________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨ ૩
જ કરી શકે. વનમાં રહેનારા જંગલી પ્રાણીઓ પણ પ્રભુની અડોળ સ્થિરતાનો તમાસો જુએ છે. ૧૦ના
બઘા મળીને કરે વિચારો, શું કરવું ના સૂઝે રે,
પ્રભુને વનમાં મેંકી એકલા, જવું ન મનમાં ઇંચે રે. પરો. અર્થ :- બીજા બઘા રાજાઓ જેણે પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તે મળીને વિચારવા લાગ્યા કે હવે શું કરવું? તે કાંઈ સૂઝતું નથી. પ્રભુને એકલા વનમાં મૂકીને જવું એ પણ મનમાં રુચતું નથી. ||૧૧|
રોકી શકે ના હવે હાજતો, શું મુખ લઈ પુર જાવું રે,
ભરત-ભૂપતિ-ભય પણ લાગે, વને વૃક્ષ સમ વસવું રે. પરો. અર્થ - પોતાની ખાવાપીવાની હાજતોને પણ તેઓ રોકી શકતા નથી અને કયા મોઢે હવે નગરમાં જવું? ત્યાં જતા ભરત રાજાનો પણ ભય લાગે છે. હવે તો વનમાં જ વૃક્ષની જેમ વાસ કરવો યોગ્ય જણાય છે. ૧૨ા.
ભરત-પુત્ર મરીચિ આદિ તે, તાપસ-વશે ફરતા રે,
કિંદમૂલ ભક્ષણ કરી જીવે, વલ્કલ, જટાદિ ઘરતા રે. પરો. અર્થ :- ભરત રાજાના પુત્ર મરીચિ આદિ દીક્ષા મૂકી દઈ તાપસનો વેષ ધારણ કરી જંગલમાં ફરવા લાગ્યા. ત્યાં કંદમૂળ, ફળાદિકનો આહાર કરી, વલ્કલ એટલે ઝાડની છાલ કપડા તરીકે પહેરી, જટાદિ ઘારણ કરી ત્યાં જ જીવન વ્યતીત કરવા લાગ્યા. [૧૩
કચ્છ-મહાકચ્છ તણા તનુજો, નમિ-વિનમિ બે નામે રે.
વિનવે પ્રભુ પાસે જઈ પોતે, વદી ‘જય’ શબ્દ સકામે રે. પરો. અર્થ - કચ્છ મહાકચ્છ રાજાના નામવિનમિ નામના તનુજો એટલે પુત્રો પ્રભુ પાસે જઈ તેમનો જયકાર કરી તેમની પાસે સકામબુદ્ધિથી વિનયપૂર્વક કહેવા લાગ્યા. //૧૪ના
“દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આવ્યા રે,
રાજ્ય બઘાને દીઘાં આપે, અમને ના બોલાવ્યા રે. પરો. અર્થ - હે પ્રભુ! દૂર દેશમાં દૂત તરીકે અમને મોકલી આપે બઘાને રાજ્ય વગેરે આપ્યા; પણ અમને તો તે વખતે બોલાવ્યા નહીં. ૧પના
ગો-ખર માત્ર ન પૃથ્વી પામ્યા, શા દોષે વિસાર્યા રે?
બોલો પણ નહિ શાને આજે? “નાથ” અમે મન ઘાર્યા રે.” પરો અર્થ :- હે પ્રભુ! ગોખરી એટલે ગાયના પગલા પ્રમાણ પણ અમે પૃથ્વી પામ્યા નહીં. અમારો એવો શો દોષ થયો કે જેથી આપ અમને ભૂલી ગયા? આજે પણ શા માટે બોલતા નથી? હે નાથ! અમે તો એક માત્ર આપને જ મનમાં ધારણ કર્યા છે. આપ વિના અમારો બીજો કોઈ સ્વામી નથી. II૧૬ના
વારંવાર પગે પડી વિનવે : “આશ અમારી પૂરો રે,
આપ જ એક અમારા સ્વામી, દુઃખ અમારાં ચૂરો રે.” પરો અર્થ:- વારંવાર પ્રભુના પગમાં પડી વિનવવા લાગ્યા કે હે પ્રભુ! અમારી આશા પૂરી કરો. આપ જ એક અમારા સ્વામી હોવાથી અમારા દુઃખોને ચૂરી સુખી કરો. |૧ળા