________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૩
લઈ આવે તો જ ખાવાનું મળે. II૪૪.
વચન સુણી માતા તણું, ખરી. દોરડી લઈ તે જાય રે; ખરી.
ભારો લઈને આવતાં, ખરી. લોકો બહુ દેખાય રે. ખરી અર્થ - માતાનું વચન સાંભળી તે દોરડી લઈને ગઈ. ભારો લઈને પાછી ફરતાં રસ્તામાં ઘણા લોકોને જોયા. ૪પા.
સુણે, કેવળી-દર્શને ખરી. નગરજનો સૌ જાય રે; ખરી.
કષ્ટ-ભાર સમ કાષ્ટને, નાખી દઈ હરખાય રે. ખરી અર્થ :- આ બઘા નગરજનો તો કેવળી ભગવાનના દર્શન કરવા જાય છે એમ તેણીએ સાંભળ્યું. તેથી દુઃખના ભારાની જેમ આ લાકડાના ભારાને ત્યાંજ છોડી દઈ પોતે પણ હરખાતી તેમની સાથે ચાલી. ભગવાનનું દર્શન સર્વસુખનું કારણ છે. Il૪૬.
ગિરિ પર ચઢ કરી વંદના, ખરી. ગતિ-યોગ્ય મતિ થાય રે; ખરી.
સુણી દેશના તે ગમી, ખરી પૂછે : “હે! જિનરાય રે- ખરી, અર્થ - નિર્નામિકાએ પણ પહાડ પર ચઢી ભગવાનને વંદન કર્યા. ‘જેવી ગતિ તેવી મતિ'. તે અનુસારે તેને બુદ્ધિ ઊપજી. કેવળી ભગવાને આપેલી દેશના તેણે સાંભળી. તેને તે બહુ ગમી. તેથી ભગવાનને તે પૂછવા લાગી. ૪ળા
રાય-રંક સરખા ગણો, ખરી. તેથી તર્જી હું બીક રે, ખરી.
પૂછું ? દુખિયા પૃથ્વમાં ખરી. હશે મુજથી અધિક રે?” ખરી અર્થ :- હે ભગવંત! આપ રાજા કે રંક બેયને સરખા ગણો છો, માટે હું બીક તજીને પૂછું છું કે આપે આ સંસારને દુઃખના ઘરરૂપ કહ્યો; પણ આ પૃથ્વી ઉપર મારાથી કોઈ અધિક દુખિયા હશે? ૪૮
કેવળી ભગવંતે કહ્યું : ખરી. “સાંભળ, દુઃખી બાળ રે- ખરી.
તારાથી પણ દુઃખિયા, ખરી. જીવો બહુ કંગાલ રે. ખરી અર્થ - ત્યારે કેવળી ભગવંતે કહ્યું : હે દુઃખી બાળા! હે ભદ્ર! તારે તો શું દુઃખ છે? તારા કરતાં પણ અત્યંત દુ:ખી જીવો છે તેની હકીકત સાંભળ. I૪૯.
નરકગતિના જીવનાં-ખરી. તન યંત્રે પિલાય રે. ખરી
કરવતથી વે’રાય રે! ખરી. અંગો અંગ કપાય રે. ખરી અર્થ - જે પોતાના દુષ્ટકર્મથી નરકગતિમાં ઉત્પન્ન થયા છે. તેમાં કેટલાકનાં શરીર તલ પીલવાની જેમ યંત્રોથી પીડાય છે, કરવતથી વેરાય છે, અને કેટલાકના અંગોઅંગ કપાઈ મસ્તક જુદા પડે છે. આમ નરકના દુઃખ ભયંકર છે. પા.
ઊકળતા તેલ તળે, ખરી. સીસાના રસ પાય રે; ખરી.
પૂર્વપાપ સંભારીને - ખરી. રચે દુઃખ-ઉપાય રે. ખરી અર્થ - નારકી જીવોને પરમાઘામીઓ ઊકળતા તેલમાં તળે છે. તૃષા લાગેલા જીવોને ગરમાગરમ