________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निजलालाविलं लीढे यथा वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा । । ६८ ।।
: અર્થઃ
જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવાં સૂકાં હાડકાંને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે.
:વિવેચનઃ
૬૯
સૂકાં હાડકાંમાં રસ નથી હોતો, છતાં કૂતરો એમાં રસ માનીને મજેથી ચાટે છે! વાસ્તવમાં, એ હાડકું કૂતરાની પોતાની લાળથી ખરડાયેલું હોય છે.... કૂતરો એ પોતાની લાળને જ ચાટીને રાજી થાય છે. પરંતુ અજ્ઞાનતાથી એ સમજે છે કે, ‘આ હાડકામાં રસ છે!'
મનુષ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે. સુખ માનીને ભોગવે છે.... પરંતુ આ મનુષ્યની અજ્ઞાનતા છે. વિષયમાં ખરેખર, કોઈ રસ હોતો જ નથી. મનુષ્યની જે સુખની વાસના છે, એ વાસનાના કારણે વિષયોમાં સુખ માને છે. વાસના દૂર થઈ ગયા પછી વિષયોમાં સુખ-દુઃખની કોઈ લાગણી પેદા થતી નથી.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે –
चाटे निज लाला मिलित, शुष्क हाड ज्युं श्धान, तैसे राचे विषयमें, जड़ निज रुचि अनुमान ।
જડબુદ્ધિ મનુષ્ય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પોતાની વાસનાના કારણે રાચે છે. વાસના બે પ્રકારની હોય છેઃ સુખની અને દુઃખની, સુખની વાસનાથી ખુશ થાય છે, દુ:ખની વાસનાથી નાખુશ થાય છે અને જ્યારે વાસનાથી મુક્ત થાય છે ત્યારે સુખ-દુ:ખની કલ્પનાઓ દૂર થઈ જાય છે.
For Private And Personal Use Only
ગ્રંથકાર સમજાવે છે કે વિષયોમાં સુખ-દુઃખ ન માનો. તમારી વાસના જ સુખ - દુઃખરૂપ છે. સુખ-દુઃખની કલ્પનાઓથી મનને મુક્ત કરવાનું છે. તે માટે સમતાનો, સામ્યભાવનો અભ્યાસ કરતા રહો.