________________
૫ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રભુ પ્રત્યે ભક્તિભાવ પ્રતિદિન વધે એવી યોજના કરો. ૪પા
બાહુબલિને ગમી વાત તે, શરૂઆત કરી નાખી રે,
ચરણબિંબ પર કોઈ ન ચાલે, એવી બુદ્ધિ રાખી રે, પરો. અર્થ - બાહુબલિને મંત્રીની આ વાત ગમી ગઈ અને સ્મારકની શરૂઆત કરી દીધી. પ્રભુના ચરણબિંબ ઉપર કોઈ ચાલી ન શકે એવી બુદ્ધિવડે યોજના કરી. II૪૬ાા.
ઘર્મ-ચક્ર કરી દીધું સુંદર સૂર્ય-બિંબ સમ શોભે રે,
પૂજા-રક્ષા કરનારા નિર્મા, પૂજે ભૂપ અક્ષોભે રે. પરો૦ અર્થ :- રત્નમય ઘર્મચક્રનું પ્રભુની ચરણ પ્રત્યાકૃતિ ઉપર સ્થાપન કર્યું. તે સુંદર હજાર આરાવાળું ઘર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય તેમ શોભવા લાગ્યું. તેની હમેશાં પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસોને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી. બાહુબલિ રાજા પણ ક્ષોભ રહિત થઈ તે ઘર્મચક્રની પુષ્પોવડે પૂજા કરવા લાગ્યા. ૪૭થી
ભરતભૂપ શ્રેયાંસ-યશ સુણી, આવે તેની પાસે રે,
કરે પ્રશંસા દાન-વિધિની, સુણી મુનિ-નિયમ પ્રકાશે રે. પરો. અર્થ - ભરતરાજા પણ શ્રેયાંસકુમારની પ્રશંસા સાંભળી તેની પાસે આવ્યા. તથા દાન-વિધિની પ્રશંસા કરી ત્યારે શ્રેયાંસકુમારે મુનિને દાન આપવાના નિયમો જે જાતિસ્મરણજ્ઞાનબળે જાણેલા તે સર્વ જણાવ્યા. ||૪૮માં
સર્વ જનો ભક્તિસહ વિધિથી, દેતા દાન વિવેકે રે,
દાનયોગ તો મળે કોઈને, ભાવ કરે બહુ, લેખે રે. પરો. અર્થ - દાનની વિધિ જાણવાથી હવે ભક્તિપૂર્વક સર્વ વિવેકસહિત દાન આપવા લાગ્યા. પ્રભુને દાન આપવાનો યોગ તો કોઈ વિરલાને મળે છે; પણ ઘણા જીવો તે નિમિત્તે ભાવ કરી શકે છે. કરેલા ભાવ પણ લેખામાં આવે છે. ૪૯ાા.
પ્રભુ પણ કર્મ ઘર્મથી કાપે, પચીસ ભાવના ચિંતે રે,
માતા સમ સંભારે સ્નેહે સમિતિ-ગુતિ નિશ્ચિતે રે. પરોઢ અર્થ :- પ્રભુ પણ કર્મને ઘર્મધ્યાનથી કાપવા લાગ્યા. પાંચ મહાવ્રતોની દ્રઢતા માટે કુલ પચ્ચીસ ભાવના છે. તેમાં એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તેના ઉપર વ્રતી ધ્યાન રાખે છે. માટે પ્રભુ તેને ચિંતવવા લાગ્યા. ૧. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ : (૧) વચનગુપ્તિ (૨) મનગુતિ (૩) ઈર્યાસમિતિ (૪) આદાનનિક્ષેપણ સમિતિ તથા (૫) દેખી તપાસીને ભોજન કરવું તે. ૨. સત્યવ્રતની પાંચ ભાવનાઓ (૧) ક્રોઘનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ (૪) હાસ્યનો ત્યાગ કેમકે આ ચારને વશ થઈ અસત્ય બોલી જવાય છે. (૫) શાસ્ત્રોક્ત વચન કહેવું તે. ૩. અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ : (૧) શૂન્ય એકાંત જગ્યામાં રહેવું. (૨) ઉજ્જડ થયેલાં સ્થાનમાં