SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ચક્રી ચિંતે રે ચક્ર-ઉપાયને, આવી ઊભું જ પાસ, ભાઈ ઉપર તે રે! ફેંકે, છતાં ફર્યું પાછું, જાણે ઉદાસ. જાગો અર્થ :— ચક્રવર્તીએ હવે જીતવાનો ઉપાય આ ચક્ર છે. તે પાસે જ આવી ઊભેલું છે એમ ચિંતવી ભાઈ ઉપર ફેંક્યું છતાં જાણે ઉદાસ થઈ તે કાર્ય કર્યા વગર જ પાછુ ફર્યું. ॥૩૫॥ કુટુંબીને રે તે ના હણી શકે; બાહુબલિ આણે ક્રોઘ, ‘ન્યાય તજી તે ૨ે ચહે શિર છેઠવા, તો હું હણું અવિરોથ.’ જાગો॰ અર્થ :— એ ચક્ર કુટુંબીને હણી શકે નહીં, પણ બાહુબલિને આ જોઈ ક્રોધ આવ્યો કે ન્યાયમાર્ગને તજી અન્યાયમાર્ગે આ મારું શિર છેદ કરવા ઇચ્છે તો હું પણ અવિરોધપણે એને હવે હણી શકું. ૩૬ એમ વિચારી રે મુષ્ટિ ઉગામીને ભરત ભણી દોડી જાય, યમદૂત જેવો રે અતિ વિકરાળ તે, અહો ! વર્ષો થંભી જાય. જાગો ૫૪૫ અર્થ :– એમ વિચારી બાહુબલિ ભયંકર મુઠ્ઠી ઉગામીને ભરત ચક્રી તરફ દોડ્યા. તે વખતનો દેખાવ યમરાજ જેવો અતિ વિકરાળ હતો. પણ થોડી જ વારમાં અહો ! તે થંભી ગયા. ।।૩ના જ દાવાનલથી રે અર્થ વિદગ્ધ શું વિરૂપ વૃક્ષ-અનુમાન, નિર્બળ દેખે રે ભરત-મુખ મ્યાન તે, હિમ-હત કમળ સમાન. જાગો અર્થ :બાહુબલિએ ભરતને દાવાનલથી અર્થ વિદગ્ધ એટલે અડધા બળીને ભસ્મ થયેલા કદરૂપા વૃક્ષ સમાન નિર્બળ જોયા તથા તેમનું મુખ હિંમત કમળ એટલે ઘણો વખત ઠાર પડવાથી જેમ કમળ હણાઈ ગયું હોય તેમ જોયું. તેથી બાહુબલિના વિચારો ફરી ગયા. ।।૩૮।। ચિત્તે ચિંતે રે બાહુબલિ હવે: “હું લધુ ભ્રાતા તોય, ભૂમિ માટે રે ભાઈ હરાવિયા, મુજ સમ અધમ ન કોય. જાગો અર્થ :— હવે મનમાં બાહુબલિ એમ ચિંતવવા લાગ્યા કે હું નાનો ભાઈ હોવા છતાં તુચ્છ પૃથ્વી મેળવવા માટે મોટા ભાઈને હરાવી દીધા એમ લોકવાયકા થશે. મારા જેવો આ જગતમાં કોઈ અઘમ નથી. ।।૩લ્લા મુજબલ મારું રે આ નહિ કામનું, રાજ્ય મને હો ત્યાજ્ય, કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી? ભૃશ સમ સૌ સામ્રાજ્ય, જાગો અર્થ :- આ મારું ભુજબળ આવા કામ કરવા માટે નથી. આ રાજ્ય-રિદ્ઘિ આજથી મારે ત્યાજ્ય છે. આ પૃથ્વીને કોણે કોણે નથી ભોગવી? બઘાએ ભોગવી છે. ‘સકળ જગત તે એઠવતુ' એટલે આખું જગત એંઠવાડા સમાન છે, મારા માટે હવે આ સર્વ સામ્રાજ્ય તૃણ એટલે તણખલા બરાબર છે. ।।૪૦।। ભૂંડા મોતે ૨ે વિષ દઈ મારતા ભાઈ, પિતા કે પુત્ર રાજ્યો માટે રૈ ણ રુધિરે પૂરે, સહે નકાદિ અમુત્ર, જાગો અર્થ :— આ જગતમાં રાજ્યો માટે ભાઈ, પિતા કે પુત્રને ભૂંડા મોતે વિષ દઈને મારી નાખ્યા છે. જેમ કોણિકે પિતાને જેલમાં નાખ્યા અથવા ચૂલણિએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાનો પ્રયત્ન કર્યો. વળી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy