________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
સામ્યશતક
शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ।।१८।।
: અર્થ : અહો! સંસાર-વાસના કેવી દુસ્તર છે! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે!
વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વિતરણી હંમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી.
સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની.
મહાધીન જીવાત્મા દેહને -- શરીરને જ સર્વસ્વ માને છે; એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસક્તિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્તિ છોડતો નથી.
દેહાસક્ત જીવાત્મા સમજતો નથી કે - આ દેહ નાશવંત છે, - આ દેહમાં અશુચિ ભરેલી છે, - આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી.
આ દેહાસક્તિ, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વિભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે.... માન-સન્માનનો ત્યાગ કરી શકે છે.... પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે.
૦ મારું શરીર રોગી ન બનવું જોઈએ. ૦ મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. 0 મારું શરીર ગંદું ન રહેવું જોઈએ!
આવી બધી વાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસક્તિ છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી.. કારણ કે સંસારવાસના વૈતરણી છે! અને તે દૂસ્તર છે!
For Private And Personal Use Only