SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ૪૭૧ અર્થ - ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવો કેમ બને? મારું જીવન તો અલ્પ માત્ર રહ્યું ત્યારે હવે હું શું કરી શકું? મંત્રી કહે : હે ભૂપતિ! આપ ખેદ કરો નહીં અને આવા વિકલ્પને તજી ઘો. કારણ આયુષ્ય છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. ૩૦ આશ્રય યતિ-ઘર્મો તણો, ખરી. એક દિવસ પણ થાય રે- ખરી. તો દીક્ષા તે મોક્ષ દે; ખરી. સુગતિની શી શકાય રે?” ખરી. અર્થ - પરલોકમાં મિત્ર સમાન એવા મુનિઘર્મનો આશ્રય ગ્રહણ કરો. એક દિવસની સાચી દીક્ષા પણ જીવને મોક્ષ આપી શકે છે તો સુગતિ પ્રાપ્ત કરવામાં શી શંકા છે? I૩૧ નૃપ-પદવી દઈ પુત્રને, ખરી. દાન-પુંજા કરી સાર રે; ખરી. ખમી, ખમાવી સર્વને, ખરી લે સદ્ગુરુ-આઘાર રે. ખરી અર્થ - હવે મહાબળ રાજાએ દીક્ષા લેવાનો નિર્ણય કરી પુત્રને રાજ-પદવી આપી. દીન-અનાથોને અનુકંપાદાન આપ્યું. પછી સર્વ ચૈત્યોમાં માણિક્ય, સુવર્ણ, કુસુમાદિ પદાર્થોથી ભગવાનની ભવ્ય રીતે પૂજા કરી, સર્વને ખમી ખમાવી સદ્ગુરુ ભગવંતનું શરણ અંગીકાર કર્યું. ૩રા દીક્ષા લઈને તે ઘરે, ખરી. અનશન ને વૈરાગ્ય રે; ખરી. બાવીસ દિવસ જીવીને, ખરી કરે દેહનો ત્યાગ ૨. ખરી અર્થ - હવે રાજર્ષિએ દીક્ષા ગ્રહણ કરી સાથે ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. વૈરાગ્યસહિત બાવીસ દિવસ અનશન પાળી અંતે સમાધિમરણ સાથી આ નશ્વર દેહનો પણ ત્યાગ કર્યો. [૩૩ના ઈશાન" સુર-લોકે લહે, ખરી સમૃદ્ધિ-ભોગ અપાર રે; ખરી. સ્વયંપ્રભા દેવાંગના, ખરી હતી સર્વમાં સાર રે. ખરી અર્થ - આ દેહ છોડી ઈશાન નામના બીજા દેવલોકમાં અપાર ભોગ સમૃદ્ધિને તેઓ પામ્યા. ત્યાં દેવીઓમાં સ્વયંપ્રભા દેવાંગના તે સર્વથી શ્રેષ્ઠ હતી. ભગવાન ઋષભદેવનો આ પાંચમો ભવ છે. ૩૪ પળ સમ વર્ષ વહી ગયાં, ખરી. દેવી-મરણે દુઃખ રે; ખરી. મિત્રો મળી સમજાવતા, ખરી લેશ ન લે સુર સુખ રે. ખરી અર્થ – સ્વયંપ્રભા દેવાંગના સાથે રહેતા પળ સમાન ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. વૃક્ષ પરથી પત્ર ખરી પડે તેમ સ્વયંપ્રભા દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં તે ચ્યવી ગઈ. તેના મરણથી લલિતાંગદેવ ખૂબ દુઃખી થયો. મિત્રો મળીને સમજાવતા છતાં દેવલોકની કોઈ પણ સામગ્રી તેને સુખરૂપ થઈ નહીં. ૩પા. સ્વયંપ્રભા સંભારીને, ખરી. લલિતાંગ દુઃખપૂર્ણ રે; ખરી. ૨ડે, રડાવે સર્વને, ખરી. અશ્રુ વહાવે ચોખુણ રે. ખરી અર્થ - તે લલિતાંગ દેવ સ્વયંપ્રભાને સંભારી પૂર્ણ રીતે દુઃખી થઈ ચોધાર આંસુએ સ્વયં રહે, બીજાને પણ રડાવે એવો વિલાપ કરવા લાગ્યો. ૩૬ાા સ્વયંબુદ્ધ મંત્રી સુણી, ખરી મિત્ર-મરણની વાત રે; ખરી. દીક્ષા લઈ, પાળી, થયો- ખરી. ઈશાન-સુર સાક્ષાત્ રે. ખરી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy