________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫૧ ૧
અર્થ - તે હાડકાના સાંધા એક બીજાથી સંઘાયેલા છે. તે સર્વને વાંસની જેમ એક પીઠ એટલે કરોડરજ્જનો આધાર છે. તે હાડકાના માળા ઉપર શિરાઓના જાળો વેલડીઓની જેમ સર્વ અંગમાં પથરાયેલા છે. ૫૦,
માંસ-મૂત્ર-કફ આદિનો જી, અંદર ભરિયો માલ,
નવે દ્વારથી નીકળે છે, જીવ કરે સંભાળ. જીંવ, જોને. અર્થ - તે હાડકારૂપી ભીંતથી બનેલ કોટડીમાં માંસ, મળમૂત્ર, કફ આદિનો માલ ભરેલ છે. તેથી તેના નવે દ્વારથી પણ તે જ બહાર નીકળે છે. એવા મળમૂત્રના ઘરરૂપ શરીરની સંભાળ આ જીવ હમેશાં કરે છે. I૫૧ાા
રુધિર-સંગ સૌ દ્વારને જી, દુર્ગથી-ભંડાર,
અંદર ખદબદતા કૃમિ જી, વાત-પિત્ત-વિકાર. જૈવ, જોને. અર્થ :- નવે દ્વાર રુથિર એટલે લોહીના સંગથી બનેલા છે. તે બઘા દુર્ગથીના ભંડાર છે. શરીરની અંદર કૃમિઓ ખદબદે છે. તથા વાત, પિત્ત અને કફના વિકારથી આ કાયા સદા ગ્રસ્ત છે. /પરા
પંચભૂતનું પૂતળું જી, અશુચિ, એનું બીજ,
વમન યોગ્ય રસથી વધે છે, ઝરે અશુચિ ચીજ. જીંવ, જોને અર્થ - આ કાયા તે પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂતનું પૂતળું છે. અપવિત્ર એવા બીજમાંથી તે ઉત્પન્ન થયેલી છે. જોતાં જ ઊલટી થાય એવા રજ અને વીર્ય રસથી તે વૃદ્ધિ પામે છે. તેમજ સદા અપવિત્ર વસ્તુઓ આ શરીરમાંથી ઝર્યા કરે છે. //પ૩ના
મત્સ્ય, મગર ગંગાજળે જી વસે સદા ન પવિત્ર,
તો મરતા નરને મુખે જી, રેડ્યાથી શું, મિત્ર? જીંવ,જોને અર્થ - મત્સ્ય એટલે માછલા, મગરમચ્છ વગેરે પ્રાણીઓ સદા ગંગાનદીના જળમાં જ વાસ કરવા છતાં તે પવિત્ર થઈ શક્યા નહીં, તો હે મિત્ર! મરતા માણસના મુખમાં ગંગાજળ રેડવાથી તે કેવી રીતે પવિત્રતાને પામશે? અર્થાત્ અશુચિમય કાયા તે કોઈ રીતે પવિત્ર થઈ શકે નહીં. પજા
ક્રોઘ-લોભ-માયા-મદે જી, મોહે ર્જીવ લેપાય,
દેહાધ્યાસ ઘટાડતાં જી, આત્મા નિર્મળ થાય. જીંવ, જોને. અર્થ - ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયભાવો વડે અજ્ઞાનના કારણે જીવ સદા કર્મોથી બંઘાય છે. તે હવે દેહાધ્યાસને ઘટાડે તો તેનો આત્મા નિર્મળતાને પામે. પપા
| ડિવિઘ સમ્યક તપે કરી જી, શોભાવે જે દેહ,
અશુચિ નરતન તેમનું જી, પૂજા લાયક એહ. જીંવ, જોને અર્થ - જે દ્વિવિઘ એટલે બે પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપને સમ્યકજ્ઞાન સહિત આદરી આ દેહને શોભાવે, તે મહાત્માનું શરીર અપવિત્ર હોવા છતાં તેમાં રહેલો આત્મા શુદ્ધ હોવાથી તે શરીર પણ પૂજા કરવા લાયક બને છે. //પકા