SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૭ પુરી અયોધ્યા રે ચાલો હવે તમે, કરી રાજ્યાભિષેક, શિરે તમારે રે મુકુટ મૅકીશ હું, લઈશ પછી સાઘુભેખ. જાગો અર્થ :- તમે હવે અયોધ્યા નગરીએ ચાલો. તમારો રાજ્યાભિષેક કરી તમારે શિરે હું મુકુટ મૂકીશ પછી હું મુનિપણું અંગીકાર કરીશ. II૪૮ાા સૌ ઇંદિયો રે વશ કરી વિચરું, તજી પાપ-પુણ્ય-બંઘ, પ્રાણ સમર્પ રે યોગવિદ્યાનમાં, સદાય રહું નિબંધ. જાગો. અર્થ :- મુનિપણામાં પાપ-પુણ્યના બંઘને તજી સર્વ ઇન્દ્રિયોને વશ કરી વિચરીશ. તથા મારા દશેય પ્રાણને મોક્ષની સાથે જોડે એવા યોગના વિઘિવિઘાનમાં સમર્પી હું સદાય નિબંઘ રહીશ. I૪૯ા “મોકલી વનમાં રે ભરત સૌ ભાઈને, રાજ્ય કરે નિષ્ફર', એ અપવાદે રે રહેવું ના ગમે, કહ્યું માનો હે! શુર.” જાગો અર્થ :- સર્વ ભાઈઓને વનમાં મોકલી નિષ્ફર એટલે નિર્દયી કઠોર હૃદયવાળો એવો ભરત આ રાજ્ય કરે છે, એવા લોકાપવાદે મને અહીં રહેવું ગમે નહીં. માટે હે! શુરવીર એવા બાહુબલિ મેં આ વાત કહી તેને તમે માન્ય કરો. I/૫૦ના તે સાંભળતાં રે બાહુબલિ વડેઃ “બાળલીલા છે કે યાદ? ઉછાળી હું રે ઝીલતો આપને, ઘરો ન કાંઈ વિષાદ, જાગો અર્થ – આ સાંભળીને બાહુબલિ કહે : બાળલીલા યાદ છે? હું આપને ઉછાળીને ઝીલતો હતો. તો એમાં કાંઈ વિષાદ એટલે ખેદ કરો નહીં. ૫૧ાા મારી તમારી રે વચ્ચે ન હારજીત, સઘળુંય માનો ફોક; બાળક-બુદ્ધિ રે મારી વિસારી દ્યો, પૂજે તમને ત્રિલોક. જાગો અર્થ - મારી તમારી વચ્ચે કોઈ હારજીત નથી. માટે સઘળુંય ફોક માનો. મારી આ બાળકબુદ્ધિને વિસારી દ્યો કેમકે તમને ત્રણેય લોક પૂજે છે. ચક્રવર્તી હોવાથી દેવો પણ તમારી સેવામાં હાજર છે. Ifપરા જેણે દીધું રે તેને જ આપવું રાજ્ય, જો ભાસે દોષ; વિષ સમ લાગે રે ભોગો મને બઘા, આપ ઉપર ના રોષ.” જાગો. અર્થ – જો તમને રાજ્ય દોષરૂપ ભાસે તો તમને જેણે રાજ્ય આપ્યું તેમને જ પાછું આપવું અથવા તે કહે તેમ કરવું. મને તો આ બઘા ભોગો હવે ઝેર સમાન લાગે છે. આપ ઉપર કોઈ પ્રકારનો મને હવે રોષ અર્થાતુ ગુસ્સો નથી. પા. ભરતેશ્વરને રે સમજાવ મંત્રીઓ, અયોધ્યા તેડી જાય, વનમાં ચાલ્યા રે બાહુબલિ હવે, કેવળી બનવા ચહાય. જાગો અર્થ - ભરતેશ્વરને મંત્રીઓ સમજાવી અયોધ્યા તેડી ગયા. તથા બાહુબલિ હવે વનમાં કેવળી બનવાની ઇચ્છા રાખી ચાલ્યા. /પ૪ના કેલાસે તે રે પથ્થર સમા ઊભા. કાયોત્સર્ગ અકંપ. ઠંડી, વર્ષા રે તડકો સદા સહે, તપ તપતા તે મહંત. જાગો
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy