SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક राग-द्वेष-परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।।९।। અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીચ કહેવાય. તે દાસીય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે. : વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આ આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ લોકનો અર્થ આ રીતે કર્યો છે : અનાસંગમતિ વિષય મેં રાગ-દ્વેષ કો છેદ, સહજભાવ મેં લીનતા, ઉદાસીનતા ભેદ. સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા! સહજભાવમાં લીનતા. તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય, મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ. - વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો. - આજે જે ઇષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે. - મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેપ તાત્ત્વિક નથી. પ્રિય-અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે. For Private And Personal Use Only
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy