SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निजलालाविलं लीढे यथा वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा । । ६८ ।। : અર્થઃ જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવાં સૂકાં હાડકાંને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. :વિવેચનઃ ૬૯ સૂકાં હાડકાંમાં રસ નથી હોતો, છતાં કૂતરો એમાં રસ માનીને મજેથી ચાટે છે! વાસ્તવમાં, એ હાડકું કૂતરાની પોતાની લાળથી ખરડાયેલું હોય છે.... કૂતરો એ પોતાની લાળને જ ચાટીને રાજી થાય છે. પરંતુ અજ્ઞાનતાથી એ સમજે છે કે, ‘આ હાડકામાં રસ છે!' મનુષ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે. સુખ માનીને ભોગવે છે.... પરંતુ આ મનુષ્યની અજ્ઞાનતા છે. વિષયમાં ખરેખર, કોઈ રસ હોતો જ નથી. મનુષ્યની જે સુખની વાસના છે, એ વાસનાના કારણે વિષયોમાં સુખ માને છે. વાસના દૂર થઈ ગયા પછી વિષયોમાં સુખ-દુઃખની કોઈ લાગણી પેદા થતી નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – चाटे निज लाला मिलित, शुष्क हाड ज्युं श्धान, तैसे राचे विषयमें, जड़ निज रुचि अनुमान । જડબુદ્ધિ મનુષ્ય, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પોતાની વાસનાના કારણે રાચે છે. વાસના બે પ્રકારની હોય છેઃ સુખની અને દુઃખની, સુખની વાસનાથી ખુશ થાય છે, દુ:ખની વાસનાથી નાખુશ થાય છે અને જ્યારે વાસનાથી મુક્ત થાય છે ત્યારે સુખ-દુ:ખની કલ્પનાઓ દૂર થઈ જાય છે. For Private And Personal Use Only ગ્રંથકાર સમજાવે છે કે વિષયોમાં સુખ-દુઃખ ન માનો. તમારી વાસના જ સુખ - દુઃખરૂપ છે. સુખ-દુઃખની કલ્પનાઓથી મનને મુક્ત કરવાનું છે. તે માટે સમતાનો, સામ્યભાવનો અભ્યાસ કરતા રહો.
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy