________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ્યશતક
अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते। अहंकारभवात्तेषां यदंधकरणं श्रुतम् ।।१९।।
: અર્થ: અહો! અહંકાર ઉત્પન્ન થવાથી વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે.
:વિવેથન:
हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, यो केवल श्रुतअंधता अहंकार को मूल ।।
- ૩૫. યશોવિનયની તમે વિદ્વાન છો? શું શાસ્ત્રોના જ્ઞાતા છો?
ભલે, પરંતુ શું તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે.. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.... મોહનો અંધાપો.
વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્ષ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ છે.
જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાનાં છે, શું તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? શું તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય?
અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય.... એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાનને અંધ કરી દે છે..!
For Private And Personal Use Only