________________
४८४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- દેવલોકમાં ભોગની વાસનાથી તમારા ભાવ મલિન હતા. માટે હવે વૈરાગ્યભાવ ઘારણ કરીને આત્મસ્વરૂપમાં લીન બનો. ૧૧૮
શ્રીમતી આર્યાને કહે-ખરી તું પણ આ સ્વીકાર રે, ખરી.
ખેદ-ખિન્ન શાને રહે-ખરી. ઘરી નારી-વિકાર રે? ખરી. અર્થ :- શ્રીમતી આર્યાને પણ કહ્યું કે તું પણ આ વાતનો સ્વીકાર કર. નારીના વિકારભાવોને ઘારણ કરી તે ખેદખિન્ન શા માટે રહે છે? ૧૧૯ાા.
સમ્યગ્દર્શન-યોગથી-ખરી, ટળે નિંદ્ય પર્યાય રે-ખરી.
થોડા ભવમાં પામશો-ખરી. મુક્તિ બેય સુખદાય રે.” ખરી. અર્થ :- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી આ સ્ત્રીનો નિંદ્ય પર્યાય ટળી જાય છે. થોડા ભવમાં તમે બન્ને શાશ્વત સુખને દેવાવાળી એવી મુક્તિને પામશો. If૧૨૦ના.
મંત્રી-ઉપકારો સ્મરી-ખરી. બન્ને ગદ્ગદ્ કંઠ રે-ખરી.
પામે સમકિત શુદ્ધ તે-ખરી. મોક્ષાર્થે ઉત્કંઠ રે. ખરી અર્થ - પૂર્વભવમાં સ્વયંભુદ્ધ મંત્રીએ જૈનધર્મની શરૂઆત કરાવી, તે ઉપકારોનું સ્મરણ કરી બન્ને ગદ્ગદ્ કંઠ થઈ હવે શુદ્ધ સમકિતને પામ્યા, અને મોક્ષપ્રાપ્તિને અર્થે ઉત્કંઠિત થયા અર્થાત્ મોક્ષ મેળવવાની વિશેષ ઇચ્છા તેમને જાગૃત થઈ. /૧૨૧ના
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૩
(રાગ : ત્રીજી દ્રષ્ટિ બલા કહી જી, કાષ્ઠ અગ્નિ સમ બોઘ)
પ્રીતિકર ચારણ મુનિ જી, દઈ સત્રદ્ધા - બોઘ, ભોગભૂમિ તર્જી ગયા છે, ગગન વિષે અવિરોઘ રે.
ભવિજન ઘન્ય ઘન્ય આ અવતાર. અર્થ - સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ જે આ ભવમાં પ્રીતિંકર નામના ચારણ મુનિ થયા છે, તે વજઘ અને શ્રીમતીના જીવને, જે બન્ને યુગલિક થયેલા છે તેમને સમકિતનો બોઘ આપી સન્થ્રદ્ધા કરાવી, ભોગભૂમિને તજી તે મુનિ ચારણલબ્ધિના પ્રભાવે આકાશમાર્ગે અવિરોઘપણે ચાલ્યા ગયા. હે ભવિજન! આવા મહાપુરુષોના અવતારને ઘન્ય છે, ઘન્ય છે. [૧]
આર્ય-યુગલ આયુ-ક્ષયે જી, થાય ઈશાને દેવ,
સ્ત્રી-વેદ તજી શ્રીમતી જી, સ્વયંપ્રભ સ્વયમેવ રે. ભવિજન અર્થ - યુગલ એટલે બેય આર્ય ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ થવાથી ઈશાન નામના બીજા દેવલોકમાં