SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મહામતિ મંત્રી કહે : “માયા સર્વ નિહાળો રેઃ સ્વપ સમાન બધું ગણો, મૃગજળ જેવું ભાળો રે. પ્રભુ અર્થ :- ત્યારપછી મહામતિ નામનો ચોથો મંત્રી કહેવા લાગ્યો કે આ સર્વ માયા છે; તત્ત્વથી જોતાં કાંઈ નથી. જે પદાર્થો દેખાય છે તે બઘા સ્વપ્ર સમાન જાણો અને મૃગજળવતુ મિથ્યા માનો. II૯૩) વ્યવહારે ગુરુ-શિષ્ય સૌ, તત્ત્વ-વિચારે મિથ્યા રે, ઘૂતારા ઘર્મી બન્યા તેની ન રાખો ઇચ્છા રે. પ્રભુ અર્થ - ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ઘર્મ અધર્મ, પોતાનો કે પારકો એ બધું વ્યવહારથી જોવામાં આવે છે પણ તત્ત્વ વિચારે જોતાં બધું મિથ્યા છે. ઘર્મના નામે પેટ ભરનારા એવા ધૂતારા ઘર્મી થઈ બેઠા છે. તેવા જીવોના સંગની ઇચ્છા રાખવી નહીં. ૯૪ માંસ કિનારે મૂકીને મચ્છી દેખીને દોડે રે શિયાળ પામે મચ્છી ના, ગીઘ માંસ લઈ ઊડે રે. પ્રભુ અર્થ:- જેમ શિયાળ લાવેલા માંસને નદી કિનારે મૂકી માછલાને દેખી તે પકડવા દોડ્યું. તેટલામાં માછલું પાણીમાં પેસી ગયું અને માંસને ગીઘ પક્ષી લઈ ઊડી ગયું. શિયાળ બેય બાજુથી ભ્રષ્ટ થયું. ૯પા ઐહિક સુખ તડેં ઇચ્છતો સુર-સુખ, તેવો જાણો રે, નરક તણાં દુઃખે ડરી, તપ કરનાર ઠગાણો રે - પ્રભુ અર્થ - જે ઐહિક એટલે આ લોકના ઇન્દ્રિય સુખ છોડી દેવલોકના સુખ માટે પ્રયત્ન કરે છે તેને શિયાળ જેવો જાણો. તથા પાખંડી લોકોની ખોટી શિખામણ સાંભળી નરકના દુઃખથી ડરીને મોહાથીન પ્રાણીઓ વ્રત તપ વગેરે કરી પોતાના દેહને દંડે છે તે પોતાના આત્માને ઠગે છે એમ માનો. I૯૬ાા જેમ ટિટોડી સાંભળી, આભ નીચે પડવાનું રે, સૂતી પગ ઊંચા કરી, તેમ બઘાં તપ માનું રે. પ્રભુ અર્થ - જેમ ટિટોડી એટલે એક પ્રકારનું પક્ષી આભ નીચે પડી જવાની શંકાથી સૂતી વખતે પગ ઊંચા કરી સુવે છે તેમ અમે બઘા નરકમાં ન પડી જઈએ એવી બીકથી તપ કરે છે એમ માનું છું. II૯શા ખોટી શિખામણ ના સુણો, મિથ્યા વાત જવા દ્યો રે, ઘરી નિત્ય નિશ્ચિતતા, સુખે સર્વ થવા દ્યો રે.” પ્રભુ અર્થ - માટે હે સ્વામિનું! ખોટી શિખામણને સાંભળો નહીં. આવી મિથ્યા વાતને જવા દ્યો. હમેશાં નિશ્ચિતપણું ઘારણ કરી સુખપૂર્વક જે થાય તે થવા દો. ૯૮ાા. પછી સ્વયંબુદ્દે કહ્યું : “કારણ કાર્ય ન માનો રે, ફૂપે કોઈ ઘકેલતાં, ડર રાખો છો શાનો રે? પ્રભુ અર્થ - પછી સ્વયંબુદ્ધ મંત્રીએ કહ્યું : “જો તમે કારણ કાર્ય ભાવને માનતા નથી અર્થાત્ જેવું કારણ સેવે તેવું કાર્ય થાય છે. તો પછી તમને કોઈ કૂવામાં ઘકેલવા રૂપે કારણ સેવે અને તેથી કૂવામાં પડવારૂપ કાર્ય બની જાય તો તેનો ડર શા માટે રાખો છો? I૯૯ો.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy