SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હવે કેવી રીતે આત્મભાવના કરીને આત્મ અનુભવ સુધી પહોંચવું તેનો ક્રમ બતાવે છે : અર્થ :- જ્ઞાની પુરુષો ક્રમપૂર્વક આત્મવિચારણા કરવા માટે કહે છે કે સૌ પ્રથમ જીવને પોતાના શરીરમાં આત્મબુદ્ધિ વર્તે છે. ત્યાંથી ક્રમપૂર્વક શ્વાસમાં પોતાનું આત્માપણું ઘારો કે જાણે શ્વાસ એ જ આત્મા હશે. પછી ઇન્દ્રિયોમાં આત્માપણાની કલ્પના કરો કે ઇન્દ્રિયો આત્મા હશે. ૨૧ાા. ઇન્દ્રિયથી આગળ ચિત્ત-વૃત્તિ, વિકલ્પ-સંકલ્પ-તરંગ-મૂર્તિ; અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં, ન અન્ય આલંબન એકતામાં. ૨૨ અર્થ - પછી ઇન્દ્રિયોથી આગળ જઈ, ઇન્દ્રિયોને ચલાવનાર એવું મન તે આત્મા હશે? તે મન તો કર્મને આધીન સંકલ્પ વિકલ્પના તરંગોની મૂર્તિ છે. એવા મનને હવે અંતે આત્મજ્ઞાનની ભાવનામાં રોકી સ્થિર કરો. ‘જ્ઞાને બાંધ્યું મન રહે.' બીજા હઠયોગ વગેરે અન્ય આલંબનો આત્મા સાથે એકતા કરવામાં કાર્યકારી નથી. રિરા વાણી અને કાય સ-ઉપયોગે યમે રમે જો સ્થિરતા-પ્રયોગ, સમ્યકત્વ ઘારી જીંવ આત્મ-અર્થે પ્રશાંત આત્મા કરવા પ્રવર્તે. ૨૩ અર્થ :- પછી વાણી અને કાયા પણ ઉપયોગ સહિત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગરૂપ પાંચ યમમાં આત્મસ્થિરતા કરવા માટે પ્રવર્તે તો જીવ સમ્યક્દર્શનને પામે છે. સમ્યકત્વ પામ્યા પછી અંતર્ધાત્મા થવાથી પોતાના આત્માને પ્રકષ્ટ શાંત કરવાને માટે તે કષાય નિવારવાનો જ પ્રયત્ન કરે છે. રા. વિકલ્પ સૌ જોય તણા વિસાયેં, બને રહેવું અનુભૂતિ-સારે; આત્મા રહે શેયરૂપે જ એક, અનન્યરૂપે પરિણામ છેક. ૨૪ અર્થ - શેય એટલે જ્ઞાનમાં જે પદાર્થો જણાય છે તે સર્વ વિકલ્પોને ભૂલવાથી સારભૂત એવી આત્મ અનુભૂતિમાં સ્થિર રહેવાનું બને છે. ત્યાં શેયરૂપે એક આત્મા હોય છે. જ્યાં સુધી આત્મ અનુભૂતિમાં હોય ત્યાં સુધી પરિણામ બીજે જતાં નથી; અનન્યરૂપે એક આત્મામાં જ રહે છે. /૨૪. તેવી દશામાં સ્કુર ઊઠતી કો, અપૂર્વ આનંદ-ઝરા સમી, જો ઊર્મિ ઉરે; વિસ્મૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય, ઘન્ય! ૨૫ અર્થ :- ઉપર કહી તેવી આત્મઅનુભૂતિ દશામાં અપૂર્વ આનંદનીઝરા જેવી અંતર આત્માનંદની ઉર્મિઓ-લહેરીઓ ફરી ઊઠે છે. ત્યારે બીજું બધું ભૂલાઈ જાય છે અને અકથ્ય એટલે કહી ન શકાય એવું આત્મસ્વરૂપનું અદ્ભુત ભાન પ્રગટે છે. જે જીવનને ધન્ય બનાવે છે. //રપના એવો ન આનંદ જરાય ભોગે, કહ્યો અતીન્દ્રિય મહાજનોએ: ના એ અનુમાન, ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વ-વેત્તા. ૨૬ અર્થ - આત્માના અનુભવનો જે આનંદ વેદાય છે, તેવો આનંદ જરા પણ ભોગમાં નથી. તે આત્માનંદને મહાપુરુષોએ અતીન્દ્રિય આનંદ કહ્યો છે. તે આત્માનંદ એ અનુમાન નથી કે માત્ર શ્રદ્ધાનો વિષય નથી. પણ જે તેને અનુભવે તે જ તેના યથાર્થ સ્વરૂપને જાણે છે. રા. સમ્યકત્વઘારી સમજ સ્વભાવ, વિભાવ તો કર્મ-જનિત ભાવ; દેહાદિ ના જાણી શકે જરાય, સ્વરૂપ તે ના કદીયે મનાય. ૨૭
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy