SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૫૩ અન્ય પદાર્થોમાં ભટકતી વૃત્તિને કોઈ સુજ્ઞ પુરુષ જ પાછી વાળે છે. ૨૬ાા. રત્નત્રય-ઘારી તણી અનન્ય ભક્તિ વાળા રે, સેવા-સુશ્રુષા ચહી ઘરે ભાવ રૂપાળા રે. પ્રભુ અર્થ :- હવે ભાવઘર્મની વ્યાખ્યા ઉપદેશે છે. જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયને ઘારણ કરનાર જ્ઞાની ભગવંત પ્રત્યે અનન્ય એટલે અદ્વિતીય ભક્તિ ભાવવાળા છે તથા તેમની સેવા-શુશ્રુષા એટલે સેવાચાકરી ઇચ્છી અર્થાત તેમની આજ્ઞા ઉઠાવવાનો રૂપાળો ભાવ હૃદયમાં રાખનારા છે, તેવા ઉત્તમ જીવો ભાવઘર્મની આરાઘના કરે છે. રશા ભવ-સુખ જાણે દુઃખ તે, ભવ-મુક્તિ તે ભાવે રે, શુદ્ધ ભાવ જ્યાં ના ટકે સવિચાર ઉર લાવે રે. પ્રભુત્વ અર્થ :- જે સંસારના સુખને દુઃખરૂપ જાણે છે. જે આ સંસારથી મુક્ત થવાની ભાવના ભાવે છે. જ્યારે શુદ્ધભાવ આત્મામાં ટકે નહીં ત્યારે સ્વાધ્યાય દ્વારા સવિચારવડે શુભભાવમાં મનને રોકે છે. તે ભાવઘર્મ આરાધે છે. ર૮. ચાર ભેદમય ઘર્મ આ ભવના ફેરા ટાળે રે, સાવઘાન થઈ સાઘતાં સર્વ કર્મ-મળ બાળે રે.” પ્રભુ અર્થ :- આ ચાર પ્રકારનો દાન, શીલ, તપ અને ભાવરૂપ ઘર્મ, ચાર ગતિરૂપ સંસારના ફેરાને ટાળનાર છે. જો સાવધાનીપૂર્વક એટલે ઉપયોગસહિત આ ચતુર્વિઘ ઘર્મનું આરાઘન કરવામાં આવે તો સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય. કેમ કે ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગ એ જ ઘર્મ છે, ક્રિયા એ કર્મ છે અને પરિણામે બંઘ કહ્યો છે. રા. ઘનશેઠે હર્ષે કહ્યું: ઘર્મ ન સુણ્યો આવો રે, વ્યર્થ જીવન વહી ગયું, શ્રવણે આજે આવ્યો રે.” પ્રભુ અર્થ – ઘનશેઠ સાર્થવાહે હર્ષપૂર્વક કહ્યું : ઘર્મનું આવું સ્વરૂપ મેં ક્યારેય સાંભળ્યું નથી. મારું બધું જીવન વ્યર્થ વહી ગયું. આજે ઘણા કાળે આવો ઉત્તમ ઘર્મ મારા સાંભળવામાં આવ્યો. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળમાં વંદન કરી પોતાના આત્માને ઘન્ય માનતો તે પોતાના નિવાસ સ્થાને ગયો. //૩૦ શરતુ આવી હવે, પંથે પંક સુકાતા રે, મહા અટવી તે ઊતર્યા, મુનિ અન્યત્ર જાતા રે. પ્રભુ અર્થ :- હવે ચોમાસું પૂરું થયું અને શરદ એટલે શિયાળાની ઋતુ આવવાથી માર્ગમાં પંક એટલે કીચડ સુકાઈ ગયા. તેથી હવે બઘા મહા અટવી ઊતરી ગયા. ત્યાંથી ઘર્મઘોષ આચાર્ય સાર્થપતિની અનુમતિ લઈ અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. ૩૧ાા વસંતપુર જઈ શેઠ તો વેચે માલ ખરીદે રે; દ્રવ્ય વઘે વ્યાપારથી ઘનિક-ઘન-મન રીઝે રે. પ્રભુત્વ અર્થ :- શેઠ પણ વસંતપુર પહોંચ્યા. ત્યાં જઈ માલ વેચી, નવો માલ ખરીદ્યો. વ્યાપાર કરવાથી દ્રવ્ય વધે છે. તે જોઈ ઘનિક એવા ઘનશેઠનું મન રાજી થયું. [૩રા SI
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy