુંબાદિ સંયોગોને અંતરથી જાદા જાણી ઉપરથી વ્યવહારે તેમની સાથે વર્તન કરે, તો તે પરમાર્થે સત્ય ગણાય છે. સમ્યદ્રષ્ટિ મહાત્માના હૃદયમાં એવો આશય હોય છે. ૧૨ાા સમ્યવ્રુષ્ટિ થયા પછી, અભ્યાસે બોલી શકાતું રે, પરમાર્થ સત્ય સ્વરૂપ આ, પછીથી સહજ થઈ જાતું રે. સદ્ગુરુના અર્થ - સમ્યગ્દર્શન થયા પછી અભ્યાસથી આ પરમાર્થ સત્ય બોલી શકાય છે. પછી વિશેષ અભ્યાસે તે સહજ થઈ જાય છે. “સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે; અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે.” (વ.પૃ.૬૭૬) /૧૩ પછી ઉપયોગ રહ્યા કરે, વિશેષ અભ્યાસ સેવ્ય રે. વ્યવહારથી ય સત્ય જે બોલવું મૂકે નેવે રે- સદગુરુના Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી સમ્યદ્રષ્ટિને વિશેષ અભ્યાસ થવાથી સહેજે તે ઉપયોગ રહ્યા કરે છે. પણ જે વ્યવહાર સત્ય બોલવાનું જ નેવે મુકી દે તો શું થાય? I૧૪ો. તેને બને ન બોલવું પરમાર્થ સત્યનું કાંઈ રે; તેથી હવે વ્યવહારની વાત અલ્પ કહી આંહી રે. સગુરુના અર્થ :- જે વ્યવહાર સત્ય ભાષા ન બોલે તેનાથી પરમાર્થ સત્ય ભાષા બોલવાનું કાંઈ બની શકે નહીં. તેથી હવે અહીં વ્યવહાર સત્યની વાત થોડીક કહીએ છીએ. “વ્યવહારમય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે.” (વ.પૃ.૬૭૬) I/૧૫ જેવી રીતે વસ્તુને જોઈ, વાંચી, અનુભવી, સુણી રે, તેવી રીતે જ જણાવતા, બોલે વાણી સગુણી રે. સદ્ગુરુના અર્થ - વસ્તુને જે પ્રકારે જોઈ હોય, તે સંબંથી વાંચ્યું હોય, અનુભવ થયો હોય કે સાંભળ્યું હોય; તેવી જ રીતે સદગુણી પુરુષો તે વાતને જણાવવા વચન બોલે છે. “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //લકા વ્યવહારે તે સત્ય છે; દ્રષ્ટાંત તેનું ય આ છે રે - અશ્વ બપોરે બાગમાં લાલ દીઠો જો આજે રે, સદગુરુના અર્થ :- વ્યવહારસત્ય કહેવાય છે. તેનું આ દ્રષ્ટાંત છે - કોઈનો ઘોડો બપોરે બાગમાં લાલરંગનો આજે દીઠો હોય તો તેમ કહેવું. “દ્રષ્ટાંત ઃ જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય.” (વ.પૃ.૬૭૬) ૧૭ળા તેવું જ યથાર્થ બોલવું, પૂછે જો કોઈ આવી રે; સ્વાર્થ વા ભીતિ કારણે વદે ન સત્ય છુપાવી રે. સગુરુના અર્થ – જેવું જોયું હોય તેવું જ યથાર્થ બોલવું. જો કોઈ આવીને પૂછે તો પણ સ્વાર્થ અથવા ભયના કારણે સત્યને છુપાવીને વચન બોલવું નહીં. /૧૮ વ્યવહારસત્ય તેને કહ્યું તેમાં પણ આમ વિચારો રે, જીંવ-વથ હેતું જો હશે, વા ઉન્મત્તતાથી લવારો રે- સગુરુના અર્થ:- તેને વ્યવહારસત્ય કહ્યું છે. તેમાં પણ એમ વિચારો કે સત્ય બોલવાથી જો જીવોના વઘમાં તે વચનો કારણરૂપ થતા હશે તો તે સત્ય નથી પણ અસત્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “સત્ય પણ કરુણામય બોલવું' અથવા ઉન્મત્તતા એટલે દારૂ પીધેલા માણસની જેમ મોહના ગાંડપણમાં કોઈ લવારો કરે તે કદાચ સાચો હોય તો પણ સાચો નથી; કેમકે તે ભાન વગર બોલે છે. “આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.” (વ.પૃ.૬૭૬) ૧૯ાા સત્ય છતાં ય અસત્ય તે, આ હૃદયે દ્રઢ ઘારો રે, સ્વ-પરની હિંસા સાથતું સત્ય ન હોય વિચારો રે. સગુરુના Page #33 -------------------------------------------------------------------------- ________________ (૯૬) પારમાર્થિક સત્ય ૪૩૩ અર્થ - કોઈ મોહવશ ભાનવગર બોલતો હોય તો તે કદાચ સત્ય હોય તો પણ અસત્ય છે. આ વાતને હૃદયમાં દ્રઢપણે ઘારી રાખો. જે વચનવડે સ્વપર જીવની હિંસા થાય તે સત્ય વચન કહેવાય નહીં; તેનો વિચાર કરો. ૨૦ાા કેષ-રાગ-અજ્ઞાનથી જ્યાં ઑવ વચન ઉચ્ચારે રે, ત્યાં હિંસા નિજ જાણવી, સ્વરૂપ શુદ્ધ વિસારે રે. સદ્ગુરુના અર્થ - રાગદ્વેષ અજ્ઞાન સહિત જીવ વચન ઉચ્ચારે છે ત્યાં પોતાના આત્મગુણોની ઘાત થાય છે, હિંસા થાય છે. કેમકે પોતાના શુદ્ધ સ્વરૂપને તે ભૂલે છે. ૨૧ના પોતે પોતાનો અરિ અરે! વાત ખરી, સ્વીકારો રે, દુઃખદ મુખે મોહ છે, તેને વિચારી નિવારો રે. સદગુરુના અર્થ - પોતે જ પોતાનો શત્રુ અરે! આ વાત ખરી છે, તેનો સ્વીકાર કરો. સર્વ પ્રકારના દુઃખ આપવામાં મુખ્યત્વે આ મોહનીયકર્મ છે. તેને વિચારીને હવે દૂર કરો. રરા “મુનિ' એ નામ જ સૂચવે-મોન જ, બોલે તોયે રે; પૂર્વોક્ત રીતે વિચારીને બોલે પણ “મુનિપણું'હોયે રે. સદ્ગુરુના અર્થ - મુનિ એ નામ જ મૌનપણાને સૂચવે છે. ઘણું કરી પ્રયોજન વિના બોલે જ નહીં તે મુનિ. મુનિ જ્યારે બોલે ત્યારે મારો એક આત્મા જ છે એમ પૂર્વોક્ત રીતે વિચારીને બોલે છે. માટે બોલતા છતાં પણ તે મૌન છે. ““મુનિ' એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું.” (વ.પૃ.૬૭૬) //ર૩. ઉત્તમ મૌન ગયું છતાં, સત્ય તો તેથી ય સારું રે, પ્રિય વચન તેથી ચઢે, રે! બ્રહ્મ-વચન તો ન્યારું રે. સદ્ગુરુના અર્થ - વ્યવહારમાં મૌનને ઉત્તમ ગણ્યું છે. પણ બોલવું પડે તો સત્ય વચન બોલવું સારું છે. સત્ય વચન સાથે “સત્ય પણ પ્રિય બોલવું.’ એ વઘારે ચઢિયાતું છે. અને જેથી બ્રહ્મ એટલે આત્મપ્રાપ્તિ થાય એવા જ્ઞાનીપુરુષના વચનો બોલવા તે તો સર્વથી શ્રેષ્ઠ નિરાલા છે. ૨૪ મૌન મહાત્મા સૌ રહ્યા તીર્થકર એ જ વિચારે રે; વર્ષો સાડા બાર જો, મૌન મહાર્વર ઘારે રે. સદ્ગુરુના અર્થ:- સૌ તીર્થંકરાદિ મહાત્માઓ મૌન રહ્યા તેમ શ્રી મહાવીર પ્રભુ પણ મોહને હણવાના વિચારે સાડાબાર વર્ષો સુધી મૌન ઘારણ કરીને રહ્યા. રપા પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ઘારણ કરેલું અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંઘ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” (વ.પૃ. ૬૭૬) રાગાદિક રહિત તે પ્રભુ વસ્તુ યથાર્થ જણાવે રે, તોપણ મૌન ગણાય તે, મુનિપણું અખંડ ટકાવે રે. સગુરુના અર્થ :- રાગદ્વેષાદિ ભાવોથી રહિત વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાવતાં છતાં પણ પ્રભુને મૌનપણું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગણાય છે. તે મુનિપણાને અતિચાર રહિત અખંડપણે ટકાવી રાખે છે. “રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું.” (વ.પૃ.૬૭૬) ૨૬ાા અતિ ઉત્કૃષ્ટ વિચારથી ફરી ફરી વિચારી રે, ટાળી મોહનીય કર્મનો સંબંઘ, સ્થિરતા ઘારી રે. સગુરુના અર્થ - પ્રભુ મહાવીરે અતિ ઉત્કૃષ્ટ વિચારબળે ફરી ફરી વિચારીને મોહનીયકર્મનો સંબંધ આત્મામાંથી ટાળી દઈ સ્વરૂપમાં શાશ્વત સ્થિરતાને ઘારણ કરી. રા. કેવળ દર્શન-જ્ઞાન તે અંતે અહો ! ઉપજાવે રે, પરમાર્થ સત્યકૅપ દેશના દેતા ભવ્યોને ભાવે રે. સગુરુના અર્થ :- અહો! અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવી, પરમાર્થ સત્યરૂપ દેશના આપતાં પ્રભુ મહાવીર ભવ્યોને બહુ ગમી ગયા. ૨૮ આત્મા જો ઘારે બોલવા સત્ય, નથી એ ભારે રે, ભાષા સત્ય ઘણાખરા બોલે સજ્જન વ્યવહારે રે. સદ્ગુરુના અર્થ :- આત્મા જો સત્ય બોલવા ઘારે તો તે કંઈ નહીં બનવા યોગ્ય ભારે કામ નથી. સત્ય ભાષા તો વ્યવહારમાં ઘણા ખરા સજ્જનો બોલે છે. “આત્મા ઘારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી; માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી.” (વ.પૃ.૬૭૬) /૨૯ાાં પરમાર્થથી સત્ય તો નથી હજી સુથી ય બોલાયું રે, ભવે ભ્રમણ તેથી ટક્યું; હજીં નથી મમત્વ ભુલાયું રે. સગુરુના અર્થ :- પરમાર્થથી સત્યભાષા હજી સુધી બોલાઈ નથી. તેથી ભવોમાં ભ્રમણ કરવાનું હજુ ટકી રહ્યું છે. કેમકે હજી સુધી અંતરથી પર પદાર્થ પ્રત્યેનો મમત્વભાવ ભુલાયો નથી, અર્થાત્ મારાપણું હજુ એમને એમ ચાલ્યું આવે છે. ૩૦ માયાના પાયા ગણો અસત્ય વચન-પ્રપંચો રે, વિશ્વાસઘાત કરે અરે! વળી ખોટા દસ્તાવેજો રે. સદ્દગુરુના અર્થ - માયા કપટના પાયા એટલે આઘારરૂપ આ અસત્ય વચનવડે બઘા પ્રપંચો થાય છે. કેમકે અસત્ય બોલ્યા વિના માયા થતી નથી. અરે! માયાવી લોકો કોઈનો વિશ્વાસઘાત કરી દે અથવા ખોટાં દસ્તાવેજો બનાવી બીજાને દુઃખી કરતા પણ અચકાતા નથી. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું.” (વ.પૃ.૬૭૬) //૩૧| માનાર્થે તપ આદરે, દર્શાવે આત્મ-હિતાર્થે રે, એ સૌ અસત્યમાં ગણો, કર્દી ન ગણાય આત્માર્થે રે. સદગુરુના અર્થ - માન મોટાઈ મેળવવા તપ કરે અને બીજાને આત્માર્થે કરું છું એમ દર્શાવે; એ સૌ જૂઠ પ્રપંચો અસત્યમાં ગણાય છે. એ કદી આત્માર્થે ગણાય નહીં. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૯૬) પારમાર્થિક સન્ય “અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇંદ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મતિાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું,'' (વ.પૂ.૬૭) ||૩૨|| અખંડ સમ્યગ્દર્શને સંપૂર્ણ બોલી શકાતા રે, પરમાર્થ-સત્ય-શબ્દ સૌ અસંગતા સમજાતાં રે. સદ્ગુરુના અર્થ :— અખંડ સમ્યગ્દર્શન આવ્યે આત્માનું અસંગપણું સમજાતાં સંપૂર્ણ ૫રમાર્થ સત્ય ભાષા બોલી શકાય. “અખંડ સમ્યગ્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે.” (પૃ.૭૬) ૩૩|| ભિન્નપણે ઉપયોગની જાગૃતિસહ ઉચ્ચારે રે પરપદાર્થના શબ્દ, તો પરમાર્થ સત્ય આકારે રે. સદ્ગુરુના ૪૩૫ = અર્થ :— પરપદાર્થ મારાથી સાવ ભિન્ન છે. એમ ઉપયોગની જાગૃતિ સાથે પરપદાર્થ સંબંથી શબ્દો ઉચ્ચારે, તો તે પરમાર્થ સત્યના આકારને ધારણ કરે છે. ।।૩૪।। મુનિ અને ઉપાસકો ૫રમાર્થસત્યના લશે રે, મહાવ્રતી કે દેશી વ્રતી છે વ્યવહારનય પક્ષે રે. સદ્ગુરુના = અર્થ – મુનિ અને બીજા ઉપાસકો પરમાર્થસત્યના લક્ષપૂર્વક આરાધના કરે છે. તેમાં વ્યવહારનયના પક્ષથી જોતાં કોઈ મહાવ્રતી મુનિ છે અને કોઈ દેશવ્રતી શ્રાવક છે. જેના આત્મોપયોગમાં પરમાર્થસત્યની ઘારા અખંડપણે રહે તે મુનિવેષ વિના પણ મુનિ છે, અને જેને આત્મોપયોગનું ભાન નથી તે મુનિ વેષ હોવા છતાં પણ અમુનિ છે; અર્થાત્ શુદ્ઘ ઉપયોગમાં જે ૨મણતા કરે તે જ સાધુ અને તે જ ભાવમુનિ છે. કેમકે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ ધર્મ છે. ॥૩૫॥ સત્ય વિષે ઉપદેશ આ, સૌ વારંવાર વિચારો રે, યથાશક્તિએ તે ક્રમે નરભવ-સાર્થકતા ઘારો રે. સદ્ગુરુના અર્થ – સત્ય વિષેનો આ ઉપદેશ કર્યો, તેનો સૌ વારંવાર વિચાર કરો. તથા યથાશક્તિએ ક્રમપૂર્વક વ્યવહા૨સત્ય અને પરમાર્થસત્યના પંથે ચાલી આ અમૂલ્ય નરભવ સાર્થક કરવાનો અવશ્ય પ્રયત્ન કરો. “આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.” (૦.૧.૬૭) ||૩૬ વ્યવહારસત્ય વિના પરમાર્થસત્ય આવે નહીં અને પરમાર્થસત્ય આવ્યા વિના યથાર્થ આત્મભાવના થઈ શકે નહીં. આત્મભાવના ભાવ્યા વિના કેવળજ્ઞાન ઊપજે નહીં. અને કેવળજ્ઞાન પામ્યા વિના જીવનો મોક્ષ થાય નહીં. માટે સદૈવ આતમ ભાવના ભાવવા યોગ્ય છે. ‘આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે જ્યારે દેહની ભાવના ભાવતાં જીવ સંસારને વધારે છે. હું દેહાદિસ્વરૂપ છું, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવી ભાવના ભાવવાથી જીવનો રાગભાવ વધી જઈ સંસારની વૃદ્ધિ કરે છે. જ્યારે તેથી વિપરીત આત્મભાવના ભાવવાથી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, પરપદાર્થ પ્રત્યેનો રાગભાવ ઘટે છે. ક્રમે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કરી રાગદ્વેષ ઘટવાથી, તે ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પામ્યાથી શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષને જીવ પામે છે. માટે સર્વ સુખના મૂળ કારણભૂત એવી આત્મભાવનાને સમજી તેની ઉપાસના કેમ કરવી તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે – આત્મ-ભાવના (છંદ-આખ્યાનકી વા ભદ્રાવૃત્ત : ઉપજાતિનો ભેદ) શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું, અનાથ (મુમુક્ષ) ના જે પરમાર્થ-બં; આ યુગમાં જે પ્રગટાવનારા, યથાર્થ શુદ્ધાત્મ-વિચાર-થારા. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું કે જે પરમાર્થે અનાથ એવા જીવને અથવા મુમુક્ષુ જીવને આત્માર્થ પમાડવા માટે બંધુ એટલે મિત્ર જેવા છે. આ કળિયુગમાં જ્યાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે તેવા કાળમાં પણ યથાર્થ શુદ્ધાત્મ-વિચારધારાને પ્રગટાવનારા છે. તેના સંતાન જે મોહ-મલિનતાનાં, કષાય-અજ્ઞાન હવે જવાનાં; ચૈતન્યમૂર્તિ પ્રભુ શુદ્ધતાની, રહે ઉરે તો ભીતિ હોય શાની? ૨ અર્થ - જગતમાં આત્મવિચારધારા પ્રગટ થવાથી મોહરૂપી મલિનતાના સંતાન જેવા આ કષાયભાવો કે અજ્ઞાન, તે હવે જે પુરુષાર્થ કરશે તેના અવશ્ય નાશ પામશે. જેના હૃદયમાં શુદ્ધતાની ચૈતન્યમૂર્તિ એવા પરમકૃપાળુદેવનો નિવાસ છે તેને હવે ભવભય શાનો હોય? તે મુક્તિના પંથે ચઢી જશે. રા. આત્મ-સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન, સુખી, અમોહી, નિબંધ, અસ્કૃષ્ટ, અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. ૩ અર્થ :- શુદ્ધ આત્મસ્વભાવમાં કોઈ વિકલ્પ નથી. તે શુદ્ધાત્મા વિભાવભાવોથી જુદો છે, સદા સુખી છે, રાગદ્વેષના મોહભાવોથી રહિત અમોહી છે. કમથી બંધાયેલો નથી પણ અબદ્ધ છે, કમોંથી સ્પર્ધાયેલો નથી માટે અસ્કૃષ્ટ છે. પોતાના જ સ્વરૂપમાં રમનારો હોવાથી અનન્ય એટલે બીજારૂપે નથી. તે શુદ્ધાત્મા નિશ્ચયનયે ચારિત્રગુણવાળો હોવાથી સદા સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાના સ્વભાવવાળો છે. હા સંયોગ ના મોહ-મલિનતાનો, રહે અસંયુક્તપણે, પ્રમાણો; દ્રષ્ટાંત અંબુજ-જળ વિચારું, ન બંઘ કે સ્પર્શ, જળે ય ન્યારું. ૪ અર્થ :- આત્મા સાથે મોહરૂપી મલિનતાનો સંબંઘ અસંયુક્તપણે એટલે એકમેકપણે નથી, પણ જળકમળવત્ છે. એ વાતને દ્રષ્ટાંતથી સમજી પ્રમાણભૂત માનો. અંબુજ એટલે કમળ, જે જળમાં જ રહેવા છતાં જળથી બંધાયેલ નથી કે જળથી સ્પર્શાયેલું પણ નથી. તે સદા જળથી ન્યારું રહે છે. //૪ દેખાય નિત્યે જળમાં રહેલું, સદાય કોરું રવિ તેજ-ઘેલું; માટી તણાં વાસણ ભિન્ન તો યે, દરેક છે માટી રૂપે જ જો એ. ૫ અર્થ - કમળ હમેશાં જળમાં રહેલું દેખાય છે છતાં સદાય તે જળથી કોરું રહે છે, ભિજતુ નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૭) આત્મ-ભાવના ૪૩૭ તથા સૂર્યના તેજથી તે ઘેલું બને છે, અર્થાત્ કમળ બિડાયેલું હોય તો પણ સૂર્યના તેજથી તે ખીલી ઊઠે છે. માટીના વાસણ ભલે જુદા આકારે હોય તો પણ દરેક વાસણ માટીના જ બનેલા છે. તેમ આત્મા કર્મના સંયોગે અનેક પર્યાય પામે તો પણ તે સદા આત્મારૂપે જ અનન્ય રહે છે; બીજા રૂપે થતો નથી. //પા. આદ્યત-મધ્યે કર્દી માર્ટી વિના, રહે નહીં, દ્રષ્ટિ ગણો નવી ના; વારિધિ મોજાંથી જણાય ક્ષુબ્ધ, અનિલ-યોગે, ન વિચાર-સિદ્ધ; ૬ અર્થ - આદિ, અંત કે મધ્યમાં તે વાસણ માટીરૂપે જ રહે છે. માટી વિના વાસણનું અસ્તિત્વ રહે નહીં. આ કોઈ નવી દ્રષ્ટિ એટલે નવીન વાત નથી પણ અનાદિથી એમ જ છે. વારિધિ એટલે સમુદ્ર, તે મોજાંથી ક્ષુબ્ધ એટલે ખળખળાટવાળો જણાય પણ તે અનિલ એટલે પવનના યોગથી છે. એ વાત વિચારથી સિદ્ધ ન થાય તો જળની બીજી સ્થિતિનો વિચાર કરીએ. IIકા ગોળે રહેલું જળ શાંત નિત્ય, સહાય વિના સ્વરૃપે રહે તે; આકાર સોનું ઘરતું ઘણાયે, ન કોઈ આકાર રૂપે સદાયે. ૭ અર્થ - ગોળામાં રહેલું જળ હમેશાં શાંત રહે છે. કોઈની સહાય વિના સદા સ્વરૂપમાં રહે છે; ખળખળાટ કરતું નથી. તેમ આત્મા પણ કર્મના અભાવે પોતાના સહજ સ્વરૂપમાં રહે છે. સોનું અનેક આકારને ઘારણ કરે છે. તે કોઈ એક આકારરૂપે હમેશાં રહેતું નથી. શા સામાન્યતા સર્વ વિષે જ સાચી, રહો ને તત્કાળ-રૂપે ય રાચી; વિરોઘી અગ્નિ-જળના સ્વભાવો, ઊના જળ એક, ન ચિત્ત લાવો. ૮ અર્થ:- સોનાની સર્વ પર્યાયોમાં, સોનાની સામાન્યતા એટલે હોવાપણું તો છે જ, એ વાત સાવ સાચી છે. પણ સોનાની કોઈ તત્કાળ પર્યાય જોઈ તે પર્યાયને જ વસ્તુનું સ્વરૂપ ન માનો. તેમ આત્મા મનુષ્યાદિ કોઈ પણ પર્યાયમાં હોય પણ તે પર્યાયને જ આત્મા ન માનો. અગ્નિ અને જળના સ્વભાવો વિરોધી છે. તેથી ઊનું જળ જોઈને આ તો ગરમ જ છે એમ એકાંતે ન માનો. દા. પાણી પડે ઉષ્ણ છતાં ય લાળા બુઝાઈ જાતા નજરે નિહાળ્યા; તેવી રીતે સર્વ વિશેષણો એ; સદાય આત્મા સ્વરૃપે ગણ્યો છે. ૯ અર્થ - કેમકે ઉષ્ણ એટલે ગરમપાણીની ઘાર પણ જો લાળા એટલે અંગારા (દેવતા) ઉપર પડે તો તે બુઝાઈ જાય છે, એમ નજરે જોયું છે. કેમકે પાણી સંયોગે ગરમ હોવા છતાં પણ તે સ્વભાવથી તો શીતળ જ છે. તેવી રીતે સર્વ વિશેષણોથી યુક્ત એટલે ક્રોધાત્મા, માનાત્મા, માયાવાળો આત્મા, કે લોભવાળો આત્મા વગેરે કર્મને આધીન દેખાવા છતાં પણ તે સદા પોતાના સ્વરૂપમાં રહે છે. સ્વસ્વરૂપનો તે કદી ત્યાગ કરતો નથી. Iો. જેવા થવું હોય, સદાય તેવો, વિચાર-અભ્યાસ અનન્ય સેવો; દેહાદિ-ચિંતા-ફળ દેહ ભાળો, સ્વરૂપ-સંગે પરમાત્મતા લ્યો. ૧૦ અર્થ:- જેવા થવું હોય તેવો સદૈવ વિચારરૂપ અભ્યાસ અનન્ય એટલે તે મય થઈને સેવો. દેહ, કુટુંબાદિમાં તે મય થઈ ચિંતા કરવાનું ફળ નવા દેહ ઘારણ કરવાનું થશે અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ સ્વરૂપ તન્મયતાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ આવશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના; વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક /૧૦ગા. જ્ઞાનાદિ ગુણે પરિપૂર્ણ હું તો, સદા અરૂપી સુવિશુદ્ધ છું, જો; ના અન્ય મારું પરમાણું માત્ર, ઠગાય સર્વે ગણી નિજ ગાત્ર. ૧૧ અર્થ - હું તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોવડે સદા પરિપૂર્ણ છું. મૂળસ્વરૂપે સદા અરૂપી છું. અને પ્રકૃષ્ટપણે સદા સુવિશુદ્ધ સ્વભાવવાળો છું. આ જગતમાં એક આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મારું નથી. એમ આત્મભાવના કરવાયોગ્ય છે. છતાં સર્વે અજ્ઞાની જીવો આ ગાત્ર એટલે શરીરને જ પોતાનું સ્વરૂપ માની ઠગાય છે; અર્થાત્ પરને પોતાનું માની, સ્વયંને જ ઠગે છે. ૧૧ાા હું શુદ્ધ જ્ઞાની મમતા રહિત, સું-દર્શને પૂર્ણ, સમાધિ-ચિત્ત; તેમાં રહી સ્થિર, બંઘાય કર્મ-હણી, લઉં હું શિવ-થામ-શર્મ. ૧૨ અર્થ - ફરી આત્મભાવના ભાવી કર્મોને કેમ શિથિલ કરવા તેના ઉપાયો નીચે બતાવે છે - હું શુદ્ધજ્ઞાની સમાન મમતા રહિત સ્વભાવવાળો છું. સમ્યક્દર્શનથી પરિપૂર્ણ છું. મારા ચિત્તમાં એટલે જ્ઞાનમાં સદૈવ સમાધિ છે. તે આત્મસ્વસ્થતારૂપ સમાધિમાં સ્થિર રહી, બઘાય કમોને હણી, હવે મોક્ષરૂપી ઘામમાં જઈ શર્મ એટલે શાશ્વત સુખને પ્રાપ્ત કરું. ૧૨ા જો પીંપળે લાખ સમાન કર્મો, નિબદ્ધ ઘાતે જીંવ-શુદ્ધ ઘર્મો ચૈતન્ય છે ધૃવ વધે-ઘટે આ, મૃગી તણા વેગ સમાન લેખા. ૧૩ અર્થ :- જેમ પીપળના ઝાડ ઉપર લાખ ચોટેલી હોય તેમ કર્મો નિબદ્ધ એટલે આત્મા સાથે બંઘાઈને જીવના શુદ્ધ સ્વભાવમય ગુણધર્મોને ઘાતે છે. છતાં ચૈતન્યમય એવો આત્મા તો ધ્રુવ જ રહે છે. પણ આ કમમાં વધ-ઘટ થયા કરે છે. તેથી તે કર્મો મૃગી એટલે હરણીની જેમ ઉછાળા માર્યા કરે છે અથવા મૃગી એટલે હિસ્ટિરીયાના રોગીને જેમ વેગ આવે તેમ આવ્યા કરે છે. ૧૩ કર્મો ક્રમે થાય, જતાં જણાય, શીતાદિ પેઠે જ્વરમાં મનાય; આત્મા સ્વયં નિત્ય રહે ત્રિકાળ, અચૂક વિજ્ઞાનરૂપે નિહાળ. ૧૪ અર્થ :- આ કમ ક્રમપૂર્વક સમયે સમયે બંઘાયા કરે છે. અને સમયે સમયે તેની નિર્જરા પણ થતી જણાય છે. જેમ ટાઢિયા તાવમાં કોઈ વાર ઠંડીનો અનુભવ થાય અને વળી તે ઠંડી દૂર થઈ શરીર ગરમ પણ થઈ જાય છે. છતાં આત્મા તો સ્વયં ત્રણેકાળ નિત્ય રહે છે. અને તેના વિજ્ઞાનરૂપ એટલે વિશેષ જ્ઞાનરૂપ રહેલા જ્ઞાનદર્શનાદિ ગુણો પણ અચૂકપણે તેવા જ રહે છે એમ તું જાણ. ૧૪ આત્મા સ્વયંરક્ષિત નિત્ય જાણો, અનાથ કર્મો ન ટકે પ્રમાણો; રોકાય ના કાળ કદાપિ જેમ, ખરી જતાં કર્મ અરોક તેમ. ૧૫ અર્થ - પ્રત્યેક આત્મા સદા સ્વયંરક્ષિત છે. એની રક્ષા માટે કોઈની જરૂર નથી. એને હણવા કોઈ સમર્થ નથી. અનાથ એવા કમોં પણ સદાકાળ ટકી શકે એમ નથી. જેમ કાળ એટલે સમય જઈ રહ્યો છે તેને કદાપિ રોકી શકાય નહીં તેમ ઉદય આવેલા કર્મોને ખરી જતાં કોઈ રોકવા સમર્થ નથી. ૧૫ આકુળતાપૂર્ણ, અસ્ખ-ઘામ, સ્વભાવ કર્યોદયનો પ્રમાણ; આત્મા નિરાકુલ સદા વિચારો, અપાર સુખે પરિપૂર્ણ થારો. ૧૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૯૭) આત્મ-ભાવના ૪૩૯ અર્થ :– કર્મના ઉદયનો સ્વભાવ આકુળતાપૂર્ણ છે. અર્થાત્ આત્માને અશાંતિ ઉપજાવનાર છે અને અસુખ-ધામ એટલે દુઃખનું જ ઘર છે; જ્યારે આત્માનો સ્વભાવ સદા નિરાકુલ છે એમ વિચારો. આત્મા તો સ્વયં અનંત સુખથી પરિપૂર્ણ છે એમ મનમાં શ્રદ્ધા કરો. ।।૧૬।। આગામી કાળે ફળદાર્યો કર્યો, ઘરે ઉરે ગર્ભિત દુઃખ-થર્મો; આત્મા નથી પુદ્ગલ-ભાવ-હેતુ, અદુઃખકારી, ભવ-અંબુ-સેતુ. ૧૭ અર્થ :— આગામી એટલે ભવિષ્યકાળમાં ફળ આપનાર કર્મો જે સત્તામાં પડ્યાં છે. તે પણ ગર્ભિત રીતે દુઃખના ધર્મોને જ ધારણ કરેલ છે. જે પુદ્ગલ પરમાણુનું પરિણમન થઈ રહ્યું છે તેનું કારણ આત્મા નથી. તે સ્વતઃ છે. આત્મા તો અદુઃખકારી એટલે અનંત સુખમય સ્વભાવવાળો છે, અને આત્મભાવના છે તે જીવને ભવ-અંબુ એટલે ભવજળથી પાર ઉતારવામાં સેતુ એટલે પુલ સમાન છે. ।।૧૭।। આવા વિચારે જીવ ભેદનાને, શિથિલ કર્મોદયથી પિછાનેચૈતન્ય-ભાનુ, ખસતાં કુકર્માં; અમાપ તેજે પ્રગટે સ્વધર્મો. ૧૮ અર્થ :– ઉપ૨ોક્ત ભેદશાનના વિચાર કરવાથી જીવના કર્મોદય શિથિલ થતાં જાય છે, તેથી સૂર્ય સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની તેને ઓળખાણ થાય છે. પછી કુકર્મોના આવરણો ખસતાં આત્માનું અમાપ તેજ જ્વાજણ્યમાન થઈ પોતાના અનંત ગુણધર્મો પ્રગટે છે. ।।૧૮। હું મુક્ત સર્વે પરભાવથી છે, અસંગ છું દ્રવ્યથી એકલો હું, ક્ષેત્રે અસંખ્યાત ઘરું પ્રદેશો, સ્વદેશ વ્યાપી અવગાહના શો. ૧૯ હવે આત્મભાવના કરવા આત્મસાઘન બતાવે છે :— અર્થ :— હું સર્વ પરભાવથી મુક્ત છું, હું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નૌકર્મથી રહિત અસંગ છું, દ્રવ્યથી જોઈએ તો હું એકલો છું. ક્ષેત્રથી આત્માના અસંખ્યાત પ્રદેશોને ઘારણ કરનાર છું. અને સ્વદેહમાં વ્યાપેલો છું. સ્વદેહ પ્રમાણ એ મારી અવગાહના એટલે આકાર છે. ।।૧૯।। કાળે સ્વપર્યાય પરિણમંતો, અજન્મ ને શાશ્વત-ધર્મ-વંતો છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દ્રષ્ટાજ, વિજ્ઞાનલીન. ૨૦ અર્થ :— કાળથી હું સમયે સમયે સ્વપર્યાયમાં જ પરિણમું છું, હું અજન્મ છું. મારો કોઈ કાળે જન્મ = થયો નથી. કેમકે હું શાશ્વત ધર્મવાળો છું, અને ભાવથી હું જ્ઞાનદર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. મારો સ્વભાવ નિર્વિકલ્પ દ્રષ્ટા છે અને પોતાના વિશેષ જ્ઞાનમાં જ લીન રહેવાવાળો છું, ।।૨૦।। આત્મસાધન “દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણે છે. કાળ – અજ૨, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.' (વ.પૂ. ૪ જ્ઞાની ક્રમે આત્મ-વિચાર અર્થે કહે શરીરે નિજ ભાવ વર્તે, ત્યાંથી ક્રમે પ્રાણ નિજાન્મ થારો, પછી ગણો ઇન્દ્રિયોના પ્રચારો. ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ४४० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હવે કેવી રીતે આત્મભાવના કરીને આત્મ અનુભવ સુધી પહોંચવું તેનો ક્રમ બતાવે છે : અર્થ :- જ્ઞાની પુરુષો ક્રમપૂર્વક આત્મવિચારણા કરવા માટે કહે છે કે સૌ પ્રથમ જીવને પોતાના શરીરમાં આત્મબુદ્ધિ વર્તે છે. ત્યાંથી ક્રમપૂર્વક શ્વાસમાં પોતાનું આત્માપણું ઘારો કે જાણે શ્વાસ એ જ આત્મા હશે. પછી ઇન્દ્રિયોમાં આત્માપણાની કલ્પના કરો કે ઇન્દ્રિયો આત્મા હશે. ૨૧ાા. ઇન્દ્રિયથી આગળ ચિત્ત-વૃત્તિ, વિકલ્પ-સંકલ્પ-તરંગ-મૂર્તિ; અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, ન અન્ય આલંબન એકતામાં. ૨૨ અર્થ - પછી ઇન્દ્રિયોથી આગળ જઈ, ઇન્દ્રિયોને ચલાવનાર એવું મન તે આત્મા હશે? તે મન તો કર્મને આધીન સંકલ્પ વિકલ્પના તરંગોની મૂર્તિ છે. એવા મનને હવે અંતે આત્મજ્ઞાનની ભાવનામાં રોકી સ્થિર કરો. ‘જ્ઞાને બાંધ્યું મન રહે.' બીજા હઠયોગ વગેરે અન્ય આલંબનો આત્મા સાથે એકતા કરવામાં કાર્યકારી નથી. રિરા વાણી અને કાય સ-ઉપયોગે યમે રમે જો સ્થિરતા-પ્રયોગ, સમ્યકત્વ ઘારી જીંવ આત્મ-અર્થે પ્રશાંત આત્મા કરવા પ્રવર્તે. ૨૩ અર્થ :- પછી વાણી અને કાયા પણ ઉપયોગ સહિત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગરૂપ પાંચ યમમાં આત્મસ્થિરતા કરવા માટે પ્રવર્તે તો જીવ સમ્યક્દર્શનને પામે છે. સમ્યકત્વ પામ્યા પછી અંતર્ધાત્મા થવાથી પોતાના આત્માને પ્રકષ્ટ શાંત કરવાને માટે તે કષાય નિવારવાનો જ પ્રયત્ન કરે છે. રા. વિકલ્પ સૌ જોય તણા વિસાયેં, બને રહેવું અનુભૂતિ-સારે; આત્મા રહે શેયરૂપે જ એક, અનન્યરૂપે પરિણામ છેક. ૨૪ અર્થ - શેય એટલે જ્ઞાનમાં જે પદાર્થો જણાય છે તે સર્વ વિકલ્પોને ભૂલવાથી સારભૂત એવી આત્મ અનુભૂતિમાં સ્થિર રહેવાનું બને છે. ત્યાં શેયરૂપે એક આત્મા હોય છે. જ્યાં સુધી આત્મ અનુભૂતિમાં હોય ત્યાં સુધી પરિણામ બીજે જતાં નથી; અનન્યરૂપે એક આત્મામાં જ રહે છે. /૨૪. તેવી દશામાં સ્કુર ઊઠતી કો, અપૂર્વ આનંદ-ઝરા સમી, જો ઊર્મિ ઉરે; વિસ્મૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય, ઘન્ય! ૨૫ અર્થ :- ઉપર કહી તેવી આત્મઅનુભૂતિ દશામાં અપૂર્વ આનંદનીઝરા જેવી અંતર આત્માનંદની ઉર્મિઓ-લહેરીઓ ફરી ઊઠે છે. ત્યારે બીજું બધું ભૂલાઈ જાય છે અને અકથ્ય એટલે કહી ન શકાય એવું આત્મસ્વરૂપનું અદ્ભુત ભાન પ્રગટે છે. જે જીવનને ધન્ય બનાવે છે. //રપના એવો ન આનંદ જરાય ભોગે, કહ્યો અતીન્દ્રિય મહાજનોએ: ના એ અનુમાન, ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વ-વેત્તા. ૨૬ અર્થ - આત્માના અનુભવનો જે આનંદ વેદાય છે, તેવો આનંદ જરા પણ ભોગમાં નથી. તે આત્માનંદને મહાપુરુષોએ અતીન્દ્રિય આનંદ કહ્યો છે. તે આત્માનંદ એ અનુમાન નથી કે માત્ર શ્રદ્ધાનો વિષય નથી. પણ જે તેને અનુભવે તે જ તેના યથાર્થ સ્વરૂપને જાણે છે. રા. સમ્યકત્વઘારી સમજ સ્વભાવ, વિભાવ તો કર્મ-જનિત ભાવ; દેહાદિ ના જાણી શકે જરાય, સ્વરૂપ તે ના કદીયે મનાય. ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૭) આત્મ-ભાવના ૪૪૧ અર્થ - તે આત્માનંદને સમ્યકદ્રષ્ટિ પુરુષો પોતાનો સ્વભાવ સમજે છે. અને વિભાવને કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલો ઔપાથિક ભાવ માને છે. તે આત્માનંદને દેહ, ઇન્દ્રિયો કે મન, જરાય જાણી શકે નહીં. તેથી આ દેહાદિને કદી પણ પોતાનું સ્વરૂપ માની શકાય નહીં. રણા જાણી તજે કર્મ-વિપાક-દોષો, રહે સ્વભાવે તડેં રાગ-રોષો; રાગાદિ ના તે પરમાણુ માત્ર ઉરે ઘરે ઇષ્ટ રૂપે સુપાત્ર. ૨૮ અર્થ - સમ્યકુદ્રષ્ટિ પુરુષો આ દેહ કુટુંબાદિને કર્મવિપાકના દોષોથી આવેલું ફળ જાણી, તેના પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરે છે. અને રાગદ્વેષના ભાવોને તજી સ્વભાવમાં મગ્ન રહે છે. તેવા સુપાત્ર સમ્યકુદ્રષ્ટિ જીવો રાગદ્વેષાદિ ભાવોને પરમાણુમાત્ર પણ ઇષ્ટ ગણીને હૃદયમાં સ્થાન આપતા નથી. ૨૮ આત્મા-અનાત્મા પણ ઓળખે ના, ગણાય સમ્યત્વ વિવેકી તે ના; જ્ઞાની, મુનિ, કેવળી, શુદ્ધ નામે ગણાય આત્મા પરમાર્થ માન્ય. ૨૯ અર્થ - જે આત્મા અને અનાત્મા એટલે શરીરાદિ જડ પુદ્ગલના સ્વરૂપને પણ ઓળખે નહીં, તે સમ્યકુદ્રષ્ટિ પુરુષ ગણાય નહીં. તે વિવેકી પણ ગણાય નહીં. કારણ કે જડ-ચેતનના ભેદને જાણે તે જ ખરો વિવેકી છે. જ્ઞાની, મુનિ, કેવળી એ નામો પણ શુદ્ધપણે ક્યારે ગણાય કે જ્યારે તે આત્માઓ પરમાર્થ સમકિતને પામેલા હોય ત્યારે. રા. તેમાં સ્વભાવે સ્થિતિ ઘારનારા મુનિ ભવાબ્ધિ તર તારનારા. રાગાદિથી બંઘ, વિરાગતાથી મુકાય જીવો, જિન સર્વ સાક્ષી. ૩૦ અર્થ :- આત્મસ્વભાવમાં સ્થિતિ ઘારનારા મુનિ જ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારી શકે છે. રાગદ્વેષાદિ ભાવોથી જીવને કર્મબંઘ થાય છે. અને વિરક્તભાવથી જીવો કર્મથી મુકાય છે. આ વાતના સર્વ જિનેશ્વરો સાક્ષી છે; અર્થાત્ સર્વ જિનેશ્વરોનું એ જ કહેવું છે. પરમકૃપાળુદેવે પણ આત્મસિદ્ધિની સોમી ગાથામાં એ જ કહ્યું છે : “રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩િ૦ગા. જ્ઞાની ગણે ના પર વસ્તુ મારી, સ્વ સર્વ આત્મા જ, અસંગ ઘારી; છેદાય તેથી પર વસ્તુ તોયે, બગાડ મારો ને જરાય હોય. ૩૧ હવે જ્ઞાની પુરુષોની આત્મભાવના કેવી હોય તે જણાવે છે : અર્થ - સાચા આત્મજ્ઞાની પુરુષો શરીરાદિ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પોતાનો માત્ર એક આત્મા જ, જે સદા અસંગ સ્વભાવવાળો છે. તેથી પરવસ્તુ શરીરાદિ છેદાવાથી મારો જરાય બગાડ થતો નથી એમ માને છે. જેમ પ.પૂ.પ્રભુશ્રીજી કહે–ચકરી ચઢે, બેભાન થઈ જવાય પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. ૩૧ાા ભેદાય દેહાદિ ભલે, ભણું ના–“મને પડે દુઃખ” મને ગણું ના; ચોરાઈ જાયે ઘન સર્વ તોયે, “બધું ગયું મુંજ' ઉરે ન હોય. ૩૨ અર્થ - જ્ઞાની પુરુષો, દેહાદિ ભલે ભેદાઈ જાય તો પણ કોઈને કહે નહીં કે મને દુઃખ પડે છે. મન Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પર એ વાતને લેતા નથી. તેમનું સર્વ ઘન ચોરાઈ જાય, તો મારું બધું ગયું એમ તેમના હૃદયમાં હોય નહીં. [૩રા. જાઓ બળી સર્વ વિનાશ-પાત્ર, યથેચ્છ છૂટો પર વસ્તુ માત્ર; મારું બળે ના પરમાણુ માત્ર, ન રોમ મારું ફરકાય અત્ર. ૩૩ જેને આત્મભાવના દ્રઢ થઈ હોય તેના કેવા વિચાર હોય તે કહે છે : અર્થ :- જે નાશવંત વસ્તુઓ કાળાંતરે વિનાશને પાત્ર છે તે ભલે બળી જાઓ કે નાશ પામો, જે મારા સ્વરૂપથી માત્ર પર છે તે વસ્તુઓનો વિયોગ થાઓ કે જેમ થવું હોય તેમ થાઓ; તેમાં મારું પરમાણુ માત્ર પણ બળતું નથી. તેથી મારું એક રોમ પણ ફરકાય નહીં. એવી માન્યતા જ્ઞાની પુરુષોની હોય છે. નમિરાજર્ષિને ઇન્દ્ર માયાથી મિથિલાનગરી બળતી દેખાડીને કહ્યું : તમારી મિથિલા બળે છે. ત્યારે નમિરાજર્ષિ કહે : મિથિલા બળવાથી મારું કંઈ બળતું નથી. ૩૩ આત્મા નથી છેદ્ય, અભેદ્ય નિત્ય, અજન્મ, વૃદ્ધિ-મરણે રહિત; એવું ગણી ત્યાં રત-ચિત્ત થાઉં, સ્વભાવ-સંતુષ્ટ બની શમાઉં. ૩૪ અર્થ – આત્મા કોઈથી છેદી શકાય નહીં. તે સદા અભેદ્ય છે. તેનો કદી જન્મ નથી. તે આત્માના પ્રદેશો કદી વઘતા નથી, કે તે કદી મરતો નથી. એવું માનીને તે આત્મામાંજ સદા તન્મય થાઉં. પોતાના સ્વભાવમાં જ સંતુષ્ટ બની તેમાં જ સમાઈ રહ્યું. “સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ રહ્યા.” ||૩૪માં તૃપ્તિ સ્વભાવે ઘરી ઉર રાખું, સદા મહા ઉત્તમ સુખ ચાખું. આઘાર આત્મા તણી ભાવનાનો, ટકાવતાં કેવળજ્ઞાન પામો. ૩૫ અર્થ - આત્મસ્વભાવમાં જ ખરી તૃપ્તિ છે. એ વાતને મારા હૃદયમાં ઘરી રાખી જો સપુરુષાર્થ કરું તો હું પણ સદા આત્માના મહાન સુખને ચાખી શકું. તે ઉત્તમસુખનો આધાર આત્માની ભાવના છે. તે આત્મભાવનાને ટકાવી રાખનાર કેવળજ્ઞાનને પામે છે. માટે પરમકૃપાળુદેવે મંત્ર રૂપે જણાવ્યું કે : “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩૫ જ્ઞાની ઘરે ભાવ સદાય એવા, ઉપાસકે તે ન વિસારી દેવા; શક્તિ પ્રમાણે સમજી વિચારો, પરોક્ષ-પ્રત્યક્ષ તણા પ્રકારો. ૩૬ અર્થ :- જ્ઞાનીપુરષો તેમના હૃદયમાં સદાય આતમભાવનાને ઘરી રાખે છે. માટે જે આત્મપ્રાપ્તિના ખરા ઉપાસક હોય તેમણે પણ આતમ ભાવનાને સદાય જાગૃત રાખવાનો પ્રયત્ન કરવો, તેને ભૂલી જવી નહીં. પોતાની શક્તિ પ્રમાણે એ આત્મભાવનાને સમજી, તેનો વિચાર કરવો. આત્મા જેને પ્રત્યક્ષ થયો છે તે અનુભવથી સમજીને આત્મભાવનાને કેવળજ્ઞાન મેળવવા અર્થે ઉપાસે છે; પણ જેને આત્મા હજી પરોક્ષ છે, તેણે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા રાખી, તેમણે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. એમ વિચારીને સદૈવ આત્મભાવના ભાવવી યોગ્ય છે. //૩૬ાા આતમ ભાવના ભાવી જેણે રાગદ્વેષ અજ્ઞાનને સંપૂર્ણ જીત્યા એવા જિનપરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવના કરી મારા આત્માનું કલ્યાણ કરું. હે પ્રભુ! આપ ચારગતિરૂપ સંસારનું ભ્રમણ ટાળી સંપૂર્ણ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૯૮) જિન-ભાવના ૪૪૩ આત્મસ્વરૂપને પામ્યા, તેમ હું પણ આપની પાસે એવી આત્મભાવના ભાવું કે જેથી મારું પણ આ ચારગતિમાં ભટકવાનું અટકી જાય. કારણકે જેવું આપનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે તેવું જ નિશ્ચયનયની અપેક્ષાએ મારા આત્માનું પણ સ્વરૂપ છે. માટે હે નિર્મોહી નાથ! મને સદાય આપના શરણમાં રાખો. જેથી હું પણ આપના બોઘબળે આપની ભક્તિથી અગાઘ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા આ મોહને જીતી સર્વકાળને માટે પરમ આત્મશાંતિને પામું. એવા પ્રકારની અનેક જિન ભાવનાઓ જેમાં ભાવી છે એવા આ પાઠની હવે શરૂઆત કરે છે. (૯૮) જિન-ભાવના (વસંતતિલકા વૃત્ત) શ્રી રાજચંદ્ર-ચરણે કરી વંદના હું, અલ્પજ્ઞ તોય જિન-ભાવ ઉરે ઘરું છું; જો કે કળા ન તરવા તણી જાણી તોયે, નૌકા તણી મદદથી જલધિ તરાયે. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદના કરીને, હું અલ્પ બુદ્ધિવાળો હોવા છતાં, જિનેશ્વર ભગવાનની અનેક પ્રકારે ભક્તિભાવના કરવાના ભાવોલ્લાસ હૃદયમાં રાખું છું. જો કે ભવસમુદ્ર તરવાની કળા મેં જાણી નથી તો પણ સત્પરુષરૂપી વહાણના આશ્રયથી ભવરૂપી જલધિ એટલે સમુદ્ર અવશ્ય તરી શકાય છે એમ માનું છું. “તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત થર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજાં કંઈ સામર્થ્ય નથી એવા અબુઘ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અથીરજથી ખેદ કર્તવ્ય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૪૩ (પૃ.૬૨૬) ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગ્યો, પામ્યો અચાનક સુયોગ, વિચાર જાગ્યો - હે! જીવ, શાંત-રસ-પૂર્ણ વિભું ભજી લે, દુઃખો અનંત ઘૂંટશે, હિત આ સજી લે. ૨ અર્થ :- હે પ્રભુ! આ ચારેય ગતિમાં અનાદિથી ભટકતાં મને બહુ થાક લાગ્યો, તેમાં અચાનક મહાભાગ્યોદયે આપ પ્રભુનો સુયોગ પ્રાપ્ત થતાં એવો વિચાર જાગ્યો કે હે! જીવ, હવે તું પરમશાંતરસથી પરિપૂર્ણ એવા વિભુ એટલે પ્રભુને ભજી આત્મપ્રાપ્તિ કરી લે, જેથી ભવિષ્યમાં આવનારા અનંતદુઃખોનો નાશ થઈ તારા આત્માનું કલ્યાણ થાય. હવે જીવનમાં આવેલી આવી તકને સાધ્ય કરી લે; જવા દઈશ નહીં. આર્તિ હરો ત્રિ-જગની જિનનાથ, વંદું; ક્ષિતિ-તલે અમૅલ ભૂષણ, શું પ્રશંસું? સંપૂર્ણતા વરી તમે પરમાત્મ-ભાવે; ઇચ્છું ભવાબ્ધિ-જલ-શોષણ-લાભ આવે. ૩ અર્થ :- આર્તિ એટલે દુઃખ, પીડા. હે જિનનાથ! આપને વંદન કરી પ્રાર્થના કરું છું કે આપ ત્રણેયલોકના જીવોની ત્રિવિઘતાપની પીડાનો નાશ કરો. આ ક્ષિતિત્તલ એટલે પૃથ્વીતલ ઉપર અમૂલ્ય ભૂષણરૂપ એટલે શોભારૂપ એવા આપ પ્રભુની હું શું પ્રશંસા કરું? તમે તો પરમાત્મભાવને પામી આત્મસિદ્ધિની સંપૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એવું હું પણ ઇચ્છું છું કે મારું આ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રનું જળ સુકાઈ જઈ, મને પણ આત્મલાભની પ્રાપ્તિ થાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ४४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હે! નાથ, મોક્ષ-પથ-નાયક, હાથ ઝાલો, કમોં કઠિન ચૅરનાર સહાય આલો; હે! વિશ્વ-તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા. ૪ અર્થ - હે નાથ! મોક્ષમાર્ગના નાયક, આ સંસારમાં ડૂબતા એવા આ પામરનો આપ હાથ ઝાલો. હે કઠીન કર્મોને ચૂરનાર એવા પ્રભુ! મને પણ કર્મોને હણવામાં સહાય આપો. જડ ચેતનાત્મક વિશ્વ તત્ત્વને સમજી, જગત જીવોને સમજાવનારા એવા હે પ્રભુ! આપને સાચા ભક્તિભાવે વંદન કરવાથી અમારા પણ આત્મગુણો પ્રગટ થજો, એમ ઇચ્છીએ છીએ. આશ્ચર્ય સર્વ ઘરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મ-ગુણ દાસ તણા જગાવો; આત્માર્થી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોઘરૂપ બનવા પ્રભુ, જીવવું છે. ૫ અર્થ - હે પ્રભુ! આપનું અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સર્વ આશ્ચર્યમય છે. એવા સર્વ આશ્ચર્યને ઘારણ કરનારા પ્રભુ! આપ મારા હૃદયમાં પધારો. આ દાસના પણ સંપૂર્ણ આત્મગુણો જે તિરોભાવે રહેલા છે તેને આવિર્ભાવે કરી, મોહનીદ્રામાંથી જાગૃત કરો. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો આત્માથી હીન છે, તેની આપની પાસે હવે કોઈ માગણી નથી. પણ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા બોઘરૂપ એટલે જ્ઞાનરૂપ બનવા અર્થે હે પ્રભુ! હવે માત્ર જીવવું છે. માટે આ પામરને તેમ થવા સહાય આપો. હે! મોક્ષ-મૂર્તિ, સહજાત્મફૅપી સુખાબ્ધિ, સિદ્ધાંત સર્વ ઉર ઘારી રહ્યા અરૂપી; આનંદ-કંદ જગમાં જયવંત વાણી–આપે કહી, ભવ-દવે બની મેઘ-પાણી. ૬ અર્થ :- હે સાક્ષાત્ જંગમરૂપ મોક્ષની મૂર્તિ સમા પ્રભુ! આપ સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરનારા હોવાથી સુખાબ્ધિ એટલે સુખના સમુદ્ર છો. આપનો આત્મા સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયના સિદ્ધાંતોને ઘારણ કહેલો હોવા છતાં અરૂપી છે. આપ જગતના જીવોને માટે આનંદના કંદ એટલે મૂળ છો. જયવંત એટલે જેનું અસ્તિત્વ ત્રણે કાળમાં છે, એવી આપે વાણી પ્રકાશી, કે જે ભવદવ એટલે સંસારરૂપી દાવાનલને ઠારવા માટે મેઘ-પાણી એટલે વરસાદના ઘોઘ સમી સિદ્ધ થઈ. સંસાર-હેતુ ઘનઘાર્તા-તરુ ઉખેડી, બંઘુ બન્યા સકલ ભવ્ય જીંવો જગાડી; જ્ઞાને ભર્યા પરમ સુખ અનંત ભોગી, કામે હણાય જગ સર્વ, તમે અભોગી. ૭ અર્થ :- આ સંસારના કારણ એવા ઘનઘાતી કર્મરૂપી વૃક્ષને ઉખેડી, તથા બોઘવડે સર્વ ભવ્ય જીવોને મોહનીદ્રામાંથી જાગૃત કરી આપ સર્વના કલ્યાણ મિત્ર બન્યા છો. વળી આપ સર્વોત્કૃષ્ટ એવા કેવળજ્ઞાનવડે ભરપૂર હોવાથી આત્માના અનંતસુખના ભોગી છો, જ્યારે સર્વ જગતવાસી જીવો કામવાસનાથી હણાઈ ત્રિવિષે તાપાગ્નિના દુઃખને ભોગવે છે. પણ તમે અભોગી હોવાથી પરમસુખી છો. દેખો ત્રિલોક, તમને નહિ કોઈ દેખે, છો હિતકારી જગને, પણ કોક લેખે; ના જાણિયે હિત-અહિત, ભલા તમે તો છો બાળ-વૈદ્ય સમ, મંદમતિ અમે તો. ૮ અર્થ - આપ ત્રણેય લોકને જ્ઞાનબળે જુઓ છો. જ્યારે તમારા અરૂપી એવા શુદ્ધ સ્વરૂપને કોઈ જોઈ શકતું નથી. આપ જગતવાસી જીવોનું બોઘબળે પરમહિત કરનાર હોવા છતાં આપની અનંતી કરુણાને કોઈક જ ઓળખી શકે છે. અમારા આત્માનું હિત શામાં છે અને અહિત શામાં છે તે અમે જાણતા નથી. પણ તમે ભલા હોવાથી અમારા જેવા બાળ-અજ્ઞાની જીવો માટે નિષ્ણાત વૈદ્ય સમાન છો. અમે તો Page #45 -------------------------------------------------------------------------- ________________ (૯૮) જિન-ભાવના ૪૪૫ મંદ બુદ્ધિવાળા છીએ. માટે સમ્યજ્ઞાનરૂપી ઔષધ આપી અમારી અનાદિની આત્મભ્રાંતિનો નાશ કરો. સાચા પુરુષ પુરુષાર્થ ખરો તમારો, આઘાર એક જગના, અમને ઉગારો; નિર્મોહ-જ્ઞાન-નયને સઘળું નિહાળો, ત્રૈલોક્ય-હિત-કરતા, ભવ-દુઃખ ટાળો. ૯ અર્થ ઃ— આપ જગતમાં સાચા મહાપુરુષ છો. જગત જીવોને તા૨વાનો આપનો પુરુષાર્થ પણ યથાર્થ છે. જગતવાસી જીવોના આપ એક જ આધાર છો. માટે હે પ્રભુ! અમારો હવે ઉદ્ઘાર કરો. આપ નિર્મોહી હોવાથી કેવળજ્ઞાનરૂપ નયનથી સર્વ લોકાલોકને જુઓ છો. અને ત્રણેય લોકના જીવોનું ઉપદેશવડે હિત કરનાર છો માટે અમારા સર્વ ભવદુઃખનો હવે નાશ કરો. આરાધના-ચતુર બોઘ વડે કરાવો, છોડાવી ચાર ગતિ, પંચર્મીમાં ઠરાવો; ષપુિ-ઘાત કરવા બળ આપનારા, સાતે ભયો દૂર કરો દઈ બોઘ-ઘારા. ૧૦ અર્થ :– હે પ્રભુ! બોધવડે કરી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચતુર્વિધ આરાઘના કરાવો કે જેથી અમારી ચાર ગતિ છુટી જઈ પંચમ ગતિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. કામ, ક્રોધ, લોભ, મદ, (અહંકાર) મોહ (વિપરીત માન્યતા) અને મત્સર (ઇર્ષા, અદેખાઈ) એ ષડ્પુ એટલે છ શત્રુઓની ઘાત કરવા બળ આપનારા હે પ્રભુ! હવે બોધની ધારા વરસાવી અમારા સાતેય ભય - આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગૃતિ અને અકસ્માતભયને દૂર કરો. આઠે ગુણો અકળ સિદ્ધ તણા કળાવો, ને બ્રહ્મચર્ય નવનિધ વળી પળાવો; થર્મો દશે યતિતણા પ્રગટાવી દેતા, અગ્યાર શ્રાવકતણી પ્રતિમા કહેતા; ૧૧ અર્થ :– અકળ એટલે કળી ન શકાય એવી અરૂપી સિદ્ધ ભગવાનના આઠ ગુણો તે અમને કળથી સમજાવો. તે આ પ્રમાણે છે. ઘાતીયા ચાર કર્મમાં (૧) મહામોહ એવા દર્શનમોહનીય કર્મના ક્ષયથી ક્ષાયક્ સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. (૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંતજ્ઞાન અને (૩) દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન તથા (૪) અંતરાયકર્મના ક્ષયથી અનંતવીર્ય ગુણ પ્રગટે છે તથા અઘાતીયા ચાર કર્મમાંના (૫) નામકર્મના અભાવથી અરૂપીપણું-દેહાતીત દશા પ્રગટે છે, જેને સૂક્ષ્મત્વગુણ પ્રગટ્યો કહેવાય છે. (૬) આયુષ્યકર્મના ક્ષયથી જુદી જુદી ગતિઓમાં જુદી જુદી અવગાહના એટલે આકાર થતો હતો તે મટી જઈ હવે સિદ્ધ અવસ્થામાં અચળ અવગાહના થવાથી અવગાહના ગુણ પ્રગટ્યો કહેવાય છે. (૭) વેદનીયકર્મના ક્ષયથી હવે સુખદુઃખનો અભાવ થઈ અવ્યાબાધ ગુણ પ્રગટ્યો તથા (૮) ગોત્રકર્મના અભાવથી ઊંચનીચપણું મટી જઈ અગુરુલઘુ નામનો આત્માનો ગુણ પ્રગટ્યો એમ કહેવાય છે. તથા બ્રહ્મચર્યરૂપી સુંદર વૃક્ષની રક્ષા કરનારી નવ નિધિઓને નવ વાડ કહેવાય છે. તે નવવાડ સહિત બ્રહ્મચર્યનું અમારી પાસે પાલન કરાવો. તે નવવાડ આ પ્રમાણે છે :- વસતિ, કથા, આસન, ઇન્દ્રિય નિરીક્ષણ, કુડ્યાંતર, પૂર્વક્રીડા, પ્રણીત, અતિ માત્રા આહાર અને વિભૂષણ. હવે યતિ એટલે મુનિના દશ ઘર્મોને અમારામાં પ્રગટાવો તે આ પ્રમાણે :- ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. અથવા યોગ્યતાનુસાર પંચમ ગુણસ્થાનવર્તી નૈષ્ઠિક શ્રાવકની અગ્યાર પ્રતિમા છે તેનું પાલન કરાવો. તે આ પ્રમાણે છે ઃ-(૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (દેશ વિરતિધારી શ્રાવક) (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) સચિત્તવસ્તુ ત્યાગ પ્રતિમા (૬) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા (૭) બ્રહ્મચર્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ४४६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રતિમા (૮) આરંભ ત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહ ત્યાગ પ્રતિમા (૧૦) અનુમતિ ત્યાગ પ્રતિમા અને (૧૧) ક્ષુલ્લક શ્રાવક પ્રતિમા. બારે ય અંગ, વળી તેર કહી ક્રિયા તે, ચૌદે ય પૂર્વ, ગુણસ્થાન બઘાં કહ્યાં છે, તે માર્ગ પૂર્ણ કરુણા કરતા બતાવો, ને શુદ્ધ ભાવ ઉરમાં નિશદિન લાવો. ૧૨ અર્થ - હે પ્રભુ!કૃપા કરી અમને બાર અંગ ભણાવો. તે આ પ્રમાણે :- (૧) આચારાંગ (૨) સૂત્રકતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતાધર્મ કથાંગ (૭) ઉપાસકાધ્યયન અંગ (૮) અંતકૃતદશાંગ (૯) અનુત્તરોપપાદક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્રાંગ અને (૧૨) દ્રષ્ટિવાદ વળી તેર પ્રકારની ક્રિયાઓની સમજણ આપો. તે આ પ્રકારે છે :- (૧) પ્રયોજનભૂત ક્રિયા – જરૂરી કામમાં છકાય જીવની હિંસા થાય તે (૨) અપ્રયોજનભૂત ક્રિયા - તેમાં વિકથાઓ, નિંદા કરવી, પાપોપદેશ કરવો વગેરે (૩) હિંસાની ક્રિયા - જેમાં કોઈ જીવનો પ્રાણ હણાય એવી ક્રિયા (૪) અજાણક્રિયા - અજાણપણે થતી પાપમાં પ્રવૃત્તિ (૫) અવળી ક્રિયા - વિપરીત સમજણથી થતી ક્રિયા તે. (૬) જૂઠ બોલવાની ક્રિયા (૭) ચોરી કરવાની ક્રિયા (૮) માઠાભાવની ક્રિયા (તન્દુલમસ્યની જેમ) (૯) અહંકારમાન મેળવવાની ક્રિયા (૧૦) ક્રૂર ભાવવાળી ક્રિયા (૧૧) માયાવીની ઠગવારૂપ ક્રિયા (૧૨) લોભથી થતી પાપની ક્રિયા (૧૩) સાધુજીવન જીવવાની ક્રિયા - રત્નત્રયને આરાઘવાની ક્રિયા. આમાં બારેય ક્રિયા ત્યાગવારૂપ છે. અને તેરમી સાધુજીવનની ક્રિયા ઘર્મરૂપ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. - ચૌદપૂર્વ કરુણા કરી બતાવો. તે આ પ્રમાણે છે :- બારમા અંગ દ્રષ્ટિવાદના પાંચ ભેદ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વ અને (૫) ચૂલિકા. તેના ચોથા ભેદ પૂર્વમાં આ ચૌદ પૂર્વ છે. તેના નામ નીચે મુજબ છે :- (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી પૂર્વ (૩) વીર્યાનુવાદ પૂર્વ (૪) અસ્તિનાસ્તિ પ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ (૮) કર્મ પ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાન પૂર્વ(૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણાનુવાદ પૂર્વ (૧૨) પ્રાણવાદ પૂર્વ (૧૩) ક્રિયા વિશાલપૂર્વ | (૧૪) કૈલોક્ય બિંદુ સારપૂર્વ ચૌદ ગુણ સ્થાન બધા કહ્યાં તે પણ સમજાવો. તે આ પ્રમાણે છે :- (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યકુદ્રષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ બાદર (૧૦) સૂક્ષ્મ સાંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગીકેવળી (૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક. સમ્યક્દર્શનથી લગાવીને ચૌદમા ગુણસ્થાનક સુધીનો સંપૂર્ણ મોક્ષમાર્ગ કરુણા કરી મને બતાવો તથા મારા હૃદયમાં શુદ્ધ ભાવ નિશદિન રહે એવી કૃપા કરો. સ્તુતિ કરે સુરપતિ પ્રભુજી, તમારી, સંતોષ, પુણ્ય ઉભયે ઉરમાં વઘારી; જો છત્ર સૂર્ય ભણી કોઈ ઘરે બપોરે, છાયા પડે નિજ શિરે, સુખ-શોક હોય. ૧૩ અર્થ – હે પ્રભુ! આપના દર્શનથી ઇન્દ્રના મનમાં પરમ સંતોષ થયો તેમજ પુણ્ય પણ વધ્યું. એમ ઉભય એટલે બેય ભેગા મળવાથી ઇન્દ્ર આપની પરમભક્તિથી સ્તુતિ કરે છે. જેમ કોઈ સૂર્ય સમક્ષ બપોરે છત્ર ઘારણ કરે તો તેના માથા ઉપર છાયા પડે અને સુખરૂપ શોભા પણ થાય. તેમ પ્રભુની સ્તુતિથી અનેકવિઘ લાભ થાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ (૯૮) જિન-ભાવના દેતા ન આપ, પણ ભક્તિર્થી સુખ લાઘે, જે આપથી વિમુખ તે જન દુઃખ સાથે; આદર્શની નજ઼ક કો ઘરતાં પદાર્થ, સૌંદર્ય કે વિરૂપતા ઝળકે યથાર્થ. ૧૪ ૪૪૭ અર્થ – આપ વીતરાગ હોવાથી ભક્તને કાંઈ આપતા નથી. પણ તેને આપની ભક્તિ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થઈ અંતરશાંતિ વગેરે અનેક પ્રકારના ભૌતિક લાભ થાય છે. પણ જે આપથી વિમુખતૃષ્ટિવાળા છે તે જન દુઃખને પામે છે. જેમ આદર્શ એટલે અરીસાની નજીક કોઈ પદાર્થ મૂકવામાં આવે તો તે સુંદ૨ હોય કે અસુંદર હોય, અરીસામાં તે યથાર્થ ઝળકી ઊઠે છે. તેમ કોઈ ભગવાનની સન્મુખ હોય કે વિમુખ હોય, તે તેવા પુણ્ય કે પાપના લાભને અવશ્ય પામે છે. મોટાઈ આપની અકિંચન તોય કેવી? શ્રીમંત આર્પી ન શકે ચીજ આપ જેવી; ઊંચા ગિરિથી નદીઓ પથરેય ફૂટે, વારિધિથી ન નદી એક કદી વછૂટે. ૧૫ અર્થ :— હે પ્રભુ ! આપ અકિંચન એટલે આપની પાસે કાંઈ ન હોવા છતાં આપની મોટાઈ કેવી છે કે જે શ્રીમંત પુરુષો પણ આપી ન શકે એવી વસ્તુ આપ આપો છો. કરોડો રૂપિયા આપતાં પણ સમ્યક્ દર્શન આદિ રત્નત્રય ન મળી શકે તે આપ આપો છો. ઊંચા પહાડો ઉપરથી નદીઓ પત્થર પર પડી ટૂટી ફૂટીને માર ખાય છે. પણ તે જ નદીઓ વારિધિ એટલે સમુદ્રમાં ભળી ગયા પછી એક પણ નદી તેનાથી કદી વછૂટે નહીં, અર્થાત્ છૂટી પડે નહીં. તે સમુદ્રમાં ભળી શાંતિથી રહે છે. તેમ સંસારમાં હું પણ અનંતકાળથી ચારગતિમાં કૂટાઈ પિટાઈને માર ખાઈ અથડાઉં છું. પણ એકવાર જો આપના શુદ્ધ સ્વરૂપમાં ભળી જાઉં તો સર્વકાળ તે સ્વરૂપમાં જ નિવાસ કરીને શાંતિથી રહ્યું અને અનંતકાળે પણ તે સ્વરૂપથી કદી છૂટો પડું નહીં. ચિત્તેય દર્શન તણો અભિલાષ જાગે, કે કૂંપળો ફૂટતી પુણ્ય-૨સાલ-અગ્રે, આંબો . પ્રફુલ્લ બનતો ચરણે નમું જ્યાં, પાકે ફળોય કરુણા નજરે જુઓ ત્યાં. ૧૬ અર્થ :– હે પ્રભુ! જ્યારે મારા ચિત્તમાં આપના દર્શન કરવાનો અભિલાષ જાગે છે ત્યારે તો જાણે પુણ્યરૂપી આંબાની ડાળીઓ ઉપર કૂંપળો ફૂટી ગઈ હોય તેમ ભાસે છે. અને જ્યારે હું આપના દર્શન કરી પ્રફુલ્લિત મનથી ભાવભક્તિ સહિત આપના ચરણકમળમાં નમસ્કાર કરું છું ત્યારે તે આંબો જાણે કેરીઓના ભારથી નીચે નમી રહ્યો હોય એમ લાગે છે. અને જ્યારે મારી ભક્તિવડે આપ પ્રસન્ન થઈ કરુણા નજરે મારી સમક્ષ જુઓ છો ત્યારે તો જાણે કેરીઓ બધી પાકી જઈને અમૃત ફળરૂપે બની ગઈ હોય એમ જણાય છે. હવે આપની આજ્ઞાવડે તે અમૃતફળ ખાઈને સદા સુખી રહીશું એવો ભાવોલ્લાસ મનમાં પ્રગટે છે. ઉત્પાદ આદિ વચને કરી જો કૃપા તો, સૌ ગૌતમાદિ ગણ-નાથ રચે સુશાસ્ત્રો; રાજા ગ્રહે કર, બને મહિષી દરિદ્રી, સર્વજ્ઞની નજ૨ ચૂરી કર્મ-અગ્નિ. ૧૭ અર્થ – હે પ્રભુ! આપે ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ વચનોવડે ત્રિપદી આપીને કૃપા કરી તો સૌ ગૌતમાદિ ગણઘર પુરુષો દ્વાદશાંગીરૂપે સત્શાસ્ત્રના રચનાર થયા. જેમ કોઈ રાજા, દરિદ્રી એટલે ગરીબ કન્યા સાથે પાણિગ્રહણ કરે તો તે ગરીબ કન્યા મહિષી એટલે રાણી બની જાય. તેમ આપ સર્વજ્ઞ પ્રભુની કરુણા નજર, કર્મથી પીડાતા સાચા ભક્ત ઉપર પડે તો તેના કર્મરૂપી અદ્રિ એટલે પર્વતના ચૂરેચૂરા થઈ જાય અર્થાત્ તેના સર્વ કર્મ નાશ પામે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ४४८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિર્મોહી નાથ, અમને શરણે સદાય, રાખો બની જનન, આત્મિક હિત થાય; બોઘામૃતે ઊછેરીએ, ન કમી કશાની, શ્રદ્ધા-પ્રીતિ શિશુ-સમી ગણજો નિશાની. ૧૮ અર્થ – હે નિર્મોહી નાથ! આપ માતા સમાન બનીને, આપના શરણે અમને સદાય રાખો; જેથી અમારા આત્માનું કલ્યાણ થાય. અમે આપના બોઘરૂપી અમૃતનું પાન કરીને સદા ઊછરીએ, જેથી અમારે કોઈ પ્રકારની કમી રહે નહીં. અમે આપના બાળક છીએ. તેની નિશાની શું? તો કે અમારી આપના પ્રત્યે બાળક જેવી શ્રદ્ધા અને પ્રીતિ છે એ જ પ્રત્યક્ષ નિશાની છે. આપ અમારા સર્વસ્વ છો. માટે આપના શરણે રાખીને અમારું અવશ્ય કલ્યાણ કરો. “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ.”-નિત્યક્રમ જિન-ભાવના' નામના પાઠમાં ભગવંત જિનેશ્વર પ્રત્યે પોતાના આત્મકલ્યાણ અર્થે અનેક પ્રકારની ઉત્તમ ભક્તિભાવના ભાવીને, હવે પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના પ્રેરણાદાયી જીવન ચરિત્રને અતિ સંક્ષેપમાં લખવાનો પૂ.શ્રી બ્રહ્મચારીજી પ્રયત્ન કરે છે. છતાં તેના સાત પાઠ થયા છે. તેમાં બાર ભાવનાઓ વગેરે ઉત્તમ બોધની રેલમછેલ કરી છે. તે આત્માને અદ્દભુત પ્રેરણા આપનાર છે. વાંચનારને તેનો અનુભવ થવા યોગ્ય છે. હવે તેની અહીં શરૂઆત કરે છે. (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ (શિવસુખ કારણ ઉપદિશી, યોગતણી અડદિઠ્ઠિ રે–એ રાગ) શ્રીમદ્ સગુરુ રાજજી, વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપાર હો, અમને ઉદ્ધરનારા રે, પ્રભુ પરમ ઉપકારી રે. અર્થ - શ્રીમદ્ સર્ગુરુ રાજચંદ્રજી, અમારા હૃદયમાં વિનય ગુણને વધારનારા છે. કેમકે ‘વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે.” માટે એમને અમારા અનંતવાર વંદન હો. અમને ઉત્તમ આત્મતત્ત્વ સમજાવી સંસારથી ઉદ્ધાર કરનારા એવા પરમકૃપાળુ પ્રભુ અમારા પરમ ઉપકારી છે. ૧૫ા. આદિ જિનેશ્વરની કથા અતિ સંક્ષિપ્ત ઉતારું રે, શુદ્ધ સ્વરૂપ ઉરે રહો, બનજો ભવજળ તારું રે. પ્રભુ અર્થ :- આ ઉત્સર્પિણી કાળમાં આદિ એટલે પ્રથમ તીર્થકર આદિનાથ જિનેશ્વર પ્રભુની કથાને અતિ સંક્ષેપમાં અત્રે ઉતારવાનો પ્રયત્ન કરું છું. એવા ભગવાનનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં સદાય જાગૃત Page #49 -------------------------------------------------------------------------- ________________ (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૪ ૯ રહો. તથા એ સ્વરૂપનું ધ્યાન મને સંસાર સમુદ્રથી તારનાર થાઓ. ||રા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરી છે, વિદેહ ક્ષેત્રે સારી રે, સાર્થવાહ ઘનશેઠ ત્યાં, ઘનાય છે વ્યાપારી રે. પ્રભુ અર્થ - જંબુદ્વીપના મહા વિદેહક્ષેત્રમાં આવેલ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર છે. ત્યાં ઘનશેઠ સાર્થવાહ નામનો ઘનાઢ્ય વ્યાપારી રહે છે. આ વ્યાપારી શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ છે. પૂર્વે જે ભવમાં સમકિત પામ્યા તે આ ભવ છે. અહીંથી શરૂઆત કરી તેરમા ભવે આ ઘનશેઠ સાર્થવાહનો જીવ તીર્થંકર પદને પામશે. સા. વસંતપુર જવા કરે, જ્યારે તે તૈયારી રે, ઘર્મઘોષ સૂરિ આવિયા, “ઘર્મ-લાભ” ઉચ્ચારી રે. પ્રભુ અર્થ :- જ્યારે વસંતપુર જવા શ્રી ઘનશેઠ તૈયારી કરે છે ત્યારે શ્રી ઘર્મઘોષ સૂરિએ આવી “ઘર્મલાભ' એમ શબ્દનો ઉચ્ચાર કર્યો. જા કહે: “અમે પણ આવીશું” શેઠે વાત સ્વીકારી રે, ઘન કહે: “ઘન્ય અમે અહો! થશો આપ ઉપકારી રે.” પ્રભુ અર્થ - પછી આચાર્ય ઘર્મઘોષ કહે : અમે પણ તમારી સાથે આવીશું. શેઠે આ વાત પ્રેમપૂર્વક સ્વીકારી, અને કહેવા લાગ્યા : અમે આજે ઘન્ય છીએ કે આપ જેવા મહાપુરુષો અને માર્ગમાં પણ ઉપકારી થશો. આપા સંઘ સમુદ્ર સમો વહે, ઘૂળ જળ સમ ઉછાળે રે, જળચર સમ નર, પશુ, શકટ; વને ચોમાસું ગાળે રે. પ્રભુ અર્થ :- સમુદ્રમાં જેમ તરંગો ચાલે તેમ સંઘ આગળ ચાલવા લાગ્યો. સમુદ્રમાં જેમ જળ ઉછળે તેમ બળદો, ઊંટો, ઘોડાઓ વગેરેથી ધૂળ આકાશમાં ઉડવા લાગી. તથા જળચર સમાન મનુષ્યો, પશુઓ તથા શકટ એટલે ગાડાઓ વગેરે ચાલતા ચોમાસું આવ્યું. તે વનમાં પડાવ નાખીને પસાર કર્યું. //કા સૂરિ-સ્મૃતિ થઈ શેઠને, ખેદ કરે : વિચાર્યા રે, જાતે જઈ સૂરિને નમી, દોષ ખમાઊં નિમંત્ર્યા રે. પ્રભુ અર્થ - એક દિવસ શેઠને ઘર્મઘોષ આચાર્યની સ્મૃતિ થઈ આવી. જેથી ખેદ કરવા લાગ્યા કે અહો હું ભગવંતની સંભાળ લેવાનું તો ભૂલી જ ગયો. હવે જાતે જઈ ભક્તિપૂર્વક પ્રણામ કરી, થયેલ દોષ ખમાવીને ગોચરી માટે પધારવા આમંત્રણ આપ્યું. આશા ગોચર-કાળે મુનિ ગયા, અન્નાદિ ના દેખે રે, તાજાં ઘૂ હતું તે દીધું, શેઠે બહુ બહુ હરખે રે. પ્રભુ અર્થ :- ગોચરી કાળે શેઠને ત્યાં મુનિ પધાર્યા. પણ તે સમયે અન્નાદિ વહોરાવવા માટેની વસ્તુઓ હાજર નહોતી. પણ શુદ્ધ તાજુ ઘી જોઈને ઘણા ઘણા હર્ષપૂર્વક ભક્તિસહ આપ્યું. તા. શેઠ બોધિ-બજ પામિયા, દાન થતાં સુપાત્રે રે, અપૂર્વ ભક્તિ ઉલ્લસી, વળી રોમાંચિત ગાત્રે રે. પ્રભુ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આવા ઉત્તમ સુપાત્રમાં ભાવભક્તિ સહિત દાન થતા ઘનશેઠ સાર્થવાહ બોધિ-બીજ એટલે સમકિતને પામ્યા. તે સમયે હૃદયમાં અપૂર્વ ભક્તિ ઉલ્લસવાથી તેમનું ગાત્ર એટલે શરીર રોમાંચિત થઈ ગયું. લા કહે: “કૃતાર્થ કર્યો મને”; મુનિને નમી વળાવે રે; મુનિ જતાં નિજ સ્થાનકે, “થર્મલાભ!” સુણાવે રે. પ્રભુ અર્થ - પછી શેઠ આનંદિત થઈ મુનિને કહેવા લાગ્યા : આજે મને આપે કૃતાર્થ કર્યો. હું ઘન્ય બની ગયો. એમ કહી મુનિને પ્રણામ કરી વળાવ્યા. મુનિ પણ “ઘર્મલાભ” કહી પોતાના સ્થાનકે ગયા. ||૧૦ના રાત્રે શેઠ ફરી ગયા, મુનિને વંદી, બેસે રે; મુનિવર કરુણા આણીને, ઘર્મતત્ત્વ ઉપદેશે રે. પ્રભુ અર્થ :- રાત્રે શેઠ ફરી મુનિ પાસે જઈ પ્રણામ કરીને બેઠા. મુનિઓમાં શ્રેષ્ઠ એવા આચાર્ય પણ કરુણા આણી ઘર્મતત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યા. /૧૧ના ઉત્તમ મંગલ ઘર્મ આ : સંયમ-તપ-અહિંસા રે, સદા ઘરો મન ઘર્મમાં; સુર પણ કરે પ્રશંસા રે. પ્રભુ અર્થ - ઘર્મ એ ઉત્કૃષ્ટ માંગલિક એટલે આત્માનું હિત કરનાર છે. તે ઘર્મ સંયમ, તપ અને અહિંસામય છે. એવા ઘર્મમાં મનને સદા ઘરી રાખો. દેવો પણ એવા ઘર્મની પ્રશંસા કરે છે. ૧૨ાા ઘર્મ જ પોષે જીવને મા સમ દયા બનીને રે, રક્ષણ પિતા સમું કરે, સંગતિ મિત્ર તણી તે રે. પ્રભુત્વ અર્થ :- ઘર્મ જીવને માતા સમાન દયાળ બની સારા ભાવો કરાવી પોષણ કરે છે. તથા પિતા સમાન ફકત્ય કરતાં અટકાવી રક્ષણ કરે છે. વળી ઘર્મ મિત્રની સંગતિ સમાન પ્રસન્નતાને આપે છે. [૧૩] ઘર્મ જ ભૂપ-પદે ઘરે, દે દેવાદિક ઋદ્ધિ રે, તીર્થંકર-પદ ઘર્મ દે, ઘર્મ વડે સૌ સિદ્ધિ રે. પ્રભુ અર્થ :- ઘર્મ જ જીવને રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવ કે ઇન્દ્રપદને આપે છે. ઘર્મથી જીવ નવ રૈવેયક કે પાંચ અનુત્તર વિમાનમાં જાય છે. તીર્થંકર પદ પ્રાપ્તિનું કારણ પણ ઘર્મ જ છે. ઘર્મવડે જગતમાં સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ||૧૪ દાન, શીલ, તપ ભાવથી ઘર્મ ચતુર્વિઘ જાણો રે, દરેકના વળી ભેદ છે, હિતકારક ઉર આણો રે. પ્રભુ અર્થ :- દાન, શીલ, તપ અને ભાવથી ઘર્મ ચાર પ્રકારે છે એમ જાણો. દરેકના વળી પાછા ભેદ છે. તેને હિતકારક જાણી હૃદયમાં લાવો. દાન માટે મૂળદેવનું દ્રષ્ટાંત, શીલ માટે શીલવતીની કથા, તપ માટે ઘન્ના અણગાર અને ભાવ માટે ઈલાયચીકુમારનું દ્રષ્ટાંત છે. ૧૫ જ્ઞાન અભય આહાર ને ઔષઘ આદિ દાને રેઉજ્જવળ કેવળજ્ઞાન લઈ, જાય જીવ શિવ-સ્થાને રે. પ્રભુ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૧ અર્થ - હવે પ્રથમ દાન વિષે કહે છે :-જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષઘદાન આદિ દાનવડે જીવ ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી મોક્ષસ્થાનમાં જઈ વિરાજે છે. ૧૬ાા ઘર્મ-તત્ત્વ સમજાવીને મોક્ષમાર્ગમાં જોડે રે, આત્મજ્ઞાનનું દાન આ દેતા મુનિવર કોડે રે. પ્રભુત્વ અર્થ - પ્રથમ જ્ઞાનદાન વિષે વાત કરે છે. જ્ઞાનીપુરુષો ઉત્તમ જીવોને ઘર્મ-તત્ત્વ સમજાવી મોક્ષમાર્ગમાં જોડે છે. આ આત્મજ્ઞાનનું દાન મુનિવરો સાચા ભાવપૂર્વક યોગ્ય જીવોને આપે છે. જેમકે ભગવાન મહાવીરથી બોઘ પામી પરમકૃપાળુદેવે ૫.પૂ.પ્રભુશ્રીજીને અને પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આત્મજ્ઞાનનું દાન આપ્યું. ૧ળા. તેવી શક્તિ ના હોય તે શાસ્ત્રો દે, અનુમો રે, જ્ઞાની-ગુણ વખાણતા ભક્તિ-ભાવ-પ્રમોદે રે. પ્રભુ અર્થ - જ્ઞાનદાન આપવાની શક્તિ ન હોય તો શાસ્ત્રનું દાન આપે. જેમ પરમકૃપાળુદેવે તેમના માતુશ્રી તથા ઘર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજીને તેમજ પ.પૂ.