________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
100
સાભ્યશતક
૧૦૦ re
औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।।१९।।
: અર્થ : ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા મૈત્રીગુણથી પવિત્ર થયેલા, સંભ્રમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયં જ જાણે રોપથી છોડી દે છે!
વિવેચનઃ ઉદાસીનતા એટલે સામ્યતા. સામ્યતાને અને મૈત્રીભાવને ગાઢ સંબંધ છે.
કર્મોને આ સામ્યતા-મૈત્રીની યુતિ પ્રત્યે ઘોર દુશ્મની છે. એટલે જે આત્મા આ યુતિને પોતાનામાં પ્રતિષ્ઠિત કરે છે, કર્મો એ આત્માનો ત્યાગ કરી દે છે!
શું તમારે તમારામાં અનાદિકાળથી રહેલાં કર્મોને હાંકી કાઢવાં છે? તો બીજી કોઈ ધમાલ ન કરો. એક જ કામ કરો. સામ્યતા અને મૈત્રીની યુતિને તમારા હૃદયમાં સ્થાપિત કરી દો! કર્મોને આ યુતિ દીઠી ગમતી નથી.
જ્યારે સામ્યતા અને મૈત્રી તમારામાં પ્રતિષ્ઠિત થશે ત્યારે તમારામાંથી ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન અને બ્રાન્તિ - આ દોષો ભાગી જશે. અષ, જિજ્ઞાસા, શક્યૂષા, તત્ત્વશ્રવણ અને સૂક્ષ્મબોધ - આ ગુણો પ્રગટ થશે.
સૌમ્યતા-પ્રશમોગુણ આવે એટલે મૈત્રીભાવ આવે જ. સર્વે જીવો પ્રત્યે, સમગ્ર જીવસૃષ્ટિ તરફ મૈત્રીભાવ વ્યાપક બને છે. આ જીવસૃષ્ટિમાં એકાદ જીવ પ્રત્યે પણ શત્રુતા નથી રહેતી. “આ વિશ્વમાં મારો કોઈ પણ જીવ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે.. સર્વે જીવોનું હિત થાઓ. સર્વે જીવો સુખી થાઓ.' આ ભાવનાથી સૌમ્ય આત્મા સભર બનેલો હોય છે. આવા આત્માઓ જલદીથી કર્મમુક્ત બને છે. કર્મનાં બંધનો સ્વતઃ તૂટી પડે છે. આત્મા શુદ્ધબુદ્ધ-મુક્ત બને છે.
For Private And Personal Use Only