SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫૩ ૧ પણ નાચવા લાગી. જાણે હર્ષથી પુષ્પો વર્ષવા લાગ્યા. દેવતાઓને બોલાવવા માટે દેવલોકમાં રહેલી સુંદર શબ્દવાળી ઘંટાઓ વાગવા લાગી, જેથી આકાશ પણ અવાજથી પુરાઈ ગયું. કરા. અવધિજ્ઞાને ઇન્દ્ર વિચારે, જ્ઞાન-મહોત્સવ કાજે રે, સૌ દેવો સહ હર્ષે આવે, શોભા દિવ્ય વિરાજે રે. પરો. અર્થ :- અવધિજ્ઞાનથી ઇન્દ્ર વિચાર્યું કે આ બધું પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવના કારણે થઈ રહ્યું છે. તેથી તે સર્વ દેવો સાથે સહર્ષ આવવા લાગ્યા. આકાશમાં દિવ્ય શોભા પથરાઈ ગઈ. ૬૩ના ઋષભ જિનેશ્વર દર્શન કાજે, સ્પર્ધા દેવો કરતા રે, અન્ય વિમાન ઘસાતાં મળીના ડાઘા મૃગસમ ઘરતા રે. પરો. અર્થ - ઋષભ જિનશ્વરના દર્શન માટે દેવો સ્પર્ધા કરવા લાગ્યા કે જાણે હું પહેલો પહોંચે. જેથી વિમાન એક બીજાને ઘસાતાં તેના ઉપર હરણના આકાર જેવા ડાઘા પડી ગયા. //૬૪ll ચંદ્ર-વિમાને હજીં પણ દેખો, જિન-જાત્રાએંઘાણી રે, શ્યામ રંગ પણ ગર્વે ઘારે, ઘર્મ-ભાવના જાણી રે. પરો. અર્થ - ચંદ્રના વિમાનમાં હજી પણ આ જિનયાત્રાની એંધાણી છે. ચંદ્રમાના વિમાનમાં હરણના આકારે જે શ્યામ રંગ દેખાય છે તે આ છે. પણ તેને આજે પણ દેવોની ઘર્મભાવનાની નિશાની જાણી ગર્વથી તે હરણનો આકાર ઘારી રાખ્યો છે; પણ ભૂસ્યો નથી. ૬પા. સમવસરણ-૨ચના સુર કરતા, ચમત્કાર-ભરી કેવી રે! કનક-રત્નની કરી ગૂંથણી, સુખકર જોવા જેવી રે. પરો. અર્થ :- સમવસરણની રચના દેવો ચમત્કાર ઉપજાવે તેવી કરે છે. સોનામાં રત્નોની એવી ગૂંથણી કરે છે કે જે આત્માને સુખકર તથા જોવા જેવી હોય છે. I૬૬ાા પૂર્વાભિમુખ પ્રભુ બિરાજ્યા, દીસે સર્વ દિશામેં રે, રચના દેવો એવી કરતા, જાણે પ્રભુ છે સામે રે. પરો. અર્થ - સમવસરણમાં પ્રભુ પૂર્વદિશા સન્મુખ બિરાજમાન થયા. પણ દેવોએ બીજી ત્રણેય દિશાઓમાં પ્રભુની પ્રત્યાકૃતિની એવી રચના કરી કે જેથી સર્વ દિશાઓમાં પ્રભુ અમારી સામે જ છે એમ બઘાને લાગ્યું. ૬ના ફાગણ વદ અગિયારસ દિને જ્ઞાન-કલ્યાણક કરતા રે; સુર, નર, પશુ એકત્ર મળી ત્યાં, હર્ષ ઉરે અતિ ઘરતા રે. પરો. અર્થ - ફાગણ વદ અગિયારસના દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે પ્રાતઃકાળમાં પ્રભુને ત્રણેય કાળને જણાવનારું કેવળજ્ઞાન કલ્યાણક થયું. હવે સમવસરણમાં પ્રભુની સમક્ષ દેવતાઓ, મનુષ્યો તથા પશુઓ બઘા એકત્ર મળી પ્રભુની વાણી સાંભળીને હૃદયમાં અતિ હર્ષને ઘારણ કરવા લાગ્યા. અને જીવનને ઘન્ય માનવા લાગ્યા. I૬૮ાા. કષાય શમાવી, જાતિ-વેર તાઁ સૌ શાંતિ ઉર ઘારે રે, મૂંગ-મૃગપતિ, નકુલ-નાગ ત્યાં ભય તજીં, બેસે હારે રે. પરો.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy