SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ।। ८३ ।। : eel: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બળાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથી) : વિવેચન : સામ્યશતક માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર! જ્ઞાનનો સૂર્ય ઊગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાનસૂર્ય આપોઆપ નથી ઊગતો, યોગી પુરુષ એ ઉગાડે છે! તે પણ સહજતાથીસરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઊગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્ય બુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્ય જ્ઞાનીઓ તો એ માયા-રાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગીપુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે નનની મોદ-બંધાર જી, માયા-રત્નની ક્રૂર, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर। For Private And Personal Use Only માયાની રાત્રિમાં ક્રૂ૨ કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોનાં એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોના એ કષાયપશુઓ કોળિયા કરી જય છે . માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો.
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy