SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮. સાયશતક सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्त्तसेकतः ।।२७।। : અર્થ : હદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. : વિવેચન : દેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે. આ ટ્રેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ. દેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્કરાવર્ત મેઘ જોઈએ! પુષ્પરાવર્ત મેઘની વર્ષા જ દેપના પ્રચંડ દાવાનલને બૂઝવી શકે છે. પ્રશમભાવનો પુખરાવર્ત મેઘ! ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે. આ મેઘ, મુશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય. શમભાવ, પ્રશમભાવ, ઉપશમભાવ... વરસતો જ રાખો! છ - છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને! આગ બુઝાઈ ગઈ હતી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે. प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल, द्वेष हुताश बुझाइये, चिंताजाल ज टाल ।। જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો! ખૂબ હરખો! પાગ્નિ (હુતાશન=આગ ને બુઝાવો! પછી કોઈ ચિંતા નહીં રહે. આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્પરાવર્તમેઘની વર્ષા કરવાની છે! For Private And Personal Use Only
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy