SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 100 સાભ્યશતક ૧૦૦ re औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।।१९।। : અર્થ : ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા મૈત્રીગુણથી પવિત્ર થયેલા, સંભ્રમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયં જ જાણે રોપથી છોડી દે છે! વિવેચનઃ ઉદાસીનતા એટલે સામ્યતા. સામ્યતાને અને મૈત્રીભાવને ગાઢ સંબંધ છે. કર્મોને આ સામ્યતા-મૈત્રીની યુતિ પ્રત્યે ઘોર દુશ્મની છે. એટલે જે આત્મા આ યુતિને પોતાનામાં પ્રતિષ્ઠિત કરે છે, કર્મો એ આત્માનો ત્યાગ કરી દે છે! શું તમારે તમારામાં અનાદિકાળથી રહેલાં કર્મોને હાંકી કાઢવાં છે? તો બીજી કોઈ ધમાલ ન કરો. એક જ કામ કરો. સામ્યતા અને મૈત્રીની યુતિને તમારા હૃદયમાં સ્થાપિત કરી દો! કર્મોને આ યુતિ દીઠી ગમતી નથી. જ્યારે સામ્યતા અને મૈત્રી તમારામાં પ્રતિષ્ઠિત થશે ત્યારે તમારામાંથી ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન અને બ્રાન્તિ - આ દોષો ભાગી જશે. અષ, જિજ્ઞાસા, શક્યૂષા, તત્ત્વશ્રવણ અને સૂક્ષ્મબોધ - આ ગુણો પ્રગટ થશે. સૌમ્યતા-પ્રશમોગુણ આવે એટલે મૈત્રીભાવ આવે જ. સર્વે જીવો પ્રત્યે, સમગ્ર જીવસૃષ્ટિ તરફ મૈત્રીભાવ વ્યાપક બને છે. આ જીવસૃષ્ટિમાં એકાદ જીવ પ્રત્યે પણ શત્રુતા નથી રહેતી. “આ વિશ્વમાં મારો કોઈ પણ જીવ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે.. સર્વે જીવોનું હિત થાઓ. સર્વે જીવો સુખી થાઓ.' આ ભાવનાથી સૌમ્ય આત્મા સભર બનેલો હોય છે. આવા આત્માઓ જલદીથી કર્મમુક્ત બને છે. કર્મનાં બંધનો સ્વતઃ તૂટી પડે છે. આત્મા શુદ્ધબુદ્ધ-મુક્ત બને છે. For Private And Personal Use Only
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy