________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
સાગ્યશતક
वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ।।६३ ।।
અર્થ : મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત તે તેટલાથી જ પૂર્ણ છે!
વિવેચન : કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે. તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા! તેથી હવે એને બીજા સૈનિકોની બટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર?
કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય! પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દૃઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં -
वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत,
करे न संख्या-पूरणी सुभट-सेणी की तंत। સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી શાસન કરે છે!
એને બીજા વધારે સૈનિકોની જરૂર જ નથી.
એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજ વી.
For Private And Personal Use Only