SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “જીવ અજીંવ બે તત્ત્વો મુખે, વિશ્વ વિષે, ઉર ઘારો રે, યોગ અનાદિ કર્મ કૅપે પણ, સ્વરૂપ શુદ્ધ વિચારો રે.” પરોપકાર-કારક પરમાત્મા વદતા જન-જન કાજે રે.... અર્થ :- આ વિશ્વમાં જીવ અને અજીવ એમ બે તત્ત્વો મુખ્ય પણે છે. તેને હૃદયમાં ઘારણ કરો. અનાદિકાળથી પુદ્ગલ દ્રવ્યનો યોગ જીવ સાથે છે. તે કર્મના કારણે છે. પણ જીવ દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચયનયથી જોતાં શુદ્ધ છે. તેનો વિચાર કરો. નિષ્કારણ પરોપકારને કરવાવાળા પ્રભુ માત્ર આ વાણી જગત જીવોના કલ્યાણ અર્થે કહે છે. I૮૩ “એક દેહ દેખાતો તેમાં ષટું તત્ત્વો નિહાળો રે, સર્વવ્યાપી આકાશ વસે ત્યાં, દેહવ્યાપી જીંવ ભાળો રે. પરો. વ. અર્થ :- આપણને એક દેહ જ દેખાવા છતાં તેમાં છ તત્ત્વો રહેલા છે તે નિહાળો. આકાશતત્ત્વ સર્વ વ્યાપી હોવાથી તે આ દેહમાં પણ વ્યાપેલ છે. તેમ જીવ પણ આ દેહમાં વ્યાપેલો છે એમ જાણી એ વાતને હૃદયમાં નક્કી કરો. ૮૪. જીવ એકલો જાણી શકતો, પાંચ અજીવ પ્રમાણો રે, ઘર્મ-અથર્મ ગતિ-સ્થિતિ-હેતુ, પુદ્ગલ મૂર્તિક જાણો રે. પરોપકાર-કારક પરમાત્મા વદતા જગ ઉદ્ધરવા રે.. અર્થ :- જીવ દ્રવ્ય એકલું જ સર્વ જાણી શકે છે. તે સિવાયના પુદ્ગલ, ઘર્મ, અઘર્મ, આકાશ તથા કાલ દ્રવ્ય અજીવ તત્ત્વો છે, તે વિચારી પ્રમાણભૂત કરો. ઘર્માસ્તિકાય અને અઘર્માસ્તિકાય એ દ્રવ્યો માત્ર ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં કારણભૂત છે. તથા છએ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય એક જ મૂર્તિક એટલે રૂપી દ્રવ્ય છે, બાકી બધા અરૂપી દ્રવ્ય છે. પરોપકારને કરવાવાળા એવા આ પ્રભુ માત્ર જગત જીવોના ઉદ્ધાર માટે આ વાણી ઉપદેશે છે. ૧૮પા વર્તન-હેતું કાલ સમજવો; દ્રવ્ય છ કાયા-ભાંડે રે, સ્વરૃપ લોકનું આ સંક્ષેપે, પિંડે તે બ્રહ્માંડે રે. પરો. વ. અર્થ :- દરેક દ્રવ્યના પરિવર્તનનું કારણ કાલ દ્રવ્ય છે એમ સમજવું. છએ દ્રવ્ય આ કાયારૂપી ભાંડ એટલે વાસણમાં રહેલા છે. લોકનું સંક્ષેપમાં આ સ્વરૂપ છે. પિંડ એટલે શરીરમાં છએ તત્ત્વો છે તે જ બ્રહ્માંડ એટલે આખા વિશ્વમાં પથરાયેલા છે. ૧૮૬ાા ક્ષીર-નીર સમ સેળભેળ એ; નાશ ન પામે કોઈ રે, ચેતન જડ કે જડ ચેતનફૅપ થાય ન, સ્થિતિ જોઈ રે. પરો. વ. અર્થ - દુઘ અને પાણીની જેમ એ દ્રવ્યોનો સેળભેળ છે. કોઈ દ્રવ્ય કે તત્ત્વ કદી નાશ પામતું નથી. તે પોતાના સ્વભાવને છોડતું નથી. માટે ચેતન એવો આત્મા કદી જડ થાય નહીં. અને જડ એવું પુદ્ગલ કદી ચેતનરૂપ થાય નહીં. એવી દ્રવ્યની સ્થિતિ ભગવંતે કેવળજ્ઞાનવડે જોઈ છે. આટલા પુદ્ગલ-પુંજ-સંગથી ભૂલ્યો, ભટકે જીવ અજાણ્યો રે, જ્ઞાને દેહ દેખી, પોતાને મોહે તે રૃપ માન્યો રે. પરોવ.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy