SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) પૂર્ણકાલિકા મંગલ ૫૯૫ ઉત્તમ ગુણોરૂપી અનુપમ લતાઓનો ઊછેર થવા લાગ્યો. કરી રક્ષા-વાડો, સુનીતિ-નીકમાં પુણ્ય-નરના, પ્રવાહો રાખે તે સતત વહતા, યોગ્ય ઘટના; ખરે પાનાં જૂનાં, નવીન ઊભરાતાં પ્રતિ-તું, ભુલાતી વાતો ત્યાં નવીન રચના-ચક્ર ફરતું. ૬ અર્થ :- વ્રતોરૂપી વૃક્ષોની રક્ષા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ અનેક નિયમોરૂપી વાડોની ગોઠવણ કરી. તથા સુનીતિ એટલે સદાચારરૂપી નીક એટલે પાણી જવાનો રસ્તો કરી, તેમાં પુણ્યરૂપી જળના પ્રવાહો સતત વહેતા રહે એવો સવારથી સાંજ સુઘીનો ભક્તિ સ્વાધ્યાયનો આરાઘના ક્રમ આપી યોગ્ય ઘટના એટલે યોગ્ય રચના કરી. જેથી જેમ વૃક્ષના જૂના પાન પ્રતિ ઋતુએ ખરી જઈ નવીન ઊભરાય છે, તેમ જુના રાગદ્વેષમોહવાળા કષાય ભાવો ભુલાઈ જઈ, નવીન વૈરાગ્ય ઉપશમના ભાવોની રચનાનું ચક્ર ફરતું થયું, અર્થાત્ સત્સંગ ભક્તિના યોગે હવે નિત્ય નવીન ઉત્તમ ભાવોની શ્રેણી ઊગવા લાગી. વીતે વર્ષો એવાં, નર્વાન વય જેવા સમયમાં, ફૈડાં ખીલ્યાં પુષ્પો, વિવિઘ વિટએ દૃશ્ય બનતાં; ભલા ભાવો ભાળી ગુરુજન રીઝે એ જ કુસુમો, દયાળુ સંતો તે નિજ કર વિષે ઘારી વિરમો. ૭ અર્થ :– પછી પ.પૂ.પ્રભુશ્રીજીના યોગે વર્ષો એવી રીતે વીતવા લાગ્યા કે જાણે નવીન યુવાવયમાં જેમ આનંદમાં સમય વ્યતીત થતો હોય તેમ થવા લાગ્યું. તે સમયે સુંદર ભાવારૂપી પુષ્પો ખીલવા લાગ્યા અને વિવિધ પ્રકારની વિચારધારારૂપ વિટપે એટલે ડાળીઓ ઉપર તે પુષ્પો દેખાવા લાગ્યા. તેવા ઉત્તમ ભાવારૂપ પુષ્પોને ભાળી પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ગુરુજનો રાજી થયા. એ જ સુંદર ભાવારૂપી કુસુમો એટલે ફલોને ગ્રહણ કરી હે દયાળુ સંત આરાધકો તમે આ દુઃખમય સંસારથી વિરામ પામો, વિરામ પામો એવી જ્ઞાની પુરુષોની સર્વને શિક્ષા છે. ઘરે અંગે કોઈ, સુખકર ગણી રમ્ય રમણી, વળી માળી કોઈ, ભરી કુસુમ-પાત્ર નરમણિ કને લાવી દેતો, મનહર ઋતુ-વર્ણન કરી; ભલા ભાવે ભક્તો પ્રભુચરણ પૂજે ફૂલ ઘરી. ૮ અર્થ - તે સુંદર ફૂલોને કોઈ રમ્ય રમણી એટલે સુંદર સ્ત્રી, પોતાના નાશવંત દેહની સુંદરતાને વઘારવા ફૂલોને સુખકારી જાણી પોતાના અંગમાં અંબોડા આદિ રૂપે ઘારણ કરે છે. જ્યારે કોઈ માળી તે ફૂલોને છાબડીમાં ભરી નરમણિ એટલે નરોમાં મણિ સમાન એવા રાજા પાસે લાવી તે તે ઋતુના ફૂલોનું મનહર વર્ણન કરી તેને આપે છે. જ્યારે ખરા ભગવાનના ભક્તો તો પ્રભુના ચરણમાં તે ફૂલોને ઘરી ભાવભક્તિથી તેમની પૂજા કરે છે. ઘણાંયે વેરાતાં કુસુમ બૅમિ સુવાસિત કરે, સુસંગે શોભે તે, બહુ વરસ હર્ષો સહ સરે;
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy