SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મોહવશ સુખ-કલ્પના જી, ઇન્દ્રિય-વિષયે અન્ય, સ્વ-સુખ જે ના જાણતા જી, દુઃખો ખમે અન્ય. છંવ, જોને. અર્થ :- મોહને વશ પડેલા આ જીવને સુખની કલ્પના પોતાથી જુદા એવા ઇન્દ્રિયના વિષયોમાં છે. જે જીવો સ્વઆત્મસુખને જાણતા નથી તે પાપથી અન્ય બનેલા જીવો સંસારના દુઃખોને પામશે. પણ આત્મા સિવાય બીજું બધું મારાથી પર છે એમ અન્યત્વભાવનાને ભાવનાર જીવ સિદ્ધિસુખને પામશે. એવી ભાવનાઓ હમેશાં ભાવવા યોગ્ય છે. પરિવા (૫) સંસારભાવના ચાર-કષાય-રસે ભર્યો જી, મિથ્યા સંયમ-વાસ, જન્મ જરા ને મૃત્યુનો જી, સંસારે છે ત્રાસ. ઍવ, જોને. અર્થ - જ્યાં અજ્ઞાનવશ જીવો ક્રોઘ માન માયા લોભરૂપ કષાયરસથી ભરેલા છે. જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ હોવાથી મિથ્યા સંયમમાં એટલે અસંયમમાં જીવોનો નિવાસ છે. તથા જેના ફળમાં જન્મ જરા મરણનો જ્યાં ત્રાસ છે એવો આ સંસારનો વાસ છે. એમ ચિંતવવું તે સંસારભાવના છે. કુલ ચાર ગતિરૂપ સંસાર છે. એ ચારે ગતિ દુઃખથી ભરેલી છે. તેનું વર્ણન હવે એક પછી એક નીચે આપવામાં આવે છે. ગારરા. ૧. નરકગતિ જીવ નરકમાં ઊપજે જી, તલતલ તન છેદાય, દશે દિશામાં વેરી દે છે, પણ મળી આખું થાય. જૅવ, જોને. અર્થ :- તીવ્ર પાપના ફળમાં જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તલતલ જેટલા શરીરના ટુકડા કરી દશે દિશાઓમાં વેરી દે છે; છતાં તે પારાની જેમ પાછા મળી એકમેક થઈ જાય છે. ૨૩મા મરવા ઇચ્છે નારકી જી, પણ ના કરી શકાય, અસંખ્ય વર્ષો જીવતા જી, દુઃખદ નિત્યે કાય. જીંવ, જોને અર્થ :- નારકીજીવો અત્યંત દુઃખના કારણે મરવા ઇચ્છે છે; પણ આયુષ્ય પૂર્ણ થતાં પહેલા મરી શકાય નહીં. ત્યાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે. તેમની કાયા હમેશાં દુઃખને દેવાવાળી જ હોય છે. ર૪ો. પછડાતા પગ ઝાલીને જી, વેરે કરવત શિર, ઘાણીમાં ઘાલી પીલે છે, પરમાઘર્મ વીર. જીંવ, જોને. અર્થ - બળવાન એવા પરમાઘર્મી એટલે અસુરકુમાર દેવો નારકીઓના પગ ઝાલીને ઘોબી કપડા ઘોવે તેમ પછાડે છે. લાકડા વેરે તેમ કરવતથી માથું વેરે છે. તલ પીલે તેમ ઘાણીમાં ઘાલીને પીલે છે. આ બધાં પાપના ફળો જીવોને ત્યાં ભોગવવા પડે છે. રપાા. પૂર્વ પાપ સંભારીને જી, તાંબુ ગાળી પાય મદિરા પી’ કહી બાળતા જી, તળે તેલમાં કાય. છંવ, જોને અર્થ - પૂર્વભવમાં તને દારૂ બહુ પ્રિય હતો એમ સંભારી લે આ દારૂ પી, એમ કહી ગરમાગરમ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy