________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
राग-द्वेष-परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।।९।।
અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીચ કહેવાય. તે દાસીય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે.
: વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આ આપી છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ લોકનો અર્થ આ રીતે કર્યો છે :
અનાસંગમતિ વિષય મેં રાગ-દ્વેષ કો છેદ,
સહજભાવ મેં લીનતા, ઉદાસીનતા ભેદ. સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા! સહજભાવમાં લીનતા. તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય,
મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ.
- વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો.
- આજે જે ઇષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે.
- મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેપ તાત્ત્વિક નથી.
પ્રિય-અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે.
For Private And Personal Use Only