________________
૪૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય.” (વ.પૃ.૬૭૬) //રા
બે ભેદે તે જાણવું: એક તો સત્ય વ્યવહારે રે,
બીજું સત્ય પરમાર્થથી; આત્માર્થી તે અવઘારે રે. સદ્ગુરુના અર્થ – સત્યના મુખ્ય બે ભેદ છે. એક વ્યવહાર સત્ય અને બીજું પરમાર્થ સત્ય. આત્માર્થી એ સત્યને અવઘારવા પ્રયત્ન કરે છે. “વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય.” ” (વ.પૃ.૬૭૫) //alી.
પારમાર્થિક હવે કહ્યું, જ્ઞાનીનાં વચન વિચારી રે,
આત્માની આત્મા વિના કોઈ વસ્તુ ન થનારી રે. સગુરુના અર્થ :- હવે જ્ઞાનીપુરુષના વચન વિચારીને પારમાર્થિક સત્ય વિષે કહું છું. આપણા આત્માની એક આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ થનાર નથી.
““પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઘન, ઘાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજાં કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ.” (વ.પૃ.૬૭૫) //૪
નિશ્ચય એવું જાણી જ, ભાષા બોલે વ્યવહાર રે,
સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે અન્યત્વ નિરંતર ઘારે રે. સદગુરુના અર્થ - આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એવો અંતરમાં દ્રઢ નિશ્ચય રાખી, વ્યવહારમાં સ્ત્રી, પુત્ર, દેહાદિ વિષે બોલતા છતાં મનમાં તે મારા નથી એવો અન્યત્વભાવ નિરંતર રહે તે પરમાર્થ સત્ય ભાષા છે. પા.
બીજાં કશું આત્મા વિના મારું નથી વિશ્વમાંહી રે
એ ઉપયોગ રહે સદા બોલ્યા પહેલાં કાંઈ રે. સદ્ગુરુના અર્થ - એક આત્મા સિવાય આ વિશ્વમાં મારું કશું નથી. એ ઉપયોગ પારમાર્થિક ભાષા બોલનારને સદા રહે છે. કા
અન્ય સંબંથી બોલતાં, અન્યનો જીવ ન કાયા રે,
જાતિ, વેષ, આભૂષણો દેખે, લેખે માયા રે. સગુરુના અર્થ - અન્ય આત્મા સંબંધી બોલતાં પણ વિચાર આવે કે બીજાનો જીવ છે તે શરીર નથી. બ્રાહ્મણ, વૈશ્ય, જાતિ તે આત્માની નથી. સ્ત્રીવેષ, પુરુષવેષ કે આભૂષણો એ બઘી પુગલની માયા છે. કર્મ સંયોગે આ દેહાદિ આત્માને ગ્રહણ કરવા પડ્યા છે.
“અન્ય આત્માના સંબંથી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેટવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે.” (વ.પૃ.૬૭૫) //ળી
વ્યવહારનયથી તે વિષે ઉપચારે વર્ણન થાયે રે, એવા ઉપયોગ વધે, પરમાર્થે સત્ય ગણાયે રે. સદ્દગુરુના