________________
૫૩૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
પરમાનંદ સતત શાશ્વતો, રવિ સમ કેવળજ્ઞાની રે, સિદ્ધિમાં સિદ્ધો બિરાજે, તહીં મણા છે શાની રે?૫૨ો વ
અર્થ :— મોક્ષમાં નિરંતર શાશ્વતો પરમાનંદ છે. સૂર્ય સમાન કેવળજ્ઞાની જગતના પ્રકાશક છે. સિદ્ધિ એટલે મોક્ષમાં સર્વ સિદ્ધ ભગવંતો બિરાજે છે. તેમના સુખમાં કોઈ મણા નથી. ।।૯૫।। મોક્ષમાર્ગ શ્રદ્ધાથી પ્રગટે સમ્યગ્દર્શન નામે રે,
આત્મિક સુખ જીવ અનુભવે ત્યાં, જ્ઞાન સત્ય ત્યાં પામે રે, ૫૨ો વ
અર્થ :- ‘સચવર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' એ મોક્ષમાર્ગ સદેવગુરુધર્મના કહ્યા પ્રમાણે જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવાથી પ્રગટે છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. તે વડે જીવ આત્માના સુખને અનુભવે છે. તેથી તેનું જ્ઞાન પણ સમ્યક્ષજ્ઞાને પામે છે. કા
સત્પ્રદ્ધાનાં પાંચ લક્ષણો લહે ભવ્ય નરનારી રે -
-
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, "અનુકંપા દે તારી રે, પો॰ વ
=
અર્થ :- સશ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન પામવાના આ પાંચ લક્ષણો છે. તેને ભવ્ય એવા નરનારીઓ મેળવે છે. તે શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા નામે છે. એ લક્ષણો જીવને સંસાર સમુદ્રથી તારનાર છે. એનું સંક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે. ।।૭।
અનંતાનુબંધી ક્રોધાદિક શમતાં 'શમ ગુણ આવે રે,
ઘણા ōવો ત૨તા તે માર્ગે દ્વેષાદિ ના લાવે રે. પરો વ૦
અર્થ :- અનંતાનુબંઘી ક્રોધાદિ કષાયનું શમન થતાં શમગુણ આવે છે. એ કષાયના શમનવડે ઘણા જીવો તરે છે. પછી કોઈ પ્રત્યે દ્વેષાદિ ભાવ લાવતા નથી. ।।૮।
માત્ર મોક્ષ-અભિલાષા પોષે, તે 'સંવેી વખાણો રે, પરિભ્રમણથી થાક્યો ત્યારે, નિર્વેદે જૈવ જાણો રે. ૫૨ો વ
અર્થ ઃ— જે માત્ર મોક્ષ અભિલાષને પોષે છે, તેને સંવેગી જીવો જાણો. ચાર ગતિમાં પરિભ્રમણ
:
કરતા થાક્યો હોય ત્યારે હે જીવ ઘણી થઈ, હવે થોભ, એમ પોતાના આત્માને કહેવું તે નિર્વેદ અથવા ભવે ખેદ છે. ।।૯૯લ્લા
પરમ નિઃસ્પૃહ જનનાં વચને તલ્લીનતા તે આસ્થા રે;
ભવ-દુઃખે ડૂંબતા જીવોની કરુણા-પાત્ર અવસ્થા – પરો વ
અર્થ :— પરમ નિઃસ્પૃહ પુરુષના વચનમાં તલ્લીનતા તે 'આસ્થા'. સંસારમાં ડૂબતા જીવોની કરુણા પાત્ર અવસ્થા દેખી દયા આવવી તે અનુકંપા છે. ।।૧૦૦૦
દેખી, ઉપાય શોધી આઠરે, અનુકંપા તે જાણો રે,
સ્વ-૫૨ દયા દિલમાં રાખે તે તારે, તરી પ્રમાણો રે. ૫૨ો વ
અર્થ :– જીવોની ઉપરોક્ત દશા દેખી, તેના ઉપાય શોધી તેનું દુઃખ દૂર કરે તે અનુકંપા જાણવી. સ્વઆત્માની કે પર આત્માની દયા દિલમાં રાખે તે પોતે તરે અને બીજાને પણ તારી શકે છે. ૧૦૧।।