________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૮ ૫
દેવ થયા. શ્રીમતીનો જીવ પણ સ્ત્રીવેદ તજી દઈ હવે સ્વયંપ્રભ નામનો દેવ બની ગયો. રા
શ્રીઘર સુર ઑવ આર્યનો જી, કરે બેય આનંદ,
શાશ્વત્ પ્રતિમા પૂજતા જી, કલ્યાણક સુખકંદ રે. ભવિજન અર્થ :- વજજંઘનો જીવ હવે શ્રીધર નામનો દેવ થયો. આ ઋષભદેવ ભગવાનનો આઠમો ભવ છે. બીજા દેવલોકમાં બેય આનંદ કરે છે. શાશ્વત જિન પ્રતિમાને પૂજે છે તથા સુખના કંદરૂપ ભગવાનના જન્માદિ પંચ કલ્યાણકોમાં જાય છે. ગાયા.
અવધિ-જ્ઞાને જાણિયું જી: પ્રીતિંકર મુનિરાય,
ધ્યાને શ્રેણી માંડીને જી, કેવળજ્ઞાની થાય રે. ભવિજન અર્થ - હવે શ્રીઘર દેવે અવધિજ્ઞાનથી જાણ્યું કે શ્રી પ્રીતિકર મુનિરાજે ધ્યાનની શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવ્યું છે. //૪
આવી કેવળું પૂજતા જી, મુનિવર દે
સુર,નર,પશુ,પક્ષી સુણે જી, રાખી લક્ષ અશેષ રે : ભવિજન અર્થ - તેથી કેવળી ભગવાન પાસે આવી તેમની પૂજા કરી. મુનિવર ઉપદેશ આપવા લાગ્યા. જે દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ સર્વ અશેષ એટલે સંપૂર્ણ લક્ષ રાખીને એકાગ્રતાથી સાંભળવા લાગ્યા. ઉપદેશમાં ભગવંતે નીચે પ્રમાણે જણાવ્યું. પા.
“પ્રાણી માત્ર પર સૌ ઘરો જી, સદા દયા અવિરોઘ,
ક્ષમા મોક્ષનું દ્વાર છે જી, ઘરો ભાવ નિર્લોભ રે. ભવિજન અર્થ - પ્રાણી માત્ર ઉપર સર્વજીવો હમેશાં દયા કરો. મુનિને પાળવાની દયા મહાવ્રતરૂપે છે. અને શ્રાવકને પાળવાની દયા અણુવ્રતરૂપે છે. એમ અવિરોઘપણે દયાનું પાલન કરો. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તે ક્ષમાભાવને જીવનમાં ઉતારો તથા નિલભવૃત્તિ એટલે સંતોષભાવને સદા ઘારણ કરો કેમકે સંતોષી નર સદા સુખી છે. કાા
જ્ઞાન અને વૈરાગ્યની જી, સંપત્તિ હિતકાર,
કહે જ્ઞાનજન ઘર્મ તે જી, પાળ્યાથી ભવ પાર રે. ભવિજન અર્થ – આત્મા સંબંઘીનું જ્ઞાન અને સંસાર પ્રત્યે વિરક્તભાવ એ જ્ઞાન અને વૈરાગ્યભાવ આત્માને હિત કરનાર સંપત્તિ છે. સમ્યકજ્ઞાનથી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એ સમ્યકુચારિત્ર છે. જ્ઞાનીપુરુષો એને ઘર્મ કહે છે. એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનથી જીવ સંસાર સમુદ્રને પાર પામે છે. IIળા
એથી ઊલટો અઘર્મ છે જીઃ વિષયવાસના-દગ્ય,
દુઃખકારક સુખ ઇચ્છતાં જી, પડે પાપમાં મુગ્ધ રે. ભવિજન અર્થ - એથી ઊલટું મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રમાં પ્રવર્તવું તે અધર્મ છે. અથર્મના કારણે વિષય વાસનાથી જીવો સંસારમાં બળ્યા કરે છે. ઇન્દ્રિયના વિષયો દુઃખકારક હોવા છતાં તેને ભોગવી સુખ મેળવવા ઇચ્છતા પ્રાણીઓ, મોહમાં મુગ્ધ બની અનેક પ્રકારના પાપમાં પડે છે. દા.