SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જિન-પુણ્ય-પરીક્ષા જાણે કરતા, શ્રદ્ધા ઘારી સેવે રે. આસન કંપે નાગરાજનું, જાય્ અવધિથી દેવે રે : પરો. અર્થ :- જાણે જિનેશ્વર ભગવાનના પુણ્યની પરીક્ષા કરતા હોય તેમ શ્રદ્ધાપૂર્વક ભાવથી ત્યાં જ ફરી તેમની સેવા કરવા લાગ્યા. તેથી નાગકુમારના અધિપતિ નાગરાજ ઘરોંદ્રનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનના બળે આ બધી હકીકત જાણી લીધી. II૧૮ાા “દેશપતિ દે ગામ માગતાં, ક્ષેત્રપતિ મણ કણ દે રે, ઘરપતિ દે માગણને મૂઠી, ત્રિભુવનપતિ શું ના દે રે? પરો. અર્થ :- દેશપતિ માંગતાને ગામ આપે, ક્ષેત્રનો માલિક મણ અથવા કણ આપે, ઘરનો પતિ માગતાને મૂઠી પણ ખાવાનું આપે, તો ત્રણ લોકનો નાથ શું ન આપી શકે? ૧૯ો. કુમાર બે માગે છે તે તો, આ કિંકર પણ આપે રે,” એમ ગણી આવે પ્રભુ પાસે, શિર પ્રભુ-પદમાં સ્થાપે રે; પરો. અર્થ :- આ નમિવિનમિ કુમારો પ્રભુ પાસે જે માગે છે તે તો કિંકર એટલે પ્રભુનો દાસ એવો હું પણ આપી શકું. એમ માની નાગરાજ ઘરોંઢે પ્રભુ પાસે આવી પ્રથમ પ્રભુના ચરણમાં શિર નમાવીને વંદન કર્યું. રા . સ્તવન કરી, કહે કુમારને તે “હે!નમિ, વિનમિ ચાલો રે, પ્રથમ પ્રભુએ મને કહેલા બે દેશો સંભાળો રે.” પરો. અર્થ - પ્રભુના ગુણોનું સ્તવન કરી ઘરëદ્ર કુમારોને કહ્યું : હે નમિ વિનમિ! ચાલો હું તમને પ્રભુએ મને પ્રથમ કહેલા દેશો આપું છું, તેની સંભાળ કરો. ર૧ એમ કહી વિમાન વિષે તે લઈ બન્નેને ચાલ્યા રે, વિદ્યાઓ આપી, વિદ્યાઘર-ગિરિ-પ્રદેશો આલ્યા રે. પરો. અર્થ :- એમ કહી તે બન્નેને વિમાનમાં બેસાડી વૈતાઢય પર્વત ઉપર ચાલ્યા. ત્યાં ગૌરી, પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ આપી તથા વિદ્યાઘર પર્વતોના પ્રદેશો પણ આપ્યા. ૨૨ા. વસાર્વી નગરો ઉત્તર-દક્ષિણ શ્રેણી વિદ્યાથરની રે, દેવ-મદદથી પાળે, પોષે; સુર-સુખ દેતી ઘરણી રે. પરો. અર્થ - ત્યાં વૈતાઢય પર્વત ઉપરની ઉત્તર-દક્ષિણ શ્રેણીમાં નાગપતિ ઘરોંદ્રની મદદથી વિદ્યાધરોના નગરો વસાવ્યા તથા પોતે વિદ્યાઘરોના રાજા બની તેનું પાલન પોષણ કરવા લાગ્યા. ત્યાંની ભૂમિ દેવતાના સુખ સમાન થઈ પડી. નમિરાજાએ દક્ષિણ શ્રેણીમાં પચાસ નગરો તથા વિનમિએ ઉત્તર શ્રેણીમાં સાઠ નગરો વસાવ્યા. ર૩ા. ઉગ્ર તપે પ્રભુ ઊભા ઊભા, સહે પરીષહ ભારે રે; મન:પર્યય સંયમથી ઊપજે, ગર્વ ન તેથી લગારે રે. પરો. અર્થ - પ્રભુ તો ઉગ્ર તપ તપતા ઊભા ઊભા ભારે પરીષહોને સહન કરે છે. પ્રભુને સંયમ ઘારણ કરતા મન:પર્યયજ્ઞાન ઊપસ્યું. તેનો લગાર માત્ર પણ તેમને ગર્વ નથી. રજા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy