________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
૭૪
चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ।।७३ ।।
: અર્થ : હે આત્મનું, સર્વ પદાર્થોમાં ઇન્દ્રિયો સ્વાર્થથી જે રાગ-દ્વેષ કરે છે, તેમાં તું જે કર્તુત્વનું અભિમાન રાખે છે, તેથી તે બુદ્ધિમાન કેમ ગણાય? અર્થાતુ ન જ ગણાય.
વિવેચન : પૂછો, તમારા આત્માને પૂછો -
પદાર્થોમાં રાગ-દ્વેષ ઇન્દ્રિયો કરે છે, અને કર્તુત્વનું પ્રિય - અપ્રિયની કલ્પનાઓ) અભિમાન તું રાખે છે, શું તે બુદ્ધિમત્તા છે?'
હા, જે પદાર્થો, જે વિષયો ઇન્દ્રિયોને પ્રિય હોય છે, તેમાં તે રાગ રાખે છે અને જે અપ્રિય હોય છે, તેમાં તે દ્વેષ રાખે છે.... ઇન્દ્રિયો ખરેખર સ્વાર્થી છે. તે છતાં અજ્ઞાની જીવાત્મા ઇન્દ્રિયોના રવાડે ચઢીને સ્વયં એ વિષયોમાં પ્રિયઅપ્રિયની કલ્પનાઓ કરે છે! મને આ પ્રિય છે,” “મને આ અપ્રિય છે.” આવું કર્તુત્વનું અભિમાન રાખવું મિથ્યા છે.
ઇન્દ્રિયો ભલે વિષયોમાં રાગ-દ્વેષ કરે, આત્માએ રાગ-દ્વેષ નથી કરવાના. આત્માએ તો વિચારવાનું છે કે “કોઈ વિષય સારો નથી કે નરસો નથી. સારાનરસાની માન્યતાઓ ઇન્દ્રિયોની છે. હું તો વીતરાગ છું. મને નથી રાગ, નથી દ્વેષ. હવે હું પ્રજ્ઞાવંત છું, બુદ્ધિમાન છું. મારાથી હવે ઇન્દ્રિયોની જેમ રાગ-દ્વેષ ન કરાય.’ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
केवलता में कर्म को, राग द्वेष को बंध, पर में निज अभिमान धर, क्या फिरत हो अंध.... જે વિષયોનો આત્મા કર્તા નથી કે ભોક્તા નથી, તે વિષયોમાં અપનત્વનું અભિમાન કરનારને ઉપાધ્યાયજી આંધળો કહે છે!
આત્મા જ વિષયોથી વિમુખ બની રાગ-દ્વેષ કરવાનું છોડી દે, તો ઇન્દ્રિયો પણ શાન્ત થાય. વિષયો તરફ દોડતી અટકી જાય.
For Private And Personal Use Only