________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
સામ્યશતક क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुंपन लोभोऽम्बुनिधिरयं नवः ।।४९।।
: અર્થ : આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારું આચરણ) ની લક્ષમી (શોભા) વિનાનો છે અને નિર્દયપણે મર્યાદાને લોપનારો છે.
વિવેચન : ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. પરંતુ આ લોભનો વિચિત્ર સમુદ્ર છે! આ લોભનો નવી જાતનો સમુદ્ર છે.
પહેલી વાતઃ ક્ષમાભૂત એટલે પર્વત, સામાન્ય રીતે સમુદ્ર પર્વતોને પ્રિય કહેવાય છે. પ્રસ્તુતમાં “ક્ષમામૃત' એટલે ક્ષમાશીલ પુરુષો. તેમને લોભ અપ્રિય હોય છે!
બીજી વાતઃ સાધુવૃત્ત એટલે સારી રીતે ગોળ-વર્તુળાકાર. સમુદ્ર સાધુવૃત્તની શોભાથી યુક્ત હોય છે. બીજો અર્થ: સારા આચરણવાળી લક્ષ્મીથી (લક્ષ્મી દેવી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે, એવી માન્યતાની દૃષ્ટિએ) સમુદ્ર યુકત હોય છે. પ્રસ્તુતમાં, લોભરૂપી સમુદ્ર, સારા આચરણવાળી લક્ષ્મી (શોભા)થી રહિત હોય છે. અર્થાત્ જ્યાં લોભ હોય છે, ત્યાં સદાચરણની લક્ષ્મી રહેતી નથી.
ત્રીજી વાતઃ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી. જ્યારે આ લાંભરૂપી સમુદ્ર, મર્યાદાનો લોપ કરે છે. જ્યાં લોભ હોય છે, ત્યાં કોઈ જાતની મર્યાદા રહેતી નથી. આ રીતે -
લોભથી ક્ષમા રહેતી નથી, લોભથી સદાચરણનો નાશ થાય છે, અને લોભથી મર્યાદાનો ભંગ થાય છે. માટે લોભનો ત્યાગ કરવો જોઈએ. ભિન્ન-ભિન્ન રીતે લોભના અનર્થો સમજાવીને, ગ્રંથકાર આચાર્યદેવ લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. લોભને વૃક્ષની, વર્ષાકાળના મેઘની અને અભિનવ સમુદ્રની ઉપમા આપી, ચિંતનની દિશાઓને વિસ્તારી છે.
For Private And Personal Use Only