SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ હરિશ્ચંદ્ર-વંશે તમે, ખરી સુબુદ્ધિ-વંશે હું ય રે; ખરી ક્રમ-આગત કુલ-કાર્ય આ, ખરી ફરજ ગણીને કહું ય રે- ખરી અર્થ :– હે રાજન ! આપ હરિશ્ચંદ્ર વંશમાં થયેલા છો અને હું સુબુદ્ધિ મંત્રીના વંશમા થયો છું; માટે કુલ ક્રમાગત આ કાર્યને મારી ફરજ ગણીને આપને કહું છું. રા અવસર સિવાય ત્યાગને, ખરી૰ આદરવાને કાજ રે- ખરી॰ કઠું, સકારણ તે સુણો - ખરી॰ હે! સમજી મહારાજ રે. ખરી અર્થ :– અવસર વગર હું આપને ત્યાગ કરવા કહું છું તે સકારણ છે, તે સાંભળો. તે મહારાજ! આપ તો સમજુ છો. ર૪॥ નંદનવન આજે ગયો, ખરી દીઠા બે મુનિરાય રે; ખરી જ્ઞાની ચારણ મુનિને, ખરી વંદી લાગ્યો પાય રે. ખરી અર્થ :– હું આજે નંદનવનમાં ગયો હતો. ત્યાં બે ચારણ મુનિઓને દીઠા. મહામોહરૂપી અંધકારને = છેદનારા એવા સૂર્ય ચંદ્ર સમાન જ્ઞાની મુનિઓને વંદન કરી તેમના ચરણ સ્પર્શ કર્યા. ॥૨૫॥ સુણી દેશના પૂછ્યુિં - ખરી નૃપ-આયુષ્ય-પ્રમાણ રે, ખરી કહે મુનિ કરુણા કરી - ખરી- 'એક જ મહિનો જાણ રે' ખરી અર્થ :— તે મહાત્માની ઘર્મદેશના સાંભળી તેમને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું ત્યારે તેમણે કરુણા કરી આપનું આયુષ્ય એક માસનું જ હવે બાકી છે એમ જણાવ્યું. રા ત્વરા તેર્થી ઘર્મ કરો, ખરી કહ્યું સર્વ એ કાજ રે, ખરી ભલે બીજા નિંદે છતાં, ખરી॰ ચહું હિત, મહારાજ રે.' ખરી અર્થ :— માટે હે મહામતિવાન મહારાજા! હવે ધર્મ આરાધવાની ત્વરા કરો. એ માટે જ આ સર્વ આપને કહ્યું છે. ભલે બીજા મારી નિંદા કરે પણ હું આપના હિતને ઇચ્છું છું. ૫૨નો કહે મહાબળ : “આપ તો, ખરી સાચા બંધુ સમાન રે; ખરી વિષય-મગ્ર હું તો હતો, ખરી મોઢે મત્ત અભાન રે. ખરી અર્થ = • હવે મહાબળ રાજા કહે : હે સ્વયંબદ્ધ! હૈ બુદ્ધિના સમુદ્ર ! મારા સાચા બંધુ તો આપ જ છો કે જે મારા હિતને અર્થે સદા વિદ્ઘલ છો. હું તો વિષયમાં મગ્ન હતો, મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત અભાન જેવો બની ગયો હતો. ।।૨૮।। આપે આજે જગાડિયો, ખરી આપે કર્યું સુકાર્ય રે, ખરી હવે કહો હું શું કરું? ખરી કર્યો ધર્મ છે. આર્ય રે? ખરી અર્થ :— આપે આજે મને તે મોહનિદ્રામાંથી જગાડ્યો. આપે તો ઘણું મોટું સત્કાર્ય કર્યું છે. હવે મને -- કર્યો કે કેવી રીતે ધર્મની આરાધના કરું ? કર્યો ધર્મ આસ્તિક આર્યોને આરાધવા યોગ્ય છે? તે હવે શીઘ્ર ો. રતા ઘર લાગ્યું, ક્રૃપ ખોદવો,' ખરી હવે જીવવું અલ્પ રે.' ખરી કહે મંત્રી : “હે! ભૂપતિ, ખરી॰ તજો ખેદ વિકલ્પ રે. ખરી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy