SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ = અર્થ :- હવે ઉપરોક્ત પાંચેય પ્રકારની સ્પષ્ટતા કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેળવેલ વસ્તુ તે ઉત્તમ દેય ગણાય છે. મુનિને આહારનું દાન બેંતાળીસ દોષથી રક્ષિત આપનાર દાતા સુબુદ્ધિવાન છે. તે દાન આપી હર્ષથી પોતાની કૃતાર્થતા માનશે. ધનાભદ્રના ત્રણ ભાઈઓ પૂર્વભવમાં મુનિને દાન આપી પછી ભૂખ્યા રહેવાથી ખેદ કર્યો, તેથી બીજા ભવમાં જે મળે તે પાસે રહે નહીં પણ વેડફાઈ જાય. માટે દાન આપી હર્ષ પામવો પણ ખેદ કરવો નહીં. ।।૨૧।। ૪૫૨ જ્ઞાની ત્યાર્ગી સુપાત્ર છે જિતેન્દ્રિય સમદ્રષ્ટા રે, ગોચરી કાળ સુકાળ જો, સુભાવ નિઃસ્પૃહ શ્રદ્ધા રે. પ્રભુ અર્થ :– આત્મજ્ઞાન સહિત જ્ઞાનીપુરુષો સાચા અંતર્યામી હોવાધી દાન આપવાને સુપાત્ર અથવા ઉત્તમ ગ્રાહક છે; જે જિતેન્દ્રિય છે અને માન અપમાનાદિમાં સમાન વૃષ્ટિવાળા છે. ગોચરી કાળ તે સુકાળ છે, તે સમયે દાન આપે. અને શ્રદ્ઘાસહિત પૂજ્યબુદ્ધિથી નિસ્પૃહભાવે દાન આપે તે ભાવશુદ્ધિપૂર્વકનું દાન છે. આવાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુમેળ મળે તો જીવનું કામ થઈ જાય. ।।૨૨।। વ્રતરૂપ શીલના ભેદ બે ઃ મુનિ, ગૃહી ઉપાસે રે, સમકિત સહ વ્રત બાર તો પાળે જન ગૃહવાસે રે. પ્રભુ અર્થ :– હવે શીલધર્મની વ્યાખ્યા કરે છે. પાપમય મનવચનકાયાના યોગનું પ્રત્યાખ્યાન કરવું તે = શીલ એટલે સદાચાર કહેવાય છે. તે શીલના વ્રતરૂપે બે ભેદ છે. એક સર્વ વિરતિરૂપે પળાતો મુનિશ્ચર્ય અને બીજો ગૃહી એટલે ગૃહસ્થો દ્વારા દેશવિરતિરૂપે પળાતો શ્રાવકધર્મ. સમકિત સહિત જે પાંચ અણુવ્રત, ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રતને ઘરમાં રહેતા છતાં પાળે તે શ્રાવકધર્મ છે. ।૨૩।। આત્મજ્ઞાની મહાવ્રતી સર્વ-વિરતિ આરાધે રે, શિવ-મંદિરની શ્રેણીએ આત્મ-સિદ્ધિ તે સાથે રે, પ્રભુ અર્થ :— જે આત્મજ્ઞાન સહિત પંચ મહાવ્રતને સર્વવિરતિ એટલે સર્વ સંગ પરિત્યાગ કરીને આરાઘે તે મુનિધર્મ છે. તેવા જીવો મોક્ષરૂપી મહેલની સીડીએ ચઢતાં ચઢતાં શ્રેણી માંડીને સંપૂર્ણ આત્મસિદ્ધિને પામે છે. ।।૨૪।। તપ ઇચ્છા-નિરોથ છે, કર્મ-મેલ તે ગાળે રે, બાહ્યાવંતર ભેદ બે આત્માર્થી જન ભાગે રે; પ્રભુ અર્થ :– હવે તપધર્મનું સ્વરૂપ સમજાવે છે. ઇચ્છા નિરોધસ્તપઃ' મનમાં ઊઠતી અનેક પ્રકારની ઇચ્છાઓને રોકવી તેનું નામ તપ છે. ‘‘તપઃ નિર્જરા ચ’’ તપ નિર્જરા માટે હોવાથી તે કર્મમેલને ગાળે છે. તપના છ બાહ્ય ભેદ તે અનશન, ઊોઠરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા છે અને છ અત્યંતર ભેદ તે પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, ધ્યાન અને કાર્યોત્સર્ગ છે. જે આત્માર્થી હોય તે આ વાતને લક્ષમાં લે છે. IIરપા ઉપવાસાદિ બાહ્ય તો દેખાદેખી ય પાળે રે, સ્વાધ્યાયાદિ અન્યથી સુજ્ઞ જ વૃત્તિ વાળે રે. પ્રભુ અર્થ :— ઉપવાસાદિ બાહ્ય તપ દેખાદેખી લોકો પણ પાળે છે, પણ સ્વાધ્યાયાદિ અંતરંગ તપવર્ડ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy