SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે.” -જીવનકળા (પૃ.૨૨૭) I/૪ ખસેડતાં કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે, અંતર-આત્મા કે પ્રભુ જાણે; અનુસરતાં ન નડે એ. દેવા અર્થ - તે કાંટાઓ ખસેડતાં અમને પરિશ્રમથી જે થાક ચઢ્યો છે તે અમારો અંતર આત્મા જાણે કે પ્રભુ જાણે છે. પણ હવે તે માર્ગને અનુસરવામાં કોઈ વિદન નથી. પાા વર્તમાનમાં જ્ઞાન હોત તો, કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વરપ્રભુનો, સ્મૃતિ સુખદ છે એની. દેવા અર્થ - વર્તમાનકાળમાં કોઈ જ્ઞાની હોત તો અમે તેની કેડ છોડત નહીં. હું મહાવીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો. જાતિસ્મરણજ્ઞાન થવાથી મને તેની આજે પણ સુખદ એટલે સુખને દેવાવાળી એવી સ્મૃતિ થાય છે. “જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” -જીવનકળા (પૃ.૨૨૭-૨૨૮) /કા અલ્પ શિથિલતાથી ભવ ભટક્યો, કોઈ શિથિલ ના થાશો, નાનું છિદ્ર જહાજે પડતાં, ભર દરિયે ડૂબી જાશો. દેવા અર્થ - હું અલ્પ શિથિલતાથી અનેક ભવોમાં ભટક્યો. માટે કોઈ શિથિલ એટલે પ્રમાદી થશો નહીં. જેમ નાનું છિદ્ર જહાજમાં પડે તો આખું જહાજ દરિયામાં ડૂબી જાય; તેમ તમે પણ અલ્પ પ્રમાદ કરશો તો ભવસમુદ્રમાં ડૂબી જશો. શાં સમય માત્ર પ્રમાદ ન કરવો’ કહ્યું, ન કાઢી નાખો, રે! અત્યંત પ્રમાદ છતાંયે, કેમ ન કાળજી રાખો? દેવા અર્થ :- “સમયમાત્ર પણ પ્રમાદ કરવો નહીં’ એમ ભગવંતે કહ્યું છે તે વાતને કાઢી નાખો નહીં; પણ લક્ષમાં લો. અરે! આશ્ચર્ય છે કે અત્યંત પ્રમાદ છતાં પણ આત્માની કાળજી કેમ રાખતા નથી. ટા માત્ર જાગ્રત કરવા કહ્યું હું, માટે જાગો, જાગો! આખો લોક બળે છે દુઃખે, ચેતી ભાગો, ભાગો! દેવા અર્થ - માત્ર તમને જાગૃત કરવા કહું છું. માટે જાગો, જાગો! આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, માટે હવે ચેતી જઈ ભાગો, ભાગો. નહીં તો તમે પણ તેમાં બળી મરશો. કા અલ્પ અરે! અગ્નિ સંઘરતાં કોઈ ને શાંતિ પામે, સકલ વિશ્વને બાળી દે તે શિથિલપણાને નામે.” દેવા અર્થ - અલ્પ માત્ર અગ્નિનો સંગ્રહ કરવાથી કોઈ શાંતિ પામે નહીં, પણ તે જ અગ્નિ સકલ વિશ્વને બાળી શકે. જેમ એક ખેડૂત બીડી પીને તેનું ઠુંઠું પ્રમાદથી ઘરમાં ફેંકી ખેતરે ગયો. ઘરમાં બાળક સુતું હતું. તે આવીને જુએ તો આખું ઘર અગ્નિમાં સળગતું હતું. બાળક મરી ગયો હતો. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : એક અગ્નિનો તણખો લાખ મણ રૂને બાળી નાખે. તેમ જ્ઞાનીપુરુષની એક આજ્ઞા સાચા હૃદયે ઉપાસે
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy