SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - આત્મા સંબંઘીની વિપરીત માન્યતાઓ છુટી જઈ મારું મન સન્શાસ્ત્રમાં લીન રહે. ઇન્દ્રિયોને આધીન મારી વૃત્તિ નહીં રહેતા મારી બુદ્ધિ સદા નિર્મળ રહે એવી પ્રભુ કૃપા કરજો. ૧૮૯ાા ભવોભવની માગણી જી : વિષય-કષાય-વિરક્ત, સેવા સંતની આદરું જી, ત્રિગુતિ-સંયુક્ત. જીંવ, જોને અર્થ :- હે પ્રભુ! ભવોભવમાં હું વિષયકષાયથી વિરક્ત રહું તથા મનવચનકાયાના ત્રણેય યોગ સહિત, હું સંતપુરુષોની સેવા એટલે આજ્ઞાનું પાલન કર્યા કરું; એવી મારી માગણી છે તે સફળ થાઓ. કેમકે વિષયકષાય એ જ સંસાર છે અને એ જ ઝેર છે. ૯૦ગા. આશા-પાશ ઘૂંટી જજો જી, તેંટો મોહના બંઘ, કુશળ સંયમી સંતનો જી, ભવ ભવ હો સંબંઘ. જીંવ, જોને. અર્થ :- સંસારસુખની આશાઓ જે જીવને પાશ એટલે જાળ સમાન પકડી રાખે છે તે મારી છૂટી જજો. તથા કુટુંબીઓ સંબંધી મોહના બંઘન તૂટી જજો. અને ભવભવમાં કુશળ એવા આત્મજ્ઞાની સંયમી સંતનો મને સંબંધ હોજો એવી ભાવના ભાવું છું. II૯૧. સમ્યકત્વી કુટુંબમાં જી હો તો હો અવતાર, અબુથને પણ બોઘતા જી, મળજો સદ્ગુરુ સાર. જીંવ, જોને. અર્થ :- હે પ્રભુ! મારે હજુ અવતાર ઘારણ કરવાના હોવાથી સમ્મદ્રષ્ટિ કુટુંબમાં જ મારો જન્મ હો જો. અબુધ એટલે અજ્ઞાનીને પણ બોઘ આપી તારનાર એવા સારરૂપ સદ્ગુરુનો મને યોગ મળજો કેમકે સગુરુ વિના કોઈ કાળે આ સંસારનો પાર આવે એમ નથી. ૯રા દીન ભણી કરુણા કરું જી, સદગુણી ભણી પ્રેમ નિર્દય ભણી મધ્યસ્થતા જી, સૌ ભણ મૈત્રી-ક્ષેમ. ઍવ, જોને અર્થ :- દીન એટલે ગરીબો ભણી હું કરુણાભાવ રાખું. સગુણી પ્રત્યે પ્રેમભાવ રાખું, નિર્દયી જીવો પ્રત્યે પણ મધ્યસ્થભાવ રાખું તથા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખી તેમની ક્ષેમ એટલે કુશળતા ને જ ઇચ્છે. એવી સમકિતની યોગ્યતા આપનારી ચાર ભાવનાઓ મને સદા રહેજો. II૯૩ાા. દેહ મહાવ્રત-યોગ્ય હો જી, ભવભવ તપ આઘાર, ઘન, પરિજન, ઘર ના હશો જી, હો ઉર ઉપશમ સાર. જીંવ, જોને. અર્થ :- આ મારો દેહ પંચ મહાવ્રત પાળવાને યોગ્ય હજો. ભવભવમાં હું ઇચ્છાઓને રોકવા માટે તપનો આધાર લઉં. ઘન, સગાં, કુટુંબીઓ કે ઘરની પણ મને ઇચ્છા ના હોજો. પણ કષાયને ઉપશમ કરવાનો સારરૂપ ભાવ મને સદા જાગૃત રહેજો. ૯૪. નારી ના પ્યારી થશો જી, નિષ્પાપી નિલભ, ઉર સદા નિઃશલ્ય હો જી, નહીં પ્રમાદે ક્ષોભ. છંવ, જો અર્થ - સ્ત્રી પ્રત્યે મને રાગ નહીં પણ સપુરુષ પ્રત્યે હોજો. “રાગ કરવો નહીં, કરવો તો સપુરુષ પ્રત્યે કરવો.” -શ્રીમદ્ રાજચંદ્ર હું નિષ્પાપી અને નિલભી થાઉં. મારું હૃદય મિથ્યાત્વ શલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્યથી રહિત થજો. તથા વિષય, કષાય, વિકથા સ્નેહ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy