SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સાભ્યાતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अहो संकल्पजन्मायं विधाता नूतनः તિ क्लेशजं दुःखमप्येतद्विधत्ते यस्तु सुखाख्यया ।। ६४ ।। : અર્થ: અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ક્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે. : વિવેચન : કામવાસના સંકલ્પ (વિચાર)માંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે ‘કામદેવ’ સંકલ્પજન્મા છે. ૬૫ કામવાસનાને પરવશ જીવ, દુ:ખને પણ સુખરૂપે સમજે છે. ક્લેશમય દુ:ખને પણ સુખ માને છે. આ કામવાસના જીવને ભ્રમિત કરતી રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે दुःख सब ही सुख विषय को, कर्मव्याधि- प्रतिकार, ताकुं मन्मथ सुख कहे धूर्त जगत दुःखकार । વૈયિક સુખ દુઃખરૂપ જ છે; પરંતુ મન્મથપરવશ જીવ એને સુખ માને છે. માટે જગતમાં મન્મથને - કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે માટે તે ધૂર્ત છે. જ્ઞાની-યોગી પુરુષોની દૃષ્ટિએ કામવાસના દુઃખરૂપ છે, પરંતુ અજ્ઞાની અને ભોગ લોકોની દૃષ્ટિએ એ વાસના સુખરૂપ મનાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે આલંકારિક ભાષામાં કામદેવને નવી જાતના વિધાતા તરીકે વર્ણવ્યો છે! લોકપ્રસિદ્ધ વિધાતા તો સુખને સુખરૂપે ઓળખાવે છે અને દુ:ખોને દુઃખરૂપે ઓળખાવે છે. જ્યારે આ કામદેવ એવો વિધાતા છે કે જે દુઃખને સુખરૂપે ઓળખાવે છે! For Private And Personal Use Only માલવપતિ મુંજ જેવો વિદ્વાનુ રાજા પણ આ કામદેવના ફંદામાં ફસાઈને દુઃખરૂપ કામવાસના (પરસ્ત્રીજન્ય)માં સુખ માની બેઠો હતો. એના પરિણામે ભયંકર મોતને પામ્યો હતો. હાથીના પગ નીચે ચગદાઈને મર્યો હતો.
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy