SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૧૭ અર્થ - દ્વિજ એટલે પક્ષી અને મુનિ એમ બે અર્થ છે. પક્ષીઓનો સમૂહ જેમ વૃક્ષ ઉપર બેસી કલ્લોલ કરે, તેમ મુનિઓ પણ સત્ ઘર્મરૂપ વૃક્ષના આશ્રયથી દેવ, મનુષ્યના સુખરૂપ ફળને પામી આનંદ કલ્લોલ કરે છે. ઉત્તમ બ્રહ્મચર્યનું પાલન તે વૃક્ષની છાયા સમાન છે; જે મુક્તિમાર્ગમાં શ્રમ કરનાર જીવોને વિશ્રામરૂપ છે. ૧૮૩ના “સંયમ-થડ અતિ શોભતું જી, અકિંચનત્વ-સુહંસ, નિર્મળ નિર્મમ આવતાં જી, નહીં પરિગ્રહ-અંશ. છંવ, જોને. અર્થ - સત્કર્મરૂપી વૃક્ષનું સંયમરૂપી થડ છે, જે અતિ શોભા પામે છે. અકિંચનત્વ એટલે નિષ્પરિગ્રહતાનો ભાવ તે સુહંસ સમાન નિર્મળ, નિર્મમ ક્ષીરનીર વિવેક પ્રગટતા અર્થાત જડ ચેતન વિવેક ઉત્પન્ન થતાં, ભાવથી પરિગ્રહનો અંશ પણ રહેતો નથી. ૮૪ જીવ-દયામય વાડથી જી, રક્ષા કરવી યોગ્ય, રખા રહે સુધ્યાનના જી, મિથ્યાત્વ-મૃગ-અભોગ્ય. જીંવ, જોને. અર્થ - એવા દશ લક્ષણવાળા સુઘર્મરૂપી વૃક્ષની, જીવોની દયા ખાવારૂપ વાડથી રક્ષા કરવી યોગ્ય છે. ઘર્મધ્યાનરૂપ રખવાળોથી તે ઘર્મ સુરક્ષિત રહી શકે છે; તેથી મિથ્યાત્વરૂપ મૃગલાઓનો ત્યાં પ્રવેશ થાય નહીં. ૮પાા શીલ-સલિલ સિંચતાં , તે તરુ મોટું થાય, કોપાનલથી જો બચે જી, શિવ-ફલ દે સુખદાય. જીંવ, જોને. અર્થ - શીલરૂપી સલિલ એટલે પાણીના સિંચનથી તે ઘર્મરૂપી વૃક્ષ મોટું થાય છે. કોપાનલ એટલે ક્રોધાદિ કષાયોરૂપી અગ્નિથી જો તે ઘર્મરૂપી વૃક્ષનો બચાવ થાય તો જરૂર સુખદાયક એવા મોક્ષરૂપી ફળને તે આપનાર થાય છે. ટકા (૧૨) બોધિદુર્લભ-ભાવના ચહું સમાધિ-બોધિ હું જી, ભવે ભવે હે! નાથ, જન્મ જ્યાં જ્યાં વિશ્વમાં જી, પ્રભુજી, ગ્રહજો હાથ. જીંવ, જોને. અર્થ - હે નાથ! હં ભવોભવમાં આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિને ઇચ્છું છું. તે મેળવવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિરત્નની ચાહના કરું છું. હું જ્યાં જ્યાં વિશ્વમાં જન્મ પામું ત્યાં ત્યાં હે પ્રભુજી! મારો હાથ ગ્રહીને મને સમ્યમાર્ગે વાળજો. ૮ના. પ્રભુ-આજ્ઞા ઉપાસવાજી, ગર્વ-રહિત સદાય, માનવભવ આ વાપરું જી, પ્રમાદ કેમ કરાય? જીંવ, જોને. અર્થ :- પ્રભુની આજ્ઞા ઉપાસવા હું સદાય ગર્વરહિત રહું અર્થાત્ વિનયભાવસહિત પ્રભુની આજ્ઞામાં આ માનવભવનો ઉપયોગ કરું. મોક્ષ પ્રાપ્તિ અર્થે પ્રભુનો આવો અદ્ભુત યોગ મળી જવાથી હવે પ્રમાદ કેમ કરાય? ૮૮ાા. અસત્ માન્યતા છોડીને જી, સલ્તાત્રે મન લીન, નિર્મળ બુદ્ધિ ઊપજે છે, ન ઇન્દ્રિય-આઘીન. જીંવ, જોને
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy