SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ।।७२।। : અર્થ : યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે, તે ખોટું છે. કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ ફરે છે. :વિવેચન : મનની ગતિ, પવનની ગતિ કરતાં વધારે છે. આ વાત ગ્રંથકારને કહેવી છે. એ માટે તેઓ મન અને પવનની ગતિની સમાનતાનું ખંડન કરે છે! પવનની ગતિ કરતાં મનની ગતિ અતિશય વધારે છે. એ પણ વિષયોમાં! પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોમાં મનના આ અતિ પરિભ્રમણનાં અનેક નુકસાનો છે. એ મનની ગતિ ઓછી કરવી જોઈએ. મનના પરિભ્રમણનું ક્ષેત્ર બદલી નાંખવું જોઈએ. તે માટે કેટલીક સાવધાનીઓ જરૂરી છે – - શ્રવણ-દર્શન-અધ્યયન અને ભોજનમાં સાવધાન રહો. - વિધેયાત્મક વિચારો કરતા રહો. - કર્તુત્વ-ભોસ્તૃત્વના વિચારો ન કરો. - મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવતા રહો. - મંત્રજાપ અને પરમાત્મધ્યાન કરતા રહો. - માનસિક તનાવથી બચતા રહો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. एक भाव मन-पवनको, जूठ कहे ग्रंथकार, या ते पवन हि ते अधिक, होत चित्त को चार। પવન કરતાં મનની ગતિ ઘણી વધારે છે. એવા મનનું વશીકરણ અને સ્થિરીકરણ કરવું અતિ આવશ્યક છે. એ માટે ઉપર બતાવેલા હુ ઉપાયો કરવા જ રહ્યા. સ્થિર અને પવિત્ર મન, આત્માને મુક્તિની નિકટ લઈ જાય છે. અસ્થિર અને ગંદું મન જીવને નરકમાં લઈ જાય છે. For Private And Personal Use Only
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy