________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્યરાતક
अस्मिन संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ।।४३ ।।
: અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં હદયહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશાં સૂઈ રહે છે!
:વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે.
આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપો માયાના છે! એ લતામંડપોમાં હૃદયહીન – ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સૂતા નથી, સૂવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે ક્યારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકર્તા નથી.
માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડ્યો રહે છે. જ્ઞાન-નયન એનાં બિડાઈ જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે -
विकसितमाया वेली-घर, भव अटवी के बीच,
सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच । માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય.
માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને “લાભ” સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે.
છતાં, માયા એક વિકસિત લતામંડપ છે! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે અને એમાં પડ્યા-પાથર્યા રહે છે.
For Private And Personal Use Only