________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૬૭
શંકા-શલ્ય નિવારવા, ખરી વાત કરાવું યાદ રે, ખરી.
નંદનવનમાં દેખિયા ખરી. દેવ વિના વિવાદ રે, ખરી. અર્થ :- શંકારૂપી શલ્ય એટલે કાંટાને દૂર કરવા માટે હું આપને એક વીતેલી વાત યાદ કરાવું છું. એક વાર આપણે બાલ્યાવસ્થામાં નંદનવનમાં ગયા હતા. ત્યાં એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. એ વિવાદ વગરની સત્ય હકીકત છે. રા.
દેવે વાત કરી હતી : ખરી. “અતિબળ-ઑવ હું દેવ રે, ખરી.
પિતામહ તારો હતો, ખરી. ફળ દીઠું સ્વયમેવ રે. ખરી અર્થ :- વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું કે હું અતિબળ નામે તારો પિતામહ એટલે દાદા હતો. હવે હું દેવ થયેલો છું. મેં સ્વયં આ સંસારના કડવા ફળ જોયેલા છે. સા.
પેઠે નઠારા મિત્રની, ખરી, તજ્યા હતા. મેં ભોગ રે, ખરી.
ગ્રહી દીક્ષા બહુ ભાવથી, ખરી. વિષય-સુખો ગણી રોગ રે. ખરી અર્થ :- રાજ્ય અવસ્થામાં આ ભોગોને નઠારા મિત્રોની પેઠે તૃણ સમાન જાણી તજી દઈ, બહુ ભાવથી મેં દીક્ષા ગ્રહણ કરી હતી. પછી પાંચ ઇન્દ્રિયના વિષય સુખોને હું રોગ સમાન જાણતો હતો. I/૪
વ્રત-મંદિરના કળશ સમ, ખરી. કરી મરણ સંન્યાસ રે, ખરી.
ઘર્મ-પ્રભાવે પામિયો, ખરીલાંતવ-દેવ-વિલાસ રે. ખરી અર્થ:- અંત સમયે વ્રતરૂપી મંદિર ઉપર કળશ ચઢાવા સમાન સંન્યાસ મરણ એટલે સમાધિમરણ કરવાથી ઘર્મના પ્રભાવે હવે હું છઠ્ઠી લાંતવ નામના દેવલોકનો અધિપતિ થઈ તેના વિલાસને પામ્યો છું. /પાના
તમે હજી સંસારનું-ખરી. નથી સમજતા રૂપ રે- ખરી.
છતાં પ્રમાદી ના રહો, ખરી. ભવ માનો દુઃખ ફૂપ રે.' ખરી અર્થ - તમે હજી આ સંસારના વિષમ સ્વરૂપને સમજતા નથી. છતાં આ અસાર સંસારને દુઃખના કૂવા સમાન જાણી કદી પ્રમાદી રહેશો નહીં. કા
અંતર્ધાન પછી થયા-ખરી. ઘનમાં વિજળી જેમ રે. ખરી
સ્મરણ પિતામહનું કરી, ખરી પરભવ માનો એમ રે.” ખરી અર્થ :- ઉપર પ્રમાણે વાત કરી, તે દેવ આકાશમાં જેમ વીજળી અંતર્ધાન થઈ જાય તેમ અલોપ થઈ ગયા હતા. માટે મહારાજ ! આપના પિતામહનું વચન સ્મરણ કરીને “પરલોક છે' એમ માનો. જ્યાં દેવલોક છે એવું પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ થયું ત્યાં શંકાને સ્થાન રહેતું નથી. શા
કહે નૃપતિ : “સારું કર્યું, ખરીપ્રસંગ આવ્યો યાદ રે. ખરી
ઘર્મ-અધર્મ-ફળો મળે- ખરી, પરભવે નિર્વિવાદ રે.” ખરી, અર્થ :- હવે રાજા કહે : તમે મને સારું કહ્યું. મને પણ તે પ્રસંગ યાદ આવી ગયો. ઘર્મ અઘર્મના પરભવમાં ફળ મળે છે એ વાત નિર્વિવાદ સમજાઈ ગઈ. હવે હું પરલોકને માન્ય કરું છું. દા
સ્વયંબુદ્ધ ફરથી કહે - ખરી “પૂર્વજ નૃપ કુરુચંદ્ર રે-ખરી નિર્દય પાપી તે હતો-ખરી થયો સુત હરિશ્ચંદ્ર રે. ખરી