________________
૫ ૨૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- ઇન્દ્ર તૈયાર કરેલ સુદર્શના નામની પાલખીમાં બેસી પ્રભુ સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષ નીચે શિલા ઉપર પ્રભુ ઉચિત આસને વિરાજમાન થયા. /સા.
કુટિલ, ઘૂર્ત વિલાસ-વાસ ગણ, કેશ-લોચ તે કરતા રે,
તર્જી શણગાર, બની અણગાર તે મહાવ્રતો ઉચ્ચરતા રે. પરો૦ અર્થ – હવે પ્રભુ પાંચ ઇન્દ્રિયોના વિલાસને કુટિલ એટલે હઠીલા તથા ધૂર્ત એટલે ઠગરૂપ ગણી, માયાના કેશનો પંચ મુદ્ધિવડે લોચ કરે છે. વળી શરીરના સર્વ શણગારને તજી દઈ અણગાર એટલે મુનિ બની પંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરે છે. I૪.
મોહજાલ સમ પટ પરિત્યાગે નગ્નભાવ ઉપાસે રે,
કચ્છ-મહાકચ્છાદિ રાજા, નગ્ન બની રહે પાસે રે. પરો. અર્થ - પટ એટલે કપડાને મોહમાં ફસાવનાર જાલ સમાન માની પ્રભુ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે, તથા ભાવથી પણ નગ્ન એટલે અસંગ, અલિતદશાને ઘારણ કરે છે. કચ્છ મહાકચ્છ વિગેરે રાજાઓ પણ દીક્ષા લઈ નગ્ન બની પ્રભુની પાસે રહે છે. પાા
પ્રદક્ષિણા દઈ નમન કરી સૌ. સુર-નર પાછા જાતા રે.
મહામુનિ નિગ્રંથ બનીને ધ્યાન વિષે સ્થિર થાતા રે. પરો અર્થ :- પ્રભુને પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને સર્વ દેવો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને જાય છે. મહામુનિ એવા પ્રભુ ઋષભદેવ હવે નિગ્રંથ બની ધ્યાનમાં સ્થિર થાય છે. કા.
છ માસની મન-મર્યાદાથી નિરાહાર તપ સાથે રે,
ઊભા સ્વામી પ્રતિમા યોગે, આત્મહિત આરાધે રે. પરો અર્થ - પ્રભુ છ મહિનાની મનની મર્યાદા કરી નિરાહારપણે તપની સાધના કરે છે. જગતના સ્વામી પ્રતિમા સમાન મનવચનકાયાના યોગને સ્થિર કરી કાઉસગ્નધ્યાને ઊભા રહી પોતાના આત્માનું હિત કરવા આરાધના કરે છે. શા
બીજા રાજા સહી શકે ના, વિષય-વશ બૅખ-દુઃખો રે,
કહે: “પ્રભુ તો સહે, અહો હો! દુઃખો જાણે સુખો રે. પરો. અર્થ - બીજા દીક્ષા લીઘેલ રાજાઓ ઇન્દ્રિય-વિષયને વશ હોવાથી ભૂખના દુઃખો સહન કરી શકતા નથી. વળી કહે છે કે અહોહો! પ્રભુ તો દુઃખોને જ સુખો ગણી સહન કરે છે. તો
પગ ના થાકે વજકાય એ, શીત-તાપ ના લાગે રે,
બોલે, ચાલે, જુએ ન કાંઈ, સ્નાન, પાન સૌ ત્યાગે રે. પરો૦ અર્થ :- પ્રભુના પગ વજમય કાયા હોવાથી થાકતા નથી. તેમને ઠંડી કે તાપ લાગતો નથી. પ્રભુ બોલતા નથી, ચાલતા નથી કે કાંઈ જોતા પણ નથી. સ્નાન કે જળપાનનો પણ જેણે ત્યાગ કર્યો છે. શા
રાત-દિવસ નિદ્રા ના લેતા, નથી કોઈની આશા રે,
આવું તપ તો એ જ કરે રે! વનચર જુએ તમાસા રે.” પરો. અર્થ - પ્રભુ રાત્રે કે દિવસે નિદ્રા લેતા નથી. તેમને કોઈ પદાર્થની આશા નથી. આવું તપ તો એ