Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008919/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પીયો અદ્ભૂ છે ઘ પ્યાલા Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી વિજયનદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પીચો અનુભવ સ પ્યાલા શ્રી વિજયસિંહસૂરિ - વિચિત સભ્યતાક (મૂળ શ્લોક-અર્થ-વિવેચન) By Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનકાર [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ -કોબા દ્વિતીય આવૃતિ વિ.સં. ૨૦૧૫, ૩૧ ઑગસ્ટ ૨૦૦૯ મંગલ પ્રસંગ રાષ્ટ્રસંત શ્રતોદ્ધારક આચાર્યદેવશ્રી પધસાગરસૂરિજીનો ૭૫મો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ - મુંબઈ) મૂલ્ય પાકુ પેઠું: રૂ. ૧૦૧.૦૦ કાચુ પેઠુંઃ રૂ.૪૨.૦૦ આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર પ્રકાશક શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસુરિ જ્ઞાનમંદિર કોબા, તા.જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨પર email: gyanmandir@kobatirth.org website : www.kobatirth.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ - ૯૮૨૫૫૯૮૮પપ ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन-अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई.'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता.४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया. जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈંક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાર્તા પૂજય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ધનિષ્ટ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપ આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઇ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રે સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી પીયો અનુભવ ૨સ પ્યાલા ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયાં છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ત્રઋણી છીએ તથા તેઓની For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી | તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ આવૃત્તિનું પૂરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જન, આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ, આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. - પુન: પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. અન્ત, નવા કલેવર તથા સા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે.... ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ અને ગ્રંથકાર - સર્વ ધર્મોના પ્રવર્તક મહાત્માઓએ મનુષ્યજીવનની શ્રેષ્ઠતા સ્વીકારી છે. મનુષ્ય જ માયાનાં, અવિઘાના, કર્મોનાં બંધનો તોડી પરમાનન્દ-પદ પ્રાપ્ત કરી શકે છે, આ વાત કહી ગયા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પણ મનુષ્યજીવનને અતિ દુર્લભ જીવન કહીને, એ જીવનનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પરંતુ બહુ જ ઓછાં મનુષ્યો આ ઉપદેશને જાણે છે, સમજે છે. એમાંય ઘણા ઓછા જીવો એ ઉપદેશને જીવનમાં જીવવા પ્રયત્ન કરે છે. જે જીવે છે, જે માણે છે, તે ખરેખર ધન્ય બની જાય છે. અલ્પકાલીન અને અનિશ્ચિત જીવનમાં આત્મહિત કરી લેવાની વાત, બહુ જ ઓછાં મનુષ્યો સમજે છે. પરંતુ એવાં આત્મહિત માટે તત્પર; સંસાર પ્રત્યે વિરક્ત આત્માઓ માટે આ સામશતક' નામનો લઘુગ્રંથ પ્રેરણાદાયી – આનંદદાયી બનશે. આ ગ્રંથ વિસ્તારમાં લઘુ છે, છતાં એમાં પ્રરૂપાયેલા તત્ત્વજ્ઞાનથી મહાન છે. તેનો એક-એક શ્લોક વાચકના હૃદયમાં સાત્વિક વૃત્તિ અને તત્ત્વાનુસંધાન પેદા કરે છે. વિષયવિરાગ, સર્વાત્મભાવના, વિવેક-બુદ્ધિ, કષાય-તિરસ્કાર, સમત્વભાવ વગેરે સગુણોના સંસ્કારો નાંખે છે, તે સંસ્કારોને પુષ્ટ કરે છે અને આસ્તિકતાને દૃઢ બનાવે છે. આ “સામ્યશતક' નાં તમામ પદ્યો સામ્યભાવને પુષ્ટ કરનારાં છે. કોઈ પણ મુમુક્ષુ - સાધુ કે સંસારી, આ ગ્રંથના લોકોને કંઠસ્થ કરે, અર્થના મનન સાથે સ્વાધ્યાય કરે તો તેની મન:સ્થિતિ ઉચ્ચ ભૂમિકા (આધ્યાત્મિક ભૂમિકા) પ્રાપ્ત કરે જ, એ નિઃશંક વાત છે. ગ્રંથકાર આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં સામ્યભાવને પુષ્ટ કરનારાં ઉત્તમ વિષયો સંક્ષેપમાં આપ્યા છે. સર્વ પ્રથમ આદ્ય પરમેષ્ઠિનું ધ્યાનાત્મક મંગળકરી, મહાનું યોગીપુરુષોના વિજયસ્વરૂપ બીજું મંગલ કર્યું છે. તે પછી સામ્યગુણના ઉત્તમ આનંદને ઘણી સારી રીતે વર્ણવ્યો છે. ત્યારબાદ ધ્યાનાવસ્થાના લયનું સ્વરૂપ બતાવીને, તેનાથી આત્મજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ બતાવી છે. તે પછી ગ્રંથના મુખ્ય વિષય સમત્વના સ્વરૂપને પલ્લવિત કરવા માટે ઔદાસીન્ય, નિમમત્વ, વૈરાગ્ય આદિ ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. મોહ-રાગ-દ્વેષના ત્યાગ માટે સારું એવું વિવેચન કર્યું છે. તે પછી, વાસનાનો ત્યાગ, ક્ષમાનો સ્વીકાર, અહંકાર વિજય, માનનો નાશ, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાનો વિલય વગેરેનું સ્વરૂપ આલંકારિક ભાષામાં વર્ણવ્યું છે. લોભ અને સંતોષ વગેરે પરસ્પર વિરોધવાળા ગુણ-અવગુણ ઉપર ચમત્કારિક ભાવ દર્શાવનારાં લોકોથી અને કપાય તથા ઇન્દ્રિયોની પ્રબળતાને હઠાવનારાં ઉત્તમ ઉપાયો બતાવીને ગ્રંથકારે સહૃદય વાચકોના મનને સારી રીતે આકર્ષ્યા છે. છેવટે કામ, કામવાસના, કામચેષ્ટા, મનની પ્રબળતા વગેરેનું યથાર્થ સ્વરૂપ બતાવી, ગ્રંથના મુખ્ય વિષય સામ્યભાવ'નું પ્રૌઢ માહાભ્ય દર્શાવી આ લઘુગ્રંથ સમાપ્ત કર્યો છે. આ “સામ્યશતક'ના રચયિતા આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી કયાં અને ક્યારે થઈ ગયા, તેનો ઈતિહાસ મળતો નથી, ગ્રંથના અંતે તેમણે એક શ્લોકની પ્રશસ્તિમાં તેઓના ગુરુદેવના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આચાર્યશ્રી અભયદેવસૂરિજીના શિષ્ય હતા. પરંતુ ભગવાન મહાવીરસ્વામીની શાસનપરંપરામાં છ અભયદેવસૂરિ થઈ ગયા છે! આ ગ્રંથકાર કયા અભયદેવસૂરિજીના શિષ્ય હતા, તેનો નિર્ણય થઈ શક્યો નથી. છતાં, ગ્રંથકાર શ્રી વિજયસિંહસૂરિજીનું નામ, જિનશાસનમાં ગૌરવપૂર્વક લેવામાં આવે છે. તેઓના પ્રબુદ્ધ હૃદયનું અભિજ્ઞાન, તેમના આ આધ્યાત્મિક ગ્રંથ પરથી જણાઈ આવે છે. તેઓની આ રચના, મુમુક્ષુ આત્માઓને જ્ઞાનની ઉન્નત સ્થિતિએ પહોંચાડનારી છે. મુમુક્ષુ આત્માઓનું શ્રેય કરવા માટે જ તેઓનો આ ભારે પરિશ્રમ દેખાઈ આવે છે. ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવા પ્રકાંડ વિદ્વાને, પોતાના શિષ્ય “હેમવિજય' મુનિના સ્વાધ્યાય માટે આ ગ્રંથનો દોહારૂપે અનુવાદ કર્યો છે. “સમતાશતક' રૂપે એ પ્રસિદ્ધ છે. આ ગ્રંથની ઉપાદેયતા માટે બીજી કોઈ સાક્ષીની જરૂર છે ખરી? આવા ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન-મનન-અધ્યયન કરવાથી મનોવૃત્તિ સમભાવથી પુષ્ટ થાય છે. વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે સ્નેહ જાગૃત થાય છે. સંસારના મોહજનક પ્રસંગોમાં જીવાત્મા લોલુપ નથી બનતો. મુમુક્ષુ આત્માઓનું જ્ઞાનબળ અને તપોબળ વૃદ્ધિ પામે છે. આ સંસારના પ્રપંચનું સ્વરૂપ સમજાય છે. અંતઃકરણમાં ગુપ્તરૂપે રહેલાં દોષોની જાણ થાય છે. તે દોષોને દૂર કરવાની પ્રબળ ભાવના જાગે છે. મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે અને સમ્યગુ દર્શનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે! પંચગીની શ્રાવણ સુદ : ૧ વિ. સં. ૨૦૫૧ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને એક પત્ર આત્મસાધકને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તમારો પત્ર મળ્યો. તમે લખ્યું છે કે બે વર્ષથી હું સિવિયર ડિપ્રેશનથી પીડાઉ છું. મુંબઈ-અમદાવાદ-કલકત્તાના ઘણા બધાં સારાં ડૉક્ટરોને મળી ચૂક્યો છું. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી, પણ હજુ સુધી કાંઈ ફરક પડ્યો નથી. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? આનો શું કોઈ ઈલાજ જ નથી?' છે, ઈલાજ છે! તમે મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છો, એવો અનુભવ ઘણા બધાંને કોઈને કોઈ વખતે થતો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોક્કસ અભિગમ હોય છે અને તેમની આપેલી દવાઓથી ઘણા લોકોને ફાયદો પણ થાય છે. તમને કોઈ ફાયદો નથી થતો લાગતો, એ પણ હકીકત છે. મિત્ર, કોઈ દેખીતા કારણ વિના તમે તમારા મનમાં “ઓટ'નો અનુભવ કરો છો. તમને તમારા જીવનમાં કોઈ રસ ના રહ્યો હોય, એવું લાગે છે! કોઈની સાથે વાતો કરવી પણ ગમતી નથી ને? પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ તમારું મન અંદરને અંદર દોડડ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમને દેખાતો નથી. મનની આવી મંદીનાં કેટલાંક કારણો હોય છે. ગૃહસ્થોના જુદાં, સાધુઓના - સાધકોના જુદાં. બંનેની સમાનતા એક હોય છે? એક સરખા દિવસી, એક સરખો જ નિત્યક્રમ અને એક જ ઘરેડની આ જિંદગીથી કંટાળો! અહીં-તહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઈલાજો કરે છે, પરંતુ મન, ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી! કશું જ ગમતું નથી. ક્યાંય સારું લાગતું નથી. ખોટાં-ખોટા વિચારો આવ્યા કરે છે. રોજિંદા કાર્યો શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક રીતે કરે છે. ફુરસદમાં કંટાળાની લાગણી તીવ્ર બને તમને આ વાતો સાચી લાગશે. લાગે છે ને? આવા સંજોગોમાં મનની જે મંદી જન્મી, નિરાશા-હતાશાની પ્રબળ લાગણીથી મન ભરાઈ ગયું અને નિરર્થકતાનિષ્ફળતાની લાગણી ડંખ્યા કરી, ત્યારે તમે મને પત્ર લખી નાંખ્યો, બરાબરને? સારું કર્યું તમે મને પત્ર લખ્યો. મને તમે ઘણું ચિંતન-મનન કરવા પ્રેર્યો. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા ભાગે તો મારી એવી ધારણા હતી કે “ડિપ્રેશનનો આ રોગ ગૃહસ્થોને થાય છે. પરંતુ તમારા પત્રથી મારી ઝાંખી ઝાંખી ધારણા નિશ્ચિત બની કે સાધકોને - સાધુઓને (સાધ્વીઓને પણ) પણ ડિપ્રેશન – મનની મંદી આવે છે. તમે તો પ્રૌઢ સાધુ છો, (લગભગ ૫૦ વર્ષ) યુવાન સાધુઓને પણ “ડિપ્રેશન' આવે છે.... આનાં કારણો મેં હમણાં જ લખ્યા : ૧. એક જ ઘરેડની આ જિંદગી, ૨. કાંઈ ગમતું નથી, ઉત્સાહ નથી, ઉમંગ નથી. ૩. ક્યાંય સારું લાગતું નથી. ૪. ખોટાં-ખોટાં વિચારો. ૫. શૂન્યમનસ્કતા, અન્યમનસ્કતા. ૩. જીવનની નિષ્ફળતાની લાગણીનો ડંખ. ૭. કંટાળે.. કંટાળો... કંટાળો.. બરાબરને? મુનિરાજ! સહુથી મોટું અને મહત્ત્વનું કારણ બતાવું? જે સાધુ વૈરાગ્યમાર્ગ પર વિજય નથી મેળવતો, વૈરાગ્યને દૃઢ-પરિપક્વ નથી કરતો, તેને મનની મંદી સતત સતાવતી રહે છે! પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે : तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रिय-कषाय-गौरव-परिषह-सपत्नविधुरेण।। સાધુ બની ગયા પછી પણ વૈરાગ્યની જ્યોત જવલંત રાખવી, ઘણી મુશ્કેલ હોય છે. તેનાં કારણો તેમણે આપ્યાં છે : ૧. ઈન્દ્રિયોની ચંચળતા, ૨. કષાયોની પ્રબળતા, ૩. ગારવો (રસ - ઋદ્ધિ - શાતા) ની પ્રચુરતા, ૪. પરિષહો સહવાની કાયરતા. આ ચારેય નબળાઈઓ છે ને આજના સાધુમાં? તમારે કબૂલ કરવું પડશે. આજે સાધુ આ નબળાઈઓને સ્વીકારીને જીવી રહ્યો છે! એ ઈન્દ્રિયોને પરવશ છે. એ કષાયોને આધીન છે. એ ગારવોને ઈચ્છે છે અને પરિષહો સહવાથી દૂર For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગે છે. એકેય પરિષદ્ધ આનંદથી સહવા તૈયાર નથી.... પછી મનની મંદીનો ડિપ્રેશનનો શિકાર બને જ ને! છતાં તમને હું કહું છું કે કશી દવા લીધા વિના, મનની આ મંદી દૂર કરી શકાય છે. ડિપ્રેશનની તીવ્ર લાગણી કોઈને કોઈવાર-ઘણીવાર તો વર્ષો સુધી અનુભવી હોય તેવી વ્યક્તિઓનાં મોટાં નામ જોઈએ તો તેમાં મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટન, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સર વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેવાં અનેકોનો સમાવેશ થાય છે. ચર્ચિલે તો પોતાના ‘ડિપ્રેશન'ને જીવતું નામ આપ્યું હતું ‘Black Dog.' ચર્ચિલને જ્યારે ડિપ્રેશનનો હુમલો આવતો ત્યારે તે કહેતા - બ્લેક ડોગ મારી પાછળ પડ્યો છે! આ ડિપ્રેશનનો કાળો કૂતરો કોઈને કરડી ગયાનો અનુભવ થાય છે, તો કોઈને એની ભસાભસથી બહુ ડર લાગે છે! ઘણાં બધાં લોકોએ ડિપ્રેશનના આ કાળા કૂતરાથી ડર્યા વિના, મક્કમપણે તેનો સામનો કર્યો છે. આ સામનો જુદીજુદી વ્યક્તિઓએ જુદીજુદી રીતે કર્યો છે. એ બધી રીતો તમને પછી બતાવું છું. આજે મારે તમને પહેલી અને અતિ અસરકારક રીત બતાવવી છે અને એ રીત છે વાંચનની, અધ્યયનની, મનનની. તમે નીચેના ગ્રંથોનું અધ્યયન-મનન કરો : ૪. સામ્યશતક ૧. જ્ઞાનસાર, ૨. યોગસાર ૫. વૈરાગ્યશતક ૩. અધ્યાત્મસાર ૬. ધ્યાનશતક મુનિરાજ, તમે સંસ્કૃત-પ્રાકૃત ભાષાને જાણો છો. આ ગ્રંથોના અર્થ તમે જાણી શકો છો. તમે અવશ્ય આ ગ્રંથોનો સ્વાધ્યાય કરજો. આની સાથે સાથે થોડાં પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલાં કેટલાંક ગ્રંથોના નામ સૂચવું છું - ૧, સમાધિશતક ૨. સમતાશતક ૩. પુદ્ગલ ગીતા આ રચનાઓને કંઠસ્થ કરી, તેનો સ્વાધ્યાય કરતા રહો. આ રચનાઓ ‘આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ’ નામના પુસ્તકમાંથી મળશે. (પ્રકાશક: શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા) અમે પણ આ છ રચનાઓને નાની પોકેટ સાઈઝમાં છપાવીને પ્રકાશિત કરવા ઇચ્છિએ છીએ. સાધુ-સાધ્વી-સંઘમાં આ ૪. ક્ષમા ત્રિશી ૫, પરમાત્મ ઇત્રિશી ૬. યતિધર્મ બત્રિી For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રચનાનો પ્રસાર કરવો ઘણો આવશ્યક અને ઉપકારક લાગે છે. સાધુ-સાધ્વી બન્યા પછી તરત જ આ રચનાઓ કંઠસ્થ કરાવવામાં આવે તો સાધુ-સાધ્વીનો વૈરાગ્ય જીવંત રહે. પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મળ્યા પછી, “જ્ઞાનસાર' આદિ અને “સામ્યશતક' આદિ છ ગ્રંથો કંઠસ્થ કરવામાં આવે તો સાધુ-સાધ્વીને પોતાની આરાધનાની ચોક્કસ દિશા મળે અને તેમનું મન ક્યારેય મંદી ન અનુભવે. આ બધાં ગ્રંથો, (અને આવા બીજા પણ પ્રશમરતિ “શાન્તસુધારસ' વગેરે ગ્રંથો) મનની તરડાયેલી ધરતી પર પુષ્પરાવર્ત મઘ-વર્ષા જેવાં છે, કાજળઘેરી કાળી રાતના અંધારા જેવા મનની અંદર મધ્યાહ્ના સૂર્યના કિરણો જેવા છે. આ ગ્રંથો તમને ઉત્સાહ-ઉમંગથી ભરી દેશે. ઈન્દ્રિયોની ચંચળતા ઘટશે અને કષાયો ઉપશાન્ત થશે. અલબત્ત, તમારે આ બે ધ્યેય જીવંત રાખવા પડશે. ગારવોની આસક્તિ ઘટશે અને પરિષહોને સહવાની શક્તિ વધશે. - પ્રિય મુનિરાજ, હવે એકલતાની અંધારી કોટડીમાંથી બહાર નીકળો. સુખદુઃખના જાતજાતના તોફાનોમાં ઘેરાયેલા જિંદગીના મહાસાગરના કિનારે ઊભા રહો. ઊભા ઊભા તેનું દર્શન કરો. તમારા મનમાં ડિપ્રેશન લાંબું ટકી શકશે નહીં. દરિયો તોફાની છે તે જાણવા છતાં પોતાની હોડીને મુકામ પર પહોંચાડવા તત્પર સાગરખેડુઓને જે જુએ છે તેને પોતાના મનની ઉદાસીના ખાબોચિયામાં જ પડ્યા રહેવાનું ગમે નહીં. વહાલા મુનિવર, તમે તમારા અંતરાત્માને પૂછો : “હું સાધુ છું ને? એક સાધુ તરીકે મારામાં જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે, તેનો મેં શું ઉપયોગ કર્યો? મારા સાથી, મારા પરિચિત મુનિઓની ઉદાસી દૂર કરી? શું તમારા પરિચયમાં આવનારાં જીવાત્માઓને આત્મજ્ઞાનનો પ્રકાશ આપ્યો? શું એમને શાન્તિસમતા અને પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો?” સુજ્ઞ મુનિવર, તમારા કુંડાળાની બહાર બીજાં પણ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સાથે તમારી સગાઈ છે, તમારો સંબંધ છે - શું એ વાત તમે જાણો છો ને? પરમાત્માના ચતુર્વિધ સંઘમાં એ બધાંનો સમાવેશ છે! આ ચતુર્વિધ સંઘનો નાતો સર્વશ્રેષ્ઠ નાતો છે, આ વાત ન ભૂલશો. વિદ્વાન મુનિરાજ, તમારામાં ઘણી બધી રચનાત્મક ગુંજાશ છે તેને શોધી કાઢો. તેને અનુરૂપ તમે નવાં જીવનધ્યેયો નક્કી કરો. એ જીવનધ્યેયોને દઢતાથી અનુસરો. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એની સાથે સાથે તમે તમારા મનને ઔષધ અને ખોરાક આપો. એ ઔષધ ને ખોરાક છે ઈષ્ટ-પરમાત્માનું સ્મરણ અને ચિંતન. તમારા શ્રદ્ધેય તીર્થંકર પરમાત્માનું ખૂબ સ્મરણ કરતા રહો અને એમની કૃપાને પાત્ર બનતા રહો. મુનિવર, એક અગત્યની વાત કરું, તમારી સાથે રહેનારાં-જીવનારાં મુનિવરોની ભૂલોને માફ કરતા રહો. એમને ક્ષમા આપતા રહો. એમની સાથે સ્નેહભર્યું સાહચર્ય સ્થાપિત કરો, એમના જીવનમાં રસ લેવાનું શરૂ કરો. તમારા પ્રત્યે આંતર પ્રીતિ છે; માટે આ પત્ર લખ્યો છે. ખાસ તો આ ‘શામ્યશતક’ વાંચી જવા - વિચારી જવા તમને લખવું જ હતું, ત્યાં તમારો પત્ર આવ્યો! એટલે વિસ્તૃત પત્ર લખાઈ ગયો! તમે મારા સ્વાસ્થ્યની ચિંતા કરો છો, એ સ્વાભાવિક છે. ચિંતાજનક સ્વાસ્થ્ય નથી. ખૂબ સ્વસ્થતા ને પ્રસન્નતા છે. આ અંગે તમને અવસરે પત્ર લખીશ, મારા યોગ્ય સેવાકાર્ય લખજો. જલદી સ્વસ્થ બનો, એ જ કામના. For Private And Personal Use Only (તસૂરિ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ ह्रीँ अहँ नमः “પીઠ અનભવી શ થાલા' श्री विजयसिंहसूरि-विरचित साम्यशतक For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अहंकारादिरहितं निछद्मसमतास्पदम् । आद्यमप्युत्तमं किंचित् पुरुष प्रणिदध्महे ।।१।। અર્થ: અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ, અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. : વિવેચન આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, એક શ્રેષ્ઠ પૂર્ણ પુરુષનું ધ્યાન કરીને ‘સામ્યશતક ગ્રંથનો મંગલ પ્રારંભ કરે છે! પોતાના હૃદયકમળમાં તેઓ એવા આદ્ય અને ઉત્તમ પુરુષને પધરાવીને એમનું ધ્યાન કરે છે. સ્વયંબદ્ધ' એવા સમતાસાગર પૂર્ણ પુરુષને ધ્યેય બનાવે છે. તેઓ સ્વાભાવિક સમતાભાવથી પરિપૂર્ણ હોય છે. કૃત્રિમ સમતા તેમનામાં નથી. હતી. કારણ કે તેમનામાં અહંકાર, અભિમાન, દંભ, માયા-કપટ-રાગવેષ આદિ દોષો નથી હોતા. તેઓ સર્વ દોષોથી મુક્ત હોય છે. સર્વ ગુણોથી યુક્ત હોય છે. ગ્રંથકાર આચાર્યદેવ આવા વીતરાગ અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે. એમને સામ્ય-સમતાના વિષય પર લખવું છે, એટલે તેમણે એવી શ્રેષ્ઠ વિભૂતિમાં નિ છvસમતાનું દર્શન કરી, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીતરાગમાં અનંત ગુણો હોય છે, તેમાંથી એમણે “સ્વાભાવિક સમતા' ગુણનો ખાસ નિર્દેશ કર્યો છે, તે ઘણો સૂચક છે! કારણ કે એમને “સહુ જીવો સમતા પામો...' આ ભાવના અભિપ્રેત છે. માટે જ તેઓ આ ગ્રંથ લખવા તત્પર બન્યા છે. સમતાસાગર વીતરાગ પરમાત્માનું ધ્યાન કરીને, ગ્રંથકાર પોતાના વ્યક્તિત્વને સમતા-ભાવથી રસી દે છે! સમતા-ભાવથી ઓતપ્રોત કરી દે છે. અને આ રીતે તેઓ સ્વયં “યોગી' કક્ષામાં મુકાઈ જાય છે! કારણ કે સામ્ય = સમતા-ગુણ યોગીપુરુષોનો જ વિશિષ્ટ ગુણ હોય છે. સમતાયોગી બનીને તેઓ “સમતાશતક'ની, “સામ્ય શતક'ની રચના કરે છે? For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उन्मनीभूयमास्थाय निर्माय-समतावशात् । जयन्ति योगिनः शश्वदंगीकृत- शिवश्रियः । ॥ २ ॥ સામ્યશતક : અર્થ: માયારહિત સમતાના કારણે ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરીને, હંમેશાં મોક્ષલક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામે છે. :વિવેચન : ‘યોગીપુરુષોનો જય હો!' આ વિશ્વમાં સદૈવ-સર્વત્ર યોગીપુરુષો જ વિજય પ્રાપ્ત કરે છે. ભોગીપુરુષો સદૈવ-સર્વત્ર પરાજય પામતા હોય છે! વિજયનું મૂળ કારણ હોય છે, એમનો સમતાભાવ. માયારહિત સમતાભાવ! એમની સમતા સહજ હોય છે. કોઈ સ્વાર્થ-પ્રેરિત સમતા નથી હોતી, દાંભિક સમતા નથી હોતી. દાંભિક સમત્તા તો તેમને રાખવી પડે કે જેમને કોઈ ભૌતિક કાર્ય સિદ્ધ કરવું હોય. કોઈ સ્વાર્થ-સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય! યોગીપુરુષો તો ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ તરફ ઉદાસીન હોય છે, નિર્મમ હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગ-અનાસક્ત હોય છે! આવી સહજ સમતાથી યોગીને ‘ઉન્મનીભાવ'ની પ્રાપ્તિ થાય છે! बहिरंतश्च समंतात् चिंताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ।। (યોગશાસ્ત્ર, પ્રાશ ૧૨) ‘બાહ્ય અને આંતર સર્વથા ચિંતારહિત અને ચેષ્ટારહિત થયેલા યોગી, તન્મયભાવને પ્રાપ્ત કરી, અત્યંત ‘ઉન્મનીભાવ' ને ધારણ કરે છે.’ આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભય-ભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે! આ રીતે મનનો નાશ થવો, એનું નામ ઉન્મનીભાવ! For Private And Personal Use Only મનનો પ્રેરક-ભાવ અને પ્રેર્ય-ભાવ નષ્ટ થઈ જાય, ચિંતા, સ્મૃતિ વગેરે મનોવ્યાપાર વિલય પામે એટલે નિર્વાત (વાયુ વિનાના) સ્થાનમાં રહેલા દીપકની જેમ આત્મામાં ‘તત્ત્વજ્ઞાન'નો ઉદય થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના, ઉન્મનભાવથી ભેદી નાંખવું જોઈએ, વીધી નાંખવું જોઈએ. આવી અમનસ્કતા (ઉન્મનીભાવ) આવે ત્યારે યોગી પુરુષ પોતાના શરીરને, જાણે વિખરાઈ ગયું, બળી ગયું, ઊડી ગયું... વિલય પામી ગયું.... એમ સમજે. અર્થાત્ શરીરરહિત શુદ્ધ આત્માની અનુભૂતિ કરે. આ રીતે ઉન્મનીભાવરૂપ નૂતન અમૃતકુંડમાં મગ્ન થયેલો યોગી અનુપમ અને ઉત્કૃષ્ટ તત્ત્વામૃતનો આસ્વાદ અનુભવે છે! આવો આસ્વાદ અનુભવે છે ત્યારે “મુ ફેવ માતિ યોજ' - યોગી મુક્તાત્માની જેમ શોભે છે! અથતું મોક્ષલક્ષમી જાણે અંગીકાર કરી હોય, તેવો યોગી શોભે છે. यो जाग्रदवस्थायां स्वस्थ: सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ।।४७ ।। (યોગાત્રે, પ્રકાશ : ૧૨) જાગ્રત અવસ્થામાં, આત્મભાવમાં રહેલો યોગી, લય (ધ્યાન) અવસ્થામાં સુપ્ત રહે છે. આવો લય અવસ્થામાં શ્વાસોચ્છવાસ વિનાનો યોગી, સિદ્ધ-મુક્ત આત્માઓથી જરાય ઊતરતો નથી! લયમાં મગ્ન થયેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા અને ઊંઘતા પણ નથી હોતા! 'तत्त्वविदो लयमग्ना नो जाग्रति शेरते नापि।' આવા યોગી પુરુષો કહે છે : અમારો મોક્ષ થાઓ કે ન થાઓ, પણ ધ્યાનથી પ્રાપ્ત થતો પરમાનન્દ તો ખરેખર, અહીં ભોગવીએ જ છીએ. એ પરમાનંદની આગળ, આ દુનિયાનાં બધાં જ સુખ, તૃણવતુ તુચ્છ છે... માત્ર સુખાભાસ છે!” 'मोक्षोऽस्तु मास्तु यदि वा, परमानन्दस्तु वेद्यते स खलु।' આવા યોગીઓ શું સદૈવ-સર્વત્ર જય ન પામે? For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ સામ્પતક औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।।३।। :અર્થ : દાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! વિવેચન : સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત! -- ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો! યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છે : “હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો! મુક્તિ હવે હાથવેંતમાં સમજો!' યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ ઉદાસીનભાવના કારણો પ્રગટે છે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે : અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને “સમાધિશતક'માં - ૦ ઉદાસીનતા સુખસદન. ૦ ઉદાસીનતા સરલતા. ૦ ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે! For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ।।४।। : અર્થ : સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાત્ત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો; કે જે લયનો મહિમા, આત્માનુભવરૂપ છે. વિવેચન : શું તમારે આત્માનુભૂતિ કરવી છે? શું તમારે આત્માનુભૂતિનો પરમાનન્દ પામવો છે? તો તમે આત્મજ્ઞાનમાં તન્મય બનો! તો તમે આત્મજ્ઞાનમાં લયલીન બનો! આ લય, આ લયલીનતા તમને બ્રહ્માનંદ આપશે! પરંતુ આત્મજ્ઞાનમાં લયલીનતા યોગીપુરુષો જ પામી શકે છે, કારણ કે યોગીપુરુષો જ સમતામૃતના મહાર્ણવમાં સર્વાગીણ સ્નાન કરતા હોય છે.... આવું દિવ્ય સ્નાન કરીને તેઓ ચિત્તને શાન્ત કરતા હોય છે. આત્માનુભૂતિ કરાવનાર લય જય પામો! આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ લય જય પામ! મહત્ત્વની વાત છે સમતામૃતના મહાસાગરમાં સ્નાન કરતા રહેવાની. ગ્રંથકાર આચાર્યદેવ, સમતાને અમૃતનો મહાસાગર કહે છે! એ મહાસાગરમાં સ્નાન કરનાર જ શાન્તિ પામે છે. એટલે કે ચિત્ત-શાન્તિનો રાજમાર્ગ છે સમતાભાવમાં રમણતા. સવ.... ક્ષણેક્ષણ સમતાભાવમાં રહેવાનું તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્ત-શાંતિ જોઈએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો, સમતામૃતના સાગરમાં જ નિમજ્જન કરતા રહો.... ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને “લયની પ્રાપ્તિ થશે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભ્યશતકે आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ।।५।। અર્થ : સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે, એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ (નિષ્કલ) યોગમાં પણ એ જ લય, બ્રહ્મજ્ઞાન માટે બને છે. વિવેચનઃ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી “સમતાશતક'માં આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે : સકલ કલામાં સાર લય, રહો દૂર સ્થિતિ એહ, સકલ યોગમાં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ. આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય છે!” આ વાતને હાલ એક બાજુ રાખીએ, તો પણ, જો આ લય, મન-વચન-કાયાના યોગોમાં આવી જાય તો પણ બ્રહ્મજ્ઞાન પ્રગટી શકે છે. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ગ્રંથકાર લય કહે છે. આવો લય, આવી તલ્લીનતા આવી જાય તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ।। स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ।। (યોગાસરે - ૧૦૦/૧૦૧) ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં ને જાગતાં, રાત્રે કે દિવસે, બધાં જ કાર્યોમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ અર્થાત્ સમભાવ રાખવો જોઈએ. આવો સમભાવ એ પણ “લય' છે! આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે! માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગશતક नित्यानन्द-सुधारश्मेरमनस्ककलामला। अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ।।६।। : અર્થ : નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા, અમૃત (મોક્ષ) નું મૂળ બીજ છે એવી એ શાશ્વત્ કળા જય પામે છે. : વિવેચનઃ જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે, તેમ નિત્યાનંદની નિર્મળ કળા મોક્ષનું બીજ છે! નિત્યાનંદની નિર્મળ કળા છે અમનસ્કતા! આ અમનસ્કતા એટલે ઉન્મનીભાવ. એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય, પછી જ અમનસ્ક ભાવ પ્રગટે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી તો કહે છે : ચિદાનંદ-વિધુકી કલા અમૃતબીજ અનપાય, જાને કેવળ અનુભવી, કિનહિ કહી ન જાય. નિત્યાનંદ એટલે ચિદાનંદ! ચિદાનંદની કલા (અમનસ્કતા) અમૃત-બીજ છે. એને માત્ર અનુભવી જ જાણી શકે છે, એને વાણીમાં - વચનમાં બાંધી ન શકાય! ઉન્મનીભાવ' વચનનો વિષય નથી, અનુભવનો વિષય છે. આ નિત્યાનંદને, આ ચિદાનંદ’ને ‘યોગસાર ગ્રંથમાં “સહજાનંદ કહેલો છે. सहजानन्दता सेयं सैवात्मारामता मता। उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः।। મુનિનો સમભાવરૂપી રસમાં જે લય થાય તે જ સહજાનંદતા છે, તે જ આત્મારામતા છે અને તે જ ઉન્મનીભાવ (મનનો નાશ-ઉદાસીનતા) છે. ગ્રંથકાર મહર્ષિ નિત્યાનંદની આવી શાશ્વત્ કળાની જય બોલાવે છે! એમની સાથે આપણે પણ એ શાશ્વત્ કળાની જય બોલીએ! For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यः कश्चिन्न लयः साम्ये मनागाविर्भून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ ७ ॥ સામ્યશતક :અર્થ મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.’ : વિવેચનઃ લય આત્મજ્ઞાનમાં તન્મયતા સમતામૃતના સાગરમાં સર્વાંગીણ સ્નાન! ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે.... પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધૂરી જ રહી છે. ક્યારે એ ઇચ્છા પૂર્ણ થશે.... ખબર નથી.... મન અકળાય છે.... હૃદય આન્દ કરે છે.... ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? ૦ ખાંડનો સ્વાદ, ૦ મધની મધુરતા, ૦ ભોગસુખની અનુભૂતિ.. જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લય’ને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે! ગ્રંથકાર આચાર્યદેવ, આવા ‘સમતા૨સ'નું વર્ણન કરવા આ ‘સામ્યશતક’ ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. આ કાર્ય ઘણું-ઘણું દુષ્કર છે. For Private And Personal Use Only છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડ્યું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે, તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે! Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य- सेवनम् ।।८।। :અર્થ: વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ (સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે. ૯ વિવેચન : યોગની પરિભાષા આ રીતે કરવામાં આવી છે - क्लिष्टचित्तवृत्तिनिरोधो योगः । ચિત્તની ક્લિષ્ટ-અશુભ વૃત્તિઓનો નિરોધ, તે યોગ છે. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ ન થાય ત્યાં સુધી ચિત્તની અશુભ વૃત્તિઓનો નિરોધ ન થઈ શકે અને ચિત્તવૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી માધ્યસ્થ્યભાવ, સમતાભાવ ન આવી શકે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિઆ અષ્ટાંગ યોગ છે. આ અષ્ટાંગ યોગની સાધનાનું તાત્પર્ય છે સામ્યભાવની પ્રાપ્તિ, માધ્યસ્થ્ય ભાવની પ્રાપ્તિ!ન પ્રિય વિષયોમાં રાગ, ન અપ્રિય વિષયોમાં દે! વિષયોમાં પ્રિયાપ્રિયત્વની કલ્પના જ નથી કરવાની, ‘આ પ્રિય, આ અપ્રિય, આ ઇષ્ટ, આ અનિષ્ટ ...’ આવા વિકલ્પોથી મનને મુક્ત કરવાનું છે. આવા વિકલ્પોથી મન મુક્ત બન્યું, કે માધ્યસ્થ્યભાવ આવ્યો સમજવો! અને માધ્યસ્થ્ય ભાવ આવ્યો એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો સમજવો! વિષયોની આસક્તિથી મુક્ત થવા, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એક શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - ‘જ્ઞાન-ધ્યાન રંગ રોલ!' તમે આત્મ-જ્ઞાનમાં, આત્મધ્યાનમાં રમતા રહો.... બસ, વિષયોમાં મન જશે જ નહીં. જ્ઞાન-ધ્યાનનો રંગ લાગી જવો જોઈએ. અષ્ટાંગ યોગની સાધનાનું ફળ માધ્યસ્થ્યભાવ છે. એ માધ્યસ્થ્યભાવ (સમત્વ) વિષયાસક્તિના ત્યાગથી આવે. વિષયાસક્તિનો ત્યાગ, જ્ઞાન-ધ્યાનની રમણતાથી થાય. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક राग-द्वेष-परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।।९।। અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીચ કહેવાય. તે દાસીય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે. : વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આ આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ લોકનો અર્થ આ રીતે કર્યો છે : અનાસંગમતિ વિષય મેં રાગ-દ્વેષ કો છેદ, સહજભાવ મેં લીનતા, ઉદાસીનતા ભેદ. સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા! સહજભાવમાં લીનતા. તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય, મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ. - વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો. - આજે જે ઇષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે. - મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેપ તાત્ત્વિક નથી. પ્રિય-અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत्। तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ।।१०।। : અર્થ : ખરેખર, તે ઉદાસીનતાનું પવિત્ર બીજ નિર્મમતા છે. માટે યોગીએ અવિલંબ તે નિર્મમત્વ ઉપર મનને આદરવાળું કરવું જોઈએ. : વિવેચન : શું તમારે સહજભાવમાં લીનતા પ્રાપ્ત કરવી છે? તો તમે ઉદાસીનતા આત્મસાત્ કરો. શું તમારે ઉદાસીનતા આત્મસાત્ કરવી છે? તો તમે રાગ-દ્વેષનો નાશ કરો. શું તમારે રાગ-દ્વેષનો નાશ કરવો છે? તો મમત્વનો ત્યાગ કરો, નિર્મમ બનો! આ રીતે નિર્મમતા, ઉદાસીનતાનું નિષ્પાપ બીજ છે. તમે આ બીજભૂત નિર્મમતાને વહાલી કરો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : તાકો કારણ અમમતા તામેં મન વિશ્રામ. કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. અત્યાર સુધી મન મમતામાં વિશ્રામ કરતું હતું, હવે નિર્મમતામાં મન વિશ્રામ કરે.... રમણતા કરે. તો ઉદાસીનતાનો આત્માની ક્ષિતિજે ઉદય થાય, મમત્વ દૂર થાય, આસક્તિનાં બંધન તૂટે... તો આત્મા “આતમરામ' બને! આત્મામાં આરામ કરનારો બને... તો જ આત્માનો આનંદ અનુભવનારો બને. મનને અનાસક્તિ ગમી જવી જોઈએ. આસક્તિ-વિષયાસક્તિ પ્રત્યે તીવ્ર અણગમો જાગી જવો જોઈએ. અનાસક્તિનો પ્રેમ તમને વિરાગી બનાવશે, તમને ઉદાસીન બનાવશે અને તમે સહજભાવમાં લીન બની શકશો. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતક विहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ।।११।। : અર્થ : વિષયોના સમૂહનો ત્યાગ કરી, પોતાના આત્મામાં મનને રમાડતો ઉત્તમ યોગી, નિર્મમત્વના સુખનો સ્વાદ લઈ આનંદ પામે છે. વિવેચન : ભોગી મમત્વમાં સુખાસ્વાદ કરે છે, યોગી નિર્મમત્વના સુખનો આસ્વાદ કરે છે! મમત્વનો સુખાસ્વાદ ક્ષણિક આનંદ આપે છે. નિર્મમત્વનો સુખાસ્વાદ પરમાનંદ પ્રદાન કરે છે.... એ આનંદનો અંત જ નથી આવતો! પાંચ ઇન્દ્રિયોના બધા જ વિષયોનો ત્યાગ કરવાનું કહે છે. એકાદ ઇન્દ્રિયના એકાદ વિષય પર પણ જો મમત્વ રહે તો આત્મામાં મન રમતું થતું નથી.... વારંવાર એ વિષયમાં ચાલ્યું જાય છે. એકાદ પણ વિષય પ્રત્યે મમત્વ ન રહેવું જોઈએ. એક પણ શબ્દ નહીં, એક પણ રૂપ નહીં, એક પણ ગંધ નહીં, એકાદ પણ રસ નહીં... ને એકાદ પણ સ્પર્શ નહીં એકેય પર મમત્વ નથી રાખવાનું, આસક્તિ નથી રાખવાની. વિષયો માટે મન મરી જવું જોઈએ! આત્મામાં, આત્માના અનંત ગુણોમાં મનને રમતું રાખવાનું છે. એ આત્મરમણતામાંથી સુખાનુભૂતિ પ્રગટે છે.... પરમાનંદની ધારા વહેવા માંડે છે! આ સ્થિતિ ઉત્તમ યોગીપુરુષની હોય છે. “મમતા' અને “નિર્મમતા' માટે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : મમતા થિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ, મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂળ. મમતા ડાકણ છે! સ્થિર સુખને ગ્રસી લે છે. જ્યારે નિર્મમતા તો પરમ સુખનું મૂળ છે. મમતા મોક્ષપ્રાપ્તિમાં પ્રતિકૂળ છે, નિર્મમતા અનુકૂળ હોય છે.' માટે, મમત્વનો સર્વથા ત્યાગ કરવાનો છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સભ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ येऽनिशं समतामुद्रां विषयेषु नियुञ्जते । करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः । १२ ।। : અર્થઃ જે યોગીપુરુષો વિષયો (ઇન્દ્રિયોના)માં સદૈવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગી પુરુષો, ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. : વિવેચન : જેમ એક દેશના ઐશ્વર્યના, સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા (મહોરછાપ) સ્થાપિત કરે છે, અને દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે, તેવી રીતે યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા, તે વિષયો ૫૨ સમતાની મુદ્રા સ્થાપિત કરે છે! ‘વિષય’ શબ્દના બે અર્થ ગ્રંથકારે કર્યા છે. એક દેશ, અને બીજો ઇન્દ્રિયોનો વિષય. કહેવાનું તાત્પર્ય આ છે : અત્યાર સુધી ઇન્દ્રિયો આત્મા પર રાજ કરતી હતી, હવે આત્માએ ઇન્દ્રિયો પર રાજ કરવાનું છે. ઇન્દ્રિયો પર અધિકાર સ્થાપિત કરવાનો છે. તે માટે તેણે એક કામ ક૨વાનું છે. વિષયોમાં સમત્વ ધારણ કરવાનું છે! - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટાનિષ્ટની ભ્રાન્તિનો નાશ થાય એટલે અપ્રતિહત સમતાની અનુભૂતિ થાય. દરેક જીવ શુદ્ધાત્મસ્વરૂપે દેખાવા લાગે, દૈવિધ્યની કલ્પના ઉ૫૨મે ત્યારે અબાધિત સમતાની પ્રાપ્તિ થાય. For Private And Personal Use Only - ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય આ છે : વિષયોમાં રાગ-દ્વેષ ન કરો, સમત્વ ધારણ કરો. ભોગી જીવો પર ઇન્દ્રિયોની સત્તા ચાલતી હોય છે, યોગી જીવો ઇન્દ્રિયો પર પોતાની સત્તા ચલાવતા હોય છે! ‘આ યોગીપુરુષો ઇન્દ્રિયોના વિજેતા છે,' આ વાત, વિષયો પર લાગેલી સમત્વની મુદ્રા (મોરછાપ) થી ઉદ્ઘોષિત થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સામ્યશતક ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्य-दर्शनप्रतिभूः परम् ।।१३।। :અર્થ : મમતાની વાસના શાશ્વત સુખને વિદાય કરવામાં પટરૂપ છે, અને નિર્મમતા કેવલ્ય - દર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે. વિવેચનઃ મમતાનો ઘંટ વાગ્યો એટલે આંતરસુખ ભાગ્યું સમજો! નિર્મમતા આવી એટલે નિશ્ચિતપણે માનો કે કેવલ્ય હાથવેંતમાં છે! નિર્મમ આત્માની મુક્તિ થતાં વાર નથી લાગતી. મમતાની સાથે રાગ-દ્વેષ જોડાયેલા જ હોય છે. રાગ-દ્વેષ હોય ત્યાં આંતરિકમાનસિક સુખ ન રહી શકે. રાગ-દ્વેષી જીવાત્મા હંમેશાં આંતર દ્વન્દ્રોમાં ફસાયેલો રહે છે.... આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક, હાસ્ય અને વિલાપ.... રતિ અને અરતિ.... આવાં અનેક ધંધો એના ચિત્તમાં ઊછળ્યા કરતાં હોય છે. આવા ચિત્તમાં શાન્તિ, સમતા કે પ્રસન્નતા કેવી રીતે રહી શકે? મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ નથી રહી શકતું, તો પછી નિત્ય સુખની, શાશ્વત્ સુખની તો વાત જ ક્યાં કરવાની? માટે નિર્મમ બનવાનો ઉપદેશ આપવામાં આવે છે. ન ' મારું કાંઈ નથી. આ દુનિયામાં કોઈ મારું નથી, કાંઈ જ મારું નથી.' આ સત્ય આત્મસાત્ કરવાનું છે. ૦ સ્વજનો મારા નથી. ૦ પરિજનો મારા નથી. 0 વૈભવ, સંપત્તિ.... ધન મારું નથી. 0 આ શરીર પણ મારું નથી. જડ-ચેતન પદાર્થો પર મારેલી મારાપણાની છાપ ભૂંસી નાંખવાની છે. જ્યારે મમત્વની છાપ સંપૂર્ણ રીતે ભૂંસાઈ જશે ત્યારે કેવળજ્ઞાન દૂર નહીં હોય, મુક્તિ દૂર નહીં હોય. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભ્યશતક भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ।।१४ ।। : અર્થ : આ જગતમાં અતિ આસક્તિ, તે જ તૃષ્ણારૂપ જ્વરનો મોટો ભાર છે. તે વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ પધનો ઉપયોગ કરવો જોઈએ. : વિવેચનઃ અતિ આસક્તિ એ જ તૃષ્ણા છે. તૃષ્ણા જ્વર છે, તાવ છે. તીવ્ર જ્વરથી વ્યથિત મનુષ્યનું શરીર ભારેભારે લાગે છે, માથું પણ ભારે લાગે છે, દુઃખે છે. તૃષ્ણા, વિષયતૃષ્ણા.. ભોગતૃષ્ણાથી જીવાત્મા તપી જાય છે, ભારેખમ બની જાય છે. વિષયતૃષ્ણાનો તીવ્ર તપારો જીવને હેરાન-પરેશાન કરી મૂકે છે. તેમાંય જ્યારે અનેક વિષયોની, અનેક પદાર્થોની તૃષ્ણા જાગે છે.. ત્યારે તો જીવની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જતી હોય છે. શરીર-શાતાની તૃષ્ણા, પ્રિય ભોજનની તૃષ્ણા, પ્રિય શબ્દની તૃષ્ણા, પ્રિય સ્પર્શની તૃષ્ણા, યશકીર્તિની તૃષ્ણા, માન-સન્માનની તૃષ્ણા, ધન-સંપત્તિની તૃષ્ણા, પુત્ર-શિષ્યાદિની તૃષ્ણા.... આવી બધી તૃષ્ણાઓ ૧૦૫ ડિગ્રીના જવર હોય છે... જીવો તરફડતા હોય છે. જીવોનો આ દુઃખપૂર્ણ તરફડાટ જોઈને જ્ઞાની પુરુષ, એ જવરને દૂર કરવાનું અમોઘ ઔષધ બતાવે છે ઃ નિર્મમત્વ! તૃપાનો તાવ ઉતારવા માટે નિર્મમત્વનું ઔષધ લેવું પડે. આ જેવું તેવું ઔષધ નથી, અમોઘ ઔષધ છે અને આ જ એક-અદ્વિતીય ઔષધ છે. તૃષ્ણાના તાવને ઉતારવા માટે બીજું કોઈ ઔષધ નથી. જો તમે તૃષ્ણાના જવરથી પીડાઓ છો તો તમે જરાય વિલંબ કર્યા વિના નિર્મમત્વનું પધ લઈ લો. એનું નિત્ય સેવન કરો. તમે જ્વરમુક્ત બનશો, નીરોગી બનશો. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ www.kobatirth.org पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ।।१५ । । ઃઅઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir :વિવેચનઃ અહો! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે. (અર્થાત્ સમાપ્ત થાય છે.) પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે. સામ્યશતક ૦ મનુષ્યનાં સુખની સીમા હોય છે. ૦ દેવોનાં સુખની પણ સીમા હોય છે. ૦ સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે. ૦ પશુઓનાં દુઃખોની સીમા હોય છે. ૦ નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે.... પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળજ્ઞાનમાં, વીતરાગતામાં.... અને અંતે મુક્તિમાં. અર્થાત્ નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે. નિર્મમત્વના સુખ સિવાયનાં બધાં જ સુખના રેલા સહરાના રણ જેવા સંસારમાં વિલીન થઈ જાય છે. મમત્વજન્ય સુખો ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે.... વાસ્તવમાં તો એ સુખ હોતાં જ નથી, સુખાભાસ હોય છે. મમત્વજન્ય સુખાભાસોમાં મૂઢ બનેલા જીવો, નિર્મમત્વના સુખની કલ્પના પણ કરી શકતા નથી. તેમને આશ્ચર્ય થાય છે : ‘નિર્મમત્વમાં શું સુખ હોય? નિર્મમત્વમાં સુખ હોઈ જ શકે નહીં!' આવા જીવો જન્મથી માંડીને મૃત્યુ સુધી ભિન્ન-ભિન્ન મમત્વ કરતા રહે છે.... સુખાભાસોમાં અટવાયા કરે છે અને દુઃખ, અશાન્તિ, ક્લેશ તથા સંતાપની આગમાં બળ્યા કરે છે. For Private And Personal Use Only મમતાનો ત્યાગ કરીને આંતરસુખનો એકાદવાર અનુભવ કરી જુઓ! એના જેવું સુખ તમે ક્યાંય કે ક્યારેય અનુભવ્યું નહીં હોય! Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યશતક ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ।।१६।। : અર્થ : મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વેરાગ્યના અમૃતસિચનથી સચેત કરે છે. :વિવેચન : આ તો હૃદયની વાત છે, અંત:કરણની વાત છે! ભલે એ યોગીનું હૃદય હોય, યોગીનું અંતઃકરણ હોય! ક્યારેક મમત્વનો ઝેરી ઝંઝાવાત એ હૃદયને મૂછિત કરી શકે છે, અંતઃકરાને મોહમૂઢ કરી શકે છે. આ સંસાર છે.... સંસારમાં મમતાના ઝેરી વાયરા વાતા જ હોય છે. એ વાયરાઓના ઝપાટામાં ક્યારેક યોગી-મુનિ પણ ઝડપાઈ જતા હોય છે. પરંતુ યોગી જાગ્રત હોય છે. એને ખ્યાલ આવી જાય છે પોતાના હૃદયનો, એના ઉપર થયેલી મમત્વની ઝેરી અસરનો અને તરત જ તેનો ઉપચાર આરંભી દે છે! એ ઉપચાર છે વૈરાગ્યચિતનનો. વૈરાગ્યનું ચિંતન એટલે અમૃતસિચન! મૃતપ્રાયઃ બનેલી અંતઃ ચેતનાને વૈરાગ્યનું અમૃતસિચન મળે એટલે અંતઃચેતના આળસ મરડીને બેઠી થઈ જાય છે. વૈરાગ્યના ચિંતનના મુખ્ય ચાર વિભાગો પાડી શકાય : - મમત્વ જો સ્વજનવિષયક હોય તો એકત્વભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો પરિજનવિષયક હોય તો અશરણ ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો વૈભવ-સંપત્તિવિષયક હોય તો અનિત્ય ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો શરીર-વિષયક હોય તો “અશુચિ' ભાવનાનું ચિંતન કરાય. આ રીતે અન્યત્વ અને સંસાર ભાવનાઓનું ચિંતન કરી શકાય. આ ભાવનાઓનું ચિતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. વૈરાગ્ય ચિંતનથી મમત્વના ઝેરની અસર દૂર થાય છે. હૃદય-અંત:કરણપૂર્વક સ્વચ્છ ને સ્વસ્થ બને છે. એમાં નિર્મમત્વ પુનઃ પ્રસ્થાપિત થાય છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ સાગ્યશતક विरागो विषयेष्वेषु परशुर्भवकानने। समूलकाषं कषित ममता-वल्लिरुल्बण: ।।१७।। : અર્થ : વિષયો પ્રત્યે પ્રગટેલો વેરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાખે છે. :વિવેચન : परिणति विषय-विरागता भवतरुमूलकुठार, ता आगे क्युं करी रहे, ममता-वेलि प्रचार. - उपा. यशोविजयजी ‘વિષય-વૈરાગ્ય ' કુહાડો છે. એ કુહાડાથી મમતાની વેલને મૂળમાંથી ઉચ્છેદી નાંખો, ભવ-વનમાં ઠેર-ઠેર મમતાની વેલો ઊગી નીકળે છે. એ મમતાનું ઝેર ફેલાય, એ પૂર્વે એ વેલનો વિચ્છેદ કરી દો. જેવી રીતે કઠિયારો પોતાના ખભે કુહાડો રાખીને ફરતો હોય છે. જંગલમાં, તેવી રીતે યોગી પણ ભવના જંગલમાં પોતાના ખભે વિષયવૈરાગ્યનો કુહાડો રાખીને ફરે. જ્યાં મમતાની વેલ દેખાય, મૂળમાંથી એનો વિચ્છેદ કરી નાંખે. એ વિષય-વૈરાગ્ય “પરિણતિ' રૂપ જોઈએ. પરિણતિ-વૈરાગ્ય એટલે તીણ-ધારદાર કુહાડો! આ કુહાડો બુઠ્ઠો ન થાય. એ કુહાડાનો ધા નકામો ન જાય. પરિણત વૈરાગ્ય એટલે જ્ઞાનમૂલક વૈરાગ્ય, જ્ઞાનજન્ય વિરક્તિ. રામચન્દ્રજી જ્યારે રામચન્દ્રમુનીશ્વર બન્યા, જે ગલમાં પાષાણશિલા પર ધ્યાનસ્થ બન્યા. સીતેન્દ્ર (સીતાનો જીવો એમને વિચલિત કરવા આવ્યા. અપ્સરાઓનાં ગીતનૃત્ય થવા લાગ્યાં... ચારે બાજુ વસંતઋતુની બહાર ફેલાઈ ગઈ.... પરંતુ મહામુનિ રામચન્દ્રજીના હૃદયમાં વૈરાગ્યની પરિણતિ હતી. મમત્વ સો ગજ દૂર રહ્યું! તેઓ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતાભાવમાં સ્થિર થઈ ઘાતી કર્મોને હણી નાંખ્યાં. સર્વજ્ઞ-વીતરાગ બની ગયા. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ સામ્યશતક शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ।।१८।। : અર્થ : અહો! સંસાર-વાસના કેવી દુસ્તર છે! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વિતરણી હંમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી. સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની. મહાધીન જીવાત્મા દેહને -- શરીરને જ સર્વસ્વ માને છે; એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસક્તિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્તિ છોડતો નથી. દેહાસક્ત જીવાત્મા સમજતો નથી કે - આ દેહ નાશવંત છે, - આ દેહમાં અશુચિ ભરેલી છે, - આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી. આ દેહાસક્તિ, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વિભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે.... માન-સન્માનનો ત્યાગ કરી શકે છે.... પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે. ૦ મારું શરીર રોગી ન બનવું જોઈએ. ૦ મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. 0 મારું શરીર ગંદું ન રહેવું જોઈએ! આવી બધી વાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસક્તિ છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી.. કારણ કે સંસારવાસના વૈતરણી છે! અને તે દૂસ્તર છે! For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતક अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते। अहंकारभवात्तेषां यदंधकरणं श्रुतम् ।।१९।। : અર્થ: અહો! અહંકાર ઉત્પન્ન થવાથી વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. :વિવેથન: हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, यो केवल श्रुतअंधता अहंकार को मूल ।। - ૩૫. યશોવિનયની તમે વિદ્વાન છો? શું શાસ્ત્રોના જ્ઞાતા છો? ભલે, પરંતુ શું તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે.. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.... મોહનો અંધાપો. વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્ષ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ છે. જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાનાં છે, શું તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? શું તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય? અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય.... એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાનને અંધ કરી દે છે..! For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક ૨૧ श्रुतस्य व्यपदेशेन विवर्तस्तमसामसौ । अंत: संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ।।२०।। : અર્થ : જે શ્રુતના અભિમાનથી અંદર અજ્ઞાનરૂપી અંધકારનો વિસ્તાર ઉદય પામે, તે શાસ્ત્ર નથી, પરંતુ શાસ્ત્રના બહાને અજ્ઞાનરૂપી અંધકારનું રૂપાંતર છે. :વિવેચન : मोहतिमिर मनमें जगे, याके उदय अछेह, अंधकार परिणाम है, श्रुतके नामे तेह। - उपा. यशोविजयजी પ્રકાશથી ઝળહળતા દીપક ઉપર કાળો કાગળ લપેટી દેવામાં આવે તો? દીપક પ્રકાશ આપે કે અંધકાર? એવી રીતે, શ્રુતજ્ઞાન ઉપર અભિમાનનો કાળો કાગળ લપેટાઈ જાય એટલે શ્રુતજ્ઞાનથી અજ્ઞાનનો અંધકાર જ ફેલાય! ભીતરમાં મોહતિમિર જ પ્રસરે. ગ્રંથકાર, શાસ્ત્રોના જ્ઞાન ઉપર અભિમાન કરવાની ના પાડે છે. તેઓ સાવધાન કરે છે : જો જો, જ્ઞાન પર અભિમાન ન કરતા, નહીંતર તમારું અંતઃકરણ મહાન્ધકારથી ભરાઈ જશે! જો અભિમાન નહીં કરો તો શ્રુતજ્ઞાન તમારા હૃદયને પ્રકાશથી ભરી દેશે. અભિમાનથી આવરાયેલું શ્રુતજ્ઞાન, અજ્ઞાનના અંધકારરૂપ જ છે. એ જ્ઞાન, જ્ઞાનરૂપ નથી રહેતું, અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. હું વિદ્વાનું છું, હું જ શાસ્ત્રજ્ઞાની છું..... હું જ શાસ્ત્રાર્થ જાણું છું.... મારા જેવો બીજો કોઈ શાસ્ત્રજ્ઞ નથી....... આ છે અભિમાનનો કાળો કાગળ! આ છે શ્રુતમદ; જ્ઞાનનું અભિમાન. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાની પુરુષ વિનમ્ર બને. વિનમ્રતાના કાચમાંથી ચળાઈને આવતો શાસ્ત્રજ્ઞાનનો પ્રકાશ, મોહાંધકારનો નાશ કરે છે. આત્મજ્ઞાનની કેડી બતાવે છે. પરમાનંદ પામવાનો પંથ બતાવે છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ સામ્પશતક केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ।।२१।। : અર્થ : કેટલાક વિદ્વાનોનું જ્ઞાન, મોહથી વાદ-વિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ, સંનિપાત-રોગ ઉત્પન્ન કરે છે. વિવેચન : करे मूढमति पुरुषकुं, श्रुत भी मद भय रोष, ज्यु रोगीके खीर घृत, सन्निपात का पोष। - ૩૫. યશોવિજયની ઘી-દૂધનો આહાર મનુષ્યની તુષ્ટિ-પુષ્ટિ કરનાર હોય છે. પરંતુ જો એ આહાર બીમાર મનુષ્યને આપવામાં આવે તો એને સંનિપાત જેવો રોગ થઈ જાય છે. મનુષ્યની બીમારી વધી જાય છે. એવી રીતે, શ્રુતજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાનર્થી મનુષ્યના મોહ, રાગ, દ્વેષ દૂર થતા હોય છે, આત્માનું કલ્યાણ થતું હોય છે, પરંતુ જો મનુષ્ય એ શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે એ શાસ્ત્રજ્ઞાનથી બીજાઓને વાદવિવાદમાં હરાવવાનો પ્રયત્ન કરે.... તો એ શાસ્ત્રજ્ઞાન અને ભવસાગરમાં ડુબાડનારું બને છે. શ્રુતજ્ઞાનથી તો અહંકાર અને તિરસ્કારનો નાશ કરવાનો છે. એ જ શ્રુતજ્ઞાનથી જો વિદ્વાનો અહંકારી બનીને, બીજાઓનો તિરસ્કાર કરે, બીજાઓ સાથે વિતંડાવાદ કરે, તો એ “સંનિપાત-રોગ' જ છે ને? આમે ય અભિમાની-અહંકારી પુરુષને શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન માટે અયોગ્યઅપાત્ર કહેવામાં આવ્યા છે. આવા પુરુષો શ્રુતજ્ઞાનની પરિણતિ પામી શકતા નથી. શ્રુતજ્ઞાનનો આંતરિક આનંદ અનુભવી શકતા નથી. એમનો આનંદ, એ જ્ઞાનથી વાદ-વિવાદ કરવામાં જ સમાયેલો હોય છે. આવા જ્ઞાની પુરુષો કરતાં અજ્ઞાની પુરુષો સારા હોય છે! કારણ કે તેઓ પોતાને અજ્ઞાની માને છે, તેથી અભિમાન નથી કરતા કે બીજાઓનો તિરસ્કાર નથી કરતાં. મૂઢમતિ લોકો, શાસ્ત્રજ્ઞાનથી સ્વ-પરનું હિત નથી કરતા, અહિત કરે છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતકે ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ।।२२।। : અર્થ : મમતાના કાદવને ચારેબાજુથી નિઃશંકપણે ઘોઈ નાંખવા વેરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થાઓ. :વિવેચન : टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक । - ઉપા. યશોવિજયજી. મનમાં કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો... જરાય મમત્વને ન રહેવા દો..., ચારેબાજુથી ધોઈ નાંખો... કારણ કે સર્વે દુખોનું મૂળ કારણ આ મમત્વ જ છે. મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહી! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જ્યારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો. કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય.... આ સારું છે, આ મારું છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઈષ્ટ છે....' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો! મમત્વનો કાદવ ધોવાઈ જશે... હૃદય સ્વચ્છ બની જશે. આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાક્તરને શાંત કરે છે અને તૃષ્ણાની તૃપાને હરી લે છે! સદૈવ વૈરાગ્ય-જલના કુંભ તમારી પાસે જ રાખો. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સાયશતક रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः । न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ।।२३।। અર્થ : રાગ-સર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરા પણ ચૈતન્ય પામતો નથી. :વિવેચન : રાગનો સર્પ તીવ્ર વિષની જ્વાળાઓ ઓકે છે. એ તીવ્ર વિષ-વાળાઓથી આત્માનો વિવેક' બળી જાય છે. આત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. - રાગને ભયંકર ઝેરીલો સાપ સમજો. - આ સાપ નિરંતર ઝેર ઓકતો રહે છે. - એ ઝેરની ભયાનક જ્વાળાઓ જે જીવને સ્પર્શે છે, તેનો વિવેક તત્કાલ ભસ્મીભૂત થઈ જાય છે. - એ જીવાત્માનું ચૈતન્ય હણાઈ જાય છે. ગ્રંથકાર, રાગની ભયાનકતા સમજાવે છે. જડ-ચેતન પદાર્થો પર રાગ કરવાની ના પાડે છે. “રાગને “ઝેરી સર્પ” કહીને, એનાથી દૂર રહેવા પ્રેરણા આપે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ જે “વિવેક' છે, એ વિવેકને રાગ નષ્ટ કરી દે છે. આ એક બહુ મોટું નુકસાન બતાવે છે. કારણ કે “વિવેક વિના ચૈતન્ય નહીં' - આ એક મોટું સત્ય ઉજાગર કરે છે. “વિવેક નહીં તો ચૈતન્ય નહીં' - આ સત્યને પ્રગટ કરીને ગ્રંથકાર “વિવેકને બચાવી રાખવાની તાકીદ કરે છે. તે માટે રાગ-સર્પથી દૂર રહેવા સાવધાન કરે એક વાત સદૈવ સ્મૃતિમાં રાખો : રાગ, હડકાયો કૂતરો છે. એ ભસતો નથી અને પાછળથી આવીને કરડે છે! રાગ, એવો ઝેરી સાપ છે કે જે ફૂંફાડા મારતો નથી... ગેલ કરતો-કરતો આવે છે ને ડંખ દે છે. માટે રાગથી દૂર રહો. રાગ ન કરો. આસક્તિ - મમતા અને વાસનાથી બચો. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः | विनयस्व स्वयं रागभुजंगम-महाविषम् ।।२४ ।। : અર્થ : (હે આત્મ) તું સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગ-સર્પના તીવ્ર વિષને દૂર કર. :વિવેચન : કરુણાવંત જ્ઞાની પુરુષો આટલું સમજાવે છે, છતાં રાગને પરવશ બનીને, વિવેકભ્રષ્ટ બનેલા.... ચૈતન્ય માટે તરફડતા જીવોની, એ જ્ઞાની પુરુષો ઉપેક્ષા નથી કરતા, તેમના ઉપર કરુણા કરીને કહે છે : ‘હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે; દેવ-ગુરુનું સાંનિધ્ય છે, માટે નીરોગી-નિરામય બનવાની તક છે. રાગના તીવ્ર વિષનો નાશ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુદ્રમાં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઊતરી ન જાય ત્યાં સુધી સ્નાન કર્યું જ જા. એક ક્ષણ એવી આવશે, જ્યારે રાગનું ઝેર ઊતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે.... અને તું મોક્ષમાર્ગ પર દોડવા લાગીશ.” સાર-અસારનો, ધર્મ-અધર્મનો, પુણ્ય-પાપનો, હેય-ઉપાદેયનો, સમ્યક્તમિથ્યાત્વનો અને આચાર-અનાચારનો વિવેક જાગ્રત જોઈએ. આ વિવેક જ આત્માનું સાચું ચૈતન્ય છે. અસારને સાર માનશો નહીં, અધર્મને ક્યારેય ધર્મ સમજશો નહીં, પાપને ક્યારેય પુણ્ય કહેશો નહીં, હેયને ક્યારેય ઉપાદેય માનવાની ભૂલ કરશો નહીં, મિથ્યાત્વને ક્યારેય સમ્યક્નમાં આરોપશો નહીં, અનાચારોને કદીય આચારોમાં ખપાવશો નહીં. આવી ભૂલો રાગનું ઝેર ફેલાવે છે. માટે રાગનું ઝેર વહેલી તકે ઉતારી નાંખવા જ્ઞાની પુરુષો પ્રેરણા આપે છે. રાગની સંવાળી ધરતી પર ચાલતાં લપસી ન પડાય - એની ખૂબ કાળજી રાખવાની છે. આ સંસાર છે! રાગની ધરતી પર ચાલવું પડે.... ત્યાં ખૂબ સાવધાનીથી પગલાં મૂકજો! For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बहिरंतर्वस्तुतत्त्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ।। २५ ।। :અર્થઃ બહારની અને અંદરની વસ્તુના તત્ત્વને જોનાર અને ક્યારેય નાશ નહીં પામનાર એવો વિવેક, ત્રીજું લોચન છે, એમ જાણવું. વિવેચન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘સમતાશતક'માં કહે છે : रागभुजंगम - विष हरन, धारो मंत्र विवेक, ભવ-વન-મૂલ એેવવું, વિત્તસે યાયી ટેજ ।। સાયાતક રાગ-વિષધરનું વિશ્વ ઉતારવા માટે ‘વિવેક’-મંત્રનો જાપ કરો! - · ભવ-વનના મૂળનો ઉચ્છેદ કરવા વિવેકની કુહાડી હાથમાં લો! આગળ વધીને તેઓ વિવેકને ત્રીજું નેત્ર કહીને, એ નેત્રથી અંતરના ભાવોને પ્રકાશિત કરવા માટે કહે છે. તે માટે કહે છે : ‘રો ધંધ સવ રિંદરી, વિવેવ્ઝ અભ્યાસ બીજાં બધાં કામ છોડીને, એક માત્ર વિવેકનો અભ્યાસ કરો. કારણ કે વિવેક અનશ્વર અવિનાશી ત્રીજું નેત્ર છે! આ વિવેક-નેત્રથી જ બાહ્ય અને આંતરિક વસ્તુતત્ત્વને જોઈ શકાય છે, વાસ્તવિકરૂપે જોઈ શકાય છે! – ચર્મચક્ષુ તો માત્ર બહારની વસ્તુઓને જોઈ શકે છે, વિવેકચક્ષુ બહારનાં અને ભીત૨નાં વસ્તુતત્ત્વને જુએ છે. - ચર્મચક્ષુ (આંખો) તો રોગથી નાશ પામી શકે છે, જ્યારે વિવેક-ચક્ષુ તો અનશ્વર છે! નાશ પામતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે રાગદશાનો નાશ કરવા માટે મનુષ્ય વિવેકી બનવું જ પડે. વિવેકી મનુષ્ય જ રાગદશાને ટાળી શકે છે. માટે વિવેકને પ્રાપ્ત કરવો જોઈએ. પ્રાપ્ત કરેલા વિવેકને જાળવી રાખવો જોઈએ. વિવેકને બધાં તત્ત્વો કરતાં મૂલ્યવાન સમજવો જોઈએ. બધું ચાલ્યું જાય તો ભલે જાય, પરંતુ વિવેકને જવા દેવો ન જોઈએ. For Private And Personal Use Only આ રીતે ગ્રંથકાર, રાગનો નાશ કરવાનું કહીને; હવે દ્વેષનો નાશ કરવાનો ઉપદેશ આપે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાક્ષશતક ૨૭ उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात्। धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः ।।२६ ।। : અર્થ : ઉદ્ધત રીતે ચાલીને દ્વેષરૂપ હાથી, પોતાના બળથી ધર્મરૂપી બગીચાને ભાંગી નાખે છે. માટે કર્મોને જીતનારા (જીતવાનો પ્રયત્ન કરનારા) પુરુષોએ તે શ્રેષરૂપ હાથીને વશ રાખવો જોઈએ. .: વિવેચન : દ્વેષ, ઉન્મત્ત હાથી છે. ઈર્ષા, રોષ, પરિવાદ, મત્સર, અસૂયા... આ બધા દ્રષના જ પર્યાયો છે. આ બધા, દારૂ પીધેલા હાથી જેવા ઉન્મત્ત દોષો છે. રાજમાર્ગ પર આવો ઉન્મત્ત હાથી દોડતો આવતો હોય, ત્યારે એ શો અનર્થ ના કરે ? શું નુકસાન ન કરે ? ગ્રંથકાર કહે છે એ ધર્મના સુંદર બગીચાનો નાશ કરી નાંખે છે. ધર્મ, એ સુંદર બગીચો છે. દાન, શીલ, તપ, ભાવ-આ બધા ધર્મ છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ - આ બધા ધર્મ છે. દ્વેષ આ ધર્મોનો નાશ કરી નાંખે છે. જો તમારે કમ પર વિજય મેળવવો છે; એ માટે તમે પ્રયત્નશીલ છો, તો તમારે સર્વપ્રથમ હેપ પર વિજય મેળવવો પડશે. હેપરૂપ ઉન્મત્ત હાથીને વશ રાખવો પડશે. તે માટે – - તમારે કોઈ જીવની ઈર્ષ્યા નહીં કરવાની, - કોઈ જીવ પ્રત્યે રોષ નહીં કરવાનો. - કોઈ જીવની નિંદા નહીં કરવાની.... - કોઈ જીવ પ્રત્યે વેરની ગાંઠ નહીં બાંધવાની! - વાત-વાતમાં ક્રોધ-ગુસો નહીં કરવાનો! આ રીતે તમે પ ઉપર વિજય મેળવશો તો કર્મો ઉપર પણ જલદી વિજય મેળવી શકશો. અલબત્ત, દ્વેષ ઉપર વિજય મેળવવાનું કામ સહેલું તો નથી જ. ઉન્મત્ત હાથીને વશ કરવો સહેલો નથી હો. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮. સાયશતક सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्त्तसेकतः ।।२७।। : અર્થ : હદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. : વિવેચન : દેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે. આ ટ્રેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ. દેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્કરાવર્ત મેઘ જોઈએ! પુષ્પરાવર્ત મેઘની વર્ષા જ દેપના પ્રચંડ દાવાનલને બૂઝવી શકે છે. પ્રશમભાવનો પુખરાવર્ત મેઘ! ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે. આ મેઘ, મુશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય. શમભાવ, પ્રશમભાવ, ઉપશમભાવ... વરસતો જ રાખો! છ - છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને! આગ બુઝાઈ ગઈ હતી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે. प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल, द्वेष हुताश बुझाइये, चिंताजाल ज टाल ।। જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો! ખૂબ હરખો! પાગ્નિ (હુતાશન=આગ ને બુઝાવો! પછી કોઈ ચિંતા નહીં રહે. આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્પરાવર્તમેઘની વર્ષા કરવાની છે! For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાશ્ચાતક ૨૯ वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ।।२८ ।। : અર્થ : આ સંસારની વાસના, વેશ્યાની જેમ કોને વશ થાય? જેના કૃત્રિમ (બનાવટી) હાવભાવથી વિદ્વાનો પણ વશ થઈ જાય છે. વિવેચન : સંસારની વાસના એટલે વેશ્યા! જેમ વેશ્યા કોઈને વશ નથી થતી, અર્થાત્ એ કોઈને સાચા હૃદયથી સમર્પિત નથી થતી, તેમ સંસારવાસના પણ કોઈને સમર્પિત નથી થતી. જેમ વેશ્યાના કૃત્રિમ હાવભાવથી મોટા મોટા વિદ્વાનો પણ ભૂલા પડી જાય છે અને વેશ્યાને વશ થઈ જાય છે, એવી રીતે સંસારના પણ ભિન્ન ભિન્ન મોહક પ્રસંગં, પ્રિય ઘટનાઓ.... વગેરેને વાસ્તવિક માનવાની ભૂલ મોટા વિદ્વાનો પણ કરી બેસે છે. તો પછી અજ્ઞાની અને મોહમુઢ મનુષ્યની તો વાત જ શી કરવાની? સંસારની વિવિધ વાસનાઓ મુખ્ય ચાર પ્રકારની હોય છે : ૧. સ્વજનો - સંબંધિત. ૨. પરિજનો – સંબંધિત. ૩. ધન-વૈભવ – સંબંધિત. ૪. શરીર - સંબંધિત. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : किनके वश भववासना, होवे वेश्याधूत, मुनि भी जिनके वशमये, हावभाव अवधूत । વિદ્વાનો, બુદ્ધિમાનો, શ્રીમંત, કલાકારો.... વગેરે વેશ્યાને પરવશ બની જાય છે, પરંતુ વેશ્યા કોઈને પરવશ થતી નથી. એવી રીતે સંસારની વિવિધ વાસનાને વિદ્વાનો વગેરે પરવશ થઈ જાય છે, પરંતુ એ ભવવાસનાઓ કોઈને આધીન થતી નથી. એવી પ્રબળ હોય છે ભવની વાસનાઓ. એવી વાસનાઓને વશ નહીં થનારા વીરોમાં પણ વીર કહેવાય છે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ સામ્યશતક यावज्जागर्ति संमोहहेतुः संसारवासना। निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रूचिः ।।२९ ।। :અર્થ : જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રુચિ ક્યાંથી થાય? વિવેચન : - શું તમારા મનમાં સ્વજનો પ્રત્યે રાગ છે? - શું તમારા ચિત્તમાં સ્નેહી-સગા-મિત્રો પ્રત્યે સ્નેહ છે? - શું તમારા હૃદયમાં ધન-સંપત્તિની આસક્તિ છે? - શું તમારા મનમાં શરીર ઉપર મમત્વ છે? જો છે, તો પછી તમારા મનમાં મમત્વરહિત બનવાની ઇચ્છા નહીં જાગે. મારે નિર્મમ-નિર્મોહ બનવું છે.' આવી રુચિ નહીં જ જાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : ज्यु ज्युं भव की वासना, जगे मोहनिदान, त्युं त्युं रुचे न लोक कुं, निर्मलभाव प्रधान । જ્યાં સુધી ભવવાસનાઓ તમારા ચિત્તમાં જાગતી રહેશે ત્યાં સુધી નિર્મમનિર્મોહ બનવાની નિર્મલ ભાવનાઓ તમારા મનમાં નહીં જાગે. અમારા મનમાં પવિત્ર વિચારો, નિર્મલ ભાવનાઓ, શુભ ઇચ્છાઓ કેમ જાગતી નથી? જાગે છે, તો ટકતી કેમ નથી? જો આવો પ્રશ્ન તમારા ચિત્તમાં જાગે છે, તો આ પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં ગ્રંથકાર કરી દે છે! નિર્મમ-નિર્મોહ બનવાની વાત તો ઘણી દૂર છે, એવા બનવાની ઇચ્છા - રુચિ જાગે છે મનમાં? દિવસ - રાતમાં એકાદવાર પણ આવી ઇચ્છા જાગે છે ખરી? આંતરખોજ કરવી જરૂરી છે.... વિવિધ ઇચ્છાઓ જાગે છે મનમાં, એ ઇચ્છાઓમાં એકાદ ઇચ્છા આવી પણ જાગે છે ખરી? શાંત ચિત્તે આંતરખોજ કરવી જરૂરી છે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૩૧ दोषत्रयमयः सैषा संस्कारो विषमज्वरः । मेदूरीभूयते येन कषायक्वाथयोगतः ।।३०।। : અર્થ : તે આ સંસ્કાર (વાસના), ત્રિદોષમય વિષમ વરના જેવો છે. જે કષાયરૂપ ક્વાથ (ઉકાળો)ના યોગથી પુષ્ટ થાય છે. વિવેચન : એ જ “સંસારવાસના અને સંસ્કાર' કહીને, ગ્રંથકાર એને એક વિષમ વરની ઉપમા આપે છે. ત્રિદોષ એટલે વાત-પિત્ત અને કફના યોગથી થતો સંનિપાત! એ સંનિપાતથી ઉત્પન્ન થતો વિષમ જ્વર ઘણો ભયંકર હોય છે. સંસારવાસનાનો પણ વર ઘણો ભયંકર છે. મન-વચન-કાયા (ત્રિદોષ) ના યોગથી એ વર આમેય જીવલેણ બને છે, તેમાં વળી ચાર કપાયન ક્વાથ (ઉકાળો) લેવામાં આવે, તો પછી બાકી શું રહે? એ વર ભાવપ્રાણોને હરી લે છે. - પહેલી વાત તો, સંસારવાસનાઓ જ ખતરનાક છે. - તેમાં ત્રિદોષ ભળે એટલે ભયંકર સંનિપાત થાય. - એમાં વળી કપાયોનો ક્વાથ પીવામાં આવે, એટલે એ વાસનાઓનો વર પ્રાણોને, ભાવપ્રાણોને હરી લે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ શ્લોકનો અર્થ આ રીતે કરે છે – विषय ताप भववासना, त्रिविध दोष को जोर, प्रकटे याकी प्रबलता, क्वाथ-कमाइ घोर । મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા અને લોભ પેદા થવાના જ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કાંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે.... પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. એટલે, ભગવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ સાપાતક तत्कषायानिमांच्छेत्तुमीवरीमविनधरम् । पावनां वासनामेनामात्मसात्कुरुत द्रुतम् ।।३१।। : અર્થ : (તેથી) એ ચાર કષાયોને છેદવાને સમર્થ અને ક્યારેય નાશ ન પામે એવી પવિત્ર વાસનાને સત્વરે સ્વાધીન કરવી. :વિવેચન : વાસના બે પ્રકારની હોય છે : એક સંસારની વાસના, બીજી ધર્મની વાસના. સંસારની વાસનાનો ત્યાગ કરવો. ધર્મની વાસનાને સ્વાધીન કરવી. ધર્મની વાસના, ક્રોધ-માન-માયા અને લોભ-આ ચાર કપાયોનો નાશ કરી શકે છે. આ ધર્મવાસના એવી આત્મસાત્ કરવી કે એનો ક્યારેય નાશ ન થાય. જો હૃદયમાં ધર્મવાસના સ્થિર થઈ જાય તો સદૈવ હૃદય શુદ્ધ અને પવિત્ર રહે. હૃદયમાં કષાયો સ્થિર ના થઈ શકે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાર્થ આપતાં કહે છે : ता तें दुष्ट कषायके, छेदे हित निज चित्त, धरो एह शुभभावना, सहज भाव में मित्त । મારા મિત્ર, તમારા હૃદયમાં ધર્મની એવી શુભ ભાવના સ્થિર કર, સહજ રીતે સ્થિર કરો, કે જે ક્રોધાદિ કષાયોનો નાશ કરે.' ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ, એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારે ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે. સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કપાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्पष्टं दुष्टो ज्वः क्रोधः चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ||३२|| :અર્થ: સ્પષ્ટ રીતે જ ક્રોધ દુષ્ટ જ્વર છે, તે ચૈતન્યનો નાશ કરનાર છે. માટે ક્ષમારૂપી સિદ્ધ ઔષધિનો પ્રયોગ કરી, તેનો ⟨ક્રોધનો) નાશ કરવો જોઈએ. : વિવેચન : પહેલો કપાય છે ક્રોધ. ક્રોધની દુષ્ટતા સ્પષ્ટ જ દેખાતી હોય છે. તમે ક્રોધી મનુષ્યને જોયો છે ને? જાણે એને તીવ્ર જ્વર (તાવ) ચઢ્યો હોય, તેવો લાગે છે. એની આંખો લાલ થઈ જાય છે.... એનું શરીર ધ્રૂજતું હોય છે. એના હોઠ ફફડતા હોય છે.... એ સૂધબૂધ ગુમાવીને ચેષ્ટાઓ કરતો હોય છે. વિવેકશૂન્ય બની જતો હોય છે. ક્રોધનાં આ બધાં બાહ્ય લક્ષણો છે. આંતરિક રીતે ક્રોધ પરિતાપ ઉપજાવે છે. સ્વપરને અશાન્તિ કરે છે. ૩૩ માટે ક્ષમાના સિદ્ધ ઔષધનો પ્રયોગ કરી, એ ક્રોધનો નાશ કરવો જોઈએ. ક્ષમા સિદ્ધ ઔષધિ છે. એટલે કે ક્ષમાથી ક્રોધ પર વિજય મેળવી જ શકાય. પરંતુ એ માટે ક્ષમાધર્મને આત્મસાત્ કરવો પડે. ક્ષમા વાસનારૂપ બની જવી જોઈએ. કોઈ પણ જીવાત્મા, ગમે તેવું અયોગ્ય, અનુચિત આચરણ કરે, તમારે એને ક્ષમા જ આપવાની! એના પ્રત્યે તમારા મનમાં ક્રોધ ઊઠે જ નહીં! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે सिद्ध औषधि इक क्षमा, ताको करो प्रयोग, ज्युं मिट जाये मोहधर, विषम क्रोध ज्वर रोग । ક્રોધનો જ્વર રોગ, ક્ષમાથી જ નાશ પામે! માટે ક્ષમાને એવી આત્મસાત્ કરવી જોઈએ કે એ અવિનાશી બની જાય. For Private And Personal Use Only ક્ષમા અલ્પકાલીન ન ચાલે. ક્ષમા સર્વકાલીન જોઈએ, અવિનાશી જોઈએ, ક્ષમા આપવામાં ક્યારેય કૃપણ ન બનો. ક્ષમા આપવામાં ક્યારેય થાકો નહીં. Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिल (दुल्कानल) स्फातिः कोपोऽयं ग्लपयत्यहो ।। ३३ ।। કોઈ યોગીએ આ શરીરને કથિર જેવું કહ્યું છે, કોઈ મુનિએ આ કાયાને માટી જેવી કહી છે, કોઈ ઋષિએ આ દેહને લાકડા જેવો તુચ્છ કહ્યો છે! : અર્થ: આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજ્વલિત જ્વાળાઓના વિસ્તારથી સ્ફુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે. વિવેચન: સામ્યશતક આ ગ્રંથકાર કહે છે : આ શરીર આત્માનંદને અનુભવવાનું શ્રેષ્ઠ સાધન છે! આ શરીર નિરર્થક નથી, તુચ્છ નથી, અનુપયોગી નથી. આત્માના નિરંતર વિકાસ પામતા.... ઉલ્લસિત થતા શ્રેષ્ઠ આનંદને, આ શરીરના માધ્યમથી અનુભવવાનો છે. યોગીઓ, ઋષિઓ અને મુનિવરો.... આ શરીરથી જ આત્માનંદની અનુભૂતિ કરે છે, એવા આ શ્રેષ્ઠ માનવદેહને, આ ક્રૂર-કષાય નુકસાન પહોંચાડે છે. ક્રોધથી આ શરીર સુકાઈ જાય છે, જીર્ણ થઈ જાય છે.... ભુક્કો થઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. चेतन का कोमल ललित, चिदानंदमय देह, सूक भूक जुर जात है, क्रोध लूंकते तेह। For Private And Personal Use Only ક્રોધની શરીર પર કેટલી બધી ખરાબ અસરો થાય છે, એ વાતો તો વૈદ્યો અને ડૉક્ટરો પણ કરે છે; પરંતુ એ વાતો ભૌતિક દષ્ટિની હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ શરીરને કેવું મોટું નુકસાન થાય છે, એ વાત ગ્રંથકારે કરી છે. આ માનવશરીરના માધ્યમથી આત્માનંદને અનુભવવાની વાત કરી છે. માનવદેહ સાથે માનવ-મનનો સંબંધ સમજી લેવાનો છે. માનવ-મનને, ક્રોધ ભયંકર નુકસાન કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાખ્યશતક व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे। નિપથ તાત્માનં ક્ષમા-શ્રીવન્દ્રન-વે રૂ૪ ': અર્થ : (હે આત્માનું) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ, :વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદેવ તમે રહો.... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અભુત શાન્તિનો અનુભવ થાય છે. - શું કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - શું તમે અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનો “એ” કરતા રહેશો? તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે – क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त, दयावेल मंडप तले रहो, लहो सुख मित्त! પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નીકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે! કરૂણાના મંડપમાંથી ભૂલેચૂકે પણ બહાર ના નીકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે. સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદન૨સથી ભીનું ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનો ‘એ' તમારી પાસે જ રાખજો. મન પર અવાર-નવાર છંટકાવ કરતા જ રહેજો. આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે, તો જ તમે ક્રોધની જવાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્ય તક ૩૩. क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम्। लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ।।३५ ।। :અર્થ : આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે! :વિવેચન : ક્રોધ એક દુર્જય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે! સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધ-સુભટને પરાજિત કરી શકે છે. ગ્રંથકારે અહીં ક્ષમાને “સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખુલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ “સ્ત્રી હોય છે. યોગી-મુનિ-ઋપિઓની નબળાઈ “સ્ત્રી' હોય છે! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ “ક્ષમા-સ્ત્રી’ બતાવી છે! તાત્પર્યાર્થ આ છે : ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલાં વ્રત-નિયમ પાળો.... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે - याको मासे सम-वधू, क्षमा सहज में जोर, क्रोध-योध क्युं कर सके, सो अपनो बल सोर। મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,” આવો તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે “ક્ષમા' ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો. તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે! For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૩૭. भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । नित्यं पतिव्रता वृत्तं शांतिरेषा निषेवते ।।३६।। : અર્થ : પોતાના વિલાસોથી, “શમરૂપ પતિની પ્રીતિ-સંપત્તિને ધારણ કરતી એ ક્ષમાસ્ત્રી સદેવ પતિવ્રતાનું વ્રત સેવે છે. વિવેચનઃ ક્ષમા પતિવ્રતા સ્ત્રી છે! એનો પતિ છે શમ - પ્રથમ ક્ષમાએ પ્રશમની પ્રીતિ પ્રાપ્ત કરેલી છે. કારણ કે એ પતિવ્રતા છે અને કલાનિપુણ છે! સ્ત્રીની એકલી પતિવ્રત-પતિપરાયણતા, પતિને વશ રાખવા સમર્થ નથી હતી, સાથે સાથે એનામાં કલાનૈપુણ્ય પણ જોઈએ તો જ એ પતિનો પ્રેમ સંપાદન કરી શકે, કળાનૈપુણ્ય હોય, પરંતુ પતિપરાયણતા ન હોય, તો પણ એ પતિનો પ્રેમ નિભાવી ન શકે. એટલે સ્ત્રીમાં બંને ગુણ જોઈએ. ક્ષમા-સ્ત્રીમાં આ બંને ગુણ છે. એટલે પ્રશમ અને ક્ષમાની જોડી અખંડ રહે છે! જ્યાં ક્ષમા, ત્યાં પ્રશમ. જ્યાં પ્રશમ, ત્યાં ક્ષમા. ગ્રંથ કારે બે શબ્દોનો લિંગ-ભેદ ધ્યાનમાં રાખીને કેવો સુંદર અર્થ ઉભાસિત કર્યો છે! ક્ષમા સ્ત્રીલિંગ છે, શમ-પ્રશમ પુરુષલિંગ શબ્દ છે. એ રીતે ક્ષમાને પ્રશમની પત્ની બતાવી છે! રૂપ મા શ્લોકમાં “ક્ષમાને સ્ત્રી કહી, તો એ કોની પત્ની છે, એ પણ બતાવવું જરૂરી હતું. એટલે ૩૬ માં લોકમાં એને “શમ-પ્રશમની પત્ની બતાવી દીધી. આ રીતે ક્ષમા અને પ્રશમની સામે ક્રોધ-સુભટ કેવી રીતે ટકી શકે? એને ભાગવું જ પડે! ક્ષમા અને પ્રશમની જોડી સાથે ગાઢ મૈત્રી સ્થાપિત કરો. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સામ્યશતક कारणानुगतं कार्यमिति निश्चिनु मानस!। निरायासं सुखं सूते यनिक्लेशमसौ क्षमा ।।३७ ।। : અર્થ : હે મન, “કારણાનુસારી કાર્ય હોય છે, એમ તું નિશ્ચય કર. જેથી પ્રયત્ન વિના, ક્ષમાં ક્લેશ વિનાનું સુખ ઉત્પન્ન કરે છે. :વિવેચન : શું તમારે માનસિક સુખ જોઈએ છે? શું એ પણ સહજતાથી જોઈએ છે? એવું સહજ માનસિક સુખ, એક માત્ર ક્ષમા જ આપી શકે છે. પહેલી વાત તો એ છે કે બાહ્ય ભૌતિક સુખોનાં તીવ્ર આકર્ષણોમાંથી તમારું મન મુક્ત થવું જોઈએ. તે પછી આંતરસુખ મેળવવાની ઝંખના જાગવી જોઈએ. ઇન્દ્રિયોનાં સુખ મેળવવા પ્રયત્ન કરવો પડે છે, ક્લેશ સહન કરવા પડે છે. આંતરસુખ મેળવવા પ્રયત્ન કરવો પડતો નથી, કે તકલીફો પણ સહન કરવી પડતી નથી. સહજ રીતે આંતરસુખ મળી શકે છે! એવું સુખ મેળવવાનો એક જ ઉપાય છે : ક્ષમા! ક્ષમા, આત્માનો એવો સહજ ગુણ છે. જેવી રીતે ક્ષમા સહજ ગુણ છે, એ ગુણને સિદ્ધ કરવા જેમ પ્રયત્ન - મહેનત નથી કરવી પડતી કે ક્લેશ નથી કરવો પડતો, એવી રીતે ક્ષમાજ ન્ય આંતરસુખ મેળવવા માટે પણ પ્રયત્ન કે ક્લેશ કરવા પડતા નથી, કારણ કે દરેક કાર્ય કારણાનુસારી હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - देत खेदवर्जित क्षमा, खेदरहित सुखराज, इनमें नहीं संदेह कछु, कारन सरिखो काज। ક્ષમાની આ આગવી વિશેષતા બતાવવામાં આવી છે. ક્ષમાને સિદ્ધ કરવા માટે કોઈ વિશેષ વ્યાયામ કરવો પડતો નથી. એ સહજતાથી સિદ્ધ થઈ શકે છે. એવી રીતે ક્ષમાજન્ય આંતરસુખ પણ સહજ રીતે પ્રગટ થાય છે, એમાં જરાય શંકા રાખવાની જરૂર નથી. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अखर्वगर्व-शैलाग्र-शृंगादुद्धरकंधरः। पश्यन्नहयुराश्चर्य गुरुनपि न पश्यति ।।३८ ।। : અર્થ : મોટા ગર્વરૂપ પર્વતના અગ્રશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય, ગુરુજનોને પણ જોઈ શકતો નથી. ક્રોધ પહેલો કમાય છે, માન બીજો કષાય છે. માન કહો, અભિમાન કહી કે ગર્વ કહો! એક જ વાત છે. ગર્વને પર્વતની ઉપમા આપવામાં આવી છે. ગર્વરૂપ મોટા પર્વતની ટોચ ઉપર ચડેલો મનુષ્ય પોતાનામાં જ રહેલી વિશેષતાઓને (આશ્ચર્યોને) જોયા કરે છે, તેથી તે ગુરુજનોને જોઈ શકતો નથી, અર્થાત્ ગુરુજનને તુચ્છ માને છે, નગણ્ય માને છે. પોતાની ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, લોકપ્રિયતા, જ્ઞાન આદિનું અભિમાન મનુષ્યને ઉદ્ધત બનાવે છે. ઉદ્ધત બનેલો મનુષ્ય ગુરુજનોને અવગણી નાંખે છે. ગુરુજનોનું અપમાન કરી નાંખે છે. એમની જરાય પરવા કરતો નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : पर्वत गर्व शिखर चड्यो, गुरुकुंभी लघुरूप, कहे तिहाँ अचरज किश्यो, कथन ज्ञान अनुरूप। અભિમાનનું આ લક્ષણ છે – સ્વોત્કર્ષ અને પરા૫ર્ષ. પોતાને મહાનું માનવો, બીજાને હલકા-તુચ્છ માનવો. અભિમાનની આ રીતે અભિવ્યક્તિ થતી હોય છે. અભિમાનના પહાડના ઊંચા શિખર પર ચઢેલા, ઊંચી ડોક કરીને અને છાતી કાઢીને ઊભેલા ગર્વિષ્ઠ મનુષ્યને જોજો તો ખરા! એ બીજા કોઈને જોતો જ નથી હોતો. એ પોતાનામાં રહેલી જાતિ, કુળ, રૂપ, ધન, બુદ્ધિ, જ્ઞાન.... આદિ વિશેષતાઓ જ જોવામાં લીન હોય છે. ભલે ને એના કરતાં વધારે વિશેષતાઓવાળા મનુષ્યો એની સામે આવે, એને દેખાતા જ નથી! For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૪o. उच्चस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लधीयसः ।।३९ ।। : અર્થ : અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉસંગમાં રહેલો, અભિમાની પુરુષ, ગુરુને લઘુ (મોટાઓને નીચા) માને છે, તે યુક્ત જ છે! :વિવેચન : અભિમાની મનુષ્ય, ગુરુજનોને, મોટા ગજાના માણસોને અવગણી નાખે, તુચ્છ માનેએમાં આશ્ચર્ય ન પામવું! અભિમાની માટે એ યોગ્ય જ હોય છે. અભિમાનની એ પ્રતિક્રિયા જ હોય છે. - અભિમાની મનુષ્ય પાસેથી નમ્રતાની અપેક્ષા ન રાખો. - અહંકારી મનુષ્ય પાસેથી આદર-સત્કારની અપેક્ષા ન રાખો. - ગર્વિષ્ઠ મનુષ્ય પાસેથી પ્રશંસાના શબ્દોની અપેક્ષા ન રાખો. ૦ આવા લોકોમાં ઉદ્ધતાઈ હોય, તે સ્વાભાવિક માનો. ૦ આવા લોકોમાં અનાદર-તિરસ્કારભર્યું આચરણ હોય, તેને સ્વાભાવિક માનો. ૦ આવા લોકો હંમેશાં બીજાઓની ટીકા-નિંદા જ કરતા હોય છે, તે એમના માટે યોગ્ય જ હોય છે. આશ્ચર્ય ન પામો. ખેદ ન પામો. આઘાત ન અનુભવો. અભિમાની મનુષ્યો, માતા-પિતાને અવગણી નાખે છે. ઉપકારીજનોનું અપમાન કરી નાંખે છે. વડીલો-સજ્જનોને ઉતારી પાડે છે. જ્ઞાની-ધ્યાની પુરુષોને તિરસ્કારી કાઢે છે. આ બધું એમના માટે યોગ્ય જ હોય છે! આમ કહીને, ગ્રંથકાર આચાર્યદેવ, અભિમાની – અહંકારી મનુષ્યો પ્રત્યે ઉપેક્ષા-ભાવ રાખવાની પ્રેરણા આપે છે. એમના પ્રત્યે દુર્લક્ષ્ય રાખવાનું કહે છે. તેઓ આવા જ હોય.” એવું સમજીને એમની પાસેથી બીજી કોઈ સારી અપેક્ષા નહીં રાખવાનો ઉપદેશ આપે છે. આપણે પણ જો અભિમાન-પર્વતના ઊંચા શિખર પર આરૂઢ થઈ જઈએ તો આપણી પણ આવી જ સ્થિતિ થાય. બીજાઓનો અપકર્ષ જ કરવાના... આપણા જ ગુણ ગાવાના For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः । १४० ॥ :અર્થ: માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે. : વિવેચનઃ અભિમાનનો આ પહાડ નાનો-સૂનો નથી. એનાં આઠ આઠ ઊંચાં શિખરો છે! ભયાનક ભેખડો છે.... એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે? ૪૧ એ આઠ શિખરો એટલે આઠ મદ! પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ! મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતો રહે છે અને દુઃખનાં રુદન કર્યા કરે છે. - અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને શાની માને છે. – બુદ્ધિહીન હોવા છતાં માનવી પોતાને ‘અભયકુમાર' માને છે! - રૂપહીન હોવા છતાં પોતાને ‘સનત્કુમાર’ માને છે! બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. 4 ', आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक । ઉજ્વલ પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી. For Private And Personal Use Only જ્ઞાનાનન્દ,ચિદાનન્દ... પૂર્ણાનન્દ.... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે.... ત્યારે એના કરુણ રુદનને સાંભળનાર કાંઈ હોતું નથી, એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ સામ્પશતક. मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । भित्चा विधेहि हे स्वांत! प्रगुणं सुखवर्तिनीम् ।।४१ ।। ': અર્થ : હે હૃદય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજ વડે ભેદીને સુખનો માર્ગ સરળ કર. :વિવેચન : હે આત્મનુ શું તારે સહજ-સ્વાભાવિક રીતે સુખના માર્ગે ચાલીને સુખ મેળવવું છે? તો તારે અભિમાનના પહાડને તોડવો પડશે. અભિમાનના પહાડને તોડવા માટે “વજ જોઈએ. કોમળતાના વજથી માનના પહાડને તોડવો પડશે. કોમળતા કહો કે નમ્રતા કહો, એનાથી માનનો પહાડ તોડવાનો છે. કોમળતા-નમ્રતા એ હૃદયનો ગુણ છે. માટે ગ્રંથકાર હૃદયને સંબોધીને કહે છે : “હે હૃદય, તારા કોમળતાના વજથી માનના પહાડને તોડ.” આંતરસુખ, આંતરિક શાન્તિ મેળવવા માટેનો આ સરળ-સીધો માર્ગ ગ્રંથકાર બતાવે છે. બીજા બધા પ્રયત્નો છોડીને આ એક જ કામ કરવાનું કહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : __ मानमहीधर छेद तूं, कर मृदुता-पवि धात, ज्युं सुख मारग सरलता, होवे चित्त विख्यात । આંતરખોજ કરવાની જરૂર છે. જો ભીતરમાં સુખ નથી, શાન્તિ નથી, સમતા નથી કે સમાધિ નથી, તો એનું કારણ શોધી કાઢવું જોઈએ. એ કારણ હશે કોઈ ને કોઈ વાતનું અભિમાન. એ અભિમાન દૂર કરો એટલે સુખ-શાન્તિ તમને મળ્યાં સમજો. ગ્રંથકારે આ એક વિશેષ વાત કરી છે. શાન્તિ-સમતામાં અને આંતર સુખમાં કોઈ અભિમાન બાધક છે! અનેક પ્રકારનાં અભિમાનો હૃદયમાં પડેલાં હોય છે. જુદા જુદા સમયે જુદાં જુદાં અભિમાન બાધક બનતાં હોય છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ સામ્યશતક चित्रमंभोजिनीकोमलं किल मार्दवम् । वज्रसारमहंकारपर्वतं सर्वतः स्यति ।।४२।। : અર્થ : કમલપત્ર જેવી કોમળ મૃદુતા, વજ જેવા અભિમાનના પહાડને ચોતરફથી તોડી નાંખે છે, એ આશ્ચર્ય છે! :વિવેચન : વજ જેવો કઠોર અભિમાનનો પહાડ, અને કમળપત્ર જેવી કોમળ મૃદુતા! છતાં મૃદુતા એ પહાડને તોડી-ફોડી શકે છે! ગ્રંથકારને આ આશ્ચર્ય લાગે છે, કારણ કે એ સમયે વિજ્ઞાને અણુ-વિસ્ફોટ નહોતો કર્યો! એક નાનકડા અણુનો વિસ્ફોટ કેવો વિનાશ કરે છે – એ વાત આજના વિજ્ઞાનયુગમાં સર્વવિદિત છે. મૃદુતા-કોમળતાનો અણુ-વિસ્ફોટ, અભિમાનના વિશાળ પહાડને તોડીફોડી શકે છે! અભિમાનનું નામનિશાન રહેવા દેતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે હૃદયમાં મૃદુતા રહે, કોમળતા રહે, એટલે અહંકાર-અભિમાન ન રહે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : मृदुता कोमल कमल थे, वज्रसार अहंकार, छेदत है एक पलक में, अचरिज एह अपार । વાત એક છે : “મારે અહંકારનો – અભિમાનનો નાશ કરવો છે. હવે મારે અભિમાની નથી રહેવું. કોઈ પણ વાતનું અભિમાન, નથી રાખવું.” આવો નિર્ણય આત્મસાક્ષીએ કરવો જોઈએ. “અભિમાન કરીને મારે દુર્ગતિમાં નથી જવું.... ભવપરંપરા નથી વધારવી...” આવો દઢ સંકલ્પ કરવો જોઈએ. આ સંકલ્પ હશે તો જ તમે મૃદુતા-કોમળતાને હૃદયમાં સાચવી રાખશો. તમે તમારા હૃદયને કઠોર નહીં બનવા દો, નિષ્ફર નહીં બનવા દો. ભૌતિક દૃષ્ટિએ ગમે તેટલું નુકસાન થાય, છતાં હૃદયની કોમળતા અખંડ રાખવાના. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યરાતક अस्मिन संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ।।४३ ।। : અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં હદયહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશાં સૂઈ રહે છે! :વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે. આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપો માયાના છે! એ લતામંડપોમાં હૃદયહીન – ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સૂતા નથી, સૂવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે ક્યારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકર્તા નથી. માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડ્યો રહે છે. જ્ઞાન-નયન એનાં બિડાઈ જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે - विकसितमाया वेली-घर, भव अटवी के बीच, सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच । માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય. માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને “લાભ” સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે. છતાં, માયા એક વિકસિત લતામંડપ છે! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે અને એમાં પડ્યા-પાથર્યા રહે છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્પતકે मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः । विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ।।४४ ।। ': અર્થ: જેણે બ્રહ્માંડના મંડપને ઢાંકી દીધો છે, એવો આ માયાનો લતા-ચંદરવો, માણસોને કોઈ સંતાપ કરનારી છાયા આપે છે. વિવેચન : સમગ્ર બ્રહ્માંડ પર છવાઈને આ માયાનો ચંદરવો રહેલો છે. આ ચંદરવા નીચે રહેલા માણસોને એ કોઈક એવી છાયા આપે છે કે જે માણસોને સંતપ્ત કરે છે. સામાન્ય રીતે, ચંદરવા નીચે રહેલા માણસોને શીતલ છાયા મળતી હોય છે. ઉકળાટ શમી જતો હોય છે. જ્યારે આ માયાના ચંદરવા નીચે માણસો પરિતાપ અનુભવે છે. સંતાપનું ઉદ્દીપન થાય છે. માયાને ચંદરવાની યથાર્થ ઉપમા આપી છે! માયાવી માનવી છલ-કપટ કરીને એમ નિરાંત અનુભવે છે કે હવે મારું કામ જરૂર થઈ જશે. પરંતુ એ “નિરાંત' માત્ર કલ્પના હોય છે. નિરાંતની અંદર અત્તિ ધૂધવતી હોય છે. સમગ્ર બ્રહ્માંડ ઉપર માયાનો ચંદરવો રહેલો છે.” એમ કહીને ગ્રંથકારે ઊર્ધ્વલોક, અધોલો અને તિર્યંગ લોકના સર્વ જીવોનો નિર્દેશ કર્યો છે. દેવદાનવ કે માનવ હોય, પશુ-પક્ષી કે માનવી હોય....જે કોઈ જીવ આ માયાના ચંદરવા નીચે હોય છે, એના મનમાં શાંતિ કે સમતા હોય જ નહીં. એ જીવો સંતાપ-પરિતાપથી બળતા જ હોય છે. સામાન્ય રીતે માણસ એમ સમજતો હોય છે કે ચંદરવા નીચે શીતળતા મળે છે, છાયા મળે છે... પરંતુ આ માયાનો ચંદરવો વિચિત્ર છે. એની છાયા વિચિત્ર છે. છાયા પરિતાપ આપે છે! છાયા આંતરિક ઉકળાટ આપે છે. માટે ગ્રંથકાર કહે છે : માયાના ચંદરવા નીચે ન રહો. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૭ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યાતક सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहि: । अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् । । ४५ ।। : અર્થ: વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયા-સાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે. : વિવેચન : માયાવી માનવી - ક્યારેય સીધો ન ચાલે, વાંકો ચાલે. ક્યારેય એ કોમળ ન હોય, કઠોર હોય. છતાં એ બહારથી સીધો દેખાય! બહારથી કોમળ દેખાય! એટલે સરળ જીવો એના પર વિશ્વાસ કરે છે. જેઓ એના પર વિશ્વાસ મૂકે છે, એમનો એ વિશ્વાસઘાત કરે છે. નાગણની જેમ એ ડસે છે. માયાને સાપણની - નાગણની ઉપમા આપી છે. સાપણ હમેશાં વાંકી ચાલે. ઉપરથી એ કોમળ દેખાય, લીસી દેખાય, પરંતુ ભીતરમાં એ કઠોર હોય છે. જે કોઈ જીવ એને દેખાય છે, એને એ ડસે છે. ડંખ મારે છે. આખા જગતને ડંખે છે. એનો ડંખ પ્રાણ હરનારો હોય છે. ઉપાધ્યાયત્રી યશોવિજયજી કહે છે कोमलता बाहिर धरत करत वक्रगति चार, 7 माया सापिणी जग डसे, ग्रसे सकल गुण सार । ઉપાધ્યાયજીએ એક વિશેષ વાત કરી છે. 'ગ્રસે સકલ ગુણસાર.' માયાવી માણસ ડસે છે બીજાને, પરંતુ એના જ બધા ગુણ ગ્રસિત થઈ જાય છે. એના જ બધા ગુણ નાશ પામી જાય છે. માયા-સાપણની આ ભયંકરતા છે! માયાવીનો ગુણ-વૈભવ નાશ પામી જાય છે. For Private And Personal Use Only માયાવી માનવી પર ક્યારેય વિશ્વાસ ન કરવો. એની કોમળતા જોઈને કે એની મીઠી વાણી સાંભળીને ભ્રમિત ન થવું. એ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रणिधाय ततश्चेतः तन्निरोधविधित्सया । ऋजुतां जांगुलीमेतां शीतांशुमहसं स्मरेत् । । ४६ ।। :અર્થ: તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચન્દ્રની કાંતિ જેવા સરળતારૂપી ‘જાંગુલી મંત્ર'નું સ્મરણ કરવું. : વિવેચનઃ ૪૭ શું એ માયા-નાગણને તમારી પાસે આવતી રોકવી છે? - શું એને રોકવાની પ્રબળ ઇચ્છા છે? તો સર્વપ્રથમ તમારા ચિત્તને સ્થિર કર્રા, અને - સરળતારૂપી ‘જાંગુલીમંત્ર’નું સ્મરણ કરો. સર્પનું ઝેર ઉતારવા માટે ‘જાંગુલી મંત્ર’નો જાપ કરવો પડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે સાપણ પાસે જ ન આવે તે માટે જાંગુલી મંત્રનું સ્મરણ કરો! પરંતુ મંત્રસ્મરણ કરવાની વાત તો પછીની છે, પહેલાં તો એ પૂછે છે 4:0 માયા – સાપણને રોકવાની શું તમારી ઇચ્છા છે ખરી? પ્રબળ ઇચ્છા છે ખરી? તો પહેલાં ચિત્તને સ્થિર કરો. જે મનુષ્યોને માયા-કપટ કરવાની કુટેવ પડી ગઈ હોય છે, તેઓ પ્રાયઃ મરતા સુધી, એ કુટેવ છોડી શકતા નથી. ‘હું માયા-કપટ કરું છું, એ ખોટું કરું છું.’ એવું પણ પ્રાયઃ એમને લાગતું નથી. માયા-કપટની જાળમાં કોઈ ફસાય છે, તો એ ખુશ થાય છે. આવા માણસને માયા છોડવાની ઇચ્છા જ થતી નથી. પછી એ ચિત્તને સ્થિર કરી, મંત્રજાપ, કેવી રીતે કરવાનો? ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - ताके निग्रह करनकुं, करो ज्युं चित्त विचार, समरो ऋजुता - जांगुली पाठसिद्ध निरधार । For Private And Personal Use Only સરળતા-રૂપ જાંગુલી મંત્ર પાઠસિદ્ધ છે. એટલે કે એને સિદ્ધ કરવા માટે તપ કરવાની જરૂર નથી કે અમુક હજાર કે લાખ વાર જપ કરવાની જરૂ૨ નથી! તમે તમારા હૃદયને સરળ કરો, બસ, મંત્ર સિદ્ધ જશે! Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ સોમેશતક लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी। आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ।।४७ ।। : અર્થ : લોભારૂપી વૃક્ષના સહારે તૃષ્ણારૂપી વેલ ઉપર ચઢે છે. તે પ્રયાસરૂપ પુષ્પોથી વૃદ્ધિ પામે છે અને તેને દુઃખરૂપ ફળો આવે છે. વિવેચન : ક્રોધ, માન, અને માયાના અપાયો બતાવ્યા પછી હવે ગ્રંથકાર લોભકષાયના અપાયો બતાવે છે. - લોભ એક વૃક્ષ છે. - એ વૃક્ષના સહારે તૃષ્ણાની વેલ ઉપર ચઢે છે. - તેને પ્રયાસ-મહેનતનાં પુષ્પો આવે છે, અને - દુઃખરૂપ ફળો આવે છે. લોભના કારણે તૃષ્ણા જન્મે છે પછી તૃષ્ણાની વેલને લોભવૃક્ષનો ટેકો મળે છે. તૃષ્ણા વૃદ્ધિ પામતી જાય છે. પછી જીવને એ તૃષ્ણાઓ પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરિણામે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છે : लोभ महातरु शिर चढी, बड़ी ज्युं तृष्णावेली, खेदकुसुम विकसित भई, फले दुःख ऋतु मेली। જ્યાં લોભ અને તૃષ્ણાની રમત મંડાય છે, ત્યાં દુઃખ-અશાન્તિનાં મંડાણ થઈ જ જાય છે. લોભ-કપાય સર્વનાશ કરનાર છે, પછી એ લોભ ભિખારીનો હોય કે લખપતિનો હોય! ઇતિહાસ એનો સાક્ષી છે. વર્તમાનમાં આંખો ખુલ્લી રાખીને જુઓ. લોભે ધનવાનોને રસ્તે રઝળતા ભિખારી બનાવી દીધા છે. ભિખારીઓને બૂરી રીતે મારી નાખ્યા છે. લોભ અને તૃષ્ણાનો પરસ્પર સંબંધ છે. લોભ રહેશે ત્યાં સુધી તૃષ્ણા રહેશે. તૃષ્ણા હશે ત્યાં સુધી લોભ રહેવાનો જ. આ બંનેના કારણે ત્રાસ, દુઃખ અને અશાન્તિ રહેવાની. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । लोभः पुमर्थहंसानां प्रावृषेण्यधनाघनः ।।४८ ।। : અર્થ : આશાઓને અતિશય પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે. : વિવેચન : લોભ વર્ષાકાળના મેઘ જેવો છે. જેવી રીતે વર્ષાકાળનો મેઘ દિશાઓને (આશા=દિશા) પ્રફુલ્લિત કરે છે, અંધકારને (તમ) પુષ્ટ કરે છે અને રાજહંસોને ભગાડી મૂકે છે. (વર્ષાકાળમાં રાજહંસો માનસરોવરમાં ચાલ્યા જાય છે.) તેવી રીતે લોભ, આશાઓને ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અર્થાત્ ઇચ્છાઓને વધારે છે, અજ્ઞાનતાને પુષ્ટ કરે છે અને ચાર પુરુષાર્થ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ) રૂપી રાજહંસોને ભગાડી મૂકે છે, - લોભથી ઇચ્છાઓ વધે છે. - લોભથી અજ્ઞાનતા વધે છે. - લોભથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી. લોભના આ ત્રણ મોટાં નુકસાન છે, લોભથી ઇચ્છાઓ વધે છે. જેમ જેમ ઈચ્છાઓ વધે, તેમ તેમ અશાન્તિ વધે, સંતાપ વધે, મનની ચંચળતા વધે, લોભથી અજ્ઞાનતા વધે છે. ભલે શાસ્ત્રોનું જ્ઞાન હોય, એને ક્યારેય આત્મજ્ઞાન ન થાય. લોભી આત્મજ્ઞાની ન બની શકે. અજ્ઞાનતાના ઘોર અંધકારમાં એ ભટકતો રહે છે. લોભી કોઈ પણ પુરુષાર્થને સિદ્ધ કરી શકતો નથી. એમાંય ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થથી તો તે હજારો યોજન દૂર રહે છે. કામપુરુષાર્થમાંય તેને નિષ્ફળતા જ મળે છે. અર્થપુરુષાર્થમાં એને ક્યારેય સંતોષ થતો નથી. અસંતોષની આગમાં સળગ્યા જ કરે છે. આ રીતે લોભનાં નુકસાનો જાણીને વિવેકી મનુષ્ય લોભનો ત્યાગ કરવો જોઈએ. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. સામ્યશતક क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुंपन लोभोऽम्बुनिधिरयं नवः ।।४९।। : અર્થ : આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારું આચરણ) ની લક્ષમી (શોભા) વિનાનો છે અને નિર્દયપણે મર્યાદાને લોપનારો છે. વિવેચન : ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. પરંતુ આ લોભનો વિચિત્ર સમુદ્ર છે! આ લોભનો નવી જાતનો સમુદ્ર છે. પહેલી વાતઃ ક્ષમાભૂત એટલે પર્વત, સામાન્ય રીતે સમુદ્ર પર્વતોને પ્રિય કહેવાય છે. પ્રસ્તુતમાં “ક્ષમામૃત' એટલે ક્ષમાશીલ પુરુષો. તેમને લોભ અપ્રિય હોય છે! બીજી વાતઃ સાધુવૃત્ત એટલે સારી રીતે ગોળ-વર્તુળાકાર. સમુદ્ર સાધુવૃત્તની શોભાથી યુક્ત હોય છે. બીજો અર્થ: સારા આચરણવાળી લક્ષ્મીથી (લક્ષ્મી દેવી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે, એવી માન્યતાની દૃષ્ટિએ) સમુદ્ર યુકત હોય છે. પ્રસ્તુતમાં, લોભરૂપી સમુદ્ર, સારા આચરણવાળી લક્ષ્મી (શોભા)થી રહિત હોય છે. અર્થાત્ જ્યાં લોભ હોય છે, ત્યાં સદાચરણની લક્ષ્મી રહેતી નથી. ત્રીજી વાતઃ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી. જ્યારે આ લાંભરૂપી સમુદ્ર, મર્યાદાનો લોપ કરે છે. જ્યાં લોભ હોય છે, ત્યાં કોઈ જાતની મર્યાદા રહેતી નથી. આ રીતે - લોભથી ક્ષમા રહેતી નથી, લોભથી સદાચરણનો નાશ થાય છે, અને લોભથી મર્યાદાનો ભંગ થાય છે. માટે લોભનો ત્યાગ કરવો જોઈએ. ભિન્ન-ભિન્ન રીતે લોભના અનર્થો સમજાવીને, ગ્રંથકાર આચાર્યદેવ લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. લોભને વૃક્ષની, વર્ષાકાળના મેઘની અને અભિનવ સમુદ્રની ઉપમા આપી, ચિંતનની દિશાઓને વિસ્તારી છે. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लवणोदन्वतो यः स्यादगाधबोधने विभुः । अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ।। ५० ।। ૫૧ : અર્થ : જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી. : વિવેથન : જે પુરુષ સ્વયંભૂરમણ સમુદ્રની અગાધતા જાણી શકે છે, તે પણ લોભના મહાસમુદ્રની અગાધતા જાણવી શક્ય નથી! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : પુરુષ માટે कोउ सयंभूरमनको, जे नर पावे पार, सो भी लोभ समुद्रको, लहे न मध्य प्रचार । લોભનો મહાસાગર એવો અગાધ છે... એની અંત વિનાની ઊંડાઈ છે.... કે જેને કેવળજ્ઞાની સિવાય કોઈ સમજી શકતું નથી. લોભનો મહાસાગર, દુનિયાના મહાસાગર (સ્વયંભૂરમણ સમુદ્ર) કરતાંય વધુ ઊંડો છે. જો એમાં જીવ ડૂબી ગયો, તો બહાર નીકળવું શક્ય નથી. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ, લોભને મેધની ઉપમા આપીને કહ્યું છે : लोभमेघ उन्नत भये, पापपंक बहु होत, धर्महंस रति नहु लहै, चाहे न ज्ञान उद्योत । For Private And Personal Use Only લોભની મુશળધાર વર્ષા થાય છે ત્યારે પાપનો ખૂબ કીચડ થાય છે. ધર્માત્મારૂપી હંસોને ખુશી નથી થતી અને લોભી જીવોને જ્ઞાનનો પ્રકાશ ગમતો નથી. મૂળ શ્લોકમાં ‘લોભનો વૈભવ' કહેવામાં આવ્યો છે. લોભના વૈભવને જાણવા કોઇ સમર્થ નથી. એનો તાત્પર્યાર્થ આ છે કે લોભની અનંત ગહરાઈને કોઈ માપી શકતું નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ।। ५१ ।। સામ્યશતક : અર્થ: એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર હૃદય! સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. : વિવેચનઃ લૌકિકશાસ્ત્રમાં એવી કથા છે કે અર્ગાસ્ત નામના મુનિએ સમુદ્રનું પાન ક૨ીને શોષણ કર્યું હતું! આકાશમાં અગસ્તિનો તારો ઊગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે. તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો. જેવી રીતે અસ્તિનો તારો જલાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષઅગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે! સંતોષ, જડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે. સંતોષને હૃદયમાં સ્થિર કરો. ક્યારેય પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અસ્ત મુનિને હૃદયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો! હૃદયના આકાશમાં સંતોષરૂપી અગસ્તિના તારાને ચમકવા દો. હૃદયના આશોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે. For Private And Personal Use Only તમારા પુણ્યોદયથી મળેલાં સુખનાં સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢિયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની ક્યારેય ઇચ્છા ના કરાં, તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ ક૨વાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુ ને વધુ મેળવવાના મનોરથ કરતા રહો. ઓછામાં ઓછાં સુખનાં સાધનોમાં સંતોષ-તૃપ્તિ મેળવો. Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩ સામ્યશતક यस्मै समीहसे स्वांत! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ।।५२ ।। : અર્થ : હે હૃદય જે સુખ માટે તું સંસારનો વૈભવ ઇચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને, શમ-સુખનો આશ્રય કર.” : વિવેચન : તારે ક્યું સુખ જોઈએ છે? તું ક્યાં સુખની લાલચમાં ભટકી રહ્યો છે? ક્યા સુખ માટે તારું મન આટલું બધું ડામાડોળ બન્યું છે? આ સંસારના ભૌતિક વૈભવો તને સુખી નહીં કરી શકે. તું એ વૈભવોની જો ઇચ્છા કરતો હોય તો એ ઇચ્છા છોડી દે. એ ઇચ્છાને જમીનમાં દાટી દે. જ્યાં સુધી ભાંતિક વૈભવોની લાલચ દૂર નહીં થાય ત્યાં સુધી તને સાચું શમ-સુખ, પ્રશમ-સુખ, ઉપશમ-સુખ નહીં મળે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : याकी लालच तुं फिरे, चिंते तुं डमडोल, ता लालच मिटि जातघट, प्रकटे सुख रंगरोल । પ્રકટે સુખ રંગરોલ,’ એટલે અંતરંગ શમસુખ પ્રગટે છે. એ ઘટ-અંતરમાં પ્રગટ થનારું શમસુખ અદૂભુત-અનુપમ હોય છે. એ સુખની તોલે દેવરાજ ઇન્દ્રનું સુખ પણ નથી આવતું. મારે સંસારના ભૌતિક વૈભવો નથી જોઈતા.” આવી અનિચ્છાને દૃઢ કર. વારંવાર દૃઢ કર. તો જ અંતરંગ શમસુખ પ્રગટ થશે. પ્રશમરતિ' ગ્રંથમાં પ્રશમસુખને પ્રત્યક્ષ મોક્ષસુખ કહેલું છે. પેલું સિદ્ધશિલાવાળું મોક્ષસુખ તો આપણા માટે પરોક્ષ છે, ઘણું ઘણું દૂર છે, જ્યારે પ્રશમસુખ તો આપણી ભીતરમાં જ છે. આપણે એ સુખને પ્રગટ કરી શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ. શમસુખ કહો, સામ્યસુખ કહો કે પ્રશમસુખ કહો... એ મોક્ષસુખનો ક્ષણિક અનુભવ કરવા જેવો છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪ સામ્યશતક अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।।५३ ।। : અર્થ : એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના ક્યાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. .: વિવેચન : ચારેય કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છે : એક વાત નિશ્ચિતરૂપે સમજી લો : ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કપાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કપાયવિજય મેળવવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચેય ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन, ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन । ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગી-મુનિ જ ઇન્દ્રિયવિજય મેળવી શકે, પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દૃઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કપાયો શાન્ત થવાના જ. ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચેય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની. આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...” આવી પ્રિયાપ્રિયની, ઇનિષ્ટની, ગમા-અણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે, તો જ ઇન્દ્રિયવિજય મળે, અને તો જ કપાયવિજય થાય. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતક પપ एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनः ।।५४ ।। :અર્થ : સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહાનુ પુષોના શ્રેષ્ઠ હૃદયનો પણ દેષ કરે છે. એથી તેઓ ખરેખર, દુર્જનોની સ્પર્ધા કરે છે. (અર્થાતુ દુર્જનોની સાથે હરીફાઈમાં ઊતરે છે.) ઇન્દ્રિયો સ્વાર્થ સાધવામાં એવી તત્પર હોય છે કે તે, દુર્જનોને પણ શરમાવે છે. દુર્જનોની સ્વાર્થસાધના કરતાં ઇન્દ્રિયોની સ્વાર્થસાધના વધુ પ્રબળ હોય છે. - શ્રવણેન્દ્રિય પ્રિય શબ્દના શ્રવણમાં, - નેત્રેન્દ્રિય પ્રિય રૂપના દર્શનમાં, - ધ્રાણેન્દ્રિય પ્રિય ગંધની આઘાણમાં, - રસનેન્દ્રિય પ્રિય રસના આસ્વાદમાં, અને - સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયના સ્પર્શમાં લીન રહે છે. એનાથી ઉત્તમ પુરુષોના હૃદયને કેટલું નુકસાન થાય છે, એની એ પરવા નથી કરતી. ઇન્દ્રિય, ઉત્તમ પુરુષોના હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા માટે લાખ પ્રયત્નો કરે છે અને આ રીતે એ ઉત્તમ-શ્રેષ્ઠ પવિત્ર હૃદયોને પણ બગાડે છે. - આષાઢાભૂતિ મુનિના પવિત્ર હૃદયને કોણે બગાડ્યું હતું? - નંદીષેણ મુનિના નિર્મળ હૃદયને કોણે મલિન કર્યું હતું? - અરણિક મુનિના સ્વચ્છ મનને કોણ ગંદું કર્યું હતું? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – आप काज पर सुख हरे, धरे न कोसुं प्रीति, इन्द्रिय दुर्जनपरिदहे वहे, न धर्म, न नीति। પોતાના સ્વાર્થ માટે એ ઇન્દ્રિયો બીજાના સુખ હરી લે છે અને એ ઇન્દ્રિયો ક્યારેય કોઈની સગી થતી નથી. એને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ નીતિ નથી હોતી. એ દુર્જનોમાં પણ દુર્જન છે! For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । ક્રિયાળિ તુ ટુર્નુત્તા, અમુત્રાપિ પ્રવર્તે ।।૯|| સામ્યશતક : અર્થ : અથવા, પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે. વિવેચનઃ દુર્જનો કરતાં ઇન્દ્રિયો કેમ વધુ અનર્થકારી છે, એ વાત ગ્રંથકાર બતાવે છે. દુર્જનો તો વર્તમાનજીવનમાં જ બીજા લોકોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુઃખ આપનારી છે. આ ઇન્દ્રિયોની પરવશતાથી જીવ પાપાચરણ કરવા પ્રેરાય છે. એ પાપાચરણના કારણે એ વર્તમાનજીવનમાં અપયશ આદિ પામે છે અને પરલોકમાં દુર્ગતિનાં દુઃખો પામે છે. શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા? પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં ગરમ-ગરમ સીસું રેડાવ્યું હતું! - દ્રૌપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં સાધ્વીના ભવમાં આંખોથી વેશ્યાનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો! - મથુરાના મંગુ આચાર્યને ગટરના પક્ષનો જન્મ કેમ મળ્યો? કઈ ઇન્દ્રિયના પાપે? રસનેન્દ્રિયના જ પાપે. આવાં તો અનેક શાસ્ત્રીય દૃષ્ટાંતો છે. ઇન્દ્રિયોની પરવશતા જીવને ઉભય લોકમાં દુઃખી કરે છે. For Private And Personal Use Only માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને તો ઇન્દ્રિયો ઉત્તેજિત કરે જ છે, સાથે સાથે જીવ પાસે અનેક પાપ કરાવે છે. એ પાપો અનેક જન્મો સુધી જીવને દુઃખ આપ્યા કરે છે, માટે ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરો. Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભ્યશતક भोगीनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहंत्यहो। स्मृत्यापि विषयाः पापा: दंदह्यन्ते च देहिनः ।।५६ ।। : અર્થ : દષ્ટિવિષ” જાતના સર્પો જેને દષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પરંતુ પાપી વિષયો તો તેમના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે! :વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયો, દૃષ્ટિવિષ સર્પ કરતાં ય વધારે ભયંકર છે. દુપ્રિવિલ સર્પોની દૃષ્ટિમાં - આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો, જે જીવો પર દૃષ્ટિ નાખે, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દષ્ટિ નાંખે... તે બળીને રાખ થઈ જાય છે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે, તેને આ વિષયો બાળી નાંખે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : नयनफरस जनु तनु लभे, दहे द्रष्टिविष साप, तिनसुं भी पापी विषय, सुमरे करे संताप। પાંચ ઇન્દ્રિયના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરવાનો નથી, મનથી પણ એનો ભોગ કરવાનો નથી. અર્થાત્ માનસિક રીતે પણ વૈષયિક સુખોના ભોગપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષયસ્પૃહા, વિષયભોગ, આત્માના શુભ પરિણામોને બાળી નાંખે છે. પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાંખે છે. જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારુ પરિણામ આવે? એ જાણવાસમજવા વિપાકસૂત્ર' ને એકાગ્રતાથી વાંચવું - સાંભળવું જોઈએ. વિષયાસક્તિના દારુણ વિપાકોનું વર્ણન સાંભળતાં કે વાંચતાં રૂંવાડા ખડાં થઈ જશે. પાંચ ઇન્દ્રિયો તો વિયો (પોતાના પ્રિય) મળતાં નાચી ઊઠે છે.... ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ પરિણામ ભયંકર છે. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् । नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ।। ५७ ।। :અર્થ: વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઈન્દ્રયોના સમૂહને, સમતાની મોટી મુદ્રા પ્રાપ્ત કરી, વશ કરવો જોઈએ. સામ્યશતક : વિવેચન : વિષયોમાં (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં) ઇન્દ્રિયો અયોગ્ય ચેષ્ટા કરે છે! અયોગ્ય ચેષ્ટા એટલે રાગ-દ્વેષ. ઇન્દ્રિયો વિષયોમાં રાગ-દ્વેષ કરીને આત્માને મલિન કરે છે, માટે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી, એ નાનુંસૂનું કામ નથી, અતિ વિકટ કામ છે. પરંતુ અહીં ગ્રંથકારે સરસ ઉપાય બતાવ્યો છે. એ ઉપાય છે સામ્યમુદ્રાનો! સમતાનો, શમ-પ્રશમ ભાવનો. તમારું મન જો સમતા ભાવમાં લીન રહે, પ્રશમભાવમાં તલ્લીન રહે તો રાગ-દ્વેષ ઓછાં થઈ જાય. જે મનમાં, જે ચિત્તમાં સમતા રહે છે એ ચિત્તમાં તીવ્ર કોટિના રાગદ્વેષ નથી રહેતા. પછી ઇન્દ્રિયોના ઉન્મત્ત અશ્વો ઉન્માર્ગગામી નથી બનતા. જો તમે સમતાભાવથી ઇન્દ્રિયોને વશ નહીં કરો તો એ ઇન્દ્રિયોના ઘોડા તમને નરકના અરણ્યમાં લઈ જશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - उन्मारगगामी अवश, इन्द्रिय चपल तुरंग, खेंची नरक अरण्यमें, लेइ जाय निज संग । For Private And Personal Use Only પ્રસ્તુતમાં ગ્રંથકારે ઇન્દ્રિયોના સમૂહને (પાંચેય ઇન્દ્રિયોને) વશ કરવાનો જે ઉપાય બતાવ્યો છે તે અદ્વિતીય છે! તમે સામ્યભાવ તમારા ચિત્તમાં ધારણ કરો.... સામ્યભાવથી ભરેલું ચિત્ત, ઇન્દ્રિયોને વશ કરશે! ઇન્દ્રિયોની ચંચળતા દૂર થશે. રાગ-દ્વેષ મંદ પડી જશે. વિષયોમાં ખપ પૂરતું જ વિચરણ કરશે. ઉન્માર્ગે નહીં જાય. સીધા માર્ગે ચાલશે. માટે મનમાં સામ્યભાવને સ્થિર કરો. Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગશતક यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ।।५८ ।। : અર્થ : કેટલાક (લોકો) વિષયોને વિષ સમાન કહે છે, તે ખોટું છે, કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુઃખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે. :વિવેચન : વિષયો વિષ કરતાં પણ ભયંકર છે.” આમ કહેવા માટે તેઓ કહે છે : વિષયોને ઝેર જેવા કહેવા, તે ખોટું છે! ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે, જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે. - વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. - તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત જેવાં પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો અનેક જન્મો સુધી ભોગવવા પડે છે, અર્થાત્ વિવિધ તીવ્ર દુ:ખી ભોગવવાં પડે છે. - દુર્ગતિઓની પરંપરા ચાલે છે. માટે ગ્રંથકાર કહે છે ઇન્દ્રિયોને ખપ પૂરતી જ વિષયોના સંપર્કમાં રાખી; તે પણ મનમાં સમભાવ રાખીને વિષયોનો સંપર્ક કરાવો. વિષયોમાં રાગ-દ્વેષ કરવાની જનમ-જનમની ટેવને ટાળવાની છે.રાગ-દ્વેષ કર્યા વિના, સમતાભાવે વિષયોનો પરિમિત ભોગ-ઉપભોગ કરવાની આદત પાડવાની છે. ૦ મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો. ૦ મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. ૦ મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગધનો અનુભવ કરો. ૦ મનમાં ઉપશાન્તભાવ ધારણ કરીને સરસ-નીરસ ભોજન કરો. 0 મનમાં સામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો... આ રીતે કરેલો વિષયોપભોગ દુઃખી નહીં કરે. આ લોકમાં કે પરલોકમાં તમને દુખ નહીં આપે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ સામ્યશતક यदात्मन्येव निक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विबाध्यते ।।५९।। અર્થ : જે ક્લેશ વિનાનું અને અકૃત્રિમ-સ્વાભાવિક સુખ આત્માની નજીક રહેલું છે, તે સુખનો, આ ઇન્દ્રિયો પોતાની સ્વાર્થલંપટતાથી બાધ કરે છે. : વિવેચન : દરેક ઇન્દ્રિય પોતાના સ્વાર્થમાં લંપટ બનેલી છે અને મને પણ તે તે ઇન્દ્રિયના સ્વાર્થમાં સાથ આપે છે! કાન મધુર શબ્દોના શ્રવણમાં, આંખો વસ્તુઓના સૌન્દર્યને જોવામાં, નાક સુગંધ લેવામાં, જીભ પ્રિય રસનો આસ્વાદ લેવામાં અને સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયનો સ્પર્શ કરવામાં લીન છે, લંપટ છે. એટલે મન આત્મસુખ તરફ વળતું નથ. આત્માનું સ્વાધીન અને સ્વાભાવિક સુખ મનને યાદ જ નથી આવતું! ઇન્દ્રિયોની વિષયલંપટતા મનને આત્મસુખ પાસે જવા જ દેતી નથી. અત્યંત નિકટ રહેલું આત્મસુખ... જીવાત્મા મેળવી શકતો નથી કે ભોગવી શકતો નથી. તાત્પર્યાર્થ એ છે કે ઇન્દ્રિયો અને મન એના વિષયોમાં રમમાણ હોય તો આત્મસુખની અનુભૂતિ થઈ શકતી નથી. આત્મસુખ સ્વાધીન અને સ્વાભાવિક સુખ છે, નિત્ય અને નિર્ભય સુખ છે, એ સુખ જીવાત્મા મેળવી શકતો નથી. આ બહુ મોટું નુકસાન છે, ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – जे नजीक है श्रमरहित, आप ही में सुखराज, बाधत है ताकुं करन आप अरथके काज । સ્વાર્થલંપટ ઇન્દ્રિયો, પાસે રહેલા સ્વાધીન સુખને મેળવવામાં વિપ્ન બને છે. માટે ઇન્દ્રિયોની સ્વાર્થલંપટતાનો નાશ કરવો જ પડે. તે નાશ કરવા માટે સામ્યભાવનો આશ્રય લેવો પડે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः। क्षणादः श्रुतबलं लीलयैव विलुप्यते ।।६०।। : અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇકિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાંખે છે. :વિવેચન : અંતરંગ શત્રઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શક્તિ ધરાવે છે. આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને, વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે! શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડ્યા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને, પાંચેય ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી. સ્થૂલભદ્રજીએ એ મહાનું અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – अंतरंग-रिपु-कटक-भट, सेनानी बलवंत, इन्द्रिय क्षण में हरत है, श्रुतबल अतुल अनंत । For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वद्रष्टिर्विलीयते । ६१ ।। : અર્થ : સ્વેચ્છાચારી ઇન્દ્રિયોરૂપી અશ્વોના ઉદ્ધત (નિર્બંધન) પગલાંથી ઊડેલી રજ વડે ‘તત્ત્વદૃષ્ટિ' લોપાય છે. સામ્યાતક : વિવેચન : ધુળેટીયો રસ્તો હોય અને સ્વેચ્છાચારી નિર્બંધન ઘોડા દોડતા હોય, ત્યારે જે ધૂળ ઊડે, એ ધૂળથી આંખો ભરાઈ જાય, દેખાતું બંધ થઈ જાય. એવી રીતે આ ભવના મારગ પર સ્વેચ્છાચારી ઇન્દ્રિયોના અશ્વો, નિર્બંધન બનીને દોડે છે ત્યારે રજોગુણની ધૂળથી તત્ત્વષ્ટિ લોપાઈ જાય છે. તત્ત્વદ્રષ્ટિ! મોક્ષમાર્ગની આરાધનામાં તત્ત્વદૃષ્ટિનું અસાધારણ મહત્ત્વ હોય છે. આત્મસામ્રાજ્યનું દર્શન તત્ત્વદૃષ્ટિથી જ થઈ શકે છે. વૈરાગ્ય-સંપત્તિ, તત્ત્વદ્રષ્ટિથી જ મળી શકે છે. તત્ત્વદૃષ્ટિથી જ આ બધી ભવની ભ્રાન્તિઓ દૂર થાય છે. તત્ત્વદૃષ્ટિથી જ જગતનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થાય છે. તમારી પાસે જ્યાં સુધી તત્ત્વદૃષ્ટિનો ઉઘાડ હશે ત્યાં સુધી એક પણ ઇન્દ્રિયનો વિકાર તમારા મનમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આ તત્ત્વષ્ટિનો મહાન્ ઉપકાર છે. આવી પરમ ઉપકારી તત્ત્વદૃષ્ટિને ભય એક માત્ર ઇન્દ્રિયોના ઉદ્ધત અને ઉન્મત્ત આચરણનો છે. એટલે ઇન્દ્રિયોના અશ્વોને છૂટા મૂકી દેવાના નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે अनियत चंचलकरण हय, पद-प्रवाह रजपूर, आशाछादत करत है, तत्त्वद्रष्टि बल दूर । For Private And Personal Use Only ‘આશા' એટલે દિશા. હય એટલે અશ્વ. અશ્વોના પદ-પ્રહારથી જે રજ (ધૂળ) નું પૂર ઊછળે છે, તે દિશાઓને ઢાંકી દે છે અને તત્ત્વદૃષ્ટિનું બળ તોડી નાંખે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતક इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान्। जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् ।।६२ ।। : અર્થ : કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. :વિવેચન : કામદેવ! કામસુભટ! કામવાસના! કામદેવ સમગ્ર જગત ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એ વાત ગ્રંથકાર આલંકારિક શૈલીથી સમજાવે છે. કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો.) સાથે લડે છે, જીતે છે અને છાતી ઉપર પગ મૂકે છે! મેનકાએ વિશ્વામિત્ર જેવા કપિ પર કેવી રીતે વિજય મેળવ્યો હતો? પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણોથી જ ઋષિને ઘાયલ કરી દીધા હતા અને ઋષિને વશ કરી લીધા હતા. મધુર ગીત, કટાક્ષ ભરેલું સ્મિત... અંગોપાંગોના હાવભાવ... અને ભોગપભોગ માટેની પ્રાર્થના.. પાંચેય ઇન્દ્રિયોની જરૂર નહીં, બે-ત્રણ ઇન્દ્રિયોનાં બાણો જ પર્યાપ્ત થઈ જતાં હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની ભાષામાં - पंच बाण इन्द्रिय करी, कामसुभट जग जीती, सब के शिर पद देत है, गणे न कोसु भीति । આ અજેય સુભટ કામદેવ, જેના પર ત્રાટકે છે એને પછાડીને એના માથે પગ મૂકે છે. અર્થાતુ પાંચ ઇન્દ્રિયોનાં બાણોથી એ ધારે એને ઘાયલ કરી શકે છે. અપવાદરૂપ સ્થૂલભદ્ર મુનિ, ઝાંઝરિયા મુનિ કે સુદર્શન શેઠને છોડી દો! બાકી કામદેવે કેવા – કેવા ઋષિ-મુનિઓને પણ પછાડી દીધા છે? કામદેવની શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. જે સાધક સમભાવથી આ ઇન્દ્રિયોને જીતી લે છે, તેના ઉપર કામદેવનું કંઈ ચાલતું નથી. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ સાગ્યશતક वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ।।६३ ।। અર્થ : મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત તે તેટલાથી જ પૂર્ણ છે! વિવેચન : કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે. તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા! તેથી હવે એને બીજા સૈનિકોની બટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર? કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય! પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દૃઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत, करे न संख्या-पूरणी सुभट-सेणी की तंत। સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી શાસન કરે છે! એને બીજા વધારે સૈનિકોની જરૂર જ નથી. એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજ વી. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સાભ્યાતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अहो संकल्पजन्मायं विधाता नूतनः તિ क्लेशजं दुःखमप्येतद्विधत्ते यस्तु सुखाख्यया ।। ६४ ।। : અર્થ: અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ક્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે. : વિવેચન : કામવાસના સંકલ્પ (વિચાર)માંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે ‘કામદેવ’ સંકલ્પજન્મા છે. ૬૫ કામવાસનાને પરવશ જીવ, દુ:ખને પણ સુખરૂપે સમજે છે. ક્લેશમય દુ:ખને પણ સુખ માને છે. આ કામવાસના જીવને ભ્રમિત કરતી રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે दुःख सब ही सुख विषय को, कर्मव्याधि- प्रतिकार, ताकुं मन्मथ सुख कहे धूर्त जगत दुःखकार । વૈયિક સુખ દુઃખરૂપ જ છે; પરંતુ મન્મથપરવશ જીવ એને સુખ માને છે. માટે જગતમાં મન્મથને - કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે માટે તે ધૂર્ત છે. જ્ઞાની-યોગી પુરુષોની દૃષ્ટિએ કામવાસના દુઃખરૂપ છે, પરંતુ અજ્ઞાની અને ભોગ લોકોની દૃષ્ટિએ એ વાસના સુખરૂપ મનાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે આલંકારિક ભાષામાં કામદેવને નવી જાતના વિધાતા તરીકે વર્ણવ્યો છે! લોકપ્રસિદ્ધ વિધાતા તો સુખને સુખરૂપે ઓળખાવે છે અને દુ:ખોને દુઃખરૂપે ઓળખાવે છે. જ્યારે આ કામદેવ એવો વિધાતા છે કે જે દુઃખને સુખરૂપે ઓળખાવે છે! For Private And Personal Use Only માલવપતિ મુંજ જેવો વિદ્વાનુ રાજા પણ આ કામદેવના ફંદામાં ફસાઈને દુઃખરૂપ કામવાસના (પરસ્ત્રીજન્ય)માં સુખ માની બેઠો હતો. એના પરિણામે ભયંકર મોતને પામ્યો હતો. હાથીના પગ નીચે ચગદાઈને મર્યો હતો. Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति। दुःखं सुखतयादर्शि येन विधप्रतारिणा ।।६५ ।। : અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે, કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે. વિવેચન : કામદેવ વિષમ' બાણવાળો છે. વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ. જેમ ઠગારો - ધુતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપ બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ ઠગે છે, માટે તે ઠગારો છે, ધુતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધુતારો નથી, ધુતારા લોકોનો રાજા છે! એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે “વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે! દુનિયા એનાથી છેતરાતી રહી છે, એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કાંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી. અલબત્ત, આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે; પરંતુ જ્યાં સુધી એ જીવના અંકુશમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર , જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઊતરતો જાય છે.... છેવટે એનો સર્વનાશ થાય છે. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભ્યશતક यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः। सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ।।६६ ।। : અર્થ : ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મસલતામાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ, પોતાની સ્થિરતા કેમ ઇચ્છતો હશે? :વિવેચન : પ્રાચીન ભારતીય રાજનીતિમાં, સ્ત્રીનું સ્થાન નગણ્ય હતું. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન મળતું ન હતું. જે રાજા પોતાના પ્રધાનમંડળમાં સ્ત્રીને પ્રધાનપદ આપતો હતો તેનું રાજ્ય સલામત રહેતું ન હતું. રાજનીતિમાં સ્ત્રીની સલાહ લેવામાં આવતી ન હતી. અપવાદરૂપે કોઈ રાજા, એવી વિદુષી સ્ત્રીની સલાહ લેતો, એ જુદી વાત છે. પ્રસ્તુતમાં રાજનીતિની વાત નથી. પ્રસ્તુતમાં તો કામદેવના સામ્રાજ્યની વાત છે! કામદેવનું તો સમગ્ર પ્રધાનમંડળ સ્ત્રીઓનું બનેલું છે! કામદેવની સલાહકાર બધી સ્ત્રીઓ જ છે... અને તે છતાં અસંખ્ય વર્ષોથી કામદેવ આ વિશ્વ પર રાજ્ય કરે છે! વિશ્વ પર જામીને બેઠો છે! સ્થિર થઈને બેઠો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जा के राज-विचारमें अबला एक प्रधान, सो चाहत है सर्वजय, कैसे काम तमाम? જે કામદેવના રાજ્યમાં, રાજકીય સલાહમાં સ્ત્રી-પ્રધાન છે, તે આ વિશ્વમાં વિજય ઇચ્છે છે, તે કેવી રીતે શક્ય છે? કામદેવે એ શક્ય કરી બતાવ્યું છે. સ્ત્રીના માધ્યમથી જ એણે વિશ્વ પર વિજય મેળવ્યો છે... એક માત્ર જ્ઞાની પુરુષો ઉપર એનું કાંઈ ઊપજતું નથી. જેમના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો હોય છે, તેઓ કામવિજેતા બને છે. સામાન્ય શ્રુતજ્ઞાની ત વિષયોની ઇન્દ્રજાળમાં ભ્રમિત થઈ જાય છે. જેમ દિમોહ થાય છે તેમ વિષયભ્રમ થાય છે. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સામ્યશતક दर्शयन्ति स्वललितैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ।।६७ ।। : અર્થ : જે સ્ત્રીઓ, પોતાના હાવભાવથી અસત્યને સત્યરૂપે બતાવી શકે છે, એવી એ (સ્ત્રીઓ) ઇન્દ્રજાળ રચવામાં નિપુણ હોય છે. એ સ્ત્રીઓ વિશ્વાસપાત્ર કેમ ગણાય? :વિવેચન : સ્ત્રીઓનો એવો એક ઇતિહાસ છે કે, - જેમણે સાવ અસત્ય વાતને સત્યરૂપે સિદ્ધ કરી છે, - જેમણે મોહક ઇન્દ્રજાળ રચીને પુરુષોને ફસાવ્યા છે.... - જેમણે પુરુષો સાથે વિશ્વાસઘાત કર્યો છે! આ બધું જાણ્યા પછી, ગ્રંથકાર પૂછે છે કે આવી સ્ત્રીઓ પર વિશ્વાસ કેમ કરાય? ન જ કરાય. આ એક સર્વસામાન્ય (જનરલ) વાત છે. અપવાદરૂપે એવી સ્ત્રીઓ હોય છે કે જે વિશ્વાસને નિભાવે છે. જે મોહની ઇન્દ્રજાળ રચતી નથી કે અસત્યને સત્યરૂપે સિદ્ધ કરતી નથી. સામાન્ય સ્ત્રીને લક્ષ્ય બનાવીને ઉપાધ્યાયજી કહે છે – दाखे आप विलासकरी जूठेकु भी साच, इन्द्रजाल पर कामिनी, तासुं तुं मन राच । हसितफूल पल्लव-अधर, कुचफल कठिन विशाल, प्रिया देखी मत राच तुं, या विषवेली रसाल । સ્ત્રી એક વિષવેલ છે, સ્ત્રીનું હાસ્ય ફૂલ છે. પલ્લવ એના હોઠ છે અને એના કઠિન - વિશાલ સ્તન ફળ છે! એવી સ્ત્રીને જોઈને હે મુનિ, તું રાચીશ નહીં.' આગળ વધીને કહે છે - चर्ममढित है कामिनी, भाजन मूत-पुरीख, काम-कीट आकुल सदा, परिहर मुनि! गुरुशीख । સ્ત્રીના ઉપર માત્ર સુંદર ચામડી મઢેલી છે. બાકી અંદર તો મૂત્ર અને વિષ્ટા જ ભરેલી છે. વાસનાના કીડા ખદબદે છે. હે મુનિ, તું એવી સ્ત્રીનો ત્યાગ કર. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निजलालाविलं लीढे यथा वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा । । ६८ ।। : અર્થઃ જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવાં સૂકાં હાડકાંને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. :વિવેચનઃ ૬૯ સૂકાં હાડકાંમાં રસ નથી હોતો, છતાં કૂતરો એમાં રસ માનીને મજેથી ચાટે છે! વાસ્તવમાં, એ હાડકું કૂતરાની પોતાની લાળથી ખરડાયેલું હોય છે.... કૂતરો એ પોતાની લાળને જ ચાટીને રાજી થાય છે. પરંતુ અજ્ઞાનતાથી એ સમજે છે કે, ‘આ હાડકામાં રસ છે!' મનુષ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે. સુખ માનીને ભોગવે છે.... પરંતુ આ મનુષ્યની અજ્ઞાનતા છે. વિષયમાં ખરેખર, કોઈ રસ હોતો જ નથી. મનુષ્યની જે સુખની વાસના છે, એ વાસનાના કારણે વિષયોમાં સુખ માને છે. વાસના દૂર થઈ ગયા પછી વિષયોમાં સુખ-દુઃખની કોઈ લાગણી પેદા થતી નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – चाटे निज लाला मिलित, शुष्क हाड ज्युं श्धान, तैसे राचे विषयमें, जड़ निज रुचि अनुमान । જડબુદ્ધિ મનુષ્ય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પોતાની વાસનાના કારણે રાચે છે. વાસના બે પ્રકારની હોય છેઃ સુખની અને દુઃખની, સુખની વાસનાથી ખુશ થાય છે, દુ:ખની વાસનાથી નાખુશ થાય છે અને જ્યારે વાસનાથી મુક્ત થાય છે ત્યારે સુખ-દુ:ખની કલ્પનાઓ દૂર થઈ જાય છે. For Private And Personal Use Only ગ્રંથકાર સમજાવે છે કે વિષયોમાં સુખ-દુઃખ ન માનો. તમારી વાસના જ સુખ - દુઃખરૂપ છે. સુખ-દુઃખની કલ્પનાઓથી મનને મુક્ત કરવાનું છે. તે માટે સમતાનો, સામ્યભાવનો અભ્યાસ કરતા રહો. Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । आत्मानमात्मनैवाहो, वंचयन्ते जड़ाशयाः ।।६९ ।। : અર્થ : જડબુદ્ધિના પુરુષો, ઊંચી જાતના કેશર વગેરેથી પોતાના શરીરને શણગારીને, આત્માથી જ આત્માને ઠગે છે! વિવેચન : આ શરીર અશુચિથી ભરેલું છે. મળ-મૂત્ર, માંસ-મજ્જા, લોહી અને હાડકાં વગેરે ગંદા પદાર્થોથી ભરેલું છે. એના ઉપર કાળી-ગોરી ચામડીનું આવરણ માત્ર છે.... આવા શરીરને રોજ નવરાવીને એના ઉપર સુગંધી વિલેપનો કરવા, એવા શરીરને સુંદર વસ્ત્રાલંકારોથી શણગારવું.. એમાં બુદ્ધિમત્તા નથી, પરંતુ બુદ્ધિની જડતા છે! કારણ કે શરીરના આવા બધા શણગારથી, શરીરની અશુચિતા દૂર થતી જ નથી. શરીરમાં ભરેલી ગંદકી યથાવતું રહે છે. પછી શા માટે બધા શણગાર કરવા? શા માટે સુગંધી સેંટ-ઈસેંસ ચોપડવા? શા માટે પફ-પાવડરના લપેડા કરવા? જો તમે શરીરની શોભા કરો છો, શરીરને સજાવો છો, તો તમે ખરેખર, તમારી જાતને જ છેતરો છો! તમે સ્વયે તમારા આત્માને ઠગો છો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે – शोभन बहु बनावते, चंदन चरचत देह, वंचत आप ही आपकुं जड़ धरी पुद्गलनेह। પુદ્ગલ સાથેના પ્રેમ, જડબુદ્ધિનું કામ છે. શરીર પુદ્ગલ છે. શરીર પર પ્રેમ રાખવાનો નથી. શરીરની શોભા કરવાની નથી. શરીરર્થી આત્મા જુદો છે. શરીરમાં વ્યાપીને રહેલો છે, છતાં શરીરથી જુદો છે. એ આત્માની સંભાળ લેવાની છે. એ આત્માને ક્ષમા વગેરે ગુણોથી શણગારવાનો છે. આત્મા ઉપર લાગેલાં કર્મોનાં બંધનો તોડવાનાં છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः । ।७० ।। :અર્થ: દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી, ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ, એમ મારું (ગ્રંથકારનું) માનવું છે. :વિવેચનઃ ૭૧ મનને જીતવું, ઘણું દુઃખદાયી છે. ઘણું મુશ્કેલ છે, પરંતુ જો તમે મનને જીતી લો, તો ઇન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞા માને છે. દુર્રાન્ત મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થંકર ભગવંતોએ તત્ત્વ-અભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસરાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે! ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો. મનોજય ક૨વા તત્ત્વચિંતન કરો. તત્ત્વચિંતન કરવા તત્ત્વોનો અભ્યાસ કરો. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષઆ નવ તત્ત્વોનું ચિંતન કરતા રહો. કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી ચિંતન કરવાની કળા શીખી લો. આ તત્ત્વચિંતનથી અવશ્ય તમે મનોવિજય મેળવી શકશો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ જ વાત કહી છે - दुर्दमन के जय किये, इन्द्रिय जग सुख होत, तात मन जय करन कुं, करो विचार - उद्योत । ‘વિચાર-ઉદ્યોત' એટલે તત્ત્વચિંતન. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભ્યશતક संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । स्वान्तदंती वशं याति वीतकर्मानुशासनात् ।।७१ ।। વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છંદપણે ફરનારો મનરૂપી હાથી, કર્મરહિત વીતરાગના શાસનથી વશ થાય છે. વિવેચનઃ પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોનું એક મોટું નગર છે! એ નગરના સીમાડામાં મનરૂપી હાથી સ્વચ્છંદપો, ઉન્મત્ત બની ફરતો રહે છે. મનને ઉન્મત્ત-સ્વછંદી હાથીની ઉપમા આપી છે. એને સામાન્ય મહાવત વશ નથી રાખી શકતો. એનું અનુશાસન વીતરાગનું શાસન જ કરી શકે છે. અર્થાત્ વીતરાગ ભગવંતની વાણીનું શ્રવણ કરવાથી “તત્ત્વ-વિચાર' પ્રાપ્ત થાય છે. તત્ત્વવિચારથી મનની ચંચળતા દૂર થાય છે. તો જ મનને વશ કરી શકાય છે. મનનો હાથી વીતરાગ શાસનથી જ વશ કરી શકાય ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અનુવાદ આ રીતે કર્યો છે - विषयग्राम की सीममें, इच्छाचारी चरंत, जिन-आणा अंकुश धरी, मन-गज वश करो संत। જિનાજ્ઞાના અંકુશથી મન-ગજને વશ કરો! અર્થાતુ મનને જ્ઞાનથી જ વશ કરી શકાય છે, એ તાત્પર્ય છે. જિનવાણીનું સદ્ગુરુના મુખે પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું આ એક દૈનિક કર્તવ્ય બતાવવામાં આવેલું છે. વધુમાં વધુ સમય જિનોક્ત તત્ત્વોના શ્રવણ, મનન, ચિંતનમાં પસાર કરવો જોઈએ, તો મનનું વશીકરણ થઈ શકે, મન પવિત્ર રહે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકવાનું ઓછું થાય. વિષયોની નિઃસારતાનો જેમ જેમ બોધ વધતો જાય, તેમ તેમ મન વિરક્ત બનતું જાય અને તત્ત્વચિંતનમાં લીનતા વધતી જાય. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ।।७२।। : અર્થ : યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે, તે ખોટું છે. કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ ફરે છે. :વિવેચન : મનની ગતિ, પવનની ગતિ કરતાં વધારે છે. આ વાત ગ્રંથકારને કહેવી છે. એ માટે તેઓ મન અને પવનની ગતિની સમાનતાનું ખંડન કરે છે! પવનની ગતિ કરતાં મનની ગતિ અતિશય વધારે છે. એ પણ વિષયોમાં! પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોમાં મનના આ અતિ પરિભ્રમણનાં અનેક નુકસાનો છે. એ મનની ગતિ ઓછી કરવી જોઈએ. મનના પરિભ્રમણનું ક્ષેત્ર બદલી નાંખવું જોઈએ. તે માટે કેટલીક સાવધાનીઓ જરૂરી છે – - શ્રવણ-દર્શન-અધ્યયન અને ભોજનમાં સાવધાન રહો. - વિધેયાત્મક વિચારો કરતા રહો. - કર્તુત્વ-ભોસ્તૃત્વના વિચારો ન કરો. - મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવતા રહો. - મંત્રજાપ અને પરમાત્મધ્યાન કરતા રહો. - માનસિક તનાવથી બચતા રહો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. एक भाव मन-पवनको, जूठ कहे ग्रंथकार, या ते पवन हि ते अधिक, होत चित्त को चार। પવન કરતાં મનની ગતિ ઘણી વધારે છે. એવા મનનું વશીકરણ અને સ્થિરીકરણ કરવું અતિ આવશ્યક છે. એ માટે ઉપર બતાવેલા હુ ઉપાયો કરવા જ રહ્યા. સ્થિર અને પવિત્ર મન, આત્માને મુક્તિની નિકટ લઈ જાય છે. અસ્થિર અને ગંદું મન જીવને નરકમાં લઈ જાય છે. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૭૪ चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ।।७३ ।। : અર્થ : હે આત્મનું, સર્વ પદાર્થોમાં ઇન્દ્રિયો સ્વાર્થથી જે રાગ-દ્વેષ કરે છે, તેમાં તું જે કર્તુત્વનું અભિમાન રાખે છે, તેથી તે બુદ્ધિમાન કેમ ગણાય? અર્થાતુ ન જ ગણાય. વિવેચન : પૂછો, તમારા આત્માને પૂછો - પદાર્થોમાં રાગ-દ્વેષ ઇન્દ્રિયો કરે છે, અને કર્તુત્વનું પ્રિય - અપ્રિયની કલ્પનાઓ) અભિમાન તું રાખે છે, શું તે બુદ્ધિમત્તા છે?' હા, જે પદાર્થો, જે વિષયો ઇન્દ્રિયોને પ્રિય હોય છે, તેમાં તે રાગ રાખે છે અને જે અપ્રિય હોય છે, તેમાં તે દ્વેષ રાખે છે.... ઇન્દ્રિયો ખરેખર સ્વાર્થી છે. તે છતાં અજ્ઞાની જીવાત્મા ઇન્દ્રિયોના રવાડે ચઢીને સ્વયં એ વિષયોમાં પ્રિયઅપ્રિયની કલ્પનાઓ કરે છે! મને આ પ્રિય છે,” “મને આ અપ્રિય છે.” આવું કર્તુત્વનું અભિમાન રાખવું મિથ્યા છે. ઇન્દ્રિયો ભલે વિષયોમાં રાગ-દ્વેષ કરે, આત્માએ રાગ-દ્વેષ નથી કરવાના. આત્માએ તો વિચારવાનું છે કે “કોઈ વિષય સારો નથી કે નરસો નથી. સારાનરસાની માન્યતાઓ ઇન્દ્રિયોની છે. હું તો વીતરાગ છું. મને નથી રાગ, નથી દ્વેષ. હવે હું પ્રજ્ઞાવંત છું, બુદ્ધિમાન છું. મારાથી હવે ઇન્દ્રિયોની જેમ રાગ-દ્વેષ ન કરાય.’ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - केवलता में कर्म को, राग द्वेष को बंध, पर में निज अभिमान धर, क्या फिरत हो अंध.... જે વિષયોનો આત્મા કર્તા નથી કે ભોક્તા નથી, તે વિષયોમાં અપનત્વનું અભિમાન કરનારને ઉપાધ્યાયજી આંધળો કહે છે! આત્મા જ વિષયોથી વિમુખ બની રાગ-દ્વેષ કરવાનું છોડી દે, તો ઇન્દ્રિયો પણ શાન્ત થાય. વિષયો તરફ દોડતી અટકી જાય. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યશતક अवधत्से यथा मूढ! ललना-ललिते मनः । मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ।।७४ ।। : અર્થ : હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મૈત્રી વગેરે ભાવનાઓમાં રાખ, અને તારા આત્માનું હિત કર. :વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રમુખ વિષય છે સ્ત્રી! આ વિશ્વમાં અનાદિકાળથી “સ્ત્રી' એવો આકર્ષક વિષય રહેલો છે કે પુરુષ, અજ્ઞાની પુરુષ એના પ્રત્યે આકર્ષાયેલો રહે છે. જો કે પુરુષમાં રહેલું પુરુષવેદ' નામનું મોહનીય કર્મ જ એને સ્ત્રી તરફ ઉશ્કેરે છે, મોહિત કરે છે અને એના મન-વચન-કાયાને વાસનાથી રંગી દે છે. એવી જ સ્થિતિ પક્ષ પ્રત્યે સ્ત્રીની હોય છે. સ્ત્રીમાં રહેલું “સ્ત્રીવેદ’ નામનું મોહનીય કર્મ સ્ત્રીને પુરુષ તરફ આકર્ષે છે ને મોહિત કરે છે. સ્ત્રી, પુરુષવાસનાથી રંગાઈ જાય છે. ગ્રંથકાર કહે છે : સ્ત્રીના વિવિધ વિલાસોમાં તારા મનને ન જડ. તારું મન મૂલ્યવાન છે. એનો સદુપયોગ કર. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ આ ચાર ભાવનાઓમાં મનને જોડ. મનમાં આ ભાવનાઓની રમણતા કર. - બીજા જીવોના હિતનો વિચાર કર. - બીજા જીવોનું સુખ જોઈને રાજી થા. - બીજા જીવોનાં દુઃખોને દૂર કરવાનો વિચાર કર. - બીજા જીવોના અપરિહાર્ય દોષોની ઉપેક્ષા કર. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – जैसे ललना-ललित में भाव धरत है सार, तैसे मैत्री प्रमुख में, चित्त धरी कर सुविचार । ગ્રંથકારે મનને વિષયોથી મુક્ત રાખવા માટે મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરવાનો, શ્રેષ્ઠ ઉપાય સૂચવ્યો છે. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ડ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मन्येव हि नेदिष्टे निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ ! सतृष्णायामिवैणकः ।। ७५ ।। : અર્થ: ઝાંઝવાના જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ હે મૂઢ જીવ, તારા આત્માની અંદર જ સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે? : વિવેચન : ભોળું હરણ! હરણને પાસે રહેલું પાણી ભરેલું તળાવ દેખાતું નથી.... એને દૂર દૂર ઝાંઝવાનાં જળ દેખાય છે.... એ પીવા એ દોડે છે.... બળબળતા તાપમાં દોડે છે. પાણી નથી મળતું.... જ્યાં સુધી સૂર્યનાં કિરણો રણની રેતી ઉપર પડતાં રહે છે, પાણીનો ભ્રમ ઊભો રહે છે, ત્યાં સુધી હરણ દોડ્યા કરે છે.... છેવટે થાકીને......... ઘોર તૃષામાં મરણને શરણ થાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે . – સામ્યશતક મૂઢ જીવની પણ એવી જ સ્થિતિ થાય છે. પોતાની નજીક.... પોતાની અંદર જ સહજ અનંત સુખ રહેલું છે, તે એને દેખાતું નથી. એને દૂરનાં વૈયિક સુખો દેખાય છે, એ સુખો મેળવવા અને ભોગવવા, જન્મથી મૃત્યુ સુધી દોડતો રહે છે.... કૃત્રિમ અને નિઃસાર વિષયસુખોથી જીવને ક્યારેય તૃપ્તિ થતી નથી. અતૃપ્તિ અને આસક્તિના પરિણામે એ મૂઢ જીવ દુઃખી-દુ:ખી થઈ જાય છે, અને મોતને શરણ થાય છે. દુર્ગતિમાં ચાલ્યો જાય છે. बाहिर बहुरि कहा फिरे, आपहि में हित देख, मृगतृष्णा सम विषय को, सुख सब जानी उवेरव । For Private And Personal Use Only - વૈષયિક સુખોને મૃગતૃષ્ણા જેવાં સમજો, - મૂઢતાને દૂર કરી, એ વિષયસુખોનો ત્યાગ કરો, અને તમારા આત્મામાં રહેલા સહજ ને શાશ્વતૂ સુખને જાણો. મૂઢતા દૂર થશે તો જ આત્માની ભીતર દૃષ્ટિ જશે અને ભીતરમાં સુખનો મહાસાગર દેખાશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક प्रियाप्रियव्यवहतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसंमतम् ।।७६।। : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાવિક નથી.) કેમ કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂ કે લીખ અપ્રિય લાગે છે. વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા.... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દૃષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી! એવી રીતે અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ છે : - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! - એક સમયે ગમતી પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે – प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही। કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિયઅપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્પશતક इदं कृत्रिमकपूरकल्पं संकल्पजं सुखम् । रंजयत्यंजसा मुग्धानांतरज्ञानदुःस्थितान् ।।७७ ।। : અર્થ : બનાવટી કપૂરના જેવું, સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, આંતરજ્ઞાનરહિત મુગ્ધ જીવોને તત્કાળ રાજી કરે છે. :વિવેચન : બનાવટી કપૂરની સુગંધ અલ્પકાલીન હોય છે, એવી રીતે વિચારોમાંથી જનમતું સુખ પણ ક્ષણજીવી હોય છે. આવું ક્ષણજીવી પણ સુખ, અજ્ઞાની – મૂઢજીવોને ગમતું હોય છે. ‘તત્કાળ તો સુખ મળે છે ને!” બસ, અજ્ઞાની જીવો રાજી થઈ જતા હોય છે. જ્ઞાની પુરુષો ક્ષણિક સુખોમાં રાજી નથી થતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – भवको सुख संकल्प-भव, कृत्रिम जिसो कपूर, रंजत है जन मुग्ध कुं, वर्जित ज्ञान-अंकूर। સંસારનાં બધાં સુખ કૃત્રિમ કપૂર જેવાં હોય છે. પાંચ ઇન્દ્રિયોનાં બધાં જ વૈષયિક સુખ બનાવટી કપૂર જેવાં છે. એમાં જ્ઞાની પુરુષો રાજી થતા નથી. જેમને “આંતરજ્ઞાન' પ્રાપ્ત થાય છે, તેવા જ્ઞાની પુરુષોને અંતરાત્મામાં રહેલું આત્મજ્ઞાન જ પ્રિય હોય છે. અને, આત્મજ્ઞાની પુરુષોને આંતરસુખ ગમતું હોય છે. અર્થાત્ જે સુખ મૂઢ-અજ્ઞાની જીવોને ગમે છે, તે ક્ષણિક સુખ આત્મજ્ઞાની પુરુષોને ગમતું નથી અને આત્મજ્ઞાની પુરુષોને જે સુખ ગમે છે તે મૂઢ જીવોને ગમતું નથી વિચારો-વિકારોમાંથી જનમતી સુખની કલ્પના ક્ષણિક હોય છે. પછી દીર્ઘકાલીન દુઃખ આવે છે. ક્ષણિક સુખોમાં રાજી થનારા મૂઢ જીવો પછીથી લાંબા કાળ સુધી દુઃખી થતા હોય છે. વળી, કલ્પનાજન્ય સુખો પણ કર્મોને આધીન હોય છે, ઇચ્છા મુજબ મળતાં નથી. માટે એવાં સુખોની ઇચ્છા ન કરો. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ममत्वं नाम भावेषु वासनातो, न वस्तुतः । औरसादपरत्रापि पुत्रवात्सल्यमीक्ष्यते ।।७८ ।। : અર્થ: પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે. : વિવેચન : ૯ ‘આ વસ્તુ મારી છે.’ માટે વસ્તુમાં મમત્વ થાય છે. મારાપણાની વાસના, મારાપણાની આસક્તિ મમત્વનું કારણ છે. એવી રીતે જે વસ્તુ, જે વ્યક્તિ તમારી ન હોય, છતાં જો એના તરફ પ્રિયત્વની વાસના જાગે તો, એ વસ્તુ કે એ વ્યક્તિ ઉપર મમત્વ જાગે છે. તમારા પુત્ર ઉપર વાત્સલ્ય જાગે છે, તેમ જે બાળક તમારું ન હોય એના ઉપર પણ પુત્રવત્ વાત્સલ્ય જાગે છે. - તમારી પત્ની ઉપર પ્રેમ હોય છે, તેમ જે સ્ત્રી તમારી નથી, એ પણ જો તમને ગમે છે તો પત્નીવત્ પ્રેમ જાગે છે. વાસના ‘મારા-તમારાનો' વિચાર કરતી નથી. વાસના એટલે વાસના! જે આપણું હોય એના પર મમત્વ થાય અને જે આપણું ન હોય, એના ઉપર પણ મમત્વ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે गुन ममकार, न वस्तु को, सो वासना निमित्त, माने सुत में सुत अधिक, वोरत है हित चित्त । સ્વપદાર્થમાં જેમ મમત્વની વાસના નથી રાખવાની, તેમ પર પદાર્થમાં પણ પ્રિયત્વની વાસના નથી રાખવાની. જો પ૨૫દાર્થ તમને પ્રિય લાગશે તો તે મેળવવાની વાસના જાગશે. એ વાસના ખતરનાક હોય છે. એમાં ય For Private And Personal Use Only પરધન અને પરસ્ત્રી આ બે વસ્તુ ક્યારેય ગમવા દેશો નહીં. એમાં પ્રિયત્વની વાસના બંધાવા દેશો નહીં, નહીંતર તમારો વિનાશ થશે. Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाधादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ।। ७९ ।। : અર્થ: જીવની વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધા પછી, મમતા કેમ જતી રહે છે? : વિવેચન : સામ્યશતક મન જે પદાર્થો પર મમતા કરે છે, તે સાચી નથી હોતી, વાસ્તવિક નથી હોતી. કારણ કે તે વસ્તુનિષ્ઠ નથી હોતી, મનઃ કૃત હોય છે. જો વસ્તુનિષ્ઠ હોય તો તે કાયમ રહેવી જોઈએ, પરંતુ તે કાયમ નથી રહેતી. જ્યાં સુધી મનની મમતા હોય છે ત્યાં સુધી જ રહે છે. જે મકાન, જે ગાય-ભેંસ, જે ગાડી-ઘોડા, કાર-સ્કૂટર.... પોતાના હોય છે, ‘આ બધું મારું,' આવી વાસના હોય છે, ત્યાં સુધી મમત્વ રહે છે, રાગદ્વેષ થાય છે, પરંતુ એ બધું વેચાઈ ગયા પછી મમત્વ રહેતું નથી! કારણ કે મનઃકૃત વાસના ચાલી ગઈ છે! ગ્રંથકાર આ વાત વારંવાર, જુદાં જુદાં દૃષ્ટિકોણથી સમજાવે છે કે વિષયોમાં સુખ કે દુઃખ નથી, તમારા મનની કલ્પનામાં સુખ-દુઃખ રહેલાં છે. કોઈ વિષય સારો-ન૨સો નથી. સારા-નરસાની કલ્પનાઓ તમારા મનની છે! રાગ-દ્વેષ તમારું મન કરે છે.... ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : मनकृत ममता जूठ है, नहीं वस्तु पर जाय, नहिं तो वस्तु विकायथें, क्युं ममता मिट जाय? For Private And Personal Use Only બધી માયા મનની છે. મનના વિકારો, મનના વિલાસો જ રાગ-દ્વેષ અને મોહ કરાવે છે, કર્મબંધ કરાવે છે અને સંસારની ચાર ગતિમાં ભટકાવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ।।८।। અર્થ : જેમાં, આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ ક્યાં છે? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.) ': વિવેચન : એક અપેક્ષાએ દ્રૌસત્ય નાાિ આ કથન સત્ય છે - એમ ગ્રંથકાર કહે છે. “આ વિશ્વ માયામય છે.... સાચું નથી...” તો પછી, આ વિશ્વમાં કાંઈ બગડી જાય, કાંઈ નાશ પામી જાય ... કાંઈ ચોરાઈ જાય... તો શોક શા માટે કરવાનો? યાદ રાખો – “આ વિશ્વ... જે ચર્મચક્ષુથી દેખાય છે, તે મિથ્યા છે.... માયા છે... ઇન્દ્રજાળ છે... ખોટું છે....આ વિવેકદૃષ્ટિથી હંમેશાં જોશો તો તમારા મનમાં ક્યારેય શોક નહીં થાય, વિષાદ નહીં જન્મે. હે આત્મનુ, તમે તો તમારા આત્મગુણોમાં જ રાચો! સમતાને ઘટમાં રાખીને સદૈવ આનંદમાં રહો! પરપદાર્થોમાં જેને રાચવું હોય તેને રાચવા દો! મિથ્યા જગતમાં રાચવું હોય તેને રાચવા દો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - पर में राचे पररुचि, निजरुचि निज गुणमाही, खेले प्रभु आनंदघन, धरी समता गले बांहि, मायामय जग को कह्यो, जहाँ सब ही विस्तार, ज्ञानीकुं होवत कहाँ, तिहाँ शोक को चार। આ વિશ્વમાં કાંઈ પણ ઘટે, કાંઈ પણ બને, તમે શોક ન કરો. તમે હર્ષ ન પામો. આ વિશ્વ માયામય છે, અસત્ય છે. તેમાં વિવેકી પુરુષ હર્ષ-શોક ન કરે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૨ www.kobatirth.org धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृंभते ।। ८१ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir :અર્થ: આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. : મોહ+અજ્ઞાન = અવિદ્યા = વિવેચનઃ આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે. અવિઘા મોહમયી અવિદ્યા! સામ્યશતક આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા જે મિથ્યા છે, જે અસત્ છે, તેને આ અવિદ્યા તાત્ત્વિક સમજાવે છે. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને આ અવિદ્યા અસત્ય સમજાવે છે. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે. For Private And Personal Use Only મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે. અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સતુ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસત્ સમજાય. આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિઘા, જીવને જનમ-જનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે તેને દૂર કરવા નાનો-સૂનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યા' થી ઘેરાયેલા અને જગતને તત્ત્વરૂપ માનનારા લોકોથી દૂર રહો. - અવિદ્યાની વાસનાને દૃઢ કરનારું વાંચન ન કરો, એવું સાંભળો નહીં. તમારા અંતઃકરણને જાગ્રત રાખો, Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अनादि-वासना-जालमाशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ।।८२ ।। :અર્થ : આશા-તંતુઓથી ભરેલી અનાદિ વાસના-જાળને, મહામતિ પુરુષ, સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે. :વિવેચન : - અનાદિકાલીન વાસનાજાળ ! - આશાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓથી ઠસોઠસ ભરેલી વાસનાકાળ! એ વાસનાજાળને સામાન્ય માનવી ન છેદી શકે. એને છેદી શકે મહાન મતિમાન પુરુષ, પ્રજ્ઞાવંત પુરુષ. - વાસનાજાળને છેદવાનું તીક્ષ્ણ શસ્ત્ર જોઈએ સામ્યભાવનું. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ પ્રમાણે અર્થ કર્યો છે – कूट वासना मढित है, आशातंतु वितान, छेटे ताकु शुभमति, कर धरी साम्यकृपान । હાથમાં સામ્યભાવની કૃપાણ લો અને આશા-અપેક્ષાઓથી ભરેલી વાસનાજાળને છેદી નાંખો. જો તમે પ્રજ્ઞાવંત પુરુષ છો, મહામતિ પુરુષ છો તો મનમાં સામ્યભાવ - સમતાભાવ ધારણ કરીને ઇચ્છાઓથી મુક્ત થાઓ, અપેક્ષાઓથી મુક્ત થાઓ, આશાઓથી મુક્ત થાઓ. તો જ અનાદિકાલીન વાસનાજાળ મેદાશે, છેદાશે અને આત્મા વાસનાઓથી મુક્ત બનશે. ચિત્તમાં સામ્યભાવ આવશે એટલે મનોમન નિર્ણય થશે – હવે મારે પદ્રવ્યોની આશા નથી રાખવી. હવે મારે પરપદાર્થોની અપેક્ષા નથી રાખવી. હવે મારે ઈચ્છાઓની વણઝાર ન જોઈએ.' કરી જુઓ આ નિર્ણય. તમારું મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે છે. તમારો આત્મભાવ કેવો ઉપશાન્ત બને છે, તમને ત્યારે પ્રતીતિ થશે. હૃદયમાં સામ્યભાવને સ્થિર કરો. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ।। ८३ ।। : eel: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બળાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથી) : વિવેચન : સામ્યશતક માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર! જ્ઞાનનો સૂર્ય ઊગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાનસૂર્ય આપોઆપ નથી ઊગતો, યોગી પુરુષ એ ઉગાડે છે! તે પણ સહજતાથીસરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઊગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્ય બુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્ય જ્ઞાનીઓ તો એ માયા-રાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગીપુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે નનની મોદ-બંધાર જી, માયા-રત્નની ક્રૂર, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर। For Private And Personal Use Only માયાની રાત્રિમાં ક્રૂ૨ કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોનાં એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોના એ કષાયપશુઓ કોળિયા કરી જય છે . માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો. Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अध्यात्मोपनिषद्बीजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ।।८४ ।। : અર્થ : અધ્યાત્મ જ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કાંઈ પણ જોતો નથી, તે પુરુષ આત્મતત્ત્વને જુએ છે. વિવેચન : ઉદાસીનતા! મધ્યસ્થભાવ! સામ્યભાવ! આ ઉદાસીનતામાંથી અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનીને આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે. અર્થાતુ આત્મતત્ત્વને પામવા સર્વપ્રથમ, સંસાર પ્રત્યે ઉદાસીન બનવું જ પડે, માયામય વિશ્વ તરફ મધ્યસ્થભાવ જાગ્રત રાખવો જ પડે. મોહમય અવિદ્યાને સામ્યભાવથી દૂર કરવી જ પડે. અધ્યાત્મજ્ઞાનનો ઉઘાડ થયા પછી એ પુરુષને બીજું કાંઈ જ દેખાતું નથી. સહજ રીતે એ આત્મભાવ તરફ ઢળી જાય છે. એનું સમગ્ર ચિંતન, એની સમસ્ત ક્રિયાઓ, આત્માની આસપાસ જ થતી હોય છે. आत्मानमधिकृत्य या क्रिया प्रवर्तते तदध्यात्मम् । એકવાર નિજરૂપ દેખાઈ જવું જોઈએ. પછી બીજું કાંઈ એને જોવું ગમતું નથી. એવી રીતે, જ્યારે સમગ્ર સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી ગયા પછી એને કાંઈ પણ જોવું ગમતું નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : उदासीनता मगन हुइ, अध्यातम रसकूप देखे नहीं कईं और जब, तव देखे निजरूप । મૂળભૂત વાત ગ્રંથકારે કરી છે : ઉદાસીનતાને સતેજ રાખવાની. જે પુરુષ ઉદાસીનતાને જીવંત રાખે છે, તે જ અધ્યાત્મજ્ઞાની બની શકે છે, અને એ અધ્યાત્મજ્ઞાની આત્મહત્ત્વની પ્રતીતિ કરે છે. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ સાયશતકે निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते। परमानन्दजीवाती योगेऽस्य क्रमते मतिः ।।८५।। : અર્થ : જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને, સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. :વિવેચન : પરમાનંદનું જીવન એટલે મોક્ષ. પરમાનંદનું જીવન એટલે મુક્તિ. એ મોક્ષ, એ મુક્તિ મળે છે “યોગ'ની આરાધનાથી, “સમતાયોગ થી, એ સમતાયોગ'ની પ્રાપ્તિ, અધ્યાત્મયોગ-ભાવનાયોગ અને ધ્યાનયોગની પ્રાપ્તિ થયા પછી થાય છે. સમતાયોગ એટલે અવિદ્યાકલ્પિત ઇષ્ટાનિષ્ટ વસ્તુઓમાં સમ્યજ્ઞાનથી સમતા રાખવી. અર્થાતુ ઇષ્ટમાં રાગ નહીં, અનિષ્ટમાં દ્વેષ નહીં. પરપદાર્થોની કોઈ અપેક્ષા નહીં. આવો સમાયોગ એ પુરુષને પ્રાપ્ત થાય છે કે જે નિઃસંગ બનીને સામ્યગુણને આત્મસાત્ કરે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - आगे करी निःसंगता, समता सेवत जेहु, रमे परम आनंदरस, सत्ययोग में तेहु । નિઃસંગ બનવું, સંગરહિત બનવું, એ પહેલી વાત છે. જ્યાં સુધી પરદ્રવ્યપરપુગલનો સંગ રહે છે, ત્યાં સુધી સમતાગુણ આવતો નથી. પરદ્રવ્યના સંગમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના રહે જ છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાં રાગવૈષ આવે જ. એટલે નિઃસંગ બનવું અનિવાર્ય છે. - સામ્યયોગી પરમાનંદનો અનુભવ કરે છે. - સામ્યયોગી આત્માનુભૂતિ કરે છે. - ક્રમશઃ એ શાશ્વત્ પરમાનંદનું જીવન પામે છે. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ સાગ્યશતક दंभजादपि नि:संगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ।।८६ ।। : અર્થ : આ દુનિયામાં દંભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિસગપણું નિષ્કપટ હોય, તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અર્થાત્ ન જ હોય. :વિવેચન : દંભ-સહિત નિઃસંગતા, દંભ-રહિત નિઃસંગતા. ગ્રંથકારે નિઃસંગતા બે પ્રકારની બતાવી છે અને ત્યાં સુધી કહ્યું છે કે દંભસહિત આચરેલી નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. બહારથી (દેખાવની) નિઃસંગતા હોય, પરંતુ હૃદય નિઃસંગ ન હોય. બહારથી વિરક્તિ હોય, પરંતુ અંત:કરણ વિરક્ત ન હોય. આને દંભ-સહિત નિઃસંગતા કહેવાય. આવી નિઃસંગતા જોઈને પણ આ દુનિયાના ભોળા-સરળ જીવો ઝૂકી જાય છે અને એવા દંભી નિઃસંગીઓના ચરણે સંપત્તિ ધરી દે છે. ગ્રંથકાર કહે છે કે જે દંભી નિ સંગીઓ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, તો પછી જેઓ ખરેખર, દંભરહિત નિઃસંગી હોય તેમને મુક્તિની સંપત્તિ, પરમપદની સંપત્તિ કેમ ન મળે? અર્થાતુ મળે જ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - दंभजनित असंगता इहभव के सुख देत, दंभरहित निःसंगता, कोन दूर सुख देत । ગ્રંથકાર આચાર્યદેવ, સાચી આંતર નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. જે નિઃસંગતાના પરિણામે સાચો સામ્યભાવ પ્રાપ્ત થાય અને એ સામ્યભાવના પરિણામે “સમતાયોગ'ની પ્રાપ્તિ થાય. સમતાયોગમાં સ્થિર થઈ, આત્મા કર્મરહિત બને અને પરમાનંદની પ્રાપ્તિ કરે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ સાધ્યશતક संगावेशानिवृत्तानां मा भून्मोक्षो वशंवदः। यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ।।८७ ।। ': અર્થ : સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો, ભલે કદી મોક્ષ ન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે, તે અનિર્વચનીય હોય છે. :વિવેચન : નિઃસંગ પુરુષોની મુક્તિ જલદી થતી હોય છે, છતાં કદાચ કોઈની મુક્તિ મોડી થાય તો પણ એમને જે આંતરસુખ હોય છે, એ સુખનું વર્ણન શબ્દોમાં કરી શકાય એવું નથી હોતું. પ્રશમરતિ' ગ્રંથમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છે - यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ।।१२४ ।। સર્વ વિષયોની આકાંક્ષામાંથી પેદા થતું જે સુખ રાગી (સંગી) જીવને મળે છે, એનાથી અનંત કોટિગુણ સુખ રાગરહિત (નિસંગી જીવને મળે છે.” નિઃસંગ-વિરક્ત આત્માને જે સુખ મળે છે, તેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી. તે અનુભવગમ્ય હોય છે. એવી રીતે તીવ્ર આસક્ત-સંગાવેશવાળો જીવ જે દુ:ખ પામે છે, તે દુઃખનો એક અંશ પણ નિઃસંગ વિરક્ત જીવને સ્પર્શતી નથી. નિઃસંગ અને વિરક્ત આત્માનું વર્ણન “પ્રશમરતિ'માં આ પ્રમાણે કરવામાં આવ્યું છે : જેમણે વેદ અને કષાયોને શાંત કરી દીધા છે, જેઓ હાસ્ય, રતિ, અરતિ અને શોકમાં સ્વસ્થ રહે છે, જેઓ ભય અને નિંદાથી પરાજિત થતા નથી, આવા મહાત્માઓને જે સુખ હોય છે, તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય? અને એ સુખનું શબ્દોમાં વર્ણન પણ કેવી રીતે થઈ શકે? નિઃસંગ, શાન્ત-ઉપશાન્ત આત્માઓ જે આંતરસુખને અનુભવે છે, તેવું સુખ, અશાન્ત અને અનુપશાન્ત એવા સમ્ય દૃષ્ટિ, જ્ઞાની, ધ્યાની અને તપસ્વીઓ પણ અનુભવતા નથી. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક ૮૯ स्फुरत्तृष्णालताग्रंथि-र्विषयावर्तदुस्तरः। क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।।८८ ।। : અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તાથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રિીડાથી ભયંકર છે. વિવેચન: આ સંસાર એક મહાસાગર છે. આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણા-લતાઓ વીંટળાઈ જાય છે. એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. આ વિષયાવર્તા બહુ ખતરનાક હોય છે. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ મહાસાગરમાં લેશોના તરંગો નિરંતર ઊછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને! માટે આ ભવસાગર દુસ્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઊછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવાં કાંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - तिसना विद्रुम वल्लिघन, विषय घुमर बहु जोर, भीम भयंकर खेद जल, भवसागर चिहुं ओर । ('વિષય-ઘુમર' એટલે વિષયાવર્તા. “ભીમ ભયંકર ખેદ જલ' એટલે ક્લેશોના ભયંકર તરંગો. “તિસના' એટલે તૃષ્ણા. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૦ www.kobatirth.org विदलद् बंधकर्माणमद्भुतां समतातरीम् । आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ॥ ८९ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir : અર્થ: હે યોગી, જે નાવડીનાં બંધકર્મ (લંગર) તૂટી ગયાં છે, એવી સમતા (સામ્ય) રૂપ અદ્ભુત નાવડીમાં બેસી, જ્લદી ભવસાગરને તરી જા. : વિવેચનઃ ભવસાગર તરવો છે? ભવસાગર જલદી તરવો છે? તો સમતાની નાવડીમાં બેસીને તરી શકશો. ભલે આ ભવસાગરમાં સર્વત્ર તૃષ્ણાની લતાઓ પથરાયેલી હોય, તારે એ લતાઓનો સ્પર્શ તો નહીં જ ફરવાનો, મનમાં ય એ લતાઓનું ચિંતન નહીં કરવાનું. ભલે ભવસાગરમાં અનેક વિષયાવર્તો આવે, તારે આંખો બંધ કરીને સમતાની નૈયામાં બેસી રહેવાનું, એ આકર્ષક આવર્તોમાં સ્નાન કરવાની ઇચ્છા પણ નહીં કરવાની. ભલે ભવસાગરમાં ક્લેશના તરંગો આકાશને આંબવા ઊછળતા હોય, તારે તારી સામ્યભાવની તૈયામાં દૃઢતાથી બેસી રહેવાનું! નૈયામાંથી ઊછળી ના પડાય, એવી કાળજીથી નૈયાને સજ્જડ પકડી રાખીને બેસી રહેવાનું! સામ્યશતક આવી રીતે ભવસાગરને ‘યોગી’ જ તરી શકે. એટલે ગ્રંથકારે આ તરવાની વાત યોગીને કરી છે. તૃષ્ણાઓ અને વિષયોથી યોગી જ અલિપ્ત રહી શકે! ભયંકર ક્લેશોના તરંગો વચ્ચે યોગી જ નિર્ભય રહી શકે. ભવસાગર તરવાનું કામ ભોગીનું નહીં, યોગીનું જ છે. - ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ નાવડીને અઢાર હજાર શીલાંગનાં પાટિયાંઓથી સજ્જ કરીને એમાં બેસવાનું કહે છે चाहे ताको पार तो, सज कर समतानाउ, शील अंग द्रढ़ पाटीए सहस हजार बनाउ. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि, तद्भस्मनि हुतोपमम् ।।१०।। : અર્થ : સૂકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ, સમતા વિના કરવામાં આવે, તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવો સમજો. :વિવેચન : કોઈ મુનિ વૃક્ષનાં સૂકાં પાંદડાં ખાઈને તપ કરે, કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપ કરે, કોઈ મુનિ અનેક વર્ષો સુધી આયંબિલનું તપ કરે.... કોઈ મુનિ મા ખમરાના પારણે મા ખમણ કરે.... પરંતુ જો સમતા વિના, સમભાવ વિના આ તપ કરે તો તેનું કોઈ મૂલ્ય નથી. રાખમાં નાંખેલા ઘીની જેમ નિરર્થક છે. ભલે તમે સમ્યગ્દષ્ટિ હો, ભલે તમે જ્ઞાની-ધ્યાની હો, કે ભલે મહાનું તપસ્વી હો, તમે જો અનુપશાન્ત છો તો બધું જ વ્યર્થ છે, બધું જ નિરર્થક છે. શું અગ્નિ શર્મા તાપસે લાખો મા ખમણ નહોતાં કર્યા? છતાં એ ભવસાગરને તરી ન શક્યો. શાન્ત-ઉપશાન્ત આત્માને જે સુખ આ જન્મમાં મળે છે, તે સુખ નથી તો ચક્રવર્તીને મળતું કે નથી દેવેન્દ્રને મળતું. સાધક આત્મા તો જ શાન્ત-પ્રશાન્તઉપશાન્ત રહી શકે, જો એ લોકચિતા ત્યજીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહે, રાગ-દ્વેષ અને કામવિકારો પર વિજય પ્રાપ્ત કરે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે અર્થ કરે છે - योगी जे बहु तप करे, खाई जुरे तरुपात, उदासीनता विनु भसम, हुति में सो भी जात. ઉદાસીનતા-સમભાવ વિના બધી જ સાધના-આરાધના વ્યર્થ છે, એમ ગ્રંથકાર કહે છે. એ ઉદાસીનતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરતા રહો. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યરાતક येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ।।९१ ।। : અર્થ : જે તપથી જીવાત્મા આ સંસાર પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ, મોહન કારણે કોઈ પુરુષના સંસાર બંધનનું કારણ થાય છે. :વિવેચન : તપથી સંસારને તરી શકાય છે. તપથી સંસારમાં ડૂબી શકાય છે! જે તપ મોહનાં બંધન તોડવા માટે થાય, તે તપથી સંસારને તરી જવાય છે. જે તપ મોહથી પ્રેરિત થઈને કરાય, તે તપથી સંસારમાં ડૂબી જવાય છે. ત૫ ક્રોધથી થાય, જેમ અગ્નિ શર્મા. તપ અભિમાનથી થાય, જેમ બાહુબલી . તપ માયાથી થાય, જેમ મલ્લીનાથની પૂર્વભવ. તપ લોભથી થાય, જેમ દ્રૌપદીનો પૂર્વભવ. બાહુબલીને તો એમની બે બહેન-સાધ્વીઓ પ્રતિબોધ કરનારી મળી હતી, એટલે એ બચી ગયા ને ભવસાગર તરી ગયા! પરંતુ અગ્નિ શર્મા ભવસાગરમાં ડૂબી ગયો. મલ્લીનાથ ભલે “સ્ત્રીનો અવતાર પામ્યા, પણ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તરી ગયા. અને દ્રૌપદીને પાંચ પતિ મળ્યા હતા, છતાં એના મહાસતીત્વે એને બચાવી લીધી. તપ માત્ર કર્મનિર્જરાની ભાવનાથી કરવાનું છે. આત્મવિશુદ્ધિ માટે કરવાનો છે. કોઈ ભૌતિક આશંસાથી તપ કરવાનું નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : छूटे भव के जालथे जीनहि तप करी लोक, सो भी मोहे काहे कुं, देत जनमको शोक । ભવપરંપરાથી મુક્ત થવા તપ કરો, મોહથી નહીં. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યરાતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ।। ९२ ।। : અર્થ: વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ, વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે. ૯૩ ઃ વિવેથન: વિષયોનો ઉપદ્રવ શાન્ત થાય ત્યારે સંતોષનું સુખ મળે. એ સંતોષ, આત્માને કોઈ દિવ્ય આંતરસુખ આપે છે. જો તમારે દિવ્ય આંતરસુખ અનુભવવું છે, તો તમારે સંતોષ ગુણને પ્રાપ્ત કરવો જ પડશે. એ સંતોષને મેળવવા તમારે વિષયો (પાંચ ઇન્દ્રિયોના) પ્રત્યે વિરક્ત બનવું પડશે. વિષયવિરક્તિ માટે તમારે તપશ્ચર્યાનું આલંબન લેવું પડશે. તપશ્ચર્યા દ્વારા વિષયોનો માનસિક ઉપદ્રવ શાન્ત કરી શકાય છે. બાહ્ય તપશ્ચર્યા અને અત્યંતર (આંતરિક) તપશ્ચર્યા કરતા રહો અને વિષયો તરફ અનાસક્ત બનતા રહો. વિષયોની અભિરુચિથી ધીમેધીમે મુક્ત બનો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - विषयउपद्रव सब मिट्यो, होवत सुख संतोष, ताते विषयातीत है, देत शान्तरस पोष । ‘મનમાંથી વિષય ઉપદ્રવ દૂર થઈ ગયો, મનમાં સુખ-સંતોષ વ્યાપ્ત થઈ ગયો.... પરમ શાન્ત રસનો અનુભવ થયો!' ‘શાન્તરસ'ની અનુભૂતિ સંતોષથી જ થઈ શકે છે. સંતોષ તો જ સ્થિર રહે, વિષય-ઉપદ્રવ મટી જાય! વિષયોનો ઉપદ્રવ ન જોઈએ. તે તે યોગ્ય સમયે તમે વિષયોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપદ્રવ ન જોઈએ. વિષયોની તીવ્ર આસક્તિ ઉપદ્રવ પેદા કરે છે; પછી સંસારી હોય કે સાધુ હોય. For Private And Personal Use Only વિષયાતીત આનંદ કહો, અનિર્વચનીય સુખ કહો કે શાન્તરસ કહો - આ બધાંની પ્રાપ્તિ સંતોષથી થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिर्निरीहं श्लिष्यति स्वयम् ।।९३।। :અર્થઃ નિઃસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે, જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે. : વિવેચન : આ જગતમાં એવો નિયમ છે કે જે પુરુષ, સુંદર સ્ત્રીની સ્પૃહા નથી રાખતો પણ તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. સ્પૃહા રાખનાર પુરુષની ચતુર સ્ત્રીઓ ગરજ સમજી જાય છે. તેથી તેના તરફ અનાદર બતાવતી જાય છે. છેવટે એ આસક્ત પુરુષને વશ કરીને, પોતે સ્વતંત્ર-સ્વચ્છંદી બનતી જાય છે. પરંતુ જો પુરુષ નિઃસ્પૃહ રહે તો સુંદરી સ્વયં જ વશ થાય છે. - સામ્યાતક આ લૌકિક દૃષ્ટાંત આપીને ગ્રંયકાર કહે છે: નિઃસ્પૃહ (વિષયોની સ્પૃહા વિનાના) પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ સ્વયં જ આલિંગન આપે છે! એને વશ થાય છે. અર્થાત્ વિષયોમાં અનાસક્ત આત્માને સ્વયં જ પરબ્રહ્મનું જ્ઞાન થાય છે. વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનો. યાદ રાખો : પÚદા મદાવુકવું, નિઃસ્પૃહત્સં મહાસુહમ્’ ‘પરસ્પૃહા મહા દુ:ખ છે. નિઃસ્પૃહતામાં જ મહા સુખ છે.’ જો તમે નિઃસ્પૃહ છો તો આ જગતને તૃણ સમાન ગણો. જો તમે વિદ્વાન છો તો તમારા ચિત્ત ધરમાંથી સ્પૃહાને કાઢી મૂકો. જો તમે જ્ઞાની છો તો જ્ઞાનના દાતરડાથી સ્પૃહાની વિષવેલને કાપી નાંખો. - નિઃસ્પૃહ મહાત્મા ભલે ભૂમિ પર સૂઈ જાય, ભિક્ષા લાવીને ભોજન કરે, જીર્ણ વસ્ત્રો પહેરે અને જંગલમાં રહે, છતાં એને ચક્રવર્તી કરતાં પણ વધારે સુખ હોય છે. For Private And Personal Use Only - નિઃસ્પૃહ મહાત્મા વિચારે છે : ‘હવે મારે આત્મસ્વભાવ સિવાય કાંઈ જ મેળવવાનું બાકી નથી. બીજું કાંઈ ન જોઈએ.' Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાશતક सूते सुमनसा कंचिदामोदं समतालता। यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ।।९४ ।। ': અર્થ : સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વેર રાખનારાં પ્રાણીઓ પણ મૈત્રીની સૌરભ પ્રાપ્ત કરે છે. : વિવેચન : જો તમે સારા મનવાળા છો, તો સમતા તમારા મનને એવી દિવ્ય સુગંધથી ભરી દેશે કે એ સુગંધના પ્રતાપે નિત્ય વેરી એવાં પ્રાણીઓમાં પણ મૈત્રીભાવની સૌરભ ઉત્પન્ન થશે. અર્થાત્ વેરભાવથી ભરેલા જીવો પણ તમારી પાસે આવતાં, મૈત્રીભાવ ધારણ કરશે. એમનો વેરભાવ દૂર થઈ જશે. પહેલી વાત કરી છે સારા મનની! તમારું મન સારું છે? જો મન સારું હશે, સ્વચ્છ હશે તો સમતા-લતાની સુગંધ એમાં ભરી શકાશે. સમતા-લતાની સુગંધ એમાં ટકશે! તમે સુગંધમય બની જશો. તમારા અણુ-અણુમાં સમત્વની સુવાસ પ્રસરી જશે... પછી જે કોઈ તમારા સંપર્કમાં આવશે તેના ઉપર જાદુઈ અસર થશે! એનામાં રહેલા વેર-વિરોધ નામશેષ બની જશે અને એ પણ મૈત્રીભાવથી છલકાઈ ઊઠશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - दे परिमल समतालता, वचन-अगोचर सार, नित्य वैरी भी ज्यां बसे, लहत प्रेममहकार । જે પશુઓ અને જે મનુષ્યોના મનમાં હંમેશાં વેરભાવ રહે છે, એવા જીવો પણ, સમત્વભાવથી ઓતપ્રોત બનેલા મહાત્માઓના પરિચયમાં આવતાં, વિરભાવને ભૂલી જાય છે. તેમનામાં પણ મૈત્રીભાવ પ્રગટે છે. સામ્યભાવનો આ પ્રભાવ જાણીને, મુમુક્ષુ આત્માએ એ સામ્યભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩ સામ્યશતક साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ।।९५ ।। અર્થ: સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને, મુમુક્ષુઓ મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો. વિવેચન : મોહ રાક્ષસરાજ છે. રાક્ષસરાજની સેના ઘણી માયાવી હોય છે. માયાવી સેના ઉપર વિજય મેળવવો ઘણો-ઘણો અઘરો હોય છે. મોહ રાક્ષસરાજ છે, અને એની સેના ભયાનક માયાવી છે. એ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ-અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ બધી સેના મોહની છે. એક-એક ઉપર વિજય મેળવવો મહા મુશ્કેલ છે. આ બધાં માયાવી છે, એટલે જુદાં જુદાં રૂપ કરી શકે છે, જીવાત્માને છેતરી શકે છે. એટલે આ બધાં ઉપર વિજય મેળવવો અશક્ય લાગે છે. છતાં જો મુમુક્ષુ આત્મા પાસે સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર આવી જાય તો એ માયાવી તેના પર વિજય મેળવી શકે છે. સામ્યભાવ એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રની આગળ માયાવી સેનાનું કંઈ ઊપજતું નથી! બ્રહ્માસ્ત્રથી ત્રણ ભુવન પર વિજય મેળવી શકાય છે. જો તમે મુમુક્ષુ છો, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળો છો, તો તમારે આ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર પાસે જ રાખવું જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - सेना राखस मोह की, जीपे सुखे प्रबुद्ध. ब्रह्म-शस्त्र को लेइके, समता अंतर शुद्ध । જો તમે મુમુક્ષુ હશો તો જ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવશે અને રહેશે, અને તો જ મોહ-રાક્ષસરાજની માયાવી સેનાને પરાજિત કરી શકશો. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् । ९६ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir :અર્થ: હે આત્મન્, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પેલા અમૃતને મેળવવાની ઇચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. વિવેચન : સાહિત્યના ગ્રંથોમાં કવિઓની કલ્પનાઓ પ્રસિદ્ધ છે. કવિજનો સ્ત્રીઓના અધરમાં અમૃતની કલ્પના કરે છે. મોહમૂઢ જીવો એ કલ્પનાને સાચી માની લે છે અને એ અમૃત પીવા દોડે છે. ખરેખર, એ સ્ત્રીઓના અધરોમાં અમૃત નથી હોતું, હળાહળ ઝેર હોય છે. પરંતુ મોહમૂઢ જીવોને કોણ સમજાવે? તેઓ એ હળાહળ ઝેરને અમૃત માનીને પીએ છે, મરે છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ગ્રંથકાર એવા કવિ-કલ્પિત અમૃત પીવાની ના પાડે છે. તેઓ તો સમતારૂપ અમૃતનું પાન કરી, અમૃતમય બનવાની પ્રેરણા આપે છે. નિરામયપદ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. ૯૭ તમારે મોક્ષપદ જોઈએ છે? તમારી મુક્તિનો આનંદ જોઈએ છે? તમારે નિરામયપદની પ્રાપ્તિ કરવી છે? તો તમે જ્ઞાનીપુરુષોએ બતાવેલી સમતા-સુધાનું પાન કરતા રહો. પેલી કવિકૃત કલ્પનાઓના અમૃતને દૂરથી ત્યજી દો. ઉપાધ્યાયશ્રી યંશોવિજયજીએ કહ્યું છે कवि-मुख-कल्पित अमृत के, रसमें मुझत મંદી? भजो एक समतासुधा, रति धरी शिवपदमांही । એ સમતા-સુધાનું પાન કરવા - અનિત્ય વગેરે ૧૨ ભાવનાઓ ભાવતા રહો. - મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવતા રહો. - યોગગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતા રહો. - For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ સાગ્યશતક योगग्रंथमहांभोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७ ।। ': અર્થ : હે આત્મનુ, યોગગ્રંથરૂપ મહાસાગરને મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. :વિવેચન : શું તત્કાલ માનસિક સુખ જોઈએ છે? શું તત્કાલ મનના લેશોથી મુક્ત થવું છે? તો યોગના ગ્રંથો, યોગના શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન કરી, મનના રવૈયાથી મંથન કરી, સમતામૃતને પ્રાપ્ત કર અને એ સમતામૃતનું પાન કર. યોગના ગ્રંથો મહાસાગર જેવા છે! મહાસાગરનું મનના મેરુથી મંથન કરો, તો સમતામૃતની પ્રાપ્તિ થશે; અને એ સમતામૃતનું પાન કરી તમે પરમસુખનો અનુભવ કરશો, જ આ ગ્રંથની રચના કરનાર આચાર્યદેવે, અનેક યોગગ્રંથોનું અધ્યયનમનન-મંથન કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે આપણને તો તૈયાર જ અમૃત-પ્યાલો મળી ગયો છે! બસ, એ અમૃતનું આપણે પાન કરીએ, પાન કરતા રહીએ, એ જ જરૂરી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – योगग्रंथ जलनिधि मथो, करी मन को मंथान, समता अमृत पाई के अनुभव रस को जान । જ્યારે જ્યારે મન અશાન્ત થાય, બેચેન થાય, ઉદ્વિગ્ન થાય, ત્યારે આ સામ્યશતકને હાથમાં લો અને એના ગમે તે ચાર-પાંચ શ્લોકનું એકાગ્રતાથી વાંચન-મનન કરો. તમને તત્કાલ શાન્તિ-સમતા મળશે. તમે સ્વસ્થ બનશો. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્પશતકે मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांस ध्रुवमायान्ति, सिद्धि गांगनाः स्वयम् ।।९८ ।। : અર્થ : મૈત્રી વગેરેની વાસનારૂપ સુગંધથી, જેણે દિશાઓનાં મુખ સુવાસિત કરેલાં છે, એવા પુરુષની પાસે સિદ્ધિઓરૂપ ભમરીઓ સ્વયં અવશ્ય આવે છે. :વિવેચન : મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય - આ ચાર ભાવનાઓ ભાવતાં ભાવતાં જ્યારે એ વાસનારૂપ બની જાય છે ત્યારે એની દિવ્ય સવાસથી દિશાઓ સુવાસિત થઈ જાય છે. એ યોગીપુરુષની આસપાસની દુનિયા સુવાસિત થઈ જાય છે. આવા મૈત્રી આદિ ભાવનાઓથી સભર યોગીપુરુષોની પાસે સિદ્ધિઓ સ્વય આવે છે. તેઓને સિદ્ધિઓ મેળવવા સાધના કરવી પડતી નથી. જેવી રીતે પુષ્પોની સુવાસથી આકર્ષિત થઈને ભ્રમરીઓ એ પુષ્પો પાસે આવે છે, ગુંજારવ કરે છે, તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓથી સુવાસિત મહાત્માઓના ચરણે અનેક સિદ્ધિઓ સ્વયં આવી રહે છે. સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ! આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો. - સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. - સહુ જીવોનાં દુઃખો નાશ પામો. - સહુ જીવોના દોષો-પાપો દૂર થાઓ. પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષુ'ની ભાવના ચરિતાર્થ બનશે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 100 સાભ્યશતક ૧૦૦ re औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।।१९।। : અર્થ : ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા મૈત્રીગુણથી પવિત્ર થયેલા, સંભ્રમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયં જ જાણે રોપથી છોડી દે છે! વિવેચનઃ ઉદાસીનતા એટલે સામ્યતા. સામ્યતાને અને મૈત્રીભાવને ગાઢ સંબંધ છે. કર્મોને આ સામ્યતા-મૈત્રીની યુતિ પ્રત્યે ઘોર દુશ્મની છે. એટલે જે આત્મા આ યુતિને પોતાનામાં પ્રતિષ્ઠિત કરે છે, કર્મો એ આત્માનો ત્યાગ કરી દે છે! શું તમારે તમારામાં અનાદિકાળથી રહેલાં કર્મોને હાંકી કાઢવાં છે? તો બીજી કોઈ ધમાલ ન કરો. એક જ કામ કરો. સામ્યતા અને મૈત્રીની યુતિને તમારા હૃદયમાં સ્થાપિત કરી દો! કર્મોને આ યુતિ દીઠી ગમતી નથી. જ્યારે સામ્યતા અને મૈત્રી તમારામાં પ્રતિષ્ઠિત થશે ત્યારે તમારામાંથી ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન અને બ્રાન્તિ - આ દોષો ભાગી જશે. અષ, જિજ્ઞાસા, શક્યૂષા, તત્ત્વશ્રવણ અને સૂક્ષ્મબોધ - આ ગુણો પ્રગટ થશે. સૌમ્યતા-પ્રશમોગુણ આવે એટલે મૈત્રીભાવ આવે જ. સર્વે જીવો પ્રત્યે, સમગ્ર જીવસૃષ્ટિ તરફ મૈત્રીભાવ વ્યાપક બને છે. આ જીવસૃષ્ટિમાં એકાદ જીવ પ્રત્યે પણ શત્રુતા નથી રહેતી. “આ વિશ્વમાં મારો કોઈ પણ જીવ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે.. સર્વે જીવોનું હિત થાઓ. સર્વે જીવો સુખી થાઓ.' આ ભાવનાથી સૌમ્ય આત્મા સભર બનેલો હોય છે. આવા આત્માઓ જલદીથી કર્મમુક્ત બને છે. કર્મનાં બંધનો સ્વતઃ તૂટી પડે છે. આત્મા શુદ્ધબુદ્ધ-મુક્ત બને છે. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૧૦૧ योगश्रद्धालबो ये तु नित्यकर्मण्युदासते। प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ।।१०।। : અર્થ : જે પુરુષો માત્ર “યોગ” ઉપર શ્રદ્ધા રાખીને, બીજાં આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂર્ખશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. .: વિવેચન : સાવધાન રહો! માત્ર યોગસાધનાના વિશ્વાસે રહી, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પરમાત્મપૂજન આદિ આવશ્યક ધર્મકૃત્યોનો ત્યાગ ન કરી દેશો. નહીંતર તમે મૂર્ખ બનશો. અધ્યાત્મમાર્ગે છેતરાઈ જશો... આ ભવ અને પરભવમાં ભ્રષ્ટ થશો.” ગ્રંથકારે શતાબ્દિઓ પૂર્વે આ સાવધાની આપી છે! આજે વર્તમાનકાળે, અપાત્ર અને અયોગ્ય જીવો જ્યારે એકાદ-બે ધ્યાન ક્રિયાઓ શીખી લે છે, એકબે કલાક એક આસને બેસી યૌગિક ક્રિયાઓ કરી લે છે, તેઓ લગભગ આવશ્યક ધર્મક્રિયાઓ છોડી દે છે! એ ક્રિયાઓ કરનારાઓ તરફ નફરતભરી દૃષ્ટિથી જુએ છે. ધ્યાનાભિમાન અને યોગાભિમાનથી ઉન્મત્ત બની, અધ્યાત્મ માર્ગને દૂષિત કરે છે. આ અભિમાન એમનું શતમુખી પતન કરે છે. આવશ્યક ક્રિયાઓ પ્રતિદિન કરવી જોઈએ, ભાવપૂર્વક કરવી જોઈએ, ઉપયોગપૂર્વક કરવી જોઈએ. ધ્યાન” અને “યોગ” એ ધર્મક્રિયાઓમાં પૂરક બનવાં જોઈએ, બાધક નહીં. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – शुद्ध योगश्रद्धान करी, नित्य करम को त्याग, प्रथम करे जो मूढ़ सो, उभय भ्रष्ट निर्भाग। થોડીક ઉપરછલ્લી યોગક્રિયાઓ કરીને યોગી નથી બની જવાતું કે થોડી ધ્યાન-પ્રક્રિયાઓ શીખીને ધ્યાની નથી બની જવાતું. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧0૨. સાગ્યશતક प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिर्वृतिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ।।१०१।। : અર્થ : આ નિવૃત્તિ (ઉપરતિ) મોક્ષલક્ષ્મીની પ્રતિહારીનું કામ કરે છે. તેથી જે પુરુષ એ નિવૃત્તિને ગમે છે, તે પુરુષ મોક્ષલક્ષમીનું દર્શન કરી શકે છે. :વિવેચન : તમારે મોક્ષલક્ષ્મીનાં દર્શન કરવો છે? તમારે શિવસુંદરીનાં દર્શન કરવાં છે? તો તમારે, એની પ્રતિહારી (દ્વારપાલ) ને સાધવી પડશે. એ પ્રતિહારીને તમે ખુશ કરી શકો, એ તમારા પર રીઝી જાય તો તમને મોક્ષલક્ષ્મીનાં, શિવસુંદરીનાં દર્શન કરાવી દે! એ પ્રતિહારી છે નિવૃત્તિ! ઉદાસીનતા! સૌમ્યતા! તમે નિવૃત્ત બનો, ઉદાસીન બનો, સૌમ્ય બનો, શાન્ત-ઉપશાન્ત બનો, તો તમને મોક્ષપ્રાપ્તિ થતાં વાર નહીં લાગે. તમને મુક્ત થતાં વાર નહીં લાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ લખ્યું છે - निवृत्ति ललना कुं सहज, अचारेजकारी कोउ, जो नर याकुं रूचत है याकुं देखे सोउ। તમારે પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિથી નિવૃત્ત બનવું પડશે. તમારે સંસારવાર પ્રત્યે ઉદાસીન બનવું પડશે. તમારે કપાયોને શાન્ત કરી, ઉપશમરસમાં લીન બનવું પડશે. એ માટે આ દુનિયાના તમામ સંબંધોના વળગણથી વેગળા બની જવું પડશે! બસ, પછી તમારે કઈ જ કરવાનું, સાધવાનું, આરાધવાનું બાકી નહીં રહે. તમે કૃતકૃત્ય-કૃતાર્થ બની શકો. તમે પરમ સુખમય, પરમાનંદમય બની જશો. તમે નિવૃત્તિના “પ્રિયતમ' બની જાઓ! For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org अहो, वणिक्कला कापि मनसोऽस्य महीयसी । નિવૃત્તિનુનયા ચેન, તુનિતં રીયતે સુમ્ ।।૧૦૨|| Acharya Shri Kailassagarsuri Gyanmandir મન, નિવૃત્તિના ત્રાજવે સુખને તોલે છે! જેમ વેપા૨ી ત્રાજવે તોલીને વસ્તુ આપે છે તેમ! : અર્થ : અહો! મનની આ ણિક કળા કેવી મોટી છે કે જે મન નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને, જેટલું જોઈએ તેટલું સુખ આપે છે. : વિવેચન : १०३ તમારે ખરેખર આંતરસુખ જોઈએ તો તમને એ સુખ તમારું મન આપશે. નિવૃત્તિના ત્રાજવે તોલીને આપશે! તમે કેટલા નિવૃત્ત છો, ઉદાસીન છો, પ્રશાન્ત છો.... સૌમ્ય છો, એના પ્રમાણમાં તમને આંતર આત્મસુખ મળશે. બહારની દુનિયામાં સુખ શોધવાનું છોડો. દુનિયાનાં વૈયિક સુખો શોધવાથી નથી મળતાં, એ સુખો તો પુણ્યકર્મને આધીન છે. તમારા પુણ્યકર્મના ઉદય મુજબ એ સુખો આવી મળશે. જ્યારે આંતર આત્મસુખ સૌમ્ય ભાવથી-ઉદાસીન ભાવથી જ મળશે. સૌમ્યભાવને આત્મસાત્ કરી લેવાનો છે. પળેપળની આત્મજાગૃતિથી સૌમ્યભાવ ટકી શકે છે. કષાયો અને નો-કષાયોના હુમલા જીવનમાં આવ્યા જ કરે છે. એની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. વિષયોનાં આકર્ષણોની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ, તો જ સહજ આત્મસુખનો અનુભવ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - भावत जाऊ तत्त्व मन, हो समता रसलीन, ज्युं प्रगटे तुज सहज सुख, अनुभवगम्य अहीन । For Private And Personal Use Only મનની આ વણિકકલા છે કે એ આંતરસુખ, નિવૃત્તિના ત્રાજવે તોલીને જ આપે છે! ઓછું-વત્તું નહીં. માટે મનમાં નિવૃત્તિને, ઉદાસીનતાને કાયમ રાખો. Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સાયરાતફ साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ।।१०३।। ': અર્થ : પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ, કલ્યાણપણું ધારણ કરે છે. :વિવેચન : મન “પારા” જેવું ચંચળ છે. પારાને બાંધવો, સ્થિર કરવો, હજુ સહેલો છે પણ મનને બાંધવું, સ્થિર કરવું ઘણું દુષ્કર છે. છતાં એને બાંધી શકાય છે. સામ્યગુણ' ની દિવ્ય ઔષધિથી મનને બાંધી શકાય છે. શમ-પ્રથમથી જ્યારે મનને બાંધી લેવામાં આવે છે ત્યારે આત્મસ્વરૂપના ચિંતનમાં લીનતા પ્રાપ્ત થાય છે. ‘તત્ત્વપ્રતિપત્તિ પ્રાપ્ત થાય છે. - યોગી બનેલો આત્મા વાસનાઓ ઉપર વિજય મેળવે છે. - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે. - કપાયો પર વિજય મેળવે છે. - રોગાદિકમાં વિચલિત થતો નથી. - ભવના ભોગોને તુચ્છ સમજે છે. - ઇચ્છાઓ નાશ પામે છે. એટલે ક્રિયારહિત બને છે અને પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम्। एतदुक्तं समासेन लक्षणं सुख-दुःखयोः ।। જે બધું પરવશ છે તે દુઃખ છે, અને જે આત્મવશ છે તે સુખ છે.' આ સાચી સમજણ આવી જાય છે એટલે શમ-પ્રશમભાવ દઢ રહે છે, તેથી આત્મા સ્થિરતાને અનુભવે છે. આવો આત્મા ક્રિયારહિત બની, પૂર્ણ કલ્યાણને પ્રાપ્ત કરે છે, અર્થાત્ નિર્વાણ પામે છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भूयांसि योगशास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंच ||१०४ ॥ : અર્થ: મહાત્માઓનાં રચેલા યોગના જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક-એક પ્રદેશને આ સામ્યશતક પ્રાપ્ત થાઓ. : વિવેચન : ૧૦૫ ગ્રંથકાર કહે છે : ‘આ સામ્યશતક કોઈ મોટો યોગ ગ્રંથ નથી, કોઈ ધ્યાન ગ્રંથ નથી. આ તો એક નાનકડો ગ્રંથ છે, લઘુ ગ્રંથ છે. પરંતુ જો આ ‘સામ્યશતક'નું એકાગ્રતાથી અધ્યયન, મનન, ચિંતન કરવામાં આવશે તો એ મોટા યોગ ગ્રંથોની, અધ્યાત્મ ગ્રંથોની ગરજ સારશે! જેઓને મોટા ગ્રંથોનું અધ્યયન કરવાની અનુકૂળતા નથી, મોટા ગ્રંથોનું, ગહન-ગંભીર ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રજ્ઞા નથી, તેમના માટે આ લઘુ ગ્રંથ ઘર્ણો ઉપયોગી સિદ્ધ થશે. જે વાતો, જે તત્ત્વો, મોટા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યાં છે, એ જ તત્ત્વો આ ‘સામ્યશતક'માં સંક્ષેપથી કહેવામાં આવ્યાં છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - बहुत ग्रंथ नय देख के महापुरुष कृत सार, विजयसिंह सूरि कियो, समता-शतको हार ! For Private And Personal Use Only ‘આ સામ્યશતકના રચયિતા આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિજીએ અનેક ગ્રંથોનો સાર લઈને, આ ગ્રંથની રચના કરી છે!’ આ વાત જ્યારે ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી કહે છે, ત્યારે આ ‘સામ્યશતક'ની મહત્તા ઘણી વધી જાય છે. ઉપાધ્યાયજીએ તો આ સંસ્કૃત - ગ્રંથનો અનુવાદ, પોતાના એક શિષ્ય માટે કર્યો છે! એટલે તો હજાર ગણી મહત્તા વધી જાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ સામ્યશતક क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरस: स्फुटं समरसी भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ।।१०५ ।। : અર્થ : ક્લેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તો પણ, યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે. એવો આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અભુત વૈભવવાળો છે, તેને વિદ્વાનોના આનંદને જીવાડવા માટે મેં કહ્યો છે. વિવેચન : સામ્યભાવ સિદ્ધરસ છે! સામ્યભાવ મોક્ષલક્ષ્મીદાયક છે! એવા આ સામ્યભાવનું ધ્યાન કરવા માત્રથી યોગીન્દ્રોનું કલ્યાણ થાય છે અને વિદ્વાનોને અપૂર્વ આનંદ થાય છે. માત્ર એક સાવધાની રાખવાની છે : ફ્લેશોનો ત્યાગ કરીને સામ્યભાવનું ધ્યાન કરજો. મનમાંથી ક્લેશોને વાળી-ઝૂડી સાફ કરી નાંખજો! સિદ્ધરસ છે આ સામ્યભાવ! સિદ્ધરસ લોહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ સામ્યભાવના ધ્યાનથી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ બની જાય છે. સામ્યભાવનો સિદ્ધરસ અદ્ભુત છે, અમૃતમય છે! તે પવિત્ર મનવાળા વિદ્વાનોને આનંદથી ભરી દે છે! દેવા માટે પણ આનંદપ્રદ બને છે. આચાર્યદેવ વિજયસિંહસૂરિજીએ આ ‘સામ્યશતક'ની રચના કરી, વિદ્વાનો પર, યોગીજનો પર, મહાન ઉપકાર કર્યો છે. વર્ષો-શતાબ્દિઓ વીતી ગયા પછી પણ એ ગ્રંથ એટલો જ આજે ઉપાદેય છે, કલ્યાણકારી છે. સહુ મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું અવશ્ય અધ્યયન-મનન કરી આંતર આનંદ પ્રાપ્ત કરો. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमच्चंद्र कुलांबुजैकतरणेः षट्तर्क-विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सहृदामुज्जागरूकं हृदि ।। : અર્થઃ For Private And Personal Use Only ૧૦૭ શ્રીમાન્ ચંદ્રકુળરૂપી કમળમાં સૂર્યસમાન, છ તર્ક (દર્શન) વિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનારા ગુરુદેવ શ્રી અભયદેવસૂરિના એક નાનકડા શિષ્ય વિજયસિંહે આ નવીન સામ્યશતક રચેલું છે. તે સહૃદય પુરુષોના હૃદયમાં બોધની જાગૃતિ આપનાર થાઓ : Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HOGE आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (Guj.) INDIA Website : www.kobatirth.org E-mail: gyanmandir@kobatirth.org (ISBN: 978-81-89177-08-9 For Private And Personal Use Only