દેવકરણજીને જ્ઞાનાર્ણવ અને કાર્તિકેયાનુંપ્રેક્ષાના હસ્તલિખિત ગ્રંથોનું દાન કરાવ્યું. તથા જ્ઞાનદાનની ટીપમાં પણ તેમના પૈસા લખાવ્યા. તેવી પણ શક્તિ ન હોય તો અનુમોદના કરે કે જે કોઈ જ્ઞાનદાન કરે છે તે બધું સારું કરે છે એમ મનમાં ભાવ કરે. જેના હૃદયમાં જ્ઞાન રહેલું છે એવા જ્ઞાનીપુરુષના ગુણોને ભક્તિભાવથી પ્રમોદ પામી વખાણતા પણ જીવને જ્ઞાનનો લાભ થાય છે. જ્ઞાનદાનથી પ્રાણી જીવાદિ તત્ત્વોને જાણી, પોતાનું હિતાહિત સમજી અંતે કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૮ ત્રિવિથ હિંસા જે તજે, અભય-દાન તે આપે રે, પ્રાણ-નાશ, દુઃખ, ફ્લેશ એ ત્રિવિધ તાપ ઉત્થાપે રે. પ્રભુ અર્થ - હવે અભયદાનની વ્યાખ્યા કરે છે. જે ત્રિવિઘ એટલે મન, વચન, કાયાથી હિંસાનો ત્યાગ કરે છે તે જીવોને અભયદાન આપે છે. જેમકે કુમારપાળ રાજાએ પોતાના અઢાર દેશોમાં કોઈને મારવા નહીં એવો અમારી પડહ વગડાવ્યો હતો. મચ્છીમારોની જાળો લાવી બાળી નાખી હતી. તથા ઘોડાઓને પણ અણગળ પાણી પીવડાવતા નહોતા. એમ અભયદાન આપનાર જીવ, કોઈના પ્રાણનો નાશ કરવો, દુઃખ આપવું કે ક્લેશ કરવો એ ત્રિવિધ તાપાગ્નિને ઉખેડી બહાર ફેંકે છે. ૧૯ાા અન્ન-દવાદિ દાનના પ્રકાર પાંચ ગણાતા રે : ભાવ, કાળ, ગ્રાહકદશા, શુદ્ધ દેય ને દાતા રે. પ્રભુ અર્થ - અન્નદાન, ઔષથદાન, વસ્ત્રદાન, પાત્રદાન અને વસ્તીદાન એમ દાનના પાંચ પ્રકાર ગણાય છે. તે (૧) નિષ્કામ ભાવે દાન આપવું. (૨) યથાકાળ એટલે જે સમયે જેની જરૂર હોય તે આપવું. (૩) ગ્રાહકદશા એટલે સુપાત્રતા જોઈને આપવું. (૪) દેય એટલે દાન આપવાની વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. અને (૫) દાતા એટલે દાન આપનાર રાજીખુશીથી આપનાર હોવો જોઈએ. ૨૦ણા ન્યાયોપાર્જિત દેય દે, રહિત બેંતાળીસ દોષે રે, સુબુદ્ધિ દાતા હર્ષથી કૃતાર્થતા નિજ જોશે રે. પ્રભુ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ = અર્થ :- હવે ઉપરોક્ત પાંચેય પ્રકારની સ્પષ્ટતા કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેળવેલ વસ્તુ તે ઉત્તમ દેય ગણાય છે. મુનિને આહારનું દાન બેંતાળીસ દોષથી રક્ષિત આપનાર દાતા સુબુદ્ધિવાન છે. તે દાન આપી હર્ષથી પોતાની કૃતાર્થતા માનશે. ધનાભદ્રના ત્રણ ભાઈઓ પૂર્વભવમાં મુનિને દાન આપી પછી ભૂખ્યા રહેવાથી ખેદ કર્યો, તેથી બીજા ભવમાં જે મળે તે પાસે રહે નહીં પણ વેડફાઈ જાય. માટે દાન આપી હર્ષ પામવો પણ ખેદ કરવો નહીં. ।।૨૧।। ૪૫૨ જ્ઞાની ત્યાર્ગી સુપાત્ર છે જિતેન્દ્રિય સમદ્રષ્ટા રે, ગોચરી કાળ સુકાળ જો, સુભાવ નિઃસ્પૃહ શ્રદ્ધા રે. પ્રભુ અર્થ :– આત્મજ્ઞાન સહિત જ્ઞાનીપુરુષો સાચા અંતર્યામી હોવાધી દાન આપવાને સુપાત્ર અથવા ઉત્તમ ગ્રાહક છે; જે જિતેન્દ્રિય છે અને માન અપમાનાદિમાં સમાન વૃષ્ટિવાળા છે. ગોચરી કાળ તે સુકાળ છે, તે સમયે દાન આપે. અને શ્રદ્ઘાસહિત પૂજ્યબુદ્ધિથી નિસ્પૃહભાવે દાન આપે તે ભાવશુદ્ધિપૂર્વકનું દાન છે. આવાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુમેળ મળે તો જીવનું કામ થઈ જાય. ।।૨૨।। વ્રતરૂપ શીલના ભેદ બે ઃ મુનિ, ગૃહી ઉપાસે રે, સમકિત સહ વ્રત બાર તો પાળે જન ગૃહવાસે રે. પ્રભુ અર્થ :– હવે શીલધર્મની વ્યાખ્યા કરે છે. પાપમય મનવચનકાયાના યોગનું પ્રત્યાખ્યાન કરવું તે = શીલ એટલે સદાચાર કહેવાય છે. તે શીલના વ્રતરૂપે બે ભેદ છે. એક સર્વ વિરતિરૂપે પળાતો મુનિશ્ચર્ય અને બીજો ગૃહી એટલે ગૃહસ્થો દ્વારા દેશવિરતિરૂપે પળાતો શ્રાવકધર્મ. સમકિત સહિત જે પાંચ અણુવ્રત, ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રતને ઘરમાં રહેતા છતાં પાળે તે શ્રાવકધર્મ છે. ।૨૩।। આત્મજ્ઞાની મહાવ્રતી સર્વ-વિરતિ આરાધે રે, શિવ-મંદિરની શ્રેણીએ આત્મ-સિદ્ધિ તે સાથે રે, પ્રભુ અર્થ :— જે આત્મજ્ઞાન સહિત પંચ મહાવ્રતને સર્વવિરતિ એટલે સર્વ સંગ પરિત્યાગ કરીને આરાઘે તે મુનિધર્મ છે. તેવા જીવો મોક્ષરૂપી મહેલની સીડીએ ચઢતાં ચઢતાં શ્રેણી માંડીને સંપૂર્ણ આત્મસિદ્ધિને પામે છે. ।।૨૪।। તપ ઇચ્છા-નિરોથ છે, કર્મ-મેલ તે ગાળે રે, બાહ્યાવંતર ભેદ બે આત્માર્થી જન ભાગે રે; પ્રભુ અર્થ :– હવે તપધર્મનું સ્વરૂપ સમજાવે છે. ઇચ્છા નિરોધસ્તપઃ' મનમાં ઊઠતી અનેક પ્રકારની ઇચ્છાઓને રોકવી તેનું નામ તપ છે. ‘‘તપઃ નિર્જરા ચ’’ તપ નિર્જરા માટે હોવાથી તે કર્મમેલને ગાળે છે. તપના છ બાહ્ય ભેદ તે અનશન, ઊોઠરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા છે અને છ અત્યંતર ભેદ તે પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, ધ્યાન અને કાર્યોત્સર્ગ છે. જે આત્માર્થી હોય તે આ વાતને લક્ષમાં લે છે. IIરપા ઉપવાસાદિ બાહ્ય તો દેખાદેખી ય પાળે રે, સ્વાધ્યાયાદિ અન્યથી સુજ્ઞ જ વૃત્તિ વાળે રે. પ્રભુ અર્થ :— ઉપવાસાદિ બાહ્ય તપ દેખાદેખી લોકો પણ પાળે છે, પણ સ્વાધ્યાયાદિ અંતરંગ તપવર્ડ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૩ અન્ય પદાર્થોમાં ભટકતી વૃત્તિને કોઈ સુજ્ઞ પુરુષ જ પાછી વાળે છે. ૨૬ાા. રત્નત્રય-ઘારી તણી અનન્ય ભક્તિ વાળા રે, સેવા-સુશ્રુષા ચહી ઘરે ભાવ રૂપાળા રે. પ્રભુ અર્થ :- હવે ભાવઘર્મની વ્યાખ્યા ઉપદેશે છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયને ઘારણ કરનાર જ્ઞાની ભગવંત પ્રત્યે અનન્ય એટલે અદ્વિતીય ભક્તિ ભાવવાળા છે તથા તેમની સેવા-શુશ્રુષા એટલે સેવાચાકરી ઇચ્છી અર્થાત તેમની આજ્ઞા ઉઠાવવાનો રૂપાળો ભાવ હૃદયમાં રાખનારા છે, તેવા ઉત્તમ જીવો ભાવઘર્મની આરાઘના કરે છે. રશા ભવ-સુખ જાણે દુઃખ તે, ભવ-મુક્તિ તે ભાવે રે, શુદ્ધ ભાવ જ્યાં ના ટકે સવિચાર ઉર લાવે રે. પ્રભુત્વ અર્થ :- જે સંસારના સુખને દુઃખરૂપ જાણે છે. જે આ સંસારથી મુક્ત થવાની ભાવના ભાવે છે. જ્યારે શુદ્ધભાવ આત્મામાં ટકે નહીં ત્યારે સ્વાધ્યાય દ્વારા સવિચારવડે શુભભાવમાં મનને રોકે છે. તે ભાવઘર્મ આરાધે છે. ર૮. ચાર ભેદમય ઘર્મ આ ભવના ફેરા ટાળે રે, સાવઘાન થઈ સાઘતાં સર્વ કર્મ-મળ બાળે રે.” પ્રભુ અર્થ :- આ ચાર પ્રકારનો દાન, શીલ, તપ અને ભાવરૂપ ઘર્મ, ચાર ગતિરૂપ સંસારના ફેરાને ટાળનાર છે. જો સાવધાનીપૂર્વક એટલે ઉપયોગસહિત આ ચતુર્વિઘ ઘર્મનું આરાઘન કરવામાં આવે તો સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય. કેમ કે ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ઘર્મ છે, ક્રિયા એ કર્મ છે અને પરિણામે બંઘ કહ્યો છે. રા. ઘનશેઠે હર્ષે કહ્યું: ઘર્મ ન સુણ્યો આવો રે, વ્યર્થ જીવન વહી ગયું, શ્રવણે આજે આવ્યો રે.” પ્રભુ અર્થ – ઘનશેઠ સાર્થવાહે હર્ષપૂર્વક કહ્યું : ઘર્મનું આવું સ્વરૂપ મેં ક્યારેય સાંભળ્યું નથી. મારું બધું જીવન વ્યર્થ વહી ગયું. આજે ઘણા કાળે આવો ઉત્તમ ઘર્મ મારા સાંભળવામાં આવ્યો. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળમાં વંદન કરી પોતાના આત્માને ઘન્ય માનતો તે પોતાના નિવાસ સ્થાને ગયો. //૩૦ શરતુ આવી હવે, પંથે પંક સુકાતા રે, મહા અટવી તે ઊતર્યા, મુનિ અન્યત્ર જાતા રે. પ્રભુ અર્થ :- હવે ચોમાસું પૂરું થયું અને શરદ એટલે શિયાળાની ઋતુ આવવાથી માર્ગમાં પંક એટલે કીચડ સુકાઈ ગયા. તેથી હવે બઘા મહા અટવી ઊતરી ગયા. ત્યાંથી ઘર્મઘોષ આચાર્ય સાર્થપતિની અનુમતિ લઈ અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. ૩૧ાા વસંતપુર જઈ શેઠ તો વેચે માલ ખરીદે રે; દ્રવ્ય વઘે વ્યાપારથી ઘનિક-ઘન-મન રીઝે રે. પ્રભુત્વ અર્થ :- શેઠ પણ વસંતપુર પહોંચ્યા. ત્યાં જઈ માલ વેચી, નવો માલ ખરીદ્યો. વ્યાપાર કરવાથી દ્રવ્ય વધે છે. તે જોઈ ઘનિક એવા ઘનશેઠનું મન રાજી થયું. [૩રા SI Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિજ નગરે પાછા વળ્યા; કાળ અચાનક પામી રે, ઉત્તરકુરુમાં અવતરે, યુગલિક-સુખના સ્વામી રે. પ્રભુ અર્થ - હવે ઘનશેઠ પાછા પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્યા. કેટલેક કાળે આયુષ્ય અચાનક પૂરું થતાં કાળધર્મ પામ્યા. હવે ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે અવતાર પામી, યુગલિક સુખના સ્વામી થયા. ૩યા મુનિ-સેવા-ફળ ભોગવે; કલ્પવૃક્ષ દશ જાતિ રે, જે માગે તે આપતાં; અંતે સુરગતિ થાતી રે. પ્રભુ અર્થ - ત્યાં યુગલિઆની ભોગભૂમિમાં મુનિદાન તથા સેવાના પ્રભાવે દશ પ્રકારના કલ્પવૃક્ષને ભોગવનારા થયા. આ ઋષભદેવના જીવનો બીજો ભવ છે. ત્યાં યુગલીઆઓને ત્રીજા દિવસને છેડે ભોજ્ય પદાર્થની ઇચ્છા થાય. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય. તેઓ ત્રણ કોશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તથા અલ્પ કષાયવાળા હોય છે. ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. તેમાં મદ્યાંગ નામના કલ્પવૃક્ષ મધ જેવો મીઠો પદાર્થ આપે છે, ભૃગાંગ નામના કલ્પવૃક્ષો પાત્ર આપે છે, તુર્યાગ નામના કલ્પવૃક્ષો વાજિંત્રો આપે, દીપશિખાંગ અને જ્યોતિષ્ઠાંગ કલ્પવૃક્ષો અભુત પ્રકાશ આપે, ચિત્રાંગ કલ્પવૃક્ષો પુષ્પમાળાઓ, ચિત્રરસ કલ્પવૃક્ષો ભોજન, મર્યંગ કલ્પવૃક્ષો આભૂષણ, ગેહાકાર કલ્પવૃક્ષો ઘર અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઇચ્છિતને આપનારા હોય છે. ત્યાંથી યુગલીઆનું આયુષ્ય પૂરું કરી ઘનશેઠનો જીવ સૌઘર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. [૩૪ સુર સૌઘર્મ વિષે થયા, સુર-સુખ પૂરાં થાતાં રે, મહાવિદેહે અવતરે, શતબલ-સુત વિખ્યાતા રે. પ્રભુત્વ અર્થ - હવે ત્રીજા ભવમાં સૌથર્મ દેવલોકનાં સુખ ભોગવતાં આયુષ્ય પૂરું થયે પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની ઉપર પ્રસિદ્ધ વિદ્યાધર શિરોમણિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. //૩પી. ગંથસમૃદ્ધિ નગરના વિદ્યાઘર-નૃપ-ઘામે રે, મહાબલ નૃપ-કુમાર તે, નામ અનુપમ પામે રે. પ્રભુ અર્થ - ત્યાં ગંથસમૃદ્ધિ નામના નગરમાં, વિદ્યાધર રાજાના ઘરે આ પુત્ર મહાબળવાન હોવાથી મહાબલ રાજકુમાર એવું અનુપમ નામ પામ્યા. આ ઋષભદેવ ભગવાનના જીવનો ચોથો ભવ છે. [૩૬ાાં શશી સમ સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષ સમ વૃદ્ધિ રે, વિનયવતી સાથે વર્યા; શતબલ ચહે સ્વ-સિદ્ધિ ૨. પ્રભુ અર્થ :- તે ચંદ્રમા સમાન સર્વ કળાથી યુક્ત થયા તથા વૃક્ષની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. યુવાન થતાં વિનયવતી સાથે લગ્ન થયા. હવે પિતા શતબલ પોતાના આત્માની સિદ્ધિ ઇચ્છવા લાગ્યા. ૩શા એકાંતે એ ચિંતવે : “અશુચિભરી આ કાયા રે, વસ્ત્રાભૂષણ, ચામડી ભેલવે મન-ભ્રમ-છાયા રે. પ્રભુ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૫ અર્થ :— એક દિવસ એકાંતમાં તે બુદ્ધિમાન, પરાક્રમી તથા તત્ત્વજ્ઞ વિદ્યાઘરપતિ રાજા શતબલ વિચારવા લાગ્યા કે અહો! આ કાયા તો સ્વાભાવિકરૂપે અશુચિમય પદાર્થોની જ ભરેલી છે. તેના ઉપર રહેલાં આ વસ્ત્ર, આભૂષણ અને ચામડી જીવને મોહ કરાવી મનને ભ્રમમાં નાખે છે. ।।૩૮।। અંતે પોત પ્રકાશતી કપટી નરના જેવી રે, વિષ્ટા-મૂત્ર-કહાદિથી વાનગી દેખી લેવી ૨, પ્રભુ અર્થ :— – અંતે આ કાથા પોતાનું પોત પ્રકાશે છે. કપટી એવા દુર્જન જેવી આ કાયા છે. અનેક પ્રકારે એની સંભાળ લેવા છતાં જો એકવાર એની સંભાળ ન લે તો તત્કાળ તે દુષ્ટ પુરુષની જેમ વિકૃતિને પામે છે. “દુર્જન, દેહ સ્વભાવ બરાબર, રીઝે તો ચાટે અને ખીજે તો કાટે.’’ આ કાયામાં શું ભરેલું છે? જે ‘કુવામાં હોય તે હવાડામાં આવે.' તેમ વિષ્ઠા, મૂત્ર, કફ આદિ શરીરમાં ભરેલા છે તો બહાર આવે છે. બહાર પડેલા વિષ્ઠા, મૂત્ર, કફ વગેરેને જોઈ મન દુભાય છે, જ્યારે એ જ વસ્તુ શરીરની અંદર રહેલી છે તો એવા શ૨ી૨ને જોઈ મન કેમ દુભાતું નથી? ।।૩૯।। ચામડી દૂર કરી જાઓ, હાડમાંસનો માળો રે, મોહ પમાડે ચામડી, ચામડીઆ-ભૂલ ભાળો રે. પ્રભુ અર્થ :– માખીની પાખ જેવી આ ચામડીને દૂર કરી જુઓ તો અંદર હાડમાંસનો માળો જ લાગશે. - માત્ર આ ઉપરની ચામડી જીવને મોહ પમાડે છે, જેમ ચામડીઓ ચમાર ચામડું જુએ, તેમ મોહવશ આ જીવ પણ વ્યક્તિનું ચામડું જુએ છે. પણ ચામડીના નીચે શું ભરેલું છે તેનો વિચાર કરતો નથી. એ જ એની ભૂલ છે. હવે તે ભૂલને લક્ષમાં લેવી જોઈએ. ૫૪ના વૃક્ષ-કોટ૨ે જઈ વસે વીંછી આદિ પ્રાણી રે, તેમ જરાવસ્થા વિષે રોગ વસે લે જાણી રે. પ્રભુ અર્થ :— જીર્ણ થયેલા વૃક્ષના કોટર એટલે બખોલમાં જેમ વીંછી, સાપ આદિ ઝેરી પ્રાણીઓ જઈ વસે છે તેમ જજીર્ણ થયેલ શરીરની વૃદ્ધાવસ્થારૂપ બખોલમાં અનેક રોગો આવી વસે છે તે ઘ્યાનમાં રાખવા યોગ્ય છે. ||૪|| ભોગ ભુજંગ-ફણા સમા, સ્વપ્ન સમા સંયોગો રે, ક્રોધ-લોભ-કામાગ્નિમાં કાષ્ઠ સમા વિયોગો રે. પ્રભુ અર્થ :— આ પાંચ ઇન્દ્રિયના ભોગો તે ભુજંગ એટલે સાપની ફ્સા સમાન દુઃખદાયી છે. બઘા સંયોગો સ્વપ્ન સમાન નાશવંત છે. શરીરમાં રહેલો આ આત્મા તે ક્રોધ, લોભ તથા કામાગ્નિમાં કાષ્ઠ એટલે લાકડાં સમાન બની તેમાં હોમાય છે; અને તે તે પદાર્થોના વિયોગને પામે છે. વિષયોમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાં કીડાની પેઠે પડયા રહે છે પણ કાંઈ વિરાગને પામતા નથી. ।।૪૨।। અંઘ સમો જીંવ ના એ, પગ પાસેનો કૂવો રે, તેમ મરણ-ભય ના ગણું; ગયા કેટલા, જ્જુઓ રે. પ્રભુ અર્થ :— દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, આંઘળા જેવો છે. જેમ આંધળો પાસે રહેલા કૂવાને જોતો નથી. તેમ વિષય લંપટી જીવ મરણના ભયને ગણતો નથી. પૂર્વે એવા મરણો Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કેટલાય થઈ ગયા છતા જીવને આ વાત હજા ગળે ઊતરતી નથી. તે ખરેખર વિચારવા જેવું છે. આવા વિષય-વિષ વ્યાપી જતાં, હિત-વિચાર ન આવે રે, ઘર્મ-મોક્ષ જીંવ વીસરે, કામ-અર્થ મન લાવે રે. પ્રભુ અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિષ વ્યાપી જવાથી આત્મા મૂચ્છ પામી જાય છે. તેથી પોતાના હિતનો વિચાર તેને આવી શકતો નથી. તે ઘર્મ અને મોક્ષ પુરુષાર્થને વિસરી જઈ પાપરૂપ એવા કામ, અને તેને માટે અર્થ એટલે ઘન કમાવવાના પુરુષાર્થમાં જ મનને લગાવી નિશદિન મંડ્યો રહે છે. ૪૪ નરભવ સફળ કરું હવે, રાજ્ય-ભાર આ છોડી રે, પુત્રોત્સવ-ફળ આ ગણું, વત્સલતા સૌ તોડી રે.” પ્રભુત્વ અર્થ - હવે હું આ રાજ્યભારને છોડી, દુર્લભ માનવદેહમાં સÈવગુરુથર્મનો યોગ મળવાથી તેને સફળ કરું, એમ શતબલ રાજા વિચાર કરે છે. પુત્ર મળ્યાનું ફળ સંસાર ત્યાગ છે; એમ માની હવે સર્વ કુટુંબ આદિ પ્રત્યેની વત્સલતાનો ત્યાગ કરું. II૪પા અભિષેક કરી, પુત્રને નૃપ-પદવી શુભ દીઘી રે, શમ-સામ્રાજ્ય વઘારવા પોતે દીક્ષા લીધી રે. પ્રભુ અર્થ:- પુત્ર મહાબળકુમારનો રાજ્યાભિષેક કરી તેને રાજાની શુભ પદવી આપી. ન્યાયનીતિયુક્ત રાજ્ય હોવાથી તે સમયમાં રાજાની પદવી શુભ ગણી શકાય. પછી પિતા શતબળ રાજાએ પોતાના આત્માનું કષાયશમનરૂપ શમનું સામ્રાજ્ય વઘારવા માટે આચાર્યના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. II૪૬ના મહાબળ નૃપ યોવને, પૂર્ણચંદ્ર સમ શોભે રે, સભા વિષે મંત્રી વદે, વંદન કરી અક્ષોભે રે- પ્રભુ અર્થ - હવે મહાબળરાજા યૌવનવયમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભવા લાગ્યા. સ્વછંદથી વિષયક્રીડામાં આસક્ત થવાથી તેમને મન રાત્રિ દિવસ સરખા લાગવા લાગ્યા. એક દિવસ રાજસભામાં સ્વયંબુદ્ધ, સંભિન્નમતિ, શતમતિ અને મહામતિ એ ચાર મુખ્યમંત્રીઓ બેઠા હતા. ત્યારે સ્વામીભક્ત સમ્યકુદ્રષ્ટિ એવો સ્વયંબુદ્ધ મંત્રી વિચારવા લાગ્યો કે અહો! અમે જોતાં છતાં આ વિષયવિનોદમાં વ્યગ્ર બનેલા અમારા સ્વામીનો જન્મ વૃથા જાય છે, દુષ્ટ ઘોડાઓની જેમ ઇન્દ્રિયોથી હરણ થાય છે; તેની ઉપેક્ષા કરનારા એવા અમને ધિક્કાર છે! એમ વિચારી સર્વ બુદ્ધિમતોમાં અગ્રણી એવો સ્વયંબુદ્ધ મંત્રી રાજાને વંદન કરી અક્ષોભ એટલે સ્થિરમનથી નીચે પ્રમાણે કહેવા લાગ્યો. //૪૭થા “અગ્નિ સમ તૃષ્ણા વઘે વિષયભોગ ફૅપ કાઠે રે, દુર્જન, વિષ, વિષયો, અહિ નાખે જીવને કષ્ટ ૨. પ્રભુ અર્થ - હે રાજન! આ વિષય ભોગરૂપ લાકડા નાખવાથી, તૃષ્ણારૂપી અગ્નિ વિશેષ વૃદ્ધિ પામે છે. તેમ આ સંસારને વિષે વિષયસુખથી ક્યારેય પણ જીવ નૃતિ પામતો નથી. દુર્જન, વિષ, ઇન્દ્રિયના વિષયો કે અહિ એટલે સર્પ આદિ ઝેરી પ્રાણીઓનો સંગ જીવને કષ્ટમાં જ નાખે છે. II૪૮ાા કામ-પરિચય-પ્રિયતા, દદું-સુખ વલૂર્વે રે, પરિણામે દુઃખ-વૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે રે. પ્રભુ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૭ અર્થ - કામભોગના પરિચયો જીવને તત્કાળ સુખરૂપ લાગે છે, જેમ દદુ એટલે દાદરને વલૂરવાથી એટલે ખંજવાળવાથી તે ક્ષણ માત્ર સુખરૂપ લાગે છે. પણ તે ભાગ છોલાઈ જતાં પરિણામે એટલે તેના ફળમાં દુઃખ બહુ વધી જાય છે. આ કામભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન હોવાથી તે આત્માના દિવ્ય ગુણોનો નાશ કરે છે. II૪૯થા. કામ નરકનો દૂત છે, પાપ-તરુને પોષે રે, ભવ-ખાડે પાડે, અરે! મદન મદાદિ દોષે રે. પ્રભુ અર્થ :- આ કામવાસના જીવને નરકમાં લઈ જવા માટે દૂત સમાન છે. પાપરૂપી વૃક્ષને પોષણ આપનાર છે. અરે! આ મદન એટલે કામદેવ તે અહંકાર આદિ દોષો ઉત્પન્ન કરી જીવને સંસારરૂપી ખાડામાં પાડે છે. તથા આ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરી તે પ્રાણીના અર્થ, ઘર્મ અને મોક્ષનો નાશ કરે છે. I૫૦મા મૃગ વીણા-સ્વર સુણતાં, મરણ-શરણ આરાધે રે, સ્ત્રી-દર્શન કે સ્પર્શથી, નર અનર્થને સાથે રે. પ્રભુ અર્થ - મૃગ એટલે હરણને સંગીત બહુ પ્રિય હોવાથી તે વીણાના સ્વરમાં આસક્ત બને છે. ત્યારે શિકારી તેને પકડી લે છે અને તે મરણને શરણ થાય છે. તેમ વિષવેલી સમાન સ્ત્રીનું દર્શન કે સ્પર્શન મનુષ્યમાં અત્યંત મોહભાવ ઉત્પન્ન કરે છે. તેથી તે અનેક અનર્થકારી પાપની પરંપરાને સાથે છે. સ્ત્રીએ કામરૂપી પારઘીની જાળ છે; તે હરણની માફક પુરુષોને મોહરૂપી જાળમાં ફસાવે છે. I૫૧ાા હાસ્ય-સખા સ્ત્રી-સુખ ને ખાન-પાન ઉત્તેજે રે, સ્વામીને આત્મા ગણી, હિત-શિક્ષા ના દે તે રે. પ્રભુ અર્થ - જે ખુશામતીઆ મશ્કરા મિત્રો છે તે, સ્ત્રીવિલાસમાં સુખ છે, ખાવાપીવામાં સુખ છે, તેને જ માત્ર ઉત્તેજન આપે છે. પણ પોતાના સ્વામીને આત્મા ગણી તેમનું પરલોકમાં હિત કેમ થશે તેવી શિક્ષા આપતા નથી. પરા. મોહ ખુશામતથી વધે, તેવો સંગ ન સારો રે, કેળ કને કંથાર તો, દે દુઃખો વિચારો રે. પ્રભુ અર્થ :- સ્ત્રીકથા કરવાથી કે ગીત, નૃત્ય, હાસ્યાદિ વચનોવડે ખુશામત કરવાથી માત્ર મોહ વધે છે. તેવા પુરુષોનો સંગ કરવો સારો નથી. જેમ કેળના ઝાડ પાસે કંથરનું કાંટાવાળું ઝાડ હોય તો તેને દુઃખ જ આપે; તેમ કુસંગથી કુળવાન પુરુષોનો પણ ઉદ્ધાર થતો નથી. //પ૩u. વૃક્ષ જેમ છાયા વિના, વર સર વારિ વિનાનું રે, પુષ્ય સુગંઘ વિના વને, મંદિર દેવ વિનાનું રે. પ્રભુ અર્થ - જેમ છાયા વિનાનું વૃક્ષ શોભતું નથી. વર સર એટલે શ્રેષ્ઠ સરોવર પણ વારિ એટલે પાણી વિના શોભા પામતું નથી. વનમાં રહેલ સુગંઘ વગરનું પુષ્પ શોભતું નથી. તેમ દેવની મૂર્તિ વિનાનું મંદિર પણ શોભા પામતું નથી. //પ૪ો. રજની ચંદ્ર વિના વળી, મંત્રી-મદદ વિણ રાજા રે, સા સમકિતના વિના, અશસ્ત્ર સૈનિક સાજા રે. પ્રભુ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જેમ ચંદ્ર વિનાની રાત્રિ, મંત્રીની મદદ વિનાનો રાજા શોભતો નથી, તેમ સમકિત વિનાનો સાથે અને શસ્ત્રવગરના સાજા એટલે સ્વસ્થ સૈનિક પણ શોભાને પામતા નથી. પપાા હાથી દંકૂશળ વિના, આંખ વિના મુખમુદ્રા રે, ઘર્મ વિના તેવી રીતે, શોભા જાણે શુદ્રા રે. પ્રભુ અર્થ :- જેમ દંકૂશળ એટલે દાંત વિનાનો હાથી કે નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ ઘર્મ વિનાનો પુરુષ શોભતો નથી. ઘર્મ વિનાનું જીવન પશુ જેવું છે. તે નર નથી પણ વાનર છે. થર્મ વિનાની શોભાને શૂદ્રા એટલે શૂદ્ર સ્ત્રીની શોભા સમાન જાણો. પકા ઉચ્ચ કુળ જે પામીને, ઘર્મ તજે ઘન-પ્રેમે રે, શ્વાન બની બીજા ભવે, પામે એંઠ ન કેમે રે. પ્રભુ અર્થ :- જે ઉચ્ચકુળમાં જન્મ પામી ઘનનો જ માત્ર પ્રેમી બની, ઘર્મને તજી દે, તે જીવ બીજા ભવમાં શ્વાન એટલે કુતરાનો અવતાર પામી પેટ ભરવા માટે એંઠવાડાને પણ પામવો તેના માટે અઘરો થઈ પડે છે. ઘર્મરહિત ભવ્ય પ્રાણીઓ પણ બિલાડા, સર્પ, સિંહ, બાજ, ગીઘ જેવી નીચ યોનિમાં ઘણા ભવ સુઘી ભટકી ત્યાંથી નરકે જાય છે. માટે તેવા અથર્મીઓને ધિક્કાર છે. પશા ઘર્મ બંધુ સમ જાણવો, બન્ને લોક સુઘારે રે; નાવ સમાન સુઘર્મ છે; ભવ-દુઃખોથી તારે રે. પ્રભુ અર્થ :- ઘર્મથી પરમ બંધુ સમાન સુખ મળે છે. તે આલોક પરલોક બન્ને સુધારે છે. વિનય, વિવેક, સદાચાર શીખવી તે સઘર્મ, નાવ સમાન બની જીવોને સંસારના દુઃખોથી તારે છે. અગ્નિને જળ બૂઝવે, તેમ ઘર્મ દુઃખ ટાળે રે, ઘર્મનિસરણીએ ચઢી, મોક્ષ-સુંખ જીંવ ભાળે રે. પ્રભુ અર્થ – જેમ જળ અગ્નિને બૂઝવે છે, તેમ આધિ, વ્યાધિ, ઉપાથિ વગેરે જે દુઃખના હેતુઓ છે તેને ઘર્મ ટાળે છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલો ઘર્મ જીવને અન્ય જન્મમાં કલ્યાણના સાધનને આપે છે. એમ ઘર્મરૂપી નિસરણીએ ચઢી, ભવ્ય પ્રાણીઓ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. //પલા. વિદ્યાઘર-નૃપતિ થયા, પૂર્વે ઘર્મ ઘરીને રે, તો આ ભવમાં ના ચૂકો, કહું છું હિત સ્મરીને રે.” પ્રભુ અર્થ - હે સ્વામિન્ ! વઘારે શું કહ્યું? આપ પણ પૂર્વે ઘર્મ ઘારણ કરીને આ ભવમાં વિદ્યાઘરોના પતિ રાજા થયા છો. આપ સુજ્ઞ છો. માટે આ ભવમાં પણ હવે વિષયાસક્તિનો મોહ તજી ઘર્મ આરાઘન કરવાનું ચૂકો નહીં. હું આપના હિતનું સ્મરણ કરીને આ વાત કહું છું; માટે આપ પ્રસન્ન થઈ ઉત્કૃષ્ટ લાભને અર્થે ઘર્મનો આશ્રય કરો. ઉવા સ્વયંબુદ્ધ મંત્રી પછી, સંમિતિ ય બોલે રે ? મંત્રી-મુખ્ય તમે ખરા, કોઈ નહિ તમ તોલે રે; પ્રભુત્વ અર્થ :- સ્વયંબુદ્ધ મંત્રી બોલી રહ્યા પછી હવે મિથ્યાત્વરૂપ અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળો સંભિન્નમતિ મંત્રી બોલ્યો : અરે સ્વયંબુદ્ધ! તમે મુખ્યમંત્રી ખરા, તમારી તુલનામાં કોઈ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૯ આવી શકે નહીં. માટે તમે પોતાના સ્વામીનું બધું સારું હિત ઇચ્છી આવા વચનો કહ્યાં. ૬૧ સ્વામી સરળ પ્રસન્ન છે, તમે જ તેમની ચક્ષુ રે, આમ અકાળે ત્યાગનો, દ્યો ઉપદેશ હિતેચ્છુ ૨. પ્રભુ અર્થ - આપણા સ્વામી તો સરળ છે, સદા પ્રસન્ન રહે છે. તમે તેમના ચક્ષુ સમાન છો. માટે તમને કયા ઉપાધ્યાયે ભણાવ્યા કે જેથી અકાળે વજપાત જેવા વચનો કહી સ્વામીને ત્યાગનો ઉપદેશ આપો છો. અને પોતાને હિતેચ્છુ માનો છો. ૬રા ભોગ નથી તજતા તમે, પર-ઉપદેશે શૂરા રે, પ્રાસ ભોગ તજતા જનો, મૂર્ખશિરોમણિ પૂરા રે. પ્રભુ અર્થ – તમે ભોગને તજતા નથી અને પરને ઉપદેશ આપવામાં શુરવીર બનો છો. સેવકો પોતાના ભોગને માટે સ્વામીની સેવા કરે છે, તો સ્વામીને ‘તમે ભોગ ભોગવો નહીં” એવું કેમ કહેવાય? જે આ ભવમાં પ્રાપ્ત થયેલ ભોગાને તજી પરલોકના સુખ માટે યત્ન કરે તે પૂરા મૂર્ખ શિરોમણિ છે. I૬૩ અંજલિમાં અમૃત ભર્યું તળું, રેલો તે ચાટે રે, કોણી સુંઘી ચાટતાં, ઢોળે સૌ એ વાટે રે. પ્રભુ અર્થ – હાથની અંજલિમાં અમૃત ભર્યું હોય તે તજી દઈ, હાથ ઉપર ઊતરેલા રેલાને કોણી સુધી કોઈ ચાટવા જાય તો હાથમાં રહેલા અમૃતને પણ તે ઢોળી દે છે. //૬૪ના પરલોકે સુખ ઘર્મથી કહે, અસંગત લાગે રે, જણાય તે પરલોક ના; કોણ પ્રગટ તર્જી માગે રે? પ્રભુ અર્થ – તેમ ઘર્મ કરવાથી પરલોકમાં સુખ મળશે એમ કહેવું તે અસંગત એટલે બંઘબેસતું નથી. કેમકે પરલોકી જનો અહીં દેખાતા નથી. માટે પરલોક નથી. પ્રગટ પ્રાપ્ત થયેલ સુખને તજી પરભવના સુખની કોણ માગણી કરે? I૬૫ના મહુડાં, ગોળ, જળાદિથી મદ-શક્તિ દેખાતી રે, તેમ જ પૃથ્વી-જળાદિથી જીવ ઉત્પત્તિ થાતી રે. પ્રભુ અર્થ:- જેમ મહુડાના ફૂલ, ગોળ અને જળ વગેરે પદાર્થોના મિશ્રણથી મદ-શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિથી જીવની ઉત્પત્તિ થાય છે. ૬૬ાા શરીરથી ઑવ ના જાદો, શરીર ન પરભવ જાએ રે, તેથી સુખ સૌ શરીરનાં, ભોગવવાં સમજાએ રે. પ્રભુ અર્થ - શરીરથી જુદો કોઈ જીવ નથી તથા આ શરીર પણ પરભવને જોતું નથી. તેથી આ શરીરવડે ભોગવાતાં વિષયનાં સર્વ સુખ નિઃશંકપણે સમજુએ ભોગવવા. તે મૂકી દઈ પોતાના આત્માને ઠગવો નહીં. II૬ના શંકા ઘર્મ-અથર્મની વિઘ કરે સુખ-ભોગે રે, નિઃશંક હે! મહારાજ હો! કહું ઉઘાડે છોગે રે. પ્રભુ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :— ધર્મ અધર્મ વિષે કોઈ શંકા કરવી નહીં. કારણ ભોગાદિ સુખમાં એ વિઘ્ન કરે છે. માટે -- હે મહારાજ! એ વિષયમાં નિઃશંક રહો, કારણ ધર્મ અધર્મ સસલાના શીંગની જેમ વિદ્યમાન નથી. હું તો આ વાતને ઉપાડે છોગે સર્વને કહું છું. ।।૬।। જ્યાં સુધી આયુષ્ય આ, વિષય-સુખથી જીવો રે, ધર્મ-અધર્મ કશું નથી, મંત્રી-બોઘ નજીવો રે.’” પ્રભુ અર્થ :— જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હે મહારાજ! વિષયસુખ ભોગવતા જીવન જીવો. કારણ કે આ સંસારમાં ઘર્મ અધર્મ કશું છે નહીં. મંત્રી સ્વયંબુદ્ધે જે આપને ત્યાગનો ઉપદેશ કર્યો તે સર્વ નજીવો એટલે નકામો છે. કથા સ્વયંબુદ્ધ મંત્રી કહે : “સ્વ-પર-શત્રુ નાસ્તિકો રે; અંધ અંધ-નેતા સો, મૂર્ખામાં મૂર્ખ અધિકો રે. પ્રભુ અર્થ – સંભિન્નમતિ મંત્રીના વચનો સાંભળી સ્વયંબુદ્ધે મંત્રી કહે : અરે ! આ નાસ્તિકો સ્વ-પરને મિથ્યા માન્યતાઓ દૃઢ કરાવનાર પોતાના અને પરના પણ શત્રુ છે. જેમ પોતે અંધ હોય અને અંઘ ટોળાનો નેતા બની આંઘળાઓને દોરે તેના જેવો તે મૂર્ખ શિરોમણિ છે. ૭૫ કૃપે ખેંચી પાડતો, દુર્બુદ્ધિ દોરે કેવો રે! સુખ-દુઃખો સમજાય છે સ્વ-સંવેદની એવો રે-પ્રભુ અર્થ :– જેમ કોઈ ખેંચીને કૂવામાં પાડે તેમ દુર્બુદ્ધિ એવા નાસ્તિકો, લોકોને આ ભવના પ્રાસ સુખોને છોડવા નહીં કેમકે દેવલોક આદિ કોણે જોયા છે વગેરે જણાવીને આકર્ષણ પમાડે છે, પણ જેમ સુખ કે દુઃખ સ્વ-સંવેદનથી જાણી શકાય છે તેમ આત્માને પણ સ્વ-સંવેદનથી જાણી શકાય છે. ।।૭૧|| આત્મા પણ સમજાય છે; અબાથ્ય અનુભવ માનો રે; મડદું ના જાણે કશું, જ્ઞાન ગુણ આત્માનો રે. પ્રભુ અર્થ :— આત્માના જ્ઞાનગુણને લઈને સ્વસંવેદનમાં કોઈ બાધા એટલે રુકાવટ આવતી નથી. હું સુખી છું. હું દુઃખી છું એવો અનુભવ આત્મા સિવાય કોઈને ક્યારેય પણ થઈ શકતો નથી. આંખ કાન આદિ ઇન્દ્રિયો જોવાનું કે સાંભળવાનું બંધ કરી દે તો પણ અબાધ્ય એટલે જેને કદી પણ બાદ કરી શકાય નહીં એવો આત્માનો અનુભવ છે; અને તે જ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ આત્માનો હોવાથી જ્યારે તે આત્મા શરીરમાંથી બહાર નીક્ળી જાય ત્યારે તે શરીર મડદું બની જાય છે. પછી મડદું કંઈ પણ જાણી શકતું નથી. ।।૩૨।। બુદ્ધિપૂર્વક જો ક્રિયા, ૫૨ દે દેખાતી રે, દેહે પર ઠેઠે આત્મા તણી સિદ્ધિ તેથી થાતી રે પ્રભુ અર્થ :— જ્ઞાનગુણથી જેમ પોતાના શરીરમાં આત્માની સિદ્ધિ થાય છે તેમ બીજાના દેહમાં પણ બુદ્ધિપૂર્વકની ક્રિયા જોવામાં આવે છે. તેથી તેના દેહમાં પણ તેવો જ આત્મા છે એમ અનુમાન જ્ઞાનથી સિદ્ધ થાય છે. ।।૩।। બાળ મટી āવા બની, વૃદ્ધ થતા જે રીતે રે, મરણ પછી જન્માંતરે જાય જીવ તે રીતે રે. પ્રભુ Page #61 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૬૧ અર્થ - જેમ બાળક મટી યુવાન થાય, યુવાન પછી વૃદ્ધ થાય તેમ મરણ પછી પણ જીવ એક જન્મમાંથી જન્માંતર એટલે બીજા જન્મમાં જાય છે. તેથી આત્માનો વ્યવહારનયની અપેક્ષાએ પુનર્જન્મ છે. ૭૪ વગર શીખવ્ય ઘાવતું બાળક, તે બતલાવે રે પૂર્વજન્મ સંસ્કાર તે; દુઃખ રડી દર્શાવે રે. પ્રભુ અર્થ :- બાળક જન્મતાં જ ઘાવા લાગે છે. તેને એ કોણે શિખવાડ્યું? એ પૂર્વજન્મનો સંસ્કાર છે. વળી ભુખની પીડા આદિને તે રડીને દર્શાવે છે. તેથી જીવની નિત્યતા સિદ્ધ થાય છે. પૂર્વજન્મમાં જેવા કર્મો કર્યા અથવા સંસ્કારો પોતામાં રેડ્યા, તેવાં ફળરૂપે અત્રે સ્પષ્ટ દેખાય છે. ૭૫ા પૂર્વ કર્મ જો ના ગણો, રાય-રંક છે શાથી રે? વિચિત્રતા ઘટતી નથી; પંચભૂત પક્ષપાતી રે!પ્રભુ અર્થ - જો પૂર્વકર્મને ગણો નહીં તો એક રાજા છે અને એક રંક એટલે ગરીબ છે, તેનું કારણ શું છે? કારણ વગર કોઈ કાર્ય બનતું નથી એ સિદ્ધાંત છે. જેમ એક આંધળો છે, એક ભૂલો છે, એક બહેરો છે, મૂંગો છે વગેરેના દુઃખ કારણ વગર આવી શકતા નથી. બીજી રીતે એ વિચિત્રતા ઘટતી નથી. જો પંચભૂતમાંથી રાજા રંકની ઉત્પત્તિ થઈ એમ માનીએ તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂત પક્ષપાતી સિદ્ધ થયા. II૭૬ાા. જીવ વિના ભૂતો રચે, કેવી રીતે કાયા રે? પાંચે ભૂત રસોઈમાં, તોય ન કાયા-છાયા રે. પ્રભુ અર્થ :- જીવ વિના આ પંચભૂતો કેવી રીતે કાયાને રચી શકે? રસોઈ બનાવવામાં આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચેય પંચભૂતો હોય છે; છતાં તેમાંથી કાયાની છાયા એટલે આકૃતિ કેમ બનતી નથી? ||૭૭માં મેળ મળે ના ભૂતનો, ગુણ વિરોથી દેખો રે, ભારે સ્થિર ઘરતી, અને ચપળ પવન લધુ, લેખો રે. પ્રભુત્વ અર્થ - આ પાંચેય ભૂતોનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી તેમનામાં પરસ્પર મેળ મળતો નથી; તો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા આ ભૂતોથી એક સ્વભાવવાળો એવો આ આત્મા કેવી રીતે ઉત્પન્ન થાય? એ પંચભૂતોના ગુણો પરસ્પર વિરોધી છે. જેમકે પૃથ્વી ભારે અને સ્થિર છે, જ્યારે પવન લઘુ એટલે હલકો અને ચપળ છે. II૭૮ અગ્નિને જળ ઓલવે, તેજે જળ શોષાતું રે, કપોલકલ્પિત વાતથી સત્ય નથી પોષાતું રે. પ્રભુ અર્થ :- જેમ સળગતી અગ્નિને જળ ઓલવી નાખે અને વળી અગ્નિની ગરમીથી જળ સુકાઈ જાય છે. માટે આવી બધી કપોલકલ્પિત વાતથી સત્યને પોષણ મળતું નથી. પણ બધું મિથ્યા ઠરે છે. II૭૯ાા ક્રિયા ઘર્મ-અથર્મની, ફળ દેશે પરલોકે રે; પૂર્વે જે ક્રિયા કરી, ફળ આ સુજ્ઞ વિલોકે રે. પ્રભુ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અહીં જે ઘર્મ અથર્મની ક્રિયા કરી હોય તેનું ફળ પરલોકમાં મળશે. અને પૂર્વભવમાં જે ક્રિયા એટલે કામો જીવે કર્યો હશે તેનું ફળ અત્રે મળ્યું છે; તેને સુજ્ઞ લોકો જોઈ રહ્યાં છે. ૮૦ ભીખ માગતો એક, તો અન્ય ભીખ જો આપે રે, વાહન અશ્વાદિ બને, સ્વાર ઘણા સંતાપે રે. પ્રભુ અર્થ - જેમકે એક ભીખ માંગતો દેખાય છે. તો બીજો તેને ભીખ આપે છે. કોઈ ઘોડા, હાથી વગેરે વાહન બને છે. જ્યારે બીજા ઘણા તેના ઉપર સવારી કરી તેને સંતાપ આપનાર થાય છે. ૧૮૧ાા પુણ્ય-પાપ પ્રત્યક્ષ છે, અવિચારી ના માને રે, વિષય ભુલાવે ભાન રે! ભૂપ ન ચેતો શાને રે ? પ્રભુ અર્થ - એમ પુણ્ય-પાપનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. છતાં અવિચારી જનો માનતા નથી. પાપના મિત્રો, ઘર્મના વિરોઘી, નરકમાં લઈ જનારા આ વિષયો જીવને આકર્ષણ પમાડી ભાન ભુલાવે છે. માટે હે રાજન! આપ પણ આ બધું પ્રત્યક્ષ જુઓ છો તો કેમ ચેતતા નથી? ૮૨ાા કાવ્યો ભોગ-વિલાસનાં રચી ગાય ભેંતવાદી રે, મોહી-મન ખેંચાય ત્યાં, એ તો ઢાળ અનાદિ રે. પ્રભુ અર્થ:- ભોગ-વિલાસમાં જીવો મોહ પામે એવા કાવ્યો રચીને આ પંચભૂતવાદી નાસ્તિકો ગાય છે. ત્યાં મોહી જીવોનું મન ખેંચાય છે. કેમકે અનાદિકાળથી જીવોનો ઢાળ એ જ તરફ છે. ૮૩ વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતોનાં રે, દુર્જન-સંગતિ જે તજે, સદભાગ્યો તેઓનાં રે.” પ્રભુત્વ અર્થ :- જ્યાં સુધી હિત અહિતના ભાનરૂપ વિવેક પ્રગટ થાય નહીં ત્યાં સુધી જીવોને સંતપુરુષોના વચનો સમજાતા નથી. માટે કલ્યાણમાં બાઘક એવી દુર્જનની સંગતિનો ત્યાગ કરે અને જ્ઞાની પુરુષના વચનોનો અભ્યાસ કરે તે પુરુષો સદ્ભાગ્યવાન જાણવા યોગ્ય છે. ૮૪ શતમતિ મંત્રી ઉચ્ચરે : “ક્ષણભંગુર સૌ જાણો રે, દીસે સ્કંઘ-વિનાશતા, નદી-પ્રવાહ વખાણો રે. પ્રભુ અર્થ - ઉપરની વાત સાંભળીને ત્રીજો બૌદ્ધમતવાદી શતમતિ મંત્રી બોલ્યો કે “આ જગતની બધી વસ્તુઓ ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશ પામનાર છે. પ્રત્યેક પદાર્થના અંઘો ક્ષણે ક્ષણે વિનાશ પામતા દેખાય છે, જેમ નદીના પ્રવાહમાં પહોલનું જળ આગળ ચાલ્યું જાય છે અને નવું નવું પાણી આવ્યા કરે છે તેમ. I૮પાા. માત્ર વાસના ચિત્તમાં, નિત્યપણું દર્શાવે રે; આત્મા નિત્ય ન માનવો, કોણ કર્મ બંઘાવે રે?” પ્રભુ અર્થ - માત્ર વાસના ચિત્તમાં રહે છે તેથી પદાર્થ નિત્ય છે એમ લાગે છે. પણ આત્માને નિત્ય માનવો નહીં. તે પણ ક્ષણભંગુર છે; તો કર્મ બંધાવનાર કોણ રહ્યો? In૮૬ાા. સ્વયંબુદ્ધ મંત્રી કહે : અસંબદ્ધ વિચારો રે ટકે કેટલી વાર આ? કેવળ નાશ ન ઘારો રે. પ્રભુ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૬૩ અર્થ - હવે સ્વયંબુદ્ધ મંત્રી કહે : તમારા આ બધા વિચારો સંબંઘ વગરના છે. આવી ક્ષણભંગુરપણાની તમારી બુદ્ધિ કેટલીવાર સુધી ટકી રહે? કોઈ પણ પદાર્થનો કેવળ એટલે સર્વથા નાશ નથી. માત્ર તેની પર્યાય એટલે અવસ્થા પલટાય છે, પણ દ્રવ્ય હમેશાં ધૃવરૂપે વિદ્યમાન રહે છે. આટલા ગાય ખાય જે ઘાસ તે, દૂઘરૃપે વળી દેખો રે, માખણ દૂઘ-દહીં વડે, ઘીરૂપે વળી પેખો રે. પ્રભુ અર્થ - જેમકે ગાય ઘાસ ખાય છે. તે ઘાસના પરમાણુઓનું દુઘરૂપે પરિવર્તન થયું. પછી દુઘનું દહીંરૂપે, દહીંનું માખણરૂપે અને માખણનું ઘીરૂપે પલટાવાપણું થયું. ૮૮ાા. દ્રવ્ય માત્ર પલટાય, જો; કેવળ નાશ ન પામે રે, કેવળ નાશ ગયે, બઘા વ્યવહારો ય વિરામે રે - પ્રભુ અર્થ :- એમ પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટાય છે; પણ તે દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. જો પ્રતિ ક્ષણે તેનો કેવળ નાશ ગણીએ તો લેણદેણના બઘાં વ્યવહારો વિરામ પામે અર્થાત અટકી જાય. દા. પિતા-પુત્ર સંબંઘ શો? વંધ્યા-સુત સમ દેખો રે, ગગન-કુસુમ સમ ઘર્મ એ; કારણ-કાર્યો લેખો રે. પ્રભુ અર્થ - જો બધું ક્ષણિક હોય તો પિતા પુત્રનો સંબંઘ ક્યાં રહ્યો? તે તો વંધ્યાના પુત્ર સમાન થઈ ગયો. કેમકે મૂળ પિતાનો જીવ કે પુત્રનો જીવ હતો તે તો બીજી જ ક્ષણે વિનાશ પામી ગયો અને બેય નવા જીવ આવી ગયા. તેથી અહીં ક્ષણભંગુરતાનો સિદ્ધાંત બંધબેસતો નથી. એવા મતવાળાનો ઘર્મ પણ ગગન-કુસુમ સમાન એટલે આકાશના ફૂલ સમાન બની ગયો. જેમ આકાશને ફૂલ હોય નહીં તેમ આ ઘર્મનું અસ્તિત્વ પણ દરેક વસ્તુની ક્ષણભંગુરતાના સિદ્ધાંતને કારણે નાશ પામી ગયું. કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ ઘર્મનું અસ્તિત્વ જ જ્યારે નાશ પામી ગયું. ત્યારે મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિ થવી તે અસંભવ બની ગઈ. ૯૦ના ક્ષણિક કેમ ન વાસના? જો ક્ષણિક સૌ માનો રે, ક્ષણમાં નાશ થનારને, મોહ ન હોય કશાનો રે. પ્રભુ અર્થ :- જો બધું તમે ક્ષણિક માનો છો તો જે વાસના ચિત્તમાં રહે છે તેને કેમ ક્ષણિક માનતા નથી. આત્મા નામનો પદાર્થ જો ક્ષણમાં નાશ પામે છે, તો પછી તેને કોઈ પણ પદાર્થનો મોહ કેવી રીતે હોઈ શકે? ૯૧ાા. વાદ કરો, નાણું શીરો, સ્મૃતિ વિષે સૌ માંડો રે; સ્મૃતિ ઘટે ના ક્ષણિકને, લગ્ન કરો કે રાંડો રે.” પ્રભુ અર્થ - કોઈની સાથે વાદ એટલે ચર્ચા કરવી કે નાણું ઘીરવું કે લેણદેણને સ્મૃતિમાં રાખવી, એ ક્ષણિકવાદમાં કેમ ઘટી શકે? કેમકે ચર્ચા કરનારા, નાણું લેનારા કે ધીરનારા અથવા સ્મૃતિમાં રાખનારા બઘા ક્ષણભંગુર સિદ્ધાંતના કારણે બદલાઈ ગયા. પૂર્વે હતા તે રહ્યાં નહીં. જેમ એક ક્ષણમાં લગ્ન થયું અને બીજી ક્ષણમાં આત્મા ક્ષણિક હોવાથી તેનું મરણ થયું તો તે પ્રસંગ લગ્નનો થયો કે રંડાપો આવ્યો એ વિષે શું સમજવું? II૯રા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મહામતિ મંત્રી કહે : “માયા સર્વ નિહાળો રેઃ સ્વપ સમાન બધું ગણો, મૃગજળ જેવું ભાળો રે. પ્રભુ અર્થ :- ત્યારપછી મહામતિ નામનો ચોથો મંત્રી કહેવા લાગ્યો કે આ સર્વ માયા છે; તત્ત્વથી જોતાં કાંઈ નથી. જે પદાર્થો દેખાય છે તે બઘા સ્વપ્ર સમાન જાણો અને મૃગજળવતુ મિથ્યા માનો. II૯૩) વ્યવહારે ગુરુ-શિષ્ય સૌ, તત્ત્વ-વિચારે મિથ્યા રે, ઘૂતારા ઘર્મી બન્યા તેની ન રાખો ઇચ્છા રે. પ્રભુ અર્થ - ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ઘર્મ અધર્મ, પોતાનો કે પારકો એ બધું વ્યવહારથી જોવામાં આવે છે પણ તત્ત્વ વિચારે જોતાં બધું મિથ્યા છે. ઘર્મના નામે પેટ ભરનારા એવા ધૂતારા ઘર્મી થઈ બેઠા છે. તેવા જીવોના સંગની ઇચ્છા રાખવી નહીં. ૯૪ માંસ કિનારે મૂકીને મચ્છી દેખીને દોડે રે શિયાળ પામે મચ્છી ના, ગીઘ માંસ લઈ ઊડે રે. પ્રભુ અર્થ:- જેમ શિયાળ લાવેલા માંસને નદી કિનારે મૂકી માછલાને દેખી તે પકડવા દોડ્યું. તેટલામાં માછલું પાણીમાં પેસી ગયું અને માંસને ગીઘ પક્ષી લઈ ઊડી ગયું. શિયાળ બેય બાજુથી ભ્રષ્ટ થયું. ૯પા ઐહિક સુખ તડેં ઇચ્છતો સુર-સુખ, તેવો જાણો રે, નરક તણાં દુઃખે ડરી, તપ કરનાર ઠગાણો રે - પ્રભુ અર્થ - જે ઐહિક એટલે આ લોકના ઇન્દ્રિય સુખ છોડી દેવલોકના સુખ માટે પ્રયત્ન કરે છે તેને શિયાળ જેવો જાણો. તથા પાખંડી લોકોની ખોટી શિખામણ સાંભળી નરકના દુઃખથી ડરીને મોહાથીન પ્રાણીઓ વ્રત તપ વગેરે કરી પોતાના દેહને દંડે છે તે પોતાના આત્માને ઠગે છે એમ માનો. I૯૬ાા જેમ ટિટોડી સાંભળી, આભ નીચે પડવાનું રે, સૂતી પગ ઊંચા કરી, તેમ બઘાં તપ માનું રે. પ્રભુ અર્થ - જેમ ટિટોડી એટલે એક પ્રકારનું પક્ષી આભ નીચે પડી જવાની શંકાથી સૂતી વખતે પગ ઊંચા કરી સુવે છે તેમ અમે બઘા નરકમાં ન પડી જઈએ એવી બીકથી તપ કરે છે એમ માનું છું. II૯શા ખોટી શિખામણ ના સુણો, મિથ્યા વાત જવા દ્યો રે, ઘરી નિત્ય નિશ્ચિતતા, સુખે સર્વ થવા દ્યો રે.” પ્રભુ અર્થ - માટે હે સ્વામિનું! ખોટી શિખામણને સાંભળો નહીં. આવી મિથ્યા વાતને જવા દ્યો. હમેશાં નિશ્ચિતપણું ઘારણ કરી સુખપૂર્વક જે થાય તે થવા દો. ૯૮ાા. પછી સ્વયંબુદ્દે કહ્યું : “કારણ કાર્ય ન માનો રે, ફૂપે કોઈ ઘકેલતાં, ડર રાખો છો શાનો રે? પ્રભુ અર્થ - પછી સ્વયંબુદ્ધ મંત્રીએ કહ્યું : “જો તમે કારણ કાર્ય ભાવને માનતા નથી અર્થાત્ જેવું કારણ સેવે તેવું કાર્ય થાય છે. તો પછી તમને કોઈ કૂવામાં ઘકેલવા રૂપે કારણ સેવે અને તેથી કૂવામાં પડવારૂપ કાર્ય બની જાય તો તેનો ડર શા માટે રાખો છો? I૯૯ો. Page #65 -------------------------------------------------------------------------- ________________ (૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૬૫ માયારૂપ અસત્ય સૌ, જો માનો એકાને રે, લગ્ન આદિ મહોત્સવે કે અકાળ પ્રાણાંત રે- પ્રભુ અર્થ :- આ જગત સર્વ માયારૂપ છે. અસત્ય એટલે મિથ્યા છે; એમ તમે એકાંતે માનો છો. તો પછી લગ્ન મહોત્સવમાં હર્ષ કે અકાળ મરણમાં શોક શા માટે કરો છો? II૧૦૦ગા. ગીત, વિલાપની યોગ્યતા, શાને મનમાં આણો રે? કેમ સભ્યતા સાચવો? સારું કેમ વખાણો રે? પ્રભુત્વ અર્થ - કોઈના લગ્ન સમયે ગીત ગાઓ છો, અને કોઈના મરણ સમયે વિલાપ કરો છો, આવું શા માટે મનમાં આણો છો? કેમકે તમારી દ્રષ્ટિએ તો આખું જગત માયારૂપ હોવાથી મિથ્યા છે. તો દરેક સ્થાને કેમ સભ્યતા જાળવો છો? અને સારા કામને કેમ વખાણો છો? ૧૦૧ના સ્વપ સમાન જ જો બધું, તો નહિ તું, હું, સ્વામી રે; શબ્દો પણ મિથ્યા કર્યા બોલ્યા તે મૂર્ખામી રે. પ્રભુત્વ અર્થ - સ્વપ્ર સમાન જ જો બધું મિથ્યા છે, તો હું સેવક અને તમે સ્વામી કેમ હોઈ શકો? આ શબ્દો બોલ્યા તે પણ મિથ્યા ઠર્યા. વળી સ્વપ્ના જેવી વાતો કરી તે પણ મૂર્ખાઈ જેવી ઠરી. ૧૦૨ાા કુશળ વિતંડાવાદીઓ, વિષય-ગુલામી પોષે રે, પરાક્ષુખ શુભ ભાવથી રહી, અરે! શું જોશે રે? પ્રભુ અર્થ :- આ વિતંડાવાદીઓ એટલે માત્ર સામા પક્ષનું ખંડન કરવામાં કુશળ એવાં આ પંડિતો જે પોતે ઇન્દ્રિય વિષયના ગુલામ બની તેને જ પોષનારા છે તથા શુભ ભાવથી પરામુખ એટલે વિમુખ રહેનારા એવા તે, અરે ! શું સત્યને નિહાળી શકે? ||૧૦૩. મહારાજને વીનવું, સુઘર્મ-આશ્રય લેવા રે, વિવેકના અવલંબને, વિષયો છોડી દેવા રે.” પ્રભુ અર્થ - માટે મહારાજને વિવેકનું અવલંબન ગ્રહણ કરી, પરિણામે દુઃખરૂપ એવા વિષયોને છોડી દઈ, આ લોક પરલોકના સુખાર્થે સઘર્મનો આશ્રય ગ્રહણ કરવા હું વિનયપૂર્વક વિનંતિ કરું છું. IT૧૦૪ ચર્ચા મંત્રીઓ તણી સુણ નૃપ રાજી થાતા રે, કહે પ્રસન્ન મુખે હવેઃ “સ્વયંબુદ્ધ, હે! ભ્રાતા રે. પ્રભુ અર્થ - મંત્રીઓના જુદા જુદા ભાષણો સાંભળીને રાજા બહુ ખુશી થયા. અને પ્રસન્ન મુખે હવે કહેવા લાગ્યા : હે સ્વયંબુદ્ધ, તું મારા ભાઈ જેવો છું. /૧૦પા ઘણું સારું તમે કહ્યું, “ઘર્મ-કાર્ય કરવાનું રે,” ષી નથી હું ઘર્મનો, અંતે ત્યાં ઠરવાનું રે. પ્રભુ અર્થ - હે મહાબુદ્ધિ સ્વયંબુદ્ધ! તમે મને ઘણું સારું કહ્યું. મારે પણ ઘર્મ કાર્ય કરવાનું છે. હું પણ કિંઈ ઘર્મનો દ્વેષી નથી. અંતે તો ત્યાં જ ઠરવાનું છે કેમકે ત્યાં જ ખરી શાંતિ છે. ||૧૦૬ના અવસર આવ્યું નાખવું પડુ ‘સર’નું તાકી રે, તેમ ઘર્મ આરાઘીશું, દેખીને વય પાકી રે. પ્રભુ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ:- જેમ ખેલતા અવસર આવ્યું “સર'નું એટલે હુકમનું પતું નાખવાનું હોય તેમ વય પરિપક્વ થઈ જાય અર્થાત્ વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે ઘર્મનું આરાઘન અવશ્ય કરીશું. ૧૦૭થી મળે મિત્ર બહુ દિવસે, તેમ યુવાવય આવી રે, ઘટતો આદર આપવો, યોગ્ય ભાવ ઉર લાવી રે. પ્રભુ અર્થ :- જેમ ઘણા દિવસે મિત્રનો મેળાપ થાય તેમ આ યુવાવય આવી છે તો તેને ઘટતો આદર આપવો જોઈએ અર્થાત્ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર્મ આરાઘવા યોગ્ય છે એવો ભાવ પણ હૃદયમાં રાખવો જોઈએ. /૧૦૮ાા વણા વાગતી હોય ત્યાં, વેદોચ્ચાર ન છાજે રે, તેમ તમે ઘો બોઘ તે, લાગે મુજને આજે રે. પ્રભુ અર્થ – જ્યારે ગાનતાન અર્થે વીણા વાગતી હોય તે વખતે વેદોચ્ચાર એટલે ઘર્મનો ઉપદેશ કરવો તે શોભાને પામતો નથી; તેમ આજે અયોગ્ય અવસરે યુવાવયમાં ઘર્મનો બોઘ કરો છો તે પણ મને તેવો લાગે છે. ૧૦૯ાા સુઘર્મ-ફળ સુર-લોક તે, લાગે સંશયવાળું રે, પ્રત્યક્ષ સુખ નિષેઘતા આપે શું હિત ભાળ્યું રે?” પ્રભુ પરમ ઉપકારી રે. અર્થ – વળી મહારાજા કહે : સઘર્મનું ફળ દેવલોક છે તે મને સંદેહવાળું લાગે છે. તથા પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ સુખનો તમે નિષેઘ કરો છો, તો તેમાં તમે મારું એમાં શું હિત ભાળ્યું ? એ વાતનો સ્પષ્ટતાથી ખુલાસો કરો. ૧૧૦ના (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ (રાગ-દર્શન તારા વૃષ્ટિમાં, મનમોહન મેરે) સ્વયંબુદ્ધ મંત્રી કહે: “ખરી વાત સુણાવું,” નમી નૃપ સન્મુખ રે; “ખરી વાત સુણાવું; સત્ય ઘર્મનાં ફળ વિષે, ખરી વાત સુણાવું; શંકા ટાળે સુખ રે, ખરી વાત સુણાવું, અર્થ :- રાજાના વચનો સાંભળી સ્વયંબુદ્ધ મંત્રી અંજલિ જોડી કહેવા લાગ્યાઃ રાજ! સત્ય ઘર્મના ફળ વિષેની શંકા ટળવાથી સુખ થશે એ વિષે હું આપને ખરી વાત સુણાવું છું. તે આપ સાંભળો. ૧ાા Page #67 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૬૭ શંકા-શલ્ય નિવારવા, ખરી વાત કરાવું યાદ રે, ખરી. નંદનવનમાં દેખિયા ખરી. દેવ વિના વિવાદ રે, ખરી. અર્થ :- શંકારૂપી શલ્ય એટલે કાંટાને દૂર કરવા માટે હું આપને એક વીતેલી વાત યાદ કરાવું છું. એક વાર આપણે બાલ્યાવસ્થામાં નંદનવનમાં ગયા હતા. ત્યાં એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. એ વિવાદ વગરની સત્ય હકીકત છે. રા. દેવે વાત કરી હતી : ખરી. “અતિબળ-ઑવ હું દેવ રે, ખરી. પિતામહ તારો હતો, ખરી. ફળ દીઠું સ્વયમેવ રે. ખરી અર્થ :- વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું કે હું અતિબળ નામે તારો પિતામહ એટલે દાદા હતો. હવે હું દેવ થયેલો છું. મેં સ્વયં આ સંસારના કડવા ફળ જોયેલા છે. સા. પેઠે નઠારા મિત્રની, ખરી, તજ્યા હતા. મેં ભોગ રે, ખરી. ગ્રહી દીક્ષા બહુ ભાવથી, ખરી. વિષય-સુખો ગણી રોગ રે. ખરી અર્થ :- રાજ્ય અવસ્થામાં આ ભોગોને નઠારા મિત્રોની પેઠે તૃણ સમાન જાણી તજી દઈ, બહુ ભાવથી મેં દીક્ષા ગ્રહણ કરી હતી. પછી પાંચ ઇન્દ્રિયના વિષય સુખોને હું રોગ સમાન જાણતો હતો. I/૪ વ્રત-મંદિરના કળશ સમ, ખરી. કરી મરણ સંન્યાસ રે, ખરી. ઘર્મ-પ્રભાવે પામિયો, ખરીલાંતવ-દેવ-વિલાસ રે. ખરી અર્થ:- અંત સમયે વ્રતરૂપી મંદિર ઉપર કળશ ચઢાવા સમાન સંન્યાસ મરણ એટલે સમાધિમરણ કરવાથી ઘર્મના પ્રભાવે હવે હું છઠ્ઠી લાંતવ નામના દેવલોકનો અધિપતિ થઈ તેના વિલાસને પામ્યો છું. /પાના તમે હજી સંસારનું-ખરી. નથી સમજતા રૂપ રે- ખરી. છતાં પ્રમાદી ના રહો, ખરી. ભવ માનો દુઃખ ફૂપ રે.' ખરી અર્થ - તમે હજી આ સંસારના વિષમ સ્વરૂપને સમજતા નથી. છતાં આ અસાર સંસારને દુઃખના કૂવા સમાન જાણી કદી પ્રમાદી રહેશો નહીં. કા અંતર્ધાન પછી થયા-ખરી. ઘનમાં વિજળી જેમ રે. ખરી સ્મરણ પિતામહનું કરી, ખરી પરભવ માનો એમ રે.” ખરી અર્થ :- ઉપર પ્રમાણે વાત કરી, તે દેવ આકાશમાં જેમ વીજળી અંતર્ધાન થઈ જાય તેમ અલોપ થઈ ગયા હતા. માટે મહારાજ ! આપના પિતામહનું વચન સ્મરણ કરીને “પરલોક છે' એમ માનો. જ્યાં દેવલોક છે એવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ થયું ત્યાં શંકાને સ્થાન રહેતું નથી. શા કહે નૃપતિ : “સારું કર્યું, ખરીપ્રસંગ આવ્યો યાદ રે. ખરી ઘર્મ-અધર્મ-ફળો મળે- ખરી, પરભવે નિર્વિવાદ રે.” ખરી, અર્થ :- હવે રાજા કહે : તમે મને સારું કહ્યું. મને પણ તે પ્રસંગ યાદ આવી ગયો. ઘર્મ અઘર્મના પરભવમાં ફળ મળે છે એ વાત નિર્વિવાદ સમજાઈ ગઈ. હવે હું પરલોકને માન્ય કરું છું. દા સ્વયંબુદ્ધ ફરથી કહે - ખરી “પૂર્વજ નૃપ કુરુચંદ્ર રે-ખરી નિર્દય પાપી તે હતો-ખરી થયો સુત હરિશ્ચંદ્ર રે. ખરી Page #68 -------------------------------------------------------------------------- ________________ ४६८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - રાજાનું આવું આસ્તિક્ય વચન સાંભળી, પ્રસન્ન થઈને સ્વયંબુદ્ધ મંત્રીએ ફરીથી રાજાના પૂર્વજોની વંશકથા કહેવાની શરૂઆત કરી. હે મહારાજ ! પૂર્વે આપના વંશમાં કુરુચંદ્ર નામે રાજા થયો હતો. તે યમરાજા જેવો નિર્દયી, પાપી અને ભયંકર હતો. તેને કુરુમતી નામની સ્ત્રીથી હરિશ્ચંદ્ર નામે એક પુત્ર થયો હતો. લા. કુરુચંદ્રને રોગથી- ખરીપીડા જાગી અપાર રે- ખરી. ભોજન કડવાં લાગતાં, ખરી. મૃદુ શય્યા શૂળ-સાર રે. ખરી અર્થ - કુચંદ્ર રાજાને પૂર્વ ઉપાર્જિત પાપના ફળમાં ભયંકર રોગ ઉત્પન્ન થઈ શરીરમાં અપાર પીડા થવા લાગી. ભોજન કડવાં લાગવા લાગ્યા અને કોમળ શય્યા પણ શૂળ જેવી ભાસવા લાગી. /૧૦ના કાને ભણકારા થતા- ખરીફ્લેશકારી સદાય રે; ખરી, વાત ગમે ના કોઈની, ખરી. સુખ સ્વપ્નેય ન થાય રે. ખરી અર્થ :- નરકના આયુષ્યનો બંઘ થવાથી તેના કાનમાં સદાય ક્લેશકારી ભણકારા થવા લાગ્યા. સ્ત્રી પુત્રાદિની વાત પ્રત્યે અણગમો થયો. સુંદર ગાયનો ગઘેડાના સ્વર જેવા લાગવા લાગ્યા. ભૌતિક સુખો સ્વપ્નમાં પણ તેને સુખ આપનાર થયા નહીં. પુણ્યનો વિચ્છેદ થાય ત્યારે સર્વ વિપરીત થાય છે. (૧૧). દાહજ્વરે નિશદિન બળે- ખરીઅધિક ઔષથે થાય રે; ખરી. માકણ મસળી નાખતાં- ખરીશીતળ લોહી જણાય રે. ખરી અર્થ - અંતે અંગારાની જેમ દાહજ્વરથી નિશદિન બળવા લાગ્યો. ઔષઘ કરવાથી તે પીડા વિશેષ વૃદ્ધિ પામી. એક વાર તેણે માકણને મસળી નાખ્યું. તેનું લોહી તેને શીતળ જણાયું. તેથી તે રૌદ્રધ્યાન પરિણામવાળો થયો. |૧રા કહ્યું પુત્રને : લોહીનો - ખરી. કુંડ કરી ન્હવરાવ રે;” ખરી, લાલ લાખના રંગથી - ખરી. પાણી કરી કહ્યું, ‘ન્હાવ રે.” ખરી. અર્થ :- કુચંદ્ર પોતાના પુત્ર હરીચંદ્રને કહેવા લાગ્યો : મને લોહીનો કુંડ ભરીને ન્હવરાવ. પુત્ર દયાળુ હોવાથી લાખના લાલરંગથી કુંડ ભરી પિતાને કહ્યું : હવે તમે ન્હાવો. ૧૩. સ્નાન કરે આનંદથી, ખરી. પાણી ગયું મુખમાંય રે, ખરી, કપટ જાણીને ક્રોથથી - ખરી. નિજ સુત હણવા થાય રે. ખરી અર્થ - કુચંદ્ર આનંદથી તેમાં સ્નાન કર્યું. પણ પાણી મુખમાં જતાં લાખનો સ્વાદ જાણી આ બધું કપટ કર્યું છે; તેથી ક્રોઘમાં આવી જઈ પોતાના પુત્રને હણવા માટે તે દોડ્યો. ૧૪. ઠોકર લાગ્યાથી પડ્યો, ખરી. નિજ શસ્ત્ર જ હણાય રે, ખરી. હરિશ્ચંદ્રને લાગિયું - ખરી. કુમાર્ગ શત્રુ ગણાય રે. ખરી અર્થ :- દોડતા દોડતાં તે ઠોકર વાગવાથી પડી ગયો, અને પોતાના જ હાથમાં રહેલા શસ્ત્રથી હણાઈ જઈ મૃત્યુ પામ્યો. તે વખતે હરિશ્ચંદ્રને એમ લાગ્યું કે કુમાર્ગ છે તે ખરેખર શત્રુ સમાન છે. /૧૫ના કહે સુબુદ્ધિમંત્રીને ઃ ખરી. “કરી જ્ઞાર્નીનો સંગ રે, ખરી, તારે મને સમજાવવો'- ખરી. વઘે સુબુદ્ધિ-ઉમંગ રે. ખરી Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૬૯ = અર્થ :— હવે સદાચારના ઘરરૂપ એવો હરિશ્ચંદ્ર સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ઘર્મની સ્તુતિ કરતો રાજ્યનું વિધિવત્ પાલન કરવા લાગ્યો. તેણે એકવાર પોતાના સુબુદ્ધિ નામના શ્રાવ–બાળમિત્રને એવી આજ્ઞા કરી કે તારે હમેશાં જ્ઞાની પુરુષનો સંગ કરી તેમનો ધર્મોપદેશ મને સમજાવવો. એમ સાંભળી સુબુદ્ધિમંત્રીનો ઉમંગ વધી ગયો. કેમકે ઉત્તમ પુરુષોને એવી અનુકૂળ આજ્ઞા તેમના ઉત્સાહને પ્રેરનારી હોય છે. પાપથી ભય પામેલો એવો હરિશ્ચંદ્ર પણ મિત્ર સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર વૃઢ શ્રદ્ધા રાખવા વાગ્યો. ।।૧૬। પુર બહાર ઉદ્યાનમાં - ખરી૰ શીલંઘર મુનિ-રાય રે, ખરી કેવળજ્ઞાન વર્યા સુણી - ખરી સુબુદ્ધિ નૃપ-સઠ જાય રે. ખરી અર્થ :— નગરની બહાર ઉદ્યાનમાં શ્રી શીલંઘર નામના મુનિરાજ કેવળજ્ઞાનને પામવાથી દેવતાઓ -- તેમનું પૂજન કરવા જતાં હતા. તે જોઈ રાજા હરિશ્ચંદ્ર સુબુદ્ધિમંત્રી સાથે અશ્વારૂઢ થઈ ત્યાં આવ્યો. ।।૧૭।। નમસ્કાર કરી બેય તે – ખરી બેઠા સુણવા બોઘ રે. ખરીસુણી દેશના વીનવે - ખરી હરિશ્ચંદ્ર થી મોદ રે : ખરી ઃ અર્થ :– ત્યાં કેવળી ભગવાનને નમસ્કાર કરી રાજા અને મંત્રી બેય તેમનો બોધ શ્રવણ કરવા ભક્તિપૂર્વક બેઠા. તેમની અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનારી એવી દેશના સાંભળીને હરિશ્ચંદ્ર રાજા આનંદ પામી વિનયપૂર્વક ભગવંતને પૂછવા લાગ્યા. ।।૧૮।। ‘પ્રભુ, મુજ પિતાની ગતિ – ખરી॰ સુણવા થાય વિચાર રે.’ ખરી કહે કેવળી : ‘તે ગયા – ખરી॰ સાતમી નરકે, ઘાર રે.’ખરી અર્થ – હે ભગવંત! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા તે જાણવા ઇચ્છું છું. ત્યારે કેવળી = ભગવંતે કહ્યું : ‘તારા પિતા સાતમી નરકે ગયેલા છે; તેના જેવાને બીજું સ્થાન ન હોય.’ ।।૧૯।। રાય વૈરાગ્ય પામિયા, ખરી દઈ પુત્રને રાજ્ય રે – ખરી કરે મંત્રીને : 'હું ગ્રહું - ખરી. દીક્ષા શિવ-સુખ-સાજ રે. ખરી અર્થ :— પિતાની આવી ભયંકર ગતિ સાંભળી રાજા વૈરાગ્ય પામ્યો. ઘેર આવી પુત્રને રાજ્ય સોંપી મંત્રી સુબુદ્ધિને કહેવા લાગ્યો કે હું હવે મોક્ષસુખ પ્રાપ્તિના સાધનરૂપ એવી દીક્ષાને ગ્રહણ કરીશ. ।।૨ા મુજ સમ દેજો પુત્રને - ખરી ધર્મ-બોધ સુખકાર રે.' ખરી કહે મંત્રી : ‘હું આપની – ખરી સાથે વ્રત ઘરનાર રે. ખરી અર્થ – રાજા કહે : હૈ સુબુદ્ધિ! મારી જેમ હવે પુત્રને પણ સુખને કરવાવાળો એવો ઘર્મનો બોધ આપજો. ત્યારે મંત્રી કહે : હું પણ આપની સાથે પંચ મહાવ્રત ધારણ કરું છું. ।।૨૧।। મુજ સમ નૂતન રૃપને - ખરી મુજ સુત દેશે બોધ રે.' ખરી બન્ને કર્મો ટાળુને ખરી પામ્યા. અનંત બોધ રે. ખરી - અર્થ :– મારી જેમ નવા ૨ાજાને મારો પુત્ર ધર્મનો બોધ આપશે. એમ કહી બન્નેએ દીક્ષા ગ્રહણ કરી, સર્વે કર્મોને ટાળી અનંત સુખરૂપ એવા મોક્ષને પામ્યા. ।।૨૨।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ હરિશ્ચંદ્ર-વંશે તમે, ખરી સુબુદ્ધિ-વંશે હું ય રે; ખરી ક્રમ-આગત કુલ-કાર્ય આ, ખરી ફરજ ગણીને કહું ય રે- ખરી અર્થ :– હે રાજન ! આપ હરિશ્ચંદ્ર વંશમાં થયેલા છો અને હું સુબુદ્ધિ મંત્રીના વંશમા થયો છું; માટે કુલ ક્રમાગત આ કાર્યને મારી ફરજ ગણીને આપને કહું છું. રા અવસર સિવાય ત્યાગને, ખરી૰ આદરવાને કાજ રે- ખરી॰ કઠું, સકારણ તે સુણો - ખરી॰ હે! સમજી મહારાજ રે. ખરી અર્થ :– અવસર વગર હું આપને ત્યાગ કરવા કહું છું તે સકારણ છે, તે સાંભળો. તે મહારાજ! આપ તો સમજુ છો. ર૪॥ નંદનવન આજે ગયો, ખરી દીઠા બે મુનિરાય રે; ખરી જ્ઞાની ચારણ મુનિને, ખરી વંદી લાગ્યો પાય રે. ખરી અર્થ :– હું આજે નંદનવનમાં ગયો હતો. ત્યાં બે ચારણ મુનિઓને દીઠા. મહામોહરૂપી અંધકારને = છેદનારા એવા સૂર્ય ચંદ્ર સમાન જ્ઞાની મુનિઓને વંદન કરી તેમના ચરણ સ્પર્શ કર્યા. ॥૨૫॥ સુણી દેશના પૂછ્યુિં - ખરી નૃપ-આયુષ્ય-પ્રમાણ રે, ખરી કહે મુનિ કરુણા કરી - ખરી- 'એક જ મહિનો જાણ રે' ખરી અર્થ :— તે મહાત્માની ઘર્મદેશના સાંભળી તેમને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું ત્યારે તેમણે કરુણા કરી આપનું આયુષ્ય એક માસનું જ હવે બાકી છે એમ જણાવ્યું. રા ત્વરા તેર્થી ઘર્મ કરો, ખરી કહ્યું સર્વ એ કાજ રે, ખરી ભલે બીજા નિંદે છતાં, ખરી॰ ચહું હિત, મહારાજ રે.' ખરી અર્થ :— માટે હે મહામતિવાન મહારાજા! હવે ધર્મ આરાધવાની ત્વરા કરો. એ માટે જ આ સર્વ આપને કહ્યું છે. ભલે બીજા મારી નિંદા કરે પણ હું આપના હિતને ઇચ્છું છું. ૫૨નો કહે મહાબળ : “આપ તો, ખરી સાચા બંધુ સમાન રે; ખરી વિષય-મગ્ર હું તો હતો, ખરી મોઢે મત્ત અભાન રે. ખરી અર્થ = • હવે મહાબળ રાજા કહે : હે સ્વયંબદ્ધ! હૈ બુદ્ધિના સમુદ્ર ! મારા સાચા બંધુ તો આપ જ છો કે જે મારા હિતને અર્થે સદા વિદ્ઘલ છો. હું તો વિષયમાં મગ્ન હતો, મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત અભાન જેવો બની ગયો હતો. ।।૨૮।। આપે આજે જગાડિયો, ખરી આપે કર્યું સુકાર્ય રે, ખરી હવે કહો હું શું કરું? ખરી કર્યો ધર્મ છે. આર્ય રે? ખરી અર્થ :— આપે આજે મને તે મોહનિદ્રામાંથી જગાડ્યો. આપે તો ઘણું મોટું સત્કાર્ય કર્યું છે. હવે મને -- કર્યો કે કેવી રીતે ધર્મની આરાધના કરું ? કર્યો ધર્મ આસ્તિક આર્યોને આરાધવા યોગ્ય છે? તે હવે શીઘ્ર ો. રતા ઘર લાગ્યું, ક્રૃપ ખોદવો,' ખરી હવે જીવવું અલ્પ રે.' ખરી કહે મંત્રી : “હે! ભૂપતિ, ખરી॰ તજો ખેદ વિકલ્પ રે. ખરી Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૧ અર્થ - ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવો કેમ બને? મારું જીવન તો અલ્પ માત્ર રહ્યું ત્યારે હવે હું શું કરી શકું? મંત્રી કહે : હે ભૂપતિ! આપ ખેદ કરો નહીં અને આવા વિકલ્પને તજી ઘો. કારણ આયુષ્ય છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. ૩૦ આશ્રય યતિ-ઘર્મો તણો, ખરી. એક દિવસ પણ થાય રે- ખરી. તો દીક્ષા તે મોક્ષ દે; ખરી. સુગતિની શી શકાય રે?” ખરી. અર્થ - પરલોકમાં મિત્ર સમાન એવા મુનિઘર્મનો આશ્રય ગ્રહણ કરો. એક દિવસની સાચી દીક્ષા પણ જીવને મોક્ષ આપી શકે છે તો સુગતિ પ્રાપ્ત કરવામાં શી શંકા છે? I૩૧ નૃપ-પદવી દઈ પુત્રને, ખરી. દાન-પુંજા કરી સાર રે; ખરી. ખમી, ખમાવી સર્વને, ખરી લે સદ્ગુરુ-આઘાર રે. ખરી અર્થ - હવે મહાબળ રાજાએ દીક્ષા લેવાનો નિર્ણય કરી પુત્રને રાજ-પદવી આપી. દીન-અનાથોને અનુકંપાદાન આપ્યું. પછી સર્વ ચૈત્યોમાં માણિક્ય, સુવર્ણ, કુસુમાદિ પદાર્થોથી ભગવાનની ભવ્ય રીતે પૂજા કરી, સર્વને ખમી ખમાવી સદ્ગુરુ ભગવંતનું શરણ અંગીકાર કર્યું. ૩રા દીક્ષા લઈને તે ઘરે, ખરી. અનશન ને વૈરાગ્ય રે; ખરી. બાવીસ દિવસ જીવીને, ખરી કરે દેહનો ત્યાગ ૨. ખરી અર્થ - હવે રાજર્ષિએ દીક્ષા ગ્રહણ કરી સાથે ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. વૈરાગ્યસહિત બાવીસ દિવસ અનશન પાળી અંતે સમાધિમરણ સાથી આ નશ્વર દેહનો પણ ત્યાગ કર્યો. [૩૩ના ઈશાન" સુર-લોકે લહે, ખરી સમૃદ્ધિ-ભોગ અપાર રે; ખરી. સ્વયંપ્રભા દેવાંગના, ખરી હતી સર્વમાં સાર રે. ખરી અર્થ - આ દેહ છોડી ઈશાન નામના બીજા દેવલોકમાં અપાર ભોગ સમૃદ્ધિને તેઓ પામ્યા. ત્યાં દેવીઓમાં સ્વયંપ્રભા દેવાંગના તે સર્વથી શ્રેષ્ઠ હતી. ભગવાન ઋષભદેવનો આ પાંચમો ભવ છે. ૩૪ પળ સમ વર્ષ વહી ગયાં, ખરી. દેવી-મરણે દુઃખ રે; ખરી. મિત્રો મળી સમજાવતા, ખરી લેશ ન લે સુર સુખ રે. ખરી અર્થ – સ્વયંપ્રભા દેવાંગના સાથે રહેતા પળ સમાન ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. વૃક્ષ પરથી પત્ર ખરી પડે તેમ સ્વયંપ્રભા દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં તે ચ્યવી ગઈ. તેના મરણથી લલિતાંગદેવ ખૂબ દુઃખી થયો. મિત્રો મળીને સમજાવતા છતાં દેવલોકની કોઈ પણ સામગ્રી તેને સુખરૂપ થઈ નહીં. ૩પા. સ્વયંપ્રભા સંભારીને, ખરી. લલિતાંગ દુઃખપૂર્ણ રે; ખરી. ૨ડે, રડાવે સર્વને, ખરી. અશ્રુ વહાવે ચોખુણ રે. ખરી અર્થ - તે લલિતાંગ દેવ સ્વયંપ્રભાને સંભારી પૂર્ણ રીતે દુઃખી થઈ ચોધાર આંસુએ સ્વયં રહે, બીજાને પણ રડાવે એવો વિલાપ કરવા લાગ્યો. ૩૬ાા સ્વયંબુદ્ધ મંત્રી સુણી, ખરી મિત્ર-મરણની વાત રે; ખરી. દીક્ષા લઈ, પાળી, થયો- ખરી. ઈશાન-સુર સાક્ષાત્ રે. ખરી Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ = અર્થ :– અહીં મનુષ્યલોકમાં સ્વયંબુદ્ધુ મંત્રી પોતાના સ્વામી મહાબળ રાજાના સમાધિમરણની વાત સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી તે પાળીને કાળ કરી ઈશાન દેવલોકમાં ઇન્દ્રનો દૃઢઘર્મા નામે સામાનિક દેવતા થયો. ।।૩૭।। ૪૭૨ લલિતાંગ પાસે ગયો, ખરી૰ પૂર્વ-પ્રેમ-પ્રેરિત રે; ખરી૰ કહે : “માત્ર દેવી ગયે, ખરી કેમ બનો દુઃખિત ૨ે? ખરી૰ અર્થ :— તે દૃઢધમાં પૂર્વભવના પ્રેમથી પ્રેરાઈને લલિતાંગદેવ પાસે ગયો. અને આશ્વાસન આપતા = કહેવા લાગયો કે હે મહાસત્વ! દેવી જવાથી તમે કેમ મોહ પામી આટલા બધા દુઃખી થાઓ છો? ।।૩ના પ્રાણ જતાં પણ ઘીરને, ખરી દશા ન આવી થાય રે.' ખરી લલિતાંગ તેને કહે :- ખરી૰ વિરહ સહી ન શકાય રે. ખરી અર્થ :– પ્રાણ ત્યાગનો સમય આવે તો પણ ધીરપુરુષો આવી દશાને પ્રાપ્ત થતા નથી. ત્યારે લલિતનાંગદેવ કહે : મારાથી આ દેવીનો વિરહ સહન થઈ શકતો નથી. ।।૩લા પ્રાણ-વિરહ તો સહી શકું, ખરી કાંતા-વિરહ અપાર રે; ખરી સૌ વૈભવ દેવી વિના, ખરી લાગે મને અસાર રે.” ખરી અર્થ :— હું પ્રાણનો વિરહ સહન કરી શકું પણ આ કાંતાનો અપાર વિર મારા માટે દુઃસહ છે. આ દેવલોકના સર્વ વૈભવ આ દૈવી વિના મને અસાર લાગે છે. ૪૦ના દઢથમાં સુર-મિત્ર આ, ખરી દે અધિ-ઉપયોગ રે; ખરી કહે : “મિત્ર, જાણી લીધું, ખરી થશે દેવીનો યોગ રે. ખરી અર્થ :— હવે દધર્માએ અવધિજ્ઞાનબળે ઉપયોગ મૂકી કહ્યું : હે મિત્ર! તમા૨ી થનારી પ્રિયા ક્યાં - છે તે મેં જાણી લીધું છે. તેનો દૈવીરૂપે તમને યોગ થશે. ।।૪૧।। સ્વસ્થ થઈ જી સાંભળો, ખરી ઘાતકી ખંડ-વિદેહ રે; ખરી નંદીગ્રામે બાઈ છે, ખરી દુર્ભાગ ને નિઃસ્નેહ રે. ખરી અર્થ ઃ— જરા સ્વસ્થ થઈને આ વાત સાંભળો. પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહક્ષેત્રને વિષે નંદી નામના ગામમાં એક બાઈ છે તે ભાગ્યદીન હોવાથી ઘરમાં કોઈનો સ્નેક પામી શકતી નથી. ।।૪૨। નિર્નામિકા નામ છે, ખરી સાતમી નાની બે'ન રે; ખરી ગરીબ-ઘરે બહુ બાળકો, ખરી પડે ન માને ચેન રે, ખરી = અર્થ :– નિમિકા તેનું નામ છે. તે સાત બહેનોમાં સૌથી નાની છે. તે ગરીબ ઘરમાં બહુ બાળકો હોવાથી માને ચેન પડતું નથી. ।।૪૩।। માતા અતિ ખિજાય રે; ખરી ‘ગિરિ પર જઈ જો લાકડાં, ખરી લાવે તો જ ખવાય રે.' ખરી માર્ગ મોદક ને રડે, ખરી અર્થ :– એકવાર ઉત્સવના દિવસે ધનાઢ્ય બાળકના હાથમાં મોદક એટલે લાડુ જોઈ નિર્નામિકા · પોતાની માતા પાસે મોદક માગીને રડવા લાગી. ત્યારે માતા ખૂબ ખિજીને બોલી કે પહાડ પર જઈ લાકડા Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૩ લઈ આવે તો જ ખાવાનું મળે. II૪૪. વચન સુણી માતા તણું, ખરી. દોરડી લઈ તે જાય રે; ખરી. ભારો લઈને આવતાં, ખરી. લોકો બહુ દેખાય રે. ખરી અર્થ - માતાનું વચન સાંભળી તે દોરડી લઈને ગઈ. ભારો લઈને પાછી ફરતાં રસ્તામાં ઘણા લોકોને જોયા. ૪પા. સુણે, કેવળી-દર્શને ખરી. નગરજનો સૌ જાય રે; ખરી. કષ્ટ-ભાર સમ કાષ્ટને, નાખી દઈ હરખાય રે. ખરી અર્થ :- આ બઘા નગરજનો તો કેવળી ભગવાનના દર્શન કરવા જાય છે એમ તેણીએ સાંભળ્યું. તેથી દુઃખના ભારાની જેમ આ લાકડાના ભારાને ત્યાંજ છોડી દઈ પોતે પણ હરખાતી તેમની સાથે ચાલી. ભગવાનનું દર્શન સર્વસુખનું કારણ છે. Il૪૬. ગિરિ પર ચઢ કરી વંદના, ખરી. ગતિ-યોગ્ય મતિ થાય રે; ખરી. સુણી દેશના તે ગમી, ખરી પૂછે : “હે! જિનરાય રે- ખરી, અર્થ - નિર્નામિકાએ પણ પહાડ પર ચઢી ભગવાનને વંદન કર્યા. ‘જેવી ગતિ તેવી મતિ'. તે અનુસારે તેને બુદ્ધિ ઊપજી. કેવળી ભગવાને આપેલી દેશના તેણે સાંભળી. તેને તે બહુ ગમી. તેથી ભગવાનને તે પૂછવા લાગી. ૪ળા રાય-રંક સરખા ગણો, ખરી. તેથી તર્જી હું બીક રે, ખરી. પૂછું ? દુખિયા પૃથ્વમાં ખરી. હશે મુજથી અધિક રે?” ખરી અર્થ :- હે ભગવંત! આપ રાજા કે રંક બેયને સરખા ગણો છો, માટે હું બીક તજીને પૂછું છું કે આપે આ સંસારને દુઃખના ઘરરૂપ કહ્યો; પણ આ પૃથ્વી ઉપર મારાથી કોઈ અધિક દુખિયા હશે? ૪૮ કેવળી ભગવંતે કહ્યું : ખરી. “સાંભળ, દુઃખી બાળ રે- ખરી. તારાથી પણ દુઃખિયા, ખરી. જીવો બહુ કંગાલ રે. ખરી અર્થ - ત્યારે કેવળી ભગવંતે કહ્યું : હે દુઃખી બાળા! હે ભદ્ર! તારે તો શું દુઃખ છે? તારા કરતાં પણ અત્યંત દુ:ખી જીવો છે તેની હકીકત સાંભળ. I૪૯. નરકગતિના જીવનાં-ખરી. તન યંત્રે પિલાય રે. ખરી કરવતથી વે’રાય રે! ખરી. અંગો અંગ કપાય રે. ખરી અર્થ - જે પોતાના દુષ્ટકર્મથી નરકગતિમાં ઉત્પન્ન થયા છે. તેમાં કેટલાકનાં શરીર તલ પીલવાની જેમ યંત્રોથી પીડાય છે, કરવતથી વેરાય છે, અને કેટલાકના અંગોઅંગ કપાઈ મસ્તક જુદા પડે છે. આમ નરકના દુઃખ ભયંકર છે. પા. ઊકળતા તેલ તળે, ખરી. સીસાના રસ પાય રે; ખરી. પૂર્વપાપ સંભારીને - ખરી. રચે દુઃખ-ઉપાય રે. ખરી અર્થ - નારકી જીવોને પરમાઘામીઓ ઊકળતા તેલમાં તળે છે. તૃષા લાગેલા જીવોને ગરમાગરમ Page #74 -------------------------------------------------------------------------- ________________ ४७४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સીસાના રસ પાય છે. તથા પોતાના પૂર્વકર્મને સંભારી તે નારકીઓ અનેક દુઃખના ઉપાય રચી એકબીજાને દુઃખી કરે છે. પલા નિશદિન દુઃખો ભોગવે, ખરી કેમે છંટે ન માય રે, ખરી. સાગર સમ આયુષ્ય ત્યાં, ખરી. દુઃખે મરણ ન થાય રે. ખરી અર્થ :- નારકીઓ રાત-દિવસ દુઃખો ભોગવે છે. તેઓ કોઈ રીતે દુઃખમાંથી છૂટી શકતા નથી. શાકની જેમ ખંડ-ખંડ કરેલ શરીર પણ પાછું પારાની જેમ જોડાઈ જાય છે. તેમના આયુષ્ય સાગરોપમ જેવા લાંબા હોય છે. તેઓ દુઃખના માર્યા આયુષ્ય પહેલા મરવા ઇચ્છે તો પણ કરી શકતા નથી. /પરા દૂર રહો એ દુઃખ તો, ખરી જનાવરો દેખાય રે, ખરી. જળચર જીવો ત્રાસમાં - ખરી જીવે, બીજા ખાય રે. ખરી અર્થ - એ નારકીઓના દુઃખની વાત દૂર રહો, પણ આ જનાવરોના દુઃખ તો પ્રત્યક્ષ દેખાય છે. જેમકે જળચર, સ્થળચર કે આકાશમાં ઊડતા પક્ષીઓ બઘા ભયના માર્યા ત્રાસમાં જીવે છે. પૂર્વકર્મના પાપના ઉદયે એક બીજાને ખાઈ જાય છે. પિયા બગલાં ગળતાં માછલાં, ખરી. માછીથી પકડાય રે, ખરી. કાપે, રાંઘે, નિર્દયી, ખરીશેકી, તળીને ખાય રે. ખરી અર્થ - કેટલાક માછલાઓને બગલાં ગળી જાય છે. કેટલાકને માછીમારો પકડે છે. નિર્દયી લોકો તેને કાપી, રાંઘી, શેકી કે તળીને ખાય છે. પા. ચરબી અર્થે મારતા, ખરી. ચામડી અર્થે કોય રે; ખરી. રમત નિમિત્તે મારતા - ખરી. જે જન નિર્દય હોય રે. ખરી અર્થ :- કોઈ ચરબીને માટે મારે છે. નિર્બળ હરણોને બળવાન સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઇચ્છાથી મારી નાખે છે. કોઈ તેની સુંવાળી ચામડી મેળવવા માટે મારે છે. કોઈ શિકાર કરવામાં આસક્ત મનુષ્યો રમત નિમિત્તે તે નિરપરાથી પ્રાણીઓનો વઘ કરે છે. આ બધા નિર્દયી પાપી જીવોના કામ છે. નિર્દય જીવો મરીને આવા નરકમાં જાય છે. પપા બળદ વગેરે પ્રાણીઓ - ખરી. સહે તરસ, ભેખ, ભાર રે; ખરી. ટાઢ, તાપ ને મારનાં - ખરી. અસહ્ય દુઃખ, વિચાર રે. ખરી અર્થ :- બળદ વગેરે પ્રાણીઓ તરસ, ભૂખ અને અતિભારના દુઃખો સહન કરે છે. વળી ટાઢ, તાપ, ચાબુક, અંકુશ, પરોણાના માર વગેરે ખમવાથી અસહ્ય દુઃખો ભોગવે છે. તે વિચાર કરવા જેવું છે. એમ પશુયોનિમાં પણ કેટલાં બધા દુઃખો રહેલાં છે. પા. પક્ષી પણ સુખી નથી, ખરી જાળ વિષે સપડાય રે, ખરી. શર, પથ્થર આદિ વડે, ખરી. હણાય ને રંઘાય રે. ખરી અર્થ:- આકાશમાં ઊડતા પક્ષીઓ તેતર, પોપટ, કબૂતર, ચકલા વગેરે પણ સુખી નથી. તેમને માંસની ઇચ્છાવાળા બાજ, સિંચાણો કે ગીઘ વગેરે પક્ષીઓ પકડીને ખાઈ જાય છે, અથવા શિકારી દ્વારા Page #75 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૫ અનેક ઉપાય વડે જાળમાં સપડાઈ જઈ ઘણી વિટંબણા પામે છે. તેઓ શર એટલે બાણવડે કે પથ્થર આદિ વડે પણ હણાઈ જઈ રંધાય છે. પશા ઈડા ફોડીને તળે, ખરી. પીંછા કાજ હણાય રે; ખરી. પકડી પૂરે પાંજરે, ખરી, પરાથીન રિબાય રે. ખરી અર્થ :- કોઈ મરઘી વગેરેના ઈંડા ફોડીને તળે છે. કોઈ પીંછા મેળવવા માટે તેમને હણે છે. કોઈ પકડીને પાંજરામાં પૂરે છે. ત્યાં બિચારા પરાધીન બની ઘણા રિબાય છે. આ બઘા અજ્ઞાન અવસ્થામાં પોતાના જ બાંઘેલા કર્મોના ફળ જીવોને ભોગવવા પડે છે. //પેટા માણસમાં પણ આંથળા, ખરી. મૂંગા જન્મથ હોય રે, ખરી. રોગી આખી જિંદગી - ખરી. બાળ-વિઘવા કોય ૨. ખરી હવે મનુષ્યજીવનનું દુઃખ વર્ણવે છે : અર્થ :- જેઓ મનુષ્યપણું પામ્યા છે, તેમાં કેટલાક જન્મથી આંધળા, બહેરા, મૂંગા કે પાંગળા થાય છે. કોઈ જીવનપર્યત રોગી હોય છે. કોઈ અનેક પ્રકારની વ્યાધિઓથી પીડાતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષા પામે છે. કોઈ બાળવયમાં જ વિઘવા બની જાય છે. પા. જીંવતા સુંઘી કેદમાં - ખરી. જન્મ-ગુલામો થાર રે; ખરી, પશુ પેઠે સ્વામી તણાં - ખરી. સહે વચન, દુઃખ, માર રે. ખરી અર્થ - કોઈ ચોરી કરનારા કે પરસ્ત્રીગમન કરનારા પાપી પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષા પામી જીવતા સુઘી કેદમાં પણ પુરાય છે. કોઈનો જન્મ નોકરી વગેરે કરી પરની ગુલામી કરવામાં વ્યતીત થાય છે. તેઓ પણ પશુની પેઠે પોતાના સ્વામીના કડવા વચન સહન કરે છે, તેમની સેવા કરી અનેક પ્રકારના દુઃખ સહન કરે છે અથવા તેમના હાથની માર પણ ખમે છે. આ પ્રમાણે મનુષ્યલોકના મનુષ્યો પણ દુઃખી છે. ૬૦ પરાભવે ક્લેશિત ને - ખરી. સુરપતિને આથીન રે; ખરી. પશુ સમ વાહન સુર બને - ખરી. દેવપણામાં દીન ૨. ખરી અર્થ :- હવે દેવલોકના દુઃખનું વર્ણન કરે છે : દેવલોકમાં દેવો પરસ્પરના પરાભવથી ક્લેશ પામેલા કે એક બીજાની વિશેષ ઋદ્ધિ જોઈને દુઃખી થયેલા અથવા પોતાના સ્વામી ઇન્દ્રને આધીન રહેલા એવા દેવતાઓને પણ સદા દુઃખ રહેલું છે. દેવપણામાં પણ દીન બનેલા એવા દેવોને પશુ સમાન વાહન બનવું પડે છે. ૬૧ કિલ્વેિષ આદિ કુદેવ તો - ખરી. અંત્યજ જેવા જાણ રે, ખરી, સુખ નથી સંસારમાં; ખરી સુઘર્મ સુખની ખાણ રે. ખરી અર્થ - કિલ્પિષ આદિ કુદેવો તો દેવલોકમાં પણ અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં પ્રવેશ કરી શકે નહીં. આ ચારગતિરૂપ સંસારમાં કાંઈ સુખ નથી. એક જિનેશ્વરે કહેલો સઘર્મ જ સુખની ખાણરૂપ છે. ૬રા * • II૬ ગી Page #76 -------------------------------------------------------------------------- ________________ ४७७ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નાવ ડૂબે અતિ ભારથી, ખરી તેમ જ હિંસા-ભાર રે, ખરી. નરક-સમુદ્ર જીવને - ખરીડુબાડે, વિચાર રે. ખરી હવે પંચ મહાવ્રત વિષે વાત કરે છે : અર્થ :- જેમ અતિ ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ હિંસા કરવાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. માટે કદી પણ હિંસા કરવી નહીં. એ વાત દ્રઢપણે વિચારવા યોગ્ય છે. ૬૩. તૃણ ઊડે વંટોળીએ - ખરી. જીવ અસત્યે તેમ રે; ખરી. ભમે ભવે ચિરકાળ રે! ખરી. જૂઠ ન દેતી ક્ષેમ રે. ખરી અર્થ:- જેમ વાના વંટોળીઆથી તરણા ઊડે તેમ જીવ અસત્ય બોલવાથી આ સંસારમાં ચિરકાળ ભમે છે. તે જૂઠ તેને કદી પણ ક્ષેમ એટલે સુખશાંતિ આપનાર થતું નથી. II૬૪. સ્પર્શ કૌચનો દુઃખ દે - ખરી. તેમ અદત્તાદાન રે, ખરી. પરઘન-દારા પ્રીતિ દે- ખરી. ચિંતા ચિતા સમાન રે. ખરી અર્થ – જેમ કૌચ એટલે કૂચના કાંટાનો સ્પર્શ કરવાથી તે કરડ્યા કરે, દુઃખ આપે તેમ અદત્તાદાન એટલે ચોરી કરી પરથન હરણ કરવાથી ક્યારેય પણ સુખ થતું નથી. પરઘન કે પરદારા એટલે પરસ્ત્રી પ્રત્યેની પ્રીતિની ચિંતા જીવને ચિતા સમાન બાળનાર થાય છે. ૬પા મૈથુન મન્મથ-દાસને - ખરી. નરકે ઢસડી જાય રે; ખરી. જેમ જમાદારો વડે - ખરી કેદી જન ઢસડાય રે. ખરી અર્થ - મૈથુન એટલે અબ્રહ્મ સેવનાર એવા મન્મથ એટલે કામદેવના દાસને તે રાંકની પેઠે ગળેથી પકડી નરકમાં ઢસડી જાય છે. જેમ જમાદારો એટલે પોલિસવડે કેદી જન જેલમાં ઢસડાય છે તેમ. કા. પરિગ્રહ-કુગ્રહે સહે - ખરી. ભારે દુઃખો સર્વ રે; ખરી, કાદવમાં કરીવર કળે - ખરી. તેમ રસાદિ-ગર્વ રે. ખરી અર્થ - પરિગ્રહરૂપી કુગ્રહવડે જીવ ચારે બાજુથી પકડાઈ જઈ સર્વ પ્રકારના ભારે દુઃખોને સહન કરે છે. કરીવર એટલે મોટો હાથી જેમ કાદવમાં કળી જાય તેમ પ્રાણી રસગારવ, રિદ્ધિગારવ અને સાતાગારવવડે આ સંસારરૂપી કાદવમાં કળી જાય છે. ૬૭. દેશે પણ પાપો તજે-ખરી. તે વ્રત લે કલ્યાણ રે.” ખરી. સમકિત સહ નિર્નામિકા-ખરી. અણુવ્રતો લે, જાણ રે. ખરી અર્થ :- દેશે એટલે અંશે પણ જે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ પાંચ પાપોને તજે તે દેશવ્રતી શ્રાવક કલ્યાણને પામે છે. આ પ્રમાણે ચારગતિનું દુઃખમય સ્વરૂપ જાણી નિર્નામિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી મુનિશ્વર પાસે તેણીએ સમકિત સહિત પાંચ અણુવ્રતોને ધારણ કર્યા. ૬૮. વંદન કરી પાછી ફરી - ખરી. ભારો લઈને જાય રે; ખરી બહુ દિન ઘર્મ ઘરી હવે - ખરી. અનશન-ઘારી થાય રે. ખરી અર્થ - પછી મુનિશ્વરને વંદન કરી પોતાને કૃતાર્થ માનતી તે ભારો લઈ ઘર તરફ પાછી ફરી. ઘણા દિવસ સુધી તપાદિ ઘર્મ ક્રિયા કરી અંતે અનશનવ્રત ઘારણ કર્યું. કલા Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ४७७ લલિતાંગ જાઓ તમે - ખરી. ઘો દર્શન સુખકાર રે; ખરી, તમને સ્નેહે નીરખી - ખરી. દેવી-પદ લેનાર રે.” ખરી. અર્થ - હે લલિતાંગ! અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી નિર્નામિકા પાસે તમે જાઓ અને સુખકર, એવા તમારા દર્શન આપો; જેથી તે તમને સ્નેહપૂર્વક નીરખી, મૃત્યુ પામી તમારી દેવી થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” II૭૦. દેવે તેમ કર્યું જઈ, ખરી, રાગવતી સતી થાય રે; ખરી. મરણ કરી નિર્નામિકા - ખરી. સ્વયંપ્રભા બની જાય રે. ખરી અર્થ – લલિતાંગદેવે તેમ કર્યું તેથી તે નિર્નામિકા સતી તેના પ્રત્યે રાગવતી થઈ મરણ પામીને સ્વયંપ્રભા નામે તેની દેવી થઈ. ૭૧ાા. સુર-સુખ બન્ને ભોગવે, ખરી. કાળ ઘણો વહીં જાય રે; ખરી. લલિતાંગના અંગનાં - ખરી. માળાદિક કરમાય રે. ખરી અર્થ :- બન્ને દેવલોકના સુખ ભોગવતા ઘણો કાળ વહી ગયો. હવે લલિતાંગદેવના અંગમાં રહેલા માળા, રત્નઆભરણો આદિ નિસ્તેજ થવા લાગ્યા. //૭૨ાા માત્ર છ મહિના જીવવું - ખરીજાણી થાય ઉદાસ રે; ખરી. થાય અનાદર ઘર્મનો, ખરી ઇચ્છ-સુર-સુખ ખાસ રે. ખરી અર્થ - તેથી લલિતાંગદેવે જાણ્યું કે હવે તો માત્ર આ દેવલોકમાં છ મહિના સુધી જીવવું છે. તે જાણી મુખ પર ઉદાસી છવાઈ ગઈ. ચિંતાના કારણે ઘર્મનો અનાદર થવા લાગ્યો, અને દેવલોકના સુખને ખાસ ઇચ્છવા લાગ્યો. ||૭૩ી. કીડીને પાંખો સમી - ખરી. દીનતાથી ઘેરાય રે, ખરી. જાણે ગર્ભવાસનો - ખરી. ભય ધ્રુજાવે કાય રે. ખરી અર્થ - જેમ કીડીને મૃત્યુ સમયે પાંખો આવે તેમ તે દીનતાથી ઘેરાઈ ગયો. જાણે ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખનો ભય તેને કાયાના સર્વ અંગોને કંપાયમાન કરવા લાગ્યા. II૭૪ ઊંચુ મન દેખી વદે - ખરી. સ્વયંપ્રભા રહી હાથ રે, ખરી, “શો મારો અપરાઘ છે? ખરી. સ્પષ્ટ કહો હે! નાથ રે.” ખરી. અર્થ - લલિતાંગદેવનું ઊંચું મન જોઈ દેવી સ્વયંપ્રભાએ તેનો હાથ પકડી કહ્યું - હે નાથ! મેં આપનો શો અપરાઇ કર્યો છે? કે જેથી આપ આમ વિહળ જણાઓ છો? તે મને સ્પષ્ટ કહો. II૭પા. “અપરાથી નર્થી તું પ્રિયા! ખરી. અપરાથી તો હું જ રે; ખરી, પૂર્વ ભવે તપ ના થયું, ખરી અલ્પાયુષી છું જ રે. ખરી અર્થ - ત્યારે લલિતાંગદેવ કહેવા લાગ્યો - હે પ્રિયા! તેં કાંઈ પણ અપરાઘ કર્યો નથી. અપરાધી તો હું જ છું કે પૂર્વભવે મેં ઘણું ઓછું તપ કર્યું. તેથી હું અલ્પાયુષી છું. મારું આયુષ્ય હવે અલ્પ જ બાકી રહ્યું છે. ૭૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ ४७८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વિદ્યાઘર રાજા હતો, ખરી. ભોગ વિષે આસક્ત રે, ખરી, સ્વયંબુદ્ધ મંત્રી તણા ખરી. ઉપદેશે જિન-ભક્ત રે. ખરી અર્થ – પૂર્વભવે હું વિદ્યાઘરનો રાજા હતો ત્યારે ભોગમાં આસક્ત હતો. પણ સદ્ભાગ્યે સ્વયંબુદ્ધ મંત્રીના ઉપદેશથી હું જિનભક્ત બન્યો હતો. II૭૭યા. એક માસના ત્યાગથી, ખરી. ભાવો કર્યા પવિત્ર રે; ખરી. પ્રભાવ આ સુથર્મનો, ખરી ઘન્ય! એ મંત્રી-મિત્ર રે.” ખરી. અર્થ - ત્યાં અંતે એક મહિના સુધી સર્વનો ત્યાગ કરી દીક્ષા લઈ ભાવોને પવિત્ર કર્યા. તેના પ્રભાવે હું આટલા કાળસુધી આ શ્રીપ્રભ વિમાનનો સ્વામી બની રહ્યો. તેનું કારણ મારા મંત્રી સ્વયંબુદ્ધ મિત્ર હતા, તેમને ઘન્ય છે. I૭૮. સુર કહે, ત્યાં આવિયો - ખરી. દઢઘર્મા સુર-મિત્ર રે; ખરી. આજ્ઞા ઇન્દ્ર તણી કહે : ખરી. “અાલિકા પવિત્ર રે. ખરી અર્થ - લલિતાંગદેવ આવી વાતો કહે છે તેટલામાં ત્યાં દઢશર્મા જે પૂર્વભવનો સ્વયંબુદ્ધ મંત્રી જ છે તે ત્યાં આવી ઇન્દ્રની આજ્ઞા કહેવા લાગ્યો કે નંદીશ્વર દ્વીપમાં અષ્ટાલિકા એટલે આઠ દિવસનો પવિત્ર ઉત્સવ ઊજવવાનો છે માટે બધા ચાલો. I૭૯ાા. નંદીશ્વર દ્વીપે જવા - ખરી. આમંત્રે છે ઈન્દ્ર રે; ખરી. પૂજા-ભક્તિ ભલી થશે, ખરી. વંદીશું જિનેન્દ્ર રે.” ખરી. અર્થ :- નંદીશ્વર દ્વીપ જવા માટે ઇન્દ્રનું સર્વને આમંત્રણ છે. ત્યાં નંદીશ્વર આદિ દ્વીપમાં શાશ્વત જિનેન્દ્ર પ્રતિમાઓની ભલી પ્રકારે પૂજા ભક્તિ થશે. તથા ભાવપૂર્વક વંદના થશે માટે તમે પણ તેમની આજ્ઞાને અનુસરીને ત્યાં ચાલો. I૮૦ લલિતાંગ સુણી કહે : ખરી. “સમયોચિત પ્રસંગ રે; ખરી. મળ્યા મિત્ર સંભારતાં - ખરી. ઉરે વધ્યો ઉમંગ રે.” ખરી. અર્થ :- લલિતાંગે આ સાંભળી કહ્યું : અહો! ભાગ્યવશાત્ સ્વામીનો આ હુકમ પણ સમયને ઉચિત પ્રસંગે થયો. તથા દ્રઢઘર્મ મિત્ર પણ સંભારતા મળી ગયા; તેથી હૃદયમાં તીર્થ દર્શને જવાનો ઉમંગ વઘી ગયો. ૧૮૧ાા હર્ષ સહિત સૌ ચાલિયા, ખરી. પ્રભુ-પૂજનના ભાવ રે; ખરી, નૃત્ય-ગીત-આનંદથી - ખરીટ લીઘો સુરગતિ લાવ રે. ખરી અર્થ - હર્ષ પૂર્વક લલિતાંગદેવ પોતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલ્યો. હૃદયમાં પ્રભુ પૂજનનો ભાવ હોવાથી નંદીશ્વર દ્વીપમાં જઈ નૃત્ય, ગીત, આનંદસહિત શાશ્વતી અર્હત્ પ્રતિમાની પૂજા કરી દેવલોકમાં રહેવાનો લહાવો લીધો. ૮રા ચ્યવન-કાળ ભૂલી ગયો, ખરી. આયુષ પૂરણ થાય રે, ખરી, બુઝાતા દીવા સમો-ખરી ઝબકી ના દેખાય રે. ખરી અર્થ - ત્યાં ભગવાનની ભાવપૂર્વક પૂજા કરતાં ઊપજેલા પ્રમોદથી તે પોતાનો ચ્યવનકાળ ભૂલી Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૯ ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળો તે દેવ બીજા તીર્થોમાં દર્શન કરવા જતાં રસ્તામાં જ આયુષ્ય પૂર્ણ થવાથી, તે બુઝાતા દીપક સમાન ઝબકીને ઓળવાઈ ગયો. અર્થાત્ દેવલોકમાંથી તે ચ્યવી ગયો. ૧૮૩ જંબુદ્વીપ - વિદેહમાં ખરીપુર લોહાર્ગલ નામ રે; ખરી, સુવર્ણજંઘ ભંપાળ છે, ખરી. લક્ષ્મી રાણી ગુણઘામ રે. ખરી અર્થ - જંબુદ્વીપના વિદેહક્ષેત્રમાં લોહાર્ગલ નામનું એક નગર છે. તેમાં સુવર્ણજંઘ નામે રાજા રાજ્ય કરે છે. તેની ગુણના ઘરરૂપ લક્ષ્મી નામની એક રાણી છે. II૮૪. વજજંઘ નામે થયો - ખરી. સર-વ રાજકુમાર રે; ખરી. સ્વયંપ્રભા પતિને સ્મરી - ખરીઝૂરણા કરે અપાર રે. ખરી અર્થ - માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રનું વજજંઘ એવું નામ પાડ્યું. એ લલિતાંગદેવનો જીવ હવે રાજકુમાર થયો. આ ઋષભદેવ ભગવાનનો છઠ્ઠો ભવ છે. હવે સ્વયંપ્રભા દેવી દેવલોકમાં પતિનું સ્મરણ કરીને અપાર ઝૂરણા કરવા લાગી. ૮પા. દઢઘર્માના બોઘથી - ખરીબને ઘર્મ - ઉઘુક્ત રે; ખરી. પુંડરીકિણી પુરીમાં-ખરી ગુણવતી સતી શ્રીયુક્ત રે. ખરી અર્થ – તે સ્વયંપ્રભા પણ દઢઘર્મા દેવનો બોઘ સાંભળી ઘર્મકાર્યમાં લીન થઈ ગઈ. હવે મહાવિદેહ ક્ષેત્રના તે જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં શ્રીયુક્ત એટલે ઘનલક્ષ્મીથી યુક્ત એવી ગુણવતી નામની સતી રહે છે. ૮૬ાા. વજસેન ચક્રી તણી-ખરી પટરાણી સૈહાય રે-ખરી. તેની કૂખે કુંવરી-ખરી. સ્વયંપ્રભા-ર્જીવ થાય છે. ખરી અર્થ – તે વજસેન ચક્રવર્તીની પટરાણી છે. તેના કૂખમાં સ્વયંપ્રભાનો જીવ દેવલોકથી ચ્યવીને પુત્રીપણે ઉત્પન્ન થયો. ll૮૭ના શ્રીમતી નામે ઊછરે-ખરી. પામે યૌવન-કાળ રે; ખરી. સ્વપ્ન તીર્થપતિ જાએ, ખરી. સુર-સમૂહ વિશાળ રે. ખરી અર્થ:- તે અતિશય શોભાવાળી હોવાથી તેનું શ્રીમતી એવું નામ પાડ્યું. તે ઊછરતાં યૌવનકાળને પામી. એકવાર સ્વપ્નમાં તેણીએ તીર્થકર ભગવાનના દર્શન કર્યા. તથા તેમની સાથે દેવતાઓનો વિશાળ સમૂહ દીઠો. ૮૮ જાતિ-સ્મૃતિ પામી તે- ખરી. પલંગથી પડી જાય રે; ખરી. હા! લલિતાંગ,” વદી ઝૂરે, ખરી. આવી માતા થાય રે. ખરી અર્થ :- જોઈ શ્રીમતી જાતિસ્મરણજ્ઞાનને પામી. પલંગથી નીચે પડી જઈ, હા! લલિતાંગ એમ કરી ઝૂરતા તે મૂછ પામી. ત્યાં ઘા માતા આવી પહોંચી. IIટલો શીતોપચારે સેવતાં-ખરી. સ્વસ્થ થઈ તે જ્યાંય રે- ખરી, ઘાય-માતા ય પૂછતી-ખરીમૂછ-કારણ ત્યાંય રે. ખરી Page #80 -------------------------------------------------------------------------- ________________ ४८० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - ઠંડા ઉપચારનું સેવન કરવાથી જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે તેને ઊછેરનારા ઘાય માતા શ્રીમતીને મૂછનું કારણ પૂછવા લાગી. II૯૦ના પ્રાયશ્ચિત્ત લેનાર સમ-ખરી. સદગુરુની સન્મુખ રે- ખરી. યથાર્થ વાત કહે બથી : ખરી નિર્નામિકા - દુઃખ રે, ખરી. અર્થ - પ્રાયશ્ચિત્ત લેનાર માણસ જેમ સદ્ગુરુ પાસે પોતાનો યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પોતાના પૂર્વ જન્મો નિર્નામિકાના ભવના દુઃખથી લગાવીને આજ સુધીના જે થયા તેનો સર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી સંભળાવ્યો. ૯૧ાા સ્વયંપ્રભા-ભવનાં સુખો, ખરીપતિ-પ્રેમ-વિસ્તાર રે, ખરી, નંદીશ્વર દ્વીપ-મંદિરો, ખરી. ભક્તિમહોત્સવ સાર રે. ખરી અર્થ - દેવલોકમાં હું સ્વયંપ્રભા નામે દેવી હતી. ત્યાંના સુખો અને મારા પતિનો મારા ઉપર અત્યંત પ્રેમ હતો વગેરે સર્વનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. અમે નંદીશ્વર દ્વીપના મંદિરોમાં ભક્તિમહોત્સવ અર્થે ગયા હતા. ત્યાંથી બીજા તીર્થોમાં જતાં તે ચ્યવી ગયા અને હું અહીં આવી છું. I૯રા ચિત્ર-કુશળ તે પંડિતા-ખરી. પટ પર કરે ચિતાર રે; ખરી. શ્રીમર્તાને દર્શાવીને-ખરી. દ્રશ્ય કર્યું તૈયાર રે. ખરી અર્થ - ચિત્રમાં કુશળ એવી પંડિતાએ તે બઘા વૃત્તાંતનો ચિતાર પટ પર દોરી, શ્રીમતીને બતાવી એક સુંદર દ્રશ્ય તૈયાર કર્યું. ૯૩ ચક્રીની વર્ષગાંઠનો-ખરી. ઉત્સવ-દિન ગણ લાગ રે-ખરી. રાજાઓના માર્ગમાં-ખરી મૂક્યા ચિત્ર-વિભાગ ૨. ખરી અર્થ :- શ્રીમતીના પિતા વજસેન ચક્રવર્તી તેમની વર્ષગાંઠનો ઉત્સવ દિન આવ્યો. તે દિવસે ખરો લાગ જાણી, આવતાં રાજાઓનાં માર્ગમાં તે દોરેલું ચિત્ર મૂકી દીધું. ૯૪ના પંડિતા પાસે ઊભી, ખરી. રાજા જોતા જાય રે; ખરી. કોઈ વખાણે રંગને, ખરી. કોઈ કળા-ગુણ ગાય રે. ખરી અર્થ - પંડિતા તે ચિત્ર પાસે ઊભી રહી. રાજાઓ બઘા તે ચિત્ર જોતાં જાય છે. કોઈ તેમાં પૂરેલા વિવિઘ રંગોના વખાણ કરે છે. કોઈ તેમાં દોરેલી કળાના ગુણ ગાય છે. પા. કોઈ મંદિરો દેખતા, ખરી. કોઈ જાએ જિન-નાથ રે; ખરી. કોઈ દેવ-દેવી જાએ, ખરી. કોઈ સઘળો સાથ રે. ખરી અર્થ - કોઈ ચિત્રમાં દોરેલા સુન્દર મંદિરો જાએ છે તો કોઈ જિનનાથની મૂર્તિના દર્શન કરે છે. કોઈ દેવદેવીઓને જુએ છે. તો કોઈ સઘળા ભેગા મળેલા દેવોના સંઘાતને જોઈ વખાણે છે. કા. વજજંઘ કુમાર ત્યાં ખરી, દેખે જ્યાં ચિતાર રે; ખરી મૂર્ધા પામીને પડે, ખરીદાસ કરે ઉપચાર રે. ખરી અર્થ :- વજજંઘ કુમારે જ્યારે આ ચિત્રામાં બતાવેલ સઘળો ચિતાર જોયો કે તે મૂછ પામી નીચે Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૮૧ પડી ગયો. તેના સેવકોએ પંખાઓથી પવન નાખી જળથી સિંચન કર્યું, જેથી તે ભાનમાં આવી ઊભો થયો. ।।૯।। કારણ પૂછે પંડિતા-ખરી કુમાર થાતાં સ્વસ્થ રે; ખરી કહે કુમાર : “અમારી આ-ખરી ચિત્રે વાત સમસ્ત રે. ખરી અર્થ :— તે વખતે પંડિતાએ કુમારને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વજાંઘ કહે : આ ચિત્ર જોવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. આ ચિત્રમાં બઘી અમારી જ વાત આલેખેલી છે. ।।૯૮।। ઈશાન સુર-લોકે હતી-ખરી સ્વયંપ્રભા રૂપ-ખાણ રે; ખરી૰ લલિતાંગ સુર હું હતો, ખરી પ્રિયાની ઓળખાણ રે- ખરી અર્થ :પૂર્વભવમાં ઈશાન દેવલોકમાં રૂપની ખાણ સમાન આ સ્વયંપ્રભા હતી. તે મારી દેવી હતી. હું લલિતાંગ નામે દેવ હતો. પછી પ્રિયાની ઓળખાણ કરાવવા ચિત્રમાં આલેખેલી બધી હકીકત એક પછી એક તે સ્પષ્ટપણે કહી ગયો. ।।૯। મૂર્છા-કારણ જાણ તું; ખરી મળે મને એ કેમ ?' ખરી કહે પંડિતા, “સત્ય છે-ખરી વાત કહો છો તેમ રે. ખરી અર્થ :– આ જ મારી મૂર્છાનું કારણ હતું. એ જે વાત કહો છો તે બધી સત્ય છે. ।।૧૦૦ા મને કેવી રીતે મળી શકે? ત્યારે પંડિતાએ કહ્યું તમે ચક્રવર્તીની પુર્તી તે-ખરી॰ ઘરે આપ પર પ્રેમ રે; ખરી વજ્રસેનને આ બીના ખરી૰ કહીંશ બની છે, તેમ રે.” ખરી અર્થ :— આ ભવમાં તે સ્વયંપ્રભા આ ચક્રવર્તીની શ્રીમતી નામે પુત્રી થયેલ છે. જે આપ ઉપર અત્યંત પ્રેમ ધરાવે છે. ચક્રવર્તી વજ્રસેનને હું આ બનેલી બધી બીના કહી જણાવીશ. ।।૧૦૧।। ચક્રવર્તી સુણી હર્ષથી ખરી॰ તેડે તે કુમાર રે- ખરી શ્રીમી-કન્યા-દાન દે-ખરી કરી મહોત્સવ સાર રે. ખરી અર્થ :— ચક્રવતી વજ્રસેન પંડિતા પાસે બધો વૃત્તાંત જાણી હર્ષ પામ્યા. અને શીઘ્ર વજંઘ કુમારને તેડાવી કહ્યું : મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ. વજજંઘે તે વાત સ્વીકારી. જેથી મોટો મહોત્સવ કરી ચક્રવર્તીએ વજંઘને પોતાની પુત્રી શ્રીમતીનું કન્યાદાન આપ્યું. ૧૦૨। ચંદ્ર, ચાંદની રૂપ તે-ખરી૰ વરકન્યાનો યોગ રે; ખરી લોહાર્ગલ પુર તે ગયાં; ખરી ત્યાં યોગાનુયોગ રે-ખરી અર્થ તે બન્ને વરકન્યાનો યોગ ચંદ્ર અને ચાંદનીરૂપે થયો. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞા લઈ વજ્રજંઘ પોતાના લોહાર્ગલ નગરે ગયો. ત્યાં યોગાનુયોગ એક બીના બની. ।।૧૦૩/ સુવર્ણજંઘ નૃપાળને-ખરી વાદળથી વૈરાગ્ય રે-ખરી ઊપજ્યો, તેથી પુત્રને-ખરી નૃપપદ દે, લે ત્યાગ રે. ખરી Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - વજજંઘના પિતા રાજા સુવર્ણજંઘને વાદળ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી બધું અસાર જાણી પુત્રને રાજપદ આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. ૧૦૪ ચક્રવર્તી કમળ જાએ-ખરી. ભ્રમર મરેલો જ્યાંય રે, ખરી. નાશવંત ગણી, સૌ તજી ખરી. તીર્થકર તે થાય રે. ખરી અર્થ :- શ્રીમતીના પિતા વજસેન ચક્રવર્તીએ કમળના ફલમાં મરેલા ભમરાને જોઈ આસક્તિના ફળો કેવું મરણ નિપજાવનાર છે તેનો વિચાર કરી, બધું નાશવંત જાણીને દીક્ષા અંગીકાર કરી વ્રતનું યથાર્થ પાલન કરતાં તે તીર્થંકર પદવીને પામ્યા. I/૧૦૨ાા વજવંઘ ને શ્રીમતી-ખરીપુંડરીકિણી જાય રે; ખરી. વનમાં મુનિ-તપ-પારણું-ખરીદાન આપતાં થાય રે. ખરી અર્થ - એકવાર વજજંઘ અને શ્રીમતી પુંડરીકિણી નગરમાં જતાં વનમાં બે મુનિ મહાત્માઓને દીઠા. તે તપસ્વીઓને ભાવભક્તિપૂર્વક આહારદાન આપી પારણું કરાવ્યું. ૧૦૬ાા મુનિ-દર્શન-ઉલ્લાસથી-ખરીરાજા કરે વિચાર ૨ : ખરી. અહો! નિર્મમ મુનિ મહા-ખરી નિષ્કષાય, ઉદાર રે. ખરી અર્થ :- મુનિઓના દર્શન ઉલ્લાસભાવથી કરી રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! આ મહાન મૂનિઓ કેવા નિર્મમ અને નિષ્કષાયભાવવાળા છે કે જેણે ઉદાર ચિત્તવાળા થઈ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. ૧૦ળા ઘન્ય એ, હું અન્ય છું, ખરી. ઘરું ન પિતા-પંથ રે, ખરી. ઔરસ પુત્ર અનુંસરે-ખરી. જેમ સતી નિજ કંથ રે. ખરી અર્થ :- એ મુનિ મહાત્માઓને ઘન્ય છે. પણ હું પિતાના ત્યાગ માર્ગને અનુસરતો નથી માટે અન્ય છું. જેમ સતી સ્ત્રી પોતાના કંથને અનુસરે તેમ જે પિતાના માર્ગને અનુસરે તે જ ઔરસ પુત્ર ગણાય અર્થાત તે માતાપિતાના શરીરથી ઉત્પન્ન થયેલો ગણાય. જ્યારે હું પિતાના ત્યાગમાર્ગને અનુસરતો નથી માટે વેચાતા લીઘેલા પુત્ર જેવો છે. ||૧૦૮ાા હજીય વ્રત જો આદરું, ખરી નહીં અયોગ્ય ગણાય રે; ખરી. સ્વપુર જઈ દઉં પુત્રને ખરીરાજ્ય, એમ મન થાય રે.” ખરી. અર્થ :- હજી પણ જો હું પંચ મહાવ્રતને આદરું તો તે અયોગ્ય ગણાય નહીં. માટે હવે પોતાના નગરે જઈ પુત્રને રાજ્ય સોંપી પિતાની ગતિને અનુસરું એમ મન થાય છે. ||૧૦૯ાા લોહાર્નલ પુરે જઈ-ખરીનિદ્રાવશ સ્ઈ જાય રે; ખરી, ધૂપ-ઘટે ઘૂંપ નાખીને; ખરી નોકરને મન થાય રે- ખરી. અર્થ :- એવી ભાવના મનમાં રાખી, પોતાના નગર લોહાર્નલ પુરે જઈ નિદ્રાવશ થઈ સૂઈ ગયા. ત્યાં રાત્રે ઘૂપના ઘડામાં ધૂપ નાખી, નોકરના મનમાં બીજો વિચાર આવ્યો. ૧૧૦ના ઠંડો વા વાતો બહુ-ખરી વાસું સઘળાં દ્વાર રે; ખરી. છિદ્રરહિત કરી ઓરડો-ખરી. નોકર ગયો બહાર રે. ખરી Page #83 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ४८३ અર્થ - ઠંડો પવન ઘણો વાય છે જેથી રાજારાણીને ઠંડી લાગશે. તેથી બઘા બારી બારણા બંધ કરી દઉં. એમ વિચારી રાજા રાણીના ઓરડાને છિદ્રરહિત કરી તે નોકર બહાર ચાલ્યો ગયો. ૧૧૧ાા રાજા, રાણી મરી ગયા-ખરીધૂપ-ધૂમ્ર લે પ્રાણ રે; ખરી. આયુ ક્ષય થાતાં બને ખરી. તૃણ પણ કારણ, જાણ રે. ખરી અર્થ - રાજા રાણી બન્ને રાત્રે ધૂપના ધૂમાડાથી મરી ગયા. ઓરડાને કોઈ છિદ્ર ન હોવાથી ધૂમાડો બહાર નીકળી શક્યો નહીં. જેથી ધૂમાડે બન્નેના પ્રાણ લીધા. જ્યારે આયુષ્ય ક્ષય થાય છે ત્યારે તૃણ પણ મરણનું કારણ બની શકે છે. /૧૧૨ાા મુનિદાને બાંધ્યું હતું-ખરી. આયુ-કર્મ યુગલિક રે; ખરી. ઉત્તરકુરુમાં ઊપજે-ખરી. બન્ને તે મંગલિક રે. ખરી અર્થ - વનમાં મુનિને ભાવપૂર્વક દાન આપવાથી યુગલિકનું આયુષ્ય બાંધ્યું હતું. તેથી ઉત્તરકુરુક્ષેત્રમાં બન્ને આ માંગલિક એટલે કલ્યાણ કરનાર જીવો યુગાલિઆરૂપે ઉત્પન્ન થયા. આ ઋષભ પ્રભુનો સાતમો ભવ છે. ||૧૧૩ાા. કલ્પવૃક્ષ આદિ સુખો-ખરી. ભોગવતા નિશ્ચિંત રે; ખરી. દઢઘર્મા-જીંવ સાથે છે-ખરીચારણ - લબ્ધિ - મંત રે. ખરી અર્થ - ત્યાં કલ્પવૃક્ષ આદિના સુખો ભોગવતાં નિશ્ચિતપણે રહે છે. હવે દઢઘર્માનો જીવ તે સાધુ થયેલ છે. તે ચારણલબ્ધિથી યુક્ત છે. II૧૧૪ સ્મરી સ્નેહ તે પૂર્વનો, ખરી. આવી દે ઉપદેશ રે ? ખરી “સમ્યગ્દર્શનના વિના ખરી પાત્રદાન-ફળ લેશ રે ખરી. અર્થ:- તે ચારણમુનિ દઢઘર્મા પૂર્વભવના સ્નેહને સ્મરી આ બન્ને યુગલિક પાસે આવીને ઉપદેશમાં એમ જણાવ્યું કે સમ્યગ્દર્શન વિના પાત્રદાનનું ફળ પણ લેશ એટલે થોડું જ મળે છે. ૧૧૫ના મુનિદાને સુખ પામિયા, ખરી શુદ્ધ ઘરો સમકિત રે; ખરી મોક્ષવૃક્ષનું બીજ તે-ખરી. શુદ્ધ પદાર્થ-પ્રતીત રે. ખરી અર્થ - તમે મુનિદાનથી આ યુગલિકના સુખને પામ્યા છો. પણ હવે શુદ્ધ સમકિતને ઘારણ કરો. શુદ્ધ પદાર્થ એટલે સર્વ કર્મ મળથી રહિત અને આ દેહથી પણ ભિન્ન એવા આત્માની તમે શ્રદ્ધા કરો. એ જ મોક્ષરૂપી વૃક્ષને ઉગાવવાનું બીજ છે. I૧૧૬ાા મહાબલ-મંત્રી હું હતો-ખરી. સ્વયંબુદ્ધ, છે યાદ રે? ખરી. જૈનધર્મ પામ્યા હતા-ખરીદેવ-ભવે પણ સાથ રે. ખરી અર્થ - તમે જે ભવમાં મહાબલ નામે રાજા હતા ત્યારે હું તમારો સ્વયંબુદ્ધ નામનો મંત્રી હતો. તે હવે યાદ છે? ત્યાં મંત્રીઓની ચર્ચાના અંતે તમે જૈનઘર્મ પામ્યા હતા. દેવના ભવમાં પણ આપણે સાથે હતા. ll૧૧થી ભોગ-વાસનાથી હતા-ખરી. ત્યારે ભાવ-મલિન રે; ખરી. ઘર વૈરાગ્ય ભવે હવે-ખરી બનો સ્વરૂપે લીન રે.” ખરી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ४८४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- દેવલોકમાં ભોગની વાસનાથી તમારા ભાવ મલિન હતા. માટે હવે વૈરાગ્યભાવ ઘારણ કરીને આત્મસ્વરૂપમાં લીન બનો. ૧૧૮ શ્રીમતી આર્યાને કહે-ખરી તું પણ આ સ્વીકાર રે, ખરી. ખેદ-ખિન્ન શાને રહે-ખરી. ઘરી નારી-વિકાર રે? ખરી. અર્થ :- શ્રીમતી આર્યાને પણ કહ્યું કે તું પણ આ વાતનો સ્વીકાર કર. નારીના વિકારભાવોને ઘારણ કરી તે ખેદખિન્ન શા માટે રહે છે? ૧૧૯ાા. સમ્યગ્દર્શન-યોગથી-ખરી, ટળે નિંદ્ય પર્યાય રે-ખરી. થોડા ભવમાં પામશો-ખરી. મુક્તિ બેય સુખદાય રે.” ખરી. અર્થ :- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી આ સ્ત્રીનો નિંદ્ય પર્યાય ટળી જાય છે. થોડા ભવમાં તમે બન્ને શાશ્વત સુખને દેવાવાળી એવી મુક્તિને પામશો. If૧૨૦ના. મંત્રી-ઉપકારો સ્મરી-ખરી. બન્ને ગદ્ગદ્ કંઠ રે-ખરી. પામે સમકિત શુદ્ધ તે-ખરી. મોક્ષાર્થે ઉત્કંઠ રે. ખરી અર્થ - પૂર્વભવમાં સ્વયંભુદ્ધ મંત્રીએ જૈનધર્મની શરૂઆત કરાવી, તે ઉપકારોનું સ્મરણ કરી બન્ને ગદ્ગદ્ કંઠ થઈ હવે શુદ્ધ સમકિતને પામ્યા, અને મોક્ષપ્રાપ્તિને અર્થે ઉત્કંઠિત થયા અર્થાત્ મોક્ષ મેળવવાની વિશેષ ઇચ્છા તેમને જાગૃત થઈ. /૧૨૧ના (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ (રાગ : ત્રીજી દ્રષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિ સમ બોઘ) પ્રીતિકર ચારણ મુનિ જી, દઈ સત્રદ્ધા - બોઘ, ભોગભૂમિ તર્જી ગયા છે, ગગન વિષે અવિરોઘ રે. ભવિજન ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ - સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ જે આ ભવમાં પ્રીતિંકર નામના ચારણ મુનિ થયા છે, તે વજઘ અને શ્રીમતીના જીવને, જે બન્ને યુગલિક થયેલા છે તેમને સમકિતનો બોઘ આપી સન્થ્રદ્ધા કરાવી, ભોગભૂમિને તજી તે મુનિ ચારણલબ્ધિના પ્રભાવે આકાશમાર્ગે અવિરોઘપણે ચાલ્યા ગયા. હે ભવિજન! આવા મહાપુરુષોના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. [૧] આર્ય-યુગલ આયુ-ક્ષયે જી, થાય ઈશાને દેવ, સ્ત્રી-વેદ તજી શ્રીમતી જી, સ્વયંપ્રભ સ્વયમેવ રે. ભવિજન અર્થ - યુગલ એટલે બેય આર્ય ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ થવાથી ઈશાન નામના બીજા દેવલોકમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪૮ ૫ દેવ થયા. શ્રીમતીનો જીવ પણ સ્ત્રીવેદ તજી દઈ હવે સ્વયંપ્રભ નામનો દેવ બની ગયો. રા શ્રીઘર સુર ઑવ આર્યનો જી, કરે બેય આનંદ, શાશ્વત્ પ્રતિમા પૂજતા જી, કલ્યાણક સુખકંદ રે. ભવિજન અર્થ :- વજજંઘનો જીવ હવે શ્રીધર નામનો દેવ થયો. આ ઋષભદેવ ભગવાનનો આઠમો ભવ છે. બીજા દેવલોકમાં બેય આનંદ કરે છે. શાશ્વત જિન પ્રતિમાને પૂજે છે તથા સુખના કંદરૂપ ભગવાનના જન્માદિ પંચ કલ્યાણકોમાં જાય છે. ગાયા. અવધિ-જ્ઞાને જાણિયું જી: પ્રીતિંકર મુનિરાય, ધ્યાને શ્રેણી માંડીને જી, કેવળજ્ઞાની થાય રે. ભવિજન અર્થ - હવે શ્રીઘર દેવે અવધિજ્ઞાનથી જાણ્યું કે શ્રી પ્રીતિકર મુનિરાજે ધ્યાનની શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવ્યું છે. //૪ આવી કેવળું પૂજતા જી, મુનિવર દે સુર,નર,પશુ,પક્ષી સુણે જી, રાખી લક્ષ અશેષ રે : ભવિજન અર્થ - તેથી કેવળી ભગવાન પાસે આવી તેમની પૂજા કરી. મુનિવર ઉપદેશ આપવા લાગ્યા. જે દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ સર્વ અશેષ એટલે સંપૂર્ણ લક્ષ રાખીને એકાગ્રતાથી સાંભળવા લાગ્યા. ઉપદેશમાં ભગવંતે નીચે પ્રમાણે જણાવ્યું. પા. “પ્રાણી માત્ર પર સૌ ઘરો જી, સદા દયા અવિરોઘ, ક્ષમા મોક્ષનું દ્વાર છે જી, ઘરો ભાવ નિર્લોભ રે. ભવિજન અર્થ - પ્રાણી માત્ર ઉપર સર્વજીવો હમેશાં દયા કરો. મુનિને પાળવાની દયા મહાવ્રતરૂપે છે. અને શ્રાવકને પાળવાની દયા અણુવ્રતરૂપે છે. એમ અવિરોઘપણે દયાનું પાલન કરો. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તે ક્ષમાભાવને જીવનમાં ઉતારો તથા નિલભવૃત્તિ એટલે સંતોષભાવને સદા ઘારણ કરો કેમકે સંતોષી નર સદા સુખી છે. કાા જ્ઞાન અને વૈરાગ્યની જી, સંપત્તિ હિતકાર, કહે જ્ઞાનજન ઘર્મ તે જી, પાળ્યાથી ભવ પાર રે. ભવિજન અર્થ – આત્મા સંબંઘીનું જ્ઞાન અને સંસાર પ્રત્યે વિરક્તભાવ એ જ્ઞાન અને વૈરાગ્યભાવ આત્માને હિત કરનાર સંપત્તિ છે. સમ્યકજ્ઞાનથી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એ સમ્યકુચારિત્ર છે. જ્ઞાનીપુરુષો એને ઘર્મ કહે છે. એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનથી જીવ સંસાર સમુદ્રને પાર પામે છે. IIળા એથી ઊલટો અઘર્મ છે જીઃ વિષયવાસના-દગ્ય, દુઃખકારક સુખ ઇચ્છતાં જી, પડે પાપમાં મુગ્ધ રે. ભવિજન અર્થ - એથી ઊલટું મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રમાં પ્રવર્તવું તે અધર્મ છે. અથર્મના કારણે વિષય વાસનાથી જીવો સંસારમાં બળ્યા કરે છે. ઇન્દ્રિયના વિષયો દુઃખકારક હોવા છતાં તેને ભોગવી સુખ મેળવવા ઇચ્છતા પ્રાણીઓ, મોહમાં મુગ્ધ બની અનેક પ્રકારના પાપમાં પડે છે. દા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ દ્વેષ ધર્મ પર તે ધરે જી, વરે અધોગતિ-દુઃખ, કારણ સેવે દુઃખનાં જી, ક્યાંથી નીકળે સુખ રે? ભવિજન અર્થ :– મિથ્યાવૃષ્ટિ જીવો સદ્ઘર્મ પ્રત્યે દ્વેષબુદ્ધિ રાખે છે. તેથી તે અધોગતિના દુઃખને પામે છે. - જે જીવો દુ:ખ પ્રાપ્ત થવાના કારણોને સેવે, તેને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? લા શતમતિ આદિ મંત્રીઓ જી, સહે નરકનાં દુઃખ, નરકગતિનાં કારણો જી, સુણો કહું હું મુખ્ય રે– ભવિજન૦ અર્થ – ઋષભદેવના પ્રથમ મહાબળ રાજાના ભવમાં સધર્મ પ્રત્યે ગાઢ દ્વેષબુદ્ધિ રાખનાર સંભિન્નમતિ અને મહામતિ તે ભયંકર નિગોદમાં ગયા અને શતમતિ મંત્રી મિથ્યાત્વના કારણે બીજી નરકગતિમાં ગયો. નરકગતિ પામવાના મુખ્ય કારણો કયા છે તે હું કહું છું તે સાંભળો. ।।૧૦।। જીવ-હિંસા, જૂઠ, ચોરી ને જી, ૫૨ની સ્ત્રીનો ભોગ, મિથ્યાદર્શન, રૌદ્રતા જી, બહુ આરંભક યોગ રે. ભવિજન અર્થ :– જીવોની હિંસા કરવી, જૂઠ બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીનો ઉપભોગ કરવો, મિથ્યાધર્મની માન્યતા કરવી, અત્યંત ક્લેશકારી રૌદ્ર પરિણામ રાખવા તથા જેમાં બહુ જીવોની હિંસા થાય એવા આરંભના કાર્યોનો યોગ રાખવો એ સર્વે નરકગતિના કારણો છે. ||૧૧|| બહુ પરિગ્રહ, ક્રૂરતા જી, દારૂ-માંસ-મધ-ટેવ, મુનિ-નિંદા-ધિક્કારતા જી, વળી અધર્મની સેવ રે. ભવિજન॰ અર્થ :– બહુ પરિગ્રહ પ્રત્યે મૂર્છાભાવ રાખવો, ક્રૂર પરિણામ રાખવા, દારૂ, માંસ, મઘની ટેવ રાખવી. જ્ઞાનીમુનિ ભગવંતની નિંદા કરવી, તેમને ધિક્કારવા તથા જેમાં દયા મુખ્ય નથી એવા અધર્મની સેવા કરવી એ સર્વ નરકગતિમાં લઈ જનારા કારણો છે. ।।૧૨। અધર્મની ઉત્તેજના જી, ઈર્ષ્યા સૌની સાથ, એવાં પાપ વડે પડે જી, નરકે જીવ અનાથ રે.” ભવિજન અર્થ :— વીતરાગધર્મ સિવાય કુદેવ, કુગુરુ, કુધર્મને ઉત્તેજન આપનાર તથા સર્વની સાથે ઈર્ષા કરનાર જીવો, પાપોવડે અનાથ બની નરકગતિમાં જઈને પડે છે. ।।૧૩।। શ્રીઘર-સ્વયંપ્રભ સાંભળી જી, ઘરે અતિ વૈરાગ્ય, ધર્મ વિષે મન ઘારતા જી, કરે દેવ-ભવ-ત્યાગ રે. ભવિજન અર્થ શ્રીધર અને સ્વયંપ્રભ દેવને નરકના આવા કારણો સાંભળી અતિ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તેથી ધર્મ વિષે મનને રાખવા લાગ્યા. હવે દેવનું આયુષ્ય પૂર્ણ થવાથી દેવભવનો ત્યાગ કર્યો. ૧૪ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં જી, સુવિધિ વૈદ્યને ઘેર, જીવાનંદના નામથી જી, શ્રીધર-જન્મ-ઊછરે રે. ભવિજન અર્થ :— ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ નામના વૈદ્યને ઘેર દેવલોકથી ચ્યવી શ્રીઘરનો જીવ * જીવાનંદ નામથી જન્મ પામી ઊછરવા લાગ્યો. આ શ્રી ઋષભદેવનો નવમો ભવ છે. ।।૧૫।। Page #87 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ४८७ તે જ નગરમાં મિત્ર છે જ, બીજા પાંચ, વિચાર : સુબુદ્ધિ મંત્રી-પુત્ર છે જી, મહીઘર રાજકુમાર રે. ભવિજન અર્થ - તે જ નગરમાં જીવાનંદને બીજા પાંચ મિત્રો છે. એક સુબુદ્ધિ નામનો મંત્રીપુત્ર, બીજો મહીઘર નામે રાજાનો પુત્ર છે. ૧૬ાા ગુણાકર સુત શેઠનો જી, પૂર્ણભદ્ર કુમાર સાર્થવાહનો પુત્ર છે જી, છેલ્લો કેશવ ઘાર રે- ભવિજન અર્થ - ત્રીજો ગુણાકર નામે શેઠનો પુત્ર, ચોથો પૂર્ણભદ્ર નામે સાર્થવાહનો પુત્ર તથા પાંચમો કેશવ નામે શેઠ પુત્ર છે. ૧થા સ્વયંપ્રભ-સુર-જીવ છે જી, ઈશ્વર-શેઠ-કુમાર; સાથે સર્વે એકદા જી, બેસી કરે વિચાર રે. ભવિજન અર્થ :- કેશવ નામનો ઈશ્વર શેઠનો પુત્ર તે સ્વયંપ્રભ દેવનો જ જીવ છે. તે સર્વે એકદા સાથે બેસી ચર્ચા વાર્તા કરતા હતા. I/૧૮ના મુનિ ભિક્ષાર્થે આવિયા જી, કૃમિ-કુષ્ટ-પીડિત, મહીંથર જીવાનંદને જી કહે : વૈદ્ય શિક્ષિત રે, ભવિજન અર્થ - આ છએ મિત્રો બેઠા હતા ત્યારે કૃમિઓના કારણે કોઢરોગથી પીડિત એવા મુનિ મહાત્મા ભિક્ષાર્થે પધાર્યા. તે જોઈ રાજપુત્ર મહિઘરે વૈદ્યપુત્ર જીવાનંદને કહ્યું : તમે આ રોગોના ઉપચાર માટે શિક્ષિત વૈદ્ય છો. ૧૯ મુનિ આ ઉત્તમ પાત્ર છે જી, તમે દવાના જાણ, વેશ્યા સમ પૈસા વિના જી, લહો ના ઓળખાણ રે.”ભવિજન અર્થ - મુનિ મહાત્મા દવા કરવા માટે ઉત્તમ પાત્ર છે અને તમે દવાના સારા જાણકાર છો. પણ વેશ્યાની જેમ પૈસા વિના દર્દીની ઓળખાણ પણ રાખતા નથી કે શું? લોકોમાં કહેવત છે કે “વકીલ, વૈદ્ય અને વેશ્યા, ત્રણેય રોકડીયા.” ત્યાં કંઈ ભાવતાલ થઈ શકે નહીં. તેમ તમે પણ પૈસા હોય તો જ દદીને જુઓ છો એમ તો નથી ને? ૨૦. પ્રવીણ વૈદ્ય કહે : “તમે જી, મદદ કરો તો થાય, લક્ષપાક આ ઔષથી જી, મુનિને યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રવીણ વૈદ્ય જીવાનંદ કહે: તમે મદદ કરો તો આ મુનિને સ્વસ્થ કરવાનું કાર્ય થાય. લક્ષપાક તેલ આ રોગની ઔષધિ છે. તે મુનિને માટે યોગ્ય છે. [૨૧] ચંદન ઉત્તમ જોઈએ જી, રત્નકામળી સાર, લાવી દ્યો તો આપણે જી, કરીએ મુનિ ઉપચાર રે.” ભવિજન અર્થ :- વળી ઉત્તમ ગોશીષચંદન જોઈએ તથા એક રત્નકંબલ જોઈએ. તે લાવી દ્યો તો આપણે આ મુનિના રોગનો ઉપચાર કરીએ. રિરા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ વૃદ્ધ વણિક કને ગયા જી, લાખ, લાખની ચીજ મૂલ્ય દઈ હોવા કહી જી, પૂછે પછી ગિક ૨ : વિજન અર્થ :— તે બેય વસ્તુ લેવા વૃદ્ધ વણિક પાસે ગયા. તેણે દરેકની કિંમત લાખ લાખ સોમૈયા કહી. - ત્યારે જવાબમાં કહ્યું કે જે મૂલ્ય હોય તે લો અને અમને આપો. ત્યારે વણિક તેમને પૂછવા લાગ્યો. ।।૨૩।। “શા અર્થે લઈ જાવ છો જી ?'' કહે મહીધર કુમાર : “રોગી મુનિ કાજે લીથાં જી, વૈદ્ય મગાવે સાર રે.’’ ભવિજન અર્થ :– તમે આવી કિંમતી વસ્તુઓ શા માટે લઈ જાઓ છો? ત્યારે મહીઘર રાજકુમાર કહે ઃ એક મુનિ રોગી થયેલા છે, તેમનો રોગ દૂર કરવા માટે વૈદ્ય મગાવે છે. ।।૨૪। વિસ્મય પામી તે વડે જી : “અહો! થર્મ કરનાર, યૌવન વય ક્યાં આપનું જી! ક્યાં ઉત્તમ વિચાર રે !'' ભવિજન અર્થ :- મુનિ ચિકિત્સાના ભાવ સાંભળી વણિક વિસ્મય પામી મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો! આ ધર્મનું કાર્ય કરનાર સર્વેનું મદમાતું યૌવન ક્યાં? અને વયોવૃદ્ઘને ઉચિત એવા વિવેકવાળા તેમના ઉત્તમ વિચાર ક્યાં? ॥૨૫॥ મફત દીથી બન્ને ચીજો જી, ધર્મ-મૂલ્ય ગણી સાર, પરમપદ તે પામિયો જી, દીક્ષા ગ્રહી ઉદાર રે. ભવિજન અર્થ :— તે વણિકે બન્ને ચીજો મફત આપી. એમ વિચારીને કે એથી ધર્મનું કાર્ય સિદ્ધ થાય છે એ = જ જ એનું મૂલ્ય છે અને એ જ સારરૂપ છે. તે વણિક આવા ઉત્તમ ભાવથી તે જ ભવમાં દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યો. ૫૨૬ના છયે મિત્ર પછી આવિયા જી, વનમાં સાધુ સમક્ષ, વંદન કરીને પૂછતા જી : “પ્રભુ, ચિકિત્સા-લક્ષ રે, ભવિજન અર્થ :– છયે મિત્રો પછી વનમાં જ્યાં સાધુપુરુષ રહેલા છે તેમની સમક્ષ આવી વંદન કરીને પૂછ્યું કે પ્રભુ! અમારે આપના શરીરની ચિકિત્સા કરવાનો ભાવ છે. ।।૨૭।। થશે વિગ્ન સુધર્મમાં જી, પણ સેવા થો સાર; આજ્ઞા આપો તો અમે જી, કરીએ આ ઉપચાર રે.’ ભવિજન૰ અર્થ :– આપના ચર્મકાર્યમાં વિઘ્ન થશે પણ અમને આપની સેવાનો સારરૂપ લાભ આપો. આપ આજ્ઞા આપો તો અમે આપના શરીરનો ઉપચાર કરીએ. ।।૨૮।ા ‘મૌન’મુનિની સંમતિ જી ગણી, લાવે મૃત ગાય, લક્ષપાક તેને કરે જ મર્દન, તન પી જાય રે, ભવિજન અર્થ :— મુનિ ‘મૌન’ રહ્યા. તેથી ‘મૌનં સમ્મતિ લક્ષણમ્' મૌનને સમ્મતિનું લક્ષણ જાણી, ગાયના મૃત કલેવરને ત્યાં લાવ્યું, પછી મુનિના શરીરે લક્ષપાક તેલનું મર્દન કર્યું. શરીર તે તેલને પી ગયું. મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપી ગયું, IIરહ્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ४८८ ઉગ્ર તેલથી મુનિને જી, મૂછ આવી જાય, ઉગ્ર રોગની ઔષધિ છે, એવી ઉગ્ર ભળાય રે. ભવિજન અર્થ – ઘણા ઉષ્ણ વીર્યવાળા તેલથી મુનિને મૂર્છા આવી ગઈ. ઉગ્ર વ્યાધિની શાંતિ અર્થે ઔષધિ પણ ઉગ્ર અપાય છે. ૩૦ગા. આકુળ કૃમિકુળ તેલથી જી, ઉપર આવી જાય, જેમ દરે જળ પેસતાં જી, કીડીઓ સૌ ઊભરાય રે. ભવિજન અર્થ – ઉષ્ણ તેલના પ્રભાવથી આકુળ વ્યાકુળ થયેલા કૃમિઓ મુનિના શરીરમાંથી બહાર નીકળી આવ્યા. જેમ દરમાં જળ પેસતા કીડીઓ સર્વ બહાર ઊભરાઈ આવે તેમ. //૩૧ાા રત્નકંબલે વીંટતા જી, મુનિને જીવાનંદ, કૃમિ તેમાં પેસી ગયા જી, લેવા સ્પર્શાનંદ રે. ભવિજન અર્થ - હવે મુનિને જીવાનંદ વૈદ્ય રત્નકંબલથી વીંટી લીધા. જેથી સર્વ કૃમિઓ રત્નકંબલનો કોમલ સ્પર્ધાનંદ લેવા તેમાં પેસી ગયા. ૩રા ઘીમેથી લઈ કામળી જી, ગાયન પાસે જાય, મૃત કલેવરમાં મૅકે જી, વીણી કૃમિ-સમુદાય રે. ભવિજન અર્થ – તે રત્નકંબલ ઘીરેથી લઈ ગાયની પાસે જઈ તે કૃમિ સમુદાયને વણી ગાયના મૃત કલેવરમાં મૂકી દીઘા. ૩૩. ચંદન ચર્ચા મુનિને જી, દે થોડો આરામ, વળી ફરી કાઢે બીજા જી, માંસથી કૃમિ તમામ રે. ભવિજન અર્થ - પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરી મુનિને થોડો આરામ આપ્યો. ફરી બીજી વાર લક્ષપાક તેલનું મર્દન કરી માંસમાંથી તમામ કૃમિને બહાર કાઢયા. ૩૪ છેલ્લે અસ્થિમાંહિથી જી, કૃમિ કર્યા સૌ દૂર, ચંદન-લેપનથી પછી જી, દે શાંતિ ભરપૂર રે. ભવિજન અર્થ - છેલ્લે ફરી લક્ષપાકતેલનું મર્દન કરી અસ્થિમાં રહેલા કૃમિઓને પણ બહાર કાઢ્યા. પછી ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિને ભરપૂર શાંતિ પમાડી. રૂપા નીરોગી મુનિ થયા છે, છ યે પુણ્ય-ભંડાર, ખમાવી મુનિને ગયા જી; કરે મુનિ ય વિહાર રે. ભવિજન અર્થ:- આ રીતે મુનિ નીરોગી થયા પછી એ પુણ્યના ભંડાર એવા યુવાનોએ મુનિને ભક્તિભાવથી ખમાવ્યા. પછી ઘેર ગયા. મુનિ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. /૩૬ાા બાકી ચંદન જે વધ્યું છે, રત્નકામળી તે જ, વેચી ઘન તે વાપરે જી, દેરાસર ખાતે જ રે. ભવિજન અર્થ - બાકી વધેલ ગશીર્ષ ચંદન તથા રત્નકંબલને વેચવાથી જે ઘન આવ્યું તે બધું દેરાસર ખાતે વાપરી દીધું. [૩શા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એક વખત વૈરાગ્યમાં જી, વૃદ્ધિ પામી મિત્ર, સઘળા દીક્ષા ઘારતા જી, પાળે બની પવિત્ર રે. ભવિજન અર્થ :- એક વખત છએ મિત્રોએ વૈરાગ્ય વૃદ્ધિ પામવાથી દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષાને પવિત્ર રીતે બઘા પાલન કરવા લાગ્યા. /૩૮. દ્રવ્ય-ભાવ સલ્લેખના જી, કરી લે અનશન સાર, છયે દેહ તર્જી ઊપજ્યાજી, અશ્રુતસ્વર્ગેo, ઘાર રે. ભવિજન અર્થ - અંતે તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલ્લેખના એટલે કાયા અને કષાયોને કૃષ કરી કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વજ જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. છએ ત્યાંથી દેહ તજીને બારમા અય્યત નામના સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ શ્રી ઋષભદેવનો દસમો ભવ છે. ||૩૯થા. જીંવાનંદ-જીંવ હવે ચ્યવે જી, ઘારિણી રાણી માત, વિદેહે પુંડરીકિણી જી, વજસેન નૃપ તાત રે. ભવિજન અર્થ :- જીવાનંદનો જીવ હવે દેવલોકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રના પુંડરીકિણી નગરમાં ઘારિણી રાણીના કુક્ષીથી ઉત્પન્ન થયો. ત્યાં વજસેન રાજા તેના પિતા હતા. ૪૦ના વજનાભના નામથી જી, ઊછરે; વળી તે ચાર, અનુક્રમે ત્યાં ઊપજ્યા જી, સગા ભાઈ, વિચાર રે. ભવિજન વજનાભના નામથી તે ઊછરવા લાગ્યા. આ શ્રી ઋષભદેવનો અગ્યારમો ભવ છે. વળી ત્યાં ચાર પૂર્વભવના મિત્રો તે ચાર પોતાના સગાં ભાઈઓ તરીકે અનુક્રમે ઉત્પન્ન થયા. //૪ના કેશવ-વ-સુંયશા થયો જી, અન્યત્ર રાજપુત્ર, બાળપણાથી ઊછરે જી, સર્વે સાથે મિત્ર રે. ભવિજન અર્થ:- છઠ્ઠો કેશવ તે નિર્નામિકાનો જીવ છે, તે સુયશા નામે અન્યત્ર રાજપુત્ર થયો. બાળપણથી સર્વે પૂર્વભવના મિત્રો સાથે ઊછરવા લાગ્યા. જરા વજસેનને વીનવે જી, જો, લોકાંતિક દેવ, વજનાભ નૃપતિ કરી છે, તે દીક્ષા સ્વયમેવ રે. ભવિજન અર્થ - વજસેનને લૌકાંતિક દેવો આવી વિનયપૂર્વક કહેવા લાગ્યા કે પ્રભુ! તીર્થ પ્રવર્તાવો. ત્યારે પોતાના પુત્ર વજનાભને રાજા બનાવી પોતે સ્વયંમેવ દીક્ષા અંગીકાર કરી. ૪૩ાા ચાર દેશ દે ભાઈને જી, વસે સર્વ સંઘાત, અરુણ સમો એ પાંચમો જી, સારથિ સુયશા-ભ્રાત રે. ભવિજન અર્થ - વજનાભે પોતાના ચારે ભાઈઓને જુદા જુદા દેશો આપ્યા. તથા ચારે ભાઈઓ નિત્ય તેમની સેવામાં હાજર રહેવા લાગ્યા. અરૂણ જેમ સૂર્યનો સારથિ છે તેમ પાંચમો સુયશા પણ ભાઈની સમાન તેમનો સારથિ થયો. ૪૪ ચક્રરત્ન પણ એકદા જી, પ્રગટે શસ્ત્રાગાર, ખબર મળ્યા તે દિવસે જી, પિતા કેવળી-સાર રે. ભવિજન Page #91 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪ ૯૧ અર્થ - એકદા શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. અને બીજા તેર રત્નો પણ તત્કાળ પ્રાપ્ત થયા. તે જ દિવસે ખબર મળ્યા કે પિતા વજસેનને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. પ્રબળ પુણ્યથી આકર્ષિત થયેલી નવે નિધિઓ પણ તેના ભવનની સેવા કરવા લાગી. //૪પા. છયે ખંડ સાધ્યા પછી જી, ચક્રવર્તી નરેશ, થયા પછી ત્યાં આવિયા જી, વજસેન તીર્થેશ રે. ભવિજન અર્થ :- છ ખંડ સાધ્યા પછી વજનાભ ચક્રવર્તી નરેશના નગરમાં સાક્ષાત્ મોક્ષ હોય તેમ પિતા વજસેન તીર્થેશ પથાર્યા. ૪૬ાા. સમવસરણ દેવો રચે જી, ચક્રી ઝટ ત્યાં જાય, પ્રભુ-વંદન કરી બેસતાં જી, હર્ષ ઉરે ના માય રે. ભવિજન અર્થ - હવે દેવોએ સમવસરણની અદ્ભુત રચના કરી. વજનાભ ચક્રવર્તી પણ પ્રભુનું આગમન સાંભળી શીધ્ર ત્યાં આવી પ્રભુને વંદન કરી તેમના ચરણકમળમાં હર્ષપૂર્વક બેઠા. પ્રભુ આગમનનો હર્ષ તેમના હૃદયમાં સમાતો નથી. શા મનમાં એવું ચિંતવે જી : “દુસ્તર ભવ દેખાય, પિતા નાવ સમ તારશે જી, જો દીક્ષા લેવાય રે. ભવિજન અર્થ - પ્રભુની અમૃત જેવી દેશના સાંભળી ચક્રવર્તી મનમાં ચિંતવવા લાગ્યા કે આ સંસાર સમુદ્ર તરવો અતિ દુષ્કર જણાય છે. પણ મારાથી દીક્ષા લેવાય તો પિતા નાવ સમાન બની મને જરૂર તારશે. મારે પણ પિતાની જેમ આત્માનું કલ્યાણ કરવું જોઈએ ૪૮ાા. આજ સુધી હું મોહથી જી, રહ્યો પ્રમાદે મગ્ન, ગદ્ગદ્ કંઠે વીનવે જી : “અહો! અહો! સર્વજ્ઞ રે. ભગવદ્ અર્થ - અંઘકાર સમાન અને પુરુષોને અત્યંત અંઘ કરનાર એવા આ મોહથી હું ઠગાઈ જઈ આજ સુધી પ્રમાદમાં જ મગ્ન રહ્યો. એમ વિચારી ચક્રવર્તી વજનાભ ઘર્મના ચક્રવર્તી એવા પ્રભુને ભક્તિપૂર્વક ગદ્ગદ્ કંઠે વિનવવા લાગ્યા કે અહો! અહો! સર્વજ્ઞ પ્રભુ આપ હાજર હોવા છતાં, મારા આત્માને વિષયમાં આસક્ત રાખી મેં મોહનીયકર્મની જ વૃદ્ધિ કરી છે. જા મોહતિમિરને ટાળવા જી, આપ જ સૂર્ય સમાન, અર્થ-કામ-ચિંતાભર્યું જી રાજ્ય દુઃખનું સ્થાન રે, ભગવદ્ અર્થ - આ મોહરૂપી ઘોર અંધકારને ટાળવા માટે આપ જ સૂર્ય સમાન છો. આ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ ચિંતાથી ભર્યા છે. આ રાજ્યની ઉપાધિ પણ દુઃખનું જ સ્થાન છે. //૫૦ના. કડવી તુંબડી દૂઘને જી, કરે બગાડી અપેય, રાજ્ય-કુયોગે ઘર્મને જી, ઘાર્યો એવો હેય રે, ભગવદ્ અર્થ - જેમ કડવી તુંબડીમાં રાખેલ દુઘ બગડી જઈ પીવા લાયક રહેતું નથી; તેમ રાજ્યના કુયોગથી ગ્રહણ કરવા યોગ્ય એવા ઘર્મને પણ મેં હેય ગણી લીઘો. ૧૧ાા. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પ્રાવધ-વિવેચન ભાગ-૨ ભવજળમાં ના હું ઠૂંબું જી, બની આપનો પુત્ર, દીઘું રાજ્ય દર્દીપાવિયું જી, શીખવો સંયમ-સૂત્ર રે.’’ ભગવન્ '' અર્થ :— આપ જેવા પિતાનો પુત્ર થઈ હું સંસારસમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શો ફેર ? આપે જે આ ભૌતિક રાજ્ય આપ્યું તે દીપાવ્યું પણ હવે હું સંસારરૂપી જળમાં ડૂબી ન જાઉં માટે મને સંયમપાલન કરવાનું સૂત્ર શીખવો જેથી મારો ઉદ્ઘાર થાય. ૫૨ રાજ્ય-ભાર દઈ પુત્રને જી, દીક્ષા લે સૌ મિત્ર, તપ-અભ્યાસે દીપતા જી, સુણે વાી પવિત્ર રે. ભવિજન અર્થ :— વંશમાં સૂર્ય જેવા ચક્રવર્તીએ પુત્રને રાજ્ય-ભાર સોંપી દઈ, બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ મિત્રો સાથે તથા સુયશા સારથિ સાથે દીક્ષા ગ્રહણ કરી, માોપવાસાદિ તપ કરી દૈદિપ્યમાન રહેતા હતા અને ભગવંત તીર્થંકરની વાણીરૂપી અમૃતનું પાન કરતાં આનંદિત રહેતા હતા. પા વજ્રનાભ આરાધતા જી, વીશે સ્થાનક પૂર્ણ, તીર્થંકર-પદ-બીજનાં જી, કરવા કર્યાં ચૂર્ણ રે, ભવિજન અર્થ :– વજ્રનાભ ચક્રવર્તી સર્વ કર્મોને નષ્ટ કરવા માટે તીર્થંકર પદ પ્રાપ્તિના બીજ સમાન વીશ સ્થાનકોને પૂર્ણ પણે આરાઘવા લાગ્યા. તે અરિહંત પદ, સિદ્ધપદ, પ્રવચનપદ, આચાર્યપદ, સ્થવિરપદ, ઉપાઘ્યાયપદ, સાધુપદ, જ્ઞાનપદ, દર્શનપદ, વિનયપદ, ચારિત્રપદ, બ્રહ્મચર્યપદ, સમાધિપદ, તપપદ, દાનપદ, વૈયાવચ્ચપદ, સંયમપદ, અભિનવજ્ઞાનપદ, શ્રુતપદ અને તીર્થપદ છે. એ પદોને સંપૂર્ણ આરાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ।।૫૪૫ વજ્રનાભ પ્રશંસતાં જી, બાહુ સુબાહુઁ ભાઈ, સેવા-તત્પર તે હતા જી, અતિશય પુણ્ય કમાય રે. ભવિજન॰ અર્થ :– વજ્રનાભ મુનિએ એકવાર બાહુમુનિ અને સુબાહુ મુનિની, બીજા મુનિઓ પ્રત્યે ભાવથી સેવા કરતા જોઈ પ્રશંસા કરી. તે બન્ને મુનિઓએ સેવા કરવાથી અતિશય પુણ્યની કમાણી કરી. બાહુ મુનિએ વૃદ્ધ મુનિઓને આહારપાણી લાવી આપવાથી ચક્રવર્તીના ભાગફળને ઉપાર્જન કર્યું. અને સુબાહુ મુનિએ સેવા ચાકરી વડે તપસ્વી મહાત્માઓને સુખશાંતિ ઉપજાવાથી ચક્રવર્તી કરતાં પણ વિશેષ બાહુબળ ઉપાર્જન કર્યું. ॥૫॥ પીઠ મહાÖઠ જે ભણે જી સુણી મનમાં દુભાય, ઈર્ષા મનમાં રાખતા જી, પણ ના કહી શકાય રે, ભવિજન અર્થ – બાહુ, સુબાહુ મુનિની પ્રશંસા સાંભળીને પીઠ, મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા કે જે પ્રગટ ઉપકાર કરે તેની જ પ્રશંસા થાય છે. આપણે તો આગમનો સ્વાઘ્યાય કરવામાં તત્પર હોવાથી તેમને કંઈ ઉપકારી થયા નહીં; તેથી આપણી કોષ્ઠ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાની જ પ્રશંસા કરે છે. એમ વિચારી મનમાં ઈર્ષા રાખતા હતા, પણ કોઈને કહી શકતા નહોતા. ।।પા માયા-મિથ્યા-ભાવથી જી, બે બાંધે સ્ત્રી-વેદ, અનશન આદરી સર્વ તે જી, આણે આયુ-છંદ રે, ભવિજન Page #93 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી 28ષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૩ અર્થ - એમ અંતરમાં માયા મિથ્યાત્વથી યુક્ત ઈર્ષ્યા કરવાથી અને બાંધેલા દુષ્કૃત્યની આલોચના નહીં કરવાથી તેઓએ સ્ત્રીવેદ એટલે સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. અહીં ખગની ઘારા જેવી દીક્ષાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી છએ મુનિઓ અંતે પાદોપગમન અનશન અંગીકાર કરી સમાધિમરણ સાથી અનુત્તર વિમાનમાં ગયા. //પલા અનુત્તર વિમાનમાં જી, ઊપજે સુર સૌ તેહ, ભોગ-કર્મ પૂરાં થયે જી, ઘરતા માનવ-દેહ રે. ભવિજન અર્થ - પાંચ અનુત્તર વિમાનના મધ્યમાં આવેલ સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા સર્વે દેવતા થયા. આ શ્રી ઋષભદેવ ભગવાનનો બારમો ભવ છે. ત્યાંથી ભોગાવલી કર્મ પૂરું થતાં હવે માનવદેહને ઘારણ કરે છે. ૫૮. નાભિ કુલકર છે પિતા જી, મરુ-માતાની કૂખ, વજનાભ શોભાવતા જી, સ્વપ્ન ચૌદ દે સુખ રે. ભવિજન અર્થ - ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં વજનાભનો જીવ, તેત્રીશ સાગરોપમનું સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી હવે ભરતક્ષેત્રમાં મરુદેવા માતાના મુખમાં અવતર્યા. તે જ રાત્રિએ માતાએ ચૌદ અથવા દિગંબર મત પ્રમાણે સોળ મહાસ્વપ્નો જોયા. ત્યાં ઇન્દ્રોએ આવી તમારો પુત્ર ચૌદ રાજલોકનો સ્વામી થશે એમ સ્વપ્નાર્થ જણાવવાથી નાભિ કુલકર પિતા અને માતા મરુદેવા ખૂબ આનંદ પામ્યા. //પલા અયોધ્યા ય ઇન્દ્ર રચી જી, કલ્પવૃક્ષના ભોગ, સુર રત્નો વર્ષાવતા છે, જાણી નિજ નિયોગ રે. ભવિજન, અર્થ - ઇન્દ્ર અયોધ્યા નગરીની રચના કરી. ત્રીજા આરામાં કલ્પવૃક્ષના ભોગ હોવા છતાં દેવતાઓ પોતાના નિયોગ એટલે કર્તવ્ય પ્રમાણે ઇન્દ્રનો હુકમ જાણી રત્નોની વર્ષા કરવા લાગ્યા. /૬૦ના ઇન્દ્રાદિ સુર આવીને જી, કરતા ઉત્સવ સાર, માત-પિતા-પ્રભુને સ્તવી જી, ભક્તિ કરે અપાર રે. ભવિજન અર્થ :- સર્વ ઇન્દ્રો તથા દેવોએ આવી ભગવાનના ગર્ભ કલ્યાણકનો ઉત્સવ કર્યો. પ્રભુને તથા તેમના માતા પિતાને તવી અપાર ભક્તિભાવ કર્યા. ૬૧ાા ત્રણે જ્ઞાન સહ ગર્ભમાં જી, દેખે અવધિજ્ઞાન, ગર્ભ વિષે પણ તે સુખી જી, આત્મા સુખ-નિશાન રે. ભવિજન અર્થ - ભગવાન ગર્ભમાં અતિશ્રત અવધિજ્ઞાન સહિત વિરાજમાન છે. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું તો ભગવાન ગર્ભમાં પણ સુખી છે. કેમકે શુદ્ધ આત્મા સુખનો જ ભંડાર છે. રા. આષાઢી વદિ ચૌદશે જી, ઉત્સવ કરી સુર જાય, પ્રભુ વધે ગર્ભે સદા જી, માતા બહુ હરખાય રે. ભવિજન અર્થ - આષાઢી વદિ ચૌદશના ગર્ભ કલ્યાણક દિવસે ઉત્સવ કરી દેવતાઓ સ્વર્ગે ગયા. પ્રભુ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માતાના ગર્ભમાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા. માતા પણ પ્રભુ અવતરવાથી બહુ હર્ષ પામ્યા. //૬૩ી પ્રભાતે વિદ્વાનની જી, બુદ્ધિ વઘતી જેમ, ગર્ભ-પ્રભાવે માતની જી, શોભા વથતી તેમ રે. ભવિજન અર્થ - પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી માતાનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. I૬૪. શીતળ જળ હિમ-સંગથી જી, અતિશય શીતળ થાય, વિશ્વ-વત્સલ અતિ બને જી ગર્ભયોગથી માય રે. ભવિજન અર્થ :- બરફના સંગે જેમ શીતળ જળ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી માતા મરુદેવા અઘિક વિશ્વવત્સલ બન્યા. II૬પાા ચૈત્ર વદિની આઠમે જી, જન્મ ઋષભ જિણંદ, કેપતા જી, આવે સૌ સુર-વૃંદ રે. ભવિજન અર્થ :- ચૈત્ર વદિ આઠમના દિવસે અર્ધ રાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા ત્યારે શ્રી ઋષભ પ્રભુનો જન્મ થયો. તે વખતે ઇન્દ્રોના આસન કંપાયમાન થવાથી સૌ ઇન્દ્રો દેવતાઓના સમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન ઋષભદેવનો આ તેરમો ભવ છે. ૬૬ાા સ્નાત્ર મહોત્સવ મેરુએ જી પ્રભુને આણી થાય, જગ-ઉદ્ધારક જન્મિયા જી માની સૌ મલકાય રે. ભવિજન અર્થ - પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જઈ એક હજાર આઠ કલશોવડે સુગંધિત જળથી નવરાવી, સ્નાત્ર મહોત્સવ કર્યો. જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ જન્મ્યા છે એમ માની સૌ આનંદ પામ્યા. ૬૭ળા ભક્તિ ઉલ્લાસે કરી જી, સ્વર્ગે સૌ સુંર જાય, નાભિ નરેશ વઘામણી જી, સુણી ઘણા હરખાય રે. ભવિજન અર્થ :- ભગવાનની ભક્તિ ઉલ્લાસપૂર્વક કરી સર્વ દેવતાઓ સ્વર્ગે ગયા. પછી નાભિરાજાને પ્રભુ જન્મની વધામણી આપી. તે સાંભળી તેઓ પણ ઘણા હર્ષિત થયા. I૬૮ પ્રભુ-સંગે દેવો રમે જી, ઘરી અનેક સ્વરૂપ, ફેંકડા બન કો બોલતા જી, ઘરે મોરનું રૂપ રે. ભવિજન અર્થ - પ્રભુની સાથે દેવો પણ અનેક રૂપ ઘારણ કરી રમવા લાગ્યા. કોઈ કૂકડા થઈ બોલવા લાગ્યા. કોઈએ મોરનું રૂપ ઘારણ કર્યું. ૧૯ વાનર બની હસાવતા જી, લે શશ-શિશુ-આકાર, પોપટ બની પ્રશંસતા જી, કરી કોયલ-ટુહૂંકાર રે. ભવિજન અર્થ :- કોઈ વાનર બની હસાવવા લાગ્યા. કોઈએ સસલાના બચ્ચાનો આકાર ધારણ કર્યો. કોઈ પોપટ બની પ્રભુની પ્રશંસા કરવા લાગ્યા કે પ્રભુ તમે જીવો, જીવો, આનંદ પામો. કોઈ કોયલ બની મીઠી ટુહૂંકાર કરવા લાગી. I૭૦ાા Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૫ ઊંઘાડે સુર ગીતથી જી, સેવા કરે અપાર; અતુલ-બલી, કરુણા-ઘણી જી દંભ નહીં લગાર રે. ભવિજન અર્થ - કોઈ બાળકરૂપે પ્રભુને દેવતાઈ સંગીતથી ઊંઘાડવા લાગ્યા. એમ દેવતાઓ પ્રભુની અપાર સેવા કરતા હતા. અતુલ બળવાળા પ્રભુ પણ કરુણાના ઘણી હોવાથી કોઈને લગાર માત્ર પણ દૂભવતા નથી. II૭૧ાા. વગર ભયે જાણે બધું જી, સકળ કળા-નિપુણ, અવધિ-શ્રુત-મતિ-માન તે જી, પામે યૌવન પૂર્ણરે. ભવિજન અર્થ - પ્રભુ વગર ભયે બધું જાણે છે. સકળ કળામાં નિપુણ છે. મતિ-શ્રુત-અવધિજ્ઞાનવાળા છે. હવે પ્રભુ પૂર્ણ યૌવન અવસ્થાને પામ્યા. I૭૨ાા નાભિનૃપ કહે એકદા જી : “હે ! દેવાધિદેવ, કમલ કાદવ ઊપજે જી, કનક ઉપલ સ્વયમેવ રે, ભગવદ્ અર્થ - નાભિરાજા એકવાર પ્રભુને કહેવા લાગ્યા કે હે દેવોના પણ દેવ! કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય, કનક એટલે સોનું તે ઉપલ એટલે સુવર્ણ પત્થરમાં સ્વયં ઉત્પન્ન થાય તેમ તમે પણ સ્વયંમેવ પ્રગટ થયા છો. તેમાં અમે તો નિમિત્તમાત્ર છીએ. //૭૩ાા છીપે મોતી ઉદ્ભવે જી, ઊગે પૂર્વમાં ભાણ, તેમ પિતા હું આપનો જી, ઘટે નહીં અભિમાન રે. ભગવદ્ અર્થ - જેમ મોતી છીપમાં પ્રગટે, પૂર્વ દિશામાં ભાણ એટલે સૂર્યનો ઉદય થાય, તેમ હું પણ નિમિત્તમાત્રથી તમારો પિતા છું, ખરી રીતે નહીં. તેથી મને તેનું અભિમાન કરવું ઘટે નહીં. ૭૪ જ્ઞાનનિશાન તમે પ્રભુ જી, નભથી કોણ મહાન? તોય અલ્પબુદ્ધિ ભણું જી, સ્નેહ-વશે બેભાન રે. ભગવદ્ અર્થ - તમે તો જ્ઞાનના ભંડાર છો. નભ એટલે આકાશથી જગતમાં કોણ મહાન છે? તો પણ નેહવશ બેભાન થયેલો એવો હું અલ્પબુદ્ધિથી એક વાત કહું છું. //૭પી. લોકગતિ વર્તાવવા જી, કરો હવે વિવાહ, કુમારવય વીતી ગઈ જી, ઇચ્છું કુળ-પ્રવાહ રે.” ભગવદ્ અર્થ:- લોકગતિ એટલે લોકવ્યવહાર ચલાવવા માટે તમે હવે વિવાહ કરો. કુમારકાળ વીતી ગયો છે. માટે કુળપરંપરા ચાલુ રહે એમ હું ઇચ્છું છું. I૭૬ના વિનય કરી પ્રભુ બોલતા જી, મોહ-વિરોથી વાત, અજ્ઞાની જન ઇચ્છતા જી ભવવૃદ્ધિ, હે! તાત રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ વિનય કરી મોહથી વિરોઘવાળી એવી વાત કહી કે હે તાત! વિવાહ કરી ભવવૃદ્ધિ કરવી એ તો અજ્ઞાની જન ઇચ્છે. જ્ઞાનીને તેમાં સુખબુદ્ધિ હોય નહીં. ૭૭થા. વિષયસુખ તો દુઃખ છે જી; માયા-મંડપ રૂપ ઉપરથી લલચાવતું જી, શરીર તો ભવકૂપ રે. ભવિજન Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયસુખ તે ખરેખર દુઃખ છે; માયાવી મંડપ સમાન છે. જે ઉપરથી રમણીય દેખાવ આપી જીવને લલચાવે પણ અંદરથી ખાલી ખોખું છે. તેમ શરીર પણ ઉપરથી રમણીય દેખાવ આપી મનને મોહ કરાવી જીવને સંસારરૂપી કૂવામાં પાડે છે. જ્યારે અંદર તો મળમૂત્રની જ ખાણ છે. |૭૮ાા અસ્થિ-માળો બાંઘિયો જી, સ્નાય્-૨જ્જા બંઘ, માંસાદિકથી લીંપિયો જી, કૃમિ વસે અનંત રે. ભવિજન અર્થ :- આ શરીરરૂપી ઘરમાં અસ્થિ એટલે હાડકારૂપી માળો બાંધેલો છે. તે સ્નાયુરૂપી રજુ એટલે દોરીથી બંધાયેલ છે. તે ઉપર માંસાદિક ઘાતુનું લીંપણ કરેલું છે. જેમાં અનંત કમિઓ વાસ કરીને રહેલા છે. I૭૯ાા મઢી ચામડી રોમથી જી, અંદર ગંઘ ખચીત, મળમૂત્રે ભરપૂર છેજી, નવે દ્વાર કુત્સિત રે. ભવિજન અર્થ - શરીરના માંસ ઉપર રોમરાજીથી યુક્ત ચામડી મઢેલી છે. અને તે શરીર અંદરથી ખચીત એટલે નક્કી દુર્ગઘમય મળમૂત્રથી ભરપૂર છે. તે શરીરના નવે ધારથી કુત્સિત એટલે મલિન વસ્તુ જ બહાર નીકળ્યા કરે છે એ તેનું પ્રમાણ છે. I૮૦ના નિદ્રા-મદિરા ટેવથી જી, રાત્રે મૃતક સમાન, ઊઠી અન્ન-ઘનાદિની જી, ચિંતા-ચાનું પાન રે. ભવિજન અર્થ :- નિદ્રારૂપી દારૂની ટેવથી રાત્રે તે મડદા સમાન બની જાય છે. સવારમાં ઊઠી અન્ન થનાદિ વસ્તુઓ મેળવવા માટે ચિંતારૂપી ચાનું પાન કરે છે. ૮૧ાા. વ્યાધિનું ઘર જાણવું જી, વાત પિત્ત કફ માત્ર, યંત્ર સમું અટકી પડે જી; સુંદર સ્ત્રીનું ગાત્ર રે-ભવિજન અર્થ :- આ શરીરને વ્યાધિનું ઘર જાણવું. “રોગ જરાને નિવાસનું ઘામ જાણવું. તેમાં વાત પિત્તને કફ માત્ર ભરેલા છે. જેમ યંત્ર ચાલતું બંઘ થઈ જાય તેમ સુંદર સ્ત્રીનું માત્ર એટલે શરીર પણ કામ કરતાં બંઘ પડી જાય અર્થાત તેનું મૃત્યુ થઈ જાય. રા. સેવ્યાથી સુખ ના લહે જી, જ્ઞાની જન ગુણવંત, પરંપરાએ દુઃખની જી, વૃદ્ધિ જીવ લહંત રે. ભવિજન અર્થ - આવા શરીરના સેવનમાં ગુણવંત એવા જ્ઞાની પુરુષો સુખ માનતા નથી. કેમકે પરંપરાએ શરીર ઉપરના રાગથી જીવ દુઃખની વૃદ્ધિને જ પામે છે. ૮૩ાા. પરાશીન, બાઘા ઘણી જી, બંઘન-હેતુ, અનિત્ય, વિષમ સુખ ઇન્દ્રિયનાં જી, દુઃખ-દાવાનલ સત્ય રે.”ભવિજન અર્થ :- ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન છે. તેમાં ઘણા વિપ્ન આવે છે, કાં શરીર રોગી થઈ જાય, કાં ઉપભોગની સામગ્રી ન મળે. તેને ભોગવતાં રાગ વૃદ્ધિ પામવાથી તે નવીન કર્મબંઘનું કારણ થાય છે. તે સુખ ક્ષણિક છે, નાશવંત છે. વિષમ પરિણામ કરાવનાર છે. એક સરખું રહેતું નથી. માટે Page #97 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૭ ઇન્દ્રિયના સુખો ખરેખર વિશેષ ભોગતૃષ્ણાને વઘારી દુઃખરૂપી દાવાનલમાં જીવને હોમનાર છે. ૮૪ અભિપ્રાય પ્રભુનો સુણી જી, વદતા નાભિરાય : “સુરનર સૌના પૂજ્ય છોજી, તમે કહ્યું તે ન્યાય રે. ભગવદ્ અર્થ :- પ્રભુનો આવો અભિપ્રાય સાંભળી નાભિરાજા બોલ્યા : તમે સર્વ દેવ અને મનુષ્યોના પૂજ્યપુરુષ છો. તમે કહ્યું તે જ સંપૂર્ણ ન્યાયયુક્ત છે. ૮૫ા. નર-જન્મ નહિ રમ્ય તે જી, ઇચ્છે સુખ કે દુઃખ; માથે મરણ વિચારતાં જી, ચઢે ન નજરે સુખ રે. ભગવન્ટ અર્થ - મનુષ્ય જન્મમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો રમ્ય એટલે સુંદર નથી. જે આ ઇન્દ્રિયોના સુખને ઇચ્છે તે દુઃખને પામે છે. માથે મરણ રહ્યું છે, એક દિવસ મરી જવાનું છે એમ વિચારતાં આ ઇન્દ્રિયો સુખરૂપ લાગે નહીં. કારણ ઇન્દ્રિય વિષયોમાં કરેલી આસક્તિ તેને ભવોભવ રાગ કરાવી ચાર ગતિમાં જ રઝળાવનારી છે. ૧૮૬ાા. શરીર અશુચિ-ખાણ છે જી, અસાર છે સંસાર, ઇન્દ્રિય-સુખ ના સુખ છે જી, તોપણ કરો વિચાર રે. ભગવદ્ અર્થ :- આ શરીર અપવિત્ર વસ્તુઓની ખાણ છે. “ખાણ મૂત્રને મળની.” આ સંસાર અસાર છે. એમાં કોઈ સાર નથી. ઇન્દ્રિયોનું સુખ તે ખરું સુખ નથી. તો પણ લોક વ્યવહાર કે કુળપરંપરાને ખાતર વિચાર કરો. II૮શા. આગ્રહ મારો માનીને જી, આપ કરો સ્વીકાર, કન્યા-યુગલ સુલોચના જી,” શરમાતા કુમાર રે. ભવિજન અર્થ - પિતા નાભિરાજા કહે : આ મારો આગ્રહ માનીને આપ સુંદર નેત્રવાળી તથા સુંદર લક્ષણોથી યુક્ત એવી સુશીલ બે કન્યાનો સ્વીકાર કરો. તે સાંભળીને ઋષભકુમાર બોલ્યા વિના શરમીંદા બન્યા. ||૮૮ાાં નીચું મુખ કરી રહ્યા છે, તે અવધિ-વિચાર, ચરણ-મોહ અવશેષ છે જી, હજીં દુલધ્ય અસાર રે. ભવિજન અર્થ :- પ્રભુએ નીચું મુખ રાખી અવધિજ્ઞાનથી વિચાર કરી જોયું તો હજી ચારિત્રમોહના અવશેષ બાકી છે. તેથી અસાર એવો સંસાર પણ મારે માટે હજી દુર્લધ્ય છે, અર્થાત્ ગૃહવાસની ઉપાધિ ભોગવી પછી પાર ઊતરી શકાય એવો છે. ૮૯મા અંતરંગને ઓળખી જી, મંત્રી પાસે જાય, કચ્છ-મહાકચ્છશની જી, કુંવરી યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ - નાભિરાજા ઋષભકુમારના અંતરંગને ઓળખી મંત્રી પાસે જઈ કહેવા લાગ્યા : કચ્છ મહાકચ્છની બે કુંવરીઓ આપણા કુમારને યોગ્ય છે. ૯૦ના માગું કરવા મોકલે છે, પછી મંત્રીને રાય, સુરપતિ ઉત્સવ આદરે જી, સુરનર સૌ હરખાય રે. ભવિજન Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી રાજાએ મંત્રીને તેનું માથું કરવા મોકલ્યો. દેવતાઓએ પ્રભુનો લગ્ન ઉત્સવ આદર્યો. તે જોઈ દેવ, મનુષ્યો સર્વ હર્ષ પામ્યા. ૯૧ાા સુંનંદા ને યશોમતી જી, પરણાવે વિધિ સાથ, મોં-માગ્યાં દે દાન ત્યાં જી, જનને નાભિનાથ રે. ભવિજન અર્થ:- સુનંદા અને યશોમતી નામની કન્યાને વિધિપૂર્વક ઋષભકુમાર સાથે પરણાવી. નાભિરાજાએ લોકોને મંહમાંગ્યા દાન આપ્યાં. ૧૯રા યશોમતીના ગર્ભમાં જી, બાહુ-પીઠના જીવ, સ્વર્ગથી આવીને રહ્યા છે, સંખે વશે સદીવ રે. ભવિજન અર્થ :- યશોમતીના ગર્ભમાં બાહુ અને પીઠના જીવો સ્વર્ગલોકથી ચ્યવીને આવી રહ્યા. તે સદૈવ સુખપૂર્વક વઘવા લાગ્યા. ૧૯૩ા. ભરત, બ્રાહ્મી રૂપે થયાં આ પ્રથમ ઋષભ-સંતાન; બાહુબલિ ને સુંદરી જી સુનંદાનાં, માન રે- ભવિજન અર્થ - ભરત અને બ્રાહ્મીરૂપે આ બાહુ અને પીઠના જીવો ઋષભપ્રભુના પ્રથમ સંતાન થયા. બાહુબલિ અને સુંદરી એ સુનંદાની કુખથી ઉત્પન્ન થયા. II૯૪ના સુબાહુ-મહાપીઠના જી ઑવ બન્ને વિચાર; બીજા અઠ્ઠાણું થયા જી, યશોમતી-સુત ઘાર રે. ભવિજન અર્થ - આ બાહુબલિ અને સુંદરી તે પૂર્વભવના સુબાહુ અને મહાપીઠના જીવો છે. બીજા અઠ્ઠાણું પુત્રો યશોમતીના કુખેથી ઉત્પન્ન થયા. પા. ઋષભદેવ શોભે અતિ જી, જાણે તરુ-વિસ્તાર, જ્ઞાન-કળા શીખવે ઘણી જી, પુત્ર-પુત્રીને સાર રે- ભવિજન અર્થ :- જેમ તરુ એટલે ઝાડ વિસ્તાર પામવાથી શોભે તેમ નૈઋષભદેવ સો પુત્રોના પરિવારથી શોભવા લાગ્યા. તે બધાને સારરૂપ એવી જ્ઞાનકળાનો અભ્યાસ પ્રભુએ ઘણો કરાવ્યો. II૯૬ાા. ગણિત, ગીત ને અક્ષરો જી, વાચન, લેખન સાર, નરનારીનાં લક્ષણો જી, નાટક-ભાવ-વિચાર રે. ભવિજન અર્થ - ગણિત, પ્રભુગુણ ગાનની રીતો, અક્ષરો, વાંચન, લેખન વગેરે સારરૂપ વસ્તુનું જ્ઞાન આપ્યું. ઉત્તમ નરનારીના લક્ષણો કેવા હોય? આ સંસારમાં જીવ કર્મના કારણે નાટક રમી રહ્યો છે તેનો ભાવ સમજાવી વિચારવા જણાવ્યું. II૯૭ી. ભાષણ, ભૂષણ, સભ્યતા જી, બ્રહ્મચર્યના ભેદ, મંત્ર તંત્ર યંત્રાદિથી જી, સૈન્ય-બૃહ-વિચ્છેદ ૨. ભવિજન અર્થ - કેમ ભાષણ કરવું, કેમ બોલવું, વિનયાદી જીવના ખરા આભૂષણ છે, સભ્યતાથી વર્તવું, બ્રહ્મચર્યની નવવાડના ભેદો શીખવ્યા. મંત્ર, તંત્ર, યંત્રકલાનો ઉપયોગ શા માટે કરવો અને સેનાના બૃહનો વિચ્છેદ કેમ કરવો વગેરેનું જ્ઞાન આપ્યું. I૯૮ના Page #99 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ ૪૯૯ રત્ન શસ્ત્ર ગજ આદિની જી, પરીક્ષા ઉપયોગ. દેશ-દેશી ભાષા લિપિ જી, રસિક કાવ્ય-રસ-ભોગ રે. ભવિજન અર્થ - રત્ન, શસ્ત્ર, હાથી આદિની પરીક્ષા કેમ કરવી, તેનો ઉપયોગ શું? દેશ દેશની ભાષા તથા લિપિ બતાવી, રસિક એવા ઉત્તમ શિક્ષા આપનાર કાવ્યોનો ઉપયોગ કરવો વગેરે જણાવ્યું. //૯૯ાા તર્ક, વ્યાકરણ, ઔષથી જી, ચિત્ર-શિલ્પ-આકાર, સર્વ લોક-વ્યાપારમાં જ કરે કુશળ પરિવાર રે. ભવિજન અર્થ - તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ઔષઘીના ગુણઘર્મ, ચિત્રકલા, શિલ્પકલા અને ભૂમિતિનું જ્ઞાન આપ્યું. સર્વ લૌકિક વ્યાપારમાં પરિવારને કુશળ કર્યો. ./૧૦૦ના યુદ્ધ અનેક પ્રકારનાં જી, અર્થશાસ્ત્ર, નીતિ સાર, સર્વ જન-હિત સાથતાં જી, યુક્તિ ને ઉપકાર રે. ભવિજન અર્થ - અનીતિ હટાવવા અનેક પ્રકારના યુદ્ધ, ગણિતશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તથા અનેક યુક્તિઓ અને ઉપકારોવડે સર્વ લોકોનું હિત કેમ કરવું વગેરે શીખવ્યું. /૧૦૧ના મંત્રી-મિત્ર-ઘર-વીરનો જી, આદર ને સહકાર, પવન વહાણ-શઢ ભરે છે, તેમ બને જયકાર રે. ભવિજન અર્થ - મંત્રી, મિત્ર, વૈર્યવાન કે વીરપુરુષનો આદર કરવાથી તેમજ સહકાર લેવાથી, જેમ વહાણના શઢમાં અનુકુળ પવન વાવાથી ઇચ્છિત સ્થાને પહોંચી શકાય છે તેમ સજ્જન પુરુષોના આદર સહકારથી ઇચ્છિત કાર્યમાં જય મેળવી શકાય છે. ૧૦૨ા. સામ-દામ-દંડાદિની જી રાજનીતિનું જ્ઞાન, સજ્જનરક્ષા, દુષ્ટને જી શિક્ષાદિનું દાન રે. ભવિજન અર્થ - સામ, દામ, દંડ, ભેદ આદિ રાજનીતિનું જ્ઞાન આપ્યું. સજ્જનની રક્ષા કરવી અને દુષ્ટને શિક્ષા આદિ કેમ કરવી વગેરેની સમજણ આપી. ૧૦૩ાા પ્રજાઘન-ભંડારની જી, આવક-જાવક સ્પષ્ટ, યોગ્ય કર ઉઘરાણીથી જી, ટળે સર્વજન-કષ્ટ રે. ભવિજન અર્થ - રાજાના ભંડારમાં પ્રજાનું ઘન છે. માટે તેની આવક જાવકનો હિસાબ સ્પષ્ટ રાખવો. તેમજ કર પણ યોગ્ય ઉઘરાવવા કે જેથી સર્વ પ્રજા સુખી થાય. /૧૦૪ો. ચાર-પુરુષની માહિતી જી, દે જન-મતનો ખ્યાલ, જાતે જન-મન-રંજને જી, રાજા પ્રગતિ-પાલ રે. ભવિજન અર્થ - ચાર-પુરુષ એટલે બાતમી મેળવનાર એવા પુરુષો રાખવા કે જેથી લોકોના મતનો અભિપ્રાય ખ્યાલમાં આવે. જાતે પણ પ્રજાને મળે અને તેમના મનરંજન થાય તેમ વર્તે તથા તેમની પ્રગતિ માટે શું શું કરવાની જરૂર છે એમ રાજા વિચારીને પ્રગતિ કરે તથા તેમનું સારી રીતે પાલન થાય તેમ વર્તે. એમ શિક્ષા આપી. ૧૦પા Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નાભિ કુલકર પુત્રને જી, નૃપ-પદ દે સાક્ષાત, ઉત્સવ ઇન્દ્રાદિ કરે છે, ગમી પ્રજાને વાત રે. ભવિજન અર્થ - નાભિકુલકરે હવે પુત્ર ઋષભદેવને સાક્ષાત્ રાજ્યપદ આપ્યું. તે સમયે ઇન્દ્રાદિ દેવોએ ઉત્સવ કર્યો. તેમજ પ્રજાને પણ આ કાર્ય બહુ ઇષ્ટ લાગ્યું. ||૧૦૬ાા કલ્પવૃક્ષ ફળ દે નહીં જી, જાણે પડ્યો દુકાળ, ઋષભ નરેશ બચાવતા જી, લે સૌની સંભાળ રે - ભવિજન અર્થ - હવે ત્રીજો આરો પૂરો થવાનો હોવાથી કલ્પવૃક્ષ પણ ફળ દેતા નથી. જાણે દુકાળ પડી ગયો. ત્યારે રાજા શ્રી ઋષભદેવ દુકાળમાંથી બચાવી સૌની સંભાળ લેવા લાગ્યા. ૧૦૭ના ખાદ્ય વનસ્પતિ દાખવે છે, શીખવે ઘંઘા સર્વ, ઘડતાં, વણતાં શીખવે છે, રસોઈ-શાસ્ત્ર અપૂર્વ રે. ભવિજન અર્થ :- ખાવા યોગ્ય વનસ્પતિ કઈ છે તે બતાવે, બઘા ઘંઘા શીખવે, ઘડતાં કે વણતાં શીખવે, પૂર્વે કોઈવાર જાણેલું નથી એવું રસોઈશાસ્ત્ર પણ યુગલિકોને જણાવે છે. ૧૦૮ ખોટ કલ્પતરુની પૂંરે જી, શિક્ષા પ્રભુની સાર, વિદેહક્ષેત્ર સમ આ બન્યું જી, ભરતક્ષેત્ર સુખકાર રે. ભવિજન અર્થ - પ્રભુની સારરૂપ શિક્ષા કલ્પતરુની ખોટ પૂરી કરે છે. માટે પ્રભુ જન્મવાથી આ ભરતક્ષેત્ર પણ વિદેહક્ષેત્રની જેમ સુખને આપવાવાળું થયું. /૧૦૯ાા સુશિક્ષિત સઘળા બને છ પૂંછી પૂંછી વારંવાર, ક્ષેત્રાદિક વહેંચી દીઘાં જી, વર્તે આજ્ઞાઘાર રે. ભવિજન અર્થ :- વારંવાર પૂછપરછ કરવાથી સઘળા સુશિક્ષિત બની ગયા. ક્ષેત્ર જમીન આદિ પોતપોતાને વહેંચી દીધા. બઘા પ્રભુની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા. {/૧૧૦ના કાળાં વાદળ દેખીને જી, પ્રભુ પાસે તે જાય, ભય પામી પૂછે “કહો જી, અવાજ શાના થાય રે?” ભવિજન અર્થ - આકાશમાં કાળાં વાદળા જોઈને પ્રભુ પાસે જઈ ભય પામી પૂછવા લાગ્યા કે આ શું છે? તથા આ અવાજ શાનો થાય છે? તે આપ જણાવો. /૧૧૧ાા વર્ણન મેઘ તણું કરે છે : “દે જળ, પાકે અન્ન,” ખેતીની દે સૂચના જી, શીખવે થઈ પ્રસન્ન રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ કહ્યું : આ વાદળા છે. એથી વરસાદ વરસશે તથા અવાજ પણ આ વાદળાની ગડગડાટનો છે અથવા વીજળીનો છે તેથી ગભરાવવું નહીં. વરસાદ જળને આપશે. તેથી અન્ન પાકશે. આ ખેતી કરવાનો સમય છે તેની સૂચના આપી. તથા પ્રસન્નતાપૂર્વક ખેતીની કળા લોકોને શીખવી. ૧૧રા Page #101 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩ અસિ-મસિ-શિલ્પ-કળા બધી જી,શીખવે જાણી યોગ્ય. યુગલિક યુગ ગયા પછી જી, કરતાં નવા પ્રયોગ રે. ભવિજન = અર્થ :– અસિ એટલે શસ્ત્રકળા, મર્સિ એટલે લેખનકળા તથા શિલ્પ વગેરે બધી કલાઓનું જ્ઞાન યોગ્ય સમય જાણી આપ્યું. યુગલિક યુગ હવે વીતી ગયાથી જીવન જીવવાના નવા પ્રયોગો કરવા લાગ્યા. હવે ચોથો આરો આવ્યો માટે પ્રભુને આ બધું શીખવવું પડ્યું. ।।૧૧૩।। ઈશુ-સાંઠા પણા થયા જી, કોલુથી રસ થાય; ઘેર ઘેર ઈસુ દીસે જી, કુલ ઈક્ષ્વાકુ ગણાય રે. ભવિજન અર્થ :– ખેતીમાં ઈસુ એટલે શેરડીના સાંઠા ઘણા થયા. કોલુ એટલે શેરડી પીલવાના સંચાથી તેનો રસ કાઢવા લાગ્યા. ઘેર ઘેર શેરડીનો પાક થયો. જેથી કુલ પણ ઈક્ષ્વાકુ ગણાવા લાગ્યું. ।।૧૧૪।। ઘણો કાળ સુખમાં ગયો જી, પ્રજાપતિરૂપ યથાર્થ; સુરપતિ મનમાં ચિંતવેજી, અવધિી લોકહિતાર્થ રે, ભવિજન અર્થ :– પ્રજાપતિ એવા ઋષભદેવનો ઘણો કાળ ભોગાવલી કર્માનુસાર સંસારસુખમાં વ્યતીત થયો. હવે પ્રજાપતિના અંતરંગ સ્વરૂપને અવધિજ્ઞાનથી યથાર્થ જાણનાર એવો ઇન્દ્ર લોકોના હિતાર્થે મનમાં એમ ચિંતવવા લાગ્યો કે પ્રભુ દિક્ષા ગ્રહણ કરી ક્યારે જીવોનો ઉદ્ઘાર કરશે ? તે માટે ઉપાય રચ્યો જે નીચે પ્રમાણે છે. ।।૧૧૫|| જે નીલંજસા દેવી તણું જી, જાણી આયુષ્ય અક્ષ, પ્રભુ પાસે ઝટ મોકલે જીઃ સ્વપ૨-હિત સંકલ્પ રે. ભવિજન॰ ૫૦૧ અર્થ :— નીલંજસા નામની દેવીનું આયુષ્ય અલ્પ જાણી તેમજ સ્વપરના હિતનો સંકલ્પ કરીને ઇન્દ્રે નીલંજસા દેવીને ઝટ પ્રભુ પાસે મોકલી. ।।૧૧૬| નભમાર્ગે આવી નમે જી, આશા લઈ લે લાભ, નૃત્ય અપ્સરા આદરે જી, શોભાવે શું આભ રે! ભવિજન અર્થ :— તે અપ્સરા આકાશમાર્ગે આવી પ્રભુને નમી, તેમની આજ્ઞાનો લાભ લઈ સભા મધ્યે તે = નૃત્ય કરવા લાગી. તે અશ્વર નૃત્ય કરી આભ એટલે આકાશને જ શું પણ પૂરી સભાને તે શોભારૂપ બની. દેવતાઈ અપ્સરા હોવાથી તેના નૃત્યમાં કે શોભામાં શું ખામી હોય. ।।૧૧।। નૃત્ય-વાય-ગીત એકતા જી, કર્ણ-નયન-સંધાન; સભા વિસ્મય મા ઘરે જા, જાણે ઘરતી ધ્યાન રે. ભવિજન અર્થ :– દેવતાઈ નૃત્ય, વાદ્ય એટલે વાજિંત્ર અને ગીત એ ત્રણેની એકતા થવાથી લોકોના કાન અને આંખ બન્ને સંઘાન એટલે એક લક્ષપૂર્વક તે જોવામાં તલ્લીન થઈ ગયા. તે જોઈ સભા મહા વિસ્મયને પામી કે જાણે બધી સભા ઘ્યાન ધરતી હોય એમ જણાવા લાગ્યું. ।।૧૧૮।। રંગ-સરોવર-પદ્મિની જી, રે! યમ-કરે કપાય, બીજ-ચંદ્ર-રેખા સમી જી, જાણે ઝટ સંતાય રે. ભવિજન Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- જેમ સરોવરમાં પદ્મિની એટલે કમલિની પોતાના રંગમાં આનંદ માનતી હોય, ત્યારે જો યમરાજાના હાથે કપાઈ જાય અથવા બીજનો ચંદ્રમા જે રેખા સમાન હોય તે જો ઝટ દેખાવ આપી શીધ્ર સંતાઈ જાય તો જોનારના આનંદમાં ભંગ પડે છે. /૧૧૯ ઇન્દ્ર-ઘનુષ્ય સમીરથી જી, એકાએક અલોપ, તેમ શૂન્ય દેવી વિના જી, સભા પામતી ક્ષોભ રે ભવિજન, ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ :- અથવા આકાશમાં બનેલ સુંદર ઇન્દ્ર ઘનુષ એકાએક સમીર એટલે પવનથી અલોપ થઈ જાય; તેમ નીલંજસા દેવીનું નૃત્ય કરતાં કરતાં જ મૃત્યુ થઈ જવાથી તેના પરમાણુઓ વિખરાઈ ગયા. જેથી દેવી વિના આખી સભા ક્ષોભ પામવા લાગી કે અહો! દેવી ક્યાં ગઈ? હે ભવિજનો! સર્વ જનોમાં શ્રેષ્ઠ એવા આ ઋષભ પ્રભુના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. ||૧૨વા. (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર, ભાગ-૪ (રાગ : ચોથી દ્રષ્ટિનો : મનમોહન જિનજી મીઠી તાહરી વાણ) યા ઋષભ જિનેશ્વર ચિંતવે જી : જગમાં ધ્રુવ ના કોય, નીલકંસા રસ દાખવી જી, ગઈ તેવું સૌ હોય જીંવ, જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. અર્થ - ઋષભદેવ ભગવાન સભા મધ્યે બેઠા નૃત્ય કરતી નીલંજસાનું મૃત્યુ જોઈ વિચારવા લાગ્યા કે અહો! આ જગતમાં કોઈ ધ્રુવ એટલે શાશ્વત નથી. આ નીલંજસાદેવીનું શરીર નાટકમાં રસ બતાવી નૃત્ય કરતાં કરતાં જ નષ્ટ થઈ ગયું, તેમ સર્વ જીવોના શરીર અવશ્ય નાશ પામવાના છે. માટે હે આત્મા! તું તારા કલ્યાણ તરફ ધ્યાન આપ, કારણ પ્રતિક્ષણે આ માનવદેહનો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. તેના બાર ભાવના : (૧) અનિત્યભાવના દ્વાદશ ભાવો જાગતા જી, પ્રકાશતા જિનરાય - “ઘન તો મેઘઘનુષ્ય શું છે, જોતજોતામાં જાય. જીંવ, જોને. અર્થ :- ભગવાન ઋષભદેવના અંતરમાં નીલંજસાના નિમિત્તે અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન જાગૃત થયું. તેથી પ્રકાશવા લાગ્યા :- આ ઘન તો ઇન્દ્રઘનુષ સમાન ચંચળ છે કે જે જોતજોતામાં ચાલ્યું જાય છે. રા Page #103 -------------------------------------------------------------------------- ________________ . = ભદેવને થયેલો સંસાર પ્રત્યે વૈચાડ્યુ VIK CD ) D. રાજસભામાં નીલંજસા દેવીનું નૃત્ય, નૃત્ય કરતાં કરતાં જ દેવીનું થયેલ મરણ. તેથી ઋષભદેવને થયેલો સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ. Page #104 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૦ ૩ પુત્ર, કલત્ર ને શાશ્વતાં જી, હય, ગજ, રથ રખવાલ, ચામર સમ ચંચળ ગણો જી, વિમાન કે સુખપાલ. જીંવ, જોને. અર્થ - પુત્ર, કલત્ર એટલે સ્ત્રી કોઈ શાશ્વત નથી. હય એટલે ઘોડા, હાથી, રથ કે રક્ષા કરવાવાળા અંગરક્ષકો કોઈ સ્થિર નથી. પુણ્યયોગે દેવતાનું વિમાન મળ્યું હોય કે સુખપાલ એટલે પાલખી મળી હોય પણ તે બઘા ચામરની જેમ ચંચળ છે, અર્થાત કોઈ કાયમ રહેનાર નથી. તેવા વૈભવ સંધ્યા-રાગ શા જી, યૌવન અંજલિ-નીર, મરણ-મધુકર ચૂસતો જી 3પ-મધુ પુષ્ય શરીર. છંવ, જોને. અર્થ :- આ ભૌતિક વૈભવ સંધ્યાકાળના રંગ જેવા ક્ષણિક છે. યૌવન હાથની અંજલિમાં લીધેલ પાણીની જેમ ક્ષણે ક્ષણે નષ્ટ થઈ રહ્યું છે. આ મરણરૂપી ભમરો, શરીરરૂપી ફૂલ ઉપર બેસી તેના રૂપરૂપી મને નિરંતર ચૂસી રહ્યો છે. તેથી એની કાંતિ પણ અવશ્ય નાશ પામવાવાળી છે. જો પરણે પ્રાતઃકાળમાં જી, સાંજે પડતી પોક, રંગ-રાગ પલટાય સૌ જી, હર્ષ હતો ત્યાં શોક. છંવ, જોને અર્થ :- સવારમાં પરણે અને સાંજે તે જ વ્યક્તિ મરી જવાથી ઘરમાં બઘા પોક મૂકીને રડે; રંગ રાગ પલટાઈ જઈ, હર્ષનું વાતાવરણ તે શોકમય બની જાય. એવું સંસારનું ભયંકર વિચિત્ર સ્વરૂપ છે. માટે અનિત્ય એવો આ સંસાર ત્યાગવા યોગ્ય છે. પા. એવી અદૃવતા ગણી જી, નિર્જન વનમાં વાસ, શાશ્વતપદને પામવા જી, કરવો નિશ્ચય ખાસ. જીંવ, જોને. અર્થ :- એવી જગતના સર્વ પદાર્થોની અશાશ્વતા માની નિર્જન વનમાં વાસ કરવો યોગ્ય છે. આત્માના શાશ્વતસુખને પામવા માટે હવે ખાસ નિશ્ચય કરવો હિતકારી છે. એમ શ્રી ઋષભદેવ પોતાના મનમાં અનિત્યભાવનાનું સ્વરૂપ ચિંતવવા લાગ્યા. કાા (૨) અશરણભાવના આ અશરણ જગ માનવું છે, ના નૃપ-રક્ષણ થાય, અસિપિંજર યોદ્ધા રચે જી, મરણ હરણ કરી જાય. છંવ, જોને. અર્થ :- આ જગતને સર્વથા અશરણ માનવું. અહીં રાજા હોય તો પણ તેનું રક્ષણ થઈ શકે નહીં. તેના યોદ્ધાઓ રાજાની ચારે બાજુ નગ્ન તલવાર લઈ ઊભા રહી પિંજરાની સમાન તેની રક્ષા કરે તો પણ કાળ આવી તેનું હરણ કરી જાય. એવી અશરણતા જગતમાં સર્વત્ર છવાઈ રહેલી છે. શા સર, સરિતા-ગિરિની ગુફા જી, જલધિ કે પાતાળ, સ્વર્ગ, દુર્ગમ ગઢ નહીં જી, જ્યાં ન પહોંચે કાળ. જીંવ, જોને. અર્થ :- સર એટલે તળાવ, સરિતા એટલે નદી કે પહાડની ગુફા, જલધિ એટલે સમુદ્ર કે પાતાળમાં જગ્યા નથી, અથવા કોઈ સ્વર્ગમાં કે મુશ્કેલીથી પત્તો લાગે એવો કોઈ ગઢ એટલે પર્વત નથી કે જ્યાં આ કાળ પહોંચી શકે નહીં, અર્થાત્ સર્વત્ર તે પહોંચી શકે છે. ટા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઔષધિ અમી સમી મળે જી, ઇન્દ્ર સમા સ્વામી હોય, વજ સમાં આયુથ છે જી, મરે ઇન્દ્રાણી તોય. જીંવ, જોને. અર્થ - જ્યાં અમી એટલે અમૃત જેવી ઔષધિ મળે છે, ઇન્દ્ર જેવા જેના સ્વામી છે, વજ જેવાં આયુર્ઘ એટલે હથિયાર છે; છતાં દેવલોકમાં રહેલી ઇન્દ્રાણીનું મરણ થઈ જાય છે. તેને કોઈ બચાવવા સમર્થ નથી. II. હરે હરણ હરિ જંગલે જી, તેમ મરણની ફાળ અચૂક જાણી ચેતવું જી, તજી અવર જંજાળ. જીંવ, જોને. અર્થ - જંગલમાં રહેલ હરણનું હરિ એટલે સિંહ હરણ કરી જાય છે. તેમ મરણની ફાળ એટલે ધ્રાસકો સર્વને અચૂક લાગવાનો છે; એમ જાણી ચેતી જવું. બીજી બધી સંસારની જંજાળ તજી દઈ શીધ્ર આત્મહિત કરવું. ./૧૦ગા. ત્રિગુતિ આરાઘવા છે, જે ન કરે પુરુષાર્થ, મડદા સમ નર તે ભમે જી, અશરણ, ચૂંક આત્માર્થ. છંવ, જોને અર્થ - મનગતિ, વચનગુપ્તિ અને કાયમુતિને આરાઘવા જે જીવ પુરુષાર્થ કરતો નથી, તે જીવ હાલતા ચાલતા મડદા જેવો છે. તે આત્માર્થને ચૂકી જઈ, અશરણ બની ચારે ગતિમાં ભમ્યા કરે છે. ||૧૧|| અનિત્ય નરદેહે રહે છે, આત્મા નિત્ય સુગુપ્ત, શાશ્વતતા પ્રગટાવવી જી, રહું નહીં સુષુપ્ત. જીંવ, જોને. અર્થ – અનિત્ય એવા આ મનુષ્યદેહમાં નિત્ય એવો આત્મા સારી રીતે ગુણ રહેલો છે. “ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.” તે આત્માની શાશ્વત સુખરૂપ દશાને પ્રગટાવવા માટે હવે સતતુ પ્રયત્નશીલ રહું, પણ મોહનિદ્રામાં સુષુપ્ત એટલે સુતેલો રહું નહીં એવી અશરણભાવના શ્રી ઋષભદેવ ભાવી રહ્યાં છે. ૧૨ા. (૩) એકત્વભાવના સ્વજન-મિત્ર-સંયોગના જી, થાય વિયોગો જરૂર, જીવે જગમાં એકલો જી, ભમે સ્વકર્મે દૂર. જીંવ, જોને અર્થ - જગતમાં મળેલ સ્વજન કુટુંબીઓ કે મિત્રોના સંયોગનો વિયોગ અવશ્ય થાય છે. તે કંઈ કાયમ રહેતા નથી. પોતે એકલો જ જગતમાં સર્વ કાળ જીવે છે. અને પોતાના જ કરેલા કર્મ પ્રમાણે તે ચાર ગતિમાં ભમ્યા કરે છે. તેમજ સર્વ કર્મોને દૂર કરનાર પણ પોતે જ છે. ૧૩ અબુધ, જન્માંથ, હીજડો જી, ગરીબ ને ગુણહીન, દયામણો ર્જીવ એકલો જી, ચંડ, ચંડાલ, દીન. જીંવ, જોને. અર્થ - પોતાના કર્મ પ્રમાણે તે અબુઘ એટલે અજ્ઞાની, જન્માંઘ કે હીજડો બને છે, ગરીબ કે ગુણહીન થાય છે. અથવા પોતે જે ચંડ એટલે ક્રોથી, ચંડાલ કે દીન એટલે ભિખારી બની જઈ દયામણો એટલે દયા કરવાને પાત્ર થાય છે. આ સર્વ દુઃખ જીવ એકલો જ ભોગવે છે. II૧૪. Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૦ ૫ વનમાં ભીલ એ એકલો જી, સ્વર્ગે સુર પણ એક, પુણ્યહીન પીડા ખમે જી, સ્થલ-જલ-નભચર છેક. છંવ, જોને અર્થ :- આ જીવ સ્વક વનમાં એકલો ભીલ થાય છે. અથવા પોતે એકલો સ્વર્ગમાં દેવરૂપે અવતરે છે. તેમજ પુણ્યહીન જીવો સ્થલચર, જલચર કે નભચર પ્રાણી બની એકલા જ પીડાને સહન કરે છે. તેમને કોઈ બીજા દુઃખમાં ભાગીદાર થતા નથી. ||૧પણા નરકે નારકી એકલો જી, ત્યાં સંતાપ અમાપ, વૈતરણી, અસિપત્ર ને જી, અતિ શીત ને તાપ. જીંવ, જોને૦ અર્થ :- નરકમાં નારકી બની એકલો દુઃખ ભોગવે છે. ત્યાં અમાપ સંતાપ ઉત્પન્ન કરે એવી વૈતરણી નદી કે અસિપત્ર એટલે તલવાર જેવા જ્યાં પાંદડાઓ છે. તેમજ અત્યંત ઠંડી અને તાપનું વાતાવરણ નરકમાં સદૈવ રહેલું છે. ૧૬ાા. ભવ-કાદવમાં એકલો જી, રતિસુખ-પંકજ-લીન ભમરા સમ, કે મોક્ષમાં જ એક સુખી સ્વાથીન. જીંવ, જોને. અર્થ - સંસારરૂપી કાદવમાં જીવ એકલો જ ખુંચેલો છે. તથા રતિસુખ એટલે કામક્રીડારૂપી કમળમાં ભમરા સમાન લીન બનેલો પણ સ્વયં છે. અથવા પુરુષાર્થ કરી મોક્ષના શાશ્વત સ્વાધીન સુખને મેળવનાર પણ પોતે જ છે. એમ એત્વભાવનાને વિચારી વિવેકી પુરુષો મોક્ષ મેળવવાના પુરુષાર્થમાં પ્રયત્નશીલ રહે છે. ||૧૭શા (૪) અન્યત્વભાવના સકલ લોકમાં એકલો જી, માનો સૌથી ભિન્ન, જીવ ભિન્ન પરમાણુથી જી, પિંડથી પણ ન અભિન્ન. જીંવ, જોને. અર્થ :- આ સર્વ લોકમાં હું એકલો છું. હું સર્વથી ભિન્ન એટલે જુદો છું. મારો આત્મા પુદ્ગલ પરમાણુથી ભિન્ન છે, આ પુગલનું બનેલ પિંડરૂપ શરીર પણ મારું નથી. “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૯૨) I/૧૮ના પાપ-પૂણ્યથી ભિન્ન છે જ. ભિન્ન જ કર્મ-વિપાક, પત્નીથી પણ ભિન્ન છે જી, ભિન્ન અન્ન ને શાક. છંવ, જોને. અર્થ - મૂળસ્વરૂપે હું પાપ પુણ્યથી ભિન્ન છું. કર્મના વિપાક એટલે ફળથી ભિન્ન છું. પત્ની પણ મારાથી ભિન્ન છે. પૃથ્વીથી ઉત્પન્ન થતાં અન્ન અને શાક પણ મારા નથી; તેથી હું સર્વથા ભિન્ન છું. I/૧૯ો. જીવ ભિન્ન સુત-મિત્રથી જી, મારાં કહે અબુંઘ, સર્વે ત્યાગી ચાલશે જ, ભલે નરેન્દ્ર, વિબુઘ. જીંવ, જોને અર્થ - મારો આત્મા. પુત્ર અને મિત્રથી ભિન્ન છે. છતાં અજ્ઞાની જીવ તેને મારા માને છે. તે સર્વને ત્યાગી જીવ ચાલ્યો જશે; પછી ભલે તે નરેન્દ્ર એટલે ચક્રવર્તી હોય કે વિબુઘ એટલે જ્ઞાની અથવા વિદ્વાન હોય. આ જગતમાં કોઈ કોઈનું નથી. ૨૦ (6) " Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મોહવશ સુખ-કલ્પના જી, ઇન્દ્રિય-વિષયે અન્ય, સ્વ-સુખ જે ના જાણતા જી, દુઃખો ખમે અન્ય. છંવ, જોને. અર્થ :- મોહને વશ પડેલા આ જીવને સુખની કલ્પના પોતાથી જુદા એવા ઇન્દ્રિયના વિષયોમાં છે. જે જીવો સ્વઆત્મસુખને જાણતા નથી તે પાપથી અન્ય બનેલા જીવો સંસારના દુઃખોને પામશે. પણ આત્મા સિવાય બીજું બધું મારાથી પર છે એમ અન્યત્વભાવનાને ભાવનાર જીવ સિદ્ધિસુખને પામશે. એવી ભાવનાઓ હમેશાં ભાવવા યોગ્ય છે. પરિવા (૫) સંસારભાવના ચાર-કષાય-રસે ભર્યો જી, મિથ્યા સંયમ-વાસ, જન્મ જરા ને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ. ઍવ, જોને. અર્થ - જ્યાં અજ્ઞાનવશ જીવો ક્રોઘ માન માયા લોભરૂપ કષાયરસથી ભરેલા છે. જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ હોવાથી મિથ્યા સંયમમાં એટલે અસંયમમાં જીવોનો નિવાસ છે. તથા જેના ફળમાં જન્મ જરા મરણનો જ્યાં ત્રાસ છે એવો આ સંસારનો વાસ છે. એમ ચિંતવવું તે સંસારભાવના છે. કુલ ચાર ગતિરૂપ સંસાર છે. એ ચારે ગતિ દુઃખથી ભરેલી છે. તેનું વર્ણન હવે એક પછી એક નીચે આપવામાં આવે છે. ગારરા. ૧. નરકગતિ જીવ નરકમાં ઊપજે જી, તલતલ તન છેદાય, દશે દિશામાં વેરી દે છે, પણ મળી આખું થાય. જૅવ, જોને. અર્થ :- તીવ્ર પાપના ફળમાં જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તલતલ જેટલા શરીરના ટુકડા કરી દશે દિશાઓમાં વેરી દે છે; છતાં તે પારાની જેમ પાછા મળી એકમેક થઈ જાય છે. ૨૩મા મરવા ઇચ્છે નારકી જી, પણ ના કરી શકાય, અસંખ્ય વર્ષો જીવતા જી, દુઃખદ નિત્યે કાય. જીંવ, જોને અર્થ :- નારકીજીવો અત્યંત દુઃખના કારણે મરવા ઇચ્છે છે; પણ આયુષ્ય પૂર્ણ થતાં પહેલા મરી શકાય નહીં. ત્યાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે. તેમની કાયા હમેશાં દુઃખને દેવાવાળી જ હોય છે. ર૪ો. પછડાતા પગ ઝાલીને જી, વેરે કરવત શિર, ઘાણીમાં ઘાલી પીલે છે, પરમાઘર્મ વીર. જીંવ, જોને. અર્થ - બળવાન એવા પરમાઘર્મી એટલે અસુરકુમાર દેવો નારકીઓના પગ ઝાલીને ઘોબી કપડા ઘોવે તેમ પછાડે છે. લાકડા વેરે તેમ કરવતથી માથું વેરે છે. તલ પીલે તેમ ઘાણીમાં ઘાલીને પીલે છે. આ બધાં પાપના ફળો જીવોને ત્યાં ભોગવવા પડે છે. રપાા. પૂર્વ પાપ સંભારીને જી, તાંબુ ગાળી પાય મદિરા પી’ કહી બાળતા જી, તળે તેલમાં કાય. છંવ, જોને અર્થ - પૂર્વભવમાં તને દારૂ બહુ પ્રિય હતો એમ સંભારી લે આ દારૂ પી, એમ કહી ગરમાગરમ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫૦૭ તાંબાનો રસ મોઢામાં રેડી મોઢું બાળી નાખે છે. વળી તાતા તેલમાં કાયાને તળે છે. પાપના ફળ ભયંકર છે, માટે પાપ કરતાં અટકવું જોઈએ. ।।૨૬।। નિમેષમાત્ર ન સુખ ત્યાં જી, કે મન-ઇંદ્રિય દુઃખ, કહી શકે ના કેવળી જી, સહે સદાયે ભૂખ. જીવ, જોને॰ અર્થ :— આંખના નિમેષ એટલે પલકારામાત્ર પણ ત્યાં સુખ નથી. મને પણ કુંઅધિજ્ઞાનવ પૂર્વના વે૨ને સંભારી મારફાડમાં મદદગાર થાય છે. પાંચ ઇન્દ્રિયો પણ દ્રવ્યક્ષેત્રકાળભાવના વિપરીત નિમિત્તો પામી સદા દુઃખ ભોગવે છે. નારકીઓના દુઃખનું વર્ણન કેવળી ભગવાન પણ કરી શકે નહીં. નારકીઓ સદા ભૂખના દુઃખને સહન કરે છે. ભયંકર એવા રૌદ્રધ્યાનનું આ પરિણામ છે. માટે આર્ટ, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી હમેશાં ધર્મધ્યાન કરવાની ભગવાનની આપણને ભલામણ છે. ।।રહ્યા ૨. તિર્યંચ ગતિ : જનાવર જનાવરોના જીવને જી, ક્ષુધા, તરસ ને ક્લેશ, ત્રાસ ભાર ને મારો જી, કહી શકે નહિ લેશ. જીવ, જોને અર્થ :— બળદ, ઘોડા, ભેંસ, ગાય વગેરે જનાવરોના જીવોને ભૂખનું દુઃખ, તરસનું દુઃખ હોવાથી અંતરમાં ક્લેશિત પરિણામ છે, શાંતિ નથી. તેમના ઉપર ભારનો ત્રાસ તથા મારનો ત્રાસ હોવા છતાં બિચારા પ્રાણીઓ લેશમાત્ર તે દુઃખ કહી શકતા નથી. પૂર્વભવમાં કરેલ છલ, જૂઠ અને પ્રપંચના આ પરિણામો છે. માટે આપણે એવા પાપથી સદાય દૂર રહેવું. ।૨૮।। શૃંગ-પાંખ-નખ-દાઢને જી, છેદે અંગ અનેક, પાર્ટી શિકારી પીડતા જી, નહિ હિતાહિત-વિવેક, જીવ, જોને॰ = અર્થ :- પશુઓના શૃંગ એટલે શીંગડાઓને, પાંખોને, નખને કે દાઢને અથવા બીજા પણ અનેક અંગને છેદી જેને હિતાતિનું ભાન નથી એવા શિકારીઓ તેમને બહુ પીડા આપે છે. માટે પાપ કરતા સદા ડરતા રહેવું એમાં આપણું હિત સમાયેલું છે. ૨હ્યા ૩. નગિન કર્મ વશે માનવ છતાં જી, ભીલ, ભંગી કર્દી થાય, મલેચ્છાદિ હિત ચૂકતા જી, પાપે જૈવ સદાય. જીવ, જોને અર્થ :– કર્મવશાત્ માનવભવ મળે છતાં ભીલ કે ભંગીનો અવતાર પામે, તો એવી મલેચ્છાદિ એટલે હલકી જાતોમાં જન્મ પામવાથી કુસંસ્કારોને લીધે જીવ પોતાના આત્મનેિ ચૂકી જાય છે. તેની પ્રવૃત્તિ સદા પાપવાળી હોય છે. ।।૩૦।। નરકગતિને નોતરે જી; કી કુળ સારું હોય, સભ્યતા, નીતિ-નિયમો જી, સંયમ ઘરતા કોય. જીવ, જોને અર્થ :— તે હલકી વૃત્તિના જીવો પાપ કાર્યોને લીઘે નરકગતિને નોતરું આપે છે. માનો કુળ સારું મળી ગયું હોય તો પણ સભ્યતા, નીતિ, નિયમોનું પાલન કરી સંયમને અંગીકાર કરનાર જીવો તો વિલા જ હોય છે. ।।૩૧।। Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સંત-સમાગમ ના મળે જી, કુમાર્ગે મુંઝાય, શ્રદ્ધે ના સન્માર્ગને જી, નહીં વાસના જાય. જીંવ, જોને અર્થ – ઘનાદિનો યોગ મળ્યા છતાં, જો સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ ન મળે તો રૂઢીગત કુમાર્ગમાં જ જીવ મૂંઝાયા કરે છે. તેને સતમાર્ગની શ્રદ્ધા નહીં હોવાથી અનાદિની પાંચ ઇન્દ્રિયોની વાસના જાય નહીં. ૩રા. પાડાદિ પશુ હોમીને જી, પશુ-યોનિમાં જાય, દુઃખ દીઘે દુઃખી થતા જી, સુખ દીઘે સુખ થાય. જીંવ, જોને. અર્થ – ઘર્મના નામે કુમાર્ગને અનુસરતો જીવ પાડાદિ પશુઓને યજ્ઞમાં હોમી કે બલિદાન આપી સ્વયં પશુયોનિમાં જન્મે છે. કારણ બીજાને દુઃખ આપવાથી સ્વયં દુઃખી થાય છે. અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખ પામે છે એવો સિદ્ધાંત છે. [૩૩. મુનિ અવગણ માયાવને જ માની, હિંસા-રક્ત ભવ તરવા ભવ જે મળ્યો જી, ખોવે ભવ-આસક્ત. જીંવ, જોને અર્થ :- આત્મજ્ઞાની મુનિઓની અવગણના કરી માયાવી કુગુરઓને ગુરુ માની જે હિંસામાં રક્ત રહે, તેવા જીવો સંસારસમુદ્ર તરવા માટે મળેલ આ માનવદેહને ભોગાદિમાં આસક્ત રહી ખોઈ દે છે. તથા અનંત સંસાર વઘારી ચારગતિમાં ભટક્યા કરે છે. માટે આત્માર્થી જીવે સદ્ગુરુને શોધી, તેમની આજ્ઞા ઉપાસી, આ માનવદેહ સફળ કરવો અવશ્યનો છે. ૩૪ ૪. દેવગતિ કંઈ સુકૃત્ય કરી મરે જી ઘરી અસમ્યક ભાવ, નીચ દેવ પદ પામતા જી, અંત્યજ જેવા સાવ. જીંવ, જોને. અર્થ - કોઈ જીવો સારા કામ કરી મરી જાય પણ અસમ્યક ભાવ એટલે મિથ્યાત્વયુક્ત તેમના ભાવ હોવાથી તે નીચ દેવની પદવીને પામે છે. તે અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં આવી શકે નહીં. રૂપા વૈભવ પરના દેખીને જી, ઈર્ષા-ખેદ-વિચાર, મરતાં ઝૂરે તે ઘણું જી, કંપે કાય અપાર. જીંવ, જોને. અર્થ - દેવલોકના મિથ્યાત્વી દેવો બીજાના વૈભવને જોઈ ઈર્ષ્યા કરી મનમાં ઘણો ખેદ કરે છે. તેમજ મરણ સમય આવ્યે છ મહિના પહેલા માળા વગેરે કરમાવાથી અવધિજ્ઞાનને બળે પોતાનું મરણ જાણી બહુ દુઃખ પામે છે કે આ બધું મારું સુખ છૂટી જશે તેથી તે મરતાં ઘણું ઝૂરે છે અને તેની કાયા પણ અપાર કંપે છે. ૩૬ાા કલ્પવૃક્ષ-સુખ હા! જશે જી, વૈભવ દિવ્ય જનાર, માળા આવી ક્યાં મળે છે? જશે દિવ્ય શણગાર.” છંવ, જોને. અર્થ :- હવે મરનાર દેવ વિચારે છે કે હા! મને મળતા આ કલ્પવૃક્ષના સુખ બધા અહીં જ રહી. જશે. આ દિવ્ય વૈભવનો પણ વિયોગ થશે. આવી માળા ફરીથી ક્યાં મળશે? આ દૈવી શણગાર પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ મારા હાથમાંથી જતાં રહેશે. ॥૩૭॥ સુંદર સુર કે ઇન્દ્રની જી, રક્ષાના કરનાર, ગંઘાતા સ્ત્રીગર્ભમાં જી, કૃમિ સહ જઈ વસનાર. ğવ, જોને અર્થ :– આ સુંદર દેવતાઓ કે ઇન્દ્રની રક્ષા કરનાર દેવો પણ સ્ત્રીના ગંઘાતા ગર્ભમાં ઉત્પન્ન થઈ કૃમિઓની સાથે જઈ વસે છે. ।।૩૮।। વસમી કેદ વિષે વસી જી, દુ:ખે નીકળનાર, માંસલસ્તન-ય પી જીવે જી, મળ-મૂત્રે સુનાર. વ, જોને અર્થ :– આ નૌ મહિનાની વસમી એટલે કપરી ગર્ભકેદમાં વસી ત્યાંથી જેતરડીના તારને કાણામાંથી ખેંચે તેમ દુઃખપૂર્વક બહાર નીકળી, માંસના બનેલ સ્તનનું દુધ પીને જીવે છે તેમજ બાળવયમાં અજ્ઞાનવશ મળમૂત્રમાં સૂઈ રહે છે. ।।૩૯ના ‘હાડ-માંસ-રુધિરમાં જી, ઇચ્છું હું ના વાસ, ચંદનતરુ તેથી ભલું જી, નરતન મસાણ ખાસ.' જીવ, જોનેમરનાર દેવ વિચારે છે કેઃ— અર્થ :— આવા હાડ, માંસ કે રુધિર એટલે લોહીના બનેલા શરીરમાં હું વાસ કરવા ઇચ્છતો નથી. તેથી તો સુગંધમય એવા ચંદનના વૃક્ષમાં નિવાસ કરવો સારો. આ મનુષ્ય શરીર તો મુખ્યત્વે મસાણના મડદા જેવું છે. ।।૪૦।। એમ આર્ત્ત-નિદાનથી જી, સુર તરુવર પણ થાય, સુધર્મ-વિમુખ કુમાર્ગથી જી, ભવવનમાં ભટકાય. જીવ, જોને ૫૦૯ અર્થ :– એમ આર્તધ્યાનપૂર્વક નિદાન બુદ્ધિ કરવાથી દેવ ચંદનના વૃક્ષમાં ઉત્પન્ન થઈ એકેન્દ્રિય પણ બની જાય છે. એમ સઘર્મથી વિમુખ બનેલા મિથ્યાત્વી દેવો અજ્ઞાનવશ અનંતકાળ સુધી સંસારરૂપી વનમાં ભટક્યા કરે છે. ।।૪૧।। (૬) લોક-ભાવના જીવાજીવ વડે ભર્યાં જી, ચૌદ રજ્જાભર લોક, અનંત આકાશે રહ્યો જી, જીએ જ્ઞાન-આલોક. જીંવ, જોને હવે ચૌદ રાજલોકનું સ્વરૂપ જણાવે છે : અર્થ :— ચૌદ રાભર એટલે ચૌદ રજ્જુ પ્રમાણ આ લોક છે. મધ્યલોક એક રજ્જુ પ્રમાણ છે; તેથી આ ચૌદ ગણો છે. આ લોક અનંત આકાશ દ્રવ્યના મધ્યમાં રહેલો છે. એમાં જીવ અજીવ તત્ત્વો ભરપૂર ભરેલા છે, એમ જ્ઞાનના આલોક એટલે પ્રકાશથી ભગવંતોએ જોઈ જણાવ્યું છે. ૪૨।। છયે દ્રવ્યથી પૂર્ણ છે જી, કોઈ નહીં પરિણમે તે કાળથી જી, કોઈ નહીં કરનાર, ઘરનાર. જીવ, જોને અર્થ :– આ લોકાકાશ છયે દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે. એને કોઈ બનાવનાર નથી. છએ દ્રવ્યનું પરિણમન એટલે સમયે સમયે પલટવાપણું તે કાળ દ્રવ્યથી થાય છે. આ લોકને કોઈ ઈશ્વર આદિએ ઘરી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાખેલ નથી. II૪૩ાા દાનવ-નરક-નિવાસનો જી, અથોલોક નિહાળ, ઊંઘા શંકોરા સમો જી, સાત રાજ-ભર ભાળ. જીંવ, જોને અર્થ – અસુરકુમાર દેવો, ભુવનપતિઓ અને નારકીઓના અઘોલોકમાં નિવાસ છે. નારકીઓના નિવાસ ઊંઘા શંકોરા એટલે ભરણકા સમાન છે. તે અઘોલોક સાત રજ્જુ પ્રમાણ છે. ૪૪ો. જન-જનાવર જ્યાં વસે છે, મધ્યલોક વિચાર, ઊર્ધ્વલોક ગણ દેવનો જી, મૃદંગનો આકાર. જીંવ, જોને અર્થ - જ્યાં મનુષ્ય અને જનાવરો વસે છે તે મધ્યલોક અથવા તિરછો લોક ગણાય છે. ઊર્ધ્વલોકમાં દેવો નિવાસ કરે છે. લોકનો આકાર મૃદંગ એટલે એક પ્રકારના વાજિંત્રના જેવો છે. ૪પાા લોક-શિખરે મોક્ષ છે જી, સિદ્ધ-સદન સુખકાર, સંસારે સુખ-અંશ ના જી, છે સુખ મોક્ષે અપાર. જીંવ, જોને અર્થ - લોકના શિખરે અર્થાત લોકાકાશના ઉપરના અંતભાગમાં મોક્ષ સ્થાન છે. તે સિદ્ધ ભગવંતને રહેવાનું સદન એટલે ઘર છે. તે હમેશાં સુખને આપનાર છે. આ સંસારમાં અંશમાત્ર ખરું સુખ નથી; જ્યારે મોક્ષ સ્થાન તે અપાર સુખનો ભંડાર છે. II૪૬ાા જડ-સુખ-દુઃખો દેખિયાં જી, જગમાં વારંવાર, ચાર ગતિમાં ફરી ફરી જી, તોય ન પામ્યો પાર. જીંવ, જોને અર્થ :- આ જડ જેવી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતાં સુખ કે દુઃખ જગતમાં અનંતવાર જોયા. તેના ફળમાં ચાર ગતિરૂપ સંસારમાં હું વારંવાર ફર્યો; છતાં તે સંસારના પારને હું હજી સુધી પામ્યો નથી. I૪શા (૭) અશુચિભાવના દેહ-પુરી પુરીષથી જી પૅરી અપુનિત વિચાર, કર્મ-કેદમાં પૂરિયો જી, જીવ શબે નિર્ધાર. છંવ, જોને. અર્થ :- દેહરૂપી નગરી, તે પુરીષ એટલે મળમૂત્રાદિથી ભરેલી છે. તે અપુનિત એટલે અપવિત્ર છે. તેનો તું વિચાર કર. કર્મરૂપી કેદમાં જીવને મડદા જેવા શરીરમાં ઘાલી પૂરી દીઘો છે. IT૪૮ાા અસ્થિ-ભીંતની કોટડી જી, વાળે છાઈ ઘાર, સ્નાયુ-બંઘે તે ટકે જી, ચામડી લીંપણ-ગાર. જૈવ, જોને. અર્થ - તે દેહરૂપી નગરીમાં અસ્થિ એટલે હાડકારૂપી ભીંતથી બનેલ એક કોટડી છે. તેના ઉપરના ભાગમાં તે વાળથી છવાયેલી છે. તે અસ્થિપીંજરનો માળો સ્નાયુબંઘથી ટકેલ છે. તેના ઉપર પાતળી ચામડીનું લીંપણ ગારરૂપે કરેલ છે. I૪૯ાા સાથે સાંઘા સાંઘિયા જી, પીઠ-વાંસ આઘાર, શિરા-જાળફૅપ વેલડી જી, સર્વાગે ચડી, થાર. જીંવ, જોને Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાખેલ નથી. I૪૩ દાનવ-નરક-નિવાસનો જી, અથોલોક નિહાળ, ઊંઘા શંકોરા સમો જી, સાત રાજ-ભર ભાળ. જીંવ, જોને. અર્થ - અસુરકુમાર દેવો, ભુવનપતિઓ અને નારકીઓના અથોલોકમાં નિવાસ છે. નારકીઓના નિવાસ ઊંઘા શંકોરા એટલે ભરણકા સમાન છે. તે અઘોલોક સાત રજ્જુ પ્રમાણ છે. //૪૪ો. જન-જનાવર જ્યાં વસે છે, મધ્યલોક વિચાર, ઊર્ધ્વલોક ગણ દેવનો જી, મૃદંગનો આકાર. જીંવ, જોને અર્થ - જ્યાં મનુષ્ય અને જનાવરો વસે છે તે મધ્યલોક અથવા તિરછો લોક ગણાય છે. ઊર્ધ્વલોકમાં દેવો નિવાસ કરે છે. લોકનો આકાર મૃદંગ એટલે એક પ્રકારના વાજિંત્રના જેવો છે. IT૪પાા લોક-શિખરે મોક્ષ છે જી, સિદ્ધ-સદન સુખકાર, સંસારે સુખ-અંશ ના જી, છે સુખ મોક્ષે અપાર. જીંવ, જોને અર્થ - લોકના શિખરે અર્થાત્ લોકાકાશના ઉપરના અંતભાગમાં મોક્ષ સ્થાન છે. તે સિદ્ધ ભગવંતને રહેવાનું સદન એટલે ઘર છે. તે હમેશાં સુખને આપનાર છે. આ સંસારમાં અંશમાત્ર ખરું સુખ નથી; જ્યારે મોક્ષ સ્થાન તે અપાર સુખનો ભંડાર છે. ૪૬ાા જડ-સુખ-દુઃખો દેખિયાં જી, જગમાં વારંવાર, ચાર ગતિમાં ફરી ફરી જી, તોય ન પામ્યો પાર. જીંવ, જોને. અર્થ :- આ જડ જેવી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતાં સુખ કે દુઃખ જગતમાં અનંતવાર જોયા. તેના ફળમાં ચાર ગતિરૂપ સંસારમાં હું વારંવાર ફર્યો; છતાં તે સંસારના પારને હું હજી સુધી પામ્યો નથી. I૪શા (૭) અશુચિભાવના દેહ-પુરી પુરીષથી જી પૂરી અપુનિત વિચાર, કર્મ-કેદમાં પૂરિયો જી, જીવ શબે નિર્ધાર. છંવ, જોને અર્થ - દેહરૂપી નગરી, તે પુરીષ એટલે મળમૂત્રાદિથી ભરેલી છે. તે અપુનિત એટલે અપવિત્ર છે. તેનો તું વિચાર કર. કર્મરૂપી કેદમાં જીવને મડદા જેવા શરીરમાં ઘાલી પૂરી દીધો છે. II૪૮ અસ્થિ-ભતની કોટડી જી, વાળે છાઈ ઘાર, સ્નાયુ-બંઘે તે ટકે છે, ચામડી લીંપણ-ગાર. જીંવ, જોને અર્થ :- દેહરૂપી નગરીમાં અસ્થિ એટલે હાડકારૂપી ભીંતથી બનેલ એક કોટડી છે. તેના ઉપરના ભાગમાં તે વાળથી છવાયેલી છે. તે અસ્થિપીંજરનો માળો સ્નાયુબંઘથી ટકેલ છે. તેના ઉપર પાતળી ચામડીનું લીંપણ ગારરૂપે કરેલ છે. I૪૯ સાથે સાંઘા સાંઘિયા જી, પીઠ-વાંસ આઘાર, શિરા-જાળવૅપ વેલડી જી, સવગે ચડ, ઘાર. છંવ, જોને. Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫૧ ૧ અર્થ - તે હાડકાના સાંધા એક બીજાથી સંઘાયેલા છે. તે સર્વને વાંસની જેમ એક પીઠ એટલે કરોડરજ્જનો આધાર છે. તે હાડકાના માળા ઉપર શિરાઓના જાળો વેલડીઓની જેમ સર્વ અંગમાં પથરાયેલા છે. ૫૦, માંસ-મૂત્ર-કફ આદિનો જી, અંદર ભરિયો માલ, નવે દ્વારથી નીકળે છે, જીવ કરે સંભાળ. જીંવ, જોને. અર્થ - તે હાડકારૂપી ભીંતથી બનેલ કોટડીમાં માંસ, મળમૂત્ર, કફ આદિનો માલ ભરેલ છે. તેથી તેના નવે દ્વારથી પણ તે જ બહાર નીકળે છે. એવા મળમૂત્રના ઘરરૂપ શરીરની સંભાળ આ જીવ હમેશાં કરે છે. I૫૧ાા રુધિર-સંગ સૌ દ્વારને જી, દુર્ગથી-ભંડાર, અંદર ખદબદતા કૃમિ જી, વાત-પિત્ત-વિકાર. જૈવ, જોને. અર્થ :- નવે દ્વાર રુથિર એટલે લોહીના સંગથી બનેલા છે. તે બઘા દુર્ગથીના ભંડાર છે. શરીરની અંદર કૃમિઓ ખદબદે છે. તથા વાત, પિત્ત અને કફના વિકારથી આ કાયા સદા ગ્રસ્ત છે. /પરા પંચભૂતનું પૂતળું જી, અશુચિ, એનું બીજ, વમન યોગ્ય રસથી વધે છે, ઝરે અશુચિ ચીજ. જીંવ, જોને અર્થ - આ કાયા તે પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂતનું પૂતળું છે. અપવિત્ર એવા બીજમાંથી તે ઉત્પન્ન થયેલી છે. જોતાં જ ઊલટી થાય એવા રજ અને વીર્ય રસથી તે વૃદ્ધિ પામે છે. તેમજ સદા અપવિત્ર વસ્તુઓ આ શરીરમાંથી ઝર્યા કરે છે. //પ૩ના મત્સ્ય, મગર ગંગાજળે જી વસે સદા ન પવિત્ર, તો મરતા નરને મુખે જી, રેડ્યાથી શું, મિત્ર? જીંવ,જોને અર્થ - મત્સ્ય એટલે માછલા, મગરમચ્છ વગેરે પ્રાણીઓ સદા ગંગાનદીના જળમાં જ વાસ કરવા છતાં તે પવિત્ર થઈ શક્યા નહીં, તો હે મિત્ર! મરતા માણસના મુખમાં ગંગાજળ રેડવાથી તે કેવી રીતે પવિત્રતાને પામશે? અર્થાત્ અશુચિમય કાયા તે કોઈ રીતે પવિત્ર થઈ શકે નહીં. પજા ક્રોઘ-લોભ-માયા-મદે જી, મોહે ર્જીવ લેપાય, દેહાધ્યાસ ઘટાડતાં જી, આત્મા નિર્મળ થાય. જીંવ, જોને. અર્થ - ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયભાવો વડે અજ્ઞાનના કારણે જીવ સદા કર્મોથી બંઘાય છે. તે હવે દેહાધ્યાસને ઘટાડે તો તેનો આત્મા નિર્મળતાને પામે. પપા | ડિવિઘ સમ્યક તપે કરી જી, શોભાવે જે દેહ, અશુચિ નરતન તેમનું જી, પૂજા લાયક એહ. જીંવ, જોને અર્થ - જે દ્વિવિઘ એટલે બે પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપને સમ્યકજ્ઞાન સહિત આદરી આ દેહને શોભાવે, તે મહાત્માનું શરીર અપવિત્ર હોવા છતાં તેમાં રહેલો આત્મા શુદ્ધ હોવાથી તે શરીર પણ પૂજા કરવા લાયક બને છે. //પકા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૮) આસ્રવભાવના જીંવ ઇન્દ્રિય અને મને જી, વર્તે વિભાવ-યુક્ત, આસ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય-પ્રયુક્ત. જીંવ, જોને અર્થ :- જ્યારે આત્મા ઇન્દ્રિયો અને મનવડે રાગદ્વેષાદિ વિભાવભાવોમાં પ્રવર્તે છે ત્યારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ નવીન કર્મોનો જીવ આસ્રવ કરે છે. તે કર્મ આઠ પ્રકારના છે. તે નીચે પ્રમાણે છે : ||પશા મૂર્તિ પર પડદા સમાં જી, “જ્ઞાનાવરણીય કર્મ, પાંચ ભેદથી રોકતાં જી જ્ઞાન, જીવનો ઘર્મ. જીંવ, જોને અર્થ :- આંખે જોવાની શક્તિ હોવા છતાં આંખે પાટા બાંધ્યા હોય અથવા મૂર્તિ ઉપર કપડું ઢાંક્યું હોય તો મૂર્તિનું સ્વરૂપ જણાય નહીં; તેમ જ્ઞાનાવરણીયકર્મ તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ ગુણો ઉપર પાંચ પ્રકારે આવરણ લાવે છે. આત્માનો મુખ્ય ઘર્મ જ્ઞાનગુણ હોવા છતાં તે આ કર્મથી અવરાય છે અને નવીન કર્મનો આસ્રવ કરે છે. પિટા દર્શન ગુણને રોકતા જી, કર્મ-ભેદ નવ દેખ, રાજ-દર્શને રોકતા જી દ્વારપાળ સમ લેખ. જીંવ, જોને અર્થ - બીજું દર્શનાવરણીયકર્મ તે આત્માના દર્શનગુણને રોકે છે. આ કર્મના નવ ભેદ છે. ચક્ષદર્શનાવરણીય, અચક્ષદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા તથા થીણદ્ધી. આ કર્મ દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શને આવતા વ્યક્તિને રોકી રાખે તેમ આ કર્મ આત્માના અનંત દર્શનગુણને રોકી રાખે છે. અને નવીન કમનો આસ્રવ કરાવે છે. પલા. મધુ-લિસ તરવાર જો જી, વેદનીનું દૃષ્ટાંત, સુખ-દુખ બે ભેદે ભણે છે, મીઠાશ ને જીંભાત. જીંવ, જોને. અર્થ - ત્રીજું વેદનીયકર્મ મઘથી ખરડાયેલી તરવાર જેવું છે. આ કર્મના શાતા અશાતારૂપે બે ભેદ છે. જેમ તરવાર ઉપર રહેલ મઘને ચાટવાથી ક્ષણિક મઘની મીઠાશ આવતાં સુખ ભાસે છે અને જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે તથા નવીન કર્મબંધનો આસ્રવ કરાવે છે. ૬૦ના અઠ્ઠાવીસ ભેદે ભણે છે, મદ્ય સમ મોહનીય, બેડી સમ “આયુષ્ય છે જી, ગતિભેદે મનનીય. જીંવ, જોને. અર્થ - ચોથું કર્મ મોહનીય છે. તેના કુલ અઠ્ઠાવીસ ભેદ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય સમકિત મોહનીય તથા અનંતાનુબંધી વગેરે સોળ કષાય અને નવ નોકષાય. એ કર્મ મદ્ય એટલે દારૂ જેવું છે. જે માણસને ઉન્મત્ત, વિવેકરહિત બનાવે છે. આ કર્મનો દર્શનમોહ એટલે મિથ્યાત્વમોહનીયનો ભેદ આત્માના સમ્યગ્દર્શન ગુણને રોકે છે; અર્થાત્ સત્યતત્ત્વમાં શ્રદ્ધા કરવા દેતો નથી. તથા ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને રોકે છે, અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવા દેતું નથી; અને નવીન કર્મનો Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ આસ્રવ કરાવે છે. પાંચમું આયુષ્યકર્મ બેડી સમાન છે. બેડીથી બંધાયેલ પ્રાણી બીજે જઈ શકે નહીં, તેમ જીવ નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવ આ ચાર ગતિમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલા એકથી બીજી ગતિમાં જઈ શકે નહીં, આ કર્મ આત્માના અક્ષય સ્થિતિગુન્નને રોકે છે તથા નવીન કર્મના આસ્રવનું કારણ થાય છે. ।। ત્રાણું ભેદો નામના જી, ચિત્રકાર દૃષ્ટાંત, ઉચ્ચ, નીચ બેગોત્ર છે જી, ઘટાદિ વાસણ-જાત. જીવ, જોને ૫૧૩ અર્થ ::– છઠ્ઠી નામકર્મના ત્રાણું ભેદ છે. આ કર્મ ચિત્રકાર જેવું છે, જેમ ચિત્રકાર, મનુષ્ય, દેવ, હાથી, નારકી આદિના ચિત્રો દોરે તેમ નામકર્મ અરૂપી એવા આત્માના શરીર, જાતિ, ગતિ આદિના અનેક રૂપો તૈયાર કરે છે. આ કર્મ આત્માના અરૂપી ગુણને રોકે છે, તથા નવીન કર્મનો આસ્રવ કરાવે છે. સાતમાં ગોત્રકર્મના બે પ્રકાર છે, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ કર્મ કુંભારના ઘડા જેવું છે, કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે છતાં એક પડાનો ઉપયોગ ઘી ભરવા માટે થાય છે અને બીજાનો ઉપયોગ નીંદ્ય એવા દારૂ ભરવા માટે પણ થાય છે. તેમ જીવ આ કર્મના આધારે ઉચ્ચ, નીચ કુલમાં જન્મ પામે છે. આ કર્મ આત્માના અગુરુલઘુ ગુણને રોકે છે અને નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. કા અંતરાયના પાંચ છે જી ભેદો; વારે જેમ ઇનામ દેતાં નૃપને જી પ્રધાન, વિજ્ઞો તેમ. જીવ, જોને અર્થ :— આઠમા અંતરાયકર્મના પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. આ કર્મ રાજાના ભંડારી જેવું છે. રાજાને દાન દેવાની ઇચ્છા હોવા છતાં ભંડારી તેમાં વિઘ્ન ઉપસ્થિત કરે, તેમ આ કર્મ આત્માના અનંત વીર્ઘ ગુણને રોકે છે. તથા નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. જેમ ભોજ રાજાને દાન આપતાં તેનો પ્રધાનમંત્રી વિઘ્ન કરે છે. અને કહે છે કે આપત્તિકાળ માટે ધનનો સંગ્રહ કરો. પણ રાજા કહે આપત્તિ આવશે ત્યારે ઘન હશે તે પણ જતું રહેશે. માટે છે ત્યાં સુધી દાન કરી પુણ્યનો સંગ્રહ કરી લેવો, જેથી આપત્તિ પણ દૂર ભાગશે. ।।૩।। પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને જી પ્રદેશ એવા ચાર, મુખ્ય બંઘના ભેદ છે જી; વિશેષથી વિસ્તાર. જીવ, જોને અર્થ :– આત્માને કર્મબંધ મુખ્ય ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંઘ. (૧) પ્રકૃતિબંધ એટલે બંઘાતા કર્મોનો કેવો સ્વભાવ છે તેનું નક્કી થવું તે. જેમકે જ્ઞાનાવરણીય કર્મનો આત્માના જ્ઞાનગુણને રોકવાનો સ્વભાવ છે તે (ર) સ્થિતિબંઘ એટલે બંધાયેલું કર્મ કેટલા કાળ સુધી આત્મપ્રદેશોની સાથે રહી પોતાનો વિપાક બતાવશે તેની કાળમર્યાદાનું નિશ્ચિત થવું તે (૩) અનુભાગબંધ એટલે બંધાયેલા કર્મો, કાળમર્યાદા સુધી તીવ્ર રસે કે મંદ રસે કેવા રસપૂર્વક આત્માને સુખ દુઃખનો અનુભવ કરાવશે તે. (૪) પ્રદેશબંધ એટલે બંઘાયેલા કર્મો કેટલા પુદ્ગલ સ્કન્ધના બનેલા છે તેના નાના મોટા જથ્થાનું પ્રમાણ નક્કી થયું તે. આત્મા સાથે કર્મોનો પ્રકૃતિબંધ અને પ્રદેશબંઘ મન વચન કાયાના યોગથી થાય છે અને સ્થિતિબંધ તથા અનુભાગથ કષાયના પરિણામથી થાય છે. ।।૩૪।। અરૂપી ગુણ જીવનો જી, સર્વ શરીર-રહિત, કર્મબંધ ટાળી વરે જી, સિદ્ધિ તે જીવ-હિત. જીવ, જોને Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જીવનો ગુણ અરૂપી છે. છતાં કર્મને લઈને જીવ કામણશરીર, તેજસશરીર, આહારકશરીર, વૈદૈયિક શરીર અને ઔદારિકશરીરને ઘારણ કરે છે. તપ, જ્ઞાન, ધ્યાનના બળે સર્વ કર્મબંધને ટાળી પુરુષાર્થી જીવ પોતાના શાશ્વત હિતરૂપ મોક્ષતત્ત્વની સિદ્ધિને પામે છે. II૬પા (૯) સંવરભાવના સંવર જે ના સાઘતા જી, સહે ચાર ગતિ-દુઃખ; કર્મ આવતાં રોકશે જ, તે લેશે શિવ-સ્ખ. જીંવ, જોને અર્થ - સંવર એટલે કર્મ આવવાના કારણોને રોકવા તે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ આવવાના કારણો છે. તે રોકી જે સંવરતત્વને સાથતા નથી તે પ્રાણી ચાર ગતિના ભયંકર દુઃખોને ભોગવે છે અને જે આવતા કર્મને સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રના બળે રોકશે તે ભવ્યાત્મા મોક્ષસુખને પામશે. ૬૬ાા. સુ-ધ્યાને મન રોકવું જી, તજી સ્પર્શ-વિલાસ, જમીન પર સૂવું ભલું જી, ગોચરી-વૃત્તિ ખાસ. જીંવ, જોને અર્થ - હમેશાં મનને ઘર્મધ્યાનમાં રોકવું. કોમળ સ્પર્શના વિલાસને તજી દઈ, જમીન ઉપર સુવું આત્મા માટે ભલું છે. તથા મુનિઓને સ્વાદ તજી ઘણા ઘરથી થોડો થોડો આહાર લઈ ગોચરીવૃત્તિથી શરીર નિર્વાહ કરવાની ભગવાનની આજ્ઞા છે. કશા સુંદર-કર્કશ શબ્દમાં જી, રાગ-રોષનો ત્યાગ, સુગંધ-દુર્ગથે સદા જી, સમતા-સેવન-રાગ. છંવ, જોને અર્થ - કર્ણ દ્વારા સંભળાતા સુંદર કે કઠોર શબ્દમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. સુગંઘ દુર્ગઘમાં પણ સદા સમતા રાખવાથી નવીન કર્મનો સંવર થાય છે. ૬૮. વિકાર રૂપ-વિરૂપથી જી, મનમાં કદી ન થાય, ચિત્ત-વચન-કાયા તણી જી, દુરિચ્છા રોકાય. જીંવ, જોને અર્થ - રૂપ કે કુરૂપ જોઈ મનમાં કદી વિકાર ન થાય અને મનવચનકાયાથી થતી ખરાબ ઇચ્છાઓ જો રોકાઈ જાય તો નવા કર્મો ન બંઘાતા તેનો સંવર થાય છે. ૬૦ાા બાળે ક્રોઘ ક્ષમા ઘરી જી, વિનયે વાળે માન, માયા મૂકે ઋજુ બની જી, લોભ તજે દઈ દાન. જીંવ, જોને. અર્થ :- ક્ષમા ઘારણ કરીને ક્રોથને બાળે, વિનયગુણવડે માન કષાયને પાછો વાળે, સરળતા ગુણ ઘારણ કરીને માયાને મૂકે તથા દાન આપી લોભ કષાયને તજે તો નવા આવતાં કર્મો રોકાય છે. //૭૦ાા સર્વસંગના ત્યાગથી જી, જિનગુણ-ચિંતન-યુક્ત ઘોર તપે દહીં કામને જી, બને કષાયથી મુક્ત. જીંવ, જોને. અર્થ :- સર્વસંગને મહાઆમ્રવના કારણ જાણી તેને તજી જિનગુણના ચિંતનમાં રક્ત રહે તથા ઘોર તપો તપી કામને બાળી નાખે. તેમજ સર્વ ક્રોધાદિ કષાયભાવોથી મુક્ત થાય તો આવતાં કમ રોકાઈ જઈ સંવર તત્ત્વની ઉપાસના થાય છે. II૭૧|| Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૧૫ આસ્રવધારો વાસતાં જી, નવાં ન આવે કર્મ, જૂનાં જાય તપાદિથી જી, પ્રગટે આત્મિક ઘર્મ. જીંવ, જોને. અર્થ - મિથ્યાત્વ અવિરતિ આદિ પાંચેય આસ્રવના દ્વારોને બંઘ કરતાં નવા કર્મ આવી શકે નહીં. તથા જૂના બંઘાયેલા કમોંને બાર પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપોવડે જો ખપાવી દે તો આત્માનો ક્ષમાદિ દશ લક્ષણરૂપ ઘર્મ પ્રગટ થઈ શાશ્વત સુખશાંતિ પ્રાપ્ત થાય. ૭૨ા. (૧૦) નિર્જરાભાવના યથાકાળ ફળ પાકતાં જી, પકવે કરી ઉપાય, તેમ નિર્જરા ઉદયે જી, ઉદીરણા પણ થાય. જીંવ, જોને. અર્થ :- જે કમ યથાકાળ એટલે તેનો સમય પાક્ય ઉદયમાં આવી ખરી જાય તેને નિર્જરા તત્ત્વ કહે છે. જેમ કોઈ કર્મની એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ પડે તો તેને પાકતા સો વર્ષ લાગે છે તેને અબાઘાકાળ કહે છે. ત્યારપછી તે ઉદયમાં આવે છે. પણ તે કમને ઉદયમાં આવતા પહેલા જ બાર પ્રકારના તપવડે ખપાવી દેવા તે કર્મોની ઉદીરણા કરી કહેવાય છે. જેમ એક કેરી ઝાડ પર જ પાકતા વાર લાગે, પણ તે જ કરીને સાખ પડ્યા પછી તોડીને પરાળમાં રાખી જલદી ગરમી આપીને પકાવવી તેના સમાન કર્મોની ઉદીરણા પણ થઈ શકે છે. II૭૩યા. સકામ-અકામ નિર્જરા જી વળી બે ભેદો મુખ્ય, જનાવરો, વૃક્ષાદિ જે જી, સહે પરાણે દુઃખ- જીંવ, જોને અર્થ - કર્મોની નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે ઇચ્છાપૂર્વક કર્મોની ઉદીરણા કરીને ખપાવવા તે અને બીજી અકામ નિર્જરા એટલે જે સહજ રીતે કર્મ પાળે સર્વ જીવોને ઉદયમાં આવે છે તે. જેમ કે જનાવરો કે વૃક્ષાદિ એકેન્દ્રિય જીવો કર્મના ઉદયમાં પરાણે દુઃખ ભોગવે છે; અર્થાત્ પરાધીન અવસ્થા હોવાથી ઘણું દુઃખ ભોગવે છે. II૭૪ અકામ કર્યો એ નિર્જરા જી; બીજી કરે મુનિરાય જ્ઞાન અને વૈરાગ્યથી જ સંવર સહિત થાય. જીંવ, જોને૦ અર્થ :- આ એકેન્દ્રિયાદિ જીવોની નિર્જરાને અકામ નિર્જરા કહી છે. બીજી સકામ નિર્જરા તે મુનિવરોને સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે નવીન કર્મોના સંવર સહિત થાય છે. ||૭પના તપ-અગ્નિમાં તાવતા જી, જીવ-સુવર્ણ અશુદ્ધ, શરીર-કુલડી સોનીની જી, શ્વાસ-ફૂંકે પ્રબુદ્ધ. જીંવ, જોને અર્થ - મુનિવરો, જીવરૂપી અશુદ્ધ સુવર્ણને બાર પ્રકારના તારૂપી અગ્નિમાં તાવીને શુદ્ધ કરે છે. શરીરરૂપી સોનીની કુલડીમાં જીવરૂપી સુવર્ણને રાખી શ્વાસ લેવારૂપ ફૂંકીવડે તે પ્રબુદ્ધ એટલે જ્ઞાની પુરુષો આત્માને શુદ્ધ કરે છે. II૭૬ાા. મન-ગજ તો જ્ઞાનાંકુશે જી કુપંથથી રોકાય, વ્રત-વૃક્ષો ઉખેડશે જી, જો તે વશ નહિ થાય. છંવ, જોને. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મનરૂપી હાથી જ્ઞાનરૂપી અંકુશથી કુમાર્ગમાં જતો રોકાય છે. “જ્ઞાને બાંધ્યું મન રહે.” જો તે મનરૂપી હાથી વશ ન થાય તો તે વ્રતરૂપી વૃક્ષોને ઉખેડી નાખશે. II૭૭ળા. પરિષહ સહતા સંયમી જી, અનિયત કરે વિહાર, કેશ-લોચ ને નગ્નતા જી, સમતા ઘરે અપાર. જીંવ, જોને. અર્થ :- કર્મોની નિર્જરા કરવા માટે સંયમીઓ બાવીસ પ્રકારના પરિષહોને સહન કરે છે, તથા અનિયત એટલે અનિશ્ચિત વિહાર કરે છે. ઋષભદેવ ભગવાન છદ્મસ્થ મુનિદશામાં તક્ષશિલામાં રાત્રિ નિવાસ કર્યો. સવારમાં બાહુબલિ વંદન કરવા આવતા પહેલા જ વિહાર કરી ગયા. મુનિઓ કેશનો લોચ કરે, નગ્ન પરિષહ સહન કરે અને ગમે તેવા કષ્ટ પડે તો પણ અપાર સમતાને ઘારણ કરે છે. II૭૮ કનક-તૃણ, શત્રુ-સખા જી, રોગ-શ્વાસ સરખાં જ, જ્ઞાની મુનિવર માનતા છે, તો મોક્ષ અહિંયાં જ. જીંવ, જોને. અર્થ - સોનું કે તૃણ એટલે ઘાસ, શત્રુ કે મિત્ર, રોગ હોય કે સુખે શ્વાસ ચાલે તે બધાને જ્ઞાની મુનિવરો સરખા ગણે છે. તેથી તેમને મન મોક્ષ અહિંયા જ છે. સમભાવમાં રહેવું એ જ મોક્ષની વાનગી છે, અને એ જ નિર્જરાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. I૭૯ાા પાળે નવ જળ રોકતાં જી, તાપે સર સ્કાય, તેમ જ નિયમિત જીવને જી, તપે કર્મ સૌ જાય. જીંવ, જોને. અર્થ - પાળ કરવાથી જેમ નવું જળ આવતા રોકાય, તાપ પડવાથી જેમ સરોવર સુકાય; તેમજ નિયમિત રીતે આરાધના કરનાર જીવના તપવડે સર્વ કર્મો નષ્ટ થઈ જાય છે. તેથી કેવળજ્ઞાન પામી તે આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. ૮૦ના (૧૧) ઘર્મ-ભાવના મુક્તિ-ફલ દે નિર્જરા જી, સુઘર્મ-તરુ-ઉપકાર, "ક્ષમા ક્ષમાતલથી ઊગે છે, જેમાર્દવ-પલ્લવ સાર. જીંવ, જોને અર્થ - કર્મોની સંપૂર્ણ નિર્જરા જીવને મોક્ષફળ આપનાર છે. તે પ્રાપ્ત થવામાં સત્થર્મરૂપી વૃક્ષ તે દશ લક્ષણરૂપ ઘર્મવડે જીવોને પરમ ઉપકાર કરનાર છે. તે સુઘર્મરૂપી વૃક્ષ પ્રથમ ક્ષમારૂપી ક્ષમતલથી એટલે પૃથ્વીતલથી ઊગે છે. તે વૃક્ષને માર્દવ એટલે નમ્રતા, લધુતા, વિનય વગેરે પલ્લવ એટલે પાંદડા છે, જે સારરૂપ છે. II૮૧ાા સત્ય, શૌચ બે મૂળ છે જી, આર્જવ-શાખા, માન, દ્વાદશ મહા તપ-પુષ્પ છે જી, પરિમલ ત્યાગરૃપ દાન. જીંવ, જોને. અર્થ :- સુધર્મરૂપ વૃક્ષના સત્ય અને શૌચ એટલે પવિત્રતા એ બે મૂળ છે. તેને આર્જવ એટલે સરળતારૂપ શાખા છે. બાર પ્રકારના મહાનતપ એ એના પુષ્પ છે. તથા દાન આપી પરપદાર્થમાં રહેલી મમતાના ત્યાગરૂપ એ પુષ્પની પરિમલ અર્થાત્ સુગંઘ છે. Iટરા દ્વિજ-સમૂહ કલ્લોલતો જી, સુર નર-સુખ-ફળ આમ, બ્રહ્મચર્ય-છાયા ભલી જી, શ્રમિતોનો વિશ્રામ. જીંવ, જોને Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૧૭ અર્થ - દ્વિજ એટલે પક્ષી અને મુનિ એમ બે અર્થ છે. પક્ષીઓનો સમૂહ જેમ વૃક્ષ ઉપર બેસી કલ્લોલ કરે, તેમ મુનિઓ પણ સત્ ઘર્મરૂપ વૃક્ષના આશ્રયથી દેવ, મનુષ્યના સુખરૂપ ફળને પામી આનંદ કલ્લોલ કરે છે. ઉત્તમ બ્રહ્મચર્યનું પાલન તે વૃક્ષની છાયા સમાન છે; જે મુક્તિમાર્ગમાં શ્રમ કરનાર જીવોને વિશ્રામરૂપ છે. ૧૮૩ના “સંયમ-થડ અતિ શોભતું જી, અકિંચનત્વ-સુહંસ, નિર્મળ નિર્મમ આવતાં જી, નહીં પરિગ્રહ-અંશ. છંવ, જોને. અર્થ - સત્કર્મરૂપી વૃક્ષનું સંયમરૂપી થડ છે, જે અતિ શોભા પામે છે. અકિંચનત્વ એટલે નિષ્પરિગ્રહતાનો ભાવ તે સુહંસ સમાન નિર્મળ, નિર્મમ ક્ષીરનીર વિવેક પ્રગટતા અર્થાત જડ ચેતન વિવેક ઉત્પન્ન થતાં, ભાવથી પરિગ્રહનો અંશ પણ રહેતો નથી. ૮૪ જીવ-દયામય વાડથી જી, રક્ષા કરવી યોગ્ય, રખા રહે સુધ્યાનના જી, મિથ્યાત્વ-મૃગ-અભોગ્ય. જીંવ, જોને. અર્થ - એવા દશ લક્ષણવાળા સુઘર્મરૂપી વૃક્ષની, જીવોની દયા ખાવારૂપ વાડથી રક્ષા કરવી યોગ્ય છે. ઘર્મધ્યાનરૂપ રખવાળોથી તે ઘર્મ સુરક્ષિત રહી શકે છે; તેથી મિથ્યાત્વરૂપ મૃગલાઓનો ત્યાં પ્રવેશ થાય નહીં. ૮પાા શીલ-સલિલ સિંચતાં , તે તરુ મોટું થાય, કોપાનલથી જો બચે જી, શિવ-ફલ દે સુખદાય. જીંવ, જોને. અર્થ - શીલરૂપી સલિલ એટલે પાણીના સિંચનથી તે ઘર્મરૂપી વૃક્ષ મોટું થાય છે. કોપાનલ એટલે ક્રોધાદિ કષાયોરૂપી અગ્નિથી જો તે ઘર્મરૂપી વૃક્ષનો બચાવ થાય તો જરૂર સુખદાયક એવા મોક્ષરૂપી ફળને તે આપનાર થાય છે. ટકા (૧૨) બોધિદુર્લભ-ભાવના ચહું સમાધિ-બોધિ હું જી, ભવે ભવે હે! નાથ, જન્મ જ્યાં જ્યાં વિશ્વમાં જી, પ્રભુજી, ગ્રહજો હાથ. જીંવ, જોને. અર્થ - હે નાથ! હં ભવોભવમાં આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિને ઇચ્છું છું. તે મેળવવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિરત્નની ચાહના કરું છું. હું જ્યાં જ્યાં વિશ્વમાં જન્મ પામું ત્યાં ત્યાં હે પ્રભુજી! મારો હાથ ગ્રહીને મને સમ્યમાર્ગે વાળજો. ૮ના. પ્રભુ-આજ્ઞા ઉપાસવાજી, ગર્વ-રહિત સદાય, માનવભવ આ વાપરું જી, પ્રમાદ કેમ કરાય? જીંવ, જોને. અર્થ :- પ્રભુની આજ્ઞા ઉપાસવા હું સદાય ગર્વરહિત રહું અર્થાત્ વિનયભાવસહિત પ્રભુની આજ્ઞામાં આ માનવભવનો ઉપયોગ કરું. મોક્ષ પ્રાપ્તિ અર્થે પ્રભુનો આવો અદ્ભુત યોગ મળી જવાથી હવે પ્રમાદ કેમ કરાય? ૮૮ાા. અસત્ માન્યતા છોડીને જી, સલ્તાત્રે મન લીન, નિર્મળ બુદ્ધિ ઊપજે છે, ન ઇન્દ્રિય-આઘીન. જીંવ, જોને Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - આત્મા સંબંઘીની વિપરીત માન્યતાઓ છુટી જઈ મારું મન સન્શાસ્ત્રમાં લીન રહે. ઇન્દ્રિયોને આધીન મારી વૃત્તિ નહીં રહેતા મારી બુદ્ધિ સદા નિર્મળ રહે એવી પ્રભુ કૃપા કરજો. ૧૮૯ાા ભવોભવની માગણી જી : વિષય-કષાય-વિરક્ત, સેવા સંતની આદરું જી, ત્રિગુતિ-સંયુક્ત. જીંવ, જોને અર્થ :- હે પ્રભુ! ભવોભવમાં હું વિષયકષાયથી વિરક્ત રહું તથા મનવચનકાયાના ત્રણેય યોગ સહિત, હું સંતપુરુષોની સેવા એટલે આજ્ઞાનું પાલન કર્યા કરું; એવી મારી માગણી છે તે સફળ થાઓ. કેમકે વિષયકષાય એ જ સંસાર છે અને એ જ ઝેર છે. ૯૦ગા. આશા-પાશ ઘૂંટી જજો જી, તેંટો મોહના બંઘ, કુશળ સંયમી સંતનો જી, ભવ ભવ હો સંબંઘ. જીંવ, જોને. અર્થ :- સંસારસુખની આશાઓ જે જીવને પાશ એટલે જાળ સમાન પકડી રાખે છે તે મારી છૂટી જજો. તથા કુટુંબીઓ સંબંધી મોહના બંઘન તૂટી જજો. અને ભવભવમાં કુશળ એવા આત્મજ્ઞાની સંયમી સંતનો મને સંબંધ હોજો એવી ભાવના ભાવું છું. II૯૧. સમ્યકત્વી કુટુંબમાં જી હો તો હો અવતાર, અબુથને પણ બોઘતા જી, મળજો સદ્ગુરુ સાર. જીંવ, જોને. અર્થ :- હે પ્રભુ! મારે હજુ અવતાર ઘારણ કરવાના હોવાથી સમ્મદ્રષ્ટિ કુટુંબમાં જ મારો જન્મ હો જો. અબુધ એટલે અજ્ઞાનીને પણ બોઘ આપી તારનાર એવા સારરૂપ સદ્ગુરુનો મને યોગ મળજો કેમકે સગુરુ વિના કોઈ કાળે આ સંસારનો પાર આવે એમ નથી. ૯રા દીન ભણી કરુણા કરું જી, સદગુણી ભણી પ્રેમ નિર્દય ભણી મધ્યસ્થતા જી, સૌ ભણ મૈત્રી-ક્ષેમ. ઍવ, જોને અર્થ :- દીન એટલે ગરીબો ભણી હું કરુણાભાવ રાખું. સગુણી પ્રત્યે પ્રેમભાવ રાખું, નિર્દયી જીવો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખું તથા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખી તેમની ક્ષેમ એટલે કુશળતા ને જ ઇચ્છે. એવી સમકિતની યોગ્યતા આપનારી ચાર ભાવનાઓ મને સદા રહેજો. II૯૩ાા. દેહ મહાવ્રત-યોગ્ય હો જી, ભવભવ તપ આઘાર, ઘન, પરિજન, ઘર ના હશો જી, હો ઉર ઉપશમ સાર. જીંવ, જોને. અર્થ :- આ મારો દેહ પંચ મહાવ્રત પાળવાને યોગ્ય હજો. ભવભવમાં હું ઇચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં. ઘન, સગાં, કુટુંબીઓ કે ઘરની પણ મને ઇચ્છા ના હોજો. પણ કષાયને ઉપશમ કરવાનો સારરૂપ ભાવ મને સદા જાગૃત રહેજો. ૯૪. નારી ના પ્યારી થશો જી, નિષ્પાપી નિલભ, ઉર સદા નિઃશલ્ય હો જી, નહીં પ્રમાદે ક્ષોભ. છંવ, જો અર્થ - સ્ત્રી પ્રત્યે મને રાગ નહીં પણ સપુરુષ પ્રત્યે હોજો. “રાગ કરવો નહીં, કરવો તો સપુરુષ પ્રત્યે કરવો.” -શ્રીમદ્ રાજચંદ્ર હું નિષ્પાપી અને નિલભી થાઉં. મારું હૃદય મિથ્યાત્વ શલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્યથી રહિત થજો. તથા વિષય, કષાય, વિકથા સ્નેહ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) શ્રી ત્રિકષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૧૯ અને નિદ્રા એ પંદર પ્રકારના પ્રમાદથી મારું ચિત્ત કદી ક્ષોભ પામે નહીં એવી કૃપા કરજો. પાપા સ્વાધ્યાયે દિવસો જજો જી, જ્ઞાન-દર્શનાથીન, ચારિત્રે હો સ્થિરતા જી, સમાધિ-મરણે લીન. જીંવ, જોને. અર્થ - મારા બધા દિવસો પુરુષના કહેલા વચનામૃતોના સ્વાધ્યાયમાં વ્યતીત થજો. કારણ સ્વાધ્યાય એ મોટું અંતરંગ તપ છે. સ્વાધ્યાયમાં એકાગ્રતા થવાથી જગત ભુલાઈ જઈ કષાયની મંદતા થાય છે; તેથી આત્મામાં શાંતિ ઊપજે છે. માટે સત્પરુષનાં આપેલ સમ્યકજ્ઞાનને મેળવી, તે પ્રમાણે સમ્યક શ્રદ્ધાને આધીન રહી આત્મામાં રમણતા કરવારૂપ ચારિત્રદશામાં મારી સ્થિરતા હોજો, તથા સમાધિમરણ સાધવા માટે તેને યોગ્ય પુરુષાર્થમાં જ હું સદા લીન રહું એવી મારી અભિલાષા છે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ૧૯૬ાા ઑવો જૅવો વૈરાગ્યથી જી, બોધિ-સમાધિ સમેત, ભવજળ-તારક ઘારજો જી, સ્મરણ ચિત્તે સચેત. છંવ, જોને અર્થ - હે ભવ્યાત્માઓ! તમે વૈરાગ્યભાવ રાખી, રત્નત્રયરૂપ બોધિ અને આત્માના ભાવોની સ્થિરતારૂપ સમાધિ સહિત જીવન જીવો. તથા સંસારસમુદ્રથી તારનાર એવા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રને સદા ચિત્તમાં જાગૃત રાખો. જેથી આત્મા સમભાવમાં આવી શાશ્વત સુખશાંતિને પામે. II૯૭ળા ભવ-વૈરાગ્ય ભીંના પ્રભુ જી, ગણ લૌકાન્તિક દેવ, બ્રહ્મલોકથી આવીને જી, સ્તવે દેવાધિદેવ જીંવ, જોને. અર્થ - એમ બાર ભાવનાઓને ભાવતા ભગવાનનું મન સંસાર ઉપર વૈરાગ્યથી ભીનું થયેલું જાણીને પાંચમા બ્રહ્મદેવલોકથી લૌકાન્તિક દેવો ભગવાન પાસે આવી પહોંચ્યા. નીચે પ્રમાણે દેવોના પણ દેવ એવા શ્રી ઋષભદેવને વિનયપૂર્વક સ્તવવા લાગ્યા અર્થાત્ એમના ગુણગાન કરવા લાગ્યા. ૯૮. “સર્વ વ્યવસ્થા લોકની જી, વર્તાવી જે રીત, ઘર્મ-તીર્થ વર્તાવવા જી, અવસર આ તે રીત. જીંવ, જોને. અર્થ :- હે પ્રભુ! જે રીતે આપે લોકની સર્વ વ્યવસ્થા કરી તેમ ઘર્મતીર્થ સ્થાપવાનો હવે અવસર આવ્યો છે. ૧૯૯ાા. જે અર્થે જન્મ્યા, પ્રભું છે, તેનો આવ્યો લાગ; કર્મો ગૃહસ્થ-વાસનાં જી પૂર્ણ થયાં, વીતરાગ.” જીંવ, જોને. અર્થ - હે પ્રભુ! જગત જીવોને મુક્તિનો માર્ગ બતાવી તેમના ઉદ્ધાર માટે આપનો જન્મ થયો છે; તેનો હવે લાગ આવ્યો છે. હે વીતરાગ! ગૃહસ્થાવાસના નિકાચિત ભોગાવલી કમોં હવે આપના પૂર્ણ થયા છે. માટે હે નાથ! હવે ઘર્મતીર્થ પ્રવર્તાવો. ૧૦૦ના કરી પ્રેરણા તે ગયા જી, પ્રભુ બોલાવે પુત્ર, કહે ભરતને: સુજ્ઞ છો જી, સંભાળો સૌ તંત્ર. જીંવ, જોને અર્થ - ઉપર પ્રમાણે પ્રભુને પ્રેરણા કરીને લૌકાંતિક દેવો બ્રહ્મદેવલોકમાં પાછા ચાલ્યા ગયા. પછી સૌથી મોટા પુત્ર ભરતને બોલાવી શ્રી ઋષભદેવ કહેવા લાગ્યા : તમે સુજ્ઞ છો, સારી રીતે બધી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાજ્ય વ્યવસ્થાના જાણનાર છો. માટે આ બઘા રાજતંત્રની સંભાળ કરો. ૧૦૧ાા. પંચમગતિ છે સાથવી જી, હવે ઘટે વનવાસ.” ભરત ખેદ સહ બોલતા જી : “અણઘટતું આ ખાસ; છંવ, જોને અર્થ - પિતા શ્રી ઋષભદેવ કહે : અમારે હવે પંચમગતિ એટલે મોક્ષની સાધના કરવી છે; માટે વનમાં વાસ કરવો યોગ્ય જણાય છે. તે સાંભળી ભરત ખેદપૂર્વક કહેવા લાગ્યા : પિતાજી! મારા માટે પણ આ રાજ્યની વ્યવસ્થા કરવામાં કાળ ગાળવો તે મને અયોગ્ય જણાય છે. ૧૦૨ાા આપ એંઠ ગણી છોડતા જી, તેમાં હોય ન સુખ, ચરણ-સમીપે સુખ છે જી, સિંહાસને અસુખ. જીંવ, જોને અર્થ – આપ પિતાજી! સકળ જગતને એંઠવાડા સમાન ગણી છોડો છો, તેમાં કદાપિ સુખ હોય નહીં. આપના ચરણ સમીપ રહેવું એ જ મને તો સુખરૂપ ભાસે છે. આ સિંહાસન વગેરે મને સુખરૂપ લાગતા નથી. ||૧૦૩. આપની આગળ ચાલવું જી, દેશે સુખ અપાર, હાથી-હોદ્દે બેસવું છે, મને ગમે ન લગાર. જીંવ, જોને અર્થ:- આપ જે માર્ગે ચાલશો તે માર્ગે હું પણ આગળ ચાલી આપની સંભાળ કરીશ. આપની સેવા કરવી તે મને અપાર સુખ આપશે; પણ રાજા બની હાથીના હોદ્દે બેસવું એ મને લગાર માત્ર ગમતું નથી. ||૧૦૪ શિરછત્ર છો સર્વના જી, આપ સમીપ સુખ સાર, રાજ્ય-ચિહ્ન છત્રાદિ સૌ જી, દેશે દુઃખ અપાર. જીંવ, જોને અર્થ - હે પ્રભુ! આપ સર્વના શિર-છત્ર છો. આપની સમીપે સારભૂત એવું આત્માનું સુખ મળી શકે. પણ આ સર્વ રાજાના ચિતરૂપ છત્રાદિ મને ઉપાધિમાં ઘકેલી જઈ અપાર દુઃખ આપશે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે.” (વ.પૃ.૪૫૨) ૧૦પા સેનાપતિ, મંત્રી છતાં જી, આપ વિના ન સુહાય, સ્વામી વિના સૌ સંપદા જી, સતીને નહિ સુખદાય.” છંવ, જોને. અર્થ :- રાજ્યમાં સેનાપતિ, મંત્રીઓ હોવા છતાં મને આપ વિના ગમશે નહીં. જેમ સ્વામી વગરની બધી સંપત્તિ સતીને સુખ આપનાર થતી નથી તેમ આપ વિના મને બધું અસાર જણાય છે. મને તો આ જગતમાં એક આપ જ સારરૂપ જણાઓ છો. /૧૦૬ાા વિશેષ હિત જાણી કહે છે, ત્રષભ જિનેશ્વર દેવ “પૃથ્વી-પાલન કરો તમે જી, એ જ અમારી સેવ. જીંવ, જોને અર્થ - જ્ઞાનબળે ભરતનું ઘરમાંજ વિશેષ હિત જાણી શ્રી ઋષભ જિનેશ્વર કહેવા લાગ્યા કે ભરત! વર્તમાનમાં પૃથ્વીનું પાલન કરો એ જ અમારી તમારા માટે આજ્ઞા છે. ||૧૦૭ળા Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ન્યાયાન્યાય નિહાળજો જી, આજ્ઞાધારક આપ, રાજ્ય તજી સર્વે જતાં જી, વધશે જન-સંતાપ. જીવ, જોને અર્થ :– ભરત ! ન્યાય અન્યાયનું પુરું ધ્યાન રાખજો. તમે આજ્ઞાધારક છો માટે કહીએ છીએ. સર્વે રાજ્ય તજીને એકસાથે જઈશું તો લોકોમાં સંતાપ બહુ વધી જશે. ।।૧૦૮। રૌદ્ર બની વર્તાવશે જી, બળવંતો બહુ ત્રાસ." ભરત નિરુત્તરતા ગ્રહે જી, બને પ્રજાના દાસ. જીવ, જોને અર્થ :– બળવાન માણસો રૌદ્ર એટલે ભયંકર બની જઈ નિર્બળ ઉપર ઘણો ત્રાસ વર્તાવશે. માટે હાલમાં તેમની સંભાળ લેવી યોગ્ય છે. આ વચનો સાંભળી ભરત નિરુત્તર બની ગયા. તથા શ્રી ઋષભદેવ જિનેશ્વરની આજ્ઞાને શિરોધાર્ય કરી, મનમાં પ્રજા પ્રત્યે દાસભાવ રાખી, તેમની સેવા કરવા અર્થે રાજ્યતંત્ર સંભાળવાનો સ્વીકાર કર્યો. ।।૧૦૯।। (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ (રાગ : સૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે) * ૫૨૧ બાહુબલિ આદિ પુત્રોને, દેશો પોતે આપે રે, સર્વ જનોને સંતોષી તે ભરત નરેશ્વર થાપે રે. પરોપકાર-કારક પરમાત્મા ઊઠયા જગ ઉત્તરવા રે, ઇન્દ્રિાદિકનાં આસન કંપે, આવે ઉત્સવ કરવા રે. પરોપકાર૦ અર્થ :– શ્રી ઋષભ જિનેશ્વરે બાહુબલિ આદિ પુત્રોને દેશો વહેંચી આપી, સર્વ જનોને સંતોષી શ્રી ભરતને નરેશ્વર પદે સ્થાપિત કર્યા. પરોપકારને કરનારા એવા પ્રભુ હવે જગતનો ઉદ્ધાર કરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. તેથી ઇન્દ્રાદિકના આસન કંપાયમાન થવાથી તેઓ પણ દીક્ષા મહોત્સવ ઊજવવા બધા ત્યાં આવી પહોંચ્યા. ||૧|| સ્નાન, વિલેપન, વસ્ત્રાભૂષણ, નૃત્ય, ગીત સુરસંગે રે, જતી જ્યોતિ ઝબકે તે રીતે વૈભવ-ત્યાગ સુરંગે રે, પરો અર્થ :– હવે પ્રભુના દીક્ષા મહોત્સવ પ્રસંગે વિલેપન સ્નાનાદિવડે અભિષેક કરી ઇન્દ્રે લાવેલા દિવ્ય વસ્ત્ર આભૂષણ ઘારણ કરાવી પ્રભુ સમક્ષ દેવતાઓએ નૃત્ય, ગીતાદિ કર્યાં. પ્રભુએ પણ જેમ વીજળીની જ્યોત ઝબકારો આપી જતી રહે તેમ સર્વ વૈભવનો ઉત્સાહપૂર્વક ભાવથી ત્યાગ કર્યો. ।।૨।। સુદર્શના-શિબિકામાં બેસી ઉપવનમાં પ્રભુ આવે રે, અશોકવૃક્ષ નીચે શિલા ૫૨ આસન ઉચિત લગાવે રે. પરો Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- ઇન્દ્ર તૈયાર કરેલ સુદર્શના નામની પાલખીમાં બેસી પ્રભુ સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષ નીચે શિલા ઉપર પ્રભુ ઉચિત આસને વિરાજમાન થયા. /સા. કુટિલ, ઘૂર્ત વિલાસ-વાસ ગણ, કેશ-લોચ તે કરતા રે, તર્જી શણગાર, બની અણગાર તે મહાવ્રતો ઉચ્ચરતા રે. પરો૦ અર્થ – હવે પ્રભુ પાંચ ઇન્દ્રિયોના વિલાસને કુટિલ એટલે હઠીલા તથા ધૂર્ત એટલે ઠગરૂપ ગણી, માયાના કેશનો પંચ મુદ્ધિવડે લોચ કરે છે. વળી શરીરના સર્વ શણગારને તજી દઈ અણગાર એટલે મુનિ બની પંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરે છે. I૪. મોહજાલ સમ પટ પરિત્યાગે નગ્નભાવ ઉપાસે રે, કચ્છ-મહાકચ્છાદિ રાજા, નગ્ન બની રહે પાસે રે. પરો. અર્થ - પટ એટલે કપડાને મોહમાં ફસાવનાર જાલ સમાન માની પ્રભુ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે, તથા ભાવથી પણ નગ્ન એટલે અસંગ, અલિતદશાને ઘારણ કરે છે. કચ્છ મહાકચ્છ વિગેરે રાજાઓ પણ દીક્ષા લઈ નગ્ન બની પ્રભુની પાસે રહે છે. પાા પ્રદક્ષિણા દઈ નમન કરી સૌ. સુર-નર પાછા જાતા રે. મહામુનિ નિગ્રંથ બનીને ધ્યાન વિષે સ્થિર થાતા રે. પરો અર્થ :- પ્રભુને પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને સર્વ દેવો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને જાય છે. મહામુનિ એવા પ્રભુ ઋષભદેવ હવે નિગ્રંથ બની ધ્યાનમાં સ્થિર થાય છે. કા. છ માસની મન-મર્યાદાથી નિરાહાર તપ સાથે રે, ઊભા સ્વામી પ્રતિમા યોગે, આત્મહિત આરાધે રે. પરો અર્થ - પ્રભુ છ મહિનાની મનની મર્યાદા કરી નિરાહારપણે તપની સાધના કરે છે. જગતના સ્વામી પ્રતિમા સમાન મનવચનકાયાના યોગને સ્થિર કરી કાઉસગ્નધ્યાને ઊભા રહી પોતાના આત્માનું હિત કરવા આરાધના કરે છે. શા બીજા રાજા સહી શકે ના, વિષય-વશ બૅખ-દુઃખો રે, કહે: “પ્રભુ તો સહે, અહો હો! દુઃખો જાણે સુખો રે. પરો. અર્થ - બીજા દીક્ષા લીઘેલ રાજાઓ ઇન્દ્રિય-વિષયને વશ હોવાથી ભૂખના દુઃખો સહન કરી શકતા નથી. વળી કહે છે કે અહોહો! પ્રભુ તો દુઃખોને જ સુખો ગણી સહન કરે છે. તો પગ ના થાકે વજકાય એ, શીત-તાપ ના લાગે રે, બોલે, ચાલે, જુએ ન કાંઈ, સ્નાન, પાન સૌ ત્યાગે રે. પરો૦ અર્થ :- પ્રભુના પગ વજમય કાયા હોવાથી થાકતા નથી. તેમને ઠંડી કે તાપ લાગતો નથી. પ્રભુ બોલતા નથી, ચાલતા નથી કે કાંઈ જોતા પણ નથી. સ્નાન કે જળપાનનો પણ જેણે ત્યાગ કર્યો છે. શા રાત-દિવસ નિદ્રા ના લેતા, નથી કોઈની આશા રે, આવું તપ તો એ જ કરે રે! વનચર જુએ તમાસા રે.” પરો. અર્થ - પ્રભુ રાત્રે કે દિવસે નિદ્રા લેતા નથી. તેમને કોઈ પદાર્થની આશા નથી. આવું તપ તો એ Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨ ૩ જ કરી શકે. વનમાં રહેનારા જંગલી પ્રાણીઓ પણ પ્રભુની અડોળ સ્થિરતાનો તમાસો જુએ છે. ૧૦ના બઘા મળીને કરે વિચારો, શું કરવું ના સૂઝે રે, પ્રભુને વનમાં મેંકી એકલા, જવું ન મનમાં ઇંચે રે. પરો. અર્થ :- બીજા બઘા રાજાઓ જેણે પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તે મળીને વિચારવા લાગ્યા કે હવે શું કરવું? તે કાંઈ સૂઝતું નથી. પ્રભુને એકલા વનમાં મૂકીને જવું એ પણ મનમાં રુચતું નથી. ||૧૧| રોકી શકે ના હવે હાજતો, શું મુખ લઈ પુર જાવું રે, ભરત-ભૂપતિ-ભય પણ લાગે, વને વૃક્ષ સમ વસવું રે. પરો. અર્થ - પોતાની ખાવાપીવાની હાજતોને પણ તેઓ રોકી શકતા નથી અને કયા મોઢે હવે નગરમાં જવું? ત્યાં જતા ભરત રાજાનો પણ ભય લાગે છે. હવે તો વનમાં જ વૃક્ષની જેમ વાસ કરવો યોગ્ય જણાય છે. ૧૨ા. ભરત-પુત્ર મરીચિ આદિ તે, તાપસ-વશે ફરતા રે, કિંદમૂલ ભક્ષણ કરી જીવે, વલ્કલ, જટાદિ ઘરતા રે. પરો. અર્થ :- ભરત રાજાના પુત્ર મરીચિ આદિ દીક્ષા મૂકી દઈ તાપસનો વેષ ધારણ કરી જંગલમાં ફરવા લાગ્યા. ત્યાં કંદમૂળ, ફળાદિકનો આહાર કરી, વલ્કલ એટલે ઝાડની છાલ કપડા તરીકે પહેરી, જટાદિ ઘારણ કરી ત્યાં જ જીવન વ્યતીત કરવા લાગ્યા. [૧૩ કચ્છ-મહાકચ્છ તણા તનુજો, નમિ-વિનમિ બે નામે રે. વિનવે પ્રભુ પાસે જઈ પોતે, વદી ‘જય’ શબ્દ સકામે રે. પરો. અર્થ - કચ્છ મહાકચ્છ રાજાના નામવિનમિ નામના તનુજો એટલે પુત્રો પ્રભુ પાસે જઈ તેમનો જયકાર કરી તેમની પાસે સકામબુદ્ધિથી વિનયપૂર્વક કહેવા લાગ્યા. //૧૪ના “દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આવ્યા રે, રાજ્ય બઘાને દીઘાં આપે, અમને ના બોલાવ્યા રે. પરો. અર્થ - હે પ્રભુ! દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આપે બઘાને રાજ્ય વગેરે આપ્યા; પણ અમને તો તે વખતે બોલાવ્યા નહીં. ૧પના ગો-ખર માત્ર ન પૃથ્વી પામ્યા, શા દોષે વિસાર્યા રે? બોલો પણ નહિ શાને આજે? “નાથ” અમે મન ઘાર્યા રે.” પરો અર્થ :- હે પ્રભુ! ગોખરી એટલે ગાયના પગલા પ્રમાણ પણ અમે પૃથ્વી પામ્યા નહીં. અમારો એવો શો દોષ થયો કે જેથી આપ અમને ભૂલી ગયા? આજે પણ શા માટે બોલતા નથી? હે નાથ! અમે તો એક માત્ર આપને જ મનમાં ધારણ કર્યા છે. આપ વિના અમારો બીજો કોઈ સ્વામી નથી. II૧૬ના વારંવાર પગે પડી વિનવે : “આશ અમારી પૂરો રે, આપ જ એક અમારા સ્વામી, દુઃખ અમારાં ચૂરો રે.” પરો અર્થ:- વારંવાર પ્રભુના પગમાં પડી વિનવવા લાગ્યા કે હે પ્રભુ! અમારી આશા પૂરી કરો. આપ જ એક અમારા સ્વામી હોવાથી અમારા દુઃખોને ચૂરી સુખી કરો. |૧ળા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જિન-પુણ્ય-પરીક્ષા જાણે કરતા, શ્રદ્ધા ઘારી સેવે રે. આસન કંપે નાગરાજનું, જાય્ અવધિથી દેવે રે : પરો. અર્થ :- જાણે જિનેશ્વર ભગવાનના પુણ્યની પરીક્ષા કરતા હોય તેમ શ્રદ્ધાપૂર્વક ભાવથી ત્યાં જ ફરી તેમની સેવા કરવા લાગ્યા. તેથી નાગકુમારના અધિપતિ નાગરાજ ઘરોંદ્રનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનના બળે આ બધી હકીકત જાણી લીધી. II૧૮ાા “દેશપતિ દે ગામ માગતાં, ક્ષેત્રપતિ મણ કણ દે રે, ઘરપતિ દે માગણને મૂઠી, ત્રિભુવનપતિ શું ના દે રે? પરો. અર્થ :- દેશપતિ માંગતાને ગામ આપે, ક્ષેત્રનો માલિક મણ અથવા કણ આપે, ઘરનો પતિ માગતાને મૂઠી પણ ખાવાનું આપે, તો ત્રણ લોકનો નાથ શું ન આપી શકે? ૧૯ો. કુમાર બે માગે છે તે તો, આ કિંકર પણ આપે રે,” એમ ગણી આવે પ્રભુ પાસે, શિર પ્રભુ-પદમાં સ્થાપે રે; પરો. અર્થ :- આ નમિવિનમિ કુમારો પ્રભુ પાસે જે માગે છે તે તો કિંકર એટલે પ્રભુનો દાસ એવો હું પણ આપી શકું. એમ માની નાગરાજ ઘરોંઢે પ્રભુ પાસે આવી પ્રથમ પ્રભુના ચરણમાં શિર નમાવીને વંદન કર્યું. રા . સ્તવન કરી, કહે કુમારને તે “હે!નમિ, વિનમિ ચાલો રે, પ્રથમ પ્રભુએ મને કહેલા બે દેશો સંભાળો રે.” પરો. અર્થ - પ્રભુના ગુણોનું સ્તવન કરી ઘરëદ્ર કુમારોને કહ્યું : હે નમિ વિનમિ! ચાલો હું તમને પ્રભુએ મને પ્રથમ કહેલા દેશો આપું છું, તેની સંભાળ કરો. ર૧ એમ કહી વિમાન વિષે તે લઈ બન્નેને ચાલ્યા રે, વિદ્યાઓ આપી, વિદ્યાઘર-ગિરિ-પ્રદેશો આલ્યા રે. પરો. અર્થ :- એમ કહી તે બન્નેને વિમાનમાં બેસાડી વૈતાઢય પર્વત ઉપર ચાલ્યા. ત્યાં ગૌરી, પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ આપી તથા વિદ્યાઘર પર્વતોના પ્રદેશો પણ આપ્યા. ૨૨ા. વસાર્વી નગરો ઉત્તર-દક્ષિણ શ્રેણી વિદ્યાથરની રે, દેવ-મદદથી પાળે, પોષે; સુર-સુખ દેતી ઘરણી રે. પરો. અર્થ - ત્યાં વૈતાઢય પર્વત ઉપરની ઉત્તર-દક્ષિણ શ્રેણીમાં નાગપતિ ઘરોંદ્રની મદદથી વિદ્યાધરોના નગરો વસાવ્યા તથા પોતે વિદ્યાઘરોના રાજા બની તેનું પાલન પોષણ કરવા લાગ્યા. ત્યાંની ભૂમિ દેવતાના સુખ સમાન થઈ પડી. નમિરાજાએ દક્ષિણ શ્રેણીમાં પચાસ નગરો તથા વિનમિએ ઉત્તર શ્રેણીમાં સાઠ નગરો વસાવ્યા. ર૩ા. ઉગ્ર તપે પ્રભુ ઊભા ઊભા, સહે પરીષહ ભારે રે; મન:પર્યય સંયમથી ઊપજે, ગર્વ ન તેથી લગારે રે. પરો. અર્થ - પ્રભુ તો ઉગ્ર તપ તપતા ઊભા ઊભા ભારે પરીષહોને સહન કરે છે. પ્રભુને સંયમ ઘારણ કરતા મન:પર્યયજ્ઞાન ઊપસ્યું. તેનો લગાર માત્ર પણ તેમને ગર્વ નથી. રજા Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨ ૫ શીત, તાપ, વરસાદ, વીજળી, વાઘ, વરું ભયકારી રે, ભૂખ, તરસ, નિદ્રાદિ હાજતો અર્થ વર્ષ વિસારી રે. પરો. અર્થ :- પ્રભુએ છ મહિના સુધી ઠંડી, ગરમી, વરસાદ, વીજળી કે ભય ઉપજાવનાર વાઘ, વરુ એટલે હિંસક પ્રાણીનો પણ ભય રાખ્યો નથી. ભૂખ, તરસ, નિદ્રા આદિ હાજતો પણ અર્થ વર્ષ સુધી વિસારી દીધી. ગરપા પછી ચિંતવે : “દીવો તેલે, તરુ જળથી પોષાયે રે, આ કાયા આહારે ચાલે, ભિક્ષા-શુદ્ધિ સહાયે રે. પરો. અર્થ :- પછી ચિંતવા લાગ્યા કે દીવો તેલથી પ્રકાશ આપે, વૃક્ષ જળથી પોષણ પામે તેમ આ કાયા પણ આહારથી ચાલે છે. માટે શરીર ટકાવવા બેંતાલીશ દોષ રહિત શુદ્ધ આહારની ભિક્ષા લેવી યોગ્ય છે. શરીર મધ્યમ્ વસ્તુ ઘર્મ સાધનમ્'. શરીર છે તો ઘર્મની આરાધના થઈ શકે. પરવા તે માટે વસ્તીમાં ફરવું એક વખત મધ્યાહ્ન રે, દોષ-રહિત ભિક્ષા ના પામું, તો તપ થાશે ધ્યાને રે. પરો. અર્થ :- ભિક્ષા અર્થે એક વખત મધ્યાહ્નકાળે વસ્તીમાં ફરવું. તેમાં જો દોષરહિત શુદ્ધ ભિક્ષા ન મળી તો તપમાં વૃદ્ધિ થઈ એમ માની ધ્યાનમાં લીન થવું. રા હું તો હજીં ખેંચું તપ તોયે કાયા ચાલે તેવી રે, પણ મુનિ-માર્ગ તણી રીતિને હવે પ્રગટવા દેવી રે. પરો. અર્થ - હું તો હજી તપને લંબાવું તો પણ કાયા ચાલે તેવી છે. છતાં મુનિમાર્ગની આહારરીતિને હવે પ્રગટવા દેવી છે. જેથી તેમ કરવું યોગ્ય છે. ૨૮ શરીર સાઘન તપનું ટકતું મુનિજનનું આહારે રે, તપથી ઇંદ્રિય-જય, પછી સમતા, મોક્ષ એ જ આઘારે રે.” પરો. અર્થ - તપ કરવાનું સાઘન શરીર છે. તે મુનિજનનું આહારવડે ટકે છે. “ઇચ્છાનિરોઘરૂપ ઇચ્છાઓને રોકી નિર્મૂળ કરવામાં શરીર સાઘનભૂત છે. તપથી ઇન્દ્રિય જય થાય છે, પછી સમતા આવે છે. એ પ્રમાણે એક બીજાના આઘારથી જીવ મોક્ષને પામે છે. રા. મૌનપણે ભિક્ષાર્થે વિચરે, પ્રતિમાનયોગ તજીને રે, જગ-ઉપકારક ઋષભ જિનેશ્વર, સમિતિ-યોગ સજીને રે. પરો. અર્થ - પ્રભુ મૌનપણે પ્રતિમાચોગ એટલે કાઉસગ્ગ ધ્યાનનો ત્યાગ કરી ભિક્ષા મેળવવા અર્થે વિચરવા લાગ્યા. જગતના જીવોનો ઉપકાર કરવામાં સમર્થ એવા શ્રી ત્રઋષભ જિનેશ્વર પ્રભુ ચાલવા વગેરેમાં ઈર્ષા સમિતિ આદિ પૂર્વક વિચરવા લાગ્યા. ૩૦ નગરજનો નમીને બોલાવે : “સ્વીકારો મે'માની રે, અમ ઘર પગલાં જરૂર કરો પ્રભુ, પ્રીતિ-રીતિ પિછાની રે, પરો. અર્થ – ભિક્ષાર્થે વિચરતા પ્રભુને નગરજનો નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે પ્રભુ! અમારી મહેમાનગીરી સ્વીકારી અમને કૃતાર્થ કરો. આપ પ્રેમની રીત પિછાની અમ ઘેર પગલાં જરૂર કરો. ૩૧ાા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ આપે બહુ ઉપકાર કર્યા છે, રત્ન-ભેટ લ્યો મારી રે,” વસ્ત્ર, વાહનો અનેક ઘરતા, વળી કન્યા દે સારી રે. પરો = અર્થ :— આપે અમારા ઉપર બહુ ઉપકારો કર્યાં છે માટે આ રત્નોની ભેટ આપ સ્વીકારો. કોઈ ઉત્તમ વસ્ત્રો, હાથી, રથ વગેરે વાહનો તેમની આગળ બેસવા માટે ઘરવા લાગ્યા. વળી કોઈ દેવાંગના જેવી કન્યાને આપવા લાગ્યા. ।।૩૨। માળા, પાન-સોપારી આપે, પાકી કેરી દેતા રે, “શા અપરાધ અમારા દેખો? બોલો નહિ, નહિ લેતા રે !' પરો અર્થ :— કોઈ માળા, પાન-સોપારી આપે, કોઈ પાકાં આમ્રફળને આપવા લાગ્યા. હે સ્વામી! આપ પ્રત્યે અમારા શા અપરાધ થયા છે કે જેથી આપ બોલતા નથી અને કોઈ વસ્તુ પણ લેતા નથી. ।।૩૩ના અકલ્પ્ય જાણી કશું ન લેતા, ઘર ઘર નિત્ય ફરતા રે, બીજા માસ છ ભુખે વીત્યા, ગજપુર પછી વિચરતા રે. પરો અર્થ :– મુનિને કલ્પે નહીં એમ જાણી પ્રભુ કશું લેતા નથી. છતાં ઘર ઘર નિત્યે ફરતાં બીજા છ માસ ભૂખ સહિત વ્યતીત થઈ ગયા. પછી વિચરતા વિચરતા પ્રભુ ગજપુર નગરે આવ્યા. ।।૩૪।। બાહુબલિના સુત સોમપ્રભ, રાજ્ય કરે તે પુરે રે, તે રાત્રે શ્રેયાંસકુમારે સ્વપ્ન દીઠાં શુભ ઉરે રે, પરો અર્થ :- ગજપુર નગરમાં બાહુબલિના પુત્ર સોમપ્રભ રાજ્ય કરે છે. તે રાત્રે સોમપ્રભના પુત્ર શ્રેયાંસકુમારે શુભ સ્વપ્નો નિહાળ્યા. II૩૫।। પ્રભાતમાં તો પ્રભુ પધાર્યાં; લોક મળી વીનવતા રે, કોલાહલનું કારણ જાણી કુમાર દર્શન કરતા રે, પરો અર્થ :– પ્રભાતમાં પ્રભુ પધાર્યા. તેથી લોકો મળીને પ્રભુને અનેક વસ્તુઓ ભેટ આપવા માટે વિનવવા લાગ્યા. લોકોના કોલાહલનું કારણ પ્રભુ પધાર્યા જાણી તુરંત પ્રભુના દર્શન કરવા શ્રેયાંસકુમાર પણ ગયા. ॥૩૬॥ ગ્રંથાભ્યાસે બુદ્ધિ બુદ્ધિ જેવી જાતિ-સ્મૃતિ જાગે રે, શ્રીમર્સી-વજજંઘ આદિ ભવ, આ ભવ જેવા લાગે રે. પરો = અર્થ ઃ— જેમ ગ્રંથાભ્યાસ કરવાથી બુદ્ધિ ખીલે તેમ પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. શ્રેયાંસકુમારનો જીવ તે નિર્નામિકાનો જીવ છે. જેથી પૂર્વના શ્રીમતી અને વજંઘ આદિના ભવો તે આ ભવ જેવા લાગવા લાગ્યા. તેથી પ્રભુને શુદ્ધ આહાર માત્રની જરૂર છે તે પણ જણાયું. ।।૩૭ના શેરી-રસનું દાન સરસ દે, પ્રભુ પોશે સ્વીકારે રે, વર્ષીતપનું થયું પારણું, સુર આશ્ચર્ય વધારે રે. પરો અર્થ :— શ્રેયાંસકુમારે પ્રભુને કલ્પે એવું શેરડી ૨સનું ઉત્તમ દાન આપી સરસ પારણું કરાવ્યું. પ્રભુએ પણ શરીરના પોષણ અર્થે તે દાનનો સ્વીકાર કર્યાં. પ્રભુના વર્ષીતપનું એટલે એક વર્ષ સુધી થયેલ સળંગ તપનું પારણું થવાથી દેવતાઓએ ત્યાં સુવર્ણવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, જયજયકાર, દુંદુભિ અને દાતાની Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨૭ પણ સ્તુતિ કરીને ઘન્યવાદ આપી પંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. ૩૮. અક્ષયતૃતીયા દાન-દિન તે, હજીં પણ મંગલકારી રે, પ્રભુ વિહાર કરી ગયા બીજે પુર, કુમાર-કીર્તિ વઘારી રે. પરો. અર્થ - વૈશાખ માસની શુક્લ ત્રીજના દિવસે આપેલ દાનથી તે દિવસ અક્ષય થઈ ગયો. આજે પણ અક્ષયતૃતીયા તે દાનનો દિવસ હોવાથી મંગલકારી ગણાય છે. પ્રભુ પણ શ્રેયાંસકુમારની કીર્તિને વઘારી બીજા સ્થાને વિહાર કરી ગયા. ૩૯થા તક્ષશિલા બાહુબલિ-નગરી, આવ્યા સાયંકાળે રે, ખબર કરી બાહુબલિ નૃપને તુરત બાગ-રખવાળે રે. પરો. અર્થ :- તક્ષશિલા એ બાહુબલિની નગરી છે. ત્યાં સાયંકાળે પ્રભુ આવી પહોંચ્યા. તેની ખબર બાગના રખવાળે તુરંત બાહુબલિ રાજાને કરી. ૪૦|| પ્રજાજનો સહ જવા પ્રભાતે ઠાઠ-માઠથી ઘારે રે, પ્રભુ પ્રભાતે વિહાર કરીને બીજે ગામ પઘારે રે. પરો. અર્થ - શ્રી બાહુબલિ પ્રભુને વાંચવા માટે પ્રભાતે પ્રજાજનો સહિત ઠાઠમાઠથી જવા ઘારે છે. તેટલામાં તો પ્રભુ પ્રભાતે વિહાર કરીને વાયુની પેઠે બીજે ગામ વિહાર કરી ગયા. In૪૧ના પ્રજા સહિત ઉત્સાહ આવે, ઉજ્જડ બાગ નિહાળે રે, માળી બતાવે પ્રભુના પગલાં, શુભ લક્ષણ સહ ભાળે રે. પરો. અર્થ :- પ્રજા સહિત બાહુબલિ ઉત્સાહપૂર્વક પ્રભુને વાંદવા આવ્યા ત્યારે બાગને પ્રભુ વગર ઉજ્જડ નિહાળ્યો. માળીએ પ્રભુના પગલાં બતાવ્યા ત્યારે પ્રભુના શુભ લક્ષણો સહિત તે ચરણકમળને ભક્તિ સહિત તે જોવા લાગ્યા. II૪રા વિરહ-વેદના કહી ન જાતી, પોક મૂંકીને રૂએ રે, પ્રભુ-વિરહની દિશા બતાવી, ઊંચે ચઢીને જાએ રે. પરો. અર્થ :- બાહુબલિની અંતર વિરહવેદનાને તેઓ કહી ન શકતા પોક મૂકીને રડવા લાગ્યા. પ્રભુના વિહાર કર્યાની દિશા તેમને બતાવી તો ઊંચે ચઢીને જોવા લાગ્યા. કે જાણે પ્રભુ ક્યાં સુધી પહોંચ્યા છે. એવી પ્રભુપ્રત્યે તેમની અત્યંત ભક્તિ હતી. ૪૩ાા. નાખી નજર ના ક્યાંયે પહોંચે, શોક સમાય ના ઉરે રે, મંત્રી આદિ દે આશ્વાસન : “પ્રભુ ઉરે, નહિ દૂરે રે; પરો. અર્થ - દૂર નાખેલી નજર પણ પ્રભુને જોઈ શકી નહીં. પ્રભુ તો ઘણા દૂર ચાલ્યા ગયા હતા. તેથી તેમનો શોક હૃદયમાં સમાતો નહોતો. ત્યારે મુખ્યમંત્રી આદિએ આશ્વાસન આપતાં કહ્યું : પ્રભુ તો આપના હૃદયમાં છે, ક્યાંય દૂર નથી. ૪૪ પ્રભુનાં પગલાં ઉપર સ્મારક સુંદર આપ રચાવો રે, નિત્યપૂંજાનું સ્થાનક કરીને, ભક્તિ ભાવ જમાવો રે.” પરો. અર્થ :- પ્રભુના પડેલ પગલા ઉપર એક સુંદર સ્મારકની રચના કરો. નિત્યપૂજાનું સ્થાનક બનાવી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રભુ પ્રત્યે ભક્તિભાવ પ્રતિદિન વધે એવી યોજના કરો. ૪પા બાહુબલિને ગમી વાત તે, શરૂઆત કરી નાખી રે, ચરણબિંબ પર કોઈ ન ચાલે, એવી બુદ્ધિ રાખી રે, પરો. અર્થ - બાહુબલિને મંત્રીની આ વાત ગમી ગઈ અને સ્મારકની શરૂઆત કરી દીધી. પ્રભુના ચરણબિંબ ઉપર કોઈ ચાલી ન શકે એવી બુદ્ધિવડે યોજના કરી. II૪૬ાા. ઘર્મ-ચક્ર કરી દીધું સુંદર સૂર્ય-બિંબ સમ શોભે રે, પૂજા-રક્ષા કરનારા નિર્મા, પૂજે ભૂપ અક્ષોભે રે. પરો૦ અર્થ :- રત્નમય ઘર્મચક્રનું પ્રભુની ચરણ પ્રત્યાકૃતિ ઉપર સ્થાપન કર્યું. તે સુંદર હજાર આરાવાળું ઘર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય તેમ શોભવા લાગ્યું. તેની હમેશાં પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસોને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી. બાહુબલિ રાજા પણ ક્ષોભ રહિત થઈ તે ઘર્મચક્રની પુષ્પોવડે પૂજા કરવા લાગ્યા. ૪૭થી ભરતભૂપ શ્રેયાંસ-યશ સુણી, આવે તેની પાસે રે, કરે પ્રશંસા દાન-વિધિની, સુણી મુનિ-નિયમ પ્રકાશે રે. પરો. અર્થ - ભરતરાજા પણ શ્રેયાંસકુમારની પ્રશંસા સાંભળી તેની પાસે આવ્યા. તથા દાન-વિધિની પ્રશંસા કરી ત્યારે શ્રેયાંસકુમારે મુનિને દાન આપવાના નિયમો જે જાતિસ્મરણજ્ઞાનબળે જાણેલા તે સર્વ જણાવ્યા. ||૪૮માં સર્વ જનો ભક્તિસહ વિધિથી, દેતા દાન વિવેકે રે, દાનયોગ તો મળે કોઈને, ભાવ કરે બહુ, લેખે રે. પરો. અર્થ - દાનની વિધિ જાણવાથી હવે ભક્તિપૂર્વક સર્વ વિવેકસહિત દાન આપવા લાગ્યા. પ્રભુને દાન આપવાનો યોગ તો કોઈ વિરલાને મળે છે; પણ ઘણા જીવો તે નિમિત્તે ભાવ કરી શકે છે. કરેલા ભાવ પણ લેખામાં આવે છે. ૪૯ાા. પ્રભુ પણ કર્મ ઘર્મથી કાપે, પચીસ ભાવના ચિંતે રે, માતા સમ સંભારે સ્નેહે સમિતિ-ગુતિ નિશ્ચિતે રે. પરોઢ અર્થ :- પ્રભુ પણ કર્મને ઘર્મધ્યાનથી કાપવા લાગ્યા. પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે કુલ પચ્ચીસ ભાવના છે. તેમાં એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તેના ઉપર વ્રતી ધ્યાન રાખે છે. માટે પ્રભુ તેને ચિંતવવા લાગ્યા. ૧. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ : (૧) વચનગુપ્તિ (૨) મનગુતિ (૩) ઈર્યાસમિતિ (૪) આદાનનિક્ષેપણ સમિતિ તથા (૫) દેખી તપાસીને ભોજન કરવું તે. ૨. સત્યવ્રતની પાંચ ભાવનાઓ (૧) ક્રોઘનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે. (૫) શાસ્ત્રોક્ત વચન કહેવું તે. ૩. અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) શૂન્ય એકાંત જગ્યામાં રહેવું. (૨) ઉજ્જડ થયેલાં સ્થાનમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨૯ રહેવું. (૩) પોતે હોય ત્યાં બીજા આવે તો મનાઈ ન કરવી અથવા મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) શુદ્ધ ભિક્ષા દોષરહિત લેવી. (૫) સાઘર્મીઓ સાથે તકરાર કરવી નહીં. ૪. બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રીરાગ વર્ધક કથાનો ત્યાગ. (૨) સ્ત્રી અંગે નિરીક્ષણ ત્યાગ. (૩) ભોગવેલા ભોગોના સ્મરણનો ત્યાગ. (૪) કામોદ્દીપક પુષ્ટરસનો ત્યાગ. (૫) શરીર શૃંગારનો ત્યાગ. ૫. પરિગ્રહ ત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ : મનને ગમતા કે ન ગમતા પાંચ ઇન્દ્રિયોના પદાર્થોને પામી રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો તે. માતા સમાન સ્નેહપૂર્વક સમિતિ ગુણિને નિશ્ચિતપણે સંભારી પોતાના આત્માનું હિત કરવા લાગ્યા. ૫૦ નારી-કથા-દર્શન-સંસર્ગે મન સંયમ સંભારે રે, પૂર્વ-રતિ તર્જી નીરસ ભોજને, બ્રહ્મચર્ય દ્રઢ ઘારે રે. પરો. અર્થ :- વળી સ્ત્રી સંબંધી કથા. તેનું દર્શન કે સંસર્ગનો ત્યાગ કરી મનમાં હમેશાં સંયમને સંભારે છે, તથા પૂર્વ રતિક્રિડાની સ્મૃતિ તજી, નીરસ ભોજન કરી બ્રહ્મચર્યને દૃઢપણે પાળે છે. //૫૧૫ ઇન્દ્રિય-ઠગ તજી, પરમ પદાર્થે મનની વૃત્તિ વાળે રે, જ્ઞાનગમ્મતે મન ઋષિ રોકે, મન-ચંચળતા ટાળે રે - પરો. અર્થ :- ઇન્દ્રિયોરૂપી ઠગોને છોડી દઈ પરમપદાર્થ એવા આત્મઐશ્વર્યમાં મનની વૃત્તિને વાળે છે. મનની ચંચળતાને ટાળવા માટે ઋષિ એવા પ્રભુ જ્ઞાન ગમ્મતમાં પોતાના મનને રોકે છે. સાપરા “હે! મન-બાળક, નારી-ફૂપ-કૅપ પાસે રમવા ના જા રે, મોહ-સલિલે ડૂબી મરશે, એવી દોડ ભેલી જા રે. પરો. અર્થ - હે! મનરૂપી બાળક તું નારીના રૂપરૂપી કૂવા પાસે રમવા જઈશ નહીં. નહીં તો મોહરૂપી સલિલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. માટે એ તરફની દોડ હવે ભૂલી જા. //પ૩ના જીવાજીવ-વિચારે રમજે, ઇન્દ્રિય-રમત વિસારી રે, સંયમ-બાગે વ્રત-વૃક્ષોમાં, ધ્યાન-૨મત બહ સારી રે. પરો અર્થ - હે જીવ! આ ઇન્દ્રિયોની રમત હવે ભૂલી જઈ જીવ અને અજીવ તત્ત્વના વિચારમાં રમજે. સંયમરૂપી બાગ અને વ્રતરૂપી વૃક્ષોમાં આત્મધ્યાન કરવારૂપ રમત બહુ સારી છે. પ૪ પરિષહ-શ્રમ નહિ તને જણાશે પંચાચાર-રસે ત્યાં રે, શલ્યરહિત તપ શુદ્ધિ દેશે, સ્વરૂપ-સુખ મળે જ્યાં રે.” પરો. અર્થ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને રસપૂર્વક આરાઘવાથી તને પરિષહનો શ્રમ જણાશે નહીં. તથા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય રહિત તપ કરવાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થશે. જેથી પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું સુખ આવી મળશે. પપાા એમ વિચરતાં પૃથ્વી-તલ પર હજાર વર્ષો વીતે રે, કેવલ-શ્રી વરવા વરઘોડે જાણે ફરતા પ્રીતે રે. પરોઢ અર્થ - પ્રભુને આ પ્રમાણે પૃથ્વીતલ ઉપર વિચરતા એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા. પ્રભુ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને વરવા માટે જાણે વરઘોડે ચઢીને પ્રેમપૂર્વક ફરતા હોય તેમ જણાતું હતું. //પા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પુરિમતાલ પુરના ઉદ્યાને નિર્મલ, વિશાલ શિલા રે વડ નીચે દેખી પ્રભુ બેઠા, રચી ધ્યાનની લીલા રે-પરો અર્થ - પ્રભુ હવે અયોધ્યાના પુરિમતાલ નામના શાખાનગર એટલે પરામાં નંદનવન જેવા નિર્મળ ઉદ્યાનમાં વડ નીચે વિશાલ શિલા દેખી તેના ઉપર કાઉસગ્ગ ધ્યાનમાં વિરાજમાન થયા. પળા સંસારે સુખ અલ્પ ન લેખે, દુઃખ દીસે સુખ-શો રે, અલંકાર તનુ-ભાર, ખરેખર ! ગાયન રુદન-વિશેષો રે. પરો. અર્થ - પ્રભુને સંસારમાં સુખ અલ્પ પણ જણાતું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જણાય છે. સુખના વેષમાં પ્રભુને બધું દુઃખ દેખાય છે. ઉકળતા પાણીની જેમ ત્રણેય લોક ત્રિવિઘ તાપથી પ્રજવલ્લિત ભાસે છે. આભૂષણો શરીર ઉપર ભાર જણાય છે. ખરેખર! સંસારી જીવોના મોહગર્ભિત ગાયનો પ્રભુને, રડીને દુઃખ વ્યક્ત કરવાનો એક વિશેષ પ્રકાર જણાય છે. પટા. દેહ-ઘસારો કામ-વિકારો, જન્મ-મરણના હેતું રે; ગર્ભાવાસ ટળે જે ભાવે તે જ મોક્ષસુખ-કેતું રે. પરો. અર્થ :- કામ વિકારો પોતાના દેહનો ઘસારો કરાવનારા છે. જેમ કુતરું હાડકું ચાવે ત્યારે પોતાના મોઢામાંથી લોહી નીકળે, તેના જેવા ભોગો છે. તે ભોગોને ભોગવતાં વિશેષ આસક્તિ થવાથી નવા જન્મમરણ ઊભા કરવાના કારણ છે. પણ જે ભાવવડે ગર્ભાવસ ટળે તે ભાવ જ મોક્ષસુખના કેતુ એટલે નિશાનરૂપ છે. આપણા કર્મરહિત નિરંજન-આત્મા, સિદ્ધ સમાન વિચારે રે, સમ્યભાવે મોક્ષ-ઉપાયે અપ્રમત્ત મન ઘારે રે. પરો. અર્થ :- પછી પ્રભુ કર્મરહિત નિરંજન આત્માને સિદ્ધ સમાન વિચારે છે. એમ સમ્યભાવોવડે મોક્ષનો ઉપાય વિચારતાં પ્રભુ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં મનને સ્થિર કરે છે. (૬૦ાા મોહ-ક્ષય કરી, ઘાતી કર્મ સૌ, ક્ષણમાં ક્ષય જ્યાં કરતા રે, લોક-અલોક-પ્રકાશક રવિ સમ, જ્ઞાન પરમ તે વરતા રે. પરો. અર્થ – હવે શ્રેણી ચઢવારૂપ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આરૂઢ થઈ પૃથક્વવિતર્કસવીચાર નામના શુક્લધ્યાનના પહેલા પાયાને પામ્યા. ત્યારબાદ અનિવૃત્તિ બાદર નામના નવમાં ગુણસ્થાનકમાં આવી વેદોદયનો ક્ષય કર્યો. પછી દશમાં સૂક્ષ્મસાપરાય ગુણસ્થાનકને પામી ત્યાં રહેલા અત્યંત સૂક્ષ્મ સંજવલન લોભ કષાયને ક્ષણવારમાં હણી એકત્વવિતર્કઅવીચાર નામના શુક્લધ્યાનના બીજા પાયાને પામ્યા. જેથી ક્ષણવારમાં મોહનીયકર્મનો ક્ષય કરી સીથા બારમા ક્ષીણમોહગુણસ્થાનકમાં આવ્યા. આ ગુણસ્થાનકના અંતમાં ક્ષણવારમાં બીજા ઘાતીયાકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો જ્યાં ક્ષય કર્યો કે સૂર્ય સમાન લોકાલોક પ્રકાશક એવા ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પ્રભુ પામ્યા. I૬૧ાા. ઇન્દ્રાસન કંપે સ્વર્ગે પણ, સુરત-શાખા નાચે રે, જાણે હર્ષે વર્ષે પુષ્પો, ગગન પુરાય અવાજે રે. પરો. અર્થ :- પ્રભુને કેવળજ્ઞાન થવાથી સર્વ ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. કલ્પવૃક્ષની શાખાઓ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫૩ ૧ પણ નાચવા લાગી. જાણે હર્ષથી પુષ્પો વર્ષવા લાગ્યા. દેવતાઓને બોલાવવા માટે દેવલોકમાં રહેલી સુંદર શબ્દવાળી ઘંટાઓ વાગવા લાગી, જેથી આકાશ પણ અવાજથી પુરાઈ ગયું. કરા. અવધિજ્ઞાને ઇન્દ્ર વિચારે, જ્ઞાન-મહોત્સવ કાજે રે, સૌ દેવો સહ હર્ષે આવે, શોભા દિવ્ય વિરાજે રે. પરો. અર્થ :- અવધિજ્ઞાનથી ઇન્દ્ર વિચાર્યું કે આ બધું પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવના કારણે થઈ રહ્યું છે. તેથી તે સર્વ દેવો સાથે સહર્ષ આવવા લાગ્યા. આકાશમાં દિવ્ય શોભા પથરાઈ ગઈ. ૬૩ના ઋષભ જિનેશ્વર દર્શન કાજે, સ્પર્ધા દેવો કરતા રે, અન્ય વિમાન ઘસાતાં મળીના ડાઘા મૃગસમ ઘરતા રે. પરો. અર્થ - ઋષભ જિનશ્વરના દર્શન માટે દેવો સ્પર્ધા કરવા લાગ્યા કે જાણે હું પહેલો પહોંચે. જેથી વિમાન એક બીજાને ઘસાતાં તેના ઉપર હરણના આકાર જેવા ડાઘા પડી ગયા. //૬૪ll ચંદ્ર-વિમાને હજીં પણ દેખો, જિન-જાત્રાએંઘાણી રે, શ્યામ રંગ પણ ગર્વે ઘારે, ઘર્મ-ભાવના જાણી રે. પરો. અર્થ - ચંદ્રના વિમાનમાં હજી પણ આ જિનયાત્રાની એંધાણી છે. ચંદ્રમાના વિમાનમાં હરણના આકારે જે શ્યામ રંગ દેખાય છે તે આ છે. પણ તેને આજે પણ દેવોની ઘર્મભાવનાની નિશાની જાણી ગર્વથી તે હરણનો આકાર ઘારી રાખ્યો છે; પણ ભૂસ્યો નથી. ૬પા. સમવસરણ-૨ચના સુર કરતા, ચમત્કાર-ભરી કેવી રે! કનક-રત્નની કરી ગૂંથણી, સુખકર જોવા જેવી રે. પરો. અર્થ :- સમવસરણની રચના દેવો ચમત્કાર ઉપજાવે તેવી કરે છે. સોનામાં રત્નોની એવી ગૂંથણી કરે છે કે જે આત્માને સુખકર તથા જોવા જેવી હોય છે. I૬૬ાા પૂર્વાભિમુખ પ્રભુ બિરાજ્યા, દીસે સર્વ દિશામેં રે, રચના દેવો એવી કરતા, જાણે પ્રભુ છે સામે રે. પરો. અર્થ - સમવસરણમાં પ્રભુ પૂર્વદિશા સન્મુખ બિરાજમાન થયા. પણ દેવોએ બીજી ત્રણેય દિશાઓમાં પ્રભુની પ્રત્યાકૃતિની એવી રચના કરી કે જેથી સર્વ દિશાઓમાં પ્રભુ અમારી સામે જ છે એમ બઘાને લાગ્યું. ૬ના ફાગણ વદ અગિયારસ દિને જ્ઞાન-કલ્યાણક કરતા રે; સુર, નર, પશુ એકત્ર મળી ત્યાં, હર્ષ ઉરે અતિ ઘરતા રે. પરો. અર્થ - ફાગણ વદ અગિયારસના દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે પ્રાતઃકાળમાં પ્રભુને ત્રણેય કાળને જણાવનારું કેવળજ્ઞાન કલ્યાણક થયું. હવે સમવસરણમાં પ્રભુની સમક્ષ દેવતાઓ, મનુષ્યો તથા પશુઓ બઘા એકત્ર મળી પ્રભુની વાણી સાંભળીને હૃદયમાં અતિ હર્ષને ઘારણ કરવા લાગ્યા. અને જીવનને ઘન્ય માનવા લાગ્યા. I૬૮ાા. કષાય શમાવી, જાતિ-વેર તાઁ સૌ શાંતિ ઉર ઘારે રે, મૂંગ-મૃગપતિ, નકુલ-નાગ ત્યાં ભય તજીં, બેસે હારે રે. પરો. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પ્રભુના અતિશયથી સર્વ જીવો કષાય શમાવી, જાતિવેરને ભૂલી જઈ, શાંતિ હૃદયમાં ઘારી સર્વ સમવસરણમાં બેઠા છે. હરણ અને સિંહ, નકુલ એટલે નોળિયો અને સાપ, બઘા એક બીજાનો ભય તજી સાથે જ બેઠા છે. II૬૯યા. ભરત ભૂપને મળે સામટા સમાચાર ઉત્સવના રે - કેવળજ્ઞાન પિતા પામ્યાના, ચક્ર-પુત્ર-પ્રસવના રે. પરો. અર્થ :– ભરતરાજાને ઉત્સવના બઘા સામટા સમાચાર મળે છે. ૧. તો પિતા શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પામ્યાના, ૨. ચક્રરત્ન ઉત્પન્ન થયાના તથા ૩. પુત્ર જન્મના સમાચાર સાથે મળ્યા. ૭૦ના પ્રથમ મહોત્સવ શાનો કરવો? તે માટે વિચારે રે, ઘર્મ-કર્મથી સૌ સંપત્તિ, ચક્રાદિક પ્રકારે રે. પરો. અર્થ - હવે પ્રથમ મહોત્સવ શાનો કરવો? કેવલજ્ઞાનનો, ચક્રનો કે પુત્ર જન્મનો. તે માટે વિચાર કરતાં જણાયું કે થર્મકાર્યથી જ સર્વ ચક્રાદિ સંપત્તિ મળે છે. માટે પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનનો જ મહોત્સવ કરવો યોગ્ય છે. I૭૧ાા પુત્ર-કલત્રે ઘર્મ ભેંલે તે, તરુ છેદી ફળ ખાતા રે, મોહ-બળે વિચાર ઊગે ના, ભજવા પ્રભુ પ્રખ્યાતા રે. પરો. અર્થ - કલત્ર એટલે સ્ત્રી પુત્રાદિ નિમિત્તે જે ઘર્મને ભૂલે તે વૃક્ષને છેદી નાખી ફળ ખાવા જેવું કરે છે. મોહના બળથી જીવને સવિચાર ઊગતા નથી. પણ સૌ પ્રથમ જગત પ્રસિદ્ધ એવા પ્રભુને જ ભજવા જોઈએ. I૭રા અયોધ્યાવાસી સર્વ જનો સહ ભરત ગયા પ્રભુ પાસે રે, સમવસરણ-જીવ-જલજ રવિ-પ્રભુ નીરખે સૌ ઉલ્લાસે રે. પરો. અર્થ - અયોધ્યાવાસી સર્વ જનો સાથે ભરત રાજા પ્રભુ પાસે ગયા. ત્યાં સમવસરણરૂપી સરોવરમાં બેસી, જીવરૂપી જલજ એટલે કમળો, પ્રભુરૂપી સૂર્યને ઉલ્લાસથી નીરખવા લાગ્યા. ૭૩ના શશ સમ છત્ર ત્રણ શિર શોભે, સેવે પદ ઇન્દ્રાણી રે, ચોસઠ ચમર ઇન્દ્રગણ વીંઝે, ઋદ્ધિ ન જાય વખાણી રે. પરો. અર્થ - ચંદ્રમા સમાન ત્રણ છત્ર પ્રભુના શિર ઉપર શોભે છે. ઇન્દ્રાણી પ્રભુના ચરણકમળને સેવે છે. ચોસઠ ઇન્દ્રો પ્રભુને ચામર વીંઝે છે. એવી પ્રભુની અદ્ભુત ઋદ્ધિના વખાણ થઈ શકે એમ નથી. II૭૪ો. દઈ પ્રદક્ષિણા ભરત ભૂપ તો વંદન કરીને સ્તવતા રે: “અહોભાગ્ય અમારાં કે પ્રભુ, રહ્યા આજ લગી જીંવતા રે. પરો. અર્થ - પ્રભુને પ્રદક્ષિણા દઈ ભરત રાજા તો વંદન કરી પ્રભુના ગુણોની સ્તવના કરવા લાગ્યા કે અહોભાગ્ય અમારા કે પ્રભુ આજ લગી જીવતા રહ્યા છે. II૭પણા જાણે આજે સિદ્ધ થયો હું, પરમાનંદ ન માતો રે, નિરુપમરૂપે તમને દીઠા, સફળ કંઠ ગુણ ગાતો રે. પરો. Page #135 -------------------------------------------------------------------------- ________________ આયડમાં ફ્રી છાપ ઉદાર ૯૭[[ol ની પ્રતિષ્ઠા Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૩ અર્થ - જાણે આજે હું સિદ્ધ બની ગયો. કેમકે પરમાનંદ મારા હૃદયમાં સમાતો નથી. કોઈની પણ ઉપમા આપી ન શકાય એવા નિરુપમ સ્વરૂપે આજે મેં આપને જોયા. આપના ગુણગાન કરવાથી મારો કંઠ પણ આજે સફળ થઈ ગયો. //૭૬ાા. કૃતકૃત્ય આ ચરણ થયા જે, આપ સમીપે લાવ્યા રે, નયન સફળ આ પ્રભુ-દર્શનથી, કર સેવામાં આવ્યા રે. પરો. અર્થ - આ મારા ચરણ પણ કૃતકૃત્ય થઈ ગયા છે અને આપના સમીપે લાવ્યા. નયન પણ પ્રભુદર્શનથી સફળ થયા તથા કર એટલે હાથ પણ પ્રભુ સેવામાં આવવાથી સફળતાને પામ્યા. ૭ળા ઝીલે કર્ણ જે ધ્વનિ દિવ્ય તે ઘન્ય ઘન્ય! અતિ ગણવા રે, વાણી સુણી સદા વખાણે પ્રશસ્ત તે પણ ભણવા રે. પરો અર્થ - જે કર્ણ એટલે કાન આપની દિવ્ય ધ્વનિને ઝીલે તેને અત્યંત ઘન્ય ઘન્ય ગણવા યોગ્ય છે. તથા આપની વાણી સુણીને જે તેના સદા વખાણ કરે તે ભાવોને પણ પ્રશસ્ત એટલે શુભ કહેવા યોગ્ય છે. ભગવાનની વાણી એ જ સરસ્વતી છે. ૭૮. નામ રટે તુજ તે જીંભ સાચી, તુજ સન્મુખ મુખ સાચું રે, કૃતકૃત્ય મન તે હું માનું, જે તુજ પદ-કજ રાચ્યું રે. પરો. અર્થ – હે પ્રભુ! તારું નામ રટે તે જ જીભ સાચી. તારા સન્મુખ જેની દ્રષ્ટિ છે તે મુખ પણ સાચું. હું તે મનને જ કૃતકૃત્ય માનું કે જે તારા ચરણકમળમાં સદા તલ્લીન રહે છે. I૭૯ના તમને ધ્યાવે તે જ યોગ છે, કવિ જે સ્તવતા તમને રે, સૂર ખરા જે ભક્તિ-રાગી, શિર જે ઝુકે નમને રે. પરો. અર્થ - તમારું જે ધ્યાન કરે તે જ સાચો યોગી. જે તમારી સ્તવના કરે તે જ સાચો કવિ. ખરા દેવતાઓ પણ તે જ કે જે આપના પ્રત્યે ભક્તિ-રાગી છે તથા જેમના શિર આપના ચરણમાં નમન અર્થે ઝૂકે છે. ૮૦ના તુજ વચનો માને તે મુનિ, નમસ્કાર તે સહુને રે, તુજ શરણે જીવે તે જીવો, વરશે મુક્તિ-વહુને રે.” પરો. અર્થ - તારા વચનોને સંપૂર્ણપણે માની જે જીવન જીવે તે જ મુનિ. તે સહુ સાઘકોને મારા નમસ્કાર હો. તારું શરણ સ્વીકારી તારી આજ્ઞાનુસાર જે જીવન જીવે છે તે અવશ્ય મુક્તિરૂપી સ્ત્રીને પામશે. I૮૧ાા. નમસ્કાર કરી ઇન્દ્ર સમીપે જઈ નરેન્દ્ર બિરાજે રે, ઋષભ જિનેશ્વર કરુણા કરીને વધતા જગજન કાજે રે પરો. અર્થ – ઉપર પ્રમાણે પ્રભુની સ્તુતિ કર્યા પછી નમસ્કાર કરીને નરોમાં ઇન્દ્ર સમાન ભરત ચક્રવર્તી ઇન્દ્ર પાસે જઈ બિરાજમાન થયા. ત્યારબાદ શ્રી ત્રઋષભ જિનેશ્વર પ્રભુ કરુણા કરીને હવે જગત જીવોના કલ્યાણ અર્થે દેશના આપવા લાગ્યા. ૮રા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “જીવ અજીંવ બે તત્ત્વો મુખે, વિશ્વ વિષે, ઉર ઘારો રે, યોગ અનાદિ કર્મ કૅપે પણ, સ્વરૂપ શુદ્ધ વિચારો રે.” પરોપકાર-કારક પરમાત્મા વદતા જન-જન કાજે રે.... અર્થ :- આ વિશ્વમાં જીવ અને અજીવ એમ બે તત્ત્વો મુખ્ય પણે છે. તેને હૃદયમાં ઘારણ કરો. અનાદિકાળથી પુદ્ગલ દ્રવ્યનો યોગ જીવ સાથે છે. તે કર્મના કારણે છે. પણ જીવ દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચયનયથી જોતાં શુદ્ધ છે. તેનો વિચાર કરો. નિષ્કારણ પરોપકારને કરવાવાળા પ્રભુ માત્ર આ વાણી જગત જીવોના કલ્યાણ અર્થે કહે છે. I૮૩ “એક દેહ દેખાતો તેમાં ષટું તત્ત્વો નિહાળો રે, સર્વવ્યાપી આકાશ વસે ત્યાં, દેહવ્યાપી જીંવ ભાળો રે. પરો. વ. અર્થ :- આપણને એક દેહ જ દેખાવા છતાં તેમાં છ તત્ત્વો રહેલા છે તે નિહાળો. આકાશતત્ત્વ સર્વ વ્યાપી હોવાથી તે આ દેહમાં પણ વ્યાપેલ છે. તેમ જીવ પણ આ દેહમાં વ્યાપેલો છે એમ જાણી એ વાતને હૃદયમાં નક્કી કરો. ૮૪. જીવ એકલો જાણી શકતો, પાંચ અજીવ પ્રમાણો રે, ઘર્મ-અથર્મ ગતિ-સ્થિતિ-હેતુ, પુદ્ગલ મૂર્તિક જાણો રે. પરોપકાર-કારક પરમાત્મા વદતા જગ ઉદ્ધરવા રે.. અર્થ :- જીવ દ્રવ્ય એકલું જ સર્વ જાણી શકે છે. તે સિવાયના પુદ્ગલ, ઘર્મ, અઘર્મ, આકાશ તથા કાલ દ્રવ્ય અજીવ તત્ત્વો છે, તે વિચારી પ્રમાણભૂત કરો. ઘર્માસ્તિકાય અને અઘર્માસ્તિકાય એ દ્રવ્યો માત્ર ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં કારણભૂત છે. તથા છએ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય એક જ મૂર્તિક એટલે રૂપી દ્રવ્ય છે, બાકી બધા અરૂપી દ્રવ્ય છે. પરોપકારને કરવાવાળા એવા આ પ્રભુ માત્ર જગત જીવોના ઉદ્ધાર માટે આ વાણી ઉપદેશે છે. ૧૮પા વર્તન-હેતું કાલ સમજવો; દ્રવ્ય છ કાયા-ભાંડે રે, સ્વરૃપ લોકનું આ સંક્ષેપે, પિંડે તે બ્રહ્માંડે રે. પરો. વ. અર્થ :- દરેક દ્રવ્યના પરિવર્તનનું કારણ કાલ દ્રવ્ય છે એમ સમજવું. છએ દ્રવ્ય આ કાયારૂપી ભાંડ એટલે વાસણમાં રહેલા છે. લોકનું સંક્ષેપમાં આ સ્વરૂપ છે. પિંડ એટલે શરીરમાં છએ તત્ત્વો છે તે જ બ્રહ્માંડ એટલે આખા વિશ્વમાં પથરાયેલા છે. ૧૮૬ાા ક્ષીર-નીર સમ સેળભેળ એ; નાશ ન પામે કોઈ રે, ચેતન જડ કે જડ ચેતનફૅપ થાય ન, સ્થિતિ જોઈ રે. પરો. વ. અર્થ - દુઘ અને પાણીની જેમ એ દ્રવ્યોનો સેળભેળ છે. કોઈ દ્રવ્ય કે તત્ત્વ કદી નાશ પામતું નથી. તે પોતાના સ્વભાવને છોડતું નથી. માટે ચેતન એવો આત્મા કદી જડ થાય નહીં. અને જડ એવું પુદ્ગલ કદી ચેતનરૂપ થાય નહીં. એવી દ્રવ્યની સ્થિતિ ભગવંતે કેવળજ્ઞાનવડે જોઈ છે. આટલા પુદ્ગલ-પુંજ-સંગથી ભૂલ્યો, ભટકે જીવ અજાણ્યો રે, જ્ઞાને દેહ દેખી, પોતાને મોહે તે રૃપ માન્યો રે. પરોવ. Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૫ અર્થ :- કર્મરૂપી પુદગલ સમૂહના સંગથી આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી, અનાદિકાળથી અજ્ઞાનવશ ચારગતિમાં ભટક્યા કરે છે. જીવના જાણપણાના જ્ઞાનગુણને લીધે આ દેહને દેખી, મોહે એટલે વિપરીત જ્ઞાનના કારણે આ દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. એ જ જીવનું અજ્ઞાન છે. //૮૮ાા. દેહાધ્યાસે દેહ-સુખાદિ, શોથે જીવ અનાદિ રે, દેહ વેદના-મૂર્તિ માનો, દે ક્ષણિક સુખાદિ રે. પરોવ૦ અર્થ - આપણો આત્મા અનાદિકાળના દેહાધ્યાસને લીધે આ દેહને કેમ સુખ ઊપજે તેના કારણોને જ શોધ્યા કરે છે. પણ આ દેહને વેદનાની મૂર્તિ માનો, કેમકે રોગ વૃદ્ધાવસ્થાને રહેવાનું સ્થાન આ દેહ જ છે, તથા મળમૂત્રની ખાણ છે. આ દેહ જીવને શાતાવેદની કે અશાતા વેદનીના ક્ષણિક સુખ દુઃખાદિને આપનાર છે. ૮૯ો. સદ્ગુરુ-સેવાયોગે, બોથે, મોહ-જોર હઠી જાતું રે, વિપર્યાસ અનાદિ ટળતાં, સ્વરૅપ શુદ્ધ સમજાતું રે. પરો. વ. અર્થ :- સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાનો યોગ બનતા તથા તેમના બોઘથી દર્શનમોહનું જોર હઠી જાય છે. તેથી અનાદિકાળનું વિપર્યાસ એટલે વિપરીતપણું ટળી જઈ જીવને પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. ૯૦ગા. પરને પર જાણ્યું પર-સુખની ઇચ્છા સહજે છૂટે રે, દુઃખદાય જો યથાર્થ જાણે, વ્યર્થ કોણ શિર ફૂટે રે? પરો. વ૦ અર્થ - જ્ઞાની પુરુષના બોઘે જ્યારે આત્મા સિવાય બીજું બધું પર જણાય છે ત્યારે દેહાદિ પરવસ્તુમાં સુખની કલ્પના સહજે છૂટી જાય છે. જો શરીરાદિમાં મારાપણું કરવું એ ખરેખર દુઃખદાયી છે એમ જો જણાય તો વ્યર્થ તે શરીરાદિના સુખ માટે કોણ માથા ફોડી કરે? કોઈ ન કરે. II૯૧ાા જન્મ-જરા-મરણાદિક દુ:ખો મોહ-વશે જીંવ વેઠે રે, જીવ નિરંતર રાગ-દ્વેષથી દુઃખી, કેદી પેઠે રે. પરો. વ૦ અર્થ :- જન્મ જરા મરણાદિના દુઃખો આ જીવ માત્ર મોહને વશ થઈ વેઠે છે. પરપદાર્થો અર્થે નિરંતર આ જીવ રાગદ્વેષ કરી કેદીની પેઠે કર્મોથી બંઘાઈને ચાર ગતિમાં દુઃખી થયા કરે છે. II૯૨ા. ચારે ગતિમાં દુઃખો દેખો, ક્યાંય નથી સુખી આત્મા રે, મુક્ત-દશામાં સુખ નિરંતર પામે છે પરમાત્મા રે. પરોવ અર્થ - ચારે ગતિમાં જીવ માત્ર દુઃખોને ભોગવે છે; તેનો વિચાર કરો. આ સંસારમાં આત્મા ક્યાંય સુખી નથી. કોંથી સંપૂર્ણ મુક્ત થયેલ દશામાં નિરંતર સુખ છે. તે નિરંતર સુખમયદશાને પરમાત્મા પામે છે. II૯૩ા. નરક દુઃખ સમ ગર્ભવાસે મુક્ત જીવ નહિ પેસે રે, આધિ, વ્યાધિ, ઉપાધિ ત્યાં ના, જરા-મરણ નહીં લેશે રે. પરોવ. અર્થ - નરકના દુઃખ સમાન ગર્ભાવાસ છે. કમોંથી મુક્ત થયેલ જીવ ફરી ગર્ભમાં જન્મે નહીં. મોક્ષમાં આધિ, વ્યાધિ કે ઉપાધિ નથી. તથા જરા કે મરણના દુઃખ પણ લેશ માત્ર ત્યાં નથી. ૯૪l Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ પરમાનંદ સતત શાશ્વતો, રવિ સમ કેવળજ્ઞાની રે, સિદ્ધિમાં સિદ્ધો બિરાજે, તહીં મણા છે શાની રે?૫૨ો વ અર્થ :— મોક્ષમાં નિરંતર શાશ્વતો પરમાનંદ છે. સૂર્ય સમાન કેવળજ્ઞાની જગતના પ્રકાશક છે. સિદ્ધિ એટલે મોક્ષમાં સર્વ સિદ્ધ ભગવંતો બિરાજે છે. તેમના સુખમાં કોઈ મણા નથી. ।।૯૫।। મોક્ષમાર્ગ શ્રદ્ધાથી પ્રગટે સમ્યગ્દર્શન નામે રે, આત્મિક સુખ જીવ અનુભવે ત્યાં, જ્ઞાન સત્ય ત્યાં પામે રે, ૫૨ો વ અર્થ :- ‘સચવર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' એ મોક્ષમાર્ગ સદેવગુરુધર્મના કહ્યા પ્રમાણે જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવાથી પ્રગટે છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. તે વડે જીવ આત્માના સુખને અનુભવે છે. તેથી તેનું જ્ઞાન પણ સમ્યક્ષજ્ઞાને પામે છે. કા સત્પ્રદ્ધાનાં પાંચ લક્ષણો લહે ભવ્ય નરનારી રે - - શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, "અનુકંપા દે તારી રે, પો॰ વ = અર્થ :- સશ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન પામવાના આ પાંચ લક્ષણો છે. તેને ભવ્ય એવા નરનારીઓ મેળવે છે. તે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા નામે છે. એ લક્ષણો જીવને સંસાર સમુદ્રથી તારનાર છે. એનું સંક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે. ।।૭। અનંતાનુબંધી ક્રોધાદિક શમતાં 'શમ ગુણ આવે રે, ઘણા ōવો ત૨તા તે માર્ગે દ્વેષાદિ ના લાવે રે. પરો વ૦ અર્થ :- અનંતાનુબંઘી ક્રોધાદિ કષાયનું શમન થતાં શમગુણ આવે છે. એ કષાયના શમનવડે ઘણા જીવો તરે છે. પછી કોઈ પ્રત્યે દ્વેષાદિ ભાવ લાવતા નથી. ।।૮। માત્ર મોક્ષ-અભિલાષા પોષે, તે 'સંવેી વખાણો રે, પરિભ્રમણથી થાક્યો ત્યારે, નિર્વેદે જૈવ જાણો રે. ૫૨ો વ અર્થ ઃ— જે માત્ર મોક્ષ અભિલાષને પોષે છે, તેને સંવેગી જીવો જાણો. ચાર ગતિમાં પરિભ્રમણ : કરતા થાક્યો હોય ત્યારે હે જીવ ઘણી થઈ, હવે થોભ, એમ પોતાના આત્માને કહેવું તે નિર્વેદ અથવા ભવે ખેદ છે. ।।૯૯લ્લા પરમ નિઃસ્પૃહ જનનાં વચને તલ્લીનતા તે આસ્થા રે; ભવ-દુઃખે ડૂંબતા જીવોની કરુણા-પાત્ર અવસ્થા – પરો વ અર્થ :— પરમ નિઃસ્પૃહ પુરુષના વચનમાં તલ્લીનતા તે 'આસ્થા'. સંસારમાં ડૂબતા જીવોની કરુણા પાત્ર અવસ્થા દેખી દયા આવવી તે અનુકંપા છે. ।।૧૦૦૦ દેખી, ઉપાય શોધી આઠરે, અનુકંપા તે જાણો રે, સ્વ-૫૨ દયા દિલમાં રાખે તે તારે, તરી પ્રમાણો રે. ૫૨ો વ અર્થ :– જીવોની ઉપરોક્ત દશા દેખી, તેના ઉપાય શોધી તેનું દુઃખ દૂર કરે તે અનુકંપા જાણવી. સ્વઆત્માની કે પર આત્માની દયા દિલમાં રાખે તે પોતે તરે અને બીજાને પણ તારી શકે છે. ૧૦૧।। Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૭ સમ્યગ્દર્શન તણા પ્રતાપે, જ્ઞાન-દોષ દૂર થાતો રે, કુશ્રુત આદિ સુશ્રુત બનતાં, મોક્ષમાર્ગ સમજાતો રે. પરો. વ૦ અર્થ - સમ્યગ્દર્શનના પ્રતાપે, જ્ઞાનમાં વિપરીતતારૂપ દોષ હોય તે દૂર થાય છે. તેથી કશ્રત એટલે મિથ્યાજ્ઞાન આદિ સુશ્રુત બનતાં જીવને મોક્ષમાર્ગ સમજાય છે. ૧૦૨ાા વિપરીત વર્તન પણ પલટાતું, સવ્રત આદિ આવે રે, સર્વ-સંગ-પરિત્યાગ કરી તે સિદ્ધ-ભાવના ભાવે રે. પરો. વ. અર્થ :- સમ્યગ્દર્શનવડે વિપરીત વર્તન પણ પલટાઈ જાય છે અને સુવ્રત આદિ જીવનમાં આવે છે. પછી સર્વસંગ પરિત્યાગ કરી તે સિદ્ધ બનવાની ભાવનાને ભાવે છે. ||૧૦૩ જીંવતા સુઘી પાંચ મહાવ્રત મુમુક્ષુ મુનિ પાળે રે, ત્રસ કે સ્થાવર જીવ હણે ના ર્જીવન "અહિંસક ગાળે રે. પરોવળ અર્થ – જીવતા સુધી મુમુક્ષુ એવા મુનિ પંચ મહાવ્રત પાળે છે. ત્રસ કે સ્થાવર જીવોને હણે નહીં. તથા સંપૂર્ણ અહિંસક જીવન તે ગાળે છે. તે ૧૦૪ો. પ્રિય, હિતકારી, મિત, અહિંસક, ‘સત્ય વચન મુનિ બોલે રે, આપ્યા વિના કાંઈ ન લેતા, વ્રત અચૌર્ય તે પાળે રે. પરો. વ૦ અર્થ - પ્રિય, હિતકારી, મિત એટલે માપસર તથા અહિંસક, સત્ય વચન મુનિ બોલે છે. એ એમનું સત્ય મહાવ્રત છે. તથા આપ્યા વિના કાંઈ લે નહીં. એમ તે અચૌર્ય મહાવ્રતને પાળે છે. ૧૦પા બ્રહ્મચર્ય વ્રત તન-મન-વચને પાળ પળાવે હર્ષે રે, મમતા કરે ન કોઈ પદાર્થો, વ્રત અપરિગ્રહ રક્ષે રે. પરો. વ૦ અર્થ - ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતને મનવચનકાયાથી પોતે હર્ષથી પાળી બીજાને પણ પળાવે છે. કોઈ પદાર્થમાં મમતા એટલે મૂછભાવ કરતા નથી. કેમકે મૂછભાવ એ જ ખરેખર પરિગ્રહ છે. એમ મમતારહિત વર્તી અપરિગ્રહ મહાવ્રતની રક્ષા કરે છે. ||૧૦૬ાા અંશે વ્રત તે પાંચે પાળે, અર્ણવ્રતી તે જાણો રે, યથાશક્તિ ગૃહી ઉપાસક, મહાવ્રતે મન આણો રે. પરોઢ વરુ અર્થ - એ પાંચ મહાવ્રતને જે અંશે પાળે તે અણુવ્રતી શ્રાવક કહેવાય છે. તે ઘરમાં રહીને યથાશક્તિ ઉપાસના કરે છે. તથા મહાવ્રત પાળવાની જેના મનમાં અભિલાષા છે કે હું ક્યારે સર્વસંગપરિત્યાગી થઈશ, તે જ ખરો શ્રાવક કહેવાય છે. ૧૦શા સત, પત્ની-વ્રત, સંતોષી તે, સત્ય વચન ઉચ્ચારે રે, ત્રસ જીંવને ના હણે કદી તે, સ્થાવર વ્યર્થ ન મારે રે. પરો. વ૦ અર્થ - સતી હોય કે પતિ પ્રત્યેના કર્તવ્યને અને શ્રાવક હોય તે પત્ની પ્રત્યેના કર્તવ્યને સંતોષી, સત્ય વચન ઉચ્ચારે છે. તે કદી ત્રસ જીવોને હણે નહીં. તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોને પણ તે વ્યર્થ મારતા નથી. ૧૦૮ાા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરઘન-પરદારા ના ચોરે, દીન દયા શીલ પાળે રે, જે ત્યાગ્યું તેની તર્જી ઇચ્છા, વ્રત-અતિચારો ટાળે રે. પરો. વ. અર્થ - ઉત્તમ શ્રાવક પરઘન અથવા પરસ્ત્રીની ચોરી કરે નહીં. પણ દાન, દયા તથા શીલનું પાલન કરે છે. વ્રતગ્રહીને જે ત્યાગી દીધું તેની ફરી ઇચ્છા કરે નહીં. તથા વ્રતમાં લાગતા અતિચારોને પણ ટાળે છે. /૧૦૯ાા સમતા-મુનિ-આચારો શીખે, કર ભોગ-સુખ ઘટાડો રે, વ્યર્થ પાપ-હેતું તર્જી જીવે, ઘર્મ ભાવ ઘરી ગાઢો રે. પરો. વ૦ અર્થ – ઉત્તમ શ્રાવક સમતા વગેરે મુનિ આચારોને ભોગના, સુખમાં ઘટાડો કરી શીખે છે. તથા ઘર્મભાવને ગાઢપણે ઘારણ કરી વ્યર્થના પાપ કારણોને તજી જે જીવન જીવે છે. I૧૧૦ના સર્વ ક્રિયા-ફળ મોક્ષ ઉરે ઘરી, રત્નત્રય આરાધે રે ગૃહસ્થ કે મુનિ-દશા વિષે જે, તે આત્મિક હિત સાથે રે.” પરો. વ૦ અર્થ :- સર્વ ક્રિયાનું ફળ મોક્ષપ્રાપ્તિ કરવી છે, એ વાતને હૃદયમાં ઘારણ કરી રત્નત્રયને જે આરાઘે છે, તે ગૃહસ્થદશામાં હો કે મુનિદશામાં હો તે પોતાના આત્મિક હિતની સાધના કરે છે. ૧૧૧ાા એ પ્રભુનવાણી પ્રેમે સુણી બહુ જન દીક્ષા લેતા રે, ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણથર થાતા રે. પરો. ઊ૦ અર્થ – એવી પ્રભુની વાણીને પ્રેમપૂર્વક સાંભળી ઘણા જીવોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તથા ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણધર પદવીને પામ્યા. /૧૧૨ા. બ્રાહ્મી આદિ બને સાઘવી, માત્ર મરીચિ ન પલટે રે, દેશવ્રતી બહુ નર, પશુ બનતાં, મોહ ઘણાનો વિઘટે રે. પરોઊ અર્થ :- બ્રાહ્મી સુંદરી આદિ સાધવી બને છે. માત્ર ભરતરાજાનો પુત્ર મરીચિ તે પલટાતો નથી. ઘણા મનુષ્યો તથા પશુઓ દેશવ્રતી શ્રાવક બને છે. તથા ઘણાનો મોહ પ્રભુનો ઉપદેશ સાંભળી વિઘટે એટલે વિશેષ પ્રકારે ઘટે છે, અર્થાત્ ઓછો થાય છે. /૧૧૩ણી ચોરાશી ગણથર ગ્રહીં ત્રિપદી, શાસ્ત્રસૃપે વિસ્તારે રે, શીખવે સૌ મુનિજનને મુખે, પ્રભુ અન્યત્ર પઘારે રે. પરોપકાર-કારક પરમાત્મા વિચરે જગ ઉદ્ધરવા રે. અર્થ - ચોરાશી ગણઘરોએ ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને શાસ્ત્રરૂપે તેનો વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી સર્વ મુનિ જનને ગણઘરો મુખે શીખવવા લાગ્યા. તથા પ્રભુ વિહાર કરીને અન્યત્ર પધાર્યા. પરોપકાર પરમાત્મા જગત જીવોના ઉદ્ધાર કરવા માટે વિચરવા લાગ્યા. ||૧૧૪ ચક્રાઘારે ભરતક્ષેત્રને ભરત ભૂપ પણ જીતે રે, છતાં અયોધ્યામાં ના પેસે, ચક્ર હજી કોઈ રીતે રે. પરો. વિ. અર્થ:- ચક્રના આધારે આખા ભરતક્ષેત્રને ભરત રાજાએ જીતી લીધું. છતાં તે ચક્ર હજી કોઈ રીતે અયોધ્યામાં પેસતું નથી. ૧૧૫ના Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫ ૩૯ સર્તી-મન પરપુરુષે ના પેસે, સ્વતંત્ર દાસ્ય ન ઘારે રે, પાત્રદાન પ્રતિ પાપી મન સમ, ચક્ર ખસે ન લગારે રે. પરો. વિ. અર્થ - સતીનું મન પરપુરુષમાં પેસે નહીં, સ્વતંત્ર પુરુષ દાસ્ય એટલે દાસપણાને ઘારણ કરે નહીં, પાત્રદાન પ્રત્યે પાપીનું મન પિગળે નહીં તેમ ચક્ર પણ નગરમાં પ્રવેશ કરવા લગાર માત્ર ખસતું નથી. ૧૧૬ાા પુરોહિત પૂક્યાથી બોલે : “જિતાયા નહિ ભાઈ રે, તેથી ચક્ર પુરે ના પેસે, ચક્ર સહે ન સગાઈ રે.” પરો. વિ. અર્થ :- પુરોહિતના પૂક્યાથી તેણે કહ્યું : તમારા ભાઈ હજી જિતાયા નથી. તેથી આ ચક્રરત્ન નગરમાં પેસતું નથી. ચક્ર કંઈ તમારા ભાઈની સગાઈને સહન કરે નહીં. 7/૧૧થા અઠ્ઠાણું ભ્રાતાની પાસે, દૂત મોકલી બોલાવે રે, ભરત-આજ્ઞા કોઈ ન માને, પ્રભુને પૂંછવા આવે રે. પરો. વિ૦ અર્થ :- અઠ્ઠાણું ભાઈઓ પાસે દૂત મોકલી ભરતરાજાએ તેમને બોલાવ્યા પણ ભરતની આજ્ઞા કોઈએ માન્ય કરી નહીં. પણ પ્રભુને તે સંબંધી સૌ પૂછવા આવ્યા. [૧૧૮ાા વિનયસહિત નમીને સૌ પૂછે: “રાજ્ય દીઘાં, પ્રભુ, આપે રે, આણ મનાવે ભરત હવે શી? મોટા થઈ સંતાપે રે. પરોવિ. અર્થ – વિનયસહિત પ્રભુને નમી સૌ પૂછવા લાગ્યા કે પ્રભુ! આપ અમને રાજ્ય આપ્યા, છતાં ભરત રાજા થઈ શાની આણ મનાવા મથે છે? શું મોટાભાઈ થઈ અમને સંતાપે છે? I૧૧૯ાા આપ કહો તે સર્વ કરીશું, આપ જ પૂજ્ય અમારે રે, એક જ ઘણી થાર્યા તે થાર્યા, તે તારે કે મારે રે.” પરો. વિ. અર્થ:- આપ હે પ્રભુ! જે કહો તે સર્વ અમે કરીશું. આપ જ અમારે તો પૂજ્ય છો. “એક જ ઘણી ઘાર્યા તે ઘાર્યા, તે તારે કે મારે.’ એ સિવાય બીજો ઘણી અમે ઘારવાના નથી. ૧૨૦. (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ (રાગ : છઠ્ઠી દ્રષ્ટિનો. ભોલીડા હંસા રે વિષય ન રાચિયે) ઋષભ પ્રભુને રે કુટુંબી વિશ્વ સૌ; વદતા પૂર્વ-પ્રયોગ“માનવભવ આ રે દુર્લભ આવિયો, ફરી ફરી આવે ન યોગ. જાગો હે! જીવો રે મોહ કરો પરો. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ આ :– સમવસરણમાં બિરાજમાન શ્રી ઋષભ પ્રભુને આખું વિશ્વ કુટુંબ સમાન છે. છતાં પૂર્વભવમાં ‘સર્વિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવેલ તેના પ્રયોગરૂપે અઠ્ઠાણું પુત્રોને ઉપદેશમાં જણાવે છે કે છે ભવ્યો! આ માનવભવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. ફરી ફરી આવા આત્મકલ્યાણ સાઘક યોગ હાથમાં આવતા નથી. માટે હે જીવો! હવે જાગૃત થાઓ અને આ મોહરૂપી શત્રુને સર્વકાળ માટે પરો એટલે દૂર કરો. IIII ૫૪૦ ચારે ગતિમાં રે ભય મરણાદિનો, દુર્લભ ત્યાં સુવિવેક, અજ્ઞાને જો રે જીવ બહુ આથડે, સુખ ઇચ્છે પ્રત્યેક. જાગો અર્થ :— – ચારે ગતિમાં મરણ, રોગાદિનો ભય રહેલો છે. ત્યાં જડચેતનાદિનો સુવિવેક પામવો દુર્લભ છે. સ્વસ્વરૂપના અજ્ઞાનવડે જીવ ચારેય ગતિમાં બહુ આથડે છે. પ્રત્યેક જીવ સુખને ઇચ્છે છે; છતાં તે મળતું નથી. IIII દુઃખે બળતો રે આખોય લોક આ, સ્વકર્મ જ વૈરી-વર્ગ, વેશ ધરાવે રે વિપરીત ભાવના, બહુ કરતાં ઉપસર્ગ. જાગો અર્થ :— આખો લોક ત્રિવિધ તાપના દુઃખોથી બળે છે. તેનું કારણ પોતાના જ બાંધેલા કર્મો વૈરીવર્ગ એટલે વૈરીઓનો સમૂહ ભેગો થઈને ફળ આપે છે. તે કર્મો દેહમાં આત્મબુદ્ધિ તથા પરમાં મમત્વદ્ધિરૂપ વિપરીત ભાવના કરાવીને ચારે ગતિમાં નવા નવા દેહરૂપ વેષ ધારણ કરાવે છે, તથા અનેક પ્રકારના દુઃખો આપી બહુ ઉપસર્ગ કરે છે. ગા વીર પુરુષો રે શત્રુ શોધીને, આણે તેનો જ અંત, અનર્થકારી રે જન્મોજન્મ જે, કે દુઃખ રે! અત્યંત. જાગો અર્થ :– વીરપુરુષો તો આ રાગ, દ્વેષ કર્મરૂપી શત્રુઓને શોધી શોધીને, તેનો જ અંત લાવે છે. એ કર્મો જન્મોજન્મમાં અનર્થ કરનારા છે. અરે ! એ આત્માને અત્યંત દુઃખના દેવાવાળા છે. ।।૪।। કષાય-અગ્નિ ૨ે આશ્રિતને દહે, નિર્મૂળ કરવા વિચાર, રાખો સર્વે રે, આ અવસરે હવે, નહિ સંસારે સાર. જાગો અર્થ :કષાયરૂપી અગ્નિ જે એનો આશ્રય કરે તેને જ પ્રથમ બાળે છે. માટે હે ભવ્યો ! તમે સર્વે આ અવસરે તે કષાયોને નિર્મૂળ કરવાનો જ વિચાર રાખો. કેમકે આ સંસારમાં કંઈ પણ સાર નથી. આ સંસાર તો અનિત્ય, અશરણ અને અસાર છે. ।।૫।। રાજી રાજ્ય રે શૂરવીર ના થતા, ઇચ્છું ન મોહ-વિલાસ, પરિભ્રમણનાં રે પુષ્પો ઘરે ખરે! તૃષ્ણા-લતિકા ખાસ. જાગો અર્થ :- ખરા શુરવીર પુરુષો રાજ્ય મળવાથી રાજી થતા નથી. તે રાજ્યના મો-વિલાસને ઇચ્છતા નથી. કેમકે ખરેખર આ રાજ્યની તૃષ્ણારૂપી લતિકા એટલે વેલ તે સંસાર પરિભ્રમણના પુષ્પોને ધારણ કરીને રહેલ છે; અર્થાત્ જે રાજસુખ ભોગવવાની તૃષ્ણા રાખે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, માટે રાજ્યસુખ ગ્રહણ કરવા યોગ્ય નથી. 19ના તૃષ્ણા ખાડી રે સ્વર્ગ-સુખો વડે, જો જરીયે ના પુરાય, તો આશા શી રે અહિંયા રાખવી? લ્યો અવિનાશી ઉપાય.’' જાગો Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૧ અર્થ - આ જીવની તૃષ્ણારૂપી ખાડી સ્વર્ગના સુખો વડે પણ જરાય પુરાય એવી નથી, તો અહીં આ મનુષ્યભવમાં ઇન્દ્રિયસુખની શું આશા રાખવી? માટે હે આય! હવે અવિનાશી સુખનો ઉપાય ગ્રહણ કરો કે જેથી ફરી કોઈ કાળે દુઃખ આવે નહીં. આશા સમજી સર્વે રે દીક્ષા ગ્રહી રહે, જનક જિનેશ્વર પાસ, સુણ ચક્રી તે રે હર્ષથી લે કરે સૌની વ્યવસ્થા ખાસ. જાગો અર્થ - પ્રભુની કહેલ વાતને સમજી સર્વે અઠ્ઠાણું પુત્રોએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને જનક એટલે પિતા જિનેશ્વરની પાસે જ રહ્યા. ચક્રવર્તી ભરત સર્વની દીક્ષા સાંભળી હર્ષ પામ્યા. તથા તેમના રાજ્યોની વ્યવસ્થા કરી ખાસ સંભાળ લીધી. IIટા બાહુબલિને રે દંત હવે મોકલે સ્વીકારવા ભાઈ-આણ, પણ બળ-ગર્વે રે નમવા ન ઇચ્છતાં, માંડે યુદ્ધ-મંડાણ. જાગો. અર્થ - હવે ભરતેશ્વર, મંત્રીના કહેવાથી બાહુબલિને ભાઈની આજ્ઞા સ્વીકારવા માટે દૂત મોકલે છે. પણ બાહબલિ બળના ગર્વથી નમવા ઇચ્છતા નથી. તેથી બન્ને વચ્ચે યુદ્ધનું મંડાણ થયું. તેમાં રણશિંગાના રે નાદો દશે દિશે આકાશે ઊભરાય, નોબત, ભેરી રે, હય-ગજ-ગર્જના, સુભટ-હુંકારા થાય. જાગો. અર્થ - રણસંગ્રામના નાદો દશે દિશામાં આકાશે ઊભરાવા લાગ્યા. નોબત, ભેરી, હય એટલે ઘોડા, હાથીની ગર્જના તથા સુભટોના હુંકારા જોરશોરથી સંભળાવા લાગ્યા. ૧૦ના દિવ્યાયુથો રે ચક્રાદિ ચળકતાં, રથચક્રે ચિત્કાર, રજ ઊડ્યાથી રે રવિ ઢંકાય ત્યાં, કરે ચારણ જયકાર. જાગો. અર્થ - દિવ્ય આયુધો એટલે હથિયારો તથા ચક્રાદિ ચળકતા હતા. રથના ચક્રોનો ચિત્કાર પણ સંભળાતો હતો. સર્વ સૈનિકો, ઘોડાઓ, હાથીઓ, રથો વગેરે જોરશોરથી ચાલવાથી એટલી ધૂળ ઊડી કે જેથી સૂર્ય ઢંકાઈ ગયો. ચારણ ભાટો પણ ઊંચા અવાજે જય જયકારના શબ્દો બોલતા હતા. ૧૧ાા વિદ્યાથર ને રે સુર-નર-અગ્રણી વર-યશ વરવા જાય, સેના સાથે ભરત નૃપ ચાલિયા, ર્જીતવા બાહુબલિ રાય. જાગો. અર્થ - વિદ્યાઘર, દેવતા તથા મનુષ્યોમાં આગેવાન બઘા વીરતા બતાવી યશ મેળવવા માટે ચાલ્યા. સર્વ સેના સાથે ભરત મહારાજાએ પણ બાહુબલિ રાજાને જીતવા માટે પ્રયાણ કર્યું. ૧૨ા. બાહુબલિએ રે નૃપ બહુ નોતરી, કર તૈયારી સાર, સામા ચાલ્યા રે નિજ સીમા સુઘી, ઘરી ઉત્સાહ અપાર. જાગો અર્થ -બાહુબલિએ પણ ઘણા રાજાઓને નોતરી લડાઈને યોગ્ય સર્વ તૈયારી કરી. પછી ભરતરાજાની સામાં પોતાની સીમા સુધી સર્વ રાજાઓ સેના સાથે અપાર ઉત્સાહ ઘરીને ચાલ્યા. /૧૩ના સેના સર્વે સમક્ષ બાહુબલિ, બોલે બોલો વિશાળ - “મોટી સેના રે ભરતેશ્વરે ભરી, તેમાં માનો ન માલ. જાગો. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - પછી સર્વ સેના સમક્ષ બાહુબલિ વિશાળ એવા બોલો બોલવા લાગ્યા કે હે યોદ્ધાઓ! મોટી સેનાની ભરતેશ્વરે ભરતી કરી છે, પણ તેમાં કાંઈ માલ નથી એમ માનશો. ||૧૪ રાત્રે તારા રે ગગને બહું દસે, રવિ ઊગ્ય રહે કોય? મોટા વનમાં રે વૃક્ષો બહુ છતાં, ડરે દાવાનલ તોય? જાગો અર્થ - રાત્રે આકાશમાં તારા ઘણા દેખાય પણ સૂર્ય ઊગ્યે શું તે રહી શકે? મોટા વનમાં વૃક્ષો ઘણા હોવા છતાં શું દાવાનલ તેનાથી ડરે? ૧૫ના કામ-વિકારો રે કલ્પિત-સુખના, વિવિઘ બતાવે વેશ, ધ્યાની-મુનિ રે ધ્યાન-હુતાશને, બાળે ક્ષણમાં અશેષ, જાગો અર્થ - કામ-વિકારો મનમાં ઊભરાય ત્યારે કલ્પિત સુખના અનેક પ્રકાર બતાવે. પણ ધ્યાન કરતા મુનિ તેને ધ્યાનરૂપી હુતાશન એટલે અગ્નિમાં સર્વને બાળી નાખી ક્ષણમાં નષ્ટ કરી દે છે, કિંચિત્ પણ શેષ રહેવા દેતા નથી. ૧૬ાા ટોળેટોળાં રે હરણ, શિયાળનાં ટકે ન સિંહ સન્મુખ, નાગ-આકારે રે રસ્તા રોકીને, દીપાવો જનની-કૂખ.” જાગો. અર્થ – હરણ કે શિયાળના ભલે ટોળેટોળાં હોય પણ તે સિંહ સન્મુખ ટકી શકે નહીં. તેમ તમે બઘા નાગ આકારે સર્વ રસ્તાઓને રોકી દઈ તમારી માતાની કૂખને દીપાવો જેથી તમારી શૂરવીરતાનું પ્રદર્શન થાય. /૧૭ના. પાસે સૈન્યો રે બન્ને ય આવતાં, ચળકે આયુથ સર્વ, મહાસાગરે રે જાણે રવિ-કરે, મોજાં ઝળકે અપૂર્વ. જાગો અર્થ :- બન્ને સૈન્યો પાસે આવતાં સર્વના હથિયારો ચળકવા લાગ્યા. જાણે મહાસાગરમાં રવિ કરે એટલે સૂર્યના કિરણથી અપૂર્વ રીતે મોજાં ઝળકતા હોય તેમ દેખાવ થયો. ૧૮ સેના ભારે રે ઘરા ઘુજાવતી, જાણે જળમાંહિ નાવ, ગર્વ-મદિરા રે સર્વ પીવે શૂરા, બન્યા મરણિયા સાવ. જાગો અર્થ :- ભારે સેના પૃથ્વીને ધ્રુજાવતી હતી. જાણે જળમાં નાવ ચાલવાથી પાણી ધ્રુજે તેમ. તથા અભિમાનરૂપી દારૂપીને બઘા શૂરવીરો સાવ મરણિયા બન્યા હતા. “એક મરણિયો સોને ભારે પડી જાય તેવું દ્રશ્ય જણાતું હતું. ૧૯ો સેનાપતિના રે હુકમન જ જુએ, સેના સઘળી ય રાહ, ત્યાં તો ગગને રે મોટો ધ્વનિ થયો, વાળ વૃત્તિ-પ્રવાહ. જાગો અર્થ - સેનાપતિના જ હુકમની રાહ જોતી સઘળી સેના રણક્ષેત્રે ઊભી હતી. ત્યાં તો આકાશમાં મોટો અવાજ થયો જેથી બઘાની વૃત્તિનો પ્રવાહ તે તરફ વળ્યો. ૨૦ાા. બન્ને સેના રે હમણાં સુણે સ્વરો: “જે કોઈ છોડે રે બાણ, તેને દેવો રે દે છે મહાસ્વરે ઋષભ પ્રભુની રે આણ.” જાગો. Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૩ અર્થ :- બન્ને સેનાના માણસો હમણા અમે કહીએ છીએ તે સાંભળો : “જયાં સુધી અમે તમારા બન્ને પક્ષના સ્વામીને બોઘ કરીએ ત્યાં સુધીમાં જે કોઈ બાણ છોડશે તેને 28ષભ પ્રભુની આણ એટલે આજ્ઞા છે, એમ દેવો મહાસ્વરથી બોલ્યા. ર૧ના સજ્જ કરેલી રે ઘનુષ્યન દોરીઓ, સુભટ ઉતારી દેય, ઘોડા ખેંચી રે સર્વેય રાખતા, અસિ પેસે યાનેય. જાગો અર્થ - તે સાંભળી, સજ્જ કરેલી ઘનુષ્યની દોરીઓ ઉપર ચઢાવેલ બાણને સુભટોએ ઉતારી દીઘી. ઘોડાની ખેંચેલી લગામને સર્વેએ ઢીલી કરી તથા તલવારને સૈનિકોએ મ્યાનમાં મૂકી દીધી. રરા ભેરી, નગારાં રે હવે વાગે નહીં, ચારણ-ચૅર ના સુણાય, શિર કર જોડી મુકુટ-ઘર દેવતા વીનવે બન્ને રાય. જાગો અર્થ - ભેરી નગારાં વાગતા બંધ થઈ ગયા. ચારણ ભાટોના અવાજ હવે સંભળાતા નથી. ત્યારે મુકુટને ઘારણ કરનાર દેવતાઓ પોતાનું શિર નમાવી, હાથ જોડી બન્ને રાજા ભરત તથા બાહુબલિને વિનયપૂર્વક વિનંતી કરવા લાગ્યા. ર૩ાા {શબ્દોથી રે રોષ શમાવતા : “સૌ વિનયને વીનવેય, જય લક્ષ્મીના રે સ્વામી અખંડ છો, ચરમશરીરી બેય. જાગો. અર્થ :- સુશબ્દો બોલી બેયનો રોષ શમાવતા દેવો બોલ્યા : વિનયવાનને સર્વ વિનંતી કરે છે તેમ આપ તો બન્ને ચરમશરીરી છો. આજ ભવે બન્ને મોક્ષરૂપી લક્ષ્મીના અખંડ સ્વામી થવાના છો. આપને અમે શું વિનવીએ? ૨૪. જગના ચક્ષુ રે જેવા બેય છો, પૂજ્ય પિતાના સુભક્ત, વાત અમારી રે બન્ને ય સાંભળો, દયાથમેં આસક્ત. જાગો અર્થ :- આપ બેય તો જગત જીવોને કલ્યાણનો માર્ગ બતાવવા માટે ચક્ષુ સમાન છો. પૂજ્ય પિતા શ્રી ઋષભદેવના પરમ સુભક્ત છો. તથા બન્નેય દયાઘર્મમાં આસક્ત છો. માટે અમારી વાતને આપ બન્ને ધૈર્યતાપૂર્વક સાંભળો. ગરપા સુતીક્ષ્ણ શસ્ત્ર રે કાં કિંકરો હણો, સ્ત્રીજન બહુ રંડાય, બન્ને ભાઈ રે યુદ્ધો ભલે કરો, સૌ દ્રષ્ટા થઈ જાય. જાગો અર્થ – સુતીક્ષ્ણ શસ્ત્ર આ કિંકરો એટલે સેવકોને હણવાથી એમની ઘણી સ્ત્રીઓ રંડાપો પામશે. માટે તમે બન્ને ભાઈ ભલે યુદ્ધ કરો અને પ્રજા સર્વ દ્રા બની તે જોયા કરે. એમાં સર્વ જનનું હિત સમાયેલું છે, તથા દયાથર્મનો પણ એ જ ઉપદેશ છે. રા. ઘર્મ-ન્યાયે રે ત્રિવિઘ તમે લડો, તજી અનાર્ય વિચાર,” સુણીને બન્ને રે સંમતિ આપતા, થાય બેય તૈયાર. જાગો અર્થ - ઘર્મમાં કહ્યા પ્રમાણે ન્યાયપૂર્વક તમે ત્રણ પ્રકારે યુદ્ધ કરો. પણ તમારા પિતાએ જે પ્રજાનું પાલન પોષણ કર્યું તેનો સંહાર થાય એ અનાર્ય વિચાર તજવા યોગ્ય છે. દેવોનું આવું ન્યાયયુક્ત કથન સાંભળી બન્ને ભાઈઓએ સંમતિ આપી અને તે પ્રકારે લડવા તૈયાર થયા. ગારા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રથમ લડાઈ રે દ્રષ્ટિ વડે કરે, સન્મુખે ઊભા બેય, સામા-સામી રે સ્થિર તાકી જાએ, નહિ પાંપણ હાલેય. જાગો. અર્થ :- પ્રથમ બન્ને ભાઈ ભરત અને બાહુબલ એકબીજાની સન્મુખ ઊભા રહી દ્રષ્ટિયુદ્ધ કરવા લાગ્યા. એક બીજાની સામસામા દ્રષ્ટિને સ્થિર રાખી તાકીને જુએ છે. કોઈના પાંપણ હાલતા નથી. ૨૮ના યોગી જેવા રે બન્નેય સ્થિર ત્યાં, રવિ-શશી સંધ્યાકાળ, અંતે ભારતે રે આંખ મીંચી દીઘી, બાહુબલિ લે જયમાળ, જાગો. અર્થ :- યોગી પુરુષની જેમ બન્ને સ્થિર રહ્યા. દિવસ રાત અને સંધ્યાકાળ વહી ગયો. અંતે ભરત રાજાએ આંખ મીંચી દીધી અને બાહુબલિ વિજયી થયા. રા. ભીષણ શબ્દ રે બન્ને ફરી લડે, કરે ભરત સિંહનાદ, ગગન-ગુફામાં રે તે અતિ ગાજતો, ભરે ત્રિભુવન-પ્રાસાદ. જાગો અર્થ - ભીષણ શબ્દ કરીને બન્ને ફરી લડવા લાગ્યા. આ વાણી યુદ્ધમાં ભરતે ભારે સિંહનાદ કર્યો. તે અવાજ આકાશરૂપી ગુફામાં અત્યંત ગાજતો થયો. જાણે ત્રણે લોકના મહેલોને ભરી દેતો હોય તેમ જણાયું. [૩૦. બાહુબલિએ રે કરી મહા ગર્જના, સર્વ ચકિત થઈ જાય, દુઃશ્રવ સૌને ભયંકર લાગતી, વિશ્વ બધું વલોવાય. જાગો અર્થ :- પછી બાહબલિએ પણ મહાગર્જના કરી. જેથી સર્વ ચકિત થઈ ગયા. તે અવાજ બધાને દુઃશ્રવ એટલે દુઃખે કરીને સંભળાય એવો ભયંકર લાગ્યો. જેથી આખું વિશ્વ વલોવાઈ ગયું. [૩૧]. ચડતા ચડતા રે નાદે વધે હવે, બાહુબલિ જીતી જાય; બાહુ-યુદ્ધ રે ભેટે મલ્લ સમ, ત્રીજી બાજુ રચાય. જાગો અર્થ - ચડતા ચડતા નાદ એટલે અવાજો એક બીજાથી કરવા લાગ્યા. અંતે બાહુબલિ જીતી ગયા. હવે મલ્લ એટલે પહેલવાનોની જેમ બાહ-યુદ્ધ કરી એક બીજાને ભેટવા લાગ્યા. આ ત્રીજા યુદ્ધની બાજી શરૂ થઈ. //૩રા ઉપર નીચે રે યુક્તિ-બળે થતા, પરવશ કરવા ચહાય, બાહુબલિએ રે ભરત વશમાં લીઘો, ફેંકે નભ અસહાય. જાગો અર્થ - એકબીજાને ઉપર નીચે યુક્તિબળે કરી પરવશ કરવા ઇચ્છે છે. તેટલામાં બાહુબલિએ ભરતને વશમાં લઈ આકાશમાં અસહાયપણે ફેંક્યો. //૩૩ના સુર પુષ્પોની રે વૃષ્ટિ કરી વદે: “બાહુબલિનો જયકાર!” બાહુબલિને રે ચિત્ત ચિંતા થઈ, ઝીલે ભરતને ઉદાર. જાગો અર્થ :- દેવતાઓએ આકાશમાં પુષ્પોની વૃષ્ટિ કરી બાહુબલિનો જયજયકાર કર્યો. પણ બાહુબલિને મનમાં ચિંતા થઈ કે જો ભાઈ પૃથ્વી પર પડશે તો એના પ્રાણ ચાલ્યા જશે એવો ઉદાર ભાવ લાવી હાથ ઊંચા કરી ભરતને ઝીલી લીઘા. ૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારતી બાહુબલીનું ફુલ દેવા બિલીના વિજય ઉપર કરેલા પુષ્પવૃષ્ટિ વૃદ્ધિ પુણે ભલયુનમાં લાહુબલી લોની માં ઉછાળ્યો શ3 યુદ્ધ ભરતને હણવા બાહુબલીએ ઉપાડેલ મુઠ્ઠી બાહુબલીના ભાવ ફરતાં ઉપાડેલ મુઠ્ઠી વડે કેશલોચ સૈનિકી આ બધું જોઈ રહ્યા છે Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ચક્રી ચિંતે રે ચક્ર-ઉપાયને, આવી ઊભું જ પાસ, ભાઈ ઉપર તે રે! ફેંકે, છતાં ફર્યું પાછું, જાણે ઉદાસ. જાગો અર્થ :— ચક્રવર્તીએ હવે જીતવાનો ઉપાય આ ચક્ર છે. તે પાસે જ આવી ઊભેલું છે એમ ચિંતવી ભાઈ ઉપર ફેંક્યું છતાં જાણે ઉદાસ થઈ તે કાર્ય કર્યા વગર જ પાછુ ફર્યું. ॥૩૫॥ કુટુંબીને રે તે ના હણી શકે; બાહુબલિ આણે ક્રોઘ, ‘ન્યાય તજી તે ૨ે ચહે શિર છેઠવા, તો હું હણું અવિરોથ.’ જાગો॰ અર્થ :— એ ચક્ર કુટુંબીને હણી શકે નહીં, પણ બાહુબલિને આ જોઈ ક્રોધ આવ્યો કે ન્યાયમાર્ગને તજી અન્યાયમાર્ગે આ મારું શિર છેદ કરવા ઇચ્છે તો હું પણ અવિરોધપણે એને હવે હણી શકું. ૩૬ એમ વિચારી રે મુષ્ટિ ઉગામીને ભરત ભણી દોડી જાય, યમદૂત જેવો રે અતિ વિકરાળ તે, અહો ! વર્ષો થંભી જાય. જાગો ૫૪૫ અર્થ :– એમ વિચારી બાહુબલિ ભયંકર મુઠ્ઠી ઉગામીને ભરત ચક્રી તરફ દોડ્યા. તે વખતનો દેખાવ યમરાજ જેવો અતિ વિકરાળ હતો. પણ થોડી જ વારમાં અહો ! તે થંભી ગયા. ।।૩ના જ દાવાનલથી રે અર્થ વિદગ્ધ શું વિરૂપ વૃક્ષ-અનુમાન, નિર્બળ દેખે રે ભરત-મુખ મ્યાન તે, હિમ-હત કમળ સમાન. જાગો અર્થ :બાહુબલિએ ભરતને દાવાનલથી અર્થ વિદગ્ધ એટલે અડધા બળીને ભસ્મ થયેલા કદરૂપા વૃક્ષ સમાન નિર્બળ જોયા તથા તેમનું મુખ હિંમત કમળ એટલે ઘણો વખત ઠાર પડવાથી જેમ કમળ હણાઈ ગયું હોય તેમ જોયું. તેથી બાહુબલિના વિચારો ફરી ગયા. ।।૩૮।। ચિત્તે ચિંતે રે બાહુબલિ હવે: “હું લધુ ભ્રાતા તોય, ભૂમિ માટે રે ભાઈ હરાવિયા, મુજ સમ અધમ ન કોય. જાગો અર્થ :— હવે મનમાં બાહુબલિ એમ ચિંતવવા લાગ્યા કે હું નાનો ભાઈ હોવા છતાં તુચ્છ પૃથ્વી મેળવવા માટે મોટા ભાઈને હરાવી દીધા એમ લોકવાયકા થશે. મારા જેવો આ જગતમાં કોઈ અઘમ નથી. ।।૩લ્લા મુજબલ મારું રે આ નહિ કામનું, રાજ્ય મને હો ત્યાજ્ય, કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી? ભૃશ સમ સૌ સામ્રાજ્ય, જાગો અર્થ :- આ મારું ભુજબળ આવા કામ કરવા માટે નથી. આ રાજ્ય-રિદ્ઘિ આજથી મારે ત્યાજ્ય છે. આ પૃથ્વીને કોણે કોણે નથી ભોગવી? બઘાએ ભોગવી છે. ‘સકળ જગત તે એઠવતુ' એટલે આખું જગત એંઠવાડા સમાન છે, મારા માટે હવે આ સર્વ સામ્રાજ્ય તૃણ એટલે તણખલા બરાબર છે. ।।૪૦।। ભૂંડા મોતે ૨ે વિષ દઈ મારતા ભાઈ, પિતા કે પુત્ર રાજ્યો માટે રૈ ણ રુધિરે પૂરે, સહે નકાદિ અમુત્ર, જાગો અર્થ :— આ જગતમાં રાજ્યો માટે ભાઈ, પિતા કે પુત્રને ભૂંડા મોતે વિષ દઈને મારી નાખ્યા છે. જેમ કોણિકે પિતાને જેલમાં નાખ્યા અથવા ચૂલણિએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાનો પ્રયત્ન કર્યો. વળી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાજ્ય મેળવવા અર્થે યુદ્ધ ભૂમિને રુધિર એટલે લોહીથી પૂરી દે એવા કામ કરી અંતે મરીને અમુત્ર એટલે પરલોકે જઈ નરક નિગોદાદિમાં પડી અનંતદુઃખને સહન કરે છે. [૪૧] તાતે ત્યાગું રે જે દુઃખ જાણીને, તેમાં શું હોય સુખ? મૃત્યુ-મુખે રે સકળ જગ આ પડ્યું, દેખે ના નિજ દુઃખ. જાગો અર્થ :- તાત એટલે પિતા શ્રી ઋષભ પ્રભુએ જે રાજ્યને દુઃખરૂપ જાણીને ત્યાગી દીધું. તેમાં શું સુખ હોઈ શકે. આ સઘળા જગતના લોકો મૃત્યુરૂપી મગરમચ્છના મુખમાં દેડકારૂપે પડેલા છે. મગરમચ્છ મોટું દબાવે કે ક્ષણમાં તેનું મૃત્યુ થઈ જશે; પણ એ મરણના દુ:ખનું એને ભાન નથી. ll૪રા સ્વજન ન કોઈ રે અંતે બચાવશે, ન મંત્રી, પુરોહિત સૈન્ય, પૃથ્વી-પાલો રે પૃથ્વી તજી ગયા, જ્યાં તૃષ્ણા ત્યાં દૈન્ય.” જાગો અર્થ - સ્વજન કહેવાતા સગા સંબંધીઓ, મંત્રી, પુરોહિત કે સેના અંતકાળે મરણથી કોઈ બચાવી શકશે નહીં. પૃથ્વીનું પાલન કરનારા રાજાઓ પણ તે પૃથ્વીને તજી ચાલ્યા ગયા. જ્યાં હૃદયમાં તૃષ્ણા છે ત્યાં જ દૈન્ય એટલે દીનતા, ગરીબાઈ અથવા લાચારપણું છે. માટે અંશ માત્ર કોઈ પણ પદાર્થની તૃષ્ણા રાખવા યોગ્ય નથી. જેટલી તૃષ્ણા વઘારે તેટલા જન્મમરણ પણ વધારે છે. ૪૩ એમ વિચારી રે પ્રગટ વદે હવેઃ “ખમાવું હું, હે!ભ્રાત, અવિનય રોષે રે મેં બહુ આદર્યો, હું જઈ સેવું રે તાત.” જાગો અર્થ - એમ વિચારી હવે શ્રી બાહુબલિ પ્રગટરૂપે બોલ્યા : હે ભાઈ! હું તમને ખમાવું . મેં રોષ એટલે ગુસ્સામાં આવી તમારો બહુ અવિનય થાય એવું આચરણ કર્યું, તે યોગ્ય નથી. હવે હું પિતા ઋષભ પ્રભુ પાસે જઈ તેમની સેવા કરીશ. એ મારો આખરી નિર્ણય છે. ૪૪ નભથી વૃષ્ટિ રે ફરી દેવો કરે, વંદે સૌ એક સાથ, ભરતેશ્વર તો રે આગ્રહ કરી કહે: “તમે થયા નૃપ-નાથ. જાગો અર્થ :- આકાશમાંથી દેવોએ આ સાંભળી ફરી પુષ્પ વૃષ્ટિ કરી. તથા સર્વ દેવોએ એક સાથે શ્રી બાહુબલિને નમસ્કાર કર્યા. ભરતેશ્વર પણ આગ્રહ કરી કહેવા લાગ્યા કે હે બાહુબલિ! તમે નૃપ-નાથ એટલે સર્વ રાજાઓના નાથ એવા ચક્રવર્તી નરેન્દ્ર થયા. ૪પાા. હું તો હાર્યો રે સૌની સમક્ષ આ પરિભવ-દૂષિત રાજ્ય, ન રુચે કરવું રે, ચક્રી તમે ખરા, ખમજો મુજ અપરાથ. જાગો. અર્થ :- હં તો સૌ પ્રજાજનની સમક્ષ હાર્યો. આ રાજ્ય આવું પરિભવ એટલે અપમાનકારી અને દૂષિત અર્થાત્ દોષ-દૂષણવાળું છે. આ રાજ્ય કરવું મને રુચતું નથી. તમે ખરા ચક્રવર્તી છો. માટે મારા કરેલા અપરાધની ક્ષમા કરજો. I૪૬ો. પડતાં ઝીલ્યો રે કરુણા કરી તમે, નહિ તો મૃત્યુ જ થાત, ચક્રાદિ ના રે રક્ષા કરી શકત, દ૬ ઑવન સાક્ષાત્. જાગો અર્થ - તમે મને કરુણા કરી આકાશમાંથી પડતા ઝીલ્યો. નહિં તો મારું મૃત્યુ જ થાત. આ ચક્રાદિ કાંઈ રક્ષા કરી શકતા નહીં. મને તમે ફરી સાક્ષાત્ નવજીવન આપ્યું છે. ૪ળા Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૭ પુરી અયોધ્યા રે ચાલો હવે તમે, કરી રાજ્યાભિષેક, શિરે તમારે રે મુકુટ મૅકીશ હું, લઈશ પછી સાઘુભેખ. જાગો અર્થ :- તમે હવે અયોધ્યા નગરીએ ચાલો. તમારો રાજ્યાભિષેક કરી તમારે શિરે હું મુકુટ મૂકીશ પછી હું મુનિપણું અંગીકાર કરીશ. II૪૮ાા સૌ ઇંદિયો રે વશ કરી વિચરું, તજી પાપ-પુણ્ય-બંઘ, પ્રાણ સમર્પ રે યોગવિદ્યાનમાં, સદાય રહું નિબંધ. જાગો. અર્થ :- મુનિપણામાં પાપ-પુણ્યના બંઘને તજી સર્વ ઇન્દ્રિયોને વશ કરી વિચરીશ. તથા મારા દશેય પ્રાણને મોક્ષની સાથે જોડે એવા યોગના વિઘિવિઘાનમાં સમર્પી હું સદાય નિબંઘ રહીશ. I૪૯ા “મોકલી વનમાં રે ભરત સૌ ભાઈને, રાજ્ય કરે નિષ્ફર', એ અપવાદે રે રહેવું ના ગમે, કહ્યું માનો હે! શુર.” જાગો અર્થ :- સર્વ ભાઈઓને વનમાં મોકલી નિષ્ફર એટલે નિર્દયી કઠોર હૃદયવાળો એવો ભરત આ રાજ્ય કરે છે, એવા લોકાપવાદે મને અહીં રહેવું ગમે નહીં. માટે હે! શુરવીર એવા બાહુબલિ મેં આ વાત કહી તેને તમે માન્ય કરો. I/૫૦ના તે સાંભળતાં રે બાહુબલિ વડેઃ “બાળલીલા છે કે યાદ? ઉછાળી હું રે ઝીલતો આપને, ઘરો ન કાંઈ વિષાદ, જાગો અર્થ – આ સાંભળીને બાહુબલિ કહે : બાળલીલા યાદ છે? હું આપને ઉછાળીને ઝીલતો હતો. તો એમાં કાંઈ વિષાદ એટલે ખેદ કરો નહીં. ૫૧ાા મારી તમારી રે વચ્ચે ન હારજીત, સઘળુંય માનો ફોક; બાળક-બુદ્ધિ રે મારી વિસારી દ્યો, પૂજે તમને ત્રિલોક. જાગો અર્થ - મારી તમારી વચ્ચે કોઈ હારજીત નથી. માટે સઘળુંય ફોક માનો. મારી આ બાળકબુદ્ધિને વિસારી દ્યો કેમકે તમને ત્રણેય લોક પૂજે છે. ચક્રવર્તી હોવાથી દેવો પણ તમારી સેવામાં હાજર છે. Ifપરા જેણે દીધું રે તેને જ આપવું રાજ્ય, જો ભાસે દોષ; વિષ સમ લાગે રે ભોગો મને બઘા, આપ ઉપર ના રોષ.” જાગો. અર્થ – જો તમને રાજ્ય દોષરૂપ ભાસે તો તમને જેણે રાજ્ય આપ્યું તેમને જ પાછું આપવું અથવા તે કહે તેમ કરવું. મને તો આ બઘા ભોગો હવે ઝેર સમાન લાગે છે. આપ ઉપર કોઈ પ્રકારનો મને હવે રોષ અર્થાતુ ગુસ્સો નથી. પા. ભરતેશ્વરને રે સમજાવ મંત્રીઓ, અયોધ્યા તેડી જાય, વનમાં ચાલ્યા રે બાહુબલિ હવે, કેવળી બનવા ચહાય. જાગો અર્થ - ભરતેશ્વરને મંત્રીઓ સમજાવી અયોધ્યા તેડી ગયા. તથા બાહુબલિ હવે વનમાં કેવળી બનવાની ઇચ્છા રાખી ચાલ્યા. /પ૪ના કેલાસે તે રે પથ્થર સમા ઊભા. કાયોત્સર્ગ અકંપ. ઠંડી, વર્ષા રે તડકો સદા સહે, તપ તપતા તે મહંત. જાગો Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - કૈલાસ પર્વત ઉપર કાયોત્સર્ગ ધ્યાને અકંપ પથ્થર સમાન ઊભા રહ્યા. ત્યાં આ મહાત્મા તપ તપતા ઠંડી, વર્ષા કે તડકો સદા સહન કરે છે. ગા૫પા ઋષભ સમીપે વિચાર જવા હતો, પણ પકડે દુષ્ટ માન, નમવું પડશે રે નાનાય ભાઈને, મુનિ-નિયમો બળવાન. જાગો. અર્થ :- ઋષભ પ્રભુ પાસે પહેલા જવા વિચાર હતો. પણ દુષ્ટ માને પકડી લીધાં. ત્યાં જઈશ તો નાના ભાઈઓએ પહેલા દીક્ષા લીઘેલી હોવાથી તેમને નમવું પડશે. મુનિઘર્મના આવા નિયમો બળવાન છે. તે પાળવા પડશે. પા. બારી શોથે રે: કેવળી થઈ જવું; ત્યાં નહિ નમન-આચાર, દેવ-ગુરુને રે વંદી સ્તવી ઘરે ભાવે મુનિ-વ્યવહાર. જાગો. અર્થ - માટે એવી બારી શોધી કે કેવળી થઈને ત્યાં જવું. કેવળજ્ઞાન થયા પછી એક બીજાને નમવાનો આચાર નથી. તેથી દેવ-ગુરુને વંદન કરી, સ્તવના કરીને ભાવથી મુનિઘર્મના આચારને ઘારણ કર્યો. પણા ભવ-મૅળ જેવા રે જાણ ઉપાડતા, શિર-દાઢી-મૂછ-કેશ, ઘરી પ્રતિજ્ઞા રે મહાવ્રત આદિની, ઉત્તર ગુણનીય અશેષ જાગો. અર્થ - શિર, દાઢી અને મૂછના વાળને સંસારના મૂળ જેવા જાણી ઉખાડી લીઘા. પછી પંચ મહાવ્રતની તથા તેના ઉત્તર ગુણોની પણ પ્રતિજ્ઞા સંપૂર્ણપણે ઘારણ કરી. //પટા. પરિષહ સઘળા રે સહવા ઊભા રહ્યા, તજી શરીર-સંભાળ, વન-તરુ જેવા રે ચર્મ-તરુ તેમને ગણે પશુ-પંખી-બળ. જાગો અર્થ - જંગલમાં હવે શરીરની સંભાળ લીધા વિના સઘળા પરિષહોને સહન કરવા ઊભા રહ્યા. જંગલના બાળબુદ્ધિ જેવા પશુ પંખીઓ પણ તેમના ચામડાના બનેલા શરીરરૂપી વૃક્ષને જંગલના વૃક્ષ સમાન માનવા લાગ્યા. //પલા શિર પર બેસી રે કાગ ‘કાકા’ કરે, વેલો વટે શરીર, હરણાં ખણતાં રે શૃંગ ઊગતાં ઘસી, સૌ સહતા શુરવીર. જાગો અર્થ - તેમના શિર ઉપર કાગડાઓ કા-કા કરે; વેલો શરીરે વીંટાઈ ગઈ, હરણાઓ શિંગડા ઊગતા ખાજ આવવાથી તેમના શરીરે ઘસે. પણ એ સર્વ તે શુરવીર સહન કરતા હતા. ૬૦ના કીડી મંકોડી રે ડાંસ ડેસતા ઘણા, નાગ વળી વિકરાળ, વેલી-ફૂલે રે શીત-સુગંઘમાં વીંટાય જાણે વાળ. જાગો અર્થ :- કીડી, મંકોડી કે ઘણા ડાંસ તેમને ડરતા હતા. વળી વિકરાળ નાગ પણ વેલના ફુલોની સુગંધને લીધે અથવા શીત એટલે ઠંડીમાં વાળની જેમ તેમના શરીરે વીટાઈ જતા હતા. દુલા જાણે સઘળું રે પણ નહિ લેખવે, સિંહનાદ સંભળાય, વીજળી પડતાં રે વજશિલા તૂટે, નહિ ભય-શંકા થાય. જાગો Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૯ અર્થ :— તે બધુંય જાણે પણ તેને ગણે નહીં. સિંહની ગર્જના સંભળાય, વીજળી પડતાં વજ્ર જેવી શિલા તૂટી જાય તો પણ તેમને કોઈ પ્રકારે ભય કે શંકા થાય નહીં. એવા તે શૂરવીર હતા. II૬૨ા વાવાઝોડે રે વેલા તૂટી જતા, સહે જળધારા-માર, આંગળીઓમાં રે દાંકુરો ઊગે, તોય ખસે ના લગાર. જાગો અર્થ :— વાવાઝોડું આવવાથી વેલાઓ તૂટી જતાં વરસાદની જળધારાનો માર સહન કરે છે. આગળીઓમાં ઘાસના અંકુર ઊગી ગયા તોય લગાર માત્ર ત્યાંથી ખસતા નથી. ।।૬૩।। તનુ પર બાઝે રે જાળ શેવાળની, વસતાં જંતુ અનેક, ઋષભપ્રભુને નિરંતર અંતરે રાખે, ઘીને વિવેક, જાગો અર્થ :— શરીરે શેવાળની જાળ બાઝી ગઈ. તેમાં અનેક જંતુઓ આવી વસ્યા. છતાં વિવેકને ઘારણ કરી શ્રી બાહુબલિ, શ્રી ઋષભપ્રભુને જ નિરંતર અંતરમાં રાખે છે. ।।૬૪॥ નિદ્રા ત્યાગી રે વર્ષ પૂરું રા, નિર્બળ કરી બહુ કર્મ; ઋષભપ્રભુની રે દિવ્યધ્વનિ સ્ફુરે : “બાહુબલિ શોધે ધર્મ. જાગો અર્થ :– નિદ્રાનો ત્યાગ કરી, ઘણા કર્મોને નિર્બળ કરી શ્રી બાહુબલિ એક વર્ષ પુરું ધ્યાનસ્થ રહ્યા. પછી એકવાર શ્રી ઋષભપ્રભુએ દિવ્યધ્વનિમાં જણાવ્યું કે બાહુબલિધ્યાનમાં ઊભા ઊભા ઘર્મને શોધે છે. પણ ધર્મ પ્રગટ થતો નથી. ।।૫।। વિચાર જાગ્યું રે કેવળ પામશે, સુંદરી-બ્રાહ્મી-નિમિત્ત, ‘ઊંચા કરીથી રે ઊતરો' એટલું સુર્ણા પલટાશે ચિત્ત.” જાગો અર્થ :— બ્રાહ્મી અને સુંદરીના નિમિત્તે વિચાર જાગવાથી તે કેવળજ્ઞાનને પામશે. બ્રાહ્મી અને સુંદરી ત્યાં જઈ કહેશે કે ‘ઊંચા કરી એટલે હાથી ઉપરથી હવે નીચે ઊતરો; તે સાંભળીને તેનું ચિત્ત પલટાઈ જશે. 19ના હષઁ બેનો રે બાબિલ શોીને, વદતી પ્રભુ-આદેશ, ‘ઊંચા કરીથી ઊતરો” સુણતાં, વિચારે સાધુ-વેશ. જાગો અર્થ – હર્ષપૂર્વક બન્ને બહેનોએ બાહુબલિને શોધી લઈ પ્રભુનો આદેશ કહ્યો કે ‘વીરા મારા ગજ - થકી ઊતરો.’ તે સુણતાં વિચારવા લાગ્યા કે હું તો સાધુવેશમાં છું, હું ક્યાં હાથી ઉપર બેઠો છું. ।।૬।। સ્વર બેનોનો રે ઓળી ચિંતવે: “ઉચ્ચ કરી તો માન, આ ઉપકારી રે બેનો ય વંદ્ય છે, નાના ભાઈ સમાન. જાગો - અર્થ :– બન્ને બેનોના સ્વરને ઓળખી ચિંતવવા લાગ્યા કે વાત ખરી છે. આ માનરૂપી ઉચ્ચો હાથી છે, તેના ઉપર હું બેઠો છું. આ બન્ને બહેનો પણ મારી ઉપકારી હોવાથી નાના ભાઈ સમાન વંદનીય છે. ।।૮।। પ્રભુના યોગે રે ઋષભ સમાં બધાં, નર્થી આત્મામાં ભેદ, શાને કાજે રે દૂર રહી હું સહું, નહિ નમવામાં ખેદ.” જાગો અર્થ :– પ્રભુનો યોગ થવાથી બધા ભાઈઓ ઋષભદેવ સમાન છે. સર્વના આત્મામાં કોઈ ભેદ = નથી. શાને માટે હું તેમનાથી દૂર રહી પરિષહો સહન કરું. તેમને નમવામાં ખેદ હોવો ન જોઈએ. ।।૬।। Page #154 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જ્ઞાન-રવિ ત્યાં રે પૂર્ણ પ્રકાશિયો, ઉત્સવ કરતા દેવ, આવ્યા ભાઈ રે ભરતચક્રી તહીં, કરે ઉત્સાહે સેવ. જાગો. અર્થ – ઉપર પ્રમાણે ભાવ થતાં કેવળજ્ઞાનરૂપી સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થયો. દેવો ઉત્સવ કરવા લાગ્યા. ભરત ચક્રવર્તી પણ ત્યાં આવી ઉત્સાહપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. //૭૦ગા. ઋષભ-સભામાં રે પછી સહજે જતા, સર્વે કેવળ સાથ; અતિ આનંદે રે પ્રભુને હવે સ્તવે ભરતેશ્વર ભૂપ-નાથ - જાગો. અર્થ - પછી શ્રી બાહુબલિ ઋષભપ્રભુની સભામાં એટલે સમવસરણમાં જઈ સર્વે કેવળીભગવંત સાથે વિરાજમાન થયા. હવે સર્વ રાજાઓના નાથ એવા ભરતેશ્વર ચક્રવર્તી શ્રી બાહુબલિને કેવળજ્ઞાન થવાથી અતિ આનંદ પામ્યા, પણ પોતાની સ્વદયા આવવાથી વૈરાગ્યપૂર્ણ વાણીએ શ્રી ઋષભ પ્રભુને વિનયપૂર્વક કહેવા લાગ્યા. I૭૧ “આ સંસારે હું હજીં ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન, ક્યારે ક્યારે રે હે! પ્રભુ, આપશો આ બાળકને ય ભાન? જાગો અર્થ :- હે પ્રભુ! સર્વે ભાઈઓ કેવળજ્ઞાન પામ્યા અને હું હજી આ સંસારમાં જ ડૂબી રહેલો છું. કેવળજ્ઞાનને પામ્યો નથી. માટે હે પ્રભુ! આ બાળકને પણ ભાન ક્યારે આપશો? ||૭રો. ભાર ઉતારો ગહન ભવ-ચક્રનો, ગમતા નથી આ ભાગ, તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય-શુદ્ધ-ઉપયોગ. જાગો અર્થ - આ ગહન સંસારરૂપી ચક્રમાં સદા ભટકવાનો ભાર હે પ્રભુ! હવે ઉતારો. આ ભોગો મને ગમતા નથી. આ વિભાવ ભાવોના પ્રવાહથી મને તારો તારો. હવે મને સદા આત્માનો શુદ્ધ ઉપયોગ આપો. એ વિના કાંઈ જોઈતું નથી. II૭૩ણા. એક અટૂલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંઘા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, દ્યો હવે કેવળજ્ઞાન.” જાગો. અર્થ – એક અટૂલો એટલે ઉત્તમ પુરુષના સંગ વિના દુઃખી આંધળા માણસની જેમ હું આ રાજ્યમાં રડવડું છું. આપે મને ભૌતિક રાજ્ય આપ્યું, પણ હવે કેવળજ્ઞાન આપો એમ ઇચ્છું છું. II૭૪ અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતાં, પ્રગટ્ય અવધિજ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજીં ભોગનાં બાકી અલ્પ પ્રમાણ. જાગો. અર્થ - આંખમાં આંસુ સાથે પ્રભુની સ્તુતિ કરી બેસતાં ભરતેશ્વરને અવધિજ્ઞાન પ્રગટ થયું. તેથી જાયું કે હજી કમ અલ્પ પ્રમાણમાં ભોગવવાના બાકી છે. II૭પા પ્રભુના બોઘે રે વથી જાગૃતિ અતિ, પછ નિજ પુરે જાય, સેવક રાખે રે માત્ર ચેતાવવા, કરી તોરણ રચનાય. જાગો અર્થ :- ઋષભ પ્રભુએ બોધ આપવાથી જાગૃતિ અત્યંત વધી ગઈ. પછી પોતાના નગરમાં ગયા. માત્ર પોતાને ચેતાવવા સેવકો રાખ્યા. તથા જાગૃતિ તાજી રાખવા માટે એવા તોરણોની પણ રચના કરી. અંતરમાં આત્મકલ્યાણની ગરજ હતી તેથી એવા ઉપાયો રચ્યા. I૭૬ાા Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫ ૫ ૧ દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ મુકુટ અડતાં રે જગવે પ્રવેશતાં સત્સંગતિની યાદ. જાગો. અર્થ :- પ્રતિ દરવાજે ઘંટડીઓવાળા તોરણો ભરતેશ્વરનું મુકુટ અડતા અવાજ કરી એવી જાગૃતિ આપતા કે સત્સંગ કર, સત્સંગ કર. ૭ળા રાખે નિરંતર લક્ષ સ્વહિતનો, આજ્ઞા નહીં ચુકાય, ઋષભ-ચરણમાં રે સ્થિર મન રોપીને કાર્યો દ્વિયોગે થાય. જાગો અર્થ :- ભરતેશ્વર નિરંતર સ્વ આત્મહિતનો લક્ષ રાખે છે. પ્રભુની આજ્ઞાનું ચૂકતા નથી. મનને ઋષભ જિનેશ્વરના ચરણમાં સ્થિર રાખી બઘા કાર્યો દ્વિયોગે એટલે વચનયોગ અને કાયયોગથી કરે છે. એમ રાજ્ય કરતાં છતાં પણ અલિપ્ત રહે છે. (૭૮ાા મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે તે સદાય, દાનાદિથી રે વ્રતીજન પોષતાં, ભવ તરવા તે ચહાય. જાગો. અર્થ - નવા નવા મંદિરો બાંધી ભૂમિને શોભતી કરી. પ્રભુની ભક્તિ સ્વયં સદા કરે છે, દાનાદિ આપી વ્રતીજનોને પોષણ આપે, તથા સંસારરૂપી સમુદ્રને તરવાની ઇચ્છા હૃદયમાં સદા રાખે છે. II૭૯ો સાસ્ત્રોનું શ્રવણ, ચર્ચા કરે, પ્રભુદર્શનના ભાવ, સંઘ સકળની રે સેવા બહું કરે, વઘારી ઘર્મ-પ્રભાવ. જાગો અર્થ :- સન્શાસ્ત્રોનું શ્રવણ કરે, ચર્ચા કરે, સાક્ષાત પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવાના ભાવ રાખે, તથા સકળ સંઘની સેવા બહુ કરી ઘર્મનો પ્રભાવ વધારે છે. ૮૦ના. વિહાર કરતા રે પ્રભુ બહુ દેશમાં, આવે સુગુર્જર દેશ, પુનિત પગલે રે પાવન ભૂમિ કરે, દે ઉત્તમ ઉપદેશ. જાગો અર્થ :- ઘણા દેશમાં વિહાર કરતા પ્રભુ ઉત્તમ એવા ગુજરાત દેશમાં પધાર્યા. પોતાના પવિત્ર પગલાથી આ ભૂમિને પાવન કરી ઉત્તમ ઉપદેશના દાતા થયા. ૮૧ લેતા લોકો રે દીક્ષા, વ્રતો ઘણાં શત્રુંજય સંઘ જાય, ભક્તિભાવે રે ગુર્જર ભેમિ હજી ગાંડી જગમાં ગણાય. જાગો અર્થ - પ્રભુ પાસે ઘણાએ દીક્ષા લીધી, વ્રતો ગ્રહણ કર્યા. શત્રુંજય તરફ ચતુર્વિઘ સંઘ ચાલ્યો. પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિભાવ કરવામાં આ ગુજરાતની ભૂમિ જગતમાં ગાંડી ગણાય છે. ll૮૨ા વળી સૌરાષ્ટ્ર રે પ્રભુ દે દેશના, ગિરિ પર સૌ સ્થિર થાય, કહે પ્રભુ ત્યાં રે પુંડરિક આદિને : “ખેદ ઘરો ના જરાય. જાગો અર્થ :- વળી સૌરાષ્ટ્રમાં ઋષભ પ્રભુએ શત્રુંજય ગિરી ઉપર એવી દેશના આપી કે સૌના પરિણામ સ્થિર થયા. ત્યારે પ્રભુએ પુંડરિક ગણઘર આદિને કહ્યું : મુક્તિ મેળવવા માટે મનમાં કોઈ પ્રકારનો ખેદ રાખશો નહીં. II૮૩ાા થોડા કાળે રે મુક્તિ મળી જશે, અજબ આ ગિરિ-પ્રભાવ,” અનશન કરીને રે બહુ મુનિઓ રહ્યા, લેવા અંતિમ લાવ. જાગો Page #156 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - થોડા સમયમાં મુક્તિ મળી જશે. આ શત્રુંજય ગિરીનો અજબ પ્રભાવ છે. તે સાંભળી અંતિમ મુક્તિ મેળવવાનો લહાવો લેવા ઘણા મુનિઓ અનશન વ્રત ધારણ કરી ત્યાં રહ્યા. ૮૪ શશની સાથે રે તારા સમા મુનિ રહેતા પુંડરિક પાસ, સર્વ ર્જીવોને ખમાવી સર્વ તે ધ્યાને કરતા નિવાસ. જાગો. અર્થ - ચંદ્રમાં સાથે તારા રહે તેમ પુંડરિક ગણથર સાથે જે મુનિઓ રહ્યા, તેમણે સર્વ જીવોને ખમાવ્યા, પછી તેઓ ધ્યાનમાં સ્થિત થઈ ગયા. પા. કેવળ પામ્યા રે ચૈત્રની પુનમે ગણઘર આદિ રે સર્વ. આઠે કર્મો ખપાવી તે ગયા મોક્ષે; તેથી સુપર્વ. જાગો અર્થ :- ચૈત્ર સુદ પુનમના દિવસે ગણધર આદિ મુનિઓ કેવળજ્ઞાનને પામી આઠે કર્મોને ખપાવી મોક્ષે પઘાર્યા. તેથી આ ચૈત્ર સુદી પુનમનો સુપર્વ શરૂ થયો. શત્રુંજયનું રે તેથી યથાર્થ છે સિદ્ધાચલ શુંભ નામ, પ્રથમ પ્રભુનું રે પ્રથમ સુતીર્થ એ, સિદ્ધિદાયક ઘામ. જાગો અર્થ :- શત્રુંજયનું તેથી સિદ્ધાચલ શુભ નામ યથાર્થ છે. પ્રથમ તીર્થકર ઋષભ પ્રભુના પ્રથમ અહીં આગમનથી મોક્ષસિદ્ધિને દેવાવાળું આ પ્રથમ સુતીર્થ બન્યું. [૮૭થી. ભરતપતિ ત્યાં રચાવી મંદિરો, સ્થાપે પ્રતિમા અનેક, ગણથર આદિ રે સર્વની, આદિપ્રભુની ય એક. જાગો અર્થ :- ભરતપતિ ભરતેશ્વરે ત્યાં અનેક મંદિરો રચાવી તેમાં અનેક પ્રતિમાઓની સ્થાપના કરી. ગણઘર આદિ સર્વ મોક્ષગામી મુનિવરોની તથા આદિ પ્રભુ શ્રી ઋષભદેવની મુખ્ય મંદિરમાં સ્થાપના કરી. II૮૮ વિહાર કરીને રે અષ્ટાપદે પ્રભુ, જગહિત કરતા જાય, ભરત પઘારે જે તે ગિરિશિખરે, આનંદ અતિશય થાય. જાગો. અર્થ :- પછી ત્યાંથી વિહાર કરી જગતનું હિત કરતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર આવી પહોંચ્યા. ભરતેશ્વર પણ તે ગિરિના શિખર ઉપર પથારી પ્રભુના દર્શન કરીને અતિશય આનંદને પામ્યા. I૮૯ વાણી સુણીને રે પ્રભુની નિર્મળી, પ્રશ્ન પૂંછે છે કે રાયઃ આ પરિષદમાં રે કોઈ એવો હશે જે તીર્થકર થાય?' જાગો. અર્થ – પ્રભુની નિર્મળ વાણી સાંભળીને ભરત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ! આ સમવસરણની બાર પરિષદમાં કોઈ એવો જીવ હશે કે જે તીર્થંકર થશે? ૯૦ગા. દિવ્ય ધ્વનિથી રે પ્રભુ બોલે હવે “તુજ સુત મરીચિ નામ, થશે આ ભરતે રે ત્રિપુષ્ટ નામથી પ્રથમ કેશવ ગુણઘામ. જાગો. અર્થ :- દિવ્ય ધ્વનિથી પ્રભુ હવે બોલ્યા કે તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ ત્રિપુષ્ટ નામથી ગુણધામ એવો કેશવ એટલે વાસુદેવ થશે. II૯૧ાા Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ મહાવિદેહે રે ચક્રવર્તી થશે, થશે અહીં મહાવીર તીર્થંકર તે રે ચોવીસમાં થઈ, સિદ્ધપદ લેશે સ્થિર.” જાગો અર્થ :— વળી મહાવિદેહ ક્ષેત્રે ચક્રવર્તી થશે. તેમજ અહીં ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમા -- તીર્થંકર થઈ સ્થિર એવા સિદ્ધિપદને પામશે. ।।૯।। આજ્ઞા લઈને રે મરીચિ નંદવા, વંતા વદતાં રાયઃ “પ્રભુ કહે કે રે મહાવીર નામના, તમે થશો જિનરાય. જાગો અર્થ :– પ્રભુની આજ્ઞા લઈ ભરતેશ્વર મરીચિને વાંઠવા ગયા. તે વંદન કરતા એમ બોલ્યા : પ્રભુ ઋષભદેવ એમ કહે છે કે તમે મહાવીર નામના જિનરાજ થશો. ।।૩।। મહાવિદેઠે રે ચક્રવર્તી થો, આદિ નારાયણ આપ, તીર્થંકરની રે શક્તિ ગણી નમું, વરશો પૂજ્ય પ્રતાપ”. જાગો ૫૫૩ અર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં તમે ચક્રવર્તી થશો. તથા ભરતક્ષેત્રમાં પ્રથમ નારાયણ એટલે વાસુદેવ થશો. તીર્થંકર થઈ પૂજ્યતાને પામશો એવા તમારા પ્રતાપ અને શક્તિને માન આપી હું તમને નમન કરું છું. ૫૯૪૫ જાય અયોઘ્યા રે ભરત Ăપાલ તે; મરીચિ અતિ મલકાય, નાચે, કૂદે રે કુલમા પોષતાં, સમ્યક્ ભાવો ભુલાય – જાગો અર્થ :- પછી ભરત રાજા અયોધ્યામાં ગયા. પણ મરીચિ પોતાને મળનારી એવી ઉચ્ચ પદવીઓને સ્મરી બહુ મલકાયો. તે પોતાન ઇક્ષ્વાકુ કુળમદને પોષણ આપતો સમ્યક્ ભાવોને ભૂલી જઈ ખૂબ નાચ્યો, કૂદ્યો અને કહેવા લાગ્યો. ।।૫।। “આદિ દાઠા, પ્રથમ ચક્રી પિતા, હું ચક્રી વાસુદેવ, તીર્થંકરની રે પદી ય આવશે, અહો! દેવાધિદેવ.” જાગો અર્થ :— મારા દાદા આદિ એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ, મારા પિતાશ્રી ભરતેશ્વર તે પહેલા ચક્રવર્તી, હું ચક્રી અને વાસુદેવ થઈશ. વળી અહો! દેવાધિદેવ તીર્થંકરની પણ મને પદવી પ્રાપ્ત થશે. અમારુ ઈક્ષ્વાકું કુળ કેટલું ઊંચુ છે. ।।૬।। એમ મઢે તે ૐ ચઢીને બાંધતા, કર્માં લાંબાં અપાર, ગિરિથી ગંગા રે પી ઉદધ્ધિ જતાં શતમુખ બનતી, વિચાર. જાગો અર્થ :– એમ મરીચિએ મદમાં ચઢીને અપાર લાંબા કાળના કર્મો બાંધી દીધા. જેમ ગિરી ઉપરથી ગંગા નદી નીચે પડીને ઉદધિ એટલે સમુદ્રમાં ભળતાં તેના સેંકડો મુખ બની જાય તેમ મરીચિના સેંકડો ભવ વધી ગયા. ૧૯૬૫ ભરતે સ્વપ્રે રે મેરુગિરિ ડોલનો દીઠો અચાનક એમ, પૂછે પ્રભાતે ૨ે પુરોહિત-રત્નને : “આવ્યું સ્વપ્ન આ કેમ ?’’ જાગો અર્થ :– ભરતેશ્વરે સ્વપ્નામાં અચાનક મેરુપર્વતને ડોલતો દીઠો. પ્રભાતમાં રત્ન જેવા પુરોહિતને પૂછ્યું કે મને આવું સ્વપ્ન કેમ આવ્યું? ।।૮।। Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ પુરોહિતે રે જ્યોતિષથી કહ્યું : “થશે પ્રભુનું નિર્વાણ,” ભરત પધારે રે અષ્ટાપદે હવે, પગપાળા મૂર્કી માન. જાગો અર્થ • પુરોહિતે જ્યોતિષ વિદ્યાવડે કહ્યું કે પ્રભુનું નિર્વાણ થશે. તેથી ભરતેશ્વર હવે માન મૂકીને પગપાળા ચાલી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ।।૯૯॥ ૫૫૪ ઇન્દ્ર પથારે રે પ્રભુ પાસે હવે, આવે દેવો અનેક, પ્રભુ મુદ્રા તો રે ગંભીર, મૌન છે, ૫૨મ શાંત, સ્થિર છેક. જાગો અર્થ :– ઇન્દ્ર પણ પ્રભુ પાસે પધાર્યા. અનેક દેવો પણ આવ્યા. પ્રભુની મુદ્રા તો ગંભીર, મૌન, પરમશાંત અને સ્થિર છે. ।।૧૦૦।। અનશન-ધારી રે હજારો મુનિવરો, ઘ્યાને સર્વે ય લીન, શ્રેણી માંડી રે કેવળી સૌ થઈ, કર્મ કરે સૌ ક્ષીણ. જાગો અર્થ :– અનશન ધારણ કરીને હજારો મુનિવરો સર્વે ધ્યાનમાં લીન થઈ ગયા. શ્રેણી માંડી સર્વ કર્મોને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પામ્યા. ।।૧૦૧|| સુખ-આસને રે પ્રભુ બેઠા હતા, શુક્લ ઘ્યાને વિલીન, સ્તુતિ નિઃશબ્દ રે કરી સૌ ઉરમાં, રહે પ્રભુ-ચરણે લીન. જાગો અર્થ :– પ્રભુ સુખાસને ધ્યાનમાં બેઠા હતા. શુક્લ ધ્યાનમાં વિશેષ પ્રકારે તેઓ લીન હતા. પ્રભુને ધ્યાનસ્થ મુદ્રામાં નિહાળી તેમની શબ્દ વગર હૃદયમાં સ્તુતિ કરીને સર્વે પ્રભુના ચરણનું ધ્યાન કરતા લીન થયા. ||૧૦૨ સુંદર ગિરિ તે રે નીર-ઝરણાં ઝરે; પ્રભુ નિર્જરા સહિત, શોભે ગિરિ તે રે મૃગ-યૂથ-મધ્યમાં, તેમ મુનિસĂહે સ્થિત. જાગો॰ અર્થ = • સુંદર એવા કૈલાસ પર્વત ઉપરથી જેમ જળના ઝરણા ઝરતા શોભે તેમ પ્રભુ અઘાતીયા કર્મોની નિર્જરા કરતાં શોભે છે. જેમ મૃગના ટોળા મધ્યે પર્વત શોભે તેમ મુનિઓના સમૂહ મધ્યે સ્થિત એવા પ્રભુ શોભાને પામે છે. ।।૧૦૩।। ગિરિ પર નાચે રે મયૂર કળા કરી, પ્રભુ-ગુણ દીપે અનંત, બીજાં કર્યો રે આયુષ્યથી વધુ હોવાર્થી એ ભગવંત- જાગો॰ અર્થ : ગિરિ પર રહેલા મોરો જેમ કળા કરીને નૃત્ય કરે તેમ મનુષ્યોના મન પણ પ્રભુના અનંત દૈદિપ્યમાન ગુણો જોઈ આનંદ પામે છે. પ્રભુ, આયુષ્ય કર્મથી બીજા કર્મો વધુ હોવાના કારણે કેવળી સમુદ્દાત કરે છે. ૧૦૪॥ અપૂર્વ રીતે રે કર્મ સરખાં કરે, સમુદ્દાતે વિખ્યાત શીર પ્રમાણે રે દંડ-આકારથી, સ્પર્શી રહે લોકાંત. જાગો અર્થ :— અપૂર્વ રીતે પ્રભુ સર્વ અઘાતીયા કર્મોને સરખા કરે છે. જો નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં વધારે હોય તો નીચે પ્રમાણે સમુદ્દાત કરે છે. પ્રથમ સમયે આત્માના પ્રદેશો શરીર પ્રમાણે દંડનો આકાર થઈ ઉપર નીચે લોકના અંતને સ્પર્શે છે. ૧૦૫૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫ ૫ ૫ બીજે સમયે રે કપાટરૃપે બને, બેય પડખે વિસ્તાર, ત્રિભુવન ચરતો રે ભત-આકાર તે, સન્મુખ પૂંઠેય ઘાર- જાગો અર્થ :- બીજે સમયે આત્માના પ્રદેશો કપાટરૂપે બની, બેય પડખામાં ફેલાય છે. તે ભીંતનો આકાર જાણે ત્રણેય લોકને ચીરતો હોય એમ જણાય. તે આગળ અને પાછળ બન્ને બાજુ ફરે છે. ૧૦૬ાા તેવા રૂપે રે સમય ત્રીજે બને પ્રતર જાણે મંથાન, ચોથે સમયે રે લોક પૅરો પૅરે; વિપરીત રીતે સ્વસ્થાન. જાગો. અર્થ :- ઉપરોક્ત રીતે ત્રીજા સમયે આત્માના પ્રદેશો પ્રતર એટલે મંથાન અર્થાત્ ઝરણાના આકારે બની ચારે તરફ ફેલાય છે. ચોથા સમયે આત્માના પ્રદેશો સકળ લોકમાં ફેલાય છે. તેવી જ ક્રિયા વિપરીત થઈને આત્માના પ્રદેશો સ્વસ્થાનમાં પાછા આવે છે. ||૧૦ળા આઠ સમયમાં રે ક્રિયા બથી બને; પછી તો અયોગી થાય, ત્રણે શરીરનાં રે પિંજર છતાં રહે અડોલ ઋષભ જિનરાય. જાગો. અર્થ :- માત્ર આઠ સમયમાં જ આ ઉપરોક્ત ક્રિયા સર્વ બની જાય છે; અર્થાતુ ચાર સમય સમુદ્યાત થતા અને ચાર સમય તે ક્રિયાને પાછી સમેટતા થાય છે. પછી પ્રભુ અયોગી ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં કાર્મણ, તેજસ અને પરમ ઔદારિક આ ત્રણેય શરીરરૂપી પિંજરમાં રહેલા હોવા છતાં પણ તેમાં અડોલ પર્વતની જેમ ઋષભ જિનેશ્વર સ્થિર થાય છે. ૧૦૮ાા. પંચાક્ષરના રે લઘુ ઉચ્ચારનો કાળ અયોગી ગણાય, એક સમયમાં રે ઋજાગતિથી ગયા લોકાગ્રે જિનરાય. જાગો અર્થ :- અયોગી ગુણસ્થાનકમાં પ્રભુને રહેવાનો કાળ અ ઈ ઉ 28 છે આ પાંચ લઘુ અક્ષર બોલીએ તેટલો છે. પછી એક જ સમયમાં પ્રભુ 28જુ એટલે સરળ, સીથી ગતિથી લોકના અગ્રભાગ ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ||૧૦૯ાા. સાદિ-અનંતો રે કાળ એ મોક્ષનો, આત્મિક સુખે ગણાય, શુદ્ધ ગુણો સૌ રે પ્રગટ દીપે સદા, કેવળજ્ઞાને ભળાય. જાગો અર્થ - મોક્ષ, સાદિ એટલે આદિ સહિત છે પણ તેનો અંત નથી. માટે ત્યાં અનંતકાળ સુધી પ્રભુનો સમય આત્મિક સુખમાં વ્યતીત થાય છે. ત્યાં આત્માના સર્વ શુદ્ધ ગુણો સદા પ્રગટ દૈદિપ્યમાન છે; જે કેવળજ્ઞાનવડે જોઈ શકાય છે. ૧૧૦ના ઉત્સવ છેલ્લો રે ઇન્દ્રાદિ ઊજવે, સંસ્કારી જિન-દેહ, ઉત્તમ શિબિકા રે રર્થી તેમાં ઘરી, શિખરે લઈ જાય તેહ. જાગો. અર્થ - હવે પ્રભુનો છેલ્લો નિર્વાણ કલ્યાણક ઉત્સવ ઇન્દ્રો તથા દેવો વગેરે સર્વ ઊજવે છે. પ્રભુના દેહને ક્ષીર સમુદ્રના જળથી સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનના રસથી વિલેપન કરી, દેવદૂષ્ટ વસ્ત્રવડે ચોતરફથી વિભૂષિત કરી, સંસ્કારિત કર્યો. ઉત્તમ શિબિકાની રચના કરી તેમાં ઇન્દ્ર પ્રભુના શરીરને સ્થાપિત કર્યું. પછી વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇન્દ્રો વગેરે પ્રભુના દેહને અષ્ટાપદગિરિના શિખર ઉપર લઈ ગયા. ||૧૧૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કલ્પવૃક્ષનાં રે નવ-કુસુમો વડે વઘાવે દેવી-દેવ, પુષ્યપુંજથી રે પ્રભુનો દેહ તો, ન દેખાતો; શી સેવ! જાગો અર્થ – દેવ દેવીઓ કલ્પવૃક્ષના નવીન ફૂલોવડે પ્રભુના દેહને વધાવવા લાગ્યા. તેથી પુષ્પના પુંજોથી પ્રભુનો દેહ જ દેખાતો નથી. અહો! દેવોની પ્રભુ પ્રત્યે કેવી સેવા-ભક્તિ છે. ૧૧૨ કિન્નર-લલના રે ભક્તિ તણાં ગીતો કરુણરસે શું ગાય! નાગકુમારીરે નાચે કળા-ભરી, સૌને આશ્ચર્ય થાય. જાગો. અર્થ:- કિન્નર જાતિની દેવીઓ ભક્તિના ગીતો એવા કરુણરસથી ગાય કે સહુના હૃદયને સ્પર્શી જાય. વળી નાગકુમારી દેવીઓ એવી કળાથી નાચે કે જે જોઈ સૌને આશ્ચર્ય થાય. /૧૧૩iા. ચંદનકાષ્ઠ રે ચિંતા કરી રૅડી, પઘરાવે જિનદેહ, અગ્નિ-કુમારે રે મુકુટમણિ ઘસી પ્રભુ-પદે, લગાડી ચેહ. જાગો અર્થ :- ચંદના કાષ્ઠવડે રૂડી ચિતા બનાવી તેમાં પ્રભુના દેહને પથરાવ્યો. પછી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાએ પ્રભુના ચરણે પોતાનો મુકુટ મણિ ઘસીને ચેહ એટલે ચિતામાં અગ્નિનો સંચાર કર્યો. I૧૧૪. માનવભવ ના રે જાણે મળ્યો ગણી, થરથરે ભવ-ભયભીત, ત્રાસ સંસારે રે જ્વાળા પ્રભુ-પદે વળગે વાર અગણિત. જાગો અર્થ - મને માનવભવ મળ્યો નહીં એમ જાણીને સંસારના દુઃખોથી ત્રાસી ભયભીત થયેલી થરથરતી એવી જ્વાળા તે પ્રભુના ચરણમાં અગણિત વાર વળગવા લાગી, અર્થાત્ પ્રભુનું શરણ શોધવા લાગી. ૧૧૫ જમણી બાજુ રે ગણઘરો ની ચિતા પૂજ્ય, મનોહર રચાય, ડાબી બાજ રે સર્વે મુનિ તણી ઉત્તર ક્રિયા કરાય. જાગો અર્થ - પ્રભુની જમણી બાજુ પૂજ્ય ગણઘરોની મનોહર ચિતા રચાઈ તથા ડાબી બાજુ સર્વે મુનિઓની ઉત્તર ક્રિયા એટલે છેલ્લી અગ્નિદાહની ક્રિયા કરવામાં આવી. ||૧૧૬ાા. કપૂંર તથા ઘી રે જ્વાળા વઘારતાં ચિતામાંહિ હોમાય, જાય ઘૂમાડો રે ગગનમાં ઊડતો, શું અગ્નિ-મલ મુંકાય! જાગો. અર્થ :- અષ્ટાપદ પર્વત ઉપર દેવતાઓ ચિતામાં પુષ્કળ કપૂર તથા ઘી, જ્વાળાને વધારવા માટે હોમવા લાગ્યા. પ્રભુની ચિતાનો ધૂમાડો ઊડતો જાય છે. તે શું પ્રભુના દેહને સ્પર્શી અગ્નિનો મેલ ધૂમાડારૂપે થઈ ઊડી રહ્યો છે ! ૧૧ળા. ચૌદશ કાળી રે માહ માસે હતી, મશાલ સમો કેલાસ, દૂર દૂરથી રે દર્શન ઘણા કરે, જાણ કલ્યાણક ખાસ. જાગો. અર્થ - મહા મહિનાની કાળી ચૌદસના દિને પ્રભુના દેહનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત સળગેલી મશાલ જેવો જણાતો હતો. દૂરદૂરથી અગ્નિની જ્વાળાઓને જોઈ, પ્રભુનું ખાસ નિર્વાણ કલ્યાણક જાણીને ઘણા લોકો દર્શન કરતા હતા. ||૧૧૮ાા I Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ શિખર ફરતી રે પ્રદક્ષિણા કરે સુર નર ભક્તિ-યુક્ત, લોક ત્રણેમાં રે થોડી પળો લગી ઝબકે સુખ-વિદ્યુત. જાગો અર્થ :– દેવો તથા મનુષ્યો જ્યાં પ્રભુનું નિર્વાણ થયું તે અષ્ટાપદ પર્વતના શિખરની ભાવભક્તિસહિત ફરતી પ્રદક્ષિણા કરવા લાગ્યા. ભગવાનના નિર્વાણ કલ્યાણક સમયે ત્રણેય લોકમાં થોડી ક્ષણો સુધી સુખરૂપી વિજળીનો ઝબકારો થયો; અર્થાત્ સુખનું વેદન થયું. ।।૧૧૯।। સાગર-જળથી રે શાંત ચિંતા કરી, રાખ, અવશેષ પવિત્રલેતા લોકો રે ભાવ વિશેષથી, હરવા કર્યો વિચિત્ર. જાગો હે! જીવો રે મોહ કરો પરો. અર્થ :– જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ઘાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેષકુમાર દેવતાઓએ ક્ષીર સમુદ્રના જળથી ચિંતાગ્નિને શાંત કર્યો. પ્રભુના શરીરની રાખ તથા અસ્થિ આદિ અવશેષને પવિત્ર માની તેની પૂજા કરી, વિચિત્ર એવા કર્મોને હરવા માટે, વિશેષ ભાવભક્તિથી લોકો તેને લેવા લાગ્યા. હે ભવ્ય જીવો! કલ્યાણ કરવાનો આ અમૂલ્ય અવસર આવ્યો જાણી જાગૃત થાઓ અને આ મોહરૂપી અનાદિના મહા શત્રુનો હવે અવશ્ય પરાભવ કરો. ।।૧૨।। (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ૫૫૭ ભાગ-૭ (રાગ : અર્કપ્રભા સમ બોઘ પ્રભામાં, ઘ્યાન-પ્રિયા એ દિઠ્ઠી) * પિતા વિયોગે ભરતભુપ તો શોક-સમુદ્રે ઝીલે, શૂન્ય મને દેખે દેખાવો, રીઝે ન ગીત રસીલે રે પ્રભુજી, બોઘબળે ભવ તરીએ. અર્થ ઃ— પિતા શ્રી ઋષભજિનેશ્વર નિર્વાણ પામ્યા. તેથી તેમના વિયોગે ભરત મહારાજા શોક સમુદ્રમાં આવી પડ્યા. શૂન્ય મન થઈ બધા દ્રશ્યોને જુએ છે. રસપડે એવા રસીલા ગીતોથી પણ તેમનું મન આનંદ પામતું નથી. તેઓ કહેવા લાગ્યા : પ્રભુ અમને બોધ આપો. આપના બોધબળે અમે આ ભવ સમુદ્રને તરીએ છીએ. ।।૧।। વર્લ્ડ વિલાપે શોકાતુર તે : “આપ વિનાના ગમતું; યુગાદિદેવ હવે ના બોલે, અનાથ મુજ મન ભમતું રે. પ્રભુજી અર્થ :— શોકથી આતુર થયેલા ભરતરાજા વિલાપ કરતા કહેવા લાગ્યા : હે પ્રભુ! આપના વિના મને ગમતું નથી. ચોથા આરાની શરૂઆતમાં થયેલા એવા આ યુગના દેવાધિદેવ હવે બોલતા નથી. તેથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મારું આ મન અનાથ જેવું થઈને ભમ્યા કરે છે. રા. ત્રિભુવનના આઘાર હતા, પ્રભુ, આપ વિના અંઘારું, કોણ હવે આઘાર અમારો? શાથી શ્રેય અમારું રે? પ્રભુજી, અર્થ :- હે પ્રભુ! આપ ત્રણેય લોકના આઘાર હતા. આપ વિના બધે અંધારું છે. હવે અમારે આઘાર કોણ? અમારું શ્રેય એટલે કલ્યાણ હવે કોનાથી થાય? Iકા ઉત્તમ કુળમાં અઘમ રહ્યો હું આ સંસારે સડતો, કરુણા કરી ઉદ્ધાર કરો મુજ, રાખો નહીં રખડતો રે.” પ્રભુજી અર્થ - ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં હું અઘમ રહી આ સંસારમાં જ સડતો રહ્યો. હે પ્રભુ! હવે કરુણા કરી મારો ઉદ્ધાર કરો. મને હવે આ સંસારમાં રખડતો રાખો નહીં. કા. ઋષભસેન ગણથર કર કરુણા, આશ્વાસન દે : “ભાઈ, શોક તણો અવસર ના આજે, ઉત્સવ કરો અઠ્ઠાઈ રે. પ્રભુજી અર્થ - 28ષભસેન ગણઘર કરુણા કરીને ભરતરાજાને આશ્વાસન આપતા બોલ્યા કે ભાઈ! આજે આ શોક કરવાનો અવસર નથી. પ્રભુ શાશ્વત સુખરૂપ મોક્ષપદને પામ્યા માટે તેનો અઠ્ઠાઈ મહોત્સવ કરવો ઉચિત છે. પાા ભવ ઘરતા મરતા તે મૂઆ, પ્રભુ તો જીવે નિત્યે, અજર-અમરતા પામ્યા તેનો ઉત્સવ કરવો પ્રીતે રે. પ્રભુજી અર્થ :- જે નવા ભવ ઘારણ કરવા મરે તે જ ખરેખર મૂઆ છે. જ્યારે પ્રભુ તો આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામવાથી નિત્ય જીવતા રહેશે. તેઓ અજર અમર પદને પામ્યા છે. માટે તેનો પ્રીતિપૂર્વક નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. કા. નિરુપમ મોક્ષ-પદે પ્રભુ પહોંચ્યા, ભવસંકટ ઓળંગી, સમજુ છો, સંતોષ-સમયમાં ન રહો વિષાદ-રંગી રે. પ્રભુજી અર્થ - પ્રભુ તો ત્રિવિધ તાપાગ્નિરૂપ ભવસંકટને ઓળંગી જેની ઉપમા પણ ન આપી શકાય એવા મોક્ષસ્થાનમાં પહોંચ્યા છે. માટે ભરત! તમે સમજુ છો, તેથી આવા સંતોષ અનુભવવાના સમયમાં વિષાદ એટલે ખેદના રંગવાળા પરિણામ મનમાં ન લાવો. આશા ચરમ-શરીરી છીએ આપણે, સમજ્યા સ્વરૃપ કૃપાથી, તે જ રીતે સિદ્ધિપદ વરીશું અંતર-કાળ જવાથી રે. પ્રભુજી અર્થ :- આપણે ચરમ-શરીરી છીએ. આપણા માટે આ છેલ્લો અવતાર છે. પ્રભુ ઋષભદેવની કૃપાથી આપણે આત્મસ્વરૂપને સમજ્યા છીએ. તે જ રીતે અંતર-કાળ એટલે સમયનો અંતર પૂરો થયે આ જ ભવે સિદ્ધિપદ એટલે મોક્ષરૂપી લક્ષ્મીને વરીશું. ||૮|| મોક્ષ-ભાવના ફળી પિતાની, શોક ઘટે નહિ જરીયે, માત્ર શત્રુજન શોક કરે કદ, સ્વજન સર્વ સુખ ઘરિયે રે. પ્રભુજી Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૫૯ અર્થ :- પિતા શ્રી ઋષભદેવની મોક્ષ મેળવવાની જ ભાવના હતી તે ફળી. માટે તે સંબંધી કિંચિત પણ શોક કરવો ઘટારત નથી. માત્ર કોઈ શત્રુ હોય તે બીજાને સુખી જોઈ કદી શોક કરે; પણ આપણે તો પ્રભુના સ્વજન છીએ માટે પ્રભુ અનંતસુખને પામ્યા એમ જાણી સર્વને આનંદ થવો જોઈએ. લા. પિતા-સ્નેહ તો અલ્પ સમયનો, સ્નેહ દેવનો લાંબો, ગર્ભકાળથી સેવા કરતા, જાણી અમૃત-આંબો રે. પ્રભુજી અર્થ - આપણો પિતા તરીકેનો સ્નેહ તો અલ્પ સમયનો છે, જ્યારે દેવોનો ભગવાન પ્રત્યેનો સ્નેહ તો ઘણા લાંબા કાળનો છે. તે દેવો, ઇન્દ્રો આદિ ભગવાનને અમૃતનો આંબો જાણી ગર્ભકાળથી તેમની સેવા કરે છે. ||૧૦ના. ગાઢ ભક્ત સુર ભસ્મ કરી તન, નૃત્યાનંદ કરે છે, વીતી વાત વિસારી, ભક્તિ કરતાં શોક ટળે છે રે. પ્રભુજી અર્થ - એવા ગાઢ ભક્ત દેવો પણ ભગવાનના શરીરનો અગ્નિસંસ્કાર કરી, નિર્વાણકલ્યાણક નિમિત્તે નૃત્ય કરી આનંદ કરે છે. તેમ તમે પણ ભગવાનનો દેહ છૂટી ગયો એ વાતને વિસારી ભગવાનના શાશ્વત શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરી તેમની ભક્તિ કરો તેથી તમારો પણ આ શોક ટળી જશે. ૧૧ાા પિતા પ્રથમ જિન, તમે ત્રિજ્ઞાની, શાને શોક વઘારો? શીધ્ર ઇન્દ્ર અગાઉ મોક્ષે આપ જનાર, વિચારો રે. પ્રભુજી અર્થ - આપણા પિતા આ અવસર્પિણી કાળના પ્રથમ જિનેશ્વર છે. અને તમે મતિશ્રુતઅવધિ એવા ત્રણ જ્ઞાનના ઘર્તા છો. તો આ શોકને હવે શા માટે વઘારો છો. ઇન્દ્ર કરતાં પણ આપ પહેલા શી મોક્ષે જનાર છો; તેનો વિચાર કરો. ||૧૨ાા તમે સંસારસ્વફૅપ સમજો છો, હે! ભરતેશ્વર ભાઈ, કર્મ-ભારથી ભૂલો શાને? કોને કોની સગાઈ રે? પ્રભુજી, અર્થ - હે! ભરતેશ્વર ભાઈ, તમે તો આ સંસારનું સ્વરૂપ સમજો છો. તો કર્મના ભારથી હવે કેમ ભૂલો છો? આ સંસારમાં કોને કોની સગાઈ શાશ્વત રહી છે? I૧૩. અનંતકાળથી ભવ ભમતાં બહુ માતપિતા તો મળિયાં, મોહવશે મારાં માન્યાથી, નહિ ભવ-ફેરા ટળિયા રે. પ્રભુજી અર્થ - અનંતકાળથી આ સંસારમાં ભટકતાં ઘણા માતાપિતા મળ્યા. તેમને મોહવશ મારા માન્યાથી આ સંસારમાં જન્મમરણના ફેરા હજુ ટળ્યા નથી. /૧૪|| ઋષભદેવ ત્રિભુવનપતિનું તન કર્માધીન હતું તે, સદા રહે નહિ તે તો જાણો, કર્મો ગયે જતું તે રે. પ્રભુજી, અર્થ - ત્રિભુવનપતિ શ્રી ઋષભદેવનું શરીર તો કર્માઘાન મળેલું હતું. તે સદા રહી શકે નહીં એ તો તમે જાણો છો. કર્મો નાશ પામે તે શરીર પણ જતું રહે છે. /૧૫ જ્ઞાની ત્યાજ્ય ગણે શરીરાદિક, શરીર જણાતું નજરે, દર્શન હૃદયે નિત્ય કરીને, સુજ્ઞ શોક પરિહરે રે. પ્રભુજી શા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- જ્ઞાની પુરુષો તો આ શરીર કુટુંબાદિને તજવા યોગ્ય ગણે છે. તે શરીર આપણને નજરે દેખાય છે. તે શરીર ઉપરથી તેમાં રહેલ તેમના શુદ્ધ આત્માનું ભાવથી હૃદયમાં હમેશાં દર્શન કરીને, સુજ્ઞ એટલે સમજુ પુરુષો પોતાના શોકને પરિહરે છે. ૧૬ એમ યથાર્થ વિચારી ઉરે વિમલ બોઘ-ઘારાથી, દાવાનલ સમ શોક શમાવો, વાત વતી ર્વીસર્યાથી રે.” પ્રભુજી અર્થ - એમ જ્ઞાની પુરુષની નિર્મળ બોઘારાવડે શરીર તથા આત્માનું યથાર્થ સ્વરૂપ હૃદયમાં વિચારી આ દાવાનલ સમાન શોકને શમાવો અને જે વાત વીતી ગઈ છે તેને હવે વિસારી દો. ૧ળા ગણઘર-વાણી મઘુરી સુણી, ભરતઓં શોક શમાવે, ચિંતા તર્જી, શિક્ષા અંતર સર્જી, શિર ગુરુ-પદે નમાવે રે. પ્રભુજી, અર્થ – શ્રી ઋષભસેન ગણઘરની અમૃત જેવી મધુરી વાણીને સાંભળી ભરતજીએ શોક શમાવ્યો. તેથી ચિંતા તજી, મળેલ શિક્ષાને અંતરમાં ઉતારી શ્રી ગુરુના ચરણકમળમાં પોતાનું શિર નમાવ્યું. ૧૮. સુર સુરપતિ સહ મુનિ સૌ વંદી, સ્તૂપ રચી ચિતા-સ્થાને ગયા સ્વસ્થાને, ભરતપતિ પણ ઘન્ય ભાગ્ય નિજ માને રે. પ્રભુજી અર્થ :- દેવો ઇન્દ્રની સાથે સર્વ મુનિઓને વંદન કરી, તથા પ્રભુના ચિતા એટલે અગ્નિસંસ્કાર સ્થાને સ્તૂપ એટલે ઘુમ્મટ સાથે દેરીની રચના કરી બઘા સ્વસ્થાને ગયા. ભરતરાજા પણ આ બધું નીરખી પોતાના ઘન્ય ભાગ્ય માનવા લાગ્યા. ||૧૯મી જિનપતિ-પિતા-સ્મારક કાજે, વર્થક-રત્ન-મદદથી, સિંહ-નિષદ્યા નામે મંદિર, બાંઘે ઘન બેહદથી. પ્રભુજી અર્થ - જિનેશ્વર પિતાના સ્મારક અર્થે, વર્ઘકિ-રત્નની મદદથી બેહદ ઘન ખર્ચીને શ્રી ભરતેશ્વરે સિંહ-નિષદ્યા નામનું ત્યાં એક મહામંદિર રત્નમય પાષાણથી બંઘાવ્યું. /૨૦ાા ચોવીસે જિન-રત્ન-પ્રતિમા, મૂળ દેહના માપે, ભક્તિ કરતી ભરત-પ્રતિમા, અષ્ટાપદ પર સ્થાપે રે. પ્રભુજી, અર્થ - તે મહામંદિરમાં ચોવીસે જિનેશ્વરોના મૂળ દેહના માપની તથા પોતપોતાના દેહના વર્ણને ઘારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજેલા હોય તેવી ઋષભસ્વામી આદિ ચોવીસ અહંતોની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપિત કરી. તથા ભગવાનની ભક્તિ કરતી એક પોતાની પ્રતિમા પણ શ્રી ભરતેશ્વરે અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી. ભક્તિમાં અવૃતિનું એ એક ચિત્ર છે. ૨૧ાા. દંડ-રત્નથી પર્વત છોલી, સ્તંભ સમો તે ઘડતા, યોજન ઊંચાં આઠ પગથિયે ગિરિ અષ્ટાપદ વદતા રે. પ્રભુજી અર્થ - શ્રી ભરત ચક્રવર્તીની આજ્ઞાથી દંડ-રત્નવડે તે અષ્ટાપદ પર્વતને છોલી સ્તંભ સમાન તેનું ઘડતર કર્યું. પછી તે પર્વતને ફરતા એક એક યોજન ઊંચા આઠ પગથિઆ બનાવ્યા. ત્યારથી લોકો તેને અષ્ટાપદ પર્વતના નામે ઓળખવા લાગ્યા. ૨૨ાા Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૧ તેથી તીર્થ અગમ્ય થયું તે સ્ફટિક-શિખર જન દેખે, સ્ફટિકાદ્રિ, કૈલાસ કહે જન, અતિશય તીર્થ જ લેખે રે. પ્રભુજી અર્થ – એક એક યોજન ઊંચા પગથિઆના કારણે તે અષ્ટાપદ અગમ્ય તીર્થ બની ગયું. તે ઉપર મનુષ્યો જઈ શકે નહીં. પણ તેનું સ્ફટિક જેવું શિખર જોઈને લોકો તેને સ્ફટિકાદ્રિ એટલે સ્ફટિક જેવો અદ્રિ કહેતા પર્વત તથા કૈલાસ પર્વત પણ કહેવા લાગ્યા. તે અષ્ટાપદ તીર્થને લોકો અતિશયવાળું મહાન તીર્થ ગણવા લાગ્યા. //ર૩ll. પ્રથમ પૂજૉ કરી ભરતજીં હર્ષે સ્તવે ઋષભ સ્વામીને, જાણે પ્રગટ પ્રભુની સામે બોલે ઊભા રહીને રે : પ્રભુને અર્થ - મંદિરમાં સર્વ તીર્થંકર પ્રતિમાઓની પ્રથમ પૂજા શ્રી ભરતજીએ કરી. પછી તેઓ શ્રી ઋષભસ્વામીને હર્ષોલ્લાસપૂર્વક સ્તવવા લાગ્યા ત્યારે જાણે પ્રત્યક્ષ પ્રભુની સામે જ ઊભા રહીને બોલતા હોય એમ જણાયુ. ||૨૪|| “જગ-સુખ-સાગર અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી, સચરાચર-જગ-ઉન્નતિ-કર્તા, અમને લ્યો ઉદ્ધારી રે. પ્રભુજી અર્થ – સ્તુતિ કરતા પ્રભુ પ્રત્યે ભરત ચક્રી બોલ્યા કે હે પ્રભુ! આપ જગતના જીવોને સુખ આપવામાં સાગર સમાન ઉપકારી છો, સૂર્ય સમાન વિશ્વનું હિત કરનારા છો. જગતમાં રહેલા સચર એટલે હાલતા ચાલતા તથા અચર એટલે એકેન્દ્રિયાદિ સર્વ જીવોની આપ ઉન્નતિ કરનાર છો. માટે અમારો પણ હે પ્રભુ આપ ઉદ્ધાર કરો. રપા નરકે પણ ક્ષણ સુખની લહાણી, પ્રતિ-કલ્યાણક કાળે પહોંચે પ્રભુજી આપ પ્રભાવે; સુદ્રષ્ટિ તમને ભાળે રે. પ્રભુજી અર્થ - ભગવાનના પ્રત્યેક કલ્યાણક કાળે નરકમાં પણ ક્ષણ માત્ર સુખની લ્હાણી આપ પ્રભુજીના પ્રભાવે થાય છે. તે વખતે નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિ જીવો તમારી સ્મૃતિને પામે છે. ૨૬ાા આર્ય-અનાર્ય જનોને સરખા, પવન સમા ઉપકારી; મોક્ષ વિષે ઉપકારી કોને? ત્યાં ગયા શું વિચારી રે? પ્રભુજી અર્થ - હે પ્રભુ! આપ અહીં હતા ત્યારે આર્ય અનાર્ય સર્વ જનોને પવન સમાન સરખા ઉપકારી હતા. હવે મોક્ષમાં આપ કોનો ઉપકાર કરી શકો? ત્યાં શું વિચારીને ગયા? ગરબા આપ પ્રતાપે ઉત્તમ તે સ્થળ, મર્ય-લોક આ સાચો, વિશ્વ-હિતકર બોઘ તમારો, તેમાં મુજ મન રાચો રે. પ્રભુજી અર્થ - આપના પ્રતાપે આ મૃત્યુલોક પણ ઉત્તમ છે કે જે સ્થળમાં આપનો આખા વિશ્વને હિતકારી બોઘ મળી શકે. મારું મન તો આપના બોઘમાં જ રાચી રહો એમ ઇચ્છું છું. ૨૮ાા બોઘરૃપી કર લંબાવીને પ્રગટ હજી, પ્રભુ, તારો, રૂપસ્થ-ધ્યાને પ્રગટ દસો છો, એ આઘાર અમારો રે. પ્રભુજી અર્થ – હે પ્રભુ! બોઘરૂપી પ્રગટ હાથ લંબાવીને હજી મને તારો. રૂપસ્થ-ધ્યાને એટલે મૂર્તિસ્વરૂપે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ આપનું રૂપ આજે પણ પ્રગટ દેખાય છે. એ અમારે આધારરૂપ છે. તેના આઘારે અમે તમારા ગુણોનું ધ્યાન કરીએ છીએ. ।।૨૯।। મમતારહિત થઈ પ્રભુ, આપે સૌ સંસાર તજ્યો છે, તોપણ મુજ મન તમે તજો ના, મેં વિચાર ભજ્યો એ રે.” પ્રભુજી અર્થ :— મમતારહિત થઈ હે પ્રુભ! આપે સકળ સંસારનો ત્યાગ કર્યો છે. તો પણ મારા મનમાંથી - આપ જશો નહીં. એ વિચારને મેં ભજ્યો છે, અર્થાત્ વારંવાર વિચારીને મેં दृढ કર્યો છે. ।।૩૦।। ચોવીસે જિન સ્તવી અયોધ્યા, ગયા ઉદાર્સીન મનથી, સમજાવે મંત્રી સૌ મળીને, નૃપને શાંત વચનથી રે : પ્રભુજી અર્થ :– ભરતચક્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસેય જિનેશ્વરોને ભાવભક્તિપૂર્વક સ્તવી ઉદાસીન મનથી અયોધ્યા ગયા. ત્યાં સર્વ મંત્રીઓ ભેગા થઈ શાંત વચનથી ભરતરાજાને સમજાવા લાગ્યા. ||૩૧|| “હે ભરતેશ્વર, ઋષભપિતાએ, વ્યવહા૨નીતિ ચલાવી, પશુ સમ જનને શિખામણ દઈ, દયા ઉરે અતિ લાવી રે, પ્રભુજી અર્થ ઃ— હે ભરતેશ્વર ! ઋષભપિતાએ વ્યવહારનીતિ ચલાવી પશુને જેમ શિક્ષા આપે તેમ યુગલિકોને હૃદયમાં અત્યંત દયા લાવી સર્વ શિખામણ આપી છે. ।।૩૨।। દીક્ષા લઈ, કેવળપદ પામી, બહુ જન ઘર્મી બનાવ્યા, કૃતકૃત્ય થઈ, બહુ જન સંગે, મોક્ષનગર સિધાવ્યા રે. પ્રભુજી અર્થ :— અવસર આવ્યે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, તીર્થંકર થઈને ઘણા જીવોને ધર્મી બનાવ્યા. = અંતે કરવાનું છે તે સર્વ કરી લઈ ઘણા જીવોની સાથે પ્રભુ મોક્ષનગરે પધાર્યા છે. ।।૩૩।। પરમ પ્રભુને પગલે ચાલો, શોક કર્યું શું વળશે? ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે.” પ્રભુજી અર્થ :– એવા મહાન પ્રભુને પગલે ચાલવામાં આપણું હિત છે. શોક કરવાથી કંઈ વળે એમ નથી. ભગવાનના ઉત્તમ ગુણોને અંગીકાર કરવાથી આપણા દોષો ટળશે. ।।૩૪। શોકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે, ‘જિનપતિ, જિનપતિ’ જપતાં જપતાં, સ્વરૂપ-સુખ તે ચાખે રે. પ્રભુજી અર્થ :— શોકાકુલ મનને શાંત કરી જો પ્રભુ ભક્તિમાં રાખે તથા જિનપતિ, જિનપતિ નામનો જાપ જપ્યા કરે તો પોતાના સ્વરૂપ-સુખનો સ્વાદ ચાખી શકે. ।।૩૫।। વાઘ, નૃત્ય, નાટક, સંગીતે વચન તનું વર્તાવે, વૈરાગ્યે ભરપૂર ભરત-ઉર, ક્યાંય મીઠાશ ન લાવે રે, પ્રભુજી અર્થ :– વાદ્ય એટલે વાજિંત્ર, નૃત્ય, નાટક કે સંગીત આદિમાં વચન અને શરીર પ્રવર્તાવવા છતાં ભરતેશ્વરનું હૃદય વૈરાગ્યવડે ભરપૂર હોવાથી કોઈ પદાર્થમાં મીઠાશ લાવતું નથી. અર્થાત્ આસક્તિ પામતું નથી. ।।૩૬।। Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૩ એક દિવસ આદર્શ ભુવનમાં, પૂર્ણ શરીર શણગારી, ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી રે. પ્રભુજી અર્થ – એક દિવસ આદર્શ એટલે અરિસા ભુવનમાં શરીરનો પૂર્ણ શણગાર સજી ભરતેશ્વરે પોતાનું રૂપ નિહાળ્યું. તે જોતાં જ વિચાર જન્મ્યો તે ભરતરાજાની સમજણની બલિહારી સૂચવે છે. ||૩ળા મયૂર કળા કરી નીચું જોતાં, તુચ્છ પિચ્છ સમ સરતી અંગુલીથી રત્ન-મુદ્રિકા, કાર્ય અપૂર્વ સેંચવતી રે. પ્રભુજી અર્થ :- જેમ મોર કળા કરી નાચ કરતો હોય ત્યારે તુચ્છ એવું એક પીંછુ સરી પડે તેમ ભરતેશ્વરની આંગળીમાંથી રત્નની મુદ્રિકા એટલે વીંટી સરી પડી. તે અપૂર્વ એવા આત્મકાર્યને સૂચવનારી સિદ્ધ થઈ. ૩૮ાા. ચંદ્ર-કલા ચંદ્રિકા વિના, દીસે દિવસે જેવી, દર્પણમાં અંગુલી દેખી, ભરતે અશોભે એવી રે. પ્રભુજી અર્થ - જેમ ચંદ્રની કલાઓ ચંદ્રિકા એટલે ચાંદની વિના, દિવસમાં શોભા પામે નહીં, તેમ ભરતરાજાએ મુદ્રિકા વિનાની આંગળીને દર્પણમાં અશોભ્યમાન દીઠી. ૩૯ો. કારણ શોથી નીચે જોતાં પતિત મુદ્રિકા દેખે, વિચાર-માળા ત્યાં ઊભરાતી, સમજણ લાવે લેખે રે. પ્રભુજી અર્થ :- અહો! આ આંગળી શોભા રહિત કેમ છે? તેનું કારણ શોથી નીચે જોતા મુદ્રિકાને પડેલી દીઠી. તે જોઈને વિચારની હારમાળા એક પછી એક ઊભરાવા લાગી. તેના ફળસ્વરૂપે ભરતેશ્વરે પોતાની સમ્યક્રસમજણને લેખે લગાડી દીધી. ૪૦. અદભુત વિચાર-પ્રેરક થઈ તે : “અશોભ્યતા છે શાની? પ્રમાણભેંત કરી સમજ આજે, વીંટી શાની નિશાની રે?” પ્રભુજી અર્થ - તે મુદ્રિકા અદ્ભુત વિચારને પ્રેરણા આપનાર સિદ્ધ થઈ. આ આંગળીની અસુંદરતા ખરેખર શાને લઈને છે? તેનું પ્રમાણ શોથી આ વાતને જેમ છે તેમ આજે સમજુ કે આ વીંટી શાની નિશાની છે? એનાવડે હાથ શોભે છે કે કોઈ બીજી રીતે? I૪૧ના એમ વિચારી અન્ય અંગુલી, વીંટી રહિત કરે છે, તે પણ તેવી અડવી લાગે, અશોભે હાથ ઠરે છે રે. પ્રભુજી અર્થ :- એમ વિચારી ભરતેશ્વરે બીજી આંગળીને પણ વીંટીરહિત કરી કે તે પણ તેવી જ અડવી જણાઈ અર્થાતુ હાથ અશોભ્યમાન ઠર્યો. ૪રા મણિ વિનાના ફણી સમા કર દેખી, મુકુટ ઉતારે, કલશ વિના દેવાલય જેવી શરીર શોભા ઘારે રે. પ્રભુજી અર્થ - મણિ વિના સર્પની ફણા જેવા હાથ અશોભમાન જોઈ, ભરતેશ્વરે મસ્તક ઉપરથી માણિક્યનો મુકુટ ઉતાર્યો કે જેમ કલશ વિના દેવાલય શોભે નહીં. તેમ મુકુટ વિના શરીર શોભારહિત જણાયું. [૪૩. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ દૂર ગળચવો કરતાં ગ્રીવા, સલિલ વિના ની કેવી? હાર ઉતાર્યું ઉરની શોભા, તારા વણ નભ જેવી રે. પ્રભુજી અર્થ :— ગળચવો એટલે પુરુષના ગળાનું એક ઘરેણું તે દૂર કરતાં ગ્રીવા એટલે ગરદનની શોભા તે સલિલ એટલે પાણી વિનાની નદી જેવી શોભારહિત જણાઈ. તથા હાર ઉતારવાથી હૃદયની શોભા તે તારા વગરના આકાશ જેવી શૂન્ય ભાસવા લાગી. ।।૪૪।। ચરણ-સાંકળાં કાઢી લેતાં પગ દંતૂશળ જાણે, પાનરહિત તરુ સમ સર્વાંગે ભૂષણ તજી પ્રમાણે રે. પ્રભુજી અર્થ :— પગમાંથી સાંકળા કાઢી લેતા તે પગ દંશળ એટલે હાથીના દાંત જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગના આભૂષણોનો ત્યાગ કરવાથી પાનથી રહિત વૃક્ષની જેમ, શોભારહિત થયેલા પોતાના શરીરને જોઈ, ખરેખર શોભા કોને લઈને છે તે વાત પ્રમાણભૂત થઈ ગઈ. ૪૫૦ હવે વિચારે : વીંટી માટી ખાણ તણી, રૂપાળી મુદ્રિકા બની તેની શોભા કરી કલ્પના ભાળી રે. પ્રભુજી = અર્થ :– હવે ભરતેશ્વર વિચારે છે કે માટીના કણ સાથે મળેલ સોનું તથા જમીનની ખાણમાંથી નીકળેલ હીરા માણેકની બનેલી વીંટી તે પણ માટીની ખાણ સમાન છે. હીરા માર્ગેકને સોનામાં જડી તેને રૂપાળી મુદ્રિકા બનાવી, તેને હાથમાં પહેરી સુંદરતાની કલ્પના કરી તે વડે મેં શરીરની શોભા જાણી. ।।૪૬॥ સરી પડી ત્યાં ભ્રુદું દીઠું ; સૌ સંયોગો એવા, પ્રયોગ કરી આ જાણી લીધું, પંખી મેળા જેવા રે. પ્રભુજી અર્થ :— તે મુદ્રિકા હાથમાંથી સરી પડી કે કંઈ જુદું દીઠું અર્થાત્ તે હાથની શોભા હણાઈ ગઈ. એમ જગતના સર્વ સંયોગો ક્ષણિક અને અને નાશવંત છે. આ આજે પ્રયોગ કરી જાણી લીધું. સર્વ પંખીના મેળા જેવું છે. જે આજે છે તે કાળે નથી. ।।૪૭ના અર્થ : અલંકારિત અંગુલીથી શોભા હાથ તણી છે, હાથ વડે તન-શોભા માની, શોભા મારી ગણી એ રે. પ્રભુજી - અર્થ :– મુદ્રિકાઓથી શન્નગારેલ આંગળીઓ વડે હાથ શોભે છે. હાથ વડે આ શરીર શોભે છે. તે શરીરની શોભાને હું મારી શોભા ગણું છું. ૪૮) અતિ વિસ્મયતા! મારી મનાતી, સુંદર કાંતિ કેવી? રત્ન-ભૂષણો, પટ બે-રંગી ધરતાં શોભે તેવી રે. પ્રભુજી અર્થ :— અત્યંત આશ્ચર્ય છે કે આ મારી મનાતી સુંદર કાંતિ કોને લઈને છે? તો કે રત્નના બનેલા = આભૂષણો વડે તથા રંગબેરંગી પટ એટલે કપડા ધારણ કરવાથી તે શોભા આપે છે. ।।૪૯ ત્વચા મનોહર દેખાડે એ, શરીર-ગુપ્તતા ઢાંકે, નગ્નપણું ના ગમતું તેથી, કળા કરી રાય-રાંકે રે. પ્રભુજી સુંદર ક્રાંતિને બતાવનાર મનોહર ત્વચા એટલે ચામડી છે. તથા કપડા તે શરીરની Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૫ ગુપ્તતાને ઢાંકે છે. નગ્નપણું શોભાસ્પદ નથી, તે ગમતું નથી. માટે રાય-રંક એટલે રાજા અને ગરીબ સર્વ લોકોએ તે નગ્નતાની અશોભાને ઢાંકવા તથા કૃત્રિમ શોભા બતાવવા માટે આભૂષણોનો ઉપયોગ કરી કળા કરેલ છે. I/૫૦ના શરીર ખરેખર! મળ-મૂત્રાદિક મલિન માલનો બોજો, હાડ-માંસના માળા ઉપર, નાડી-વેલ ચઢ, જોજો રે. પ્રભુજી અર્થ :- આ શરીર ખરેખર જોતાં મળ-મૂત્રાદિક મલિન માલનો જ બોજો છે. તેને આ જીવ ઉપાડીને ફરે છે. આ શરીર હાડ-માંસનો માળો છે. તેના ઉપર નાડીઓરૂપી વેલો ચઢેલી છે. આપના શી વિપરીતતા! યુગલ-પુંજે, મમતા શાની માનું? પરથી શોભે શરીર તો પર, માનું મારું શાનું રે? પ્રભુજી અર્થ:- અહો! કેવી વિપરીતતા! આ પુદ્ગલના પુંજથી બનેલ શરીરમાં હું શાની મમતા કરું છું? આ શરીર પર વસ્તુથી શોભે છે માટે તે પરનું છે. એને હું મારું કેવી રીતે માનું? પરા વિચિત્રતા શી! મમતા માની, વૃથા વેઠતો દુઃખો; શરીર તજી આત્મા ઉડી જાશે, સ્વપસમાં સૌ સુખો રે. પ્રભુજી અર્થ – અહો કેવી વિચિત્રતા, કેવી ભ્રમણા, કેવી ભૂલ કે આ શરીરને મારું માની હું તેના નિમિત્તે વૃથા અનેક પ્રકારના દુઃખો વેઠું છું. કેમકે મારો આત્મા જ્યારે આ શરીરને અહીં જ મૂકી પરલોકે જશે, ત્યારે આ દેહવડે મેળવેલા સર્વ ભૌતિક સુખો તો સ્વપ્ન જેવા થઈ જશે. //પ૩. અંતે શબ બની પડી રહે આ, શંકા એમાં શાની? અત્યારે પણ એ ના જાણે; શબમાં મમતા માની રે. પ્રભુજી અર્થ – અંતે આ કાયા મડદુ બની અહી જ પડી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે પણ આ કાયા કંઈ જાણતી નથી. છતાં મડદા જેવી આ કાયાને જીવે પોતાની માની છે. પ૪. પૂર્વે હર્તા નહિ કાયા મારી, ભાવિમાં ન થવાની, વર્તમાનમાં મારી માની, પણ તે જહૅર જવાની રે. પ્રભુજી અર્થ :- પૂર્વ જન્મમાં આ કાયા મારી નહોતી. ભવિષ્યમાં પણ આયુષ્ય પૂરું થયે આ મારી થવાની નથી. વર્તમાનમાં મેં એને મારી માની છે, પણ તે જરૂર જવાની છે અર્થાત્ એક દિવસે મરણ આવ્યું આ કાયાનો અવશ્ય વિયોગ થશે. પપા થઈના, છે નહિ, થશે નહીં મુજ, મૂર્ણપણે મુજ માનું, કાયા-માયા કરી પરી આ, માનું જે ન જવાનું રે. પ્રભુજી અર્થ:- આ કાયા મારી થઈ નહીં, છે નહીં અને થશે પણ નહીં; છતાં મૂર્ખની જેમ તેને મારી માનું છું, માટે હવે આ કાયાની મોહમાયાને પરી એટલે દૂર કરીને જે કદી મારાથી દૂર જાય નહીં એવા આત્માને જ મારો માનું. પા. મારી કદીયે થતી નથી તો, ઉચિત ન એના થાવું, “મારી મારી કરી મરું પણ, અંતે તર્જીને જાવું રે. પ્રભુજી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આ કાયા મારી કદી પણ થતી નથી, તો મારે પણ એના થવું ઉચિત નથી. આ કાયા મારી છે, મારી છે, એમ કરતાં મરી જાઉં છું, છતાં તે મારી થતી નથી. અને અંતે તેને અહીં જ મૂકીને જવું પડે છે. પણ જ્યારે મારી નહિ એ ત્યારે હું એનો નહિ, ઘારું; વિવેકબુદ્ધિ એમ કહે છે, દૃઢતા કરી વિચારું રે. પ્રભુજી અર્થ - જ્યારે આ કાયા મારી નહીં ત્યારે હું પણ એનો નહીં એ વાતને મનમાં ઘારી રાખું. હિતાહિતના ભાનવાળી વિવેકબુદ્ધિ એમ કહે છે. માટે એ વાતને મનમાં દ્રઢ કરી તેના ઉપર ખૂબ વિચાર કરું. ||૫૮ જગમાં જે પર અતુલ્ય પ્રીતિ, તે ના નીકળી મારી, તો પરની કાયા પર માયા, ભ્રાન્તિની બીમારી રે. પ્રભુજી અર્થ :- જગતમાં જે ઉપર અમાપ પ્રેમ છે એવી કાયા પણ જ્યારે મારી થઈ નહીં, તો પરની કાયા ઉપર મોહ કરવો તે તો ખરેખર આત્મભ્રાંતિની બીમારીને જ વધારનાર છે, અર્થાતુ દેહાધ્યાસને ગાઢ કરનાર છે. //પલા. અહો! બહું હું બૅલી ગયો આ મોહ-મદિરા-છાકે, શા શા મેં સંબંધો બાંધ્યા? માથે મૃત્યુ તાકે રે. પ્રભુજી અર્થ - અહો! આ મોહરૂપી મદિરાના છાકે અર્થાત્ નશામાં હું બધું ભૂલી ગયો. મેં કેવા કેવા સંબંધો બાંધ્યા; જ્યારે માથે તો મૃત્યુ તાકી રહ્યું છે. //૬olી. અહો! કેટલીય યુવતી-સંખ્યા, સંખ્યાબંઘ તનુજો, અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ, રાજ્ય છ ખંડ તણું જો રે. પ્રભુજી અર્થ - અહો! સ્ત્રીઓની સંખ્યા કેટલી, સંખ્યાબંધ તનુજો એટલે પુત્રો, અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ તથા છ ખંડનું રાજ્ય; કેટલી બધી ઉપાધિ ભોગવું છું. એમ ભરત ચક્રવર્તી વિચારે છે. ૬૧ાા લેશ માત્ર મારું નહિ એમાં, ભોગવતો કાયાથી, તે કાયા ના મારી ઠરી તો, સર્યું સર્વ માયાથી રે. પ્રભુજી અર્થ:- ઉપરોક્ત સ્ત્રી, પુત્રાદિ સર્વ વસ્તુઓમાં લેશ માત્ર મારું નથી. એને જે કાયાથી ભોગવું છું તે કાયા પણ મારી ઠરી નહીં તો આ સર્વ માયામોહના સાધનોથી હવે મારે સર્યું. મારે એમાનું કાંઈ જોઈએ નહીં. કરા. સૌને માથે મરણ નિહાળું, વિયોગ નજરે તરતો, નદીનાવ-સંયોગ સમું સૌ, મોહે મારું કરતો રે. પ્રભુજી, અર્થ :- સૌને માથે મરણ છે, એ જોઈ રહ્યો છું. તેથી સર્વનો વિયોગ થવાનો છે એ નજર આગળ તરે છે. આ બધા સંબંધો, નદી પાર કરવા માટે જુદા જુદા દેશના વ્યક્તિઓનો થોડી વાર માટે જેમ નાવમાં સંયોગ થાય તેના સમાન છે. છતાં મોહથી જીવ તેને મારા માને છે. I૬૩ પુત્ર મિત્ર લલના લક્ષ્મીને, નથી માનવા મારાં, હું એનો નહિ, એ મારાં નહિ; લાગે સર્વે ન્યારાં રે. પ્રભુજી Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૭ અર્થ :- હવે પુત્ર, મિત્ર, લલના એટલે સ્ત્રી તથા લક્ષ્મીને મારા માનવા નથી. હું એનો નહીં; એ મારા નહીં. અન્યત્વ ભાવના ચિંતવવાથી એ સર્વે મારાથી ન્યારા જણાય છે. ૬૪ પુણ્યાદિ સાથી જે પામ્યો, તેમાં કશું ન મારું, મારાપણું જો ના મૂક્યું તો ફળ નહિ આવે સારું રે. પ્રભુજી અર્થ - પુણ્યાદિના કારણો ઉપાસવાથી જે આ રિદ્ધિ સિદ્ધિ હું પામ્યો છું, તેમાં કશુંય મારું નથી. જો હવે પણ આ પદાર્થોમાં મારાપણું ન મૂક્યું તો તેનું ફળ સારું આવશે નહીં, અર્થાત્ માઠી ગતિનું કારણ થઈ પડશે. ૬૫ા રૌદ્ર નરકનો ભોક્તા કરવા નથી મારા આત્માને; હ પણ જો ના ચતું હું તો, મળ્યો ન પરમાત્માને રે. પ્રભુજી અર્થ - મારા આત્માને રૌદ્ર એટલે ભયંકર એવી નરકનો ભોક્તા કરવો નથી. હજી પણ જો હું ના ચેતું તો પરમાત્મા શ્રી ઋષભદેવને હું મળ્યો જ નથી એમ માનીશ. ૬૬ાા. સેંસઠ ગ્લાધ્ય જનોમાંનો હું, પ્રભુતા પ્રાપ્ત ગુમાવું, શરમાવા જેવું તે જેવું - જગમાં શું? ઉર લાવું રે. પ્રભુજી અર્થ - ત્રેસઠ ગ્લાધ્ય એટલે પ્રશંસા કરવાલાયક એવા પુરુષોમાંનો હું એક છું. મને જે પ્રભુતા પ્રાપ્ત થઈ છે તેને ખોઈ બેસવા જેવું કરું છું. આથી વિશેષ જગતમાં શરમાવા જેવું બીજું શું છે? એ વાતને હું હૃદયમાં લાવી વિચાર કરું. કશા એ પુત્રો પ્રમદા, એ વૈભવ, નહિ સુખનાં દેનારાં, કોઈ ઉપર અનુરાગ ન રાખું; મારાં નથી થનારાં રે. પ્રભુજી અર્થ - એ પુત્રો, પ્રમદા એટલે સુંદર સ્ત્રીઓ તથા વૈભવ એ ખરા સુખના દેનારા નથી. માટે કોઈ ઉપર હવે અનુરાગ રાખું નહીં. એ મારા કોઈ કાળે થનારા નથી. ૬૮. મુક્તિફળ દેનારાં તપને તપતા તે વિવેકી, તત્ત્વવેદી ફળ તનનું પામે, ઘન્ય! મુનિવર ટેકી રે.” પ્રભુજી અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ મુક્તિફળને આપનાર એવા તપને તપતા મુનિવરો જ ખરા વિવેકી છે. જે આ શરીર મળ્યાનું ફળ આત્મતત્ત્વનું વેદન પામે છે. એવા ટેકી એટલે શ્રદ્ધાવાળા મુનિવરોને ઘન્ય છે. ૬લા. મમતા-સાંકળ તૂટી ત્યાં તો શ્રેણી નિર્મળતાની ચઢતા શ્રી ભરતેશ્વર ભૂપતિ, બનતા કેવળજ્ઞાની રે. પ્રભુજી અર્થ - મનમાંથી મોહ મમતાની સાંકળ તૂટી કે શીધ્ર નિર્મળ એવી ક્ષપણ શ્રેણી પર આરૂઢ થઈ શુક્લધ્યાનને પામી, સર્વ ઘાતીયાકર્મનો ક્ષય કરી. શ્રી ભરતેશ્વર ભૂપતિ કેવળજ્ઞાનને પામ્યા. ૭૦ના આસન ઇન્દ્ર તણું કંપ્યાથી, અવધિજ્ઞાને જાણે : ભરત ભૂપતિ થયા કેવળી, વિચરે ઉદય પ્રમાણે રે.” પ્રભુજી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાને જાણ્યું કે ભરતરાજા કેવળજ્ઞાની થયા છે, અને ઉદય પ્રમાણે વિચરે છે. II૭૧ાા સ્તવે ઇન્દ્ર આવીને ભાવે : “ઘન્ય! કેવળી જ્ઞાની, પિતા સમ જગને ઉપકારક, અહો! નિરભિમાની રે. પ્રભુજી, અર્થ - ઇન્દ્ર ત્યાં આવી ભાવથી સ્તવના કરતાં કહ્યું છે કેવળજ્ઞાની! આપને ઘન્ય છે. પિતા શ્રી ઋષભદેવ સમાન આપ પણ અહો! નિરભિમાની, જગત જીવોનું કલ્યાણ કરવા માટે હવે ઉપકારક બન્યા છો. II૭૨ાા જ્ઞાન પરમ પામ્યા તપ વિના, ગૂઢ તપસ્યા-ઘારી, ઇન્દ્રપદ-સંતાપ શમાવવા, સેવા મેં સ્વીકારી રે. પ્રભુજી અર્થ – હે અંતરંગ ગૂઢ તપસ્યા-ઘારી! આપ બાહ્ય તપ કર્યા વિના પરમ એટલે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પામ્યા. આ મારી ઇન્દ્રપદની ઉપાથિના સંતાપને શમાવવા હું આપની સેવામાં હાજર થયો છું. પરમકૃપાળુદેવ પણ એવા અંતરંગ ગૂઢ તપશ્ચર્યાના ઘારક હતા. //૭૩ના ચરણ-કમળમાં ચિત્ત રહો, પ્રભુ, વિષય-વાસના ટાળો, હરી કષાય-કલંક હવે ઝટ, જન્મ-મરણ મુજ વાળો રે. પ્રભુજી અર્થ - હે પ્રભુ! આપના ચરણકમળમાં મારું ચિત્ત સદાય રહો. મારી વિષય-વાસના ટાળો. કષાયરૂપી કલંકને હવે ઝટ હરી લઈ મારા જન્મમરણને બાળી નાખો. ૭૪ રાજ્ય પિતા પાસેથી પામી, વૃદ્ધિ કરી દીપાવ્યું, તેમ જ કાળ યથાર્થ પાકતાં, કેવળ જ્ઞાને આવ્યું રે. પ્રભુજી અર્થ - પિતાશ્રી ઋષભદેવ પાસેથી રાજ્ય પામી, તેની વૃદ્ધિ કરી દીપાવ્યું. તેમ જ યથાર્થ કાળ પાકતાં કેવળજ્ઞાન પણ આવી મળ્યું. II૭૫ાા ઘર્મ-વારસો હવે દીપાવો, સહજ સ્વભાવી સ્વામી, અત્યુત્તમ ઉપદેશે અમને ન્દવરાવો, નિષ્કામી રે.” પ્રભુજી અર્થ - હે સહજ સ્વભાવી સ્વામી! પિતાશ્રી ઋષભ પ્રભુના ઘર્મ વારસાને હવે દીપાવો. હે નિષ્કામી! અતિ ઉત્તમ ઉપદેશ આપી અમને પણ સમતારસમાં સ્નાન કરાવો. II૭૬ના સહજ સ્વભાવે ભરત-કેવળી નિર્મમતા ઉપદેશે, સમતા-રસ બહુ જીવો ચાખે, જીવન નવું પ્રવેશે રે. પ્રભુજી. અર્થ :- સહજ સ્વભાવે કેવળી એવા શ્રી ભરતેશ્વરે મમત્વરહિત થવાનો ઉપદેશ આપ્યો. જેથી ઘણા જીવોએ સમતારસને ચાખ્યો અને જાણે નવું જીવન આવ્યું હોય એવો અનુભવ થયો. II૭થા. ગ્રામ, નગર, પુર, પાટણ ફરતાં અષ્ટાપદ પર આવે, વૈરાગ્યે ભરપૂર કરીને શ્રોતાને સમજાવે રે. પ્રભુજી અર્થ :- ઋષભસ્વામીની જેમ કેવળી થયેલા ભરતમુનિ; ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૯ વૈરાગ્યથી ભરપૂર ઘર્મદેશના વડે ભવ્ય પ્રાણીઓને એક લાખ પૂર્વ સુઘી સમજાવતાં અંતે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. II૭૮ શરદમેઘ સમ વૃષ્ટિ કરતા, કૈલાસે શૈલેશી અંતિમ ક્રિયા કરતા દીસે મુનિવર ભરત અલેશી રે. પ્રભુજી અર્થ - શરદઋતુના મેઘ સમાન બોઘની વૃષ્ટિ કરતાં કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત ઉપર જઈ વિધિ સહિત ચર્તુવિઘ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે શ્રી ભરત મુનિવર શૈલેશીકરણની અંતિમ ક્રિયા કરતા અલેશી એટલે વેશ્યા વગરના થયા. II૭૯થા. ત્રણે યોગની ક્રિયા રોકી નિઃસ્પૃહ સિંહ સમા તે, તન-પિંજરમાં સ્થિર થઈ ઊભા, સુખી સર્વે વાતે રે. પ્રભુજી અર્થ :- મન વચન કાયાના ત્રણે યોગની ક્રિયાને રોકી નિસ્પૃહ એવા ભરત મહામુનિ, તનરૂપી પિંજરામાં જેમ સિંહ અલિપ્ત બેસી રહે તેમ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિરપણે ઊભા રહ્યા. તે સમયે તેઓ સર્વ પ્રકારે સુખી હતા. ૮૦ના આયુ-અંતે એક સમયમાં લોક-શિખર સિઘાવ્યા, ઇન્દ્રાદિ દેવો તે જાણી, ઉત્સવ કરવા આવ્યા રે. પ્રભુજી અર્થ - આયુષ્યના અંતે એક સમયમાં ભરત કેવળી લોકના શિખર ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ઇન્દ્રાદિ દેવોએ પણ આવી કેવળજ્ઞાનનો ઉત્સવ કર્યો. ભરતેશ્વરે સિત્તોતેર લાખ પૂર્વ કુમારપણામાં નિર્ગમન કર્યા, જ્યારે પિતાશ્રી ઋષભદેવ રાજ્ય કરતા હતા. શ્રી ઋષભદેવ દીક્ષા લઈ એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. ત્યારે એક હજાર વર્ષ સુઘી ભરતેશ્વરે માંડલિક રાજા તરીકે કાળ નિર્ગમન કર્યો. પછી છ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ જૂન એટલો સમય ચક્રવર્તીપણામાં પસાર થયો. કેવળજ્ઞાન થયા પછી એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિચરી ભવ્યોને બોઘદાન આપ્યું. એમ કુલ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મહાત્મા ભરતેશ્વર મોક્ષપદને પામ્યા. ૧૮૧ ઋષભસેન આદિ ગણઘર પણ સિદ્ધિ પામ્યા સર્વે, અર્કકીર્તિ આદિ રાજાઓ ઘારે ઘર્મ અગર્વે રે. પ્રભુજી અર્થ :- ઋષભસેન આદિ ગણઘરો પણ સર્વે મોક્ષ સિદ્ધિને પામ્યા. તથા અર્કકીર્તિ આદિ રાજાઓએ અભિમાન રહિત થઈ આત્મઘર્મને અંગીકાર કર્યો. II૮રા. ભારત-પવિત્રિત અરીસાભવને, અનેક વંશજ બૂકયા, સર્વ કર્મ હણવા તે વીરો, પૂર્ણ શક્તિએ ઝૂઝયા રે. પ્રભુજી અર્થ :- ભરતેશ્વરે કેવળજ્ઞાન પ્રગટાવી જે અરીસાભવનને પવિત્ર કર્યું તે જ અરીસાભવનમાં તેમના અનેક વંશજો બૂઝયા. ભરતેશ્વરના રાજ્યાસન ભોગીઓ ઉપરાઉપરી એ જ આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. અંતિમ દંડવીર્ય રાજા સુઘી કેવળજ્ઞાન પામ્યા. સર્વ કર્મો હણવા અર્થે તે વીરો પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ કરી કર્મોની સામે ઝૂક્યા અને તેનો પરાજય કરી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. I૮૩મા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ આદિ દેવના ઉત્તમ ચરિત, જે જન વૃત્તિ વાળે, તે વૈરાગ્યાદિ સૌ પામી સ્વરૂપ નિજ સંભાળે રે. પ્રભુજી બોથબો ભવ તરીએ. અર્થ :– આદિનાથ શ્રી ઋષભ જિનેશ્વરના ઉત્તમ ચરિત્રમાં જે જન પોતાની વૃત્તિને સ્થિર કરશે તે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ આદિ સર્વને પામી, પોતાના આત્મસ્વરૂપની સંભાળ લેશે. જેના ફળસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થઈ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષપદને પામશે. માટે હે પ્રભુજી! જન્મ મરણથી મુક્ત થવા અમને પણ બોધ આપો; જેથી આપના બોઘબળે અમે પણ ભવસાગરને તરી જઈએ. ૫૮૪ના ઋષભદેવ ભગવાન શુદ્ધ આત્મતત્ત્વને વિચારી પોતાના પરમાત્મપદને પામ્યા; તેમ હું પણ મારા પરમાત્મ સ્વરૂપને પામવા અર્થે, પરમકૃપાળુદેવને મારા આત્માના હિતકારી એવા હિતાર્થી પ્રશ્નો જેમકે હું આત્મા છું તો તેને કેવી રીતે જાણવો, આત્મા નામનો પદાર્થ નિત્ય છે તેનું શું પ્રમાણ? જીવ કર્મનો કર્તા છે અને તેનો ભોક્તા છે તે કેમ જાણી શકાય? જીવનો મોક્ષ છે તો તે કેમ થતો નથી? વળી મોક્ષ હોય તો તે પ્રાપ્તિના ઉપાય શું? વગેરે પ્રશ્નો પૂછી શંકાનું નિવારણ કરું. જેથી સત્ય શું છે તે જાણીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. એવા પ્રશ્નોના ખુલાસા આગળના પાઠમાં આપવામાં આવે છે તે નીચે પ્રમાણે છે ઃ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ (રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને—એ રાગ) 特 શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામોહ મૂંઝી મારે, સુરતરુ સમ સદ્ગુરુ જૅવને ત્યાં, આશ્રય દઈને ઉગારે. ૧ અર્થ :— પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું સદ્ગુરુ પદ તે ચંદ્રમાની શીતલ ચંદ્રિકા એટલે ચાંદની સમાન સર્વત્ર જ્ઞાનનો પવિત્ર પ્રકાશ ફેલાવનાર છે. તે જ્ઞાનવર્ડ મારા જેવા અજ્ઞાની બાળકના સર્વ સંશયો નાશ પામે છે. માટે આપના ચરણકમળમાં હું ઉમળકાથી પ્રણામ કરું છું, આ કળિકાળમાં જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપ વિશેષપણે બાળી રહ્યો છે. અને મહામોહ એટલે દર્શનમોહ અથવા અજ્ઞાન કે મિથ્યાત્વ કહો, તે જીવને ઇન્દ્રિયોના ભોગોમાં સુખ બુદ્ધિ કરાવી, તે મેળવવા માટે મૂંઝવી મારે છે. તેવા સમયમાં સુરતરુ એટલે કલ્પવૃક્ષ સમાન સદ્ગુરુ ભગવંતનો જે આશ્રય ગ્રહણ કરે તેને શરણ આપી તે જીવનો ઉદ્ધાર કરે છે. ।।૧। Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭ ૧ કોણ અરે! હું?” તે ના જાણું, જે જે જાણું તે જાદુ, દિગ્મઢતાનો દોષ મહા આ, હું અજ્ઞાન-વને કૂદું; દૂર કરી દુષ્કાળ તણો ભય, ઘન ગર્જે નભમાં જેવો, સદ્ગુરુ-બોઘ શ્રવણપથ આવે, સૌ સંશય-હરતો એવો; ૨ અર્થ - જ્યારે મને શંકા થઈ કે અરે!હું કોણ છું? તે તો જાણતો નથી. અને જે જે જાણું છું તે બધું પુદગલનું જ્ઞાન છે. તે બધું જ છે. તે મારી જાતને ઓળખવામાં મદદરૂપ થાય એવું લાગતું નથી. હું તો દિશામૂઢ થયો છું. આ મહાદોષને લીધે હું હમેશાં પોતાને જાણ્યા વગર અજ્ઞાનરૂપી વનમાં જ કુદકા મારું છું. જેમ દુષ્કાળનો ભય દૂર કરવા આકાશમાં ઘન એટલે વાદળા ગર્જે છે તેમ મારી સર્વ શંકાઓને દૂર કરે એવો સદ્ગુરુનો બોઘ શ્રવણપથ એટલે સાંભળવાના માર્ગ થકી આવી અને સ્વરૂપનું ભાન કરાવા લાગ્યો. રા. “દેહ-દેવળ દેવ અરે! તું, મોહ-મદિરાથી ઘેલો, કાયા-માયા પરસ્ત્રી-પ્રીતિ, તોડી આવ અહીં વ્હેલો; શરીર-ગર્તમાં આળોટે તું, ભૂલી ભાન નિજ મંદિરનું, જ્ઞાન-મંદિર અહો! આપણું, આવ બતાવું અંદરનું. ૩ અર્થ :- સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા : અરે! આ દેહરૂપી દેવળમાં આત્મારૂપી દેવ રહેલો છે અને તું મોહરૂપી દારૂના નશાથી ઘેલો બની ગયો છું. હવે આ કાયાની મોહમાયારૂપ પરસ્ત્રીની પ્રીતિ તોડીને શીધ્ર અહીં આવ. તું આ શરીરરૂપી ગર્ત એટલે ખાડામાં પોતાના ઘરનું ભાન ભૂલીને આળોટે છે. અહો! આપણું ઘર તો જ્ઞાન મંદિર છે. તે અંદર આત્મામાં રહેલું છે. તે અહીં આવ તને બતાવું. ૩ાા કષાય-કીચડ વિષય-ગટર-જળ, ગંથાતું તર્જી ઊઠ જરી, બોઘતીર્થમાં સ્નાન કરી ઝટ નિર્મળ થા, ઉત્સાહ ઘરી; નિંદ્યકર્મ-મચ્છર કરડે આ, જન્મમરણરૃપ રોગ કરે; ત્વરા કરી જો જાગી ઊઠે, સર્વ દુઃખ-બીજ બોઘ હરે. ૪ અર્થ:- આ કષાયરૂપી કીચડ અને વિષયરૂપી ગટરનું ગંધાતું જળ તજીને જરા ઊભો થા. ઉત્સાહ ઘરી સપુરુષના બોઘરૂપી તીર્થમાં સ્નાન કરીને હવે ઝટ નિર્મળ થા. વિષયોમાં પ્રવૃત્તિ તે નિંદ્યકર્મરૂપ મચ્છર કરડવા બરાબર છે. અને તેના ફળમાં જન્મમરણરૂપ રોગ ઊભા થાય છે. માટે હવે જો તું ત્વરા કરીને એટલે જલ્દીથી જાગી ઊઠે તો સર્વ દુઃખના બીજરૂપ આ વિષયકષાયને પુરુષનો બોઘ અવશ્ય બાળી નાખશે. જો શુદ્ધ, બુદ્ધ ચૈતન્યસ્વરૅપ તું સુખ-સાગર જો સમજે તો; વેષ ભિખારીનો લે રાજા, પણ ભિક્ષુક નથી એ તો; તેમ વસે તું ભવ-નાટકમાં, પુદ્ગલ ભીખ સદા માગે, વેષ તજી નિજ પદ સંભાળે તો તૃણ સમ સૌ જગ લાગે. ૫ અર્થ - તું ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ સુખધામ” છો. એવા તારામાં જ રહેલા સુખસાગરને જો તું સમજે તો. જેમ કોઈ રાજા ભિખારીનો વેષ લે પણ તે ખરેખર ભિખારી નથી; તેમ તું પણ સંસારરૂપી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નાટકમાં અનેક દેવ, નારકી, તિર્યંચ, સ્ત્રીપુરુષાદિના વેષ ધારણ કરીને સદા ઘર, પૈસા, સ્ત્રી, પુત્રાદિની ભીખ માગ્યા કરે છે, પણ તે અનેક પ્રકારના દેહરૂપી વેષમાં થયેલી આત્મબુદ્ધિને તજી જો પોતાના આત્મસ્વરૂપની સંભાળ લે તો આખું જગત તને નૃણ સમાન ભાસશે. પા! દેહ-જાળમાં સપડાયો છે, દૃશ્ય દેહ નિજ ફૂપ માને, દેહ ગણી ચિંતામણિ રક્ષ, રહે સદા તેના ધ્યાને; રાખી રહે નહિ, જર્ફેર જવાની કાયા તોપણ તે દ્રષ્ટિ પરભવમાં લઈને જીંવ જાતો; દેહ ગણે નિજ કુંદ્રષ્ટિ....૬ અર્થ :- હે આત્મા! કર્મવશ તું આ દેહરૂપી જાળમાં સપડાયો છું. રૂપી એવા પુદ્ગલ દ્રવ્યના બનેલા આ દેહને તું પોતાનું સ્વરૂપ માને છે. આ દેહને ચિંતામણિ રત્ન સમાન ગણી એની રક્ષા કરે છે અને સદા આ દેહને જ સુખી કરવાના ધ્યાનમાં તું રહે છે. પણ આ કાયા કોઈ પ્રકારે રાખી રહી શકે એમ નથી; તે જરૂર નાશ પામશે. એમ હોવા છતાં આ દેહ તે મારો છે એવી કુદ્રષ્ટિ એટલે મિથ્યાદ્રષ્ટિને જીવ પરભવમાં સાથે લઈને જાય છે; અને એ જ મિથ્યાત્વની પરંપરા ચાલુ રહેવાનો મુખ્ય પ્રકાર છે. ફા પરભવ કેવો? શાને લેવો? સમજ ના હું મંદમતિ, કૃપા કરી હે! કરુણાસિંધુ, સમજાવો.” એવી વિનતિ; આ ભવ પરભવ સ્વાનુભવથી જાણી સગુરુ એમ કહે : “હોય યોગ્યતા કે આરાઘન પૂર્વતણું તે મર્મ લહે. ૭ હવે જિજ્ઞાસુ બીજો પ્રશ્ન કરે છે : અર્થ - પરભવ શું છે? તે શા માટે લેવો પડે? હું મંદમતિ હોવાથી આ વાતને સમજતો નથી. માટે કૃપા કરીને હે કરુણાસિંઘુ પ્રભુ! આ વાત મને સમજાવો એવી મારી વિનંતી છે. ત્યારે આ ભવ પરભવને સ્વઆત્માના અનુભવવડે જાણનારા એવા સદ્ગુરુ ભગવંત કહેવા લાગ્યા કે જો યોગ્યતા હોય અથવા પૂર્વભવનું આરાધન હોય તો આ વાતના મર્મને તું સમજી શકે. શા. મતિજ્ઞાનનો સ્મૃતિ ભેદ છે, તેની નિર્મળતા જેને, પૂર્વભવોના પ્રસંગ આવે સ્ફરી આ ભવ સમ તેને; ગિરિ, ગુફા, વન, ઉપવન જોતાં પરિચિત લાગે, મળી રહે કોઈ કોઈ તે ઘન્ય કાળની નિશાનીઓ, પ્રત્યક્ષ લહૈ. ૮ જાતિસ્મરણજ્ઞાનવડે પરભવની જીવને શ્રદ્ધા આવે છે. તેથી એ વિષે જણાવે છે : અર્થ:- જાતિસ્મૃતિજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. મતિજ્ઞાનની જેને નિર્મળતા હોય તેને પૂર્વભવોના પ્રસંગો આ ભવની જેમ ફુરી આવે છે. પહાડ, ગુફા, વન, ઉપવન જોતાં તેને પરિચિત લાગે છે. જેમ પરમકૃપાળુદેવે ઈડરનો ગઢ જોઈ કહ્યું કે અહીં ભગવાન મહાવીર વિચર્યાનો ભાસ થાય છે. અથવા જુનાગઢનો ગઢ જોતાં પરમકૃપાળુદેવના જાતિસ્મરણજ્ઞાનમાં ઘણો વઘારો થયો. અથવા પૂર્વભવની કોઈ નિશાનીઓ મળવાથી પણ જાતિસ્મરણશાન ઊપજે છે. જેમ સંપ્રતિરાજાને પોતાના પૂર્વભવના ગુરુના દર્શન થતાં, એમને મેં કંઈ જોયેલા છે તેનો ઉહાપોહ કરતાં પૂર્વભવમાં તેમની સાથે જે ઘન્ય કાળ ગયો તેની નિશાની, નિમિત્ત પ્રત્યક્ષ મળતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તે વડે પુનર્જન્મની જીવને શ્રદ્ધા આવે છે. IIટા Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૩ પુનર્જન્મની સિદ્ધિ સહજે અથવા યોગાભ્યાસ વડે, સદ્ગુરુ-શાસ્ત્ર શ્રદ્ધા આવ્ય, સાત્ત્વિકતા તેવી સાંપડે; સાત્ત્વિકતા તેવી આ કાળે દુર્લભ, તેથી ન નિઃશંકા, ત્રિવિઘ તાપની મૂછ ઝાઝી, નહિ સત્સંગતિ-ઉત્કંઠા. ૯ અર્થ - પૂર્વના આરાઘનથી કોઈને પુનર્જન્મની સિદ્ધિ સહજે થાય છે અથવા યોગાભ્યાસવડે પણ થાય છે. વૈજનાથ યોગાભ્યાસના અભ્યાસી હતા. “એમણે કહેલું કે પરમકૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે “એમણે તમને મિથ્યા કહ્યું નથી” (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રોકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું.” (બો.૨ પૃ.૩૦૩) સગુરુના બોઘેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા આવવાથી પણ તેવી અંતરાત્મામાં સાત્વિકતા સાંપડે છે કે જેથી પુનર્જન્મની જીવને શ્રદ્ધા થાય. પણ તેવી સાત્વિકતા એટલે ભાવોની નિર્મળતા આ કળિકાળમાં આવવી દુર્લભ છે. તેથી જીવ પરભવ વિષે નિઃશંક થઈ શકતો નથી. તેમજ આ પંચમકાળમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધતાપની મૂછ વિશેષ હોવાથી તથા સત્સંગ કરવાની વિશેષ ઉત્કંઠી ન હોવાથી આત્મામાં એવી પવિત્રતા પ્રગટતી નથી. લો સ્વમાન ને વિપરીત માન્યતા પરભવ-પ્રતીતિ ખાળી દે, જિજ્ઞાસું જીવો એ વાતો અતિ ઉત્સાહે ટાળી દે; નિઃશંક પ્રતીતિ પરભવની જો ઊપજે ઑવને કોઈ રીતે, આત્મહિત કરવા પ્રેરાશે, દીર્ઘદ્રષ્ટિથી તે પ્રીતે. ૧૦ અર્થ :- પોતાનું અભિમાન અને પદાર્થનું વિપરીત શ્રદ્ધાન, એ પરભવ પ્રત્યે થતી શ્રદ્ધાને ખાળે છે અર્થાત રોકે છે. પણ જિજ્ઞાસુ જીવો તો અતિ ઉત્સાહથી સદ્ગુરુના બોઘબળે આત્મા છે, તે નિત્ય છે વગેરે જાણી, પરભવ પ્રત્યેની વિપરીત માન્યતાને ટાળી દે છે. જો કોઈ રીતે પણ જીવને પરભવની નિઃશંક પ્રતીતિ ઊપજે તો તેની દીર્ઘદ્રષ્ટિ થશે, કે જો હું આ ભવમાં પાપ કરીશ તો પરભવમાં મારી દુર્ગતિ થશે. એમ વિચાર આવવાથી તે આ ભવમાં પ્રેમપૂર્વક આત્મહિત કરવા માટે પ્રેરાશે. ૧૦ના એમ વિચારી અનુમાનાદિ પ્રમાણથી સુશો સાથે પરભવ-સિદ્ધિ બુદ્ધિબળથી, જિજ્ઞાસું તે આરાશે; જાતિ-વૈર જીવોમાં દેખો, વિચિત્ર રૃપ-ગુણ-સંપત્તિ, પરભવને જો ના માનો તો કયા કારણે ઉત્પત્તિ? ૧૧ અર્થ :- જેને આત્મહિત કરવું છે, એવા સુજ્ઞ પુરુષો તો પોતાના બુદ્ધિબળે અનુમાન પ્રમાણથી આગમ પ્રમાણથી કે ઉપમાન (દ્રષ્ટાંત) પ્રમાણથી પરભવની સિદ્ધિ કરે છે. પછી જિજ્ઞાસ જીવો પરભવ સુઘારવા માટે સદ્ગુરુની આજ્ઞાનું આરાઘન કરે છે. જાતિ વૈર સાપ અને નોળિયામાં કે મોર અને સાપમાં કે બિલાડી અને ઉંદરમાં પ્રત્યક્ષ જોઈએ પૂર્વ સંસ્કાર ન માનીએ તો શું માનવું? તેમજ લાખો મનુષ્યો હોવા છતાં તેમના રૂપ જુદા, ગુણોમાં તફાવત તથા ઘનસંપત્તિમાં કે શરીર સંપત્તિમાં પણ વિચિત્રપણું જોવામાં આવે છે. જેમકે કોઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ લૂલો છે, તો કોઈ લંગડો છે, કોઈ કાણો છે તો કોઈ બુદ્ધિહીન છે, કોઈ મૂંગો છે તો કોઈ બહેરો છે, કોઈ આંઘળો છે. પરભવને જો ન માનીએ તો કયા કારણે આ બઘા ખંડિત અંગવાળા ઉત્પન્ન થયા? એ વિચારીએ તો પૂર્વભવની પ્રતીતિ આવે છે. ll૧૧. કહો, વારસો! તે ના સાચું; સમાન વારસ ના ભાળો, ભાવ વડે સૌ ભેદ કહો તો, ભાવ-હેતુ પણ નિહાળો. કર્મ વિના નહિ સાચો હેતુ વિચારતાં બીજો જડશે; પૂર્વ કર્મ માનો તો પરભવ પરાણે ય ગણવો પડશે. ૧૨ અર્થ - કોઈ એમ કહે કે એ તો વારસાગત મળ્યું છે પણ તે વાત સાચી નથી. કેમકે પિતા બુદ્ધિશાળી હોય અને તેનો પુત્ર બુદ્ધિહીન પણ હોય છે. વળી બીજો પુત્ર બુદ્ધિશાળી પણ હોય છે. તથા ભગવાન મહાવીરના સમયમાં પિતા કાલસૌકરિક કસાઈ હોવા છતાં તેનો પુત્ર સુલસ દયાળુ હતો. ત્યારે કોઈ એમ કહે કે જીવોના ભાવ જુદા જુદા હોવાથી દરેક વ્યક્તિમાં ભેદ પડે છે. જેમકે પિતા કાલસૌકારિક કસાઈના ભાવ ક્રૂર હતા અને પુત્ર સુલસના ભાવ દયાળુ હતા, માટે પિતા-પુત્રમાં ભેદ પડ્યો. તો પછી પિતાને ક્રુર અને પુત્રને દયાળુ એમ જુદા જુદા ભાવ થવાના કારણો શું? તેની તપાસ કરો. તે તપાસ કરતાં પૂર્વભવના સંસ્કાર સિવાય બીજો કોઈ કારણ વિચારતાં જડશે નહીં. અને જો તે ક્રુરતા કે દયાળુપણાના ભાવ પૂર્વભવના સંસ્કાર માનીએ તો પરભવ છે જ; એ પરાણે પણ માનવું પડશે. ૧૨ા વૃક્ષ બીજથી, બીજ વૃક્ષથી, પરંપરાનો પાર નહીં; તેમ શુભાશુભ ભાવે ભવ કરતો ર્જીવ સંસાર મહીં; અશુદ્ધ ભાવ શુભાશુભ જાણો બીજ પુણ્યને પાપ તણાં, સુખ-દુઃખટ્ટેપ ફળ સંસારે ચાખી બાંઘે કર્મ ઘણાં. ૧૩ અર્થ - બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ, એ પરંપરા અનાદિકાળથી છે. એનો કોઈ પાર નથી. તેમ જીવ પણ આ સંસારમાં અનાદિકાળથી દરેક ભવમાં શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. શુભાશુભ ભાવને અશુદ્ધભાવ જાણો; તે પુણ્ય અને પાપના બીજ છે. શુભ અશુભભાવના ફળ સુખદુ:ખ આવે છે. તેને આ સંસારી જીવ ચાખી એટલે ભોગવી તે નિમિત્તે ફરી રાગદ્વેષ કરી નવા ઘણા કર્મ બાંધે છે. એ પરંપરા અનાદિથી ચાલું છે. ૧૩ નરકગતિમાં દુઃખ એકલાં, નિરંતર બહુ કાળ સહે, નિગોદમાં નિશ્ચેષ્ટપણે તે જન્મમરણ કરતો જ રહે; સુર-સુખ કોઈક કાળે પામે, આત્મિક સુખ તો ત્યાંય નહીં; દુર્લભ નરભવ મહા પુણ્યથી પામે, ત્યાં તક ખરી કહી. ૧૪ અર્થ - અશુભ કર્મના ફળમાં જીવ નરકગતિમાં નિરંતર એકલો ઘણા કાળ સુઘી દુઃખને સહન કરે છે. તથા નિગોદમાં તે ચેષ્ટારહિતપણે માત્ર જન્મમરણ જ કરતો રહે છે. દેવલોકના સુખ, જીવ કોઈક વાર પામે છે. ત્યાં પણ આત્મિક સુખ નથી; માત્ર ઇન્દ્રિયોથી ભોગવાતું ક્ષણિક સુખ છે. આ દુર્લભ માનવદેહને જીવ મહાપુણ્યના ઉદયથી પામે છે. ત્યાં આત્માનું કલ્યાણ કરવાની ખરી તક છે. કેમકે Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૫ માનવદેહમાં દેવલોક જેવા આત્માને ભુલાવે તેવા સુખ નથી અને નરક જેવા દુઃખ નથી પણ મધ્યમ છે. માટે જીવ જો ઘારે તો આ દેહમાં સમ્યક્દર્શન પામી આત્માનું પરમપિત કરી શકે. ૧૪ જે જે મોક્ષ ગયા ભેંતકાળે, તે તે નરભવ લહી ગયા; વર્તમાનમાં મોક્ષ જતા તે, નરરૂપે જ કૃતાર્થ થયા; ભાવિકાળે જનાર જે જન મોક્ષે તે પણ નર બનશે; એવો યોગ કદાચિત આવે, આવેલો વહી જાય નશે - ૧૫ અર્થ - જે જે જીવો ભૂતકાળમાં મોક્ષે ગયા, તે સર્વ નરભવ પામીને ગયા. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રથી મોક્ષે જાય છે તે પણ મનુષ્યદેહને પામી કેવળજ્ઞાન પ્રગટાવી કૃતકૃત્ય થઈને જાય છે. ભવિષ્યકાળે પણ જે જીવો મોક્ષે જનાર છે તે મનુષ્યદેહને ઘારણ કરશે. એવો માનવદેહનો જોગ આપણી જેમ કદાચિત આવે, પણ જો આઠ મદના નશામાં જીવ રહે તો તે વ્યર્થ વહ્યો જાય છે. ૧૫ ઘનમદ, રૅપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનાદિક-મદથી ભૂલે, તે જન નરભવ હારી પાછા લખચોરાશીમાં રૂલે; દુર્લભ આવો યોગ ફરીથી મળવો દુર્લભ ગણી કરો સકળ, સુઘર્મ આરાથી પ્રીતે, ભવ-સંકટ સૌ પરિહરો. ૧૬ અર્થ :- ઘનમદ, રૂપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનમદ, જાતિમદ, ઐશ્વર્યમદ અને તપમદ એ આઠ મદમાં રહી, જે સદ્ગુરુ આજ્ઞાએ ઘર્મકર્તવ્યની આરાઘનાને ભૂલે તે જીવ મનુષ્યભવને હારી જઈ ફરીથી લખચોરાશી જીવયોનિમાં રઝળે છે. માટે આવો જોગ ફરીથી મળવો દુર્લભ જાણી હવે પ્રીતિપૂર્વક રત્નત્રયરૂપ સઘર્મને આરાથી આ માનવદેહને સફળ કરો તથા ચારગતિરૂપ સંસારમાં ભોગવવા પડતા સર્વ સંકટોને પરિહરો. ૧૬ સમ્યજ્ઞાન તણી ગંગામાં સ્નાન કરીને શુદ્ધ બનો, સગુસેવા અમૂલ્ય મેવા-ભક્ષણ, ભૂષણ ગુણ ગણો; સુંદર સમતા-શધ્યા વિષે, આત્મ-રતિ, સતી-ઉપભોગે કૃતકૃત્યતા સમજ સમજે; ચૂકે નહિ ઉત્તમ યોગે.” ૧૭ હવે રત્નત્રયરૂપ સઘર્મની આરાધના કેવી રીતે કરવી તે સગુરુ જણાવે છે : અર્થ - સમ્યજ્ઞાન એટલે સદ્ગુરુ બોઘ દ્વારા આત્મા વગેરેની સાચી સમજણ મેળવવારૂપ જ્ઞાનગંગામાં સ્નાન કરી, વિષયકષાયરૂપ મેલને ઘોઈ પ્રથમ શુદ્ધ બનો. પછી સગુરુ સેવા એટલે તેમની આજ્ઞાને અમૂલ્ય એવા સમાન માની તેનું ભક્ષણ કરો, અર્થાત્ તેમની આજ્ઞામાં સદાય રહો. તેથી ક્ષમા આદિ જે ગુણો પ્રગટે તેને આત્માના આભૂષણ માનો. પછી આત્મજ્ઞાન થયે સુંદર સમતારૂપી શય્યામાં, આત્મામાં રમણતા કરવારૂપ સતીનો ઉપભોગ કરી પોતાને કૃતકૃત્ય માનો. દશ દ્રષ્ટાંતે દુર્લભ એવો આ માનવદેહ મળવાથી તેમજ પરમકૃપાળુ સદગુરુદેવનો ઉત્તમ યોગ પ્રાપ્ત થવાથી મળેલી એવી અમૂલ્ય તકને સમજુ પુરુષો કદી ચૂકે નહીં, પણ તેનો અપૂર્વ લાભ લે. II૧૭ના “ઘર, ઘંઘા, ઘન, સ્વજન ગણી હું મારાં, માયા ઘરી ફરતો; તે તો સાથે કોઈ ન આવે; બંઘ નિરંતર હું કરતો. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ સમજ ના, હવે કરું શું? શાને માનું સાચું હું? આપ કૃપાળું, બોઘ-દાનથી સમજાવો એ યાચું છું. ૧૮ ફરી જિજ્ઞાસુ શ્રી ગુરુને પ્રશ્ન કરે છે : અર્થ – હે પ્રભુ! ઘર, ઘંઘા, ઘન અને સ્વજન આદિને મારા ગણી, તેમના પ્રત્યે માયામોહ ઘરીને આ જગતમાં હું ફર્યા કરું છું. પણ મરણ થયે આમાનું કોઈ મારી સાથે આવશે નહીં, અને હું તો તેમના નિમિત્તે નિરંતર કર્મબંઘ કર્યા કરું છું. પણ હવે મારે શું કરવું જોઈએ? તે મને સમજાતું નથી. મારે શાને સાચું માનવું જોઈએ? તે આપ કૃપાળુ, મને બોઘનું દાન દઈ સમજાવો; એ જ મારી આપના પ્રત્યે યાચના છે. ૧૮ાા ત્રિવિઘ તાપ ટાળી, શીતળતા દેતી વાણી ગુરુ વદતા - “ઘણા જીવો સંસાર તજીને ઘોર વનોમાં જઈ વસતા, ફળ-ફૈલ ખાતા, તપ બહુ તપતા, ખેડેલી બૅમિના સ્પર્શે, જ્ઞાન વિના વનમાં વનચર સમ, વિકાર મનને આકર્ષે. ૧૯ અર્થ :- આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપને ટાળી શીતળતા આપે એવી વાણી શ્રી ગુરુ હવે પ્રકાશવા લાગ્યા :- ઘણા જીવો સંસાર તજી ઘોર વનમાં જઈ વાસ કરે, ત્યાં ફળ-ફુલ ખાય, બહુ તપ તપે, ખેડેલી જમીનનો સ્પર્શ કરે નહીં; પણ આત્મજ્ઞાન વિના તે વનમાં વનચર પ્રાણીઓ જેવા છે. ત્યાં રહ્યા પણ જ્ઞાન વિના મનના વિકારો જતા નથી. નિમિત્ત મળવાથી ફરી તે વિકારો તેને આકર્ષે છે. ૧૯ સમજ વિના સંતોષ રહે નહિ, જ્ઞાન નહીં વૈરાગ્ય વિના, ત્યાગ ટકે વૈરાગ્ય વિના ના; વિચાર કરવા યોગ્ય બીના. જ્ઞાન પૂર્ણ ત્યાં મહાત્યાગ છે, ત્યાગ સમજવા યોગ્ય ગણો, પરભાવે તન્મયતા-ગ્રંથિ ત્યાગે ત્યાગ યથાર્થ ભણ્યો. ૨૦ અર્થ - સમ્યકજ્ઞાન વિના સાચો સંતોષભાવ આવે નહીં. અને વૈરાગ્ય એટલે અંતરથી અનાસક્તભાવ થયા વિના સમ્યકજ્ઞાન થાય નહીં. તથા વૈરાગ્યભાવ વિના સાચો ત્યાગ ટકે નહીં. એ વિચાર કરવા યોગ્ય બીના એટલે હકીકત છે. “ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી; અંતર ઊંડી ઇચ્છા ઘણી, તે કેમ કરીને તજાય જી.” -ત્યાગ ના જ્યાં જ્ઞાન પૂર્ણ એટલે કેવળજ્ઞાન છે ત્યાં મહાત્યાગ છે, એ ત્યાગનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. પરવસ્તુમાં આત્માનું તન્મયપણું એટલે તદાકારપણારૂપ ગ્રંથિનો ત્યાગ કરવો તેને શ્રી જિને યથાર્થ ત્યાગ કહ્યો છે. આત્મા સિવાય પરવસ્તુમાં તણાય નહીં, એ અંતર્યાગ થાય ત્યારે બીજામાં લેવાય નહીં! “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (વ.પૃ.૪૫૨) ૨૦ણા. બાહ્ય પદાર્થો તજવા અર્થે અંતત્યાગ ન આમ કહ્યો; અંતર્યાગ થવાને અર્થે બાહ્યત્યાગ ઉપકાર લહ્યો. Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૭ બાહ્યયોગમાં મીઠાશ માની વર્તે ત્યાં ન વિચાર વસે, આકર્ષણ એ ઓછું કરતાં, સદગુરુ-બોઘ ઉરે સ્પર્શે. ૨૧ અર્થ - બાહ્ય વસ્તુઓને તજવા માટે અંતર્યાગ કરવો એમ કહ્યું નથી. પણ અંતરથી ત્યાગવા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો એ ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તો પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.” (વ.પૃ.૪૫૨) વસ્તુનો બાહ્યથી ત્યાગ કરી તેમાં મીઠાશ માની એટલે તેમાંજ કૃતકૃત્યતા માની જીવ વર્તે તો ત્યાં આત્મવિચારને અવકાશ નથી. તે માટે અંતર્ભાગના લક્ષ વગરનું બાહ્ય ત્યાગનું આકર્ષણ ઓછું કરી પ્રથમ સત્સંગ કરે તો સદ્ગુરુનો બોધ તેના હૃદયમાં સ્પર્શે. “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગવેષવો; તેમજ ઉપાસવો.” (વ.પૃ.૩૯૩) //ર૧|| વિષયાદિ તો તુચ્છ મનાશે અંતર્યાગ પછી બનશે, સદ્ગુરુ-ચરણે સ્થિર થશે મન, ભક્તિ-માર્ગે ગમન થશે; પરિષહ આદિ આવી પડતાં પણ નહિ મન ભક્તિ તજશે, પ્રભુ, પ્રભુ” લય લાગે ત્યારે આત્મા સહજપણે ભજશે. ૨૨ અર્થ :- સદ્ગુરુનો બોઘ હૃદયમાં ઉતારવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો તુચ્છ લાગશે અને ખરો અંતર્યાગ પ્રગટશે. પછી સગુરુની આજ્ઞામાં મન સ્થિર થશે અને ભક્તિમાર્ગે આગળ વધશે. પરિષહ એટલે દુઃખના પ્રસંગો આદિ આવી પડતાં પણ તેનું મન પ્રભુ ભક્તિને છોડશે નહીં. અને આગળ વઘતાં જ્યારે “પ્રભુ, પ્રભુ” ની લય લાગશે ત્યારે આત્મા પોતાના સહજાત્મસ્વરૂપને પામશે. રજા કોઈક વાર વિચારે આવી વાતો તેથી ન કામ થશે, અનાદિના અભ્યાસ તણું બળ પ્રયત્ન પોચે નહિ ઘટશે; પણ દિન દિન ફરી ફરી સંભારે, વારંવાર વિચાર કરે, તો ઊંઘો અભ્યાસ તજી ઑવ સુલભ ભક્તિમાર્ગ વરે. ૨૩ અર્થ - કોઈક વાર સપુરુષના વચનોનો વિચાર કરવાથી કામ થશે નહીં. પંચવિષયાદિના અનાદિકાળના અભ્યાસનું બળ જો પ્રયત્ન પોચો હશે તો ઘટશે નહીં. પણ દિન દિન પ્રત્યે ફરી ફરી સપુરુષના બોઘને સંભારી વારંવાર વિચાર કરશે તો ઘર કુટુંબાદિ પ્રત્યેનો અનાદિનો ઊંઘો અભ્યાસ તજી પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ કરવારૂપ સુલભ ભક્તિમાર્ગ તેને સિદ્ધ થશે. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) ૨૩ાા વિપરીતતામાં જે જે માને છે તે વિપરીત પરિણમતું, માટે જ્ઞાનીના આશ્રયથી, બોઘે સાચું પણ ગમતું; Page #182 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અલ્પ પરિચય વિષયાદિનો કરી, સત્ય પરિચય સાથે, દોષ ટળી, દ્રઢ ભક્તિ જાગ્યે જ્ઞાનદશા ર્જીવ આરાશે. ૨૪ અર્થ - અનાદિથી દેહમાં આત્મબુદ્ધિરૂપ વિપરીતતા છે. તેથી દેહને કેમ સુખ ઊપજે તેવું જ વિપરીત વર્તન થાય છે. પણ જ્ઞાની પુરુષનો જીવ આશ્રય કરે, તેમનું શરણ લે તો તેમના બોઘથી આત્મા વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પણ તેને ગમવા લાગશે. તે માટે હવે પાંચ ઇન્દ્રિયના વિષયાદિનો અલ્પ પરિચય કરી સત્પરુષના બોઘનો પરિચય વધારે તો અનુક્રમે બધા દોષો ટળી જઈ, સપુરુષ પ્રત્યે દ્રઢ ભક્તિ જાગૃત થઈ, જ્ઞાનદશાને પામી જીવન્મુક્ત થાય. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દૃઢ થાય; તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.” (વ.પૃ.૪૫૪) (૨૪) (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ (રાગ–ઉપરનો ચાલુ-દ્રષ્ટિ આઠમી સાર સમાધિ,) “ “દુર્લભ નરભવ!” “ભક્તિ કરવી” આપ કહો છો ઉત્તમ જો, કેમ જગત-ઑવ કરતા નથી સૌ, ગણી સરસ ને સુંગમ તો?” સગુરુ કરુણા આણી વાણી, દઈ દ્રષ્ટાંત હવે વદતા : “રત્ન મનોહર રસ્તામાં જો, ખુલ્લું છે જ્યાં જન ફરતા. ૧ અર્થ - જિજ્ઞાસુ શ્રીગુરુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! નરભવ દુર્લભ છે! માટે ભગવાનના શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરીને તે સ્વરૂપ પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ જ કરવા યોગ્ય ઉત્તમ કાર્ય છે એમ આપ કહો છો; તો જગતના સર્વ જીવો ભક્તિને જ સરસ અને સુગમ આરાઘનાની પદ્ધતિ જાણી કેમ કરતા નથી? તેના જવાબમાં સગુરુ ભગવંત કરુણા લાવી દ્રષ્ટાંત સાથે આ વાતનો ખુલાસો કરે છે. એક મનોહર રત્ન, જ્યાં લોકો ફરે છે ત્યાં રસ્તામાં ખુલ્લું પડ્યું છે. તેના મદિરા-મદથી મસ્ત બનીને ટોળું મોટું ત્યાં આવે, તડકે રત્ન ચળકતું ભાળી, ભડકે, મણિધર મન લાવે; મસ્તી કરતા કોઈ ગયા વહી, કોઈ કાચઑપ જાણે રે! આંખો મીંચી અંઘ-રમતમાં કોઈ અન્યને તાણે રે!૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૭૯ અર્થ :- દારૂના નશામાં મસ્ત બનેલું એક મોટું ટોળું તે રસ્તા ઉપર આવ્યું. તડકામાં તે ચળકતું રત્ન જોઈ, ભડકીને તે વિચારવા લાગ્યા કે આ તો મણિઘર એટલે સાપના માથા ઉપરનો મણિ છે. કોઈ મસ્તી કરતા ત્યાં જઈને જોઈ કાચનો ટુકડો માનવા લાગ્યા. કોઈ વળી આંખો મીંચી આંધળી રમત કરતા એક બીજાને તાણવા લાગ્યા. રા. કુતૂહલથી કોઈ ઠોકર મારી, બાળક પેઠે ગયા વહી, રમવા ખાતર કરમાં કોઈ લે, પણ કીમતી ગણે નહીં; ત્યાં ને ત્યાં તાઁ સર્વે ચાલ્યા; વાત સમજવા યોગ્ય કહી, મોહ-મદિરાથી જગ ગાંડું, સત્ય-પરીક્ષા થાય નહીં. ૩ અર્થ - કોઈ કુતૂહલથી બાળકની જેમ તે રત્નને ઠોકર મારી ચાલ્યા ગયા. કોઈ તેને રમવા માટે હાથમાં લે છે પણ એ કિમતી રત્ન છે એમ જણાતું નથી. ત્યાં ને ત્યાં રત્નને તજી દઈ સર્વે આગળ ચાલ્યા. આ વાત સમજવા માટે અહીં જણાવી છે, કે મોહરૂપી દારૂના નશામાં આખું જગત ગાંડું બની ગયું છે; તેથી સત્ય શું છે? તેની પરીક્ષા તેમના દ્વારા થતી નથી. હા, સર્વસ્વાર્પણ ભક્તિ-માર્ગે ત્યાગ નાગ સમ જાણીને, દૂર દૂર ભક્તિથી ભાગે કોઈ કોઈ ડર આણીને વિષય-કષાયે ૨ક્ત જનો ના ભક્તિ ભણી જર નજર કરે, ભોળા જનનું કામ ગણી કો સમજણનું અભિમાન ઘરે. ૪ અર્થ - ભક્તિમાર્ગને ગ્રહણ કરતાં દેહ કુટુંબાદિમાં મારાપણું મૂકી ઈશ્વરને સર્વસ્વ અર્પણ કરવું પડશે. એવા ત્યાગને નાગ સમાન માની તેથી ડરીને કોઈ કોઈ તો એ ભક્તિથી દૂર દૂર ભાગ્યા અને વિષય-કષાયમાં લયલીન બનેલા લોકો પ્રભુ ભક્તિ ભણી જરા પણ નજર કરતા નથી. કોઈ વળી પોતાની સમજણનું અભિમાન ઘરનારા એમ કહે છે કે ભક્તિ કરવી એ તો ભોળા જનનું કામ છે. જેને બીજું કંઈ આવડે નહીં તે ભક્તિ કર્યા કરે. ૪ ઘન-ઘંઘામાં મગ્ન જનો બહુ, બીજાને પણ ઉપદેશે, વગર કમાયે દુઃખી થાશો, માન ઘનિકને સૌ દેશે. યુવાનીમાં ઉદ્યોગ ઘટે છે; છે ભક્તિ ઘરડાં માટે કુળયોગે કો ભજનારાને આવા વાળે કુવાટે. ૫ અર્થ - જે લોકો ઘન કમાવવા અર્થે ઘંઘામાં મશગૂલ છે તે બીજાને પણ તેવો ઉપદેશ આપે છે કે વગર કમાયે દુઃખી થશો. ઘન હશે તો સૌ માન આપશે. આ યુવાનીમાં ઉદ્યોગ કરવો યોગ્ય છે. ભક્તિ તો ઘરડાઓ માટે છે. કોઈ પોતાના કુળ પ્રમાણે ભગવાનને ભજી સદાચાર સેવી પુણ્ય ઉપાર્જન કરતો હોય તેને પણ આવી પરિગ્રહ એકઠો કરવાની કુવાટે વાળી દે છે. //પાનું દેખાદેખી ભક્તિ કરતા, ઘંઘે વળગી ભેલી જતા, કાળ ગાળવા કીર્તન કરતા, કોઈ રહસ્ય ન ઉર ઘરતા; ગાનતાન, મિષ્ટાન્ન મળે છે, એમ ગણી ટોળે મળતા, પણ આત્માની ઉન્નતિ કાજે ભક્ત-મંડળે ના ભળતા. ૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - કોઈ એક બીજાને દેખી ભક્તિ કરે છે. પછી ધંધે વળગી બધું ભૂલી જઈ માયા પ્રપંચ કરે છે. સમય પસાર કરવા ભજન કીર્તન કરે છે પણ ભક્તિ કરવાનું પ્રયોજન શું છે તેનો કોઈ હૃદયમાં વિચાર કરતા નથી. પણ ભગવાનની ભક્તિના નામે ગાયન કરવાનું મળે છે અને તેની તાનમાં લીન થવાનું બને છે. વળી ભક્તિના ફળમાં તરત મિષ્ટાન્ન મળે છે એમ ગણી બઘા ટોળામાં ભેગા થાય છે. પણ જ્યાંથી આત્માની ઉન્નતિ થાય અને ગુણો પ્રગટે એવા સાચા ભક્ત મંડળમાં તે ભળતા નથી. કા વળી વળે કોઈ સન્માર્ગે, પ્રતિક્રૂળ પરિષહ સહી ન શકે, તુચ્છ વિષયમાં તણાય કાં તો માન મળે ત્યાં સુઘી ટકે; લોકલાજ કે સ્વજન-કુટુંબી ખેંચે ત્યાં ખેંચાય વળી, દેહ-દુઃખના ખમી શકે કો, નીચે ઢાળે જાય ઢળી. ૭ અર્થ – વળી કોઈ પુણ્યયોગે સન્માર્ગમાં આવે છે, ત્યાં પ્રતિકૂળ પરિષહ સહન કરી શકતા નથી. જેમ શ્રેણિક મહારાજાના પુત્ર મેઘકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાત્રે મુનિઓ એકી કરવા જતાં પોતાને ઠોકરો વાગવાથી સવારે હું તો પાછો ઘેર ચાલ્યો જઈશ એવો વિચાર આવ્યો. ત્યારે ભગવાને દેશનામાં કહ્યું : મેઘકુમાર તું પૂર્વભવમાં કોણ હતો? હાથી હતો. સસલાની દયા પાળવાથી તું આ માનવદેહ પામ્યો છું. એ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું અને ચારિત્ર ઘર્મમાં સ્થિર થયા. વળી કોઈ મન્સૂરિ જેવા દીક્ષા લઈ સ્વાદની લંપટતા જેવા તુચ્છ વિષયમાં તણાઈને યક્ષ બન્યા. કોઈ માન મળે ત્યાં સુધી ઘર્મમાં ટકે, પછી છોડી દે. કોઈને વૈરાગ્ય આવ્યો હોય છતાં લોકલાજથી કે સ્વજન કુટુંબી જ્યાં ખેંચે ત્યાં ખેંચાઈ જાય. કોઈ વળી ચારિત્ર લઈ દેહ દુઃખ ખમી શકે નહીં તેથી ચારિત્રઘર્મમાં શિથિલાચાર સેવી નીચે ઢાળે ઢળી જાય. જેમકે એક પિતા પુત્રે દીક્ષા લીધી. પુત્ર શિથિલાચારી બની પિતાને કહે : પિતા મારાથી તડકો સહન નહીં થાય, મારે જોડા વગર નહીં ચાલે,મારે ખાવામાં મિઠાઈ જોઈએ, પછી જ્યારે કહ્યું કે મારાથી બ્રહ્મચર્ય નહીં પળાય ત્યારે પિતાએ કહ્યું : જા નીકળી જા. તે મરીને પાડો થયો. પિતા દેવ થયા. માયાથી દેવે પાડા ઉપર ખૂબ ભાર ભરી ચલાવતા કહ્યું : મારે આના વગર નહીં ચાલે, તેના વગર નહીં ચાલે વગેરે કહેતા પાડાને જાતિસ્મરણજ્ઞાન થયું અને પશ્ચાત્તાપથી અનશન કરી દેવપણાને પામ્યો. આશા અપૂર્વ મોક્ષ-મહાભ્ય ટકે ના, લૌકિક ભાવે મન ભમતું, જેની મનમાં શ્રદ્ધા બેઠી, તેમાં ચિત્ત રહે રમતું; મોહ વિષે મન રોકાતું ત્યાં ભક્તિ-ભાવો મંદ થતા, ઉત્તમતા જેની મન માને, તેના ભાવ સ્વયં સ્ફરતા.”૮ અર્થ - મોક્ષનું માહાસ્ય અપૂર્વ છે. છતાં તે ન સમજાયાથી સંયમમાં મન ટકતું નથી. જેથી લોકરંજન કરવા અર્થે સર્વસંગ પરિત્યાગ કરીને પણ દોરા ઘાગા કરે. મનમાં ઇન્દ્રિયના ભોગોમાં સુખ છે એવી શ્રદ્ધા હોવાથી તેમાં ચિત્ત રમ્યા કરે. વળી કુટુંબ કે ચેલાએલીમાં મોહ હોવાથી ત્યાં મન રોકાઈ રહે છે. જેથી ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવો મંદ થઈ જાય છે. અને જે વસ્તુની ઉત્તમતા મન માને તેના ભાવો આપોઆપ સહજે સ્કૂર્યા કરે છે. દા. Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮ ૧ “મને બતાવો ક્રમ એવો કે ત્રિવિઘ તાપથી હું ઊગરું, આ સૌ સુણી મૂંઝાયો છું; આપ વિના કહે કોણ ખરું? જીતી બાજી હારી બેસે, તેમ ગયો નર ભવ હારી, જે ઑવવાનું બાકી હો તે હવે લઉં હું સુંઘારી.”૯ અર્થ - જિજ્ઞાસુ કહે : હે પ્રભુ! હવે મને એવો ક્રમ બતાવો કે તે પ્રમાણે વર્તી હું આ ત્રિવિધતાપની બળતરાથી બહાર આવું. આ જગતના સર્વ જીવોની મોહરૂપી મદિરાવડે વિપરીત થયેલી સ્થિતિને સાંભળી હું મુંઝાઈ ગયો છું. આપ વિના મને સત્ય હકીકત બતાવનાર કોણ છે? કોઈ જીતેલી બાજી હારી બેસે તેમ આ મારો મનુષ્યભવ હું હારી ગયો છું. પણ જે કંઈ જીવવાનું હજી બાકી હોય તે આપના કહેવા પ્રમાણે વર્તીને મારું જીવન સુધારી લઊં. લા. કરુણામૂર્તિ કરી કણા, બોઘા-દશા દર્શાવે છે, સંક્ષેપે આઠ દૃષ્ટિને ક્રમે કરી સમજાવે છે : “મિત્રાદ્રષ્ટિ હિત વર્ષાવે, સગુરુ-યોગ કરાવી દે, લેષ તજી જીંવ વંદન-દાને યોગ-બીજ ઉલ્લાસે લે. ૧૦ અર્થ – તેના પ્રત્યુત્તરમાં કરુણાની મૂર્તિ એવા પ્રભુ કરુણા કરીને બોઘદશાનું તારતમ્ય દર્શાવે છે કે કેવી રીતે આત્મદશા વઘારવી, કેવા કેવા ગુણો પ્રગટાવવા કે જેથી જીવને સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થાય; અને અંતે કેવળજ્ઞાન પામી જીવનો મોક્ષ થાય. તેના માટે સંક્ષેપમાં ક્રમપૂર્વક શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત આઠેય યોગ દ્રષ્ટિની અત્રે સમજ આપે છે. પહેલી મિત્રાદ્રષ્ટિ :- જ્યારે જીવને સાચા આત્મઅનુભવી સગુરુનો યોગ થાય ત્યારે તે મિત્રાદ્રષ્ટિમાં આવ્યો ગણાય. સદગુરુ મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી સાચા મિત્ર છે. તેથી ભવ્યજીવનું હિત કેમ થાય તેવા બોઘની તે વર્ષા કરે છે. તે બોધને પામી આત્માર્થી જીવ પણ સર્વ પ્રત્યે અદ્વેષભાવ લાવી શ્રી ભાવાચાર્યની વિનયપૂર્વક વંદના કરે છે. તથા તેમને આહાર ઔષઘાદિનું દાન આપી ઉલ્લાસપૂર્વક યોગના બીજને તેમને પાસેથી ગ્રહણ કરે છે. જે સાઘનો આત્માને મોક્ષની સાથે જોડે અથવા સમકિત પ્રાપ્ત કરાવે તે યોગ કહેવાય છે. તે યોગના બીજ મુખ્યત્વે ત્રણ છે. તેમાં શ્રી જિનેશ્વર વીતરાગદેવને સંસારસુખની ઇચ્છાથી રહિત થઈ માત્ર મોક્ષાર્થે નિષ્કામભાવે વંદન કરવા તે યોગનું પ્રથમ બીજ કહેવાય છે. તથા ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા અથવા આજ્ઞા ઉઠાવવી તે બીજું યોગનું બીજ ગણાય છે. તેમજ સાચો વૈરાગ્યભાવ ઉત્પન્ન થવાથી મારા જન્મ મરણ કેમ નાશ પામે એવો જે ભાવ ઊપજવો તે યોગના બીજનું ત્રીજું લક્ષણ કહેવામાં આવે છે. વળી આગળની ગાથામાં મિત્રાદ્રષ્ટિ વિષે જણાવે છે. ||૧૦ગા. તૃણના ભડકા સમો બોથ ત્યાં, અસર રહે ના પછી ઝાઝી, અપૂર્વકરણની નિકટ જતો ર્જીવ મોહનીંદ બનતી આછી; સગુરુ-યોગે યોગ અવંચક, બોઘબળે અવ્યક્ત બને; વ્રત પણ પાળે, શુભ કાર્યોમાં ખેદ ઘરે ના, પ્રબળ મને. ૧૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું બોઘબળ તૃણના અગ્નિ જેવું હોય છે. જેમ ઘાસમાં અગ્નિ નાખવાથી ભડકો થાય; પછી પાછળ કંઈ રહે નહીં. તેમ સપુરુષના બોઘની તેને તાત્કાલિક અસર થાય, ભાવમાં એકદમ ઉભરો આવે; પણ તે લાંબા સમય સુધી ટકી રહેતો નથી. અનાદિકાળની દર્શનમોહની નિદ્રા આછી બનતા આ પ્રથમ દ્રષ્ટિવાળો જીવ અપૂર્વકરણની નિકટ આવે છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ એ પૂર્ણ કરે ત્યારે જીવ સમકિતને પામે છે. તેમાં આ પાંચમી કરણલબ્ધિના પાછા ત્રણ ભેદ છે. તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તે પૂર્ણ થયે જીવ સમકિતને પામે છે. મિત્રાદ્રષ્ટિવાળો જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી આવી શકે છે. અનાદિકાળના અહંભાવ, મમત્વભાવને લીધે રાગદ્વેષ મિથ્યાત્વની ગ્રંથિને છેદે એવો ભાવ પૂર્વે કોઈ વાર જીવને આવ્યો નથી, તે અપૂર્વભાવ અથવા અપૂર્વકરણ કરવા માટે જે ઉત્સાહ જોઈએ તે આ પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. તેથી આ મિત્રાદ્રષ્ટિના ગુણવાળા જીવને અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાન કહ્યું છે. જ્યાં સુધી મન વચન કાયાના યોગ વંચક એટલે ઠગરૂપ હોય ત્યાં સુધી સદગુરુ સમીપે પણ તેને પોતાની મહત્તાનો જ વિચાર આવે છે અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે છે. તેની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા અહંભાવ સહિતની હોય છે. તેથી ઘર્મ સાઘન કરતાં પણ તે સંસારની જ વૃદ્ધિ કરે છે. પણ સદગુરુનો યોગ થયા પછી તેના બોઘબળે અવ્યક્તપણે પણ તેની આજ્ઞામાં તેનો મનોયોગ પ્રવર્તવાથી તે યોગાવંચક થાય છે. તથા જ્ઞાનીની આજ્ઞાએ વચન અને વંદન આદિ ક્રિયા પણ કાયાવડે વિનયપૂર્વક કરવાથી તે ક્રિયાવંચક બને છે અને સદ્ગુરુ સાચા હોવાથી તેની ભક્તિનું ફળ પણ મોક્ષમાર્ગમાં આગળ વઘારનાર હોવાથી તેને ફળાવંચક કહેવાય છે. એમ યોગ, ક્રિયા અને ફળ એ ત્રણેય અવંચક થાય ત્યારે તે જીવ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો ગણાય. આ અવંચકયોગથી તેનો ભાવમલ દૂર થાય છે. આ અવંચકયોગ છેલ્લા પુદગલ પરાવર્તનમાં વર્તતા એવા અલ્પસંસારી જીવને પ્રગટે છે. જેમ સાધુને હમેશાં સિદ્ધદશા પ્રાપ્ત કરવાનો લક્ષ રહે છે; તેમ આ દ્રષ્ટિમાં આવેલા જીવને મોક્ષની સાથે જોડે એવા સાઘનોને આરાઘવાનો જ લક્ષ રહે છે. તે બીજા કાર્યમાં વધારે વાર ખોટી થતો નથી. આ દ્રષ્ટિવાળાને અદ્વેષ નામનો ગુણ પ્રગટે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. તેને આ પ્રથમ દ્રષ્ટિમાં આવેલ જીવ વ્રતરૂપે ગ્રહણ કરે છે. આ દ્રષ્ટિનું “યમ” નામનું તે અંગ કહેવાય છે. વળી આ દ્રષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે. તેથી શુભ કાર્યો કરવામાં તેને ખેદ અથવા થાક લાગતો નથી. પણ આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં પ્રબળ મનોબળથી તેને ઉત્સાહ હોય છે. તે નિયમ, પચખાણ આદિ અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ પણ પાળે છે. તથા શુભ કાર્યોમાં તે આગમના જ્ઞાનનું શ્રવણ કરે છે, તેને અનુસરી વર્તવાનો આદરસહિત ભક્તિભાવ રાખે છે. સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવા શાસ્ત્રો લખાવે, છપાવે તથા શાસ્ત્રોનું પુષ્પાદિવડે પૂજન કરે, બીજાને વાંચવા આપે, શ્રી ગુરુના વચનો દ્વારા વિસ્તારપૂર્વક શાસ્ત્રના અર્થને સમજે, પછી તળુસાર સ્વાધ્યાય કરે, તે સંબંધી ચિંતન મનન કરે તથા વારંવાર તેની અનુપ્રેક્ષા કરે છે. એ બધા સમ્યક્દર્શન પ્રાપ્તિના યોગના બીજ અથવા કારણ છે, તેને તે ભાવપૂર્વક સેવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮૩ તથા પાંચ કવડીને અઢાર ફુલથી કુમારપાળે કરેલ ભગવાનની પૂજા, અથવા શાલિભદ્રના પૂર્વભવમાં આપેલ ખીરના દાનની કથા તથા ઘન્યમુનિના તપની કથા અથવા સુદર્શન શેઠના શીલની કથા વગેરે સાંભળીને તેને રોમાંચ થાય છે. અથવા ભીલે જ્ઞાનીની આજ્ઞાથી કાગડાનું માંસ ત્યાગવાથી શ્રેણિક રાજા બની સમ્યગ્દર્શન પામ્યો એવી કથા વગેરેના શ્રવણમાં અત્યંત ઉલ્લાસભાવ આવવાથી તેના હૃદયમાં પ્રતિદિન ઘર્મનેહ વધતો જાય છે. આવા ભાવો પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. ૧૧ાા તારાષ્ટિ પ્રેમ જગાવે, યોગ-કથામાં લીન કરે, નિયમ ઘરે નિજ દોષો દેખે, ગુણીજન-ગુણો ઉર ઘરે; આગ્રહ શાસ્ત્ર તણો ત, માને શિષ્ટ શિખામણ સજ્જનની, ભવ-ભય જાગે, નિજ હઠ ત્યાગે, સવિનય છાપ સુવર્તનની. ૧૨ અર્થ - પહેલી દ્રષ્ટિમાં સપુરુષનો યોગ તથા બોઘ મળવાથી જીવને સત્ પ્રત્યે પ્રેમ જાગે છે અને સમજણની વૃદ્ધિ થઈ તે બીજી તારા દ્રષ્ટિમાં આવે છે. બીજી તારાદ્રષ્ટિ :–અહીં બોઘનું બળ વૃદ્ધિ પામે છે અને પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વઘારે વાર ટકે છે. આ દ્રષ્ટિમાં આવેલ મુમુક્ષુને સમ્યગ્દર્શન પ્રાપ્તિની યોગ કથા તથા મહાપુરુષોએ કરેલા અજબ પુરુષાર્થની કથા સાંભળવી બહુ ગમે છે. તે જીવ ભવભીરુ હોવાથી અનુચિત આચરણ અથવા કોઈ પ્રકારે પાપમાં પ્રવૃત્તિ કરતો નથી. પણ સદ્ગુરુ જેમ કહે તેમ કરવા તે તત્પર હોય છે. આ દ્રષ્ટિમાં વર્તતા જીવને નિયમ નામનું યોગનું અંગ પ્રગટે છે. તેથી શૌચ (પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરધ્યાન નામના સદ્વર્તનમાં વર્તવારૂપ મુખ્યપણે પાંચ નિયમોને તે ઘારણ કરે છે. આ દ્રષ્ટિવાળાને ઉદ્વેગ એટલે શુભક્રિયા કરવામાં અરુચિ નામનો દોષ દૂર થાય છે. અને સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છ પદ વગેરે તત્ત્વ સમજવાની તીવ્ર ઇચ્છારૂપ જિજ્ઞાસા નામનો ગુણ પ્રગટે છે. તારા દૃષ્ટિવાળો જીવ વીસ દોહામાં કહ્યું તેમ પોતાના દોષ જુએ છે. પોતામાં ગુણ હોવા છતાં તેમાં ઉણપ જુએ અને ગુણીજનોના ગુણોને દેખી વિનયપૂર્વક પોતાના હૃદયમાં તે ઘારણ કરે છે. શાસ્ત્રો ઘણા છે, તેનો પાર નથી. તે સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી. વળી આ કાળમાં આયુષ્ય ઓછા તેથી શાસ્ત્રો જાણવાનો આગ્રહ છોડી આતપુરુષ જ્ઞાની કહે તેને જ તે પ્રમાણભૂત માને છે. શિષ્ટ એટલે વિદ્વાન આત્માનુભવી જ્ઞાની પુરુષો જે શિખામણ આપે તેને જ શ્રદ્ધાપૂર્વક માન્ય કરી તે પ્રમાણે વર્તન કરે છે. આ દ્રષ્ટિવાળાને સંસારનો ભય લાગે છે કે રખેને સંસાર વધી ન જાય. સંસારના કહેવાતા સુખને પણ તે દુ:ખની ખાણ માને છે. અને સદા જાગૃત રહે છે. સદ્ગુરુ મળ્યા પહેલા જે જે આગ્રહો ગ્રહ્યા હતા તેને ત્યાગે છે. સ્વચ્છેદે જે વાંચ્યું કે નિર્ણય કરી રાખ્યા હતા તેની હઠને છોડે છે અને સદ્ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી પોતાનો સ્વચ્છેદ મૂકી તેમની આજ્ઞા પ્રમાણે સુવર્તન કરે છે. તેના સુવિનયની છાપ પોતાના આત્માને જ કલ્યાણકારક નીવડે છે. તેમજ બીજા ઉપર પણ છાપ પડે છે. |૧૨ાા છાણાના અગ્નિ સમ છૂપો બોઘ ટકે છે તારામાં, બલાદ્રષ્ટિમાં કાષ્ઠઅગ્નિ સમ, બળવાળો વાગ્ધારામાં; Page #188 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વિચારણા જાગે છે એથી, શ્રવણ-ભાવ વળી વઘતો રે, વ્યસની સમ સંકટ ના લેખે, દ્રઢ આસન-જય કરતો રે. ૧૩ અર્થ - ગોમય એટલે ગાયના છાણનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આ તારા નામની બીજી દ્રષ્ટિમાં બોઘનું બળ પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વધારે વાર ટકે છે; અને ભવ્યાત્મા પોતાનું આત્મકાર્ય ગુપચુપ કર્યા કરે છે. ત્રીજી બલાદ્રષ્ટિ – હવે ત્રીજી બલા નામની દ્રષ્ટિમાં વાઘારા એટલે સત્પરુષની વાણીની ઘારાનું બળ કાષ્ટઅગ્નિ સમાન હોય છે. જેમ કાષ્ટ એટલે લાકડાનો અગ્નિ બળી રહે છતાં પાછળ અગ્નિ રહે તે કામ આવે છે. તેમ ઉપદેશનું નિમિત્ત ન હોય તો પણ પહેલા સાંભળેલું યાદ આવે છે. અને સતુની માન્યતા એટલે શ્રદ્ધા દ્રઢ થતી જાય છે. સત્સંગમાં ન હોય, અન્ય કાર્ય કરતા હોય તો પણ મુમુક્ષતા ટકી રહે છે. તથા સંસારના કાર્યો પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત રહે છે. સપુરુષના બોઘથી ઉત્તમ નવીન સુવિચારણા જાગે છે. તેથી આ દ્રષ્ટિવાળાને સુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. તેથી સત્પરુષનો બોઘ સાંભળવાની વારંવાર પ્રબળ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી મને ક્યારે બોઘ સાંભળવાનો યોગ મળશે. અને પુરુષાર્થ કરીને પણ તેવું નિમિત્ત શોધીને મેળવે છે. તે બોઘ સાંભળવાની ઇચ્છા કેવી પ્રબળ હોય છે તેનું અત્રે દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ નીરોગી યુવાન પોતાની સ્ત્રી સાથે બધી સુખ સામગ્રી સહિત બેઠો હોય અને કોઈ દેવતાઈ સંગીત સંભળાય તો તે સર્વ મૂકીને તે સાંભળવા જાય. તેને તે વિશેષ પ્રિય લાગે છે. તેમ આ દ્રષ્ટિવાળાને ભલે રાજકુમાર જેવું સુખ હોય તો પણ ચેન ન પડે અને તત્ત્વ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી ત્યાં જાય અને શ્રીગુરુનો સારી રીતે વિનય કરે એવો તે સુવિનીત બની જાય છે. વળી શ્રવણ-ભાવ એટલે સાંભળવાની ઇચ્છા દિનોદિન વઘતી જાય છે. તે કેવી રીતે? તો કે આ દ્રષ્ટિવાળાને બોઘ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી, બોઘનો પ્રવાહ કૂવામાંથી આવતી પાણીની સેર જેવું કામ કરે છે. કુવાની શેરમાંથી જેમ નવું નવું પાણી આવ્યા કરે તેમ બોઘ શ્રવણની ઇચ્છાથી તેને નવી નવી વિચારધારાઓ આવ્યા કરે છે. બોઘ સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે થલ કૂપ એટલે પાણી વિનાના ખાલી ખાડા જેવું નકામું છે; અર્થાત્ શુશ્રુષા ગુણ એટલે સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે નવીન વિચારણા ઉત્પન્ન કરી શકે નહીં. તેથી તે નકામું છે. જ્યારે શુશ્રુષા ગુણ એવો છે કે સાંભળવાની ઇચ્છા હોવા છતાં સાંભળવાનું ન મળે તો પણ તેને લાભનું કારણ થાય છે. પુરુષના વચન પ્રત્યે બહુમાન રુચિ અને તે વચનોનું મનમાં પ્રામાણિકપણું રહેવાથી તેના સહેજે કર્મના આવરણ ઘટે છે, બોઘપ્રાપ્તિના અંતરાય ટળે છે અને વિના સાંભળ્યું પણ તેની કાર્યસિદ્ધિ થાય છે. તે પર એક દ્રષ્ટાંત જણાવે છે. જેમ કોઈ માણસ રાજાની પાસે આવી ફરિયાદ કરી જાય, ત્યારે રાજા સુતા હોય, ઉંઘતા હોય તેથી કંઈ સાંભળે નહીં. પણ પેલો માણસ રાજાને ફરિયાદ કરી આવ્યો એમ જાણી તેનું મહત્ત્વ વધી જાય અને પ્રતિપક્ષી પણ ડરી જઈ ઘરમેળે જ ઝઘડો પતાવી દે. તેમ માત્ર બોઘ સાંભળવાની ખરી ભાવનાથી પણ જીવની કાર્યસિદ્ધિ થાય છે. બોઘ સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય અને સાંભળવાનું મળે તો તેનું મન બહુ રીઝે અને તન ઉલ્લસે એવો ઉમંગ આવે છે. તે એકતાન સ્થિર થઈને બોઘ સાંભળે અથવા વાંચે તેથી થોડામાં તે બહુ સમજે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮૫ જેમ પ.પૂ.પ્રભુશ્રીજીને છ મહીને પરમકૃપાળુદેવનો પત્ર મળે તો તેમનું મન રાજી રાજી થઈ જાય કે જાણે આજે તો નિથાન મળી ગયા. આવી તત્ત્વ સાંભળવાની ઇચ્છા વિના આત્માના ગુણની ગમે તેવી ઉત્તમ કથા પણ બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ જાય છે. વ્યસની માણસ જેમ આવેલા સંકટને ગણકારતો નથી; તેમ આ દૃષ્ટિવાળાને ઘર્મ આરાઘનમાં ઘણું કરી કોઈ વિધ્ન નડતું નથી. અને કદાચ નડે તો તેને તે ગણકારતો નથી. વળી અનાચાર એટલે પાપમય પ્રવૃત્તિને સર્વથા ત્યાગી સદાચારમાં પ્રવર્તવાથી તેનો પુણ્ય પ્રભાવ પણ વધ્યો હોય છે, તેથી કાઈ તેનો અપયશ બોલે તો લોકો જ તેનો વિરોધ કરે કે એ એવો હોય નહીં. એમ આ દૃષ્ટિવંતના મહાભાગ્યનો ઉદય પ્રગટ જણાય છે. જ આ સૃષ્ટિવાળો આસનનો દૃઢ જય કરે છે. આ સૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સહેજે ઘટે છે. તેથી મન અને શરીરની ચપળતા દૂર થાય છે. મન બોઘમાં તન્મય થવાથી તેની અસર શરીર ઉપર પણ થાય છે. શરીર પ્રત્યે તેની વૃત્તિ ન જવાથી જે સ્થિતિમાં શરીર હોય તે સ્થિતિમાં તે સ્થિર રહે છે. એમ તન મનની સ્થિરતા થવી તે આસન નામનું અષ્ટાંગ યોગનું એક અંગ છે, જે આ દૃષ્ટિવાળાને પ્રાપ્ત થાય છે. આસનની સ્થિરતા થવાથી ક્ષેપ એટલે ઘાર્મિક ક્રિયામાં ત્વરા અર્થાત્ ઉતાવળ કરવાનો દોષ આ દૃષ્ટિવાળાને દૂર થાય છે. તેથી ભક્તિ, સ્વાધ્યાય આદિ કાર્યમાં ઘીરજથી સ્થિરતાપૂર્વક તે પ્રવર્તન કરી શકે છે. હવે આગળ વધી તે ચોથી દૃષ્ટિમાં આવે છે. ।।૧૩।। : દીપ-પ્રભાસમ દીસાવૃષ્ટિ, ભવ-ઉદ્દેગ બહુ ધારે, પ્રાણાયામ લહે જૈવ ભાવે રેચક તે પાપ નિવારે; સદ્વિચારરૂપ પૂરક જાણો, કુંભક તે બોથ ટકાવે, સદ્ગુરુ સેવે, વ્રત ના વોર્ડ પ્રાણ જતાંય નિભાવે. ૧૪ અર્થ :— ચોથી દીપ્તાસૃષ્ટિ :–આ ચોથી દૃષ્ટિ લગભગ સમકિત પાસેની છે. આ દૃષ્ટિનું નામ દીસા છે. એમાં બોધનું બળ દિવાના પ્રકાશ જેવું છે. દીવો જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દૃષ્ટિવાળો જીવ પોતે બોધને સમજે અને બીજાને પણ સમજાવી શકે એવાં બોધના બળવાળો હોય છે. છતાં દીવાનાં પ્રકાશમાં દોરી જોઈ જેમ સાપની ભ્રાંતિ થાય; તેમ આ દૃષ્ટિમાં બોઘની સમજ છે પણ અંતરનું મિથ્યાત્વ હજુ ખસ્યું નથી અર્થાત્ પુદ્ગલમાં સુખ છે એવી ભ્રાંતિ તેને હજુ સર્વથા દૂર થઈ નથી. તો પણ આ દૃષ્ટિવાળાને શ્રવણ નામનો ગુણ પ્રગટ થયો છે. તેથી જ્ઞાનીપુરુષ દ્વારા સમજાવેલ બોધરૂપ મધુર પાણીનું સિંચન થતાં, તેમાંથી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતના બીજ એટલે લક્ષણો પ્રગટે છે. તેથી ભવ-ઉદ્વેગ એટલે સંસાર પ્રત્યે તે બહુ વૈરાગ્યભાવને ઘારણ કરનારો હોય છે. તથા અતત્ત્વશ્રવણ કે કુસંગતિ આદિને તે ખારા પાણીની જેમ દૂરથી જ તજે છે. આ દૃષ્ટિવાળો જીવ શ્રીગુરુની ભક્તિ અદ્રોહપણે કરે છે. માત્ર સમકિત અર્થે વિનય સહિત શ્રી ગુરુની આજ્ઞા આરાઘવી તે અદ્રોહ ભક્તિ છે. હું જાણી ગયો એમ માની અહંકાર કરી શ્રી ગુરુ પ્રત્યે કષાયભાવ રાખે તો તે દ્રોહ કર્યો ગણાય છે. આ દૃષ્ટિવાળો શ્રી ગુરુની સાચી ભક્તિથી તીર્થંકર ગોત્ર સુધીનું પુણ્ય પણ બાંધી લે છે. ડીસા દૃષ્ટિમાં આવવાથી ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. તેથી મન બીજે જતું નથી. ઉત્થાન Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એટલે ચિત્તની ચંચળતા, અસ્થિરતારૂપ દોષ જવાથી ચિત્તની એકાગ્રતા વધતી જાય છે. તેના ફળસ્વરૂપ આ દ્રષ્ટિમાં આવેલ જીવને ભાવ પ્રાણાયામની પ્રાપ્તિ હોય છે. દ્રવ્ય પ્રાણાયામમાં શ્વાસ બહાર કાઢવો તે રેચક, શ્વાસ અંદર લેવો તે પૂરક, અને શ્વાસની સ્થિરતા કરવી તે કુંભક કહેવાય છે. જ્યારે ભાવ પ્રાણાયામમાં પાપોની પ્રવૃત્તિ અને સંકલ્પ-વિકલ્પોરૂપ બાહ્યભાવ છૂટી જાય તે રેચક તથા સગુણોને ગ્રહણ કરવાનો વિચારરૂપ ભાવ ઊપજે તે પૂરક અને શુભ અશુભ વિકલ્પો બંઘ પડી બોઘબળે ભાવોની સ્થિરતા થાય તેને કુંભક જાણો. એ રીતે વૃત્તિને રોકે છતાં આ ચોથી દ્રષ્ટિવાળાને આત્માનો અનુભવ ન હોવાથી ભાવ પ્રાણાયામ પણ દ્રવ્યરૂપ છે. દ્રવ્યપ્રાણ એટલે શ્વાસોચ્છવાસ અને મનને સંબંધ છે. જેમ જેમ શ્વાસોચ્છવાસ મંદ થાય તેમ તેમ મન શાંત થાય છે. એ દ્રવ્ય અને ભાવ પ્રાણાયામ આ ચોથીવૃષ્ટિનું અંગ ગણાય છે. આ દ્રષ્ટિમાં આવેલ જીવ સાચા અંતરના ભાવે શ્રી ગુરુની ભક્તિ કરે છે. લીઘેલ વ્રતને તોડતો નથી. તે પોતાના પ્રાણ જતાં કરે પણ સદ્ગુરુ આજ્ઞાએ જે ઘર્મનું આરાઘન કરતો હોય તે છોડે નહીં. આજ્ઞાને જ ઘર્મ માની પ્રાણ કરતા પણ તેને અધિક સમજે. ઘર્મ એ આત્માનો ભાવ પ્રાણ છે. જેમકે શ્રી ગુરુ પાસે ભીલે કાગડાનું માંસ ન ખાવાનું વ્રત લીધું. તે માટે પ્રાણ જતાં કર્યા પણ વ્રત ન ભાંગ્યું; તો તે શ્રેણિક મહારાજા થઈ ભગવાન મહાવીરની ભક્તિથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. દેહ તો ફરી મળે પણ જ્ઞાનીની આજ્ઞા મળવી બહુ દુર્લભ છે, એમ જાણી ગમે તેવા લાલચને વશ થઈ તે ઘર્મને તજે નહીં. એવું આ દૃષ્ટિનું રહસ્ય છે. એટલી તૈયારી જે જીવમાં હોય તે સમકિતને પામે છે. આ દૃષ્ટિવાળાની આવી યોગ્યતા હોય છે. ૧૪ સૂક્ષ્મ બોઘનો અભિલાષી તે, “મેં જાણ્યુંએમ ન માને, સત્સંગતિ સન્શાસ્ત્રો સેવે, નહિ તણાય કુતર્કતાને; કદાગ્રહોના ઝઘડા તાઁ તે સત્ય શોઘ ભણી વળતા રે, શબ્દાડંબર કે કીર્તિના કાદવમાં નહિ કળતા રે. ૧૫ અર્થ :- આ ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ સૂક્ષ્મબોધનો અભિલાષી હોય છે. સૂક્ષ્મબોઘ તે સંસારથી તારનાર અને કર્મને ભેદનાર છે. સૂક્ષ્મબોઘ એટલે ચેતન અથવા જડ પદાર્થોનું અનંત ઘર્માત્મક સ્વરૂપ જેમ છે તેમ અંતરમાં સમજાવું છે. તે સમજવાની ઇચ્છા હોવાથી “મેં જાણ્યું' એમ તે માનતો નથી. આ દ્રષ્ટિવાળાને સમ્યકજ્ઞાન એટલે આત્માનો અનુભવ અર્થાત્ વેદન નથી. પહેલી આ ચાર દ્રષ્ટિમાં આત્માનુભવરૂપ સ્વસંવેદન નથી. તેથી તે અવેદ્ય સંવેદ્ય પદ કહેવાય છે. જાણવા યોગ્ય એવા બંઘ કે મોક્ષના કારણોનું જ્ઞાન નહીં તે અવેદ્ય પદ અને જાણવા યોગ્ય આત્માદિ પદાર્થનું સંવેદન એટલે સમ્યફ રીતે વેદન નહીં તે અસંવેદ્ય પદ છે. આત્માનું સાક્ષાત્ વેદન અથવા અનુભવ તે પાંચમી દ્રષ્ટિમાં આવેલ જીવને હોય છે. ત્યાં ગ્રંથિભેદ અથવા સમકિત થવાથી તેને વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત હોય છે. તેથી પાપની પ્રવૃત્તિ તે માત્ર કર્મના ઉદયમાં પરવશપણે ન છૂટકે કરે છે. તે સંસારના કાર્યોમાં મન વગર વૈરાગ્ય સહિત પ્રવર્તવાથી તેની પ્રવૃત્તિ નવીન કર્મબંધનું કારણ થતી નથી; પણ પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે. તેની તે છેલ્લી પાપ પ્રવૃત્તિ કહેવાય છે. જ્યારે ભવાભિનંદી એટલે સંસારમાં જ આનંદ માનનારા જીવનું અવેદ્ય પદ એટલે અનાદિનું Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ મિથ્યાત્વ પદ ભેદવું તે અત્યંત કઠોર હોય છે. તેને ભેદવાના ઉપાય સત્પુરુષોનો સમાગમ અને આગમ છે. તેથી આ ચોથી દીક્ષા દૃષ્ટિવાળો જીવ સત્પુરુષની સત્સંગતિ અને તેમની આજ્ઞાનુસાર સત્શાસ્ત્રોનું સેવન કરીને બળવાન પુરુષાર્થ આદરી, આ દૃષ્ટિના અંતમાં તે મિથ્યાત્વને હણી પાંચમી દૃષ્ટિમાં આવી, આત્માના વેદ્ય સંવેદ્યપદને પ્રાપ્ત કરી લે છે. તે મિથ્યાત્વપદને જીતવાથી પછી ખોટા કુતર્કના તાનમાં તે તણાતો નથી. શાસ્ત્રો વાંચી કુતર્ક કરવા એ ઘણું ભયંકર છે. જે ખરો તત્ત્વનો શોષક હોય તે શ્રી ગુરુના ઉપદેશથી તત્ત્વ જાણી તે પ્રમાણે વર્તે; પણ જે સ્વચ્છંદી હોય તે નરક નિગોદના દુઃખને પામે છે. કુતર્કો કરતાં, પોતાનો તર્ક જ સાચો માને અને તેનો કદાગ્રહ થઈ જાય. પછી પોતાને સર્વજ્ઞ જેવો માને અને કલ્પિત મતની સ્થાપના કરે. એવા નિહ્નવ મહાવીર સ્વામીના વખતમાં પણ ઘણા થયા છે. પણ ૫૮૭ આ દૃષ્ટિવાળો જીવ કદાગ્રહોના ઝઘડા તજી સત્ય શોધ ભણી વળે છે; અર્થાત્ શ્રુતજ્ઞાન ભણવાનો, શીલ પાળવાનો, પરોપકાર કરવાનો કે સ્વરૂપમાં સ્થિર થવારૂપ સમાધિનો આગ્રહ રાખે છે. જેથી ખરી જ્ઞાનદશાને તે પામે છે. જ્યારે પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે, દેખાદેખી ઇન્દ્રિયસુખ પ્રાપ્તિના લક્ષે જે ક્રિયા કરે તે ચારગતિરૂપ સંસારને પામે; પણ આગમમાં કહેલા આશયને સમજી જ્ઞાનીની આજ્ઞાના લક્ષપૂર્વક જે જ્ઞાન ક્રિયા કરે તેનું ફળ પરંપરાએ મોક્ષ આવે છે. જે કોઈ પણ પ્રકારના પૌદ્ગલિક સુખની ઇચ્છા વિના માત્ર જન્મમરણથી મુક્ત થવાની ઇચ્છાએ શુદ્ધભાવે અસંમોહ એટલે મોહરહિત ક્રિયા કરે તે ઇષ્ટ એવા મોક્ષફળને શીઘ્ર પામનાર થાય છે. સર્વજ્ઞને અનુસરનારા મહાત્માઓ પરમાર્થને સમજાવા માટે એક બીજાથી દેખાવમાં વિપરીત શબ્દોનો પ્રયોગ કરે તેમાં વિવેકીજનોને વાદવિવાદ હોતો નથી. જેમકે આત્મજ્ઞાની મહાત્માઓ કોઈને પરભવની શ્રદ્ધા દૃઢ કરાવવા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા દ્રવ્યથી નિત્ય છે એમ કહે અને કોઈને વૈરાગ્ય પમાડવા પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ કહે, પણ તેમનો આશય મૂળ વસ્તુના ગુણધર્મોને જ જણાવવાનો હોવાથી, તે મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી. એમ જિનેશ્વર ભગવાનના સ્યાદ્વાદથી જોતાં કોઈ મતમાં વિરોધ આવતો નથી. માટે મહાત્માઓ સ્યાદ્વાદ તત્ત્વનું અવલંબન લઈ કોઈ પ્રકારના ઝઘડામાં પડતા નથી. તથા કોઈ પ્રકારનો અભિનિવેશ એટલે આગ્રહ કરી કીર્તિ એટલે માનાદિ મેળવવારૂપ કાદવમાં તે કળાતા નથી. પણ સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માઘ્યસ્થ ભાવના ભાવી પ્રથમની ચાર દૃષ્ટિના ગુણો પ્રગટ કરી પાંચમી સ્થિરા દૃષ્ટિને તે પામે છે. તે સ્થિરાવૃષ્ટિ અમૃતના મેહ વરસવા જેવી તેને જણાય છે. ।।૧૫।। સ્થિરાષ્ટિમાં સૂક્ષ્મ બોધ છે, રત્ન-તેજ સમ સમજણમાં; રાચે મન ના વિષય-વિકારે, હતી ભ્રાન્તિ અણસમજણમાં; ઉદયબળે વર્તે કી પાપે, અરતિ-પશ્ચાત્તાપે રે સદા નિર્જરા નિશદિન તોયે, મોક્ષમાર્ગ તે માપે રે. ૧૬ અર્થ – પાંચમી સ્થિરાવૃષ્ટિઃ—આ પાંચમી સ્થિરાવૃષ્ટિમાં ગ્રંથિભેદ થવાથી વેદ્યસંવેદ્ય પદ એટલે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન થઈ સાક્ષાત્ આત્માનો અનુભવ થાય છે. તેથી વિપરીતતા એટલે ભ્રાંતિ નામનો દોષ દૂર થાય છે અને સુક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટે છે. ચેતન, જડ પદાર્થના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન થવું તે સુક્ષ્મ બોધ છે, તે જ સમ્યજ્ઞાન છે. શ્રુતજ્ઞાનથી પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે. પ્રથમ તે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાગદ્વેષના કારણોને, અજ્ઞાનને લીધે સારા માનતો હતો; તે હવે ટળી જઈ આ દ્રષ્ટિમાં વખાણવા લાયક એવું પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રગટ થાય છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવારૂપ ગુણ. આ દ્રષ્ટિવાળાને વિષયોમાં આસક્તિનો નાશ થતો હોવાથી માત્ર ચિત્રામણ જેવું તેનું ઉદયાથીનપ્રવર્તન રહે છે. ભ્રાંતિથી ઇન્દ્રિયના વિષયોમાં સુખ માન્યું હતું ત્યાં સુધી પશુ સમાન હતો. તે ટળીને શુદ્ધ સમકિતના કારણે તે દેવ જેવો થયો. હવે જગતના જીવોની સર્વ ભૌતિક સુખ સામગ્રી આત્માના અનંત સુખ ઐશ્વર્ય આગળ તેને તુચ્છ લાગે છે. અને આત્મામાં જ સર્વ રિદ્ધિસિદ્ધિ તેમજ અષ્ટ મહાસિદ્ધિ વગેરે સર્વસ્વ છે એમ ભાસવાથી સંસારી જીવોની બધી ચેષ્ટાઓ બાળકના ધૂળમાં ઘર બનાવવા જેવી અસુંદર અને અસ્થિર લાગે છે. આ દ્રષ્ટિવાળાને બોઘની અસર રત્નપ્રભા સમાન હોય છે. દીપકના પ્રકાશને પવન અસર કરે પણ રત્નનો પ્રકાશ કદી નાશ પામે નહીં; તે નિરંતર રહે છે. રત્ન ઉપર ધૂળ હોય તો ઝાંખુ દેખાય તેમ ચારિત્રમોહના કારણે આ દ્રષ્ટિમાં આવેલો જીવ વધારેમાં વધારે ત્રણ ચાર ભવ કરે અથવા તે જ ભવે મોક્ષને પામે છે. આ દ્રષ્ટિવાળાનું મન હવે વિષય વિકારમાં રાચતું નથી. પહેલા અણસમજણ એટલે અજ્ઞાનને કારણે સંસારમાં સુખની ભ્રાંતિ હતી તે હવે ટળી જઈ એક આત્મા જ સારભૂત લાગે છે. ઇન્દ્રિયોથી સંભળાય, દેખાય, ચખાય છતાં તેમાં ભાવમનરૂપ આત્માનો ઉપયોગ તન્મય થતો નથી, તેમાં આસક્તિ પામતો નથી. આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ જે પહેલા બહાર જતો હતો તે હવે રોકાઈ જઈ આત્માની જ્યોતિ પ્રગટ થવાથી ત્યાં જ રહે છે. ઉપયોગ એ જ સાધના છે. રાગદ્વેષ એ આત્માનો સ્વભાવ નથી, તેથી ક્ષાયિક સમ્યદ્રષ્ટિનો લક્ષ નિરંતર તેના આત્મામાં રહે છે. ચારિત્રમોહના કારણે તેને પણ સંસારમાં પ્રવર્તન કરવું પડે તો પણ તેમાં મહાભ્યબુદ્ધિ ન હોવાથી તે બધું તુચ્છ જણાય છે. - ઉદયના ઘક્કાના કારણે પરમકૃપાળુદેવ જેવાને ઘરમાં રહ્યા છતાં પણ ભરત ચક્રવર્તીની જેમ છૂટું છૂટુંના ભણકારા થયા કરતા હતા. જ્ઞાની પુરુષોની ઉદયબળે સાંસારિક પ્રવૃત્તિ તે અણગમા સહિત તેમજ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી હોવાથી તેમને સદા કમોંની નિર્જરા છે. તેઓ સદા સમતાભાવે આત્મામાં રમણતા કરતા હોવાથી પ્રતિ સમયે અનંતગુણ વિશિષ્ટ દશા વઘારતાં મોક્ષમાર્ગ તરફ જ ગમન કરતા રહે છે. ||૧૬ના ચારે ગતિથી ઊંચા આવે, સમ્યજ્ઞાન-વિરાગે રે, સમ્યવૃષ્ટિ બહુ બળવંતા, વર્તે અંતર્ત્યાગે રે; ઘર્મ-જનિત ફળ સુખ-સામગ્રી, ચંદનના અગ્નિ જેવી, પુણ્યવંત સમ્યવ્રુષ્ટિને લાગે છે બાળે તેવી. ૧૭ અર્થ :- સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ હવે ચારે ગતિથી ઊંચા આવી પંચમગતિરૂપ મોક્ષ તરફ પ્રયાણ કરે છે. સમ્યગૃષ્ટિ મહાન આત્માઓ અંતરમાં સમતારસમાં તરબોળ રહેવાથી તેમજ અનાદિની વિષયકષાયની પ્રવૃત્તિથી ભાવે અતિદૂર હોવાથી તેઓ મહા બળવાન છે. તેઓને મન, ઘર્મનાં આરાઘનથી પ્રાપ્ત થયેલ પુણ્યના ફળરૂપે પાંચ ઇન્દ્રિયના વિષયભોગ-સાંસારિક સુખો પણ અનિષ્ટ લાગે છે, અર્થાત આત્મશાંતિને બાળનાર લાગે છે. જેમ ચંદનવૃક્ષના ડાળા ઘસવાથી ઉત્પન્ન Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮૯ થયેલ અગ્નિ પણ બાળે છે તેમ આ દ્રષ્ટિમાં આવેલ પુણ્યવંત જીવ જંબુમારની જેમ ઉત્કૃષ્ટ પુણ્યફળને પણ ઇષ્ટ માનતો નથી. તે સંસારના સુખ કે દુઃખ બન્નેને સમાનપણે અસાર માને છે. I૧ળા મળ-મૂત્રે રમતાં, માટી ખાતાં બાળક સમ સૌ અજ્ઞાની, ગંદી ચેષ્ટામાં રુચિ રાખે, લે લૌકિક વાતો માની; સમજા મોટા માણસ તજતા તેવી ટેવો, તે રીતે સમ્યજ્ઞાની તુચ્છ ગણી તે તજવા ચાહે સૌ પ્રીતે. ૧૮ અર્થ - બાળક જેમ મળમૂત્રમાં રમે, માટી ખાય તેમ સર્વ સંસારી અજ્ઞાની જીવો, આ સંસારમાં સુખ છે એમ લોકોની વાતો માનીને પાંચ ઇન્દ્રિયોરૂપ મળમૂત્રમાં રમી ગંદી ચેષ્ટાઓ કરવામાં રુચિ રાખે છે. પણ સમજુ મોટા માણસો તેવી મળમૂત્રમાં રમવાની ગંદી ટેવોને તજી દે છે. તેમ સમ્યજ્ઞાની મહાન આત્માઓ તે સર્વ ભોગોને તુચ્છ ગણી પ્રેમપૂર્વક તજવા ઇચ્છે છે. કેમકે આ દ્રષ્ટિમાં આવેલ જીવને સિદ્ધના આઠગુણમાંનો એક ક્ષાયિક સમકિત ગુણ પ્રગટ થયો હોય છે. સિદ્ધનું અવિનાશી સ્વરૂપ અંશે તેને પ્રાપ્ત થયું છે તેથી પુગલની રચનાને તે બાજીગરના ખેલ જેવી જાણી માત્ર તેનો દ્રષ્ટા રહે છે. જેને આત્માનું અનંત સુખ અનુભવાયું છે તે આ તુચ્છ નાશવંત એવા જગતના ઇન્દ્રિયસુખોની આશા કેમ રાખે? અર્થાતુ ન જ રાખે. ૧૮. સમ્યગ્દષ્ટિ સાચો યોગી કાંતાદ્રષ્ટિ આરાશે, તારક-તેજ સમાન બોઘ છે, તત્ત્વવિચારણા સાથે; સતી પતિમાં જેમ ઘરે મન, સત્કૃતમાં પ્રેમે રમતું. ઘરે ઘારણા દ્રઢ ગુરુ-યોગે, ભોગે મનને ના ગમતું. ૧૯ અર્થ :- પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં જે મહાત્માઓ સમ્યગ્દર્શન પામ્યા તે ખરેખર સાચા યોગી પુરુષો છે. તેમનો ઉપયોગ અચપલ હોય. આસન, પ્રાણાયામ અને પૂણ્યના પ્રભાવથી શરીર નીરોગી હોય, હૃદયમાં નિષ્ફરપણું હોય નહીં; વડીનીતિ, લઘુનીતિ અલ્પ હોય; અર્થાત્ મળમૂત્રની હાજત અલ્પ આહારથી વારંવાર હોય નહીં, શરીરમાં સુગંધ રહે, મુખની કાંતિ અને પ્રસન્નતા હોય તેમજ સ્વાદ જીતવાથી સ્વર પણ મીઠો હોય. તેઓ ધૈર્યવાન અને પ્રભાવશાળી હોય. તેમનું ચિત્ત હમેશાં મૈત્રી આદિ ચાર ભાવનાઓથી યુક્ત હોય. ઇષ્ટ પદાર્થનો સહેજે તેમને લાભ થાય તથા માન-અપમાન સુખદુઃખ આદિ કંકોથી જેઓ પરાજય પામતા નથી. સર્વને ઉપકારક હોવાથી લોકોને સદા પ્રિય હોય છે. તથા આત્મજ્ઞાન હોવાથી જેઓ પરમ તૃતિને અનુભવે છે. છઠ્ઠી કાંતાદ્રષ્ટિ-હવે તેઓ સાચા યોગી પુરુષો છઠ્ઠી કાંતા નામની દ્રષ્ટિને આરાઘે છે. આ દ્રષ્ટિમાં બોઘનું બળ તારાઓથી છવાયેલ નિર્મળ આકાશની કાંતિ એટલે પ્રભા સમાન હોય છે. આ વૃષ્ટિવાળાને તત્વમીંમાસા એટલે તત્ત્વોની વિચારણા નામનો ગુણ પ્રગટે છે. તેથી તે સંસારના કાર્યોથી નિવૃત્તિ મેળવી એકાંત સ્થાનમાં આત્મા વિષેની વિચારણા કરે છે. આત્માને સર્વકાળ માટે જન્મમરણથી છોડાવવા કંઈ ભૂલ રહી ગઈ છે તેને સર્વથા ટાળવા પરમાર્થ પ્રત્યે તેમને ઘણો પ્રેમ પ્રગટે છે. તેથી તેનો નિરંતર લક્ષ રહેવારૂપ આ દ્રષ્ટિનું ઘારણા નામનું યોગનું અંગ તેમને પ્રાપ્ત થાય છે, અને અન્યમુદ્ નામનો દોષ દૂર થાય Page #194 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ છે. અન્યમુદ્ એટલે બીજી અન્ય અપ્રયોજનભૂત વસ્તુથી રાજી થવારૂપ જે દોષ હતો તે હવે એક આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાનો ભાવ જાગવાથી તે દોષ દૂર થાય છે. હવે એક વીતરાગ શ્રતમાં જ અનન્ય પ્રેમ હોવાથી જેમાં આત્માર્થ ન હોય એવા બીજા શાસ્ત્રો તેને છાશ બાકળા જેવાં લાગે છે. જેમ બીજાં કામમાં ગુંથાવા છતાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય પતિમાં સ્થિર રહે છે, તેમ સમ્યકજ્ઞાન પ્રત્યે જેના મનમાં અત્યંત પ્રેમ વર્તે છે એવા સમ્યદ્રષ્ટિ મુમુક્ષુનુ મન સદા જ્ઞાની પુરુષોના વચનોમાં તલ્લીન રહે છે. જેમ ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવ આખી રાત પરમકૃતનું અદ્ભુત રટણ કરતા. તેમાં તલ્લીનતા એવી રહેતી કે ડાંસ મચ્છર ઘણા કરડે તો પણ શરીરનું કંઈ ભાન કે લક્ષ તેમને રહેતું નહીં. એમ સતબોઘનું માહાભ્ય ખરેખર લાગે ત્યારે દેહાદિ અન્ય સર્વને તે ભૂલી જાય છે. તે સ્વાધ્યાય અને ધ્યાનમાં રહે છે. શ્રુત તે સ્વાધ્યાય છે અને આત્માનો અનુભવ કરવો તે ધ્યાન છે. આ દ્રષ્ટિવાળાને શ્રી ગુરુના યોગે નિરંતર સ્વરૂપમાં રમણતા કરવાની દ્રઢ ઘારણા હોવાથી તેનું મન ભોગોમાં રાચતું નથી. ૧૯ પ્રભાષ્ટિમાં રવિ-તાપ સમ બોઘ સુનિર્મલ ધ્યાને રે, પરવશતા ફૅપ દુઃખ ટળે ત્યાં સ્વાથીન સુખ તે માણે રે; ક્રિયા અસંગ કરે ત્યાં યોગી, કષાય શાંત થવાથી રે, જાગે જ્ઞાનદશા ત્યાં જાદી, પ્રમાદ-દોષ જવાથી રે. ૨૦ અર્થ - સાતમી પ્રભાવૃષ્ટિ – આ દ્રષ્ટિમાં રવિ-તાપ એટલે સૂર્યના પ્રકાશ જેવું બોઘનું બળ હોય છે. તે જ્ઞાનની અત્યંત નિર્મળતા સૂચવે છે. આ દ્રષ્ટિમાં શ્રુતકેવળી જેવું જ્ઞાન હોઈ શકે છે. પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવને શ્રુતકેવળી પણ કહેતા. આ દ્રષ્ટિમાં યોગનું ધ્યાન નામનું અંગ પ્રગટે છે તેથી આ દ્રષ્ટિવાળાને ધ્યાનમાં અત્યંત પ્રીતિ હોય છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સમ્યક્દર્શનની નિર્મળતા દર્શાવી ત્યાં ચોથું ગુણસ્થાન ઘટે છે. તથા છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં શ્રુતજ્ઞાન એટલે સ્વાધ્યાયની મુખ્યતા દર્શાવી. ત્યાં પાંચમું, છછું ગુણસ્થાન ઘટે છે. અને આ સાતમી પ્રભાદ્રષ્ટિમાં ચારિત્રની અત્યંત નિર્મળતારૂપ ધ્યાનની મુખ્યતા છે તેથી સાતમું ગુણસ્થાન ઘટે છે. આ દ્રષ્ટિમાં તત્ત્વની પ્રતિપતિ નામનો ગુણ પ્રગટે છે. પ્રતિપતિ એટલે શુદ્ધાત્મસ્વરૂપ જેમ છે તેમ વિશેષ સ્પષ્ટ જણાય છે. તથા રોગ નામનો દોષ આ દ્રષ્ટિમાં દૂર થાય છે. રાગદ્વેષરૂપ ચારિત્રમોહ એ જ ખરો રોગ છે. એ જીવને મુંઝવે છે. એ ચારિત્રમોહ મંદ થાય તેમ તેમ સ્થિરતા રહે છે અને ધ્યાનનું સુખ અનુભવી શકાય છે. આ દ્રષ્ટિમાં કલ્પિત સુખ માટે ઇન્દ્રિયોની પરવશતા કરવારૂપ દુઃખ નાશ પામે છે. અને આત્મામાંથી ઉત્પન્ન થતાં સ્વાધીન સુખને સંજ્વલન કષાયની ઘણી મંદતા થવાથી ધ્યાનમાં લાંબા કાળ સુધી તે અનુભવી શકે છે. જો કે પાંચમી દ્રષ્ટિમાં આત્માનો અનુભવ થયેલ છે, પણ અહીં ચારિત્રમોહના વિશેષ નાશથી સ્થિરતાનુણ ધ્યાન દ્વારા પ્રગટે છે, તેથી દેહને આધીન પરવશ પૌદ્ગલિક સુખ તે દુઃખરૂપ મનાય છે. આ દ્રષ્ટિમાં નિજવશ આત્મધ્યાનમાં જે સમાધિસુખ અનુભવાય છે તે સાચા સુખનું વર્ણન કઈ રીતે કરી શકાય તેમ નથી. જેમ શહેરમાં ઘનવાન નગરજનો જે સુખ ભોગવે તે ભીલ વગેરે જેણે કદી શહેર જોયું નથી તેને ખ્યાલ આવી શકે નહીં. અથવા પતિનું સુખ કેવું હોય તેનો ખ્યાલ કુમારિકાને આવી શકે Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ નહીં; તેમ જેને ધ્યાનનો અનુભવ નથી એવા સ્ત્રીપુરુષોને તે અલૈંદ્રિય સુખનો ખ્યાલ આવી શકે તેમ નથી. આત્મધ્યાનમાં પરમસુખ અનુભવાતું હોવાથી આ સૃષ્ટિવાળા યોગી, બને તેટલો વખત અપ્રમત્તપણે આત્મધ્યાનમાં સ્થિર રહે છે. ૫૯૧ જેમ ચાક ફેરવીને દંડ લઈ લેવામાં આવે છતાં ચાક ફર્યા કરે, તેમ ઘ્યાન થઈ રહ્યા પછી પણ કષાયો શાંત થવાથી ધ્યાનના સંસ્કારનો પ્રવાહ અમુક વખત સુધી રહે, તેને અસંગ ક્રિયા કહે છે. આ અસંગ અનુષ્ઠાન, પ્રાપ્ત થયેલી દશાને ટકાવનારું તથા આગળ ઉપરની દશાને પ્રાપ્ત કરાવનારું હોવાથી મહત્વનું છે. આ દૃષ્ટિમાં આવેલ મહાત્માનો પ્રમાદદોષ જવાથી અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેલ આ યોગીની જ્ઞાનદશા તે જુદા પ્રકારની હોય છે; ત્યાંથી આગળ વધી શ્રેણી માંડીને જીવ મુક્તદશાને પામે છે. ।।૨ના પરાવૃષ્ટિમાં હોય સમાધિ, બોથ શશી સમ શોભે રે, અપ્રતિપાતી, ઊંચે ચઢતી દશા વર્ષે અક્ષોભે રે; શુક્લધ્યાને શ્રેણી માંડે, કરે કર્મક્ષય ઝટકે રે, મોહરહિત મુનિવરકંઠે કેવલશ્રી-માળા લટકે રે. ૨૧ અર્થ :– આઠમી પરાવૃષ્ટિઃ—આ આઠમી દૃષ્ટિનું નામ પરા છે. આ દૃષ્ટિમાં આવેલ યોગીઓની દશા સર્વોત્કૃષ્ટ હોવાથી પરા નામ સાર્થક છે. પરા એટલે સર્વોત્કૃષ્ટ. આ દૃષ્ટિમાં યોગનું સમાધિ નામનું અંગ પ્રગટે છે. ઘ્યાનની ઉચ્ચ કોટીનું નામ સમાધિ છે. ધ્યેયનો તન્મયપણે અનુભવ તે સમાધિ છે. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર સાતમા ગુણસ્થાનને અંતે જ્યારે શ્રેણી માંડે ત્યારે સમાધિમાં આરૂઢ થયેલા યોગીઓ આ આઠમી દૃષ્ટિમાં પ્રવેશ કરે છે. ત્યારે પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવારૂપ તત્ત્વપ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે અને આસંગ એટલે આસક્તિ નામનો દોષ દૂર થાય છે. સાતમી દૃષ્ટિમાં જેમ ધ્યાન માટે પ્રીતિ અથવા આસક્તિ હતી તે અહીં નથી, અથવા સમાધિ રાખવી એવો પણ ભાવ નથી. વિના પ્રયાસે સહજપણે તે થાય છે. આ દૃષ્ટિમાં બોધનો પ્રકાશ પૂર્ણચંદ્રની શીતળ ચાંદની જેવો આહ્લાદક હોય છે, અર્થાત્ અપૂર્વજ્ઞાન સાથે અપૂર્વ શાંતિ અનુભવાય છે. પુનમના ચંદ્ર ઉપર જેમ આછું વાદળ આવ્યું હોય અને તેની પાર જેમ ચંદ્ર દેખાય એવો આત્માનો અનુભવ શ્રેણીમાં હોય છે. પછી પવન આવે ને વાદળું ખસી જાય તો પૂર્ણપણે ચંદ્ર પ્રકાશે છે તેમ સમાધિના કારણે સર્વ ઘાતિયા કર્મ ક્ષય થઈ શ્રેણીના અંતે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ક્ષપક શ્રેણીમાં અપ્રતિપાતી એટલે જ્યાંથી પાછું પડવાનું નથી એવી ઉપર ચઢતી દશા ક્ષોભ પામ્યા વગર વધતી જાય છે. તથા શુક્લધ્યાનવડે શ્રેણી માંડે તેમાં કર્મનો ક્ષય ઝટકામાં એટલે શીઘ્ર કરે છે. તેથી મોહરહિત થયેલા એવા મુનિવરના કંઠમાં કેવળજ્ઞાનરૂપી વરમાળા આવીને લટકે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારે ઘાતીયા કર્મનો ક્ષય થાય છે. અને તેના ફળસ્વરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંત ઉપભોગ અને અનંતવીર્ય એ નવ ક્ષાયિક લબ્ધિઓ બારમા ગુણસ્થાનકના અંતે પ્રગટ થાય છે. પછી તેરમા ગુણસ્થાનમાં આવે છે. ।।૨૧। દિવ્ય ધ્વનિથી અતિ ઉપકારી, દે ઉપદેશ ઘણા જનને, જીવન-જાગૃતિ અર્પે વિચરી, ઉત્સાહિત કરી જનમનને, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સમ્યગ્દર્શન બહુ જન પામે, વ્રતી બને શક્તિ દેખી. અવધિ આદિ જ્ઞાન જગાવે, સમાધિ-સુખ પરમ લેખી. ૨૨ અર્થ - તેરમા ગુણસ્થાને રહેલા સર્વજ્ઞ ભગવાન દિવ્ય ધ્વનિવડે ઉપદેશ આપી ઘણા જીવોને અત્યંત ઉપકારી થાય છે. તથા વિહાર કરી લોકોના મનને આત્મકલ્યાણ માટે ઉત્સાહિત કરીને જીવન જાગૃતિ અર્પે છે. તેથી ઘણા જીવો સમ્યગ્દર્શનને પામે છે અને પોતાની શક્તિ જોઈ ઘણા જીવો વ્રતને પણ ઘારણ કરે છે. તથા આત્મામાં સમાધિનું પરમસુખ છે એમ જાણી કેટલાક જીવો પુરુષાર્થ કરીને અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાનને પ્રગટાવે છે. જરા કર્મ-શત્રુ સૌ ક્ષય કરવાને અયોગી પદ તે આરાધે, શૈલેશીકરણે સ્થિરતા લે, સહજ નિત્ય નિજ પદ સાથે; અનંત અવ્યાબાઇ સુખે તે મોક્ષ અનુપમ અનુભવતા, અજર, અમર, અવિનાશી પદને કેવળી પૂર્ણ ન કહી શકતા. ૨૩ અર્થ – હવે તેમાં ગુણસ્થાને રહેલા સયોગી કેવળી ભગવાન આયુષ્યકર્મ પૂરું થવા આવે ત્યારે અંતમાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચારે અઘાતીયા કર્મરૂપી શત્રુનો ક્ષય કરવા માટે છેલ્લા ચૌદમા અયોગી ગુણસ્થાનકને પામે છે. ત્યાં શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ કરીને પોતાના સહજ નિત્ય શાશ્વત આત્મપદને પ્રાપ્ત કરે છે. તેથી જન્મમૃત્યુના વિકારવાળો સંસારરૂપી રોગ તેમનો સર્વથા અહીં ટળી જાય છે. આ ચૌદમાં ગુણસ્થાને સર્વ મનવચનકાયાના યોગની ક્રિયા અટકી જવાથી સિંહ જેમ પાંજરામાં હોવા છતાં તેનાથી જુદો રહે છે તેમ સર્વજ્ઞ ભગવાન આ ચૌદમાં ગુણસ્થાનકમાં દેહરૂપી પીંજરથી સર્વથા જુદા થાય છે. એ અવસ્થા અ ઇ ઉ ઋ છું એ પાંચ હસ્વ સ્વર બોલીએ તેટલો કાળ રહીને આયુષ્યના અંતે એક સમયવાળી ઊર્ધ્વ ગતિથી સિદ્ધાલયમાં જઈ સદાને માટે ત્યાં બિરાજમાન થાય છે. મોક્ષમાં અનંત અવ્યાબાધ એટલે બાઘાપીડા રહિત એવા અનુપમ સુખનો અનુભવ કરે છે. તે સુખ કેવું છે? તો કે આ લોકમાં જેટલા સુખના પદાર્થો કહેવાય છે તે બધા સુખનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ મોક્ષમાં તે અનુભવે છે. એવા અજર, અમર, અવિનાશી અનંત મોક્ષસુખના પદને કેવળી ભગવાન પણ પૂર્ણપણે કહી શકતા નથી. કેમકે તે માત્ર અનુભવગોચર છે પણ વચનગોચર નથી. અનુભવ-ગોચર એ પદ પામો સૌ સ્વાનુભવથી ભવ્યો! સદ્ગુરુ-બોઘ સુણી વિચારી કરતા જે જન કર્તવ્યો, આશ્રયભક્તિ તેને ઊગે, શિવ-સુખ-સુખડી-સ્વાદ લહે, કરી કલ્પના-જય તે પ્રેમે પામે પદ તે કોણ કહે?” ૨૪ અર્થ - હે ભવ્યો! તમે પણ સર્વે સ્વાનુભવ કરીને મોક્ષના અનુભવગોચર સુખને પામો. તે કેવી રીતે? તો કે જે સદ્ગુરુના બોઘને સાંભળી, વિચારીને તે પ્રમાણે કર્તવ્યો કરશે અર્થાત્ તે પ્રમાણે વર્તશે. તેને સદ્ગુરુનો સાચો આશ્રય પ્રાપ્ત થશે. તેને સાચી ભક્તિ પ્રગટશે. તે ભક્તિના બળે શિવસુખ એટલે Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) પૂર્ણાલિકા મંગલ ૫૯૩ મોક્ષસુખરૂપી સુખડીના સ્વાદને પામશે. તે ભવ્યાત્મા પરમકૃપાળુ પ્રભુ પ્રત્યેના પ્રેમથી અર્થાતુ ભક્તિથી અનંતકાળની અનંત કલ્પનાઓનો જય કરી શાશ્વત મોક્ષપદને પામશે. તે મોક્ષસુખનું વર્ણન કરવા કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ નથી. તે સુખને જે અનુભવે તે જ જાણે; બીજો કોઈ જાણવા સમર્થ નથી. ૨૪ ‘હિતાર્થી પ્રશ્નો' નામના બે પાઠોમાં શ્રી ગુરુએ શિષ્યના કલ્યાણ અર્થે મોક્ષમાર્ગનો ક્રમ કેમ આરાઘવો તેની સંકલનારૂપ આઠેય દ્રષ્ટિનો ક્રમ સમજાવ્યો. હવે આ ૧૦૮માં પાઠમાં ‘પૂર્ણાલિકા મંગલ' એટલે “૧૦૮ પાઠરૂપ મણકાની માલિકા એટલે માળા પૂર્ણ કરનાર માંગલિક કાવ્ય લખે છે. ગ્રંથમાં “આઘમંગલ' તે ગ્રંથ પૂર્ણ થવા માટે; “મધ્યમંગલ' ઉત્સાહ ટકી રહેવા માટે અને અંત્યમંગલ' તે ભણીને ભૂલી ન જવા માટે કરવામાં આવે છે; તે નીચે પ્રમાણે છે : (૧૦૮) પૂર્ણ માલિકા મંગલા (શિખરિણી છંદ) લધુ, લાંબી માળા, પ્રભુ-ચરણ-સેવા મન ઘરી, રચી ઉત્સાહે આ, પરમ-ગુરુ-ભક્તિ-રસ-ભરી; સદા મારે ઉરે સહગુણઘારી ગુરુ રહો, કૃપાળું રાજેન્દ્ર, પરમ ઉપકારી પ્રભુ અહો! ૧ અર્થ - મોટા પુસ્તકની અપેક્ષાએ લઘુ એટલે નાની અને નાની પુસ્તકાની અપેક્ષાએ લાંબી એવી આ પ્રજ્ઞાવબોઘની ૧૦૮ પાઠરૂપ મણકાની માળાને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા એટલે તેમની આજ્ઞાને ઉઠાવવાનો ભાવ હૃદયમાં રાખી, પરમગુરુની ભક્તિરસથી ભરેલી એવી આ માળાને ઉત્સાહથી હું રચવા પામ્યો છું. સદા મારા હૃદયમાં એવા સહજ આત્મગુણઘારી શ્રીગુરુનો જ નિવાસ રહો. કૃપાના અવતાર એવા રાજેન્દ્ર અર્થાતુ રાજાઓમાં ઇન્દ્ર સમાન સગુરુ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સત્ય મોક્ષમાર્ગ બતાવી મારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે અહો! તે મારા પરમ ઉપકારી છે. ન જાણું હું શાસ્ત્રો, પ્રવીણ નહિ કાવ્યાદિ-કલને; ન ભાષા-શાસ્ત્રી હું, રસિક રસ-અભ્યાસ ન મને; ન પૂર્વાભ્યાસે હું નિશદિન રહું મગ્ન કવને, છતાં ચેષ્ટા આવી, ગુરુગુણગણે રાગથી બને. ૨ અર્થ - હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની લઘુતા દર્શાવતા કહે છે કે હું કંઈ સર્વ શાસ્ત્રોનો જાણકાર નથી કે કાવ્ય અલંકાર આદિ કલામાં પ્રવીણ નથી. નથી હું ભાષા શાસ્ત્રને જાણનારો કે નથી હું નવ રસનો રસિક અભ્યાસી. તે નવ-રસ આ પ્રમાણે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંતરસ છે. હું કંઈ પૂર્વ અભ્યાસથી નિશદિન કવન એટલે કવિતા કરવામાં મગ્ન નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ છતાં આ કાવ્યમય ગ્રંથની રચના કરવાની આવી ચેષ્ટા મારાથી બની, તે માત્ર ગુરુગુણના સમૂહને જોઈ મારા અંતરમાં ઉત્પન્ન થયેલા ભક્તિરાગના પ્રતાપે છે. પરમકૃપાળુ પ્રભુની ભક્તિ જ બળાત્કારે એવી ચેષ્ટાઓ કરાવે છે. ઘણી ઝીણી તોયે રજ પવનથી વ્યોમ વિચરે, બની મોટા મેઘો ઉદધિ-જળ વ્યોમે બહુ ફરે, રવિ-તેજે કેવા મનહર ઘરે રંગ ઘનુષે, વળી વિદ્યુતે તે કરી રવ મહા વારિ વરસે. ૩ અર્થ - હવે ઉપરની ચેષ્ટાઓને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. ધૂળ ઘણી ઝીણી હોવાના કારણે તે નરમ થઈને પવનવડે વ્યોમ એટલે આકાશમાં વિહાર કરે છે. તેમજ સમુદ્રનું જળ ખારું હોવા છતાં તે વરાળરૂપે હલકું થઈ મોટા મેઘો એટલે વાદળારૂપે બની આકાશમાં ફરે છે. વર્ષાવ્રતમાં ઇન્દ્ર ઘનુષ્ય સૂર્યના તેજથી કેવું મનહર સપ્તરંગી રૂપ ધારણ કરે છે. વળી વિદ્યુત એટલે વિજળીવડે કેવો મહાન અવાજ કરી મૂશળધાર વરસાદ વરસે છે. કૃપા-વારિ વર્ષે, ઉર-ઘરણી લીલી મુજ બની, નદી-નાળાં પૂરી, ખળખળ વહે ભક્તિ-સરણી; મહાત્માના ગ્રંથો ગહન બીજ ઓરે ઉર વિષે, ખરા ખેડૂતો તે હળ-કુશળતા-સાઘન દસે. ૪ અર્થ :- તેવી જ રીતે પરમકૃપાળુદેવની કૃપારૂપી વારિ એટલે જળ વરસવાથી મારી હૃદયરૂપી ઘરણી એટલે ભૂમિ તે લીલી અર્થાતુ નરમ પોચી બની ગઈ, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. હવે તે કૃપારૂપી જળ વિષયકષાયરૂપી નદી નાળાંને પૂરી એટલે શાંત કરીને, ખળખળ કરતું ભક્તિ સરણી એટલે ભક્તિમાર્ગે આગળ વધવા લાગ્યું. તે જોઈ ખરા ખેડૂતો ખેતરમાં બીજ રોપવાનો યોગ્ય સમય જાણી, હળના સાઘનવડે કુશળતાથી બીજની રોપણી કરવા લાગ્યા. તેમ હું પણ પ્રભુકૃપાએ મનુષ્ય ભવરૂપ યોગ્ય સમય જાણી મહાત્માઓના ગહન ગ્રંથોના બીજને મારા હૃદયરૂપ ભૂમિને વિષે સંયમરૂપી હળવડે ઉપયોગની કુશળતાથી રોપવા લાગ્યો. સુસંસ્કારો સાથે ઊગી નીકળતી ટેવ હલકી, ઘણી નદી કાઢી સુગુરુ-સમજૂતી-સ્વબલથી; મળ્યા માળી તેણે સરસ રચના બાગની કરી ઘણાં રોપ્યાં વૃક્ષો, અનુપમ લતાઓ ય ઊછરી. ૫ અર્થ :- બીજ રોપવાથી હવે સુસંસ્કારોરૂપી કુંપળો ભૂમિમાંથી ફૂટી નીકળી. તેની સાથે પૂર્વભવમાં અજ્ઞાનવડે સેવાયેલ હલકી ટેવોરૂપી ઘાસ પણ ઊગીને બહાર આવ્યું. તે હલકી ટેવો એટલે વૃત્તિઓને મેં સદ્દગુરુના બોથની સમજૂતીવડે જાણી તેથી સ્વઆત્મબળ ફોરવીને તેને ઘણી નીંદી એટલે ઊખેડીને કાઢી નાખી; જેથી મારી હૃદયરૂપી ભૂમિ સ્વચ્છ બની. તેટલામાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીરૂપી માળી મળવાથી મારી હૃદયરૂપી ભૂમિમાં તેમણે સુંદર બાગની રચના કરી. તેમાં વ્રતરૂપી અનેક વૃક્ષો રોપ્યા. તે વ્રતરૂપી વૃક્ષો રોપવાથી તેના ઉપર અનેક ક્ષમા આદિ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) પૂર્ણકાલિકા મંગલ ૫૯૫ ઉત્તમ ગુણોરૂપી અનુપમ લતાઓનો ઊછેર થવા લાગ્યો. કરી રક્ષા-વાડો, સુનીતિ-નીકમાં પુણ્ય-નરના, પ્રવાહો રાખે તે સતત વહતા, યોગ્ય ઘટના; ખરે પાનાં જૂનાં, નવીન ઊભરાતાં પ્રતિ-તું, ભુલાતી વાતો ત્યાં નવીન રચના-ચક્ર ફરતું. ૬ અર્થ :- વ્રતોરૂપી વૃક્ષોની રક્ષા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ અનેક નિયમોરૂપી વાડોની ગોઠવણ કરી. તથા સુનીતિ એટલે સદાચારરૂપી નીક એટલે પાણી જવાનો રસ્તો કરી, તેમાં પુણ્યરૂપી જળના પ્રવાહો સતત વહેતા રહે એવો સવારથી સાંજ સુઘીનો ભક્તિ સ્વાધ્યાયનો આરાઘના ક્રમ આપી યોગ્ય ઘટના એટલે યોગ્ય રચના કરી. જેથી જેમ વૃક્ષના જૂના પાન પ્રતિ ઋતુએ ખરી જઈ નવીન ઊભરાય છે, તેમ જુના રાગદ્વેષમોહવાળા કષાય ભાવો ભુલાઈ જઈ, નવીન વૈરાગ્ય ઉપશમના ભાવોની રચનાનું ચક્ર ફરતું થયું, અર્થાત્ સત્સંગ ભક્તિના યોગે હવે નિત્ય નવીન ઉત્તમ ભાવોની શ્રેણી ઊગવા લાગી. વીતે વર્ષો એવાં, નર્વાન વય જેવા સમયમાં, ફૈડાં ખીલ્યાં પુષ્પો, વિવિઘ વિટએ દૃશ્ય બનતાં; ભલા ભાવો ભાળી ગુરુજન રીઝે એ જ કુસુમો, દયાળુ સંતો તે નિજ કર વિષે ઘારી વિરમો. ૭ અર્થ :– પછી પ.પૂ.પ્રભુશ્રીજીના યોગે વર્ષો એવી રીતે વીતવા લાગ્યા કે જાણે નવીન યુવાવયમાં જેમ આનંદમાં સમય વ્યતીત થતો હોય તેમ થવા લાગ્યું. તે સમયે સુંદર ભાવારૂપી પુષ્પો ખીલવા લાગ્યા અને વિવિધ પ્રકારની વિચારધારારૂપ વિટપે એટલે ડાળીઓ ઉપર તે પુષ્પો દેખાવા લાગ્યા. તેવા ઉત્તમ ભાવારૂપ પુષ્પોને ભાળી પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ગુરુજનો રાજી થયા. એ જ સુંદર ભાવારૂપી કુસુમો એટલે ફલોને ગ્રહણ કરી હે દયાળુ સંત આરાધકો તમે આ દુઃખમય સંસારથી વિરામ પામો, વિરામ પામો એવી જ્ઞાની પુરુષોની સર્વને શિક્ષા છે. ઘરે અંગે કોઈ, સુખકર ગણી રમ્ય રમણી, વળી માળી કોઈ, ભરી કુસુમ-પાત્ર નરમણિ કને લાવી દેતો, મનહર ઋતુ-વર્ણન કરી; ભલા ભાવે ભક્તો પ્રભુચરણ પૂજે ફૂલ ઘરી. ૮ અર્થ - તે સુંદર ફૂલોને કોઈ રમ્ય રમણી એટલે સુંદર સ્ત્રી, પોતાના નાશવંત દેહની સુંદરતાને વઘારવા ફૂલોને સુખકારી જાણી પોતાના અંગમાં અંબોડા આદિ રૂપે ઘારણ કરે છે. જ્યારે કોઈ માળી તે ફૂલોને છાબડીમાં ભરી નરમણિ એટલે નરોમાં મણિ સમાન એવા રાજા પાસે લાવી તે તે ઋતુના ફૂલોનું મનહર વર્ણન કરી તેને આપે છે. જ્યારે ખરા ભગવાનના ભક્તો તો પ્રભુના ચરણમાં તે ફૂલોને ઘરી ભાવભક્તિથી તેમની પૂજા કરે છે. ઘણાંયે વેરાતાં કુસુમ બૅમિ સુવાસિત કરે, સુસંગે શોભે તે, બહુ વરસ હર્ષો સહ સરે; Page #200 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગયાં વર્ષો સર્વે, પલક સમ સત્સંગતિ-સુખે, રહેલાં થોડાં તે, યુગ સમ વિયોગે, વળી દુખે. ૯ અર્થ – બાકીના ઘણા ફૂલો ભૂમિ ઉપર વેરાતાં તે ભૂમિને સુગંધિત બનાવે છે. તેમ મુમુક્ષજીવના ઉત્તમ ભાવો પુરુષના સમાગમ નિમિત્તે વિશેષ સુશોભિત બને છે. અને તે સુંદર આત્મભાવોથી, ઘણા વર્ષો આનંદ સાથે પસાર થાય છે. તેમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે પ.પૂ.પ્રભુશ્રીજી સાથે સત્સંગતિમાં જે સર્વે વર્ષો ગયા તે આંખના પલકારા સમાન સુખપૂર્વક વ્યતીત થયા. પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાવસાન પછીનો થોડો કાળ પણ તેમના વિયોગે અંતરના દુઃખસહિત યુગ (બાર વર્ષ) સમાન વ્યતીત થયો. વ્યવસ્થા યોજેલી પરમ ગુરુએ જોઈ કરને, સુલક્ષે વિતાવા સમય, ગુણ-આઘાર ઘરીને, ગ્રહી સુસંતોનાં વર કુસુમ, માળા પૅરી કરી, યશસ્વી સુયોગી મુનિવરની ઉરે સ્મૃતિ ઇરી. ૧૦ અર્થ – પછી પરમગુરુ પરમકૃપાળુદેવના “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૯૪૬માં “પ્રજ્ઞાવબોઘ'ના ૧૦૮ પાઠની સંકલનારૂપે યોજેલી વ્યવસ્થાને જોઈ, સમયને આત્મલક્ષપૂર્વક વિતાવા અર્થે, તથા ગુણો પ્રગટ કરવાના આઘારરૂપ આ પ્રજ્ઞાવબોઘની સંકલનાને જાણી, તે સંબંઘી લખવાની શરૂઆત કરી. તેના માટે મહાપુરુષોના વર એટલે ઉત્તમ વચનો અને જીવન ચરિત્રોરૂપ પુષ્પોને ગ્રહણ કરી તથા યશસ્વી, સાચા યોગી મુનિવરશ્રી પ.પૂ.પ્રભુશ્રીજીની સ્મૃતિને હૃદયમાં ઘારણ કરીને, આ “પ્રજ્ઞાવબોઘ'ના ૧૦૮ પાઠરૂપ પુષ્પોની માળાને ગૂંથી પૂર્ણ કરી છે. દીસે દોષો જો ત્યાં અરસિક મને જાણી લૅલજો, સુઘારી સભાવે, નિજ રસિકતામાં જ ફેલજો; વઘે ભાવો તેવી મદદ મળતાં, સંત જનના ગણો ગુણો એવી વિનતિ મુજ માનો ગુણજના. ૧૧ અર્થ :- જો આ ગ્રંથમાં કોઈ દોષો દેખાય તો મને કાવ્યરસનો અરસિક જાણીને તે દોષોને ભૂલી જજો. અને સદ્ભાવથી તે ભૂલો સુધારી પોતાની આત્મરસિકતામાં જ મગ્ન બનજો. વળી આ ગ્રંથથી તમારા ભાવોની શુદ્ધિ કરવામાં જો મદદ મળે તો તે સંતપુરુષોના ગુણો જાણજો કેમકે તેમનાથી જ હું આ બધું સમજ્યો છું એવી મારી વિનતિને ગુણીજનો માન્ય કરજો. કરી રંગોળીથી નિયમિત સુશોભિત રચના, રચી પંક્તિ ભાણાં, વિધિસર મૅકેલાં પીરસવાં, રસોડેથી લાવી રસવત રૂંડી યોગ્ય સમયે, ન તેમાં મોટાઈ; રસિકજનના પુણ્ય-ઉદયે. ૧૨ અર્થ :- જેમ કોઈએ રંગોળીથી નિયમિત એટલે યથાયોગ્ય સુશોભિત રચના કરીને જમવા માટે વિધિસર એટલે વ્યવસ્થિત ભાણાઓની પંક્તિ ગોઠવી હોય. તેમાં પીરસવા માટે રસોડેથી ગમતી રસપૂર્ણ રસોઈ લાવીને જમવાના યોગ્ય સમયે કોઈ પીરસે, તો તેમાં પીરસનારની મોટાઈ નથી. તે રસોઈ તો Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) પૂર્ણકાલિકા મંગલ ૫૯૭ જમનારા રસિકજનના પુણ્ય-ઉદયે બની છે. પીરસનારે તો માત્ર તે લાવીને પીરસી છે. દઘેલા સોનાની કનક-ઘડનારા ઘડી કરેરૃપાળી માળા, ત્યાં વિવિઘ પ સોનું નિજ ઘરે. ગણાતી મોંઘી તે, કનક-ગણના ચોકસી ગણે ઘડેલા ઘાટો કે લગડીરૃપ તે એક જ ભણે. ૧૩ વળી પોતાનો લધુત્વભાવ પૂ.શ્રી બ્રહ્મચારીજી વ્યક્ત કરે છે : અર્થ - કનક એટલે સોનાને ઘડનાર એવા સોનીને સોનું આપતાં, તેમાંથી તેને ઘડીને રૂપાળી માળા બનાવવાથી તે સોનું વિવિઘરૂપને ધારણ કરે છે. પછી તે માળા લોકોની દ્રષ્ટિમાં મોંઘી ગણાય છે. પણ સોનાની પરીક્ષા કરનાર ચોકસી તો તે સોનાના ઘડેલા ઘાટો હોય કે લગડીરૂપે હોય બન્નેને એક જ ગણે છે. ચોકસીની દ્રષ્ટિ તો તે હારમાં કે લગડીમાં, સોનું કેટલા ટકા છે તેના ઉપર હોય છે. કેમકે તેમાં સોનાની કેટલી શુદ્ધતા છે તેની કિંમત છે, ઘાટની નથી. તેમ જ્ઞાની પુરુષોના સોના જેવા વચનોને મેં માત્ર કવિતારૂપે ઘાટ આપ્યો છે. તેથી કિંમત જ્ઞાની પુરુષોના વચનોની છે, મારી નથી. ગણું, “પ્રજ્ઞા-માળા” સુજન-રસ-દાતા કર્દી બનીમહંતોની વાણી અચૂંક ફળ દેનાર જ ગુણી; મહંતોની સેવા સફળ સઘળે સુજ્ઞ સમજે, કરે સેવા તે સૌ લઘુ બન અહંતા નિજ તજે. ૧૪ અર્થ:- માનો કે આ “પ્રજ્ઞાવબોઘ' રૂપ ૧૦૮ મણકાની માળા સજ્જનપુરુષોને કદી રસ ઉપજાવનાર બની; તો તે મહાપુરુષોની વાણીનો જ પ્રતાપ છે. તેમની વાણી ગુણીજનોને અચૂક ફળ આપનાર છે. તેમજ મહાપુરુષોની સેવા કરવાનું ફળ પણ સર્વત્ર અવશ્ય મળે છે; એમ સુજ્ઞ એટલે સજ્જન પુરુષો જાણે છે. તેમ મને પણ જો સફળતા મળી હોય તો તે મહાપુરુષોની સેવાનું જ ફળ છે. અને જે મહાપુરુષોની સેવા કરે તે સૌ લઘુ બની પોતાના અહંકારનો ત્યાગ કરે છે. ખરી રીતે જોતાં, નથી મુજ જરા ગ્રંથ-ભરમાં, ભલે સોનેરી કે મનહર, સુવણે પ્રસરતાંહશે તેમાં વાક્યો, મઘુર રવ-વાળી સુરચના; લખે લેખિની તે જડ, સમજતી ના જીંવ વિના. ૧૫ અર્થ - ખરી રીતે જોતાં આ પૂરા ગ્રંથમાં મારું જરા પણ કાંઈ નથી. ભલે તમને આ ગ્રંથ સોનેરી લાગે કે મનને હરણ કરનાર મનોહર જણાય કે સુવણે પ્રસરતાં એટલે જાણે ગ્રંથના વાક્યોમાં સોનુ પથરાયેલું હોય એમ લાગે કે તમને સુંદર છંદો સહિત મધુર રવ એટલે અવાજવાળી આ સમ્યક્ કાવ્ય રચના જણાય. પણ એ સર્વ ગ્રંથને લખનાર તે લેખિની એટલે કલમ છે. અને તે તો પુદગલની બનેલી જડ છે. તેમાં જીવ નથી. જીવ વિના તે કંઈ સમજતી નથી. લખેલું તેનું સૌ, જડ-જનિત, મારું નહિ બને, રહું હું ચૈતન્ય, પરામરસ-આનંદિત મને. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગણે જે કાયા ને વચન નિજ તે સર્વ ભૂલતા, અનાદિ આ ભૂલે, ભવ-વન વિષે જીવ રૃલતા. ૧૬ અર્થ:- કલમથી લખેલાં અક્ષરો સર્વ જડથી ઉત્પન્ન થયેલાં છે. તે પુદગલના બનેલા અક્ષરો મારા બની શકે નહીં. કેમકે હું તો સદા પરમ આનંદ રસમય એવા ચૈતન્યમાં રહેવાના સ્વભાવવાળો છું. અજ્ઞાનવશ જગતના જીવો આ કાયા અને વચનને પોતાના માને છે; તે સર્વ જીવો માર્ગ ભૂલેલા છે. તેથી અનાદિકાળની આ ભૂલના કારણે જીવો સંસારરૂપી વનમાં રઝળ્યા કરે છે. કહેલું જ્ઞાનીનું મુખર જન મુખે કહી જતા, રહે ના જો ઉરે, અમીરસ બને છે વમનતા; જમેલા પકવાશે શૂળ સમ ઊઠે ચૂંક અપચે, પચે ના જો શિક્ષા, ભ્રમણ નિજ હાથે બૅરિ રચે. ૧૭ અર્થ – જ્ઞાની પુરુષના કહેલા વચનોને કોઈ મુખર એટલે વાચાળ પ્રાણી માત્ર મુખથી કહી જાય; પણ તેને હૃદયમાં ઊતરે નહીં તો તે અમૃતરસ જેવા જ્ઞાની પુરુષના વચનો, તેના માટે વમન એટલે ઊલટી જેવા દુઃખકારક બને છે. જેમ જમેલા પાંચ પકવાન્ન પણ જો પચે નહીં તો પેટમાં શળ જેવી ચૂંક ઊભી કરે: તેમ ભગવાનની કહેલી શિક્ષા જો પચે નહીં અર્થાત્ જીવનમાં ઊતરે નહીં, પણ તેથી જો ઊલટું અભિમાન વઘારે, તો તે જીવ પોતાના હાથે જ પોતાના આત્માનું ભૂરિ એટલે પુષ્કળ પરિભ્રમણ ઊભું કરે છે. જવા એવી ભૂલો, સુગુરુ શિર રાખો સુ-નર, હો! ગુરુની આજ્ઞાનું મરણ સુઘી આરાઘન રહો! ગુરુંમાં ખામી તો, કથન પણ તેનું વિષમ લે, કહે તે દેવોયે, વિતથ સમજો, સત્ય ન મલે. ૧૮ અર્થ :- હવે એવી ભૂલો જવા માટે, જો તમે ઉત્તમ આત્માર્થી બનવા ઇચ્છતા હો તો આત્મજ્ઞાની એવા સદ્ગુરુ ભગવંતને માથે રાખો. તથા તે શ્રી ગુરુની આજ્ઞાનું મરણની છેલ્લી ઘડી સુધી આરાઘન કરતા રહો. પણ જો ગુરુ કરવામાં ખામી રહી ગઈ અર્થાત્ કુગુરુને સદ્ગુરુ માની લીઘા તો તેનું કથન પણ વિષમતા એટલે સમભાવરહિત રાગદ્વેષવાળું હશે. તેથી આપણા રાગદ્વેષનો નાશ થશે નહીં અને બધા જન્મમરણ ઊભા જ રહેશે. એમ સર્વજ્ઞ વીતરાગ શ્રી તીર્થંકર દેવો પણ કહે છે. માટે કુગુરુના કથનને વિતથ એટલે અસત્ય જાણો; તેમની પાસેથી સત્ય મોક્ષમાર્ગ કદી મળી શકશે નહીં. વેઠ કરી આ વેઠીએ, નિજ હિત કાજે સર્વ, લૅટંલૂટ લો લાભ સૌ, કરશો કોઈ ન ગર્વ. અર્થ - વેઠીએ એટલે વગર દામના સેવકે, આ વગર દામની વેઠ એટલે વેતરું, તે સર્વ પોતાના આત્મહિતને અર્થે કરેલ છે. તેનો સો ભવ્યો લૂટંલૂટ લાભ લેજો; પણ એ તત્ત્વ જાણવાનું કોઈ અભિમાન કરશો નહીં. એમ અંતમાં જણાવીને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ લઘુતા સહ, મુમુક્ષુઓ પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો છે, તે એમના અંતરમાં રહેલી મુમુક્ષુઓ પ્રત્યેની લાગણીનું સૂચન કરે છે. આ પ્રજ્ઞાવબોઘ’ વિષેની આગાહી સંવત્ ૧૯૫૫માં પરમકૃપાળુદેવે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પાન Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) પૂર્ણકાલિકા મંગલ ૫૯૯ ૬૬૪ ઉપર આ પ્રમાણે કરેલ છે “એનો પ્રજ્ઞાવબોઘ ભાગ ભિન્ન છે તે કોઈ કરશે.” તે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ આ અદ્ભુત ગ્રંથ રચી પરમકૃપાળુદેવની આગાહીને સાર્થક કરી. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ કેમ કરવી તે સ્વયં કરી બતાવીને સર્વ આત્માર્થી જીવોના પરમ ઉપકારી સિદ્ધ થયા; માટે તેમને અમારા કોટિશઃ પ્રણામ હો. પ્રજ્ઞાવબોઘ'ની રચનાનો પ્રારંભદિન શ્રાવણ સુદ ૧૩, મંગળવાર સંવત્ ૧૯૯૪ છે. અને પૂર્ણાહુતિ દિન જેઠ સુદ ૧૫ સોમવાર સંવત્ ૧૯૯૭ છે. ત્યારબાદ અષાઢ વદ ૫, સંવત્ ૧૯૯૮ સુધી આ ગ્રંથનું પુનઃ અવલોકન કર્યું. એમ ગ્રંથના રચનાર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ગ્રંથની પૂર્ણાહુતિમાં આ નોંઘ કરેલ છે. શ્રી ગુરુ વરણાર્પણમસ્તુ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૦ 0 5 ૧૪ અયોગી ૧૩ સયોગી ૧૨ ક્ષીણમોહમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાંપરામાં ગુણસ્થાનકમાં | ૧ ગુણસ્થાનકમાં | વિભાગ ૧ ૯ અનિવૃત્તિકરણમાં ૮ અપૂર્વકરણમાં ૭ અપ્રમત્તમાં ૬ પ્રમત્તમાં ૫ દેશવિરતમાં ૪ અવિરત ૩ મિશ્રમાં ૦ ઓઘે ૧ મિથ્યાત્વમાં ૨ સાસ્વાદનમાં (સમ્યગ્દષ્ટિ)માં વિભાગ ૧ (સામાન્યપણે) ગુણસ્થાનોનાં નામ P = 0 0 ત ટ = 0 0 e e to o o o o o o o o o o o o o \ \ ૧ ૧ ૧ | *** ** ૦ ૦ ૦ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ | જ્ઞાનાવરણીય પૂર્તિ ૧: બંઘયંત્ર (પુષ્પ ૫૯ માં - પૃષ્ઠ ૭૬) પૂર્તિઓ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ૦ ૦ ૦ ૦ = = = = = = = = = = = A A A A A = = દિશાનાવરણીય ૦ - - - - - - - - - - - - - - - - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ વેદનીય | |મોહનીય 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ % જ દ = . " : ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | || આયુ | 0 | ૦ 0 | ૦ - ૦ ૦ - - - - મ - - - - - જ ન ન ભ મ ન ભ k1le | ભ ૦ ૦ ૦ ૦ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ૮ | અંતરાય Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અયોગી કેવળીમાં ૧૩ સયોગી કેવળીમાં ૧૨ ક્ષીણમોહમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાંપરામાં ૯ અનિવૃત્તિકરણમાં ૮ અપૂર્વકરણમાં ૭ અપ્રમત્તમાં ગુણસ્થાનોનાં નામ ૧૪ અયોગી કેવળીમાં ૧૨ ક્ષીણમોહમાં ૧૩ સયોગી કેવળીમાં ૧૧ ઉપશાંતમોહમાં ૧૦ સૂક્ષ્મસાપરાયમાં ૮ અપૂર્વકરણમાં ૯ અનિવૃત્તિકરણમાં ૩ મિશ્રમાં ૭ અપ્રમત્તમાં ૬ પ્રમત્તમાં ૪ અવિરત ૫ દેશવિરતમાં સમ્યવ્રુષ્ટિમાં ૨ સાસ્વાદનમાં ૧ મિથ્યાત્વમાં ૦ ઓઘે (સામાન્ય) ગુણસ્થાનોનાં નામ ૦ દ વ ત o - મૂળ પ્રકૃતિઓ o | જ જ છે \ \ | થ મનુભાઈ ૨ | an/en in ઉત્તર પ્રવૃતિઓ ૪ | ૭ ૨૭/૫૫ ૪૨ ૩૯ | * 9 8 8 8 | | ૦ ૦ ૮ દ ક ર દ ક જ્ઞાનાવરણીય ૦ ૦ ર દ ર દ હ દ હ હ હ હ હ હ હ જ્ઞાનાવરણીય 0 | A/5| h ૫ | ૦ | નોંઘ-છઠ્ઠા ગુણસ્થાનક સુઘી ઉદય પ્રમાણે પૂર્તિ ૩ઃ ઉદીરણા યંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ ૯૬) ૦ ૦ = A A A A A દર્શનાવરણીય 2/5| પૂર્તિ ૨ ઃ ઉદય - યંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ ૯૬) = દિશનાવરણીય ૦ ૬ = A A A A A = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ વેદનીય - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ વેદનીય ૦ % # # # # # ૪ / મોહનીય ૦ ૦ ૦ ૦ & R A છ છ ક ક મોહનીય ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ ܩܢ આયુ આયુ ܘ = = = = = = = ૦ = = = | ૦ % $ $ $ $ $ $ નામ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ |ગોત્ર – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગોત્ર ૦ ૦ ટ ટ ટ ટ ટ દ અંતરાય અંતરાય ૬૦૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ક્રમ ૧ ૨| સાસ્વાદનમાં ૩ મિશ્રમાં ૪ ૭ અવિરતિમાં ૫ દેશવિરતિમાં પ્રમનમાં અપ્રમત્તમાં ८ | અપૂર્વકરણમાં ૯| અનિવૃત્તિકરણમાં ૧૦ ૧૧ ગુણસ્થાનકોનાં નામ ઔર્થ (સામાન્ય) મિથ્યાત્વમાં ૧૨ ૧૩ ૧૪ સૂક્ષ્મ સપરાથમાં ઉપશાન મોતમાં શીંગ મોમાં સયોગી કેવીમાં અયોગી કેવળીમાં પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ ૧ ૪ ८ ૯ VU U ८ - ८ . __y = " ૦ ૧ VVVV V V V V V V ८ ८ ८ - ८ ८ ८ ८ - ८ ८ ઉત્તર | ePykr |lla esh9 |era as ક્) ૦ ૦ ૦ ૦ ૬. ૧૪૮ ૧૪૮ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૨ ૧૪૮ ૧૪૨ '' 33 ૧૪૮ ૧૪૨ ૧૪૮ * ૐ ૐ ૐ ? ? પૂર્તિ ૪: ૧૦૧ ૧૩૯ 33 ,, 33 33 33 ૧૩૯ ૧૩૯ કરનાર) ܘ ܘ ܘ 0 Page #207 -------------------------------------------------------------------------- ________________ ક્ષપક શ્રેણી (કે શ્રેણી 0 0 0 0| શરૂ કરનાર) 102 103 A0b h05 106 112 113 114 122 138 138 138 hb. 26. h&k. 138 ht. 138 કે છે કે આ 6 2 સત્તાયંત્ર (પુષ્પ ૬૦માં પૃષ્ઠ 96) 0 0 0 ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ જાનાવરણીય ટ | દર્શનાવરણીય 0 0 0 = A A ir us us us us is ir ir ur 9 9 9 9 9 3 I به به به به به به به به به به به به به به به به به به به વેદનીય 2 ટ ટ ટ = 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 = = = = = = = | ALLગોત્ર ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ه ܘ ܘ ܘ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ અંતરાય R 14(1) ગુણસ્થાન સંખ્યા 6 0 3