________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
४८७
તે જ નગરમાં મિત્ર છે જ, બીજા પાંચ, વિચાર :
સુબુદ્ધિ મંત્રી-પુત્ર છે જી, મહીઘર રાજકુમાર રે. ભવિજન અર્થ - તે જ નગરમાં જીવાનંદને બીજા પાંચ મિત્રો છે. એક સુબુદ્ધિ નામનો મંત્રીપુત્ર, બીજો મહીઘર નામે રાજાનો પુત્ર છે. ૧૬ાા
ગુણાકર સુત શેઠનો જી, પૂર્ણભદ્ર કુમાર
સાર્થવાહનો પુત્ર છે જી, છેલ્લો કેશવ ઘાર રે- ભવિજન અર્થ - ત્રીજો ગુણાકર નામે શેઠનો પુત્ર, ચોથો પૂર્ણભદ્ર નામે સાર્થવાહનો પુત્ર તથા પાંચમો કેશવ નામે શેઠ પુત્ર છે. ૧થા
સ્વયંપ્રભ-સુર-જીવ છે જી, ઈશ્વર-શેઠ-કુમાર;
સાથે સર્વે એકદા જી, બેસી કરે વિચાર રે. ભવિજન અર્થ :- કેશવ નામનો ઈશ્વર શેઠનો પુત્ર તે સ્વયંપ્રભ દેવનો જ જીવ છે. તે સર્વે એકદા સાથે બેસી ચર્ચા વાર્તા કરતા હતા. I/૧૮ના
મુનિ ભિક્ષાર્થે આવિયા જી, કૃમિ-કુષ્ટ-પીડિત,
મહીંથર જીવાનંદને જી કહે : વૈદ્ય શિક્ષિત રે, ભવિજન અર્થ - આ છએ મિત્રો બેઠા હતા ત્યારે કૃમિઓના કારણે કોઢરોગથી પીડિત એવા મુનિ મહાત્મા ભિક્ષાર્થે પધાર્યા. તે જોઈ રાજપુત્ર મહિઘરે વૈદ્યપુત્ર જીવાનંદને કહ્યું : તમે આ રોગોના ઉપચાર માટે શિક્ષિત વૈદ્ય છો. ૧૯
મુનિ આ ઉત્તમ પાત્ર છે જી, તમે દવાના જાણ,
વેશ્યા સમ પૈસા વિના જી, લહો ના ઓળખાણ રે.”ભવિજન અર્થ - મુનિ મહાત્મા દવા કરવા માટે ઉત્તમ પાત્ર છે અને તમે દવાના સારા જાણકાર છો. પણ વેશ્યાની જેમ પૈસા વિના દર્દીની ઓળખાણ પણ રાખતા નથી કે શું? લોકોમાં કહેવત છે કે “વકીલ, વૈદ્ય અને વેશ્યા, ત્રણેય રોકડીયા.” ત્યાં કંઈ ભાવતાલ થઈ શકે નહીં. તેમ તમે પણ પૈસા હોય તો જ દદીને જુઓ છો એમ તો નથી ને? ૨૦.
પ્રવીણ વૈદ્ય કહે : “તમે જી, મદદ કરો તો થાય,
લક્ષપાક આ ઔષથી જી, મુનિને યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રવીણ વૈદ્ય જીવાનંદ કહે: તમે મદદ કરો તો આ મુનિને સ્વસ્થ કરવાનું કાર્ય થાય. લક્ષપાક તેલ આ રોગની ઔષધિ છે. તે મુનિને માટે યોગ્ય છે. [૨૧]
ચંદન ઉત્તમ જોઈએ જી, રત્નકામળી સાર,
લાવી દ્યો તો આપણે જી, કરીએ મુનિ ઉપચાર રે.” ભવિજન અર્થ :- વળી ઉત્તમ ગોશીષચંદન જોઈએ તથા એક રત્નકંબલ જોઈએ. તે લાવી દ્યો તો આપણે આ મુનિના રોગનો ઉપચાર કરીએ. રિરા