________________
૫ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જીવનો ગુણ અરૂપી છે. છતાં કર્મને લઈને જીવ કામણશરીર, તેજસશરીર, આહારકશરીર, વૈદૈયિક શરીર અને ઔદારિકશરીરને ઘારણ કરે છે. તપ, જ્ઞાન, ધ્યાનના બળે સર્વ કર્મબંધને ટાળી પુરુષાર્થી જીવ પોતાના શાશ્વત હિતરૂપ મોક્ષતત્ત્વની સિદ્ધિને પામે છે. II૬પા
(૯) સંવરભાવના સંવર જે ના સાઘતા જી, સહે ચાર ગતિ-દુઃખ;
કર્મ આવતાં રોકશે જ, તે લેશે શિવ-સ્ખ. જીંવ, જોને અર્થ - સંવર એટલે કર્મ આવવાના કારણોને રોકવા તે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ આવવાના કારણો છે. તે રોકી જે સંવરતત્વને સાથતા નથી તે પ્રાણી ચાર ગતિના ભયંકર દુઃખોને ભોગવે છે અને જે આવતા કર્મને સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રના બળે રોકશે તે ભવ્યાત્મા મોક્ષસુખને પામશે. ૬૬ાા.
સુ-ધ્યાને મન રોકવું જી, તજી સ્પર્શ-વિલાસ,
જમીન પર સૂવું ભલું જી, ગોચરી-વૃત્તિ ખાસ. જીંવ, જોને અર્થ - હમેશાં મનને ઘર્મધ્યાનમાં રોકવું. કોમળ સ્પર્શના વિલાસને તજી દઈ, જમીન ઉપર સુવું આત્મા માટે ભલું છે. તથા મુનિઓને સ્વાદ તજી ઘણા ઘરથી થોડો થોડો આહાર લઈ ગોચરીવૃત્તિથી શરીર નિર્વાહ કરવાની ભગવાનની આજ્ઞા છે. કશા
સુંદર-કર્કશ શબ્દમાં જી, રાગ-રોષનો ત્યાગ,
સુગંધ-દુર્ગથે સદા જી, સમતા-સેવન-રાગ. છંવ, જોને અર્થ - કર્ણ દ્વારા સંભળાતા સુંદર કે કઠોર શબ્દમાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો. સુગંઘ દુર્ગઘમાં પણ સદા સમતા રાખવાથી નવીન કર્મનો સંવર થાય છે. ૬૮.
વિકાર રૂપ-વિરૂપથી જી, મનમાં કદી ન થાય,
ચિત્ત-વચન-કાયા તણી જી, દુરિચ્છા રોકાય. જીંવ, જોને અર્થ - રૂપ કે કુરૂપ જોઈ મનમાં કદી વિકાર ન થાય અને મનવચનકાયાથી થતી ખરાબ ઇચ્છાઓ જો રોકાઈ જાય તો નવા કર્મો ન બંઘાતા તેનો સંવર થાય છે. ૬૦ાા
બાળે ક્રોઘ ક્ષમા ઘરી જી, વિનયે વાળે માન,
માયા મૂકે ઋજુ બની જી, લોભ તજે દઈ દાન. જીંવ, જોને. અર્થ :- ક્ષમા ઘારણ કરીને ક્રોથને બાળે, વિનયગુણવડે માન કષાયને પાછો વાળે, સરળતા ગુણ ઘારણ કરીને માયાને મૂકે તથા દાન આપી લોભ કષાયને તજે તો નવા આવતાં કર્મો રોકાય છે. //૭૦ાા
સર્વસંગના ત્યાગથી જી, જિનગુણ-ચિંતન-યુક્ત
ઘોર તપે દહીં કામને જી, બને કષાયથી મુક્ત. જીંવ, જોને. અર્થ :- સર્વસંગને મહાઆમ્રવના કારણ જાણી તેને તજી જિનગુણના ચિંતનમાં રક્ત રહે તથા ઘોર તપો તપી કામને બાળી નાખે. તેમજ સર્વ ક્રોધાદિ કષાયભાવોથી મુક્ત થાય તો આવતાં કમ રોકાઈ જઈ સંવર તત્ત્વની ઉપાસના થાય છે. II૭૧||