________________
૪૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જેમ ચંદ્ર વિનાની રાત્રિ, મંત્રીની મદદ વિનાનો રાજા શોભતો નથી, તેમ સમકિત વિનાનો સાથે અને શસ્ત્રવગરના સાજા એટલે સ્વસ્થ સૈનિક પણ શોભાને પામતા નથી. પપાા
હાથી દંકૂશળ વિના, આંખ વિના મુખમુદ્રા રે,
ઘર્મ વિના તેવી રીતે, શોભા જાણે શુદ્રા રે. પ્રભુ અર્થ :- જેમ દંકૂશળ એટલે દાંત વિનાનો હાથી કે નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ ઘર્મ વિનાનો પુરુષ શોભતો નથી. ઘર્મ વિનાનું જીવન પશુ જેવું છે. તે નર નથી પણ વાનર છે. થર્મ વિનાની શોભાને શૂદ્રા એટલે શૂદ્ર સ્ત્રીની શોભા સમાન જાણો. પકા
ઉચ્ચ કુળ જે પામીને, ઘર્મ તજે ઘન-પ્રેમે રે,
શ્વાન બની બીજા ભવે, પામે એંઠ ન કેમે રે. પ્રભુ અર્થ :- જે ઉચ્ચકુળમાં જન્મ પામી ઘનનો જ માત્ર પ્રેમી બની, ઘર્મને તજી દે, તે જીવ બીજા ભવમાં શ્વાન એટલે કુતરાનો અવતાર પામી પેટ ભરવા માટે એંઠવાડાને પણ પામવો તેના માટે અઘરો થઈ પડે છે. ઘર્મરહિત ભવ્ય પ્રાણીઓ પણ બિલાડા, સર્પ, સિંહ, બાજ, ગીઘ જેવી નીચ યોનિમાં ઘણા ભવ સુઘી ભટકી ત્યાંથી નરકે જાય છે. માટે તેવા અથર્મીઓને ધિક્કાર છે. પશા
ઘર્મ બંધુ સમ જાણવો, બન્ને લોક સુઘારે રે;
નાવ સમાન સુઘર્મ છે; ભવ-દુઃખોથી તારે રે. પ્રભુ અર્થ :- ઘર્મથી પરમ બંધુ સમાન સુખ મળે છે. તે આલોક પરલોક બન્ને સુધારે છે. વિનય, વિવેક, સદાચાર શીખવી તે સઘર્મ, નાવ સમાન બની જીવોને સંસારના દુઃખોથી તારે છે.
અગ્નિને જળ બૂઝવે, તેમ ઘર્મ દુઃખ ટાળે રે,
ઘર્મનિસરણીએ ચઢી, મોક્ષ-સુંખ જીંવ ભાળે રે. પ્રભુ અર્થ – જેમ જળ અગ્નિને બૂઝવે છે, તેમ આધિ, વ્યાધિ, ઉપાથિ વગેરે જે દુઃખના હેતુઓ છે તેને ઘર્મ ટાળે છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલો ઘર્મ જીવને અન્ય જન્મમાં કલ્યાણના સાધનને આપે છે. એમ ઘર્મરૂપી નિસરણીએ ચઢી, ભવ્ય પ્રાણીઓ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. //પલા.
વિદ્યાઘર-નૃપતિ થયા, પૂર્વે ઘર્મ ઘરીને રે,
તો આ ભવમાં ના ચૂકો, કહું છું હિત સ્મરીને રે.” પ્રભુ અર્થ - હે સ્વામિન્ ! વઘારે શું કહ્યું? આપ પણ પૂર્વે ઘર્મ ઘારણ કરીને આ ભવમાં વિદ્યાઘરોના પતિ રાજા થયા છો. આપ સુજ્ઞ છો. માટે આ ભવમાં પણ હવે વિષયાસક્તિનો મોહ તજી ઘર્મ આરાઘન કરવાનું ચૂકો નહીં. હું આપના હિતનું સ્મરણ કરીને આ વાત કહું છું; માટે આપ પ્રસન્ન થઈ ઉત્કૃષ્ટ લાભને અર્થે ઘર્મનો આશ્રય કરો. ઉવા
સ્વયંબુદ્ધ મંત્રી પછી, સંમિતિ ય બોલે રે ?
મંત્રી-મુખ્ય તમે ખરા, કોઈ નહિ તમ તોલે રે; પ્રભુત્વ અર્થ :- સ્વયંબુદ્ધ મંત્રી બોલી રહ્યા પછી હવે મિથ્યાત્વરૂપ અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળો સંભિન્નમતિ મંત્રી બોલ્યો : અરે સ્વયંબુદ્ધ! તમે મુખ્યમંત્રી ખરા, તમારી તુલનામાં કોઈ